Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન કથા સાહૈિદ્ય : એક અધ્યયન
गलिभधन्नोबिडं संयमलेश्ययासाध वभारगिरिव शणकीधनगाध ४ मा ताभगनीभामनी विरहाविलाप
तनेक है साहमुंजुवोत्रांषघाडोकंथप
ધન્યકુમાર અને શાલિભદ્રજીનું વૈભારગિરિ ઉપર અનશન
- ડૉ. સાધ્વીજી શ્રી વૃષ્ટિયશાશ્રીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ લોકાર્પણ સમારંભ... અવિસ્મણીય ક્ષણો
I ની તમામ સામે નયા
ના જોખા પાર્શ્વગાયક મા પ
શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પૈકી
આયોજીત
મહાનિબંધ લોકાર્પણ સમારેલ સમાકૅતના સડસઠ બોલની સજઝાય કથા સારી
' ડો.સા.શ્રી ચૈત્યયશાશ્રીજી મ. ૉ.સા.થી વૃળિયશાળી શુભાશિષ : પ.પૂ.શાસનસમ્રાટ શ્રીના સમુદાયના વડીઝ ગાઇનાયત કw
વિ૮૯ર્ય આ.ભ.શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વજી મ.સા, | 2THકે : '.Y. જૈન વિજ્ઞાની આ.શ્રી વિજય નંદિયાણીમાર મા | - Sh! સહાયક : પ.પુ.સા.શ્રી સંયમયશાળીજી મ.શા. (ા હારનો
': દ્િવસ : અષાઢ સુદ ૩, રવિવાર, તા.૧૯--૨૦૧૧
Page #3
--------------------------------------------------------------------------
________________
RE
Aman
El
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન કથા સાહિત્ય : એક અધ્યયન
(મુંબઈ યુનિવર્સિટી દ્વારા માન્ય પીએચ.ડી.નો મહાનિબંધ)
: લેખિકા : પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ.સા. શ્રી પ્રવિણા-કીર્તિ-ઉદય-વજયશાશ્રીજી મ.ના શિષ્યા
ડૉ. સાધ્વીજી શ્રીવૃષ્ટિયશાશ્રીજી મહારાજ
(બી.એસ.સી., એમ.એ., પીએચ.ડી.)
: સંપાદક : પ.પૂ. જૈન વિજ્ઞાની આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.
: આર્થિક સૌજન્ય : શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ - અંધેરી (પૂર્વ)
જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ - ૬૯.
: પ્રકાશક : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી દોલતનગર, બોરીવલી (પૂર્વ),
મુંબઈ - ૪૦૦ ૦૬૬.
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન કથા સાહિત્ય : એક અધ્યયન
Jain Katha Sahitya : Ek Adhyayan (મુંબઈ યુનિવર્સિટી દ્વારા માન્ય પીએચ.ડી.નો મહાનિબંધ)
© સર્વાધિકાર સુરક્ષિત
લેખિકા : ડૉ. સાધ્વીજી શ્રીવૃષ્ટિયશાશ્રીજી મહારાજ
સંપાદકઃ જૈન વિજ્ઞાની પ.પૂ. આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.
: પ્રકાશક : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી દોલતનગર, બોરીવલી (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૬૬.
: પ્રાપ્તિસ્થાન : શ્રી જે.મૂ.પૂ. જૈન સંઘ, અંધેરી (પૂર્વ) | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી | શ્રીમતી અમીતાબેન વસ્તુપાલ જેન પાર્શ્વદર્શન, જુના નાગરદાસ રોડ, દોલતનગર, બોરીવલી (પૂર્વ), એ-૩૦૨, વિમલાચલ બિલ્ડીંગ, અંધેરી (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૯.
મુંબઈ - ૪૦૦ ૦૬૬.
મોતીશા લેન, ભાયખલા (પૂર્વ), ફોનઃ ર૬૮૨૪૭૧૮
ફોનઃ ૨૮૯૩૧૫૩૫/ ર૮૯૩૫૭૪૪ મુંબઈ-૨૭, મો.: ૦૯૮૧૯૯ ૬૪૫૮૮
આ ગ્રંથ શ્રી જે.મૂ.પૂ.જૈન સંઘ, અંધેરી (પૂર્વ)ના જ્ઞાનખાતામાંથી પ્રકાશિત કરેલ છે.
આવૃત્તિ : પ્રથમવૃત્તિ / ૫૦૦ પ્રત મૂલ્ય : રૂા.૪૦૦/ટાઈપસેટિંગ : શ્રીમતી છાયાબેન ભાવેશભાઈ તથા શ્રી હિતેશભાઈ દસાડીયા પ્રકાશક : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી
દોલતનગર, બોરીવલી (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૬૬.
ફોનઃ ૦રર ર૮૯૩૧૫૩૫ / ર૮૯૩૫૭૪૪ મુદ્રક
: હિતેશ દસાડીયા, અંધેરી (પૂર્વ), મુંબઈ. મો. ૯૮૧૯૮ ૦૩૯૪૧ આવચરણ ચિત્ર સૌજન્ય : દેવચંદ્ર ચોવીસીના સંપાદંક શ્રી પ્રેમલ કાપડીયા
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ બાલબ્રહ્મચારી સૂરિચકચક્રવર્તી આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ.પૂ. પ્રતિબોધકુશલા વિદુષી સા.શ્રી પ્રવિણાશ્રીજી મ.ના શિખ્યા પૂ.સા.શ્રી કીર્તિયશાશ્રીજી મ.ના શિષ્યા, પૂ.સા.શ્રી ઉદયયશાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રી વજયશાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રી ચૈત્યયશાશ્રીજીએ છેલ્લાં પાંચ વર્ષના પરિશ્રમપૂર્વક મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત સમકિતના સડસઠ બોલની સક્ઝાય ઉપર સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કર્યો છે અને તેમના બેન સા.શ્રી વૃષ્ટિયશાશ્રીજીએ પણ સાથે સાથે જૈન કથા સાહિત્ય ઉપર પાંચ વર્ષના પરિશ્રમપૂર્વક સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કર્યો છે અને તે બંને મહાનિબંધ મુંબઈ યુનિવર્સિટી દ્વારા માન્ય કરવામાં આવ્યા.
વળી પૂજ્ય શાસનસમ્રાટશ્રીના સાધુ તથા સાધ્વી સમુદાયમાં આ પ્રકારે યુનિવર્સિટી દ્વારા માન્ય ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરવાનું સૌપ્રથમ ગૌરવ પૂજ્ય સા.શ્રી ચેત્યયશાશ્રીજી તથા પૂ.સા.શ્રી વૃષ્ટિયશાશ્રીજીને પ્રાપ્ત થાય છે.
તે બંને મહાનિબંધનું પ્રકાશન કરવાનો લાભ પ.પૂ. શાસનસમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયના વડીલ ગચ્છનાયક વ્યાકરણાચાર્ય કવિરત્ન વિદ્વદ્વર્ય આ.શ્રીવિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. આ. શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ.ની સૂચનાથી તથા શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈની ઉદારતાથી અમારા ટ્રસ્ટને પ્રાપ્ત થયો છે. તે અમારા ટ્રસ્ટ માટે વિશેષ ગૌરવપ્રદ છે અને વિશેષ આનંદની વાત એ છે છે કે આ બંને મહાનિબંધના પ્રકાશન માટેનો સંપૂર્ણ આર્થિક લાભ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અંધેરી (પૂર્વ), મુંબઈએ લીધો છે એ માટે અમો તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ સહ આભાર માનીએ છીએ.
લિ. ટ્રસ્ટીઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી દોલતનગર, બોરીવલી (પૂર્વ),
મુંબઈ - ૪૦૦ ૦૬૬.
Page #8
--------------------------------------------------------------------------
________________
ધન્યવાદ
પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્ર-શુભંકર સૂરીશ્વરજી મ.સા. ના
પટ્ટધર ગચ્છાધિપતિ સાત્ત્વિક શિરોમણિ પરમ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય ભગવંત
શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય જેન વિજ્ઞાની પ.પૂ.આ. શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.સા.ની પ્રેરણાથી |
શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ એ આ ગ્રંથ-પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધો છે. તે બદલ શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ,
જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ, તેના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ તથા કારોબારીના સભ્યોને
ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ.
લિ. ટ્રસ્ટીઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી દોલતનગર, બોરીવલી (પૂર્વ),
મુંબઈ - ૪૦૦ ૦૬૬.
Page #9
--------------------------------------------------------------------------
________________
મુળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અંધેરી (પૂર્વ) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, જુના નાગરદાસ રોડ, અંધેરી (ઈ).
Page #10
--------------------------------------------------------------------------
________________
Pe.
the Chancellor, Vice-Chancellor
and Members of the Management Council
confer the Degree of Doctor of Philosophy
जल
University of Mumbai मुंबई विद्यापीठ
(Arts)
on
Sadhvi Vrushti Yasha
of Maharshi Dayanand College of Arts, Science and
Commerce
for a Thesis in Gujarti
presented in April 2014
which has been accepted by the Examiners
at the Convocation
held on 24th January, 2015.
Hal
14-PHDA-14A-120-00074
yhunt.
आम्ही,
कुलपती, कुलगुरु आणि
व्यवस्थापन परिषदेचे सदस्य
विद्यावाचस्पती (मानव्यविद्या)
ही पदवी साधवी वृष्टि शा
महर्षि दयानंद कॉलेज ऑफ आर्टस्, सायन्स ॲन्ड कॉमर्स
Vice-Chancellor / कुलगुरु
यांना
गुजराती या विषयात
एप्रिल २०१४ मध्ये
सादर केलेला प्रबंध परीक्षकांनी स्वीकृत केल्याबद्दल
२४ जानेवारी, २०१५ च्या
दीक्षान्त समारंभात प्रदान करीत आहोत.
14000282
Page #11
--------------------------------------------------------------------------
________________
બાવચન
આ.શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.
• કૈ ી નમ: • * નમો નમ:
Page #12
--------------------------------------------------------------------------
________________
-
'IR'le Raplakrell Kent 18 I12*H*N ZIRRPRIIA
ཀའངས་ཀ་ས་གནས་ནགས་
EEEEEEEEས་པས་བཙ༧༧༧༧ལ་
ནནག འགན འགས བད ག་ག དང་ཀ་ཀ་ཀཀཀཀཀ ཀ ཀ ཀ ཀ ཀ ཀ ཀ ཀག ཀ ཀ ཀཱ ཀ ཀཱ ཀ ཀ ཁཁཁཁཁཁཁཁཁཁཁཀ ཀ ཀཀཀཀཀཀཀཀཀ་
ཀ ***
ཁ ག ཀཀA
Page #13
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
વિક્રમની વીસમી સદીના જ્યોતિર્ધર, કાપરડાજી, શેરીમા, કદંબગિરિ આદિ અનેક તીર્થોના ઉદ્ધારક, પ્રાચીન ગ્રંથોદ્ધારક, યુગપ્રધાન, જીવદયાના મહાન જ્યોતિર્ધર, પરમોપકારી સુગૃહીતનામધેય પ્રાતઃસ્મરણીય નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેજપૂંજ શાસનસમ્રાટ મૂરિયચક્રવર્તી તપાગચ્છાધિપતિ બાલબ્રહ્મચારી
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેમના સમુદાયના પંચમહાવ્રતધારી સાધ્વી પદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે.
તેઓશ્રીના પવિત્ર ચરણ કમળમાં
સાદર સમર્પણ
- સા. વૃષ્ટિયશાશ્રીજી
Page #14
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિના શાસનમાં પાંચમા આરામાં દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી સંયમ ધર્મની આરાધના પ્રાપ્ત કર્યા પછી જો કોઈ આરાધના કરવાની હોય તો તે તપ ધર્મની આરાધના છે. તેના દ્વારા જ કર્મનિર્જરા થાય છે અને કર્મનિર્જરાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તપ ધર્મના બે પ્રકાર છે. ૧. બાહ્ય તપ અને ર. અત્યંતર તપ.
ઉપવાસ, આયંબિલ, લોચ, વિહાર વગેરે કાયક્લેશ આદિ બાહ્ય તપ જેમ આવશ્યક છે તેમ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ વગેરે અત્યંતર તપ પણ જરૂરી છે. અધ્યયન અને અધ્યાપન એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય માટે શાસ્ત્રકાર ભગવંતોએ હ્યું છે કે –
સગ્યાએ પસન્ચ ઝા, જાણઈ સવ્ય પરમ0 1 સગ્યાએ વહેંતો, ખૂણે ખૂણે કોઈ વેર11
સ્વાધ્યાય દ્વારા પ્રશસ્તિ ધ્યાન થાય છે, સ્વાધ્યાયથી પરમાર્થનો બોધ થાય છે અને સ્વાધ્યાય કરતા સાધુ સાધ્વીને વૈરાગ્ય પેદા થાય છે. માટે સાધુજીવનમાં સ્વાધ્યાય જ સર્વસ્વ છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે. ૧.વાચના, ૨. પૃચ્છના, ૩.પરાવર્તના, ૪.અનુપ્રેક્ષા અને ૫.ધર્મકથા.
સંસારનું સાચું સ્વરૂપ જણાવવા અને તેનું ભાન થાય તે માટે દષ્ટાંત - કથા મહત્ત્વનું માધ્યમ છે. ધર્મના રહસ્યો અને કઠિનતમ પદાર્થનો બોધ ધર્મકથા દ્વારા સરળતાથી થઈ શકે છે માટે મહત્ત્વ છે. જિનશાસનમાં થયેલ સમર્થ મહાપુરુષો પણ કથાના માધ્યમથી બોધ-ઉપદેશ આપતા હતા. અરે! જંબુસ્વામિએ પણ દીક્ષા લેતા પૂર્વે, લગ્નની પ્રથમ રાત્રિએ પોતાની આઠે ય પત્નીને ધર્મકથા દ્વારા જ પ્રતિબોધ કર્યો હતો તો યાકિનીમહત્તરાસુનૂ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીને પણ તેમના ગુરુએ સમરાદિત્યની કથાના મૂળ સ્વરૂપ ત્રણ ગાથાથી વૈરભાવની શુદ્ધિ કરાવી હતી. અને શ્રી હરિભદ્રસૂરિએ પણ લોકોને વૈરાગ્ય પમાડવા માટે ગુણસેન અને અગ્નિશર્માના નવ ભવની વેરની પરંપરાની વિસ્તૃત કથા લખી.
સંસકૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, ગુજરાતી, હિન્દી વગેરે ભાષામાં નિર્માણ પામેલ જૈન સાહિત્યમાં સેંકડો ધર્મકથાઓ ઉપલબ્ધ છે. તેમાં ધર્મના વિવિધ તત્વનું નિરૂપણ, દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ, ક્રોધાદિ આંતરશત્રુઓનું સ્વરૂપ તથા મહાપુરુષોના ચરિત્ર પણ આવે છે. તેમાંથી કેટલીક ધર્મકથાનો આધાર લઈ પૂ.સા. શ્રીવૃષ્ટિયશાશ્રીજીએ તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયન કર્યું અને પ્રસ્તુત મહાનિબંધ તૈયાર કર્યો.
વિ.સં. ૨૦૭૧ના માગશર વદ ૧૦ પોષદશમી આરાધના કરાવવા શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ)માં આવ્યા. ત્યારે તે મહાનિબંધ મને નિરીક્ષણ કરવા માટે આપ્યો. ત્યારે અંધેરી સંઘના પ્રમુખ શ્રી બાબુભાઈ હિંગડ તથા અન્ય સર્વે ટ્રસ્ટીઓને તે જોઈ આનંદ થયો અને સામેથી જ તેઓએ જણાવ્યું કે આ મહાનિબંધ પ્રકાશિત કરાવો અને તેનો લાભ અમને અર્થાતુ અમારા સંઘને આપો.
તેઓની વિનંતિનો સ્વીકાર કરી આ મહાનિબંધ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. પરંતુ એ પહેલાં સમગ્ર મહાનિબંધ વાંચી તેમાં પ્રકાશનાઈ સુધારા કરવા આવશ્યક લાગતાં પૂ. સાધ્વીજી તથા અંધેરી સંઘના આગેવાનોએ તે કાર્ય મને સોંપ્યું અને તે દ્વારા તેઓએ મને આ મહાનિબંધનો સ્વાધ્યાય કરવાનો અપૂર્વ અવસર આપ્યો અને મારી સૂરિમંત્રની પંચપ્રસ્થાનની આઠમી વારની આરાધનામાં પ્રથમ પ્રસ્થાન શ્રી સરસ્વતી દેવીની આરાધનાની સાથે તેનું સંપાદન કાર્ય કર્યું. જેનાથી મારા જ્ઞાનમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે.
આ માટે હું પૂ.સા.શ્રી ચૈત્યયશાશ્રીજી તથા પૂ.સા.શ્રી વૃષ્ટિયશાશ્રીજીનો તથા શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અંધેરી (પૂર્વ), મુંબઈના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓનો ઋણી છું.
વિજયનંદિઘોષસૂરિ
વિ.સં. ૨૦૭૧, ફાગણ વદ ૫, બુધવાર, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ઉપાશ્રય, જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-૬૯.
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના નાની હતી ત્યારથી વાર્તામાં રસ પડ્યો છે. જ્યારે ધર્મનું ભણતા ત્યારે યાદ છે કે પાઠશાળાના બેન નાની નાની વાર્તા કહી અને બોધ આપતા, જ્ઞાન આપતા, ત્યાર બાદ અનુક્રમે યુવાન થતાં વ્યવહારિક અભ્યાસ કરતા ત્યારે પણ જ્યારે સમય મળતો ત્યારે વર્તમાન પત્રમાં આવતી કથાઓ વાંચતી. ત્યારથી એક સપનું હતું કે આ ક્ષેત્રમાં કંઈક આગળ વધવું છે.
વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા એક છોકરો રીસાણો, કોઠી પાછળ સંતાણો. કોઠી પડી આડી, છોકરા એ ચીસ પાડી
અર! માડી. ઉપરોકત નાની કડીઓમાં પણ કેવું સુંદર રીતે વાર્તાનું આલેખન કર્યું છે. નાના બાળકથી લઈને વૃધ્ધ વ્યકિત સુધી જનસમાજને વાર્તા પ્રિય છે. અને આથી જ આ વિષયમાં સંશોધન કરી મારા આત્માના કલ્યાણ કરવાની સાથે પરના કલ્યાણ અને લાભનું કારણ સમજાયું જે આજે પૂર્ણ થયું છે.
પીએચ.ડી.ના સંશોધન માટે લગભગ પાંચ વર્ષ સુધી આ કાર્ય ચાલ્યું. આ કાર્ય દરમ્યાન સૌ પ્રથમ પરમાત્માની જે અસીમ કરૂણા વરસતી રહી તે માટે સર્વે અરિહંત અને સિધ્ધ પ્રભુનો ઉપકાર માનું છું. ત્યારબાદ જે ઉપકારી ગુરૂદેવ છે તેમનો આભાર માનું છું. પરમ ઉપકારી ગુરૂદેવ - શાસન સમ્રાટ નેમિસૂરીશ્વરજી સમુદાયના .
વડીલ આચાર્ય પરમ પૂજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય આચાર્ય નયપ્રભસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય આચાર્ય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ
સર્વ ગુરુદેવોની હું આભારી છું શમણી વંદ- પ્રતિબોધ કુશલા સા.શ્રી પ્રવિણાશ્રીજી મ.સા. તથા પરમ પૂજ્ય સરળ સ્વભાવી સા.શ્રી કીર્તિયશાશ્રીજી મ.સા.ના દિવ્ય આશિષે કાર્યમાં વેગ આવ્યો છે. પૂ. વડીલ સા.શ્રી ઉદયશાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી વિજયશાશ્રીજી મ.સા. અને પૂજ્ય ગુરૂદેવ દૈત્યયશાશ્રીજી મ.સા. હંમેશા દરેક કાર્યમાં મને આગળ વધવાની પ્રેરણા આપી છે. તેમના સહકારને કારણે આ કાર્ય પૂર્ણ થયું છે. તેમનો આભાર માનું તેટલો ઓછો છે. આ ઉપરાંત જે સાધ્વી સમુદાયે આ કાર્યમાં સહાય કરી તેમનો ઉપકાર માનું છું. પૂજ્ય બા મ.સા. હંમેશા ભણાવવાના આગ્રહી હતા. આજે દીક્ષા જીવનમાં
vii
Page #16
--------------------------------------------------------------------------
________________
પણ તેઓ ખૂબ સહાયક બન્યા તે માટે તેમનો આભાર માનું છું.
ઉપકારી પરિવારઃ- સંસારી પિતા ચંદ્રકાંતભાઇ જેઓ મારી દીક્ષાના ત્રીજે દીવસે દેવલોક પામ્યા તેમની હું હંમેશા ઋણી છું કારણકે માતા-પિતાએ આપેલા ભણવા માટેના સંસ્કારોથી આ સ્થાન પર પહોંચી શકી છું. આ ઉપરાંત મારા સંસારી ભાઇ જતીનભાઇ, જેઓ મારા માટે સહાયક બન્યા છે. જેમણે આ કાર્ય કરવામાં ખૂબ માનસિક સહાય કરી છે. સંસારી પક્ષે તૃપ્તિબેન, પંકજભાઇ, અપેક્ષાબેન, ફોરમ આદિનો ખૂબ સહકાર રહ્યો છે.
શ્રી સંઘઃ- અમારા માતા-પિતા સમાન શ્રીસંઘ જેમણે હંમેશા ખૂબ સંભાળ રાખી છે. તેનો ઉપકાર કેમે કરી ચૂકવી શકાય તેમ નથી. શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ એન્ડ ચેરીટીઝ શ્વે.મૂ.સંઘના ટ્રસ્ટી અનુભાઇ, અરવિંદભાઇ, ગીરીશભાઇ, પ્રશાંત ઝવેરી, ચેતનભાઇ ઝવેરી આદિ. શ્રી લબ્ધિ નિધાન સીમંધર સ્વામી જૈન શ્વે.મૂ.જૈન સંઘ, એલફીસ્ટન ટ્રસ્ટી શ્રી:- પ્રવિણભાઇ, રમેશભાઇ, જયંતીભાઇ, ચંદુભાઇ, સરેમલજી આદિ તથા સીમંધર સંઘની આરાધક બહેનો, વાલકેશ્વર જૈન શ્વે.મૂ.સંઘના ટ્રસ્ટી શ્રી ભરતભાઇ આદિ સર્વે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ રાજેન્દ્ર જૈન ટ્રસ્ટ-તાડદેવ-ટ્રસ્ટીશ્રી કિશાર મલજી લુક્કડ આદિ. શ્રી અર્હમ્ વાસુપૂજ્ય સ્વામી જૈન શ્વે.મૂ.સંઘ-કાંદિવલીટ્રસ્ટી શ્રી રમેશભાઇ, બકુલભાઇ ઝવેરી, જયેશભાઇ, વિરેનભાઇ આદિ સર્વે. શ્રી રાજમરુધર જૈન શ્વે.મૂ.સંઘ (દાદર)ના ટ્રસ્ટી શ્રી રતનચંદ ગાંધી, કેવલભાઇ, મિશ્રિમલજી, મહાવીરભાઇ, વિમલભાઇ, જયંતિભાઇ આદિ.
આ ઉપરાંત જે સંઘોએ અમારા અભ્યાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહાયક બન્યા છે. તે સર્વના હાર્દિક રીતે ઋણી છીએ.
જ્ઞાન ભંડારો:- વિવિધ જ્ઞાનભંડારો જે અમને પુસ્તક પૂરું પાડવામાં સહાયક બન્યા છે. ગોરેગાંવ જવાહરનગર જ્ઞાનભંડાર, શ્રી જ્ઞાનમંદિર ગ્રંથાલય-દાદર, મલાડ જગવલ્લભ પાર્શ્વનાથ જ્ઞાનભંડાર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, વાલકેશ્વર જૈન સંઘ જ્ઞાનભંડાર, શ્રી કલાપૂર્ણમ્ ગ્રંથ ભંડાર-દેવલાલી, શ્રી બાબુ અમીચંદ પુસ્તકાલય, ગોડીજી પાર્શ્વનાથ જૈન સંઘ જ્ઞાનભંડાર, શ્રી શ્રેયસ્કર અંધેરી જૈન સંઘ જ્ઞાનભંડાર, ગોવાલીયા ટેંક જૈન સંઘ જ્ઞાનભંડાર, વાસુપૂજ્ય સ્વામી જૈન સંઘ જ્ઞાનભંડાર કાંદિવલી, શાહપુર તીર્થ જ્ઞાનભંડાર, કાસરવડોલી જ્ઞાનભંડાર, મંડપેશ્વર જૈન સંઘ બોરીવલી જ્ઞાનભંડાર, જૈન નગર સંઘ જ્ઞાન ભંડાર અમદાવાદ, મોતીશા શેઠ ચેરીટેબલ ટ્રસ્ટ- જ્ઞાનભંડાર ભાયખલા, ચંદનબાળા જૈન સંઘ જ્ઞાન ભંડાર વાલકેશ્વર, વિવિધ અનેક જગ્યાએથી અમને પુસ્તકની પ્રાપ્તિ થઇ છે, જેનાથી આ કાર્ય સરળતા સાથે સુગમ રીતે થઇ શક્યું છે.
મારા વિષયની શરૂઆત થઇ અને પૂર્ણાહૂતિ થઇ ત્યાં સુધી જેમણે એક સરખું
viii
Page #17
--------------------------------------------------------------------------
________________
કાર્ય કર્યું છે. તેવા અમારા માર્ગદર્શક ડૉ. કલાબેન શાહ, જેઓ ૭૫ વર્ષની ઉમરે પણ મજબૂત રીતે જરાય પરિશ્રમ કે ઉમરનું કારણ ન આપતા ખંત, ધગશપૂર્વક કાર્ય કરાવ્યું છે, તેમનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. તથા તેમના ભાઈ સ્વ.અતુલભાઇના ઋણી છીએ.
અમને અમારા ભણવાના કાર્યમાં અનુકૂળતા કરી આપનાર ભવાનજીભાઈ નાગડા તથા કિશોરભાઈ ગડાનો આભાર માનું છું.
હંમેશા પુસ્તકો આપનાર ગમે ત્યાં પહોંચાડીને હંમેશા સહાયક બનનાર રાજુભાઈ લાયબ્રેરીયન ધન્યવાદને પાત્ર છે.
સંશોધનનું કાર્ય ખૂબ ધીરજ માંગી લે તેવું છે. આ સમયમાં અમને આગળ વધવામાં સહાયક, કોઈપણ કાર્ય અટકી પડે તો ખડે પગે ઊભા રહેનાર પલકબેન ઝવેરી, રેશમાબેન તથા રોહિતભાઈ ચોકસી, હેમાબેન વિજયભાઈ ઝવેરી, અમુલભાઇ શાહ, શૈલેષભાઈ ઝવેરી, મનસુખભાઈ કેનીયા, આદિ પરિવારનો ખૂબ સાથ સહકાર રહ્યો છે, તેમનો આભાર માનું છું.
મહર્ષિ દયાનંદ કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ અને કોમર્સ, પ્રિન્સિપાલ શ્રીમતી તંગમ્ ધૂલે તથા ઓફીસના સર્વ કાર્યકરોનો આભાર માનું છું. તે ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા ડૉ. ઉર્વશીબેન પંડ્યાનો પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે કરેલ સહાય બદલ હાર્દિક આભાર માનું છું.
આ સંશોધન નિબંધનું કાર્ય કોમ્યુટર ટાઇપીંગ તથા સંપૂર્ણ કાર્ય કરવામાં સહાયક છાયાબેન તથા ભાવેશભાઈ અજમેરા (અમરેલીવાળા) હાલ ઘાટકોપર તથા પ્રકાશનાહ સેટિંગ કરી સુંદર પ્રિન્ટીંગ કરી આપનાર શ્રી હિતેશભાઈ દસાડીયા નો આભાર માનું છું.
જેન વિજ્ઞાની પ.પૂ.આ.શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અંધેરી (પૂર્વ) એ આ મહાનિબંધ પ્રકાશિત કરાવવાનો સંપૂર્ણ લાભ લીધો છે. તેમનો અને આ ગ્રંથનું ભાષાકીય દૃષ્ટિએ સંપાદન કાર્ય પણ તેઓએ સારા એવા સમયનો ભોગ આપી કરી આપ્યું છે. એ માટે અમો તેમના ઋણી છીએ. આવરણ ચિત્રના સૌજન્ય માટે શ્રી દેવચંદ્ર ચોવીસી ના સંપાદકપ્રકાશક શ્રી પ્રેમલભાઈ કાપડીયાના અમો સૌ ઋણી છીએ.
આ ઉપરાંત જે કોઇ વ્યકિત એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાય કરી હોય તે સર્વેનો આભાર માનું છું. જિનાજ્ઞા વિરૂધ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ.
- સા.વૃષ્ટિયશાશ્રીજી
Page #18
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૧. જૈન કથા સાહિત્યનો ઉદ્ગમ, સ્વરૂપ, વ્યાખ્યા, પ્રયોજન તથા જૈન કથાના લક્ષણો અને પ્રકારો
પ્રાચીન કથા સાહિત્ય
જૈન સાહિત્ય
ભારતીય કથા
ઉદ્ગમ
જૈન આગમોનો પરિચય તથા કથાનુયોગ
X
જૈન કયતા સાહિત્યનું સ્વરૂપ
જૈન કથા સાહિત્યના પ્રકારો
કથા સાહિત્યનું પ્રયોજન
કથાના વિષયો
પાત્રો
વર્ણનો
ચમત્કારો
આડકથાઓ અને પૂર્વજન્મની કથાઓ
રસનિષ્પત્તિ
ઉપદેશ
વિશેષતાઓ
સાંસ્કૃતિક મૂલ્યાંકન, કાવ્યત્વ
કથાનક રૂઢિઓ અને મોટીફસ
સામાજિક જીવન
રાજ્યવ્યવસ્થા
ધાર્મિક મતમતાંતર, સ્થાપત્ય અને કળા
ભૌગોલિક વિવરણ
૨. જૈન કથા સાહિત્યના સર્જકોની કથાઓની સમીક્ષા આગમકાલીન અને આગમેતર
૦૦૧
૦૦૧
૦૦૨
૦૦૪
6૦૦
૦૦૯
૦૧૮
૦૨૩
૦૨૮
૦૩૨
૦૩૩
૦૩૪
૦૩૬
૦૩૮
૦૩૯
૦૪૦
૦૪૧
૦૪૩
૦૪૪
૦૪૫
૦૪૬
૦૪૭
૦૪૮
૦૫૨
Page #19
--------------------------------------------------------------------------
________________
૦૫૨
૦૫૬
૦૫૭
૦૫૮
૦૫૯
૦૬૦
૦૬૧
૦૬૨
૦૬૪
જ્ઞાતાધર્મકથા સૂત્ર
પ્રથમ શ્રુતસ્કંધ, અધ્યયન પહેલું, મેઘકુમાર કથા અધ્યયન ર, ધન્ય શેઠ અને વિજય ચોર અધ્યયન ૩, મોરલીનાં ઈંડા અધ્યયન ૪, બે કાચબાની કથા, અધ્યયન ૫, શૈલક રાજર્ષિની કથા અધ્યયન ૬, તુંબડાનું દૃષ્ટાંત અધ્યયન ૭, ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધૂ અધ્યયન ૮, મલ્લિકુમારી અધ્યયન ૯, જિનપાલિત અને જિનરક્ષિત અધ્યયન ૧૦, ચંદ્રની કળાનું દૃષ્ટાંત અધ્યયન ૧૧, દાવદ્રવ વૃક્ષનું દ્રષ્ટાંત, અધ્યયન ૧૨, જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાન અધ્યયન ૧૩, નંદ મણિયારની કથા અધ્યયન ૧૪, તેટલીપુત્ર પ્રધાન અને પોટીલા અધ્યયન ૧૫, નંદીફળ, અધ્યયન ૧૬, દ્રૌપદી કથા અધ્યયન ૧૭, આકીર્ણજ્ઞાત અશ્વકથા, અધ્યયન ૧૮, સુષમાદારિકા
અધ્યયન ૧૯, પુંડરિક, કંડરિક કથા દ્વિતીય શ્રુતસ્કંધ
કાલીદેવી ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન ૭, અધ્યયન ૮
૦૬૫
૦૬૭
૦૭૩
०७४
૦૭૫
૦૭૫
०७७
૦૭૯
અધ્યયન ૯,
૦૮૦
અધ્યયન ૧૨, અધ્યયન ૧૩
૦૮૧
અધ્યયન ૧૪
૦૮૨
અધ્યયન ૧૮, અધ્યયન ૧૯
૦૮૩
અધ્યયન ૨૦
०८४
અધ્યયન ૨૧, અધ્યયન ૨૨
૦૮૫
અધ્યયન ૨૩
૦૮૬
Page #20
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૨૫
૦૮૭
૦૮૭
૦૯૨
૧૦૧
૧૦૪
૧૦૮
૧૧૦
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૬
૧૩૩
૧૩૪
ઉપાસક દશાંગ સૂત્ર અંતગડ દશાંગ સૂત્ર વિપાક સૂત્ર અનુત્તરોપપાતિક સૂત્ર રાયપાસેણીય સૂત્ર નિરયાવલિકા સૂત્ર પૂફચુલિયા સૂત્ર કપૂવૅડિસયા સૂત્ર પુફિયા સૂત્ર વનિદશા સૂત્ર નંદિસૂત્રની કથાઓ પઉમચરિયું રામાયણ વિક્રમની પમી સદી – વસુદેવ હિંદી વિક્રમ સંવત ૭૬૫ - મહાપુરાણ, - આદિપુરાણ ૮મી સદી - સમરાદિત્ય ચરિત્ર
નવ ભવની વાર્તા
ધૂર્તાખ્યાન ઉપદેશપદ ગ્રંથ વિ.સં. ૮૩૫ - કુવલયમાલા વિ.સં. ૮૪૦ - હરિવંશ પુરાણ ૧૦મી સદી – ચઉપન મહાપુરુષ ચરિત્ર વિ.સં. ૯૬ર - ઉપમિતિભવપ્રપંચ કથા
ઉપસંહાર ૩. મધ્યકાલીન જેન કથા સાહિત્ય
૧રમી સદી, સં. ૧૧૫૮, કારત્નકોષ
૧૪૮
૧૫૨
૧૫ર
૧૫૬
૧૬૫
૧૬૭
૧૭૧
૧૭૮
૧૮૦
૧૮૨
૧૮૬
૧૯૧
૧૯૧
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૯૬
૧૯૭
૨૦૯
૨૧૨
૨૪૫
૨૪૯
૨૫૪
૨૫૭
૨૬૦
૨૬૩
ર૬૫
ર૬૭
વિ.સં. ૧૧૦૮, કથાકોષ પ્રકરણ વિ.સં. ૧૧૬૧ - પૃથ્વીચંદ્રગુણસાગર ચરિત્ર વિ.સં. ૧૧૭૦ - ભવભાવના પ્રકરણ વિ.સં. ૧૧૬રથી ૧રર૯ - ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર
શ્રી આદિનાથ જીવનદર્શન પર્વ-૨, શ્રી અજિતનાથ ચરિત્ર પર્વ-૩, શ્રી સંભવનાથ ચરિત્ર પર્વ-૩, શ્રી અભિનંદન સ્વામી ચરિત્ર પર્વ-૩, શ્રી સુમતિનાથ ચરિત્ર પર્વ-૩, શ્રી પદ્મપ્રભ ચરિત્ર પર્વ-૩, શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પર્વ-૩, શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર પર્વ-૩, શ્રી સુવિધિનાથ ચરિત્ર પર્વ-૩, શ્રી શીતલનાથ ચરિત્ર પર્વ-૪, શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર પર્વ-૪, શ્રી વાસુપૂજ્ય સ્વામી ચરિત્ર પર્વ-૪, શ્રી વિમલનાથ ચરિત્ર પર્વ-૪, શ્રી અનંતનાથ ચરિત્ર પર્વ-૪, શ્રી ધર્મનાથ ચરિત્ર પર્વ-૫, શ્રી શાંતિનાથ ચરિત્ર પર્વ-૫, સનસ્કુમાર ચક્રવર્તી પર્વ-૬, શ્રી કુંથુનાથ ચરિત્ર પર્વ-૬, શ્રી અરનાથ ચરિત્ર પર્વ-૬, શ્રી મલ્લિનાથ ચરિત્ર પર્વ-૬, શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પર્વ-૭, શ્રી નમિનાથ ચરિત્ર પર્વ-૮, શ્રી નેમિનાથ ચરિત્ર
૨૭૧
૨૭૩
૨૭૫
૨૭૭
૨૭૯
૨૮૧
૨૮૩
૨૮૬
૨૮૮
૨૯૦
૨૯૨
૨૯૫
૨૯૭
૨૯૯
xiii
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૦૩
३०७
૩૧૪
૩૨૩
૩૩૨
૩૩૩
૩૩૪
૩૩૮
૩૫૧
૩૫૫
૩પ૬
૩૬૯
३७०
પર્વ-૮, ગજસુકુમાલ મુનિ પર્વ-૯, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પર્વ-૧૦, શ્રી મહાવીરસ્વામી ચરિત્ર
મહાવીરકાલીન ચરિત્રો રાજર્ષિ પ્રસન્નચંદ્ર શ્રી નંદિષણ મુનિ શ્રી અભયકુમાર
શ્રી સુદર્શન વિ.સં. ૧૨૪૧, - કુમારપાળ પ્રતિબોધ વિ.સં. ૧રપર, - અમસ્વામી ચરિત્ર વિ.સં. ૧૨૭૦, - મહાભારત વિ.સં. ૧૨૭૧, - ધર્મરત્ન પ્રકરણ શીલોપદેશમાલા ૧૬મી સદી - પ્રદ્યુમ્ન ચરિત્ર ૧૭મી સદી – સંવત ૧૬૦૮, - પાંડવ પુરાણ
સં. ૧૬૫૭, કથા રત્નાકર, સં. ૧૯૪૪, તરંગવતી સમ્યકત્વ કૌમુદી ઉપદેશમાલા
ઢંઢણકુમારનું ચરિત્ર મરૂદેવી માતાનું ચરિત્ર
ચંદ્રાવસક રાજાનું ચરિત્ર, દેઢ પ્રહારીનું ચરિત્ર મધ્યકાલીન કથા સાહિત્ય
૧૪મી સદી, ૧૫મી સદી ૧૬મી સદી ૧૭મી સદી ૧૮મી સદી ૧૯મી સદી
૩૭૨
3७४
૩૭૫
૩૮૧
૩૮ર
૩૮૫
૩૮૭
૩૮૯
૩૯૧
૩૯૩
૩૯૪
૩૯૮
૪૦૯
૪૧૯
xiv
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦મી સદી
વિવિધ કથા કાવ્ય પ્રકાર
બારમાસી, કક્કો, વિવાહલઉ, પ્રબંધ
ચચ્ચરી ને ધવલ
ફાગુ
શ્રીપાળ રાજાનો રાસ
ધન્ના - શાલિભદ્ર
માનતુંગ-માનવતી રાસ
ઋષિદત્તા ચરિત્ર
નળ દમયંતી
જંબૂસ્વામી ચરિત
નર્મદાસુંદરી કથાનક ચિત્રસેન પદ્માવતી ચરિત્ર
મહાબલ મલયસુંદરી
ચશોધર ચરિત
સુરસુંદરી ચરિત્ર
સતીઓના ચરિત્ર
મુનિપતિ ચરિત્ર
શ્રીચંદ્ર કેવલી રાસ (જ્ઞાનવિમલસૂરિ કૃત)
મધ્યકાલીન જૈન કવિઓ
ઉપસંહાર
૪. અર્વાચીન કથા સાહિત્ય
ઉપદેશપ્રાસાદ, ૧૯મી સદી
ભદ્રગુપ્તસૂરિ, જંબૂસ્વામી ચરિત્ર
રામચંદ્રસૂરિ, મનોહર કીર્તિસાગર સૂરિ,
પ્રદ્યુમ્નસૂરિ,
શીલચંદ્રસૂરિ
૪૨૧
૪૩૦
૪૩૦
૪૩૧
૪૩૩
૪૩૬
૪૪૧
૪૪૩
૪૪૪
૪૪૫
૪૪૮
૪૫૦
૪૫૨
૪૫૩
૪૫૪
૪૫૭
૪૫૮
૪૬૪
૪૬૫
૪૬૮
૪૮૧
૪૮૮
૪૮૮
૪૯૦
૫૦૪
૫૦૬
૫૧૮
XV
Page #24
--------------------------------------------------------------------------
________________
૫૨૫
૫૨૭
પર૮
પર૯
૫૩૦
૫૩૮
પ૩૯
૫૪૦
૫૪૧
૫૪૨
૫૪૨
૫૪૫
૫૪૬
મુનિ અકલકવિજય મુનિ ચંદ્રશેખરવિજય રત્નસેનસૂરિ પૂર્ણચંદ્રસૂરિ વાત્સલ્યદીપસૂરિ મુક્તિપ્રભસૂરિ મુનિરાજરત્નવિજય મુનિ અપરાજિતવિજય મુનિ રાજકીર્તિસાગર આચાર્ય પ્રદ્યુમ્નસૂરિત, મૂલશુધ્ધિ પ્રકરણ ગણિ મુક્તિચંદ્રવિજય, મુનિચંદ્રવિજય પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી પંડિત બેચરદાસ દોશી જયભખુ
ભગવાન ઋષભદેવ રતિલાલ દીપચંદ દેસાઈ વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી જીવનલાલ છગનલાલ સંઘવી ફતેહચંદ બેલાણી, સારાભાઈ નવાબ ચિત્રભાનુ વિમલકુમાર મોહનલાલ ધામી સુનંદાબેન વહોરા
ભગવાન ઋષભદેવ જીવન ચરિત્ર ગોપાલદાસ પટેલ, - પલ વિજયભાઈ ઝવેરી ૫. ઉપસંહાર
સંદર્ભ ગ્રંથ સૂચિ
૫૫૦
૫૫૩
૫૫૪
૫૫૭
૫૬૦
પર
૫૬૩
પ૬૭ પ૬૮
૫૬૯
૫૭૭
૫૮૪
૫૮૮
xvi
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧
જૈન કથા સાહિત્યનો ઉદ્ગમ, સ્વરૂપ, વ્યાખ્યા, પ્રયોજન તથા જૈન કથાના લક્ષણો અને પ્રકારો
પ્રાચીન કથા સાહિત્યઃ
વિવિધ દેશમાં જે પરંપરાગત ઉત્તમ વાર્તાઓ છે તેમાંની કેટલીય વાર્તાઓનું ઉદ્ભવ સ્થાન ભારત છે. ભારતનું વાર્તાધન આ રીતે વિશ્વની લોકવાર્તાનું પિયર છે.
આપણે આપણી ભારતની ઉત્તમ વાર્તાના વૈભવ વારસાના પરિચયથી વંચિત છીએ. મૂળ અંગ્રેજીમાંથી જે વાર્તાઓ ગુજરાતીમાં લાવ્યા છીએ. પણ તે તો મૂળભૂત રીતે આપણી ભારતની જ સંસ્કૃત, પ્રાકૃત, પાલી જેવી ભાષાઓમાં લખાયેલી વાર્તાઓ છે. અને આપણે ત્યાંથી જ આરબો દ્વારા અને અન્ય રીતે પશ્ચિમમાં ગઇ
છે.
‘સિંદબાદ ધ સેવર’ની વાર્તાના ગુજરાતીમાં અનેક રૂપાન્તરો આપ્યા. તે વાર્તાનું મૂળ તો આપણી પ્રાકૃત ભાષામાં રચાયેલી ચારુદત્તની વાર્તામાં છે. શુદ્રકના નાટકના નાયક ચારુદત્ત કરતા આ ચારુદત્ત જુદો છે. એની કથા જુદી છે. આજની કોઇ પણ રહસ્ય કથાની હરિફાઇ કરી શકે તેવી આ કથા છે. અને વિશ્વ વિખ્યાત અરેબિયન નાઇટ્સમાં વાર્તા સંકલનની જે યુક્તિ છે. તેનું મૂળ અહીંની ‘અનંગ સુંદરી’ વાર્તામાં
છે.
સાહિત્યમાં હાલના પ્રચલિત એવાં સર્વ સ્વરૂપ-પ્રકારો પૈકી વાર્તા પ્રાચીનતમ છે. યુગ પૂર્વે રચાયેલા સાહિત્યમાં એક યા બીજા રૂપમાં વાર્તાતત્ત્વનું પ્રાધાન્ય રહ્યું છે. ઋગ્વેદના દસમ મંડળના આખ્યાનોથી શરૂ કરીને શામળ સુધીની સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં વાર્તા વિવિધ સ્વરૂપે વિહરતી રહી છે.
વાર્તાકારની કલ્પનાનો સૃષ્ટિકાળ ક્રમે વાસ્તવિક ઘટનારૂપે નિહાળવા મળે એવું જગતે જોયું છે. આજે આપણે વિમાન દ્વારા આકાશમાં ઉડ્ડયન કરીએ છીએ. વિમાન જ્યારે શોધાયું ન હતું ત્યારે આપણા પુરાણોએ આકાશમાં ઊડતા વિમાનોની કલ્પના કરેલી છે. આમ શસ્ત્ર, અસ્ત્ર, શિલ્પ વિવિધ પ્રકારના યંત્રો વિશે પ્રાચીન સાહિત્યમાં અનેક ચમત્કારપૂર્ણ કથાનકો મળે છે.
જે જમાનામાં માણસે યંત્ર રચનામાં કોઇ વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરી ન હતી ત્યારે-એ જમાનામાં વાર્તાકારની કલ્પના તો કેટલી ઉચ્ચ ભૂમિકાને, સીમાને આંબી
1
Page #26
--------------------------------------------------------------------------
________________
ગઈ હતી તેનો પુરાવો પ્રાકૃત સાહિત્યમાં મળતી અદ્ભુત યંત્રવિદ ‘કોક્સાસ” નામની વાર્તા આપે છે.
આપણા પ્રાચીન મીમાંસકોએ વાર્તા સાહિત્યને બે પ્રકારોમાં વહેંચ્યું છે. - કથા અને આખ્યાયિકા. મનોરંજક કલ્પનોત્ય વાર્તાઓને કથા અને ઐતિહાસિક, પૌરાણિક કથાનકને આખ્યાયિકા કહેવામાં આવે છે.
કથાને પણ ધર્મકથા, અર્થકથા, કામકથા, નિદર્શન કે દૃષ્ટાંત કથા એવા જુદા જુદા વર્ગોમાં આપણા પ્રાચીન મીમાંસકોએ વહેંચી છે.
પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં વાર્તા કોઈ વિચારની સ્થાપના કે દલીલની સચોટતાનું સાધન મનાયું છે. ધર્મના ગૂઢ અને સૂક્ષ્મ એવા સિધ્ધાંતો સાધારણ માણસો પણ સમજી શકે એ માટે વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે ધારાઓમાં ટૂંકા ટૂંકા કથાનકોનો ઉપયોગ થયેલો છે. ભારતીય પરંપરાની જેમ ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની પરંપરામાં પણ આ પ્રકારે વાર્તાનો ઉપયોગ કરીને ધર્મના સિદ્ધાંતો જનસામાન્ય માટે હસ્તામલકત બનાવાયા છે.
રોજિંદી જિંદગીમાં આપણે આપણા મતને પુષ્ટ કરવા દાખલાઓ આપીએ છીએ. પ્રાચીનોએ આ કામ વાર્તાઓ પાસેથી લીધું છે. આ પ્રકારની વાર્તાઓ તે નિર્દશન કથાઓ. આ પ્રકારની વાર્તામાં વાર્તા કરનારો પોતાનો મત અથવા અભિપ્રાયને વાર્તાના રૂપમાં એવું સુંદર અને સચોટ રીતે નિરૂપે છે કે સાંભળનારને ગળે એ વાત ઉતરી જાય છે. જૈન સાહિત્ય -
ભારતની જ્ઞાન સમૃધ્ધિ બહુ જૂના વખતથી જાણીતી છે અને અપાર છે. તે અનેક જાતની છે. એ જ્ઞાન સમૃધ્ધિની અનેક શાખાઓમાં એક જ શાખા આ વિદ્યાના અભ્યદયકાળમાં હજુ પણ એવી રહી છે કે જેની બાબતમાં પશ્ચિમીય વિચારકોની દષ્ટિ પણ ભારત તરફ વળે છે. એ શાખા તે દાર્શનિક વિદ્યાની શાખા.
એમા જૈન દર્શનનું સાહિત્ય બૌધ્ધ દર્શનના સાહિત્યની પેઠે મગધમાં જ જન્મ પામેલું. પણ પછીના કાળમાં તેની રચના દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનમાં થતી ગઈ અને છેલ્લા પંદરસો વર્ષનો ઇતિહાસ તો સ્પષ્ટ કહે છે કે જૈન દર્શનના પ્રધાનતમ સાહિત્યની રચના, તેની પુરવણી અને તેનો વિકાસ એ બધું જ ગુજરાતમાં જ થયું. છે. આથી જ કેટલાય અપૂર્વ અને દુર્લભ ગ્રંથરત્નો એક માત્ર ગુજરાતના ખૂણે ખાંચરેથી અત્યારે પણ જડી આવે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય એ શબ્દના ત્રણ અર્થ છે. (૧) ઉપકરણ કે સાધન (ર) રસશાસ્ત્ર (કાવ્યપ્રકાશ, કાવ્યાનુશાસન, સાહિત્ય-દર્પણ આદિ) (૩) કોઇપણ પ્રકારનું સાહિત્ય (વૈદિક, સાંખ્ય, જૈન).
જૈનદર્શન કે જૈનવિચાર ઉપરના સાહિત્ય વચ્ચે ઘણો ફેર છે. તે બંનેના સંભ્રમ કરવાથી સંસ્કૃત, પ્રાકૃત ને બોલાતી ભાષઓના સાહિત્યના ઇતિહાસના અભ્યાસીને તેમના ઐતિહાસિક વિકાસનો ખરો ખ્યાલ આવી શકતો નથી.
જૈન આગમનું સાહિત્ય ફિલસૂફીમાં ઉતરી પડે છે, ત્યારે કથાત્મક થઇ જાય છે. ક્રિયાત્મક જણાય છે. સાંપ્રદાયિક થઇ જાય છે, અનેકવાર તે બોધાત્મક ને આદેશાત્મક થઇ જાય છે. અનેકવાર તેમાં જૈન મુનિનું અથવા તીર્થંકરનું વ્યક્તિત્વ દીપી ઉઠે છે. જૈનોના કાવ્યોમાં, નાટકોમાં, ચિરતોમાં, રાસાઓમાં અને સ્તોત્રોમાં ઘણીવાર વાચકને જૈનેતર લખાણોની પ્રસાદી મળી શકે છે. માત્ર તેનું નિરીક્ષણ થવું જોઇએ.
જૈન સાહિત્યનું બીજું લક્ષણ ચરિતાનુયોગ છે. રાગદ્વેષને જીતનાર આત્માના વચનો હંમેશા હિરભદ્રસૂરિની વાણીમાં ‘યુક્તિમત્’ હોય છે અને તે માન્ય થવા જોઇએ. આ જૈન દર્શનનું મુખ્ય સૂત્ર છે. આખું જૈન દર્શન આ સૂત્રના પાયા ઉપર ચણાયેલું છે. ઉપરાંત બધા દર્શનોમાં આચાર્યોના મંતવ્યોને સ્વીકારવામાં ને પૂજવામાં આવે છે, ને તેમના ઉપર સંયમથી ને પૂજ્યબુધ્ધિથી ઊહાપોહ કરવામાં આવે છે, પણ જૈન વાડ્મયમાં તો તેમના મંતવ્યો માત્ર નહિ, પણ તેમનાં ચિરતો પૂજનીય ને અનુકરણીય જ નહિ પણ સૂક્ષ્મતાથી વર્ણન યોગ્ય ગણવામાં આવે છે. આ કારણથી જૈનોએ પોતાના વાડ્મયને ખાસ ચિરતાત્મક બનાવ્યું છે. તીર્થંકરોના-ગણધરોનાં સૂત્રોના વિષયભૂત સાધુ-સાધ્વીઓનાં ને શ્રાવક શ્રાવિકાના પૂર્વ આચાર્યોના ને સૂરિઓનાં ને જૈન શાસનને દીપાવનાર રાજાઓના ચિરતો જૈનોએ ખૂબ વિસ્તાર્યા છે. એ ચરિતો ગદ્ય અને પદ્યમાં વિસ્તારવામાં આવ્યાં છે અને તેમનો વિસ્તાર કરતી વખતે પ્રાચીન વાડ્મય શાસ્ત્રના બધા નિયમો પાળવાનો યત્ન કરવામાં આવ્યો છે.
આ ચિરતોનાં કેટલાક પાત્રો પ્રશસ્ત હતાં, તેથી લેખકોની દૃષ્ટિએ તેમનું વર્ણન અમુક દ્દષ્ટિથી કરવામાં આવ્યું છે. તેમાં ચાલુ ચિરતાત્મક વાડ્મય-biography-ની બધી વૈશેષિકતા આવી શકી નથી. તેમાં ગુણોને અતિશયો તરીકે વર્ણવ્યા હશે, તેમાં દોષોને ઢાંકવામાં આવ્યા હશે, ચરિતનું વર્ણન સાંપ્રદાયિકને ધાર્મિક થઇ જતું હશે, તેમાં કથાવિભાગ જોડી દેવામાં આવ્યો હશે. યાત્રાના વર્ણનો, મંદિરોના જિર્ણોધ્ધાર, અમારિ ઘોષણાના જય વાક્યો, દીક્ષા ઉત્સવો, શાસનનો ઉદ્યોત, એ બધું તેમાં વિશેષપણે આવતું હશે, છતાં તે સાહિત્ય ભાગ અવનવો છે, પરંપરાથી ખેડાતો
3
Page #28
--------------------------------------------------------------------------
________________
આવ્યો છે. ને તેમાં અનેકવિધ, અને ઉપયોગી વ્યક્તિગત, ઐતિહાસિક, સામાજિક, ભૌગોલિક, ને રાજકીય માહિતી ભરવામાં આવી છે. તેથી આ ગુણ બધાએ ખાસ તપાસવો ઘટે છે.
જૈન સાહિત્ય ચરિતાત્મક છે તેટલું જ ઐતિહાસિક છે. તેના પરિશીલનથી હિન્દના ઇતિહાસને નવો આકાર મળ્યો છે. ને ભવિષ્યમાં મળશે. ગુજરાતના ઇતિહાસમાં તો તે સાહિત્ય અનેરું સ્થાન લે છે.
ભારતીય કથાઃ
ભારતીય કથા સાહિત્ય વિશે વિદ્વાન ડૉ. હસુ યાજ્ઞિક લખે છે કે “પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય કથા સાહિત્યની મુખ્ય ધારાઓ વૈદિક, બૌધ્ધ અને જૈન એ ત્રણ છે. વૈદિક અને જૈનધારાનું કથા સાહિત્ય એના ઉદ્ગમથી શરૂ કરીને તે છેક આજ સુધી વિકાસ પામતું રહ્યું છે. ભાષાનું સ્વરૂપ અને ઉપલબ્ધ ગ્રંથોના નિર્માણકાળની દૃષ્ટિએ પુનર્જન્મ અને કર્મ સિધ્ધાંતને પ્રાધાન્ય આપતી જૈન ધર્મની ધારા બૌધ્ધની અનુગામી છે.''
વાર્તા વિકાસની દૃષ્ટિએ જેનધારામાં આગમના પ્રથમ અંગની ત્રીજી ચૂલિકામાં મળતી મહાવીર જીવનકથા, પાંચમા અંગમાં મળતી “ભગવતી-વિવાહ-પણતિ” અને છઠ્ઠા અંગમાં મહાવીર મુખે વહેલી ‘ણાયધમ્મકહાઓ” અત્યંત મહત્ત્વની છે. અહીં લોકકથા, દૃષ્ટાંતકથા, દંતકથા, રૂપકગ્રન્થિકથા, સાહસ અને પ્રવાસની કથા, અદ્ભુતરંગી પરીકથા, ચોર-લૂંટારાની કથા એમ વિવિધ પ્રકારના ભારતીય કથા સાહિત્યનો પરિચય મળે છે. આથી “ણાયધમ્મકહાઓ” પ્રાચીન વૈવિધ્યસભર કથા સંગ્રહ છે.
અર્થની રીતે સામાન્ય ને તુચ્છ લાગતો ટુચકો વિશેષ દૃષ્ટિબિંદુ અને અર્થનો વાહક બની દષ્ટાંત કથા બને છે ત્યારે સજીવ સાહિત્ય સ્વરૂપ બને છે. ટુચકાઓને આવું રૂપ જૈનધારાએ આપ્યું છે. “ઉત્તરાધ્યયનમાં પણ આ પ્રકારના દષ્ટાંત કથાનકો મળે છે.
ભારતીય કથા સાહિત્યમાં રામકથા અને કૃષ્ણકથાનો અભ્યાસ આ દષ્ટિએ કરવા જેવો છે. રામ અને કૃષ્ણ બ્રાહ્મણધારાના મુખ્ય અને પ્રાણભૂત છે. કેમ કે તે ધર્મના અવતાર રૂપે મનાય છે, છતાં બૌધ્ધ અને જૈનધારામાં આ કથાઓ પ્રચલિત રહી વિકસતી આવી છે. બ્રાહ્મણધારાની આ પ્રાચીન ધર્મકથાઓ બૌધ્ધ અને જૈનધારામાં આલેખાતાં એમાં નાના મોટા પરિવર્તનો થયેલાં છે.
“એક જ કથાના જુદા જુદા પ્રવાહો એ કથાના ઘડતર-વિકાસમાં જેટલે અંશે
Page #29
--------------------------------------------------------------------------
________________
નિર્ણાયક બને છે તેથી વિશેષ અંશે પ્રવર્તિત પરિસ્થિતિ અને સાંસ્કૃતિક મૂલ્યોનાં પણ નિર્દેશક બને છે. તેથી વિશેષ અંશે પ્રવર્તિત પરિસ્થિતિ અને સાંસ્કૃતિક મૂલ્યોનાં પણ નિર્દેશક બની ઐતિહાસિક તથ્યને તારવામાં ઉપયોગી બને છે. હરિષણના કથાકોષ” અને “વસુદેવહિંડી માં મળતી વિષ્ણુકુમારની વાર્તાનો સંબંધ જૈન હરિવંશ જોડે છે. કેટલાક કથાનકોનો સ્વતંત્ર ઉદ્ગમ વિભિન્ન ધારાઓમાં થયેલો છે. રામકથા અને કૃષ્ણકથાનો સાહજિક સંબંધ બ્રાહ્મણધારા સાથે છે, છતાં એની દીર્ઘ પ્રાચીન પરંપરા બૌધ્ધ અને જૈન બંનેમાં મળે છે. જેનાવતારની રામકથા અને કૃષ્ણકથા પાછળથી થયેલા પરિવર્તનો નથી પરંતુ સ્વતંત્ર મૂળ અને ઉદ્ભવ ધરાવતા કથા પ્રવાહો છે.” ભારતીય કથાસાહિત્ય વિશે હરિવલ્લભ ભાયાણી લખે છે કે:
ભારતીય કથા ભંડાર જગતનો સૌથી વધુ સમૃધ્ધ કથાભંડાર છે. અઢી-ત્રણ હજાર વરસથી ભારતની પ્રાચીન-અર્વાચીન અનેક ભાષાઓમાં કથા વાર્તાઓ રચાતી આવી છે. હજારો ગ્રંથોમાં એ સંગ્રહીત થયેલી છે. અને અત્યારે મૌખિક પરંપરામાં પણ હજારો કથાઓ જીવતી છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને અર્વાચીન ભારતીયઆર્યા ભાષાઓની તથા દ્રાવિડી પરિવારની ભાષાઓની લિખિત તેમજ મૌખિક પરંપરાઓમાં સમગ્રપણે જે કથાવાર્તાઓ મળે છે તેમની સંખ્યાનો કોઈ અંદાજ બાંધી શકાય તેમ નથી. મૂળ કથાઓ, તેમના રૂપાંતરો, ઘટકો અને મિશ્રણોની દષ્ટિએ આના લાખે લેખાં થાય. વિશ્વની બીજી કોઇપણ સાંસ્કૃતિક પરંપરા પાસે, વિપુલતા, વૈવિધ્ય અને સાતત્યની દષ્ટિએ આની સ્પર્ધામાં ઊભું રહી શકે તેવું કથાસાહિત્ય નથી. ભારતીય કથાસાહિત્યને અગાધ અને અફાટ મહાસાગરની ઉપમા આપીએ તો તેમાં કશી અતિશયોક્તિ નથી. યુરોપ, એશિયા, આફ્રિકા વગેરે પ્રદેશોની લોકકથાઓના ઇતિહાસ અને તુલનાત્મક અધ્યયનને માટે, તથા કથાઓના એક કેન્દ્રમાંથી બીજા કેન્દ્રમાં થતાં પ્રસરણ અને રૂપાંતરણની તપાસ માટે ભારતીય કથાઓ અને કથા ગુચ્છો સર્વાધિક મહત્ત્વ ધરાવે છે. “બૃહત્કથા', “જાતકકથાઓ', પંચતંત્ર”,“ સિંહાસન-દ્વાત્રિશિકા’, ‘વેતાલ પંચવિંશતિ”, “શુક્ર સપ્તતિ” વગેરેનું આ દષ્ટિએ ઘણા લોકકથાવિદોએ સઘન અને વ્યાપક અધ્યયન કરેલું છે.'
આ ઉપરથી કહી શકાય કે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય કથાસાહિત્યની મુખ્ય ધારાઓ વૈદિક, બૌધ્ધ અને જૈન એ ત્રણ છે. જૈન કથા ધર્મની ધારા બૌધ્ધની અનુગામી છે. રાયધમ્મકહાઓમાં લોકકથા, દષ્ટાંતકથા, દંતકથા, રૂપક ગ્રન્થિકથા, સાહસ અને પ્રવાસનીકથા, અદ્ભુતરંગી પરિકથા, ચોર લૂંટારાની કથા એમ વિવિધ પ્રકારના ભારતીય કથા સાહિત્યનો પરિચય મળે છે. ઉત્તરાધ્યયનમાં પણ દષ્ટાંત
Page #30
--------------------------------------------------------------------------
________________
કથાનકો જોવા મળે છે જે આપણે આગળ જોઇશું. રામકથા કૃષ્ણકથા પણ જેના સાહિત્યમાં પ્રચલિત રહી વિકસતી આવી છે. જેને પ્રાકૃત સાહિત્ય વિશે નંદલાલ દેવલુક લખે છે કે:
ભગવાન મહાવીરે તેમનો ઉપદેશ સ્ત્રીઓ, અબાલ, વૃધ્ધો અને નિરક્ષરો સમજી શકે તે માટે લોકભાષા પ્રાકૃતમાં આપેલો. પ્રાતની જે લોકભાષાનો તેમણે ઉપયોગ કરેલો તે અર્ધમાગધી હતી. તેમને અનુસરીને બધા જેન શ્રમણોએ પણ અર્ધમાગધી પ્રાકૃતમાં જ પ્રચાર કરેલો. આથી પ્રાચીનતમ જૈન સાહિત્ય (આગમ અને આગમેતર) પ્રાકૃતની શાખા અર્ધમાગધીમાં લખાયું છે.
જેને મતના પ્રચાર માટે શ્રમણોએ વિવિધ કથાઓ અને આખ્યાનોની રચના કરીને પ્રાકૃત સાહિત્યને સમૃધ્ધ કર્યું છે. આ કથા ગ્રંથોમાં ધર્મને કેન્દ્રમાં રાખીને આખ્યાનો લખવામાં આવ્યા. કથા ભલે અર્થોપાર્જન વિષયક કે કામવિષયક હોય, પણ તેનો મુખ્ય ઉદેશ્ય ધર્મ સ્થાપનાનો જ રહ્યો છે. સંઘદાસગણિની સુવિખ્યાત “વસુદેવહિંડીમાં શૃંગાર કથાને નિમિત્તે ધર્મકથાનું જ નિરૂપણ થયું છે. આગમ રચના કાળના સાહિત્યમાં નોંધપાત્ર પ્રાકૃત ગ્રંથો રચાયા છે. તેમાંનો જેનકથા સાહિત્યનો સર્વ પ્રથમ ગ્રંથ, જે આજે અનુપલબ્ધ છે, તે ‘ણાયાધમ્મકહાઓ' (જ્ઞાતા ધર્મકથા) છે. આમાં ૧૯ અધ્યનોમાં જ્ઞાતપુત્ર મહાવીરના મુખે કહેવાયેલી અનેક કથાઓ અને ઉપકથાઓ સંગ્રહાયેલી હતી. આ કાળની અન્ય કૃતિઓમાં ‘ઉપાસક દશા” (શ્રી મહાવીરના દસ ઉપાસકોની કથા) અંતકુદશા (અહંતોની કથા), વિપાકસૂત્ર (શુભ અને અશુભ કર્મોના ફળની કથાઓ), ઉત્તરાધ્યયન સૂત્ર(ત્યાગ અને વૈરાગ્યની સંપાદકાત્મક કથાઓ)ની કથાઓ ઉલ્લેખનીય
પ્રાકૃત આગમેતર સાહિત્યમાં ચારિત્ર ગ્રંથોનું સ્થાન અગત્યનું છે. “ગ્રેસઠ સલાકા પુરુષ ચરિતમાં ૨૪ તીર્થકરો ૧ર ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બળદેવો અને ૯ પ્રતિવાસુદેવોનું ચરિત્ર ચિત્રણ છે.
‘કલ્પસૂત્ર'માં તીર્થકરોના જીવનનું વર્ણન છે. વિમલસૂરિના “પઉમચરિય”માં જૈન રામાયણ અને હરિવંશ ચારિયમાં (અનુપલબ્ધ) કુષ્ણકથાનું વર્ણન છે. આ ઉપરાંત કથા ગ્રંથોમાં ‘તરંગવઈકહા”, “સમરાઇશ્ચકહા”, અને “કુવલયમાલા મુખ્ય છે. પ્રાકૃતમાં લખાયેલા કથા કોષો પણ જાણીતા છે. તેમાં જિનેશ્વરસૂરિનું ‘કહાણય કોસ” (કથાનકકોષ) ગુણચંદ્ર ગણિનું “કહારયણકોસ” (કારત્ન કોષ), વિનયચંદ્રનું
Page #31
--------------------------------------------------------------------------
________________
‘ધમ્મકહાણચકોષ’ (ધર્મકથાનક કોષ) અને ભદ્રેશ્વરનું ‘કહાવલિ' (કથાવલિ)નો નામોનો ઉલ્લેખ કરી શકાય.
પ્રાકૃત કથા સાહિત્યમાં શ્રમણોએ રચેલા ધાર્મિક લૌકિક સાહિત્યનો પણ નિર્દેશ કરવો જરૂરી છે. જેવી કે લોકકથાઓ, નીતિકથાઓ, દંતકથાઓ, પરીકથાઓ, પ્રાણીકથાઓ, લઘુકથાઓ, આખ્યાનો આદિ...’’
(૪)અ. ઉદ્ગમઃ
(૧) જૈન કથા સાહિત્યના ઉદ્ગમ વિશે જૈન સાહિત્યના પ્રખર વિદ્વાન ડૉ.સાગરમલ જૈન લખે છે કે,
“કથા સાહિત્યનો ઉદ્ભવ એટલો જ પ્રાચીન છે જેટલું આ પૃથ્વી પર માનવનું અસ્તિત્વ. સાહિત્યિક ઢષ્ટિએ કથાઓની રચનામાં કંઇક જુદાપણું હોય પણ કથાકથનની પરંપરા બહુ જૂની છે. કથા સાહિત્ય માટે અંગ્રેજીમાં literature શબ્દ પ્રચલિત છે એટલે કે આખ્યાન યા રૂપકના રૂપમાં જે કહેવામાં આવે અથવા લખવામાં આવે તે બધું કથાની અન્તર્ગત આવે. સામાન્ય અર્થમાં કહીએ તો “જે કહેવામાં આવે તે કથા છે.’’ પરંતુ જ્યારે આ કથાઓ લેખિત રૂપે પુસ્તકમાં ગૂંથાઇ ત્યારે તેનું સ્વરૂપ સ્થિર થવા પામ્યું હશે. બીજા શબ્દોમાં કહીએ તો પહેલા કથા શ્રુત પરંપરાથી ચાલતી હતી, પછી તેનું લેખિત સ્વરૂપ થયું. આ વાત જૈન સાહિત્યના સંદર્ભમાં પણ સત્ય છે. જૈન પરંપરામાં પહેલા કથા અનુશ્રુતિ રૂપમાં ચાલતી હતી અને એજ કારણ છે કે લૌકિક પરંપરાના આધાર પર એમાં સમયે સમયે સંક્ષેપણ, પરિવર્તન, વિસ્તરણ, પરિશોધન અને સંમિશ્રણ થતું રહ્યું. મૌખિક પરંપરાના રૂપમાં આ કથાઓએ સમગ્ર ભૂમંડલની ચાત્રા કરી છે અને તેમાં વિભિન્ન ધર્મો અને સામાજિક સંસ્કૃતિના માધ્યમથી આંશિક પરિવર્તન અને પરિવર્ધન પણ થયું છે. દુષ્ટાંતરૂપે વિભિન્ન દેશોમાં પ્રચલિત કથાઓમાં થોડું સામ્ય અને થોડું જુદાપણું છે. હિતોપદેશ અને ઇસપની કથાઓ આનું પ્રમાણ છે.''
(ર) જૈન કથાસાહિત્યના ઉદ્ગમ વિશે વિદ્વાન ડૉ. હસુ યાજ્ઞિક લખે છે કે,
જૈન સ્રોતનાં કથાનકોનું મૂળ વૈદિક, બૌધ્ધ કે જૈન પરંપરામાં જોઇ શકાય. ઋષભદેવ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી આફ્રિ તીર્થંકરોની જીવન વિષચક દંતકથાઓ, શારીરિક અને માનસિક ચાતનાઓ, અહિંસા, કર્મવિપાક, સંસાર સંબોધોની નશ્વરતા ઇત્યાદિનાં કથાનકો, અગ્રસર ધર્મ, મુખ્ય સાધુ સાધ્વીના જીવન સંદર્ભે પ્રગટેલાં ચરિત અને પ્રબંધો નિઃશંક જૈન ધારાની નિજી મૂડી છે. શેષ કથાનકોનાં મૂળ અન્ય પરંપરામાં જોઇ શકાય. ધર્મના કેટલાક મહત્ત્વના સિધ્ધાંતો
7
Page #32
--------------------------------------------------------------------------
________________
પરત્વે બૌધ્ધ અને જૈન સમાન વલણ ધરાવે છે. આથી બંને ધર્મના પ્રાણભૂત અંશને સમાન અભિવ્યક્તિ આપતાં બૌધ્ધ ધર્મનાં પ્રચલિત કથાનકોને જૈન પરંપરામાં સ્વાભાવિક સ્થાન મળી ચૂક્યું છે. જાતક અને અવદાન સાહિત્યનાં આવાં કેટલાક કથાનકો જૈન પરંપરામાં પણ નિરૂપાયાં છે. કેટલાક કથાનકો બ્રાહ્મણ, બૌધ્ધ અને જૈન એ ત્રણે ધારામાં ભારતીય વાર્તા વિશ્વના સમાન ધનમાંથી પ્રાપ્ત થયેલાં છે. રાસાઓનો પણ મોટો ભાગ લોક પરંપરાની પ્રચલિત કથાઓમાંથી લેવાયો છે. ત્રણે ધારામાં પ્રાપ્ત થતાં હોય એવાં કથાનકોનો તુલનાત્મક અભ્યાસ ભારતીય કથાઓનાં મૂળ પર વિશેષ પ્રકાશ પાડી શકે છે.
અન્ય ધારાના, સવિશેષ તો બ્રાહ્મણ ધારાના કથાનકો,જૈન ધારામાં પ્રવિષ્ટ થયાનાં બે મુખ્ય કારણ સ્પષ્ટ છે. એક તો એ કે બ્રાહ્મણ ધારાની કેટલીક કથાઓ તો એટલી રસપ્રદ અને લોક હૃદયમાં સ્થાન પામી ચૂકેલી હતી કે કેવળ કથાના આકર્ષક સાધને ધર્મ પ્રચાર કરવા ઇચ્છતા યતિઓને સહેજે એ સ્વીકારવી પડે. બીજું એ કે એક પક્ષે તે કથાનાયકો પોતાના ધર્મ પંથના હતા એવું પ્રસ્થાપિત કરી ધર્મ પંથનું ગૌરવ વધારી શકાય, તો બીજે પક્ષે એ નાયકોના જીવનની ક્ષતિઓ અને ધર્મસિધ્ધાંતની અગ્રાહ્યતા દર્શાવી એ દ્વારા પોતાના ધર્મની મહત્તા પ્રગટ કરી શકાય.
પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય કથા સાહિત્યની મુખ્ય ધારાઓ વૈદિક, બૌધ્ધ અને જૈન એ ત્રણ છે. વૈદિક અને જૈન ધારાનું કથા સાહિત્ય એના ઉદ્ગમથી શરૂ કરીને તે છેક આજ સુધી વિકાસ પામતું રહ્યું છે. ભાષાનું સ્વરૂપ અને ઉપલબ્ધ ગ્રંથોના નિર્માણ કાળની દૃષ્ટિએ પુનર્જન્મ અને કર્મસિધ્ધાંતને પ્રાધાન્ય આપતી જૈનધર્મની ધારા બૌધ્ધની અનુગામી છે. છતાં ડૉ.એ એન. ઉપાધ્યે જેને ‘માગધી-ધર્મ’ એવું નામ આપે છે તેની શાખા તરીકે દાર્શનિક રૂપમાં જૈનતત્ત્વ વિચારણાની ધારા બૌધ્ધ જેટલી જ પ્રાચીન છે. આ ધારાને મૂળ ધર્મગ્રંથ ‘આગમ’ આજના એના ઉપલબ્ધ સ્વરૂપમાં વહેલામાં વહેલો ઇસુની પહેલી સદીમાં રચાઇ ચૂક્યો હતો એ નિશ્ચિત છે.’’` જૈન કથા સાહિત્યના ઉદ્દગમ વિશે ડૉ. કવિન શાહ લખે છે કે,
‘જૈન સાહિત્યના બે પ્રકાર છે. આગમિક અને અનાગમિક. આગમિક એટલે ૪૫ આગમ આદિ મૂળભૂત ગ્રંથોને આધારે સ્પષ્ટીકરણરૂપે લખાયેલા ગ્રંથો. અનાગમિક એટલે આગમિક સાહિત્ય સિવાયની કૃતિઓનું સાહિત્ય.
અનાગમિક સાહિત્યના એક ભાગરૂપે ગદ્ય-પદ્યમાં રચાયેલું કથા સાહિત્ય ધર્મકથાનુયોગ છે. ધર્મકથાનુયોગ એટલે ધાર્મિક વિષયો-સિધ્ધાંતોને સ્પષ્ટ-ચરિતાર્થ કરતી કથાઓનો સંચય. ધર્મકથાનુયોગમાં મહાપુરુષોએ જીવનમાં શાસ્ત્રોકત આચાર
8
Page #33
--------------------------------------------------------------------------
________________
પાલનથી મુક્તિ પ્રાપ્ત કરીને માનવ જન્મ સાર્થક કર્યો છે તેનો મૂલ્યવાન સંદર્ભ પ્રાપ્ત થાય છે. તીર્થકર ભગવંતો, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, મહાપુરુષો, સાધુ મહાત્માઓ, ધનિક શ્રેષ્ઠિઓ, સતી સ્ત્રીઓ, કુસંસ્કાર, સંસારની અસારતા સંયમ ધર્મની મહત્તા જેવા વિવિધ વિષયોને સ્પર્શતા વિચારો તેના દ્વારા પ્રગટ થયા છે. ધર્મકથાનુયોગનો આર્ય રક્ષિતસૂરિએ ઉધ્ધાર કર્યો હતો. આમ, જૈન કથા સાહિત્યનું મૂળ ધર્મકથાનુયોગ છે.” જૈન કથા સાહિત્યના ઉદ્ગમ વિશે વિદ્વાન ડૉ.કાન્તિભાઈ બી શાહ લખે છે કે, . “જેમ જૈન દર્શન અને જૈન જીવનશૈલીનો આધાર સ્ત્રોત આપણા આગમો છે તેમ જૈન કથા સાહિત્યનો મુખ્ય આધારસ્રોત પણ આપણું આગમ સાહિત્ય છે. આપણા આગમસૂત્રો સમજવા માટે ચાર અનુયોગ પ્રસ્થાપિત થયા છે. ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. આમ આપણા શ્રુતાભ્યાસમા ધર્મકથાનું પાસુ એક મહત્ત્વનું પરિબળ છે. આપણી દ્વાદશાંગીમાં છઠું અંગ “જ્ઞાતા ધર્મકથાંગ” છે. જે ધર્મકથાનુયોગની દષ્ટિએ મહત્ત્વનું છે. તીર્થકરોથી લઇને સતી સ્ત્રીઓ, શ્રેષ્ઠીઓ, રાજાઓ આદિની કથાઓ આપણા એકાધિક આગમોમાં સમાવિષ્ટ થઇ છે.”
આ ઉપરથી કહી શકાય કે જૈન કથા સાહિત્યનો ઉદ્દભવ અતિ પ્રાચીન છે. કથા પહેલા મૌખિક રૂપમાં હતી. ત્યાર બાદ લેખિત રૂપમાં પ્રચલિત થઇ. તેમાં વિભિન્ન ધર્મો અને સામાજિક સંસ્કૃતિના માધ્યમથી આંશિક પરિવર્તન થયું છે. વિભિન્ન દેશોમાં પ્રચલિત કથાઓમાં થોડું સામ્ય અને થોડું જુદાપણું છે. જેમ કે હિતોપદેશ અને ઇસપની કથાઓ. જૈન ધારામાં ઝષભદેવ, મહાવીરસ્વામી આદિ તીર્થકરોની જીવન વિષયક કથાઓ, કુલકરો આદિની કથાઓ મૂકી છે. કેટલાંક કથાનકો બ્રાહ્મણ બૌધ્ધ અને જૈન એ ત્રણે ધારામાં ભારતીય વાર્તા વિશ્વના સમાન ધનમાંથી પ્રાપ્ત થયા છે. રાસાઓ પણ પ્રચલિત કથાઓમાંથી લેવાયા છે. જેનધર્મની ધારા પુનર્જન્મ અને કર્મ સિધ્ધાંતને પ્રાધાન્ય આપે છે. જૈન આગમોનો પરિચય તથા કથાનુયોગ :
જૈન ધર્મ ગ્રંથ મૂળ “આગમ” જે ઈસુની પહેલી સદીમાં રચાયો છે. જૈન સાહિત્ય આગમિક અને અનાગમિક છે. તેમાં અનાગમિક કથા સાહિત્ય ધર્મ કથાનુયોગ છે. જેમાં તીર્થકર ભગવંતો ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, મહાપુરુષો, સાધુ મહાત્માઓ, ધનિક શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓ, કુસંસ્કાર, સંસારની અસારતા, સંયમ ધર્મની મહત્તા જેવા વિવિધ વિષયોને સ્પર્શતા વિચારો પ્રગટ થાય છે. આમ જૈન કથાસાહિત્યનું
Page #34
--------------------------------------------------------------------------
________________
મૂળ ધર્મકથાનુયોગ છે. આપણી દ્વાદશાંગીમાં છઠું અંગ “જ્ઞાતા ધર્મકથાગ” છે. જે ધર્મકથાનુયોગની દષ્ટિએ મહત્ત્વનું છે.
જૈન આગમોની વિષયાનુસારી વ્યાખ્યા શૈલીને “અણુઓગ” કહેવાયેલ છે. અણુ” નો અર્થ ‘સૂક્ષ્મ છે. “સૂત્ર” સૂક્ષ્મ હોય છે. આથી તાત્પર્ય એ નીકળ્યું કે સૂત્રનો અભિધેય(અર્થ)ની સાથે યોગ-સંબંધ જોડવો, સૂત્રાનુસારી અર્થની વ્યાખ્યા, અન્વેષણા તથા અનુયોજના કરવી તે “અનુયોગ” કહેવાય છે. કાળના પ્રભાવે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનની વિશેષ નિર્મળતા ઓછી થવા લાગી, શાસ્ત્રોના અર્થ અનુસંધાનમાં પ્રમાદ થવા લાગ્યો ત્યારે મહાન વ્યુતધર આર્ય વજના શિષ્ય આર્ય રક્ષિતસૂરિએ આગમોની વ્યાખ્યા માટે અનુયોગ શૈલીનું પ્રચલન કર્યું. અનુયોગ બીજરૂપે તો મૂળ સૂત્રોમાં વિદ્યમાન છે જ, પરંતુ જ્યાં સુધી નય-નિક્ષેપ શૈલીનું પ્રવર્તન રહ્યું ત્યાં સુધી અનુયોગનું વિશેષ પ્રચલન થઇ શક્યું નહિ. આર્યરક્ષિતસૂરિએ આવનાર યુગના આગમ-અભ્યાસીઓની બૌધ્ધિક ક્ષમતાને ધ્યાનમાં રાખી અનુયોગ શૈલીથી આગમોની વ્યાખ્યા કરી. તે યુગમાં આ શૈલી અત્યંત સુગમ ગણાઈ એટલે અધિક લોકપ્રિય બની.
આર્યરક્ષિતસૂરિએ સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ ખગોળ-ભૂગોળ વિષયક આગમોનો ગણિતાનુયોગમાં સમાવેશ કર્યો. તેમણે આત્મા, દ્રવ્ય, પુદ્ગલ, કર્મ આદિનું ગહન વર્ણન કરતાં આગમોને ‘દ્રવ્યાનુયોગ”માં અને શ્રમણાચાર, શ્રાવકાચાર સંબંધી વિષયોને “ચરણ કરણાનુયોગ’માં સમાવ્યા. આ બધા પછી જે ધર્મકથા, રૂપક, દષ્ટાંત આદિ વિષયો વધ્યા તે બધા ધર્મકથાનુયોગ (ધમ કહાણુયોગ)માં સમાવિષ્ટ કરવામાં આવ્યા.
પંડિતરત્ન મુનિકમલજીએ આગમ સાહિત્યમાંથી ધર્મકથાનુયોગની સામગ્રી સંકલિત કરી છે. જેને તેમણે “ધમકહાણુયોગ” નામ આપ્યું છે. આ સંકલનમાં તેમણે નિમ્નલિખિત આગમ ગ્રંથોની સામગ્રી લીધી. અંગગ્રંથઃ- આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, જ્ઞાતાધર્મ કથા, ઉપાસકદશા, અંતકત દશા, અનુત્તરોપપાતિક દશા, વિપાક સૂત્ર. ઉપાંગગ્રંથઃ- પપાતિક, રાજપ્રશ્નીય, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા, પુષ્પિકા, વૃષ્ણિદશા, પુષ્પચૂલિકા. મૂળસૂત્ર - ઉત્તરાધ્યયન સૂત્ર, નંદી સૂત્ર છેદસૂત્રઃ- દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર
Page #35
--------------------------------------------------------------------------
________________
(૧) આચારાંગ સૂત્ર:- કથાસાહિત્યની દૃષ્ટિએ તેમાં રૂપકો આપેલા છે. છઠ્ઠા અધ્યયનનાં પહેલા ઉદેશામાં કાચબાનું દૃષ્ટાંત છે. જે આત્મજ્ઞાનના પોતાના અનુભવ માટે પ્રયોજવામાં આવે છે. આવા બીજા રૂપકો પણ મળે છે. જે સાધકને આત્મ ચિંતનમાં અંતિમ સમય પર્યન્ત સ્થિર રહેવા માટે ઉપયોગી છે. મહાવીર ચરિત્રમાં પણ કેટલાય કથા તત્વો સમાયેલા છે. આચાર્ય હેમચંદ્ર દ્વિતીય શ્રુતસ્કંધની તૃતીય અને ચતુર્થ ચૂલિકા સંબંધમાં એક એવી કથા આપી છે. જેમાં તેમનો સંબંધ મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન સીમંધર તીર્થકર સાથે જોડવામાં આવ્યો છે. (૨) સૂત્રકૃતાંગ - આ ગ્રંથમાં આદ્રકુમાર અને ગોશાલક તથા ઉદક અને ગૌતમસ્વામી વચ્ચે થયેલા સંવાદોનો ઉલ્લેખ છે. પુંડરિકનું દૃષ્ટાંત છે. શિશુપાલ, દ્વેપાયન વગેરેના પ્રાસંગિક ઉલ્લેખ છે. આ ગ્રંથ ઐતિહાસિક તેમજ દાર્શનિક કથા તત્ત્વોની દષ્ટિએ મહત્ત્વનો છે. (૩) સ્થાનાંગસૂત્ર:- પ્રથમ અધ્યયનમાં ભગવાનનું ઐતિહાસિક તથ્ય છે. ભરત ચક્રવર્તી, સમ્રાટ સનતકુમાર, ગજસુકુમાલ, મરુદેવાની કથા છે. આ ઉપરાંત શાલીભ, કાર્તિક, આનંદ, તેટલીપુત્ર, અતિમુક્ત, દશાર્ણભદ્ર આદિના કથાનકો છે. શ્રમણી પોટ્ટિલાની કથા, સાત નિન્દવોનું વર્ણન પણ આ ગ્રંથમાં છે. આ ગ્રંથની ઉપમાઓ અને પ્રતિકોમાં આમાં આપેલ કથાબીજની શોધ કરી શકાય છે. (૪) સમવાયાંગ:- આ ગ્રંથમાં નરક, તિર્યચ, મનુષ્ય, દેવતા, કુલકર, તીર્થકર, ગણધર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિનું વર્ણન છે. તેથી આ ગ્રંથમાં કથા તત્વો કરતા ચરિત્રતત્ત્વોનો સમાવેશ વિશેષ છે. (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતી સૂત્ર):- આ એક વિશાળ ગ્રંથ છે. એમાં સેંકડો વિષયો છે. આ ગ્રંથમાં મહાવીર સાથે વાર્તાલાપ કરનાર કેટલાક પુરુષો અને સ્ત્રીઓની કથાઓ છે. શિવરાજર્ષિ, જમાલિ, ઉદયનરાજા, શંખ, જયન્તિ શ્રમણોપાસિકા, સોમિલ, સુદર્શન વગેરે અનેક વ્યક્તિઓના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ આ ગ્રંથમાં વર્ણવેલ છે. ગોશાલક ચરિત્ર, પ્રભુ મહાવીર-ગૌતમનો ભવાન્તરીય સંબંધ, કાર્તિક શેઠનું ચરિત્ર આદિ. (૬) જ્ઞાતા ધર્મકથા - આ ગ્રંથ આગમિક કથાઓનો પ્રતિનિધિ ગ્રંથ છે. બીજા શ્રુતસ્કંધમાં સાડાત્રણ કરોડ કથાઓ હોવાનો ઉલ્લેખ છે. વર્તમાનમાં રરપ કથાઓ છે. આમાં મેઘકુમાર, થાવચ્ચા પુત્ર, કૃષ્ણ વાસુદેવ, મલ્લી, દ્રૌપદી, નાગશ્રી, જિતશત્રુરાજા, કંડરિક મુનિ, જિનપાલ-જિનરક્ષિત, રાજા રુકમી, ઈન્દ્રાણીઓના પૂર્વભવના કથાનકો, અભયકુમાર, નંદમણિયારની કથા, તેતલી પુત્ર, પુંડરિક
Page #36
--------------------------------------------------------------------------
________________
કંડરિકની કથા છે.
આમ, જ્ઞાતા ધર્મકથામાં સંયમને દઢ બનાવતી કથાઓ મધપૂડાં જેવી રસસભર છે. તેમાંથી એક એક મધુબિંદુરૂપી અધ્યયનમાંથી જુદા-જુદો વૈરાગ્યરસ નીતરે છે. આ ગ્રંથમાં દૃષ્ટાંત અને રૂપક કથાઓ પણ છે. જેમકે ઇંડા કહે છે શ્રધ્ધા રાખો, કાચબો કહે છે ધીરજ રાખો, ઘોડા કહે છે વૈરાગ્ય રાખો, ચંદ્ર કહે છે અપ્રમત્તભાવ રાખો, તુંબડું કહે છે નિર્લેપભાવ રાખો, દાવદ્રવ કહે છે સહિષ્ણુતા રાખો, નંદીફળ કહે છે અનાસક્ત ભાવ રાખો.
જ્ઞાતા ધર્મકથા પશુકથાઓ માટે પણ ઉદ્ગમ ગ્રંથ માની શકાય. તેમાં હાથી, અશ્વ, સસલો, કાચબા, મોર, દેડકા, શિયાળ વગેરે પાયારૂપે છે. જેમાં મેરુપ્રભહાથી અહિંસાનું ઉદાહરણ પૂરું પાડે છે.
આ ગ્રંથના બે વિભાગ છે પ્રથમ શ્રુતસ્કંધ ‘જ્ઞાતા” અને બીજા ગ્રુતસ્કંધનું નામ ધર્મકથા” છે. આ બંનેના જોડાણથી જ્ઞાતા ધર્મકથા નામ નિષ્પન્ન થયું છે. આ રીતે પ્રસ્તુત કથા ગ્રંથની મુખ્ય તથા અવાંતર કથામાં અનેક ઘટનાઓ, વિવિધ શબ્દો, વર્ણનો વડે પ્રાચીન કાળની વાતો જણાય છે.
બીજા શ્રુતસ્કંધમાં મૂળ તો ર૦૬ સાધ્વીની કથા છે. કેવળકાલીની કથા પૂર્ણ કથા છે. નારી કથાની દષ્ટિએ આ કથા મહત્ત્વપૂર્ણ છે. (૭) ઉપાસક દશાઃ- જેમાં મહાવીરના મુખ્ય દસ શ્રાવકોના જીવન-ચરિત્રનું વર્ણન છે. આજે પણ આ કથાઓ શ્રાવકધર્મના ઉપાસકો માટે આદર્શરૂપ બની રહી છે. પ્રભુના ૧ર વ્રતધારી શ્રાવકોની સંખ્યા ૧,૫૯,૦૦૦ની હતી. તેમાંના આ દશ પડિમાધારી શ્રાવકોની કથા ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મહાવીર સ્વામીના ઉપાસક હોવાથી ઉપાસક દશાંગસૂત્ર નામ રાખવામાં આવ્યું છે. (૮) અન્નકૃતદશા - અંતગડસૂત્ર એટલે સંસારનો સંપૂર્ણ અંત કરાવતી અંતઃકરણની યાત્રા. આ ગ્રંથમાં જન્મ મરણની પરંપરાનો પોતાની સાધનાથી અંત કરનાર દશ વ્યક્તિઓની કથા છે. કેટલીક કથાઓનો સંબંધ અરિષ્ટનેમિ અને કૃષ્ણ વાસુદેવના યુગ સાથે છે. ગજસુકુમાલની કથા લૌકિક કથાને અનુરૂપ વિકસિત થઈ છે. ગ્રંથના અંતિમ ત્રણ વર્ગોની કથાનો સંબંધ મહાવીર તથા રાજા શ્રેણિક સાથે છે.
આ ગ્રંથમાં ૮ વર્ષના અતિમુક્તકુમાર, ૧૬ વર્ષના ગજસુકુમાલથી લઇને આશરે હજાર વર્ષની ઉંમરવાળા અનીયસકુમાર આદિ કુમારોના વર્ણનો છે. (૯) અનુત્તરોપપાતિક દશાઃ- આ ગ્રંથમાં એવી કથાઓ છે જેમણે તપ સાધના દ્વારા
Page #37
--------------------------------------------------------------------------
________________
દેવલોક (અનુત્તર વિમાન)ની પ્રાપ્તિ કરેલ છે. આમાં કુલ તેત્રીશ કથાઓ છે. જેમાંની ત્રેવીશ કથાઓ રાજકુમારોની અને દસ કથાઓ સામાન્ય પાત્રોની છે. આમાં ધન્યકુમાર સાર્થવાહ પુત્રની કથા વિશેષ હૃદયગ્રાહી છે. (૧૦) શ્રી વિપાકસૂત્ર - વિપાક એટલે પુણ્ય અને પાપ કર્મોનું ફળ. પ્રત્યેક અધ્યયનમાં પૂર્વભવની ચર્ચા છે. આમાં મૃગાપુત્રની કથામાં કેટલીક અવાન્તર કથાઓ ગૂંથાયેલી છે. કથોપકથનની દષ્ટિએ આ ગ્રંથની કથાઓ વિશેષ સમૃધ્ધ છે. દુઃખવિપાકમાં કથાનાયકો માંસાહાર કરનાર, ઇંડાનું સેવન કરનાર, અધમ પાપાચાર કરનાર છે. પૂર્વભવમાં ૪૯૯ સાધુઓને જીવતા સળગાવી દેનાર દેવદત્તા તે ભવમાં સાસુની હત્યા કરે છે. અનર્થોની ખાણ સમાન કામ ભોગોમાં લીન રહીને દુઃખોની પરંપરા વધારનાર અંજુશ્રીની કથા છે. સુખવિપાકમાં સુબાહુકુમારનું વર્ણન છે
આમ હિંસા, ચોરી, મૈથુન વગેરેના ખરાબ પરિણામોની કથાઓ આમાં છે. આમ, વિપાક સૂત્ર ભાવારણ્યમાં ભૂલા પડેલા, ભટકતા ભવ્ય પ્રાણીઓ માટે ભોમિયો
(૧૧) ઉવવાઈ સૂત્ર - આ સૂત્રને સંસ્કૃતમાં ઔપપાતિક સૂત્ર કહે છે. આ સૂત્રમાં બે ભાગ છે. (૧)સમવસરણ (ર)ઉપપાત.
પ્રથમ વિભાગમાં પ્રભુ મહાવીરના ગુણોનું, દેહનું, ચંપા નગરીનું, કોણિક રાજાનું, ધારિણી રાણીનું, અંબડ પરિવ્રાજકનું વર્ણન છે. બીજા ઉપપાત વિભાગમાં અંબડ પરિવ્રાજક અને તેના ૭૦૦ શિષ્યોના કથાનકો છે. આ સૂત્રમાં જૈનમુનિઓના ત્યાગમય જીવનનું વર્ણન છે. (૧૨) શ્રી રાયપાસેણીય સૂત્રઃ- શ્રમણ કેશિકુમાર-ગણધારી એ પ્રદેશી રાજાને જે ઉત્તરો આપ્યા તેનું વર્ણન છે. આ આગમનું મુખ્ય પાત્ર પ્રદેશી રાજા છે. સૂત્રકારે ચિત્તસારથિ, પ્રદેશ રાજા, કેશીકુમાર શ્રમણ આ ત્રણ પાત્રની આસપાસ જ આગમ કથાની રચના કરી છે. આ સૂત્ર નવલકથા જેવું છે. આ સૂત્રની ર૦૭૮ ગાથા છે. (૧૩) શ્રી જંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિ - આ પણ જ્ઞાતા ધર્મકથાનું ઉપાંગ છે. ભૂગોળ સંબંધી વર્ણન છે. તેમાં નાભિકુલકર ઋષભદેવ તીર્થકર, ભરત ચક્રવર્તીની કથાઓનું વિવરણ
(૧૪) શ્રીનિરયાવલિકા સૂત્રઃ- આ આઠમું ઉપાંગ ભદ્રબાહુના સમયની પહેલા રચાયું હોવાનું મનાય છે. આ આગમ ધર્મકથાનુયોગની શૈલીનું છે. કર્મની વિચિત્રતા માટે સામ્રાજ્યના સમ્રાટ રાગકેસરી રાજાના કેદી થયેલા, દ્વેષી યુવરાજના હાથથી બંધાયેલા બાવન આત્મામાંથી કેટલાક આત્માઓનું રોમાંચક કથાનક સ્વયં
13
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રીમુખેથી કહે છે.
આમાં રાજા શ્રેણિક, રાણી ચેલ્લણા, રાજકુમાર કૂણિકની કથા વિસ્તારપૂર્વક
છે.
(૧૫) શ્રી કષ્પવડિસિયા - આ આગમ સ્થવિર ભગવંતો દ્વારા ભદ્રબાહુના સમય પહેલા રચાયો હશે એમ અનુમાન થાય છે. આ અર્ધમાર્ગધી ભાષામાં છે. શ્રેણિક રાજાના કાલકુમાર-સુકાલકુમાર આદિ દસ પુત્રોના કથાવર્ણન છે. (૧૬) શ્રી પુફિયા/પુષ્પિકા સૂત્ર:- આ આગમ ગદ્યશૈલીમાં છે. તેમાં ચંદ્ર, સૂર્ય, શુક, બહુપુત્રિક, પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શિવ, બલ, અનાદર એ દસે જીવો પૂર્વભવમાં ભગવાન પાર્શ્વનાથના શાસનમાં ધર્મનો બોધ પામ્યા હતા. તેમના વિશે ગૌતમ સ્વામી-મહાવીર સ્વામીને પૂછે છે અને મહાવીર પ્રભુ તેમના પૂર્વભવોનું કથન કરે છે. (૧૭) શ્રી પુષ્કચૂલિયા-પુષ્પચૂલિકા સૂત્ર:- આ ગ્રંથમાં પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં “પૂષ્પચૂલા” નામની પ્રવર્તિની સાધ્વીજી પાસે દીક્ષિત દસ સ્ત્રીઓનું કથાનક છે. આ ઉપાંગના દસ અધ્યયન છે. જેનાં નામ આ પ્રમાણે છે. (૧)શ્રીદેવી (૨)હીદેવી (૩)વૃતિદેવી (૪)કીર્તિદેવી (૫)બુધ્ધિદેવી (૬)લક્ષ્મીદેવી (૭) ઈલાદેવી (૮)સુરાદેવી (૯)રસદેવી (૧૦)ગંધદેવી. (૧૮) શ્રીવન્ડિદશા-વૃષ્ણિદશા સૂત્ર:- આ આગમ બારમું ઉપાંગ છે. તેમા ૧૨ અધ્યયન છે. (૧)નિષધ કુમાર (ર)માતલીકુમાર (૩)વહકુમાર (૪)વહેકુમાર (૫)પ્રગતિકુમાર (૬)જ્યોતિકુમાર (૭)દશરથકુમાર (૮)દેઢથકુમાર (૯)મહાધનકુમાર (૧૦)સપ્તધનકુમાર (૧૧)દશધન કુમાર (૧૨)શતધનકુમાર. (૧૯) સંસ્મારક પ્રકીર્ણક - આ આગમ અંતિમ આરાધનાને અનુલક્ષે છે. આ ગ્રંથમાં સંથારો ધારણ કરનારા મહાપુરુષોના સ્મરણ કરવામાં આવ્યા છે. અર્ણિકા પુત્રાચાર્ય, સુકોસલમુનિ, અવંતી સુકુમાલ, ચાણક્ય, કાંકદી નગરીના અભયઘોષરામ આદિ.
ચિલાતી પુત્ર, ગજસુકુમાલ આદિ મહાપુરુષોએ ઉપસર્ગમાં ધારણ કરેલી અપૂર્વ સમતાની અને અંતકાલીન આરાધનાનો મહિમા કર્યો છે. (૨૦) મરણસમાધિ પ્રકીર્ણક - આ આગમમાં મરણ સમાધિની વિસ્તૃત ચર્ચા છે. સમાધિ મરણને અનેક વિપત્તિઓ અને પીડા વચ્ચે સિધ્ધ કરનારા મહાપુરુષોના દૃષ્ટાંતો દર્શાવ્યા છે. જેમકે સનતકુમારચક્રવર્તી, મેતાર્યમુનિ, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ, અવંતિસુકુમાલ, અરણિકમુનિ, અંધકમુનિના શિષ્યો, સુકોસલમુનિ, ઈલાચીપુત્ર, સમભાવને સિધ્ધ કરનારા દમદંત મહર્ષિનું દષ્ટાંત છે. જ્યાં સુધી દીપકની
Page #39
--------------------------------------------------------------------------
________________
જ્યોત રહેશે ત્યાં સુધી કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેવાનો અભિગ્રહ કરનારા ચંદ્રાવતંસક રાજાનું દૃષ્ટાંત છે.
ધન્ના-શાલિભ કાયાનું મમત્વ વિસારી, ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન કરી અંતે એક માસનું અનશન કરી શિલાનો સંથારો કર્યો.
દંશમસક પરિષહ સંદર્ભે સમણભદ્રઋષિની કથા છે. (૨૧) શ્રી નિશીથ સૂત્ર:- નિશીથસૂત્ર મહત્તર શ્રી વિશાખગણિએ લખ્યું હતું. આ સૂત્ર ઉપર જે ચૂર્ણ લખાઈ તેમાં કાલિકાચાર્યની કથા છે. (૨૨) શ્રી દશાશ્રુતસ્કંધ - નવમા પૂર્વમાંથી ભદ્રબાહુ સ્વામીએ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રની રચના કરી હતી. તેમાં આઠમા પર્યુષણાકલ્પ નામના અધ્યયનમાં પ્રભુ મહાવીર દેવાદિના જીવન ચરિત્રનું વર્ણન આવે છે. દ્વાદશાંગી પરિચય - તીર્થકરોના ઉપદેશાનુસાર ગણધરો જે ગ્રંથની રચના કરે છે તે દ્વાદશાંગી-અંગ પ્રવિષ્ટ સૂત્ર છે. આ અંગસૂત્રને આધારે સ્થવિર મુનિઓ જે શાસ્ત્રની રચના કરે છે. તે અંગબાહ્ય શ્રુત છે. દ્વાદશાંગીમાં (૧)શ્રી આચારાંગ (૨)શ્રીસૂત્રકૃતાંગ (૩)શ્રી ઠાણાંગ (૪)શ્રી સમવાયાંગ (૫)શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિસૂત્ર (૬)શ્રી જ્ઞાતાધર્મ કથા (૭)શ્રી ઉપાસકદશાંગ સૂત્ર (૮)શ્રીઅંતકૃતદશાંગ સૂત્ર (૯)શ્રી અનુત્તરોપપાતિકદશા સૂત્ર (૧૦)શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧)શ્રી વિપાકસૂત્ર (૧૨)શ્રી દષ્ટિવાદસૂત્ર આદિનો સમાવેશ થાય છે. આમાંથી ૪ થી ૮ સૂત્રોમાં કથાનકો આવે છે. (૨૩) શ્રી ઉતરાધ્યયન સૂત્રઃ- આ બીજું મૂળસૂત્ર છે. અંતિમદેશના, અપૃષ્ટ વ્યાકરણ એવા શાસ્ત્રરૂપે આ સૂત્રની ગણના થઈ છે. આ સૂત્રનાં ૩૬ અધ્યયન છે. ર૦૦૦ ગાથા છે. આ સૂત્રમાં ગદ્ય-પદ્ય મિશ્ર છે. • ૮મા કાપિલિય અધ્યયનમાં કપિલકેવલીના દૃષ્ટાંતથી સાધકને નિર્લોભ થવા
ફરમાવ્યું છે. • ૯મા નમિ પ્રવજ્યા અધ્યયનમાં ઈંદ્ર અને પ્રવજ્યા માટે પ્રયાણ કરતા
નમિરાજર્ષિનો સંવાદ છે. • ૧રમાં હરિકેશીય અધ્યયનમાં ચાંડાલ જાતિમાં જન્મેલ હરિકેશીમુનિના જીવન
દ્વારા કર્મથી જાતિ નક્કી થાય છે જન્મથી નહિ એ સમજાવી ત્યાગ અને તપનો મહિમા દર્શાવ્યો છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
• ૧૩મા ચિત્રસંભૂત અધ્યયનમાં ચિત્ર અને સંભૂતિ બે ભાઈઓના છ ભવનું
વર્ણન છે. બંને મુનિવરોમાંથી સંભૂતિમુનિએ તપનું નિયાણ કર્યું જ્યારે ચિત્રમુનિએ નિર્દોષ ચારિત્ર પાળ્યું. આથી સંભૂતિ ૭મી નરકે ગયા અને ચિત્રમુનિ મોક્ષે ગયા. (૩૫ ગાથા છે) • ૧૪મું ઇષકારીય અધ્યયન - આ અધ્યયનમાં ઇષકાર નગરના છ જીવો
મોક્ષગામી જીવો- ભૃગુપુરોહિત, તેની સ્ત્રી, તેમના બે પુત્રો, ઇષકાર રાજા, કમલાવતી રાણીની દીક્ષાનું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું વર્ણન છે. પિતા-પુત્ર
અને પતિ-પત્નિ વચ્ચેનો સંવાદ નોંધપાત્ર છે. • ૧૮મું સંજય અધ્યયન -રાજર્ષિ સંજયની દીક્ષાનું ૫૪ગાથામાં વર્ણન છે.
