________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
અમૃતસાગર,
"
(તરંગ
રા, અરૂચિ, ગોળ, અતિસાર, તથા ક્ષયનો નાશ કરે છે. સ્વર વણને સુશોભિત કરે છે અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે. આ ભાગીગુડ કહેવાય છે. ભાવપ્રકાશ અથવા શુદ્ધપારે, ગંધક, વછનાગ, ટંકણ તથા મણશીલ એ પ્રત્યેક એકએક ટાંક લેવાં. મરી આઠ ટાંક લઈ ઉપરના પદાર્થોને ખરલમાં યથાવિધીએ ખેલ કરતાં અનેક મરી નાખતા જવું અને ખરલ કરતા જવું. પછી ત્રિકટુ ઇ ટાંક ભાર તેમાં નાખી સર્વને એકત્ર સારી પેઠે ઘુટી સીસીમાં ભરી લેવો. આ રસ ૧ રતી બાર નાગરવેલના પાનમાં સેવન કરે તે સુનિપાત, મૂછ, સર્વ પ્રકારના શ્વાસ અને વાઈને નાશ કરે છે તથા સન્નિપાતમાં જે બેભાન હોય તેને આ રસને નાસ દે. આ ધાસકુઠાર રસ કહેવાય છે. વિઘરહસ્ય, અથવા શુદ્ધ પારો ૧ ભાગ, અને ના ભાગ શુદ્ધગંધક લઈ કુવારપાઠાના રસ સંગાથે ૧ પહોર ઘુંટી પારાગધકથી બમણાં શુદ્ધ તાંબાનાં કટકવેધ પતરાં લઈ ઘુંટેલી માત્રા તેના ઉપર ચોપડીને ત્રાંબાની દાબડીમાં ઘાલી વાળુકા યંત્રમાં ૧ દિવસ લગી પકાવી સિદ્ધકરી. પછી તેમાંથી તી ર ભાર ગધક, મરી અને ધી સંગાથે સૂર્યોદય વેળાએ સેવન કરે તે શ્વાસ મટે છે. આ સુર્યાવર્ત રસ કહેવાય છે. વિધરહસ્ય. અથવા કાકડાશગી, સુંઠ, મરી, પીપર, ત્રિફળાં, પાંચલૂણ, પુકરમૂળ, કાળામરી, ભોંરીંગણી, ભારંગી અને જટામાંસી એઓને સમાન તેલથી લઈ ચૂર્ણ કરી ટાંક ૨ ભાર, ઉના પાણી સાથે ખાય તો શ્વાસ રોગ મટે છે. ચક્રદત્ત, અથવા
પીપર, પુષ્કરમૂળ, હરડેની છાલ, સુંઠ, કચૂર અને કમળકાકડીને મગજ એઓને સમાન લઈ ચૂર્ણ કરી ચૂર્ણ બાબર ગેળ મેળવી ચણા પ્રમાણ ગોળીઓ બાંધી ગળી ૧-૨ અથવા ૩ નિરંતર ખાય તે શ્વાસ મટે છે.” અથવા શુદ્ધપારો, શુદ્ધગંધક, શુદ્ધગજવેલ ભસ્મ, સુંઠ, મરી, પીપર, તમાલપત્ર, નાગકેસર, મોથ, વાવડીંગ, નગોડ, કપિલ અને પીપરીમૂળ એ સર્વ સમાન લઈ સઘળાનું વિધિસહ ચૂર્ણ કરી જળપીપળીના રસના ૩ પુટ દઈ સારી પેઠે ઘુંટી તેની ચણા જેવડી ગોળીઓ વાળી નિત્ય ગળી ૧ ખાય તે શ્વાસ, અરશ, ભગંદર, છાતીમાનું શળ, પડખાનું શળ, સંગ્રહણી, પેટના રોગ, અને પ્રમેહ એટલા રોગને નાશ કરે છે. આ મહોદધિરસ કહેવાય છે. સર્વસંગ્રહ, અથવા શુદ્ધ પારો, શુદ્ધગંધક, શુદ્ધ લોહભસ્મ, ફુલાવેલો ટંકણ, રાસ્ના, વાવડીંગ, ત્રિફળાં, દેવદાર, ત્રિકટુ, ગળે, કમળકાકડીના ગળા અને શુદ્ધ વછનાગ, એ સર્વ બરાબર ભાગે લઈ પાર ગંધકની કાજળ કરી બીજાં ઔષધો નું ચૂર્ણ કરી એકઠાં છુટી મધ સાથે રતી ૩ ભારની ગેળીઓ વાળી ગળી ૧ એગ્ય અનુપાન સા થે સેવન કરે તે શ્વાસ અને ખાંસી જાય છે. આ અમૃતાર્ણવ રસ કહેવાય છે. વિદ્યરહસ્ય. અથવા શુદ્ધપાશે તથા શુદ્ધ ગંધક એ બે બરાબર લઈ તેઓની કાજળ કરી તાંદળજાના રસમાં ૫ દિવસ સુધી ઘુરી વજુ મૂસમાં મૂકી વાળુકાયંત્ર દ્વારા ૧ દિવસ લગી પકાવી પછી બે હેિર દશમૂળના કાટામાં ઘુંટી તેમાંથી રતી ૨ નાગરવેલના પાન સંગાથે ખાય તે શ્વાસ તથા હેડકી નાશ પામે છે, આ મેઘાડંબર રસ કહેવાય છે. રૂદ્રદત્ત,
૧ સુંદર કાળી માટીની ૫ખતી હાંધિના મધ્ય ભાગમાં જે ઔષધ ભરેલું પાત્ર હોય તે રાખીહાંશિના ગળા સુધી ચોખી રેત ભરી પ્રયોગમાં લખ્યા પ્રમાણે અગ્નિ આપો તેને વાલુકાયંત્ર કહે છે. * ૨ સુંઠ, કાળાં મરી અને લીંડીપીપર એ વસ્તુઓ ત્રિકટુ, વ્યષણ,ત્રિગડુ અને વ્યાપાદિ સંજ્ઞાથી ઓળખાય છે.
૩ પારે અને ગંધક બને ભેળાં રપોહોર સુધી ખરલમાં અખંડપણે ધુટે તેને પારા તાધકની કાળ કહે છે. કેટલાક પ્રકારે પારે { લાગ અને ગંધક બે ભાગ લેવાનું કહે છે તથા કેટલાક સમ- ભાગ લખે છે; પરંતુ સ૬ વેધાન કેમ થગ્ય લાગે તેમ કરવું'.
ભા, કે,
For Private And Personal Use Only