________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરમો.).
મેદ વૃદ્ધિ પ્રકરણ
( ૧૯૯ )
ના કવાથમાં મધ તથા લેહભમ નાખી સેવન કરવાથી મેદરોગ મટે છે. અથવા વાસી પાણ મધથી મિશ્રિત કરી નિત્ય પ્રાતઃકાળે પીવાથી મેદરોગ મટે છે. અથવા ગરમા ગરમ ચણા ને ચોખાના ઉના ઉના લંડ સાથે (રાંધેલા અન્ન ઉપરનો જા રગડો) પીવાથી મેદ રોગ મટે છે. અથવા સુંઠ, મરી, ચિત્રક, ત્રિકળા, મોથ અને વાવડીંગ એએના કવાથમાં શુદ્ધ ગુગળ નાખી સેવન કરવાથી મેદરોગ મટે છે. અથવા પીપરનું ચૂર્ણ નિરંતર મધ સંગાથે સેવન કરે તે મેદરોગ અને કફ મટે છે. અથવા ધતુરાના પાંદડાને રસ શરીરે મર્દન કરે તે મેદરોગ મટે છે. અથવા શુદ્ધ પારો, શુદ્ધ તાંબાની ભસ્મ, લોહભસ્મ (ગજવેલ), અને બાળ એઓ સમાન ભાગે લઈ આડાના દુધમાં ખલ કરવાં. સારી પેઠે ઘુંટાયા પછી બે રતિ પ્રમાણ સુંદર ગોળીઓ વાળવી. તેમાંથી ગોળી ૧ મધ અરે પાણી સંગાથે સેવન કરે તે મેદરોગને મટાડે છે-આ વડવાનલ રસ કહેવાય છે. વિઘરહસ્ય. અથવા ચવક, જીરું, સુંઠ, મરી, પીપર, હિંગ, સંચળ અને હરડે એનું ચૂર્ણ નાખીને દહીના પાણી સાથે સાથેવો પિવામાં આવે છે તેથી મેદરોગ નાશ પામે છે અને અગ્નિ પ્રદિપ્ત થાય છે. ગતરંગિણી. અથવા વાવડીંગ, સુંઠ, જવખાર, રાતા ફુલનો ચિ, લોહચૂર્ણ, જવ અને આંબળાં એઓનું ચૂર્ણ કરી મધ સાથે સેવવું જેથી મેદરોગ મટે છે. અથવા વડબોરડીનાં પાંદડાંને કલ્ક કરી કાંજીમાં શધિત કરી પિય સાથે પીએ. અથવા અરણીને રસ, કે તેને કવાથ શિલાજીત સહિત પીએ મેદરોગ નાશ પામે છે. અથવા ગળો, નાની એળચી, ઇંદ્રજવ, વાવડીંગ, હરડે, બહેડાં, આંબળાં અને શોધેલ ગુગળ એ એકએકથી વધતા ભાગે લઈ અને તે સર્વનું ચૂર્ણ કરી મધ સાથે કોલવી ચાટે તે ફેલીઓ, મેદ અને ભગંદર નાશ થાય છે. આ અમૃતાદ્ય ગુગળ કહેવાય છે. અથવા ત્રિફળાં, અતિવિધ, માફળી, નોતર, ચિત્રામૂળ, અર, લિંબડે, ગરમાળો, વજ, સાતળોથેર, હળદર, દારુહળદર, ગળો, ઇંદ્રવરણ, પીપર, ઉપલેટ, સરસવ, અને સુંઠ એઓને કલ્ક કરી સુરક્ષા દિ ગણુના રસમાં તેલને પકાવી અર્થત સર્વ રસ બળી તેલ સિદ્ધ થાય ત્યારે તે તેલ ઉપચોગમાં લેવાથી–પીવામાં, મસળવામાં કોગળા કરવામાં, નાસ લેવામાં અને બસ્તિ કર્મ (ગુદામાં પિચકારી મારવા)માં યોજીત કરવાથી મેદરોગ, આળસ, ખરજ વગેરે કફના રોગોનો નાશ કરે છે. આ ત્રિફળાદ્ય તિલ કહેવાય છે. ચક્રદત્ત.
૧ આ ગ્રંથના તમામ ટીકાકારેએ કુકર ભાંગરા-હાડીઓ કરશણને રસ લેવા લખેલ છે; પરંતુ ગ્રંથકાર વેધરહસ્યમોને પાઠ બતાવે છે તો, તે જોતાં ‘ સૂર્યવારિ' આકડાના દુધમાં ઘુંટવાને પાઠ લખેલ છે માટે તેજ પાઠ મે કાયમ રાખેલ છે.
ભા, કર્તા, ૨ ચોદ ગણું પાણીમાં રાતા ચેખા-આદિ ધાને પકાવીને વિશેષ દ્રવ્યવાળી અને ડી કણીઓવાળી જે રાબડી બનાવવામાં આવે છે તેને પેયા કહે છે. પિયા બહુ હલકી છે, ધાતુઓને પુષ્ટ કરનાર છે. ઝાડાને રોકનાર છે. પ્રદ લાવનાર છે, વાયુને તથા વિષ્ટાને ગ્ય રસ્તે લાવનાર છે અને તરશ, તાવ, વાયુ, દુર્બળપણું, તથા પેટના રોગોનો નાશ કરનાર છે. આમળને મટાડે છે. જે સુંઠ, સિંધવ, સહિત સેતા દીપન, પાચન, રૂચિ, કર્નો તથા દસ્ત બંધ કર્તા છે.
૩ બન્ને જતિની તુલસી, મરી, કાળે આરબળો,વાવડીંગ,મર, ઉંદરકરણી, કાયફળ, કાસંદરો, નાક છીકણું, તુંબર પત્રિકા, ભારંગી, રક્તમંજરી, શાકમાયી, બેરી કહાર, બકાન લીંબડો, હિષ નામનું ઘાસ, અને જટામાંસી, એ ઔષધીઓને સુરસાદિ ગણ કહે છે. આ સુરસાદિગણ કફ, મેદ, કૃમિ, શળીખમ, અરૂચિ, શ્વાસ અને ઉધરસ એઓનો નાશ કરે છે તથા ત્રણનું શોધન કરે છે.
વાગભટ સૂત્ર સ્થાન અ ૧૫ મે.
For Private And Personal Use Only