જેમણે સાધુધર્મમાં દીક્ષિત થઇને મુક્તિ પ્રાપ્ત કરી હતી તેવા રાજાઓનું વર્ણન છે. સંયતિરાજા અને ક્ષત્રિય રાજર્ષિના સંવાદ ખૂબ નોંધપાત્ર છે. • ૧૯મું મૃગાપુત્રીય અધ્યયન - મહેલના ગોખમાં બેઠેલા મૃગાપુત્રે એક સંતને
જોઈ પોતે પણ આવું સાધુપણું પાળ્યું છે એવું જાતિય સ્મરણ જ્ઞાનથી જાણી, સંયમ લેવા માતા-પિતાની આજ્ઞા માંગી. આ સંવાદ ૯૯ ગાથામાં
• ર૦મું મહા નિર્ગથીય અધ્યયન - જેમાં ૬૦ ગાથા છે. અનાથી મુનિએ શ્રેણિક રાજાને, અનાથ-સનાથ ભેદ સમજાવી સધર્મના માર્ગે વાળ્યા અને
શ્રેણિકરાજા સમગ્ર પરિવાર સહિત ધર્મના રાગી બની ગયા તેનું વર્ણન છે. • ૨૧મું સમુદ્રપાલીય અધ્યયન - હવેલીની ગોખમાં બેસીને રસ્તા પર નજર
પડતાં, એક અપરાધીને ફાંસી ચડાવવવા લઈ જવાતો જોઈ વૈરાગ્ય ભાવ જાગ્યો તે હકીકત વર્ણન ર૪ ગાથામાં કર્યું છે. ચોરના નિમિત્તથી દીક્ષા લઇ, સિધ્ધપદ પામ્યાની કથા આકર્ષક છે, પ્રેરક છે. રરમું રહનેમિ-રથનેમિ અધ્યયન - પોતાના લગ્ન નિમિતે પશુઓનો વધ થશે એવું જાણીને નેમનાથે રથ પાછો વાળી લગ્ન ન કર્યા અને રાજુમતીને સંયમ માર્ગે વાળી નવભવની પ્રીત સાચવી. સાધુ રથનેમિ(સંસારી પક્ષે દીયર)ને અસંયમી જીવન કરતાં તો મૃત્યુ શ્રેષ્ઠ એવું કહી ફરીથી સંયમમાં સ્થિર કર્યાનું ૫૧ ગાથાનું આ અધ્યયન છે. ભગવાન અરિષ્ટનેમિ શ્રીકૃષ્ણ રાજીમતી અને રથનેમિ આદિનું ચરિત્ર અસરકારક છે. • ર૩મું કેશી ગૌતમીય અધ્યયન - ભગવાન પાર્શ્વનાથના શિષ્ય કેશી અને
ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ વચ્ચે ચાર મહાવ્રત અને પાંચ મહાવ્રત,
16
Page #41
--------------------------------------------------------------------------
________________
રંગીન વસ્ત્ર-સફેદ વસ્ત્ર આદિ વિષયો પરની ૮૯ ગાથામાં રજૂ થયેલી સંવાદચર્ચા નોંધપાત્ર છે. સમય અનુસાર બાહ્યાચારમાં પરિવર્તન થતું રહેશે પણ
સાધુના મૂળ ગુણો સદા સર્વથા એકસરખા જ હોય છે. ૪૫ આગમમાંથી ત્રેવીશ આગમોમાં દેખાંત કથાઓનો ઉલ્લેખ છે જેમ કે “આચારાંગ સૂત્ર”માં કાચબાના રૂપક દૃષ્ટાંત દ્વારા આત્માનો અનુભવ પ્રયોજ્યો છે. “સૂત્ર કૃતાંગમાં વિવિધ પાત્રોના સંવાદ છે. જેમ કે ગૌતમ સ્વામી અને ઉદકનો. આ ગ્રંથ ઐતિહાસિક તેમજ દાર્શનિક દૃષ્ટિએ મહત્ત્વનો છે. “સ્થાનાંગ સૂત્ર'ની ઉપમાઓ અને પ્રતીકો પરથી આમાં આવેલ કથાબીજ મળે છે. “સમવાયાંગ સૂત્ર”માં કુલકર, તીર્થકર જેવા ચરિત્ર તત્ત્વનો સમાવેશ થાય છે. “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ'માં મહાવીર સાથે વાર્તાલાપ કરનાર કેટલાક પુરુષો અને સ્ત્રીઓની કથા છે.
જ્ઞાતાધર્મ કથામાં સાડા ત્રણ કરોડ કથાઓ હોવાનો ઉલ્લેખ છે. તેમાંથી અત્યારે રરપ કથાઓ છે. આ ગ્રંથ કથાઓનો પ્રતિનિધિ ગ્રંથ છે. આ ગ્રંથ પશુઓની વાર્તા માટે પણ ઉગમ ગ્રંથ મનાય છે.
ઉપાસકદશા ગ્રંથમાં શ્રાવક ધર્મની વાતો મળે છે. અન્તકુદશામાં સંસારનો અંત કરનાર એવા વ્યકિતઓની કથા છે. જેમ કે ૮ વર્ષના અતિમુકતકુમાર, ૧૬ વર્ષના ગજસુકુમાલ આદિ. અનુતરો પપાતિક દશામાં તપ સાધના દ્વારા દેવલોક પ્રાપ્ત કરનારની કથા મળે છે. શ્રી વિપાકસૂત્રમાં પૂર્વભવની ચર્ચા છે. કથોપકથનની દૃષ્ટિએ આ ગ્રંથ વિશેષ સમૃધ્ધ છે. ઉવવાઇસૂત્રમાં જૈન મુનિઓના ત્યાગમય જીવનનું વર્ણન છે. શ્રી રાયપાસણીય સૂત્રમાં કેશિકુમાર-ગણધરે પ્રદેશી રાજાને જે ઉત્તર આપ્યા તેનું વર્ણન છે. આ ગ્રંથ નવલકથા જેવો છે. શ્રી અંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિમાં નાભિકુલકર,
ષભદેવ, ભરત આદિની કથાઓ છે. શ્રી નિરયાવલિકા સૂત્રમાં રાજા શ્રેણિક, ચલ્લણા, કોણિકની કથા વિસ્તાર પૂર્વક છે. શ્રી કષ્યવડિસિયામાં શ્રેણિકરાજાના કાલકુમાર સુકલકુમાર આદિ દસપુત્રોની કથા વર્ણન છે. શ્રી પુષ્ક્રિયા-પુષ્પિક સૂત્રમાં જે દસ જીવો પૂર્વભવમાં પાર્શ્વનાથના શાસનમાં ધર્મ બોધ પામ્યા હતા તેમના વિશે મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે. પુષ્કચૂલિયા સૂત્રમાં પુષ્પચૂલા સાધ્વી પાસે દીક્ષિત દસ સ્ત્રીઓનું કથાનક છે. શ્રી વન્ડિદશા સૂત્ર કથા પ્રધાન છે તેમા ૧ર અધ્યયન છે. સંસ્મારક પ્રકીર્ણમાં સંથારો ધારણ કરનાર મહાપુરુષોના વર્ણન છે. મરણ સમાધિ પ્રકીર્ણમાં મરણને અનેક વિપતિઓ અને પીડા વચ્ચે સિધ્ધ કરનાર મહાપુરુષોના દૃષ્ટાંતો છે. શ્રી નિશિથ સૂત્રમાં કલિકાચાર્યની કથા છે. દશાશ્રુતસ્કંધ ગ્રંથમાં આઠમા પર્યુષણ કલ્પ નામના અધ્યયનમાં પ્રભુ મહાવીરનું જીવન ચરિત્ર છે. શ્રી દશવૈકાલિક સૂત્રની રચના શયંભવ મહારાજે તેમના પુત્ર મનક માટે કરી.
17
Page #42
--------------------------------------------------------------------------
________________
સૂત્ર ચરણ કરણાનુયોગ પ્રધાન છે. પણ સૂત્રની રચના પાછળ કથા છે. ઉતરાધ્યયન સૂત્રમાં ૩૬ અધ્યયનમાંથી મોટા ભાગના કથા પ્રધાન છે.
જૈન કથા સાહિત્યનું સ્વરૂપઃ
ડૉ. પ્રહ્લાદ ગ. પટેલ જૈન રત્નચિંતામણીમાં કથાનું સ્વરૂપ વર્ણવતાં કહે છે કે, “જૈનોએ કથાનું વર્ગીકરણ કરવામાં આગવું દૃષ્ટિબિંદુ અપનાવ્યું છે. હેમચંદ્રાચાર્યે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ- આ તમામ ભાષાઓમાં કથાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. પરંતુ કથા માટે ગદ્ય-પદ્યના ભેદ સ્વીકાર્યા નથી. ભામહે અન્ય બાબતોમાં ન પડતાં ભાષા ભેદને જ કાવ્યભેદ ગણ્યા છે. આમ જો ભાષા ભેદનો વિચાર ન કરવામાં આવે તો અને સંસ્કૃત-પ્રાકૃત કથા સાહિત્યનું સહ અસ્તિત્વ સ્વીકારવામાં આવે તો ભારતીય કથા સાહિત્ય લગભગ બે હજાર વર્ષ જેટલું પ્રાચીન છે. બીજી રીતે જોઇએ તો સંસ્કૃતમાં અલંકાર શાસ્ત્ર જેવા લક્ષણગ્રંથો જોવા મળે છે. તેવા પ્રાકૃત સાહિત્યમાં જોવા મળતા નથી. પરિણામે પ્રાકૃત કથા સાહિત્યના સ્વરૂપ વિશે ચોક્કસ ખ્યાલ આવતો નથી. પરંતુ જૈન ધર્મ સાહિત્ય અને જૈન કથાઓમાં સ્વરૂપની દૃષ્ટિએ નહિ પણ આંતરિક વિષયવસ્તુ પર આધારિત કથા ભેદો જોવા મળે છે.’’
,10
‘દશવૈકાલિક નિર્યુકિત'માં કથાના ભેદોમાં અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા અને પુરુષાર્થ નિરૂપણના ભેદથી ચાર ભેદ પાડયા છે. આ કથા ભેદોને હરિભદ્રાચાર્યે પણ ‘સમરાઇઅકહા’માં સ્વીકાર્યા છે. ઉદ્યોતનસૂરિએ ‘કુવલયમાલા’ને ‘સંકીર્ણકથા’ કહીને કથાના પાંચ પ્રભેદો નોંધ્યા છે. જેવા કે સકલકથા, ખંડકથા, ઉલ્લાપકથા પરિહાસકથા અને સંકીર્ણકથા. સિધ્ધર્ષિએ ‘ઉપમિતિભવપ્રપંચકથા’ને ધર્મ, અર્થ, કામ ત્રણેના મિશ્રરૂપવાળી સંકીર્ણ કથાના પ્રકારમાં ગણાવી છે. કથા વિકથાઓની વિચારણા માત્ર આગમગ્રંથોમાં જ નહિ પરંતુ પુરાણો જેવા સાહિત્યિક પ્રકારોમાં પણ છેક સોળમી સદી સુધી ઉતરતી આવી છે. વિ.સં.૧૯૦૮માં શુભચંદ્ર ગણિએ ‘પાંડવ પુરાણ'ના પ્રથમ સર્ગમાં સત્કથા-વિકથાની ચર્ચા કરી છે. હેમચંદ્રાચાર્યે કથા, આખ્યાયિકા, ઉપરતિ, ઉપાખ્યાન, આખ્યાન, નિર્દેશન, પ્રવહિલણ, મતમલ્લિકા, મણિક્લ્યા, પરિકથા, ખંડકથા, સકલ કથા, ઉપકથા, બૃહત્ કથા વગેરે ભેદો તેમના ‘કાવ્યાનુશાસન'માં નોંધ્યા છે. આનંદવર્ધને પણ ‘ધ્વન્યાલોક'માં કાવ્ય પ્રભેદોનું વર્ગીકરણ આપતા મુક્તક, સંક્રાનિતક, વિશેષક, કલાપક, કુલક, પર્યાયબંધ, પરિકથા, સકલકથા, ખંડકાવ્ય, સર્ગબધ્ધ, અભિનેય(નાટક) આખ્યાયિકા, કથા, ચંપૂ જેવા અનેક પ્રકારો પાડ્યા છે. ‘બૃહત્ કથાકોશ'માં પણ વર્ણ વિષય અને શૈલીની વિશેષતા-એ બે તત્ત્વોને આધારે ડૉ.આ.ને.ઉપાધ્યાયે સમગ્ર જૈન કથા સાહિત્યના પાંચ વિભાગ પાડયા છે.
18
Page #43
--------------------------------------------------------------------------
________________
(૧) પ્રબંધ પધ્ધતિ-જેમાં શલાકા પુરુષોના ચરિત્રો (ર) તીર્થકરો યા શલાકા પુરુષોમાંથી એક વ્યકિતનું વિસ્તૃત વર્ણન (૩) રંગદર્શી-રોમેન્ટિક ધર્મ કથાઓ (૪) અર્ધ ઐતિહાસિક ધર્મ કથાઓ (૫) ઉપદેશપ્રદ કથાઓનો સંગ્રહ-કથાકોશ.
આમ, ઉદ્યોતનસૂરિ, હરિભદ્રસૂરિ આ ઉપરાંત આગમ ગ્રંથો અને પુરાણો આદિમાં કથાની સ્વરૂપ ચર્ચા એક પરંપરાના રૂપમાં ઉતરી આવી છે.
ડૉ.નેમીચંદ્ર શાસ્ત્રીએ પ્રાકૃત કથાઓના ભેદો, લક્ષણો ઉપર વિસ્તૃત ચર્ચા કરી છે. સંસ્કૃત કથા “કાદંબરીમાં પણ કવિ બાણે સુંદર કથાને નવવધૂની ઉપમા આપી છે. આ જ રીતે જોતા વિકથાઓના વર્ણનના મૂળમાં ડૉ.જગદીશચંદ્ર જૈનનું મંતવ્ય નોંધપાત્ર છે. તેમનું મંતવ્ય છે. કે “કાલાન્તરે ધીમે ધીમે બૌધ્ધ શ્રમણો અયોગ્ય કથા તરફ આકર્ષિત થવા લાગ્યા પરિણામે આચાર્યોએ વિકથાઓ ત્યજવાનો આદેશ આપવો શરૂ કર્યો. ઉપમિતિ ભવપ્રપંચકથાનાં કામ-આસક્ત જીવોને ધર્મકથા તરફ વાળવા કામકથાનું નિરૂપણ ઉપયોગી માન્યું છે. વસુદેવ હિડીકારે પણ આ નિરૂપણ જરૂરી માન્યું છે.'
ડૉ.વાસુદેવ શરણનું વર્ગીકરણ પણ વિચારણીય છે. “દીર્ઘનિકાય'ના બ્રહ્મજાલસુતમાં એક સ્થળે કથાઓનું વર્ગીકરણ થયેલું છે તે આ પ્રમાણે છે. (૧)રાજકથા (૨)ચોરકથા (૩)મહાઅમાત્યકથા (૪)સેનાકથા (૫)ભવ્યકથા (૬)યુધ્ધકથા (૭)અન્નકથા (૮)પાનકથા (૯)વસ્ત્રકથા (૧૦)શયનકથા (૧૧)માલાકથા (૧૨)ગંધકથા (૧૩)જ્ઞાતિકથા (૧૪)યાનકથા (૧૫)ગ્રામકથા (૧૬)નિગમકથા (૧૭) નગરકથા (૧૮)જનપદકથા (૧૯)સ્ત્રીકથા (૨૦)પુરુષકથા (૨૧)શૂરકથા (૨૨)વિશિખાકથા (૨૩)કુંભસ્થાનકથા (ર૪)લોકાખ્યાયિકા (રપ)સમુદ્રાખ્યાયિકાઓ વગેરે.
આમ, જૈનસાહિત્યમાં સંસ્કૃત-પ્રાકૃત બંને ભાષાઓની કથાઓ ઉપર સ્વરૂપની દૃષ્ટિએ જોવા મળતું વિશાળ વૈવિધ્ય અને સૂક્ષ્મતા નોંધપાત્ર છે. કાળની દષ્ટિએ કથા સાહિત્યનું વિભાજન કરતા વિદ્વાન ડૉ. સાગરમલ જેન કહે છે કે, “જૈન કથા સાહિત્ય ઇ.સ.પૂ.છઠ્ઠી શતાબ્દીથી લઈને આધુનિક કાળ સુધી રચાયું છે. આમ, જૈન કથા સાહિત્યની રચના કાળ લગભગ સત્યાવીશો વર્ષના ગાળાનો છે. આટલા દીર્ઘકાળમાં વિપુલ માત્રામાં જૈન આચાર્યોએ કથા સાહિત્યની રચના કરી છે.' કાળક્રમે વિભાજનની દષ્ટિએ તેને નીચેના કાળખંડમાં વિભાજિત કરાય છે.”
19
Page #44
--------------------------------------------------------------------------
________________
(૧) આગમયુગ:- ઇ.સ.પૂ. છઠ્ઠી શતાબ્દીથી ઇશુની પાંચવી શતાબ્દી સુધી. (૨) પ્રાકૃત આગમિક વ્યાખ્યાયુગ:- ઇશુની બીજી શતાબ્દીથી ઇશુની નવમી શતાબ્દી સુધી. (૩) સંસ્કૃત ટીકા યુગ:- ઇશુની નવમી સદીથી ૧૪મી સદી સુધી (૪) ઉત્તર મધ્યયુગ:- ઇશુની ૧૪મી સદીથી ૧૮મી સદી સુધી (૫) આધુનિક યુગ:- ઇશુની ૧૯મી સદીથી વર્તમાન સુધી આ પાંચ કાલખંડોના નામકરણ આ પ્રમાણે પણ કરાય (૧)પૂર્વ પ્રાચીનકાળ (ર)ઉત્તર પ્રાચીનકાળ (૩)પૂર્વ મધ્યકાળ (૪)ઉત્તર મધ્યકાળ (૫)આધુનિક કાળ.
પ્રથમ કાલખંડમાં મુખ્યત્વે અર્ધમાગધી પ્રાચીન આગમોની કથાઓ આવે. આ કથાઓ સંક્ષિપ્ત અને રૂપકના રૂપમાં લખાઇ છે. જેમકે “આચારાંગ’માં શેવાળ છિદ્ર અને કાચબાએ કરેલ ચાંદની દર્શનના રૂપક દ્વારા ધર્મ અને મનુષ્ય જીવનની દુર્લભતાનો સંકેત છે. “સૂત્રતાંગમાં શ્વેતકમળના રૂપકથી અનાસક્ત વ્યક્તિ દ્વારા મોક્ષની ઉપલબ્ધિનો સંકેત છે. “સ્થાનાંગ સૂત્રમાં વૃક્ષો, ફળો આદિ વિવિધ રૂપકો દ્વારા માનવ વ્યક્તિત્વના વિભિન્ન પ્રકારોને સમજાવ્યા છે. “સમવાયાંગના પરિશિષ્ટમાં ર૪ તીર્થકરોના કથાસૂત્રોનો નિર્દેશ કર્યો છે. “ભગવતી’માં અનેક સંવાદોના માધ્યમથી દાર્શનિક સમસ્યાઓનું નિરાકરણ છે. કલ્પસૂત્ર અને આ ગ્રંથોની ટીકાઓની સાથે તુલનાત્મક અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે મહાવીરના જીવનના કથાનકોમાં અતિશયોનો પ્રવેશ કેવી રીતે થયો. જ્ઞાતાધર્મની કથાઓ અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમાં મેઘકુમાર નામના પ્રથમ અધ્યયનમાં હાથીના પૂર્વભવના કષ્ટોની અપેક્ષાએ વર્તમાન મુનિજીવનના કષ્ટ અલ્પ છે એમ સમજાવ્યું છે. બીજા અધ્યયનમાં ધન્નાશેઠ દ્વારા વિજય ચોરને આપેલા સહયોગના માધ્યમથી અપવાદમાં અકરણીય કરણીય થાય છે એવું સમજાયું છે. મોરના ઈંડાના રૂપ ઉપરથી અશ્રધ્ધા અને શ્રધ્ધાના પરિણામ સમજાવ્યા છે. મલ્લીના કથાનકમાં સ્વર્ણ પ્રતિમાના માધ્યમથી શરીરની અશુચિને સમજાવ્યું છે. કાચબાના કથાનકના માધ્યમથી સંયમી જીવનની સુરક્ષાનું મહત્ત્વ બતાવ્યું છે. “ઉપાસક દશામાં શ્રાવકોની કથાઓના માધ્યમથી શ્રાવકાચારને સ્પષ્ટ કર્યું છે. સાથે સાધનાના ક્ષેત્રમાં ઉપસર્ગોમાં અવિચલિત રહેવાનો સંકેત છે. અંતકૃત દશા”, “પપાતિક દશા’, ‘વિપાક દશા”માં સાધનાના સ્વરૂપ અને એના સુપરિણામો અને દુરાચારના દુષ્પરિણામોને સમજાવ્યું છે. ઉપાંગસાહિત્યમાં રાયપ્પણીય સૂત્રમાં અનેક રૂપકોના માધ્યમથી આત્માના અસ્તિત્વને સિધ્ધ કર્યું છે.
20
Page #45
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારે ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરેમાં ઉપદેશપ્રદ કેટલાક કથાનક છે. નંદીસૂત્રમાં ઔત્પાતિકી બુધ્ધિની ૧૪ અને અન્ય ર૬ એટલે કુલ ૪૦ કથાઓ, વૈયિકી બુધ્ધિની ૧૫ કર્મજબુધ્ધિની ૧ર અને પરિણામિકી બુદ્ધિની ર૧ કથાઓ. આમ કુલ ૮૮ કથાઓના નામ સંકેત છે.
આમ, આગમોમાં જે જીવનગાથાનું વર્ણન છે તેમાં સાધનાના વિભાગને વધારે સારી રીતે વર્ણવ્યું છે જેથી તેમાંથી પ્રેરણા લઈ શકાય.
આગમ પછીનો બીજો યુગ આગમિક વ્યાખ્યાઓનો યુગ છે. આ યુગને “ઉત્તર પ્રાચીનકાળ” પણ કહી શકાય. આ કાળમાં વિમલસૂરિનું “પઉમચરિયું', સંઘદાસગણિની “વસુદેવ હિડી” અને અનુપલબ્ધ ‘તરંગવાઈ પ્રમુખ છે. આ ઉપરાંત વરાંગચરિત્ર પણ ઉલ્લેખનીય છે. આ કાળમાં પ્રાકૃત આગમિક વ્યાખ્યાઓના રૂપમાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ સાહિત્ય લખાયું છે જેમાં અનેક કથાઓ છે. આ કાળના કથા સાહિત્યની વિશેષતા એ છે કે અન્ય પરંપરાઓની કથા વસ્તુને લઈને એનું વર્ણન કર્યું
જૈન કથા સાહિત્યના કાળખંડોમાં ત્રીજો કાળ આગમોની સંસ્કૃત ટીકાઓ તથા જૈન પુરાણોનો રચનાકાળ છે. જૈન કથા સાહિત્યની રચનાની અપેક્ષાએ આ કાળ સૌથી વધારે સમૃધ્ધ કાળ છે. આ કાળમાં શ્વેતામ્બર, દિગમ્બર અને યાપનીય ત્રણેય પરંપરાના આચાર્યો અને મુનિઓએ વિપુલ માત્રામાં કથા સાહિત્યની વિવિધ રચના કરી છે. દિગબંર પરંપરાના આદિ પુરાણ, ઉત્તરપુરાણ, રવિણનું પદ્મચરિત્ર, હરિવંશપુરાણ વગેરે આ કાળખંડની રચના છે. શ્વેતામ્બર પરંપરામાં હરિભદ્રની સમરાઈચ કહા, કૌતૂહલ કવિની લીલાવતી કથા, ઉદ્યોતન સૂરિની કુવલયમાલા, શીલાંકનું ઉપન્ન મહાપુરુષચરિયું, ધનેશ્વરસૂરિનું સુરસુંદરી ચરિત્ર, હેમચંદ્રનું ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર, જિનચંદ્રની સંવેગરંગશાળા, ગુણચંદ્રનું મહાવીર ચરિયું તથા પાસનાહચરિયું, દેવભદ્રનું પાંડવપુરાણ આદિ અનેક રચનાઓ છે. આ કાળખંડમાં તીર્થકરોના ચરિત્ર કથાનકો લઈને પ્રાકૃત અને સંસ્કૃતમાં અનેક ગ્રંથ લખાયા છે. લગભગ આવી રચનાઓ શતાધિક હશે. આ કાળમાં એક કથામાં અનેક અવાન્તર કથાઓનો સમાવેશ થયો છે. આ કાળની સંસ્કૃત ટીકાઓમાં પણ અનેક કથાઓ સમાયેલી છે. આવશ્યક નિર્યુક્તિમાં લગભગ ૨૦૦થી વધારે કથાઓ નિર્દેશ માત્ર છે. જેનું એની ટીકામાં વિસ્તારથી વર્ણન છે. હરિભદ્રની દશવૈકાલિક ટીકામાં ૩૦ અને ઉપદેશ પદમાં ૭૦ કથાઓ છે. સંવેગરંગશાળામાં ૧૦૦થી વધારે કથાઓ છે. પિંડનિર્યુક્તિ અને એની મલયગિરિ ટીકામાં લગભગ ૧૦૦ કથાઓ છે. આમ, આ કાળખંડમાં મૂળ ગ્રંથો અને એની ટીકાઓમાં અવાન્તર કથાઓ સંકલિત છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
કથાઓના સંકલન કરીને અનેક સ્વતંત્ર રચનાઓ પણ જૈન ધર્મના મુનિઓએ કરી છે. જેમ કે હરિષણનો ‘બ્રહદ્ કથાકોશ” જિનેશ્વરસૂરિનો “કથા-કોષ પ્રકરણ', દેવભદ્રસૂરિનો “કથાર–કોષ', નેમિચંદ્રસૂરિનો “આખ્યાન-મણિકોશ” વગેરે. આ સિવાય પ્રભાવક ચરિત્ર, પ્રબન્ધકોશ, પ્રબંધચિંતામણિ વગેરે અર્ધ ઐતિહાસિક કથાઓના સંગ્રહરૂપ છે. આ ઉપરાંત તીર્થોની ઉત્પતિ કથાઓ અને પર્વકથાઓ પણ લખાતી હતી. પર્વ કથાઓમાં મહેશ્વરસૂરિની “નાણપંચમી કહા” તથા જિનપ્રભના વિવિધ તીર્થકલ્પ પ્રસિધ્ધ છે. લગભગ દસમી સદીમાં સારાવલી પ્રકીર્ણકમાં શંત્રુજય તીર્થની કથા વર્ણિત છે.
ત્રીજો કાળ પૂર્વ મધ્યકાલ. જેમાં કથાઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં લખાઈ. આજ કથાઓ ઉત્તર મધ્યકાલ અર્થાત ઇશુની ૧૬મી સદીથી ૧૮મી સદી સુધીમાં મારુગુર્જરની કથા લેખનના માધ્યમ બની છે. અધિકાંશ તીર્થ મહાભ્ય વિષયક કથાઓ, વ્રત, પર્વ અને પૂજા વિષયક કથાઓ આજ કાળખંડમાં લખાઈ છે. આ કથાઓમાં ચમત્કારોની ચર્ચા અધિક છે. અર્ધ ઐતિહાસિક અને ઐતિહાસિક રાસ પણ આ કાલખંડમાં લખાયા છે. આના પછી આધુનિક કાળ આવે છે, જેનો પ્રારંભ ૧૯મી સદીનો માનવામાં આવે છે. આ કાળમાં મુખ્યત્વે હિંદી, ગુજરાતી, મરાઠી, બાંગલા આદિ ભાષામાં રચિત કથા સાહિત્ય છે. જેન કથા શિલ્પની પ્રમુખ વિશેષતા તો નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની સ્થાપના જ રહી છે.
જેન આચાર્યોએ કથાઓ તો લખી પણ એમની દષ્ટિ વિકથાથી બચવાની જ રહી છે. દશવૈકાલિક સૂત્રમાં કથાના ત્રણ વર્ગ બતાવ્યા છે. અકથા, કથા અને વિકથા. દશવૈકાલિકમાં ધર્મકથાના પણ ચાર-ચાર ઉપભેદ કર્યા છે. આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગિણી અને નિર્વેદની. -પાપમાર્ગના દોષોના ઉભાવન કરી ધર્મના ગુણોની સ્થાપના કરવી એ આક્ષેપણી કથા છે. -અધર્મના દોષો દેખાડી એનું ખંડન કરવું એ વિક્ષેપણી કથા છે. -વૈરાગ્ય વર્ધક કથાઓ સંવેગિણી કથા છે. -જ્યારે જે કથાથી સમાધિભાવ અને આત્મશાંતિ મળે અથવા નિર્વિકલ્પ દશામાં લઈ જાય એ નિર્વેદની કથા છે. આ ચારેય કથાના ચાર-ચાર ભેદ કર્યા છે. આક્ષેપની- આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ, દષ્ટિવાદ,
22
Page #47
--------------------------------------------------------------------------
________________
વિક્ષેપની- (૧) સ્વમતની સ્થાપનામાં પરમત કથન કરવું.
(ર) પરમતનું પહેલા નિરુપણ કરી સ્વમતનું પોષણ કરવું. (૩) મિથ્યાત્વનું સ્વરૂપ બતાવી સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવવું.
(૪) સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવી મિથ્યાત્વનું સ્વરૂપ બતાવવું. સંવેગિની- શરીરની અશુચિતા, સંસારની દુઃખમયતા આદિ બતાવી વૈરાગ્યની તરફ સન્મુખ થવું નિર્વેદની- આત્મિકગુણોનું વર્ણન કરી વ્યકિતમાં જ્ઞાતાદ્રષ્ટા ભાવ અથવા સાક્ષી ભાવ ઉત્પન્ન કરવો.
આમ, જૈન કથા સાહિત્ય બહુ-ઉદેશ્યો, બહુ વ્યાપક અને વિસ્તૃત, બહુભાષી થઈને મુખ્યતઃ ઉપદેશાત્મક અને આધ્યાત્મિક રહ્યું છે. એનો મુખ્ય ઉદેશ નિવૃતિમાર્ગનું પોષણ કરવાનો છે.
આ ઉપરથી કહી શકાય કે જેન કથા સાહિત્યની રચના કાળ લગભગ સત્યાવીશો વર્ષનો ગાળાનો છે. આટલા દીર્ઘ કાળમાં અનેક આચાર્યોએ કથા સાહિત્યની રચના કરી. સૌ પ્રથમ આગમકાળમાં ત્યારબાદ આગમિક પછી સંસ્કૃત ટીકા અને જેન પુરાણ (જૈનકથા સાહિત્યનો સૌથી વધારે સમૃધ્ધ કાળ) ત્યારબાદ ઉત્તર મધ્યકાળ ત્યારબાદ આધુનિક કાળમાં કથા સાહિત્ય વિકસતું રહ્યું. જેન કથા સાહિત્યના પ્રકારો:જૈન સાહિત્યના સ્વાધ્યાયમાં ડૉ.કવિન શાહ કથાના પ્રકારોના વર્ણવતા કહે છે કે,
“સંસ્કૃત ભાષાના “કથ' ધાતુ પરથી કથા એટલે જે કહેવામાં આવી છે અને પછી તેને ગ્રંથસ્થ કરવામાં આવી છે તે “કથા' એમ તે સ્પષ્ટ અર્થ થાય છે. કથા સાહિત્યના પ્રકાર વિષે નીચે પ્રમાણે વિગતો પ્રાપ્ત થાય છે. કથાના ત્રણ પ્રકાર છે. અર્થકથા, ધમ્મકથા, કામકથા ઠાણાંગ ૮,૬,૩,સુત ર૮રમાં કથાના ચાર ભેદ દર્શાવ્યા છે તે નીચે પ્રમાણે જાણવા અર્થકથા, ધર્મકથા, કામકથા, સંકીર્ણકથા." “સ્થાનાંગસૂત્ર'માં કથાના ત્રણ પ્રકારો છે. (૧) અર્થકથા (૨) ધર્મકથા (૩) કામકથા. અર્થકથા - માનવજીવનમાં ધનસંપતિની આવશ્યકતા છે. આ અર્થ વિશે નિરૂપણ કરતી કથાને અર્થકથા કહેવામાં આવે છે. દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે વિદ્યા, શિલ્પ, વિવિધ ઉપાય, સાહસ, દાક્ષિણ્ય, સંચય, સામ, દામ, દંડ, ભેદ તથા અર્થની
23.
Page #48
--------------------------------------------------------------------------
________________
સિધ્ધિ દર્શાવનારી અર્થકથા છે. આચાર્ય હરિભદ્રસૂરિએ અસિ, સિ, કૃષિ, વાણિજ્ય, શિલ્પ, ધાતુ અને અર્થોપાર્જન હેતુ સામ, દામ, દંડ, ભેદ વગેરેથી યુક્ત અર્થકથા ગણાવી છે.
કામકથાઃ- આ કથામાં રૂપ-સૌંદર્ય યુક્ત પાત્ર-પ્રસંગનું નિરૂપણ મહત્ત્વનું ગણાય છે. દાક્ષિણ્યતા, યૌનસંબંધ, મોહ, વિવાહ, ભોગ, સુખ, વેશભૂષા, કલાની શિક્ષા, દુર્જન, સંસ્કારી સજ્જનો વગેરે વિષયોને સ્પર્શે છે.
ધર્મકથાઃ- આ કથામાં ધર્મને લગતા વિવિધ વિષયો જેવા કે દાન, શીલ, તપ, ભાવ, સંયમ, પુણ્ય, પાપ, અધર્મ, જીવનમાં શુભાશુભ કર્મનો પ્રભાવ, મનુષ્યની પ્રકૃતિ, જીવનની સફળતા-નિષ્ફળતા અને આરાધના માહિતી કેન્દ્રસ્થાને છે. જિનદાસગણિએ મનુષ્યની સર્વ શક્તિ-અહિંસાના સિધ્ધાંતોનું નિરૂપણ કરતી કથાને ધર્મકથા ગણાવી છે.
આચાર્ય હરિભદ્રસૂરિએ દશધર્મ યુક્ત(યતિધર્મ) અને અણુવ્રતો વાળી ધર્મ કથા કહી છે. મહાકવિ પુણ્યન્તે અભ્યુદય અને નિઃશ્રેયસની સંસિધ્ધિ અને સદ્ધર્મની પ્રરૂપણા કરતી ધર્મકથા ગણાવી છે.
જિનસેનાચાર્યે ‘મહાપુરાણ’માં કથાના ભેદમાં કહ્યું છે કે ધર્મ, અર્થ તથા કામનું કથન એ ‘કથા’ છે. જેમાં ધર્મનું વિશેષ નિરૂપણ કરવામાં આવે તેને ‘સત્યકથા’ કહે
છે.
સકીર્ણ કથાઓમાં મુખ્યત્વે વીર પુરુષોના પરાક્રમ, શૌર્ય, વેપાર, શ્રેષ્ઠિઓની સાહસિકતા, સમુદ્રયાત્રા, દાન, શીલ-તપ-ક્રોધ માન, માયા, લોભ આદિ ચાર કષાય માનવ સ્વભાવની વૃતિઓ અને દુરાચાર વગેરેનો ઉલ્લેખ થયેલો છે એટલે આ કથા મિશ્રિત-મિશ્રણ એમ કહેવાય છે.
આચાર્ય હરિભદ્રસૂરિ લૌકિ અને ધર્મ હેતુ સાથે રચાયેલી કથાને મિશ્રકથા કહી છે. મિશ્રકથામાં અનુભૂતિની પૂર્ણતા પાત્રોની વિવિધ પ્રકારની અભિવ્યક્તિ, જીવનના વૈવિધ્યપૂર્ણ પ્રસંગો સૌંદર્ય પ્રધાન સાધનો, જીવનનું રહસ્ય વગેરે પ્રગટ થાય છે. મિશ્રકથાનું અન્યનામ સંકીર્ણ કથા છે અને કથા સાહિત્યમાં તે સ્થાન ધરાવે છે. આચાર્ય ઉદ્યોતનસૂરિએ શૈલીના આધારે કથાના પાંચ ભેદ કહ્યા છે.
(૧) સકલકથા:- આ કથામાં ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશેના વિચારો મુખ્યત્વે સ્થાન ધરાવે છે. આ કથાના અંતમાં જીવાત્મા મનોવાંછિત-ઉત્તમ ફળની પ્રાપ્તિ કરે છે તેવો સંદર્ભ રહેલો છે.
24
Page #49
--------------------------------------------------------------------------
________________
(૨) ખંડકથાઃ- તેમાં વિષયવસ્તુ એકાદ પ્રસંગનું હોય છે અને તેના દ્વારા જીવનનાં કોઇ એક પ્રસંગનો નિર્દેશ કરવામાં આવે છે.
(૩) ઉલ્લાપકથાઃ-તેમાં સાહસપૂર્ણ પ્રસંગોનું નિરૂપણ મહત્ત્વનું લક્ષણ છે. તદુપરાંત ધર્મચર્ચાને સ્થાન આપવામાં આવ્યું છે.
(૪) પરિહાસ કથાઃ-મનોરંજનયુક્ત, હાસ્ય ઉત્પન્ન કરવાવાળી વ્યંગાત્મક શૈલીવાળી હોય છે.
(૫) સંકીર્ણ કથાઃ- તેમાં ધર્મ, અર્થ અને કામ એમ ત્રણ પુરુષાર્થનો સંદર્ભ રહેલો છે. કથા સાહિત્ય વિવિધ પ્રકારનું છે. તેના દ્વારા આનંદની સાથે ધર્મતત્ત્વનો બોધ થાય છે એટલે કથાનું માધ્યમ સર્વ સાધારણ જનતાને માટે ધર્મ તથા સાહિત્યના ક્ષેત્રમાં અનેરું આકર્ષણ જમાવવામાં સફળ નીવડ્યું છે.’’
જૈન રત્નચિંતામણિ ગ્રંથમાં ડૉ.પ્રહલાદ ગ.પટેલ જૈન કથાના પ્રકારો વર્ણવતા કહે છે
કે,
‘સ્થાનાંગ સૂત્ર’માં કથાના ત્રણ પ્રકારો છે. (૧)અર્થકથા (૨)ધર્મકથા (૩)કામકથા.
અર્થકથા
કથા
ધર્મકથા
વિક્ષેપણી
આક્ષેપણી (૧)આચાર
(૧)સ્વ-પરસમય
(૨)વ્યવહાર (૨)પર-સ્વસમય
(૩)પ્રજ્ઞપ્તિ
(૩)સમ્યક્ત્વ-મિથ્યાત્વ
(૪)ષ્ટિવાદ (૪)મિથ્યાત્વ-સમ્યક્ત્વ
કામકથા
સંવેદની
નિર્વેદની
(૧)ઇહલોહ
(૧)ઇહલોહ (૨)પરલોહ (૨)પરલોહ
(૩)સ્વશરીર (૩)દેવાધિ (૪)પરશરીર (૪)તિર્યંચી
“આગમ ગ્રંથોમાં ચાર પ્રકારના પુરુષાર્થનું નિરૂપણ કરવાવાળી ધર્મકથા ચાર પ્રકારની દર્શાવી છે.’
,, ૧૩
25
(૧) આક્ષેપણીકથાઃ- જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે આકર્ષણ પેદા થાય અને શ્રોતાઓના મનને પણ અનુકૂળ આસ્વાદની અનુભૂતિ થાય તે આક્ષેપણી કથા કહેવાય છે.
જિનસેનાચાર્યના મતે પોતાના મતનું સ્થાપન કરવા આક્ષેપણી કથા છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
(૨) વિક્ષેપણી કથા:- પરમતના કથન દ્વારા સ્વમતનું મહત્ત્વ મૂલ્ય પ્રતિપાદન કરતી કથા વિક્ષેપણી કહેવાય છે
જિનસેનાચાર્યના મતે મિથ્યાત્વનું ખંડન કરવા વિક્ષેપણી કથા છે. (૩) સંવેદન કથા - સંસારના દુઃખો, અસારતા, શરીરની અશુચિ, અનિત્યતા વગેરે ભાવ દર્શાવતી વૈરાગ્ય પ્રેરક-વર્ધક કથા સંવેદન કથા ગણાય છે.
જિનાસેનાચાર્ય મતે પુણ્યફળ સ્વરૂપ વિભૂતિનું વર્ણન કરવા માટે સંવેગિની કથા
(૪) નિર્વેદની કથા:- કર્મોના આશુભ ફળના ઉદયથી દુઃખની પરંપરા ભોગવવી, સંસાર પ્રત્યે વૈરાગ્ય દ્વારા ત્યાગ કરવાની ભાવનાનું નિરૂપણ કરતી કથા નિર્વેદની કહેવાય છે.
જિનસેનાચાર્યના મતે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે નિર્વેદની કથા કહેવી જોઈએ.
જૈનકથાઓની વધુ વિચારણા કરતા તેમાં માત્ર સંકીર્ણકથા કે ધર્મકથાના ભેદપ્રભેદો જ માત્ર નથી વર્ણવ્યા, પરંતુ જીવનમાં કંઈ કથાઓ હોય છે તેની પણ સૂક્ષ્મ વિચારણા અનેક આગમ ગ્રંથોમાં અને પરવર્તી કથાઓમાં તથા પુરાણોમાં જોવા મળે છે. આવી હેય કથાઓની સૌ પ્રથમ વિચારણા ‘નિશીથચૂર્ણિમાં કરવામાં આવી છે. આ વિચારણા પાછળ ખાસ તો જૈન પરંપરાનું જીવન પ્રત્યેનું દૃષ્ટિબિંદુ જ જવાબદાર છે. અને આ સર્વ પ્રભેદો કોઈ લક્ષણ ગ્રંથોને આધારે નથી પડ્યા, પરંતુ આગમોના ઉપદેશની પ્રબળ પરંપરામાંથી ઉદ્ભવ્યા છે.
સંયમમાં બાધક, ચારિત્રધર્મ વિરુધ્ધ કથાને ‘વિકથા' કહેવામાં આવે છે. વિકથાના ચાર ભેદો છે. (૧)સ્ત્રીકથા (૨)ભક્તકથા (૩)દેશકથા (૪)રાજકથા આ પ્રત્યેકના પણ પ્રભેદો છે. સ્ત્રીકથાના ચાર ભેદ છે. (૧)જાતિકથા (૨)કુલકથા (૩)રૂપકથા (૪)વેશકથા ભક્તકથાના ચાર ભેદ છે. (૧)આલાપસ્થા (ર)નિર્વાપકથા (૩)આરંભકથા (૪)નિષ્ઠાનકથા દેશકથાના ચાર ભેદ છે. (૧)દેશવિધિ કથા (ર)દેશવિકલ્પકથા (૩)દેશછંદકથા (૪)દેશનેપચ્યકથા રાજકથાના ચાર ભેદ છે.
26
Page #51
--------------------------------------------------------------------------
________________
(૧)રાજાની અતિમાનકથા (૨)રાજાની નિર્માણકથા (૩)રાજાના બળવાહનની કથા (૪)રાજાના કોશ અને કોઠારની કથા.
સ્ત્રીકથા વિકથા કહેવામાં આવે છે કારણ કે સ્ત્રીકથા કરનાર અને સાંભળનારને તે મોહ ઉત્પન્ન કરે છે. તેથી લોકોમાં નિંદા થાય છે. સૂત્ર અને અર્થ જ્ઞાનની હાનિ થાય છે. બ્રહ્મચર્યમાં દોષ લાગે છે અને સ્ત્રીકથા કરનાર સંયમમાંથી પડે છે, તથા કુલિંગી થાય છે તથા સાધુવેશમાં રહીને પણ અનાચારનું સેવન કરનાર થાય છે. ભક્તકથા યા આહારકથા કરવાથી સાધુને ગૃધ્ધિ થાય છે અને આસક્તિનો દોષ લાગે છે. લોકોમાં ચર્ચા થાય છે કે આ સાધુ અજિતેન્દ્રિય છે. આમ આહારમાં સાધુને અનેક દોષ લાગે
દેશકથા કરવાથી વિશિષ્ટ દેશ પ્રત્યે રાગ યા બીજા દેશ માટે અરુચિ થાય છે. રાગદ્વેષથી કર્મબંધ થાય છે.
રાજકથા પણ દોષનું કારણ છે. દીક્ષિત થયેલો હોય તો તેને પૂર્વના ભોગોવિલાસીનું સ્મરણ થાય છે માટે રાજકથા ત્યાજ્ય છે.
લીલાવતી કથામાં કથાના પાત્રોની દષ્ટિએ કથાના ત્રણ ભેદ દર્શાવ્યા છે.(૧)દિવ્યકથા (ર)માનુષકથા (૩)દિવ્યમાનુષકથા. સમરાઇચકાહમાં આચાર્ય હરિભદ્રસૂરિ કથાના પ્રકારોનું વર્ણન કરતા કહે છે કે,
કથાના ચાર પ્રકાર કહ્યા છે (૧)અર્થ કથા (૨)કામકથા (૩)ધર્મકથા (૪)સંકીર્ણકથા. જેમાં ત્રણ કથાઓ આગળ વર્ણન કર્યું તે પ્રમાણે છે અને ધર્મ, અર્થ, કામરૂપ ત્રણ વર્ગના સંબંધવાળી કાવ્ય-કથા-ગ્રંથના અર્થનો વિસ્તાર કરનારી, લૌકિક-વેદશાસ્ત્રમાં પ્રસિધ્ધ ઉદાહરણ, હેતુ અને કારણ-યુક્ત હોય તે સંકીર્ણ કથા
કહેવાય.
સમરાઇચકહામાં દિવ્યકથા, માનુષકથા અને દિવ્યમાનુષકથા એમ ત્રણ ભેદ દર્શાવ્યા છે. દિવ્યકથા:- દિવ્ય મનુષ્યોની ક્રિયા અને પ્રવૃતિઓથી કથા વસ્તુનો વિકાસ થાય છે. મનોરંજન, કૂતુહલ, શૃંગારરસ, નિબંધતા જેવા લક્ષણો દિવ્યકથામાં હોય છે. તેમાં સર્જકની વર્ણનકળા અને કથનશૈલી પ્રભાવોત્પાદક હોય છે. તેમાં સર્જકની સ્વાભાવિકતા-કથાની મૌલિકતાનું પ્રમાણ અલ્પ હોય છે. માનુષકથાઃ- આ કથામાં માનવ પાત્રોની પૂર્ણ માનવતાનું નિરૂપણ કરીને પાત્રો મૂર્તિમંત રીતે આલેખાયેલા હોય છે.
27
Page #52
--------------------------------------------------------------------------
________________
દિવ્યમાનુષકથા:- તેમાં કથાતત્વ કલાત્મક રીતે કાર્યરત હોય છે. કોઈ ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિનું આકર્ષક નિરૂપણ હોય છે. સાહસપૂર્ણ જીવનના પ્રસંગોનું વર્ણન. નાયક-નાયિકાનો પ્રકાર, પ્રણયની સૃષ્ટિ,(શૃંગાર રસયુક્ત નિરૂપણ) પ્રણયના પ્રસંગો, રૂપ અને સૌદર્યનું અનેરું આકર્ષણ, વિવિધરૂપ ધારણ કરવાં, જીવનલીલાનાં વિવિધ રૂપવાળી દિવ્યમાનુષ કથા છે.”
આ ઉપરથી કહી શકાય કે સ્થાનાંગસૂત્રને આધારે કથાના ત્રણ ભેદ છે.(૧)અર્થકથા (૨)ધર્મકથા (૩)કામકથા. સંકીર્ણ કથામાં વીરપુરુષોના પરાક્રમ, શૌર્ય, ચાર કષાય આદિનો ઉલ્લેખ હોવાથી તેને મિશ્રિત-મિશ્રણ કહેવાય. આવી કથાની રચના હરિભદ્રસૂરિએ કરી છે. આચાર્ય ઉદ્યોતનસૂરિએ કથાના પાંચ ભેદ કહયા (૧)સકલકથા (૨)ખંડકથા (૩)ઉલ્લાપકથા (૪)પરિહાસકથા (૫)સંકીર્ણકથા. આગમ ગ્રંથોમાં ચાર પ્રકારના પુરુષાર્થવાળી ધર્મકથા ચાર પ્રકારની દર્શાવી છે. (૧)આક્ષેપણીકથા (૨)વિક્ષેપણીકથા (૩)સંવેદનકથા (૪)નિર્વેદની કથા.
સંયમમાં બાધક, ચારિત્રધર્મ વિરુધ્ધ કથાને વિકથા કહે છે. વિકથાના ચાર ભેદ છે. (૧)સ્ત્રીકથા (૨)ભક્તકથા (૩)દેશકથા (૪)રાજકથા. એના પણ પ્રભેદો છે. સમરાઇચકહામાં આચાર્ય હરિભદ્રસૂરિએ કથાના ચાર પ્રકાર કહ્યા છે. (૧) અર્થકથા (૨)કામકથા (૩)ધર્મકથા (૪)સંકીર્ણકથા. આ ગ્રંથમાં કથાના ત્રણ ભેદ બતાવ્યા છે. દિવ્યકથા, માનુષકથા, દિવ્યમાનુષકથા. જેનકથા સાહિત્ય એક વિહંગદર્શન લેખમાં વિદ્વાન ડૉ.કાંતિભાઇ બી.શાહ કથાનું પ્રયોજન વર્ણવતા કહે છે કે, કથા સાહિત્યનું પ્રયોજન -
એક ધર્માનુરાગી શ્રેષ્ઠીનો પુત્ર અત્યંત નાસ્તિક નગરમાં જેન આચાર્ય પધાર્યા. શેઠની વિનંતીને ધ્યાનમાં લઈ મહાત્માએ પેલા શ્રેષ્ઠીપુત્ર સમક્ષ શાસ્ત્રકથિત સિધ્ધાંતો ઠાલવવા માંડ્યા. પેલાએ એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાંખ્યા. મહાત્માને થયું કે “ઉજ્જડ ધરતી પર મેઘવર્ષા વ્યર્થ છે.” થોડા સમય પછી બીજા એક મહાત્માએ બીડું ઝડપ્યું. એમણે પેલા શ્રેષ્ઠીપુત્રને પાસે બેસાડી એક રસિક કથાથી આરંભ કર્યો. નાસ્તિક પુત્રને રસ પડવા માંડ્યો. ચોત્રીસ દિવસ સુધી મહાત્માએ રોજ એકકી કથા કહી અને શ્રેષ્ઠીપુત્ર નાસ્તિકમાંથી આસ્તિક-ધર્માનુરાગી બની ગયો. આ છે વિનોદ ચોત્રીસી'નો કથાદોર."
સંસ્કૃતની એક જાણીતી કથા “શુકસપ્તતિમાં વિદેશ ગયેલા યુવાનની પત્ની જારકર્મ અર્થે રાત્રે બહાર જવા નીકળી. પાળેલા પોપટે સ્ત્રીનો ઇરાદો પારખી જઈને
28.
Page #53
--------------------------------------------------------------------------
________________
એને એક કથા સાંભળવા કહ્યું. સ્ત્રીને કથામાં રસ પડ્યો. રાત વીતી ગઈ. સ્ત્રીએ એની ભોગેચ્છા કાલ ઉપર મુલતવી. પેલા પોપટે પ્રત્યેક રાત્રીએ એકકી કથા કહીને ૭૦ રાતો સુધી એને રોકી રાખી. પતિ પાછો આવ્યો. એની પત્ની શીલભ્રષ્ટ થતી બચી ગઈ.
શૈવધર્મી કુમારપાળ રાજાને હેમચંદ્રાચાર્યે જૈન ધર્મની અવગત કરાવવા ૫૪ કથાઓ કહી. એ કથા શ્રવણ દ્વારા કુમારપાળ રાજા જૈન ધર્મથી પ્રભાવિત અને પ્રતિબોધિત થયા.
પહેલા દષ્ટાંતમાં જોઈ શકાશે કે સીધી સિધ્ધાંતચર્યા કે સીધા ધર્મોપદેશ જે ના કરી શકયાં તે કથાએ કરી બતાવ્યું. બીજા દૃષ્ટાંતમાં કથાશ્રવણ આગળ પેલી સ્ત્રીનું જારકર્મનું પ્રયોજન ગૌણ બની ગયું. કથારસે એને શીલભ્રષ્ટમાંથી ઉગારી લીધી. ત્રીજામાં કુમારપાળ રાજાને અહિંસા, દાન, દેવપૂજા, ચારિત્રવ્રતની કથાઓએ પલટાવી દીધા.
આમ, જૈન કથા સાહિત્યનું મુખ્ય પ્રયોજન ધર્મોપદેશનું રહ્યું છે. આ કથા સાહિત્ય ભાવકના કથારસને પણ પોષે છે, સાથે ધર્મોપદેશને મિષ્ટતાપૂર્વક હદયસ્થ કરવામાં સહાયક બને છે. પૂર્વભવોનાં કર્મોનો વિપાક અને તેના સારા-માઠાં ફળ દર્શાવવાના પ્રયોજનવાળી ભવભવાંતરની કથાઓની વિપુલતા જૈન કથાસાહિત્યમાં વિશેષ ધ્યાનાર્હ બની રહે છે.
મનુષ્યભવની દુર્લભતા, શીલ-ચારિત્ર-તપ-સંયમ-વૈરાગ્યનો મહિમા, કામક્રોધાદિ કષાયોના માઠાં ફળ, પરીષહ, હળુકર્મી અને ભારે કર્મી જીવો વચ્ચેનો ભેદ, નિષ્કામતા, ગુરુ પ્રત્યેનો વિવેક-વિનય, સુપાત્ર દાનનો મહિમા, અભયદાન, જીવદયા, જયણા, દેવપૂજા, વૈયાવૃત્યાદિ તપ, નવપદની આરાધના-જેવાં પ્રયોજનવાળી ધર્મ અને વૈરાગ્ય પ્રેરક જીવન બોધક નાની મોટી કથાઓથી જેન કથા સાહિત્ય અત્યંત સમૃધ્ધ છે.
આવા સાહિત્યનું વધુને વધુ શ્રવણ-વાચન થાય, એ પ્રત્યે રસરુચિ કેળવાય, અને એમાંથી ફલિત થતા મર્મ-બોધને આપણે હૃદયમાં ગ્રહણ કરીએ. એના ફલસ્વરૂપ આપણું જીવન શ્રેય પથગામી બની રહે. જૈન કથા સાહિત્યના લેખનના પ્રયોજન વિશે વિદ્વાન ડૉ.સાગરમલ જેન કહે છે કે,
જૈન કથા સાહિત્યના લેખનના અનેક પ્રયોજન રહ્યા છે. (૧) મનુષ્યને મનોરંજન કરાવવાનું.
29
Page #54
--------------------------------------------------------------------------
________________
(૨) મનોરંજનની સાથે નાયક આદિના સગુણોનો પરિચય આપવો. (૩) શુભાશુભ કર્મોના પરિણામો જોઇને એને સત્કર્મો અથવા નૈતિક આચરણ માટે પ્રેરિત કરવું. (૪) શરીરની અશુચિતા અને સાંસરિક સુખોની નશ્વરતાને બતાવી વૈરાગ્યની દિશામાં પ્રેરિત કરવા. (૫) કેટલીક અપવાદિક પરિસ્થિતિઓમાં અપવાદ માર્ગના સેવનના ઔચિત્ય અને અનોચિત્ય સ્પષ્ટ કરવું. (૬) પૂર્વભવ અને પરવર્તી ભવોની સુખદુ:ખ ચર્ચાના માધ્યમથી કર્મ સિધ્ધાંતની પુષ્ટિ કરવી. (૭) દાર્શનિક સમસ્યાઓનું સહજ રૂપમાં સમાધાન પ્રસ્તુત કરવું જેમ કે આત્માના અસ્તિત્વની સિધ્ધિ માટે ઉત્તર. આ પ્રકારે ક્રિયમાણ કૃત અથવા અકૃતના સમ્બન્ધમાં જમાલીનું કથાનક અને એમાં પણ સાડી બાળવાનો પ્રસંગ." ભાષાની દૃષ્ટિએ વિચાર કરતા વિદ્વાન ડૉ.સાગરમલ જેન કહે છે કે,
“જૈન કથા સાહિત્ય પ્રાકૃત, સંસ્કૃત, કન્નડ, તામિલ, અપભ્રંશ, મારુગુર્જર, હિન્દી, મરાઠી, ગુજરાતી તેમ જ બંગાળીમાં પણ લખાયું છે. પ્રાકૃતના અનેક રૂપોમાં અર્ધમાગધી, જૈન શીરસેની, મહારાષ્ટ્રી આદિમાં જેનકથા સાહિત્ય લખાયું છે. જે આજે પણ ઉપલબ્ધ છે. આજે જે જૈન કથા સાહિત્ય વિભિન્ન પ્રાકૃત ભાષાઓમાં ઉપલબ્ધ છે. એમાં સૌથી ઓછું શોરસેનમાં મળે છે. એની અપેક્ષાએ અર્ધમાગધી ચા મહારાષ્ટ્રી પ્રભાવિત અર્ધમાગધીમાં વધારે છે, કારણ કે ઉપલબ્ધ આગમ અને પ્રાચીન આગમિક વ્યાખ્યાઓ આ જ ભાષામાં લખેલ છે. જ્યારે મહારાષ્ટ્ર પ્રાકૃતમાં જૈન કથા સાહિત્ય એ બેઉ ભાષાઓની અપેક્ષાએ વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે. અને એના લેખનમાં શ્વેતાંબર જૈનાચાર્યો અને મુનિઓનું યોગદાન અધિક છે. મહારાષ્ટ્રી પ્રાકૃત કથા મુખ્યતઃ પદ્યાત્મક છે. મોટે ભાગે ખંડકાવ્ય ચરિત્રકથા અને મહાકાવ્ય સ્વરૂપે છે. જોકે ધૂર્તાખ્યાન' જેવા કથાપક અને ગદ્યાત્મક ગ્રંથ પણ આમાં ઉપલબ્ધ થાય છે. આ ભાષામાં સર્વાધિક કથા સાહિત્ય લખાયું છે. અને અધિકાંશતઃ આજે ઉપલબ્ધ પણ છે. પ્રાકૃત પ્રખ્યાત અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચિત છે. જેમ કે દિગમ્બર પરંપરામાં અનેક પુરાણ, શ્વેતામ્બર પરંપરામાં હેમચંદ્રનું ‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર', દિગમ્બર પરંપરામાં ‘વરાંગ ચરિત્ર' આદિ. આગમોમાં વૃત્તિઓ અને ટીકાઓ પણ સંસ્કૃત ભાષામાં લખાઈ છે. એના અંતર્ગત અનેક કથાઓ સંકલિત છે. મોટા ભાગની કથાઓ પ્રાકૃત આગમિક વ્યાખ્યાઓમાં સંગ્રહિત
Page #55
--------------------------------------------------------------------------
________________
છે. અનેક પ્રબન્ધ પણ સંસ્કૃતમાં લખેલા છે. સંસ્કૃત સિવાય જૈન આચાર્યોના કથા સાહિત્ય મુખ્યત્વે અપભ્રંશ અને વિભિન્ન રૂપોમાં મળે છે. અપભ્રંશમાં મુખ્યતઃ ચરિતકાવ્ય વિશેષરૂપમાં લખાયા છે. ભાષાની અપેક્ષાએ અપભ્રંશ ઉપરાંત જૈનાચાર્યોને મુખ્યત્વે મારુગુર્જરને અપનાવ્યું. કથા સાહિત્યની ષ્ટિએ આમાં પર્વકથાઓ અને ચિરત નાયકોના ગુણોનું વર્ણન કરતી નાની-નાની રચનાઓ મળે છે. વિશેષરૂપે તીર્થમાળાઓ મારુગુર્જરમાં જ લખાઇ છે. જે તીર્થો સમ્બધી કથાઓ પર વિશેષ ભાર આપે છે. એમાં રાસા સાહિત્ય પણ કથાઓ પર વિશેષ ભાર આપે છે. એમાં રાસા સાહિત્ય પણ લખાયું છે. જે ઐતિહાસિક કથાઓના પ્રમુખ આધાર માનવામાં આવે છે.
આધુનિક ભાષામાં હિન્દી, ગુજરાતી, મરાઠી, બાંગલામાં જૈન કથા સાહિત્ય લખાયું છે. વર્તમાનમાં પાંચસોથી અધિક જૈન કથા ગ્રંથ હિન્દીમાં ઉપલબ્ધ છે. હિન્દી સિવાય જૈન કથા સાહિત્ય ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ છે. વિશેષરૂપે આધુનિક કાળના શ્વેતામ્બર આચાર્યોએ ગુજરાતી ભાષામાં અનેક જૈન કથાઓ તથા નવલકથાઓ લખી છે. બસોથી વઘારે ગુજરાતી ભાષામાં જૈન કથાઓ પર ગ્રંથ ઉપલબ્ધ છે. દિગમ્બર પરંપરામાં કેટલાક કથા ગ્રંથ મરાઠીમાં લખાયા છે. આ ઉપરાંત ગણેશજી લલવાણીએ બંગલા ભાષામાં કેટલીક કથાઓ લખી છે.
જ્યાં સુધી દક્ષિણ ભારતીય ભાષાઓનો પ્રશ્ન છે તામિલ અને કન્નડમાં અનેક જૈન ગ્રંથ ઉપલબ્ધ છે. એમાં તામિલમાં જીવક ચિંતામણી આદિ મુખ્ય છે. આ સાથે કન્નડમાં ‘આરાધના કથા' નામનો ગ્રંથ છે જે આરાધના કોશ પર આધારિત છે. આમ, જૈન કથા સાહિત્ય વિસ્તૃત અને વ્યાપક હોવાની સાથે વિવિધ ભાષામાં રચાયું
છે.
૬,૧૭
સમગ્ર રીતે જોતાં જૈન સાહિત્ય ચરિતાત્મક છે તેટલું જ ઐતિહાસિક છે, અને ગુજરાતના ઇતિહાસમાં તે અનેરું સ્થાન લે છે. ભારતીય કથા સાહિત્યની ધારાઓ વૈદિક, બૌધ્ધ અને જૈન ત્રણ છે. પ્રાકૃત કથા સાહિત્યમાં શ્રમણોએ સારો એવો ફાળો આપ્યો છે.
જૈન કથા સાહિત્યનો ઉદ્ગમ અતિ પ્રાચીન છે. કથા પહેલા મૌખિક અને ત્યાર બાદ લેખિત રૂપમાં વિકાસ પામતી રહી. રાસાઓ પણ પ્રચલિત કથામાંથી લેવાયા છે. જૈન ધર્મગ્રંથ મૂળ ‘આગમ’ છે. ૪૫ આગમમાંથી ત્રેવીશ આગમોમાં દુષ્ટાંત કથાનો ઉલ્લેખ છે. તેમાં જ્ઞાતાધર્મકથા, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે વિશેષ રૂપે કથા આધારિત છે. જૈન સાહિત્ય સંસ્કૃતમાં પણ જોવા મળે છે.
31
Page #56
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યના રચના કાળ વિશે કહી શકાય કે, લગભગ સત્તાવીશો વર્ષનો ગાળો છે. અને તે વિકાસ પામતું રહ્યું છે. તેના ભેદ-પ્રભેદો પણ વર્ણવાયા છે. દા.ત.સ્થાનાગસૂત્રના આધારે (૧)અર્થકથા (૨)ધર્મકથા (૩)કામકથા.
આવા સાહિત્યનું વધુને વધુ શ્રવણ વાંચન થાય. એ પ્રત્યે રસ રુચિ કેળવાય અને એમાંથી મળતા બોધને આપણે હૃદયથી ગ્રહણ કરીએ. કથાના વિષયોઃ
કથાના વિષયોમાં તીર્થકર ચરિત્રો જેમાં ર૪ તીર્થકરના જીવન પ્રસંગોનું વર્ણન કર્યું છે. તેમનું ઐતિહાસિક મહત્વ દર્શાવ્યું છે. ચક્રવર્તીના જીવન ચરિત્રોમાં ભારત, સગર, મઘવા, સનતકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, સુભૂમ, મહાપદ્મ, હરિષણ, જય, બ્રહ્મદત્ત ચક્રવર્તીના વર્ણન છે. નવ વાસુદેવમાં ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ,
સ્વયંભુ, પુરૂષોત્તમ, પુરુષસિંહ, પુરુષપુંડરિક, દત્ત, લક્ષ્મણ, કૃષ્ણના જીવન ચરિત્રો વર્ણવ્યાં છે. નવ બળદેવમાં અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પા, રામના જીવન ચરિત્રો આલેખ્યા છે. નવ પ્રતિવાસુદેવમાં અશ્વગ્રીવ, તારક, મોરાક, મધુકૈટભ, નિશુંભ, બલિ, પ્રફ્લાદ, રાવણ, જરાસંઘના જીવન પ્રસંગો અલંકૃત કર્યા છે.
દરેક પરમાત્માના કાળમાં થયેલ ગણધર જેમ કે પ્રભુ મહાવીરના સમયે થયેલ ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ વગેરેના જીવનપ્રસંગો વર્ણવ્યા છે. દરેક પરમાત્માના સમયે થયેલ શ્રમણ, શ્રમણી, શ્રાવકો, શ્રાવિકા, શ્રેષ્ઠી, રાજા, મંત્રીના કથાનકો વર્ણવ્યા છે. એમનાથ ભગવાનના સમયે થયેલ ગજસુકુમાલ મુનિ, પરમાત્મા મહાવીરના સમયે થયેલ શ્રમણીમાં પ્રથમ ચંદનબાળા, શ્રાવકોમાં આનંદ શ્રાવક આદિ, શ્રાવિકામાં સુલસા આદિ, શ્રેષ્ઠીમાં શાલીભદ્ર, રાજામાં શ્રેણિક, મંત્રીમાં અભયકુમાર આદિના કથાનકો વર્ણવ્યા છે.
આ ઉપરાંત દાન આધારિત કથાઓમાં શાંતિનાથ ભગવાનનો જીવ મેઘરથ રાજાના ભવમાં જે જીવદયા પાળે છે તેની કથા, શીલ આધારિત કથાઓમાં સુલસા, ચંદનબાળા, સુભદ્રા, સીતા, દ્રૌપદી આદિના કથાનકોનો સમાવેશ થાય છે. તપ આધારિત કથાનકોમાં ધન્નાશાલીભદ્ર આદિના પ્રસંગો વર્ણવાયા છે. ક્રોધ આધારિત કથાનકમાં ચંડકૌશિકનું કથાનક, માન આધારિત કથાનકોમાં બાહુબલિનું કથાનક, માયા આધારિત કથાઓમાં લક્ષ્મણા સાધ્વી આદિના કથાનકો, લોભ આધારિત કથાનકોમાં મમ્મણ શેઠ આદિના કથાનકો આલેખ્યા છે. તથા પંચેન્દ્રિય વિષયને રજૂ કરતી કથાઓ, ૮ મદ ઉપર કથાઓ વર્ણવી છે. જેમાં, જાતિમદ ઉપર હરિકેશીના
32
Page #57
--------------------------------------------------------------------------
________________
પાછલા ભવનું, લાભમદ ઉપર સૂભૂમ ચક્રવર્તીનું, કુલમદ પર મરિચિનું, ઐશ્વર્યમદ ઉપર દશાર્ણભદ્રનું, બલમદ પર શ્રેણિક રાજાનું, રૂપમદ ઉપર સનત ચક્રવર્તીનું, તપમદ પર નંદિષણ મુનિનું, શ્રુતમદ પર સ્ફુલિભદ્રનું દૃષ્ટાંત આપ્યું છે. અહિંસા આધારિત કથાઓમાં નેમનાથ ભગવાનનું કથાનક છે. પંચમહાવ્રત પાલનના કથાનકો દ્વારા પાંચ મહાવ્રતના પાલનથી કલ્યાણ સાધનાર અલગ અલગ મુનિઓના દુષ્ટાંતો છે. જેમકે અઇમુત્તા મુનિ, અરણિક મુનિ, ઝાંઝરિયા મુનિ, બંધક મુનિ વગેરેના કથાનકો છે . આ ઉપરાંત પ્રભાવક કથાઓમાં વજ્રસ્વામી, હરિભદ્રસૂરિ, આદિના કથાનકો છે.
આ ઉપરાંત દેવોની કથા છે. જેમાં વિદ્યાધર દેવો આદિની કથા છે. તિર્યંચની કથામાં કૂકડા, પોપટ, હાથીના ભવમાં રહેલ પરમાત્મા કે અન્ય રાજા આદિના જીવની કથાઓ વર્ણવાયી છે. જેમા તિર્યંચ યોનિમાં કરેલ પચ્ચખાણ તેમ જ વ્રતનું મહત્ત્વ બતાવ્યું છે. આ ઉપરાંત નારકીની કથાઓ, બાર ભાવના આધારિત કથાઓ પણ વર્ણવાયી છે. જેમાં અનિત્ય ભાવના પર ભરતચક્રવર્તી, અશરણ ભાવના પર અનાથીમુનિ, સંસાર ભાવના પર મલ્લિનાથના ૬ મિત્રોની કથા, એકત્વ ભાવના પર નમિરાજર્ષિ આદિના કથાનકો વર્ણવ્યા છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આધારિત ધ્રુષ્ટાંતો પણ આલેખ્યા છે. આમ, કથાના વિષયોમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે.
પાત્રોઃ
કથામાં પાત્રોનું પણ વૈવિધ્ય હોય છે. મુખ્ય પાત્ર આધારિત કથા હોય છે. આ સિવાયના ગૌણ પાત્રો પણ કથામાં હોય છે. પશુપક્ષીના પાત્રો પણ હોય છે. જેમ કે તરંગવતીની કથામાં તરંગવતી નાયિકા છે તેના આધારિત કથા છે. છતાં ગૌણ પાત્રોમાં તેના માતા-પિતા, તેની સખી, પતિ આ બધા પાત્રો કથાને આગળ વધારવા તેમજ રસપ્રદ બનાવવા ઉપયોગી છે. આ ઉપરાંત પાધિ જે ચક્રવાકના મૃત્યુમાં નિમિત્ત બને છે અને આગળના ભવમાં એજ તરંગવતી અને તેના પતિને બચાવે છે તેમજ મુનિ બન્યા પછી બંનેને પ્રતિબોધ કરે છે.
કેટલીક કથા નાયક આધારિત હોય છે. જેમકે ચંદરાજાના રાસમાં ચંદરાજા મુખ્ય પાત્ર છે. ચંદરાજાની આધારિત કથા છે. તે ઉપરાંત તેની પત્નિ, અપરમાતા, નટ, પ્રેમાલચ્છી વગેરે પણ કથાને આગળ વધારવામાં ઉપયોગી છે. તિર્યંચપાત્ર પણ છે. જેમકે ચંદરાજાને તેની અપરમાતા ગુસ્સે થઇ અને કૂકડો બનાવી દે છે.
નેમનાથ ભગવાનની કથામાં નેમકુમાર લગ્ન કરવા જઇ રહ્યા છે અને પશુઓનો પોકાર સુણી પાછા વળે છે. અને અહિંસાનો રસ્તો પકડે છે સંયમ લે છે. આ કથામાં
33
Page #58
--------------------------------------------------------------------------
________________
નેમજી અને રાજુલના નવ ભવોની પ્રીતનું વર્ણન પણ છે. જેમાં દેવનો ભવ, રાજાના ભવ આદિ ભવોના વર્ણન છે. નાયિકા રાજુલનો વિરહ પણ સુંદર રીતે આલેખ્યો છે. વિલાપ કરતા રાજુલ કહે છે કે પશુઓ મારા વેરી બન્યા છે. મુંગા પશુઓ પણ તેમની વાચામાં નેમકુમાર પાસે જીવતદાન માંગે છે અને જેમકુમાર તેમની વાણીને સમજી સંયમ લે છે.
કથાઓમાં રાજાઓ, રાણીઓ, મુનિભગવતો, બ્રાહ્મણો, વેપારીઓ, તાપસો, સાર્થવાહ, મલેચ્છો, ધાતુવાદીઓ, વેતાલ, યક્ષો, દેવો, રાક્ષસો, બાલિકાઓ, છાત્રો, ગણધરો, વિહરમાન જિનેશ્વરો, વરકન્યાઓ વગેરેનો સમાવેશ થાય છે.
શ્રીપાલ રાજાના રાસમાં જ્યારે શ્રીપાળકુંવર ધવલશેઠના વહાણોને લઇને જાય છે ત્યારે તેમાં ધાતુવાદીઓ, સાર્થવાહ વેપારીના વર્ણનો આવે છે.
પાર્શ્વનાથ ભગવાનના પૂર્વભવોનું વર્ણન કરતા તેમાં ચારણમુનિ, હાથી, દેવો વગેરે પાત્રો આવે છે. મહાવીર સ્વામીના પૂર્વ ભવોના વર્ણનમાં નરકના ભવનું, તિર્યંચના ભવનું તેમજ દેવ અને મનુષ્યભવનું કથાનક આવે છે. નયસારના ભાવમાં મુનિ ભગવંતો આવે છે અને નયસાર તેમનો આવકાર કરી હોરાવી અને શુભકર્મનું ઉપાર્જન કરે છે. આમ નયસાર મુખ્ય પાત્ર ર૭ ભવો પાર કરી વર્ધમાનના ભવમાં આવે છે અને દીક્ષા લઇ ઉપસર્ગો સહન કરે છે. તેમાં દેવ અને માનવ ઉત ઉપસર્ગો પણ થાય છે. ચંડકૌશિકને પણ તે તારે છે. આમ પાત્રોનું વૈવિધ્ય જીવનચરિત્રમાં જોવા મળે છે. દેવકૃત અતિશયો પણ વર્ણવાયા છે.
મુનિસુવ્રત સ્વામી ઘોડાને પ્રતિબોધ કરે છે.
આમ, દરેક કથાનકમાં તિર્યંચપાત્રો, દેવ, નારક અને મનુષ્યના પાત્રોનું વૈવિધ્ય કથાને રસપ્રદ બનાવે છે. જેને કથાઓમાં છેલ્લે મુનિભગવંત કથાના મુખ્ય પાત્રને પ્રતિબોધ કરે છે અને તે પાત્ર દીક્ષા લઈ ઉત્તરોત્તર મોક્ષ પ્રાપ્ત કરે છે. વર્ણનો:
કથાનકમાં પાત્રોને રજૂ કરવા તેમના વર્ણન કરવામાં આવે છે. તેમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. જેમકે સ્ત્રીપાત્રને રજૂ કરતા તેના સૌંદર્યનું, દેહલાલિત્યનું વર્ણન કરવામાં આવે છે. જેમાં અનેક ઉપમાઓ આપી પાત્રને રજૂ કરતા વાચકની નજર સમક્ષ પાત્ર જાગૃત થાય છે અને કથામાં રસ પડે છે. રાજાઓના વર્ણનો કરતા તેની ૭ર કળાઓ તેના પરાક્રમોનું વર્ણન કરવામાં આવે છે. તીર્થકરની કથામાં પરમાત્માનો જન્મ થતાં ઇંદ્રો જ્યારે મેરુ પર્વત પર પરમાત્માને લઇ અને જે રીતે જન્મ મહોત્સવ ઉજવે છે તેનું વર્ણન ત્રિષષ્ઠિમાં હેમચંદ્રાચાર્યે એટલી સુંદર રીતે કર્યું છે કે મેરુ પર્વત
Page #59
--------------------------------------------------------------------------
________________
પરનો મહોત્સવ નજર સમક્ષ આવી જાય છે.
નગરીના વર્ણનો પણ એટલી જ સુંદર રીતે વર્ણવાયા છે. હરિબલ માછીના રાસમાં લંકા નગરીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, ચંદરાજાના રાસમાં આભાપુરી નગરીનું વર્ણન ખૂબ જ સુંદર રીતે આલેખાયું છે.
આ ઉપરાંત અટવીઓ, સમુદ્રના તોફાનોના વર્ણનો પણ ઘણી કથાઓમાં આવે છે. પર્વતો આદિના વર્ણનો પણ ત્રિષષ્ઠિ શલાકા પુરુષમાં આવે છે.
શ્રીપાળરાજાના રાસ, ચંદરાજાના રાસ, ચોવીશ તીર્થકર ચરિત્ર, કુમારપાળ રાજાનું જીવન ચરિત્ર, કુવલયમાલા, સમરાદિત્ય ચરિત્ર આદિમાં જે રીતે રાજાના વર્ણન કર્યા છે તે વાચતા વાચકના માનસપટ પર રાજાનું ચિત્ર ઉપસી આવે છે.
આ ઉપરાંત નારકીના વર્ણનો દ્વારા નરકનું ચિત્ર એવું ઊભું થાય છે કે વાંચનાર કે સાંભળનાર પાપ કરતા અટકી જાય છે. તથા દુષ્કાળના વર્ણન, સંધ્યા, રાત્રિ, પ્રભાતના વર્ણનો પણ આવે છે. તે દ્વારા સંધ્યા અને પ્રભાતનું સૌદર્ય તેમજ રાત્રિની ભયાનકતા વર્ણવાય છે. રાત્રિ અને દિવસના જુદા જુદા પહોરનું, મેઘધનુષનું, અષ્ટપ્રવચનમાતા આદિના વર્ણનો આવે છે.
ચક્રવર્તીના ચરિત્રોમાં તેમના ચૌદ રત્નોનું તેમજ તેમના દિવ્યભવ સુખોના વર્ણનો આવે છે.
દેવલોકના વર્ણનો પણ કથા દરમ્યાન આવે છે. મહાભારત જેવી કથામાં યુધ્ધના વર્ણન પણ સુંદર રીતે આલેખાયું છે.
સતીઓના ચરિત્રોમાં સતીના ચારિત્રનું વર્ણન રજૂ થાય છે તેમજ તે અલગઅલગ કસોટીમાંથી પાર ઉતરે છે તેના પણ પ્રસંગો આલેખાયા છે.
રાજકુમારીના લગ્નના વર્ણન દરમ્યાન સમસ્યા રજૂ કરી સ્વયંવર યોજાય છે તેના વર્ણન દ્વારા વાચકનો માનસપટ પર રાજસભા તેમજ રાજકુમારીનું ચિત્રપટ તૈયાર થાય છે. જેનાથી વાચકને કથાની અંદર રસ પડે છે.
આ ઉપરાંત કેટલીક કથામાં તે સમયના સામાજિક રીતિ રિવાજોના પણ વર્ણનો આવે છે. જેમકે શ્રીપાળરાજાના રાસમાં શ્રીપાળકુંવરના લગ્નના વર્ણનમાં રીતિરિવાજોનું વર્ણન છે. રામાયણ, મહાભારતમાં પણ તે સમયના વર્ણનો આવે છે.
આમ, વર્ણનોની વિવિધતા વિવિધ કથાઓમાં જોવા મળે છે. જેમ નદી વહે તેમ વર્ણનોના કારણે કથા પ્રવાહ વહેતો રહે છે. આ રીતે વર્ણનોનું પણ કથામાં આગવું
35
Page #60
--------------------------------------------------------------------------
________________
મહત્ત્વ છે.
કથામાં ભોજનની વાનગીઓની યાદી આપેલી હોય છે. આ વાનગીઓના વર્ણન પણ અદ્ભુત રીતે કરેલા હોય છે. હરિશચંદ્રના રાસમાં, રૂપચંદકુંવર રાસમાં વાનગીઓના વર્ણન આવે છે.
તથા પુષ્પોનું વર્ણન, વરઘોડાનું વર્ણન, મંદિરની પૂજા વિધિનું વર્ણન, જંબુદ્વીપનું વર્ણન, ચૌદ રફુલોકના વર્ણન પણ કથામાં આવે છે.
શ્રીપાળ રાજાના રાસમાં વીણાનું વર્ણન અને વીણાના પ્રકારો અદ્ભુત રીતે આલેખ્યા છે. ચમત્કારો:
જગતની બધી જ પ્રાચીન મધ્યકાલીન કથાઓમાં ચમત્કાર જોવા મળે છે. આનું કારણ એ છે કે છેક આદિકાળથી મનુષ્ય પોતાની સાહજિક સર્વ સામાન્ય શક્તિ દૃષ્ટિથી અનેકશ ચડિયાતી અમાનુષી શક્તિના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે. આ શ્રધ્ધાનું મૂળ માનવીએ અનુભવેલી પ્રાકૃતિક તત્ત્વોની અમાપ શક્તિ પ્રગટ કરતી ઘટનાઓમાં છે. અગ્નિ, વર્ષાનું તાંડવ, ઝંઝાવાતો અને ધરતીકંપ દ્વારા ક્ષણાર્ધમાં કંઈનું કંઈ બની જતું જોતાં જ સર્વ સાધારણ સામાન્ય એવી શક્તિ કરતાં અનેક ગણી શક્તિની શકયતા અને સંભાવના શ્રધ્ધાનો જન્મ થયો છે. આથી જ વાર્તામાં માણસે સામાન્ય વ્યવહારમાં જોવા મળતી વાસ્તવિક શક્તિથી અનેકશ વિશેષ એવી તરંગમય શક્તિનો ઉપયોગ કર્યો છે. માણસ જે યુગમાં માત્ર જમીન પર ચાલી શકતો કે જળમાં તરી શકતો એ યુગમાં માણસને વિજ્ઞાને આકાશમાં ઊડતો કર્યો એ પહેલાં વાર્તાએ પછી ધર્મના આખ્યા હોય, પુરાણ હોય કે મનોરંજન કથા હોય-એને એ વિમાન, રથ, પક્ષી કે શેતરંજી સહાયે ગગન વિહારી બનાવી નિરૂપ્યો. વાર્તાઓએ તો આજ સુધીના વિજ્ઞાને સિધ્ધ નથી કર્યું એવું મનુષ્યતર સજીવ અને નિર્જીવ પદાર્થોમાં પણ આવી શક્તિઓનું આલેખન કલ્પીને વાનર, સિંહ, દેડકાને મનુષ્યોચિત કાર્ય કરતાં આલેખ્યાં. વૃક્ષોને આકાશમાં ઊડતાં દર્શાવ્યાં. વાર્તાના આ પ્રકારના આલેખનોને આપણે ચમત્કારો, જાદુઈ, તિલસ્માતી ઘટનાઓ કે અમાનુષી તત્ત્વનાં નામે ઉલ્લેખીએ છીએ. પ્રાચીન અને મધ્યકાલીન કથા સાહિત્યમાં આ પ્રકારના ચમત્કારોનું વૈવિધ્ય છે. કથાના કૌતુકમાં આનાં આલેખનોનો મોટો ફાળો છે.
આનું મૂળ પ્રાચીનતમ છે. સાહિત્યકલાના જન્મની સાથે જ એનો જન્મ થયો છે. ચમત્કારને વ્યાપક અર્થમાં લઈએ તો એ ચમત્કારમાંથી જ કથાનો જન્મ થયો છે. આથી તો વાસ્તવિકતાના સ્વીકાર છતાં પ્રકારૉતરે છેક આજ સુધી કથા સાહિત્યમાં
36.
Page #61
--------------------------------------------------------------------------
________________
કૌતુકના સાધન તરીકે ચમત્કારનું સ્થાન રહ્યું જ છે.
ચમત્કારોનું પ્રમાણ અને સ્વરૂપ દરેક યુગમાં બદલાતુ રહ્યું છે. ચોવીશ પરમાત્માના જ્યારે જન્મ થતા ત્યારે દેવો માતાને અસ્થાપિની વિદ્યાથી મૂર્છિત કરી ભગવાનને મેરુ પર્વત પર મહોત્સવ કરવા લઇ જતા. રામાયણ-મહાભારતમાં મૃતસંજીવની, આકાશગમન, જાતિપરિવર્તન, વશીકરણ ઇત્યાદિ ચમત્કારોનો ઉપયોગ થયો છે. શ્રીપાલ રાજાની કથામાં જ્યારે શ્રીપાળ અલગ-અલગ સુંદરીઓ સાથે લગ્ન કરે છે ત્યારે કૂબડાનું રૂપ ધારણ કરે છે. આમ, એક શ્રધ્ધા તરીકે પણ ચમત્કાર વાસ્તવરૂપમાં સ્વીકૃત છે.
પ્રાચીન ધર્મ ગ્રંથોમાં અને મધ્યકાલીન કથાઓમાં ચમત્કારોનું નિરૂપણ છે પરંતુ તાત્ત્વિક ભેદ એ છે કે ધર્મ ગ્રંથોના ચમત્કારો દૈવી ચમત્કારો છે. જ્યારે મનોરંજક
વાર્તાઓના ચમત્કારો જાદુઇ-તિલસ્માતી ચમત્કારો છે. આ ભેદને વિશેષ સ્પષ્ટ કરવા માટે વાર્તામાં ચમત્કારોનું વર્ગીકરણ કરવું જરૂરી છે. ધર્મકથામાં બે પ્રકારના ચમત્કારો છે. (૧)દેવી (૨)માનુષી
ઇશ્વરની સાથે જોડાયેલી ચમત્કારની ઘટનાઓમાં વાર્તા વાંચનાર કે સાંભળનાર શ્રોતાની શ્રધ્ધા આધારિત રસ નીપજાવે છે. જ્યારે યક્ષ, કિન્નર, ઋષિમુનિ, રાજા પર આ શક્તિ થાય ત્યારે રસ પડે છે. દા.ત.શ્રીપાળરાજાની કથામાં જલતરણી વિદ્યા દ્વારા તેનું બચી જવું, સિધ્ધચક્રનું ન્હવણ જલ છાંટતા કોઢ મટી જવો, ચંદરાજાની કથામાં ચંદરાજાનું અપરમાતા દ્વારા કૂકડો બનવું વગેરે રસ ઉપજાવે છે.
મધ્યયુગમાં પ્રવેશતાં પ્રાકૃત અને બીજા સાહિત્યમાં મનુષ્ય શક્તિના તિલસ્માતી ચમત્કારોનું પ્રમાણ વધતું જાય છે. માનવ જેવી જ ભાષા બોલતાં અને કાર્ય કરતાં પ્રાણીઓ, ઊડતા ઘેાડા, તરતી શેતરંજી, સ્વરૂપાંતર વગેરે. સ્થૂલિભદ્રની દીક્ષા પછી રાજા નંદ દ્વારા રથિકને અર્પણ થયેલી કોશાને ખુશ કરવા રથિક આંબાની લૂમમાં તીર ખેંચી, તે તીરના છેડે બીજું, એના છેડે ત્રીજું, ચોથું એમ સળંગ તીર શ્રેણી રચે છે અને બેઠાં બેઠાં આંબાની લૂમ કોશાના હાથમાં આપે છે. એના પ્રત્યુત્તરમાં પોતાના અંગકૌશલ્યનો પરિચય આપતી કોશા સરસવના ઢગમાં પુષ્પ વીંટેલી સોય રાખીને નૃત્ય કરે છે. ત્યારે સોય તેને વાગતી પણ નથી કે પેલો ઢગલો વીંખાતો પણ નથી! આ બંને કૃત્યમાં અસાધારણ શક્તિ છે. ચમત્કાર છે.
તર્ક અને નિરીક્ષણ શક્તિનું સુંદર દૃષ્ટાંત પ્રાકૃત વસુદેવહિંડીના ગંધર્વદત્તા લંબકમાં આવતા ચમુદત્તના કથાનકમાં મળે છે. કેવળ પગલાંઓની વિવિધ સ્થિતિને આધારે ગોમુખ માનવ સ્ત્રી અને વિદ્યાઘર પુરુષની પ્રત્યેક ક્રિયાઓનું સૂક્ષ્મ વર્ણન આપે છે અને આપણા આજના જમાનાની જાદુઇ રહસ્ય કથાની જેમજ જિજ્ઞાસાને
37
Page #62
--------------------------------------------------------------------------
________________
અધ્ધર શ્વાસ રાખી પગલાંના નિરીક્ષણને આધારે બની ગયેલી ઘટના પરના રહસ્યનો પડદો પ્રતીતિ જનક બને એ રીતે ઊંચકે છે.
કલાવતી સતીની કથામાં જંગલમાં રહેલી ગર્ભવતી સતીના કપાયેલ કાંડા પાછા આવી જાય છે. ચંદનબાળા જ્યારે પ્રભુને વ્હોરાવે છે ત્યારે મુંડન થયેલી આ સ્ત્રી સુંદર રૂપવાળી બની જાય છે. પંચ દિવ્ય પ્રગટે છે. આ ચમત્કાર જ છે. આ ઉપરાંત જૈનકથાનકોમાં સ્વપ્ન દર્શન, નિમિત્તજ્ઞ દ્વારા તેનું કથન અને એવા જ બાળકનો જન્મ થવો વગેરે જોવા મળે છે. ‘કથા સરિત્સાગર'માં વત્સરાજ ઉદયનને કેદ કરવા માટે ઉજ્જૈનનો રાજા ચંડપ્રદ્યોત બનાવટી હાથીની યુક્તિ લડાવે છે. અભયકુમારની કેરીના ચોરને પકડવાની કથામાં રાક્ષસ રોજ અદ્દશ્ય થવાની વિદ્યાથી ચેલ્લણાના મહેલના ઉદ્યાનમાંથી કેરી ચોરી જતો અને અંતે અભયકુમાર યુક્તિથી તેને પકડે છે. આરામશોભાની કથામાં આરામશોભા જ્યાં જાય ત્યાં બગીચો એની સાથે જાય છે આવા અલગ અલગ ચમત્કાર જૈન કથામાં પણ પ્રચુર છે.
આ ઉપરાંત જાદુઇ ચમત્કારો જેવું જ નિરૂપણ ઘણી કથામાં છે. જેમકે પ્રાણીના પેટમાં દિવસો સુધી રહીને જીવતા બહાર નીકળતાં પાત્રોની ઘટના. વાતનુકૃત જયાનંદ કેવળી રાસમાં સં.૧૯૮૬માં ગજરોગ અને કોલેરા મટાડ્યાની વાત છે. ‘વસુદેવહિંડી’ના નીલયશા લંબકમાં કૃમિ અને કોઢના ઉપચારની ઘટના છે. ગંધોદક ઉપયોગનું કથાનક હિરષેણના કથાકોષના ૧૩મા કથાનકમાં છે.
આમ કથાઓમાં અનેક ચમત્કાર જોવા મળે છે.
આડકથાઓ અને પૂર્વજન્મની કથાઓઃ
સૌ પ્રથમ આગમકાલીન કથા જોતાં તેમાં દરેક પરમાત્માના પૂર્વ ભવોના વર્ણન આવે છે. તેમના સમકિત પામ્યા પછીના ભવોની ગણતરી કરી તેની કથા આપવામાં આવી છે. એમાં ત્રીજા ભવમાં ભગવાન તીર્થંકર નામકર્મ ઉપાર્જન કેવી રીતે કરે છે તે વર્ણવ્યું છે.
આગમેતર કથાઓમાં પણ બોધ આપવા અથવા પ્રસંગને અનુરૂપ આડકથાઓ તેમજ પૂર્વ જન્મની કથાઓ આવે છે. જેમાં ‘સમરાદિત્ય ચરિત્ર'માં ગુણસેનરાજાઅગ્નિશર્માની નવ ભવોની કથા વર્ણવી છે. તેમાં ચોથા ભવમાં યશોધરચિરત્ર બહુ વિચારવા જેવું છે. લોટના લૂકડાની હિંસા પણ ભયંકર દુઃખદાયક વિપાકવાળી થાય છે. એનું અદ્ભુત વર્ણન કર્યું છે.
‘તરંગવતી’માં તરંગવતી મૂર્છિત થાય છે અને આગળના ભવનું જ્ઞાન થાય છે. કથાના અંતમાં મુનિ ભગવંત ઉપદેશ આપે છે. ત્યારે પૂર્વભવની કથાનું વર્ણન ખૂબ
38
Page #63
--------------------------------------------------------------------------
________________
જ સુંદર રીતે આલેખ્યું છે.
કુવલયમાલા” કથામાં પણ આવા વૃતાન્તો આવે છે તેમજ જન્મ-જન્માન્તરની કથાઓ પણ વર્ણવી છે.
આ ઉપરાંત ઉપમિતિભવ પ્રપંચમાં પણ આડકથાઓ અને રૂપક કથાઓનું વર્ણન નિરૂપાયું છે. રસ નિષ્પતિઃ
ભોજન સ્વાદિષ્ટ ત્યારે બને જ્યારે તેમાં મસાલા સપ્રમાણ નાખ્યાં હોય. ભોજનની સ્વાદિષ્ટતા માટે મસાલા આવશ્યક છે. તેવીજ રીતે કથા ત્યારે જ સુંદર બને જ્યારે તેમાં વિવિધ રસો ભળે. કથાના પ્રવાહને આગળ વધારવા તેમજ કથા વસ્તુને મજબૂત તેમજ રસિક બનાવવા રસ આવશ્યક છે. તેમાં શુંગારરસની પ્રધાનતા છે. જૈન કથાઓમાં શૃંગાર, કરૂણ અને અંતે શાંત રસ હોય જ છે. જ્યારે પાત્રનો ભોગાવલી કર્મનો ઉદય છે ત્યારે શુંગારરસનું વર્ણન આવે છે. ત્યાર બાદ મુખ્ય પાત્ર જ્યારે દીક્ષા લે ત્યારે સ્વજન, સંબંધી શોકમય બને છે ત્યારે કરૂણ રસનું વર્ણન આવે છે. અંતે દીક્ષા લઈ વૈરાગ્ય વાસિત બની આરાધના દ્વારા દેવલોક કે મોક્ષસુખ પ્રાપ્ત કરે છે ત્યારે શાંત રસનું વર્ણન આવે છે.
આ ઉપરાંત પાપના ફળને બતાવવા બીભત્સ રસનું તેમજ ભયાનક રસનું વર્ણન આવે છે. તેમજ કથાને રસપ્રદ બનાવવા ચમત્કારો બતાવવામાં આવે છે. જેમકે, સોટી મારતા ચંદરાજાનું મૂર્ષિત થવું, ઝાડનું ઉડવું, આરામશોભાની કથામાં આરામ શોભા જ્યાં જાય ત્યાં બગીચો સાથે જાય, ચંદરાજાને મેલી વિદ્યાથી કૂકડો બનાવે, મંત્રોચારવાળું પાણી છાંટવાથી શ્રીપાળ કુંવરનો કોઢ મટી જાય છે. જલતરણી, શસ્ત્રહરણી વિદ્યા, રામાયણમાં પત્થરોનું પાણીમાં તરવું વગેરે અભુત રસ દ્વારા કથાને રસપ્રદ બનાવવામાં આવે છે.
રાજુલનો વિલાપ રજુ કરતા એવો કરૂણ રસ વર્ણવાયો છે જેનાથી વાચકની આંખમાં આંસુ આવી જાય છે. યુધ્ધોના વર્ણન દ્વારા વીર રસનું વર્ણન પણ કથામાં આગવું સ્થાન ધરાવે છે. પરમાત્મા જ્યારે દીક્ષા લે ત્યાર બાદ વિહાર કરતા જે ઉપસર્ગો સહન કરે છે તેમાં રસ ઉપસી આવે છે. તેઓની વીરતાના દર્શન થાય છે. તેઓ વગર શસ્ત્ર આ યુદ્ધમાં વિજેતા બને છે.
| વિક્રમ ચરિત્ર જેવી કથામાં હાસ્યરસની પ્રધાનતા જોવા મળે છે. શ્રીપાળકુંવર જ્યારે કુબડાનું રૂપ કરે છે ત્યારે તેનું વર્ણન વાંચતા વાચકને હાસ્ય આવી જાય છે. હાસ્યરસથી કથામાં નવો વળાંક આવે છે અને કથા વધુ રસપ્રદ પણ બને છે.
39.
Page #64
--------------------------------------------------------------------------
________________
દરેક કથામાં ખલનાયક પણ હોય જ છે. તેના ગુસ્સાનો ભોગ નાયક બને છે. ત્યારે રૌદ્ર રસનું વર્ણન પણ અદ્ભુત રીતે આલેખાય છે. મયણા સુંદરીના પિતા પ્રજાપાલ ગુસ્સો કરી અને મયણાને કોઢિયા પતિ સાથે પરણાવે છે તેમાં રૌદ્ર રસ વિનયવિજયજી મ.સા.એ અદ્ભુત રીતે વર્ણવ્યો છે. ગોશાળાની પ્રભુ પરની દ્વેષ ભાવના અને તેજોલેશ્યા છોડવી તેનું વર્ણન પણ હેમચંદ્રાચાર્યે ‘ત્રિષષ્ઠિશલાકા’માં સુંદર રીતે કર્યું છે. ‘સમરાદિત્ય ચરિત્ર’માં અગ્નિશર્મા તાપસનું ગુણસેન રાજાને ભવોભવ મારવાનું નિયાણુ વર્ણવ્યું છે. તેમાં રૌદ્ર રસ ગજબ રીતે વર્ણવાયો છે.
નેમ રાજુલની કથામાં શૃંગારરસનું વર્ણન મુખ્યપણે અલંકૃત કર્યું છે. આજે પણ આ બંને પાત્રો વધુ લોકપ્રિય બન્યા છે.
જૈન કથાઓની આગવી વિશેષતા છે કે અંતે તો કથાનાં બધા રસ શાંતરસમાં ફેરવાય છે. અને નાયક કે નાયિકા સંસાર સુખને ત્યાગી દ્વીક્ષા ગ્રહણ કરે છે.
ઉપદેશઃ
કથાના લક્ષણોમાં ઉપદેશ એ મહત્ત્વનું અંગ છે. દરેક કથામાં ઉપદેશ તો અવશ્ય આવે જ. કેટલીક કથામાં સીધો ઉપદેશ આપેલો હોય છે જ્યારે કેટલાકમાં પરોક્ષ ઉપદેશ આપ્યો હોય છે.
પ્રેમલા લચ્છીરાસમાં શીલ માહાત્મ્ય દર્શાવ્યું છે. વચ્ચે વચ્ચે પ્રસંગો યોજીને શીલ મહિમા લેખકે ગાયો છે. આમ, વસ્તુગૂંથણીમાં લેખકનું લક્ષ્ય શીલ તરફ જ છે.
ભરતેશ્વર બાહુબલિની કથામાં અહિંસાનો ઉપદેશ આપ્યો છે.
પેથડશાહ ની કથામાં બાર વ્રતનું મહત્ત્વ બતાવ્યું છે.
સમરાદિત્ય ચરિત્રમાં ક્રોધનો વિપાક બતાવ્યો છે.
હરીશ્ચંદ્રના રાસમાં હરીશ્ચંદ્ર કર્મની કસોટી પાર ઉતરે છે અને તે દ્વારા સત્યનો મહિમા ગાયો છે.
શ્રીપાળરાજાની કથામાં કર્મના સિધ્ધાંત, નવપદનો મહિમા, આદિ અનેક બાબતોને સાંકળી લીધી છે.
જૈન કથાઓનો હેતુ સમક્તિ પ્રાપ્ત કરી કર્મ સિધ્ધાત સમજી ઉત્તરોત્તર મોક્ષ પ્રાપ્તિનો હોય છે. માટે વર્ણનો ઘણા આવે છે પણ અંતે તો શરણું પરમાત્માનું લેવાની જ વાત કરવામાં આવી છે.
જૈન કથાઓમાં અંત આવે ત્યારે કોઇ મુનિ આવે, મુનિ ઉપદેશ આપે તે પાત્રો
40
Page #65
--------------------------------------------------------------------------
________________
સાંભળે, તે પછી કથાના પાત્રો પોતાના પૂર્વભવ વિષે પૂછે એટલે મુનિ પૂર્વભવની કથાઓ કહે. એ કથાઓ સાંભળી પાત્રો દીક્ષા લેવાનું નક્કી કરે, તે દીક્ષા લઈ સાધુજીવન ગુજારે. કેટલીક કથાઓમાં દીક્ષાનો ઉદય ન હોય તો પાત્ર બારવ્રત ધારણ કરે અને જૈનધર્મને અંગીકાર કરે છે.
જંબુસ્વામીની કથામાં કથા સાંભળતા પ્રભવ ચોર આદિ જંબુકુમારની આઠે પત્નીઓ અને તેમના સાસુ સસરા આદિ ધર્મ ઉપદેશ સાંભળી દીક્ષા લે છે. તરંગવતીની કથામાં તરંગવતી જ્યારે પોતાની કથા સંપૂર્ણ કરે છે ત્યારે શેઠ-શેઠાણી બાર વ્રતધારણ કરે છે.
જયાનંદ કેવલીની કથામાં જયાનંદ આદિ મળી છે પાત્રો દીક્ષા લે છે. દરેક તીર્થકરની કથામાં તીર્થકર પરમાત્મા દીક્ષા લે છે. અને ઉપસર્ગ સહન કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
આમ, જૈનકથાઓમાં દાન, શીલ, તપનો ઉપદેશ આપ્યો છે. પાંચ મહાવ્રતોનું મહત્ત્વ દર્શાવ્યું છે. કષાયોના ફળને બતાવી કષાયો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો પર પણ ઉપદેશ આપ્યા છે. ૮ મદ બતાવી મદ છોડવાનો ઉપદેશ પણ આપ્યો છે. વિશેષતાઓ -
જૈન આગમોમાં કુલકર, તીર્થકર, ચક્રવર્તી, શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા, નિન્દવ આદિના કથાનકો જોવા મળે છે. આ કથાઓના અવલોકનથી જણાય છે કે કોઇપણ વાર્તાને સમજવા માટે કાન્તા-સમ્મત પદ્ધતિ છે. તેથીજ નાની નાની કથાઓ કેટલીક ગંભીર વાતો કહી જતી હોય છે. આગામોમાં સિધ્ધાંતના ગૂઢ વિષયો સમજવા માટે પ્રતીક, દષ્ટાંત, રૂપક અને કથાની સહાય લેવામાં આવી છે. ઉપમાનો, પ્રતીકો વગેરેથી કથાનો વિકાસ-સાધવાની પરંપરા વેદો, મહાભારત અને બૌધ્ધ સાહિત્યના ગ્રંથોમાં પણ છે પરંતુ જૈન સાહિત્યે તેમાં વિશેષ રુચિ દર્શાવી છે.
