________________
Shri Mahavir Jain Aradhana Kendra
દશમા )
www.kobatirth.org
શૂરાગ પ્રકરણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૧ )
ઉપાય.
શૂળના રોગવાળાને ઉલટી, લધન, પરસેવેલા, પાચન ઔષધો આપવાં, 'ગુદામાં દવાઓની દીવટ ખાસવી, પીચકારી, રેચ, શેક, ખાર, ચૂર્ણ, તેલનું મર્દન અને ગાળીઓ વગેરે દોષને લગતી ક્રિયા કરવી એજ શૂળરોગ માટે ઉત્તમ ઉપાય છે. અથવા માટીમાં પાણી નાખી તે માટીને પકાવી જાડી ફરી કપડામાં નાખી તેના શેક કરવા. અથવા કપાશીયા, કળથી, તલ, અને જવ, એ સર્વને અથવા એક એકને એરડાનું મૂળ, અળશી, સાટેાડીનુંમૂળ અને લસણ એની સાથે કાંજીમાં સીજવી તેને જ્યાં શૂળ આવતું હોય ત્યાં શેક કરવા. જેથી કુલા, ગોઠણ, પગ, આંગળીઓ, ઘુંટીયા, કાંધ, અને કેડ એટલી જગ્યાનાં શળ તથા અન્ય પણ વાયુ સંબધી પીડા મટી જાય છે. આ કપાસાસ્થ્યાદિ સ્વેદ કહેવાય છે. અથવા તલને વાટી ગાળેા કરી પેટની ઉપર ફેરવવાથી ભયંકર શૂળ પણ મટે છે. અથવા મિંઢળને કાંજીમાં વાટી નાભિની આસપાસ લેપ કરવાથી શૂળ મટે છે. અથવા સુંઠ અને એરડાનું મૂળ એને કવાથ કરી તેમાં હિંગ તથા સ ંચળ નાખી પીવાથી તુરત શૂળનું નિવારણ થાય છે. આ સર્વ વાયુ શૂળના ઉપાય છે.અથવા પિત્તથી શૂળ પેદા થયું હોય તે ગેઞળને ઉકાળી તેમાં શાળ અને જવખાર નાખી પીવાથી શૂળ મટે છે. અથવા કાંસાના, રૂપાના કે ત્રાંબાના ભારે વાસણમાં પાણી ભરી જ્યાં શૂળ આવતું હોય ત્યાં મૂકવું કે ફેરવવું, જેથી પિત્તનું શૂળ મટે છે. અથવા રેચથી પિત્તનું શૂળ મટે છે. અથવા હરડેળ વાટી તેને ગેાળ તથા ધીમાં કાલથી ખાવાથી પિત્તનું શૂળ મટે છે. અથવા આમળાનું ચૂર્ણ મધ સાથે ચાર્ટ તે પિત્તનું શૂળ મટે છે. અથવા લીંબડાની અંતરાલના કવાથ કરી તેમાં મદિરા નાખી પીવાથી કનું શૂળ મટે છે. અથવા સિંધાલૂણ, સંચળ, વડાગીઠું, પીપર, પીપરામૂળ, ચવક, ચિત્રા, મુઠ, મરી અને શેકેલી હિંગ એએનું ચૂર્ણ કરી ચેાગ્ય માત્રાએ ( ૨ ટાંક વા ૪ ટાંક) ઉના પાણી સાથે ફાકે તે કફના શળને તથા આમના મૂળને નાશ કરે છે. અથવા રાઇ અને ત્રિફળાનું ચૂર્ણ મધ સાથે કે, ધી સાથે ચાટે તેા શળ માત્ર જાય છે. અથવા દેવદાર, વજ, ઉપલેટ, સુવા, હિંગ અને સિધાલૂણ એને ખાટા રસમાં વાટી ઉનાં કરીતેના સહેવાય તેવા પેટ ઉપર ઠંટી બચાવી ખરડ-લેપ કરવા તેથી પેટનાં શૂળ મટે છે. અથવા દારૂહઉંદર, દાડીનુંમૂળ, ઉપલેટ, વરીયાળી (કે સવા ?) શેકેલી હિંગ અને સિંધાલૂણ એ સધળાંને કાંજીમાં વાટી ઉનાં કરી સહેવાય તેને લેપ કરે તે શૂળ મટે છે. અથવા બીલીનામૂળની છાલ, એરડાની જડ, ચિત્રા, સુંઠ, શેકેલી હિંગ અને સિંધાલૂણ એ સઘળાં સમાન ભાગે લઇ એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સાથે યોગ્ય માત્રાએ ફાકે તે, શૂળ મટે છે, અથવા પાકેલા કાળા (કે ભૂરાકાળા ?) ને કાપી કકડા કરી, તડકે સુકવી પછી પીતળનાવાસણમાં કે હાંલ્લામાં નાખી ઢાંકી અગ્નિ ઉપર ચઢાવવા અને યત્નપૂર્વક અગ્નિ કરી કાયલા અને તેવા બાળી–મતલબમાં એ કે, રક્ષારૂપ ન થવા દેવા. પછી એ કાયલાનું ચૂર્ણ કરી ૧૨
For Private And Personal Use Only
૧ મૂળ અગ્યાર ાતનાં છે, એટલે વાત, પિત્ત, કફ એ ત્રણે દોષનાં ત્રણ, ત્રણ કાજ, ત્રિદોષ, આમ, નિરામ, અજીર્ણથી થયલુ' અને પરિણામ તથા રક્તળ એ અગ્યાર પ્રકારનાં છે. રક્ત શૂળમાં પિત્ત શૂળનાં લક્ષણા હાય છે, પણ તેમાં શેષ, લેાહીની ઉલટી, તરશ, દાહ, ઉધરસ અને શ્વાસ એટલાં ચિન્હા વિશેષ હેાય છે. આ લેહીના બગાડથી શૂળ ઉત્પન્ન થાય છે. એમ આત્રેયજીનુ કહેવુ છે. કેટલાએક ગ્રંથકારાએ તે આઠ પ્રકારનાંજ શળા કહેલાં છે અને કેટલાએકાએ તેમાં પણ ભિન્ન ભિન્ન દાષાના કારણથી ભિન્ન ભિન્ન ભેદો કહેલા છે.
૧