________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮ )
અમૃતસાગર.
( તરંગ
પશુ લઇ તેમાં પકાવી તથા પકાવતાં ગાત્ર ચારગણું નાખી પકાવી તેલ સિદ્ધ કરી પગ થળી પગને તળીએ મહેન કરે તો તે મટે છે.
દંડપતાનકાક્ષેપ, દંડકાક્ષેપ, વાતપિત્તકૃતાક્ષેપ અને અભિધાતકૃતક્ષેપ ચએલ હોય તેા કાંસકીનાં મૂળ તથા દશમૂળ ૮-૮ ભાગ લઇ જવ, મરી અને કલથ એ સધળાંઓના અાવશેષ પાંણી રહે તેવા કવાથ કરી તેના આઠ ભાગ, દુધના આઠ ભાગ અને તેલ ૧ ભ!ગ લઇ એને એક વાસણમાં નાખી પછી તેમાં જીવનીય ગણુનાં આપધા, સિધાલૂણુ, અગર, રાળ, શરૂ, દેવદાર, મળ, પદ્મક, ઉપલેટ, એળચી, કાળી તથા ધોળી ઉપલસરી, છડછડી, શિલાજીત, તમાલપત્ર, તગર, વજ, શતાવરી, આસગધ, સવા અને સાટોડીનાંમૂળ એટલાં ઐષધનું ચૂર્ણ નાખી તેલને સિદ્ધ કરી–પકાવી ઉપયોગમાં લેવું, તેથી સર્વ પ્રકારના આક્ષેપક રોગ અને વાયુરીંગ, હેડકી, શ્વાસ, ગાળા, અમૃદ્ધિ, ક્ષીણુતા, ભાગેલા હાડ, ઉગ્ર ઉધરસ, નિર્બળતા, સુવાવડીના વિકાર, મર્મસ્થળના માર ઉપર, પરિશ્રમ અને ત્રાડ વગેરેને નાશ કરે છે તથા સ્ત્રીને સગર્ભા બનાવે છે. પણ દેશ, કાળ, વય તથા અગ્નિતા વિચાર કરી માત્રા આપવી. આ સહુાખલાયેલ કહેવાય છે.
અંતરાયામ તથા બાહ્યાયામ હોય તે અતિ-અડદીવાના જેવી ચિકિત્સા–રા
ગ મટાડવાના ઉપાય કર્યા.
ધનુર્વાત તથા મુન્જક હાય તા વિશેષે કરીને પ્રસારણી તેલ (હનુગ્રહની ચિકિત્સામાં કહેલું છે તે) નું સેવન કરવાથી શાંત થાય છે. તથા વાયુ વ્યાધિએની સામાન્ય ચિકિત્સાએ કરવાથી પણ મટે છે.
અપતંત્ર હોય તેા તે ઉપર તૃપ્તિ વિરૂદ્ધ ક્રિયા કરવી નહીં તેમજ નિરૂહબસ્તિ કે વમન પણ સેવન કરવાં નહીં; પરંતુ કથી તથા વાયુથી રાકાયલી શ્વાસને ચલાવનારી નાડીઆને તીક્ષ્ણ ચૂર્ણના નાસ વડે છૂટી કરવી, જેથી સના પ્રાપ્ત થાય. અથવા મરી, સરગવાનાં બીજ, વાવડીંગ અને મરવા એને બરાબર લઇ ઝીણું ચૂર્ણ કરી તેના નાસ લેવા. અથવા હરડેની છાલ, વજ, રાસ્ના, સેધવ અને અમ્લવેતસ એને સૂક્ષ્મ વાટી ધી અથવા આદાના રસ સાથે ઉપયોગ કરવા જેથી અપતંત્ર મટે છે.
પતાનક હોય તે। દશમૂળના કવાથ પીપરના પ્રતિવાસ સાથે પીવા, તથા કવાથ ૫ચી ગયા પછી માંસના રસા સાથે ભાત ખાવા, તેલનું મર્દન કરવું, તીક્ષ્ણ ફ્રેંચ દેવે અને પછી ધી પીવરાવવું જેથી નસે સાધુ થઇ જાય છે. અથવા જમ્યા પેહેલાં મરીના ચૂર્ણ સહિત ખાટુ દહં પીવું અને સ્નેહ (તેલ કે ધી)ની પિચકારીએ મારવી તે અપતાનક મટે છે. પક્ષધાત થયા હોય તે! અડદ, કાચાં, એરડા અને મેટી કાંસકીનાં મૂળ એએને
૧ જીવક, ઋષભક, મેદા, મહામેદા, કાકાલી, ક્ષીરકાકાલી, ઋદ્ધિ, વૃદ્ધિ, જેઠીમધ, ડોડી, 'ગલી મગ અને જગલી અડદ આ ખાર ઍઔષધી જીવનીયગણની સંજ્ઞાથી ઓળખાય છે.
૨ વાયુ જો પિત્તથી સયુક્ત હેય તે અ`દરદાહ, બહાર સંતાપ, તથા મૂર્છા થાય છે અને કફથી સંયુક્ત હોય તે। શીતપણું', સાો અને ભારેપણું થાય છે. આ લક્ષણા પ્રત્યેક વાયુની વ્યાધિઓમાં પણ લક્ષમાં લેવા ચેાગ્ય છે. જો એક્લા વાયુથી પક્ષઘાત થયા હાય તે મહાકષ્ટસાધ્ય, પિત્તકે કફથી સયુક્ત હોય તે સાધ્ય અને ધાતુઓના ક્ષયથી થયે હોય તે અસાધ્ય છે, તથાગર્ભિણી, સુવાવડી, ખાળક,વૃદ્ધ, ક્ષીણ અને લેાહીના ક્ષયવાળે! એટલાં મનુષ્યાને પક્ષાઘાત થયે! હાય તે પણ અસાધ્ય છે—મટતા નથી માટે ચિકિત્સા કરવી વ્યર્થ છે અને વેદના રહિત પક્ષાઘાત હોય તે પણ અસાધ્ય છે,
ભાવપ્રકાશ.
For Private And Personal Use Only