આગમિક કથાઓનો વિકાસ મનોવૈજ્ઞાનિક ઢબે થયો છે. કથાના વિકાસનું પ્રથમ સ્તર અસંભવથી દુર્લભ તરફ જવાનું છે. આગમ કથા કહે છે કે સંસારમાં રહીને મુક્તિ પ્રાપ્ત કરવી અસંભવિત છે. તેથી મુક્તિ પ્રત્યે ઉત્કંઠા જાગે છે ત્યારે કથા સાંભળનાર પૂછે છે કે-શું સાચે સાચ સંસારીને મુક્તિ મળતી નથી? તેના ઉત્તરમાં કથાકાર કહે છે કે-ના, એ વ્યક્તિ(તીર્થકર) જેવું તપ કોઈ તપ કરે તો તેને મુક્તિનો અનુભવ થાય છે. આથી મુક્તિ અસંભવિત સ્થિતિમાંથી દુર્લભ સ્થિતિમાં આવી જાય છે. આ જિનોનું આદર્શ જીવન પ્રસ્તુત કરવાની ભૂમિકા છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
મુક્તિ તપશ્ચર્યાથી સંભવિત છે. આ વાત સમજવામાં આવ્યા પછી એ તપશ્ચર્યાને સંભવિતમાંથી સુલભ દર્શાવવા માટે બીજી કથાઓ કહેવામાં આવે છે. નૈતિક આચરણ, શ્રાવક ધર્મ, દૈનિક અનુષ્ઠાન, કર્મસિધ્ધાંત વગેરે કથાઓ મુક્તિને સંભવિતમાંથી સુલભ બનાવીને તેમાં જન સમુદાયની રુચિ ઉત્પન્ન કરે છે.
આગમ કાળની કથાઓની પ્રવૃતિઓના વિ ષણના સંબંધમાં ડૉ.એ.એન.ઉપાધ્યાયનું આ કથન યોગ્ય જ જણાય છે. “આરંભમાં જે માત્ર ઉપમાઓ હતી તેને બાદમાં વ્યાપકરૂપ આપવા અને ધાર્મિક મતાવલંબિયોના લાભ માટે તેમની પાસેથી ઉપદેશ લેવા માટે તેને કથાત્મક રૂપ આપવામાં આવ્યું છે. આ જ આધાર પર ઉપદેશ પ્રધાન કથાઓ વર્ણનાત્મક રૂપે અથવા જીવંત વાર્તાઓ રૂપે વિકસાવવામાં આવી છે. તથા આગમિક કથાઓની મુખ્ય વિશેષતા તેની ઉપદેશાત્મક અને આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. પરંતુ ક્રમશઃ તેમાં વિકાસ થતો રહ્યો છે. ઉપદેશ, અધ્યાત્મ, ચરિત્ર, નીતિથી આગળ વધીને કેટલાક આગમોની કથાઓ શુધ્ધ લૌકિક અને સાર્વભોમિક બની ગઈ છે. એ જ કારણ છે કે આ કથાઓને જો સ્વરૂપમુક્ત કહેવામાં આવે તો એ વિશેષ ન્યાય યુક્ત કહેવાશે. આલ્સડો આગમિક કથાઓની શૈલીને ‘ટેલિગ્રાફિક સ્ટાઇલ’ કહી છે.
આગમ ગ્રંથોની કથાઓની વિષય વસ્તુ વિવિધ પ્રકારની છે. તેથી આ કથાઓનો સંબંધ પરવર્તી કથા સાહિત્ય સાથે લાંબા સમયથી રહ્યો છે."
ડૉ.વિન્ટરનિસે કહ્યું છે કે “શ્રમણ સાહિત્યનો વિષય માત્ર બ્રાહ્મણ, પુરાણ અને ચારિત્ર કથાઓમાંથી જ લેવામાં આવ્યો નથી પરંતુ લોક કથાઓ અને પરિકથાઓ વગેરેમાંથી પણ ગ્રહણ કરાયો છે.”
પ્રો.હર્ટલ પણ જેન કથાઓની વિવિધતાથી પ્રભાવિત થયા છે. તેમનું કહેવું છે કે- જેનોનું કથા સાહિત્ય મૂલ્યવાન છે. તેમના સાહિત્યમાં જુદા જુદા પ્રકારની કથાઓ પ્રાપ્ત થાય છે. જેમકે પ્રેમાખ્યાન, ઉપવાસ, દૃષ્ટાંત, ઉપદેશપ્રદ પશુકથાઓ વગેરે કથાઓના માધ્યમથી તેમણે પોતાના સિધ્ધાંતો અને સાધારણ સુધી પહોંચાડ્યા છે.*
આગમ ગ્રંથોની કથાઓની એક વિશેષતા એ પણ છે કે એ પ્રાયઃ યથાર્થ સાથે સંકળાયેલી છે. તેમાં અલૌકિક તત્ત્વો અને ભૂતકાળના ઘટનાઓના ઉલ્લેખો ઓછા છે. કોઇપણ કથા વર્તમાન કથા નાયકના જીવનની સાથે શરૂ થાય છે. પછી તેને બતાવવામાં આવે છે કે-તેના વર્તમાન જીવનનો સંબંધ ભૂત અને ભવિષ્યકાળ સાથે કેવી રીતે છે. આવી સ્થિતિમાં શ્રોતા કથાના પાત્રો સાથે આત્મીય બની જાય છે. જ્યારે વૈદિક કથાઓની અલૌકિકતા ચમત્કારિક લાગે છે. પણ તેની સાથે નિકટતાનો ભાવ અનુભવાતી નથી.
Page #67
--------------------------------------------------------------------------
________________
સાંસ્કૃતિક મૂલ્યાંકનઃ
આગમ ગ્રંથોમાં પ્રાપ્ત થતી સમાજ, સંસ્કૃતિ અને રાજનીતિ વગેરેની સામગ્રીનું મહત્ત્વ એ માટે વિશેષ છે કે આ યુગના અન્ય ઐતિહાસિક સાધનો ઓછાં પ્રાપ્ત થાય છે. તેથી આ જ સાહિત્યિક પુરાવા પર આધાર રાખવો પડે છે. જૈન મુનિઓ દ્વારા લખવામાં આવેલ અથવા સંકલિત કરવામાં આવેલ આગમ ગ્રંથોમાં અતિશયોક્તિઓ હોવા છતાં પણ યથાર્થ ચિત્રણ વિશેષ છે, જે સંસ્કૃતિના મૂલ્યાંકન માટે જરૂરી છે. આ આગમ કથાઓમાં પ્રાપ્ત થતી સાંસ્કૃતિક સામગ્રીના મૂલ્યાંકન માટે સૂક્ષ્મ અધ્યયનની જરૂર છે. તથા સમકાલીન અન્ય પરંપરાના સાહિત્યની જાણ રાખવી પણ જરૂરી છે.
ભાષાત્મક દૃષ્ટિએ-આગમિક-ક્રિયાઓની ભાષાનું સ્વરૂપ અને તેના સ્તરને સમજવા માટે વ્યાખ્યા સાહિત્યમાં કરવામાં આવેલ વ્યુત્પત્તિઓને પણ જોવી જરૂરી છે. પ્રકાશિત સંસ્કરણોની સાથે જ ગ્રંથોની પ્રાચીન પ્રતોમાં અંકિત ટિપ્પણ પણ આગમોની ભાષાને સ્પષ્ટ કરે છે.
જ્ઞાતા ધર્મકથામાં મેઘકુમારની કથામાં તેને અઢાર જુદા જુદા પ્રકારની દેશી ભાષાઓનો વિશારદ કહ્યો છે. કુવલયમાલાકહામાં આ ભાષાઓના નામની સાથે સાથે તેમના ઉદાહરણ પણ આપ્યાં છે. આ કથાઓમાં જુદાજુદા પ્રસંગોમાં કેટલાય દેશી શબ્દોનો પ્રયોગ થયો છે. આગમ શબ્દકોશમાં એવા શબ્દોનું સંકલન કરીને સ્વતંત્ર રૂપે વિચાર થવો જોઇએ.' કાવ્યતત્વઃ
આગમગ્રંથોની કથાઓમાં ગદ્ય અને પદ્ય બંનેનો પ્રયોગ થયો છે.
કથાકારોનાં અધિકાંશ વર્ણનો જો કે વર્ણક રૂપે સ્થિર થઇ ગયા હતા. નગરવર્ણન, સૌંદર્યવર્ણન વગેરે જુદી જુદી કથાઓમાં એકસરખા મળે છે. તેથી સ્મરણની સુવિધાના કારણે તેની પુનરાવૃત્તિ ન કરતા જાવ' પધ્ધતિ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો. પરંતુ કેટલાક વર્ણનો વિશુધ્ધરૂપે સાહિત્યિક છે. સંસ્કૃતના ગદ્ય સાહિત્યની સૌન્દર્ય-સુષમા તેમાં જોઈ શકાય છે. પ્રાચીન ભારતીય ગદ્ય સાહિત્યના ઉદ્ભવ અને વિકાસના અધ્યયન માટે આ કથાઓના ગડ્યાંશને મૌલિક આધાર માની શકાય.
ઉતરાધ્યયનની કથાઓ પદ્યમાં જ વર્ણિત છે. તેમાં અનેક અલંકારોનો પ્રયોગ થયો છે. કેટલીક ઉપમાઓ અને દૃષ્ટાંતો અહીં પ્રસ્તુત છે.*
43
Page #68
--------------------------------------------------------------------------
________________
ઉપમાઓ
દૃષ્ટાંતો મસી વિયોવસી (૯.પ૩)
દાવાગ્નિનું દષ્ટાંત (૧૪.૪૨) સદ સીદો વ મિયંકાહાય (૧૩.રર)
પક્ષીનું દૃષ્ટાંત (૧૪.૪૬) પંવા વિશે a નહેર પવિત્ત (૧૪.૩૦) મૃગ (૧૯૭૭) વિવન્તસારો વણિકો ન પોઢ (૧૪.૩૦) ગોવાળ (રર.૪૫) 'ગો તોર મારો વ (૧૯૩૫)
ભાથું (૧૯૧૮) સત્ય નહીં વરમતિવવવ (ર૦.૨૦)
બળતું ઘર (૧૯.૨૨) સિરે વૂડામણી નહીં (રર.૧૦)
ત્રણ વણિક (૭.૧૪) આ પ્રમાણે ઉપમાઓ વગેરે જો બધી જ કથાઓની એકઠી કરી તેનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવે તો ભારતીય કાવ્યશાસ્ત્રના ઇતિહાસ માટે કેટલાય નવા ઉપમાનો અને બિંબો મળી શકે. કથાનક રૂઢિઓ અને મોટીફક્સ -
કથાઓના તુલનાત્મક અધ્યયન માટે તેના મોટિફક્સ (કથાઘટકો) અને કથાનકોની રૂઢિઓનું અધ્યયન કરવું ઘણું જ જરૂરી છે. તેનાથી કથાના મૂળ તેમજ વિકાસને શોધી શકાય.(સત્યેન્દ્ર લોક સાહિત્ય વિજ્ઞાન) પાલી-પ્રાકૃતની કથાઓમાં કેટલીય સરખી કથાનક રૂઢિઓનો પ્રયોગ થયો છે.”
મહાપુગોમાં જો કે કેટલીય કથાઓ પ્રયુક્ત થયેલી છે. તેમના વ્યક્તિ વાચક નામોની સંખ્યા હજાર ઉપર હોઈ શકે. પરંતુ તેમાં જે મોટિફસ-કથાઘટકોનો પ્રયોગ થયો છે તે એકસો જેટલા હશે, તેમની જ પુનરાવૃતિ કેટલીય કથાઓમાં થતી રહે છે. આ કથાઓના કેટલાક કથાઘટકો જોવા લાયક છે. ૧. શિષ્યની જિજ્ઞાસાનું ગુરુ દ્વારા સમાધાન. ૨. માતા દ્વારા સ્વપ્ન દર્શન અને પુત્રજન્મ. ૩. ગર્ભિણી સ્ત્રીનો દોહદ. ૪. મુનિ ઉપદેશથી વૈરાગ્ય. ૫. માતાપિતા અને પુત્ર વચ્ચે વૈરાગ્ય સંબંધી વાર્તાલાપ. ૬. પૂર્વ-ભવ કથન અને જાતિ સ્મરણ. ૭. બે પ્રતિપક્ષી ચરિત્રોનું 4%.
Page #69
--------------------------------------------------------------------------
________________
૮. વૈરાગ્યની પરીક્ષામાં પાર ઉતરવું. ૯. અન્યધર્મોથી પોતાના ધર્મની શ્રેષ્ઠતા.
૧૦. પુત્ર-પુત્રીઓની બુધ્ધિ પરીક્ષા. ૧૧. મિત્રોની વચ્ચે માયાચારની ઘટના. ૧૨. હિંસા ટાળવા માટે યુક્તિ.
૧૩. સાગર ચાત્રામાં નૌકાનું ભગ્ન થવું. ૧૪. અસંભવને સંભવ કરવું.
૧૫. મુનિ પ્રત્યે ઘૃણા અને નિંદાથી જન્માંતરે કલેશ. ૧૬. અતિવૈભવશાળી નાયકનો વૈભવ ત્યાગ.
૧૭. ગુરુના ન્યાય પ્રિયતાથી ધર્મની પ્રભાવના.
૧૮. નારી હઠનું દુષ્પરિણામ.
૧૯. પૂર્વના વૈરી દ્વારા સાધનામાં ઉપસર્ગ. ૨૦. સાસુ-વહુમાં દ્વેષ.
આ પ્રમાણે જો આગમની કથાઓનું એક પ્રામાણિક મોટિક્સ-ઇન્ડેકસ તૈયાર કરવામાં આવે તો આ કથાઓની મૂળ ભાવનાને સમજવામાં તો સહયોગ મળશે જ, તેમના વિકાસ-ક્રમને પણ સમજી શકાશે.
સામાજિક જીવનઃ
આગમગ્રંથોની કથાઓમાં મૌર્યયુગ અને પૂર્વ ગુપ્ત યુગના ભારતીય જીવનનું ચિત્રણ થયું છે. ત્યાં સુધીમાં ચર્તુવર્ણ વ્યવસ્થા વ્યાપક થઇ ચૂકી હતી. આ કથાઓમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના પણ કેટલાક ઉલ્લેખો છે. બ્રાહ્મણ માટે ‘માહણ’ શબ્દનો, પ્રયોગ અધિક થયો છે. મહાવીરને પણ ‘માહણ’ અને ‘મહામાહણ’ કહેવામાં આવ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં બ્રાહ્મણોના યજ્ઞોનો પણ ઉલ્લેખ છે, જેને આધ્યાત્મિક યજ્ઞોમાં બદલવાની વાત આ જૈન કથાકારોએ કહી છે.
૨૮
ક્ષત્રિયો માટે ‘ખત્તિય' શબ્દનો અહીં પ્રયોગ થયો છે. આ કથાઓમાં અનેક ક્ષત્રિય રાજકુમારોના શિક્ષણ અને દીક્ષાનું પણ વર્ણન છે. વૈશ્યો માટે ઇલ્ય, શ્રેષ્ઠી, કૌટુમ્બિક, ગાહાવઇ વગેરે શબ્દોનો પ્રયોગ થયો છે. (જૈન, જગદીશચંદ્રઃ જૈ.આ.સા.મેં.ભા.સ.પૂ ૨૨૯) હરિકેશ ચાંડાલ અને ચિત્ત-સંભૂત માતંગોની કથાના માધ્યમથી એક તરફ જ્યાં તેમના વિદ્યા પારંગત અને ધાર્મિક હોવાની સૂચના છે, ત્યાં સમાજમાં તેમના પ્રત્યે અસ્પૃશ્યતાનો ભાવ પણ સ્પષ્ટ દેખાય છે.
ર૯
ચાંડાળોના કાર્યોનું વર્ણન પણ અંતકૃદ્ઘશાની એક કથામાં મળે છે.”
45
Page #70
--------------------------------------------------------------------------
________________
આ કથાઓના અધ્યયનથી જણાય છે કે તે વખતનું પારિવારિક જીવન સુખી હતું. રોહિણીની કથા સંયુક્ત પરિવારના આદર્શને ઉપસ્થિત કરે છે. જેમાં પિતા મોવડી ગણાતો હતો." સંકટ ઉપસ્થિત થતાં પુત્રો પોતાના પ્રાણોની આહુતિ પણ પિતા માટે આપવા તૈયાર રહેતા. પોતાના સંતાન માટે અખૂટ પ્રેમના કેટલાક દશ્યો આ કથાઓમાં છે. જેમકે મેઘકુમારની દીક્ષાની વાત સાંભળીને તેની માતા અચેતન બની ગઇ હતી.
32
આગમોની કથાઓમાં જુદા જુદા સામાજિક લોકોનો ઉલ્લેખ છે. જેમકેતલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, મહાસાર્થવાહ, મહાગોપ, સુવર્ણકાર, ચિત્રકાર, ગાથાપતિ, સેવક વગેરે. ગજસુકુમારની કથા પરથી જાણી શકાય કે- પરિવારના સભ્યોના નામોમાં સમાનતા રહેતી હતી જેમકેસોમિલપિતા, સોમશ્રી માતા, સોમા પુત્રી. જન્મોત્સવ ઉજવવાની પ્રથા પ્રાચીન છે. જેમાં જણાય છે કે તેમાં ઉપહાર પણ આપવામાં આવતા હતા. રાજકુમારી મલ્લીની જન્મગાંઠ પર શ્રીદામકાંડ નામનો હાર આપવામાં આવ્યો હતો.
33
આ કથાઓથી એ પણ જાણી શકાય છે કે તે સમયે સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવતા હતા. નંદમણિયારની કથાથી જણાય છે કે તેણે જનતા માટે એક એવી પરબ બનાવરાવી હતી કે જ્યાં છાયાવાળા વૃક્ષોના વનખંડો, મનોરંજક ચિત્રસભા, ભોજન શાળા, ચિકિત્સા શાળા, અલંકાર સભા વગેરેની વ્યવસ્થા હતી.”
સમાજ કલ્યાણની ભાવના તે વખતે વિકાસ પામી હતી. રાજા પ્રદેશીએ પણ શ્રાવક બનવાનો નિશ્ચય કરીને પોતાની સંપત્તિના ચાર ભાગ કર્યા હતા. તેમાંથી કુટુંબના પોષણ સિવાયનો એકભાગ સાર્વજનિક હિતકાર્યો માટે હતો, જેનાથી દાનશાળા વગેરેની સ્થાપના કરવામાં આવી હતી.પ
આ કથાઓમાં પાત્રોના અપાર વૈભવનું વર્ણન છે.
૩૬
દેશમાંનો વ્યાપાર ઉપરાંત વિદેશો સાથેનો વ્યાપાર પણ ઉત્કૃષ્ટ રીતે ચાલતો હતો. તેથી સમાજની આર્થિક સ્થિતિ સારી હતી. વાણિજ્ય-વ્યાપાર અને ખેતી વગેરેના ઇતિહાસ માટે આ કથાઓમાં સારી એવી સામગ્રી પ્રાપ્ત થાય છે. સમુદ્રયાત્રા અને સાર્થવાહના જીવન સંબંધી તો આ જૈન કથાઓમાંથી પ્રચુર માહિતી મળે છે. જે અન્યત્ર કયાંય નથી મળતી.
રાજ્યવ્યવસ્થાઃ
પ્રાકૃતની કથાઓમાં રાજ્યવ્યવસ્થા સંબંધી વિવિધ પ્રકારની જાણકારી મળે છે.
46
Page #71
--------------------------------------------------------------------------
________________
ચમ્પાના રાજા કૃણિકની કથાથી તેની સમૃધ્ધિ અને રાજકીય ગુણોની માહિતી મળી શકે છે.
રાજગાદી વંશપરંપરાથી મળતી હતી. રાજા દીક્ષિત થતા પહેલા પોતાના પુત્રને રાજપદ પર સ્થાપિત કરતો હતો. પરંતુ ઉદાયન રાજાની કથાથી જાણી શકાય છે કે તેણે પોતાને પુત્ર હોવા છતાં પણ પોતાના ભાણેજને રાજ્ય સોપ્યું હતું.”
નંદીવર્ધન રાજકુમારની કથાથી જાણવામાં આવે છે કે તે પોતાના પિતા વિરુધ્ધ ષડયંત્ર રચીને રાજ્ય મેળવવા ઈચ્છતો હતો.*
રાજ્ય વ્યવસ્થામાં રાજા, યુવરાજ, મંત્રી, સેનાપતિ, ગુપ્તચર, પુરોહિત, શ્રેષ્ઠી વગેરે વ્યકિતઓ મુખ્ય ગણાતી. અપરાધ અને દંડ વ્યવસ્થા માટે આ સાહિત્યમાં એટલી બધી સામગ્રી મળે છે કે તે પરથી પ્રાચીન દંડ વ્યવસ્થા ઉપર સ્વતંત્ર ગ્રંથ લખી શકાય. જૈન કથાકારોએ રાજકુળો અને રાજાઓના ઉલ્લેખો પોતાની કથાઓમાં પ્રભાવ પાડવા માટે કર્યા છે. પરંતુ કેટલાક સ્થળે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. ધાર્મિક મતમતાંતર:
આગમોની આ કથાઓમાં જૈન ધર્મ અને દર્શનના જુદા જુદા પાસા પ્રદર્શિત થયાં જ છે. સાથે સાથે અન્ય ધર્મો અને મતોના વિષયમાં આનાથી વિવિધ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે. આર્દ્રકુમારની કથાથી શાક્ય શ્રમણોના વિષયમાં સૂચના મળે છે. ધન્ય સાર્થવાહની કથામાં જુદા જુદા પ્રકારની વિચારધારાઓને માનનારા પરિવ્રાજકોનો ઉલ્લેખ છે. જેમકે-ચરક, ચીરિક, ચર્મખંડિક, મિચ્છુડ, પાંડુરંગ, ગૌતમ, ગોવતી, ગૃહધર્મી, ધર્મચિંતક, અવિરુધ્ધ, બુધ્ધ, શ્રાવક, રકતપટ આદિ.* * આ સઘળાની માન્યતાઓને જો વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવે તો કેટલીક નવી ધાર્મિક અને દાર્શનિક વિચારધારાઓની માહિતી મળી શકે તેમ છે. સંકટ સમયે કેટલાક દેવતાઓનું લોકો સ્મરણ કરતા. તેમના નામો આ કથાઓમાં મળે છે." સ્થાપત્ય અને કળા:
આગમોની આ કથાઓમાં કેટલાક કથા નાયકોના ગુરુકુળ-શિક્ષણનું વર્ણન છે. મેઘકુમારની કથામાં ૭ર કળાઓના નામો આપ્યા છે. અન્ય કથાઓમાં પણ એમનો ઉલ્લેખ આવે છે. ૭ર કળાઓમાં સંગીત, વાદ્ય, નૃત્ય, ચિત્રકળા વગેરે મુખ્ય કળાઓ છે. જેમનો જીવનમાં અનેક પ્રકારે ઉપયોગ થતો હતો. આ દૃષ્ટિએ રાજા પ્રદેશની કથા વિશેષ મહત્ત્વપૂર્ણ છે. તેમાં ૩ર પ્રકારની નાટ્યવિધિઓનું વર્ણન છે.*
47
Page #72
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતાધર્મકથામાં મલ્લિની કથા ચિત્રકળાની વિશેષ સામગ્રી રજૂ કરે છે. મલ્લિની સુવર્ણ પ્રતિમાનું નિર્માણ મૂર્તિકળાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્થાપત્ય કળાની પ્રચૂર સામગ્રી રાજા પ્રદેશીની કથામાંથી પ્રાપ્ત થાય છે. રાજ પ્રાસાદના વર્ણનો અને શ્રેષ્ઠીઓના વૈભવના દેશ્યોની રજૂઆત વગેરેમાં પણ પ્રાસાદો અને ક્રીડાગૃહોના સ્થાપત્યનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તમામ સામગ્રીને એક સ્થળે એકઠી કરીને તેને પ્રાચીન કળાના સંદર્ભમાં મૂલવવી જોઇએ.૪૩ ભૌગોલિક વિવરણ:
પ્રાકૃતની આ કથાઓનો વિસ્તાર માત્ર ભારતમાં જ નહિ, પરંતુ બહારના દેશો સુધી થયો છે. આ કથાઓના કથાકારો સ્વયં સમગ્ર દેશમાં પગપાળા ફરતા રહ્યા છે. તેથી તેઓએ જુદા જુદા જનપદો, નગરો, ગામો, વનો અને જંગલોની પ્રત્યક્ષ જાણકારી મેળવી છે અને તેને પોતાની કથાઓમાં રજૂ કરી છે. કેટલુંક પૌરાણિક ભૂગોળનું પણ વર્ણન છે. પરંતુ વિશેષરૂપે દેશની પ્રાચીન રાજધાનીઓ, પ્રદેશો, જનપદો, નગરો વગેરે સંબંધી વર્ણન છે.
અંગદેશ, કાશી, ઇક્વાકુ, કુણાલ, કુરુ, પાંચાલ, કૌશલ વગેરે જનપદો, અયોધ્યા, ચંપા, વારાણસી, શ્રાવસ્તી, હસ્તિનાપુર, દ્વારિકા, મિથિલા, સાકેત, રાજગૃહ વગેરે નગરોના ઉલ્લેખોને જો બધી કથાઓમાંથી એકઠા કરવામાં આવે તો પ્રાચીન ભારતના નગરો અને નાગરિક જીવન પર નવો જ પ્રકાશ પડી શકે. આધુનિક ભારતના કેટલાક ભૌગોલિક સ્થાનોના ઇતિહાસમાં આનાથી પરિવર્તન આવવાની શકયતા છે. આ દિશામાં કેટલાક વિદ્વાનોએ કાર્ય પણ કર્યું છે. પરંતુ તેમાં આ કથાઓની સામગ્રીનો પણ ઉપયોગ થવો જોઈએ.*
આમ સમગ્ર રીતે વિચાર કરતા આગમકાળની વાર્તાઓનું બંધારણ એટલે વિવિધ વિષયો, પાત્રો, વર્ણનો, ચમત્કારો, આડકથાઓ, પૂર્વજન્મની કથાઓ, રસનિષ્પતિ, ઉપદેશ, કાવ્યતત્ત્વ, કથાનક, રૂઢિઓ અને મોટિક્સ વગેરેનું રસપ્રદ સંયોજન અથવા ગૂંથણી કહી શકાય.
તે ઉપરાંત કથાઓમાં સાંસ્કૃતિક મૂલ્યાંકન, સામાજિક જીવન, રાજ્ય વ્યવસ્થા, ધાર્મિક મતમતાંતર, સ્થાપત્ય અને કળા, ભૌગોલિક વિવરણ વગેરેનું આલેખન થતું જોવા મળે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
પાદનોંધ :
નંબર
પુસ્તકનું નામ
લેખક
પેજ ન આવૃતિ
૧. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
હસુ યાજ્ઞિક
૨૧
૨. મધ્યકાલીન ગુજરાતી કથાકોષ
હરિવલ્લભ ભાયાણી
- ૧૦
૧૯૯૧
- ૩. ધન્યધરા શાશ્વત સૌરભ ભાગ-૧
૨૭૨
નલિનાક્ષ પંડયા સં.નંદલાલ દેવલુક
ડૉ. સાગરમલ જેન
૪. જૈન કથાસાહિત્ય એક સમીક્ષાત્મક
સર્વેક્ષણ
૫. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
હસુ યાજ્ઞિક
૬. જૈન સાહિત્યનો સ્વાધ્યાય
ડૉ.કવિન શાહ
૭. પ્રબુધ્ધ જીવન
ડૉ.કાંતિભાઈ બી શાહ
૧૬
ઇ.સ ૨૦૦૯
૮. ધર્મકથાનુયોગ
મુનિશ્રી કન્ડેયાલાલ પૂ ‘કમલ”
શ્રી ગુણવંત બરવાળિયા
વર્ષ ૫૯
૯. પ્રબુધ્ધ જીવન(ઓગ-સપ્ટ-ર૦૧૨)
(પર્યુષણ વિશેષાંક)
૧૦. જેનરત્ન ચિંતામણી
ડૉ.પ્રહલાદ ગ.પટેલ (સં.નંદલાલ દેવલુક)
૧૦.૧. જેન રત્ન ચિંતામણી
ડૉ.સાગરમલ જૈન
૧૧. જેનકથા સાહિત્ય: એક સમીક્ષાત્મક
સર્વેક્ષણ તિન્યૂયર વર્ષ ૩૨, અંક-૪
૧૯૫થી૨૦૦ ૨૩૭થીર૪૪
૧૨. જેન કથાસાહિત્યનો સ્વાધ્યાય
ડૉ.કવિન શાહ
૧૩. જૈન રત્ન ચિંતામણી
પ્રહલાદ ગ.પટેલ
૧૪. સમરાઇઍ કહા
હરિભદ્રસૂરિ
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૫. પ્રબુધ્ધજીવન (જૈન કથા સાહિત્ય એક વિહંગદર્શન)
૧૬. જૈનકથા સાહિત્ય: એક સમીક્ષાત્મક સર્વેક્ષણ
૧૭. જૈનકથા સાહિત્યઃ એક સમીક્ષાત્મક સર્વેક્ષણ
૧૮. બૃહન્દુ કથાકોષ
૧૯. પ્રાકૃત જૈન કથા સાહિત્ય
૨૦. દો હજાર વર્ષ પુરાની કહાનિયા
૨૧. ધી જેન્સ ઇન ધી હીસ્ટરી ઓફ ઇન્ડિયન લિટરેચર
૨૨. ઓન ધી લીટરેચર ઓફ ધી શ્વેતામ્બરઝ ઓફ ગુજરાત
ર૩. પ્રાકૃત જૈન કથાસાહિત્ય
૨૪. ધમ્મકહાણુ શ્રમણકથા
૨૫. કુવલયમાલા કહાકા સાંસ્કૃતિક
અધ્યયન
૨૬. ઉત્તરાધ્યયનઃ એક સમીક્ષાત્મક અધ્યયન
૨૭. પાલિ-પ્રાકૃત કથાઓમાં પ્રયુક્ત અભિપ્રાય એક અધ્યયન
૨૮. ઉત્તરાધ્યયન ૧૨મું અધ્યયન ગાથા-૪૪
૨૯. ઉત્તરાધ્યયન ૧૨મું અધ્યયન ગાથા-૧૩
૩૦. અંતઃ કૃતદશા ૪થું અધ્યયન
ડૉ.કાંતિભાઇ બી શાહ
ડૉ.સાગરમલ જૈન
ડૉ.સાગરમલ જૈન
ડૉ.એ.એન.ઉપાધ્યાય
જગદીશ ચંદ્ર
જગદીશ ચંદ્ર
મુનિ જિનવિજય
પ્રો.હર્ટેલ
જગદીશચંદ્ર
જૈન પ્રેમસુમન
રાજસ્થાન ભારતી
50
૬થી૯
૧૯૫
८
૧૬૮
પ
૬
'
૮.પેરા:૩૨૬
૫૬
૪૬૧
૧૯૬૯
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૧. જ્ઞાતાધર્મકથા ૭મું અધ્યયન
૩૨. જ્ઞાતાધર્મકથા ૧૮મું અધ્યયન
૩૩. જ્ઞાતાધર્મકથા-મલ્લીકથા
૨૩૦,૨૪૪ આદિ
૩૪. જ્ઞાતાધર્મકથા
૩૪૨-૩૪૫
૩૫. રાયપરોણીય સૂત્ર-૫૮ ધમ્મમૂળ શ્રમણોપાસક કથા
૨૮૬
૩૬. જૈન જગદીશચંદ્ર જૈન આગમ સામે.ભા.સ.
૩૭. પપાતિક સૂત્ર
૩૮. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
૧૩.૬
૩૯. વિપાકસૂત્ર
૪૦. જ્ઞાતાધર્મકથા
૩૫,૩૮
૪૧. જ્ઞાતાધર્મકથા
૨૩૭
૪૨. ધમ્મકહાણુ મૂળ શ્રમણોપાસક કથા
૨૫૩
૪૩. ડૉ.ઘોષ જેને સ્થાપત્ય એવં કલા ભાગ ૧-૩
૪૪. ઉત્તરાધ્યયન સૂત્ર: એક સમીક્ષાત્મક અધ્યયન
૩૭૧
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૨ જૈન કથા સાહિત્યના સર્જકોની કથાઓની સમીક્ષા
આગમકાલીન અને આગનેતર જ્ઞાતાધર્મકથા સૂત્ર -
જ્ઞાતા ધર્મકથાસૂત્ર ગણધરત છઠું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં કેટલીક કથાઓ ઐતિહાસિક છે તો કેટલીક કથાઓ કલ્પિત છે. આ બધી જ કથાઓનો ઉદ્દેશ વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અથવા શિક્ષા દેવાનો છે.
આ કથાઓમાં શ્રધ્ધાનું મહત્ત્વ, આહાર કરવાનો ઉદ્દેશ, અનાસક્તિ, ઇન્દ્રિય વિજય, વિવેકબુધ્ધિ, ગુણવૃધ્ધિ, પુદગલ સ્વભાવ, કર્મવિપાક, ક્રમિક વિકાસ કામભોગોનું દુષ્પરિણામ, સહનશીલતાના માધ્યમથી સંયમની આરાધના- વિરાધના અને દુર્ગતિ સદ્ગતિ આદિ વિષયો ઉપર સરળ ભાષામાં પ્રકાશ પાડ્યો છે. આ કથાઓ જીવન ઉત્થાનને માટે ચિંતન-મનન કરવા યોગ્ય છે.
દ્વિતીય શ્રુતસ્કંધમાં સંયમ આરાધના કરી દેવલોકમાં જનારી ર૦૬ સ્ત્રીઓનું વૃત્તાંત છે. બધી સ્ત્રી પર્યાયમાં સંયમ સ્વીકારી દેવીના રૂપમાં ઉત્પન્ન થઈ છે. દેવ ભવ પછી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સંયમની શુધ્ધ આરાધના કરી મુક્તિ મેળવશે.
આ પ્રમાણે આ આગમ કથા પ્રધાન છે.
પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયન છે. દ્વિતીય શ્રુતસ્કંધના કુલ ર૦૬ અધ્યયન છે. સંપૂર્ણ સૂત્ર પપ૦૦ શ્લોક પ્રમાણ છે. આ સૂત્રમાં શિક્ષાપ્રદ દષ્ટાંત હોવાથી તેનું નામ જ્ઞાતા ધર્મકથાસૂત્ર રાખવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં તેને જ્ઞાતાસૂત્ર પણ કહેવામાં આવે છે.'
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર” અંગે ડૉ.કેતકી શાહ કહે છે કે, “જ્ઞાતા ધર્મકથામાં બે શ્રુતસ્કંધમાં ઓગણીસ જ્ઞાત ઉદાહરણરૂપ અધ્યયનો છે. બીજા શ્રુતસ્કંધમાં સાડાત્રણ કોડ વાર્તાઓ હોવાનો ઉલ્લેખ મળે છે. પણ વર્તમાને તેટલી કથાઓ ઉપલબ્ધ નથી. વર્તમાનમાં ૧૯+૨૦૬=રરપ કથાઓ છે. આ સૂત્રની રચના મુખ્ય તથા ગદ્યશૈલીમાં છે. વચ્ચે-વચ્ચે કોઈક સ્થળે પદ્યાંશ પણ જોવા મળે છે.*
જો આચારાંગ સૂત્ર સાધુ ભગવંતોની આચાર પોથી છે તો દશવૈકાલિક સૂત્ર બાળપોથી છે તો જ્ઞાતાધર્મકથા સૂત્ર વૈરાગ્યપોથી છે. દરેક અધ્યયન સુખશીલતા, કામભોગ, વિષયકષાય, મોહ, પ્રમાદને ઘટાડી સંયમમાં સ્થિરતાના પાઠ ભણાવે છે.
52
Page #77
--------------------------------------------------------------------------
________________
શિષ્યનું મન કોઇપણ કારણસર સંચમભાવથી ચલિત થઇ જાય, ત્યારે ગુરુવર્યોએ ખાસ લક્ષ્ય આપીને ઉપાલંભ વચનો દ્વારા કે અન્ય કોઇ ઉપાયે તેને સંચમમાં સ્થિર કરવી જોઇએ એવા ભાવ મેઘકુમારના અધ્યયન દ્વારા પ્રગટ થયા છે.
શ્રમણોએ પોતાના શરીરની આહાર-પાણીની સાર સંભાળ કેવા નિર્લેપભાવથી રાખવી જોઇએ તેનું વિજયચોર-ધન્ય સાર્થવાહનુ કથાનક દિગ્દર્શન કરાવે છે.
સંયમ આરાધનામાં શિથિલ થઇ ગયા પછી પણ જો કોઇ સાધક સંવેગને પ્રાપ્ત કરીને સંયમમાં ઉદ્યમવંત થઇ જાય તો તે શૈલકરાજર્ષિની સમાન તે જ ભવમાં સિધ્ધ થઇ શકે. એનું પ્રેરણારૂપ દષ્ટાંત રજૂ કર્યું છે. તેમાં પંથકમુનિનો શિષ્ય તરીકેનો વ્યવહાર વિનયધર્મનું સાક્ષાત્ દર્શન કરાવે છે.
પાંચ કમોદના દાણાની રોહિણીએ જેવી રીતે વૃધ્ધિ કરી ગાડા ભર્યા તેમ સાધુસાધ્વી પાંચ મહાવ્રતોમાં વૃધ્ધિ કરે તો સંસારથી મુક્ત થાય છે.
દરેક ધર્મનો પાયો નીતિમૂલક હોય છે. પણ જૈનધર્મ એથી પણ આગળ વધીને કષાય ત્યાગને પાયો માને છે. સંયમી અને ભવિષ્યમાં તીર્થંકર પદ મેળવવાવાળો જીવ પણ જો સૂક્ષ્મ અને ધર્મ વિષયક માયા કરે તો તે સ્ત્રીવેદ-મોહનીય કર્મનો બંધ કરે છે. મલ્લિનાથ તીર્થંકરનું સ્ત્રીપણે જન્મવું એ આ અવસર્પિણીકાળની આશ્ચર્યકારક ઘટના છે.
અપયશ અને નિંદાથી બચવા નાગશ્રી બ્રાહ્મણીએ પણ માચા છાની કરી પણ તેના ફળ જગજાહેર થયા. નાગશ્રીનું કથાનક ત્રિકરણ શુધ્ધિપૂર્વકના આહારદાનની સમજ આપે છે.
‘ગુણવાનના અંગે ગુણવાન બનાય' એ ઉક્તિના ન્યાયે સુબુધ્ધિ પ્રધાનની સંગે જિતશત્રુ રાજા પલટાયા.
પોતાના ત્રણેય ભવ અલગ-અલગ ગતિમાં હોવા છતાં ત્રણેય ભવમાં ભગવાન મહાવીરનો ભેટો થયો. માનવનો ભવ નંદમણિયારનો, તિર્યંચનો ભવ દેડકાનો અને ત્રીજો ભવ દુર્દર દેવનો ભવ. ઉચ્ચ ગતિમાં ભૂલ્યોને તિર્યંચના ભવમાં પાશ્ચાતાપ સાથેનું તપ અને ભગવાનના દર્શનની પ્રબળ ઇચ્છાના કારણે તિર્યંચ ગતિનો અવરોધ પણ નડતો નથી. અહીં બીજી બોધનીય વાત એ છે કે સદ્ગુરુના સમાગમે સમકિત આદિ આત્મિક ગુણોની વૃધ્ધિ થાય છે અને ગુરુ સમાગમ વિના પતન પણ થાય છે.
અનિવાર્ય સંજોગોમાં પોતાના પ્રાણ બચાવવા ધન્ય સાર્થવાહે પોતાની જ પુત્રીનું માંસ-રુધિર પકાવી આહાર કર્યો. તેમ છતાં તેની પાછળનો હેતુ દેહ ટકાવવો
53
Page #78
--------------------------------------------------------------------------
________________
એટલો જ હતો. આહારમાં અનાસક્ત-ભાવ ટકાવવાનું ઉત્તમ ઉદાહરણ આ જ છે.
હજાર વર્ષની તપ-સંયમની સાધનાનું ફળ ત્રણ જ દિવસમાં ભોગાસક્તિમાં એક ભાઈ કંડરિક મુનિએ ગુમાવ્યું ને સાતમી નરકના મહેમાન બની ગયા. તો સંસારથી ઉદાસીન એવા પુંડરિક રાજાએ જ ત્રણ દિવસમાં દીક્ષાનો વેશ લઈ સર્વાર્થસિધ્ધ વિમાનના વાસી બની ગયા. બંને ભાઈઓની અંત સમયે સમાન શારીરિક વેદના હોવા છતાં બીજા ભવમાં ૩૩ સાગરોપમ સમાન સ્થિતિ હોવા છતાં આત્મ પરિણામો અનુસાર જીવોની ગતિ અને ઉત્પત્તિ નિમ્ન અને ઉચ્ચ સ્થાનમાં થાય છે.
જિન પ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ન કરવી. જિનેશ્વર પ્રતિપાદિત તત્વ જ સત્ય છે. તેમાં શંકાને સ્થાન નથી. તેવી દઢ શ્રધ્ધાના બીજ મોરના ઈંડાના દષ્ટાંતે વાવ્યાં છે.
જે કાચબો શિયાળોથી બચવા પોતાના અંગોને નિયંત્રણમાં ન રાખી, ઢાલમાં ન છૂપાવી શક્યો તેને શિયાળોએ મારી ખાધો. પણ જે કાચબાએ પોતાના અવયવો પર સંયમ-નિયંત્રણ રાખ્યું તે પોતાની જાતને બચાવી શક્યો. તેમ જે સાધક પહેલા ચંચળ કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોનું ગોપન કરતા નથી તે અનંત સંસાર પરિભ્રમણનો દંડ ભોગવે છે. પણ જે બીજા કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે સિધ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે.
નંદીફળના અધ્યયનમાં ઇન્દ્રિયોના વિષયો એટલે કામભોગને નંદીફળના વૃક્ષની સાથે સરખાવ્યા છે. જેના ફળો ખાવામાં મીઠા, મધુર, શીતળ છાયા દેનારાં, દેખાવમાં મનમોહક હોવા છતાં ઝેરીલા છે તેમ ઇન્દ્રિયોના વિષયો પણ લોભામણા
આકીર્ણ(અશ્વ)ના અધ્યયનમાં અશ્વોને પકડવા માટે મનોજ્ઞ ખાદ્ય-પેય પદાર્થો, વાજિંત્રોના સૂરો અને પાંચે ઇન્દ્રિયોને સુખપ્રદ વસ્તુઓ સાથે છટકાં પણ ગોઠવ્યાં છે. જે અચ્છો તે વિષયોના શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં મોહાઈ ગયા તે જાળમાં ફસાઈ ગયા. અને જે આસક્ત બનતા નથી તે નિર્ભયપણે સ્વતંત્ર વિચારવા લાગ્યા.
જિનપાલિત અને જિનરક્ષિત બે ભાઇઓમાં જિનપાલિત રત્નાદેવીના આકર્ષક હાવ ભાવોથી લિપ્ત થતા નથી જ્યારે જિનરક્ષિત રત્ના દેવીના લોભમાં આવીને બ્રહ્મચર્યનો નાશ કરે છે.
બીજા શ્રુતસ્કંધમાં ચારે જાતિના દેવોની ર૦૬ અગ્રમહિષી ઇન્દ્રાણીઓના પૂર્વભવના જીવન કથાનકોનું નિરૂપણ છે. પૂર્વભવમાં આ સર્વ દેવીઓ પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં દીક્ષિત થઈ હતી. અને તે સર્વે સંયમી જીવનમાં શિથિલાચારી
Page #79
--------------------------------------------------------------------------
________________
બની હતી. આ રીતે સંયમની વિરાધના કરી, તેની આલોચના કર્યા વિના જ તે ૨૦૬ સાધ્વીઓ કાળધર્મ પામીને દેવીરૂપે ઉત્પન્ન થઇ.
ગૃહસ્થ પોતાની ઇચ્છા પ્રમાણે સાંસારિક પ્રશ્ન મુનિને પૂછે ત્યારે મુનિએ પોતાની સંયમ મર્યાદા અનુસાર ઉચિત હોય તો જ ઉત્તર આપવો જોઇએ તેવું સ્પષ્ટ વિધાન પોઢ઼િલા અને સુકુમાલિકાના અનુસંધાનમાં છે.
૧૬મા અમરકંકા દ્રૌપદી નામક અધ્યયનમાં ધર્મઘોષ સ્થવિર નાગશ્રી બ્રાહ્મણનું રહસ્ય ખોલે છે. સામાન્ય રીતે શ્રમણો પોતાના ઉપર મરણાંતિક કષ્ટ આવવા છતાં કષ્ટ આપનારને ઉઘાડા પાડતા નથી. પરંતુ અહીં ઝેરના પરિણામ વાળું મૃત કલેવર જોઇને લોકોના મનમાં કુશંકાઓ ન થાય તે લક્ષ્ય સ્પષ્ટીકરણ કરવુ પડ્યું. એ અપવાદમાર્ગ છે.
પંચ મહાવ્રતધારી સાધુને પંચાંગ વંદન થાય છે, તે રીતે ગૃહસ્થને વંદન થતા નથી. નારદ સંચમી ન હોવા છતાં પાંડુરાજાએ સપરિવાર ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદન કર્યા. તેનું કારણ તે વિશિષ્ટ કોટિના વિદ્યાધર પુરુષ હતા, બ્રહ્મચારી હતા.
જ્ઞાતાધર્મકથા સાહિત્યની દષ્ટિએ તો ઉત્તમ છે જ પણ તે સમયના નગરોની રચના, મકાનોની રચના અને સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર આ કથાઓમાં વર્ણિત છે. જીવન જીવવાનાં મૂલ્યો અને જીવન શૈલીનો માપદંડ પણ દર્શાવ્યો છે.
અહીં કેટલાક મનોવૈજ્ઞાનિક રહસ્યોનું ઉદ્ઘાટન થયું છે. જેમ કે શ્રીકૃષ્ણ યુધ્ધ કરવા જતી વેળાએ આત્મવિશ્વાસથી કહે છે હું જીતીશ અને તેમ જ થાય છે. આ હકારાત્મક વિચારણાની વાત છે.
બે મિત્રોને મોરનાં ઈંડાં મળે છે. પહેલો મિત્ર ચિંતવે છે કે આ ઇંડામાંથી એક સુંદર બચ્ચું જરૂર બહાર આવશે. બીજાને વિશ્વાસ નથી. તે વિચારે છે કે કદાચ બચ્ચું બહાર ન પણ આવે. પરિણામે પહેલાને મોરનું સુંદર બચ્ચું મળે છે, જેને શંકા છે તેને બચ્ચું મળતું નથી. આ નકારાત્મક વિચારોનું પરિણામ દર્શાવે છે.
આમ, જ્ઞાતાધર્મ કથામાં સંયમને દઢ બનાવતી કથાઓ મધપૂડાં જેવી રસસભર છે. તેમાંથી એક એક મધુ બિંદુરૂપી અધ્યયનમાંથી જુદો જુદો વૈરાગ્યરસ નીતરે છે. ઇંડા કહે છે શ્રધ્ધા રાખો, કાચબા કહે છે-ધીરજ રાખો, ઘોડા કહે છે વૈરાગ્ય રાખો, ચંદ્ર કહે છે અપ્રમતભાવ રાખો, તૂંબડુ કહે છે- નિર્લેપભાવ રાખો, દાવદ્રવ કહે છે-સહિષ્ણુતા રાખો, નંદીફળ કહે છે- અનાસક્ત ભાવ રાખો. દુષ્ટાંત અને લોકભોગ્ય કથાઓ દ્વારા દીધેલો બોધ ઘીથી લથપથ રસાળ શીરાની જેમ ગળે ઉતરી જાય તેવું જ્ઞાતાધર્મકથામાં જ્ઞાત થાય છે.
55
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયન પહેલું મેઘકુમાર કથા -
પચ્ચીસો વર્ષ પૂર્વે રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલણા, ધારીણી આદિ અનેક રાણીઓ હતી. એક દિવસ ધારીણી રાણીને સ્વપ્ન આવ્યું જેમાં સુંદર હાથી આકાશમાંથી ઉતરી એના મુખમાં પ્રવેશ કર્યો. જેના ફળસ્વરૂપે એક પુણ્યાત્મા ગર્ભમાં આવ્યો. ગર્ભકાળના ત્રીજે મહિને રાણીને દોહદ ઉત્પન્ન થયો. તેણીને તીવ્ર ઈચ્છા થઈ કે વરસતા વરસાદમાં, હરિયાળીમાં રાજા શ્રેણિકની સાથે ઐશ્વર્યનો આનંદ ભોગવતી વિચરે, દોહદ પૂર્ણ ન થતાં રાણી ઉદાસીન થઈ ગઈ. અંતે અભયકુમારે અઠ્ઠમ તપ કરી મિત્ર દેવનું સ્મરણ કર્યું. તેના સહયોગથી મનોકામના પૂર્ણ થઈ. યથા-સમયે ધારીણીને પુત્ર પ્રસવ્યો. જેનું નામ મેઘકુમાર રાખ્યું. તે યુવાન થતાં આઠ રાજકન્યાઓ સાથે તેના લગ્ન થયા.
એકવાર પ્રભુ મહાવીર રાજગૃહીમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું અને પરમાત્માએ દેશના આપી. એ સાંભળવા મેઘકુમાર પણ ઉપસ્થિત થયા. વૈરાગ્યમય દેશના સાંભળી મેઘકુમાર સંસારથી વિરક્ત થયા.માતા-પિતા પાસે અનુમતિ માંગી, દીક્ષા અંગીકાર કરી. પ્રથમ રાત્રે જ તેને શ્રમણોના ગમનાગમન આદિથી ક્ષણમાત્ર પણ ઉંઘ ન આવી, જેથી તેનું મન સંયમથી વિચલિત થયું અને સંયમ ત્યાગનો નિર્ણય મનોમન કરી લીધો.
પ્રાત:કાલે ભગવાન પાસે જઈ સઘળી વાત કરી. ભગવાને પ્રતિબોધ આપતાં તેનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવઃ- ત્રીજા ભવમાં મેઘકુમારનો જીવ સુમેરૂ હાથી હતો. એક હજાર હાથીહાથણીઓનો નાયક હતો. એકવાર જંગલમાં દાવાનળ પ્રગટ્યો. ત્યારે જંગલના બધા પ્રાણીઓ ભાગવા લાગ્યા, તે સમયે સુમેરૂ હાથી પાણી પીવાની આશાએ સરોવરમાં ઉતર્યો પણ તેમાં બહુ કીચડ હોવાથી ફસાઈ ગયો. જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ વધુને વધુ ખેંચતો ગયો. તે વખતે એક જુવાન હાથીએ સુમેરુ હાથી પર હુમલો કરી લોહી લુહાણ કર્યો. પ્રચંડ વેદનામાં સાત દિવસ પસાર કરી મૃત્યુ પામી મેરુપ્રભ નામે હાથી બન્યો. કાળાંતરે તે મેરૂપ્રભ હાથી પણ ચૂથપતિ બન્યો.
એકવાર જંગલમાં આગ લાગી ત્યારે મેરુપ્રભ હાથી વિચારમાં પડ્યો તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. દાવાનળથી બચવા તેણે મેદાન સાફ કર્યું અને એકવાર દાવાનળ લાગતાં તે હાથી ત્યાં આવી ઉભો રહ્યો. થોડીવારમાં તે મેદાન પ્રાણીઓથી ભરાઈ ગયું. હવે મેરુપ્રભ હાથીને ખંજવાળ આવતા પગ ઉંચો કર્યો. ત્યાં પગની
56
Page #81
--------------------------------------------------------------------------
________________
નીચેની ખાલી જગ્યાએ એક સસલુ આવીને બેસી ગયું. સસલાને જોઇ હાથીએ પગ ઉપર રાખ્યો. અનુકંપાના શ્રેષ્ઠ પરિણામથી સમકિત પ્રાપ્ત થયું. અઢી દિવસ સુધી પગ ઉપર રાખ્યો. દાવાનળ શાંત થતા બધા પશુઓ ચાલ્યા ગયા. પણ તે હાથીએ ધરતી પર પગ મૂકવા પ્રયત્નો કર્યા, પરંતુ જકડાઈ જવાને કારણે વધુ પ્રયત્ન કરવા જતા પડી જાય છે. અને ત્રણ દિવસ વેદના સહન કરી મૃત્યુ પામી શ્રેણિક રાજાના ઘરે એનો જન્મ થયો.
આમ, પૂર્વભવ જણાવી પ્રભુએ તેને શાંત કર્યો કે “તે હાથીની યોનિમાં આટલું અસાધ્ય કાર્ય કર્યું અને હવે તું હારી ગયો છે.” આ સાંભળી મેઘમુનિનો વૈરાગ્ય મજબૂત થયો અને તે સંયમમાં સ્થિર થયા. અને ઉત્તરોતર મોક્ષસુખને પ્રાપ્ત કરે છે.
આ કથામાં રાજાની વ્યાયામ વિધિ, સ્નાનવિધિ, સ્વપ્ન-પાઠક, દોહદ, ૭૨ કળા, વિવાહ મહોત્સવ, દીક્ષાની આજ્ઞા પ્રાપ્તિ, દીક્ષા મહોત્સવ આદિ અનેક વર્ણનો આવે
છે.
અનુતરો ૫પાતિકમાં પણ મેઘકુમારના જીવનનું વર્ણન છે. અધ્યયન-રમાં ધન્યશેઠ અને વિજયચોરની કથા છે.
રાજગૃહી નગરીમાં ધન્ય સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ ભદ્રા. દેવી કૃપાથી તેના ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ દેવદત્ત' રાખ્યું.
દેવદત્તની સંભાળ રાખવા પંથક નામનો દાસ રાખ્યો. દેવદત કંઈક મોટો થતા પંથક સાથે દેવદતને રમવા મોકલ્યો. પંથક દેવદત્તને એક સ્થાને બેસાડી અને બીજા બાળકો સાથે રમવા લાગ્યો. તે વખતે ત્યાં વિજય નામનો ચોર આવ્યો જેણે દેવદત્તને ઉપાડી તેના બધા આભૂષણો ઉતારી તેના પ્રાણ હરી અંધારિયા કૂવામાં ફેંક્યો.
દેવદત્ત કયાંય ન મળતા તપાસ કરતા અંધારા કૂવામાંથી બાળકના શબને શોધી કહ્યું. અને વિજય ચોરને પણ પકડી પાડ્યો. હવે એકવાર ધન્ય સાર્થવાહે કંઈક ગુનો કરતા જેલમાં ધકેલી દેવામાં આવ્યો. વિજય ચોર અને ધન્ય સાર્થવાહને એક જ બેડીમાં ગોઠવવામાં આવ્યા.
સાર્થવાહની પત્ની ભદ્રા વિવિધ ભોજન-પાણી જેલમાં મોકલતી. સાર્થવાહ જમવા બેઠો ત્યારે વિજય ચોરે આહાર માંગ્યો. પુત્રને મારી નાંખનારને આહાર કેમ આપું? એમ વિચારી ઇન્કાર કર્યો. થોડીવાર પછી ધન્ય સાર્થવાહને મળ-મૂત્ર વિસર્જન કરવાની બાધા ઉત્પન્ન થઈ અને વિજયે ના પાડી. ત્યારે તેને ભોજનમાંથી ભાગ આપવાનું વચન આપતા વિજય ચોર તૈયાર થયો. દરરોજ આ ક્રમ ચાલ્યો. આ
57
Page #82
--------------------------------------------------------------------------
________________
વાતની ભદ્રાને ખબર પડતા તે ખૂબ દુ:ખી થઇ. જ્યારે ધન્ય શેઠ કારાગૃહમાંથી છૂટી ઘરે આવ્યો ત્યારે ભદ્રાએ પીઠ ફેરવી ત્યારે ધન્યસાર્થવાહે સઘળી હકીક્ત કહી. આ વાત સાંભળી ભદ્રાને સંતોષ થયો. વિજય ચોર ઘોર પાપોનું ફળ ભોગવવા નરકગામી બન્યો. અને ધન્યસાર્થવાહ ધર્મઘોષસ્થવિર પાસે દીક્ષા ગ્રહણ કરી સ્વર્ગવાસી થયા.
ઉપદેશ:- જે રીતે ધન્યસાર્થવાહે મમતા કે પ્રીતિને કારણે વિજય ચોરને આહાર નહતો આપ્યો પણ શારીરિક બાધાની નિવૃતિના કારણે આહારનો વિભાગ કર્યો. તેવી રીતે નિર્પ્રથમુનિ શરીર પ્રત્યેની આસક્તિના કારણે નહિ પણ માત્ર શરીરની સહાયતાથી સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃધ્ધિ અને રક્ષા માટે આહાર આદિથી શરીરનું સંરક્ષણ કરે.
અધ્યયન-ત્રીજામાં મોરલીના ઇંડાંની કથા છે.
ચંપાનગરીમાં જિનદત અને સાગરદત્ત નામના બે સાર્થવાહ પુત્ર રહેતા હતા. બંને મિત્ર હતા. વિદેશયાત્રા હોય કે અન્ય કોઇ પ્રસંગ, દરેક પ્રસંગે સાથે રહેતા હતા.
એકવાર તેઓ એક ઉદ્યાનમાં પરિભ્રમણ કરતા હતા. ત્યાં એક જાડીવાળો પ્રદેશ ‘માલુકાકચ્છ' હતો. તે તરફ તેઓ ગયા. ત્યાં જ મોરલી ગભરાઇને ઉડીને નજીકના વૃક્ષની શાખા પર કેકારવ કરવા લાગી. આ દશ્ય જોઇ સાર્થવાહના પુત્રોને આશ્ચર્ય તેમજ સંદેહ થયો. તેઓ આગળ વધ્યા તો ત્યાં મોરલીના ઇંડાં પડ્યા હતા. બંનેએ એક એક ઇંડું લઇ લીધું. પોતાના ઘરે આવી સાગરદત્તે બીજા ઇંડાંની વચ્ચે મોરલીનું ઇંડું મૂકી દીધુ. જેથી માઢા પોતાના ઇંડાની સાથે મોરલીના ઇંડાંનું પણ પોષણ કરે. પરંતુ શંકાશીલ સાગરદત્ત સંકલ્પ વિકલ્પ કરે છે કે ઇંડાંમાંથી બચ્ચું ઉત્પન્ન થશે કે નહિ? આમ વિચારી તેણે ઇંડાંને ઉલટ-સુલટ કરવા માંડ્યું. આમ કરવાથી ઇંડુ નિર્જીવ બની ગયું. તેમાંથી બચ્ચું ન નીકળ્યું.
જિનદત્ત શ્રધ્ધા સંપન્ન હતો. તેણે વિશ્વાસ રાખ્યો. ઇંડુ મયુર પાલકોને સોંપી દીધું. યથા સમયે ઇંડામાંથી બચ્ચું નીકળ્યું અને તે મોટુ થતાં અનેક કળાઓ શીખવી. નાચતા શીખવાડ્યુ. જિનદત્ત આ જોઇ હર્ષિત થયો. ચારેબાજુ મયૂરની પ્રસિધ્ધિ થઇ. તેના દ્વારા જિનદત્ત હજારો લાખો રૂપિયા જીતવા લાગ્યો.
આ છે શ્રધ્ધા અને અશ્રધ્ધાનું પરિણામ. આમ જે સાધક પોતાની સાધનામાં શ્રધ્ધાવાન હોય તે ઉત્તરોત્તર મોક્ષ પ્રાપ્ત કરે પરંતુ અશ્રધ્ધાળુ સંકટ, દુઃખ અને પીડાને પ્રાપ્ત કરે છે.
58
Page #83
--------------------------------------------------------------------------
________________
અધ્યયન માં બે કાચબાનું દૃષ્ટાંત છે.
વારાણસી નગરીમાં ગંગા નદીની ઉત્તરપૂર્વમાં એક વિશાળ તળાવ હતું. નિર્મળ, શીતળ જળથી પરિપૂર્ણ અને વિવિધ જાતિઓનાં કમળોથી આચ્છાદિત. તે તળાવમાં અનેક પ્રકારના મચ્છ, કચ્છ, મગર, ગ્રાહ આદિ જળચર પ્રાણી ક્રીડા કરતા હતા. તે તળાવને લોકો મૃતiાતી કહેતા'તા.
એક વખત સંધ્યાના સમયે બે કાચબા તળાવમાંથી બહાર આહારની શોધ અર્થે નીકળ્યા. તળાવની આસપાસ ફરવા લાગ્યા તે સમયે ત્યાં બે શિયાળ આવ્યા. તે પણ આહારની શોધ માટે ભટકી રહ્યા હતા. શિયાળોને જોઈ કાચબા ગભરાઈ ગયા. આહારની શોધ માટે નીકળતા પોતે જ શિયાળના આહારનો ભોગ બની જશે તેવી શંકા ઉત્પન્ન થઈ.
કાચબામાં એક વિશેષતા હોય છે કે તે પોતાના હાથ, પગ તથા મુખ પોતાના શરીરમાં જ ગોપવી દે છે. તેની પીઠ ઉપર ઢાલ જેવું કઠણ કવચ હોય છે તેને કોઈ ભેદી શકતું નથી. જેથી તે સુરક્ષિત રહી શકે છે. કાચબાઓએ તેવું જ કર્યું. શિયાળો તેઓને જોઈ તૂટી પડયા. છેદન-ભેદન કરવા ખૂબ પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. ચાલાક શિયાળોએ જોયું કે કાચબાઓ પોતાના અંગોપાંગ ગોપવીને બેઠા છે ત્યાં સુધી અમારા પ્રયત્ન સફળ નહિ થાય. તેથી ચાલાકીથી કામ લેવું પડશે. એવું વિચારી બંને શિયાળ કાચબા પાસેથી ખસી ગીચ ઝાડીમાં ચૂપકીદીથી સંતાઈ ગયા.
બે કાચબામાંથી એક કાચબો ચંચળ હતો. તેણે થોડીવારમાં પગ બહાર કાઢ્યો. તે જોઈ શિયાળે એક ઝાપટ નાખી અને પગ ખાઈ ગયો. એ જ રીતે બીજો, ત્રીજો, ચોથો પગ કાચબાએ બહાર કાઢતા શિયાળ તેને ખાઈ ગયું.
જ્યારે બીજો કાચબો ચંચળ ન હતો. તેણે પોતાના અંગો ઉપર નિયંત્રણ રાખ્યું. લાંબા સમય પછી શિયાળ ચાલ્યા ગયા તેમ જાણ્યું ત્યાર પછી ચારે પગને એક સાથે જ બહાર કાઢી શીઘ્રતાપૂર્વક તળાવમાં સુરક્ષિત પહોંચી ગયો.
આમ, આ કથા દ્વારા સાધકને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવાનો બોધ આપ્યો
અધ્યયન પાંચમાં શૈલક રાજર્ષિની કથા છે.
દ્વારિકા નગરીમાં બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિનું પદાર્પણ થયું. કૃષ્ણ વાસુદેવ પોતાના વિશાળ પરિવાર સાથે ભગવાનની ઉપાસના કરવા તથા ધર્મદેશના સાંભળવા ગયા. આ નગરીમાં થાવસ્યા નામની મહિલા હતી. જેને એક પુત્ર હતો. જે
59
Page #84
--------------------------------------------------------------------------
________________
થાવા પુત્ર તરીકે ઓળખાતો હતો. તે પણ ભગવાનની દેશના શ્રવણ કરવા પહોંચ્યો. દેશના સાંભળી તે વૈરાગ્ય વાસિત બન્યો. માતા પિતાએ ઘણું સમજાવ્યું છતાં તે અડગ રહ્યો અને દીક્ષા લીધી. કૃષ્ણે અરિષ્ટનેમિ પાસે દીક્ષા લેનારના આશ્રિતજનોની પાલન પોષણની સંપૂર્ણ જવાબદારી લીધી.
આ ઘોષણાથી ૧૦૦૦ પુરુષ થાવસ્યા પુત્રની સાથે પ્રવ્રુજિત થયા. હવે એકવાર થાવાપુત્ર શૈલકપુર પધાર્યા. જ્યાં શૈલક રાજા હતો. તેણે થાવાપુત્રના ઉપદેશથી ૫૦૦ મંત્રીઓ સાથે દીક્ષા લીધી. પોતાના પુત્ર મંડુકને રાજગાદી ઉપર બેસાડ્યો.
સાધુચર્યા પ્રમાણે શૈલકમુનિ દેશ દેશાંતરમાં વિચરવા લાગ્યા. શૈલકનું સુકોમળ શરીર સાધુ જીવનની કઠોરતા સહી ન શક્યું. તેના શરીરમાં દાદર-ખુજલી થઇ, પિત્તજ્વર રહેવા લાગ્યો. જેથી તીવ્ર વેદના થવા લાગી. તેઓ ભ્રમણ કરતા શૈલકપુર પધાર્યા. ત્યા મંડુક તેમના દર્શનાર્થે આવ્યો. શૈલકમુનિનું રોગીષ્ટ શરીર જોઇ મંડુકે ચિકિત્સા કરાવવાની વિનંતી કરી. શૈલકે સ્વીકૃતિ આપી. ચિકિત્સા થવા લાગી. પરંતુ રાજર્ષિ સરસ આહાર અને ઔષધમાં આસક્ત બન્યા. પંથકને તેમની સેવામાં રાખી બાકીના બધા શિષ્યો વિહાર કરી ગયા.
કાર્તિક સુદી પૂનમનો દિવસ આવ્યો. શૈલક રાજર્ષિ આહાર-પાણી આરોગી નિશ્ચિંત બની સૂતા હતા. આવશ્યક પ્રતિક્રમણ કરવાનુ યાદ ન આવ્યું. પંથક મુનિએ શૈલક રાજર્ષિને વંદન કરી ચરણ સ્પર્શ કરવા મસ્તક નમાવ્યું. શૈલક મુનિ નિંદ્રામાં ભંગ પડતા ભડકી ઉઠ્યા. પંથક મુનિએ ક્ષમા માગતાં કાર્તિકી ચૌમાસાની યાદી દેવડાવી.
રાજર્ષિની ધર્મચેતના જાગૃત થઇ. પશ્ચાતાપ થયો. પોતાના શિથિલાચાર પ્રત્યે જાગૃતિ આવી. બીજે જ દિવસે પંથકમુનિ સાથે વિહાર કર્યો. આ સમાચાર અન્ય શિષ્યોને મળતાં બધા જ શિષ્યો સાથે મળી આવ્યા. અંતિમ સમયમાં બધા જ મુનિઓને સિધ્ધ ગતિ પ્રાપ્ત થઇ.
ઉપદેશ:- ઔષધ સેવન કરતા અસંયમના ભાવ ન આવે તે સાવચેતી રાખવી. તેમ જ ક્યારેક શિષ્ય પણ ગુરુનું કર્તવ્ય અદા કરે છે અને ગુરૂને પતનના માર્ગથી અટકાવે છે.
અધ્યયન-માં તુંબડાનું દેષ્ટાંત છે.
રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભગવન! જીવ હળવો થઇ ઉપર કેવી રીતે જાય અને જીવ ભારે થઇ નીચે કેવી રીતે જાય છે?
60
Page #85
--------------------------------------------------------------------------
________________
તેના પ્રત્યુતરમાં ભગવાને તુંબડીનું દૃષ્ટાંત આપ્યું. જેમ તુંબડી પાણી ઉપર તરે છે પણ તેની ઉપર કોઈ વ્યક્તિ માટી, ઘાસનો લેપ કરી તડકામાં સૂકવી દે તો તુંબડી પાણી ઉપર ન કરી શકે. પણ જેમ જેમ માટીનો લેપ પાણીમાં ઓગળે તેમ તેમ તુંબડુ પાણી ઉપર તરવા લાગે.
આ પ્રકારે જીવ ૧૮ પાપનું સેવન કરી આઠ કર્મનો બંધ કરી, કર્મથી ભારે બની, અધોગતિમાં, નરકમાં જાય છે. જેમ જેમ કર્મથી હલકો બને તેમ તેમ ઉર્ધ્વગમન કરતા છેવટે શાશ્વત સિધ્ધ સ્થાનમાં સ્થિર થઈ જાય છે. ઉપદેશ:- આમ સાધકે કર્મથી હલકા બની ઉર્ધ્વગતિ તરફ ગતિ કરવી જોઇએ. અધ્યયન-૭માં ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધુનું દૃષ્ટાંત છે.
રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેને ચાર પુત્રો હતા. ધનપાલ, ધનદેવ, ધનગોપ, ધનરક્ષિત હતા. તેમની પત્નીઓના નામ અનુક્રમે- ઉચ્છિતા, ભક્ષિકા, રક્ષિકા, રોહિણી હતા.
ધન્ય સાર્થવાહ વૃધ્ધ થયા ત્યારે તેમને વિચાર આવ્યો કે મારી હાજરીમાં કુટુંબની જે વ્યવસ્થા છે તેવી જ વ્યવસ્થા મારા મૃત્યુ પછી જળવાય તેવું કરવું જોઈએ.
આમ વિચારી તેણે તેની ચારે પુત્રવધૂને બોલાવી, દરેકને પાંચ દાણા ડાંગરના આપી કહ્યું, “હું જ્યારે માંગુ ત્યારે આ પાંચ દાણા અને પાછા આપજો.'
પહેલી પુત્રવધૂએ વિચાર્યું- “સસરાની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે.” માટે દાણાને તુચ્છ માની કચરામાં ફેંકી દીધા.
બીજી પુત્રવધૂએ વિચાર્યું-“ભલે દાણાનું મૂલ્ય નથી પણ સસરાની પ્રસાદી છે. તેને ફેંકાય નહિ.” એમ વિચારી દાણા ખાઈ ગઈ.
ત્રીજી પુત્રવધૂએ વિચાર્યું-“મારા સસરા ખૂબ જ વ્યવહાર કુશળ, અનુભવી, સમૃધ્ધશાળી છે. તેમનો કોઈ વિશિષ્ટ અભિપ્રાય હોવો જોઈએ.” તેમ વિચારી દાણા સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા.
ચોથી પુત્રવધૂએ પાંચ દાણા પિયર મોકલી અને તેને વાવવાનું કહ્યું. પાંચ વર્ષમાં તો કોઠાર ભરાઈ ગયા.
પાંચ વર્ષ વ્યતીત થયા બાદ સસરાએ દાણા પાછા માંગ્યા ત્યારે પહેલી પુત્રવધૂએ કોઠારમાંથી પાંચ દાણા કાઢી આપ્યા. શેઠે ત્યારે તેણે સત્ય હકીક્ત કહી દીધી. તે સાંભળી શેઠે તેને સફાઈ કામ સોંપ્યું.
61
Page #86
--------------------------------------------------------------------------
________________
બીજી પુત્રવધૂ પાસે દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે પ્રસાદ સમજી ખાઈ ગઈ. સાર્થવાહ તેને રસોડા ખાતું સોપ્યું.
ત્રીજી પુત્રવધૂએ દાણા સુરક્ષિત રાખ્યા હતા આથી તેને નાણાંકીય વ્યવહાર સોંપ્યો.
ચોથી પુત્રવધૂએ કહ્યું કે પાંચ દાણા મેળવવા ગાડાઓ જોઈશે. ત્યારે ધન્ય શેઠ ખૂબ જ પ્રસન્ન થયા અને તેને ગૌરવપૂર્ણ પદ ઉપર પ્રસ્થાપિત કરી. ઉપદેશ - સફળ થવા યોગ્ય વ્યક્તિને તેની યોગ્યતા અનુસાર એવા કાર્યમાં જોડવી જોઈએ. અધ્યયન-૮માં મલ્લિકુમારીનું દૃષ્ટાંત છે.
બલ નામે રાજા હતા. તેણે તેના પુત્ર મહાબલને રાજગાદી ઉપર બેસાડી દીક્ષા ગ્રહણ કરી કર્મનો ક્ષય કરી મોક્ષે સિધાવ્યા.
પુત્ર મહાબલને અચલ, ધરણ આદિ છે રાજા પરમ મિત્ર હતા. તેઓ બધા જ કાર્યો કરતા. એકવાર એ છએ મિત્રો ગુરુભગવંતની વાણી સાંભળી દીક્ષા લેવા તૈયાર થયા. દીક્ષા લઇ ઘોર તપશ્ચર્યા કરી દેવલોકનું આયુ બાંધ્યું. તપશ્ચર્યામાં મહાબલ મુનિ કપટ કરી, માયા કરી વધુ તપશ્ચર્યા કરે છે. અન્ય મિત્રમુનિને પારણું કરાવી પોતે ઉપવાસના પચ્ચખાણ કરતા. આ માયાને કારણે તેમને સ્ત્રી તરીકે જન્મ લેવો પડ્યો. તેનું નામ “મલ્લિકુમારી' રાખવામાં આવ્યું. જ્યારે બીજા મિત્રો છે રાજા બન્યા. તેના નામ આ પ્રમાણે છે. (૧)પ્રતિબધ્ધ-ઇક્વાકુ રાજા (ર)ચંદ્રધ્વજ - અંગનરેશ (૩)શંખ – કાશીરાજ (૪)રુકિમ – કુણાલનરેશ (૫)અહીનશત્રુ -કુરુરાજ (૬)જિતશત્રુપંચાલાધિપતિ.
મલ્લિકુમારીના જીવ પ્રત્યે આ છએ રાજા લગ્ન કરવાની ભાવનાથી મિથિલા નગરીમાં આવી પહોંચ્યા. છએ રાજાને અલગ અલગ નિમિત્તે મળતા તેઓ મલ્લિકુમારી પર અનુરક્ત થયા. મલ્લિકુમારી અવધિજ્ઞાની હતા. તેમણે એ મિત્રોની સ્થિતિ જોઈ લીધી હતી. આથી એમણે પોતાની જેવી જ એક પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. તેના મસ્તકમાં એક મોટુ છિદ્ર કરાવ્યું. પ્રતિમા જોયા પછી કોઈ કલ્પના નહોતા કરી શકતા કે આ પ્રત્યક્ષ મલ્લિકુમારી છે કે તેની મૂર્તિ છે.
દરરોજ ભોજન કરી એક ક્વલ મસ્તકના છિદ્રમાંથી મૂર્તિમાં નાખતી. છએ રાજા પરણવાના સંકલ્પથી આવ્યા. ત્યારે કુંભ રાજા જે મલ્લિકુમારીના પિતા છે. પ્રતિભાવાળા કક્ષમાં છએ રાજાને લઇ જાય છે. થોડીવારમાં મસ્તકનું છિદ્ર ખોલતા
62
Page #87
--------------------------------------------------------------------------
________________
આખા કક્ષમાં દુર્ગધ ફેલાઈ ગઈ. આ પ્રમાણે અશુચિ ભાવના દ્વારા મલ્લિકુમારી તેઓને પ્રતિબોધ કરે છે. તેમ જ પૂર્વભવોના સંબધો યાદ કરાવી ધર્મબોધ પમાડે છે. ત્યારે છએ રાજા અને મલ્લિકુમારી દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારબાદ સંયમ જીવન પાળી કેવળજ્ઞાન તેમ જ મોક્ષ પ્રાપ્ત કરે છે. (તેમના પાંચે કલ્યાણકો વિષેની માહિતી ત્રિષષ્ટિશલાકા પુરુષના આધારે આગળ વર્ણવી છે.) અધ્યયન-ભાં જિનપાલિત અને જિનરક્ષિતની કથા છે.
ચંપા નગરીમાં માર્કદી સાર્થવાહ ને બે પુત્રો હતા-જિનપાલિત અને જિનરક્ષિત. તેઓ અગિયાર વખત લવણ સમુદ્રની જાત્રા કરી ચૂક્યા હતા. હવે બારમી વખત તેઓ એ યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. માતા-પિતાએ યાત્રા કરવા જવા દેવાની અનિચ્છા બતાવી. ઘણું સમજાવ્યા છતાં બંને માન્યા નહિ. બંને યાત્રા કરવા નીકળ્યા. સમુદ્રમાં અડધે રસ્તે પહોંચતા વહાણ આંધીમાં ફસાઈ ગયું. છિન્નભિન્ન થઈ ગયું. નિરાધાર થઈ ગયા. જીવવાની આશા છોડી દીધી. સંયોગવશાત વહાણનું પાટીયું હાથમાં આવ્યું. તેના સહારે તરતા તરતા સમુદ્રના કિનારે આવવા લાગ્યા. તે પ્રદેશ રત્નદ્વીપ હતો. આ દ્વીપના મધ્ય ભાગમાં રન્નાદેવી નિવાસ કરતી હતી. તેનો એક સુંદર મહેલ હતો. જેની ચારે દિશામાં ચાર વનખંડ હતા. રત્નાદેવીએ માંકદી પુત્રોને જોયા અને તુરત તેમની પાસે આવી પહોંચી. તે બોલી જો તમે બંને જીવિત રહેવા ઈચ્છતા હો તો મારી સાથે ચાલો. નહિતર તલવારથી મસ્તક કાપી ફેંકી દઈશ.
માકન્દી પુત્રો પાસે બીજો વિકલ્પ ન હતો. તેઓએ દેવીની વાતનો સ્વીકાર કર્યો. તેના પ્રાસાદમાં જઈ તેની ઈચ્છા તૃપ્ત કરવા લાગ્યા.
રત્નાદેવી તે બંને જણને ત્રણ દિશાના વનખંડમાં જવાની છુટ્ટી આપી પરંતુ દક્ષિણ દિશામાં જવાની ના પાડી. એક વખત બંને ભાઈઓને દક્ષિણ દિશાના વનખંડમાં શું છે? તે જાણવાની કૂતુહલ થઈ. તેઓ દક્ષિણ વનખંડમાં ગયા. ત્યાં શૂલી પર ચઢેલા પુરુષને જોયો. વૃતિ જોતાં ખ્યાલ આવ્યો કે તે આ દેવીના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને કોઈ સામાન્ય અપરાધથી દેવીએ તેને શૂલી પર ચઢાવી દીધો. તેઓ શોકમય થઈ ગયા. મુક્તિ માટેનો ઉપાય પૂછયો. પૂર્વના વનખંડમાં અધ્વરૂપધારી શૈલક નામનો યક્ષ રહેતો હતો. તે અષ્ટમી આદિ તિથિઓના દિવસે એક નિશ્ચિત સમયે ઘોષણા કરતો હતો કે, કોને તારું કોને પાળું? એક દિવસ બંને ભાઈ ત્યાં જઈ પહોંચ્યા અને તેઓને પોતાને તારવા અને પાળવાની પ્રાર્થના કરી. શૈલક યક્ષે તેઓની પ્રાર્થનાનો સ્વીકાર તો કર્યો પણ શરત સાથે કહ્યું કે રત્નાદેવી
63
Page #88
--------------------------------------------------------------------------
________________
અત્યંત પાપિણી અને રૌદ્રા છે. જ્યારે હું તમને લઈ જઈશ ત્યારે તે અનેક ઉપદ્રવ કરશે, લલચાવશે. તમે તેના પ્રલોભનમાં સપડાઈ જશો તો હું તમને સમુદ્રમાં ફેંકી દઇશ. અને નહિ ફસાઓ, મન દેઢ રાખશો તો તમને ચંપાનગરી પહોંચાડી દઈશ.
શેલક યક્ષે બંનેને પોતાની પીઠ પર બેસાડી લવણ સમુદ્ર ઉપર ચાલવા માંડ્યું. રત્નાદેવીએ જ્યારે બંનેને જોયા ત્યારે પીછો કરી પકડી પાડ્યા. અનેક પ્રકારે વિલાપ કર્યો. જિનપાલિત યક્ષની ચેતવણીને ધ્યાનમાં રાખી અવિચલ રહ્યો. જ્યારે જિનરક્ષિતને તેની શુંગાર અને કરુણાજનક વાણી સાંભળી અનુરાગ પ્રગટ્ય.
પોતાની પ્રતિજ્ઞા અનુસાર યક્ષે જિનરક્ષિતને પછાડ્યો અને નિર્દયી રત્નાદેવીએ તલવારથી જિનરક્ષિતના ટૂકડે ટુકડા કર્યા. જ્યારે જિનપાલિત દઢ મનોબળના કારણે ચંપાનગરી પહોંચી ગયો. ઉપદેશ:- આ કથા દ્વારા બોધ મળે છે કે જે મનોબળથી ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે જિનપાલિતની જેમ સફળ થાય છે. અંતે મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે, જ્યારે મોહનીય કર્મને આધીન વ્યક્તિ જિનરક્ષિતની જેમ કષ્ટને પામે છે. ભવ ભ્રમણ વધારે છે. અધ્યયન-૧૦માં ચંદ્રની કળાનું દૃષ્ટાંત છે.
આ અધ્યયનમાં કોઇ કથા નથી પણ ઉદાહરણ દ્વારા જીવોનો વિકાસ અને દ્વાસ અથવા ઉત્થાન અને પતનનું વર્ણન કરવામાં આવ્યું છે.
ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે, “ ભંતે! જીવ કયા કારણથી વૃધ્ધિ અને હાનિ પ્રાપ્ત કરે છે?”
ગૌતમ! જે રીતે કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો ચંદ્ર, પૂર્ણિમાના ચંદ્રની અપેક્ષાએ કાન્તિ, દીપ્તિ, પ્રભા અને મંડલની દષ્ટએ હીન હોય છે. ત્યારબાદ બીજ, ત્રીજ આદિ તિથિઓમાં હીનતર થતો જાય છે. અમાવસ્યાના દિવસે પૂર્ણરૂપે નષ્ટ થઈ જાય છે. તેવી જ રીતે સાધક અણગાર આચાર્યાદિની સમીપે ગૃહત્યાગ કરી અણગાર બને પછી જો તે ક્ષમા, માવ, આર્જવ, બ્રહ્મચર્ય આદિ મુનિધર્મથી હીન બને છે અને પછી હીનતર થતો જાય છે. પતન થાય છે. અંતે અમાવસ્યાના ચંદ્રની જેમ સંપૂર્ણ નષ્ટ થઈ સંયમ રહિત બને છે.
વિકાસ એટલે વૃધ્ધિ. શુકલ પક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવસ્યાના ચંદ્રમાની અપેક્ષાએ કાન્તિ, પ્રભા, સૌમ્યતાની દષ્ટિએ અધિક હોય છે. તે ઉતરોતર પૂર્ણિમાના ચંદ્રની જેમ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. જ્ઞાનજ્યોતિ પ્રગટ કરે છે. ઉપદેશ:- સાધકને આધ્યાત્મિક ગુણોના વિકાસમાં અંતરંગ, બહિરંગ આદિ અનેક
64
Page #89
--------------------------------------------------------------------------
________________
નિમિત્ત કારણભૂત હોય છે. બંને નિમિત્ત કારણોના સંયોગથી આત્મગુણોના વિકાસમાં સફળતા મળે છે. અંતરંગ-ચારિત્ર, ક્ષયોપશમ, અપ્રમાદવૃતિ બહિરંગ-સદ્ગુરુનો સમાગમ અધ્યયન-૧૧માં દાવદ્રવ વૃક્ષનું દૃષ્ટાંત છે.
સમુદ્રના કિનારે સુંદર મનોહર દાવદ્રવ નામના વૃક્ષ હોય છે. જ્યારે દ્વીપનો વાયુ વાય છે ત્યારે વૃક્ષ અધિક ખીલે છે અને થોડા કરમાઈ જાય છે. (ર)સમુદ્રનો વાયુ વાય તો ઘણા કરમાઈ જાય છે. થોડા ખીલે છે. (૩)કોઈ પણ વાયુ નથી તો બધા કરમાઈ જાય છે. (૪)બંને વાયુ વાય છે ત્યારે બધા ખીલી ઉઠે છે. સુશોભિત થાય છે.
દાવદ્રવ વૃક્ષની જેમ સહનશીલતાની અપેક્ષાએ સાધુના પણ ચાર પ્રકાર છે. (૧)દેશ વિરાધક (ર)દેશ આરાધક (૩)સર્વ વિરાધક (૪)સર્વ આરાધક. ઉપદેશ:- સર્વ વિરાધક બધાથી નિમ્ન કક્ષાના સાધક છે. દેશ આરાધક શ્રેષ્ઠ છે. દેશ વિરાધક તેનાથી શ્રેષ્ઠ છે. સર્વ આરાધક બધાથી શ્રેષ્ઠ છે.
આમ બધા સાધકોએ ચોથા વિભાગવાળા દાવઢવોની સમાન બની સર્વ આરાધક બનવું જોઇએ. અધ્યયન-૧૨માં જિતશત્રુ રાજા અને સુબુધ્ધિ પ્રધાનની કથા છે.
ચંપાનગરીમાં રાજા જિતશત્રુના સુબુધ્ધિ નામના પ્રધાન હતા. જિતશત્રુ જિનમતથી અનભિજ્ઞ હતા, જ્યારે સુબુધ્ધિ અમાત્ય શ્રમણોપાસક હતા. એક દિવસ રાજા અનેક પ્રતિષ્ઠિત જનોની સાથે ભોજન કરી રહ્યા હતા. સંયોગવશ તે દિવસે ભોજન ખૂબ સ્વાદિષ્ટ બન્યું. રાજાએ ભોજનની પ્રશંસા કરી. અન્ય લોકોએ તેને ટેકો આપ્યો. પરંતુ સુબુધ્ધિ હાજર હતા છતાં મૌન સેવ્યું.
સુબુધ્ધિનું મૌન જાણી રાજાએ વાંરવાર ભોજનની પ્રશંસા કરી, તેથી સુબુધ્ધિને બોલવું પડયું. “સ્વામિ! એમા આશ્ચર્ય જેવું નથી. પુદ્ગલના અનેક પ્રકાર હોય છે. શુભ પુદ્ગલ ક્યારેક અશુભમાં પરિણમન પામે છે, તો ક્યારેક અશુભ પુદ્ગલ શુભમાં પરિણમે છે. અંતે તો પુદ્ગલ જ છે.” રાજાએ મૌન ધારણ કર્યું.
ચંપા નગરીની બહાર એક ખાઇ હતી. તેમાં ગંદુ પાણી ભરેલું હતુ. એકદા રાજા પ્રધાનની સાથે ફરવા નીકળતા ખાઈ પાસેથી પસાર થયા. પાણીની દુર્ગધથી રાજા અકળાઈ ગયા. રાજાએ પાણીની અમનોજ્ઞતાનું વર્ણન કર્યું. ત્યારે સુબુધ્ધિએ પૂર્વ
65
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે જ પુગલના સ્વભાવનું વર્ણન કર્યું. રાજાએ સુબુધ્ધિને કહ્યું- સુબુધ્ધિ ! તમે કદાગ્રહના શિકાર બન્યા છો અને બીજાને જ નહિ પોતાને પણ ભ્રમમાં નાખો છો.
સુબુધ્ધિ મૌન રહ્યા. રાજાને સન્માર્ગ પર લાવવાનું નક્કી કર્યું. તેણે ખાઇનું પાણી મંગાવ્યું અને ૪૯ દિવસમાં વિશિષ્ટ વિધિથી તેને શુધ્ધ અને સ્વાદિષ્ટ બનાવ્યું. તે સ્વાદિષ્ટ પાણી જ્યારે રાજાને મોકલવામાં આવ્યું અને તેમણે પીધું, તો તે આસક્ત બન્યા. પ્રધાનજીને બોલાવી પૂછ્યું. ત્યારે પ્રધાને જવાબ આપ્યો કે આ એ જ ખાઇનું પાણી છે જેના માટે આપને અત્યંત અમનોજ્ઞ પ્રતીત થયું હતું.
રાજાએ ખુદ પ્રયોગ કર્યો. અને પૂછ્યું કે આનું તત્ત્વ તમને કયાંથી મળ્યું? ત્યારે સુબુધ્ધિ પ્રધાને જિનવચનની વાત કરી. તે સાંભળી રાજા શ્રમણોપાસક બની ગયા.
એકવાર ચંપાનગરીમાં ગુરુ ભગવંત પધારે છે ત્યારે રાજા જિનવાણીનું શ્રવણ કરવા જાય છે. સાંભળીને સુબુધ્ધિ પ્રધાને દીક્ષા અંગીકાર કરવા અનુજ્ઞા માંગી ત્યારે રાજાએ તેને થોડો સમય સંસારમાં રહેવાનું પછી દીક્ષા લેવાનું કહ્યું. સુબુધ્ધિ પ્રધાને તે કથનનો સ્વીકાર કર્યો. બાર વર્ષ પછી બંને સંયમ અંગીકાર કરી, અંતે જન્મ-મરણની વ્યથાથી મુક્ત થઈ ગયા. ઉપદેશ - સાધક આત્માએ દરેક વસ્તુને બાહ્યથી નહિ પણ આંતરિક દૃષ્ટિથી વિચારવું જોઈએ. આ ઉપદેશને અત્યંત સરળ કથાનક દ્વારા વર્ણવ્યો છે. અધ્યયન-૧૩માં નંદમણિયારની કથા છે.
રાજગૃહી નગરીમાં નંદમણિયાર રહેતો હતો. ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી શ્રમણોપાસક બન્યો. કાલાંતરે સાધુ સમાગમ ન થવાથી તેમજ મિથ્યાષ્ટિનો પરિચય વધવાથી તે મિથ્યાત્વી થયો. છતાં તપશ્ચર્યાદિ બાહ્ય ક્રિયાઓ પૂર્વવત કરતો રહ્યો.
એકદા ગ્રીષ્મઋતુમાં અષ્ટમ ભક્તની તપશ્ચર્યા કરી. પૌષધશાળામાં રહી પૌષધની ક્રિયા કરી. તે દરમ્યાન સખત ભૂખ તરસ લાગતા પૌષધાવસ્થામાં જ વાવડી-બગીચા આદિનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. બીજે દિવસે વ્રતમાંથી મુક્ત થયા બાદ તે રાજા પાસે પહોંચ્યો. રાજાની આજ્ઞા મેળવી વાવડી બનાવડાવી, તેની આજુબાજુ બગીચા, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય તથા અલંકારશાળા આદિનું નિર્માણ કરાવ્યું. ઘણા લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા અને નંદમણિયારની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી નંદ ખૂબ હર્ષિત થયો. વાવડી પ્રત્યેની તેની આસક્તિ અધિકાધિક વધવા લાગી.
Page #91
--------------------------------------------------------------------------
________________
આગળ જતા નંદના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. રોગ મુક્ત કરનાર ચિકિત્સકોને યોગ્ય પુરસ્કાર આપવાની ઘોષણા કરાવી.પણ સફળતા ન મળી. અંતે નંદમણિયાર આર્તધ્યાનમાં મૃત્યુ પામી વાવડીની આસક્તિને કારણે ત્યાં જ દેડકાની યોનિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ લોકોના મુખથી નંદની પ્રશંસા સાંભળી તેને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પાશ્ચાતાપ કરી શ્રાવકવ્રત અંગીકાર કર્યા.
ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં સમોસર્યા. દેડકાને તે સમાચાર જાણવા મળતા તે પણ ભગવાનના દર્શન કરવા રવાના થયો. રસ્તામાં જ શ્રેણિક રાજાના એક ઘોડાના પગ નીચે તે દબાઇ ગયો. જીવનનો અંત નજીક જાણી અંતિમ સમયની વિશિષ્ટ આરાધના કરી, મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનથી જાણી તુરત ભગવાનના સમવસરણમાં આવ્યો.
દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી ચરિત્ર અંગીકાર કરી મુક્તિપદને મેળવશે. ઉપદેશ:- તિર્યંચ યોનિમાં પણ જાતે જ શ્રાવકવ્રત ધારણ કરી શકાય તેમજ અંતિમ સમયની આરાધના કેવી રીતે કરવી તે પણ આ અધ્યયનથી જાણી શકાય છે. અધ્યયન-૧૪માં તેટલીપુત્ર પ્રધાન અને પોટીલાની કથા છે.
તેતલપુર નગરના રાજા કનકથના પ્રધાનનું નામ તેતલીપુત્ર હતું. તે જ નગરમાં મૂષીકાદારક નામનો સોની રહેતો હતો. એક વખત તેટલીપુત્રે તે સોનીની સુપુત્રી પોટીલાને ક્રીડા કરતાં જોઈ અને જોતાં જ તે તેણીમાં આસક્ત બન્યો. પત્નીના રૂપે માંગણી કરી. શુભ મુહર્ત બંનેના લગ્ન થઇ ગયા.
ઘણા સમય સુધી બંને પરસ્પર અનુરાગી રહ્યા પણ કાલાંતરે સ્નેહ ઘટવા માંડયો. એવી પરિસ્થિતિ થઇ કે તેટલીપુત્રને પોટીલાના નામથી ધૃણા થવા લાગી. પોટીલા ઉદાસ અને ખિન્ન રહેવા લાગી. તેનો નિરંતર ખેદ જાણી તેટલીપુત્રે કહ્યું- તું ઉદાસીનતા છોડી દે અને પુણ્ય ઉપાર્જન કર. પોટીલાએ તે પ્રમાણે કર્યું.
સંયોગવશાત એક વખત તેતલપુરમાં સુવ્રતા આર્યાનું આગમન થયું. તેઓ તેટલીપુત્રના ઘરે પધાર્યા. પોટીલાએ સઘળી વાત કરી. સાધ્વી સુવ્રતાએ ધર્મોપદેશ આપ્યો. તે સાંભળી પોટીલાએ શ્રાવિકાધર્મ સ્વીકાર્યો. ધીમે ધીમે સંયમ લેવાની રુચિ થઇ. તેટલીપુત્ર પાસે અભિલાષા વ્યક્ત કરી. ત્યારે તેતલીપુત્રે કહ્યું-તમે સંયમ પાળી આગામી ભવમાં અવશ્ય દેવલોકમાં જશો. ત્યાંથી મને પ્રતિબોધ કરવા આવજો. આ વચન સ્વીકારો તો હું તમને દીક્ષાની અનુમતિ આપીશ.
Page #92
--------------------------------------------------------------------------
________________
પોટીલાએ શરત સ્વીકારી. તે દીક્ષિત થઇ ગઇ. સંયમ પાળી આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ઉત્પન્ન થઇ.
તેતલીપુર નગરનો કનકરથ રાજા સત્તામાં લોલુપ હતો. તેનો દીકરો યુવાન થતાં રાજ્ય ન ઝૂંટવી લે તેથી જન્મતાં જ બાળકોને વિકલાંગ કરી નાખતો. તેની આ ક્રૂરતા રાણી પદ્માવતીથી સહન ન થઇ. જ્યારે તે ગર્ભવતી થઇ ત્યારે ગુપ્ત રીતે તેતલીપુત્રને અંતઃપુરમાં બોલાવી ભવિષ્યમાં થનાર બાળકની સુરક્ષા માટે મંત્રણા કરી. અંતે નક્કી કર્યું કે પુત્ર હોય તો રાજાની નજર ચૂકવી તેતલીપુત્રના ઘરે જ પાલનપોષણ કરવામાં આવશે.
સંયોગવશ જે દિવસે રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તે જ દિવસે તેતલીપુત્રની પત્નીએ મૃત કન્યાને જન્મ આપ્યો. પૂર્વકૃત નિશ્ચય અનુસાર તેતલીપુત્રે સંતાનની અદલાબદલી કરી. પત્નીને બધી વાતથી વાકેફ કરી. રાજકુમાર મોટો થવા લાગ્યો. તેનું નામ કનકધ્વજ હતું.
કાલાંતરે કનકરથ રાજા મૃત્યુ પામ્યો. અને રાજ સિંહાસન પર કનકધ્વજને બેસાડવામાં આવ્યો.
આ તરફ પોટીલદેવે પોતાની પ્રતિજ્ઞા અનુસાર તેતલીપુત્રને પ્રતિબોધ કરવા અનેક ઉપાયો કર્યા. પરંતુ રાજા દ્વારા સન્માન મળતાં તે પ્રતિબોધ ન પામ્યા. ત્યારે દેવે રાજા આદિને તેનાથી વિરુધ્ધ કર્યા. પરિવારજનોને તેનાથી વિરુધ્ધ કર્યા. ત્યારે તેતલીપુત્ર આપઘાત કરવાનું વિચારે છે. પણ દેવની માયાના ચોગે સફળતા ન સાંપડી. જ્યારે તેતલીપુત્ર આત્મઘાત કરવામાં સફળ ન થયા ત્યારે પોટીલદેવ પ્રગટ થયા. દેવે સારભૂત ઉપદેશ આપ્યો. તે સાંભળી તેતલીપુત્રને જાતિ સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું.
તેણે જાણ્યું કે, હું પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં મહાપર્વ નામનો રાજા હતો- સંયમ અંગીકાર કરી યથા સમયે અનશન કરી મહાશુક્ર દેવલોકમાં ઉત્પન્ન થયો હતો. ત્યાર પછી અહીં જન્મ લીધો.
તેમને નૂતન જીવન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અનેક વર્ષ કેવળી પર્યાયમાં રહી સિધ્ધ થયા.
ઉપદેશ:- પ્રતિજ્ઞાબધ્ધ દેવ ધર્મક્રિયામાં સહાયક બને છે. તેમજ અનુકૂળ વાતાવરણ કરતા પ્રતિકૂળ વાતાવરણમાં શીઘ્ર બોધ થાય છે.
68
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧૫માં નંદીફળનું દેષ્ટાંત આપેલ છે.
ચંપાનગરીમાં ધન્યસાર્થવાહ શક્તિ સંપન્ન વ્યાપારી હતો. તેણે એક વખત માલ વેચવા અહિચ્છત્રા નગરી જવા વિચાર્યું. ચંપાનગરીમાં ઘોષણા કરાવી કે, ધન્યસાર્થવાહ અહિચ્છત્રા નગરી જઇ રહ્યા છે, જેને આવવું હોય તે સાથે આવે. જેની પાસે જે કોઇપણ પ્રકારના સાધનનો અભાવ હશે, તેની પૂર્તિ કરવામાં આવશે.
ધન્યશ્રેષ્ઠીએ ચંપાનગરીથી પ્રસ્થાન કર્યું. ઉચિત સ્થાને વિશ્રાન્તિ લેતાં ભયંકર અટવીની વચ્ચે આવી પહોંચ્યા. અટવી ખૂબ વિકટ હતી, માણસોની અવરજવર નહોતી. બરાબર મધ્યભાગમાં એક વિષયુક્ત વૃક્ષ હતું. જેના ફળ, પાંદડા, છાલ આદિનો સ્પર્શ કરતાં, સૂંઘતા, ચાખતાં અત્યંત મનોહર લાગતા પણ તે બધા તેની છાયા પણ પ્રાણ હરણ કરવાવાળી હતી. અનુભવી ધન્યસાર્થવાહને તે નંદીફળના વૃક્ષનો પરિચય હતો. તેથી સમયસર ચેતવણી આપી દીધી કે- સાર્થની કોઇ વ્યક્તિએ નંદીફળની છાયાની નજીક પણ ન જવું.
ધન્યસાર્થવાહની ચેતવણીનો ઘણાએ અમલ કર્યો. તો કેટલાક એવા પણ નીકળ્યા કે આ વૃક્ષના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પ્રલોભનને રોકી ન શક્યા. જે તેનાથી બચ્યા સકુશળ લક્ષ સુધી પહોંચ્યા અને સુખના ભોગી બન્યા અને જે ઇન્દ્રિયને વશીભૂત થઇ પોતાના મન ઉપર નિયંત્રણ રાખી ન શક્યા તેઓ મૃત્યુના શિકાર બન્યા.
ઉપદેશઃ- સંસાર ભયાનક અટવી છે. તેમાં ઇન્દ્રિયના વિવિધ વિષયો નંદીફળ સમાન છે. વિષયો ભોગવતી વખતે ક્ષણભર સુખદ લાગે પણ ભોગનું પરિણામ ખૂબ શોચનીય છે. વ્યથાઓ ભોગવવી પડે છે. તેથી સાધકે વિષયોથી બચવું જોઇએ. અધ્યયન-૧૬માં દ્રૌપદી કથાનક છે.
દ્રૌપદીના પૂર્વભવોઃ- ચંપાનગરીમાં ત્રણ બ્રાહ્મણ ભાઇઓ રહેતા હતા. તેમનાં નામ આ પ્રમાણે હતા-સોમ, સોમદત્ત અને સોમભૂતિ. આ ત્રણેય બ્રાહ્મણોની ત્રણ ભાર્યાઓ હતી, જેમના નામ આ પ્રમાણે હતાં-નાગશ્રી, ભૂતશ્રી, યક્ષશ્રી. એકવાર તે બ્રાહ્મણો એકઠા મળીને નક્કી કરે છે કે વારાફરતી એક એકના ઘરે એક એક દિવસ વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ભોજન સામગ્રી બનાવીને ભોજન કરીએ.
એકવાર નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો આવ્યો. નાગશ્રી બ્રાહ્મણીએ વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ભોજન તૈયાર કર્યું. તુંબડાનું શાક ખૂબ સંભાર ભરીને તેલથી લથબથતું એવું બનાવ્યું. તેમાથી એક ટીપું હથેળીમાં લઇને ચાખ્યું તો ખારું કડવું, અખાદ્ય જેવુ લાગ્યું. તેને થયું જો મારી દેરાણીઓ આ જાણી
69
Page #94
--------------------------------------------------------------------------
________________
જશે તો મને ઉતારી પાડશે. તેમ વિચારી શાકને એકાંતમાં છુપાવી દીધું. અને મધુર તુંબડાનું બીજું શાક બનાવ્યું અને બધાને જમાડ્યા.
તે સમયે ધર્મઘોષમુનિ ચંપાનગરીમાં પધાર્યા. તેમાં ધર્મરુચિ નામે અણગાર હતા. તેમને મા ખમણનું પારણું હતુ. ભિક્ષા માટે ફરતાં નાગશ્રી બ્રાહ્મણીનું ઘર હતું ત્યાં પહોચ્યા. નાગશ્રીએ કડવા તુંબડાનું શાક ધર્મરુચિ અણગારને હોરાવ્યું, આહાર પૂરતો છે એમ સમજી તેઓ પોતાના ગુરુ પાસે આવી ગોચરીની પ્રતિલેખના કરી. ગુરુએ એક ટીપુ ચાખ્યું, તો તે કડવું, ખારું, અખાદ્ય, અભોજ્ય, વિષ જેવું જણાયું. આથી તેમણે ધર્મરુચિને કહ્યું કે તું જો આ શાકનું ભોજન કરીશ તો અકાળે જીવન રહિત થઈ જઈશ. માટે તું એકાંત જગ્યાએ અચિત્ત ભૂમિ પર પરઠવ અને બીજો પ્રાસુક આહાર લાવી તેનું ભોજન કર.
ધર્મરુચિ અણગાર ગુરુ આજ્ઞા લઈ અને એકાંત જગ્યાએ પાઠવવા જાય છે. એક બિંદુ પરઠવતા હજારો કીડીઓ ત્યાં આવી પહોંચી. તેમાંથી જે કીડીએ તે ટીપાનો આહાર લીધો તે અકાળે જ જીવન રહિત થઈ. આ જોઈ ધર્મરુચિને વિચાર આવ્યો કે “હું જો બધું શાક નીચે નાંખુ તો હજારો કીડીઓ મરણ પામે. અનેકના પ્રાણ હણનારો હું બનું. એના કરતા બધું જ શાક હું પોતે ખાઈ જાઉં, તો મારા આ શરીરમાં જ નષ્ટ થાય.' આમ વિચારી તુરત આહાર કર્યો. અને ત્યાં જ સમાધિ મરણ પામી સવાર્થ સિધ્ધવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યારબાદ ધર્મરુચિ આણગારને લાંબો સમય ગયો જાણીને બીજા નિગ્રંથો ગુરુ આજ્ઞાથી તેમને શોધવા જાય છે. અને શોધ કરતા આ જગ્યાએ પહોંચે છે. અને ગુરુને આવી સમાચાર આપ્યા. આખા ગામમાં નાગશ્રી બ્રાહ્મણીની બદનામી થાય છે. તે સોળ ભયંકર રોગથી પીડા પામી અત્યંત દુખથી રીબાઇને મરણ પામી અને મરીને છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમના આયુષ્યવાળા નારકોમાં નારકી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી મરીને તે મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી મરણ પામી બીજીવાર સાતમી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ફરીવાર મત્સ્ય રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર બાદ સર્પ યોનિ આદિ અનેક યોનિમાં ઉત્પન્ન થઈ.
