________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમે )
વાતવ્યાધિ પ્રકરણ,
સિદ્ધ કરેલું-પકાવેલું ગાયનું ધી ઉપયોગમાં લે તે મૃગી નાશ થાય છે. અથવા સરગવાના મૂળની છાલ, વરણવાળો, ઉપલેટ, જીરું, લસણ, સુંઠ, મરી, પીપર અને હિંગ એ સઘળાં બબે તેલા ભાર લઈ ખાંડી કટક કરી તેલ તેલા ૨૪ અને બકરાનું મૂત્ર તેલા ૧૦૮ તેમાં કેલ્ક નાખી ધીમા અગ્નિના તાપથી પકાવવું. જ્યારે મૂત્ર બળી તેલ માત્ર રહે ત્યારે નિચે ઉતારી ગાળી તે તેલને નાસ લે તે મૃગીવાયુ નાશ પામે છે. ભાવપ્રકાશ.
અથવા પંચલ ત્રિફળા, વાવડીંગ, સિંધાલૂણ, અજમે, શાહજીરૂં, ધાણું, મરી, બીડલૂણ, કયાં અને જીરું એઓનું ચૂર્ણ કરી દશમૂળના ઉના કવાથ સંગાથે પીવામાં આવે તે વાયુ તથા કફ સંબંધી રેગે, મૃગીવાયુ, ઉન્માદ, અરશ અને સંગ્રહણી એટલા રોગો મટે છે, તથા, નાશ થએલે જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. આ કલ્યાણું ચૂર્ણ કહેવાય છે એમ ભાવમિશ્ર કહે છે. અથવા પુષ્ય નક્ષત્રના દિવસે કુતરાનો પિત્ત કહાડી અંજન કરે અથવા ધીની સાથે તેને ધૂપ દેવાથી મૃગી નાશ પામે છે. તેને યોગતરંગિણી. અથવ્ય વજનું ચૂર્ણ મધની સંગાથે ખાઈ ઉપર દુધ બાત જમવામાં આવે છે તેથી ભયંકર અને લાંબા વખતથી થએલે મૃગીરોગ પણ નિરો નાશ પામે છે. વિદ્યારત્ન, અથવા - ળાઆની, ધૂઅડની, બિલાડીની, ગીધની, સાપની અને કાગડાની હાર, પાંખ તથા ચાંચ લઈ એની મૃગીરોગવાળાને ધૂણી દે તે મૃગી નાશ પામે છે. ચદત્ત. અથવા ઉન્માદના વિષયમાં જે જે નાસ, અંજન કે ઔષધ પ્રયોગ કહેવામાં આવેલ છે તે તે ઉપને મૃગી માં પણ ઉપયોગ કરે. “અથવા અગથીઆનાં પાંદડાં તથા મરી એને ગોમૂત્રમાં ઘુંટી તેનાં નાકમાં ટીપાં નાખવા તેથી તાત્કાળ મૃગી બંધ પડે છે. ”
મૃગી રેગનાં પથ્યાપથ્ય. ચેખા, ઘઉં, મગ, જજૂનું ઘી, દુધ, તુરી અને દાડિમ એટલાં સદા સેવવા યોગ્ય છે. અને તીખા, ખા, તુરાસેપારી અને મદિરાદિ પદાર્થો તથા ચિંતા, ભય, ક્રોધ, અદ્દભુત વસ્તુ નું જેવું, મૈથુન, મહેનત, ભાજી, અડદ, તુવર અને તૃષા, નિંદ્રા, ભૂખ વગેરેના વેગો અટકાવવા વગેરે વગેરે સેવવા યોગ્ય નથી.
મૃગી રેગને આધકાર સંપૂર્ણ ઈતિ શ્રી મહમહારાજાધિરાજ રાજરાજેશ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામના ગ્રંથ વિષે મદાત્મય ઉન્માદ અને મૃગી એઓને સર્વ ભેદાદિ યુક્ત ઉત્પત્તિ લક્ષણ યત્નાદિ નિરૂપણ નામનો સાતમે તરંગ સંપૂર્ણ
૧ વિધિપૂર્વક આ દિત્યવારને દિવસે ઘેટાના માથાના બે કીડા લાવી તેને માદળીઓમાં પૂરી ગળે કે હાથે ધારણ કરે તો આકર મૃગીવાયુ પણ નાશ પામે છે. અથવા જે દેરીમાં ચેરનું માથું ટીંગાડેલું હોય છે જે દેરીથી ફાંસી આપેલ હોય તે રીતે બાળી તેની રાખ ટાઢા પાણી સંગાથે પાવાથી અવશ્ય મળી જાય છે,
વિરહસ્ય.
For Private And Personal Use Only