________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પદ )
અમૃતસાગર,
(તરંગ
-
-
-
-
-
રોગ કહેલ છે. સંગ્રહણી અને અતિસારમાં ફેર માત્ર એટલો જ છે કે અતિસારમાં તો પાણી જે પાતળે મળ-ઝાડો થાય છે અને સંગ્રહણીમાં બંધાયેલો મળ-ઝાડે પીડા સહિત થાય છે. વાયુથી થએલી સંગ્રહણીનું નિદાન, તથા સંપ્રાપ્તિપૂર્વક લક્ષણ.
જે મનુષ્ય વાયડી વસ્તુઓ બહુ ખાધા કરે તથા મિથુનાદિ મિયા વિહાર વા, મિથ્યાઆહાર અત્યંત કરે તેથી વાયુ કુપિત થઈ જઠરાગ્નિને બગાડે છે અને વાયુની સંગ્રહણીને જન્મ આપે છે. તે કારણને લીધે તે મનુષ્યના ખાધેલા અન્નાદિ પદાર્થો પરાણે પચે છે. અને ખરસઠ થઈ જાય છે, કંઠ તથા મેહાડું સુકાય, ભૂખ લાગે, તરસ લાગે, અંધારાં આવે, કાનમાં શબ્દ થયા કરે, પડખામાં, જામ, પિમાં તથા ખભા કે કંઠમાં પીડા થાય, વારંવાર કોલેરા જેવું થઈ આવે, હૃદયમાં પીડા, શરીર દુર્બળ, બળરહિત, જીભમાં વિરતપણું, પેટમાં વાઢ, અને સધળા રસ-ખટરસે ખાવાની ઈચ્છા થાય છે. તથા મનમાં ગ્લાનિ, ખાધેલું અન્ન પચ્યા પછી પેટ ચઢે, જમ્યા પછી ચેન પડે, પેટમાં વાયુ ગેળાની કે બરલની શંકા રહ્યા કરે, વાયુને લીધે ઉધરસ તથા શ્વાસની પીડા થાય છે અને ઘણીવારે માંડમાંડ તથા વારંવાર દિવરૂપ પાતળો કિંવા સુકાય, કાચા, શબ્દ અને રણયુક્ત ઝાડા થાય છે.
ઉપાય.
સુંઠ, લિંબડાની ગળો, મોથ અને અતિવિષ એને બરાબર લઈ ખાંડી કવાથ કરી ૧૫ દિવસ સેવન કરે તે આમ સહિત વાયુની સંગ્રહણી મટે છે અને ભૂખ લાગે છે. વિઘવિનેદ અથવા “સુંઠ, પીપરીમૂળ, લીંડીપીપર, ચિત્રક અને ચવક એ સઘળાં સમાન લઈ એઓનું વસ્ત્રાગાળ ચૂર્ણ કરી નિરંતર ગાયની છાશમાં મેળવી સારી પેઠે સેવન કરે તે, વાયુની સંગ્રહણ નિશ્ચ જાય.” અથવા શુદ્ધ ગંધક ન લે, શુદ્ધ પારો ના તેલો લઈ તેની કાજળ કરી તેમાં સુંઠ, કાળાં મરી અને લીંડીપીપર ત્રણ તલા, પાંચ જાતનાં મીઠાં ૧ તોલો, શેકેલી હીંગ, જીરું તથા શાહજીરૂં એ પ્રત્યેક દેઢ તોલાભાર લેવાં અને સર્વથી અરધ ભાગે શુદ્ધ ભાંગ લેવી. એ સઘળાને ઝીણા વાટી કાજળમાં મેળવી ખરળમાં ઘુંટી ગાયની છાશ સંગાથે કે, બીલાના ગર્ભના ચૂર્ણ સાથે ૧ ટાંક સેવન કરે તો વાયુની સંગ્રહણી, મંદાગ્નિ, અતિસાર, પેટના કૃમિ અને ક્ષયરોગ વગેરેને દૂર કરે છે. આ લાઈચૂર્ણ કહેવાય છે. ભાવપ્રકાશ, પિત્તથી થએલી સંગ્રહણીનું નિદાન તથા સંપ્રાતિપૂર્વક લક્ષણ.
જે મનુષ્ય અતિ તીખાં, કવાં, બળતરા કરનારાં, ખાટાં તથા ખાર-આદિ ભેજને કરે તેથી ઉલૂણ-ત્રાસ પામેલું પિત્ત જેમ ઉનું પાણી અગ્નિરૂપ છતાં અગ્નિને ઠારી નાખે છે તેમ પિત્ર
અગ્નિરૂપ છતાં જઠરાગ્નિને ઠારી નાખે છે. એ પ્રમાણે જેનો અગ્નિ ડરી ગયું હોય તે મનુ'બ પીળા થઈ જાય અને તેને અજીર્ણ, લીલે, પીળા તથા કવરૂપ ઝાડો થાય છે, તથા ખાટા ઓડકાર આવે છે, હૃદય તથા કઠમાં બળતરા થાય છે, અરૂચિ અને તરસથી પીડાય છે. તેથી જાણી લેવું કે આ પિત્તની સંગ્રહણી છે.
ઉપાય.
રસવતી, અતિવિષ, ઇડર, કાછોલ અને ધાવડીનાં ફલ એ
બરાબર : એઓનું વસ્ત્ર
For Private And Personal Use Only