પૃથ્વીકાયમાંથી નીકળી જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ચંપાનગરીમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા નામે ભાર્યાની કુક્ષિથી બાલિકા રૂપે ઉત્પન્ન થઈ, તેનું નામ સુકુમાલિકી રાખ્યું. બાલ્ય અવસ્થા પસાર કરી તે યૌવના સ્થાને પામી. તે રૂપ યોવન, લાવણ્યમાં ઉત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ શરીરવાળી સર્વાગ સુંદરી બની ગઈ.
સમય જતાં તેના લગ્ન જિનદત્ત અને ભદ્રાના સુપુત્ર સાગરદત્ત સાથે થયા. લગ્ન બાદ સુકુમાલિકાના હાથનો સ્પર્શ સાગરદત્તને કરવતના સ્પર્શ જેવો તીણ લાગ્યો.
70
Page #95
--------------------------------------------------------------------------
________________
આથી સાગરદત્ત સુકુમાલિકાને છોડીને ભાગી જાય છે. સુકુમાલિકા દુઃખી થાય છે. તેના પિતા તેના લગ્ન એક દરિદ્ર ભિખારી સાથે કરાવે છે. તે ભિખારી પણ સુકુમાલિકોનો સ્પર્શ થતાં તેને છોડીને ચાલ્યો જાય છે. ત્યારબાદ સુકુમાલિકા આર્તધ્યાનમાં પડી. ત્યારબાદ તેના પિતાએ તેના માટે દાનશાળાનું નિર્માણ કર્યું. જ્યાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિઓ, કૃપણો માટે આહાર બનવા લાગ્યો.
એકવાર ગોપાલિકા નામે સાધ્વી તેના શિષ્ય પરિવાર સાથે ચંપાનગરીમાં પધારે છે. ત્યારે સુકુમાલિકો તેમના સંપર્કમાં આવતાં તેઓ તેને ધર્મોપદેશ આપે છે. સુકુમાલિકી ધર્મ શ્રવણ કરીને શ્રાવકધર્મ સ્વીકારે છે. અને પછી પ્રવજ્યા ગ્રહણ કરે છે. ત્યારબાદ તેના આત્માનું કલ્યાણ કરવા લાગી.
કોઈ એક વખત તે ચંપાનગરીની બહાર ઉદ્યાનમાં છઠ્ઠનો તપ કરી સૂર્ય સામે આતાપના લેવાની આજ્ઞા માંગે છે ત્યારે ગોપાલિકા આર્યાએ ના પાડી. છતાં તે તેમની આજ્ઞા વિરુધ્ધ આતાપના લેવા જાય છે. ત્યાં ગણિકાને ભોગ ભોગવતી જોઈ સુકુમાલિક આર્યાને મનમાં આ પ્રકારનો વિચાર પેદા થયો.- “અહો! આ સ્ત્રી પૂર્વે સારી રીતે આચરેલ ને સારી રીતે પાર પાડેલ શુભ કર્મોના શુભ વિપાકથી આવા ફળ ભોગવી રહી છે. એટલા માટે આ સારી રીતે આચરવામાં આવેલ તપ, નિયમ, બ્રહ્મચર્યવાસનું કંઈ પણ શુભ ફળ હોય તો હું પણ આગામી જન્મમાં આવા પ્રકારના ઉત્તમ માનુષી ભોગો ભોગવું એમ થાઓ.” આમ કરી તેણે નિયાણું કર્યું અને આતાપના ભૂમિથી પાછી ફરી. અને બકુશ ચારિત્ર પાળવા લાગી. ગુણીએ તેને પ્રાયશ્ચિત લેવા સમજાવી. પરંતુ તેણે તેમના વચનનો આદર ન કર્યો. અને તેમનાથી જુદી વિચારવા લાગી અને શિથિલાચાર પાળી આયુ પૂર્ણ થતા દેવલોકમાં દેવગણિકા રૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે પાંચાલ દેશમાં મહારાજા દ્રુપદ રાજાને ત્યાં ચૂલણી રાણીની કુક્ષિએ પુત્રીપણે પેદા થઇ. તેનુ નામ દ્વૌપદી રાખવામાં આવ્યું.
યૌવનાવસ્થા પામતાં દ્રૌપદીનો સ્વયંવર મંડપ રચાયો. દેશ-પરદેશના રાજાઓને આમંત્રવામાં આવ્યા. નિર્ધારિત સમયે શ્રીકૃષ્ણજી, બલભદ્રજી, શિશુપાળ, દુર્યોધન, તેમજ સંખ્યાબંધ રાજા-મહારાજાઓ પોત પોતાના રાજકુમારો સાથે ત્યાં આવી પહોંચ્યા.
પાંડુરાજા પણ પોતાના પાંચેય પુત્રો સાથે આવી પહોંચ્યા. સ્વયંવર મંડપમાં હજારો પ્રેક્ષકો જમા થઈ ગયા. રાજા-મહારાજાઓએ યથાસ્થાને બેઠક લીધી. પ્રતિહારી દ્વારા એક પછી એક રાજાનો પરિચય પામતી દ્રૌપદી હાથમાં વરમાળા લઈ આગળ ધપી. પાંડવોની સમીપમાં આવી. તેમને જોઇને તેને સ્વાભાવિક અનુરાગ પેદા થયો. તેના રોમાંચ ખડા થઈ ગયા અને તે ક્ષણે તેણે યુધિષ્ઠિરના કંઠમાં
Page #96
--------------------------------------------------------------------------
________________
વરમાળા નાખી. પણ ભવિતવ્યતાના યોગે તે વરમાળા પાંચે પાંડવોના કંઠમાં દેખાણી.
આ વિચિત્ર બનાવ બનતાં આખાય સ્વયંવર મંડપમાં હાહાકાર મચી ગયો. એક સ્ત્રીને પાંચ પતિ કેમ હોઈ શકે? સઘળુંય રાજમંડળ વિચારમાં પડ્યું, તેટલામાં એક વિદ્યા ચારણ મુનિ ત્યાં પધાર્યા. એ જ્ઞાની મહામુનિએ સૌનો ભ્રમ ભાંગ્યો. દ્રૌપદીના જીવે પૂર્વભવે બાંધેલ નિયાણાની વાત જણાવી અને તે કર્મના ઉદયથી આ ભવમાં પાંચ પતિ થયા છે તેવો ખુલાસો કર્યો. કર્મસ્થિતિને કોણ ટાળી શકે? એમાં કશો જ ફેરફાર થવાનો નથી. ઉત્સાહથી લગ્ન મહોત્સવ ઉજવાયો, પાંચેય પાંડવો દ્વૌપદીને લઇને હસ્તિનાપુરમાં પધાર્યા.
જુગાર વ્યસનમાં પાંડવો રાજપાટ તો હારી ગયા, સાથે સાથે દ્રૌપદીને પણ હારી ગયા. ભીમે કૌરવોને ભારે ધમકી આપી, ત્યારે દ્રૌપદીને પાછી સોંપી અને પાંચેય પાંડવોએ દ્રૌપદીની સાથે વનવાસ સ્વીકાર્યો.
વનવાસમાં ખાડા ટેકરા અને પહાડો ઓળંગવા પડ્યા. ટાઢ-તડકો સહન કરવો પડ્યો અને બીજી પણ અનેક મુશીબતો ઉઠાવવી પડી. છેલ્લે મહાભારતનું યુધ્ધ ખેલાયું અને તેમાં યુધિષ્ઠિરનો વિજય થયો.
ત્યારબાદ કેટલાક સમય પછી દ્રોપદી ગર્ભવતી બની અને ગર્ભકાળ પૂર્ણ થતાં બાળકનો જન્મ થયો. તે બાળકનું નામ પાંડુસેન રાખ્યું. તે મોટો થતાં કલાચાર્ય પાસે ભણવા મૂક્યો. બહોંતેર કળા શીખી અને યુવાન બન્યો ત્યારે તેને યુવરાજ પદે સ્થાપ્યો. કાળક્રમે હસ્તિનાપુરમાં એક મહામુનિ પધાર્યા, તેમની સુધાસમી વૈરાગ્ય નીતરતી વાણી શ્રવણ કરી પાંડવો અને દ્રોપદીને વૈરાગ્ય થયો અને તેઓએ ચારિત્ર્ય અંગીકાર કર્યું. ચારિત્ર અંગીકાર કર્યા બાદ આકરી તપશ્ચર્યા આદરી, સ્વાધ્યાય ધ્યાનમાં તન્મય બની, ત્યાગ અને તપ દ્વારા જીવનને ઉજમાળ બનાવ્યું. અંતે એક માસનું અણસણ કરી ત્યાંથી મૃત્યુ પામી પાંચમા બ્રહ્મલોકમાં દ્રોપદી પેદા થઈ. સુર સુખોને અનુભવી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને તે જ ભવે ત્યાંથી તે મોક્ષમાં જશે. અને યુધિષ્ઠિર આદિ પાંચ અણગાર બે માસની સંલેખના વડે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી સિદ્ધ થયા અને સર્વ દુઃખોથી મુક્ત બન્યા. ઉપદેશ:- કર્મના વિપાક ભયંકર છે. તેમજ પાપ છિપાયા ના છિપે, પાપ છાપરે ચડીને પોકારે આ ઉક્તિ સદાય યાદ રાખવી. પાપ અનેકગણું વધીને પ્રગટ થયા વિના રહેતું નથી.
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૭મું અધ્યયન આકીર્ણજ્ઞાત અશ્વથા
હસ્તિશીર્ષ નગરના કેટલાક વ્યાપારીઓ જળ માર્ગે વ્યાપાર કરવા નીકળ્યા. તેઓ લવણસમુદ્રમાં જતા હતા ત્યાં અચાનક તોફાન આવ્યું. દિશાનું ભાન ન રહ્યું. વણિકોના હોશકોશ ઉડી ગયા. બધા દેવ દેવીઓની માનતા કરવા લાગ્યા.
થોડીવારે તોફાન શાંત થયું. ચાલકને દિશાનુ ભાન થયું. નૌકા કાલિક દ્વીપના કિનારે જવા લાગી. કાલિક દ્વીપમાં પહોંચતા જ વણિકોએ જોયું કે અહીં ચાંદી, સોનું, હીરાની ખાણો છે. તેમજ તેઓએ ઉત્તમ જાતિના અશ્વો જોયા. વણિકોને અશ્વનું કોઇ પ્રયોજન નહોતું તેથી ચાંદી, સોનું, રત્નાદિથી વહાણ ભરી પુનઃપોતાની નગરીમાં પાછા વળ્યા.
આ ઉપહાર લઇ વિણિકો રાજા સમક્ષ આવ્યા. રાજાએ તેઓને પૂછ્યું કે, તમે કોઇ આશ્ચર્યકારી અદ્ભુત વસ્તુ જોઇ છે? વણિકોએ કાલિકદ્વીપના અશ્વોનો ઉલ્લેખ કર્યો. રાજાએ વણિકોને અશ્વો લઇ આવવાનો આદેશ કર્યો.
વણિકો અશ્વોને પકડવા પાંચે ઇન્દ્રિયોને લલચાવતી લોભામણી વસ્તુઓ લઇને ગયા. જુદી જુદી જગ્યાએ તે વસ્તુઓ વિખેરી નાખી. જે અશ્વો ઇન્દ્રિયોને વશમાં ન રાખી શકયા તેઓ સામગ્રીમાં ફસાઇ બંધનમાં પડ્યા. પકડાયેલા અશ્વને હસ્તિશીર્ષ નગરમાં લઇ જવામાં આવ્યા. તેઓને પ્રશિક્ષિત થવામાં ચાબૂકનો માર ખાવો પડ્યો.
કેટલાક અશ્વો એવા હતા કે જેઓ સામગ્રીમાં ન ફસાયા અને દૂર ચાલ્યા ગયા. તેઓની સ્વતંત્રતા કાયમ રહી. વધ, બંધન આદિ કષ્ટોથી બચી ગયા.
ઉપદેશ:- જે સાધક અશ્વોની જેમ અનુકૂળ વિષયમાં ફસાય છે તે ભવ સાગરમાં ભટકે છે. જે સાધક અશ્વોની જેમ અનુકૂળ વિષયોમાં ન ફસાય તે પરમાનંદને પ્રાપ્ત કરે છે.
અધ્યયન-૧૮માં સુષુમાદારિકાનું ધ્રુષ્ટાંત છે.
રાજગૃહીના ધન્ય સાર્થવાહની લાડલી, સુષુમા સોનાના પારણામાં પોઢી, સુખમાં ઉછરી, તેનો કેવો કરૂણ અંત આવ્યો, તે આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું
છે.
ધન્ય સાર્થવાહના પાંચ પુત્રો પછી સુષુમાનો જન્મ થયો. જ્યારે તે નાની હતી ત્યારે ચિલાત નામનો દાસ તેને આડોશી-પાડોશીના બાળકો સાથે રમવા લઇ જતો. તે બહુ જ નટખટ હતો. રમતા બાળકોને ત્રાસ આપતો. આખરે વાંરવાર ફરિયાદ આવતા ચિલાતને ઘરમાંથી કાઢી મૂક્યો.
73
Page #98
--------------------------------------------------------------------------
________________
હવે તે સ્વચ્છંદ અને નિરંકુશ બન્યો. તે બધાજ વ્યસનોથી વીંટળાઇ ગયો. રાજગૃહીથી થોડે દૂર સિંહગુફા નામની ચોર પલ્લી હતી. ત્યાં ૫૦૦ ચોર સાથે વિજય નામનો ચોરોનો સરદાર રહેતો હતો. ચિલાત ત્યાં પહોચ્યો. વિજયે તેને ચૌર્યકળા, ચૌર્યમંત્ર શીખવાડી ચૌર્યકળામાં નિષ્ણાત બનાવ્યો. વિજયના મૃત્યુ બાદ ચિલાત ચોરોનો સરદાર બન્યો.
ધાન્ય સાર્થવાહે તેનો તિરસ્કાર કર્યો હતો. તેથી તેનો બદલો લેવાની ભાવના થઇ. ધન્ય સાર્થવાહનું ઘર લૂંટી સુષુમાને પોતાની બનાવવાનો વિચાર ઉદ્ભવ્યો.
નિર્ધારિત સમયે ધન્ય સાર્થવાહની સંપત્તિ લૂંટી તથા સુષુમાને લઇ તે ભાગ્યો. ધન્ય શેઠ જીવ બચાવવા છૂપાઇ ગયા હતા. તે નગર રક્ષક પાસે ગયા. નગર રક્ષકોએ ચોરનો પીછો પકડ્યો. ધન્ય અને પાંચ દીકરા પણ સાથે જ ગયા. તેઓ સતત પીછો કરતા જ રહ્યા. બચવાનો ઉપાય ન મળતાં ચિલાતે સુષુમાનું ગળુ કાપી નાખ્યું. ધડને છોડી મસ્તક લઇ ચિલાત ભાગી છૂટ્યો. ભૂખ્યો-તરસ્યો પીડા પામતો અટવીમાં જ મૃત્યુ પામ્યો.
આ તરફ ધન્ય સાર્થવાહે પોતાની પુત્રીનું મસ્તક રહિત નિર્જીવ શરીર જોયું તો તેમના સંતાપનો પાર ન રહ્યો. નગરીથી તેઓ ખૂબ આગળ નીકળી ગયા હતા. ભૂખ-તરસ લાગેલી. ધન્ય સાર્થવાહે કહ્યું-ભોજન વિના રાજગૃહી નહિ પહોંચાય, તેથી મને હણી મારું માંસ તથા રુધિર દ્વારા ભૂખ-તરસ મીટાવો. જ્યેષ્ઠ પુત્રે આ વાત માન્ય કરી. બધાએ મળી નિર્ણય કર્યો કે સુષુમાના શરીરનો આહાર કરી સકુશલ રાજગૃહી પહોંચવું અને એમ જ થયું.
યથા સમયે સાર્થવાહે પ્રવજ્યા ગ્રહણ કરી. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયાં. મહાવિદેહમાં જઇ મોક્ષે પધારશે.
ઉપદેશ:- સાર્થવાહ તથા તેના પુત્રોએ આહાર રસે ઇન્દ્રિયની લોલુપતા માટે નહિ પરંતુ રાજગૃહી સુધી પહોંચવાના ઉદ્દેશથી જ કર્યો હતો. સાધકે આહાર અશુચિમય શરીરના પોષણ માટે નહિ, પરંતુ મુક્તિએ પહોંચવાના લક્ષ્યથી કરવો.
અધ્યયન-૧૯માં પુંડરીક અને કંડરીકની કથા છે.
મહાવિદેહમાં પુષ્પ કલાવતી વિજયમાં પુંડરિકણી નગરી સાક્ષાત દેવલોક સમાન સુંદર હતી. ત્યાં મહાપદ્મ રાજાને બે દીકરા હતા. પુંડરીક અને કંડરીક. એકવાર ધર્મઘોષ આચાર્યની દેશના સાંભળી મહાપદ્મ રાજા દીક્ષિત થયા. પુંડરીક રાજા બન્યા. મહાપદ્મ રાજર્ષિ વિશુધ્ધ સંયમ પાળી મોક્ષે પધાર્યા. કંડરીકને વૈરાગ્ય ઉત્પન્ન થયો. દીક્ષા લીધી.
74
Page #99
--------------------------------------------------------------------------
________________
કંડરીક મુનિને દેશ-દેશાંતર વિચારતાં લૂખો-સૂકો આહાર કરતાં શરીરમાં રોગ ઉત્પન્ન થયો. ભાઈ મુનિનું શુષ્ક શરીર જોઈ પુંડરીકે ચિકિત્સા કરાવવાનું નિવેદન કર્યું. નિવેદન સ્વીકારી કંડરીક મુનિએ ચિકિત્સા કરાવી. કંડરીક મુનિ સ્વસ્થ થયા.
સ્થવિરમુનિ વિહાર કરી અન્યત્ર ગયા પરંતુ કંડરીક મુનિ રાજસી ભોજનમાં આસક્ત થવાથી ત્યાં જ રહ્યા. પુંડરીકે એકવાર ભાઈ મુનિને જાગૃત કર્યા. કંડરીક મુનિએ વિહાર તો કર્યો પરંતુ સંયમ પ્રત્યે સદ્ભાવ નહોતો. અંતે સાંસારિક લાલસાઓથી પરાજિત થઈ રાજમહેલની અશોક વાટિકામાં આવી બેઠા. લજ્જાને કારણે મહેલમાં પ્રવેશ ન કર્યો. ત્યાં પરિવાર જનોએ તેમને જોયા અને યુક્તિથી પૂછ્યું કે, “ભગવાન! આપ ભોગને ઈચ્છો છો?'' કંડરીકે લજ્જાથી હા પાડી પુંડરીકે તેનો રાજ્યાભિષેક કર્યો અને પુંડરીક રાજા સ્વયં દીક્ષિત થયા.
કંડરીક પોતાના અપથ્ય આચરણને કારણે અલ્પકાળમાં જ આર્તધ્યાન પૂર્વક કાળધર્મ પામ્યો. તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી સાતમી નરકમાં ઉત્પન્ન થયો. જ્યારે પુંડરીકમુનિ ઉગ્ર તપશ્ચર્યા સાધના કરી અંતે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી તેત્રીસ સાગરોપમવાળી સ્થિતિવાળા સર્વાર્થસિધ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી મોક્ષે પધારશે. ઉપદેશ - ઉત્થાન તરફ જવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. સાધકે આ કથા પરથી સમજવું કે દરેક જગ્યાએ વિવેક રાખવો જોઈએ નહિતર પતનનું કારણ થાય છે.
- દ્વિતીય શ્રુતસ્કંધઃકાલીદેવી - રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. તે સમયે ચમરેન્દ્ર અસુર રાજની અગ્રમહિષી (કાલીદેવી) પોતાના સિંહાસન ઉપરથી ઉઠી પ્રભુ જે દિશામાં હતા તે દિશામાં સાત આઠ ડગલા આગળ જઈ વંદન કર્યા. ત્યારબાદ ભગવાનના પ્રત્યક્ષ વંદન કરવા ગયા. પરંપરા અનુસાર ૩ર પ્રકારની નાટ્ય વિધિ બતાવી પાછી ગઈ.
કાલીદેવીના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાનની સમક્ષ પ્રશ્ન પૂછયો. ભંતે! કાલીદેવીએ ઋધ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી? ત્યારે ભગવાને તેનો પૂર્વભવ જણાવ્યો.
આમલકલ્પા નગરીના કાલ નામના ગાથા૫તિની એક પુત્રી હતી. તેનું નામ કાલી હતું. તેની માતાનું નામ કાલશ્રી હતું. કાલી બેડોળ શરીરવાળી હતી જેથી અવિવાહિત રહી ગઇ.
એકવાર પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન આમલકલ્પામાં પધાર્યા. કાલીએ દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી યથાશક્તિ તપશ્ચર્યા કરી સંયમની આરાધના કરવા લાગી. થોડા સમય બાદ તેને શરીરની આસક્તિ ઉત્પન્ન થઈ. તેથી વાંરવાર
75
Page #100
--------------------------------------------------------------------------
________________
હાથ પગ ધોતી આદિ સાધ્વાચારથી વિપરીત પ્રવૃતિ કરવા લાગી. આથી પુષ્પચૂલાજીએ તેણીને સમજાવવા પ્રયત્ન કર્યો પણ ન માની. અંતે સ્વછંદ બનતા વિરાધક બની. આલોચના કર્યા વગર મૃત્યુ પામી કાલીદેવી પણ ઉત્પન્ન થઈ છે.
હવે તે દેવીનો ભવ કરી મહાવિદેહમાં જન્મ લેશે. ત્યાં નિરતિચાર સંયમની આરાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે. ઉપદેશઃ- સાધક જો સંયમ લઈ સમ્યચ્ચારિત્રનો વિરાધક બને તો દેવગતિને પ્રાપ્ત કરે પરંતુ વૈમાનિક જેવી ઉચ્ચગતિ મેળવી શકતો નથી. દ્વિતીય શ્રુતસ્કંધમાં દશ વર્ગ છે. પ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. બીજા વર્ગમાં વેરોચનેન્દ્ર બલીન્દ્રનું વર્ણન છે. ત્રીજા વર્ગમાં અસુરેન્દ્રને છોડી દક્ષિણ દિશાના નવ ભવનવાસી ઇન્દ્રોની અગ્રમહિષીઓનું વર્ણન છે. ચોથા વર્ગમાં ઉત્તર દિશાના ઇન્દ્રોની અગમહિષીઓનું વર્ણન છે. પાંચમા વર્ગમાં દક્ષિણ દિશાના વાણવ્યંતર દેવોની અગ્રમહિષીઓનું વર્ણન છે. છઠ્ઠા વર્ગમાં ઉત્તર દિશાના વાણવ્યંતર દેવોની અગ્નમહિષીઓનું વર્ણન છે. સાતમા વર્ગમાં જ્યોતિષેન્દચન્દ્રની અગમહિષીઓનું વર્ણન છે. આઠમા વર્ગમાં સૂર્યેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. નવમા અને દસમા વર્ગમાં વૈમાનિકના સૌધર્મેન્દ્રની તથા ઇશાનેન્દ્રની અગમહિષીઓનું વર્ણન છે.
આ બધી દેવીઓનું વર્ણન તેમના પૂર્વ ભવનું છે. જે મનુષ્ય પર્યાયમાં સ્ત્રીરૂપે હતી. સાધ્વી બન્યા પછી ચારિત્રની વિરાધના કરી સ્વચ્છંદી બની અંતિમ સમયે દોષની આલોચના કર્યા વિના કાળધર્મ પામી.
આમ દશ વર્ગના ર૦૬ અધ્યયનમાં ર૦૬ દેવીઓનું વર્ણન છે. તેઓ એક ભવ કરી, મહાવિદેહક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. ઉપદેશ - જિનવચન પ્રત્યે શ્રધ્ધા શુધ્ધ છે, તપ, સંચમની રુચિ છે તો બકુશવૃતિ ભાવપરંપરા નથી વધારતી પણ અંતે સાચા હૃદયથી પ્રતિક્રમણ, આલોચના ન કરવાથી જીવ વિરાધક બને છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર આજથી ર૫૦૦ વર્ષ પૂર્વે સર્વજ્ઞ શ્રી મહાવીરદેવે પોતાના આયુષ્યના ૧૬ પ્રહર બાકી હતા ત્યારે ભવ્યજીવોના કલ્યાણ અર્થે અપાપા નગરીમાં, હસ્તિપાળની લેખનશાળામાં, નવમલ્લી નવલચ્છી ગણના રાજાઓ એકત્ર થયા હતા. અને જેઓ ભગવાનના સાનિધ્યમાં છઠ્ઠ પૌષધનું વ્રત લઇ ધર્મ આરાધના કરી રહ્યા હતા. એ સમયે ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રની અંતિમ અમર દેશના આપી હતી. આથી જ આ સૂત્રને ઉત્તરાધ્યયન સૂત્ર અથવા ભગવાન મહાવીરની અંતિમદેશના કહેવામાં આવે છે.
રચના કાળ:- ભગવાન મહાવીરના ઉપલબ્ધ સૂત્રોના બે ભાગ પડે છે. (૧)અંગપ્રવિષ્ટ (ર)અંગબાહ્ય.
ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ અંગબાહ્યમાં થાય છે. તેમ છતાં તે આખું સૂત્ર સુધર્માસ્વામી જંબુસ્વામીને સંબોધીને કહેલું છે. સૌધર્માસ્વામી વીર નિર્વાણ પછી વીસમે વર્ષે મુક્તિ પામ્યા. અલગ અલગ દૃષ્ટિકોણથી ઉત્તરાધ્યયન સૂત્રનું મહત્ત્વઃસામાજિક દૃષ્ટિકોણ:- ભગવાન મહાવીરે અણગારી અને આગારી બે પ્રકારના માર્ગો બતાવ્યા છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં આ બંને માર્ગ સ્પષ્ટ રીતે બતાવ્યા છે. ભાષાકય દૃષ્ટિકોણ:- ભાષાીય દૃષ્ટિએ આ ગ્રંથ સરળ ભાષામાં રચાયો છે. માટે બાલ જીવો સરળતાથી ભણી શકે. ધાર્મિક દૃષ્ટિકોણ - આ સૂત્રમાં વિનય, અહિંસાના સિધ્ધાંતનું ગંભીર પ્રતિપાદન, ગૃહસ્થના કર્તવ્યો, કર્માવલંબી વર્ણવ્યવસ્થા, સંયમની મહત્તા, ત્યાગભાવના આદિ ઉત્તમ પદાર્થ પાઠો અલંકૃત થયા છે.
આમ, અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોતાં સૂત્રની મહત્તા જાણી શકાય છે. ભદ્રંકરસૂરીશ્વરજી દ્વારા કરાયેલા ઉત્તરાધ્યયન સૂત્રના અનુવાદમાં કહ્યું છે કે,
“શ્રી સર્વજ્ઞ ભગવંતોએ નિર્મલ કેવળજ્ઞાન દ્વારા વિશ્વભરના જંતુઓને સત્ય, પરિપૂર્ણ અને અનંતજ્ઞાન દર્શાવ્યું છે. તે જ્ઞાન ગણધર ભગવંતોએ સ્વસ્મૃતિમાં અંકિત કરી આગમરૂપે ગૂચ્યું છે. શ્રી વીતરાગ દેવનું જ્ઞાન જે કોઈપણ આગમમાં ગૂંથેલું હોય તે સર્વ સ્વાધ્યાય યોગ્ય જ છે. તે જ્ઞાનનું ચિંતવન અને પરિશીલન આત્માને સ્થિર સ્વભાવી બનાવે જ છે. આત્માનું સાચું દર્શન કરવાને એ સમર્થ જ હોય છે.
77
Page #102
--------------------------------------------------------------------------
________________
સર્વજીવોને સરળતાથી સ્વાધ્યાય યોગ્ય અને રસ ભરપૂર તેમજ વૈરાગ્ય, અધ્યાત્મ તથા ત્યાગથી તરબોળ વર્તમાનકાળમાં “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર” ઘણું જ પ્રચલિત અને પ્રસિધ્ધ છે. શ્રી વીરપ્રભુની અંતિમવાણી રૂપ આ છત્રીશ અધ્યયનથી શોભતા “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર” અનેકોને સ્વાધ્યાયથી ઉપકાર જનક બની રહ્યું છે. આ ગ્રંથ કથાનુયોગમાં પ્રવિષ્ટ છે પરંતુ અનેક રસભર્યા વિષયોની વાણી તે પીરસી જાય છે.”
મુનિ સંતબાલ દ્વારા કરાયેલ ‘ઉત્તરાધ્યયન સૂત્ર' ગ્રંથના ભાવાનુવાદની ચોથી આવૃત્તિ વિષે મનુ પંડિત કહે છે કે, મુનિશ્રીના આ અનુવાદમાં ભગવાન મહાવીરની વાણીમાં જે માંગલ્ય છે તેને મુનિશ્રીએ પોતાથી મધુરતા અને મૌલિકતાથી ભરી દીધું
ઉત્તરાધ્યયન સૂત્ર” ગ્રંથના ભાવાનુવાદક મુનિશ્રી સંતબાલ કહે છે કે,
જ્યારથી ઉત્તરાધ્યયન સૂત્રનું વાંચન કરેલું ત્યારથી તે સૂત્ર પ્રત્યે આકર્ષણ થયેલું. ભગવાન મહાવીરના અન્ય સૂત્રોમાં જે વચનો છે તે પૈકી પ્રથમ ઉત્તરાધ્યયનને તદ્ન નવી ઢબે સંસ્કારવાની ભાવના પ્રથમ ઉદ્ભવવાનાં બે કારણો હતા. (૧)સરળતા (૨)સર્વવ્યાપકતા.” સૂત્ર પરિચય:- આ સૂત્રમાં ધાર્મિક ઉપદેશાત્મક દંત કથાવાળા ૧૩ અધ્યયન છે. કેટલાક અધ્યયનમાં સૈધ્ધાંતિક માહિતી છે. જેમ કે (૨૪, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૩, ૩૪,૩૬) અધ્યયન ૭ - બકરાનું દૃષ્ટાંત - ૩૦ ગાથા ૮ – કપિલ મુનિનું દૃષ્ટાંત - રવ ગાથા ૯ - નમિ રાજાનો ગૃહ ત્યાગ - ૬ર ગાથા ૧૨ - હરિકેશબલ – ૪૭ ગાથા ૧૩ – ચિત્રસંભૂતિ – ૩૫ ગાથા ૧૪ – ઈષકાર નગરના દેવો – પ૩ ગાથા ૧૮ - સંતરાજા - ૫૪ ગાથા ૧૯ - મૃગાપુત્ર - ૯૮ ગાથા ર૦ – અનાદિમુનિ – ૬૦ ગાથા ૨૧ - સમુદ્રપાલ – ૨૪ ગાથા રર – રથનેમિ – ૪૯ ગાથા
Page #103
--------------------------------------------------------------------------
________________
૨૩ -કેશીગૌતમ - ૮૯ ગાથા રપ - સાચોયજ્ઞ- ૪૪ ગાથા
આ સૂત્રમાં આવતી દૃષ્ટાંત કથાઓ:(૧) ૭માં અધ્યયન ઉરબ્રીયમાં ઘેટા(બકરા) દષ્ટાંત આપી સંસારના ભોગોની ભયંકરતા સમજાવી છે. એક કસાઇને ત્યાં ગાય અને વાછરડું તથા બકરીનું બચ્ચું બકરો પણ છે. કસાઈ રોજ બકરાને લીલું ઘાસ નાખે જ્યારે ગાયના વાછરડાને સૂકું ઘાસ નાંખે. આ જોઈ વાછરડાને બકરાની ઈર્ષ્યા થાય છે. તે તેની માને ફરિયાદ કરે છે. ત્યારે મા સાંત્વન આપી કહે છે કે થોડાક દિવસમાં જ આનું રહસ્ય ખૂલી જશે.
થોડા દિવસમાં કસાઇને ત્યાં મહેમાન આવ્યા ત્યારે તરત જ કસાઇએ બકરાને મારી અતિથિનો સત્કાર તેમજ ઉજાણી કરી.
આ દશ્ય જોઇ માતાએ વાછરડાને કહ્યું, “જોયું! લીલા ઘાસનું પરિણામ.”
આ કથા દ્વારા ઉપદેશ આપતા પ્રભુ મહાવીર કહે છે કે મહાપુણ્યોદયે સાધુ જીવન તેમજ મનુષ્યભવ મળ્યો છે. પરંતુ આ જીવનની પ્રાપ્તિ પછી જીવ આહાર આદિમાં આસક્ત બને તે આત્માની દશા આ બકરા જેવી થાય છે. ક્ષણિક સુખોને ભોગવી દુર્ગતિમાં જવું પડે છે. (૨) ૮મા અધ્યયન- કપિલીયમાં કપિલમુનિની કથા દ્વારા લોભવૃતિ વિશે સમજાવી જીવને દુર્ગતિમાં જતા અટકાવવાનો ઉપદેશ આપ્યો છે.
કપિલ નાના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા. તેમના પિતા રાજ પુરોહિત હતા. રાજાએ તેમની જગ્યાએ નવો પુરોહિત નીમ્યો. તે નવો પુરોહિત ઠાઠમાઠથી. રાજમાર્ગ પર જતો હતો. તે જોઈ પૂર્વાવસ્થા યાદ આવતા કપિલની માતા રડે છે. ત્યારે કપિલને થયું, “હું મારા પિતાનું પદ પાછું મેળવીશ.' માતાએ તેને ભણવા માટે તેના પિતાના મિત્ર ઇંદ્રદત્તને ત્યાં જવાની સલાહ આપી. ઇંદ્રદત્તે ખુશીથી ભણાવવાની હા પાડી. તેના ખાવાની વ્યવસ્થા શાલિભદ્ર શેઠને ત્યાં કરી. તે શેઠની દાસી રોજ કપિલને જમવાનું પીરસતી. એમ થતા બંને મિત્ર બને છે. એકવાર દાસી ઉદાસ હતી ત્યારે કપિલ તેની ઉદાસીનું કારણ પૂછ્યું. ત્યારે દાસી જણાવે છે કે,
કાલે અમારે ત્યાં ઉત્સવ છે. બધા શણગાર સજી આવશે પણ મારી પાસે પૈસા નથી.' આ માટે કપિલે ઉપાય પૂછ્યો ત્યારે દાસીએ કહ્યું કે, “આ નગરમાં ધન નામનો શેઠ સવારના પહોરમાં પોતાને મંગળ વચનોથી જગાડનાર બ્રાહ્મણને બે સોનામહોર દક્ષિણા આપે છે.'
79.
Page #104
--------------------------------------------------------------------------
________________
- આ સાંભળી કપિલ અડધી રાત્રે જ ચાલી નીકળ્યા. રસ્તામાં ચોકીદારોએ તેમને ચોર સમજી પકડ્યા અને બીજે દિવસે રાજા સમક્ષ રજુ કર્યા. કપિલે રાજાને બધી હકીક્ત કહી સંભળાવી. રાજા તેનાથી સંતુષ્ટ થઈ તેને છોડી મૂકે છે અને જોઈતું ધન માંગી લેવા કહે છે. આ સાંભળી કપિલ ખુશ થઇ વિચારે છે કે કેટલું ધન માંગવું. વિચાર કરતા ગયા તેમ તેમ લોભ વધતો ગયો. તરત જ આત્મ જાગૃતિ થઈ અને ભાન આવ્યું કે પોતે શું કરવા બેઠા છે. તરત જ વૈરાગ્ય આવતા સાધુ બની ચાલી નીકળ્યા અને એક મહાન તપસ્વી બની મોક્ષ સુખ પ્રાપ્ત કરે છે.
આમ, આ કથા દ્વારા દુઃખ મુક્તિનો ઉપાય તેમજ આસક્તિ એ કર્મ બંધનનું મૂળ છે એમ ઉપદેશ આપ્યો છે. (૩) અધ્યયન ૯- નમિપ્રવજ્યા છે. તેમાં નમિરાજર્ષિ અને ઇંદ્રનો સંવાદ સુંદર રીતે વર્ણવ્યો છે.
આ કથામાં એકવાર નમિરાજાને તીવ્ર દાહ ઉત્પન્ન થયો, વૈદ્યના કથનથી એના શરીર પર ચંદન લગાવ્યું. નમિની રાણીઓ ચંદન ઘસે છે ત્યારે કંકણનો અવાજ સાંભળી નમિરાજા પરેશાન થઈ ગયા. ત્યારે મંત્રીના ઇશારાથી દરેકે એક એક કંકણ ધારણ કરી બાકીના ઉતારી દીધા. ત્યારે અવાજ થતો બંધ થયો. રાજાએ મંત્રીને પૂછયું, ચંદન ઘસવાનું બંધ કર્યું છે? ત્યારે મંત્રીએ કહ્યું કે રાણીઓએ એક કંકણ સિવાય બાકીના ઉતારી દીધા છે. મંત્રીની આ વાત સાંભળી રાજા એકત્વ ભાવમાં ચઢી ગયા. વિચાર્યું કે, “એકમાં સુખ છે, સંયોગમાં દુ:ખ છે.”
રાત્રે જ સંકલ્પ કરે છે કે જો દાહ મટી જશે તો દીક્ષા લઈશ. નસીબ જોગે દાહ મટી જાય છે. રાજા નમિ રાજપાટ છોડી દીક્ષા અંગીકાર કરે છે. એમના વૈરાગ્યની પરીક્ષા કરવા ઇંદ્ર બ્રાહ્મણનો વેશ પહેરી અગ્નિવિદુર્વા કહે છે કે, “નગર બળી રહ્યું છે, અંતઃપુરમાં આગ લાગી છે તો તમે ઉપેક્ષા કેમ કરો છો?”
ત્યારે ભાવથી એકાકી બનેલા નમિરાજર્ષિએ જવાબ આપ્યો કે, “જે બળી રહ્યું છે તે મારું નથી અને મારું છે એ બળતું નથી.”
આ ઉત્તર સાંભળી ઇંદ્ર પોતાનું મૂળરૂપ ધારણ કરે છે અને રાજર્ષિને ભાવપૂર્વક વંદન કરે છે.
આમ આ કથા દ્વારા આત્માની પુષ્ટિ થાય છે અને સંસાર પર ઉદ્વેગ આવે છે. આ કથામાં ઈંદ્રનું પ્રગટ થવું એ અદ્ભુત રસ છે અને રાજાર્ષિનો વૈરાગ્ય એ કર્મો સામેની વીરતા પ્રગટ કરે છે. આમ, વીરરસનું તેમ શાંતરસનું ભરપૂર વર્ણન છે. કથા હદયને સ્પર્શી જાય છે.
80
Page #105
--------------------------------------------------------------------------
________________
(૪) ૧૨મા અધ્યયન હરિકેશીયમાં હરિકેશમુનિનું દૃષ્ટાંત રજુ કર્યું છે.
સંસારથી વિરક્ત બનેલા રાજા શંખ દીક્ષા ગ્રહણ કરી સાધના કરે છે. એકવાર ભિક્ષા માટે હસ્તિનાપુર નગરમાં આવ્યા. નગરનો રસ્તો બહુ તપેલો હતો. એ રસ્તે જવું મુશ્કેલ હતું. એમણે ત્યાં ઉભેલા સોમદેવ પુરોહિતને બીજો માર્ગ પૂણ્યો. પુરોહિત જૈનધર્મનો દ્વેષી હતો. જાણી જોઇને ખોટો રસ્તો બતાવે છે. મુનિના નિર્મળ ચરિત્રના પ્રભાવથી એ ગરમ રસ્તો ઠંડો થઈ ગયો.
પુરોહિતને એ માર્ગે સાધુને જતા જોઈ આશ્ચર્ય થયું. એ સાધુથી તે પ્રભાવિત થાય છે અને દીક્ષા લે છે.
દીક્ષા લીધા પછી પણ એને જાતિમદ જતો નથી. આથી આયુ પૂર્ણ થતા દેવલોકમાં ભવ પૂર્ણ કરે છે. ત્યારબાદ ચંડાલ યોનિમાં જન્મ લે છે. આનું નામ બલ રાખવામાં આવે છે. આ બાળક બધાને હાંસી પાત્ર હતો. એકવાર તેણે વિષધર સાપને જોયો. તેને બધાએ માર્યો. જ્યારે બીજો સાપ વિષ વગરનો હતો તો તેની બધા પૂજા કરવા લાગ્યા. આ જોઈ તેને જ્ઞાન થયું કે માણસ પોતાના સ્વભાવ, કર્મથી સુખ દુઃખ પામે છે અને તે દીક્ષા લઈ કઠોર તપ કરે છે. અને ઉત્તરોત્તર મોક્ષ સુખ પ્રાપ્ત કરે છે.
આમ આ કથા દ્વારા ત્યાગ, તપનો મહિમા બતાવ્યો છે. તેમજ કર્મથી જાતિ નક્કી થાય છે જન્મથી નહિ આવો સુંદર બોધ આપ્યો છે. (૫) ૧૩મું અધ્યયન ચિત્રસંભૂતિ છે.
સાકેતપુરના ચંદ્રાવતંસક રાજાના પુત્ર મુનિચંદ્ર દીક્ષા લીધી. એકવાર મુનિચંદ્ર વિહારમાં રસ્તે ભૂલા પડે છે અને જંગલમાં પહોંચી જાય છે. ત્યારે ચાર ગોવાળો એ મુનિચંદ્રને થાકેલા જોયા. ત્યારે તેઓએ યોગ્ય આહાર-પાણી આપી ભક્તિ કરી. મુનિશ્રીએ તેમને ધર્મોપદેશ આપ્યો, જે સાંભળી ચારેય જણે દીક્ષા લીધી. એમાંથી બે જણ દીક્ષાનું બરાબર પાલન કરે છે પરંતુ બીજા બેને મલિન વસ્ત્રોથી દુર્ગછા થાય છે. ચારે મુનિ કાળધર્મ પામી દેવલોકમાં ગયા.
મલિન વસ્ત્ર ઉપર દુર્ગછા કરવાવાળા બંને મુનિ દેવલોકનું આયુ પૂર્ણ કરી દશપુર નગરમાં દાસીપુત્રરૂપે જન્મ્યા. સર્પદંશથી બંનેનું મૃત્યુ થઈ, મરીને હરણ બન્યા. ત્યાં શિકારીના બાણોથી મૃત્યુ થઈ મરીને હંસરૂપે થયા. ત્યાંથી મરીને ભૂતદિન્ન નામના ચાંડાળના ઘરે ચિત્ર, સંભૂતિ નામે પુત્રરૂપે જન્મ્યા. આ જ નગરીમાં શંખ નામે રાજા હતો. ત્યાં નમુચિ મંત્રીને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી. આ કાર્ય ભૂતદિન્ન ચાંડાળને સોપ્યું.
Page #106
--------------------------------------------------------------------------
________________
મોતથી ગભરાયેલા મંત્રીએ ચાંડાળ પાસે પ્રાણોની ભીખ માંગી ત્યારે ચાંડાળે કહ્યું કે તું મારા ઘરના ગર્ભગૃહમાં રહી મારા પુત્રોને સંગીત આદિ કળા શીખવાડે તો હું તને મોતથી બચાવું. નમુચિ આ શરત સ્વીકારે છે. બંને પુત્રોને સંગીતકળા શીખવાડે છે. ત્યાં રહેતો નમુચિ ચાંડાળની પત્નીને પ્રેમ કરે છે. ભૂતદિન્નને આ વાતની ખબર પડતા નમુચિ પ્રાણ બચાવવા હસ્તિનાપુર ભાગે છે. બુદ્ધિની કુશળતાને કારણે તે સનતકુમાર ચક્રીનો મંત્રી બને છે.
આ બાજુ પોતાના રૂપ, યૌવન, નૃત્ય અને સંગીતકળા દ્વારા ચિત્ર-સંભૂતિ નગરવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. રાજા સુધી આ વાત પહોંચે છે. ચાંડાળના પુત્રને રાજા દેશવટો આપે છે.
પોતાની ચાંડાળ જાતિના લીધે અપમાનિત થયેલ ચિત્ર-સંભૂતિ આત્મહત્યા કરવા તૈયાર થાય છે. પર્વત પર ચઢે છે. ત્યાં એક મહાત્મા તેમને જુએ છે અને દુઃખ મુક્તિના ઉપાય રૂપ ચારિત્રધર્મ સમજાવે છે. ઉપદેશ સાંભળી બંનેએ દીક્ષા લઇ, છઠ્ઠ, અઠ્ઠમ, માસક્ષમણ આદિ તપ કરે છે. કઠોર તપના કારણે તેઓની પ્રસિધ્ધિ થાય છે. લોકો ખૂબ સમ્માનપૂર્વક તેઓને જુએ છે.
છેવટે અનશન સ્વીકારે છે. ત્યારે સનતચક્રવર્તી પોતાના પરિવાર સાથે વંદન માટે આવે છે. ચક્રવર્તી તેઓના તપ, ત્યાગની ખૂબ પ્રશંસા કરે છે. ત્યારબાદ વંદન કરતા ચક્રવર્તીના સ્ત્રી રત્નના વાળની લટ સંભૂતિ મુનિને સ્પર્શે છે. ત્યાં જ તેમની વિચારધારા બદલાઇ જાય છે. નિયાણું કરે છે કે મારા ચારિત્ર અને તપના પ્રભાવે હું ચક્રવર્તી બનું.
ચિત્રમુનિને આ વાતની ખબર પડે છે તે ખૂબ સમજાવે છે. પરંતુ સંભૂતિમુનિ પોતાનો સંકલ્પ છોડવા તૈયાર નથી. આયુ પૂર્ણ થતા બંને મુનિ સૌધર્મ દેવલોકમાં દેવ બન્યા. ત્યાર બાદ સંભૂતિમુનિ બ્રહ્મદત્ત રાજા અને ચુલની મહારાણીના પુત્ર બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યા.
નિષ્કામ ભાવથી ચારિત્રધર્મનું પાલન કરતા ચિત્રમુનિ પરિમતાલ નગરમાં શ્રેષ્ઠી પુત્ર બન્યા. તેઓ દીક્ષા લે છે. કર્મ ખપાવી મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. જ્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તી અનેક પાપકર્મ કરી, રૌદ્ર ધ્યાનમાં મરી ૭મી નરકમાં જાય છે. (૬) ૧૪મા ઇષકારીય અધ્યયનમાં ઈષકાર રાજા અને કમલાવતી રાણીનું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું વર્ણન છે. કમલાવતી રાણી સાચી ધર્મપત્નીનું દૃષ્ટાંત છે. પિતાપુત્રના અને પતિ-પત્નીના સંવાદ નોંધપાત્ર છે.
સૌધર્મ દેવલોકમાં નલિની ગુલ્મ વિમાનમાં પરસ્પર છે મિત્રો દેવ હતા. આયુ પૂર્ણ
Page #107
--------------------------------------------------------------------------
________________
થતાં તે બધા ઈષકાર નગરમાં ઇષકાર રાજા અને કમલાવતી રાણી, ભૃગુપુરોહિત તથા તેની યશા નામની પત્ની તથા બે દેવ પુરોહિતના પુત્રના રૂપે જન્મ્યા.
એકવાર આ પુરોહિતના બંને પુત્રોએ ત્યાગી મહાત્માને જોયા. દેખતાં જ તેમના મનમાં ચારિત્રધર્મના પરિણામ આવ્યા. સંસારની દરેક વસ્તુમાં ઉદાસીન બન્યા, વૈરાગ્ય ઉત્પન્ન થયો.
તેઓએ તેમના માતા પિતાને વાત કરી. પુત્ર મોહમાં વ્યાકુળ બનેલા માતાપિતા પહેલા તો તૈયાર થતા નથી પછી માની જાય છે અને દીક્ષા માટે રજા લે છે. મહારાણી અને મહારાજા પણ દીક્ષા લેવા તૈયાર થાય છે. નિર્મળ સંયમ પાળી તે બધા મોક્ષે જાય છે.
આમ, આ અધ્યયનમાં રાજા-રાણીનો, પિતા-પુત્રનો, પતિ-પત્નીનો સંવાદ નોંધપાત્ર છે. વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવો છે. (૭) ૧૮મું સંજય અધ્યયન છે.
કાંપિલ્ય નગરના મહારાજા સંજયને શિકારનો ખૂબ શોખ હતો. એકવાર રાજાએ પોતાના બાણથી કોઈ હરણનો શિકાર કર્યો. શિકાર કરી રાજા હરણ પાસે આવ્યો ત્યારે મૃત હરણ પાસે કાર્યોત્સર્ગમાં ઉભેલા મહાત્માને જોયા.
મહાત્માને જોઈ પહેલા એ ગભરાઇ ગયો. એણે વિચાર્યું સદ્ભાગ્યથી હું બચી ગયો નહિતર આ બાણથી મહાત્માનો વધ થઈ જાત. તે મહાત્માના ચરણે પડ્યો. ક્ષમા માંગવા લાગ્યો.
રાજાની ભાવના જોઇ મહાત્માએ આત્મહિતકર ચારિત્રધર્મનો ઉપદેશ આપ્યો. રાજા ખૂબ પ્રભાવિત થયો. તે જ ક્ષણે ચારિત્ર લેવાનો સંકલ્પ કર્યો. રાજાએ દીક્ષા લેવાના ભાવ રજૂ કર્યા. મુનિએ તેમને દીક્ષા આપી. સંજયમુનિ નિરંતર ચારિત્રધર્મનું પાલન કરે છે. એકવાર આ મુનિને જાતિસ્મરણ જ્ઞાનવાળા ક્ષત્રિય રાજર્ષિનો યોગ થાય છે. એ બંને વચ્ચેનો સંવાદ ખૂબ પ્રેરણાદાયી છે. જે આ અધ્યયનમાં વર્ણવ્યો છે. (૮) મૃગાપુત્રીય અધ્યયનમાં મૃગાપુત્રની કથા વર્ણવી છે. આ ૧૯મું અધ્યયન છે.
સુગ્રીવ નગરમાં બલભદ્રરાજા અને મૃગા નામની મહારાણી હતી. એક શુભ દિવસે આ રાણીએ તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપ્યો. જેનું નામ રાખ્યું બલશ્રી. પણ બધા એને મૃગારાણીના પુત્ર મૃગાપુત્ર તરીકે બોલાવતા. યૌવન વય થતા તેના લગ્ન થયા. એકવાર એ મહેલના ઝરૂખામાં બેસીને નગરનું દૃશ્ય નિહાળે છે. ત્યાં એક સાધુમહાત્મા જઈ રહ્યા હતા. તેમને જોઈ મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગયા ભવમાં તે
83
Page #108
--------------------------------------------------------------------------
________________
દેવ અને એના પૂર્વભવમાં અત્યંત સમૃધ્ધ રાજા હતો. એ ભવમાં એણે દીક્ષા લીધી હતી. પૂર્વભવના સંસ્કાર જાગૃત થયા અને એને દીક્ષાના ભાવ થયા. માતા-પિતા પાસે જઈ આજ્ઞા માંગી અને કહ્યું કે, “આ સંસાર જીવના માટે મહાદુઃખનું કારણ છે. જન્મ, જરા, રોગ અને મૃત્યુની પીડા જીવાત્માને સતત હેરાન કરે છે. સંસારમાં ક્ષણિક સુખ આપવાવાળા ભોગ સુખ છે. પરંતુ એના પરિણામ ભયંકર છે.''
પુત્રની તીવ્ર અભિલાષા જોઇ માતા-પિતા એ એને સમજાવતા કહ્યું કે, “બેટા! તું દીક્ષાની વાત કરે છે પરંતુ સંયમ ધર્મનું પાલન બહુ કઠીન છે. મહાદુષ્કર પંચ મહાવ્રતોનું પાલન કરવું પડે છે.”
આમ, આ અધ્યયનમાં સંયમ માટે અભિલાષી બનેલ મૃગાપુત્ર અને તેમના માતા-પિતાનો સુંદર વાર્તાલાપ છે. જે સંસારની અનિત્યતા સમજાવી ચારિત્રધર્મ ધારણ કરવા પ્રેરણા આપે છે. છેવટે બધાની રજા લઈ મૃગાપુત્ર દીક્ષા ગ્રહણ કરે છે. અને સંયમ જીવન પાળી મોક્ષપદને પ્રાપ્ત કરે છે. (૯) આ રમું મહાનિગ્રંથીય અધ્યયન છે. આમાં અનાથી મુનિની કથા છે.
મગધના સમ્રાટ શ્રેણિકને શિકારનો બહુ શોખ હતો. એકવાર તે શિકાર માટે મંડિતકુક્ષી નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં એમણે અદ્ભુત રૂપ લાવણ્યવાળા નવયૌવન વયના અત્યંત તેજસ્વી મહાત્માને કર્યોત્સર્ગ કરતા જોયા. શ્રેણિકને ખૂબ આશ્ચર્ય થયું. આથી મહાત્માને પૂછ્યું કે, “આ ઉમરમાં કેમ સંસાર ત્યાગ કર્યો?” ત્યારે મહાત્માએ જવાબ આપ્યો. “અનાથ છું” શ્રેણિક આશ્વાસન આપી કહે છે કે હું તમારો નાથ બનું તમે મારા મહેલમાં ચાલો. ત્યારે મહાત્માએ કહ્યું, “રાજન! તું સ્વયં અનાથ છે તો તું મારો નાથ કયાંથી બને ?” શ્રેણિકે પોતાનો પરિચય આપ્યો ત્યારે મહાત્માએ પોતાની આત્મકથા કહી કે, “હું કૌશાંબી નગરીનો વાસી, સમૃધ્ધ પરિવારમાં જન્મેલ-યૌવન વયે મારા શરીરમાં ભયાનક વ્યાધિ ઉત્પન્ન થયો. અનેક ઉપચાર કરવા છતાં મટ્યો નહિ. આ મારી અનાથતા હતી. મારા માતા-પિતા ભાઇ, બહેન, પત્ની કોઇપણ મારો વ્યાધિ લઈ ન શકે, આ મારી અનાથતા હતી, આટલો વૈભવ, આટલી સમૃધ્ધિ છતાં મારો વ્યાધિ મારે જ સહન કરવો પડ્યો. આ મારી અનાથતા હતી અને મને વૈરાગ્ય ઉત્પન્ન થયો. મેં સંકલ્પ કર્યો. મારો વ્યાધિ શાંત થઈ જાય તો હું દીક્ષા લઇશ અને તત્કાળ મારો વ્યાધિ શાંત થઈ ગયો.'
આ સાંભળી સમ્રાટ શ્રેણિકને યથાર્થ સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને અભિમાન ઓગળી ગયું અને જિનધર્મનો અનુરક્ત બની ગયો.
84
Page #109
--------------------------------------------------------------------------
________________
(૧૦) ૨૧મું અધ્યયન સમુદ્રપાલીય છે.
ચંપાનગરીમાં પાલિત નામનો શ્રેષ્ઠ શ્રાવક હતો. એ મહાવીર પ્રભુનો પરમ ભક્ત હતો. એકવાર વ્યાપાર માટે પિઠુંડ નગરમાં ગયો. એ નગરના શ્રેષ્ઠીની કન્યા સાથે એનાં લગ્ન થયાં. સમુદ્ર યાત્રા દરમ્યાન એક બાળકને જન્મ આપ્યો આથી બાળકનું નામ સમુદ્રપાલ રાખ્યુ.
ધીરે ધીરે સમય જતા સમુદ્રપાલ બધી કળાઓમાં નિષ્ણાત થયો. અનેક રાજકન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું.
એકવાર રાજમહલના ઝરૂખામાં બેસી એ નગરનું દશ્ય જોતો હતો. ત્યાં તેણે એક ચોરને વધસ્થલ પર લઇ જતા જોયો. આ કરૂણ દશ્ય જોઇ તેનું હૃદય ભરાઇ ગયું. એ કર્મ વિપાકનું ચિંતન કરવા લાગ્યો. એનુ મન સંસારથી વિરક્ત થયું. માતા-પિતા અને પત્નીને સમજાવી એણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લઇને એ નિર્મળ સંચમ જીવનનું પાલન કરવા લાગ્યો. આ અધ્યયનમાં સાધુ ધર્મના નિર્મળ આચારોનું સુંદર વર્ણન છે. રાગ-દ્વેષથી મુક્ત થઇ મેરુની જેમ નિભ્રંપ થઇ સાધુ પરિષહોને સહન કરે છે. આમ, ચારિત્રધર્મનું પાલન કરી સમુદ્રપાલે અજરામર મોક્ષ પદ પ્રાપ્ત કર્યું. (૧૧) રરમું અધ્યયન રથનેમીય છે.
આ અધ્યયનમાં રથનેમિની કામ વિહ્વલતા અને રાજીમતીના ઉપદેશપૂર્ણ વચનોનું બહુ સુંદર વર્ણન છે.
શૌર્યપુર નગરના રાજા સમુદ્રવિજય અને મહારાણી શિવાદેવીના પુત્ર નેમિકુમારના લગ્ન ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતીની સાથે નિશ્ચિત થયા હતા.
લગ્ન પ્રસંગે પશુઓની હિંસા થવાની છે એમ જાણ થતાં નૈમિકુમાર પાછા વળ્યા. ભોગાવલી કર્મ ક્ષીણ થયેલું જાણી નેમિકુમારે વર્ષીદાન આપી દીક્ષા ગ્રહણ કરી. ઘાતી કર્મોનો ક્ષય થતા કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. નેમિકુમારના ભાઇ રથનેમિ અને રાજીમતીએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
એકવાર રથનેમિ મુનિ ગિરનાર પર્વતની ગુફામાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા હતા. ત્યારે વરસાદમાં કપડાં ભીંજાઇ જવાથી રાજીમતી કપડા સુકાવા ગુફામાં આવ્યા. રાજીમતીને ખ્યાલ નહિ કે ગુફામાં રથનેમિ ઊભા છે. એ વખતે રાજીમતીને જોઇ રથનેમિ કામવિહ્વલ બને છે અને રાજીમતીની પાસે આવી કામ-ભોગની પ્રાર્થના કરે છે. રાજીમતીને આ વાતનો ખ્યાલ આવતા તરત સાવધાન બની ગઇ.
રથનેમિને પ્રેરિત કરતા બોલી કે,‘અગંધનકુલમાં ઉત્પન્ન થયેલ સર્પ ક્યારેય
85
Page #110
--------------------------------------------------------------------------
________________
વમન કરેલ વિષ ન પીએ. નેમિકુમારે મારો ત્યાગ કર્યો. આથી મારી સાથે ભોગની ઇચ્છા તમે કેમ કરો છો? તમારી આ ઈચ્છા બરાબર નથી. તમે સંયમ હારી જશો.”
રાજીમતીના આ કઠોર વચન સાંભળી રથનેમિને પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો. તે ફરીથી પ્રભુ પાસે જઈ પોતાના અપરાધની આલોચના લઇ શુધ્ધ બન્યા. છેવટે રાજીમતી અને રથનેમિએ મોક્ષ પ્રાપ્ત કર્યો. (૧૨) ર૩મું અધ્યયન કેશીગૌતમીય છે.
શ્રમણ ભગવાન મહાવીરના અસ્તિત્વકાળમાં પાર્શ્વનાથ પરંપરાના સાધુ પણ વિદ્યમાન હતા. એ સમયે પાર્શ્વનાથ સંતાનીય કેશી ગણધર પોતાના શિષ્ય પરિવાર સાથે વિદ્યમાન હતા. એકવાર કેશી ગણધર પોતાના પરિવાર સાથે શ્રાવસ્તી નગરીના હિંદુકનમાં પધાર્યા. એ સમયે મહાવીર પ્રભુના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીજી પણું કોષ્ટક વનમાં પધાર્યા.
કેશી ગણધર અને ગૌતમ ગણધરના સાધુ જ્યારે ભિક્ષા માટે જતા ત્યારે બંનેની આચાર ભિન્નતા જોઈ મુનિઓને શંકા થઇ કે, પાર્શ્વનાથ પ્રભુ અને મહાવીર પ્રભુ બંને સર્વજ્ઞ છે. બંનેએ મોક્ષ માર્ગ બતાવ્યો તો પછી બંનેના આચારોમાં ભિન્નતા કેમ? પાર્શ્વનાથ પ્રભુના સાધુ ચાર મહાવ્રતના પાલન કરતા હતા અને રંગીન વસ્ત્ર ધારણ કરે છે. જ્યારે મહાવીર પ્રભુના સાધુ પાંચ મહાવ્રત ધારણ કરે છે. અને પૂર્ણ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે.
સાધુઓના મનમાં રહેલ શંકાઓના સમાધાન માટે ચાર જ્ઞાન ધારક ગૌતમસ્વામી સ્વયં તિંદુકનમાં આવ્યા.
સર્વના સમાધાન માટે કેશી ગણધરે ગૌતમસ્વામીને પૂછયું, “આ ભેદ કેમ?' ત્યારે ગૌતમસ્વામીએ ઉત્તર આપતા કહ્યું કે, “પ્રથમ તીર્થકરના સાધુ ત્રાજુ અને જડ હતા. જડ હોવાને કારણે એમને ધર્મનો બોધ કઠિન હતો. પરંતુ સરળ હોવાથી ધર્મનું પાલન સરળ હતું.'
અંતિમ તીર્થકર મહાવીર પ્રભુના સાધુ વક્ર અને જડ છે. જડતાના કારણે ધર્મનો બોધ કઠિન અને વક્રતાના કારણે ધર્મનું પાલન પણ કઠિન છે.”
“જ્યારે અજિતનાથથી પાર્શ્વપ્રભુ સુધીના સાધુ ઋજુ અને પ્રાજ્ઞ હોવાને કારણે ઘર્મનો બોધ પણ સરળ અને પાલન પણ સરળ હતું.'
બસ આ જ કારણે પાર્શ્વનાથ અને મહાવીર પ્રભુના આચાર ભેદ છે. ગૌતમસ્વામીનો જવાબ સાંભળી દરેકની શંકા દૂર થઈ. અંતમાં કેશી ગણધર
86
Page #111
--------------------------------------------------------------------------
________________
આદિએ પાંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો. (૧૩) ર૫મું ફ્રીય અધ્યયન છે.
વારાણસી નગરીમાં જયઘોષ અને વિજયઘોષ નામના બે બ્રાહ્મણ હતા. એકવાર જયઘોષ ગંગા સ્નાન માટે ગયો. ત્યાં દેડકાનું ભક્ષણ કરતા સર્પને જોઈ બ્રાહ્મણ જયઘોષને વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસાર ત્યાગી ભાગવતી દીક્ષા લીધી. આરાધના કરતા શાસ્ત્રમાં નિપુણ બન્યા.
એકવાર જયઘોષમુનિ પૃથ્વી તલ પર વિહાર કરતા વારાણસી નગરીમાં ગયા. એ જ વખતે વિજયઘોષ બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો. જયઘોષમુનિ માસક્ષમણના પારણે ગોચરી વ્હોરવા નીકળ્યા અને વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞ મંડપમાં પહોંચ્યા. પરંતુ વિજયઘોષે ગોચરી આપવાથી ઈનકાર કર્યો. અને કહ્યું કે, “આ આહાર તો સ્વ-પરનુ કલ્યાણ કરે એને આપવા યોગ્ય છે. વિજયઘોષની વાત સાંભળી જયઘોષ મુનિને જરા પણ ગુસ્સો ન આવ્યો. અને વિજયઘોષને સાચું જ્ઞાન આપવા ચાર પ્રશ્નો પૂછ્યા. (૧)વેદનું મુખ કયું? (ર)યજ્ઞનું મુખ કયું? (૩)નક્ષત્રનું મુખ કયું? (૪)ધર્મનું મુખ કયું?'
આ પ્રશ્નો સાંભળી વિજયઘોષ ચૂપ થઈ ગયો અને આ પ્રશ્નોના જવાબ પૂછ્યા. જયઘોષ મુનિએ કહ્યું,
(૧)વેદનું મુખ અગ્નિહોત્ર હિંસાદિ ભાવોને ત્યાગ કરવાવાળો સાચો બ્રાહ્મણ છે. (ર) જ્ઞાર્થી યજ્ઞનું મુખ છે. (૩)નક્ષત્રોનું મુખ ચંદ્રમા છે. (૪)ધર્મનું મુખ આદિનાથ પ્રભુ છે. કારણકે સર્વ પ્રથમ તેમણે ધર્મ પ્રકાશન કર્યું હતું.”
આ સાંભળી વિજયઘોષને સત્ય સમજાયું અને દીક્ષા લીધી. નિર્મળ સંયમ પાળી ધર્મ આરાધના કરતા બંને મોક્ષે ગયા.
આમ, આ દૃષ્ટાંત કથાઓમાં વિવિધ રસોના વર્ણન સાથે ઉપદેશ પણ છે. દરેક કથામાં અંતે શાંતરસમાં પરિણમન થાય છે. આ જનકથાની લાક્ષણિકતા છે.
ઉપાસકદશાંગ સૂત્ર ઉપાસકદશાંગ સૂત્રની પ્રસ્તાવનામાં ત્રિલોકમુનિ મ.સા. કહે છે કે,
“જૈન ધર્મમાં ત્યાગ અને સાધનાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તીર્થંકર પરમાત્મા ધર્મ તીર્થની સ્થાપના કરે તેમાં ચાર અંગ હોય છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. એમની સાધનાને બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. શ્રમણ ધર્મ અને
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રમણોપાસક ધર્મ. શ્રમણ સર્વત્યાગી સંયમી હોય છે. જ્યારે તેમની અપેક્ષાએ હળવો, સુકર, બીજો માર્ગ સાધક પોતાની શક્તિ અનુસાર સ્વીકારે છે. તેને દેશવિરતિ સાધના કહેવામાં આવે છે.
ઉપાસકદશાંગ સૂત્ર અંગ સૂત્રોમાં સાતમું અંગ સૂત્ર છે. એમાં દેશવિરતિ સાધનારૂપે શ્રમણોપાસક જીવનની ચર્ચાઓ છે. ભગવાન મહાવીરના સમયના દશ શ્રાવક (૧)આનંદ (૨)કામદેવ (૩)ચુલનીપિતા (૪)સુરાદેવ (૫)ચુલ્લશતક (૬)કુંડકૌલિક (૭)સકડાલ પુત્ર (૮)મહાશતક (૯)નંદિની પિતા (૧૦)શાલિહી પિતા. આદિનું વર્ણન
છે. “
શ્રી ઉપાસકદશાંગસૂત્ર વિષે ડૉ.કેતકી યોગેશ શાહ કહે છે કે,
ભગવાન મહાવીરના શ્રાવકોની સંખ્યા ૧ લાખ ૨૯ હજાર હતી. તેમાં આ ૧૦ શ્રાવકોનું જીવન કંઈક વિશેષ ઘટનાઓ અને ઉપસર્ગોને કારણે તેમજ પ્રેરક હોવાથી અંકિત કરવામાં આવ્યું છે. સૂત્રમાં વર્ણિત દશે શ્રાવકોએ ૨૦ વર્ષ સુધી શ્રાવકવ્રતોનું પાલન કર્યું. જેમાં છેલ્લાં છ વર્ષોમાં બધાયે નિવૃત્તિમય જીવન સ્વીકાર કર્યું. શ્રાવકની અગિયાર પડિમાનું આરાધન કર્યું. આ સમાનતાની દૃષ્ટિએ પણ આ દશ શ્રાવકોનું વર્ણન આ સૂત્રમાં કર્યું છે.
આ સૂત્રનું ગાથા પરિમાણ ૮૧૨ શ્લોક પ્રમાણ છે. ૧૦ અધ્યયન છે. આ સૂત્ર કાલિક સૂત્ર છે.* ઉપાસકદશાંગ સૂત્ર વિશે ગુણવંત બરવાળિયા કહે છે કે,
વીરપ્રભુના શાસનના દશ મહાશ્રાવકોના દેશવિરતિના ઉત્કૃષ્ટ આચારોનું વર્ણન આપણને પ્રેરણાના પીયૂષ પાય છે. શ્રાવકોની જીવન શૈલી, તેમની વ્યાપાર પધ્ધતિ કેવા પ્રકારની હતી, રોકાણની પધ્ધતિ, ક્ષેત્ર, સાધનો અને ન્યાય સંપન્ન વૈભવ અને શ્રાવકોની આવકનો વ્યય અને સચ્ચયનું વર્ણન આ સૂત્રમાં છે.'
ભગવાન મહાવીરના શ્રાવકો પાસે ગાયોના વિશાળ ગોકુળ હતા. જે ઘરમાં ગાય છે ત્યાં આસુરી સંપત્તિનું આગમન થતું નથી તે આ સૂત્ર દ્વારા ફલિત થાય છે.
પરિવારમાં પત્ની, માતા અને પુત્રીનું સ્થાન અને વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન પણ આ સૂત્રમાં છે.
ભગવાન મહાવીરે પોતાના શ્રાવકો જે સંસારમાં રહીને પણ ઉત્કૃષ્ટ આત્મ કલ્યાણ કરે છે તેવા શ્રાવકોનું પોતાના શ્રીમુખેથી વર્ણન કરી શ્રાવકોને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. તે ઉપાસકદશાંગ સૂત્રથી પ્રગટ થાય છે.
88.
Page #113
--------------------------------------------------------------------------
________________
દશ અધ્યયનમાંથી બે અધ્યયન-૯ અને૧૦મામાં કોઈ વિશેષતા નથી. તેમની ધર્મ સાધનામાં પુણ્યાનુયોગે કોઈ ઉપસર્ગ ન આવ્યો. વિશેષતાવાળા અધ્યયનમાં આનંદ શ્રાવકની દઢતા, કામદેવની વતની દઢતા, કુંડકૌલિકની તત્વની સમજણ, સકલાલ પુત્રની સરળતા અને મહાશતકની પત્નીનો પ્રતિકૂળ સંયોગ છતાં ધર્મોપાસનામાં દેઢતા રાખી એ પ્રેરણાદાયી અધ્યયનો છે.
જિનશાસન ગુણપ્રધાન છે. વેશપ્રધાન નથી તે આનંદ શ્રાવકના અને ગૌતમ સ્વામીના વ્યવહાર પરથી સિદ્ધ થાય છે. આનંદ શ્રાવકના આમરણાંત અનશનના સમાચાર મળતાં જ ગૌતમસ્વામીનું સ્વયં ત્યાં જવું, તેના અવધિજ્ઞાન વિષયક વાર્તાલાપ કરવો વગેરે પ્રસંગો ગૌતમ સ્વામીની ગુણદષ્ટિને પ્રગટ કરે છે.
આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની વિશાળતા વિષયક શંકા થતાં અત્યંત સરળતાથી પ્રભુ પાસે તેનું સમાધાન કરવું, એટલું જ નહિ પરંતુ ગૃહસ્થના ઘરે જઈ ક્ષમાયાચના કરવી એ ગૌતમસ્વામીની મહાન સરળતા, નમ્રતા અને પ્રભુ પ્રત્યેની સાચી નિષ્ઠાને આંતરશ્રધ્ધા છતી કરે છે. અહીં ઉલ્લેખનીય તો એ છે કે ગૌતમ સ્વામી પોતે ૧૪ પૂર્વધારી, દ્વાદશાંગી ધારક, ૪ જ્ઞાનના ધણી, પ૦,૦૦૦ સાધુઓના નાયક, ૮૦ વર્ષની ઉંમર, ૩૦ વર્ષની દીક્ષા પર્યાય અને છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. આવા જ્ઞાની, તપસ્વી, ઉત્તમ પદના ધારક હોવા છતાં પણ સ્કૂલના થઈ શકે છે. ત્યારે કોઇપણ જાતનો આગ્રહ રાખ્યા વિના સત્ય સ્વીકારી, ક્ષમાયાચના કરી તે તેમનો ઉત્તમ ગુણ છે.
મહાશતક સિવાય નવે શ્રાવકોનું પારિવારિક જીવન સુખી હતું. તેઓએ તેમની પત્નીને ધર્મ કરવા માટે, તીર્થકરના દર્શન કરવા માટે કોઇ જાતનું દબાણ કર્યું નથી પણ પ્રેરણા આપી છે. જે આજે ઘણી જ અનુકરણીય લાગે છે.
વર્તમાનમાં ગૃહસ્થ સાધકો માટે આનંદ આદિ દશે શ્રાવકોનું જીવન દિશા સૂચક છે. પોતાના ઘરમાં કેવળ ભોગવિલાસ યોગ્ય જ વાતાવરણ ન રાખતાં, સાધના યોગ્ય સ્વતંત્ર સ્થાન રાખવું જોઈએ.
દશે શ્રાવકો પાસે કરોડોની સોના મહોર હોવા છતાં પ્રચુર સંપત્તિ અને ગોધન હોવા છતાં તેમને મહાપરિગ્રહી શ્રાવક કહ્યા નથી, અલ્પ-પરિગ્રહી શ્રાવક કહ્યા કારણકે વ્રત સ્વીકારતી વખતે તેમની પાસે જેટલો પરિગ્રહ હતો તેમાં જ સંતોષ રાખ્યો. ઈચ્છાઓને સંયમિત કરી માટે સીમિત પરિગ્રહવાળા કહેવાય છે. અને જ્યારે પોતાને નિવૃત થવું હતું તે સમયે છોડી પણ શક્યા. વ્યક્તિએ પોતાની નિવૃતિ સમયની એક મર્યાદા રાખવી જોઇએ. સાંસારિક અને સામાજિક જવાબદારીમાંથી નિવૃતિ લઇ સ્વેચ્છાથી ઘર-ધંધાનો કારભાર પુત્રને સોંપી વાનપ્રસ્થાશ્રમને ધર્મારાધનાથી
89
Page #114
--------------------------------------------------------------------------
________________
શોભાવવો જોઈએ. જે આ દશે શ્રાવકોનાં અધ્યયન ચિંતન મનન કરાવે છે.
- બીજા અધ્યયનમાં કામદેવ શ્રાવકને ધર્મ સાધનામાં દેવકૃત ઉપસર્ગ આવ્યો. દેવે પિશાચ, હાથી અને સર્પનું વેક્રિય રૂપ કરી કામદેવને ધર્મશ્રધ્ધાથી વિચલિત કરવા માટે પ્રયત્નો કર્યા પણ દેવ તેમાં સફળ થયો નહિ. ધર્મ કરનાર વ્યકિતને કોઇ પ્રતિકૂળતા આવતી નથી, તેમ નથી. પરંતુ ધર્મશ્રધ્ધા એ વ્યકિતને પ્રતિકૂળતામાં સહન કરવાની ક્ષમતા અને સમજણ આપી ધર્મમાં દઢ બનાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ કામદેવનું અધ્યયન છે. એવા પ્રિયધર્મી ને દઢધર્મી શ્રાવકના વખાણ ખુદ ભગવાન મહાવીર કરે
ચુલની પિતા, સુરાદેવ, ચુલ્લશતક અને સકડાલ એ ચારેયને દેવકૃત-ઉપસર્ગ પાળ્યો. દેવે ક્રમશઃ ત્રણ પુત્ર વધ કર્યા ત્યાં સુધી તેઓ ચલિત ન થયા પણ ચુલની પિતાને માતાની મમતા નડી. માતૃ વધની ધમકીથી ચલિત થયાને વ્રત ભંગ થયો. પણ માતાની પ્રેરણાથી પ્રાયશ્ચિત કર્યું. સુરાદેવ શ્રાવકને શરીરના રોગ ઉત્પન્ન કરવાની ધમકી આપીને તેઓ ચલિત થયા પણ પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત કર્યું. ચુલ્લશતક શ્રાવક સર્વ સંપત્તિ વેરવિખેર કરવાની ધમકીથી ચલિત થયાને તેઓ પણ પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત કરે છે. સકડાલપુત્ર શ્રાવક પત્ની વધની ધમકીથી વ્રત ભંગ થાય છે. પણ પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત સ્વીકાર કરે છે. ધર્મ સાધનામાં જો કોઈ નડતર રૂપ હોય ને મનને અસ્થિર કરનારું હોય તો શરીર, સંબંધ અને સંપત્તિ છે, જે આપણી નબળી કડી છે.
કુંડકૌલિકની શ્રધ્ધા સમજણપૂર્વકની હતી. તેથી જ દેવના કથનથી તેઓ ચલિત થયા નહિ એટલું જ નહિ યુક્તિપૂર્વક નિયતિવાદનું ખંડન કરીને દેવને નિરુત્તર કરી શક્યા. ખુદ પ્રભુ મહાવીરે કુંડકૌલિકને ધન્યવાદ આપ્યા.
સકલાલપુત્રના અધ્યયનમાં સકલાલ પુત્રને પ્રભુ મહાવીર સાથે નિયતિવાદ વિષયક થયેલી ચર્ચાનું નિરૂપણ છે. પ્રભુએ સકલાલપુત્રને તેના રોજિંદા કાર્ય ઉપરથી જ પુરુષાર્થવાદની ઉપયોગિતા અને અનિવાર્યતા સમજાવી. આપણે દરેક કાર્ય પુરુષાર્થ વિના શક્ય જ નથી. સકલાલપુત્ર જાતિથી કુંભાર હતા, પાંચસો કુંભાર શાળાઓમાં માલિક હતા. છતાં તેમના જીવનમાં ધર્મનું સ્થાન હતું. તેમને શ્રધ્ધા ગોશાળાના નિયતિવાદમાં હતી. પરંતુ પ્રભુના પ્રથમ સમાગમે, સત્ય સમજાતાં, આગ્રહ છોડીને સત્ તત્વને સ્વીકારી લીધું.
અન્ય શ્રાવકના અધ્યયનમાં ઉપસર્ગ દેવકૃત હતો પણ મહાશતકના જીવનમાં તેમની પત્ની રેવતી દ્વારા પ્રતિકૂળ સંયોગો મળે છે. મહાશતક દઢધર્મીને પ્રિયધર્મી શ્રાવક હતા. તેમને ચલિત કરવા રેવતી કુચેષ્ટાઓ કરતી. ત્યારે અંતિમ આરાધનામાં
90
Page #115
--------------------------------------------------------------------------
________________
લીન મહાશતકે અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકી રેવતીનું પ્રથમ નરકનું ભાવિ કહે છે ત્યારે ભગવાન મહાવીરે તેને પ્રાયશ્ચિત લેવા કહે છે. સત્ય અને યથાર્થ વચન પણ જો અનિષ્ટ કે અપ્રિય હોય તો બોલવો કલ્પનીય નથી તે આ અધ્યયનમાંથી શીખ મળે
ઉપાસકદશાંગ સૂત્રમાં દશ શ્રાવકનાં માધ્યમથી તત્કાલીન શ્રાવકોની ધાર્મિક ભાવના સાથે-સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિનો અહેવાલ મળે છે.
દશેદશ શ્રાવકો પાસે ગોધન ઘણું હતું. તેના પરથી ફલિત થાય છે કે તે સમયના જનજીવનમાં ગાય અને બળદનું વિશેષ મહત્ત્વ હશે.
દશેદશ શ્રાવકો પોતાની ધનસંપત્તિનો એક ભાગ ઘરના વૈભવ-સાધન સામગ્રીમાં, એક ભાગ વ્યાપારમાં અને એક ભાગ ખજાનામાં રાખતા હતા. તે સમયની આ કુશળ આર્થિક વહેંચણી આજના સમયે ઘણી ઉપકારક છે. આજે લોકો પોતાની ચાદર કરતા વધારે પગ પહોળા કરી લોન લઈ, હપ્તા ભરીને વસ્તુ-ઘર વસાવે છે. તેના માટે ટેન્શન ઊભાં કરે છે ને બ્લડપ્રેશર, ડીપ્રેશનને ડાયાબિટીસનો શિકાર બને છે.
તે સમયના શ્રાવકો વ્રત ગ્રહણ કરતી વખતે ખાદ્ય, પેય, ભોગ, ઉપભોગ વગેરેની જે મર્યાદા કરી, તેનાથી તે સમયની જીવનશૈલી, રહેણીકરણી પર સારો. પ્રકાશ પડે છે. માલિશની વિધિમાં શતપાક તેલ અને સહસ્ત્રપાક તેલ વાપરતા. તેનાથી એ પ્રગટ થાય છે કે ત્યારે આયુર્વેદ ઘણું વિકસિત હતું. લીલા જેઠીમધના દાતણ, વાળ ધોવા માટે આંબળાનો ઉપયોગ વગેરે રોજિંદી ક્રિયાનો ઉલ્લેખ સૂચવે છે કે ખાનપાન, રહેણીકરણી સહજ, સરળ અને પથ્યકારી હતી. લોકોમાં આભૂષણ ધારણ કરવાની રુચિ હતી. મોટા માણસો સંખ્યામાં ઓછા પરંતુ બહુમૂલ્ય આભૂષણ પહેરતા હતા. પુરુષોમાં અંગૂઠી પહેરવાનો રિવાજ વિશેષ હતો. આનંદ શ્રાવકે પોતાની નામાંકિત અંગૂઠીના રૂપમાં આભૂષણની મર્યાદા કરી હતી. ભોજન પછી મુખવાસની પ્રથા હતી. કન્યાઓના લગ્ન પ્રસંગે પિતૃપક્ષ તરફથી દહેજ અપાતું હતું. એવા જીવન વ્યવસ્થાના અનેક પાસાઓ અહીં ઉજાગર થયાં છે.
આમ, જે સંસારમાં રહી ભગવાન મહાવીરના ધર્મની ઉપાસના કરી આત્મ કલ્યાણ કરવા માંગે તેમના માટે ઉપાસકદશાંગ સૂત્ર અત્યંત હિતકારક છે.
91
Page #116
--------------------------------------------------------------------------
________________
- અંતગડ દશાંગ સૂત્રઃઅંતગડ સૂત્ર વિશે આગમ મનીષી ત્રિલોકમુનિ કહે છે કે,
કથાઓ અને જીવન ચરિત્રોના માધ્યમથી આ સૂત્રમાં અનેક શિક્ષાપ્રદ અને જીવન પ્રેરક તત્વોનું માર્મિક રૂપથી કથન કરવામાં આવ્યું છે. તેથી આ સૂત્ર વાચકો માટે અને વિશેષ રૂપે વ્યાખ્યાતાઓ તથા શ્રોતાઓ માટે પણ રુચિકર આગમ છે. આથી જ સ્થાનકવાસી પરંપરાઓમાં મોટે ભાગે દર વર્ષે પર્યુષણ પર્વના આઠ દિવસોમાં આ સૂત્રનું વ્યાખ્યાન સભામાં વાંચન અને શ્રવણ કરવામાં આવે છે.”
“આ સૂત્રમાં ૯૦ ચારિત્રાત્માઓનું વર્ણન છે. જેમણે તે જ ભવનાં અંતમાં સમસ્ત કર્મોનો અંત કરી દીધો. આ કારણથી આ સૂત્રનું નામ “અંતકૃત” છે તે સાર્થક છે. રુચિપૂર્વક આ આગમનું શ્રવણ કરવાથી શુધ્ધ અને સાચો આનંદ આવે છે. " શ્રી અતંગડ સૂત્ર વિશે ગુણવંત બરવાળિયા કહે છે કે,
“શ્રી અંતગડ દશાંગ સૂત્રમાં અંતમુહૂર્તમાં મોક્ષે ગયેલા પુણ્યાત્મા આરાધક મુનિઓના જીવન શ્રાવકના ત્રણ મનોરથ ચરિતાર્થ કરવાના પ્રેરક બને છે. આ સૂત્રમાં સહનશીલતાથી સફળતા સુધીની યાત્રાનું વર્ણન છે. શ્રાવક સુદર્શન ‘નમો જિણાણું જિયભયાણના જાપ કરે છે. ત્યારે સેંકડો કિલો વજનનું શસ્ત્ર તેના પર ફેંકવામાં આવે છે છતાં તે વાગતું નથી. જપ સાધનાને કારણે તેની આસપાસ સુરક્ષાચક્ર રચાય છે અને તેને બચાવે છે. આ ઘટનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા જણાશે કે અદશ્ય પદાર્થ દશ્યને રોકી શકે. સુરક્ષાનો એક અદશ્ય ફોર્સ આપણી આસપાસ રચાય જે મેટલને પણ રોકી શકે છે. ગોશાલકે ભગવાન સામે ફેંકેલી તેજી લેણ્યા વખતે પણ આવું જ થયું.'
ગજસુકુમાર માથે અંગારા મૂક્યા ત્યારે તેને પીડા થઈ. સાધુ લોચ કરે ત્યારે પહેલી ચાર પાંચ લટ ખેંચે ત્યારે દુઃખ પીડા થાય પછી તે પીડા ઓછી થાય એનો અર્થ એ થયો કે આપણી ભીતર એનેસ્થેસિયા સક્રિય થાય છે. આપણી અંદર પીડાશામક રસાયણ સર્જાય છે જે નેચરલ એનેસ્થેસિયા છે. અંદરમાં એવું કાંઈ તત્ત્વ સર્જાય છે જે તત્વ આપણી સહનશીલતાને વિકસાવે છે. આ સંશોધનનો વિષય છે. શ્રી અંતગડ સૂત્ર વિશે ડૉ. કેતકી યોગેશ શાહ કહે છે કે,
“અગિયાર અંગસૂત્રોમાં આઠમા સ્થાને અંતગડદશાંગ સૂત્ર છે. અંતગડ સૂત્ર એટલે સંસારનો સંપૂર્ણ અંત કરાવતી અંત:કરણની યાત્રા. આ સૂત્રનો એક શ્રુતસ્કંધ છે. મૂળમાં ર૩,૨૮,૦૦૦ પદો હતા. વર્તમાનમાં ૯૦૦ શ્લોક પ્રમાણ છે. તેમાં ૮ વર્ગ છે,
92
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૦ અધ્યયનો છે. આ આગમની રચના કથાત્મક શૈલીમાં છે. જે સાધકમાં જે ગુણો છે તેને ખીલવીને તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. કૃષ્ણ વાસુદેવની ધર્મશ્રધ્ધા, દયા, ધર્મદલાલી, માતૃભક્તિ, ગુણગ્રહણદષ્ટિ, ગજસુકુમાલનું ધેર્ય, સાધનાની અડગતા, અસીમ સંવેગ અને અરવૃતિ, અર્જુન માળીની અપાર તિતિક્ષા, અજોડ પ્રાયશ્ચિત, સુદર્શન શેઠની નીડરતા, અતિમુક્ત કુમારની જિજ્ઞાસા ને ઋજુતા, શ્રેણિકની રાણીઓનું ઘોર-ઉગ્ર-તપ-આ બધા સાધકોના આ ગુણો ઉડીને આંખે વળગે તેવા
છે. ૧૩
આમ, અંતગડ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય એ જ છે કે સંસાર પક્ષના વિવિધ રૂપો બતાવીને સાધકને ત્યાગ, સંયમ અને તપની પ્રેરણા દઈ ભવાંતઃક્રિયા તરફ લઈ
જવા.
આ આગમની વર્ણનશૈલી અત્યંત વ્યવસ્થિત છે તથા લગભગ એક જ માળખામાં બંધ બેસતી કથાઓ છે. પ્રત્યેક સાધકના નામ, નગર, ઉદ્યાન, રાજા, માતા-પિતા, ૭૨ કળામાં પ્રવીણ, ધર્માચાર્ય, તીર્થકર ભગવાન, ધર્મકથા, ઈહલૌકિક તથા પારલૌકિક રુધ્ધિ, પાણિગ્રહણ, પ્રીતિદાન, ભોગ-પરિત્યાગ, પ્રવજ્યા, દીક્ષાકાળ, શ્રુતગ્રહણ, તપોપધાન, સંલેખના, સંલેખના ભૂમિ તથા અંતક્રિયા કરી સિધ્ધિ ગમનનો ક્રમિક ઉલ્લેખ કરે છે. રાજાશાહી ભોગવવાથી યોગાવસ્થાનો સુખદ વિરામ છે.
અંતગડ સૂત્રના ૯૦ અધ્યયનમાં ૯૦ જીવોનો અધિકાર છે. તેમાંના ૫૧ ચરિત્ર બાવીસમા તીર્થકર શ્રીઅરિષ્ટ નેમિના શાસનના અને ૩૯ ચરિત્ર ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના શાસનના છે. પહેલા પ૧ ચરિત્રોનો વિસ્તાર પ વર્ગમાં છે અને ૩૯ ચરિત્રનો વિસ્તાર ૩ વર્ગમાં છે. પ૧ ચરિત્રમાં કૃષ્ણ વાસુદેવના પરિવારજનો છે. જેમાં તેમના ૧૦ કાકા, ર૫ ભાઈ, ૮ પત્ની, ર પુત્રવધૂ, ૩ ભત્રીજા, ર પુત્ર અને ૧ પૌત્રનો સમાવેશ થાય છે. ચાદવકુળના રાજવંશી આ પરિવારજનો શ્રી અરિષ્ટનેમિ ભગવાનના સમવસરણમાં આવે, ધર્મશ્રવણ કરે, માતા-પિતાની આજ્ઞાથી દીક્ષા લે. જેમ કોઈ વ્યક્તિ ઘરમાં અચાનક આગ લાગતાં અલ્પ વજનવાળી અને બહુમૂલ્ય વાળી વસ્તુઓને ત્વરાથી લઈને બહાર નીકળી જાય છે તેમ જન્મ-જરા મરણની અગ્નિમાં માનવજીવન ભસ્મ થાય તે પહેલાં અગુરુલઘુ આત્માને બચાવી લે છે. મુનિવેશ ધારણ કરી ઉત્તમ સાધુત્વના આચાર-તપ-જ્ઞાન-ધ્યાન કરી અંતિમ સમયે આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે.
દરેક અધ્યયનમાં એક સરખી પરિપાટી હોવા છતાં વિશેષતા ભર્યા અધ્યયનનો અહીં ઉલ્લેખ કર્યો છે.
93
Page #118
--------------------------------------------------------------------------
________________
અનીયસકુમાર આદિ ૬ અણગાર ભાઇઓ જેઓ એકસરખા દેખાતા હતા. તેમનું દેવકીમાતાને ત્યાં ગોચરી અર્થે આગમન-એ પ્રસંગમાં મુનિરાજોનું ભિક્ષાર્થ ગમન, ગોચરીનો સમય, ગોચરી પહેલાની પ્રતિલેખન આદિ વિધિનું વર્ણન છે. બે -બેના સંઘાડામાં ત્રણવાર મુનિઓના આવવા છતાં દેવકીમાતાની વિના પ્રતિપતિ દાતાની દાનવિધિનું દર્શન કરાવે છે.
પહેલા વર્ગના પહેલા અધ્યયનમાં કૃષ્ણ વાસુદેવની ધનપતિ વૈશ્રમણ દેવ કુબેરની બુધ્ધિ કૌશલ્યથી નિર્મિત દ્વારિકા નગરીનું વૈભવશાળી વર્ણન છે. કૃષ્ણ વાસુદેવની ત્રણે ખંડની બાહ્ય અત્યંતર રાજસંપદા અને નગર સંપદાનું આલેખન છે. આટલી સમૃધ્ધિ હોવા છતાં તેઓ માતા પ્રત્યેની અપૂર્વ ભક્તિથી પ્રેરાઇને માતાની એક નાનો પુત્ર હોવાની ભાવનાને પૂરી કરવા અક્રમ તપ કરી હરિણગમૈષી દેવને બોલાવે છે. દેવ અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકીને કહે છે. ‘દેવલોકથી એક દેવતા આયુ પૂર્ણ કરી, અવીને તમારો સહોદર લઘુ ભ્રાતા થશે.' આ કથન સૂચવે છે કે દેવ કોઇને પુત્રો આપતા નથી પરંતુ ભવિતવ્યતા હોય તો સંયોગો મેળવી આપે કે જાણકારી આપી શકે.
ત્રીજા વર્ગના આઠમા અધ્યયનમાં ગજસુકુમાલના ઐતિહાસિક કથા પ્રસંગના ઉલ્લેખથી કદાચિત કોઇક જ જૈન અજાણ હશે. દરેક સાધુ-સાધ્વી વ્યાખ્યાનપ્રવચનોમાં ગજસુકુમાલના ગુણગાન અલગ અલગ ષ્ટિકોણથી ફરમાવે છે.
હાથીના તાળવા સમાન સુકોમળ હોવાથી માત-પિતાએ ગજસુકુમાલ નામ રાખ્યું. તેમની પ્રભા, ચમક, કાંતિ, રંગના વર્ણન પરથી જાણવા મળે છે. તેઓ સુંદર હતા. યુવાવસ્થા આવતા સુધીમાં ૭૨ કળાના પ્રવીણ બને છે. સોમિલ નામના બ્રાહ્મણની સોમા નામની કન્યા પર ગજસુકુમાલના ભાઇ કૃષ્ણની નજર પડતાં, ભાઇ માટે યાચના કરી, અંતઃપુરમાં રાખે છે. બીજી તરફ ત્યાં અરિષ્ટનેમિ ભગવાન આવે છે. ગજસુકુમાલ ધર્મશ્રવણ કરે છે અને વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય છે. અહીં પુત્ર મોહના કારણે માતા દેવકી પુત્રને અનુકૂળ, પ્રતિકૂળ, રાગાત્મક પ્રલોભનો, સંયમ માર્ગની કઠિનાઇઓ આદિ અનેક પ્રકારે ગજસુકુમાલને યોગથી ભોગ તરફ વાળવાની યુક્તિઓ, ઉક્તિઓથી સમજાયા કરે છે. તે તમામના સચોટ વૈરાગ્યપૂર્ણ પ્રત્યુત્તર સાથેના માતા-પિતાનું અત્યાધિક સુંદર વર્ણન છે.
કૃષ્ણ મહારાજ તેમના વૈરાગ્યની કસોટી કરવા રાજ્યાભિષેક કરાવે છે. પણ ગજસુકુમાલનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય રંગ લાવે છે. દીક્ષાના દિવસે જ બારમી ભિક્ષુ મહાપ્રતિમાની આરાધના કરવા, ભગવાનની આજ્ઞા લઇ મહાકાળ નામના સ્મશાનમાં જાય છે. આ મહાપ્રતિમાના વહન વખતે અવશ્ય દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ
94
Page #119
--------------------------------------------------------------------------
________________
આવે છે. સાધક જો આ પ્રતિમાનું સભ્યપાલન ન કરી શકે તો ઉન્માદને, દીર્ઘકાલીન રોગાતકને પામે છે અથવા જિનધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે.
ગજસુકુમાલ મુનિના ઉત્કૃષ્ટ વૈરાગ્યથી અજ્ઞાત અને પુત્રી મોહમાં અંધ થયેલા સસરા સોમિલ બ્રાહ્મણનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠે છે. પરિણામ સ્વરૂપ નવદીક્ષિત મુનિરાજના તાજા મુંડિત મસ્તક પર ધગધગતા ખેરના અંગારા ભીની માટીની પાળ બાંધી રાખી દીધા. અહીં સૂત્રકારે ગજસુકુમાલ મુનિની અસહ્ય વેદનાનો હૃદય સ્પર્શી ચિતાર આપ્યો છે. એક જ દિવસના ચારિત્ર પર્યાય દ્વારા તેમણે કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરી લીધો.
આ પ્રસંગના અનુસંધાનમાં કૃષ્ણ વાસુદેવની પ્રભુતામાં લઘુતાના દર્શન કરાવતો માર્મિક પ્રસંગ છે. એક અતિ વૃધ્ધ વ્યક્તિને જોઈ કૃષ્ણ મહારાજનું ફૂલ જેવું કોમળ હૃદય અનુકંપાથી દ્રવિત થઈ જાય છે અને એના સહયોગ માટે સ્વયં ઢગલામાંથી ઈંટ ઉઠાવે છે. તેનું અનુકરણ કરી અન્ય સૈનિક દળે આખો ઇંટનો ઢગલો ઘરમાં પહોંચાડી દીધો. જે રીતે કૃષ્ણ પેલા વૃધ્ધને સહાયતા કરી તેવી રીતે સોમિલે ગજસુકુમાલ મુનિને લાખો ભવોના સંચિત કર્મોને ભસ્મીભૂત કરવામાં સહાયતા કરી.
બધા વાસુદેવ નિયમા નરકમાં જવાવાળા હોય છે. તેમજ સંયમ સ્વીકારી શકતા નથી. એક બાજુ કૃષ્ણ વાસુદેવને નરકગામી બતાવ્યા તો બીજી તરફ અરિષ્ટનેમિ ભગવાન તેમને તે નરક પછીના ભાવમાં આગામી ઉત્સર્પિણી કાળના અમમ” નામના બારમા તીર્થકર બનશે એવી ભવિષ્યવાણી કરે છે. દ્વારિકાના નાશના ત્રણ કારણ સુરા, અગ્નિ અને દ્વૈપાયન ઋષિ છે. કૃષ્ણ જ્યારે દ્વારિકાનો ભાવી નાશ જુએ છે ત્યારે પોતાની સંયમ લેવાની અસમર્થતા હોવા છતાં નગરજનોને પરિવારજનોને સંયમ લેવા માટેની સુલભતા ને સંયોગ કરી આપે છે.
ત્યારપછી પદ્માવતી આદિ ૮ રાણી અને બે પૂત્રવધુ ને દીક્ષાના ભાવ જાગે છે. અને વીશ વર્ષનું ચારિત્ર પાળી મોક્ષે સીધાવે છે.
આમ, આ પાંચ વર્ષમાં અરિષ્ટનેમિના શાસનકાળના ૪૧ સાધુ અને ૧૦ સાધ્વીઓનો અધિકાર છે.
૬, ૭, ૮ વર્ગમાં ભગવાન મહાવીર શાસનકાળના ૧૬ સંતો અને ર૩ સાધ્વીજીઓનું વર્ણન છે.
છઠ્ઠાવર્ગમાં રાજગૃહી નગરીના અર્જુન માળીનો પ્રસંગ છે. પાંચ મહિના, તેર દિવસમાં ૧૧૪૦ વ્યક્તિઓની (૯૭૮ પુરુષો, ૧૬૩ સ્ત્રીઓ) બેધડક હત્યા કરનારા અર્જુનમાળી જેવા હત્યારાને સુદર્શન શેઠની શ્રધ્ધા સુ-દર્શન કરાવે છે. અહીં શક્ય છે કે
95
Page #120
--------------------------------------------------------------------------
________________
તીર્થકર ભગવાનના પગલાં થયા પછી તે ક્ષેત્રમાં થઈ રહેલા ઉપદ્રવો કે રોગાતક કોઇપણ નિમિત્તે શાંત થઇ જાય છે. અર્જુનનો ઉપદ્રવ પણ સુદર્શન શેઠના નિમિત્તથી દૂર થયો. દેવી તાકાત સામે અધ્યાત્મિક તાકાતનો જવલંત વિજય થતાં અર્જુન માળી અર્જુનઅણગાર બની જાય છે. છઠ્ઠના પારણે છઠ્ઠ કરી અદ્ભુત સમતા, સહનશીલતા, ક્ષમાભાવના અને ધર્યતાની પરાકાષ્ઠાને પામી, છ માસમાં અષ્ટ કર્મનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
બાળ મુનિરાજ અતિમુક્ત કુમાર પ્રભુ મહાવીરના શાસનમાં સૌથી લઘુવચમાં સંયમ અંગીકાર કરનારા એક જ અણગાર છે. આ સૂત્રમાં અતિમુક્ત કુમારની જિજ્ઞાસા અને ૧૪ પૂર્વી ગૌતમ ગણધરનાં સમાધાનના સંવાદમાં બંનેની મહાનતાના દર્શન થાય છે. અતિમુક્ત તો ગૌતમ ગણધરની આંગળી ઝાલી પણ ગૌતમે તો તેમનો હાથ ઝાલ્યો ને પાત્રતા જાણી પ્રભુ પાસે લઈ ગયા. અતિમુક્તને વૈરાગ્ય ભાવ જાગતા સંયમ ગ્રહણ કરવા ઈચ્છે છે અને માતા-પિતાની આજ્ઞા લઈ સંયમ ગ્રહણ કરે છે. આમ, સંયમ ગ્રહણનો નિર્ણય આંતરિક પાત્રતા ઉપર નિર્ભર છે. આગમમાં બાલવયની દીક્ષાનો વિરોધ નથી.
સાતમા, આઠમા વર્ગમાં શ્રેણિકની નંદાદિ-૧૩ અને કાલી આદિ ૧૦, કુલ ર૩ રાણીઓના જ્ઞાનાભ્યાસ, તપ આરાધનાઓનું કલ્પનાતીત વર્ણન છે. ઉત્કૃષ્ટ તપના કારણે તેમની દેદીપ્યમાન બનેલી દિવ્ય કાયાનું સૌંદર્ય વર્ણવ્યું છે. રાણીઓ ફૂલ સમાન કોમળ છે. તેટલી જ તપસાધનામાં સિંહણ સમાન શૂરવીર પણ છે. એકથી એક ચડિયાતા તપ અને દેહાધ્યાસ ત્યાગની સર્વોત્કૃષ્ટ ઝલક છે.
આમ, અંતગડ સૂત્રમાં ૮ વર્ષના અતિમુક્ત કુમાર, ૧૬ વર્ષના ગજસુકુમાલથી લઈને આશરે હજાર વર્ષની ઉંમરવાળા અનીયસકુમાર આદિ કુમારોના સંયમ લેવાના ઉદાહરણ છે. તો કૃષ્ણ વાસુદેવ જેવો પતિ હોવા છતાં પદ્માવતી આદિ રાણીઓ સંયમ લે છે. તો શ્રેણિક રાજાના મરણ પછી નંદા આદિ ૨૩ રાણીઓ પણ દીક્ષિત થાય છે. અતિ સાહ્યબી હોવા છતાં પુણ્યશાળી રાજકુમારો સંયમ લે છે. તેમજ ભયંકર પાપી માળી પણ દીક્ષિત થવાના દ્રષ્ટાંતો છે. દરેકનો આશય ને સંદેશ ભોગવૃત્તિનો ત્યાગ અને પરિગ્રહની હેયતા છે.
- વિપાક સૂત્ર - ગુણવંત બરવાળિયા શ્રી વિપાકસૂત્ર વિશે કહે છે કે,
શ્રી વિપાકસૂત્ર આગમમાં અજ્ઞાન દશામાં બાંધેલા કર્મોના ભયંકર ફળ પાપ કર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે. દુષ્કૃત્યથી દુઃખ વિપાક અને સુફતથી સુખ
96
Page #121
--------------------------------------------------------------------------
________________
વિપાક. આ જાણી આપણી વૃતિઓ સુફત તરફ પ્રયાણ કરશે. જીવન શૈલીમાં પાપથી બચવું છે. સત્કર્મોથી જીવનને વિભૂષિત કરવું છે. તેવા પ્રકારની વિચારસરણી ધરાવતા સાધકો માટે વિપાક સૂત્રનું માર્ગ દર્શન અત્યંતપણે ઉપકારક છે.” વિપાક સત્રનો પરિચય આપતા ડૉ.કેતકી યોગેશ શાહ કહે છે કે,
“અગિયાર અંગસૂત્રોમાં અગિયારમા સ્થાને શ્રી વિપાક સૂત્ર છે. વિપાક એટલે પુણ્ય અને પાપ કર્મોનું ફળ કથારૂપમાં તેનું પ્રતિપાદન કરનાર સૂત્ર તે વિપાક સૂત્ર છે. વિપાક એટલે શુભાશુભ કર્મ પરિણામ, પાપથી દુ:ખની પ્રાપ્તિ અને પુણ્યથી બાહ્ય સુખની પ્રાપ્તિ થાય છે. જ્યારે ધર્મથી માત્ર નિર્જરાની પ્રાપ્તિ થાય છે. આવા ભાવોથી ભરપૂર આ વિપાક સૂત્ર છે. આ સૂત્ર ભવારણ્યમાં ભૂલા પડેલા, ભટકતા ભવ્ય પ્રાણીઓ માટે ભોમિયો છે, અજ્ઞાનના અંધારામાં અથડાતા જીવો માટે આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે. મિથ્યાત્વની મૂંઝવણમાં મૂકાતા જીવો માટેની માર્ગદર્શક પત્રિકા છે. સંસારના દાવાનળમાં દાઝીને દોડતા જીવો માટે દીવાદાંડી છે, ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગે લાવવાની સીડી છે, પરમ પદને પ્રાપ્ત કરવા માટેનું પથદર્શક પાટિયું છે, કરૂણાસાગર ભગવંતે બતાવેલો કારગત કીમિયો છે, સાધક માટે સર્વાવ્યુદય કરનાર સોનાનો સૂરજ છે. આવા ઉત્તમ લક્ષણોથી સુશોભિત વિપાક સૂત્ર સાધક આત્માઓ માટે શેય-ઉપાદેય છે."
વિપાક સૂત્રના બે શ્રુતસ્કંધ છે. બંનેમાં ૧૦-૧૦ અધ્યયન છે. કુલ ૨૦ અધ્યયન છે. વર્તમાનમાં જે વિપાકસૂત્ર ઉપલબ્ધ છે તે ૧ર૧૬ શ્લોક પરિમાણ માનેલ છે.
વિશ્વના દાર્શનિક ચિંતનમાં જૈનધર્મ કર્મ સિધ્ધાંતની સર્વોત્તમ ભેટ આપી છે. કર્મ સિધ્ધાંત જૈન દર્શનનો એક મુખ્ય સિધ્ધાંત છે. તે સિધ્ધાંતનું પ્રસ્તુત આગમમાં ઉદાહરણોના માધ્યમ દ્વારા સરળ રીતે પ્રતિપાદન કરેલ છે.
વિપાક સૂત્રના પ્રત્યેક અધ્યયનમાં પૂર્વ ભવની ચર્ચા છે. કોઈ વ્યક્તિ દુઃખથી આકુળ-વ્યાકુળ હોય અથવા કોઈ સુખ સાગરમાં ડૂબેલી હોય, તેને જોઈ ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે કે આમ કેમ? ત્યારે ભગવાન સમાધાન કરતાં કહે કે આ તો તેના પૂર્વ ભવનાં ફળ છે. આમ બધા જ અધ્યયનો પુનર્જન્મની પુનઃપુનઃ વાત કરીને સદાચાર અને નીતિમય જીવન જીવવાનો સંદેશ આપે છે.
પ્રથમ શ્રુતસ્કંધ, દુ:ખ વિપાકમાં અન્યાય, અત્યાચાર, વેશ્યાગમન, પ્રજાપડન, લાંચ-રૂશ્વત, હિંસા, નરમેઘ યજ્ઞ, માંસ-ભક્ષણ, નિર્દયતા, ચૌર્યવૃત્તિ, કામવાસના વગેરે અધમ કૃત્યોના કારણે જીવ કેવા કેવા ઘોર કર્મ બંધ કરે છે તથા તે તે કર્મબંધ અનુસાર કેવાં કેવાં ભીષણ અને રોમાંચકારી ફળ ભોગવે છે તેનું તાદૃશ્ય વર્ણન છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
પહેલા મૃગાપુત્ર અધ્યયનમાં મૃગાપુત્ર જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેના આંખ, કાન, નાક, પગ આદિ અવયવ નહોતા, ફકત નિશાની જ હતી. ગર્ભમાં હતો ત્યારે તેને ભસ્મક નામનો રોગ થઇ ગયો હતો. તેથી તે જે કાંઇ આહાર ગ્રહણ કરતો તે તરત જ નષ્ટ થઈ જતો હતો અને તે તત્કાળ પરૂ અને લોહીના રૂપમાં પરિણત થઇ જતો હતો. ત્યારપછી તે પરૂ અને લોહીને પણ ખાઇ જતો હતો. તેને જે ભોંયરામાં રાખવામાં આવ્યો હતો ત્યાં મરેલા પ્રાણીઓનાં કલેવર સડી ગયાં હોય તેનાથી પણ અતિશય ખરાબ દુર્ગધ આવતી હતી, જેમાં કીડાઓ ખદબદતા હતા. તે નરકની સમાન વેદનાઓનો અનુભવ કરતો હતો.
તેની આવી દયનીય દુર્દશાનું કારણ તેના પૂર્વભવમાં દુષ્ટતાથી આચરિત અશુભ પાપકારી કૃત્યો હતો. પૂર્વભવમાં તે ઇકોઈ રાઠોડ નામના રાજનિયુક્ત પ્રતિનિધિ હતો. જે મહા અધર્મી, અધર્માનુગામી, અધર્મનિષ્ઠ, અધર્મભાષી, અધર્માનુરાગી, અધર્માચારી, પરમ અસંતોષી હતો. તે પાંચસો ગામોનું અધિપત્ય શાસન કરતો હતો. ત્યાંના ખેડૂતોનું કર મહેસૂલ તે દમનથી, લાંચથી, અધિક વ્યાજથી, હત્યા આદિનો અપરાધ લગાવીને કરતો હતો. પ્રજાને દુઃખિત તાડિત, તિરસ્કૃત અને નિર્ધન કરવામાં આનંદ લેતો હતો, છેતરપીંડી અને માયાચારને પોતાનું કર્તવ્ય સમજતો હતો.
આવા મલિન પાપકર્મોના આચરણનું ફળ તેણે આગામી ભવોમાં તો ભોગવશે પણ તે જ ભાવમાં પણ ભોગવ્યું. તેને સોળ પ્રકારના રોગોતક ઉત્પન્ન થયા. તેની ચિકિત્સા કરવામાં કોઈ વૈદ્ય કે ચિકિત્સક સમર્થ ન થઈ શક્યા. આમ જ જીવન વ્યતીત કરી મારીને તે પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી મૃગાપુત્ર તરીકેનો અત્યંત દયનીય ભવ મળે છે. આમ, આજના લાંચ-રુશ્વતના વાતાવરણમાં પ્રસ્તુત સૂત્ર સમીક્ષાપાત્ર બની રહે છે.
દુઃખ વિપાકના બે થી આઠ અધ્યયનના કથા નાયકો માંસાહાર કરનાર, નિરપરાધ ભોળા પશુઓને સંગાસતિ કરનાર, વેશ્યાગમન કરનાર, ઇંડાનુ સેવન કરનાર, ચોરી કરનાર, પંચેન્દ્રિય વધ કરનાર, મદ્યપાન કરનાર, હોમયજ્ઞ માટે બાળકોના કુમળા હૃદયની બલિ કરનાર, હિંસા કરનાર વગેરે અધમ પાપાચાર કરનાર છે. તેઓ તેમના દુઃખદાયી કર્મોનાં કેવા કટુ પરિણામો ભોગવે છે તેનો હદયસ્પર્શી અહેવાલ તે સાત અધ્યયનોમાં છે.
નવમા અને દસમા અધ્યયનના પાત્રોમાં બે સ્ત્રી પાત્ર છે. દેવદત્તા અને અંજુશ્રી. ભોગાસક્ત દેવદત્તાની સ્વાર્થવૃતિ એટલી બધી ભયંકર હોય છે કે તે પોતાના સંબંધ ભૂલી જાય છે અને ક્રોધાવેશમાં ન કરવાના કામ કરે છે. પૂર્વ ભવમાં ૪૯૯ સાધુઓને
Page #123
--------------------------------------------------------------------------
________________
જીવતા સળગાવી દેનારી દેવદત્તા તે ભવમાં સાસુની હત્યા કરે છે.
દશમા અધ્યયનની અંજુશ્રી પૂર્વ ભવનાં અનર્થોની ખાણ સમાન, કામભોગોમાં લીન રહીને દુઃખોની પરંપરા વધારે છે.
આમ, દુ:ખ વિપાક સૂત્રમાં દુષ્કૃત્યોના કડવા પરિણામો બતાવ્યા છે. જ્યારે વિપાક સૂત્રના બીજા શ્રુત સ્કંધ સુખ વિપાક સૂત્રમાં પુણ્યશાળી પુરુષો દાન વગેરે સત્કાર્ય કરી, સુખ ભોગવતા સમ્યક્દર્શન પામી, સમ્યક્તપમાં પુરુષાર્થ ફોરવી, સિધ્ધગતિના શિખર સર કરશે, તેનું સદ્દષ્ટાંત નિરૂપણ છે.
પ્રથમ અધ્યયનમાં સુબાહુકુમારનું વર્ણન છે. પરમ પુણ્યના ઉદયથી સુબાહુકુમારને રાજ પરિવારમાં જન્મ અને શ્રમણ ભગવાન મહાવીરના સમાગમનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમને એટલી બધી સુંદર, મનોહર, સૌમ્ય અને પ્રિય આકૃતિ મળી હતી કે ગૌતમ સ્વામી જેવા વિરક્ત મહાપુરુષનું હૃદય પણ તેમના તરફ આકૃષ્ટ થયું હતું. તેમની તેવી મનોહરતાનું કારણ તેમનો પૂર્વ ભવ હતો.
પૂર્વભવમાં સુબાહુકુમાર ધનાઢ્ય પ્રમુખ ગાથાપતિ હતા. એકદા તેમના ઘરે નિરંતર માસખમણના પારણે માસખમણ કરતાં સુદત્ત-અણગાર પારણાના દિવસે ગોચરી માટે પધાર્યા. તેમને જોઇને તે અત્યંત હર્ષિત થઇ વંદન નમસ્કાર કરી સુપાત્ર આહાર દાનનો લાભ લીધો. આહાર દાન દેતા સમયે અને આપ્યા પછી પણ પ્રસન્નતાનો અનુભવ કર્યો.
જો દેય, દાતા અને પ્રતિગ્રાહક પાત્ર-આ ત્રણે શુધ્ધ હોય તો તે ધન જન્મમરણના બંધનોને તોડનાર અને સંસાર અલ્પ કરનાર થાય છે. અહીં સુમુખ ગાથાપતિ શુ દ્રવ્ય- નિર્દોષ વસ્તુ વહોરાવે છે, પોતે પવિત્ર દાતા અર્થાત્ ગોચરીના નિયમ યોગ્ય છે અને લેનાર પણ મહાતપસ્વી શ્રમણ છે. આમ ત્રિકરણ શુધ્ધિ અને વિશુધ્ધ ભાવનાથી સંસારને અતિઅલ્પ કરી મનુષ્યના આયુષ્યનો બંધ કરે છે પછીના ભવમાં સુબાહુકુમાર પણે ઉત્પન્ન થાય છે.
ત્યારપછી સુબાહુકુમાર શ્રમણોપાસક થઇ ગયા. એકવાર પૌષધશાળામાં અક્રમ વ્રત ધારણ કરીને રાત્રિના સમયે ધર્મજાગરણમાં ચિંતવણા કરતા હતા કે જો ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા અહીં પધારે તો હું દીક્ષા લઇ ધન્ય બનું. ભગવાન પધારે છે અને સુબાહુકુમાર અણગાર બની શુધ્ધ સંયમ પાળી અંતે એક માસનું અનશન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા. તે પંદર ભવો પછી મોક્ષે જશે, તેવું વિધાન સૂત્રમાં છે.
બાકીના નવ અધ્યયનમાં પણ નામ અને સ્થાન સિવાય બધી વિગતો એક
99
Page #124
--------------------------------------------------------------------------
________________
સમાન છે.
દુઃખ વિપાકના કથા નાયક મૃગાપુત્ર આદિ અને સુખ વિપાકમાં વર્ણન કરાયેલ સુબાહુકુમાર આદિ-બંને પ્રકારના કથા નાયકોની ચરમ સ્થિતિ, અંત એક સમાન છેમોક્ષે જશે. પણ તે પહેલાંના તેમના સંસાર પરિભ્રમણનું જે ચિત્ર છે તે વિશેષ વિચારણીય છે.
સુખ સૌને પ્રિય છે દુઃખ કોઇને ગમતું નથી, પાપાચારી મૃગાપુત્ર આદિને ઘોરતમ દુઃખમય દુર્ગતિઓથી દીર્ઘ કાળ સુધી પસાર થવું પડશે. અનેકાનેકવાર નરકોમાં, એકેન્દ્રિયોમાં આદિ વિષમ એવં ત્રાસજનક યોનિઓમાં દુસ્સહ વેદનાઓ ભોગવવી પડશે. ત્યારપછી ક્યાંક તે માનવભવ પામી સિધ્ધિને મેળવશે.
જ્યારે સુખ વિપાકના નાયક સુબાહુકુમાર આદિ સંસારના કાળનો અધિકાંશ ભાગ દેવલોકના સ્વર્ગીય સુખોના ઉપભોગમાં અથવા માનવભવમાં જ વ્યતીત કરી પંદર ભવ પછી સિધ્ધિને મેળવશે.
વિપાક સૂત્રનું વિશ્લેષણ કરતા એટલું જ કહી શકાય કે પાપોના સેવનથી કર્મ બાંધતી વખતે વિવેકબુધ્ધિથી વિચારવું જોઇએ. કર્મોનો હિસાબ તો પાઇ પાઇ ચૂકવવો પડે છે. તેના માટે નિમિત્ત પછી કોઇપણ હોઈ શકે. વર્તમાનમાં મસ્ત રહે છે તે ભવિષ્યમાં ત્રસ્ત બની સંકટમય અને અંધકારમય પરિસ્થિતિમાં સપડાઈ જાય છે. આવું જાણી ઈચ્છા વિરોધ કરી સંચમીને તપમય, ત્યાગમય જીવન જીવવામાં જ મનુષ્યભવની સાર્થકતા છે.
પ્રસ્તુત સૂત્રમાં સુપાત્ર દાન દેવાની વિધિ, વિનય વ્યવહાર, તેનાથી થતા લાભોનું સુંદર વિવરણ સુબાહુકુમારના અધ્યયનમાં મળે છે.
દુઃખ વિપાકના પહેલા અધ્યયનમાં રોગને ઉપશાંત કરવાના વિવિધ પ્રયોગો તે સમયની ચિકિત્સા પધ્ધતિમાં આયુર્વેદ કેટલું પ્રચલિત હશે તેનો અહેવાલ આપે છે. માલિશ, લેપ, વમન, વિરેચન, ઔષધ વગેરેથી રોગને નિયંત્રણ કરવાના ઉપાયોનું સૂચન છે.
બીજું માતાના ગર્ભમાં અધર્મી જીવ આવે ત્યારથી માતાને મદિરાપાન, માંસાહાર કરવાની, અનિષ્ટ સેવવાની ઇચ્છા જાગે છે. આમ, માતાના દોહદનો ઉલ્લેખ છે. ત્યાં પુત્રના લક્ષણ પારણામાંના બદલે પુત્રના લક્ષણ ગર્ભમાંથી એમ કહેવું ઉચિત લાગે છે.
પિતાની ભૌતિક સંપતિનો વારસદાર તો પુત્ર જ બને છે. પણ સારા સંસ્કારોનો
100.
Page #125
--------------------------------------------------------------------------
________________
વારસો પણ તે પુત્રને આપી શકે છે. પણ પિતા જ જ્યારે ચોર પલ્લીનો સેનાપતિ હોય, પ્રાણીઓને સંગાસિત કરનાર કોટવાળ હોય કે કસાઈ હોય તો તે પોતાના પુત્રને વારસામાં તે જ આપશે. માટે કલ્યાણ પિતા બનવાની કલ્યાણકારી શીખ પણ આ અધ્યયનોમાંથી મળે છે.
- શ્રી અનુત્તરોપપાતિક સૂત્રઃગુણવંતરાય બરવાળિયા શ્રી અનુત્તરોઅપાતિકદશાંગ સૂત્ર વિશે કહે છે કે,
“આ સૂત્ર આગમના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે. ભગવાન મહાવીરની ઉપદેશ ધારામાં નવમા આગમમાં દેહ પ્રત્યે મમત્વ ઘટાડવા તપસાધકો જેવા કે ધન્ના અણગારની સાધનાનું વર્ણન છે. આ સૂત્રમાં કહ્યું છે કે મનુષ્ય માત્ર ખોરાકથી જ જીવી શકે એવું નથી. પ્રકાશ અને હવાથી પણ જીવી શકાય છે. સૂર્ય પ્રકાશથી પણ જીવી શકાય એવા દાખલા છે. રોજ એક ચોખાનો દાણો લઇને પણ લાંબો સમય જીવી શકાય તેવા ઉદાહરણ છે. શરીર વિજ્ઞાનના સંશોધનનો આ વિષય છે." - ડૉ. કેતકી યોગેશ શાહ પ્રબુધ્ધ જીવન અંકમાં અનુત્તરો પપાતિક સૂત્ર વિશે કહે છે કે, જ્યારે દેહનું મમત્વ ઘટે છે ત્યારે જ આત્માનું આત્મત્વ ઝળકે છે. શુદ્ધ આત્મત્વની પ્રાપ્તિ થાય ત્યારે જ સિધ્ધત્વની પ્રાપ્તિ થઈ શકે છે. આવો ઉચ્ચ અને ઉત્તમ બોધ અનુત્તરો પપાતિક સૂત્ર દ્વારા મળે છે.
આગમ મનીષી શ્રી ત્રિલોક મુનિ અનુત્તરો પપાતિક સૂત્રનો પરિચય આપતા કહે છે કે, “આ સૂત્ર દ્વાદશાંગીનું નવમું અંગ છે. શ્રેષ્ઠ ઉત્તમ વિમાનને અનુત્તર વિમાન કહેવાય છે. બાર દેવલોક પછી નવ રૈવયક વિમાન કે તેની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિધ્ધ આ પાંચ અનુત્તર વિમાન છે . જે સાધક પોતાના ઉત્કૃષ્ટ તપ-સંયમની સાધનાથી ત્યાં ઉત્પન્ન થાય છે તે અનુત્તરોપપાતિક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા કહ્યા છે. તેઓનું વર્ણન જે શાસ્ત્રમાં છે તે અનુત્તરોપપાતિક સૂત્ર કહેવાય છે. આ સૂત્રમાં ત્રણ વર્ગ છે. જેમાં પ્રથમ બે વર્ગના ૨૩ અધ્યયનમાં શ્રેણિકના ૨૩ દીકરાઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત ૩૩ જીવો એ અપાર વૈભવ ત્યાગ કરી, વિવાહિત સ્ત્રીઓનો ત્યાગ કરી, ચરમ તીર્થંકર પાસે દીક્ષા અંગીકાર કરી. અંતે એક માસના પાદોપગમન સંથારાથી અનુત્તર વિમાનમાં દેવભવને પ્રાપ્ત કર્યો. ત્યારપછી મનુષ્યપણે ઉત્પન્ન થઇ મોક્ષે પધારશે.”
અનુત્તરોપપાતિક સૂત્ર ર૯ર શ્લોક પ્રમાણ છે. તેમાં ૩ વર્ગ છે. અને અનુક્રમે ૧૦,૧૩,૧૦ અધ્યયન છે.
101
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રથમ અને બીજા વર્ગના કુલ ૨૩ અધયયનમાં શ્રેણિક રાજાના જાલિ આદિ ર૩ પુત્રોના સાધનામય જીવનનું વર્ણન છે. આ દરેક રાજકુમારોના પુણ્યશાળી જીવન, ૭ર કળામાં પ્રવીણતા, આઠ પત્નીઓ, ભગવાનના દર્શનથી વૈરાગ્ય ભાવ, દીક્ષા, તપસંલેખના, સંથારો, પાંચ અનુત્તર વિમાનમાં ગમન, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ, ત્યાંથી સિધ્ધ થશે તેવો ક્રમિક ઉલ્લેખ એક સરખો છે.
ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનમાં ધન્યકુમારનું જીવન વિશેષતા યુક્ત હોવાથી વિસ્તારપૂર્વક સૂત્રકારે વર્ણવેલ છે. કાંકદી નામની નગરીમાં, ભદ્રા નામની સાર્થવાહીના ધન્યકુમાર પુત્ર છે. ભદ્રા સાર્થવાહી એક સાધન સંપન્ન નારી હતી, પ્રચુર ધન સંપત્તિ, વિપુલ ગોધન અને અનેક દાસ દાસી તેની સંપદા હતી. સમ્માન યુક્ત હતી.
અહીં પ્રસ્તુત સૂત્ર પરથી તે સમયની સ્ત્રી જાતિની ઉન્નતિનો પરિચય થાય છે. સાર્થવાહી સ્ત્રીઓ આયાત-નિકાસ વેપારનું મોટુ સાહસ ખેડતી. વ્યાપાર, વ્યાજવટાવ આદિ ક્ષેત્રમાં સ્ત્રીનો પ્રવેશ હતો. સ્ત્રી પુરુષ સમોવડી હતી. સાથે સાથે સાંસારિક જવાબદારી પણ સુપેરે નિભાવતી હતી. અહીં ધન્યકુમારના પિતાનું વર્ણન નથી તેથી એમ માની શકાય કે તે નાની ઉંમરે જ કાળ કરી ગયા હશે.
ધન્યકુમારનો જન્મ સમૃધ્ધ ઘરમાં થયો હતો. તેનું શરીર પરિપૂર્ણ અને સુંદર હતું. પાંચ ધાત્રીઓ દ્વારા પાલન પોષણ થયું હતું. ૭૨ કળામાં પ્રવીણ હતા. યૌવન અવસ્થામાં આવતા વર કન્યા સાથે પાણિગ્રહણ થયું. માતા તરફથી ધન્યકુમારને પ્રીતિદાનમાં સોના, ચાંદી, મોતી, ગોકુળ, ઘોડા, હાથી, દાસી, ઘરવખરીની વસ્તુઓ વગેરે સેંકડો વસ્તુ ૩ર-૩રના પ્રમાણમાં મળી. જે ધન્યકુમારે પ્રત્યેક પત્નીઓને આપી
દીધી.
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કાકંદી નગરીમાં પધાર્યા. ધન્યકુમાર ભગવાનના દર્શને ગયા. ભગવાનની દેશના સાંભળી વૈરાગ્યભાવ જાગ્યો. માતાની આજ્ઞા લઈને સંપૂર્ણ સાંસારિક ભોગવિલાસને ત્યજીને અણગાર બની ગયા. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ભગવાનની આજ્ઞા લઈ જીવન પર્યત નિરંતર છઠ્ઠ તપ તથા પારણામાં આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. તે અહીં ધન્ય અણગારની આહાર અને શરીર વિષયક અનાસક્તિનું તથા રસનેન્દ્રિયના સંયમનું દિવ્ય દિગ્દર્શન થાય છે. આવી દઢ પ્રતિજ્ઞાનું પાલન કરતાં કયારેક ગોચરીમાં ભોજન મળે તો પાણી ન મળ્યું અને જો પાણી મળ્યું તો ભોજન ના મળતું હોય. આવી અવસ્થામાં પણ અદીન, પ્રસન્નચિત્ત, કષાય મુક્ત અને વિષાદ રહિત ઉપશમ ભાવમાં, સમાધિ ભાવમાં સ્થિત રહ્યા.
102.
Page #127
--------------------------------------------------------------------------
________________
ઉગ્ર તપ, કઠોર અભિગ્રહ અને અણીશુધ્ધ સંયમની કસોટી પર ચડીને ધન્ય અણગારનું શરીર કૃશ બનતું ગયું, પરંતુ તેનાથી તેનો આત્મા વધારે તેજસ્વી બની ગયો. પ્રતિદિન વધતું જતું મુખનું તેજ ઢાંકેલા અગ્નિની સમાન દેદીપ્યમાન બની ગયું
હતું.
ધન્ય અણગારની શારીરિક સ્થિતિમાં કેટલું પરિવર્તન થયું હતું તેનું વર્ણન પણ આ સૂત્રમાં છે. અવયવોમાં માંસ અને લોહી દેખાતાં ન હતા, ફક્ત હાડકાં, ચામડાં અને નસો જ દેખાતી હતી. અંગ કેવી રીતે સુકાયા તેનું ઉપમા અલંકારથી વર્ણન કરવામાં આવ્યું છે.
ઘોર તપસ્વી ધન્ય અણગારનાં છાતીના હાડકાં ગંગાની લહેરો સમાન અલગઅલગ પ્રતીત થતાં હતાં. કરોડના મણકા રૂદ્રાક્ષની માળાના મણકાની સમાન સ્પષ્ટ ગણી શકાય તેવા હતા. ભૂજાઓ સૂકાઇને સુકાયેલા સર્પની સમાન થઇ ગઇ હતી. હાથ ઘોડાની ઢીલી લગામ સમાન લટકી ગયા હતા. તેમનું શારીરિક બળ બિલકુલ ક્ષીણ થઇ ગયું હતું. ફક્ત આત્માની શક્તિથી ચાલતા હતા. સર્વથા દુર્બળ હોવાને કારણે બોલવામાં પણ અત્યંત શ્રમ પડતો હતો. શરીર એટલું ખખડી ગયું હતું જ્યારે તેઓ ચાલતા ત્યારે હાડકાંઓ પરસ્પર અથડાવવાને કારણે કોલસાની ભરેલી ગાડીની જેમ અવાજ આવતો હતો. શરીરધારી હોવા છતાં પણ એ અશરીરી જેવા બની ગયા હતા. તેમ છતાં તેમનો આત્મા તપના પ્રખર તેજથી અત્યંત સુશોભિત થઇ ગયો હતો.
આવા તપોધની ધન્ય અણગારની ખુદ ભગવાન મહાવીર પ્રશંસા કરતા કહે છે કે તેમના ઇન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં ધન્ય અણગાર મહાદુષ્કરકારક અને મહાનિર્જરાકારક છે. ધન્યમુનિ યથાર્થનામા તથા ગુણા સિધ્ધ થયા. આઠ મહિનાની અજોડ તપસ્યા ઉત્કૃષ્ટ ભાવે કરી અને એક માસની અંતિમ સાધના કરી સર્વાર્થસિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. ત્યાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ ત્યાંથી સિધ્ધ થશે.
સમ્યક્ તપ એ અનંત કર્મની નિર્જરાનું પ્રધાન સાધન છે. અનંત તીર્થંકરોએ તેમજ અન્ય સર્વ સાધકોએ તપનો માર્ગ અપનાવ્યો છે. સંસારના સર્વ ભૌતિક ભાવોને છોડ્યા પછી સંયમ માર્ગને પરિપક્વ બનાવવા માટે તપ સાધના અનિવાર્ય છે. ધન્ય અણગારે એ સાબિત કરી બતાવ્યું કે શરીરની શક્તિ કરતાં આત્માની શક્તિ અનંતગણી છે.
103
Page #128
--------------------------------------------------------------------------
________________
- રાયપાસેણીય(રાજપ્રશ્નીય) સૂત્રઃરાજપ્રશ્નીય સૂત્ર વિશે ગુણવંતરાય બરવાળિયા કહે છે કે,
શ્રી રાયપાસેણીય સૂત્ર વાંચતા ગુરુનો સમાગમ થતાં પ્રદેશી રાજાના જીવન પરિવર્તનનું વર્ણન વાંચી ગમે તેવા પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચી દશા સુધી પહોંચી શકે છે તેની પ્રતીતિ થાય છે. સંત સમાગમ, વ્યક્તિ પર કેવો મહાન ઉપકાર કરે છે અને તેને દેવલોકના સુખ અપાવી શકે અને પરમપદને પણ પ્રાપ્ત કરાવી શકે છે, તે પ્રેરણાદાયી હકીકતનું આલેખન છે. પોતાની રાઈટ આઇડેન્ટીટી જાણવા ઇચ્છુક સાધકો માટે રાયપાસેણી સૂત્ર ઉપકારક બની રહેશે."* શ્રી રાયપરોણીય સૂત્ર વિશે વિદ્વાન ડૉ.કલાબેન એમ. શાહ કહે છે કે,
શ્રી રાજપ્રગ્બીચ સૂત્ર કથા સૂત્રોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અન્ય કથા સૂત્રો નવલિકા સંગ્રહ જેવા છે પરંતુ આ સૂત્ર નવલકથા જેવું છે. જેમાં રાજા પ્રદેશની સળંગ ભવકથા છે. સંતના સમાગમ પ્રદેશી રાજાની પરિવર્તન પામેલી જીવનચર્ચા જ આ સૂત્રનું તેજસ્વી કિરણ છે. પ્રદેશ રાજા પ્રયોગ દ્વારા વસ્તુતત્ત્વને શોધનારો શોધક હતો. આત્માને શોધવા તેણે ઘણો શ્રમ કર્યો પણ તે શ્રમ વિપરીત હતો તેથી તે નિષ્ફળ ગયો. આત્મશોધની તાલાવેલીના કારણે તેણે કેશી શ્રમણ સાથે પ્રશ્ન ચર્ચા કરી અને કેશી શ્રમણના સંગે તે સત્યને સમજ્યો. આત્મ તત્વનો અનુભવ તેણે કર્યો અને વ્રત-નિયમનું પાલન કરી ક્ષમાના ઉત્તમ પરિણામો સાથે આરાધક ભાવે મૃત્યુ પામી સૂર્યાભદેવની સૂર્ય જેવી સ્થિતિને પામ્યો.” રાયપાસેણીય સૂત્ર વિશે બા.બ્ર.પૂ.લીલમબાઈ મ.સા. કહે છે કે,
પ્રસ્તુત સૂત્રમાં પ્રદેશ રાજાની પ્રાચીન ઘટના હોવા છતાં અર્વાચીન લોકોના નાસ્તિકપણાને, સ્વાર્થને, સ્વજન પરિજન સાથેના રાગદ્વેષને, હિંસાદિ ક્રૂર પરિણામ ઈત્યાદિ ભાવોનો નાશ કરે છે. પાપી પણ પુણ્યશાળી બને છે. દુષ્ટાત્મા સુખુ બની દિવ્ય સુખોપભોગમાં ઉત્પન્ન થાય છે. પાપના પલટાથી પ્રાપ્ત થતા પુણ્યના પુંજના પુંજ, દેવલોકમાં જ્યાં જ્યાં શાશ્વત દિવ્ય સામગ્રી નકશીદાર શિલ્પથી સ્વાભાવિક, શરીરના દરેક અંગોપાંગ માટે સુખાવહ સુવા, રહેવા, બેસવા, પહેરવા આદિ આકારે આકારિત થઈ ત્યાં લઈ જાય છે અને ત્યાંથી પુણ્યરૂપી સખા સહયોગ આપીને પરમધામમાં પહોંચાડે છે. આવી સંજીવની ભરેલું જડબુટ્ટી સમું આ સૂત્ર છે.” પૂ.શ્રી જયંતમુનિ મ.સા. રાજપ્રશ્નીચ સૂત્ર” વિશે કહે છે કે,
આ સૂત્ર નાસ્તિકતા, સ્વાર્થ અને ઉચ્ચકોટિના ત્યાગનું જાણે એક સાહિત્યરત્ન
104
Page #129
--------------------------------------------------------------------------
________________
ન હોય, તેવું નાટક સૂત્ર છે. સૂત્રના કે કથાના મુખ્ય પાત્રો સળંગ એક સજીવ ભૂમિકા ભજવે છે. દરેક પાત્ર પોતપોતાની રીતે ખૂબ જ સુંદર રીતે મૂર્તિમંત બની નિર્માણ થયા છે. શાસ્ત્રકાર પાત્રો દ્વારા પોતાની કથાવસ્તુ કે તત્ત્વ નિરૂપણને હૂબહૂ આલેખિત કરે છે. કથા શાસ્ત્રો દ્વારા શાશ્વત તત્ત્વો હીરા મોતીની જેમ ચમકી રહ્યા છે.’
♦૨૨
સૂચડાંગ સૂત્ર નામના બીજા અંગનું બીજું ઉપાંગ રાયપસેણીય છે. આ સૂત્રમાં ત્રણ અધિકાર છે. (૧)સૂર્યાભદેવનો (૨)પ્રદેશીરાજાનો (૩)દેઢપ્રતિજ્ઞ કેવળીનો. આ ત્રણે અધિકાર એક જ જીવાત્માના છે.
શ્રી નંદીસૂત્રમાં અંગબાહ્ય ઉત્કાલિક શ્રુતની પરિગણનામાં પ્રસ્તુત આગમનું નામ ‘રાયપસેણીય’ જોવા મળે છે. તેનું સંસ્કૃત રૂપાંતરણ રાજપ્રશ્નીય છે. આ આગમ એક જિજ્ઞાસુ રાજાના પ્રશ્નો સાથે સંબંધ ધરાવે છે. તેથી તેનું નામ રાજપ્રશ્નીય રાખવામાં આવ્યું છે. કેશીશ્રમણ અને પ્રદેશીરાજા વચ્ચે થયેલી પ્રશ્નચર્ચા આ આગમનું મહત્ત્વનું અંગ છે. કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાના પ્રશ્નોના આપેલા ઉત્તર આત્મસ્વરૂપને સમજવા માટે ઉપયોગી થાય તેવા છે. આ પ્રશ્નોત્તરથી જ પ્રદેશીરાજા અરમણીયમાંથી રમણીય, અધાર્મિકતામાંથી ધાર્મિક, નાસ્તિકમાંથી આસ્તિક, વિષયગામીમાંથી સત્ પથગામી બન્યા. તેના જીવનનું પરિવર્તન કરાવનાર સંવાદ જ આ આગમનું હાર્દ છે. આમ, આ નામ સાર્થક છે.
આ સૂત્રની ૨૦૭૮ ગાથા છે. આ સૂત્રમાં પ્રદેશી રાજાએ કેશી ગણધરને પૂછેલા દશ પ્રશ્નો અને તેના કેશીશ્રમણે આપેલા સચોટ ઉત્તરો નોંધપાત્ર છે. તે ઉપરાંત ૩૨ દેવતાઇ નાટકોનું સુંદર પરિચયાત્મક વર્ણન, પ્રાચીન વિવિધ સંગીત વાદ્યોના પ્રકારોનું વર્ણન, સંગીતશાસ્ત્ર, નાટયશાસ્ત્ર આદિની માહિતી તથા વાસ્તવવાદી ગૂઢ પ્રશ્નોનું નિરાકરણ નોંધપાત્ર છે.
સૂત્રકારે ચિત્તસારથિ, પ્રદેશી રાજા અને કેશીકુમાર શ્રમણ આ ત્રણ પાત્રની આસપાસ જ આગમ કથાની રચના કરી છે.
આ આગમમાં પ્રદેશી રાજા મુખ્ય પાત્ર છે. સૂત્રકારે પ્રદેશી રાજાના માધ્યમ દ્વારા વિપરીત માન્યતા, તેના પરિણામે સર્જાતા વૃત્તિના તાંડવો અને સાચી વાત સમજ્યા પછી વૃત્તિઓનું ઊર્મીકરણ, સાધના કર્યા બાદ જીવનનું ઉર્ધ્વગમન કેવી રીતે કરી શકાય તેનું નિરૂપણ સૂત્રકારે આ આગમમાં કર્યું છે.
પ્રદેશી રાજા નાસ્તિકતાને કારણે ખૂબ જ હિંસક પગલાં ભરે છે. તે પોતાના રાજ્યમાં નીતિ-ન્યાયને સ્થાન આપતો નથી તે પાપાચારને વેગ આપે છે. પાપના ફળ બૂરા હોય તેવું તે માનતો નથી. રાજ્યમાં કર્મચારીઓને તથા પ્રજાને ઘણો
105
Page #130
--------------------------------------------------------------------------
________________
અન્યાય કરે છે અને હિંસક બળોને પ્રોત્સાહન આપે છે. તેથી તેના રાજ્યમાં અપરાધી તત્ત્વોમાં વૃદ્ધિ થાય છે. આ સૂત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે કે પ્રદેશ રાજાના રાજ્યમાં પાપી પ્રવૃત્તિઓનું કેટલું ઊંડુ સ્થાન હતું. સારે નસીબે પ્રદેશ રાજાના મંત્રી ચિત્તસારથિ ખૂબ ધાર્મિક વૃત્તિનો, આસ્તિક અને બુધ્ધિશાળી હતો. આ મંત્રી એવા કોઈ પ્રબળ અને પરાક્રમી મહાત્માની શોધમાં છે, જે રાજાની નાસ્તિકતાને દૂર કરી તેને આસ્તિક બનાવે.
પ્રધાનમંત્રી ચિત્તસારથિ જ્યારે શ્રાવસ્તી નગરી આવ્યો અને કેશીકુમાર શ્રમણના દર્શન થયા ત્યારે બુધ્ધિશાળી પ્રધાન પોતાના નાસ્તિક અને હિંસક રાજાને સુધારવા માટે કેશીકુમાર શ્રમણને પોતાના દેશમાં લઈ જવાનો સંકલ્પ કર્યો.
આટલી વાર્તા રાજપ્રશ્નીય સૂત્રની પૃષ્ઠભૂમિ છે. ત્યાર બાદ કેશી શ્રમણ ત્યાં પહોંચ્યા. ચિત્તસારથિએ ભક્તિ અને ચાલાકી પૂર્વક રાજાની સાથે તેમનો મેળાપ કરાવ્યો. કેશીકુમાર શ્રમણ અને પ્રદેશ રાજા વચ્ચે સફળ વાર્તાલાપ થયો. રાજાનો માનસિક પરાજય થયા પછી તેના મનમાં આસ્તિકતાનો ઉદય થયો. સંપૂર્ણ રાજ્યમાં નીતિની સ્થાપના થઈ. આ રીતે રાજાનું જીવન પરિવર્તન થયું અને પૂરા રાજ્યનું પણ
પરિવર્તન થયું.
અંતમાં રાજા મહાન તપની સાધના કરી પરલોકવાસી થયા. ત્યાં સુધીની કથા અતિરોચક અને પ્રેરણાદાયી છે. રાજાની રાણી “સૂર્યકાંતા”ને રાજાનું આ પરિવર્તન અયોગ્ય લાગતાં વિષ આપી રાજાને મારી નાંખે છે ને પોતાનું જીવન હિંસાથી કલંકિત કરી દુર્ગતિને પામે છે.
જેવી કરણી તેવી ભરણી જેવા કર્મો કર્યા હોય તેવા ફળ મળ્યા તે વાત આ સૂત્રમાં સૂત્રકારે સમજાવી છે. કર્મનો સિધ્ધાંત સર્વને માટે એક સરખો જ છે. રાજા હોય કે રંક હોય, પુરુષ હોય કે નારી હોય સહુએ પોતે કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડે છે. તે બાબતને આ સૂત્રમાં સમજાવી છે.
પ્રભુ મહાવીરે ઉચ્ચ કક્ષાના સાધકોની સાધક દશા કેવી હોય છે તે રાજપ્રમ્નીય સૂત્રમાં દર્શાવ્યું છે. રાયપાસેણીય સૂત્ર રાજા પ્રદેશીનું જીવન દર્શન કરાવતું આગમ છે. આ સૂત્ર આત્મજ્ઞાનને પ્રગટ કરતું આગમ છે. આ સૂત્ર રાજા પ્રદેશીની આત્મસિધ્ધનું કારણ છે. પ્રભુ મહાવીરે આ આગમ દ્વારા અનેક અજ્ઞાનીઓને સાચો માર્ગ બતાવ્યો છે. સંત સમાગમ વ્યક્તિ પર કેવો મહાન ઉપકાર કરે છે અને તેને દેવલોકના સુખ અપાવી શકે છે. એક જ ભવમાં પરમાત્મપદ અપાવી શકે છે, એ હકીકત આ આગમમાં ખૂબ રસમય રીતે આલેખન પામી છે.
106
Page #131
--------------------------------------------------------------------------
________________
કથાવસ્તુ:- ભરતક્ષેત્રમાં આમ્લકંપા નામની સમૃધ્ધ નગરી છે. ત્યાંની પ્રજા સુખરૂપ જીવી રહી હતી. ત્યાંના શ્વેતરાજા અને ધારિણીદેવી શુભ લક્ષણવંતા અને વિશુધ્ધ હતા.
તે નગરીના અંબસાલ વનમાં શ્રમણભગવાન શ્રી મહાવીર પધાર્યા. આ સમયે ઊર્ધ્વલોકમાં સૌધર્મ દેવલોકમાં સૂર્યાભદેવ ઉત્પન્ન થયા જે પ્રભુની દેશના સાંભળવા આવે છે. દેશના પૂર્ણ થતાં સૂર્યાભદેવે પ્રભુને પ્રશ્ન પૂછયો,‘“હે પ્રભુ! હું ભવસિધ્ધ છું કે અભવસિધ્ધ, હું સમ્યક્દૅષ્ટિ છું કે મિથ્યાદ્દષ્ટિ?’’
ભગવાને જવાબ આપ્યો, હે દેવાનુપ્રિય! તમે ભવી સભ્યષ્ટિ છો. ત્યારબાદ સૂર્યાભદેવે ૩૨ નાટક બતાવ્યા. છેલ્લું નાટક પ્રભુ મહાવીરના જીવન પ્રસંગોનું હતું.
ગૌતમગણધરે પ્રભુને પૂછ્યું, ભગવાન સૂર્યાભદેવે આગલા ભવોમાં એવુ શું કર્યું હતું કે જેથી તેને આવી રિધ્ધિ-સિધ્ધિ મળી?
અહીં પ્રભુએ સૂર્યાભદેવના આગલા ભવની પ્રદેશીરાજાના ભવની વાત કરી.
કૈકયાર્ધ દેશની શ્વેતાંબિકા નગરીનો રાજા પ્રદેશી હતો. તે નાસ્તિક અને હિંસક હતો. તેનો એક ચિત્તસારથિ નામનો કલ્યાણ મિત્ર હતો. એકવાર ચિત્તસારથિ શ્રાવસ્તી નગરીમાં ગયા ત્યાં કેશી શ્રમણ પધાર્યા હતા. ચિત્તસારથિ તેમની દેશના સાંભળવા પહોંચી ગયા અને સાંભળી વ્રતધારી શ્રાવક બન્યા. પ્રભુ મહાવીરને પોતાની નગરીમાં પધારવા વિનંતી કરી. પ્રભુ મહાવીર આમ્લકંપા નગરીમાં પધાર્યા. ચિત્તસારથિ પ્રદેશી રાજાને લઇ પ્રભુ પાસે જાય છે. ત્યારે કેશીશ્રમણે દેહ અને આત્મા જુદા છે એ બાબત પર સમજાવે છે. ત્યારે પ્રદેશીરાજા અનેક પ્રશ્નો પૂછે છે. કેશીશ્રમણે બધા પ્રશ્નોના ઉત્તર ઉદાહરણાર્થે આપ્યા. તેમનો ઉપદેશ સાંભળી પ્રદેશી રાજા બાર વ્રતધારી શ્રાવક બન્યો. તે સર્વભાવથી ઉદાસીન રહેવા લાગ્યો. આ વર્તન રાણી સૂર્યકાંતાથી સહન ન થયું. તેણે ભોજન, વસ્ત્ર, આભુષણો અને સૂંઘવાના પદાર્થોમાં ઝેર ભેળવી દીધું. આ ઝેર રાજાના આંતરડામાં પ્રસરી ગયું. રાજાએ અનશન કરી સંથારો લીધો. તે સર્વજીવ પ્રત્યે દયા રાખી મૃત્યુ પામ્યા.
ત્યારબાદ તે સૂર્યાભ નામના દેવવિવમાનમાં સૂર્યાભદેવ રૂપે જન્મ્યા. ત્યારબાદ મહાવિદેહક્ષેત્રમાં દ્દઢ પ્રતિજ્ઞરૂપે અવતરશે. સંયમ લઇ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામશે. જ્યારે સૂર્યકાંતા દુર્ગતિમાં જાય છે.
107
Page #132
--------------------------------------------------------------------------
________________
- નિયાવલિકા સૂત્રઃઉપાંગ આગમ સાહિત્ય વિશે મુનિ શ્રી કન્ડેયાલાલજી કહે છે કે,
“પપાતિક સૂત્રમાં ભગવાન મહાવીરની વિશેષ ઉપદેશ વિધિનું નિરૂપણ છે. ગૌતમ ઇન્દ્રભૂતિના પ્રશ્નો અને મહાવીરના ઉત્તરોમાં જે સંવાદતત્વ વિકસેલ છે, તે કેટલીય કથાઓ માટે આધાર બને છે. નગરવર્ણન, શરીરવર્ણન વગેરેમાં આલંકારિક ભાષા તથા શૈલીનો પ્રયોગ આ ગ્રંથમાં છે.”
“રાજપ્રશ્નીય સૂત્રમાં રાજાપ્રદેશી અને કેશીકમણની વચ્ચે થયેલ સંવાદ વિશેષ મહત્વનો છે. આમાં કેટલાક કથાસૂત્રો વિદ્યમાન છે. આ પ્રસંગમાં ધાતુના વ્યાપારીઓની કથા મનોરંજક છે. ”
નિરયાવલિયા તેમજ કપ્પિયા વગેરે સૂત્રોમાં રાજા શ્રેણિક, રાણી ચેલ્લણા, રાજકુમાર કૃણિકની કથા વિસ્તારપૂર્વક આપેલી છે. આમાં સોમિલ બ્રાહ્મણ અને સાર્થવાહ-પત્ની સુભદ્રાની બે સ્વતંત્ર કથાઓ પણ છે. વધુ સંતાનની ઈચ્છા અને તેનાથી થનારા દુઃખને આ કથામાં રેખાંકિત કરવામાં આવ્યું છે.”
પુષ્પિકા ઉપાંગમાં પોતાના સિધ્ધાંતનું મહત્ત્વ પ્રતિપાદિત કરતી કથાઓ છે. આમાં કુતૂહલ તત્વની પ્રધાનતા છે.
પુષ્પચૂલામાં દશ દેવીઓનું વર્ણન છે તેમાં પૂર્વભવનું પણ વર્ણન છે.
વૃષ્ણિદશામાં કૃષ્ણ કથાનું વિસ્તરણ છે. જેમાં નિષધકુમારની કથા આકર્ષક છે. શ્રી નિરયાવલિકાદિ પાંચ ઉપાંગ સૂત્રો વિશે ગુણવંતરાય બરવાળિયા કહે છે કે,
“શ્રેણિક રાજા, બહુપુત્રિકાદેવી, લક્ષ્મીદેવી, બળદેવ વગેરે બાવન આત્માઓના પૂર્વ પચ્ચા ભવના કથન દ્વારા કર્મ સિધ્ધાંત તથા સંસારના ઋણાનુબંધ સંબંધની વિચિત્રતાનો બોધ થાય છે.
ભગવાન મહાવીરના સમયમાં રાજાઓ કેવા પ્રકારના હતા, રાજશૈલી કેવા પ્રકારની હતી, ભરપૂર ભોગ સૂત્રો વચ્ચે પણ આ રાજાઓ ભગવાનના સંપર્કમાં આવીને પૂર્ણપણે યોગી પુરુષની દશામાં કેવી રીતે આવતાં હતા, તેનું વર્ણન આ નિરિયાવલિકા સૂત્રમાં આપવામાં આવ્યું છે.
આ સૂત્રમાં આપણી ઇચ્છાઓ આપણા માટે કેવી રીતે દુઃખકારક બને છે તે બહુપુત્રિકાની વાર્તા દ્વારા મળે છે. ભગવાન મહાવીરના આ પાંચ આગમો ઉત્તમપણે આપણી આંતરિક મનોવૃત્તિઓના દર્શન કરાવે છે. જેમને માનવીય સાયકોલોજી
108
Page #133
--------------------------------------------------------------------------
________________
જાણવામાં રસ છે તેમને માટે આ પાંચ આગમમાંથી અત્યંત ઉપયોગી દષ્ટિબિંદુ પ્રાપ્ત થતા હોય છે. આ પાંચ આગમમાં મનની અડગતા, સ્થિરતા અને મનની ચંચલતા, મનની વિચિત્રતા આ બધી જ દશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવા પ્રકારની માનસિકતામાં વ્યક્તિ દુઃખી થાય છે, સુખ દુઃખના કારણમાં મન કેવો ભાગ ભજવે છે તેનું વિશેષ વર્ણન આ નિરયાવલિકા સૂત્રમાં આવે છે. જેમને મનોવૈજ્ઞાનિક વિષયમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવું હોય તેમને માટે આ પાંચ આગમો કથારૂપે અને સાહિત્યરૂપે મનોવિજ્ઞાનના દૃષ્ટિબિંદુને ઉજાગર કરે છે. આમ આ પાંચ આગમો મનોવિજ્ઞાનને જાણવા ઉત્સુક સાધકો માટે ઉપકારક બની રહે છે.”
કોઇપણ ધર્મનું સ્વરૂપ જાણવું હોય તો એના સાહિત્યનો અભ્યાસ કરવો જોઇએ. જેથી એ ધર્મનું સંપૂર્ણ ચિત્ર પ્રાપ્ત થઈ શકે. એ ન્યાયે જૈન દર્શનની જાણકારી માટે આગમ સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. એ આગમ સાહિત્યમાંથી વર્તમાને પ્રચલિત ૧૨ ઊપાંગોમાંથી અહીં આઠમું ઉપાંગ નિયાવલિકાનું વિવેચન પ્રસ્તુત છે. નિયાવલિકા ઉપાંગ વિશે ડૉ.પાર્વતી નેણશી ખીરાણી કહે છે કે,
“માતાના ચરણસ્પર્શ કરવા જવાના નિમિત્તે કોણિકની ચિંતનદશામાં પરિવર્તન આવી ગયું. અતિલોભનું પરિણામ શૂન્યમાં આવે છે. “ન હાર મળ્યો ન હાથી અને ભાઇ હણાયા દસ સાથી” ઈર્ષ્યા કે મોહથી મુક્ત સ્ત્રીઓના તુચ્છ હઠાગ્રહથી માણસનું પતન થાય છે.
યુધ્ધમાં પ્રાય: આત્મ પરિણામો દૂર હોય છે. તેથી તે અવસ્થામાં મરનારા પ્રાય: નરકગતિમાં જાય છે. ભૌતિક ક્ષણભંગુર વસ્તુઓની તીવ્રતમ મૂચ્છ સ્વ-પરના જીવનમાં કેવું ભયંકર નુકસાન કરે છે તે પ્રસ્તુત કથાનકથી જાણી શકાય છે." સૂત્ર પરિચય:- નિરયાવલિકા સૂત્ર નિરય-આવલિકા એમ બે શબ્દથી બનેલું છે. નિય એટલે નરક અને આવલિકા એટલે પંક્તિબધ્ધ. જે આગમમાં નરકમાં જવાવાળા જીવોનું પંક્તિબધ્ધ વર્ણન છે તે નિયાવલિકા છે.
આ આગમનો રચનાકાળ ભગવાન મહાવીર પછી અને આચાર્ય શ્રી ભદ્રબાહુના સમયની પૂર્વેનો હોવાનો સંભવ છે. આ આગમની ભાષા અર્ધમાગધી છે. આ સૂત્ર ગદ્યશૈલીમાં છે. ૧૧૦૯ શ્લોક પ્રમાણ છે. ૭ર ગદ્યાં છે. જેમાં પાંચ વર્ગના બાવન અધ્યયન છે.* કથા સારાંશ - આ આગમમાં નરકમાં જનારા જીવોનું ક્રમશ વર્ણન છે. પ્રાચીન મગધના ઇતિહાસને જાણવા માટે આ વર્ગ ઘણો જ ઉપયોગી છે. તેમાં સમ્રાટ શ્રેણિકના રાજ્ય કાલનું વર્ણન છે. સમ્રાટ શ્રેણિકનું જૈન અને બૌધ્ધ બંને
109
Page #134
--------------------------------------------------------------------------
________________
પરંપરાઓમાં અનુક્રમે શ્રેણિક ભિંભિસાર અને શ્રેણિક બિંબિસાર નામ મળે છે. જેના દષ્ટિએ શ્રેણીઓની સ્થાપના કરવાના કારણે તેનું નામ શ્રેણિક પડ્યું. આ આગમમાં દસ અધ્યયન છે, તેમાં નરકગામી દસ જીવોનું વર્ણન છે. જેનો સાર નીચે મુજબ છે. શ્રેણિક રાજાના પુત્રો (૧)કાલ, (ર)સુકાલ, (૩)મહાકાલ, (૪)કૃષ્ણ, (૫)સુકૃષ્ણ, (૬)મહાકૃષ્ણ, (૭)વીરકૃષ્ણ, (૮)રામકૃષ્ણ, (૯)પ્રિયસેનકૃષ્ણ, (૧૦)મહાસેનકૃષ્ણ.
શ્રેણિક અને ચેલ્લણા રાણીનો પુત્ર કોણિક આ ભાઇઓની મદદથી શ્રેણિકને જેલમાં પૂરી ગાદીએ બેસે છે. આવી દશાથી ઉદાસીન રાણી ચેલ્લણાએ એકદા કોણિક સમક્ષ તેના જન્મ પ્રસંગનું સાવંત વર્ણન કર્યું. જેમ કે કોણિક ગર્ભમાં હતો ત્યારે માતાને રાજાના કાળજાનું માંસ ખાવાનો દોહદ થયો. તેથી ગર્ભનાશ કરવાના ઉપાયો કર્યા. પરંતુ તે નિષ્ફળ જતા જન્મતાં જ તેને અશોકવાટિકામાં જઈને એકાંત સ્થાનમાં ઉકરડા પર ફેંકાવી દીધો. રાજાને ખબર પડતા દુર્ગછા કર્યા વગર તેને ઉકરડામાંથી લાવી કુકડાએ કરડેલી આંગળી પોતાના મુખમાં લઈ પિતૃ-વાત્સલ્ય ભાવે તેની વેદના શાંત કરી. કુકડાએ આંગળી કરડી ખાવાથી તે સંકુચિત થઇ જતાં તેનું ગુણનિષ્પન્ન નામ કૂણિક રાખવામાં આવ્યું.
આ વર્ણનથી કોણિકનું અંતર દ્રવિત થયું. પાશ્ચાતાપપૂર્વક પોતાના પરમ ઉપકારક પિતાને મુક્ત કરવા તે સ્વયં કુહાડી લઈને શ્રેણિક પાસે ગયા. શ્રેણિકે પોતાની પાસે તેને આવતા જોઇને પોતાના પુત્રને પિતૃહત્યાના દોષમાંથી બચાવવા પોતાની અંગૂઠીમાં રહેલ તાલપુર ઝેર ચૂસીને મરણને શરણ થયા.
આ ઘટનાથી શોકમગ્ન કોણિક મનની શાંતિ માટે રાજગૃહી નગરી છોડી ચંપાનગરીમાં રહેવા સપરિવાર ચાલ્યા ગયા. ત્યાર પછી રાજ્યના અગિયાર ભાગ કરી ભાઇઓમાં વહેંચી લીધા. પરંતુ કર્મની ગતિ ન્યારી છે. કોણિકની રાણી પદ્માવતીની કાન ભંભેરણીથી પોતાના ભાઈ વિહલ્લ પાસેથી પિતાઓ આપેલ દિવ્ય હાર અને સચેનક ગંધ હાથી મેળવવા ભયંકર યુધ્ધ કર્યું. એમાં દસે કુમારો માર્યા ગયા અને નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી વૈરાગ્યવાસિત બની, દીક્ષા લઈ ઉત્કૃષ્ટ ચારિત્ર ધર્મ પાળશે અને નિર્વાણ પામી સિધ્ધ, બુધ્ધ અને મુક્ત થશે. એ દસે કુમારોનું વર્ણન નિરયાવલિકા આગમ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
શ્રી પૂષ્ફચૂલિયા-પૂ૫ચૂલિકા સૂત્ર તીર્થકરોએ આપેલું જ્ઞાન આગમ કહેવાય છે. ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરી સર્વજ્ઞ-સર્વદર્શી થયા પછી મોક્ષ અને મોક્ષના
110.
Page #135
--------------------------------------------------------------------------
________________
હેતુનું રહસ્ય સમજાવ્યું છે. અગિયારમું ઉપાંગ પૂચિલા-પૂષ્પચૂલિકા છે. આ સૂત્ર વિશે ડૉ. પાર્વતી નેણશી ખીરાણી કહે છે કે,
“આ સૂત્રમાં પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં “પૂષ્પચૂલા” નામની પ્રવર્તિની સાધ્વીજી પાસે દીક્ષિત દસ સ્ત્રીઓનું કથાનક છે. તેથી આ સૂત્રનું નામ “પૂષ્પચૂલિકા” છે. આ સૂત્ર ગદ્ય શૈલીમાં છે. ૨૩ ગદ્યાશ છે.” વિષય વસ્તુ - આ ઉપાંગના પણ દસ અધ્યયન છે. આ દસ અધ્યયનોના નામ આ પ્રમાણે છે. ૧.શ્રીદેવી, ર.દેવી, ૩. ધૃતિદેવી, ૪. કીર્તિદેવી, પ.બુદ્ધિદેવી, ૬.લક્ષ્મીદેવી, ૭. ઇલાદેવી, ૮.સુરાદેવી, ૯.રસદેવી, ૧૦.ગન્ધદેવી, આ દસે અધ્યયનમાં વર્ણિત દેવીઓ સૌધર્મ કલ્પમાં પોતપોતાના નામના અનુરૂપ વિમાનોમાં ઉત્પન્ન થઈ હતી. એમણે રાજગૃહી નગરીમાં સમોસરણમાં બિરાજીત ભગવાન મહાવીરને જોયા. પૂર્વ સંસ્કારને વશ પ્રભુ પ્રત્યે ભક્તિ ભાવ દર્શાવવા ત્યાં આવીને નૃત્ય આદિ પ્રદર્શિત કરીને સ્વસ્થાને પ્રસ્થાન કર્યું. એમના ગયા પછી ગણધર પ્રભુ ગૌતમ સ્વામીએ જિજ્ઞાસા વ્યક્ત કરી. ત્યારે ભગવાને એમના પૂર્વ ભવનું કથન કર્યું કે આ દસે દેવીઓ ભગવાન પાર્શ્વનાથના શાસનમાં પૂષ્પચૂલિકા આર્યા પાસે દીક્ષિત થઈ હતી. કાલાંતરે બધી દેવીઓ શરીર બકુશિકા થઈ ગઈ. મહાસતીજી પૂષ્પચૂલિકા આર્યાએ એમને સમજાવ્યું છે. જે આ શ્રમણાચારને યોગ્ય નથી. છતાં તેઓ માની નહિ અને ઉપાશ્રયથી નીકળીને નિરંકુશ રોકટોક રહિત સ્વચ્છંદ મતિ થઈને વારંવાર હાથપગ ધોવા, શરીરની વિભૂષા કરવી, વગેરે કરવા લાગી, કાયાની માયામાં ફસાઈને પોતાના દોષોની આલોચના ન કરવાના કારણે સંયમ વિરાધક બનીને પ્રથમ દેવલોકમાં દેવીઓ તરીકે ઉત્પન્ન થઈ. ત્યાં એક પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. સંયમ તપની શુદ્ધ આરાધના કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
ઐતિહાસિક રીતે વિચારતાં આ ઉપાંગ અત્યંત અધિક મહત્ત્વનું છે. વર્તમાને ભગવાન મહાવીરના શાસનની સાધ્વીઓનો ઇતિહાસ મેળવવામાં કઠિનતા પ્રાપ્ત થાય છે. ત્યારે આ ઉપાંગમાં તો ભગવાન પાર્શ્વનાથના શાસનની સાધ્વીઓનું વર્ણન જોવા મળે છે. ઉપસંહારઃ- આજે જ્યારે સ્ત્રી સમોવડીની વાતો થાય છે. ત્યારે આ સૂત્રના અધ્યયનથી ખ્યાલ આવે છે કે જેનદર્શનમાં સમગ્ર વ્યવહારમાં સ્ત્રી જાતિને સમાન હક હતો. જૈન આગમોમાં મુક્તિ પર્વતની સર્વ યોગ્યતા જણાવીને સ્ત્રી જાતિને પણ સરખું મહત્ત્વ આપ્યું છે. અનેક સૂત્રોમાં સાધ્વીજીઓના જીવન વર્ણન છે એ જ એનો
111
Page #136
--------------------------------------------------------------------------
________________
પુરાવો છે.
આ ધર્મકથાથી જણાય છે કે ચારિત્રના વિરાધક સાધકો પણ જો શ્રદ્ધામાં દેઢ હોય તો તે વિરાધક થવા છતાં અનંત સંસાર પ્રરિભ્રમણ કરતા નથી. ચારિત્રની વિરાધનાને પરિણામે તે નિમ્ન જાતિના દેવ-દેવી તરીકે જન્મ ધારણ કરે છે. પરંતુ ફરી મનુષ્ય જન્મ ધારણ કરી આરાધના કરીને સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી શકે છે.
સાવધાન રહેનાર સંયમી સાધક પોતાના આત્માની અધોગતિથી સુરક્ષા કરી અંતે સદ્ગતિ પ્રાપ્ત કરી શકે છે.
આ વર્ગના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે લોકમાં લક્ષ્મી, સરસ્વતી, આદિ દેવીઓની પ્રતિષ્ઠા અને જિનમંદિરોમાં મણિભદ્ર, પૂર્ણભદ્ર દેવોની પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે એક પ્રકારની ભક્તિનું દર્શન હશે પરંતુ તે સર્વ ભૌતિક સુખની અપેક્ષાએ થાય છે. વીતરાગ ધર્મ તો લૌક્કિ આશાથી પર રહીને માત્ર આત્મસાધના કરવાનો ઉપદેશ આપે છે.
-:શ્રી કલ્પવડિસિયાઃ
સમસ્ત બ્રહ્માંડ અર્થાત સંપૂર્ણ લોકનું સ્વરૂપ જાણવું તેમજ વસ્તુ તત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન મેળવવાના વિષયમાં ભારતીય દર્શનમાં સામાન્યતઃ ૮ પ્રમાણ દર્શાવ્યા છે. તેમાનું એક પ્રમાણ આગમ છે. અને તેમાનું એક આગમ શ્રી કપ્પવર્ડિસિયા સૂત્ર છે. શ્રી કપ્પવર્ડિસિયા આગમ વિશે ડૉ.પાર્વતી નેણશી ખીરાણી કહે છે કે,
કલ્પ એટલે કલ્પ અને વિડૈિસિયા એટલે વસવું તે. કલ્પ શબ્દનો પ્રયોગ સૌધર્મથી અચ્યુત સુધીના બાર દેવલોક માટે પ્રયુક્ત થયો છે. જે જીવો મનુષ્ય ભવમાં તપ-સંયમની આરાધના કરી કલ્પ દેવલોકમાં ઊપજે છે તેમનો અધિકાર આ આગમમાં છે. તેથી તેનું નામ કલ્પવર્ડિસિયા રાખ્યું છે. આ આગમ અર્ધમાગધી ભાષામાં રચાયું છે. આ આગમમાં શ્રેણિકરાજાના દસ પૌત્રોના કથાવર્ણન છે. ગદ્યશૈલીમાં દસ અધ્યયનમાં પંદર ગદ્યાંશમાં જ સંપૂર્ણ ઉપાંગ રચાયું છે.’’
૨૮
વિષય વસ્તુઃ- આ શ્રી અનુત્તરોપપાતિક દશાંગ સૂત્રનું ઉપાંગ છે. આ ઉપાંગમાં દસ અધ્યયન છે. તેના નામ આ પ્રમાણે છે. પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિનીગુલ્મ, આનંદ અને નંદન, આ દસેય શ્રેણિકરાજાના પૌત્રો હતા. જેઓએ પ્રભુ મહાવીરનો ઉપદેશ સાંભળી વૈરાગ્યવાસિત થઇ દીક્ષા અંગીકાર કરી પાંચ વર્ષ સુધી શ્રમણ ધર્મ પાળ્યો. ૧૧ અંગસૂત્રનું અધ્યયન કરી ઉત્કૃષ્ટ તપ કર્યું. અંતમાં એક માસનો સંથારો કરી કાળ પ્રાપ્ત થતાં સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન
112
Page #137
--------------------------------------------------------------------------
________________
થયા. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ સંયમ અંગીકાર કરી સિધ્ધ થઇને સર્વ દુઃખોનો અંત કરશે. આ જ પ્રમાણે બાકીના નવ કુમારોનું વર્ણન છે. ઉપસંહાર:- એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મ અનુસાર ગતિ થાય છે. પિતા અને પુત્રો નરકમાં, માતા મોક્ષમાં, પૌત્રો સ્વર્ગમાં ગયા છે. તે સર્વ જીવોને પુણ્ય યોગે ભૌતિક સામગ્રી સમાન મળી હતી પણ પ્રાપ્ત સામગ્રીને કોઈકે ત્યાગી, કોઇક તેમાં આસક્ત બન્યા, કોઈકે તેના જ નિમિત્તે ઈર્ષા, વેરઝેર, ક્રોધાધિ ભાવો કર્યા અને તે પોત પોતાના ભાવાનુસાર ભિન્ન ભિન્ન ગતિને પામ્યા.
આમ પુણ્યના ઉદયે સામગ્રી મળ્યા પછી જે ત્યાગ કરે છે અને આત્મ સાધનામાં જીવન પસાર કરે છે તે આત્માઓ દેવાદિ સુગતિને પામે છે, સંપૂર્ણતયા અનાસક્ત બનતા સિધ્ધગતિને પ્રાપ્ત કરે છે.
જે ધન સંપત્તિ, પરિવારાદિમાં આસક્ત રહે, તેના કારણે ક્રોધ, લોભ આદિ કષાય કરે છે તેઓ મનુષ્યભવ વ્યર્થ ગુમાવી, અનંત કર્મોનો ભાર લઈને નરક, તિર્યંચ ગતિના મહેમાન બની દુ:ખો ભોગવે છે.
શ્રી પુષ્ટ્રિયા-પુષિકાસૂત્ર જૈન ધર્મના-દર્શનના મૂળ સ્રોત ગ્રંથોમાં આગમોની ગણના થાય છે. આ જિન આગમો અગાધ સાગર જેવા છે. જે જ્ઞાન વડે ગંભીર, સુંદર પદોરૂપી ઝરણાના સમૂહથી બનેલી સૂત્રોરૂપી નદીઓનો સંગમ છે. તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આદિ રત્નોથી ભરપૂર છે. વર્તમાને પ્રચલિત બાર ઉપાંગોમાંથી દસમું ઉપાંગ “પુષ્ક્રિયાપુષ્પિકા” પણ આમાનું એક છે. ડૉ.પાર્વતી નેણશી ખેરાણીના અનુમાન મુજબ, - “નિરયાવલિકા અને કલ્પાવંતસિકામાં કેવળ શ્રેણિક રાજાના પારિવારિક જનોનું જીવન વૃતાંત છે. પરંતુ આ ઉપાંગ આગમમાં દસ વ્યક્તિઓના દસ અધ્યયનો છે. તેઓમાં પરસ્પર સાંસારિક કોઈ સંબંધ નથી. તે સર્વે વિખરાયેલા ફૂલની જેમ જુદા જુદા હોવાથી આ આગમનું નામ “પુષ્પિકા” છે. જેનું પ્રાકૃત નામ “પુસ્ફિયા” છે. આ આગમમાં ૯૪ ગદ્યાશ છે. શૈલી ગદ્ય છે. આ સૂત્ર પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું ઉપાંગ સૂત્ર
છે. ૨૯
આ આગમની શૈલી પ્રશ્નોતરી રૂપે છે. ભગવાન મહાવીરના મુખેથી ગૌતમસ્વામીના પ્રશ્નોના ઉત્તર રૂપે બધી કથાઓનો ભાવ પ્રવાહિત થયો છે. તેઓનો સંવાદ કેટલો મધુર અને સહજ છે તેનો અનુભવ થાય છે. તે સમયની ધર્મકથાઓ
113
Page #138
--------------------------------------------------------------------------
________________
કહેવાની શૈલી પણ મન પર અંકિત થાય તેવી છે. વિષયવસ્તુ - આ ઉપાંગ સૂત્રમાં દસ અધ્યયનો છે. જેમ કે- ચંદ્ર, સૂર્ય, શુક, બહુપુત્રિક, પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શિવ, બલ, અનાદત્ત. આ દસે જીવો પૂર્વભવમાં ભગવાન પાર્શ્વનાથના શાસનમાં ધર્મનો બોધ પામ્યા હતા. તેઓનો વર્તમાન ભવ દેવરૂપે વર્ણિત છે. અને ભવિષ્યમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. આ દસે અધ્યયનમાં ચન્દ્ર, સૂર્ય, શુક આદિ દેવ ભગવાન મહાવીરના દર્શનાર્થે આવે છે અને વિવિધ નાટક બતાવી પાછા પોતાના સ્થાને જતા રહે છે. ત્યારે ગણધર પ્રભુ ગૌતમસ્વામી દ્વારા આ દેવોની દિવ્યદેવ રિધ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થવાનું કારણ પૂછવાથી ભગવાન મહાવીરે એમના પૂર્વ ભવોનું કથન કર્યું છે.
પ્રથમ બે અધ્યયનમાં ક્રમશઃ ચંદ્રદેવ, સૂર્યદેવના પૂર્વ ભવનું નિરૂપણ છે. ત્રીજા અધ્યયનમાં શુક્ર મહાગ્રહના પૂર્વભવનું વર્ણન છે.
ચોથા અધ્યયનમાં બહુપુત્રિકા દેવીના પૂર્વ-પ્રશ્ચાદ્દ ભવની વિટંબણાઓથી ભરેલી વિચિત્ર કથા છે. આ કથામાં સાંસારિક મોહ-મમતા કેવા પ્રકારની હોય તેનું આલેખન કર્યું છે. કથાના માધ્યમથી પુર્નજન્મ અને કર્મફળના સિધ્ધાંતને પણ પ્રતિપાદિત કર્યા છે. બાકીના છ અધ્યયનોમાં પૂર્ણભદ્ર આદિનું પૂર્વભવ સહિત વર્ણન
ઉપસંહાર:- આ ઉપાંગની વિશિષ્ટતા એ છે કે ઉન્માર્ગે જતા શ્રાવક-સાધુ ભગવંતોને દેવો પ્રેરણા આપી પાછા સંયમ સ્થાનમાં સ્થિર કરે છે. દેવો પણ પ્રભુના શાસનની રક્ષા કરે છે. અહીં કુતૂહલની પ્રધાનતા છે. સાંસારિક મોહ-મમતાનું સફળ ચિત્રણ થયું છે. પુર્નજન્મ અને કર્મફળના સિધ્ધાંતોનું સચોટ નિરૂપણ થયું છે. સાધના સાધી સંયમ આરાધનાથી કોઈને પણ ચંદ્ર, શુક કે સૂર્યદેવ જેવી ઉચ્ચ પદવી પ્રાપ્ત થઈ શકે છે.
ધર્મ અને ત્યાગ એ જ સંસારના પ્રપંચથી મુક્ત કરી શકે છે. એમ જાણી પ્રત્યેક સુખે છુએ ત્યાગ અને સંયમરૂપ ધર્મના માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ. ઈચ્છાઓ પર કાબૂ મૂકી આત્મ કલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવો જોઇએ, એ જ આગમજ્ઞાન શ્રધ્ધાનો સાર છે.
- વન્ડિદશા(વૃષ્ણિદશા) સૂત્ર - તીર્થકરની જગત હિતકારિણી વાણીને એમનાં જ સંપન્ન વિદ્વાન ગણધરોએ સંકલિત કરીને આગમ કે શાસ્ત્રનું રૂપ આપ્યું છે. અર્થાત જિન વચનરૂપ ફૂલોની મુક્ત વૃષ્ટિ જ્યારે માળારૂપે ગૂંથાય છે ત્યારે તે આગમનું રૂપ ધારણ કરે છે. એ આગમ
114
Page #139
--------------------------------------------------------------------------
________________
આપણને શાશ્વત સુખનો અનુભવ કરાવે છે. એવા શ્રેષ્ઠ આગમોમાંથી એક છે વૃષ્ણિદશા નામનું બારમું ઉપાંગ. શ્રી વન્ડિદશા-વૃષ્ણિદશા સૂત્ર વિશે ડૉ.પાર્વતી નેણશી ખીરાણી કહે છે કે,
“આ સૂત્રમાં બાળસહજ કુતૂહલ અને જિજ્ઞાસાથી નિખાલસતા પૂર્વક શિષ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ગુરુભગવંતે કથા શૈલીમાં ઉત્તર આપ્યા છે. ગદ્યશૈલીમાં રચાયેલા આ આગમમાં ર૯ ગદ્યાંશ છે. નંદીચૂર્ણિ અનુસાર પ્રસ્તુત ઉપાંગનુ નામ અંધક વૃષ્ણીદશા હતુ. પરંતુ પાછળથી તેમાંથી “અંધક” શબ્દ લુપ્ત થઈ ગયો. માત્ર વિષ્ણુદશા જ બાકી રહ્યું. આ ઉપાંગમાં વૃષ્ણિવંશીય બાર રાજકુમારોનું વર્ણન આપેલું છે.”°
વિષયવસ્તુ :- આ ઉપાંગમાં બાર અધ્યયનો છે તેના નામ : ૧.નિષધકુમાર ર.માતલી કુમાર ૩.વહકુમાર ૪.વહેકુમાર પ.પ્રગતિકુમાર ૬. જ્યોતિકુમાર ૭.દશરથકુમાર ૮.દઢરથકુમાર ૯.મહાધન કુમાર ૧૦.સતધનકુમાર ૧૧.દશધનુકુમાર ૧૨.શતધનુકુમાર
પ્રથમ અધ્યયનનું વર્ણન - બળદેવ રાજા અને રેવતી રાણીના નિષધકુમાર પચાસ કન્યાઓ સાથે લગ્ન કરીને સુખપૂર્વક રહેતા હતા. એકદા દ્વારકા નગરીમાં પધારેલ અરિહત અરિષ્ટનેમિ ભગવાનની દેશના સાંભળીને શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. નિષધકુમારના દિવ્યરૂપ સંબંધી ગણધર વરદત્તે પ્રશ્ન પૂછતાં ભગવંતે એના પૂર્વભવનું વર્ણન કર્યું.
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રોહતક નગરમાં મહાબલ રાજા અને પદ્માવતી રાણીનો વીરાંગંદ નામે પુત્ર હતો. યુવાવસ્થામાં મનુષ્ય સંબંધી ભોગો ભોગવતો હતો. એક વાર સિદ્ધાર્થ આચાર્યનો ઉપદેશ સાંભળી દીક્ષા અંગીકાર કરીને ૧૧ અંગનો અભ્યાસ અને અનેક તપશ્ચર્યા કરી ૪પ વર્ષનો શ્રમણ પર્યાય પાળી દ્વિમાસિક અનશન કરી ત્યાંથી કાળ કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી આવીને નિષધકુમાર તરીકે અહીં અવતર્યો.
બારવ્રત ધારી નિષધકુમારને એકદા પૌષધવ્રતમાં ધર્મ જાગરણ કરતી વખતે સંયમના ભાવ જાગ્યા. તેથી ભગવાન પધાર્યા ત્યારે તેમણે સંયમ અંગીકાર કર્યો. ૧૧ અંગનો અભ્યાસ અને વિવિધ તપશ્ચર્યા કરી. ૯ વર્ષનો સંયમ પર્યાય પાળીને ર૧ દિવસનો સંથારો કરીને કાળ કરી સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં મનુષ્યનો જન્મ લઈને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
આ જ પ્રમાણે બાકીના ૨૧ રાજકુમારોના અધ્યયનનું વર્ણન છે.
115
Page #140
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર:- વૃષ્ણિદશા ઉપાંગમાં કથાતત્ત્વની અપેક્ષાએ પૌરાણિક તત્ત્વનું પ્રાધાન્ય છે. અહીં જેનું વર્ણન કરાયું છે એવા યદુવંશી રાજાની તુલના શ્રીમદ્ ભાગવતમાં આવેલ “યદુવંશીય ચારિત્ર” સાથે કરવામાં આવે છે. હરિવંશ પુરાણના નિર્માણનું બીજ પણ અહીં વિદ્યમાન છે. નિરયાપાલિકા આદિ પાંચ અંગોનો ઉપસંહાર - આ પાંચ વર્ગાત્મક ઉપાંગ સૂત્રમાં પહેલા નરકનું વર્ણન ત્યાર પછી દેવલોકનું વર્ણન, ત્યાર પછી જ્યોતિષ્ક દેવોનું વર્ણન, ત્યાર પછી પ્રથમ વૈમાનિક દેવલોકમાં દેવીઓને ઉત્પન્ન થવાનું વર્ણન અને અંતે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન આવે છે. આ રીતે કર્મના ભારથી ભરેલો જીવ અધોગતિવાળો હોય તેથી અધોલોકથી ઊદ્ગલોક સુધીનું વર્ણન કરતા સૂત્રકારે પ્રથમ પાપની પંક્તિ દર્શાવી, ત્યાર પછી પુણ્યની પંક્તિ દર્શાવી છે.
નંદિસૂત્રની કથાઓ આગમ મનીષી ત્રિલોકમુનિ નંદિસૂત્રની કથાઓનું વિવિધ પ્રકારે વર્ણન કરે છે જે નીચે મુજબ છે." નંદિસૂત્રની કથાઓ:
ત્પાતિક બુદ્ધિનું લક્ષણ અને તેના દૃષ્ટાંતો:- જે વ્યકિત કોઇપણ મૂંઝવણનો ઉકેલ અને ગંભીર પ્રશ્નનું સમાધાન તત્કાળ કરી દે તે ઔત્પાતિકી બુધ્ધિવાળો કહેવાય છે. આ બુધ્ધિથી અશક્ય કે દુઃશક્ય લાગતાં કાર્યો પણ ઝડપથી સફળ થઈ જાય છે.
પ્રસ્તુત આગમમાં ભરત-શિલા શબ્દથી ચૌદ કથાઓ છે અને પછી બીજી છવ્વીસ કથાઓ છે.
આમ, ઔત્પાતિક બુદ્ધિની કુલ ૪૦ કથાઓ છે. ભરત-શિલ:- (૧)ભરત (ર)શિલા (૩)ઘેટું (૪)કૂકડો (૫)તલ (૬)રેતી (૭)હાથી (૮)કૂવો (૯)વનખંડ (૧૦) ખીર (૧૧)અતિગ (૧૨)પાંદડા (૧૩)ખિસકોલી (૧૪)પાંચ પિતા. બીજી છવ્વીસ કથાઓ:- (૧)કાકડી(પ્રતિજ્ઞા, શરત) (૨)વૃક્ષ (૩)વીંટી (૪)વસ્ત્ર (૫)કાકીડો (૬)કાગડા (૭)શૌચ (૮)હાથી (૯)ભાંડ (૧૦)ગોળી (૧૧)થાંભલો (૧૨)પરિવ્રાજક (૧૩)માર્ગ (૧૪)સ્ત્રી (૧૫)પતિ (૧૬)પુત્ર (૧૭)મધુ છત્ર (૧૮)મુદ્રાઓ (૧૯)વાંસળી (૨૦)પૈસાની થેલી (૨૧)ભિક્ષુ (૨૨)ચેટકનિધાન (૨૩)શિક્ષા-ધનુર્વેદ
116
Page #141
--------------------------------------------------------------------------
________________
(૨૪)અર્થશાસ્ત્ર(નિશાન) (૨૫)ઇચ્છામુજબ (૨૬)શતસહસ્ર (લાખ). આ ઔત્પાતિક બુધ્ધિના દૃષ્ટાંતો છે.
વૈનયિકી બુધ્ધિનું લક્ષણ અને ઢષ્ટાંતો:- વિનયથી ઉત્પન્ન થયેલી બુધ્ધિ કાર્યભારના નિસ્તરણ અર્થાત વહન કરવામાં સમર્થ હોય છે. તેનાં ઉદાહરણના નામ આ પ્રમાણે છે.
(૧)નિમિત્ત (૨)અર્થશાસ્ત્ર (૩)લેખ (૪)ગણિત (૫)કૂવો (૬)અશ્વ (૭)ગધેડો (૮)લક્ષણ (૯)ગ્રંથિ (૧૦)અગડ, કૂવો (૧૧)રથિક (૧૨)ગણિકા (૧૩)શીતાશમી ભીનું ધોતિયું (૧૪)નીોદક (૧૫)બળદોની ચોરી, અશ્વનું મરણ, વૃક્ષથી પડવું એ ઐનિયકી બુધ્ધિના ઉદાહરણ છે.
કર્મની બુધ્ધિનું લક્ષણ અને તેના દ્દષ્ટાંતો:- ઉપયોગથી જેનો સાર જાણી શકાય છે અભ્યાસ અને વિચારથી જે વિસ્તૃત બને છે અને જેનાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે અથવા પ્રશંસા પ્રાપ્ત થાય છે તે કર્મની બુધ્ધિ કહેવાય છે. કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થયેલી બુધ્ધિના ઉદાહરણ આ પ્રમાણે છે.
(૧)સુવર્ણકાર (૨)કિસાન (૩)વણકર (૪)દવીકાર (૫)મોતી (૬)ઘી (૭)નટ (૮)દરજી (૯)સુથાર (૧૦)કંદોઇ (૧૧)ઘડો (૧૨)ચિત્રકાર આ બાર કર્મની બુધ્ધિના દૈષ્ટાંતો છે. પારિણામિકી બુધ્ધિનું લક્ષણ અને દષ્ટાંતો:- અનુમાન, હેતુ અને દૃષ્ટાંતથી કાર્યને સિધ્ધ કરનારી, ઉંમર પરિપકવ થવા પર પ્રાપ્ત થનારી આત્મહિતકારી તથા મોક્ષફળને પ્રદાન કરનારી બુધ્ધિ પારિણામિકી બુધ્ધિ કહેવાય છે. તેના એકવીસ ઉદાહરણોના નામ આ પ્રમાણે છે.
(૧)અભયકુમાર (૨)શેઠ (૩)કુમાર (૪)દેવી (૫)ઉદિતોય રાજા (૬)સાધુ અને નંદિષણ (૭)ધનદત્ત (૮)શ્રાવક (૯)અમાત્ય (૧૦)ક્ષપક (૧૧)અમાત્ય પુત્ર (૧૨)ચાણકય (૧૩)સ્ફુલિભદ્ર (૧૪)નાસ્તિકતા સુંદરીનંદ (૧૫)વજસ્વામી (૧૬)ચરણાદત્ત (૧૭)આંબળા (૧૮)મણિ (૧૯)સર્પ (૨૦)ગેંડા (૨૧)સ્તૂપ-ભેદન આદિ.
આમ, ચાર પ્રકારની બુધ્ધિનું વર્ણન સુંદર રીતે કરેલ છે.
ધ્રુષ્ટાંતોના વર્ણનઃ
(૧)ભરતઃ- ‘‘ઉજ્જયિની નગરીની નિકટ એક નટ લોકોનું ગામ હતુ. તેમાં ભરત
117
Page #142
--------------------------------------------------------------------------
________________
નામનો એક નટ હતો. તેને રોહક નામનો દીકરો હતો. દીકરો નાનો હતો ત્યારે જ ભારતની પત્નીનું મૃત્યુ થયું. તેથી રોહકની સંભાળ માટે ભારતે બીજા લગ્ન કર્યા. રોહક બહુ બુધ્ધિમાન અને પુણ્યવાન હતો.
રોહકની અપરમાતા તેને સારું રાખતી ન હતી. એકવાર તેની માતાના કડવા શબ્દો સાંભળી રોહક બદલો લેવાનું વિચારે છે. તે સમયની રાહ જુએ છે. આ બાજુ પત્નીના ખરાબ વર્તનની રોહકના પિતા ભરતને ખબર પડી ગઈ. આથી તેણે રોહકને વધારે સમય આપે છે. ભારતના બદલાયેલા વર્તનથી તેની પત્ની રોહક સાથે પણ સારો વ્યવહાર કરવા લાગી. રોહકને અપરમાતામાં શ્રધ્ધા બેસતી નથી. આથી તે ભોજન આદિ અનેક કાર્યો પિતાની સાથે કરે છે.
એકવાર રોહક પિતાજી સાથે ઉજ્જયની નગરીમાં ગયો ત્યા નગરીનું સૌદર્ય, સમૃધ્ધિ જોઈને રોહક મુગ્ધ બની ગયો. તેણે નગરીનો નકશો પોતાના મનરૂપી કેમેરામાં ઉતારી લીધો. થોડા સમય બાદ તે નદી કિનારે રેતીથી રમતો હતો. એકાએક તેણે રેતીમાં ઉજ્જયિની નગરીનો આબેહૂબ નકશો તૈયાર કર્યો. રાજમહેલ, નગરીને ફરતો કિલ્લો, કોઠા, કાંગરા, રાજધાની વગેરે દશ્ય બહુ સુંદર ચિતર્યું. સંયોગવશ તે નગરીના રાજા તે સમયે નદી કિનારે આવ્યા. ચાલતાં ચાલતા તે આ નકશા પર ચાલવા લાગ્યા. તે જ ક્ષણે રોહકે તેમને રોકીને કહ્યું-“મહાશ! આપ આ માર્ગથી ન જાઓ. આ રાજભવન છે. એમાં કોઈ આજ્ઞા વગર પ્રવેશ ન કરી શકે.''
રાજાએ શબ્દ સાંભળતા જ કૂતુહલ પૂર્વક રોહકે બનાવેલ પોતાની નગરીનો નકશો નીરખીને જોયો. અને તેની બુધ્ધિ પર ઓવારી જાય છે. રાજા તેને મંત્રી બનાવવાનું વિચારે છે. એ પહેલાં તેની પરીક્ષા લેવાનું વિચારે છે. થોડા સમય બાદ રાજાએ રોહકની પરીક્ષા લેવાની શરૂઆત કરી. (૨)શિલાઃ- રાજાએ ગામવાસીઓને બોલાવીને કહ્યું, તમે બધા લોકો મળીને સુંદર મંડપ બનાવો, પરંતુ શરત એ છે કે ગામની બહાર મહાશીલા છે તેને ખસેડયા વિના એ જ શિલા મંડપની છત બનવી જોઇએ.
રાજાની આજ્ઞા સાંભળી ગામ લોકો તેમજ ભરત નટ પણ ચિંતામાં પડી ગયા. પરંતુ રોહકે તેનો ઉપાય કીધો. રોહકે કહ્યું, “આપ લોકો મંડપ બનાવવા માટે મહાશિલાની ચારે તરફ જમીન ખોદો જ્યાં જ્યાં જરૂર પડે ત્યા થાંભલા લગાવી દો.
118
Page #143
--------------------------------------------------------------------------
________________
પછી મધ્યભાગની જમીનને ખોદો. ત્યારબાદ ચારેય બાજુ સુંદર મજાની કોતરણી યુકત દિવાલો બનાવી દો. આ રીતે સુંદર મંડપ તૈયાર થશે.”
રોહકની વાત સાંભળી ગામવાળા ચિંતા મુક્ત થયા. રાજા પણ મંડપ તૈયાર થયેલો જોઈ પ્રસન્ન થાય છે. (૩)મિન્ટ:- રાજાએ બીજીવાર રોહકની પરીક્ષા કરવાનું વિચાર્યું. તેણે ગ્રામીણ લોકો પાસે એક ઘેટું મોકલ્યું અને કહ્યું કે આ ઘેટાંને પંદર દિવસ પછી રાજા પાસે લઈ જજો પરંતુ તેનું વજન ના વધવું જોઇએ, ન ઘટવું જોઈએ. આ સમસ્યાનો ઉકેલ પણ રોહક સુંદર રીતે લાવે છે.
રોહકે પોતાની તીક્ષ્ણ બુધ્ધિથી એવો માર્ગ કાઢ્યો કે રાજા કદાચ અનેક પખવાડિયા સુધી ઘેટાને રાખવા કહે તો પણ તેનું વજન જરા પણ ન વધે, ન ઘટે. તેણે ગામ લોકોને કહ્યું કે, ઘેટાને રોજ સારું ખવડાવો, પીવડાવો પરંતુ તેની સામે પીંજરામાં એક વાઘને રાખો. જેના ભયથી ઘેટાનું વજન વધશે નહિ. જેમ છે તેમ જ રહેશે.
આમ કરતા પંદર દિવસ સુધી ઘેટાનું વજન એક સરખુ રહ્યું. આ વખતે પણ રોહકની ચતુરાઈ જોઈ રાજા ખુશ થયા. (૪)કૂકડો:- થોડા દિવસ પછી રાજા રોહકની ઓત્પાતિકી બુદ્ધિની પરીક્ષા કરવા કૂકડો મોકલે છે. એ કૂકડાને એકલો રાખી લડાયક બનાવીને મોકલવાનું કીધું. રોહકે આ સમસ્યાનો પણ સુંદર ઉકેલ કર્યો. તેણે એક અરીસો મંગાવ્યો જેના સામે જોઈ કૂકડો તેને પ્રતિકંઠી સમજી ને ધીરે ધીરે લડવા પ્રયત્ન કરવા લાગ્યો છેવટે રાજા સમક્ષ કૂકડાને અરીસા સામે લડતો હાજર કર્યો. તે જોઇ રાજા ખુશ થયા. (૫)તિલઃ- “થોડા દિવસ બાદ રાજાએ રોહકની પરીક્ષા કરવા તલનો ઢગલો બતાવ્યો અને કહ્યું ગણ્યા વગર કહો આમાં કેટલા તલ છે?
રોહકે ગામવાસીઓને કહ્યું કે તમે રાજા પાસે જઈને કહો કે “હે રાજન! અમે ગણિતશાસ્ત્રી તો નથી છતાં આપની આજ્ઞા શિરોમાન્ય કરીને આ મહારાશિમાં તલની સંખ્યા કેટલી છે તે અમે આપને ઉપમા દ્વારા બતાવીશું. આ ઉજ્જયિની નગરીની ઉપર આકાશમાં જેટલા તારા છે એટલીક સંખ્યા આ ઢગલામાં તલની છે.”
119
Page #144
--------------------------------------------------------------------------
________________
ગામવાસી રોહકના કીધા પ્રમાણે રાજા પાસે જઈને કહે છે. આ સાંભળી રાજા ખુશ થાય છે.
આ જ રીતે રાજા ફરી ફરીવાર અલગ અલગ પરીક્ષા લે છે. જેમ કે છઠ્ઠી કથામાં રેતીમાંથી દોરડું બનાવવુ.
સાતમી કથા હાથીનું આયુષ્ય પૂર્ણ થાય તો પણ મરી ગયો એમ સંદેશ શબ્દથી કદી ન કહેતા.
આઠમા ઉ.દા.માં રાજા જલ ભરેલો કૂવો મોકલવાની વાત કરે છે. નવમા ઉ.દા.માં પૂર્વ દિશાના વનખંડને પશ્ચિમ દિશામાં કરવાનું કહે છે. દસમા ઉ.દા.માં અગ્નિ વિના ખીર પકવવાનું કહે છે.
અગિયારમાં ઉ.દા.માં રોહકને રાજા પાસે આવવાનું પણ શર્ત રાખે છે કે, ન શુકલપક્ષ, ન કૃષ્ણ, ના દિવસ, ના રાત, ન છાયા, ન તડકો, ન આકાશ માર્ગ, ન જમીન માર્ગ, ન સ્નાન કરીને, ન સ્નાન કર્યા વિના અને રોહકે અવશ્ય રાજા પાસે આવવાનું.
બારમું ઉદાહરણ રોહકે કહ્યું, પિપળાના પાંદડાની ડાંડલી મોટી કે શિખા. રાજા તેનો ઉતર આપી શક્તો નથી. ત્યાર બાદ રોહક જવાબ આપે છે કે જ્યાં લગી શિખાનો અગ્ર ભાગ ન સૂકાય ત્યાં સુધી બને સરખા.
તેરમું દષ્ટાંત રોહક રાજાને પૂછે છે કે ખિસકોલીની પૂંછડી એના શરીર કરતા મોટી હશે કે નાની? રાજાને ખબર ન હતી. ત્યારે કહ્યું દેવ! ખિસકોલીનું શરીર અને પૂંછ બંને બરાબર હોય છે.
૧૪મા દૃષ્ટાંતમાં રોહક રાજાને પૂછે છે તમારે પિતા કેટલા? ત્યારે પણ રાજાને ઉત્તર ન આવડતા રોહક કહે છે તમારે પાંચ પિતા છે. એ વિગતવાર સમજાવે છે.
આમ, આ ચૌદ ઉદાહરણ રોહકની ઓત્પાતિકી બુધ્ધિના છે.
આ ઉપરાંત બાકીના છવ્વીશ દેખાતો પણ ઔત્પાતિકી બુધ્ધિના છે. તેમાં પ્રથમ દૃષ્ટાંતમાં એક એવો લાડુ આપવાની વાત છે જે દરવાજાની બહાર ન જઈ શકે.
120
Page #145
--------------------------------------------------------------------------
________________
બીજી છવ્વીસ કથાઓ:(૧) પ્રતિજ્ઞા - કોઈ એક ખેડૂત પોતાના ગામથી કાકડીની ગાડી ભરીને શહેરમાં વેચવા ગયો. નગરના દરવાજા પાસે પહોંચતા જ તેને એક પૂર્તિ મળી ગયો. તેણે ખેડૂતને કહ્યું હું તમારી આ બધી કાકડી ખાઈ જાઉ તો તું શું આપે? ખેડૂતે કહ્યું, એવો લાડુ આપું જે દરવાજાની બહાર ન જઈ શકે. શર્ત નક્કી થઈ ગઈ.
ધૂર્ત નાગરિકે પહેલા ખેડૂતની દરેક કાકડી થોડી થોડી ખાઈ લીધી. કાકડીને એઠી કરી કહે કે “લો ભાઈ મેં તમારી બધી કાકડી ખાઈ લીધી છે. ખેડૂતે કહ્યું એમ ન ચાલે. નાગરિકે ખેડૂતને કહ્યું મારી શક્તિ પ્રમાણે તમે મને લાડુ આપી દો. ત્યારે ખેડૂતે એક બીજા ધૂર્તને શોધી લીધો. તેના કહ્યા પ્રમાણે ખેડૂતે ગામમાંથી એક નાનકડા લાડવાની ખરીદી કરી. પછી એ લાડવાને નગરના દરવાજા પાસે મૂકીને કહે- લાડુ! તું દરવાજાની બહાર જા. પણ લાડવો ખસ્યો નહિ.
આમ, બંનેની શર્ત પૂર્ણ થઈ. અહીં ધૂર્તની ઔત્પાતિકી બુધ્ધિથી કાર્ય પૂર્ણ થયું. (૨) વૃક્ષ - એકવાર યાત્રિકો એક સ્થાનેથી બીજા સ્થાને જતા હતા રસ્તામાં એક આંબા નીચે વિસામો લેવા બેઠા. આંબામાં પાકેલી કેરી જોઈ ખાવાનું મન થયું. આંબાના વૃક્ષ પર વાંદરાઓ બેઠા હતા. તેથી વૃક્ષ પર ચડીને કેરી લેવી મુશ્કેલ હતી. આખરમાં એક ઔત્પાતિક બુધ્ધિમાને એક પત્થર લઈ વાંદરા તરફ ફેંકયો. વાંદરા નકલ કરનારા હોય છે. વાંદરાએ કેરી તોડી તેના તરફ નાંખી. પેટ ભરીને કેરી ખાધી પછી ત્યાંથી રવાના થઈ ગયા. (૩) વીંટી - રાજગૃહ નગરમાં પ્રસેનજિત રાજા રાજ્ય કરતો હતો. તે નિષ્કટક રાજ્ય કરી રહ્યો હતો. તેને ઘણા પુત્રો હતા. તેમાં એક શ્રેણિક નામનો રાજકુમાર સમસ્ત રાજ્ય ગુણોથી યુક્ત હતો. તે રાજાનો પ્રેમ પાત્ર હતો. પણ રાજા પ્રગટ રૂપે તેના પર પ્રેમ પ્રદર્શિત કરતા ન હતા. કારણકે રાજાને ડર હતો કે તેના બીજા ભાઇઓ ઈર્ષાવશ શ્રેણિકને મારી ન નાંખે. શ્રેણિકને પ્રેમ નહિ મળવાથી મનોમન દુઃખી અને વ્યથિત થઈ ઘર છોડવાનો નિશ્ચય કર્યો.
ચાલતા ચાલતા બેનાતટ નામના નગરમાં પહોંચ્યો અને કોઈ વ્યાપારીની દુકાને વિસામો લેવા બેઠો. તે વ્યાપારીનો દુર્ભાગ્યથી ધંધો દરેક પ્રકારે બંધ થઈ ગયો હતો. તે શ્રેણિકના ત્યાં આવવાથી બધો માલ વેચાઈ ગયો. આવી અચિંત્યલાભ મળવાથી વ્યાપારીને શ્રેણિક માટે માન થયું કે એના કારણે, એના પુણ્યથી આ લાભ મળ્યો. આગલા દિવસે શેઠને સ્વપ્ન આવ્યું હતું કે એક રત્નાકર સાથે તેની દીકરીના લગ્ન થયા. અને શ્રેણિકને જોતા શેઠને લાગ્યું કે, આ એ જ “રત્નાકર' હશે. પ્રમુદિત થઈ
121
Page #146
--------------------------------------------------------------------------
________________
શેઠે શ્રેણિકને પૂછ્યું-આપ અહીં કોના ત્યાં અતિથિ બનીને આવ્યા છો?
શ્રેણિકે વિનમ્રભાવે મીઠી ભાષામાં કહ્યું કે, શ્રીમાન! હું આપનો જ અતિથિ છું. શ્રેણિકનો ઉત્તર સાંભળી શેઠનું હદય પ્રફુલ્લિત થઈ ગયું. તે બહુ જ પ્રેમથી શ્રેણિકને પોતાના ઘરે લઈ ગયો અને ઉત્તમોત્તમ વસ્ત્ર, ભોજન આદિથી તેનો સત્કાર કર્યો, શ્રેણિકના શેઠના ઘરે આગમન થવાથી શેઠની પ્રતિષ્ઠા દિવસે દિવસે વધી ગઇ.
શેઠે ધીરે ધીરે વાતચીત કરીને પોતાની પુત્રી નંદાના લગ્ન શુભ દિવસે અને શુભ મુહૂર્ત શ્રેણિકની સાથે કરી આપ્યા. - શ્રેણિક શ્વસુરગૃહે તેની પત્ની સાથે રહેવા લાગ્યો. થોડા સમય બાદ નંદા દેવી ગર્ભવતી બની અને યથાવિધ ગર્ભનું પાલન પોષણ કરવા લાગી.
બીજી બાજુ શ્રેણિકના ચાલ્યા જવાથી પ્રસેનજિત રાજા બહુ ચિંતાગ્રસ્ત બન્યા અને ચારે બાજુ શ્રેણિકની શોધ કરવા માણસોને મોકલ્યા. થોડા દિવસ શોધ કરતા માણસો બેનાતટ આવ્યા. ત્યાં શ્રેણિક મળતાં તેને પ્રાર્થના કરી કે તમે શીધ્ર રાજગૃહ પધારો. શ્રેણિક તેની પત્નીની સંમતિ લઈ પોતાનો વિસ્તૃત પરિચય લખીને રાજગૃહ તરફ જાય છે. રાજાએ શ્રેણિકને રાજ્ય આપ્યું.
આ બાજુ નંદાને હાથી પર બેસવાનો દોહદ થયો છે તેના પિતાએ સહર્ષ પૂર્ણ કર્યો. સમય વીતતા સવા નવ માસે પુત્ર રત્નનો જન્મ થયો. તેનું નામ ‘અભયકુમાર રાખ્યું. બાળક દિવસે દિવસે વૃધ્ધિ પામતો ગયો. પ્રારંભિક જ્ઞાનથી લઈ અનેક શાસ્ત્રનો અભ્યાસ કરી ૭૨ કળાઓમાં તે પ્રવીણ થયો.
એક દિવસ ઓચિંતા અભયકુમાર પ્રશ્ન કરે છે કે, મારા પિતાજી કયાં છે? પુત્રના આ પ્રશ્નનો જવાબ આપતા માતા સર્વ હકીક્ત જણાવે છે. પિતાનો લખેલ પત્ર વંચાવે છે. તે વાંચીને અભયકુમારને ખબર પડી કે તેના પિતા રાજગૃહના રાજા છે. તે ત્યાં જવા નીકળે છે.
ચાલતા ચાલતા તેઓ રાજગૃહ નગરની બહાર પહોંચ્યા. પોતાની માતાને સાથીદારોની પાસે એક સુંદર સ્થાન પર રાખીને અભયકુમાર નગરમાં ગયો. ત્યાંનું વાતાવરણ કેવું હશે? રાજાજીના મને દર્શન કેવી રીતે થશે? વગેરે વિચાર કરતો કરતો તે ચાલ્યો જતો હતો. ત્યાં નગરની અંદર એક જળરહિત કૂવાની આસપાસ માણસોની ભીડ જોઇ. અભયકુમારે કોઈ એક વ્યકિતને પૂછ્યું-બધા કૂવાના કાંઠે શા માટે ભેગા થયા છો? તેણે કહ્યું-પાણી વગરના સૂકા કુવામાં અમારા રાજાની સુવર્ણ મુદ્રિકા(વીંટી) પડી ગઈ છે. રાજાએ ઘોષણા કરી છે કૂવામાં ઉતર્યા વગર અને કૂવાના કાંઠે જ ઉભા રહીને પોતાના હાથથી વીટી કાઢી આપશે તેને મહારાજ બહુ સુંદર
122
Page #147
--------------------------------------------------------------------------
________________
પારિતોષિક આપશે. પરંતુ અહીં ઉભેલાઓમાંથી કોઈને પણ વીંટી કાઢવાનો ઉપાય સૂઝતો નથી.
અભયકુમારે તે જ ક્ષણે કહ્યું-જો તમે મને અનુમતિ આપો તો હુ વીંટી કાઢી આપું. આ વાત જાણીને રાજાના કર્મચારીઓએ અભયકુમારને વીંટી કાઢી આપવાનો અનુરોધ કર્યો અર્થાત્ હા પાડી. અભયકુમારે સર્વ પ્રથમ કૂવાના કાંઠા પર રહીને એકવાર વીંટી ને બરાબર જોઈ લીધી. ત્યાર બાદ થોડેક દૂર પડેલા છાણને તે લઈ આવ્યો. પછી કૂવામાં પડેલી વીંટી પર તે છાણ તેણે નાંખી દીધું. વીંટી છાણમાં ચોટી ગઈ. પછી છાણ સુકાઈ ગયા બાદ તેણે કૂવામાં પાણી ભરાવ્યું. કૂવો પાણીથી છંલોછલ ભરાઈ જવાથી પેલુ સુકાઈ ગયેલું છાણ ઉપર આવતા કૂવાના કાંઠે ઉભા રહીને તેણે હાથ વડે લઈ લીધું, પછી તેમાંથી સોનાની વીંટી કાઢી લીધી. ત્યાં ઉભેલા લોકો આ યુવકની કળા જોઇને આર્થ્યચકિત બની ગયા. વીંટી બહાર નીકળી ગયાના સમાચાર રાજા સુધી પહોંચી ગયા. રાજાએ અભયકુમારને રાજમહેલમાં બોલાવ્યો અને પૂછ્યું- બેટા! તું કોણ છો ? અભયકુમારે રાજાના હાથમાં વીંટી આપીને કહ્યું- હું આપનો પુત્ર છું. રાજાએ પૂછ્યું કેવી રીતે? ત્યારે અભયકુમારે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ સાંભળીને રાજા અત્યંત ખુશ થયા. તરત જ તેણે પોતાના પુત્રને વાત્સલ્ય આપીને મસ્તક પર હાથ ફેરવ્યો અને પૂછ્યું- બેટા! તારી માતા કયાં છે? પુત્રે કહ્યું તે નગરની બહાર મારા સાથીઓ સાથે છે.
અભયકુમારની વાત સાંભળીને રાજા ખુદ પોતાના પરિવારજનોની સાથે રાણી નંદાને લેવા માટે ગયા. રાજા પહોંચે તેની પહેલા અભયકુમારે સંપૂર્ણ વૃતાંત માતાને કહી સંભળાવ્યો અને એમ પણ કહ્યું- રાજાજી ખુદ આપને રાજમહેલમાં લેવા માટે પધારે છે. એ સમાચાર સાંભળીને રાણી નંદા ખૂબ જ હર્ષઘેલી બની ગઈ. એટલામાં મહારાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. સમગ્ર જનતા રાણીના દર્શન કરીને હર્ષવિભોર બની ગઈ. રાજાજી રાણીને ઉત્સાહ અને સમારોહ પૂર્વક અર્થાત્ વાજતે ગાજતે રાજમહેલમાં લઈ ગયા. રાજાએ ઓત્પાતિકી બુધ્ધિના ધણી પોતાના પુત્ર અભયકુમારને મંત્રીપદે સ્થાપિત કર્યો. પછી લોકો આનંદ પૂર્વક દિવસો વ્યતિત કરવા લાગ્યા. (૪)પટઃ- એક સમયની વાત છે. બે વ્યક્તિ કોઈ સ્થળે જઈ રહી હતી. રસ્તામાં એક સુંદર મોટુ સરોવર આવ્યું. તેનું સ્વચ્છ પાણી જોઈને તેઓને સરોવરમાં સ્નાન કરવાનું મન થયું. બન્નેએ પોતપોતાનાં વસ્ત્રો ઉતારીને સરોવરના કાંઠે રાખી દીધા. પછી સ્નાન કરવા માટે સરોવરમાં ગયા. સરોવરમાં સ્નાન કરીને એક માણસ જલદી બહાર આવી ગયો. તે પોતાના સાથીની ઉનની કાંબળી ઓઢીને ચાલતો થઈ ગયો. જ્યારે
123.
Page #148
--------------------------------------------------------------------------
________________
બીજા માણસે આ દશ્ય જોયું ત્યારે તેણે જોરથી કહ્યું-અરે! તું મારી કાંબળી લઇને કેમ ભાગે છે. તેણે બહુ શોર મચાવ્યો. પણ પેલાએ કાંઇ જવાબ ન આપ્યો.
કાંબળીનો માલિક સરોવરની બહાર નીકળીને જલ્દી તેની પાછળ દોડ્યો અને કહ્યું-ભાઇ! મારી કાંબળી તું મને આપી દે. પણ પેલાએ કાંબળી આપી નહિ- તેથી પરસ્પર ઝઘડો વધી ગયો. અંતે તે ઝગડો ન્યાયાલયમાં ગયો. બન્નેએ પોતપોતાની કાંબળી માટેની વાત કરી. કાંબળી પર કોઇનું નામ ન હતું તેમજ કોઇ સાક્ષી ન હોવાથી ન્યાયાધીશની સમજમાં આવ્યું નહિ કે આ કાંબળી કોની છે. થોડીવાર વિચારીને ઔત્પાતિકી બુધ્ધિના ધારક એવા ન્યાયાધીશે બે કાંગસી (કાંસકી) મંગાવી. પછી બન્નેના માથાના વાળ માણસો દ્વારા ઓળાવ્યા. એકના માથામાંથી ઉનના રૂંછડા નીકળ્યા. બીજાના મસ્તકમાંથી સૂતરના તંતુ નીકળ્યા. ન્યાયાધીશે જેના મસ્તકમાંથી ઉનના રૂંછડા નીકળ્યા હતા તેને ઉનની કાંબળી આપી દીધી અને જે માણસ ઉનની કાંબળી લઇ ગયો હતો તેને દંડ આપ્યો.
આ જ પ્રમાણે બાકીના પાંચથી છવ્વીસ દૃષ્ટાંતો ઔત્પાતિકી બુધ્ધિના છે. વૈનચિકી બુધ્ધિનું લક્ષણ અને તેના ધ્રુષ્ટાંતો:
(૧) નિમિત્તઃ- કોઇ એક નગરમાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા. તેને બે શિષ્યો હતા. સિદ્ધ પુરુષે તે બન્નેને એક સરખો નિમિત્ત શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. બે શિષ્યમાંથી એક શિષ્ય બહુ વિનયવાન હતો. ગુરુ જે આજ્ઞા કરે તેનું તે યથાવત્ પાલન કરતો હતો. તેમજ ગુરુ જે કાંઇ શીખવાડે તેના પર તે નિરંતર ચિંતન મનન કરતો હતો. ચિંતન કરતાં કરતાં તેને જે વિષયમાં શંકા ઉત્પન્ન થતી તેને સમજવા માટે પોતાના ગુરુની સમક્ષ ઉપસ્થિત થતો અને વિનયપૂર્વક વંદન નમસ્કાર કરીને શંકાનું સમાધાન કરતો હતો. પરંતુ બીજો શિષ્ય અવિનીત હતો. તે વારંવાર ગુરુને પૂછવામાં પણ પોતાનું અપમાન સમજતો હતો. પ્રમાદના કારણે તે ભણેલ વિષયનું ચિંતન પણ કરતો નહિ. તેથી તેનો અભ્યાસ અપૂર્ણ અને દોષપૂર્ણ રહી ગયો. જ્યારે વિનીત શિષ્ય સર્વગુણ સંપન્ન તેમજ નિમિત્ત શાસ્ત્રમાં પારંગત થઇ ગયો. એક વાર ગુરુની આજ્ઞાથી બન્ને શિષ્યો કોઇ એક ગામમાં જઇ રહ્યા હતા. માર્ગમાં તેઓએ મોટા મોટા પગના ચિહ્નો જોયા. અવિનીત શિષ્યે પોતાના ગુરુભાઇને કહ્યું-લાગે છે કે આ પગના ચિહ્ન કોઇ હાથીનાં હોય. ઉત્તર દેતા બીજો શિષ્ય બોલ્યો-ના, એ પગના ચિહ્ન હાથણીના છે. એ હાથણી ડાબી આંખે કાણી હશે એટલું જ નહિ એ હાથણી પર કોઇ રાણી સવારી કરતી હશે. એ રાણી સૌભાગ્યવતી હશે તેમજ ગર્ભવતી હશે. એ રાણી એક બે દિવસમાં પુત્રને જન્મ આપશે.
124
Page #149
--------------------------------------------------------------------------
________________
ફક્ત પગનો આકાર જોઈને આટલી બધી વાત કહી શકે? અવિનીત શિષ્યની આંખો કપાળ પર ચઢી ગઈ. તેમણે વિનીત શિષ્યને પૂછ્યું-આટલી બધી વાતો તમે શેના આધારે કહી શકો છો? વિનીત શિષ્ય કહ્યું ભાઇ! થોડું આગળ ચાલવાથી તને સ્પષ્ટ સમજાય જશે. એ સાંભળીને અવિનીત શિષ્ય ચૂપ થઈ ગયો. બન્ને ચાલતા ચાલતા થોડા સમયમાં નિર્ણય કરેલા ગામ સુધી પહોંચી ગયા. ત્યાં તેઓએ જોયું તો ગામની બહાર એક વિશાળ સરોવરના કાંઠા પર સુખી સંપન્ન વ્યક્તિનો પડાવ પડ્યો હતો. તંબૂઓની એક બાજુ ડાબી આંખથી કાણી એક હાથણી બાંધેલી હતી. એ જ વખતે બંને શિષ્યોએ એ પણ જોયું કે એક દાસી તંબૂમાંથી બહાર નીકળી, તેણે એક પ્રભાવશાળી વ્યક્તિને કહ્યું-મંત્રીવર મહારાજાને જઈને વધાઈ આપો કે રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે.
આ બધું જોઇને વિનીત શિષ્ય કહ્યું જોયું ને? ડાબી આંખે કાણી હાથણી અહી બાંધી છે. સૌભાગ્યવતી અને ગર્ભવતી રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે. એ જ રાણી આ હાથણી પર સવાર બની હતી અને તેણી જમીન પર હાથનો ટેકો દઈને ઉભી થઇ હતી. અવિનીત શિષ્ય વ્યંગમાં વિનીત ને કહ્યું- હા, તારું જ્ઞાન સાચું છે. ત્યાર બાદ બન્ને જણા તળાવમાં હાથ પગ ધોઈને એક વડલાના ઝાડ નીચે વિસામો લેવા બેઠા. એ જ વખતે એક વૃધ્ધા મસ્તક પર પાણીનો ઘડો રાખીને તેઓની સામે ઉભી રહી. ત્યાં ઉભીને વૃધ્ધા વિચારે છે. આ બન્ને વિદ્વાન હોય એવું લાગે છે. માટે હું મારા પુત્ર વિશે આ પંડિતોને પ્રશ્ન પૂછીશ. એમ વિચારીને વૃધ્ધાએ પ્રશ્ન પૂછ્યો કે મારો પુત્ર વિદેશ ગયો છે તે કયારે આવશે? પ્રશ્ન પૂછ્યો કે તરત જ વૃધ્ધાના શિર પર રહેલો પાણીનો ઘડી નીચે પડી ગયો. ઘડો જમીન પર પડ્યો કે તરત જ ઘડાના ટુકડે ટુકડા થઈ ગયા અને પાણી માટીમાં મળી ગયું. એ જ વખતે અવિનીત શિષ્ય કહ્યુંબુઢિયા! તારો પુત્ર ઘડાની જેમ મૃત્યુ પામ્યો છે. એ સાંભળીને વૃધ્ધાનો જીવ અદ્ધર ચડી ગયો. ત્યારે વિનીત શિષ્ય કહ્યું-માજી! તમે ચિંતા ના કરો. તમારો પુત્ર ઘરે આવી ગયો છે, એ તમારી રાહ જુએ છે, માટે તમે શીધ્ર ઘરે જાઓ. વિનીત શિષ્યની વાત સાંભળીને માજીના શરીરમાં પ્રાણ આવ્યા. તે તરત જ ઘરે ગયા. ત્યાં તેનો દિકરો ખરેખર રાહ જોતો હતો. પુત્રએ માતાના ચરણમાં નમસ્કાર કર્યા. માતા પુત્રને ભેટી પડી. પછી તેણીએ વિનીત શિષ્ય બતાવેલી વાત કરી. ત્યાર બાદ માતા પુત્રને લઇને વિનીત શિષ્યની પાસે ગઈ અને તેના ચરણમાં અમુક રૂપિયા તથા વસ્ત્રયુગલ ભેટ રૂપે અર્પણ કર્યા અને શતશ આર્શીવાદ આપ્યા.
અવિનીત શિષ્ય પોતાના ગુરૂભાઇની વાત સાચી પડી, તેથી ક્રોધિત થયો અને મનમાં વિચારવા લાગ્યો, આ બધું ગુરૂજીના પક્ષપાતનું કારણ છે. ગુરુજીએ મને દિલ દઈને જ્ઞાન આપ્યું નથી. પછી જે કામ માટે ગુરૂજીએ તેઓને મોકલ્યા હતા એ કામ
125
Page #150
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ થતાં તેઓ બન્ને ફરી ગુરુજીની પાસે આવ્યા. ત્યાં જઈને વિનીત શિષ્ય આનંદાશ્રુ વહાવતો ગદ્ગદ્ ભાવથી ગુરુના ચરણોમાં ઝુકી ગયો પરંતુ અવિનીત શિષ્ય ઠુંઠાની જેમ ઉભો રહ્યો. એ જોઈને ગુરૂદેવે તેના સામું જોઇને પૂછ્યું-તને શું થયું છે? અવિનીત શિષ્ય કહ્યું- આપે મને બરાબર ભણાવ્યો નથી એટલે મારી વાત ખોટી પડે છે અને આને તમે દિલ દઈને ભણાવ્યો છે એટલે તેની વાત સાચી પડે છે. આપે પક્ષપાત કર્યો
ગુરુજી તેની વાત સાંભળીને ચકિત થઈ ગયા પણ કાંઈ સમજ ન પડવાથી તેણે વિનીત શિષ્યને પૂછ્યું-વત્સ! શું વાત છે? કઈ ઘટનાથી તારા ગુરુભાઇના મનમાં આવો વિચાર આવ્યો છે? વિનીત શિષ્ય માર્ગમાં જે જે ઘટના બની તે કહી સંભળાવી. ગુરુએ વિનીત શિષ્યને પૂછ્યું એ બન્ને વાતની જાણકારી તને કેવી રીતે થઈ? શિષ્ય કહ્યું ગુરૂદેવ! આપના ચરણની કૃપાથી મેં વાત બતાવી હતી. રસ્તામાં એ પ્રાણીએ પેશાબ કર્યો હતો તેની આકૃતિથી મેં જાણ્યું કે હાથી નહિ પણ હાથણી હશે, માર્ગમાં જમણી બાજુ ઘાસ પત્રાદિ ખાધેલા હતાં. ડાબી બાજુ ખાધેલાં ન હતા. તેથી મેં કહ્યું એ હાથણી ડાબી બાજુ કાણી હશે. ઘણા જનસમૂહની સાથે આરૂઢ થઈને જનાર વ્યકિત રાજકીય જ હોઈ શકે. એ જાણ્યા પછી હાથી પરથી ઉતરીને લઘુશંકા જનાર વ્યકિતના પગના ચિન્ટ જોઇને મેં વિચાર્યું કે રાણી હશે તેમ જ જમણો હાથ ભૂમિ પર ટેકાવીને એ ઉભી થઇ હશે તેથી મેં જાણ્યું એ ગર્ભવતી હશે. ત્યાંના ઝાડની ડાળ પર રેશમી લાલ તંતુ ફસાઈ ગયેલા જોઈને મેં વિચાર્યું એ સૌભાગ્યવતી હશે. તેના જમણા પગની આકૃતિ થોડીક વજનયુક્ત જોઇને મેં કહ્યું તે રાણી ટૂંક સમયમાં જ પુત્રને જન્મ આપશે. અમે થોડેક દૂર ગયા ત્યાં એક હાથણી બાંધેલી હતી. તે ડાબી આંખે કાણી હતી. તંબૂમાંથી એક દાસી મંત્રીને સમાચાર આપતી હતી કે રાજાજીને વધાઈ આપો કે રાણીબાએ પુત્રને જન્મ આપ્યો છે. આ રીતે આપશ્રીના આર્શીવાદથી મારી દરેક વાત સાચી પડી છે.
બીજી વાત એક વૃદ્ધા સ્ત્રીની હતી. તે વૃદ્ધાએ અમને પ્રશ્ન કર્યો કે મારો પરદેશ ગયેલો દીકરો ફરી કયારે આવશે? એ જ સમયે તેના મસ્તક પરથી પાણીનો ભરેલો ઘડો ભૂમિ પર પડી ગયો. ઘડાના સેંકડો ટુકડા થઈ ગયા અને પાણી બધું એ માટીમાં સમાઈ ગયું. તેથી મેં વિચાર્યું કે માટીથી માટલી બની હતી અને માટીમાં ફરી મળી ગઈ તેથી મેં જાણ્યું કે જે માતાએ પુત્રને જન્મ આપ્યો હતો તે માતાને પુત્ર મળી જશે. માજી ઘરે ગયા તો ખરેખર તેનો પુત્ર તેની રાહ જોતો હતો. આપની કૃપાથી આ વાત પણ મારી સાચી પડી.
શિષ્યની વાત સાંભળીને ગુરૂજી અત્યંત ખુશ થયા અને તેની પ્રશંસા કરી કે આ
126
Page #151
--------------------------------------------------------------------------
________________
વિનીત શિષ્ય જ્ઞાનને પચાવ્યું છે. અવિનીત શિષ્યને ગુરૂએ કહ્યું-તું મારી આજ્ઞાનું પાલન કરતો નથી તેમજ શીખેલ અધ્યયન વિશે ચિંતન-મનન પણ કરતો નથી, પછી તને સમ્યજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? હું તો તમો બન્નેને સદા સાથે બેસીને જ શીખવાડું છું. મારી કોઈ કચાશ નથી પણ વિદ્યા વિનયન શોભતે વિદ્યા વિનયથી શોભે છે અર્થાત વૃદ્ધિ પામે છે. વિનયથી પાત્રતા, સુયોગ્યતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તારામાં વિનયનો અભાવ છે એટલે તારું જ્ઞાન ખોટું પડે છે. ગુરૂની હિત શિક્ષા સાંભળીને શિષ્ય લજ્જિત થઇને મૌન રહ્યો. આ વનયિકી બુદ્ધિનું ઉદાહરણ વિનીત શિષ્યનું છે.
આ પ્રમાણે બીજા પણ દષ્ટાંતો વેનચિકી બુધ્ધિના વર્ણવ્યાં છે. કર્મના બુદ્ધિનું લક્ષણ અને તેના દ્રષ્ટાંતો:(૧) સુવર્ણકારઃ- હેરણ્યક-સુવર્ણકાર એવો કુશળ કલાકાર હતો કે પોતાના કાર્યના જ્ઞાનથી ઘોર અંધકારમાં પગ હાથના સ્પર્શથી જ સોનું અને ચાંદીની પરીક્ષા બહુ જ સરસ રીતે કરી શકતો હતો. (૨) કર્ષિકઃ- ખેડૂત. એક ચોર કોઈ વણિકના ઘરે ચોરી કરવા ગયો. ત્યાં તેણે દીવાલમાં એક બાકોરું પાડ્યું. તેમાં કમળની આકૃતિ બની ગઈ. પ્રાત:કાળે જ્યારે લોકોએ તે બાકોરાની કળાકૃતિ જોઈ ત્યારે ચોરી કેટલી થઈ એ વાત ભૂલીને તેઓ ચોરની કળાકૃતિની પ્રશંસા કરવા લાગ્યા. એ જનસમૂહમાં ચોર પણ છૂપા વેષમાં હતો. તે પોતાની ચતુરાઇની પ્રશંસા સાંભળીને ખુશ થઈ રહ્યો હતો. એક ખેડૂત પણ ત્યાં હતો. તેણે પ્રશંસા કરવાને બદલે કહ્યું-ભાઈઓ! એની આટલી પ્રશંસા ? અને એમાં અચંબાની શું વાત છે? પોતાના કામમાં દરેક વ્યક્તિ કુશળ હોય છે. ખેડૂતની વાત સાંભળીને ચોરને બહુ ક્રોધ આવ્યો. એક દિવસ તે છરી લઈને ખેડૂતને મારવા માટે તેના ખેતરમાં ગયો. જ્યારે છરી લઈને ખેડૂતની તરફ ગયો ત્યારે પાછળ પાછળ હટતા ખેડૂતે કહ્યું તમે કોણ છો? મને શા માટે મારવા ઈચ્છો છો ? ચોરે કહ્યું-તે તે દિવસે મેં બનાવેલા બાકોરાની પ્રશંસા કેમ નહોતી કરી?
ખેડૂત સમજી ગયો કે આ તે જ ચોર છે. ખેડૂતે કહ્યું મેં તમારી બુરાઈ તો નથી કરીને? એમ જ કહ્યું હતુ કે જે માણસ જે કાર્ય કરતો હોય તેમાં પોતાના અભ્યાસના કારણે કુશળ જ હોય છે? જો તમને વિશ્વાસ ન હોય તો હું તને મારી કળા દેખાડીને વિશ્વસ્ત બનાવી દઉં. જુઓ મારા હાથમાં મગના આ દાણા છે. તમે કહો તો હું આ બધાને એક સાથે અધોમુખ, ઉર્ધ્વમુખ અથવા પડખે ફેંકી શકુ છું.
ચોર તેની વાત સાંભળીને ચકિત થઈ ગયો. તેને કિસાનની વાત પર વિશ્ર્વાસ
127
Page #152
--------------------------------------------------------------------------
________________
ન આવ્યો. તો પણ ખેડૂતની ચાલાકી જોવા માટે ચોરે કહ્યું તું આ બધા મગના દાણાને ઉંધા પાડીને મને બતાવ.
ખેડૂતે તે જ વખતે પૃથ્વી પર એક ચાદર બિછાવી અને મગના બધા દાણાને એવી ચાલાકીથી એ ચાદર પર ફેંક્યા કે બધા દાણા અધોમુખ એટલે ઉંધા જ પડ્યા. ચોરે ધ્યાન દઇને દરેક દાણાની તપાસ કરી તો ખરેખર બધા દાણા ઉંધા જ પડ્યા હતા. એ જોઇને ચોરે કહ્યું-ભાઇ! તું તારા કાર્યમાં મારાથી પણ કુશળ છો. એમ કહીને વારંવાર તેની પ્રશંસા કરી, ચોર જતાં જતાં એટલું કહેતો ગયો કે જો તારા મગ ઉંધા ન પડયા હોત તો હું તને ચોક્કસ મારી નાખત. આ કર્ષક અને તસ્કર બન્નેની કર્મજા બુધ્ધિનું ઉદાહરણ છે.
(૩) કોલિક :- એક ગામમાં એક વણકર રહેતો હતો. તે પોતાના હાથમાં સૂતરના દોરાઓને લઇને ચોકસાઇ પૂર્વક બતાવી શકતો હતો કે આટલી સંખ્યાના સૂતરના ફાળકાથી આ વસ્ત્ર તૈયાર થઇ જશે. આ વણકરની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે.
(૪) ડોવઃ- કડછી- એક સુથાર અનુમાનથી જ કહી દેતો કે આ કડછીમાં આટલી માત્રામાં વસ્તુ સમાય શકશે. તેને કર્મજા બુધ્ધિ પ્રાપ્ત થઇ હતી.
(૫) મોતીઃ- સિદ્ધહસ્ત મણિકાર મોતીઓને એવી રીતે યત્નાપૂર્વક ઉછાળતો કે નીચે રાખેલા સૂવરના વાળમાં જઇને પરોવાઇ જતા. આ સિદ્ધહસ્ત મણિકારની કર્મજા બુધ્ધિનું ઉદાહરણ છે.
(૬) ધૃતઃ- કોઇ કોઇ ઘીના વ્યાપારી પણ એટલા કુશળ હોય છે કે તેઓ ગાડામાં અથવા રથમાં બેઠા બેઠા જ નીચે રહેલ કુંડીમાં એક ટીપું પણ ઢોળાયા વગર ઘી ભરી શકે છે. આ તેની કર્મજા બુધ્ધિનું ઉદાહરણ છે.
(૭) પ્લવકઃ- (નટ)- નટ લોકોની ચતુરાઇ જગ પ્રસિદ્ધ છે. તેઓ દોરી પર અદ્ધર ચડીને અનેક પ્રકારના ખેલ કરે છે. તો પણ નીચે પડતા નથી. લોકો દાંતની નીચે પોતાની આંગળીઓ દબાવીને જુએ એટલા આશ્ચર્ય ચકિત થઇ જાય છે. એ નટ લોકોની કર્મજા બુધ્ધિની ચતુરાઇ છે.
(૮) તુષ્ણક (દરજી):- કુશળ દરજી કપડાની એવી સફાઇથી સિલાઇ કરે છે કે તેણે કઇ જગ્યાએ સિલાઇ કરી છે એ પણ દેખાવા ન દે. આ દરજીની કર્મજા બુદ્ધિની ચતુરાઇ
છે.
(૯) વઠ્ઠઇઃ- સૂથાર લાકડા પર સુંદર કોતરણી કરી શકે છે. તેમજ તેની ઉપર ભિન્ન ભિન્ન પ્રકારની સુંદર આકૃતિ બનાવી શકે છે. જાણે કે તે સજીવ આકૃતિ ન હોય?
128
Page #153
--------------------------------------------------------------------------
________________
તેવી લાગે છે. તેઓ પોતાની કળામાં એવા પ્રવીણ હોય છે. અમુક મકાન, રથ, આદિમાં કેટલું લાકડું જોઈશે તે ગણતરી કર્યા વગર બતાવી શકે છે. એ તેની કર્મા બુદ્ધિની કળા છે. (૧૦) આપૂપિક - ચતુર કંદોઈ વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવે છે. તેને માપ્યા વિના જ કેટલી ચીજ કેટલા વજનની જોઈએ તેનું અનુમાન કરી લે છે. કોઈ કોઈ પુરુષ પોતાની કળામાં એટલા પ્રસિદ્ધ થઈ જાય છે કે દૂર-દૂરના દેશો સુધી તેની કીર્તિ ફેલાઈ જાય છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૧) ઘટઃ- કુંભકારો ઘડો બનાવવામાં એટલા ચતુર હોય છે કે ચાલતા ચાકડા પર જલ્દી જલ્દી રાખવા માટે માટીનો પિંડ એટલો જ લે છે કે જેનાથી ઘડો બરાબર બની જાય છે, આ તેની કમજા બુદ્ધિની કળા છે. (૧૨) ચિત્રકારઃ- કુશળ ચિત્રકાર પોતાની કળાથી ફૂલ, પાંદડા, ઝાડ, નદી, ઝરણા, મૂર્તિ આદિના એવા ચિત્રો બનાવી આપે છે કે તેમાં અસલી, નકલીનો ભેદ કરવો કઠિન થઈ પડે છે. તે પશુ, પક્ષી, દેવ અથવા માનવના ચિત્રોમાં પણ પ્રાણ રેડી દે છે. અને ક્રોધ, ભય હાસ્ય તથા ધૃણા આદિના ભાવો તેના ચેહરા પર એવા અંકિત કરે છે કે જોનાર થંભી જાય છે.
ઉપરનાં બારે ઉદાહરણ કાર્ય કરતાં, તેના અભ્યાસથી ઉત્પન્ન થયેલ કર્મજા બુદ્ધિના છે. આવી બુદ્ધિ માનવને પોતાના વ્યવસાય કાર્યમાં દક્ષ બનાવે છે. પરિણામિકી બુદ્ધિનું લક્ષણ અને દૃષ્ટાંતો:(૧) અભયકુમાર - માલવ દેશમાં ઉજ્જયિની નામની નગરી હતી. ત્યાં ચંદ્રપ્રદ્યોતન રાજા રાજ્ય કરતા હતા. એક વાર તેણે પોતાના સાઢુભાઈ રાજગૃહના રાજા શ્રેણિકને દૂત દ્વારા કહેવાડાવ્યું કે જો તમે તમારું અને તમારા રાજ્યનું ભલું ચાહતા હો તો અનુપમ વંકચૂડ હાર, સેચનક હાથી, અભયકુમાર પુત્ર અને રાણી ચેલણાને વિલંબ કર્યા વગર મારી પાસે મોકલી દો. દૂત દ્વારા ચંદ્રપ્રદ્યોતનનો આ સંદેશ સાંભળીને શ્રેણિક રાજા ક્રોધથી ધમધમાયમાન બન્યા. તેમણે દૂતને કહ્યું-દૂત અવધ્ય હોય છે માટે તમને હું છોડી દઉં છું. તમે તમારા રાજાને જઈને કહી દેજો-જો તમે તમારી કુશળતા ચાહતા હો તો અગ્નિપથ, અનિલગિરી હસ્તી, વર્જાઘ દૂત અને શિવાદેવી રાણી એ ચારેયને મારી પાસે શીધ્રાતિશીધ્ર મોકલી દો.
મહારાજ શ્રેણિકની આજ્ઞા દૂતે ચંદ્રપ્રદ્યોતન રાજાને કહી સંભળાવી તેની વાત સાંભળીને રાજાને બહુ ક્રોધ આવ્યો અને પોતાના અપમાનનો બદલો લેવા માટે રાજગૃહ પર મોટી સેના લઈને ચડાઈ કરી અને રાજગૃહને ચારે બાજુથી ઘેરી લીધું.
129
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રેણિક રાજાએ પણ યુદ્ધ કરવાની તૈયારી કરી લીધી હતી. સેના સુસજ્જિત થઈ ગઈ. યુદ્ધની તૈયારી જોઇને તેનો પુત્ર અભયકુમાર પિતાજી પાસે આવ્યો અને કહ્યુંમહારાજ! હમણા આપ યુદ્ધ કરવાની આજ્ઞા ન દેતા હું કંઇક એવો ઉપાય કરીશ કે “સાપ પણ મરે નહિ અને લાકડી પણ ભાંગે નહિ.” અર્થાત્ મારા માસા ચંદ્રપ્રદ્યતન સ્વયં ભાગી જશે અને આપણી સેના પણ નષ્ટ નહિ થાય. રાજા શ્રેણિકને પોતાના પુત્ર પર વિશ્વાસ હતો તેથી તેમણે અભયકુમારની વાત માન્ય રાખી. આ બાજુ રાત્રિના જ અભયકુમાર પુષ્કળ ધન લઈને નગરમાંથી બહાર ગયો અને ચંદ્રપ્રદ્યોતને
જ્યાં પડાવ નાંખ્યો હતો તેની પાછળની ભૂમિમાં એક ઊંડો ખાડો ખોદીને તેમા બધું ધન દાટી દીધું. ત્યાર પછી તે રાજા ચંદ્રપ્રદ્યોતનની પાસે ગયો. ત્યાં જઈને તેણે કહ્યુંમાસા! આપ અને મારા પિતાજી બન્ને મારા માટે આદરણીય છો એટલે હું આપના હિતની એક વાત કરવા ઇચ્છું . આપ ધોકામા રહી જાય એવું હું ઈચ્છતો નથી. રાજા ચંદ્રપ્રદ્યોતને ઉત્સુકતાથી પૂછ્યું-વત્સ! મને કોણ ધોખામાં નાંખશે? તું શીધ્ર બતાવ. અભયકુમારે કહ્યું મારા પિતાજીએ આપના શ્રેષ્ઠ સેનાધિપતિઓ અને અધિકારીઓને લાંચ(રૂશ્વત) આપી પોતાના વશમાં કરી લીધા છે. તેઓ પ્રાત:કાળ થતાં જ આપને બંદી બનાવીને પિતાજીની પાસે લઈ જશે. જો આપને વિશ્વાસ ન આવે તો તેઓની પાસે આવેલું ધન આપના પડાવની બાજુના ભાગમાં જ દાટેલું છે. જો આપને જોવું હોય તો દેખાડું? આમ કહીને અભયકુમાર ચંદ્રપ્રદ્યોતનને પોતાની સાથે લઈ ગયો અને પોતે દાટેલું ધન ખોદીને તેને દેખાડ્યું. એ જોઈને રાજાને વિશ્વાસ આવી ગયો અને તે શીઘ્રતાથી રાતોરાત ઘોડા પર બેસીને ઉજ્જયિની તરફ પાછો ફર્યો.
પ્રાતઃકાળ થતાં જ જ્યારે સેનાધિપતિ અને મુખ્યાધિકારીઓને આ વાતની જાણ થઈ કે રાજા ભાગીને ત્યાંથી ઉજ્જયિની ચાલ્યા ગયા ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે રાજા શા માટે ચાલ્યા ગયા હશે? “નાયક વિના સેના લડી ન શકે' વર વગરની જાનની જેમ સેના ત્યાં શું કરે. તેઓ બધું સમેટીને ઉજ્જયિની આવી ગયા. ત્યાં આવ્યા પછી તેઓ જ્યારે રાજાને મળવા ગયા ત્યારે રાજાએ કહ્યું - મને ધોખામાં નાખનાર એ બધાને હું મળવા માંગતો નથી. બહુ જ પ્રાર્થના કરવા પર અને દયનીયતા પ્રદર્શિત કરવા પર રાજા તેઓને મળ્યા. તમો તેની લાલચમાં શા માટે લપેટાયા ? રાજાએ તેઓને ખૂબ જ ઠપકો દીધો. બિચારા પદાધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા. લાંચ કેવી ને વાત કેવી. આપણે કાંઈ જાણતા નથી. અંતમાં વિનમ્રભાવે એક સેવકે કહ્યું-દેવ! વર્ષોથી અમે આપનું નમક ખાઈએ છીએ. ભલા અમે આપની સાથે આવી જાતનું છળ કરી શકીએ ખરા? આ ચાલબાજી અભયકુમારની જ છે. તેણે જ આપણને ધોખો આપ્યો છે. તેણે જ આપને ભૂલ ભૂલવણીમાં નાંખીને તેના પિતાનું અને રાજ્યનું રક્ષણ કર્યું છે.
130.
Page #155
--------------------------------------------------------------------------
________________
ચંદ્રપ્રદ્યોતનના ગળે આ વાત ઉતરી ગઇ. તેને અભયકુમાર પર બહુ ક્રોધ આવ્યો. તેણે નગરમાં ઢંઢેરા પિટાવ્યો કે જે કોઇ માણસ અભયકુમારને પકડીને મારી પાસે લઇ આવશે તેને બહુમૂલ્ય પુરસ્કાર આપવામાં આવશે.
નગરમાં ઘોષણા તો થઇ. પરંતુ બિલાડીના ગળામાં ઘંટી બાંધવા જાય કોણ? રાજાના મંત્રીઓ, સેનાપતિઓ આદિથી લઇને સાધારણ વ્યક્તિ સુધી દરેકને આ વાત પહોંચાડી પણ કોઇની હિંમત ચાલી નહિ. આખરમાં એક વેશ્યાએ આ કાર્ય કરવાની હામ ભરી. તે રાજગૃહ ગઇ. ત્યાં જઇને આદર્શ શ્રાવિકા જેવી ધર્મકરણી કરવા લાગી. કયારેક કયારેક તે અભયકુમારને પણ મળતી. થોડો સમય વીત્યા બાદ તે પાખંડી શ્રાવિકાએ એક દિવસ અભયકુમારને પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રણ મોકલ્યું. શ્રાવિકા સમજીને અભયકુમારે નોતરું સ્વીકારી લીધું. વેશ્યાએ ખાવા લાયક દરેક વસ્તુઓમાં નશા ચડે એવો પદાર્થ નાખ્યો હતો. તે વસ્તુને આરોગતા આરોગતા જ અભયકુમાર મૂર્છિત થઇ ગયો. ગણિકા આ પળની જ રાહ જોઇ રહી હતી. તેણીએ વિલંબ કર્યા વગર અભયકુમારને પોતાના રથમાં નાંખીને ઉજ્જયિની જઇને ચંદ્રપ્રદ્યોતન રાજાને સોંપી દીધો.
અભયકુમારને જોઇને રાજા હર્ષિત થયો. અભયકુમાર જ્યારે હોશમાં આવ્યો ત્યારે વ્યંગમાં પરિહાસ પૂર્વક રાજાએ કહ્યું કેમ બેટા! ધોખાબાજીનું ફળ મળી ગયું ને? કેવી ચતુરાઇ કરીને મેં તને અહીં પકડી મંગાવ્યો?
અભયકુમારે જરા પણ ગભરાયા વગર અને નિર્ભયતાપૂર્વક કહ્યુ માસા! આપે તો મને બેહોશીમાં રથમાં નાખીને અહીં મંગાવ્યો છે, પરંતુ હું તો આપને હોશપૂર્વક રથમાં બેસાડીને જૂતાનો માર મારતો રાજગૃહમાં લઇ જઇશ. રાજાએ અભયકુમારની વાતને ઉપહાસ સમજીને ટાળી નાંખી અને અભયકુમારને ત્યાં જ રાખી લીધો. પરંતુ અભયકુમારે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. તે મોકાની રાહ જોતો હતો.
થોડા દિવસ વ્યતીત થવા પર અભયકુમારે એક યોજના બનાવી. યોજના અનુસાર એક એવી વ્યક્તિની ખોજ કરી કે જેનો અવાજ બિલકુલ ચંદ્રપ્રદ્યોતન રાજા જેવા જ હતો. એવી ગરીબ વ્યક્તિને બહુ મોટા ઇનામની લાલચ આપીને પોતાની પાસે રાખી લીધો અને પોતાની યોજના તે માણસને અભયકુમારે સમજાવી દીધી.
એક દિવસ એ ગરીબ માણસને અભયકુમારે રથમાં બેસાડયો અને નગરના મધ્ય ભાગમાં તેના મસ્તક પર જૂતાનો માર મારતો મારતો અભયકુમાર નીકળ્યો. જૂતાનો માર ખાનાર બૂમાબૂમ કરતો હતો કે અભયકુમાર મને જૂતાથી મારે છે માટે મને બચાવો... બચાવો... પોતાના રાજા જેવો અવાજ સાંભળીને લોકો દોડીને પેલા માણસને છોડાવવા માટે ત્યાં આવ્યા. તેઓને જોઇને જૂતા મારનાર અને જૂતા
131
Page #156
--------------------------------------------------------------------------
________________
ખાનાર બંને ખડખડાટ હસી પડ્યા. અભયકુમારનો ખેલ જોઈને લોકો ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. અભયકુમારે નિરંતર પાંચ દિવસ સુધી આ પ્રક્રિયા કરી, તેથી ત્યાર પછી બજારના લોકો કુમારની આ ક્રીડા સમજીને હસતા હતા પરંતુ કોઇ પણ માણસ તેને છોડાવવા માટે જતા નહિ.
છઠ્ઠા દિવસે મોકો જોઇને અભયકુમારે રાજા ચંદ્રપ્રદ્યોતનને બાંધી લીધા અને બળપૂર્વક રથમાં બેસાડીને તેના શિર પર જૂતા મારતો તે મધ્ય બજારથી નીકળ્યો. રાજા બૂમાબૂમ કરે છે. “અરે! દોડો! પકડો! અભયકુમાર મને જૂતા મારતો મારતો લઈ જાય છે. લોકોએ જોયું પણ પ્રતિદિનની જેમ અભયકુમારનું મનોરંજન સમજીને હસતા હતા. કોઈ પણ રાજાને છોડાવવા ન ગયા. એ રીતે નગરની બહાર નીકળીને અભયકુમારે પવન વેગે રથને દોડાવ્યો. રાજગૃહ આવીને જ દમ લીધો. યથા સમયે તે પોતાના પિતાની સમક્ષ ચંદ્રપ્રદ્યોતનને ઉપસ્થિત કર્યો. ચંદ્રપ્રદ્યોતન અભયકુમારના ચાતુર્યથી માર ખાઈને અત્યંત લજ્જિત થયો. લજ્જિત વદને તે શ્રેણિક રાજાના પગમાં પડ્યો અને પોતે કરેલા અપરાધની ક્ષમા માંગી. રાજા શ્રેણિકે તે ક્ષણે ચંદ્રપ્રદ્યોતનને ક્ષમા આપી, પછી રાજસી સન્માન પ્રદાન કરીને ફરી ઉજ્જયિનીમાં પહોંચાડી દીધો. ત્યાં તે પોતાનું રાજ્ય ન્યાયપૂર્વક કરવા લાગ્યો. રાજગૃહ નગરના લોકોએ અભયકુમારની મુક્ત કંઠે પ્રશંસા કરી. આ અભયકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨) ચાણક્ય - પાટલિપુત્રના રાજા નિંદે કુપિત થઈને એકવાર ચાણક્ય નામના બ્રાહ્મણને પોતાના નગરથી બહાર નીકળી જવાની આજ્ઞા આપી. ચાણક્ય સંન્યાસીનો વેષ ધારણ કરીને ત્યાંથી રવાના થયો. ફરતા ફરતા તે મૌર્ય દેશમાં પહોંચ્યો. ત્યાં એક ગામમાં કોઈ એક ક્ષત્રિયાણીને ચંદ્રપાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો. દોહદ પૂર્ણ ન થવાથી ક્ષત્રિયાણી દિન પ્રતિદિન દૂબળી થવા લાગી. તેના પતિએ પત્નીને પૂછ્યું તું દૂબળી કેમ દેખાય છે? કાંઈ દઈ થયું હોય તો વાત કર. પત્નીએ દોહદની વાત કરી. તેણીની વાત સાંભળીને તેનો પતિ પણ ચિંતામાં પડી ગયો. તેણીની આ ઈચ્છા હું કઈ રીતે પૂર્ણ કરી શકીશ? દોહદ પૂર્ણ નહિ થવાથી તેણી અતિ દૂબળી થવા લાગી. તેનો પતિ વિચાર કરે છે કે જો આ સ્ત્રીનો દોહદ પૂર્ણ નહિ થાય તો તે મરી જશે. આ અરસામાં સંન્યાસી ચાણક્ય ફરતો ફરતો એ ગામમાં આવ્યો. તે સમયે ક્ષત્રિય ઘરની બહાર ઉદાસ બેઠો હતો. ચાણક્ય તેની ઉદાસીનું કારણ પૂછ્યું. ક્ષત્રિયે તેની પત્નીના દોહદની વાત બતાવી. એ વાત સાંભળીને ચાણક્ય કહ્યું- હું તેણીની ઈચ્છા પૂર્ણ કરી દઈશ.
ચાણક્ય તે સ્ત્રીની ઇચ્છા પૂર્ણ કરવા માટે નગરની બહાર એક તંબૂ બનાવ્યો.
132
Page #157
--------------------------------------------------------------------------
________________
તેની ઉપર એક ચંદ્રાકાર છિદ્ર બનાવ્યું અને પૂર્ણિમાની રાત્રિએ છિદ્રની નીચે એક થાળીમાં પેય પદાર્થ રાખી દીધો. તે દિવસે ત્યાં એક મહોત્સવ રાખેલ હતો, એમાં ક્ષત્રિય અને ક્ષત્રિયાણીને પણ બોલાવ્યા. જ્યારે ચંદ્ર તે છિદ્રની ઉપર આવ્યો ત્યારે તેનું પ્રતિબિંબ થાળીમાં પડ્યું. તે જ સમયે ચાણક્ય કહ્યું-બહેન! આ થાળીમાં ચંદ્ર છે તેનું પાન કરીલો. ક્ષત્રિયાણીએ એ પેય પદાર્થનું પ્રસન્નતા પૂર્વક પાન કર્યું. જે ક્ષણે તેણી એ ચંદ્ર પીધો તે જ ક્ષણે ચાણક્ય છિદ્ર ઉપર એક કપડું ઢાંકી દીધું. જેથી ચંદ્રનો પ્રકાશ આવવો બંધ થઇ ગયો. ક્ષત્રિયાણી ચંદ્રનું પાન કરીને ખુશ થઈ ગઈ. તેણીની ઇચ્છા પૂર્ણ થવાથી તે શીધ્ર સ્વસ્થ બની ગઈ. અને સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. સમય થવા પર ચંદ્ર સમાન તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. બાળક ગર્ભમાં આવ્યો ત્યારે માતાને ચંદ્રનો દોહદ ઉત્પન્ન થયો હતો. તેથી તેનું નામ “ચંદ્રગુપ્ત રાખ્યું. ચંદ્રગુપ્ત જ્યારે જુવાન થયો ત્યારે પોતાની માતાને ચંદ્રપાન કરાવનાર ચાણક્યની સહાયતાથી રાજા નંદને મારીને પાટલિપુત્રનો રાજા બની ગયો અને ચાણક્યને પોતાનો મંત્રી બનાવ્યો. આ ચાણક્યની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
આ પ્રમાણે ચારે બુધ્ધિ ઓત્પાતિકી, વૈનચિકી, કર્મના અને પારિણામિકીના દષ્ટાંતો વર્ણવ્યા છે.
પહેમચરિયું વીર સિધ્ધિ પામ્યા પછી પાંચસો ને ત્રીસ વર્ષ વીત્યા પછી આ ચરિત રચાયું હતું. આ ચરિત ૧૦ હજાર શ્લોક પ્રમાણ અને ૧૧૮ ઉદેશ-પર્વમાં વિભક્ત કરેલ છે. પઉમચરિયું ગ્રંથ વિશે વિદ્વાન પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી કહે છે કે,
આચાર્ય શ્રી વિમલસૂરિએ જણાવ્યા મુજબ પ્રથમ વીર જિને પછી ગૌતમસ્વામીએ મગધ દેશના મહારાજા શ્રેણિક આગળ આ રામચરિતને પ્રકાશિત કર્યું હતું. લોક પ્રચલિત રામાયણની ઘણી માન્યતાઓ યથા યોગ્ય નથી. તેનું વાસ્તવિક સ્વરૂપ જુદા પ્રકારે જણાવ્યું હતું.'
આગામોધ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી હેમસાગરસૂરીજી પઉમચરિયું વિશે કહે છે કે, “ઈતર મતના રચાયેલા રામાયણોમાં આવતા વિસંવાદી, અસંગત અને સંદેહોત્પાદક વૃત્તાન્તોના યથાર્થ અવિસંવાદી અને નિઃસંદેહ સ્વરૂપને જણાવવા પૂર્વક આ પ્રાકૃત પદ્યમય અલંકારિક વિવિધ વર્ણનો અને વૃત્તાન્તોથી યુક્ત ચરિત્રની રચના કરેલી છે. સહુથી પ્રથમ ચરિત્ર અને ચરિત્રકાર થયા હોય તો આ ચરિત્ર અને ચરિત્રકાર છે. ચરિત્રકારે રોચક શૈલીથી ૧૧૮ વિવિધ ઉદ્દેશા, પર્વો અને અધિકારોમાં કુલકરો, ઋષભદેવ, સગર, મન્દોદરી, ભુવનાલંકાર હાથી,
133
Page #158
--------------------------------------------------------------------------
________________
સુગ્રીવ, વાલી, અષ્ટાપદ-ક્ષોભ, દશરથ, જનક, સીતા, ભૂતશરણમુનિ, જટાયુપક્ષી, શબૂક, વિભીષણ, કુંભકર્ણ, ઇન્દ્રજિત, રામ, લક્ષ્મણ, ભામંડલ, વિશલ્યાકન્યા, રાવણવધ, નારદ, ભરત અને તેનો હાથી સાથે સંબંધ, સીતા-નિર્વાસન, તેની કઠોર તપશ્ચર્યા, દીક્ષા, લક્ષ્મણનું મૃત્યુ, રામવિલાપ, લવણ-અંકુશના તપ, હનુમાનની દીક્ષા, રામનિર્વાણ વગેરે મુખ્ય પાત્રોના વર્તમાન, ભૂત અને ભાવી ભવો, એમણે બાંધેલા શુભાશુભ કર્મના ભોગવટાઓ કેવી રીતે ભોગવ્યા. વચમાં સંવેગોત્પાદક ધર્મદેશના. તે કાળે ચાલતા જાણવા યોગ્ય રીત-રિવાજો, અનેક પ્રકારના રસપૂર્ણ વર્ણનો આલેખ્યા છે. વળી આ ચરિત્રમાં અનેક રાજા-રાણીઓ, કુંવર-કુંવરીઓ, પ્રધાનો, શ્રેષ્ઠીઓ આદિની સંખ્યાબંધ દીક્ષાઓ અને નિર્વાણો થયા છે. ચરિત્રનાયકના સમયમાં વીશમાં શ્રી મુનિસુવ્રતસ્વામી તીર્થકર ભગવંતનું શાસન પ્રવર્તતું હતું. તેમના શાસનમાં ગામોગામ જિનમંદિરો હતા. તેમાં નિરંતર મહોત્સવાદિ પૂજા-પ્રભાવનાઓ થતી હતી. /૧
આ ચરિત્ર વાંચનારને માર્ગ પ્રાપ્તિ, સમ્યત્વ, દેશ-સર્વવિરતિ યાવત્ મનુષ્યભવ સફલ કરવાની સામગ્રી નક્કી પ્રાપ્ત થાય છે. ગ્રંથકારે છેવટમાં (પત્ર ૪૮૦) કહેલ છે, તે પ્રમાણે ઇચ્છિત મનોરથની સફલતા થાય છે અને દુર્ગતિના માર્ગનો નાશ થાય છે. પઉમચરિયું વિશે વિદ્વાન હીરાલાલ ૨. કાપડિયા કહે છે કે,
પઉમચરિયમાં સીતાપતિ રામની કથા રજૂ કરાઈ છે. “પઉમ” એ પાઇય-પ્રાકૃત શબ્દ છે અને એને માટેનો સંસ્કૃત શબ્દ “પા” છે. પાઇયસમહષ્ણવમાં પઉમ શબ્દના વીસ અર્થો આપ્યા છે. આ પૈકી ૧૧ અર્થો સચેતન પદાર્થોના-વ્યક્તિઓના નામરૂપ છે. ૧. સીતાપતિ રામચંદ્ર, ર.વાસુદેવ કૃષ્ણના વડિલબંધુ-બલરામ, ૩. આ અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલા એક ચક્રવર્તી રાજા પક્વોતરના પુત્ર, ૪.એક નૃપતિ, પ.માલ્ય પર્વતના અધિષ્ઠાયક દેવ, ૬.ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ઉત્પન્ન થનારા આઠમા ચક્રવર્તી, ૭.ભરતક્ષેત્રના ભાવિ આઠમા બલદેવ, ૮.શ્રેણિક નરેશ્વરનો એક પૌત્ર, ૯. એક જૈન મુનિ, ૧૦.પદ્મવૃક્ષના અધિષ્ઠાયક દેવ, ૧૧.મહાપા નામના જિનદેવ પાસે દીક્ષા લેનાર એક નૃપતિ."/>
રામાયણ ગુણરત્નસૂરિ “જૈન રામાયણ ગ્રંથ” પ્રસ્તાવના લખતા જણાવે છે કે,
પાછળની ઘણી સદીઓથી ભારતના જ નહિ, પરંતુ સંપૂર્ણ વિશ્વના જન સામ્રાજ્યના હદયમાં જેટલો પ્રભાવ રામાયણ અને મહાભારતનો રહ્યો છે, તેટલો બીજા કોઈ ગ્રંથનો દેખાતો નથી. ભારતીય વ્યક્તિ પછી ભલે તે કોઈપણ પ્રાંતનો
134
Page #159
--------------------------------------------------------------------------
________________
હોય, કોઈ પણ ધર્મ સંપ્રદાયથી જોડાયેલ હોય, શહેરી હોય કે ગામડિયો, સુશિક્ષિત હોય કે અભણ, તે રામાયણથી પરિચિત હોય જ છે. રામાયણે આપણા નુતન સાહિત્ય વગેરેને અત્યંત પ્રભાવિત કર્યું છે. વિદ્વાનોનું કહેવું છે કે વાલ્મિકી રામાયણના પૂર્વે પણ અનેક રામકથાઓ પ્રચલિત હતી. જેને મૌખિક પરંપરાએ જીવિત રાખી હતી. વાલ્મિકી રામાયણમાં પણ અનેક પ્રતિભાશાળીઓએ પોતાની બુધ્ધિ પ્રમાણે કાંઈક ઉમેરી નવી વિવેચના કરી છે. આવા યોગદાનથી રામાયણ પહેલા કરતા પણ રોચક બની છે.”N
વાલ્મિકીની સાથે “તુલસી રામાયણ” (વ્રજભાષા), દુર્ગાવર કૃત “મીતરામાયણ” (બંગાલી), દિવાકર ભટ્ટ કૃત ‘રામાયણ” (કાશમીરી), એકનાથ કૃત ભાવાર્થ રામાયણ (મરાઠી), કંપન કૃત પંપા રામાયણ (કન્નડ), વગેરે કેટલાક એવા ગ્રંથો છે કે જે પ્રાંતીય ભાષામાં લખાયેલ છે. જેનું અંતરંગ તો લગભગ વાલ્મિકી રામાયણ જેવું જ છે પરંતુ બહિરંગમાં એમના કર્તાઓની પ્રતિભાશક્તિના અગણિત આવિષ્કારોનો અનુભવ કરી શકાય છે.
ભારતમાં યુગો યુગોથી ચાલી આવતી મૌલિક જૈન સંસ્કૃતિએ આર્ય સંસ્કૃતિને એક નવું અને અનોખું યોગદાન આપ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની આગ્રહી જૈન ધર્મ સંસ્કૃતિ ભારત અને બીજા કેટલાક દેશોમાં મળે છે. જૈન સંસ્કૃતિએ રામાયણને અનન્ય મહત્વ આપ્યું છે.
જેન સંસ્કૃતિ પ્રમાણે રામાયણનો સમય લગભગ પોણા બાર લાખ વર્ષ પૂર્વે ભગવાન મુનિસુવ્રત સ્વામી થયા. એમની જ પરંપરામાં સુવ્રતમુનિ થયા. તેમના સાન્નિધ્યમાં રામચંદ્રજીએ સાધના કરી હતી. આમ, પોણા બાર લાખ વર્ષ પૂર્વે રામ, લક્ષ્મણ, સીતા વગેરે થયા એવું કેટલાક વિદ્વાનો માને છે. પાછળથી ભગવાન મહાવીરે કેવળજ્ઞાન વડે આ રામાયણના પ્રસંગોને જોયા અને એ પ્રસંગોને તેમના શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ સૂત્રરૂપે રચ્યા. તે પછી પરંપરાએ આ જૈન રામાયણ આચાર્ય શ્રી વિમલસૂરિ પાસે આવી. એમણે ૧૯૫ વર્ષ પૂર્વે પ્રાકૃત ભાષામાં પઉમચરિય નામના ગ્રંથની રચના કરી. તેમજ ૯૦૦ વર્ષ પૂર્વે ત્રિષ્ટિશલાકા વગેરે ગ્રંથોની રચના થઈ.
જૈન રામાયણની વિશેષતા કઈ ઘટનાઓથી કોણ વૈરાગ્ય પામી આત્મકલ્યાણ સાધે છેઃ
૧.દશરથના પિતા રાજા અનરણ્ય મિત્રના સંદેશથી.
135
Page #160
--------------------------------------------------------------------------
________________
૨.વૃધ્ધ કંચુકીને જોઈ રાજા દશરથ. ૩.રાવણનું મૃત્યુ જોઈને વૈરાગી બનેલા કુંભકર્ણ, ઇન્દ્રજીત, મેઘવાહન, મંદોદરી. ૪.પિતાશ્રીની દીક્ષાથી ભરત. પ.પુત્રનો વૈરાગ્ય જોઈને કેકેયી. ૬. સંસાર સુખની અસારતા સમજીને સીતાજી. ૭.સૂર્યાસ્તને જોઈ હનુમાનજી. ૮.લક્ષ્મણનું મૃત્યુ જોઈને લવ-કુશ. ૯.દેવના પ્રતિબોધથી રામ. ૧૦.રામની દીક્ષા સાંભળીને શત્રુઘ્ન. ૧૧.લક્ષ્મણની ઉત્તરક્રિયાથી જાગૃત થયેલા સુગ્રીવ, બિભીષણ આદિ.
આમ રામાયણને દીક્ષાની ખાણ કહેવાય છે. યુવા વર્ગ આ ગ્રંથમાં છળકતા વીરરસ અને વૈરાગ્યરસથી પ્રેરણા પ્રાપ્ત કરી શકે છે. પાપ કાર્યને રોકવા માટે રામચંદ્રજી અને લક્ષ્મણજી ડર્યા ન હતા. વર્તમાનકાળ રામાયણથી કાંઈ વિશેષ ભિન્ન નથી. પાપી અને અધમ મનોદશા રાખનાર વ્યક્તિઓને રોકવા અને સદાચારની રક્ષા માટે પ્રયત્ન કરવો જોઇએ.
કેટલાકે બુધ્ધિજીવીઓ એમ માને છે કે જેના સિધ્ધાંતોમાં અહિંસાને અનાવશ્યક મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી જૈન ક્ષત્રિયો પોતાના ધર્મ સિધ્ધાંતોનો સ્વીકાર કરીને ક્ષાત્રધર્મથી દૂર થતા જાય છે. પરંતુ એમની ધારણા ખોટી છે. કારણકે રામલક્ષ્મણ, સીતાના શીલ ધર્મની રક્ષા મટે અપરાધી રાવણના વિરુધ્ધ યુધ્ધ કર્યું જ હતું. અન્યાય, અનૈતિકતા, અસદાચારના વિરોધમાં આવશ્યકતા અનુસાર યુધ્ધનો સંદેશ આપનાર જૈન સિધ્ધાંતનું આ પાસુ રામાયણમાં પ્રગટરૂપે દેખાય છે. માતૃપ્રેમ - બધા પથંત્રોની મૂલ-સૂત્રધાર કૈકેયીને પણ વનવાસ જતી વખતે રામચંદ્રજી પ્રણામ કરે છે. ઓરમાન માતા કૈકેયી પ્રત્યે પણ તે સગી માતા જેવો વ્યવહાર કરે છે. ભાતૃપ્રેમ:- ભાતૃભક્ત લક્ષ્મણ ઘર છોડી રામને અનુસરે છે. અને ભરત પણ ઘણા કાળ સુધી ઇચ્છા ન હોવા છતાં શ્રીરામના આદેશને અનુસરીને રાજ્યનો પદભાર સંભાળ્યો.
136
Page #161
--------------------------------------------------------------------------
________________
સતી સીતા - એક બાજુ રાજવૈભવને ત્યાગીને રામની સાથે નીકળેલી સીતા, તો બીજી બાજુ સીતાજી તરફ આકર્ષિત થયેલા પતિનો પ્રેમનો સંદેશ લઈને સીતાજી સમક્ષ આવનારા મંદોદરી છે. આદર્શ સાસુ - રામને વનવાસની અનુમતિ આપતી વખતે કૌશલ્યાને જે દુ:ખ થયું હતું એનાથી અનેકગણું અધિક દુ:ખ સીતાને અનુમતિ આપતા થયું હતું. તે આપણી સામે સાસુનું આદર્શ દૃષ્ટાંત પૂરું પાડે છે. ચમત્કારો:- બાળકો માટે આકાશગામી વિદ્યાધર, શિતાદિવ્ય, કૃત્રિમાકૃત્રિમ સુગ્રીવ, જટાયુદેવ, અતુલ શક્તિશાલી અને વિનમ્ર હનુમાન, ચમત્કારોના સર્જક વિવિધ દેવ વગેરે પાત્રો અદ્ભુત આકર્ષણ ઊભું કરે છે. શ્રીરામ પ્રત્યે એમનું શું ઋણાનુબંધ હશે કે દેવલોકના વિભિન્ન સ્તરોથી જટાયુ વગેરે દેવો પૃથ્વી ઉપર ખેંચાઈ આવતા હતા. રામાયણના પ્રત્યેક પાત્ર ઉપર એક સ્વતંત્ર ગ્રંથ લખી શકાય એવી વિશેષતા એકએક પાત્રમાં ભરી પડી છે.
આમ, યુવા પેઢી રામાયણના પાત્રોના જીવન વડે નવા ધ્યેય અને આદર્શોના નિર્માણનું કાર્ય કરી શકે છે. રામાયણના દરેક પાત્રનું ભાષણ, સંભાષણ, મૌન, ક્રિયા, પ્રક્રિયા અને ધર્મસાધના આપણા માટે બોધકારક બને છે. રામાયણમાં વિમાનશાસ્ત્ર અને શસ્ત્રાસ્ત્રોનો ઉલ્લેખ પણ મળે છે. તેમાં રાજા મધુની પાસે અમરેન્દ્ર આપેલો પ્રક્ષેપાસ્ત્ર પણ શામિલ છે. જે લગભગ તેરહજાર કિ.મી. દૂર જઈને પ્રહાર કરીને ફરી ફરી પોતાના સ્વામી પાસે આવી જતું. આ જ ગ્રંથોના અભ્યાસ થકી કદાચ વિદેશી વૈજ્ઞાનિકોએ અનેક અન્વેષણ કર્યા હશે.
રામાયણનું અધ્યયન કરવાથી કઈ કઈ રીતે ફાયદો થાય છે અને યુવા પેઢી તેનો કયાં કેવી રીતે ઉપયોગ કરે છે -
અત્યારના આધુનિક યુગમાં આપણા વધતા તનાવ અને સામાજિક તનાવથી મુકાબલો કરવાનું શીખવે છે.
સીતાના વિરહઅગ્નિમાં બળતા રામે પોતાનું દુ:ખ ભૂલી જઇ જટાયુ, સુગ્રીવ આદિની સહાય કરી. સામાજિક સંબંધોની શિથિલતા જે અત્યારે વધતી જાય છે તેની સામે દઢતા પ્રદાન કરી છે.
રામાયણનો સાદ આપણા રક્તપ્રવાહની અંદર વહે છે અને હૃદયની ધડકનોમાં સંભળાય છે.
આજનું જીવન જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુસરણ કરી રહ્યું છે, ટી.વી. તેમજ
137
Page #162
--------------------------------------------------------------------------
________________
મોબાઇલ, આઈફોન, ટેબલેટ જેવી આધુનિક ટેકનોલોજી દ્વારા ઉપભોક્તાવાદનું નિર્માણ થઈ રહ્યું છે. વ્યક્તિ સ્વાર્થી બની રહી છે. આ.ગુણરત્નસૂરિએ નીચેના ગ્રંથોના આધારે જૈન રામાયણ લખી છે. કર્તા
સમય
ગ્રંથ શિવભક્ત કાલિદાસ
રઘુવંશ(પ્રાકૃત) રેવરંસ ફાધર કામિલ બુલ્ક ઈ.સ.૧૯૫૦ રામકથા(હિંદી) હેમચંદ્રસૂરિ
૧રમો સેકો સપ્તસંધાન કાવ્ય સ્વયંભૂ-ત્રિભુવન
ઈ.સ.૮મી
પઉમ ચરિવું
સદીના મધ્યકાળ ક.સ.હેમચંદ્રસૂરિનો શિષ્ય
સિયાચરિય રામચંદ્ર ક્ષમાશ્રમણ મવાદી (લુપ્ત ગ્રંથ)
રામાયણ દેવવિજયગણિ
ઈ.સ.૧૫૯૬
રામચરિત્ર કૃષ્ણદાસ
ઈ.સ.૧૫૮ પુણ્યચંદ્રોદય પુરાણ મેઘવિજય
ઈ.સ.૧૭૫૦ પછી લઘુ ત્રિષષ્ટિ મેઘવિજય
ઇ.સ.૧૭૫૦ પછી સપ્તસંધાન કાવ્ય ક.સ.હેમચંદ્રસૂરિ
ઇ.સ.૧રમો સેકો
યોગશાસ્ત્ર
સ્વોપ્રજ્ઞવૃત્તિ હરિર્ષણ
ઇ.સ.૯૩૧-૨ બૃહદ્ કથાકોષ દિગંબર કવિ રવિણ આચાર્ય ૭૩૪
પચરિત(પ.ચ.નું સંસ્કૃત)
૧૨૩ પર્વો (૧૮૦૦ શ્લોકપ્રમાણ) વિમલસૂરિ
પઉમચરિયું (૧૦૦૦
શ્લોકપ્રમાણ ૧૧૮ઉદેશા પર્વ) શીલાચાર્ય
ચઉપન મહાપુરુષ ચરિત્ર
(૧ર૬૦૦શ્લોકપ્રમાણ) ગુણભદ્ર કવિ (દિ.)
સં.૯૫૫
ઉત્તરપુરાણમાં મહાકવિ પુષ્પદંત(દિ.). ૧૧મી સદી તિસદ્ધિ મહાપુરિસ ગુણાલંકાર
૯૨૫
138
Page #163
--------------------------------------------------------------------------
________________
ડૉ.હેલન.એમ.જોહન્સને
ત્રિષષ્ટિના ૧૦૫ર્વનું અંગ્રેજી (અમેરિકન વિદુષી)
કર્યું છે. જેમાં ૭માં પર્વમાં જૈન
રામાયણનો ઉલ્લેખ છે. રામચંદ્રસૂરિ
રાઘવાળ્યુદય, રઘુવિલાસ શ્રી જૈન તપાગચ્છના ૧૭મી સદી
રામચરિત મુનિ દેવવિજયજી કૃતસંસ્કૃત ગદ્યમાં) આનંદસાગરસૂરિ
સં.૧૯૭૦
મૂળ પઉમચરિયું (પ્ર.પ્રકાશ) લાલચંદ્ર ભગવાન ગાંધી સં.ર૦૦૭
જૈન સત્યપ્રકાશ માસિક (વર્ષ-૧૭ અંક-૧)
અમદાવાદમાં જૈન રામાયણનો લેખ શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય સં.૧૯૯રમાં પઉમચરિયું ગ્રંથ પર લેખ આપેલ
છે. (આત્માનંદ જન્મશતાબિકા
સ્મારક ગ્રંથમાં છે.) આજે જે એમ.બી.એ., એજીન્યરીંગ, સી.એ. વગેરે જેવી ડીગ્રીની જરૂર પડતી. જ્યારે રામાયણમાં વગર ડીગ્રીએ અને ટેકનોલોજીએ મેનેજમેન્ટ થતું અને આદર્શ જીવન બનતું દેખાય ત્યારે રામાયણ વિકટ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ જીવનનું માર્ગદર્શન પુરું પાડે છે.
મુનિસુવ્રતસવામીના સમયમાં બનેલી આ ઘટના ગણધરો દ્વારા ગૂંથાઈ અને મધ્યકાલીન યુગમાં નીચેના ગ્રંથો લખાયા અને પ્રચલિત થયાં જેમાં રામાયણનો ઉલ્લેખ છે. વિમલસૂરિ ૧૯૯૫ વર્ષ પૂર્વે વી.સં.૫૩૦ પઉમચરિયું
(સૌથી પ્રખ્યાત) ક.સ.હેમચંદ્રાચાર્ય ૯૦૦ વર્ષ પૂર્વે ૧૨મો સૈકો ત્રિષષ્ટિ શલાકા પુરુષ
(૭મું પર્વ) પ.પૂ.સંઘદાસગણિ મ.સા. વિ.સં.૭૩૨(૮મી સદી) વસુદેવહિંડી
(સૌથી પ્રાચીન) પ.પૂ.ગુણભદ્ર મ.સા. ઇ.સ.૯મી સદી
ઉત્તરપુરાણ(પર્વ ૬૮) પ.પૂ.ભદ્રેશ્વર મ.સા. ૧૧મો સેકો
કથાવલિ પ.પૂ.રવિસેન મ.સા. ઇ.સ.૬૭૮
પદ્મપુરાણ પ.પૂ.સ્વયંભૂ મ.સા. ૮મી સદી
મહાપુરાણ
139
Page #164
--------------------------------------------------------------------------
________________
પ.પૂ.કૃષ્ણદાસ મ.સા.
પુણ્યચંદ્રોદયપુરાણ પ.પૂ.ધનેશ્વર મ.સા. ૧૪મો સેકો.
શત્રુંજય મહાભ્ય
(સર્ગ-૯) પ.પૂ.શીલાંકાચાર્ય ઇ.સ.૮૬૮
ચોવનમહાપુરુષચરિયું મધ્યકાલીન યુગ પછી આધુનિક યુગમાં જૈનેતર રામાયણ ઉપરથી નાટકો, સિરિયલો બન્યા અને હાલના અર્વાચીન યુગમાં તો મેસેજમાં અને પ્રોજેક્ટમાં(સ્ટડીમાં) રામાયણનો આધાર લેવાય છે. અલગ અલગ રામયણોની વિભિન્ન ઘટનાઓનો સમન્વયઃ૧. કોઈ રામાયણ કર્તા કહે છે સીતાજીએ અશોક વાટિકામાં સફેદ ફૂલ જોયા, તો બીજી કોઇએ જણાવ્યું કે લાલ ફૂલ જોયા. આ વિવાદમાં પડ્યા વગર જો હકીકતનો સમન્વય કરતા એમ પણ બની શકે કે વિરહાગ્નિથી રોઈ રોઈને પણ લાલ જણાયા હોય. વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે સીતાજીને આવી સુગંધી વાતાવરણમાં પણ આનંદનો અનુભવ નહોતો થતો. આ આદર્શ સમજવો જોઈએ. ૨. કોઈ રચનાકાર એક જ પત્ની દર્શાવે છે. તો બીજા ઉત્તરપુરાણ, મહાપુરાણ, પઉમચરિયું વગેરેમાં બહુપત્નીઓ બતાવવામાં આવી છે. વિવાદમાં ન ઉતરતા પત્નીના પતિ પ્રત્યેના સમર્પણભાવને આદર્શ સમજવો જોઈએ. ૩. કોઈ રચનાકારે રામને નીલવર્ણવાળા અને લક્ષ્મણને ગૌરવર્ણવાળા દર્શાવ્યા છે.
જ્યારે બીજા ઉત્તરપુરાણ, પઉમરિયમાં અનાથી વિરુધ્ધ વર્ણવાળા બતાવ્યા છે. આવી ચર્ચામાં પડ્યા વગર તેમના ભાતૃપ્રેમ, અદ્ભુત પરાક્રમોનો વિચાર કરવો જોઇએ. ૪. કોઈ હનુમાનજીને બાલબ્રહ્મચારી બતાવે છે તો કોઈ ના પાડે છે. પરંતુ બધા જ તેમના શ્રેષ્ઠ પરાક્રમ તથા રામચંદ્રજી પ્રત્યેના ભક્તિભાવની પ્રશંસા કરે છે. આ આદર્શ છે તેમ વિચારવું જોઈએ. પ. કોઈ રામાયણકારે રામચંદ્રજીને શ્રેષ્ઠ અધ્યાત્મ પુરુષ બતાવ્યા છે તો બીજાના મતાનુસાર દીક્ષા લીધા પછી શ્રેષ્ઠ આધ્યાત્મિક પ્રવૃત્તિવાળા બન્યા. આ ચર્ચામાં પડ્યા વગર તેમના ઉત્તમ વ્યક્તિત્વને આર્દશ માનવો જોઈએ. ઘણા બધા સૂર્યવંશીઓએ સંયમ જીવન અપનાવ્યું છે. ૬. પઉમચરિયું પ્રમાણે રાવણનો વધ લક્ષ્મણના હાથે થયો નહિ કે બલરામ એવા રામથી. આ મતભેદનાં ચર્ચામાં પડ્યા વગર ખરાબ કર્મો કરવાથી ફળ ભોગવવું પડે
140
Page #165
--------------------------------------------------------------------------
________________
છે એ આદર્શ કેળવવો જોઇએ.
૭.
આ સિવાય ‘વાનર' એ વિદ્યાધરની જાત છે નહિ કે વાંદરો એમના ધ્વજ ઉપર ચિહ્નરૂપે હોય છે.
૮. કુંભકર્ણની ઘોર નિદ્રા અને અનુચિત આહારની વાત જે અજૈનોમાં કરી છે એની તીખી ટીપ્પણ વિમલસૂરિએ પઉમરિયમાં કરી છે.(પ.ચ. પાના નં ૨૦)
૯. સુવર્ણ મૃગની વાત કલ્પિત છે એવું કેટલાકનું માનવું છે. છતાં ચઉપન્ન મહાપુરિસ ચરિયંમાં એનો ઉલ્લેખ છે. (પ.ચ. પાના નં ૨૦)
૧૦. શીલની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલી સન્નારી(સીતા)ને લક્ષ્મણ દ્વારા મોકલવામાં આવી એ વાતનો વિરોધ કરતા વિમલસૂરિ પઉમચરિયું ગ્રંથમાં કહે છે કે કૃતાંતવદન નામના સેનાપતિ સીતાને વનમાં મૂકી આવ્યા. લક્ષ્મણે વનવાસનો વિરોધ કર્યો છે. (પ.ચ. પાના નં ૨૦)
આ મતભેદમાં બુધ્ધિજીવી વર્ગ એવું માને છે કે ગમે તેમ પણ રામે સગર્ભા (સીતાને) વનમાં મોકલી દીધા. એ અનુચિત કાર્ય લાગે છે. અને કોઇ ગ્રંથકારોએ રામના આ કૃત્યની કડક આલોચના કરી છે.
વિશેષ મતભેદોની ચર્ચા કરવા માટે તુલનાત્મક અભ્યાસ કરવો પડે જે સમય અને વિષયની મર્યાદાને કારણે કરવો શક્ય નથી. પઉમચરિયં ગ્રંથની પ્રસ્તાવનાના આધારે:
રાવણ વિશે માનવામાં આવે છે કે રાવણ વિવધ રૂપો ધારણ કરી શકતો હતો. રાવણે ૫૫ મહાવિદ્યાઓ પ્રાપ્ત કરી હતી. એના નામો પઉમચરિચંમાં પૃ.૬૧માં છે.
રાવણને અનેક પત્નીઓ હતી. જેમ કે મંદોદરી, છ હજાર વિદ્યાધર કન્યાઓ.
રાવણ-સુરસસુંદર, રાવણ-વૈશ્રમણ, રાવણ-ચમ, રાવણ-વાલી, રાવણસહસ્રકિરણ, રાવણ-નલકુબેર, રાવણ-વરુણ, લક્ષ્મણ-રાવણ, આદિ જોડે યુધ્ધ ખેલાયા.
રાવણની જિનભક્તિ- નસ કાઢીને વીણાના તૂટેલા તારને જોડ્યો. જેના કારણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
રાવણની પ્રતિજ્ઞા- અનંતવીર્ય નામના મુનિવર પાસે પોતે પ્રતિજ્ઞા લીધી હતી કે કોઇ પણ સ્ત્રી રૂપ રૂપના અંબાર ભલે હોય તો પણ તેના સમાગમાર્થે બળાત્કાર કરવો નહિ.
141
Page #166
--------------------------------------------------------------------------
________________
પૂ. આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિશ્વરજી મ.સા. રામાયણ વિશે કહે છે કે,
વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામાયણમાં જે વાતો આપણને વાંચવા નથી મળતી તેવી અનેક સત્ય અને વાસ્તવિક વાતો ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ગ્રંથમાં વાંચવા મળે છે. રાવણના જન્મથી માંડીને ચૌવનકાળ પર્યંતની અનેક અજાણી વાતો, રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપની અનેક રોમાંચક ઘટનાઓ હનુમાનમાતા અંજનાસુંદરીનું ભાવપૂર્ણ ચરિત્ર. આ બધું અન્યત્ર અપ્રાપ્ય, જૈન રામાયણ ગ્રંથોમાં વિસ્તારથી જાણવા મળે છે. આજે મનુષ્યને તત્ત્વગ્રંથો, ઉપદેશગ્રંથો કે ફિલોસોફીના ગ્રંથો કથા ગ્રંથો વાંચવા વધુ પ્રિય છે. વૃધ્ધ, યુવાન કે બાલ સહુને કથાઓ વાંચવી ગમે છે. જેવી કથા તેવો ભાવ વાચકના મનમાં પ્રગટે છે. રામાયણની કથા એવી મહાકથા છે કે તે વાંચનારા મનુષ્ય પર સુંદર પ્રભાવ પાડે છે. ૧૮૫
રામાયણને આધારે સતી સીતાઃ
કથાવસ્તુઃ- મિથિલા નામની નગરીમાં જનકરાજા રાજ્ય કરતો હતો. તેને વિદેહા નામની રાણી હતી. તેને ઘણા સમય પછી ગર્ભ રહ્યો. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણે બે બાળકોને જન્મ આપ્યો. પૂર્વભવના કોઇ એક વૈરી દેવ રાણીની સમીપમાં રહેલ બાળપુત્રનું હરણ કર્યું. તેને લઇ જઇને વૈતાઢ્ય પર્વત ઉપર વસેલા ચંદ્રગતિ નામના વિદ્યાધરના બગીચામાં કુમારને મૂક્યો. ચંદ્રગતિરાજાને પુત્ર ન હોવાથી તેણે આ બાળકુમારને પોતાની પાસે રાખ્યો અને તેનું નામ ભામંડળ રાખ્યુ. આ બાજુ પુત્ર ગુમ થવાથી રાજા-રાણીના શોકનો પાર ન રહ્યો. ચો તરફ શોધખોળ કરી છતાં પુત્ર ન મળવાથી ભાગ્યનો દોષ માની પુત્રી-સુખમાં જ આનંદ માની સમય વીતાવવા લાગ્યા. આ પુત્રીનું નામ સીતા. થોડા સમયમાં સીતા બાલ્યાવસ્થા વીતાવી કૌમાર્ચવસ્થાને પામી. એટલે તેને વિદ્યાચાર્ય પાસે ધાર્મિક, નૈતિક, વ્યવહારિક ઇત્યાદિ સર્વ પ્રકારની કેળવણી આપવામાં આવી. સીતા સુંદરતામાં શ્રેષ્ઠ હતી એટલું જ નહિ પણ ગુણમાં પણ તે સર્વોતમ હતી. હવે જનકરાજાને તેના લગ્નની ફીકર રહેવા લાગી. તેવામાં એકવાર બબર દેશના મલેચ્છ રાજાઓ જનકના રાજ્ય પર ચડી આવ્યા. ત્યારે જનક રાજાએ મિત્ર દશરથની સહાય માંગી. દશરથ રાજાના પુત્ર શ્રીરામચંદ્રજીને આ વાતની ખબર પડી એટલે લશ્કર લઇ મિથિલા જવા રામ-લક્ષ્મણ તૈયાર થયા. પોતાના અદ્ભુત બળે રામચંદ્રજીએ મલેચ્છોનો પરાજય કરી તેમને નસાડી મૂક્યા. રામચંદ્રજીના ગુણ, રૂપ, બુધ્ધિ જોઇ જનક રાજાએ સીતાજીના વિવાહ તેમની સાથે જ કરવાનો નિશ્ચય કર્યો. સીતાજીએ પણ રામચંદ્રજીને સર્વગુણ સંપન્નધારી તેમનુ હૃદય શ્રીરામને ચરણે સોંપ્યું.
142
Page #167
--------------------------------------------------------------------------
________________
ઠેર ઠેર સીતાજીના રૂપના વખાણ થવા લાગ્યા. આ વાતની નારદજીને ખબર પડતા તે સીતાને જોવા મિથિલા નગરીમાં આવ્યા અને સીધા મહેલમાં પેઠા. આ વખતે સીતાજી એકલા હતા. નારદજીની પીળી આંખો, પીળા વાળ, પીળા વસ્ત્રો આદિ જોઈ સીતાજી ગભરાયા અને ભયભીત બનીને બૂમ પાડી ઉઠયા. ત્યારે દાસીઓ ત્યાં દોડી આવી અને નારદજીની પીટાઈ કરી. નારદજી ત્યાંથી ભાગી છૂટયા અને ઉડીને વૈતાઢય પર્વત પર આવ્યા. તેમને ખૂબ ક્રોધ ચડયો. સીતાનું વેર લેવાનો નિશ્ચય કર્યો. સીતાજીનું આબેહુબ ચિત્ર બનાવી ચંદ્રગતિ રાજાના પુત્ર ભામંડળના મહેલમાં પ્રવેશ કર્યો. ભામંડળને સીતાજીનું ચિત્ર બતાવ્યું. તે મોહાંધ બન્યો અને સીતાને મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. આથી ચંદ્રગતિ રાજાએ જનકરાજાને પલંગ સહિત ઉપડાવી પોતાના મહેલમાં મૂકાવ્યો. જનક રાજા પાસે ભામંડળ માટે સીતાની માંગણી કરી. ત્યારે જનક રાજાએ કહ્યું કે સીતાજીએ દશરથ રાજાના પુત્ર રામચંદ્રજીને પોતાનું હદય સોંપ્યું છે. ત્યારે ચંદ્રગતિ રાજાએ એક ધનુષ આપ્યું અને કહ્યું કે બળદેવ અને વાસુદેવ જ ઉપાડી શકે એવા આ ધનુષને જે તોડે તેને તમારી પુત્રી પરણાવો. જનક રાજા કબૂલ થયા. સ્વયંવર મંડપ તૈયાર થઈ ગયો. રામચંદ્રજી અને લક્ષ્મણજી દશરથ રાજાની આજ્ઞા લઈને આવ્યા. સીતાજી હાથમાં પુષ્પોનો હાર લઈ સ્વયંવર મંડપમાં સખીઓ સાથે આવ્યા. એક પછી એક રાજાઓ ધનુષ ઉપાડવા જાય છે પણ ઉંચકી શકવા સમર્થ થતા નથી. છેવટે રામચંદ્રજી તે ધનુષ ઉપાડે છે. સીતાજી રામચંદ્રજી સાથે લગ્નથી જોડાય છે. જ્યોતિષી દ્વારા ભામંડળને કહેવામાં આવે છે કે સીતા તારી સગી બહેન છે. ત્યારે તે કુદષ્ટિ માટે સીતાજીની માફી માંગે છે અને ખૂબ પહેરામણી આપે છે. હવે રામચંદ્રજી સીતા સાથે અયોધ્યામાં પ્રવેશ કરે છે.
શાસ્ત્ર પ્રમાણે કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. શ્રવણ નામના આંધળા માબાપના એકના એક પુત્રનું અજાણ્ય બાણ મારી મૃત્યુ નીપજાવી દશરથે વૃધ્ધ માબાપને પુત્રનો વિયોગ કરાવ્યો તેવી જ રીતે દશરથને પણ પુત્ર વિયોગનો સમય થયો. દશરથની રાણી કૈકયીએ અગાઉ રણ સંગ્રામ વખતે રાજાનો રથ પોતાની આંગળી વતી ચલાવ્યો હતો અને રાજાને સંકટમાં સહાય કરી હતી. તેથી કૈકયી પર પ્રસન્ન થઈ દશરથ રાજાએ બે વચન માંગવા કહ્યું હતું. બરાબર સમય જોઈ કૈકયી દશરથ રાજા પાસે વચન માંગે છે. (૧)શ્રી રામચંદ્રજીને વનવાસ અને (ર)તેના પુત્ર ભરતને રાજ્યગાદી. પિતાનું દુઃખ જોઈ રામચંદ્રજી શરત મુજબ વચન પાળવાનું અને ખુશીથી વનવાસ સ્વીકારવાનું કબૂલ કર્યું. રાજ્યવૈભવ ત્યાગ કર્યો. સાથે લક્ષ્મણ અને સીતાજી પણ નીકળે છે. રાજા દશરથ તરત જ મૃત્યુને શરણ થઈ ગયા.
અનેક પહાડ પર્વતો વટાવતા તેઓ ચાલતા ચાલતા કેટલાક દિવસો બાદ દંડકારણ્યમાં આવી પહોંચ્યા. એક પર્ણકુટી બાંધી તેમાં વાસ કર્યો. ફળફળાદિ ખાઇને
143
Page #168
--------------------------------------------------------------------------
________________
ત્રણે જણા પ્રભુ ભક્તિમાં સમય વ્યતીત કરવા લાગ્યા.
લંકા નગરીના રાજા રાવણની વ્હેન શુર્પણખાને શંબુકના નામે પુત્ર હતો જે સૂર્યહાસ નામના ધનુષની સાધના કરવા માટે દંડકારણ્યમાં આવ્યો હતો. શંબુકને તપ કરતા બરાબર બાર વર્ષ અને છ દિવસ પસાર થયા હતા. માત્ર એક જ દિવસ બાકી હતો. તેની આસપાસ ચોમેર ઝાડીની ઘટા પ્રસરી ગઇ હતી. તે સમયે લક્ષ્મણ ફરતો ફરતો ઝાડીની થોડે દૂર આવી ઉભો હતો ત્યાં સૂર્યહાસ નામનું ધનુષ લક્ષ્મણ પાસે આવીને પડ્યું. લક્ષ્મણે ધનુષને અજમાયશ કરવા પેલી ઝાડી તરફ બાણ છોડ્યું. બાણ શંબુકના માથાની આરપાર ઉતરી ગયું. લક્ષ્મણે ત્યા જઇ જોયું તો ધ્યાનસ્થ યોગીનું માથુ કપાઇ ગયેલુ જોયું. લક્ષ્મણને ઘણો પશ્ચાતાપ થયો. રામચંદ્રને સઘળી વાત નિવેદન કરી. રામચંદ્રજીને પણ ઘણું દુ:ખ થયું.
આ તરફ શુર્પણખા પોતાના પુત્રના તપની મુદત પૂરી થતી હોવાથી હાથમાં ભોજનનો થાલ લઇ શંબુક પાસે આવી પહોંચી. શંબુકને મૃત્યુ પામેલો જોતા તેના ક્રોધનો પાર રહ્યો નહિ. ખૂનીની તપાસ કરતા ફરતી ફરતી રામચંદ્રજીની પર્ણકૂટીમાં આવી પહોંચી. રામચંદ્રજી અને લક્ષ્મણના મુખારવિંદ સામે તે ષ્ટિ કરે છે ત્યા બંનેના રૂપ પર મોહ પામી પોતાનો પ્રેમ સંપાદન કરવા માંગણી કરી. લક્ષ્મણ અને રામે તેનો તિરસ્કાર કર્યો. આથી ક્રોધિષ્ટ બની તે પોતાના ભાઇ રાવણ પાસે ચાલી ગઇ.
શુર્પણખા રાવણ પાસે જઇ તેના ભાણેજનું ખૂન કરનાર રાજાને લક્ષ્મણને યોગ્ય દંડ આપી વેરનો બદલો લેવા કહે છે. સીતાના સ્વરૂપનું વર્ણન કરી તેને રાવણની પટરાણી બનાવવાનું કહે છે.
શુર્પણખાના શબ્દોથી રાવણ ઉત્તેજિત થાય છે. પુષ્પક વિમાનમાં બેસી દંડકારણ્યમાં આવી પહોંચ્યો. દૂરથી નજર કરતા લક્ષ્મણ પર્ણકુટીમાં ન હતો. રામચંદ્રજી અને સીતાજી હતા. એટલે વિદ્યાના બળે દૂર ઉભા રહી લક્ષ્મણના જેવો સિંહનાદ કર્યો. એ સાંભળી રામચંદ્રજી બોલ્યા,‘નક્કી લક્ષ્મણ સંકટમાં લાગે છે.’’
તે એની મદદે એ દિશામાં જાય છે. તેટલામાં રાવણ પર્ણકુટીમાં સીતાજી પાસે આવે છે અને સીતાજીને ઉંચકી પોતાના વિમાનમાં નાંખ્યા. વિમાન આકાશમાર્ગે ઉઠ્યું. સીતાજી દગો થયો માની કલ્પાંત કરવા લાગ્યા. વિમાન લંકાનગરીમાં આવ્યું. રાવણે સીતાજીને અશોકવાટિકામાં મૂક્યા. સીતાજી રામચંદ્રજીની સંભાળ ન મળે ત્યાં સુધી અન્ન-જળ ત્યાગ કરે છે. રાવણ સીતાને મનાવવા અનેક સ્ત્રીઓને મોકલે છે પણ સીતાજી તિરસ્કાર કરે છે. મંદોદરી પણ રાવણને ‘સીતા એક પવિત્ર દેવી છે’ માટે તેને નહિ સતાવવાનો બોધ કર્યો પણ રાવણે ગણકાર્યો નહિ.
144
Page #169
--------------------------------------------------------------------------
________________
- આ તરફ રામ-લક્ષ્મણને ખબર પડે છે કે કોઈ દુષ્ટ દગો કર્યો છે. આખરે સુગ્રીવની મદદથી હનુમાનજી ને સીતાજીની શોધમાં મોકલ્યા. હનુમાનજી અશોકવાટિકામાં રામચંદ્રજીની સુવર્ણ મુદ્રિકા લઈ પહોંચ્યા ત્યારે સીતાજીએ સાત્વન આપી તે રામચંદ્રજી પાસે આવી પહોંચ્યા અને સઘળી હકીકત કહી.
રામ-રાવણનું યુધ્ધ થાય છે. વિભિષણ જે રાવણનો ભાઈ છે તે પણ રાવણને ઘણું સમજાવે છે. છતાં રાવણ માન્યો નહિ. તેથી વિભિષણ રામને શરણે થયો. લક્ષ્મણના બાણે રાવણ ઘવાયો, મૃત્યુ પામ્યો. રામચંદ્રજી લશ્કર સાથે લંકામાં પ્રવેશ કર્યો. સીતાજી રામચંદ્રજીના પગે પડ્યાં. રામચંદ્રજીએ લંકાની ગાદી પર વિભિષણને બેસાડ્યો અને વનવાસની મુદત પૂરી થતાં તેઓ અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો.
રામચંદ્રજી ન્યાયી રાજા તરીકે પંકાયા. પ્રજાના સુખ દુઃખ સાંભળવા તેઓ રોજ રાત્રે નગરચર્ચા જોવા નીકળતા. એક રાત્રે ધોબીના ઘર પાસે ઉભા રહી સાંભળ્યું કે સીતાજી છ મહિના રાવણને ત્યાં રહ્યા તો તે કદાપિ શુધ્ધ હોઈ શકે જ નહિ. ખરેખર રામચંદ્રજી પ્રજાપાલક કહેવાય છે છતાં તેમને ત્યાં અંધેર! સીતાજીનું પૂર્વ કર્મ ઉદયમાં આવ્યું. રામચંદ્રજી બીજે જ દિવસે રથ સારથિને સુચન કરી સીતાજીને જંગલમાં મૂકી આવવાનું કહે છે. સારથિ સગર્ભા સીતાજીને જંગલમાં મૂકી આવે છે.
સીતાજી ભયાનક વનમાં અહિ તહિ ભટકવા લાગ્યા. અને કર્મને દોષ દેતા કયાં જવું તેનો વિચાર કરવા લાગ્યા. તેવામાં પુંડરિકપુરનો રાજા વજસંઘ ત્યાં આગળ નીકળ્યો. સગર્ભા અને દુઃખી સ્ત્રી જોઈ તેને દયા આવી. તેને બહેન ગણી રક્ષણ આપવાનું કહી પોતાના રાજ્યમાં લઈ ગયો.
કાળાન્તરે સીતાજીએ બે મહાન પુત્રોને જન્મ આપ્યો. એકનું નામ અનંગલાવણ અને બીજાનું નામ મદનઅંકુશ બંને પુત્રો બહોંતેર કળામાં પ્રવીણ અને પરાક્રમી બન્યા. યુવાવસ્થાને પામતા વજસંઘે પોતાની કન્યા અનંગલવણને પરણાવી અને મદનઅંકુશ માટે પૃથ્વીપુરના રાજા પૃથ્વીરાજાની કનકમાળા નામની કન્યાની માંગણી કરી.
લવ-કુશ કોના પુત્ર છે એ બાબત માતા દ્વારા જાણતા તેઓ પોતાની માતાને વગર વાંકે કાઢી મૂકવા બદલ રામ અને લક્ષ્મણ પર ખૂબ ગુસ્સે થયા. તેમના સામે લડાઈ કરવાનું નક્કી કર્યું. સીતાજીએ એમ ન કરવા સમજાવ્યા પણ તેઓ એક ના બે ન થયા. બંને વચ્ચે રણસંગ્રામ મંડાયો. લક્ષ્મણે લવ-કુશ પર પોતાનું સુદર્શનચક્ર છોડ્યું. તે બંને ભાઈઓની આસપાસ ફરીને લક્ષ્મણની પાસે પાછું આવ્યું. રામચંદ્રજીના સૈન્યનો પરાજય થયો. રામચંદ્રજી શોક પામ્યા. નારદજી આવી અને સત્ય હકીકત કહે છે કે લવ-કુશ તમારા પુત્રો છે માટે તમે શોક ન કરો. તમારી જીત
145
Page #170
--------------------------------------------------------------------------
________________
થઇ છે. આ સાંભળી રામચંદ્રજી પ્રફુલ્લિત થયા અને પુત્રોને મળવા ગયા. લવ-કુશે પણ તેમના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. રામચંદ્રજીએ સીતાજીને અયોધ્યા નગરીમાં પ્રવેશ કરવા કહ્યું. ત્યારે સીતાજી તે નગરમાં ત્યારે જ પ્રવેશ કરશે જ્યારે અગ્નિ પરીક્ષામાં પાસ થાય.
આખરે એક ઊંડી ખાઇ ખોદવામાં આવી તે ધગધગતા અંગારાથી ભરપૂર ભરવામાં આવી. ઉપર કાષ્ટ નાખી, અગ્નિ પ્રગટાવી, પ્રચંડ અગ્નિમાં સીતાજી પ્રવેશ કરે છે. તેની પવિત્રતાના પ્રભાવથી અગ્નિ શાંત થઇ ગયો. તેની જગ્યાએ ખાઇ બે કાંઠે ઠંડા પાણીથી છલોછલ ભરપૂર બની ગઇ અને વચ્ચે કમલના ફૂલ ઉપર સીતાજી આનંદપૂર્વક બેઠેલા જોવામાં આવ્યા. પ્રજાજનો એકી સાથે સીતાજીની જય બોલાવી તેમને વંદન કર્યા. રામચંદ્રજી પણ વિશુધ્ધ સતીના ચરણમાં પડ્યાં અને પોતે આપેલ દુઃખ માટે સીતાદેવીની માફી માંગી. સીતાજી સંસારની અસારતા સમજી દીક્ષા લેવા તૈયાર થયા. તેમણે સ્વયંમેવ પંચમુષ્ઠિ લોચ કર્યો, દીક્ષિત થયા. સખત તપ, જપ, સંવર, ક્રિયાઓ કરી અંતિમ સમયે અનશન કરી સીતાદેવી બારમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી નીકળી તેઓ શાશ્વત એવી સિધ્ધગતિને પ્રાપ્ત કરશે.
તડિત્યેશ રાક્ષસપતિ તેના પત્ની શ્રીચંદ્રા
પુત્ર સુકેશ તેની પત્ની ઇંદ્રાણી
તેના ત્રણ પુત્રો- ૧.માળી, ર.સુમાળી, ૩.માલ્યવાન
ઈંદ્રજીત
મેઘવાહન
ની પત્ની
મંદોદરી
ની પત્નિ પ્રીતિમતી
નો પુત્ર રત્નથવાની પત્ની કૈકસી(વ્યોમબિંદુરાજાની દિકરી)
પુત્ર
૧.રાવણ (પ્રતિવાસુદેવ)(અર્ધચક્રી)(દશમુખ) ૨.કુંભકર્ણની પત્ની તડિન્માળા
૩.સુર્પણખા ૪.વિભીષણની પત્ની પંકજશ્રી
146
Page #171
--------------------------------------------------------------------------
________________
અયોધ્યા નગરી -અનરણ્યરાજા ઇક્ષ્વાકુવંશ
કોશલ્યા
(૪ સ્વપ્ન) (།
અનંતરથ
દશરથ (૧મહિનાના હતા ત્યારે રાજગાદીએ બેઠા)
૪ પત્ની
સુમીત્રા કૈકયી
બળદેવપુત્ર વસુદેવ ભરત
પદ્મ(રામ) પુત્ર
લક્ષ્મણ
રઘુરાજાની પત્ની પૃથ્વીરાણી
નો પુત્ર
સુપ્રભા
સીતા
શત્રુઘ્ન
૪૫ની
સીતા પ્રભાવતી રતિનીભા શ્રીદામા
- પટ્ટરાણી-વિશલ્યા, રૂપવતી, વનમાળા,
કલ્યાણમાળા, જીતપદ્મા, અભયમતિ, મનોરમા. ૧૬૦૦૦રાણી
દરેકને એક એક પુત્રી અઢીસો પુત્રો
મિથીલાનયરી હરિવંશ
વાસવકેતુરાજા-વિપુલારાણી પુત્ર જનક પત્ની વિદેહા
147
દશરથ
ભામંડળ
Page #172
--------------------------------------------------------------------------
________________
વિક્રમની પમી સદી
વસુદેવ હિડી જૈન કાવ્ય પ્રકારોની વિવિધતામાં “હિંડી” પ્રકારની માહિતી નીચે પ્રમાણે છે. હિંડી-હેડવું, ભ્રમણ કરવું, ફરવુ એવો અર્થ છે. જીવાત્મા કર્માધીન સ્થિતિમાં ભ્રમણ કરે છે. હીંડી એટલે આત્માના ભ્રમણની કથા.*
જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષામાં રચાયેલો ગ્રંથ વસુદેવહિડી સુપ્રસિધ્ધ છે. વસુદેવહિડી - આનો અર્થ વસુદેવની યાત્રાઓ છે. વસુદેવહિડીમાં વસુદેવ ઘર છોડી દેશદેશાન્તરમાં ભ્રમણ કરે છે એની કથાઓ આપી છે. પોતાની યાત્રાઓમાં વસુદેવ કેવા કેવા લોકોને મળવાનો અવસર પામે છે, તેને કેવા કેવા અનુભવ થાય છે એ બધું વસુદેવહિંડીમાં વર્ણિત છે.
આખી કૃતિ સો લંભકોમાં પૂરી થાય છે અને તે બે ખંડોમાં વિભક્ત છે. પ્રથમ ખંડમાં ર૯ લંભકો છે. તેનું પરિમાણ ૧૧ હજાર શ્લોક પ્રમાણ છે. આ ખંડના કર્તા સંઘદાસગણિ વાચક છે. બીજા ખંડમાં ૭૧ લંભકો છે, તેનું પરિમાણ ૧૭ હજાર શ્લોક પ્રમાણ છે અને તેના કર્તા ધર્મદાસગણિ છે. સંઘદાસગણિની ર૯ લંભકોવાળી કૃતિ સ્વતંત્ર અને સ્વયંપૂર્ણ હતી પણ પછીથી ધર્મદાસગણિએ પોતાની કૃતિનું સર્જન કરી સંઘદાસગણિની કૃતિના મધ્યમ અંશ સાથે જોડી હતી. કથાનું વિભાજન છે પ્રકરણોમાં કરવામાં આવ્યું છે. કથોત્પત્તિ, પીઠિકા, મુખ, પ્રતિમુખ, શરીર, ઉપસંહાર. પ્રથમ કથોત્પત્તિમાં જંબુસ્વામીચરિત, કુબેરદત્તચરિત, મહેશ્વરદત્ત આખ્યાન, વલ્કલચીરિ, પ્રસન્નચંદ્ર આખ્યાન, બ્રાહ્મણદારકકથા, અણાઢિય દેવોત્પતિ વગેરેનું આલેખન કરી અંતે વસુદેવચરિત્રની ઉત્પત્તિ દર્શાવી છે.
પ્રથમ પ્રકરણ પછી ૫૦ પૃષ્ઠોનું એક મહત્વપૂર્ણ પ્રકરણ ધમ્મિલહિંડી નામનું આવે છે. તેમાં ધમ્મિલ નામના કોઈ સાર્થવાહપુત્રની કથા આપવામાં આવી છે. ધમિલ દેશદેશાન્તરમાં ભ્રમણ કરી ૩ર કન્યાઓ સાથે લગ્ન કરે છે. આ પ્રકરણનું વાતાવરણ સાર્થવાહોની દુનિયાથી વ્યાપ્ત છે. આ પ્રકરણમાં શીલવતી, ધનશ્રી, વિમલસેના, ગ્રામીણગાડાવાળો, વસુદત્તા આખ્યાન, રિપુદમન નરપતિ આખ્યાન તથા કુતબ કાગડો વગેરે સુંદર લોકિક આખ્યાનો અને કથાઓ મળે છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિ જાણવા માટે ધમિલહિંડી પ્રકરણ બહુ જ મહત્વનું છે. - ઉક્ત પ્રકરણ પછી બીજા પ્રકરણની પીઠિકા આવે છે. તેમાં પ્રદ્યુમ્ન અને શાંબકુમારની કથા, બલરામ-કૃષ્ણની પટરાણીઓનો પરિચય, પ્રદ્યુમ્નકુમારનો જન્મ
148
Page #173
--------------------------------------------------------------------------
________________
અને તેમનું અપહરણ વગેરે પ્રદ્યુમ્નચરિતમાં આપ્યું છે.
ત્રીજા પ્રકરણ મુખમાં કૃષ્ણપુત્ર શામ્બ અને ભાનુની ક્રીડાઓનું વર્ણન છે. તે અનેક સુભાષિતોથી ભર્યું છે.
ચોથા પ્રકરણ પ્રતિમુખમાં અન્ધકવૃષ્ણિનો પરિચય અને તેના પૂર્વ ભવોનું વર્ણન છે. અન્ધકવૃષ્ણિના પુત્રમાં જ્યેષ્ઠ સમુદ્રવિજય હતો. અને કનિષ્ઠ વસુદેવ. વસુદેવની આત્મકથા, પ્રદ્યુમ્ને વ્યંગ કરવાથી શરૂ થાય છે. પ્રસંગ એ છે કે સત્યભામાના પુત્ર સુભાનુના વિવાહ માટે ૧૦૮ કન્યાઓને એકત્ર કરવામાં આવી પરંતુ તેમને છીનવી લઇને રુક્મણિપુત્ર શામ્બે વિવાહ કરી લીધા. તેથી પ્રદ્યુમ્ને પોતાના દાદા વસુદેવને કહ્યું, જુઓ! શામ્બે તો કંઇ કર્યા વિના બેઠા બેઠા જ ૧૦૮ વધૂઓ મેળવી લીધી જ્યારે આપ તો સો વર્ષ સુધી દેશદેશાન્તરમાં ભ્રમણ કરીને સો મણિઓને જ મેળવી શકયા. વસુદેવે ઉત્તર આપ્યો કે શામ્બ તો કૂપમંડૂક છે એટલે સરળતાથી પ્રાપ્ત ભોગોથી તે સંતુષ્ટ થઇ જાય છે. મેં તો પર્યટન કરી અનેક સુખ દુઃખોનો અનુભવ કર્યો છે. પર્યટન દ્વારા વિવિધ પ્રકારના અનુભવો થાય છે અને જ્ઞાનમાં વૃધ્ધિ થાય છે. ત્યાર પછી વસુદેવ પોતાના સો વર્ષોના ભ્રમણનું વિવરણ પ્રસ્તુત કરે છે.
પાંચમું પ્રકરણ શરીર પહેલા લંભકથી શરૂ થઇ ૨૯મા લંભકમાં સમાપ્ત થાય છે. તેમાં જે કન્યાઓ સાથે લગ્ન થાય છે તે કન્યાઓનાં નામો ઉપરથી તે તે લંભકનું નામ રાખવામાં આવ્યું છે. આ લંભકોના કથા પ્રસંગોમાં જૈન પુરાણોમાં આવેલાં અનેક ઉપાખ્યાનો, ચરિતો, અર્ધ ઐતિહાસિક વૃત્તોનું સંકલન કરવામાં આવ્યું છે. આ સંકલન પાશ્ચાવર્તી અનેક કાવ્યો અને કથાઓનું ઉપજીવ્ય છે. ગન્ધર્વદત્તા લંભકમાં વિષ્ણુકુમારચરિત, ચારુદત્તરિત આવે છે તથા જૂના જમાનામાં આપણા દેશમાં સાર્થ કેવી રીતે ચાલતો હતો અને વ્યાપારી માલ લાદી સમુદ્ર માર્ગે દેશવિદેશ સાથે કેવી રીતે વ્યાપાર કરતો હતો વગેરેનું જીવંત ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. અર્થવવેદ પ્રણેતા પિપ્લાદની કથા આપવામાં આવી છે. નીલજલસા અને સોમસિરિ આ બે લંભકોમાં આખું ૠષભદેવ પુરાણ આપવામાં આવ્યું છે. કેટલાય તીર્થોની ઉત્પતિ કથાઓ પણ આપવામાં આવી છે.
સાતમા લંભક પછી પ્રથમ ખંડનો બીજો અંશ શરૂ થાય છે. મદનવેગા લંભકમાં સનતકુમાર ચક્રવર્તીની કથા તથા રામાયણની કથા આપવામાં આવી છે. અહીં નિરૂપિત રામકથા પઉમરિયની રામ કથાથી કેટલીય વાતોમાં ભિન્ન છે. તે વાલ્મીકિ રામાયણ સાથે ઘણી બધી મળતી છે. ૧૮મા પ્રિયંગુસુંદરી લંભકમાં સગરપુત્રોએ જ્યારે કૈલાસ પર્વતની ચારે તરફ ખાઇ ખોદી ત્યારે તેઓ બળીને ભસ્મ થઇ ગયા તે
149
Page #174
--------------------------------------------------------------------------
________________
કથાને વર્ણવી છે. ૧૯-૨૦ લભંકો નષ્ટ થઈ ગયા છે. તે પછી કેતુમતી લંભકમાં શાંતિ, કુંથુ, અર તીર્થકરોનાં ચરિતો તથા ત્રિપુષ્ઠ વગેરે નારાયણો અને પ્રતિનારાયણોના ચરિતો પણ આલેખાયા છે. પદ્માવતી લંભકમાં હરિવંશકુલની ઉત્પતિ દર્શાવી છે. દેવકી લંભકમાં કંસના પૂર્વભવોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
આમ વસુદેવહિડીમાં અનેક આખ્યાનો, ચરિતો, અર્ધઐતિહાસિક વૃત્તો આવે છે. તે બધાંને ઉત્તરકાલીન પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ કવિઓએ પલ્લવિત કરી અનેક કાવ્યોનું સર્જન કર્યું છે. આ ગ્રંથ હરિભદ્રની સમરાઈચ કહાનો પણ સ્રોત છે. કર્તા અને રચનાકાળ :- આ કૃતિના બે ખંડોના બે ભિન્ન કર્તા છે. પહેલા ખંડના કર્તા સંઘદાસગણિ વાચક અને બીજા ખંડના કર્તા ધર્મદાસગણિ છે. તેમનાં જીવન વૃત્ત અંગે કંઈ માહિતી મળતી નથી. આ કથા આગામેતર સાહિત્યમાં પ્રાચીનતમ ગણાય છે. આ કૃતિનો રચનાકાળ લગભગ પાંચમી શતાબ્દી હોવો જોઈએ. જર્મન વિદ્વાન આસ્ડોર્ફ વસુદેવહિંડીની તુલના ગુણાઢ્યની પૈશાચી ભાષામાં રચાયેલી બૃહત્કથા સાથે કરે છે. આ કૃતિને તે બૃહત્કથાનું રૂપાંતરણ માને છે. ગુણાઢ્યની રચનાની જેમ આમાં પણ શૃંગારકથાની પ્રધાનતા છે પરંતુ અંતર એ છે કે જેનકથા હોવાથી આમાં વચ્ચે વચ્ચે ધર્મોપદેશ વિખરાયેલો પડ્યો છે. વસુદેવહિડીમાં એક બાજુ સદાચારી શ્રમણ, સાર્થવાહ અને વ્યવહાર પર વ્યકિતઓના ચરિતો આલેખાયાં છે. તો બીજી બાજુ કપટી, તપસ્વી, બ્રાહ્મણ, કુટની, વ્યાભિચારિણી સ્ત્રીઓ અને હદયહીન વેશ્યાઓના ચરિતો આલેખાયાં છે. કથાનકોની શૈલી સરસ અને સરળ છે. વસુદેવહિંડી સારઃ- ર૮ હજાર શ્લોક પ્રમાણ વિશાળ કથાગ્રંથ વસુદેવહિંડીનો સાર સંક્ષેપ છે. તેના કર્તા વિશે હજી નિશ્ચય થઇ શક્યો નથી, આ ગ્રંથના સંપાદક પં.વીરચંદ્રના અનુસાર આ કૃતિ ત્રણસો કે ચારસો વર્ષોથી વધુ પ્રાચીન નથી. વસુદેવહિડીનું ભાષાકીય મહત્વ* - માત્ર પ્રથમ ખંડની જ વાત કરીએ તો પણ કેવળ ભાષાની દૃષ્ટિએ જોતાં વસુદેવ-હિડી એ જૈન સાહિત્યનો એક વિરલ ગ્રંથ છે. ગદ્યમાં રચાયેલ હોવાને કારણે તો ભાષાવિષયક અન્વેષણની દૃષ્ટિએ તેનું સવિશેષ મહત્વ છે. સામાન્ય રીતે “વસુદેવ-હિંડી”ની ભાષા સરલ, રૂઢ અને ઘરગથ્થુ છે. પ્રાકૃત જ્યારે જન સમાજમાં બોલાતી ભાષા હશે ત્યારે એ લખાયેલ હોવાથી કેવળ સાહિત્યિક ધોરણે પ્રાકૃતમાં રચાયેલા પછીના કાળના ગ્રંથોની તુલનાએ “વસુદેવ-હિંડીમાં ભાષાની સ્વભાવ સિધ્ધ નૈસર્ગિકતા માલુમ પડે છે.
“વસુદેવ-હિડી”ની ભાષા એકંદરે જોતાં સરલ અને પ્રાસાદિક છે. તેની ભાષા એ આર્ષ પ્રાકૃત છે, અથવા વધારે ચોક્કસ રીતે કહીએ તો ચૂર્ણિ આદિમાં મળે તેવી
150
Page #175
--------------------------------------------------------------------------
________________
આર્ષ જેને મહારાષ્ટ્ર પ્રાકૃત છે. “વસુદેવહિડીમાંથી પ્રાપ્ત થતી સામાજિક-સાંસ્કૃતિક માહિતી :
આ ગ્રંથ એ કથાનુયોગનો ગ્રંથ હોઈ સ્વાભાવિક રીતે જ તેમાંની કથાઓમાં સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ માટે ઉપયોગી અને રસપ્રદ એવા સંખ્યાબંધ ઉલ્લેખો મળી આવે છે. એમાંના કેટલાક ઉલ્લેખો તદ્દન નવી જ હકીકતો રજૂ કરતા હોઈ મહત્વના છે. જ્યારે બાકીના ઉલ્લેખો પ્રાચીન ભારતની સંસ્કૃતિના અભ્યાસ માટે સારી એવી પૂરક માહિતી પૂરી પાડે છે.
સિક્કાઓમાં “પણ” અને “કાષપણ”નામના સિક્કાઓનો ઉલ્લેખ મળે છે. લેવડદેવડની અનુકૂળતા માટે પરચૂરણ તરીકે તેનો ઉપયોગ થતો. વિવિધ પ્રકારનાં વસ્ત્રોને લગતાં પણ સંખ્યાબંધ ઉલ્લેખો મળે છે. શહેરની બજારમાં વેચાતાં વિવિધ દ્રવ્યોનું ટૂંકું પણ રસિક વર્ણન પણ એક સ્થળે મળે છે. વેપારીઓ જુદા જુદા પ્રકારનો માલ ભરીને સમુદ્રમાર્ગે દેશ પરદેશ ફરતા. ચીન, સુવર્ણભૂમિ(સુમાગા), યદ્વીપ(જાવા), સિંહલ, બર્બર તથા યવન દેશ સાથે વેપાર ચાલતો હોવાનો ઉલ્લેખ મળે છે. આ સિવાય જમીન માર્ગે પણ અનેક વિકટ ઘાટીઓ વટાવીને હૂણ, ખસ અને ચીન ભૂમિ સાથે વેપાર ચલાવવામાં આવતો. ટંકણદેશ અને ત્યાંની ટંકણ નામે પહાડી પ્રજા સાથે માલના વિનિમયની રીતનું સૂચન પણ આમાંથી મળે છે.
યવનદેશના, અને યવન પ્રજા-ગ્રીકો સાથે સંપર્કના વધુ ઉલ્લેખો મળે છે. મામાફોઈના સંતાનોનાં લગ્ન પ્રાચીનકાળમાં ખાસ કરીને ક્ષત્રિયો અને વૈશ્યોમાં ખૂબ વ્યાપક હતાં. અને આજે પણ હિન્દમાં જુદે જુદે સ્થળે એ પ્રથાના અવશેષો જોવા મળે છે. વિરહિણી સ્ત્રીઓ માથાના વાળ જુદી જુદી વેણી ગૂંથ્યા સિવાય અને સેંથી પાડયા વિના એક વેણીમાં બાંધી રાખતી. અનાથોને માટે આશ્રયસ્થાન-અનાથશાળા બંધાવવાનો રિવાજ હતો.
રાજકન્યાનો સ્વયંવર થતો, દુત રમવા માટેના જુદા સ્થાનો હતા. આ ઘુતશાળાનો અધિપતિ પુરુષ ત્યાં રહેતો. મસાણમાં એક સ્તંભ રાખવામાં આવતો. વસુદેવે પોતાનો ક્ષમાપના-લેખ એવા સ્તંભ ઉપર બાંધ્યો હતો.
પ્રાચીન ભારતમાં દેવ સ્થાનોમાં પત્થર મોટા પ્રમાણમાં વપરાવો શરૂ થયો ત્યાર પહેલાં લાકડાના મદિરો બંધાતાં એ જાણીતું છે. સોમનાથનું મંદિર તથા ગિરનાર ઉપરના જૈન મંદિરો પણ લાકડાનાં હતા.
151
Page #176
--------------------------------------------------------------------------
________________
વિક્રમ સંવત ૭૬૫
મહાપુરાણઃ આદિપુરાણઃ- મહાપુરાણ જિનસેન અને ગુણભદ્રની વિશાળ રચનાનું નામ છે. તે ૭૬ પર્વમાં વિભક્ત છે. આદિપુરાણ ૧૧૪ર૯ શ્લોક પ્રમાણ છે અને ઉત્તર પુરાણ ૭૭૭૮ શ્લોક પ્રમાણ છે.
આદિપુરાણમાં પ્રથમ તીર્થંકર ઋષભના દશ પૂર્વભવો અને વર્તમાન ભવનું તથા ભરત ચક્રવર્તીના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
પુરાતનું પુરાળમ્-અર્થાત્ પ્રાચીન હોવાથી પુરાણ કહેવાય છે. પુરાણના બે ભેદ છેપુરાણ અને મહાપુરાણ. જેમાં એક મહાપુરુષના ચરિતનું વર્ણન હોય તે પુરાણ છે. અને જેમાં ત્રેસઠ શલાકા પુરુષોમાં ચરિતોનું વર્ણન હોય તે મહાપુરાણ કહેવાય છે. આદિ પુરાણમાં પુરાણ, મહાકાવ્ય, ધર્મકથા, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, આચારશાસ્ત્ર અને યુગની આદિ વ્યવસ્થાનું સૂચન કરનાર બૃહદ્ ઇતિહાસનું દર્શન કરીએ છીએ. આદિપુરાણ દિગંબર જૈનોનો એક વિશ્વકોશ છે.
તેમાં પૂર્વભવોના નિમિત્તે અનેક અવાન્તર કથાઓ આપવામાં આવી છે. તેમનાં કેટલાક પાત્રોના ચરિત્રોનું સરસ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં લતાઓ, સરિતાઓ, પર્વતમાલાઓ, ષૠતુ વર્ણન, ચંદ્રોદય, સૂર્યોદય, જલવિહાર વગેરે પ્રસંગોમાં પ્રકૃતિચિત્રણ છે. તથા મરુદેવી, શ્રીમતી આદિનું નખશિખ સુંદર વર્ણન છે. તેમાં શૃંગાર, કરુણ, વીર, રૌદ્ર અને શાંતરસનું મુખ્યપણે દર્શન થાય છે.
ઉત્તરપુરાણઃ- આ પુરાણ મહાપુરાણનો પૂરક ભાગ છે. તેમાં અજિતનાથથી શરૂ કરી ૨૩ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ નારાયણ, ૯ પ્રતિનારાયણ તથા તેમના કાળમાં થનારા જીવન્ધર આદિ વિશિષ્ટ પુરુષોનાં કથાનક આપવામાં આવ્યાં છે. આ પુરાણની સમાપ્તિ સં.૭૬૫ પછી પાંચ સાત વર્ષમાં થઇ હોવી જોઇએ.
‘સમરાદિત્યચરિત્ર’ ૮મી સદી
લાલચંદ્ર ભગવાન ગાંધી ‘સમરાઇચ્ચકહા’ ગ્રંથ વિશે કહે છે કે,
‘સમરાઇચ્ચકહા’ મૂળ ગ્રંથમાં ગ્રંથકારે પોતાનું નામ સ્પષ્ટ દર્શાવ્યુ નથી. ત્યાં કથાના અંતમાં ‘‘વિરહિયનાળ-વંશળ-વરિયમુળધરસ્ત વિડ્યું ડ્ય जिणदत्तायरियस्स उ सीसावयवेण चरियं ति ।। "
એ ગાથા દ્વારા સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણો ધરનાર શ્રીજિદત્તાચાર્યના શિષ્યરૂપ અવચવે આ ચરિત રચ્યું છે. એમ જણાવી ગુરુજીના નામનો નિર્દેશ કર્યો છે.
152
Page #177
--------------------------------------------------------------------------
________________
પરંતુ ત્યાં કવિએ પોતાના ‘હરિભદ્રસૂરિ' નામનો નિર્દેશ કર્યો નથી. અંતમાં જણાવ્યું છે કે, “આ મહાનુભાવનું ચરિત રચવાથી મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું, તે વડે ભવ્યલોકનો ભવ-વિરહ થાઓ-એવી શુભેચ્છા દર્શાવતા આ ચરિત કથા ગ્રંથને “ભવવિરહ' પદથી અંકિત કરેલ છે. જે હરિભદ્રસૂરિની રચનાનું વિશિષ્ટ અભિજ્ઞાન છે. ૫ કોઈ પણ ધર્મકથા સાંભળ્યા પછી જીવનમાં ઉતારવા જેવી જ વસ્તુ છે. (૧) સાંભળવા જેવું હોય તે જ સાંભળવું. (૨) જેના ગુણ ગાવા જેવા હોય તેના જ ગાવા. (૩) જે છોડવા જેવું હોય તે છોડી દેવું. (૪) આચરવા યોગ્ય હોય તે આચરવું.
ઉપરની ચાર વસ્તુઓનો અમલ કરવાથી સર્વકલેશો અને દુઃખનો નાશ થાય છે. અને મુક્તિ મળે છે. અને આ ચારે વસ્તુનો અમલ થાય તે માટે “સમરાદિત્ય કથા” જૈન ધર્મના કથાનુયોગમાંથી સૌથી શ્રેષ્ઠ નંબરે સાબિત થાય છે. આ કથાનું પ્રયોજન - આ કથા યાકિની મહત્તા ધર્મસૂનુ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજા દ્વારા રચાઈ હતી. તેનો રચના કાળ લગભગ ૮મી સદીમાં થયો હશે એવું અનુમાન કરી શકાય.
પૂર્વાવસ્થામાં હરિભદ્ર પુરોહિત રાજમાન્ય બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. તેઓ પ્રકાંડ પંડિત હતા. અહંકાર અધોગતિનું કારણ બને છે તો જગજાહેર બાબત છે. પણ આચાર્ય હરિભદ્રસૂરિના જીવનનું ઉત્થાન ખરેખર તેમના અહંકારને જ આભારી છે. મૂળ તેઓ ચિત્તોડના રાજપુરોહિત તેમની બે ભીષ્મ પ્રતિજ્ઞા प्रति॥ १ हस्तिना ताड्यमानोद्धपि, न गच्छेज्जिनमंदिरम्
હાથીના પગ તળે દાવું કબૂલ પણ જૈન મંદિરમાં પગ ન મૂકું. પણ એકવાર એવું બન્યું કે રાજાનો હાથી ગાંડો થયેલો તેનાથી બચવા હરિભદ્રે દોટ મૂકી, બીજા કોઈનો આશરો ન જડતા રાજમાર્ગ પર આવેલા જિનાલયમાં જ આશ્રય લઇને તેમણે જીવ બચાવ્યો ને તેમની પહેલી પ્રતિજ્ઞા તૂટી. તેમની બીજી પ્રતિજ્ઞા એ હતી કે હું સર્વશાસ્ત્રોને દર્શનનો જ્ઞાતા. આ ભરતખંડમાં જે કોઈ વ્યક્તિ, મેં ન સાંભળ્યું હોય એવું વચન સંભળાવે તો હું તેનો શિષ્ય થઈ જઈશ. પોતાના અહંના પ્રતિકરૂપે પેટ પર સોનાનો પાટો બાંધતા અને બીજા પણ ઘણા ચિહ્નો રાખતા.
એકવાર એ રાત્રિવેળાએ રાજમાર્ગ પરથી પસાર થતા હતા, ને એક ધર્મસ્થાનમાં બિરાજમાન જૈન સાધ્વીજી-યાકિની મહતર બૃહત્સંગ્રહણી નામે જેને પ્રાકૃત ગ્રંથનો
153
Page #178
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય કરી રહ્યા હતા, તે પ્રાકૃત ભાષાનો ‘વળી તુાં હરિપળાં' નામનો શ્લોક બોલતા હતા. તે ગાથાઓ સાંભળી હરભદ્ર અટકી ગયા. ગાથાનો સંદર્ભ તથા અર્થ પૂછયા પછી પોતે લીધેલ પ્રતિજ્ઞા પ્રમાણે શિષ્ય તરીકે સ્વીકારવાની વાત કરી. ત્યારે સાધ્વીજીએ તેમને ગુરુઆચાર્ય શ્રીજિનભદ્રસૂરિ પાસે મોકલ્યા. ત્યાં સાહિત્યનું જ્ઞાન મેળવી દીક્ષા લીધી અને કાળાંતરે હરિભદ્રસૂરિ તરીકે પ્રસિધ્ધ થયા.
તેમણે સાધ્વીજીનો ઉપકાર યાદ કરીને પોતાનુ નામ ચાકિની મહતરા સૂનુ હરિભદ્ર’ રાખ્યું. ગુરુમહારાજ પાસે વિધિપૂર્વક અભ્યાસ કરી ગીતાર્થ થયા.
એકવાર પોતાના ભાણેજ શિષ્યો હંસ અને પરમહંસ બૌધ્ધ ધર્મનું રહસ્ય જાણવા ગુપ્તવેશે ત્યાં ગયા. પરંતુ બૌધ્ધોને તેની જાણ થતાં એ મુનિ-યુગલની હત્યા કરી.
આ કરૂણ પ્રસંગની જાણ થતાં આચાર્ય હરિભદ્રે ૧૪૪૪ જેટલા બૌધ્ધોને ક્રોધથી ઉકળતી તેલની કડાઇમાં વિદ્યા દ્વારા આકર્ષણ કરી મારી નાંખવાની તૈયારી કરી. તેમના ગુરુ મહારાજને ખબર પડતાં જ બોધ માટે સમરાદિત્યના નવભવની પ્રાચીન ત્રણ ગાથાઓ મોકલી. તે ઉપરથી ઉપશમ ભાવમાં આવી વિચાર્યું કે અગ્નિશર્મા એ કરેલ ક્રોધનો કેવો કરૂણ અંજામ! કેવો ભયાનક વિપાક! ત્યારે મારી કઇ દશા થશે?
અગ્નિશર્મા તો અજ્ઞાન હતો. જ્યારે મારી પાસે તો જિનાગમનો પ્રકાશ છે. ભલે ગુનો સામેની વ્યકિતનો હોય? પણ ગુસ્સો કરનારને કર્મ ભોગવવા પડે છે. હૃદયમાં ઉપશમ ભાવ આવ્યો અને એમાંથી ‘સમરાઇચ્ચકહા’ જેવા ૧૪૪૪ અલગ અલગ ગ્રંથો લખ્યા.
આમ, હરિભદ્રસૂરિ એક વિદ્વાન સાહિત્યકાર થયા જેમણે આવનાર પેઢી માટે શ્રુતજ્ઞાનનો ખજાનો પીરસ્યો છે.
શ્રી જૈનશાસનના મહાન પ્રભાવક, સમર્થ ધર્મોપદેશક જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ અદ્વિતીય વિશિષ્ટ વિભૂતિરૂપ થઇ ગયા. સમાન નામવાળા હરિભદ્રસૂરિ નામના ૮ જેટલા આચાર્યો જુદાજુદા સમયમાં થયા હોવા છતાં ચાકિની મહત્તરાના ધર્મસૂનુ તરીકે, ‘ભવ-વિરહ' અને ‘વિરહાંક' એવા નામથી પ્રસતુત હરિભદ્રસૂરિની અધિક પ્રસિધ્ધિ છે. જેમણે સમાજ પર ઉપકાર કરવા ગદ્ય-પદ્યમય પ્રાકૃત ભાષામાં સરસ વિવિધ બોધ આપનારી ‘સમાŞe ા' નામની દસ હજાર શ્લોક પ્રમાણ વિશિષ્ટ કથા રચી હતી, જેનો ગુજરાતી અનુવાદ ‘સમરાદિત્ય-મહાકથા’ નામથી વાચકોના કર-કમળને શોભાવતો ચિત્તને સંતોષ આપે તેવો છે.
આ કથા પાષાણ જેવા કઠણ હૃદયને પણ હચમચાવી મૂકે તેવી છે.
154
Page #179
--------------------------------------------------------------------------
________________
સમરાદિત્યના નવ ભવો સાથે સંબંધ ધરાવતી, સંસારના વિચિત્ર સ્વરૂપનો ખ્યાલ કરાવનારી, ચરિત્ર દ્વારા કર્મના ગહન તત્ત્વને સમજાવનારી, અહિંસા, સંયમ, તપરૂપ ધર્મ તરફ પ્રેરનારી, આત્મા, પુણ્ય-પાપ, પરલોક, પુનર્જન્મ, ચાર પ્રકારની ગતિઓનાં સુખ દુઃખો સમ્યક્ત્વ, શ્રાવક-ધર્મ, જિનપૂજા-પધ્ધતિ, સાધુધર્મ, શ્રમણ, શ્રમણીઓના સદાચાર-વિચારો તથા મોક્ષ સુખ વગેરે વિષયોનું પ્રાસંગિક જ્ઞાન આપતી આ કથાની વિશિષ્ટ સંકલના છે. આરાધક અને વિરાધક, સજ્જન અને દુર્જન જીવોની શુભ અશુભ કરણીને અને તેના ફલ-વિપાકને સૂચવનારી, ચોરી, જુગાર, માંસાહાર વગેરેથી થતા અનર્થોને જણાવનારી આ કથા સાદ્યન્ત અવશ્ય વાંચવા-વિચારવા યોગ્ય છે. એમાંથી સાંસારિક, વ્યાવહારિક, સામાજિક, પારમાર્થિક વિવિધ બોધ મળી શકે તેમ છે. આમાં મહાકવિએ યુક્તિથી શાંતરસ તરફ પ્રેરણા આપનારા નવે રસોનું વર્ણન કર્યું છે. આમાં નગરોનાં, પર્વતોનાં, ઉદ્યનોનાં, સમુદ્રનાં વસંત વગેરે ષૠતુઓનાં વર્ણનો, રાજકુમારોનાં, રાજા-મહારાજાઓનાં, રાણીમહારાણી-રાજકુમારીઓનાં તથા સાર્થવાહોના અને વિદ્યાધરોનાં વર્ણનો તેમજ આચાર્યનાં તથા ઉત્તમ શ્રમણો અને શ્રમણીઓનાં વૈરાગ્યોત્પાદક વર્ણનો વાંચવા વિચારવા જેવા છે. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, ચંદ્રાસ્ત સમયનાં તથા યુધ્ધનાં, કેદખાનાનાં અને વિદ્યા-સિધ્ધિનાં વર્ણનો, પ્રિયમેલક તીર્થ-વૃક્ષ, અદ્દેશ્ય બનાવનાર નયન-મોહન પટ વગેરેનાં વર્ણનો, તેમજ તાત્કાલિક રુઝ લાવે તેવી સંરોહિણી ઔષધિ તથા વિષ નિવારક દુઃસાધ્ય વ્યાધિ-નિવારક રત્ન જેવી અદ્ભુત વસ્તુઓનું વર્ણન મળે છે.
પ્રસ્તુત કથામાં ચિત્રકળા, સંગીતકળા પ્રશ્નોતર-પ્રહેલિકા વગેરે વિવિધ વિદ્યાગોષ્ઠી-વિનોદ્દો પણ વણી લીધા જણાય છે. વિવાહનાં પ્રસંગો તથા દીક્ષાના પ્રસંગો પણ વર્ણવ્યા છે. તાપસોના રીત-રિવાજો તથા જુદા જુદા ધર્મોની મત-મતાંતરની માન્યતાઓ આમાં દર્શાવી છે. નાસ્તિકવાદ અને તેનું યુક્તિથી ખંડન પણ છે.
પ્રારંભમાં કથાઓના પ્રકારો તથા શ્રોતાઓનાં પ્રકારો સમજાવ્યા છે તથા કથા નાયક આરાધક અને પ્રતિપક્ષી વિરાધક આત્મા સાથે સંબંધ ધરાવનાર મુખ્ય મુખ્ય વસ્તુઓનું કોષ્ટક અહીં આપવામાં આવ્યું છે.
મૂળ સમરાવ્વજ્ઞાની આવૃત્તિ જર્મનીના સુપ્રસિધ્ધ વિદ્વાન ડૉ.હર્મન ચાકોબીએ ઇ.સ.૧૯૨૬માં પાઠાન્તરો, પરિશિષ્ટો અને અંગ્રેજી ઉપોદ્ઘાત સાથે સુસંપાદિત કરેલી હતી. જે કલકત્તાની એશિયાટિક સોસાયટી દ્વારા બંગાળ તરફના સં.ટાઇપોમાં ચોપડી આકારે પ્રસિધ્ધ થયેલ છે. જે આવૃતિ સદ્ગત શ્રીવિજય ધર્મસૂરિને સમર્પિત થઇ હતી. બીજી આવૃતિ વલભીપુર નિવાસી સદ્ગત પં.ભગવાનદાસ હર્ષચંદ્ર સંસ્કૃત છાયા
155
Page #180
--------------------------------------------------------------------------
________________
સાથે બે ભાગમાં (ભવ ૧ થી ૬ અને ભવ ૭ થી ૯ સુધી) અમદાવાદના પોતાના શારદા મુદ્રણાલયમાં પોથી પ્રતના આકારમાં વિક્રમ સંવત ૧૯૯૪-૯૮માં પ્રકાશિત કરેલ છે. આ ગુજરાતી અનુવાદમાં મુખ્યતાએ આ આવૃત્તિનો ઉપયોગ કર્યો છે.
પ્રો.મધુસૂદન મોદીએ તથા બીજા કેટલાક વિદ્વાનોએ આ કથા ગ્રંથના ૧,૨ તથા ૬ઠ્ઠા ભવવાળા ભાગને અર્ધમાગધી ભાષાના પાઠ્ય પુસ્તક તરીકે સંપાદિત કરેલ છે.
પ્રા.સફળંહાને સંસ્કૃતમાં સંક્ષેપમાં રચવાનું કાર્ય વિક્રમની ૧૪મી સદીમાં વિ.સં.૧૩ર૪માં દેવાનંદસૂરિના આજ્ઞાંકિત કનકપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નાચાર્યો બજાવ્યું હતું, જે “સમદ્વિત્યસંક્ષેપ' નામે ઇ.સ.૧૯૦૬માં મુંબઈના જૈન જ્ઞાન પ્રસારક મંડળ દ્વારા પ્રકાશિત થએલ છે. તેનું સંપાદન પણ જર્મનીના સુપ્રસિધ્ધ વિદ્વાન ડૉ.હર્મન યાકોબીએ કર્યું હતું.
આ સમરાદિત્યકથાને ગુજરાતી ભાષામાં નવ ખંડોમાં જુદી જુદી ઢાળોમાં રાસના રૂપમાં રચવાનું કાર્ય વિક્રમની ૧લ્મી સદીમાં વિ.સં.૧૮૩૯ થી ૧૮૪રમાં તપાગચ્છમાં થયેલા પં.ઉત્તમવિજયગણિના શિષ્ય કવિ પદ્યવિજયજીએ કર્યું છે, જે સમરાદિત્ય કેવલીના રાસ” તરીકે શ્રાવક ભીમસિંહ માણેક, મુંબઈ તરફથી સંવત ૧૯૭૦માં પ્રસિધ્ધ થયેલ છે. સચિત્ર નવલકથાના રૂપમાં સમરાદિત્યની કથા શાહ શિવજી દેવસીના પ્રયત્ન પછી શાહ મેઘજી હરજી બુકસેલર દ્વારા બીજી આવૃત્તિરૂપે પ્રકાશિત છે.
આ ગ્રંથમાં ચોથા ભાવમાં આવતું યશોધર-ચરિત્ર બહુ વિચારવા જેવું છે. જેમાં વિખ-શાંતિ માટે દેવી આગળ કલ્પિત લોટના કૂકડાની હિંસા પણ ભયંકર દુઃખદાયક વિપાકવાળી થાય છે. એને અનુસરી બીજા કવિઓએ પ્રાકૃત-સંસ્કૃત-અપભ્રંશ ભાષામાં યશોધર-ચરિત્રો રચેલાં જણાય છે.
આમાં સાતમા ભવમાં અવાંતર વર્ણવેલ બીજાને આળ આપવાથી દુઃખ દાયક વિપાકવાળું ગુણશ્રીનું ચરિત્ર, અન્ય સિંધી જૈન ગ્રંથમાલા (ર૪)માં પ્રકાશિત કવિ ધાહિલના અપભ્રંશ કાવ્ય “પઉમસિરી ચરિઉ” સાથે સરખાવી શકાય. પ્રાચીન કવિઓની રચનાનો આધાર લઈ અર્વાચીન કવિઓ પોતાની શક્તિ અને શૈલી પ્રમાણે સમાજ-હિત માટે સંક્ષેપ-વિસ્તારથી રસિક બોધદાયક રચના ભિન્ન ભિન્ન ભાષામાં કરતા હોય છે. સમાજે તેનો યથાયોગ્ય લાભ લેવો જોઈએ.
નવ ભવની વાર્તા એક ક્ષિતિ પ્રતિષ્ઠત નગર છે. જેમાં પૂર્ણચંદ્રરાજા રાજ્ય કરે છે. તેને કુમુદિની
156
Page #181
--------------------------------------------------------------------------
________________
નામની પટ્ટરાણીથી ગુણસેન નામના પુત્રનો જન્મ થાય છે. ગુણસેન જેવું નામ છે તેવી જ રીતે ગુણોથી યુક્ત છે. આ જ નગરમાં યજ્ઞદત્ત પુરોહિત અને સોમદેવા તેની ભાર્યા છે. જેને અગ્નિશર્મા નામનો પુત્ર છે. તે દેખાવે બેડોળ-બેઢંગો છે. બધા તેની હાંસી ઉડાવે છે. આથી તે વિચારે છે મેં ધર્મ નથી કર્યો એટલે તિરસ્કાર મળે છે. એને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તે તપોવનમાં જાય છે.
તપોવનમાં કુલપતિજી આચારોની સમજ આપે છે અને તેને તાપસ દીક્ષા આપે છે. આ નવીન તાપસ દીક્ષાના દિવસે જ પ્રતિજ્ઞા કરે છે કે ચાવજીવ મહિના મહિનાના ઉપવાસ કરવા અને પારણાના દિવસે જે પ્રથમ ઘરે પ્રવેશ કર્યો ત્યાં પારણું કરવું જો પ્રથમ ઘરે પારણાનો યોગ ન હોય તો બીજા ઘરે પારણુ ન કરવું.
અહીં પૂર્ણચંદ્ર રાજા ગુણસેનના લગ્ન વસંતસેના નામની રાજકુંવરી સાથે કરાવે છે અને પુત્રનો રાજ્યાભિષેક કરી પોતે તપોવનવાસ સ્વીકારે છે. ગુણસેન રાજા એકવાર વસંતપુર નગરમાં આવે છે. વિમાનચ્છેદક મહેલમાં પ્રવેશ કરે છે. (અહીં મહેલનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.) રાજા પોતે અણ્વ ક્રિીડા કરવા નીકળે છે ત્યારે થાક ઉતારવા સહસ્રામ્રવન ઉદ્યાનમાં બેઠા છે. ત્યાં બે તાપસકુમાર આવ્યા રાજાએ તેઓનું બહુમાન કર્યું. રાજા તપોવનમાં કુલપતિ પાસે આવે છે. અગ્નિશર્મા તાપસને મળે છે અને તેમને પારણું કરવા આવવાનું આમંત્રણ આપે છે.
પાંચ દિવસ પછી પારણાના દિવસે અગ્નિશર્મા તાપસ રાજાના મહેલમાં પ્રવેશ કરે છે ત્યારે ગુણસેન રાજાને તીવ્ર મસ્તક વેદના થઈ છે. આખુ અંતઃપુર ઉદ્વિગ્ન બની ગયું છે. મહેલના બધા અધિકારી ચિંતામાં છે. તેમાંથી કોઈએ પણ તાપસની આગતા-સ્વાગતા કરી નહિ. આથી તાપસ પાછા ચાલ્યા જાય છે અને બીજા મહિનાના ઉપવાસ ચાલુ કરે છે. રાજાની મસ્તક વેદના શાંત થતા પરિવારને પૂછે છે કે તાપસની આગતા-સ્વાગ્ના કરી કે નહિ? ત્યારે બધા અધિકારીઓ ના પાડે છે. રાજાને પસ્તાવો થાય છે. પશ્ચાતાપ કરતા કુલપતિ પાસે જાય છે. માફી માંગે છે. ફરીવાર પારણું કરવાનું આમંત્રણ આપે છે.
બીજે મહિને તાપસ જ્યારે પારણું કરવા જાય છે ત્યારે રાજા યુદ્ધ માટે પ્રયાણ કરે છે, પરિવાર આખો આકુળ-વ્યાકુળ છે. તેથી તેઓએ તાપસને પારણું ન કરાવ્યું. થોડો સમય પસાર કરી તાપસ હાથી-ઘોડાના અડફેટમાં આવવાના ડરથી રાજાના ઘરથી બહાર નીકળે છે. આ વખતે પણ રાજા કુલપતિની માફી માંગે છે અને ત્રીજી વખત પારણું કરવાનું આમંત્રણ આપે છે.
ત્રીજી વખત જ્યારે તાપસ પારણું કરવા જાય છે ત્યારે રાજા મહેલમાં રાજપુત્રનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય છે. ત્યારે કોઈ તેને વચન માત્રથી “પધારો એવો
157
Page #182
--------------------------------------------------------------------------
________________
આવકાર પણ નથી આપતું ત્યારે તાપસને ક્રોધ આવે છે અને નિયાણું કરે છે કે “મેં લાંબા સમય સુધી આચરેલા અને પાળેલા વ્રતોનું અને કરેલ તપનું જો ફળ હોય તો હું ભવોભવ રાજાનો વધ કરનારો થાઉં.' નક્કી આ રાજાને બાલ્યકાળથી જ મારા માટે વેર ભાવ છે. તે જીવન પર્યત આહાર ત્યાગ કરે છે.
સમય જતાં ગુણસેનરાજા વિજયસેન આચાર્યથી પ્રતિબોધ પામી દીક્ષા અંગીકાર કરે છે. અને અગ્નિશર્મા નિયાણાથી પાછો નહિ ફરતા કાળ પામી વિદ્યુતકુમાર નામના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પૂર્વભવ યાદ આવે છે અને વિભંગ જ્ઞાનથી તે ગુણસેન પાસે આવ્યો અને કાઉસગ્ય ધ્યાનમાં રહેલા આ મુનિને ઉપસર્ગ કરે છે. ધર્મધ્યાનમાં મૃત્યુ પામેલો રાજા સૌધર્મ કલ્પ નામના પ્રથમ દેવલોકમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયો. ચંદ્રાનન વિમાનમાં એક સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો.
વિભાવસુ મિત્રનું દૃષ્ટાંત પણ આવે છે. જે જાતિમદને લીધે કૂતરા તરીકે જન્મે છે અને એના ભાવિ જન્મો વિશે પણ તેમાં વર્ણન છે. બીજો ભવઃ- સિંહકુમાર અને આનંદ (પિતા-પુત્ર) રૂપે. જેમાં અવધિજ્ઞાની મુનિનું દૃષ્ટાંત તેમજ મધુબિંદુનું દૃષ્ટાંત આવે છે. જે સંસારની અસારતા વ્યક્ત કરે છે.”
જયપુર નામનું નગર છે. જ્યાં પુરુષદત્ત નામનો રાજા રાજ્ય કરે છે. તેને શ્રીકાન્તા નામની રાણી છે. આ રાણીથી તેને સિંહકુમાર નામનો પુત્ર થાય છે. જે ગુણસેનનો જીવ છે. સિંહકુમાર યુવાન થતાં રાજા તેના લગ્ન કુસુમાવલિ સાથે કરાવે છે. સમય જતાં સિંહકુમારને આનંદ નામે કુમારનો જન્મ થાય છે. જે અગ્નિશર્મા તાપસનો જીવ છે. પૂર્વના વેરના કારણે આનંદકુમાર જ્યારે મોટો થાય છે. ત્યારે પિતાને કેદમાં પૂરે છે. સિંહકુમાર રાજા અનશન કરે છે. ક્રોધી આનંદકુમાર તેમના મસ્તકમાં પ્રહાર કરે છે. રાજા “નમો જિણાણ” બોલતા મૃત્યુ પામે છે અને સનતકુમાર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અગ્નિશર્માનો જીવ રત્નપ્રભા નામની પહેલી નારકીમાં ઉત્પન્ન થાય છે. ત્રીજો ભવઃ- શિખીકુમાર-જાલિની (પુત્ર-માતા) સ્વરૂપે. નાળિયેરીના જીવનના ભવોનું દષ્ટાંત આવે છે. સાધુપણાની દુષ્કરતાનું વર્ણન આવે છે. તેમજ નાસ્તિકવાદી (પિંગલકની) પ્રશ્નોતરી પણ આવે છે.”
કૌશાંબી નગરી છે જેમાં ઇન્દશર્મા બ્રાહ્મણ છે. જે મંત્રી છે તેને શુભંકરા નામની પત્નીથી પુત્રીનો જન્મ થાય છે. જે આનંદ નારકનો જીવ છે. તેનું નામ જાલિની રાખ્યું. જાલિની મોટી થતાં તેના લગ્ન બુધ્ધિસાગર મંત્રીના પુત્ર બ્રહ્મદત સાથે થાય છે.
158
Page #183
--------------------------------------------------------------------------
________________
તેનાથી જાલિનીને સિંહકુમારનો જીવ ગર્ભરૂપે આવે છે. પૂર્વના સંસ્કારને કારણે માતા જાલિની પુત્રને મારવાની કોશિશ કરે છે પણ ગર્ભ પડતો નથી. રાજાને આ વાતની ખબર પડતાં તે જાગૃત થાય છે અને જાગૃત થઇ પુત્ર જન્મ કરાવે છે. ગુપ્ત રીતે પુત્રને મોટો કરાય છે. જાલિનીને ખબર પડી જાય છે તેથી તે રાજાને કહે છે કે કાં તે અથવા હું બંનેમાંથી એકનો ત્યાગ કરો. આ વાતની ખબર પુત્રને પડતા તેને વૈરાગ્ય આવે છે અને ગૃહત્યાગ કરે છે. માતા મુનિને ચલિત કરવા ભેટ સોગાદો મોકલે છે. છેવટે કાવતરું કરી મુનિને વ્હોરવા બોલાવે છે અને ઝેરવાળો લાડુ આપી મારી નાખે છે. સિંહકુમારનો જીવ મરીને બ્રહ્મદેવલોકમાં જન્મે છે. અને જાલિની મરીને શર્કરાપ્રભા નારકીમાં ઉત્પન્ન થાય છે.
ચોથો ભવઃ- ધન અને ધનશ્રી (પતિ-પત્ની) રૂપે. યશોધર ચરિત્ર તેમજ માંસ ભક્ષણના દોષોનું વર્ણન પણ છે.
૩૮
સુશર્મ નામનું નગર છે જ્યાં સુધન્વા રાજા છે. વૈશ્રમણ નામનો સાર્થવાહ છે જેને શ્રીદેવી નામની ભાર્યા છે. સાર્થવાહને પુત્ર ન હોવાથી તે ધન ચક્ષની માનતા રાખે છે. સમય જતા માનતા ફળે છે અને પુત્ર જન્મ થાય છે. જેનું નામ ધન રાખવામાં આવે છે. જે શિખિકુમારનો જીવ છે.
આ બાજુ જાલિનીનો જીવ નારકમાંથી નીકળી સંસારમાં કેટલોક સમય રખડી પૂર્ણભદ્ર સાર્થવાહ અને ગોમતી નામની ભાર્યાની કુક્ષીમાં પુત્રીપણે ઉત્પન્ન થાય છે. તેનું નામ ધનશ્રી રાખ્યું.
અનુક્રમે ચુવાન થતાં એકવાર ધનકુમારની નજર ધનશ્રી પર પડે છે. (અષ્ટમી ચંદ્રના મહોત્સવમાં ) આ ભાવ સોમદેવ પુરોહિતના ધ્યાનમાં આવે છે અને ધનકુમાર માટે ધનશ્રીની માંગણી કરવાનું તે વૈશ્રમણ સાર્થવાહને કહે છે. ધન અને ધનશ્રીના લગ્ન થાય છે. પરંતુ ધનશ્રીનું મન તો ઘરે જન્મેલા નંદક નામના નોકર સાથે મૈત્રી સંબંધ બંધાયો. નંદક એ પૂર્વના ભવમાં અગ્નિશર્મા તાપસનો જીગર જાન મિત્ર હતો.
ધનકુમાર ધન ઉપાર્જન કરવા પરદેશ ગમન કરે છે સાથે નંદક મિત્ર અને પત્ની ધનશ્રી પણ હોય છે. અહીં પરદેશ ગમન કરતા મહેશ્વરદત્ત નામના જુગારી ધનકુમારના શરણે આવે છે. ધનકુમાર તેને બચાવે છે. આ જુગારી યોગીશ્વર નામના કાપાલિક પાસે કાપાલિક વ્રત લે છે. ધનશ્રી પૂર્વના વૈરને કારણે ધનકુમાર ઉપર કાર્પણ પ્રયોગ કરે છે. તેનાથી ધનકુમારને મોટો વ્યાધિ ઉત્પન્ન થાય છે. આથી ધનકુમાર ધંધાની બધી જિમ્મેદારી નંદકને સોંપે છે. ધનશ્રી ધનકુમારના મરવાની રાહ જુએ છે. પણ નંદક તેને સાથ નથી આપતો. એક દિવસ મોકો જોઇને ધનકુમાર શૌચ માટે રાત્રે ઉઠે છે ત્યારે ધનશ્રી તેને સમુદ્રમાં ધક્કો મારે છે. ધક્કો મારી મોટે મોટેથી
159
Page #184
--------------------------------------------------------------------------
________________
રડવાનો ડોળ કરે છે. નંદક ધનકુમારને બચાવવા પાણમાં પડવાનું વિચારે છે પરંતુ તેને રોકવામાં આવે છે. પત્નીના આવા ખરાબ કૃત્યથી ધનકુમાર મરતો નથી પણ બચી જાય છે. તે સમુદ્રના બીજા કાંઠે પહોંચે છે. ત્યાં મહેશ્વરદત્ત ગારૂડી મંત્રની સાધના કરવા સમુદ્ર કાંઠે સ્થિર હતો. તે ધનકુમારને ઓળખી જાય છે. તેને ધનકુમારે પોતાના પર કરેલ ઉપકાર યાદ આવે છે અને તેને ગારૂડી વિદ્યા આપી વિદાય કરે છે. માર્ગમાં જતા રાજાના માણસો પરદેશી માની પકડે છે. તે બધી સાચી હકીકત કહે છે. રાજાના માણસો વાત સાંભળે છે. એ જ વખતે એક વાંદરાએ ધનકુમારનું વસ્ત્ર ચીર્યુ. ત્યારે તેમાંથી ‘ત્રૈલોકયસાર’નામની રત્નાવલી પડે છે. મંત્રીએ તે જોઇ તેની પૂછપરછ કરી. ત્યારે ધનકુમારે કહ્યુ ૧ વર્ષ પહેલા તેણે ખરીદેલી. રાજા સુધી આ વાત પહોંચે છે. રાજા તેને ગુનેગાર જાણી વધ કરવાની આજ્ઞા કરે છે. તે જ વખતે એક બાજ પક્ષી છાબડીમાંથી રત્નાવલીને માંસ સમજી લઇ જાય છે. હવે ધનકુમારને મારવા રાજપુરુષો સ્મશાનમાં લઇ ગયા. ચંડાળને સોંપવામાં આવે છે. પરંતુ ચંડાળ તેને મારતો નથી. એ જ સમયે રાજાના પુત્રને સર્પડંસ થાય છે અને ગારૂડી મંત્રથી ધનકુમાર તેનું વિષ ઉતારે છે. રાજા તેને માફ કરે છે. રાજા તેને રત્નાવલી મળ્યાની હકીકત પૂછે છે. રાજપુત્રી જીવિત હોવાના સમાચાર મળે છે. આથી રાજા તેને નિર્દોષ માને છે. રાજા તેનું યોગ્ય બહુમાન કરી સુશર્મનગરમાં મોકલે છે. ધનશ્રીના આ કૃત્યની બધી વાત તે પરિવારને કરે છે. ધનકુમાર ધનદેવ ચક્ષના મંદિરમાં પૂજા કરી દાન ધર્મ કરી સિધ્ધાર્થ નામના ઉદ્યાનમાં જાય છે. ત્યાં યશોધર નામના શ્રમણને જુએ છે. તે શ્રમણને તેમણે ચારિત્ર ગ્રહણ કરવાનું દીક્ષા લેવાનું કારણ પૂછે છે અને એ સાંભળી માતા-પિતા સાથે ધનકુમાર દીક્ષા લે છે.
આ બાજુ નંદક અને ધનશ્રી નામ બદલી સમુદ્રદત્તના નામે કૌશામ્બી નગરીમાં રહે છે. ધનમુનિ એકવાર નંદકના ઘરમાં પ્રવેશ કરે છે. ધનશ્રી તેને ઓળખી જાય છે અને તેને ફરીથી મારવાનો પ્રયત્ન કરે છે. તે મુનિની પાછળ દાસીને મોકલે છે અને મુનિનું રહેવાનું સ્થાન જાણે છે. પછી તે તેની પાછળ જઇ કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા મુનિની આજુબાજુ કાષ્ઠ ગોઠવી તેને મારી નાંખે છે. મૃત્યુ પામી મુનિ પંદર સાગરોપમના આયુષ્યવાળા શુક્રકલ્પ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અહીં મુનિની હત્યા કરનારની શોધ થતા ધનશ્રી પકડાઇ જાય છે. તેને દેશ નિકાલની સજા કરવામાં આવે છે. અને એકવાર રસ્તામાં સર્પડંશથી મૃત્યુ પામી તે વાલુકાપ્રભા નામની નરક પૃથ્વીમાં નારકી બને છે.
આમ ચોથા ભવમાં મુનિની હત્યાનું ક્રૂર વર્ણન હૃદય દ્રાવક છે. સ્ત્રી ચરિત્રનું પણ દર્શન થાય છે. નોળિયા, સર્પ, માછલાના ભાગો કાપ્યા એ બધા વર્ણનો ચીતરી ચડે એવા છે.
160
Page #185
--------------------------------------------------------------------------
________________
પાંચમો ભવઃ- જય-વિજય(સહોદર)રૂપે. આચાર્ય સનતકુમારના ચરિત્ર વર્ણન તેમજ બે પ્રકારની અટવી. દ્રવ્ય અટવી અને ભવ અટવીનું વર્ણન આવે છે.
3€
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કાંકી નામે નગરી છે. જેમાં સૂરતેજ નામનો રાજા અને લીલાવતી રાણી છે. લીલાવતી રાણી બે પુત્ર જયકુમાર અને વિજયકુમારને જન્મ આપે છે. જયકુમાર એ ધનકુમારનો જીવ છે અને વિજયકુમાર એ ધનશ્રીનો જીવ છે. જયકુમાર અને વિજયકુમાર ચૌવન વયના થાય છે. એકવાર અશ્વક્રીડા કરવા જતાં ઉદ્યાનમાં જયકુમારે સનતકુમાર નામના આચાર્યને જોયા. પોતાના પૂર્વ ભવના ધર્મના સંસ્કાર અને આચાર્ય મહારાજના ભવોની કથા સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. દીક્ષા અંગીકાર કરે છે. પૂર્વનું વેર ઉત્પન્ન થતા વિજયકુમારને મુનિ(જયકુમાર) ઉપર દ્વેષ આવે છે. તેને મારી નાંખવાનો સંકલ્પ કરે છે. મુનિને મારી નાંખવા વિશ્વાસુ પુરુષોને મોકલે છે. આ પુરુષોને વિચાર આવે છે કે મુનિને કારણ વગર શા માટે મારવા? આથી માર્યા વગર જ ‘મારી નાખ્યા' એમ વિજયરાજાને નિવેદન કર્યું. આ બાજુ જયકુમારમુનિ કાંકદી નગરીમાં સ્વજન લોકોને પ્રતિબોધ કરવા આવે છે. વિજયકુમાર મુનિને જોઇને તેને મારવા માટે મોકલેલ પુરુષો ઉપર ગુસ્સો કરે છે. એ પુરુષો વાત ફેરવીને કહે છે કે અમે બરાબર ઓળખી ન શક્યા માટે અમે કોઇ બીજા સાધુને મારી નાંખ્યા હશે. જય અનગાર તો ઉપદેશ આપે છે. દાન ધર્મ અને જીવો પ્રત્યે મૈત્રી કરવાનું કહે છે. વિજય રાજા એને મારી નાંખવાનો વિચાર કરે છે. રાત્રિ પડતા ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા જયઅનગારનું મસ્તક તલવારથી કાપી નાંખે છે. જય અનગાર આયુષ્ય પૂર્ણ થતાં આનત નામના દેવલોક વિષે અઢાર સાગરોપમની સ્થિતિવાળા શ્રીપ્રભ નામના વિમાનમાં વૈમાનિક દેવરૂપે ઉત્પન્ન થાય છે. જ્યારે વિજયરાજા પોતે કરેલા કૃત્યથી પાપના ઉદયથી મહાવ્યાધિની વેદનાવાળો થઇ આયુષ્ય પૂર્ણ કરી દુ:ખ ભર્યા મૃત્યુથી મરી પંકપ્રભા નામની નારકીમાં દશ સાગરોપમની સ્થિતિવાળો મહાઘોર નારકી થયો.
છઠ્ઠો ભવઃ- ધરણ-લક્ષ્મી(પતિ-પત્ની) રૂપે. અર્હદત્તની આત્મકથાનું વર્ણન પણ આવે
છે.
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં માકંદી નગરમાં કાળમેઘ રાજા રાજ્ય કરે છે. તેને હારપ્રભા નામની રાણી છે. આ રાણીથી તેને ધરણ નામના પુત્રનો જન્મ થાય છે. જે જયઅનગારનો જીવ છે. વિજયકુમારનો જીવ નારકીમાંથી નીકળી આ જ નગરીમાં કાર્તિકશેઠની જયા ભાર્યાની કુક્ષીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થયો. જન્મ્યા પછી તેનું નામ લક્ષ્મી પાડ્યું. ભવિતવ્યતાના યોગથી અનુક્રમે ચૌવન પામતા ધરણ અને લક્ષ્મીના લગ્ન થાય છે. ધરણને લક્ષ્મી પ્રત્યે પ્રીતિ હતી પણ લક્ષ્મીને ધરણ પ્રત્યે અંતઃકરણથી
161
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રીતિ ન હતી. તે હંમેશા એમ વિચારતી કે આ જીવલોક કેવો છે કે હંમેશા ધરણનું મુખ જોવું પડે છે. તે ધરણને દુ:ખી કરવાના જ વિચારો કરતી. આમ વિડંબના કરતા તેનો કેટલોક કાળ વીત્યો. એકવાર ધરણ રથમાં બેસી ઉદ્યાનમાં ક્રીડા કરવા જાય છે. ત્યારે પંચનંદી શેઠનો પુત્ર દેવનંદી ઉદ્યાનમાંથી ક્રીડા કરી પાછો આવે છે. બંનેના રથ નગરના દરવાજા પાસે ભેગા થાય છે. બંને હઠ પર ઉતરે છે અને પોતાનો રથ પાછળ ખસેડવાની ના પાડે છે. આ વાત નગરમાં ફેલાય છે. પંચ નક્કી કરે છે કે જે દેશાન્તર જઈ પોતાના બળે એક વરસની અંદર અધિક દ્રવ્ય ઉપાર્જન કરી પહેલો પાછો આવશે તેનો રથ અહીંથી પ્રથમ પાસ થશે. બંને દેશાત્તરમાં ચાલ્યા. એક ઉત્તરાપથમાં ગયો બીજો પૂર્વદેશમાં ગયો. બંનેની પત્નીઓને પણ સાથે જવાની પરવાનગી મહાજન આપે છે. આ બાજુ લક્ષ્મી ધરણને મારવાના વિચારો કરે છે.
દેશાન્તર જતા માર્ગમાં ધરણને વિદ્યાધર મળે છે. તે વિદ્યાધરને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. આથી વિદ્યાધર તેને ઔષધિ વલય આપે છે. આગળ જતાં પલ્લીપતિને અને તેની પત્નીને મદદ કરે છે. તેને મૃત્યુના મુખમાંથી બચાવે છે. આગળ જતાં નિરપરાધી ચંડાળને પણ જીવિત દાન આપે છે. એટલું જ નહિ પરંતુ એકવાર તેની પત્નીની ભૂખ-તરસ છીપાવવા પોતાનું માંસ અને લોહી આપવા તૈયાર થાય છે. તેણી ભોજન કરે છે. તે પછી થોડો સમય આરામ કરી તેઓ આગળ જાય છે અને યક્ષમંદિરમાં રોકાય છે. રાત્રિ પડતાં લક્ષ્મી તેને પાણી લાવી આપવા કહે છે. ધરણ નદીએ પાણી લેવા જાય છે અને તેના માટે પાણી લાવે છે. આ સમયે લક્ષ્મી એમજ વિચારે છે કે હજી ધરણ દુઃખી થાય તો સારું. એ જ સમયે ચંડરુદ્ર નામનો ચોર ચોરી કરીને ત્યાં આવે છે. ત્યારે લક્ષ્મી તેને પાણી આપવા માટે શરત મંજૂર કરે છે. ચંડરુદ્રની પાછળ કોટવાળો પડ્યા છે. આથી તે લક્ષ્મીની શરત મંજૂર રાખે છે. ચંદ્ર કહે છે કે મારી પાસે એવી ગુટિકા છે કે જેને પાણી સાથે ભેળવી આંખે આંજવાથી અદશ્ય થઈ જવાય છે. ચંદ્ર તે ગુટિકા ધારણ કરે છે. ધરણને કોટવાળો જુએ છે અને તેને પકડીને લઈ જાય છે. તેને મારી નાંખવાનો આદેશ અપાય છે. ચંડાળને સોપવામાં આવે છે. ચંડાળ પર તે ઉપકાર કરનારો હોવાથી તે ચંડાળ તેને મારવાની ના પાડે છે. ધરણ તેને રાજાની આજ્ઞા પાળવાનું કહે છે. પણ તે મારતો નથી છોડી દે. ધરણ તો ચિંતા કરે છે, લક્ષ્મી કયાં હશે? આ બાજુ ચંડરુદ્ર ચોર લક્ષ્મી પાસેથી આભૂષણો લઈ છોડી દે છે. લક્ષ્મી વિચારે છે તેણે ભલે મને છોડી દીધી પણ ધરણને મરાવી નાંખ્યો એ બહુ સુંદર કાર્ય થયું. આવું વિચારી તે નદીકાંઠે જતી હતી ત્યાં ધરણે તેને જોઈ અને તે ખુશ થયો. લક્ષ્મી તો ધરણને જોઈ મોટેથી રુદન કરવા લાગી. ધરણ તેને શાંત કરે છે. લક્ષ્મી વિચારે છે કે “કાળના મુખમાં ગયેલો આ પાછો આવ્યો.” આમ વિચારી તે ધરણની સાથે ચાલવા લાગી. આગળ જતાં કાળસેનના માણસો
162
Page #187
--------------------------------------------------------------------------
________________
બલિ માટે ધરણને પકડીને લઈ જાય છે. અહીં ચંડિકા મંદિરનું વર્ણન કરેલ છે, જે ખૂબ જ ભયાનક છે. પરંતુ કાળસેન તેને ઓળખી જાય છે. તેણે કરેલા ઉપકારને યાદ કરે છે અને તેને છોડી દે છે. ધરણ માકંદી નગરીમાં પહોંચે છે. તેની પાસે સવાઝોડ રૂપિયા હોય છે, જ્યારે દેવનંદી પાસે અડઘોક્રોડ રૂપિયા થાય છે. આમ, ધરણ શરત જીતી જાય છે. હવે ધરણ અર્થ પ્રાપ્તિ માટે પરદેશ જાય છે. ત્યારે વહાણમાં દેવી પ્રકોપ થાય છે. પુરુષની બલિ ચડાવવાની વાત થાય છે. ધરણે મૃત્યુને ભેટવા તૈયાર થાય છે. બલિ ચઢાવા સમુદ્રમાં પડે છે પણ નસીબે બચી જાય છે. ધરણે સુવદનને લક્ષ્મીને તેના પિતા સુધી પહોંચાડવાની જવાબદારી સોંપી. અહીં રત્નગિરિ પર્વતનું વર્ણન આવે છે. અહીં સુવદન સુવર્ણની પ્રાપ્તિ કરે છે સાથે લક્ષ્મીનો પણ તે સ્વીકાર કરે છે. બચી ગયેલા ધરણને આ બંનેએ જોયા પછી પાછો તેને મારી નાંખવાનો વિચારે છે. રાત્રિ પડતાં ધરણના ગળામાં ફાંસો નાંખે છે અને મરી ગયેલો જાણી સમુદ્રકિનારે દૂર મૂકી આવે છે. પણ ધરણની શીતળ હવાના કારણે મૂછ દૂર થાય છે. બચી જાય છે. પરંતુ પત્નીના આવા કૃત્યને જાણી સ્ત્રીચરત્રિથી દુઃખી થયેલો તે અહદત્ત આચાર્ય પાસે દીક્ષા લે છે. લક્ષ્મીને દેશવટો આપવામાં આવે છે. લક્ષ્મીને સુવદન શોધી કાઢે છે. અને બંને સાથે રહેવા લાગ્યા. એકવાર લક્ષ્મી ધરણઋષિને જુએ છે. ઓળખી જાય છે. પહેલાનું વૈર જાગૃત થતાં પાછી તેને મારી નાંખવાની કોશિશ કરી છતાં મુનિ બચ્યા. લક્ષ્મીને અટવીમાં સિંહે ફાડી ખાધી અને ત્યાંથી મરીને ધૂમપ્રભા નામની પાંચમી નરકમાં ઉત્પન્ન થઈ. ધરણ મુનિ અણસણ કરી પંડિત મૃત્યુ પામી અગ્યિારમા દેવલોકમાં ચંદ્રકાંત નામના વિમાનમાં એકવીસ સાગરોપમની સ્થિતિવાળા વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. સાતમો ભવઃ- સેન-વિષેણ (પિત્રાઇ ભાઇ)રૂપે. સાધ્વીજી મહારાજનો પૂર્વભવ અને વાણીની કટુતા ઉપર માતા-પુત્રીનું દૃષ્ટાંત આવે છે.” - સાતમા ભાવમાં પણ આ જ રીતે વેરભાવની પરંપરા ચાલુ રહી. ચંપા નગરીમાં ધરણનો જીવ અમરસેન રાજાની જયસુંદરી રાણીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તેનું નામ સેન' રખાય છે. લક્ષ્મી નારકીનો જીવ અમરસેનના નાનાભાઇ હરિષણની ભાર્યા તારપ્રભાની કુક્ષીમાં ઉત્પન્ન થાય છે. તેનું નામ વિષેણ રાખવામાં આવે છે. આ ભવમાં વિષેણ પૂર્વના વૈરને કારણે તેના ભાઈ સેનને મારનાર બને છે. નરકનું આયુષ્ય બાંધે છે. તમા નામની નારકમાં બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નારકમાં ઉત્પન્ન થાય છે. જ્યારે સેન અણગાર બને છે. સંલેખના કરી દેહ ત્યાગી નવમા સૈવેયક દેવલોકમાં ત્રીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થાય છે. આઠમો ભવ:- (ગુણચંદ્ર-વીનવ્યંતર વિદ્યાધર). આચાર્ય વિજયધર્મનું ચરિત્ર તથા
163.
Page #188
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવ, શ્રી તીર્થંકર દેવનું સમવસરણ સુગતા સાધ્વીનું ચરિત્ર-પૂર્વભવ. નદી દેખીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
*ર
અયોધ્યા નગરમાં મૈત્રીબલ રાજા અને પદ્માવતી રાણીની કુક્ષીમાં ગુણચંદ્રનો જન્મ થાય છે. વિષેણનો જીવ નરકમાંથી નીકળી વૈતાઢ્ય પર્વત પર ચક્રવાલપુર નગરમાં વિદ્યાધરપણે ઉત્પન્ન થયો. તેનું વાનવ્યંતર નામ પાડ્યું. અહીં પણ વાનવ્યંતર ગુણચંદ્રને જોતાં જ મારી નાંખવાના ભાવવાળો થાય છે. આયુષ્ય પૂરું થતા વાનપ્યંતર રૌદ્ર ધ્યાનના પરિણામવાળો મરીને મહાતમા નામની સાતમી નારકમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળામાં નારકી પણે ઉત્પન્ન થાય છે અને ગુણચંદ્ર મુનિ બની વિહાર કરતા, મૈત્રી ભાવ કેળવતા, દેહનો ત્યાગ કરી સ્વાર્થસિધ્ધ નામના મહાવિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થાય છે. નવમો ભવઃ- મિત્રોના ૩ પ્રકાર, ૩ દૈશ્યો અને ૭ દ્દષ્ટાંતો આપ્યા છે.
83
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઉજ્જૈણી નગરીમાં પુરુષસિંહ રાજા અને સુંદરી રાણીનો પુત્ર સમરાદિત્ય છે.
વાનપ્યંતરનો જીવ નારકીમાંથી નીકળી જુદા જુદા પ્રકારની તિર્યંચ ગતિમાં રખડી અનેક દુઃખો પ્રાપ્ત કરી શિયાળ પણે મૃત્યુ પામી આ જ નગરીમાં ચંડાળના વાડામાં ગ્રંથિક નામના ચંડાળની યક્ષદેવા નામની ભાર્યાની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થાય છે. તેનું નામ ગિરિષેણ રાખવામાં આવે છે.
કુમાર સમરાદિત્યને આગળના ભવોનું જાતિસ્મરણ થાય છે અને તે વિરક્તિ ભાવમાં રહે છે. શુભ ધ્યાન-યોગમાં પોતાનો સમય પસાર કરે છે. વ્યસની મિત્રો સંસારના રાગ માટે નિષ્ફળ પ્રયોગ કરે છે. પિતાજી તેના વિરક્ત ભાવથી ચિંતામાં રહે છે. કુમારને તો અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. પિરવાર સાથે સમરાદિત્યની દીક્ષા થાય છે. પ્રભાસ આચાર્યની સાથે ગુરુકુળ વાસમાં કેટલાય વર્ષ પસાર કર્યા. અને મોક્ષ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ સમરાદિત્યને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અગ્નિશર્માનો જીવ અસંખ્યાતા ભવ પછી શંખ નામનો બ્રાહ્મણ થઇ સિધ્ધગતિને પામશે. સમરાદિત્ય નિર્વાણને પ્રાપ્ત કરે છે.
આમ, નવ ભવના વર્ણન પરથી ખ્યાલ આવે છે કે એક નિમિત્તથી જે ક્રોધ કર્યો નિયાણું કર્યું ને કેવી દુર્દશા જીવની થઇ. આ ચિરત્રમાં લેખકે આબેહૂબ નરકનું વર્ણન કર્યું છે. વાંચનારના રૂંવાટા ખડા થઇ જાય. ક્રોધ જીવનમાંથી ચાલ્યો જાય એવી ભવવેદના બતાવી છે. ખરેખર! સમરાદિત્ય ચરિત્ર એ કષાયોને જીતવા માટેનું શ્રેષ્ઠ ચરિત્ર છે. એમાં બધા રસોનું વર્ણન આવે છે. છેવટે શાંતરસમાં પરિવર્તન થાય છે.
164
Page #189
--------------------------------------------------------------------------
________________
ધૂર્તાખ્યાન શ્રુતિ-પુરાણ-ભાગવત-મહાભારત-રામાયણાદિમાં બતાવેલ દષ્ટાંતોએ મૂલ દેવાદિ ધૂર્તોના અસંગત અપ્રામાણિક કથાનકોના ઉત્તરો અચાન્ય ધૂર્તીએ આપ્યા છે. જે વાંચતા ભવ્ય જીવોને સુસંગત યથાસ્થિત શ્રી વીતરાગ ભાષિત વચનો ઉપર દૃઢ શ્રધ્ધાન ગુણ પ્રાપ્ત થાય છે. આ લઘુ આખ્યાન ગ્રંથ પણ સમ્યત્વ સ્થિરતાનું મહત્ કારણ જાણી શ્રી હરિભદ્રસૂરિ ભગવંતે રચેલા પ્રાકૃત ધૂર્તાખ્યાન ઉપરથી શ્રી સંઘતિલકસૂરિ મહારાજે સંસ્કૃતમાં ગૂંચ્યો છે. પ્રથમ ૧૫ શ્લોકમાં ગ્રન્થ પીઠિકા, ર૮ શ્લોક સુધી મૂળદેવ કથા, ૮૩ સુધી કંડરિકે કહેલું મૂળદેવ કથાનું સમાધાન, ૧૦૦ સુધી કંડરિક કથા, ૧૪૮ સુધી એલાષાઢ કરેલ સમાધાન, ૧૬૮ સુધી એલાષાઢ કથા, ર૩૮ સુધી શરાધૂર્તે આપેલું સમાધાન, રપ૩ સુધી શશક કથાનક, ૩ર૭ સુધી ધૂર્ત શિરોમણિ ખંડના ધૂતારીએ આપેલ શશક કથાના સમાધાન, ૩૩૫ સુધી ખંડપાનાની કથા, ૩૪૪ સુધી મૂલદેવે કરેલ સમાધાન, ૩૬ર સુધી ખંડપાનાને કંડરિક એલાષાઢ અને શ આપેલા ઉત્તરો, ૩૯૦ સુધી ખંડપાનાનું ચારિત્ર, ૩૯૮ સુધી ખંડપાનાએ ચારે ધૂર્તોની ઉપર મેળવેલો વિજય, ૪૧૮ સુધી ખંડપાનાનો બુધ્ધિ પ્રભાવ, ૪ર૬ સુધી ગ્રંથકારે આપેલું રહસ્ય.
આ રીતે ૪ર૬ શ્લોકોમાં આ ગ્રંથ પૂર્ણ થાય છે. ધૂખ્યાન - આચાર્ય હરિભદ્રે ધર્મકથાના એક અદ્દભુત રૂપનો આવિષ્કાર કર્યો છે. તે ધૂર્તાખ્યાનના રૂપમાં પ્રગટ છે. તેમાં પાંચ આખ્યાનો છે. ૪૮૦ પ્રાકૃત ગાથાઓ છે. કથાવસ્તુ - ઉજ્જૈનીના ઉદ્યાનમાં ધૂર્તવિદ્યામાં પ્રવિણ પાંચ ધૂર્ત પોતાના સેંકડો અનુયાયીઓ સાથે સંયોગવશ ભેગા થયા. પાંચ ધૂર્તામાં ચાર પુરુષ હતા અને એક સ્ત્રી. વરસાદ સતત પડતો હોવાથી ખાવા-પીવાની જોગવાઈ કરવી મુશ્કેલ જણાતી હતી. પાંચે દળોના નાયકોએ વિચાર વિમર્શ કર્યો. તેમાંથી પ્રથમ મૂળદેવે પ્રસ્તાવ મૂક્યો કે આપણે પાંચ જણે પોતપોતાના અનુભવની કથા કહી સંભળાવવી. તેને સાંભળી બીજાઓ પોતાના કથાનક દ્વારા તેને સંભવ દર્શાવે. જે એવું ન કરી શકે અને આખ્યાનને અસંભવ જણાવે છે તે દિવસે બધા ધર્મોના ભોજનનો ખર્ચ ઉપાડે. મૂલદેવ, કંડરિક, એલાષાઢ, શશ નામના ધૂર્ત રાજાઓએ પોતપોતાના અસાધારણ અનુભવો સંભળાવ્યા. તે અનુભવોનું સમર્થન પણ પુરાણોના અલૌકિક વૃતાન્તો દ્વારા કર્યું. પાંચમું આખ્યાન ખંડપા નામની ધૂતારીનું હતું. તેણે એક અદભુત આખ્યાન કહીને તે બધાને તેણે પોતાના ભાગેડુ નોકરી પુરવાર કર્યા. અને કહ્યું કે જો તેના ઉપર વિશ્વાસ હોય તો બધા તેને સ્વામિની માને અને જો વિશ્વાસ ન હોય તો બધા તેને ભોજન દે તો જ તે બધા પરાજયમાંથી બચી શકશે. તેની આ ચતુરાઇથી ચકિત થઇ
| 165
Page #190
--------------------------------------------------------------------------
________________
166
મથુરા નગરી યદુરાજા
'
પુત્ર નેમનાથ
શુર નામે પુત્ર
બે પુત્રો
સુવીરનો પુત્ર ભોજ વૃષ્ણિનો • ઉગ્રસેનનો કંસના લગ્ન જીવયશા જોડે થયા.
પુત્ર
પુત્ર
શોરિ રાજા
પુત્ર અંધક વૃષ્ણિ અને ૫ દશ મંત્રો
સુભદ્દા રાણી
(૩)
(૫)
સમુદ્રવિજય (૨) સ્તિમિન (૪) હિમવાન (૬)
અક્ષોભય
સાગર
અને શિવાદેવીના
(કૃષ્ણ કરતા નેમનાથ ૧૧ વર્ષ નાના)
(૭)
ધરણ
અચલ
(૯)
(૮) અભિચંદ્ન (૧૦)
પ્રરણ
'
બે બહેનો
કુંતીના
વસુદેવ અને
લગ્ન
દેવકીના પુત્ર પાંડુ સાથે
કૃષ્ણ આદિ સાત ભાઇ
માદ્રીના
લગ્ન
દમઘોષ
સાથે
Page #191
--------------------------------------------------------------------------
________________
બધા ધૂર્તોએ લાચારીથી તેને સ્વામિની માની લીધી. તેણે પોતાની ધૂર્તતા દ્વારા એક શેઠ પાસેથી રત્નજડિત વીંટી મેળવી અને તેને વેંચીને ખાદ્ય સામગ્રી ખરીદી. બધા ધૂર્તોને ભોજન કરાવ્યું. બધા ધૂર્તો તેની પ્રત્યુત્પન્નમતિની પ્રશંસા કરી અને સ્વીકાર કર્યો કે પુરુષો કરતાં સ્ત્રી વધુ બુધ્ધિશાળી હોય છે.
આમ, આચાર્ય હરિભદ્ર ધર્મકથાના એક અદભુત રૂપનો આવિષ્કાર કર્યો છે. આ રચના પ્રચુર હાસ્ય અને ચંગથી પરિપૂર્ણ છે.
૮મી સદી
ઉપદેશપદ ગ્રંથ ઉપદેશપદ” ગ્રંથની રચના પ્રભાવક પ્રૌઢ ઉપદેશ તરીકે સુપ્રસિધ્ધિ જૈનાચાર્ય શ્રી હરિભદ્રાચાર્યે કરી છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયો, ૧૦૩૯(૪૦) જેટલી ગાથાઓ આ ગ્રંથમાં છે. પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રાચાર્યે ૧૪૦૦ જેટલા પ્રકરણ ગ્રંથોની રચના કરી હતી, જેમાંથી વર્તમાનમાં ૭૫ જેટલા ગ્રંથો ઉપલબ્ધ છે. - ઉપદેશપદની પ્રાચીન પ્રતિઓ:૧. વિક્રમ સંવત ૧૧૭૧ માં લખાયેલી ઉપદેશપદની એક તાડપત્રીય પ્રતિ,
જેસલમેરના ભંડારમાં છે. (જે.ભ.ગ્રંથસૂચિ, પૃ-૩૪,૩૬) ૨. બીજી એક તાડપત્રીય પોથી સંવત ૧૧૭માં લખાયેલી છે. ૩. ત્રીજી એક તાડપત્રીયપોથી સંવત ૧ર૧રમાં અજમેરુ દુર્ગમાં મહારાજા
વિગ્રહરાજના રાજ્યમાં લખાયેલી છે. તે વર્ધમાનસૂરિની ટીકા સાથે છે. (જે.ભં., સૂચી પૃ.૬/ ૭)
ઉપદેશપદ' ગ્રંથનો અનુવાદ આચાર્ય હેમસાગરસૂરીશ્વરજીએ તેમજ તેનું પુનઃ સંપાદન મુનિ શ્રી રત્નત્રયવિજયજીએ વિ.સં.ર૦૬૧માં કર્યું. આ ગ્રંથનું મૂલ્યાંકન કરતા હીરાલાલ ૨. કાપડિયા કહે છે કે,
ઉપદેશપદ ગ્રંથમાં અનેક સ્થળે ઉપદેશને સચોટ બનાવવાના હેતુથી કાષ્ટાનિકોનો ઉલ્લેખ કરાયો છે. આ ગ્રંથ ઉદાહરણનો-કથાઓના ભંડાર છે. બધી કથાઓમાં પાઇયમાં રચેલી બ્રહ્મદત્તની કથા સૌથી મોટી છે. એમાં પ૦૫ પદ્યો છે. આ ગ્રંથમાં મોટે ભાગે કથાઓ પદ્યમાં છે.” *
167
Page #192
--------------------------------------------------------------------------
________________
ઉપદેશપદ ગ્રંથની પરિશિષ્ટ નીચે મુજબ છે.
પાના નં ૪ થી ૪૨
૪૫
૫૨
૬૧ થી ૬૫ ૭૦ થી ૮૯
૮૭ થી ૧૧૪ ૧૧૫ થી ૧૧૯ ૧૧૭ થી ૧૪૮ ૧૫૨
૧૫૪
મનુષ્યભવની દુર્લભતાના દ્રષ્ટાંતો વિનય માટે શ્રેણિકનું દ્રષ્ટાંત કુમારીકન્યાકથા અકાલચારી સાધ્વી સંબંધી સિધ્ધાચાર્યકથા કાર્મિકીબુધ્ધિનાં ઉદાહરણો પરિણામિકી બુધ્ધિના દૃષ્ટાંતોની સૂચી ત્પાતિકી બુધ્ધિથી જવાબ અને તેમાં
આવતા દૃષ્ટાંતો વેનયિકી બુધ્ધિના ઉદાહરણો કાર્મિકી બુધ્ધિના દેખાતો પારિણામિકી બુધ્ધિના દષ્ટાંતો ગૌતમસ્વામીનું અષ્ટાપદગમન પુંડરીક-કંડરીક કથા ધનગિરિ વજસ્વામી ચરિત્ર ગૌતમસ્વામી ચરિત્ર ચંડકૌશિક કથા કુલવાલક મુનિની કથા રોહિણી વિધૂનું દષ્ટાંત અને ઉપનય દેડકાનું ચૂર્ણ અને ભસ્મનું દૃષ્ટાંત માસતુષમુનિનું દૃષ્ટાંત ગુરુઆજ્ઞા વિષે ચંદ્રગુપ્તનું દૃષ્ટાંત આર્ય મહાગિરિ આર્ય સુહસ્તિની કથા રાત્રિભોજન વ્રત ભાંગનારની કથા દશાર્ણભદ્ર રાજાનું દૃષ્ટાંત અવંતિ સુકુમાલ ચરિત્ર બોધિ પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર બે ચોરનાં દૃષ્ટાંત રાજપુત્ર ભીમની કથા
૧પ૬ ૧૬૯ ૧૭૩
૧૭૬
૧૯૧
૨૦૦
૨૦૧
૨૦૩
૨૦૬
૨૧૨
૨૧૩
૨૧૭ રર૩ ૨૨૯
168
Page #193
--------------------------------------------------------------------------
________________
અભવ્ય અંગાર મર્દકાચાર્ય
મેઘકુમારની કથા જ્ઞાનગર્ભ મંત્રીની કથા
ભાગ્ય ઉપર પુણ્યસાર-વિક્રમસારની કથા
ભરત ચક્રવર્તી
બ્રહ્મદત્ત ચક્રવર્તી
શુભ આજ્ઞાયોગ ઉપર ચિત્રકારનું દુષ્ટાંત
પ્રાયશ્ચિતમાં લૌકિક ધ્રુષ્ટાંત
રૂદ્ર-ક્ષુલ્લક કથા
શીતલ વિહારી દેવનું દૃષ્ટાંત
જીરણશેઠ-અભિનવ શેઠનું ધ્રુષ્ટાંત
ચમુન રાજાનું ઢષ્ટાંત
આરાધક વિરાધકનું દ્દષ્ટાંત
અગ્નિશિખ ને અરૂણમુનિ
વિનયરત્નનું દુષ્ટાંત
કુંતલદેવીનું ધ્રુષ્ટાંત
શ્રાવકપુત્ર જિનધર્મનું ધ્રુષ્ટાંત
સત્યવ્રત ઉપર સત્યપુત્ર કથા
સદાચારી શ્રાવકપુત્રનું દુષ્ટાંત સુદર્શન કથા
શીલધારી સુદર્શન શેઠની કથા
નંદશ્રાવક અને મિથ્યાત્વી
અણુવ્રત પાલનમાં શ્રીમતી અને સોમા શ્રાવિકા
(આંતરકથાઓ) ઝૂંટણ વણિકની કથા
ગોબર વણિકની કથા
હિંસા પ્રપંચો ઉપર મુનિચંદ્રનું દુષ્ટાંત અસત્ય પ્રપંચ ઉપર શુભંકર વેપારીની કથા
અસ્તેય વ્રત ઉપર તલચોરની કથા
બ્રહ્મચર્ય વ્રત ઉપર પતિ મારિકાની કથા
પરિગ્રહ પરિમાણવ્રત ઉપર લોભાસક્ત પુરુષની કથા
169
૨૩૪
૨૩૮
૨૬૨
૨૭૦
૨૭૨
૨૭૩
૨૭૮
૨૮૩
૨૮૭
૨૯૩
૩૦૩
૩૦૪
૩૦૯
૩૧૦
૩૧૧
૩૧૨
૩૧૪
૩૧૬
૩૧૭
૩૧૮
૩૨૧
૩૩૦
૩૩૬
૩૩૭
૩૩૯
૩૪૩
૩૪૫
૩૪૬
૩૪૭
૩૪૮
Page #194
--------------------------------------------------------------------------
________________
રાત્રિભોજન ત્યાગ ઉપર કથા
३४८ ઈર્યાસમિતિ ઉપર વરદત્ત સાધુની કથા
૩૫૬ ભાષા સમિતિ ઉપર સંગત સાધુની કથા
૩૫૭ એષણા સમિતિ ઉપર નંદીષણનું ઉદાહરણ
૩૫૮ આદાનભંડમત્ત નિકખેવણા સમિતિ ઉપર સોમિલ મુનિનું દૃષ્ટાંત
૩૬૮ પારિષ્ઠાપનિકા સમિતિ ધર્મરુચિનું દૃષ્ટાંત કડવી તુંબડી વહોરાવનાર નાગશ્રીનું દૃષ્ટાંત
૩૭૦ રતિસુંદરીની કથા
૩૯૮ બુધ્ધિસુંદરીની કથા
४०७ ઋધ્ધિસુંદરીની કથા
૪૧૦ ગુણસુંદરીની કથા
૪૧૫ રતિસુંદરી આદિ ચારેય સખીનાં પછીનાં ભવો
૪૨૨ શંખ કલાવતીની કથા
૪૨૯ શંખ રાજાના ભવો અને મોક્ષ
૪૫૯ પાંડવોનું લૌકિક ઉદાહરણ
૪૬૯ સુબુધ્ધિ મંત્રીનું દૃષ્ટાંત
૪૭૨ તત્ત્વજિજ્ઞાસુ રાણીનું ચારિત્ર
૪૮૫ રત્નપરીક્ષક છાત્રની કથા
४८८ કાચાકાનવાળા રાજાનું દષ્ટાંત
૪૮૯ અપ્રમાદ ઉપર તેલધારનું ઉદાહરણ
૪૯૩ રાધાવેધનું દૃષ્ટાંત
૪૯૭ બ્રાહ્મણ વણિક અને રાજાનું દષ્ટાંત
૪૯૮ વિષયાભ્યાસ ઉપર મેના પોપટનું દૃષ્ટાંત
૫૦૪ ભાવાભ્યાસ ઉપર નરસુંદર રાજાનું દૃષ્ટાંત
પરપ અલ્પઅતિચારથી દારૂણફલ ઉપર શૂરતેજનું દષ્ટાંત ૫૩૦ જિનપૂજા ઉપર દુર્ગા ડોશીનું દૃષ્ટાંત
૫૩૨ શુભ અનુષ્ઠાન ઉપર રત્નશિખની કથા
૫૩૪ વીરાંગદ-સુમિત્રની કથા
૫૩૫ આમ આ ગ્રંથમાં વિવિધ વિષયોને આવરી લેતી કથાઓ છે. જેમ કે મનુષ્ય
170
Page #195
--------------------------------------------------------------------------
________________
ભવની દુર્લભતા પર, બુધ્ધિના ૪ પ્રકાર પર, અણુવ્રત ઉપર, રાત્રિભોજન ત્યાગ, જિન પૂજા ઉપર, શુભ અનુષ્ઠાન ઉપર, ઇસમિતિ આદિ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ ઉપર, અભિગ્રહ ઉપર, અકરણ નિયમ ઉપર ચાર સુંદરીની કથા ઉપર દૃષ્ટાંત કથાઓ આપી સુંદર ઉપદેશ આપ્યો છે. સાથે સમક્તિ જે મોક્ષ માટે પાયાનું છે, તેનું વર્ણન તથા ગ્રંથિભેદને પણ ઉ.દા.સાથે અદ્ભુત રીતે અને વર્ણવેલ છે.
આમ, ગ્રંથકારે કથા દ્વારા ભરપૂર તત્ત્વને પીરસ્યું છે. બાલ, યુવાન, પ્રૌઢ અને વૃધ્ધ દરેક પ્રકારના વાંચકોને સરળતાથી સમજાય તેવો આ ગ્રંથ વાંચવા તેમજ સમજવા યોગ્ય છે. વિષયની દૃષ્ટિએ વૈવિધ્ય હોવાથી નદીનો પ્રવાહ જેમ અટક્યા વિના વહે તેમ વાંચકને પણ અટક્યા વિના ગ્રંથ વાંચવાનું મન થાય તેવો છે.
વિ.સં.૮૩૫
કુવલયમાલા કુવલયમાલા” ગ્રંથના અનુસંધાનમાં આગમોધ્ધારક શ્રી આનંદસાગર સૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી હેમસાગરસૂરિ કહે છે કે,
શ્રી ઉદ્યોતનસૂરિએ પ્રાકૃત ભાષામાં “કુવલયમાલા” નામના એક અપૂર્વ કથા ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ સં.ર૦૧૫માં પ્રસિધ્ધ થયો એવા સમાચાર મળતા ગ્રંથ પ્રાપ્ત કરી અધ્યયન શરૂ કર્યું. વાંચતા વાંચતા ઉત્તરોત્તર વધુને વધુ રસ પ્રગટ થયો. છ મહિનામાં આ ગ્રંથનું ભાષાંતર પૂર્ણ કર્યું . મૂળ ગ્રંથના કથનાનુસાર જે આ કથા ભાવપૂર્વક ભણશે, સાંભળશે કે વાંચશે તો તેને અવશ્ય સભ્યત્વ પ્રાપ્ત થશે." ‘કુવલયમાલા” ગ્રંથ વિષે હીરાલાલ ર. કાપડિયા કહે છે કે,
દાક્ષિણ્ય ચિહ્નસૂરિ ઉર્ફ ઉદ્યોતનસૂરિએ જાબાલિપુરમાં શક સંવત ૭૦૦માં એક દિવસ ઓછો હતો ત્યારે અર્થાત્ વિં.સં.૮૩૫માં એટલે ઈ.સ.૭૭૯ની ર૧મી માર્ચે પૂર્ણ કરેલી આ કુવલયમાલા અનાગમિક સાહિત્યનો, ધર્મકથાનુયોગનો, કથાત્મક સાહિત્યનો તેમજ મુખ્યતા જઈણ મરહદીમાં રચાયેલો એક નોંધપાત્ર નમૂનો છે. આ કૃતિનું નામ એના મુખ્ય પાત્રના-નાયિકાના કુવલયમાલાના નામ ઉપરથી યોજાયું છે. તેમ હોઈ એ સુબધુની વાસવદત્તા અને બાણની કાદંબરીનું સ્મરણ કરાવે છે.”
ઉદ્યોતનસૂરિએ કુવલયમાલાનો કેટલોક ભાગ ગદ્યમાં તો કેટલોક ભાગ પદ્યમાં રચ્યો છે. આને લઇને આ કુવલયમાલાને કેટલાક “ચમ્પ' તરીકે ઓળખાવે છે.
કુવલયમાલામાં ૧૯૬મી કાંડિકામાં સિંહનો સાધર્મિક તરીકે ઉલ્લેખ છે.
171
Page #196
--------------------------------------------------------------------------
________________
સામાન્ય રીતે આ આશ્ચર્ય જનક ઘટના કહેવાય કેમકે મનુષ્યો “સાધર્મિક’ ગણાય. પરંતુ અહીં તો સિંહ જેવા ગર્ભજ હિંસકતિર્યંચને “સાધર્મિક' કહ્યો છે. જેના દર્શન પ્રમાણે કોઈ કોઈ ગર્ભજ તિર્યંચ શ્રાવકના કેટલાંક વ્રતો આચરી શકે છે. આવી માન્યતા અન્ય દર્શનકારોની હોય તેવું જોવા જાણવામાં નથી. કુવલયમાલા” ગ્રંથને વિષે પ્રો.રમણલાલ ચી. શાહ કહે છે કે,
“પ્રાકૃત ભાષામાં ધર્મ ગ્રંથોના પ્રકારનું પુષ્કળ સાહિત્ય લખાયું છે. પરંતુ કવિતા, વાર્તા જેવા લલિત સાહિત્યનું પણ ઠીક ઠીક સર્જન થયું છે. એવા ગ્રંથોની રચનામાં પાદલિપ્તાચાર્ય, હરિભદ્રસૂરિ, વિમલસૂરિ, ઉદ્યોતનસૂરિ, સિધ્ધર્ષિગણિ વગેરે એ મૂલ્યવાન ફાળો આપ્યો છે. કોઈ કોઈ બાબતમાં તો “કાંઇબરી કરતાં પણ અધિક ચડે એવી કૃતિ તે પ્રાકૃત મહાકથા “કુવલયમાલા” છે. આ ગ્રંથ ઉપર વિક્રમના અગ્યિારમા–બારમા સૈકામાં નેમિચંદ્રસૂરિએ “આખ્યાનકમણિ કોશ' ગ્રંથ રચ્યો. આમ દેવસૂરિએ તેના ઉપર રચેલી વૃતિમાં માયાદિત્યની કથા સંક્ષેપમાં કુવલયમાલા ગ્રંથ ઉપરથી આપી છે. વિક્રમના ચૌદમાં સૈકામાં પ્રભાચંદ્રસૂરિએ “પ્રભાવક ચરિત'માં કુવલયમાલાનો નિર્દેશ મહાકવિ સિધ્ધર્ષિનાં સંબંધમાં કર્યો છે. વિક્રમના ચોદમાં સૈકામાં રત્નપ્રભસૂરિએ પ્રાકૃત કુવલયમાલા ઉપરથી સંસ્કૃતમાં લગભગ ચાર હજાર શ્લોક પ્રમાણે સંક્ષિપ્ત “કુવલયમાલા”ની રચના કરી છે.' કર્તા વિશે માહિતી - શ્રી ઉદ્યોતનસૂરિએ પોતે આપેલ માહિતી પ્રમાણે તેમના પ્રપિતાનું નામ પણ ઉદ્યોતન હતું. તેઓ મહાદ્વાર નગરના ક્ષત્રિય રાજા હતા. તેઓ ત્રિકર્માભિરત હતા. તેમના પુત્રનું નામ વટેશ્વર હતું. વટેશ્વરના પુત્ર તે કવિ ઉદ્યોતન. એમણે તત્ત્વાચાર્ય પાસે દીક્ષા લઈ આચાર્યની પદવી મેળવી હતી. તેમનું ઉપનામ દાક્ષિણ્ય ચિહ્નસૂરિ’ હતું. ગ્રંથ વિશે - આ ગ્રંથની રચના માટે કર્તાને હી દેવીએ સહાય કરેલી છે. પોતાને આ ગ્રંથ રચવાની પ્રેરણા, પ્રસાદ એ દેવીએ આપ્યા છે. પોતે માત્ર નિમિત્ત છે એમ કર્તાએ જણાવ્યું છે.
આ દેવીની સહાયથી તેમણે પ્રહર માત્રમાં સો જેટલી ગાથાની રચના કરી છે. એવો ઉલ્લેખ કર્તાએ કર્યો છે. કથા રચનાની વિશેષતા:- તેઓ કથાનાં પાંચ પ્રકાર જણાવે છે. સકલકથા, ખંડકથા, ઉલ્લાપકથા, પરિહાસકથા, વરાકથા અને એ સર્વ પ્રકારની કથાઓના સમન્વયવાળી પોતાની આ કથા સંકીર્ણકથા તરીકે ઓળખાવી છે. કથાની ભાષા - કથાની ભાષા અંગે નિર્દેશ કરતા કવિ ગ્રંથના આરંભમાં ૭મી
172
Page #197
--------------------------------------------------------------------------
________________
કંડિકામાં કથા શરૂ કરતા પહેલા જણાવે છે કે તાપસી અને જિનસમુદાય જેનો વ્યવહાર કરે છે તે પ્રાકૃત ભાષામાં મહારાષ્ટ્રી તથા દેશી ભાષામાં પોતે આ કથાની રચના કરેલી છે. કોઇક સ્થળે અપભ્રંશમાં, દ્રાવિડમાં કે પૈશાચીભાષામાં પણ રચના કરવામાં આવી છે. કથાની રચના - આખીયે કથા ઉત્પાદ્ય એટલે કે મૌલિક પ્રકારની, કર્તાએ પોતાની કલ્પનાથી સર્જેલી છે. એમાં એક મુખ્ય કથાની અંદર બીજી ઘણી અવાંતર કથાઓ આવે છે. એમાંની કેટલીક અવાંતર કથાઓ તો મુખ્ય પાત્રોના જન્માન્તરની કથારૂપે આવે છે. આ બધી કથાઓનું પૌર્વાપર્ય કર્તાએ એવી ખૂબીથી ગોઠવી કાઢ્યું છે કે તેથી તે દરેક અવાંતર કથા સ્વતંત્ર રીતે પણ આસ્વાદ્ય બની શકી છે. કથાવસ્તુ અને સંકલનનાની દષ્ટિએ સુક્ષ્મ, વૈવિધ્ય, વ્યવસ્થિતતા, સંવાદિતા, ઔચિત્ય, સુશ્લિષ્ટતા વગેરે ગુણ લક્ષણો આ કથાની રચનામાં જોવા મળે છે. કથા વસ્તુ - અયોધ્યા નગરીના દઢવ” રાજા અને પ્રિયંગુઠ્યામા રાણીને દેવીની ઉપાસનાથી પુત્ર કુવલયચંદ્રની પ્રાપ્તિ થાય છે. સર્વકલાગુણ સંપન્ન એ કુમાર સાથે રાજા એક દિવસ અગ્ધક્રીડા માટે જાય છે. ત્યારે કુમારનું અશ્વ સાથે દિવ્યહરણ થાય છે. આકાશ માર્ગે જતાં જતાં કુમાર અશ્વના પેટમાં છરી ભોંકે છે. એથી અશ્વ સાથે તે નીચે આવે છે. તે સમયે કોઇક અદશ્ય અવાજ એને કહે છે. “કુમાર કુવલયચંદ્ર, દક્ષિણ દિશામાં એક ગાઉ દૂર જા, ત્યાં કોઈ વખત ન જોયેલું એવું કંઈક તારે જોવાનું છે!” કુમાર ત્યાં ગયો. ત્યાં એણે એક સાગરદત્ત મુનિવરને જોયા. તે સિંહને સંલેખના કરાવતા હતા. અશ્વ સાથે થયેલા પોતાના હરણ વિશે પૂછતાં મુનિવરે એક વૃત્તાન્ત કહ્યો. તે વૃત્તાન્ત પ્રમાણે એક વખત કૌશાંબી નગરીના પુરંદરદત્ત રાજા પોતાના મંત્રી સાથે ઉદ્યાનમાં જાય છે. ત્યાં આચાર્ય ધર્મનંદન ચારગતિ સ્વરૂપ સંસાર વિશે પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા છે. રાજા ત્યાં બેઠેલા કેટલાક દીક્ષિતો, ચંડસોમ, માનભટ્ટ, માયાદિત્ય, લોભદેવ અને અને મોહદત્ત વિશે પ્રશ્ન કરે છે અને ધર્મનંદન આચાર્ય તેમના વૃત્તાન્તો જણાવે છે. ધર્મનંદન મુનિવર ત્યાંથી વિહાર કરીને જાય છે. ચંડસોમ વગેરે પાંચે પરસ્પર ધર્માનુરાગવાળા દીક્ષિતો કાળધર્મ પામી એક જ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને પરસ્પર ધર્મ બોધ કરવાનો સંકેત કરે છે. ત્યાર પછી એક વખતે ધર્મનાથ તીર્થકર દક્ષિણ ભરતખંડના મધ્યભાગમાં વિચારી રહ્યાં હતા ત્યારે દેવતાઓએ સમવસરણની રચના કરી. એમાં આવેલા આ પાંચે દેવો પોતાના ભાવિ કલ્યાણ વિશે ધર્મનાથ જિનેશ્વરને પ્રશ્ન પૂછે છે.
ત્યાર પછી તેમાંથી પદ્મપ્રભદેવ અવીને મનુષ્ય લોકમાં સાગરદત્ત વેપારી બને છે
173
Page #198
--------------------------------------------------------------------------
________________
અને પછી દીક્ષા લઇ સાગરદત્ત મુનિ બને છે. સાગરદત્ત મુનિ તેઓ પોતે છે. તેઓ કુવલયચંદ્રને આ બધો વૃત્તાન્ત કહી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે માનભટ્ટનો જીવ કુવલયચંદ્રકુમાર પોતે છે અને માયાદિત્યનો જીવ દેવલોકમાંથી અવી દક્ષિણ દેશના રાજાની પુત્રી કુમારી કુવલયમાલા તરીકે અવતર્યો છે. તેને પ્રતિબોધ પમાડવાના હેતુથી કુવલયચંદ્રકુમાર ત્યાંથી જ દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે. માર્ગમાં યક્ષ જિનશેખર, વનસુંદરી એણિકા, રાજપુત્ર દર્પફલિહ વગેરેના વૃત્તાન્તો જાણે છે. પછી દક્ષિણ દેશમાં વિજયાનગરી જઈ, પાદપૂર્તિ કરી કુમાર કુવલયમાલાને પરણે છે. તેને સાથે લઇ સ્વદેશ પાછો ફરે છે. માર્ગમાં ભાનુકુમાર મુનિનાં દર્શન કરી સંસારચક્રના ચિત્રપટનો વૃત્તાન્ત જાણે છે.
કુવલયચંદ્રના આગમન પછી દેટવર્મરાજા દીક્ષા લે છે. કુવલયમાલા કુંવરને જન્મ આપે છે. પૂર્વભવનો મોહદત્તનો જીવ પદ્મકસર દેવ થયા પછી આ કુંવર તરીકે અવતરે છે. એનું નામ પૃથ્વી સાર રાખવામાં આવે છે. સમય જતાં કુવલયચંદ્ર કુમાર અને કુવલયમાલા દીક્ષા લે છે. ત્યાર પછી કેટલેક સમયે પૃથ્વીસાર પણ દીક્ષા લે છે. તેઓ કાળધર્મ પામી ફરીથી દેવ બને છે. સાગરદત્ત મુનિ અને સિંહ પણ દેવ બને છે. એ રીતે એ પાંચે ફરીથી દેવલોકમાં દેવ થઈ પોતાનો કાળ સુખમાં પસાર કરે છે.
ત્યાર પછી છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમયમાં કુવલયચંદ્ર દેવનો જીવ કાંકદી નગરીમાં કંચનરથ રાજાનો શિકાર-વ્યસની પુત્ર મણિરથ કુમાર થાય છે. કંચનરથ રાજાની વિનંતીથી મહાવીર પ્રભુ એના એક પૂર્વભવની વાત કહે છે. જે સાંભળી વૈરાગ્ય પામેલો મણિરથકુમાર પ્રભુ પાસે દીક્ષા લે છે. મોહદત્ત દેવનો જીવ રણગજેન્દ્રનો પુત્ર કામગજેન્દ્ર બને છે. તે પોતાને થયેલા અનુભવની સત્યતા મહાવીર પ્રભુ પાસેથી જાણીને દીક્ષા લે છે. લોભદેવનો જીવ દેવલોકમાંથી ચ્યવી ઋષભપુર નગરના રાજા ચંદ્રગુપ્તનો પુત્ર વજગુપ્ત થાય છે. પ્રાભાતિકના શબ્દથી પ્રતિબોધ પામી મહાવીર પ્રભુ પાસે એ દીક્ષા લે છે. ચંડસોમનો જીવ દેવલોકમાંથી વી યજ્ઞદેવ નામના બ્રાહ્મણનો સ્વંયભૂદેવ નામનો પુત્ર થાય છે અને ગરુડ પક્ષીના વૃત્તાન્તથી બોધ પામી મહાવીર પ્રભુ પાસે દીક્ષા લે છે. માયાદિત્ય દેવનો જીવ રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાનો પુત્ર મહારથ થાય છે. પોતાના સ્વપ્નનો ખુલાસો મહાવીર પ્રભુ પાસેથી સાંભળી વૈરાગ્ય થતાં દીક્ષા લે છે. અંતમાં એ પાંચે અંતિમ સાધના કરી અંતકૃત્ કેવલી થઈ મોક્ષે જાય છે.
આમ, કુવલયમાલાની કથા એટલે જન્મ જન્માંતરની કથા. જેમાં પાંચ ભવની કથા (કુમાર કુવલયચંદ્રની તો છ ભવની કથા છે) છે. કર્તાએ માન માટે માનભટ્ટ, ક્રોધ માટે ચંડસોમ, માયા માટે માયાદિત્ય, લોભ માટે લોભદેવ અને મોહ માટે મોહદત્ત
174
Page #199
--------------------------------------------------------------------------
________________
માયા -
એવા રૂપકશૈલીનાં નામો પાત્રો માટે પ્રયોજીને કથાની રચના કરી છે. આમ, ‘કુવલયમાલા”ની કથા એટલે મોહનીય કર્મની કથા, મોહનીયકર્મ એટલે રાગ અને દ્વેષ. તેમાં ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર કષાયોને જે જીતે તે રાગદ્વેષથી મુક્ત થઈ અંતે મોક્ષગતિ પામી શકે. • ચંડસોમ વગેરે જીવોની જન્માંતરની કથા કેવી રીતે ગૂંથવામાં આવી છે તે નીચેના
કોઠા પરથી સ્પષ્ટ થશે. પૂર્વભવ | ૧ | ૨ | ૩ | ૪ | પ માન સુંદરી માનભટ્ટ | પહ્મસારદેવ, કુવલયચંદ્ર | વેલિયદેવ મણિરથકુમાર ક્રોધ - | | ચંડસોમ | પદ્મચંદ્રદેવ | સિંહ વેરુલિયદેવ સ્વયંભૂદેવ
| માયાદિત્ય | પદ્મવરદેવ | કુવલયમાલા| વેલિયદેવ મહારથકુમાર લોભ - | લોભદેવ | પદ્મપ્રભદેવ | સાગરદત્ત | વેલિયદેવ વજગુપ્ત મોહ - | મોહદત્ત | પદ્મhસરદેવ | પૃથ્વી સાર | વેલિયદેવ કામગજેન્દ્ર
આ કોઠા પરથી જોઈ શકાય કે કર્તાએ દરેકની પાંચ ભવની કથામાંથી બરાબર વચલા ભવની કથાને વ્યાપક બનાવી છે અને ત્યાંથી કથાનો આરંભ કર્યો છે. લોભદેવનો જીવ સાગરદત્ત મુનિ બને છે. ચંડસોમ દેવનો જીવ સિંહ બને છે. માનભટ્ટ દેવનો જીવ કુવલયચંદ્ર બને છે, માયાદિત્યનો જીવ કુવલયમાલા બને છે અને મોહદત્ત દેવનો જીવ કુવલયમાલાનો પુત્ર બને છે. આમ આ પાંચ પાત્રોમાં ત્રણ પાત્રોને ગૌણ બનાવાયાં છે. અને કુવલયચંદ્ર તથા કુવલયમાલા એ બંને ને મુખ્ય પાત્રો બનાવી કથાનાં નાયક અને નાયિકા બનાવી તથા તેમની સાથે બાકીના પાત્રોની કથાને સાંકળી લઈ આ કથાની રચના કરવામાં આવી છે. એમ કરવામાં લેખકે પાત્રોના ભવાન્તરની કથા દ્વારા સારું કથા વૈવિધ્ય આપ્યું છે. કથામાં આવતા પાત્રો અને ઘટનાઓ - કથા વસ્તુમાં પાત્રોની દષ્ટિએ પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. જેમાં રાજાઓ, રાણીઓ, મુનિભગવંતો, બ્રાહ્મણો, વેપારીઓ, વિદ્યાધરો, તાપસી, સાર્થવાહો, મલેચ્છો, ધાતુવાદીઓ, વેતાલો, યક્ષો, દેવો, રાક્ષસો, બાલિકાઓ, છાત્રો, ગણધરો, વિહરમાન જિનેશ્વરો, વરકન્યાઓ, શબરો વગરે ભિન્ન ભિન્ન પ્રકારના પાત્રો છે. ઘટનાની દૃષ્ટિએ પણ એમાં સારું વૈવિધ્ય નજરે પડે છે.
દુશ્મન રાજ્ય પર ચડાઈ, દેવીની ઉપાસના, અપહરણ, અસ્વક્રિીડા, સિંહનું
175
Page #200
--------------------------------------------------------------------------
________________
અનશન, આત્મહત્યા, ભાઈ-બહેનની હત્યા, ચિતાપ્રવેશ, કૂવામાં પતન, મિત્રવંચના, સમુદ્રગમન, વહાણનો વિનાશ, પિશાચોનો વાર્તા વિનોદ, રાજાની રાત્રિચર્યા, જલક્રીડા, વચન માટે પ્રાણત્યાગ, ગાંડા હાથીને વશ કરવો, સ્મશાનમાં શબ સાથે રહેવું, શિરચ્છેદ, ખન્યવાદ, ગરુડ પક્ષીનો વૈરાગ્ય વગેરે વિવિધ પ્રકારની ઘટનાઓ આ કથામાં બનતી આલેખાઈ છે.
અટવી, નગરી , ઉદ્યાન, પર્વત, પલ્લી, સ્મશાન, ચૌટું, વૃક્ષકોટર, ખેતર, વાપિકા, અરણ્ય, સરોવર, નદી, સમુદ્ર, આકાશ, મહાવિદેહક્ષેત્ર, દેવલોક, નારકી વગેરે ભિન્ન ભિન્ન પ્રકારનાં સ્થળોમાં આ બધી ઘટનાઓ બને છે. એ દષ્ટિએ સ્થળ વૈવિધ્ય પણ આ કથામાં સારું જોવા મળે છે.
ચમ્પ સ્વરૂપની આ કૃતિમાં વર્ણનો વિવિધ પ્રકારનાં જોવા મળે છે. સ્ત્રીઓ, પુરુષો, નગરીઓ, અટવીઓ, પર્વતો, સમુદ્રનાં તોફાનો, દુષ્કાળ, રાત્રિ, સંધ્યા, પ્રભાત, ઋતુઓ, દેવલોક, મુનિઓ, નારકી, તિર્યંચગતિનાં દુઃખો, આકાશમાર્ગથી પૃથ્વીલોક, અંતઃપુર, શબરો, વિદ્યાધરો, છાત્રાલય, હાથી, ઘોડા, વાઘણ, પોપટ, વૃક્ષો, કર્ણપૂરક સાથે જલક્રીડા વગેરે ઘણી વસ્તુઓનાં વર્ણન કવિએ જુદી જુદી કથાઓના સંદર્ભમાં કર્યા છે. કયારેક સમાસ યુક્ત સરળ ભાષામાં, ક્યારેક શ્લેષાત્મક તો ક્યારેક રૂપક શૈલીથી, ક્યારેક ઉપમાઓની હારમાળા વડે તો ક્યારેક અવનવી ઉલ્ટેક્ષાઓ વડે કર્તાએ વર્ણનો કર્યા છે.
આ ગ્રંથમાં કવિએ જુદી જુદી કથાઓના પ્રસંગમાં કેટલીક નગરીઓનું વર્ણન કર્યું છે. એમાં કેટલેક સ્થળે મુખ્ય દેશનું અને ત્યાર પછી તેની મુખ્ય નગરીનું વર્ણન કર્યું છે. કુવલયકુમારની કથામાં વિનીતા અયોધ્યાનું, પુરંદર રાજાની કથામાં વત્સદેશની કૌશાંબી નગરીનું, ચંડસોમની કથામાં દમિલાણ દેશની કંચીનગરીનું, માનભટ્ટની કથામાં અવંતી દેશની ઉજ્જયિની નગરીનું, માયાદિત્યની કથામાં કાશીદેશની વારાણસી નગરીનું, લોભદેવની કથામાં ઉત્તરાપથની તક્ષશિલા નગરીનું, મોહદત્તની કથામાં કોશલદેશની કૌશલાનગરીનું, સાગરદત્તની કથામાં ચંપાનગરીનું, યક્ષ જિનશેખરની કથામાં માર્કદી નગરીનું, દર્પફલિહની કથામાં રત્નાપુરી નગરીનું, કુમારી કુવલયમાલાની કથામાં વિજયા નગરીનું, સંસારચક્રની કથામાં લાટ દેશની દ્વારિકા નગરીનું, મણિરથકુમારની કથામાં કાકંદી નગરીનું, સુંદરીની કથામાં સાકેત નગરનું, કામગજેન્દ્રની કથામાં અરુણાભ નગરનું, વ્રજગુપ્તની કથામાં ઋષભપુરનું વર્ણન કરવામાં આવ્યું છે.
નગરીઓનાં વર્ણનોમાં નગરનું નામ, કિલ્લો, દુકાનમાર્ગો, ઉપવન, સન્નિવેશ, આવાસો, સરોવરો, તળાવો, મંદિરો, વાવડીઓ, યુવક અને યુવતીઓ, પશુ,
176
Page #201
--------------------------------------------------------------------------
________________
પક્ષીઓ અને ભિન્ન ભિન્ન ઋતુઓનું અલંકાર યુક્ત વર્ણન કરીને કવિએ તેમાં ઘણું મનોહર વૈવિધ્ય આપ્યું છે.
કવિએ આ ગ્રંથમાં બધી જ ઋતુઓનું વર્ણન કર્યું છે. તેમાં શરદ, વર્ષા, વસંત, ગ્રીષ્મ એ ચાર ઋતુનું વધારે વિગતે આલેખન કર્યું છે.
પ્રકૃતિ વર્ણનમાં કવિએ દિવસ અને રાત્રિના જુદા જુદા પહોરનું પણ મનોહર વર્ણન કર્યું છે. સંધ્યા સમયે કેવા કેવા શબ્દો કઈ કઈ જગ્યાએ સંભળાવા લાગ્યા તેનું પણ વર્ણન કર્યું છે.
જેમ કે, નગરગ્રહોમાં મોટા ઘંટનાદોનો અવાજ, મંત્રજાપ કરવાના મંડપોની અંદર હવનમાં ઘી, તલ અને સમિધની આહુતીના તડતડ શબ્દો આદિ.
આ આખા ગ્રંથમાં શૃંગાર, વીર, કરૂણ, હાસ્ય, બીભત્સ, શાંત વગેરે રસોનું આલેખન કર્યું છે. - ઉદ્યોતનસૂરિએ આ કથાની રચના એવી રીતે કરી છે અને એમાં અવાંતર કથાઓ એવી રીતે ગૂંથી લીધી છે કે જેથી તેમાં ધર્મ તત્ત્વની વિચારણા પોતાના દ્વારા કે કોઈ પાત્ર દ્વારા કરવામાં આવી છે. જૈનધર્મની બધી જ મહત્ત્વની વિચારણા એમણે આમાં પ્રસંગોપાત ગૂંથી લીધી છે. એટલું જ નહિ સ્થળ ધાર્મિક ક્રિયાઓનાં વર્ણનો પણ તેમણે વચ્ચે વચ્ચે મૂક્યાં છે. સમ્યકત્વનાં લક્ષણો, બાર ભાવના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દેશવિરતિ, સર્વવિરતિ, કર્મ મીમાંસા, નારકી અને તિર્યંચ ગતિનાં દુઃખો, કષાયનું સ્વરૂપ, લેશ્યા, બાલમરણ, પંડિતમરણ વગેરે વિશે આમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. કવિનું તત્ત્વચિંતન અત્યંત વિશુધ્ધ છે. વળી ભાષા ઉપર પ્રભુત્વ અસાધારણ છે.
સંવાદ એ પણ આ કથાગ્રંથનું આગવું લક્ષણ છે. સંવાદો દ્વારા કથાને રસિક અને વાસ્તવિક બનાવી છે. લેખકનાં સંવાદ સચોટ, માર્મિક, ધારદાર અને કયારેક હાસ્યરસિક બન્યા છે. આ ગ્રંથમાં લેખકની અસાધારણ સંવાદકલા નિહાળી શકાય
આ ઉપરાંત ગદ્યની જેમ પદ્ય ઉપર પણ શ્રી ઉદ્યોતનસૂરિનું પ્રભુત્વ જોવા મળે છે. તેમની પદ્ય પંકિતઓ પાણીના રેલાની જેમ વહેતી હોય છે. ગાથા ઉપર આ કવિનું જેવું પ્રભુત્વ છે તેવું પ્રાકૃતમાં બહુ ઓછા કવિઓનું જોવા મળશે.
આમ, “કુવલયમાલા " એ માત્ર પ્રાકૃત ભાષાનું જ અનેરું આભૂષણ નથી, જગતના તમામ સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પામી શકે એવું અણમોલ રત્ન છે.
177
Page #202
--------------------------------------------------------------------------
________________
વિક્રમ સંવત ૮૪૦
હરિવંશપુરાણ હરિવંશપુરાણ - મહાકાવ્યની શૈલીમાં રચાયેલું બ્રાહ્મણ પુરાણોનું અનુકરણ કરતું આ એક પુરાણ છે. આ ગ્રંથનો મુખ્ય વિષય હરિવંશમાં ઉત્પન્ન થયેલા રરમાં તીર્થકર નેમિનાથનું જીવનચરિત્ર છે. તેનું બીજું નામ અરિષ્ટનેમિ પુરાણ સંગ્રહ પણ છે. જેનો ઉલ્લેખ પ્રત્યેક સર્ગની પુષ્પિકાના વાક્યમાં કરવામાં આવ્યો છે. ગ્રંથકારે આઠ અધિકારોમાં તેના વિષયનું પ્રતિપાદન કર્યું છે. તે આઠ અધિકારો આ પ્રમાણે છે, લોકના આકારનું વર્ણન, રાજવંશોની ઉત્પતિ, હરિવંશનો અવતાર, વસુદેવની ચેષ્ટાઓ, નેમિનાથનું ચરિત, દ્વારિકાનું નિર્માણ, યુધ્ધવર્ણન, અને નિર્વાણ. આ ગ્રંથમાં ૬૬ સર્ગો છે તેનો કુલ વિસ્તાર બાર હજાર શ્લોક પ્રમાણ છે.
આ ગ્રંથ નેમિનાથ પુરાણ જ નથી પરંતુ તેને કેન્દ્ર બનાવી તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, ધર્મનીતિ વગેરે અનેક વિષયો તથા અનેક ઉપાખ્યાનોનું નિરૂપણ થયું છે. લોક સંસ્થાનના રૂપમાં સૃષ્ટિવર્ણન ૪ સર્ગમાં આપ્યું છે. રાજવંશોત્પતિ અને હરિવંશાવતાર નામના અધિકારોમાં ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ નારાયણ વગેરે ત્રેસઠ શલાકા પુરુષોનાં અને સેંકડો અવાન્તર રાજાઓ અને વિદ્યાધરોનાં ચરિતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે તે એક મહાપુરાણને પણ પોતાનામાં ગર્ભરૂપે સમાવે છે. હરિવંશના પ્રસંગમાં એલ અને યદુવંશોનું પણ વર્ણન આપવામાં આવ્યું છે.
પ્રાચીન જૈન સાહિત્યમાં કૃષ્ણના પિતા વસુદેવનું ચરિત બહુ રોચક અને વ્યાપક રૂપમાં આલેખાયું છે. આ આલેખન ૧૫ સર્ગમાં છે. આ ગ્રંથ પહેલા ભદ્રબાહુક્ત “વસુદેવ ચરિત' (અનુપલબ્ધ) અને વસુદેવહિંડી (સંઘદાસ ગણિત)માં વસુદેવની કૌતુકપૂર્ણ કથા કહેવામાં આવી છે. વસુદેવના ચરિત સાથે સંબધ્ધ શ્રી કૃષ્ણ, બલરામ તથા અન્ય યદુવંશી પુરુષો- પ્રદ્યુમ્ન, સામ્બ, જરકુમાર આદિના ચરિતો અને રાજગૃહના રાજા જરાસંઘ અને મહાભારતના નાયકો કૌરવ-પાંડવનું વર્ણન પણ જૈન માન્યતા અનુસાર રજૂ કરવામાં આવ્યું છે. આ ગ્રંથના ઉતરાર્ધને આપણે યદુવંશ ચરિત અને જૈન મહાભારત પણ કહી શકીએ.
નેમિનાથનું આટલું વિસ્તૃત વર્ણન આના પહેલા અન્યત્ર કયાંય સ્વતંત્ર રૂપે જોવા નથી મળતું. હરિવંશ એ મહાકાવ્યના ગુણોથી ગૂંથવામાં આવેલું મહાકાવ્ય જ નહિ પરંતુ કથાગ્રંથ પણ છે. આમાં બધા રસોનો સારો પરિપાક થયો છે. યુદ્ધ વર્ણનમાં જરાસંઘ અને કૃષ્ણની વચ્ચેનું રોમાંચકારી યુધ્ધ વીરરસનો પરિપાક છે. દ્વારિકા
118
Page #203
--------------------------------------------------------------------------
________________
નિર્માણ અને યદુવંશીઓનો પ્રભાવ અદ્ભુત રસનો પ્રકર્ષ છે. નેમિનાથનો વૈરાગ્ય અને બલરામનો વિલાપ કરૂણ રસથી ભરપૂર છે. આ કાવ્યનો અંત શાંતરસમાં થાય છે. પ્રકૃતિ ચિત્રણરૂપ ઋતુ વર્ણન, ચંદ્રોદય વર્ણન આદિ અનેક ચિત્ર કાવ્યશૈલીમાં આલેખવામાં આવ્યા છે.
ઐતિહાસિક દૃષ્ટિએ હરિવંશ પુરાણ પોતાના સમયની કૃતિઓમાં નિરાળી કૃતિ છે. શક સંવત ૭૦૫માં સૌરાષ્ટ્રના વર્ધમાનપુરમાં ગ્રંથ પૂર્ણ થયો. આ ગ્રંથમાં પુરાણ, મહાકાવ્ય, વિવિધ વિષયોનું પ્રતિપાદન કરનાર વિશ્વકોશ તથા રાજનૈતિક અને ધાર્મિક ઇતિહાસનું એક સાથે દર્શન થાય છે. ગ્રંથકારે આ ગ્રંથના સંબંધમાં કહ્યું છે કે જે હરિવંશપુરાણ શ્રધ્ધાથી વાંચશે તેની કામનાઓ અલ્પ યત્ને પૂરી થશે તથા ધર્મ, અર્થ અને મોક્ષને તે પ્રાપ્ત કરશે.
ગ્રંથકાર પરિચયઃ- આ ગ્રંથની પ્રશસ્તિ પરથી જાણવા મળે છે કે પ્રસ્તુત કૃતિના સર્જક પુન્નાટ સંઘીય જિનસેન છે. આ જિનસેન મહાપુરાણના કર્તા મૂલસંઘીય સેનાન્વયી જિનસેનથી ભિન્ન છે. આ જિનસેનના ગુરુનું નામ કીર્તિષેણ અને દાદાગુરુનું નામ જિનસેન હતું. પુન્નાટએ કર્ણાટકનું પ્રાચીન નામ છે. આ દેશમાંથી નીકળેલા મુનિસંઘનું નામ પુન્નાટસંઘ પડ્યું. આ ગ્રંથની રચના (વિ.સ.૮૪૦) શક સં.૭૦૫માં કરી હતી. આ ગ્રંથની રચના નન્નરાજવસતિ પાર્શ્વનાથ મંદિરમાં બેસી કરવામાં આવી હતી.
re
ગ્રંથકર્તા દિગંબર સંપ્રદાયના હતા છતાં અંતિમસર્ગમાં ભગવાન મહાવીરના વિવાહની વાત લખી છે જે દિગંબર સંપ્રદાયના અન્ય ગ્રંથોમાં નથી. લાગે છે કે આ માન્યતા શ્વેતાંબર યા યાપનીય સંપ્રદાયના કોઇ ગ્રંથમાંથી લેવામાં આવી છે.
જિનસેનના આ હરિવંશ પુરાણના આધાર પર રચાયેલ બીજું હિરવંશ પુરાણ ૪૦ સર્ગનું છે. તેમાં ૨૨મા તીર્થંકર નેમિનાથ અને શ્રીકૃષ્ણ તથા તેમના સમકાલીન પાંડવો અને કૌરવોનું વર્ણન છે. તેના પ્રથમ ૧૪ સર્ગની રચના ભટ્ટારક સકલકીર્તિ અને બાકીના સર્ગોની રચના તેમના શિષ્ય બ્રહ્મ જિનદાસે કરી છે. તેમાં રવિષેણ અને જિનસેનનો ઉલ્લેખ છે.
સકલકીર્તિએ સંસ્કૃત ભાષામાં- મૂલાચાર પ્રદીપ, આદિપુરાણ, પ્રશ્નોત્તરોપાસકાચાર, ઉત્તરપુરાણ, શાંતિનાથચરિત્ર, વર્ધમાનચરિત્ર, મલ્લિનાથ ચરિત્ર, યશોધરચરિત્ર, ધન્યકુમારચરિત્ર, સુકુમાલચિરત્ર, સુદર્શનચરિત્ર, જંબૂસ્વામીચરિત્ર, શ્રીપાલચરિત્ર, પાર્શ્વનાથ પુરાણ, સદ્ભાષિતાવલી, વ્રતકથા કોશ આદિ અનેક ગ્રંથોની રચના કરી.
179
Page #204
--------------------------------------------------------------------------
________________
સંભવતઃ હરિવંશપુરાણ તેમની અંતિમ કૃતિ છે. હરિવંશપુરાણ વિષયક અન્ય રચના
હરિવંશ પુરાણ- ધર્મકીર્તિ ભદ્રારક (સં.૧૯૭૧) હરિવંશ પુરાણ- શ્રુતકીર્તિ હરિવંશ પુરાણ- જયસાગર હરિવંશ પુરાણ- જયાનંદ હરિવંશ પુરાણ – મંગરસ
૧૦મી સદી
ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર ચઉપન્ન-મહાપુરિસ-ચરિય” ગ્રંથના અનુવાદકર્તા આચાર્ય હેમસાગરસૂરિ કહે છે કે,
“પૂર્વે થયેલા મહાપુરુષો-આર્ય ભદ્રબાહુ સ્વામી, સ્થૂલભદ્રજી, વજસ્વામી, કાલકાચાર્ય, આરક્ષિતસૂરિ, સિધ્ધસેનદિવાકરસૂરિજી, મલ્લવાદીસૂરિ, જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિજી, ઉદ્યોતનસૂરિજી, શીલાં કાચાર્ય, સિધ્ધર્ષિ ગણિ, મલધારી હેમચંદ્રસૂરિ, ક. સ. હેમચંદ્રાચાર્ય, ઉ.યશોવિજયજી આદિ શાસનના સ્તંભ સરખા અનેક વિદ્વાન મહાપુરુષો થઈ ગયા. જેમણે ભાવી ભવ્યાત્માઓ માટે વિવિધ અનુયોગ ગર્ભિત શાસ્ત્ર રચનાઓ કરેલી છે. તે રચનાઓ પૈકી શીલાંક અર્થાત્ શ્રી શીલાચાર્યે રચેલ કથાનુયોગ સ્વરૂપ પ્રાકૃત ગદ્ય-પદ્ય ૧૧ હજાર શ્લોક પ્રમાણ “ચઉપન્ન-મહાપુરિસ-ચરિય” છે. જેમાં ર૪ તીર્થકરો, ૧ર ચક્રવર્તીઓ, નવ બળદેવો અને નવ વાસુદેવો છે. નવ પ્રતિ વાસુદેવોના ચરિત્રો અંતર્ગત હોવાથી ગણતરીમાં લીધાં નથી. વચ્ચે કેટલીક કથાઓ ઉપદેશ રૂપે કહેલી છે. બીજા ચરિત્રો સાથે સરખાવતાં આ ચરિત્રોમાં કોઈ કોઈ સ્થળે ભિન્નતા જણાશે. ‘વિબુધાનદ નાટક’નો પ્રસંગ પણ કથારસની પુષ્ટિ કરનારો છે. કેટલાક સ્થળે ઉપદેશ, કર્મના ફળો, પ્રસંગોપાત કરેલા વર્ણનો છેલ્લા નેમિનાથ ભગવાનના ચરિત્રથી પૂર્ણાહુતિ સુધીના ચરિત્રોમાં કાવ્યકારે પોતાની શક્તિ અનુપમ દાખવી છે. કેટલાક ચરિત્રો ઘણા ટૂંકાવેલા છે. એકંદર સંક્ષેપ રુચિવાળા વાચકોને આ ચરિત્રો રુચિકર બનશે."
ચઉપન્ન-મહાપુરિસ-ચરિય” ગ્રંથના અનુસંધાનમાં વિદ્ધવાન પંડિત લાલચંદ્ર ભગવાન ગાંધી કહે છે કે, “શ્રી જૈન પ્રવચનના પ્રભાવક સમર્થ જૈનાચાર્યોએ વિશિષ્ટ પ્રતિભા દ્વારા લોકોપકાર માટે વિવિધ વિષયક ગ્રંથોની રચના કરી છે. તેમાંનું એક
180
Page #205
--------------------------------------------------------------------------
________________
ગ્રંથરત્ન એક હજાર ને એકસો વર્ષો પછી પણ વાચકોને મળે છે તે અત્યંત પ્રશંસનીય છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચ્યો છે. આ ગ્રંથ રચતા કવિએ પોતાની અસાધારણ કવિત્વ શક્તિનો ખ્યાલ આપ્યો છે.”
આ ગ્રંથમાં કવિએ પ્રારંભમાં સજ્જન-દુર્જનનું સ્વરૂપ દર્શાવ્યું છે, છ પ્રકારના શ્રોતાઓ જણાવ્યા છે. પ૪ મહાપુરુષોના પૂર્વભવો પણ જણાવ્યા છે. તેમાં ધન સાર્થવાહ વગેરેના સદ્ગણોનું વર્ણન વિચારણીય અને આદરણીય છે. નગરોના વર્ણનો, રાજા-મહારાજા, રાણી-મહારાણી, રાજકુમાર-રાજકુમારીઓના વર્ણનો, પઋતુઓનાં, ઉદ્યાનો, અટવીઓનાં વર્ણનો, યુધ્ધો, ચિત્રકલા, નૃત્યકલા, શિલ્પકલા, સંગીતકલા, પ્રહેલિકા, પ્રશ્નોત્તર આદિ વિનોદાત્મક બુધ્ધિવર્ધક સાહિત્ય પણ આમાં જણાય છે.
સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિધ્ધ બાણભટ્ટની ગદ્ય છટાવાળી કાદંબરીની કથાએ કવિ ઉપર અસર કરી જણાય છે. આ ચઉપન્ન મહાપુરિસ ચરિયનો પઠન-પાઠનમાં ઉપયોગ પાછળના અનેક પ્રતિષ્ઠિત આચાર્યોએ કરેલ જણાય છે. સુપ્રસિધ્ધ હેમચંદ્રાચાર્યના ગુરુવર્ય શ્રી દેવચંદ્રસૂરિએ વિક્રમની બારમી સદીમાં મૂલશુધ્ધિ પ્રકરણમાં, શ્રી વર્ધમાનાચાર્યે ઋષભદેવ ચરિત્રમાં, શ્રી હેમચંદ્રાચાર્યે સંસ્કૃત ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં તથા ભદ્રેશ્વરસૂરિએ પ્રાકૃત કથાવલી વગેરેમાં આ મહાપુરુષ ચરિતના ઉધ્ધરણો- અવતરણો કરેલા જણાય છે.
આ ગ્રંથના રચયિતા શીલાચાર્ય વિશે ઘણી ચર્ચા મળે છે. આ નિસ્પૃહ કવિએ ચરિતોના અંતમાં પોતાનો પરિચય આપ્યો છે. તે પરથી જાણી શકાય કે તેઓ નિવૃતિ કુલના માનદેવસૂરિના શિષ્ય હતા.
ટ્વે સમાજ માં નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃતિ, વિદ્યાધર-એ ૪ કુલો વજુસ્વામી પછી વિક્રમની બીજી સદી પછી પ્રસિધ્ધિમાં આવ્યાં હતા. તેમાંના નિવૃતિ કુલને કવિ શ્રી શીલાચાર્ય શોભાવ્યું હતું.
આ ગ્રંથમાં ‘વિબુધાનંદ નાટક” નામનું એક અંકવાળ રૂપક રચેલું છે. તેમાં સૂત્રધાર દ્વારા કવિએ પોતાનું નામ વિમલમતિ કવિ “શીલાંક” પણ સૂચિત કર્યું છે.
આ ગ્રંથમાં પ્રથમ ઋષભસ્વામીનું ચરિત્ર વર્ણવ્યું છે. જેમાં તેમના પૂર્વભવોનું વર્ણન ત્યારબાદ ઋષભદેવનો જન્મ મહોત્સવ, ઇક્વાકુ વંશની સ્થાપના, વિનીતા નગરીની સ્થાપના, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી આદિના જન્મ, ઋષભદેવની દીક્ષા, લોચવિધિ, મરુદેવીને કેવલજ્ઞાન અને નિર્વાણ, ભરત બાહુબલિ યુધ્ધનું વર્ણન, ભરત ચક્રવર્તી ચરિત્ર, બાહુબલીની દીક્ષા, કેવળજ્ઞાન, ષભનું નિર્વાણ, મોક્ષપ્રાપ્તિ
Page #206
--------------------------------------------------------------------------
________________
આદિનો સમાવેશ થાય છે.
ત્યારબાદ ઉત્પત્તિના ક્રમ પ્રમાણે અજિતસ્વામી આદિ – ર૩ તીર્થકર, સગર આદિ ૧૧ ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ બલદેવનું ચરિત્ર આપેલ છે. તેની સાથે નવ પ્રતિવાસુદેવનું ચરિત્ર પણ આવી જાય છે.
આમ આ ચરિત્રોનાં વર્ણન ૩પન મહાપુરિસ વરિય'માં સુંદર રીતે આલેખાયા છે. જેની કથાવસ્તુ આગળ વર્ણવેલ છે.
વિક્રમ સંવત ૧૬૨
-:ઉપમિતિ ભવ પ્રપંચ કથાઃ
રચનાકાળઃ- આ કથાની રચના આચાર્ય સિધ્ધર્ષિએ વિ.સં.૯૬ર જ્યેષ્ઠ સુદિ પંચમી ગુરુવારના દિવસે કરી હતી, તેવું કથાના અંતે એક પ્રશસ્તિના આધારે જોવા મળે છે. આ ગ્રંથ ભિન્નમાલ નામના નગરના જૈન મંદિરમાં રચાયો હતો. અને દુર્ગસ્વામીની ગણા” નામની શિષ્યાએ તેની પ્રથમ પ્રતિ તૈયાર કરી હતી.
સિધ્ધર્ષિનું ચરિત પ્રભાવક ચરિત(૧૪)માં પણ આપવામાં આવ્યું છે. તેમાં સિધ્ધર્ષિને માઘના પિતરાઈ ભાઈ કહેવામાં આવ્યા છે. પરંતુ આ વાતમાં કોઈ ઐતિહાસિક તથ્ય નથી. વાર્તાદીપ’ પુસ્તકમાં પ્રિયદર્શને વર્ણવ્યા પ્રમાણે સિધ્ધર્ષિનું જીવન ચરિત્ર:જુગારી બન્યો સિધ્ધર્ષિ:- ભીનમાલ (રાજસ્થાન)ની આ એક ઐતિહાસિક વાત છે. નગરમાં શુભંકર શેઠ તેમના પત્નીનું નામ લક્ષ્મી, એકનો એક દીકરો હતો સિધ્ધ. એની વહુનું નામ હતું ધન્યા.
ખરાબ મિત્રોની સોબતના કારણે સિધ્ધ જુગાર રમતો થઈ ગયો. અડધી રાત્રે ઘરે આવે આ બધું જોઈ લક્ષ્મીને પુત્રવધૂ માટે સહાનુભૂતિ જાગી. રાત્રે વહુને કીધું આજે તું શાંતિથી સૂઈ જા સિધ્ધ આવશે તો હું સંભાળી લઈશ. ધન્યા સૂઈ ગઈ. લક્ષ્મી તો દીકરાની પ્રતીક્ષા ભરીને જાગતી બેઠી. સિધ્ધ ઘરે આવ્યો અને દરવાજા ખખડાવ્યા ત્યારે લક્ષ્મીએ રોષથી કહી દીધું દરવાજા નહિ ખૂલે જા... જતો રહે.
સિધ્ધ માથું નીચું કરીને રસ્તા પર નીકળી પડ્યો. કોક જગ્યા મળે તો વિશ્રામ ' લઉં ત્યાં એક ખુલ્લા બારણાવાળું મકાન દેખાતા રાત્રિ ત્યાં વીતાવી. સવારમાં ઘણા સાધુઓને જોયા. સાધુઓની ચર્ચા જોઈ એને ગમવા માંડ્યું. સમજી વિચારીને ત્યાં જ ગુરુદેવ શ્રી દુર્ગસ્વામીના ચરણોમાં જીવન સાધના કરવા લાગ્યા. ભગવાન મહાવીરની
182
Page #207
--------------------------------------------------------------------------
________________
પરંપરામાં એક મેઘાવી, શ્રુતધર અને સમર્થ સાહિત્ય સર્જક બન્યા. એમની પ્રાણવાન પ્રતિભાના પરિચય માટે ‘ઉપમિતિ ભવ પ્રપંચ કથા’ નામનો ગ્રંથ જરૂરથી વાંચશો.
આ કથામાં ચતુર્ગતિરૂપ સંસારનો વિસ્તાર ઉપમા દ્વારા સ્પષ્ટ કર્યો છે.
उपमितिकृतो नरकतिर्यङ्नरामरगति - चतुष्करुपो भवः तस्य प्रपञ्चो यस्मिन् इति अर्थात् નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ ભવ-સંસારનો વિસ્તાર જે કથામાં-ઉપમિતિઉપમાનો વિષય બનાવાયો છે તે કથા ઉપમિતિભવ પ્રપંચકથા કહેવાય છે. સિધ્ધહિઁગણિએ પોતાના શબ્દોમાં તેને નીચે પ્રમાણે વર્ણવી છે.
कथा शरीरमेतस्या नाम्नैव प्रतिपदितम् । भवप्रपञ्यो व्याजेन यतोऽस्यामुपमीयते ।। ५५॥
यतोऽनुभूयमानोद्धपि परोक्ष इव लक्ष्यते ।
अयं संसारविस्तारस्ततो व्याख्यानमर्हति ।। ५६ ।।
આ ગ્રંથ આઠ પ્રસ્તાવોમાં વિભક્ત છે. એમાં ભવપ્રપંચની કથાની સાથે સાથે પ્રસંગવશ ન્યાય, દર્શન, આર્યુવેદ, જ્યોતિષ, સામુદ્રિક, નિમિત્તશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, ધાતુવિદ્યા, વિનોદ, વ્યાપાર, દુર્વ્યસન, યુધ્ધનીતિ, રાજનીતિ, નદી, નગર આદિના વર્ણનો પ્રચુર માત્રામાં કરવામાં આવ્યાં છે.
કથાવસ્તુઃ- અઢષ્ટમૂલપર્યન્ત નગરમાં એક કુરૂપ દરિદ્ર ભિખારી રહેતો હતો. તે અનેક રોગોથી પીડાતો હતો. તેનું નામ ‘નિપુણ્યક' હતુ. ભીખમાં તેને જે કંઇ લૂખુસૂકું ભોજન મળતું હતું તેનાથી તેની ભૂખ મટતી ન હતી, ઊલટું વધતી જ જતી હતી. એકવાર તે, તે નગરના રાજા સુસ્થિતના મહેલે ભિક્ષા લેવા ગયો. ‘ધર્મબોધકર’ રસોઇયાએ તથા રાજાની પુત્રી ‘તદ્દયા' એ તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન આપ્યું. તેની આંખોમાં ‘વિમલાલોક’ અંજણ આંજ્યું અને તત્ત્વપ્રીતિકર જળથી તેની મુખશુધ્ધિ કરાવી. ધીમે ધીમે તે સ્વસ્થ થવા લાગ્યો. પરંતુ ઘણા વખત સુધી પોતાના પુરાણા અસ્વાસ્થ્યકર આહારને તે છોડી શકયો નહિ. ત્યારે પેલા રસોઇયાએ ‘સદ્ગુધ્ધિ’ નામની સેવિકાને તેની સેવામાં મૂકી, તેથી તેની ભોજન અશુધ્ધિ દૂર થઇ ગઇ અને આમ નિપુણ્યક સપુણ્યક બની ગયો. હવે તે પોતાને મળેલ ઔષધિનો લાભ બીજાને આપવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ તેને પહેલેથી જાણનારા લોકો તેનો વિશ્વાસ કરતા ન હતા. ત્યારે ‘સદ્ગુધ્ધિ’ સેવિકાએ સલાહ આપી કે પોતાની ત્રણે ઔષધિઓને કાષ્ઠ પાત્રમાં મૂકી રાજમહેલના આંગણામાં તે પાત્ર મૂકે જેથી પ્રત્યેક વ્યક્તિ તે પાત્રમાંથી ઔષધિનો લાભ સ્વયં લઇ શકે.
183
Page #208
--------------------------------------------------------------------------
________________
કવિએ પ્રથમ પ્રસ્તાવનાં અંતિમ પદ્યોમાં આ રૂપકનો ખુલાસો કર્યો છે. અષ્ટમૂલપર્યન્ત’નગર એ તો આ સંસાર છે. અને નિપુણ્યક' અન્ય કોઈ નથી પણ કવિ પોતે જ છે. રાજા “સુસ્થિત’ જિનરાજ છે. તેનો “મહેલ' જૈન ધર્મ છે. ધર્મબોધકર” રસોઇયો ગુરૂ છે. અને તેની પુત્રી “તદ્દયા” તેની દયાદેષ્ટિ છે. જ્ઞાન જે આંજણ છે. સાચી શ્રધ્ધા જે “મુખશુધ્ધિકર જલ” અને સચ્ચરિત્ર જ “સ્વાદિષ્ટ ભોજન છે. “સબુધ્ધિ” જ પુણ્યનો માર્ગ છે અને ‘કાષ્ઠપાત્ર અને તેમાં રાખેલું ભોજન, મંજન અને અંજન આગળ વર્ણવવામાં આવેલ કથા અનુસાર છે.
અનંતકાળથી વિદ્યમાન મનુજગતિ નામના નગરમાં ‘કર્મપરિણામ” નામનો રાજા રાજ કરે છે. તે ઘણો જ શક્તિશાળી, ક્રૂર તથા કઠોર દંડ દેનારો છે. તે પોતાના વિનોદને માટે ભવભ્રમણ નાટક કરાવે છે, તેમાં જાતજાતના રૂપ ધરી જગતના પ્રાણીઓ ભાગ લે છે. આ નાટકથી તે ઘણો ખુશ રહે છે અને તેની રાણી કાલપરિણતિ” પણ તેની સાથે આ નાટકનો રસ માણે છે. તેમને પુત્રની ઈચ્છા જાગે છે, પુત્ર જન્મતાં પિતા તરફથી તેનું નામ “ભવ્ય” અને માતા તરફથી તેનું નામ સુમતિ રાખવામાં આવે છે. તે જ નગરમાં ‘સદાગમ” નામના આચાર્ય છે. રાજા તેમનાથી ખૂબ ડરે છે. કારણકે તે તેના એ નાટકનો ભંગ કરે છે અને કેટલાય અભિનેતાઓને એ નાટકથી છોડાવી ‘નિવૃત્તિનગરમાં લઈ જઈ વસાવે છે. તે નગર રાજ્ય બહાર છે અને ત્યાં બધા આનંદમાં રહે છે. એકવાર “પ્રજ્ઞાવિશાલા” નામની દ્વારપાલી રાજકુમાર “ભવ્ય”ની મુલાકાત ‘સદાગમ” આચાર્ય સાથે કરવામાં સફળ થાય છે. અને સારા નસીબે રાજકુમારને તેમની પાસે શિક્ષણ લેવાની રજા પણ રાજારાણી આપી દે છે. એક વખત સદાગમ પોતાના ઉપદેશો બજારમાં દેતા હોય છે ત્યારે કોલાહલ સંભળાય છે. તે સમયે “સંસારીજીવ” નામનો ચોર પકડાય છે અને જ્યારે ન્યાયાલયમાં કોલાહલપૂર્વક તેને મોકલાય છે ત્યારે પ્રજ્ઞાવિશાલા” દયા લાવી તેને સદાગમ આચાર્યના આશ્રયે લાવી દે છે. ત્યાં તે મુક્ત થઈ પોતાની કથા નીચે મુજબ કહે છે.
હું સૌ પ્રથમ સ્થાવર લોકમાં વનસ્પતિ રૂપે પેદા થયો અને “એકેન્દ્રિય નગરમાં રહેવા લાગ્યો અને ત્યાં પૃથ્વીકાય, જલકાય આદિ ગૃહોમાં ક્યારેક અહીં તો ક્યારેક તહીં રહેવા લાગ્યો. ત્યાર પછી નાના કીડી-મકોડા અને મોટા હાથી વગેરે તિર્યંચોમાં જભ્યો અને ભટક્યો. બહુ વખત સુધી દુઃખ ભોગવીને અંતે મનુષ્ય પર્યાયમાં રાજપુત્ર નન્ટિવર્ધન થયો. જો કે મારો એક અદૃષ્ટ મિત્ર પુણ્યોદય' હતો. જેનો હું આ સફળતાઓ માટે કૃતજ્ઞ છું, પરંતુ એક બીજા મિત્ર વૈશ્વાનરને કારણે હું માર્ગ ભૂલી ગયો. પરિણામે સારા સારા ગુરુઓ અને ઉપદેશોના બોધની મારા ઉપર કોઈ અસર ન થઇ. વૈશ્વાનરનો પ્રભાવ વધતો જ ગયો અને છેવટે તેણે રાજા દુબુધ્ધિ અને રાણી
184
Page #209
--------------------------------------------------------------------------
________________
નિષ્કરુણાની પુત્રી ‘હિંસા’ સાથે મારું લગ્ન કરાવી દીધું. આ કુસંગતિથી મેં ખૂબ શિકાર ખેલ્યા અને અસંખ્ય જીવોનો શિકાર કર્યો. ચોરી, દ્યુત આદિ વ્યસનોમાં પણ મેં કુખ્યાતિ પ્રાપ્ત કરી. યોગ્ય સમયે હું મારા પિતાનો ઉત્તરાધિકારી રાજા બન્યો. આ દર્પમાં મેં અનેક ઘોર કર્મો કર્યા, એટલે સુધી કે એક રાજદૂતને તેના માતા-પિતા, સ્ત્રી, બંધુ અને સહાયકો સાથે મરાવી નાખ્યો. એકવાર એક યુવક સાથે મારે લડાઇ થઇ અને અમે બંનેએ એકબીજાને વીંધી મારી નાખ્યા. પછી અમે બંને અનેક પાપયોનિઓમાં ઉત્પન્ન થયા અને પાછા સિંહ-મૃગ, બાજ-કબૂતર, અહિ-નકુલ આદિ રૂપે એકબીજાના ભક્ષ્ય-ભક્ષક બનતા રહ્યા. પછી હું રિપુદારુણ નામનો રાજકુમાર થયો. તથા શૈલરાજ અને મૃષાવાદ મારા મિત્ર બન્યા. તેમના પ્રભાવના કારણે મને પુણ્યોદયને મળવાનો અવસર ન મળ્યો. પિતાના મૃત્યુ પછી હું રાજા બન્યો. મેં પૃથ્વીના સમ્રાટની આજ્ઞા માનવાનો ઇનકાર કરી દીધો. એકવાર એક જાદુગરે મને ઉતારી પાડ્યો. અને મારા જ સેવકોએ મારો વધ કરી નાંખ્યો. મારાં પોતાના દુષ્કૃત્યોને પરિણામે હું પછીના જન્મોમાં નરક-તિર્યંચ યોનિઓમાં ભટકી છેવટે મનુષ્યગતિમાં જન્મ્યો અને શેઠ સોમદેવનો પુત્ર વામદેવ બન્યો. ‘મૃષાવાદ, માયા અને સ્તેય’ મારા મિત્રો બન્યા. એક શેઠને ત્યાં ચોરી કરવાને કારણે મને ફાંસી થઇ અને હું પાછો નરક અને તિર્યંચ લોકમાં ભટક્યો. હું ફરી એકવાર શેઠના પુત્ર તરીકે જન્મ્યો. આ વખતે ‘પુણ્યોદય’ અને ‘સાગર’(લોભ) મારા મિત્ર બન્યા. સાગરની મદદથી હું અતુલ ધનરાશિ કમાયો. મેં એક રાજકુમાર સાથે દોસ્તી કરી, તેની સાથે સમુદ્રયાત્રા કરી અને લોભવશ તેને મારી તેનું ધન પડાવી લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સમુદ્ર દેવતાએ તેની રક્ષા કરી અને મને સમુદ્રમાં ફેંકી દીધો. ગમે તેમ કરી હું તટે પહોંચ્યો અને દુર્દશામાં જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. એકવાર જ્યારે હું ધન દાટવા ઇચ્છતો હતો. ત્યારે મને એક વૈતાલ ખાઇ ગયો. પુનઃ નરક અને તિર્યંચ લોકમાં ભ્રમણ કરીને હું ધનવાહન નામે રાજકુમાર થયો અને મારા પિતરાઇ ભાઇ અકલંક સાથે ઉછરવા લાગ્યો. અકલંક ધર્માત્મા જૈન બની ગયો અને તેના દ્વારા હું સદાગમ આચાર્યના સંપર્કમાં આવ્યો પરંતુ મહામોહ અને પરિગ્રહ સાથે દોસ્તી થઇ ગઇ અને હું તેમનાથી પૂરેપૂરો વશીભૂત થઇ ગયો. પરિણામે હું નિર્દય શાસક બની ગયો પરંતુ મારી દુર્નીતિને કારણે મને રાજગાદી પરથી ઉઠાડી મૂક્યો અને હું દુઃખી બની મરી ગયો. મેં ફરી નરક અને તિર્યંચ લોકનું ભ્રમણ કર્યું. ત્યાર બાદ સાકેત નગરીમાં અમૃતોદર નામનો મનુષ્ય થયો, અને સંસારી જીવનના ઉચ્ચ સ્તર પર ચાલવા લાગ્યો. એક સમ્યગ્દર્શન સાથે મારી મિત્રતા બંધાઇ. પરિણામે હું ધર્માત્મા શ્રાવક અને સારો શાસક બન્યો અને મારા લગ્ન ક્ષમા, મૃદુતા, ઋજુતા, સત્યા, સૂચિતા આદિ કુમારીઓ સાથે થયા તેથી મેં ન્યાયનીતિથી રાજ્ય કર્યું ને છેવટે મુનિવ્રત ધારણ કરી મરીને દેવ થયો. ફરી પાછો મનુષ્ય તરીકે જન્મ્યો. હવે હું તે જ સંસારી જીવ અનુસુન્દર સમ્રાટ છું. આ
185
Page #210
--------------------------------------------------------------------------
________________
વખતે મહામોહનો મારા ઉપર કોઈ પ્રભાવ નથી. સદાગમ અને સમ્યગ્દર્શન જ મારા અત્તરંગ મિત્રો છે. આ વખતે બધાનાં કલ્યાણ માટે મારા પોતાના અનુભવો સંભળાવવા ચોરના રૂપમાં હું ઉપસ્થિત થયો છું. અને પુનર્જન્મોના ચક્રને કહું છું.
તે પછી તે સંસારી જીવ પોતાનું વૃતાન્ત સંભળાવી ધ્યાન મગ્ન બની ગયો અને શરીર છોડી ઉત્તમ સ્વર્ગમાં દેવ થયો.
મહતી કથાનો આ અતિ સંક્ષિપ્ત સાર છે. મૂળમાં સમસ્ત વૃત્તાન્ત વિસ્તારથી સરળ, સરસ અને સુંદર સંસ્કૃત ગદ્યમાં અને કયાંક કયાંક પદ્યમાં વર્ણવવામાં આવ્યો છે. તેમાં વચ્ચે કેટલાંક મોટાં અને કેટલાંક નાનાં પદ્યો આવ્યાં છે અને પ્રત્યેક અધ્યાયની સમાપ્તિ થતાં મોટા મોટા છન્દો પણ જોવા મળે છે. તેમાં અન્ય ભારતીય આખ્યાનોની જેમ જ મૂળ કથાનકના માળખામાં અનેક ઉપકથાઓ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે.
આ મૂળ કથા રૂપક યા રૂપકોના રૂપમાં છે કારણકે તેમાં ન કેવળ પ્રધાન કથાનક પરંતુ અન્ય ગૌણ કથાનકો પણ રૂપકના રૂપમાં જ છે. પરંતુ તેમાં રૂપકનાં લક્ષણોનું બરાબર પાલન કરવામાં આવ્યું નથી. કવિ પોતે બે પ્રકારની વ્યક્તિઓમાં ભેદ કરે છે. એક તો નાયકના બાહ્ય મિત્રો અને બીજા અન્તરંગ મિત્રો, અન્તરંગ મિત્રોને જ વ્યકત્સાત્મક અને મૂર્તાત્મક રૂપ આપવામાં આવ્યું છે. અને ભવચક્ર નાટકનાં તે જ યર્થાથ પાત્રો તેમને જ કવિ શ્રાવકોની સમક્ષ ખુલ્લા કરી મૂકવા માંગે છે.
સિધ્ધર્ષિનું કહેવું છે કે વાચકોને આકર્ષવા માટે તેમણે રૂપકની ગૂંથણી કરી છે અને તે કારણે જ તેમણે પ્રાકૃતમાં ગ્રંથ ન રચતાં સંસ્કૃતમાં તેની રચના કરી છે. તેનું કારણ એ છે કે પ્રાકૃત અશિક્ષિતોને માટે છે જ્યારે શિક્ષિત લોકોની મિથ્યા માન્યતાઓનું ખંડન કરવા માટે અને તેમને સમ્યક મતમાં લાવવા માટે સંસ્કૃત ઉચિત છે.
આ ગ્રંથ વાંચી અંગ્રેજ કવિ જોન બનયનનાં રૂપક (allegory) Pilgrims progressનું સ્મરણ થાય છે. તેનો વિષય પણ સંસારીનું ધર્મયાત્રા દ્વારા ઉત્થાન જ છે અને અનેક બાબતોમાં ઉપમિતિભવ પ્રપંચકથા સાથે મેળ ધરાવે છે. પરંતુ તે ન તો આકારમાં કે ન તો ભાવોમાં ઉપમિતિકથાની તુલનામાં આવી શકે છે.
ઉપસંહાર મૂળ જૈન આગમોમાં પણ જ્ઞાતાધર્મકથા, ઉપાસક દશા, અંતકૃત દશા, અનુત્તરોપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર, રાજપ્રનીય સૂત્ર, ઉપાંગ સૂત્ર, નંદી સૂત્રની કથાઓ આદિ અનેક આગમો ધર્મકથાઓ વર્ણવે છે. જ્ઞાતાધર્મ કથામાં સાડા ત્રણ કરોડ કથાઓ અને તેટલી ઉપકથાઓ હોવાનું કહેલું છે. આ જોતાં જેન પરંપરામાં
186
Page #211
--------------------------------------------------------------------------
________________
ધર્મકથાનું સાહિત્ય કેટલું વિપુલ હતું એ સહજમાં કલ્પી શકાય. ‘ઉપાસકદશાંગ સૂત્ર’એ સંસારમાં રહી ભગવાન મહાવીરના ધર્મની ઉપાસના કરી આત્મકલ્યાણ કરવા માટે હિતકારક છે.
‘અંતગડ સૂત્ર’માં વર્ણવ્યું છે કે અતિ સાહ્યબી હોવા છતાં પુણ્યશાળી રાજકુમારો સંચમ લે છે. તેમજ ભયંકર પાપી માળી પણ દીક્ષિત થવાના ઢષ્ટાંતો છે. દરેકનો આશય ને સંદેશ ભોગવૃત્તિનો ત્યાગ અને પરિગ્રહની હેયતા છે.
‘વિપાક સૂત્ર’ આગમમાં અજ્ઞાન દશામાં બાંધેલા કર્મોના ભયંકર ફળ પાપ કર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે.
‘અનુત્તરોપપાતિક સૂત્ર’માં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે.
‘રાયપસેણીય સૂત્ર’માં સંત સમાગમ વ્યક્તિ પર કેવો મહાન ઉપકાર કરે છે અને દેવલોકના સુખ અપાવી શકે છે. એક જ ભવમાં પરમાત્મપદ અપાવી શકે છે. એ હકીકત ખૂબ રસમય રીતે આલેખી છે.
‘નિરયાવલિકા સૂત્ર'માં આવતી કોણિકની કથાથી ભૌતિક ક્ષણભંગુર વસ્તુઓની તીવ્ર મૂર્છા સ્વપરના જીવનમાં કેવું ભયંકર નુકસાન કરે છે તે જાણી શકાય
છે.
‘પુષ્પચૂલિકા સૂત્ર’માં પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં ‘પુષ્પચૂલા’ નામની પ્રવર્તિની સાધ્વીજી પાસે દીક્ષિત દસ સ્ત્રીઓનું કથાનક છે.
‘કપ્પવર્ડિસિયા’માં જે જીવો મનુષ્ય ભવમાં તપ-સંયમની આરાધના કરી કલ્પ દેવલોકમાં ઊપજે છે તેનું વર્ણન છે.
‘પુષ્પિકા સૂત્ર’ ઇચ્છાઓ પર કાબૂ મૂકી આત્મ કલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવાની પ્રેરણા આપે છે. પ્રત્યેક સુખેચ્યુએ ત્યાગ અને સંયમરૂપ ધર્મના માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઇએ.
‘વૃષ્ણિદશા’ સૂત્રમાં વૃષ્ણિવંશીય બાર રાજકુમારોનું વર્ણન આપેલું છે.
નંદી સૂત્રની કથાઓમાં ચારે બુધ્ધિ ઔત્પાતિકી, વૈનચિકી, કર્મજા અને પારિણામિકીના દૃષ્ટાંતો વર્ણયા છે.
આમ, આગમ કાલીન સાહિત્યમાં કથા તત્ત્વની વિપુલતા જોવા મળે છે. આ દરેક કથા મોક્ષ સુખ મેળવવા માટે ઉત્થાન કરાવે તેવી છે.
187
Page #212
--------------------------------------------------------------------------
________________
આગમેતર સાહિત્યમાં ‘પઉમચરિય” જેમાં સીતાપતિ રામની કથા રજૂ કરાઈ છે. વિક્રમની પમી સદીમાં રચાયેલું ‘વસુદેવહિડી' આત્માના ભ્રમણની કથા વર્ણવે છે. વસુદેવ ઘર છોડી દેશદેશાન્તરમાં ભ્રમણ કરે છે, એની કથાઓ આપી છે. તે દરમ્યાન તેને કેવા કેવા અનુભવ થાય છે તે બધું આમાં વર્ણિત છે.
વિક્રમની ૮ મી સદીમાં રચાયેલ “મહાપુરાણમાં તીર્થકર ઋષભનાં દશ પૂર્વભવો અને વર્તમાન ભવનું તથા ભરત ચક્રવર્તીના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આમાં શૃંગાર, કરૂણ, વીર, રૌદ્ર અને શાંતરસનું મુખ્યપણે દર્શન થાય છે. | વિક્રમની ૮મી સદીમાં રચાયેલ “સમરાદિત્ય ચરિત્ર'માં સમરાદિત્યના નવ ભવનું વર્ણન છે. કષાયોને જીતવા માટેનું શ્રેષ્ઠ ચરિત્ર છે. એમાં બધા રસોનું અંતે શાંતરસમાં પરિવર્તન થાય છે. આ ચરિત્રમાં આબેહૂબ નરકનું વર્ણન છે. જે વાંચનારના રૂંવાટા ખડા થઈ જાય તેવું છે.
૮મી સદીમાં રચાયેલ ઉપદેશપદ ગ્રંથમાં વિવિધ વિષયોને આવરી લેતી બોધદાયક કથાઓ છે. જેના દ્વારા ગ્રંથકારે ભરપૂર તત્વ પીરસ્યું છે.
૯મી સદીમાં રચાયેલ ‘કુવલયમાલા” ગ્રંથ એ જગતના તમામ સાહિત્યમાં ગૌરવ ભર્યું સ્થાન પામી શકે તેવું અણમોલ રત્ન છે.
૯મી સદીમાં રચાયેલ “હરિવંશપુરાણ”માં હરિવંશમાં ઉત્પન્ન થયેલ તીર્થકર નેમિનાથનું જીવન ચરિત્ર છે. આ ગ્રંથ પુરાણ જ નથી પરંતુ તેને કેન્દ્ર બનાવી તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, ધર્મનીતિ વગેરે અનેક વિષયો તથા અનેક ઉપાખ્યાનોનું નિરૂપણ થયું છે.
૧૦મી સદીમાં રચાયેલ ‘ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર'માં ૫૪ મહાપુરુષોનું પૂર્વભવ સાથે ચરિત્ર વર્ણવ્યું છે.
૧૦મી સદીમાં રચાયેલ ઉપમિતિ ભવપ્રપંચ કથામાં ચતુર્ગતિ રૂપ સંસારનો વિસ્તાર ઉપમા દ્વારા સ્પષ્ટ કર્યો છે. મૂળકથા રૂપકોના રૂપમાં છે.
આમ, આગમેતર સાહિત્યને જોતાં માલૂમ થાય છે કે અલગ અલગ કથા ગ્રંથો દ્વારા વિવિધ આચાર્ય ભગવંતોએ વાચકને તત્ત્વજ્ઞાન પીરસવાનો સુંદર પ્રયાસ કર્યો છે. દરેક ગ્રંથોની એક આગવી શૈલી છે. જે વાંચકને કથા વાંચતા પકડી રાખે છે. વિવિધ રસોના વર્ણન કરતા કરતા કથાપ્રવાહ અંતે શાંતરસમાં પરિણમન થાય છે.
આ જૈન કથાઓનું આગવું લક્ષણ છે.
188
Page #213
--------------------------------------------------------------------------
________________
પાદનોંધ
ગ્રંથ
પાના નં
૧૭.
૩૪
૧૦
:૮ (પ્રસ્તાવના) ૯ ( , )
૨૦૩ થી ૨૪૦
૭૫
રચયિતા/સંપાદક ૦૧. જ્ઞાતાધર્મ કથા સૂત્ર ત્રિલોકમુનિજી ૦૨. પ્રબુધ્ધજીવન અંક-૮,૯ ડૉ.કેતકી યોગેશ શાહ (જ્ઞાતાધર્મકથા સૂત્ર) ૦૩. ઉત્તરાધ્યયન સૂત્ર ભદ્રંકરસૂરિજી ૦૪. ઉત્તરાધ્યયન સૂત્ર મુનિસંત બાલ ૦૫. ઉત્તરાધ્યયન સૂત્ર મુનિસંત બાલ
ભદ્રકરસૂરિજી ૭. જેનપર્વ પ્રવચન પૂ.પં.શ્રીરત્નસેન વિજયજી ૦૮. મીઠી મીઠી લાગે છે ત્રિલોકમુનિ મ.સા
મહાવીરની દેશના ૦૯. પ્રબુધ્ધ જીવન અંક ૮-૯ ગુણવંત બરવાળિયા ૧૦. ,, ,, ૨૦૧૨ ગુણવંત બરવાળિયા ૧૧. જૈન આગમ નવનીત ભાગ-૧ ત્રિલોક મુનિ ૧૨. પ્રબુધ્ધ જીવન અંક૮,૯ ગુણવંત બરવાળિયા
, , ર૦૧ર ૧૩. , ૧૪.પ્રબુધ્ધ જીવન , ૧૫ ,, , ,, ૧૬. ,, , , ૧૭. , ,, ,, ૧૮. જૈન આગમ નવનીત-૧ ત્રિલોક મુનિ ૧૯. પ્રબુધ્ધ જીવન અંક ૮,૯ ગુણવંત બરવાળિયા
, , ૨૦૧૨ ૨૦. પ્રબુધ્ધ જીવન ,, ૨૧. , ,,
૯૭,૯૮,૯૯
૪૦, ૪ર ૧૧ ,૧૨ પ૧, પર
૪૪
૧૫૬
૧૦
૫૭,૫૮ પ૮
૨૨.
,,
૨૩. ધર્મકથાનું યોગ
મુનિ કન્ડેયાલાલજી ૨૪. પ્રબુધ્ધ જીવન અંક ૮,૯ ગુણવંતરાય બરવાળિયા
૨૦૧૨ ૨૫. ,, ,
189
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૬. કે, '' ર૭. ,, ૨૮. , ર૯. પ્રબુધ્ધ જીવન અંક ૮,૯ ગુણવંત બરવાળિયા
* ૨૦૧૨
પ્રસ્તાવના
૩૦. જૈન આગમ નવનીત ત્રિલોક મુનિ મ.સા
ભાગ-૧ ૩૧/૧. પઉમચરિયું વિમલસૂરિ ૩૧/૨. પઉમચરિયું ૩૧/૩ ,, ૩૧/૪ જૈન રામાયણ ગુણરત્ન સૂરિ ૩૧/૫ જૈન રામાયણ પ્રિયદર્શન ૩૨. જૈન સાહિત્યનો સ્વાધ્યાય ૩૩. વસુદેવ હિંડી ૩૪. , ૩૫. સમરાદિત્ય ચરિત્ર મુનિ શ્રી અમરેન્દ્રસાગર
આ.ચિદાનંદ સૂરિ
૧૮૦ ૧૫,૧૬,૧૭ ૩૦ થી ૩૬
૧૭ થી ૨૦
૧૯ થી ૪૭
૪૭ થી ૭ર ૭૩ થી ૮૫ ૮૬ થી ૧૧૫ ૧૧૬ થી ૧૩૩ ૧૩૦ થી ૧૩૬ ૧૬૦ થી રર૧ ૧૧ ૧૫, ૧૬ ૧૭ થી ૨૪ ૧,૨
૪૪. ઉપદેશપદ
હરિભદ્રસૂરિ, મુનિ રત્નત્રય વિજયજી ૪૫. કુવલયમાલા ઉદ્યોતન સૂરિ ૪૬. ,, ૪૭. સાહિત્ય દર્શન ડૉ.રમણલાલ ચી.શાહ ૪૮. હરિવંશ પુરાણ સર્ગ ૬૬, પર-પપ ૪૯. ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર શીલાંક ૫૦. ,, , , શીલાચાર્ય ૫૧.વાર્તાદીપ શ્રીપ્રિયદર્શન પ્રથમ આવૃતિ
૧, ૨ ૩ થી ૮ ૭૩, ૭૪
190
Page #215
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-3
મધ્યકાલીન જૈન કથા સાહિત્ય
મધ્યકાલીન જૈન સાહિત્યમાં અનેક સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ સાધુભગવંતોના હસ્તે થયેલું છે. જેમાં કથા સાહિત્ય એ સૌથી વધુ પ્રચાર પામેલું સ્વરૂપ છે. મધ્યકાલીન જૈન સાહિત્યનો પ્રારંભ લગભગ બારમી સદીથી થયેલો ગણાય છે. અને લગભગ અઢારમી સદી સુધીમાં વિવિધ સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ અનેક સાધુભગવંતોના હાથે થયેલ છે. જેમાં રાસા, ફાગુ, બારમાસી, સજ્ઝાયો વગેરે નોંધપાત્ર ગણી શકાય. અને કથા સાહિત્યનું ખેડાણ આ સમયગાળામાં પણ વૈવિધ્યપૂર્ણ રીતે અનેક કથાકારોના હસ્તે થયેલું જોઇ શકાય છે.
૧૨મી સદી સં.૧૧૫૮
કથારત્નકોષ
કથાસાહિત્યની વિપુલતાઃ- કથા સાહિત્ય જૈન સંપ્રદાયમાં વિપુલ છે એ જ રીતે વૈદિક અને બૌધ્ધ સંપ્રદાયમાં પણ અતિ વિપુલ પ્રમાણમાં છે. ભારતમાં તેમજ ભારતની બહાર પણ કથા સાહિત્ય ઉપલબ્ધ થાય છે. જ્ઞાનની દૃષ્ટિએ વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ભૂગોળ, ખગોળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મશાસ્ત્ર, યોગવિદ્યા, પ્રમાણશાસ્ત્ર વગેરે વિદ્યાઓને સર્વગમ્ય કરવાનું સાધન માત્ર એક કથાસાહિત્ય છે.
આથી જ આમ જનતાને ત્યાગ, તપ, વૈરાગ્ય, ધીરજ, ક્ષમા, નિઃસ્પૃહતા, પ્રાણીસેવા, સત્ય, નિર્લોભતા, સરળતા આદિ ગુણોની સિધ્ધિ માટે મહાપુરુષોએ સાહિત્ય સર્જન કર્યું છે. આ ષ્ટિથી કથા સાહિત્યનું મૂલ્ય અનેકગણું વધી જાય. જૈન પ્રવચનમાં કથાનુયોગનું સ્થાનઃ
જેમ મહાભારત અને રામાયણના પ્રણેતા વૈદિક મહર્ષિઓએ આમ જનતાના પ્રતિનિધિ બની ગ્રંથોની રચના કરી, પણ જ્યારે વૈદિક પરંપરા આમ જનતાની મટી રાજાઓની આશ્રિત થઇ ત્યારે જૈન પરંપરામાં થયેલ તીર્થંકર પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીએ આમ જનતાનું પ્રતિનિધિપણું કર્યું. તેઓએ ધર્મતીર્થ પ્રવર્તાવ્યું અને જૈન પ્રવચનમાં ચાર વિભાગ બતાવ્યા જેમાં કથા સાહિત્યને ખાસ સ્થાન આપ્યું.
શાસ્ત્રકારોના મત પ્રમાણે-ધર્મકથાનુયોગ વિના ચરણ કરણાનુયોગની સાધના કઠણ બની જાય છે. ચાર યોગ (ચરકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગાણિતાનુયોગ,
191
Page #216
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગ) માં ધર્મકથાનુયોગ જ એવો છે જે આમ જનતા સુધી પહોંચી શકે છે. તેથી જ બીજા અનુયોગ કરતા તેનું મહત્ત્વ છે.
જૈન પરંપરાની પેઠે બૌધ્ધ પરંપરા પણ આમ જનતાની પ્રતિનિધિ રહેલી છે.
જૈન પરંપરાના ધર્મકથાનુયોગને બૌધ્ધ પરંપરામાં ‘સુત્તપિટક' કહે છે. તેમાં અનેકાનેક કથાઓનો સમાવેશ થાય છે.
•
·
•
ટ્રીયનિષ્ઠાય, માિમનિાય, સુત્તનિપાત વગેરે અનેકાનેક ગ્રંથોનો સુત્તપિટકમાં સમાવેશ થાય છે.
આમ, ધર્મકથાનુયોગ પથ્યભોજન પાન જેવો છે. જેમ પથ્ય અન્નપાન માત્ર શરીરને ઢ, નિરોગી, પુરુષાર્થી, દીર્ઘજીવી બનાવે છે તેમ માનવના મનને સદાચારી, સ્વસ્થ, નિગ્રહી, બલિષ્ઠ બનાવે છે.
હરિભદ્રસૂરિએ સમરાઇચ્ચકહામાં કથાઓના વિભાગ કરતા અર્થકથા, કામકથા, ધર્મકથા, સંકીર્ણકથા એમ ૪ વિભાગ બતાવ્યા.
જે કથામાં ઉપાદાન અર્થરૂપે હોય- વણજવેપાર, લડાઇઓ, ખેતી; લેખ, કળા, શિલ્પ, સુવર્ણસિધ્ધિ, વગેરે તથા અર્થોપાર્જનના નિમિત્તરૂપ સામ, દામ, દંડ આદિ નીતિઓનું વર્ણન હોય તે અર્થકથા.
જેમાં ઉપાદાનરૂપે કામ હોય અને પ્રસંગે પ્રસંગે દૂતીનક અભિસારો, સ્ત્રીઓના રમણો, અનંગલેખો, લલિતકળાઓ, અનુરાગ પુલકિતો નિરૂપેલા હોય તે કામકથા.
જેમાં ઉપાદાનરૂપે ધર્મ હોય અને ક્ષમા, માર્દવ, આર્જવ, અલોભ, તપ, સંયમ, સત્ય, શૌચ વગેરેને લગતાં માનવ સમાજને ધારણ પોષણ આપનારા અને તેનું સત્ત્વ સંરક્ષણ કરનારા વર્ણનો હોય તે ધર્મકથા.
જેમાં ધર્મ અર્થ અને કામ ત્રણે વર્ગોનું યથાસ્થાન નિરૂપણ હોય તે પ્રકારની સંકીર્ણકથા.
પ્રસ્તુત કથા રત્નકોશ, ધર્મકથાઓનો મહાન ગ્રંથ છે. તેમાં અર્થ અને કામકથાનું પ્રાસંગિક નિરૂપણ છે.
કથારત્નકોશ ગ્રંથનો તેમજ ગ્રંથકારનો પરિચયઃ- (દેવભદ્રસૂરિ રચિત.)
પૂજ્યશ્રી દેવભદ્રાચાર્ય મહારાજ વિક્રમની બારમી સદીમાં થઇ ગયા, તેઓશ્રી મહાન વિદ્વાન ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. આચાર્ય પદારૂઢ થયાં પહેલા તેઓશ્રીનું નામ ગુણચંદ્રગણિ હતું. તેમણે આચાર્ય પદ ગ્રહણ કર્યા પછી ભરૂચ નગરમાં આમદત્ત
192
Page #217
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીના ઘરમાં રહી શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું છે. પાર્શ્વનાથનું આ ચરિત્ર વિક્રમના ૧૧૬૮મે વર્ષે રચાયું. મુનિસુવ્રત સ્વામીના પ્રસાદ વડે અંબા, સુદર્શના, બંભ, શાંતિ તથા શ્રુત દેવતાના પ્રસાદ વડે આ ચરિત્ર સમાપ્ત થયું. પાંચ પ્રસ્તાવમાં આપેલ આ ચરિત્રમાં પરમાત્માના છ ભવોનું અનુપમ દયા, સમભાવ, અસાધારણ મહિમા, માહાભ્ય, માત્ર નામ સ્મરણથી થતા લાભો સાથેનું અદ્ભુત વર્ણન, પાંચ કલ્યાણકોમાં દેવોએ ભક્તિપૂર્વક કરેલ મહોત્સવ, સમવસરણમાં બિરાજમાન થઈ
અહિંસા, સજ્ઞાન, સિધ્ધાંતશ્રવણ, યતિગૃહધર્મ, અગ્યાર પડિમા વગેરે વિષયો ઉપર દિવ્યવાણી વડે આપેલ અપૂર્વ દેશના, દશ ગણધરોના પૂર્વભવોના વૃત્તાંતો અને બીજી અંતર્ગત અનેક બોધપ્રદ અનુપમ કથાઓ અને જાણવા લાયક અન્ય વિવિધ વિષયોના વર્ણનો વગેરે આપેલા છે. તેઓશ્રી પોતે પોતાને ઓળખાવે છે. તેમ તે ‘વજશાખીય અને ચંદ્રકુલીન આચાર્ય તરીકે જ ઓળખાય છે. • તેમણે આચાર્યપદ ગ્રહણ કર્યા પહેલા મહાવીરચરિત્ર વિ.સં.૧૧૩૯માં રચ્યું. • કથા રત્નકોશ વિ.સં.૧૧૫૮માં રચ્યો. • પાર્શ્વનાથ ચરિત્ર ૧૧૬૮માં રચ્યું. • શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર
આચાર્ય દેવભદ્ર, શ્રી સુમતિવાચકના શિષ્ય હતા.'
આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્યરૂપે રચાયો છે. શ્લોક પ્રમાણ સાડા અગિયાર હજાર હોવાનું અનુમાન છે. નાની-મોટી મૌલિક પચાસ કથાઓના સંગ્રહરૂપ છે. આ ગ્રંથમાં પ્રસંગોપાત સંસ્કૃત તેમજ અપભ્રંશ ભાષાનો ઉપયોગ પણ ગ્રંથકારે કરેલ છે.
આ ગ્રંથની વિશેષતા એ છે કે બીજા કથાકોશ ગ્રંથોમાં એકની એક પ્રચલિત કથાઓ સંગ્રહાએલી હોય ત્યારે આ કથા સંગ્રહમાં એમ નથી. લગભગ બધી જ કથાઓ અપૂર્વ જ છે. જે બીજે સ્થળે ભાગ્યે જ જોવા મળે. જો આ બધી ધર્મકથાઓને નાના બાળકોની બાળભાષામાં ઉતારવામાં આવે તો એક સારી એવી બાળકથાની શ્રેણિ તૈયાર થઈ શકે એમ છે.
આ ધર્મકથા ગ્રંથમાં શૃંગાર આદિ જેવા રસોનો લગભગ અભાવ છતાં આ ગ્રંથ શૃંગાર રહિત બની ન જાય અથવા નિરસ ન બની જાય તેની ચોક્કસાઇ ગ્રંથકારે રાખી
આ ગ્રંથમાં ગ્રંથકાર જે જે ગુણોને વિષે કથા કહેવી શરૂ કરે છે તેના પ્રારંભમાં,
193
Page #218
--------------------------------------------------------------------------
________________
કથાના વર્ણનમાં અને એના ઉપસંહારમાં તે તે ગુણનું સ્વરૂપ તેનું વિવેચન અને તેને લગતા ગુણ-દોષ લાભ-હાનિનું નિરૂપણ તેમણે સરસ પધ્ધતિએ કર્યું છે.
આ ગ્રંથમાં તેત્રીશ સામાન્ય ગુણ અને સત્તર વિશેષ ગુણ મળીને પચાસ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ ગ્રંથમાં પ્રસંગોપાત, બીજા અનેક મહત્ત્વના વર્ણનો છે. જેવા કે ઉપવનવર્ણન, ઋતુવર્ણન, રાત્રિવર્ણન, યુધ્ધવર્ણન, સ્મશાનવર્ણન આદિ.
જિનપૂજાનું વિસ્તૃત સ્વરૂપ, વિવિધ વિધાનો અષ્ટ પ્રાતિહાર્યનું સ્વરૂપ તેમજ લોકમાનસને આકર્ષનાર સ્થૂલ વિષયોનું વર્ણન છે.
કથા રત્નકોશનાં અનુકરણ અને અવતરણ:
આચાર્ય શ્રી દેવભદ્રનો આ ગ્રંથ એટલી ખ્યાતિ પામી ચૂક્યો હતો કે બીજા જૈન આચાર્યોએ પોત પોતાનાં ગ્રંથોમાં તેના અનુકરણ અને અવતરણો કરી પોતાની કૃતિની પ્રતિષ્ઠા વધારી હતી.
આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિષ્કૃત દેવવંદન ભાષ્ય ઉપર શ્રી ધર્મકીર્તિએ રચેલી ‘સંઘાચારવિધિ’ નામની ટીકામાં કથારત્નકોશની કથાને જેમની તેમ સહજ ફેરફાર કરીને ઉધ્ધરી છે.
સુવિહિત પૂર્વાચાર્ય પ્રણીત ‘ગુરુતત્ત્વસિધ્ધિ’માં કથારત્નકોશનું આખું પ્રકરણ જ અક્ષરશઃ ગોઠવી દીધું છે.
આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પોતાના વિધિપ્રપાઠ ગ્રંથમાં ધ્વજારોપણ વિધિ, પ્રતિષ્ઠારોપણ વિધિ નામના પ્રકરણોમાં કથા રત્નકોશનાં સળંગ પ્રકરણો અને તેમાં આવતા શ્લોકોના અવતરણો કરેલા છે.
કથા રત્નકોશના સંશોધન માટેની પ્રતિઓ:
આજે એકંદરે ત્રણ પ્રતિઓ વિદ્યમાન છે.
એક પ્રતિ ખંભાતના તાડપત્રીય ભંડારમાં છે.
એક કાંતિવિજયજી મહારાજના વડોદરાના જ્ઞાનભંડારમાં છે.
એક સૂરૂ (મારવાડ)ના તેરાપંથી જ્ઞાનભંડારમાં છે.
મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે અતિપશ્રિમે સંશોધન કરી પ્રકાશન કરવા સમાને સુપ્રત કરવાથી મૂળ ગ્રંથ સં.૨૦૦૦ સાલમાં પ્રતાકારે પ્રગટ કરવામાં આવ્યો.
•
•
194
Page #219
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથની પ્રસ્તાવના ગુજરાતી ભાષામાં કૃપાળુ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે લખેલી છે.
પ્રથમ ભાગની પરિશિષ્ટ સમ્યત્વ પટલ : નરવર્મ રાજાની કથા (પાના,૧-૨૩) સમકિતનાં દૂષણો શંકાઅતિચાર-ધનદેવકથા (પાના નં.૨પ-૩૦) કાંક્ષાના દુષ્પરિણામ: નાગદત્તની કથા (૩૧-૩૫) વિચિકિત્સા અતિચાર : ગંગ-વસુમતી કથા (૩૭-૪૩) મૂઢ દષ્ટિદોષ : શંખકથા (૪૪-પર) સમકિતના ગુણો
પાનાનું ઉપબૃહણા રુદ્રસૂરિનું દૃષ્ટાંત
(પ૩-૬૨) સ્થિરીકરણ : ભવદેવનું દષ્ટાંત
(૬૩-૭૪) વાત્સલ્ય : ધનમુનિ દૃષ્ટાંત
(૭૬-૮૮) પ્રભાવના : અચલનું કથાનક
(૯૦-૧૦૩) પંચનમસ્કાર : શ્રીદેવ રાજાનું વૃતાત
(૧૦૪-૧૨૨) ચેત્યાધિકાર : વિજયનું ચરિત્ર
(૧૨૩-૧૪ર) જિનબિંબ પ્રતિષ્ઠા,ક્રમ : પદ્મપનું કથાનક (૧૪૪-૧૬૬) જિનપૂજા અધિકાર : પ્રભંકરનું વૃતાંત (૧૬૭-૧૯૦) દેવદ્રવ્યની સંભાળ : બે ભાઈઓની કથા (૧૯૧-ર૦૫) શાસ્ત્રશ્રવણ મહિમા : શ્રીગુપ્ત કથા
(ર૦૭-રર૭) જ્ઞાનદાન : ધનદત્તનું દૃષ્ટાંત
(રર૮-૨૪૩) અભયદાન : જય રાજર્ષિનું કથાનક
(૨૪૪-રપ૬) સંયમ-સાધનામાં સહાયભૂતદાન : સુજય
(૨૫૭-૨૭૩) રાજર્ષિની કથા
195
Page #220
--------------------------------------------------------------------------
________________
કુગ્રહનો ત્યાગ : વિમલની કથા માધ્યસ્થગુણ : નારાયણની કથા
ભાગ-રની પરિશિષ્ટ
સામર્થ્ય વિશે સમરદત્તનું કથાનક ધર્માર્થિતા વિશે સુંદરનું કથાનક
આલોચક શક્તિ સંબંધી ધર્મદેવનું કથાનક
ઉપાસના વિચાર વિશે વિજયદેવનું કથાનક
ઉપશાંત ગુણ વિશે સુદત્તનું કથાનક
દક્ષતા ગુણ વિશે સુરશેખરનું કથાનક
દાક્ષિણ્ય ગુણ વિશે ભવદેવનું કથાનક
ધૈર્ય ગુણ વિશે મહેન્દ્ર રાજાનું કથાનક ગાંભીર્ય ગુણ વિશે વિજયાચાર્યનું કથાનક
પાંચ ઇન્દ્રિયોના જપ સંબંધી સુયશ શ્રેષ્ઠી અને તેના પુત્રનું કથાનક
પેશુન્ય સંબંધી ધનપાલ અને લાલચંદ્રનુ કથાનક પરોપકાર વિશે ભરત રાજાનું કથાનક
(૨૭૫-૨૮૮)
(૨૮૯-૩૦૦)
196
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(૩૦)
(૩૧)
(૩૨)
(૩૩)
વિજય વિશે સુલસનું કથાનક
આમ, બીજા ભાગમાં સમ્યક્ત્વના એકવીશથી તેત્રીશ ગુણો, પાંચ અણુવ્રત સંબંધી પાંચ મળી કુલ અઢાર રસિક કથાઓનો અનુવાદ છે.
વિક્રમ સંવત ૧૧૦૮
કથાકોષ પ્રકરણઃ- આ કૃતિ મૂળ અને વૃત્તિ બંને રૂપમાં છે. મૂળમાં કેવળ ૩૦ ગાથાઓ છે. આ ગાથાઓનો ઉલ્લેખ છે તે જ કથાઓ પ્રાકૃત વૃત્તિના રૂપમાં ગદ્યમાં વિસ્તારથી આપવામાં આવી છે. તેમાં મુખ્ય કથાઓ ૩૬ અને ૪-૫ અવાન્તર કથાઓ છે. અહીં કથાકારે નવીન શૈલીમાં નવીનરૂપમાં કથા રજૂ કરી છે.
પ્રારંભની સાત કથાઓમાં જિનપૂજાનું ફળ, ૮મીમાં જિનસ્તુતિનું ફળ, ૯મીમાં
Page #221
--------------------------------------------------------------------------
________________
સાધુ સેવાનું ફળ, ૧૦-૨૫માં દાનનું ફળ, તેનાથી આગળ ત્રણ કથાઓમાં જૈનશાસન પ્રભાવનાનું ફળ, ૨ કથાઓમાં મુનિ નિંદાનું કુફળ, એક કથામાં મુનિ અપમાન નિવારણનું સુફળ, એક કથામાં જિનવચનમાં અશ્રધ્ધાનું કુફળ, એક કથામાં ધર્મોત્સાહ પ્રદાન કરવાનું સુફળ, એક કથામાં ગુરુ વિરોધનું ફળ, એક કથામાં શાસનોન્નતિ કરવાનું ફળ, તથા અંતિમ કથામાં ધર્મોત્સાહ પ્રદાન કરવાનું ફળ વર્ણવાયું છે.
કથાઓમાં જ્યાં ત્યાં ચમત્કાર, કૌતુહલનાં તત્ત્વો વિખરાયેલા પડ્યાં છે. ધાર્મિક કથાઓમાં શૃંગાર અને નીતિનું સંમિશ્રણ પ્રચુરપણે થયું છે. પરિણામે મનોરંજકતા વિપુલ માત્રામાં છે. આ કથાઓમાં તત્કાલીન સમાજ, આચાર વિચાર, રાજનીતિ વગેરેની સરસ સામગ્રી વિદ્યમાન છે.
કર્તા અને રચનાકાળઃ- આ કૃતિના કર્તા જિનેશ્વરસૂરિ છે. તેમનું શ્વેતાંબર સંપ્રદાયમાં વિશિષ્ટ સ્થાન છે. આ કથાકોશની રચના વિ.સં.૧૧૫૮ માગશર વદ પાંચમ રવિવારે થઇ છે.
૧૨મી સદી. વિ.સં.૧૧૬૧
પૃથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્ર
૧. પુવિચંદ ચરિયઃ- આ કૃતિ પ્રાકૃત છે. ૭૫૦૦ ગાથા છે. વિ.સં.૧૧૯૧માં બૃહદ્ગચ્છીય સર્વદેવસૂરિના પ્રશિષ્ય અને નેમિચંદ્રના શિષ્ય સત્યાચાર્યે તેની રચના કરી છે.
ર. પૃથ્વીચંદ્ર ચરિતઃ- ૧૧ સર્ગવાળી સંસ્કૃત રચના ખરતરગચ્છના જિનવર્ધનસૂરિના શિષ્ય જયસાગર ગણિએ પાલનપુરમાં સં.૧૫૦૩માં કરી હતી.
૩. પૃથ્વીચંદ્ર ચરિતઃ- સત્યરાજ ગણિએ વિ.સં.૧૫૩૫માં આ કૃતિની રચના કરી. ૧૧ સર્ગ છે. ૧૮૪૬ શ્લોક પ્રમાણ ગ્રન્થાગ્ર છે. તેમાં સર્ગોના નામ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ૧૧ પૂર્વ મનુષ્યભવોના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે.
૪. પૃથ્વીચંદ્ર ચરિતઃ- વૃધ્ધ તપાગચ્છના ઉદયસાગરના શિષ્ય લબ્ધિસાગરે આ સંસ્કૃત કૃતિ સં.૧૫૫૮માં રચી.
૫. પૃથ્વીચંદ્ર ચરિતઃ- આ સંસ્કૃત કૃતિ ૧૧ સર્ગ વાળી છે. ગ્રન્થાગ્ર પ૯૦૧ શ્લોક પ્રમાણ છે. વિ.સં.૧૮૮૨માં રૂપવિજયજીએ આ કૃતિ રચી છે.
કથાસારઃ- પૃથ્વીચંદ્ર રાજા અને ગુણસાગર (વણિકપુત્ર) ભવ પહેલાના દસ ભવોમાં
197
Page #222
--------------------------------------------------------------------------
________________
(૧)રાજા શંખ અને રાણી કલાવતીના રૂપે જન્મ લઈ સમ્યકત્વ અને શીલના પ્રભાવે ઉત્તરોત્તર વિકાસ કરી પછીના ભાવોમાં (૨)રાજા કમલસેન રાણી ગુણસેના (સર્ગબીજો) (૩)દેવસિંહ રાજા અને રાણી કનકસુંદરી (સર્ગ ત્રીજો) (૪)દેવરથ અને રત્નાવલી (સર્ગ ચોથો) (૫)પૂર્ણ ચંદ્ર અને પુષ્પસુંદરી (સર્ગ ૫) (૬)શૂરસેન અને મુક્તાવલી (૭) પદ્મોતર અને હરિવેગ (૮)ગિરિ સુંદર અને રત્નસાર (વૈમાતૃક ભાઈ) (૯)કનકધ્વજ અને જયસુંદર (સહોદર ભાઈ) (૧૦)કુસુમાયુધ અને કુસુમકેતુ (પિતાપુત્ર) (૧૧)મહારાજા પૃથ્વીચંદ્ર અને શ્રેષ્ઠીપુત્ર ગુણસાગર થયા. બંનેના મનોભાવો એટલા નિર્મળ હતા કે બંને ગૃહસ્થાવસ્થામાં જ કેવલી બની મોક્ષે ગયા. પૃથ્વીચંદ્ર ચરિત:- પૃથ્વીચંદ્ર રાજાની કથા પણ પ્રત્યેક બુધ્ધ ચરિતોની શ્રેણીમાં આવે છે. કારણકે સમ્યગ્દર્શનના પ્રભાવથી પોતાનો એટલો તો આધ્યાત્મિક વિકાસ કર્યો હતો કે તેમને ગૃહસ્થાવસ્થામાં જ કોઈના ઉપદેશ વિના જ કેવળજ્ઞાન થઈ ગયું, મોક્ષ પણ મળી ગયો. જૈન કવિઓએ પ્રાકૃત, સંસ્કૃત તથા લોકભાષામાં અનેક કૃતિઓ રચી છે.” ૧.પૃથ્વીચંદ્ર ચરિય
સત્યાચાર્ય (સં.૧૧૬૧)પ્રાકૃત ર.પૃથ્વીચંદ્ર ચરિત્ર
માણિક્ય સુંદર (સં.૧૪૭૮)જૂની ગુજરાતી ૩.પૃથ્વીચંદ્ર ચરિત્ર
જયસાગર ગણિ (સં.૧પ૦૩) ૪.પૃથ્વીચંદ્ર ચરિત્ર
સત્યરાજ ગણિ (સં.૧પ૩૪) ૫.પૃથ્વીચંદ્ર ચરિત્ર
લબ્ધિ સાગર (સં.૧પપ૮) ૬.પૃથ્વીચંદ્ર ચરિત્ર
રૂપવિજય (સં.૧૮૮૨) ૭.પૃથ્વીચંદ્ર ચરિત્ર
અજ્ઞાત ૮.પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્ર ૯.પૃથ્વીચંદ્ર ચરિત્ર
અજ્ઞાત સંસ્કૃત ગદ્ય ૧૦.પૃથ્વીચંદ્ર ચરિત્ર
અજ્ઞાત
શ્રી પૃથ્વીચંદ્ર ગુણસાગર કથા શ્રી ઋષભદેવ ભગવાનના પાદપદ્મથી પુનિત બનેલી અયોધ્યા નામ સાર્થક કરતી અયોધ્યાપુરી-દાન-માન, ગીતનૃત્ય અને સત્કૃત્યથી સ્વર્ગપુરીને મહાત કરે તેવી હતી. આ અયોધ્યાનગરીમાં હરિસિંહ રાજાનું શાસન ચાલતું હતું. તે શૂરવીર દાનવીર, ધીર અને ગંભીર હતો. સેવકોની ઈચ્છા પૂર્ણ કરવામાં સાક્ષાત્ કલ્પવૃક્ષ સમો અને વાચકોનાં મનોરથ પૂર્ણ કરવામાં સાક્ષાત્ કુબેરના જેવો હતો. તેની નેત્રરૂપી પદ્મથી પરાભૂત એવી પદ્માવતી નામની પટરાણી હતી.
અજ્ઞાત
198
Page #223
--------------------------------------------------------------------------
________________
દેવલોકમાં ઇંદ્ર જેમ પોતાની ઇંદ્રાણીઓ સાથે યથેચ્છ વૈભવવિલાસમાં આસક્ત બની આનંદપ્રમોદમાં પોતાના દિવસો વ્યતીત કરે છે, તેમ આ યુગલ અનેરા આનંદસાગરમાં મહાલતું હતું.
કેટલોક કાળ નિર્ગમન થતાં તેમને એક પુત્રની પ્રાપ્તિ થઇ, જેનું નામ પૃથ્વીચંદ્ર રાખવામાં આવ્યું.
પૃથ્વીચંદ્ર એ એક અસાધારણ ગુણ સંપન્ન આત્મા હતો. સર્વાર્થસિદ્ધ મહાવિમાનનાં દિવ્ય સુખોને ભોગવી એણે અહીં જન્મ લીધો હતો, જ્યારે આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે તેની જનનીએ સ્વપ્નમાં એક મહાન વિમાન જોયું હતું. પુત્રનો જન્મ થતાં કોને હર્ષ ન થાય? તેમાં ચ રાજાને ત્યાં જન્મ લેવો એ તો મહાન ભાગ્યની વાત ગણાય. મંગળ સૂર વાગવા લાગ્યાં. બાળકોને મેવામીઠાઇ વહેંચવામાં આવી, ચાચકોને છૂટે હાથે દાન દેવામાં આવ્યા, હજારો લાખ્ખોનાં વધામણાની આપ-લે કરવામાં આવી, નગરને ધજાપતાકા અને તોરણોથી શણગારવામાં આવ્યું, સમસ્ત નગરમાં મહામહોત્સવ મંડાણો અને ભારે ખુશી મનાવવામાં આવી.
બીજના ચંદ્રની જેમ કુમાર પૃથ્વીચંદ્ર ક્રમે ક્રમે વૃદ્ધિ પામે છે. વિવિધ વિદ્યાવિશારદ બને છે, વિપુલકળામાં પ્રવીણતા પ્રાપ્ત કરે છે અને વ્યવહારમાં દક્ષ બને છે.
એની મુખાકૃતિમાં કોઇ અનોખી પ્રતિભા ભાસે છે. એ ધીર અને ગંભીર જણાય છે. એની શાંત મુખમુદ્રા જાણે કોઇ અગોચર ધ્યાન કરતી હોય તેવી મનોરમ અને સૌમ્ય લાગે છે. મનુષ્યલોકમાં જાણે ભૂલો પડ્યો હોય તેમ-તેનો ચહેરો કહી આપે છે. એને મન બધું સૂનમૂન લાગે છે. એનું હૃદય પોકારી ઉઠ્યું કે આ સંસારમાં આપણું કામ નહિ! એ એકલો અટુલો વિરાગી સંતની જેમ પોતાનામાં મસ્ત છે!
ખરેખર! સંસ્કારી આત્માઓ છૂપા રહેતા નથી. હીરો પોતાની મેળે ઝળકી ઉઠે તેમ કુમાર પૃથ્વીચંદ્ર પણ પોતાના વિશિષ્ટ ગુણોથી ઝબુકી ઉઠ્યો.
માત-પિતા પુત્રની આવી રીતભાત નિહાળી અત્યંત વિસ્મય પામ્યા અને વિચારમાં પડી ગયા. કુમાર કેમ કંઇ કોઇની સાથે આલાપ સંલાપ કરતો નથી, પ્રીતિ સ્નેહ દર્શાવતો નથી. અને આમ અતડો રહે છે? સુનમુન રહેવાનું શું કારણ? આપણે ત્યાં શી કમી છે?
પુત્ર વ્યવહાર-કાર્યોમાં ગુંથાય અને રસમય જીવન જીવે એ માટે તેમણે લગ્ન સંબંધ જોડવાનો વિચાર કર્યો. કુમાર જો લગ્ન ગ્રંથિથી જોડાશે તો એની આ સૂનમૂનતા, એકાકીપણું અને અતડાપણું આપોઆપ ટળી જશે, આમ નિર્ણય કરી
199
Page #224
--------------------------------------------------------------------------
________________
માતાપિતાએ પુત્રને લગ્નની વાત કરી. પુત્રે કહ્યું કે મારે લગ્ન કરવા નથી. ભોગ એ રોગનું ઘર છે, જન્મ જન્મમાં ભોગ ભોગવવા છતાંય તેમાં તૃપ્તિ થતી નથી. આત્માને નવું ને નવું લાગે છે. ખરેખર! તે ઝાંઝવાનાં નીર જેવા કાલ્પનિક અને તુચ્છ છે, તેના પ્રતાપે આત્મા હજારો વર્ષો સુધી નારકીનાં ઘોર દુઃખો વહોરી લે છે માટે એવા લગ્નથી સર્યું.
છતાંય માતાપિતાએ મોહવશ પુત્રનાં લગ્નની તૈયારી કરી અને તે માટે જયપુરના રાજા વિજયદેવની આઠ કન્યાઓની માંગણી કરી. અને તેમણે પણ એ માગણીનો સ્વીકાર કર્યો, તેમજ બીજા એક પૃથ્વી પતિની કનકવતી આદિ આઠ કન્યાઓ પણ વિવિધ વાહન આદિ સામગ્રી સાથે ત્યાં આવી પહોંચી.
રાજાને ત્યાં લગ્નનો ઉત્સવ ઉજવાય પછી પૂછવું શું? સમસ્ત નગર આનંદ સાગરમાં મગ્ન બન્યું. કુમારને સોળ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવવામાં આવ્યું.
આ બધું મોહનું તાંડવ નિહાળી પૃથ્વીચંદ્ર વિચારે છેઃ “અહાહા !મોહની લીલા કેવી અજબ છે! તેને માટે મહાપુરૂષોએ કહ્યું છે કે
સળં વિલવીય ગીયું, સવું ન વિડંબણા છે સવ્વ આભરણા ભારા,
સબે કામા દુહાવતા છે આ મીઠા, મધુર, મનમોહક ગીતો એ ગીતો નથી પણ વિલાપ છે. વિવધિ નૃત્ય એ તો આત્માની એક જાતની વિડંબના છે. શરીરને શણગારના આ આભરણ અને અલંકારો ખરેખર ભારભૂત છે. અને આ કામ-ભોગની સકલ સામગ્રી આપદ-વિપદ સમી છે. આમ વૈરાગ્ય રંગથી રંગાયેલા પૃથ્વીચંદ્ર અગમનિગમ વિચારમાં ચઢે છે. બીજી બાજુ સોળે સુંદરીઓ શણગાર સજી પોતાના પ્રાણપ્યારા પ્રિયતમને પ્રેમરસથી તરબોળ કરવા અવનવા ઉપાયો અજમાવે છે.
પૃથ્વીચંદ્રકુમાર સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં મોહનું અદ્ભુત નાટક શરૂ થાય છે. અપ્સરાના રુપને શરમાવે તેવી રૂપાળી મનોહર સોળ યુવતીઓએ અવનવા અલંકારો અને શણગારો સજ્યા છે, પ્રાણનાથને પ્રસન્ન કરવા સો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેમનો એ પ્રયત્ન નિષ્ફળ નીવડે છે.
પૃથ્વીચંદ્રકુમાર આત્મધ્યાનમાં મગ્ન છે, ઉદાસીન ભાવમાં આરૂઢ થયા છે. ભલભલા વિરાગી મહાત્માઓ પણ રાગની આગમાં ખાખ થઈ ગયા સાંભળ્યા છે.
200
Page #225
--------------------------------------------------------------------------
________________
ત્યાં કુમાર શી વિસાતમાં? રાગની ભડભડતી આગ જ્યાં ભભૂકી રહી હોય ત્યાં વિરાગનાં તૃણને ભસ્મ થતાં શી વાર!
રંગરાગથી ભભકતો ભવ્ય રાજમહેલ, યુવાનીનો ઉન્માદ પ્રણયરસભરપૂર વાતાવરણ, સંગીતની રમઝટ, આંખને આંજી દે તેવા મનમોહક દશ્યો, સુવાસથી મધમધતા ને તાજગી ભર્યાં સાધનો, અને હૈયાનાં તારને હલાવી મૂકે તેવું અદ્ભૂત સૌંદર્ય! આવા રંગ રાગના જ્વલંત વાતાવરણમાં પણ અણનમ રહેવું. વિરાગને ટકાવવો એ તો સિંહના મુખમાં હાથ નાખવા બરાબર કઠીન અને કપરૂં કાર્ય છે.
વિષયભોગના પિપાસુ આત્માઓ વિષયભોગ માટે જ્યાં ત્યાં વલખાં મારે છે, આમ તેમ ભમે છે અને આર્તધ્યાનમાં પાગલની જેમ પડી રહે છે, દારૂપાન કરનારની જે દશા થાય છે, તેથી પણ બૂરી દશા વિષયાસક્ત આત્માઓની જોવામાં આવે છે. કહ્યું છે કેઃ
ભિક્ષાશનં તદપિ નીરસમેકવાર
શય્યા ચ ભૂઃ પરિજનો નિજદેહમાત્ર ।
વસ્ત્ર ચ જીર્ણ શતખંડમચી ચ કન્થા, હા! હા ! તથાપિ વિષયા ન પરિત્યજન્તિ !!
ભોજન નીરસ અને એકવાર અને તે પણ ભીખ માંગીને કરે છે, અને રહેવા સૂવા માટે મકાન તો શું પણ તૂટી ફૂટી ઝુંપડીનું પણ ઠેકાણું નથી! પહેરવા માટે સુંદર વસ્ત્રો તો દૂર રહ્યા પણ ગાભાના ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પણ પૂરા અંગ ઢાંકવા નથી. આવી સ્થિતિમાં પણ આત્મા વિષયભોગને છોડી શકતો નથી એ કેટલું આશ્ચર્યજનક છે!
પરંતુ જેના આત્મામાં ઉત્તમોત્તમ સંસ્કાર ઠાંસી ઠાંસીને ભર્યા છે, જે યોગવિભૂતિ છે, જેઓ વિષયોને ઝેર સમા ગણે છે, એવા આત્માની વિરાગની એક જ્વલંત ચિનગારી કામ રાગના કાષ્ટને બાળવામાં સમર્થ નીવડે છે.
કુમારને સંસાર નીરસ લાગે છે, એના હૃદયના તાર વૈરાગ્યરંગથી રંગાઇ ગયેલા છે અને તે આત્મામાં ઓતપ્રોત બની ગયો છે.
સ્ત્રીઓ એને મોહપાશનાં બંધનમાં ન બાંધી શકી. સ્ત્રીઓને અનુકૂળ બનવું તો દૂર રહ્યું, પણ સૌ કુમારને અનુકૂળ બની ગઇ અને પોતાનાં અહોભાગ્ય સમજવા લાગી કે અમને આવો ઉત્તમ વર મળ્યો.
જેમણે પરમાર્થ જાણી લીધો છે કે-વિષયો એ ત્યાજ્ય છે અને ચારિત્ર એ ઉપાદેય છે, તેમના હૃદયમાં વૈરાગ્ય વસ્યા વિના કેમ રહે? તાત્પર્ય કે બધી સ્ત્રીઓ વૈરાગ્યથી
201
Page #226
--------------------------------------------------------------------------
________________
વાસિત બની પોતાના ધનભાગ્ય સમજવા લાગી.
પૃથ્વીચંદ્રના માતાપિતા એમ સમજતા હતા કે કુમાર લગ્નગ્રંથીથી જોડાયા પછી મોહાધીન, વિષયાધીન અને સંસારાસક્ત થઈ સ્ત્રીઓના મોહમાં પડી જશે. પણ તેઓ સમજી ગયા કે બધી સ્ત્રીઓ તો ઉલટી કુમારને વશ થઈ ગઈ છે, એનું ગાયું ગાય છે, એને અનુકૂળ બની ગઈ છે. એટલે તેઓ વિચારમાં પડ્યા: “હવે શું કરવું? હવે તો એને જલ્દી રાજગાદી આપવી જોઈએ. રાજકાજમાં ગુંથાશે તો કુમારની આ સૂનમૂનતા ટળી જશે.”
પુત્રની ઈચ્છા ન હોવા છતાં પિતાએ દઢ આગ્રહ કરી પુત્રને રાજગાદી અર્પણ કરી. પૃથ્વીચંદ્ર રાજા બન્યા, પરંતુ જેમ કમળ કીચડમાં પેદા થાય, પાણીમાં વધે અને બંનેને ત્યજી ઉપર આવીને રહે, તેમ કુમાર પણ જળમાં કમળની જેમ નિર્લેપ રહે છે. એને કોઈ વસ્તુ લોભાવી શકતી નથી. અમૃતને ઢોળીને વિષપાન કોણ કરે? રત્નોની ખાણમાંથી કાંકર કોણ ભરે? આ માનવભવ રત્નની ખાણ છે. એમાં વિષયના કાંકરા ભરવાના ન હોય! આત્માને અધ્યાત્મ રંગે રંગી નિજગુણને વિકસાવવાના હોય!
પૃથ્વીચંદ્રકુમારનાં રાજ્યારોહણ પછી સમસ્ત પ્રજા ધર્મકર્મમાં રત બનવા લાગી. આ નૂતન રાજવીએ અમારી પડહ વગડાવ્યો તથા પ્રજાને કર મુક્ત કરી બીજાં કષ્ટો પણ દૂર કર્યા, એટલે પ્રજાજનો પણ ભારે સંતુષ્ટ બન્યા. સાત વ્યસનને દેશવટો આપવામાં આવ્યો. વિકથાઓને વર્જી ધર્મકથામય વાતાવરણ સર્વત્ર ફેલાયું. “યથા રાજા તથા પ્રજા” એ ઉક્તિ ચરિતાર્થ થઇ.
રાજા પ્રજા સૌ આનંદમગ્ન બન્યા. મહારાજા વૈરાગ્ય ભાવના ભાવે છે; અલિપ્ત અને નિર્લેપ થઈ રાજ્યની ધુરાને વહન કરે છે અને ક્યારે સદ્ગુરુનો સંયોગ મળે અને તેના સાનિધ્યમાં આત્મકલ્યાણ કરું, એવી ભાવના ભાવી રહ્યા છે.
રાજસભા ભરાઇ છે, મહારાજા સિંહાસન પર બિરાજ્યા છે. ત્યાં દ્વારપાળે વિનંતિ કરી; “પ્રભો! દૂર દેશથી સુધન નામનો વ્યાપારી આપનાં દર્શન માટે ઉત્સુક છે, આપની આજ્ઞાની જ વાર છે.” રાજાએ હુકમ કર્યો: “એને આવવા દ્યો.' સુધન રાજસભામાં પ્રવેશ કરે છે, રાજાને પ્રણામ કરે છે. રાજા તેને પૂછે છેઃ “કેમ શેઠ? કંઈ નવીન છે? ત્યારે વ્યાપારી સુધન જણાવે છે કે “રાજ! આ જગતમાં અનેક કૌતુકો મેં જોયા છે પણ ન દીઠું, ન સાંભળ્યું ભારે કૌતુક મેં નજરે જોયું છે. મહારાજ ! શું વર્ણન કરું! કૌતુક તો મેં ઘણાય જોયાં, પણ આ તો ભારે આશ્ચર્યની વાત છે. યાદ આવે છે અને રૂંવાડા ખડા થાય છે.” સુધનની વાત કર્ણગોચર કરી રાજા અને પ્રજા સી વિસ્મય પામ્યા, સૌની ઉત્કંઠા વધી પડી અને સુધનની સામે નિર્નિમેષ દૃષ્ટિથી સૌ આતુર બનીને આલોકવા લાગ્યા.
202
Page #227
--------------------------------------------------------------------------
________________
સુધન બનેલી હકીકત અને કૌતુકનું વર્ણન કરતાં જણાવે છે: “મહારાજ! કુરુદેશના વિભૂષણ સમી ઋદ્ધિ સિદ્ધિથી છલોછલ ભરેલી હસ્તિનાપુર નામની નગરીથી હું અહીં આવી રહ્યો છું. ત્યાં રત્નસંચય નામના મહાન ધર્માત્મા શ્રેષ્ઠી રહે છે. તેમને લક્ષ્મીના અવતાર સમી સુમંગલા નામની સ્ત્રી છે. તેમને ત્યાં પુણ્યનિધાન એવા એક પુત્રનો જન્મ થયો, જેનું નામ ગુણસાગર પાડવામાં આવ્યું. ખરેખર! તે ગુણનો સાગર હતો.
તેની માતાએ સ્વપ્નમાં એક શ્રેષ્ઠ સાગરનું પાન કર્યું, તેથી તેને અનુરૂપ એનું ગુણસાગર એવું નામ પાડવામાં આવ્યું. ખરેખર! એ ગુણનો સાગર જ છે. લાલન પાલન કરાતો એ મોટો થયો, અને એને યુવાનીમાં પગરણ માંડ્યા. જેમ અલંકારથી શરીર શોભી ઉઠે, તેમ એ અવનવી વિદ્યાથી વિભૂષિત બન્યો, અને પ્રૌઢ કળાનો સ્વામી બન્યો.
યુવાની માણસને ઉન્મત્ત બનાવે છે, પરંતુ ગુણસાગરમાં એ વિકૃતિ પ્રકૃતિથી જ નહોતી. જેમ કમળ પાણીથી ન લેપાય તેમ આ સ્ત્રીઓના હાવ, ભાવ, કટાક્ષ અને વિભ્રમથી જરાય લેપાયો ન હતો. એ સંસ્કારી અને આધ્યાત્મપ્રિય હતો.
તે જ નગરમાં એક મહાન શ્રીમંત રહેતો હતો. ઋદ્ધિ-સિદ્ધિ તો તેનાં પગમાં આળોટતી હતી. તેમને આઠ કન્યાઓ હતી. જાણે સ્વર્ગપુરીની પરીઓ જોઈ લ્યો! તે કન્યાઓએ એક વખત રાજમાર્ગથી પસાર થતાં ગુણસાગરને જોયો અને તેના રૂપમાં સૌ મુગ્ધ બની. કુમાર જેમ ગુણસંપન્ન હતો, તેમ રૂપસંપન્ન પણ હતો. આવા સૌભાગ્યશાળી કુમારને નિહાળી તેઓ કામાતુર બની. જાણે મદને બાણ માર્યું હોય તેમ તેમનાં હદય કામબાણથી વીંધાઈ ગયાં. સૌ આકુળ-વ્યાકુળ બની અને એમણે મનથી નિશ્ચય કર્યો કે આપણે આની સાથે જ લગ્ન કરવાં. એ વાત જાણી માતપિતાને ઘણી ખુશી થઇ કે કુમારિકાઓનો રાગ યોગ્ય સ્થાને છે. કન્યાઓનાં માતાપિતાએ રત્નસંચય શેઠને વાત કરી. રત્નસંચય શેઠ પણ તેમની વાત શ્રવણ કરી પ્રસન્ન થયા કે દૂધ અને સાકરની જેમ બન્નેનો યોગ યોગ્ય છે.
રત્નસંચય શેઠે માગણીનો સ્વીકાર કર્યો. આમ આઠ કન્યા સાથે ગુણસાગરના વિવાહ કરવામાં આવ્યા. અને પાન બીડા આપવામાં આવ્યા.
કુમાર ગુણસાગર રાજમહેલના ઝરૂખામાં ઊભો ઊભો ચારે કોર નજર ફેરવે છે. આમ દષ્ટિપાત કરતાં કુમારે એક ટ્વેત વસ્ત્રધારી સાધુ મુનિરાજને જોયા અને તેનું ચિત્ત વિચાર વમળમાં પડ્યું. તે ઉહાપોહ કરવા લાગ્યો અને તે જ ક્ષણે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આમ પૂર્વભવનું જ્ઞાન થતાં જ હાથમાં રહેલ નિર્મળ જળ જેમ સ્પષ્ટ દેખાય તેમ તે પોતાના પૂર્વભવને નિહાળવા લાગ્યો અને તે જ ક્ષણે
203
Page #228
--------------------------------------------------------------------------
________________
તેને મૂર્છા આવી. અકસ્માત પુત્રની આ સ્થિતિ નીહાળી માતાપિતા ભારે વિષાદમાં પડ્યા. ચંદનનો લેપ કરવામાં આવ્યો. શીતળ જળનાં છાંટણાં નાખવામાં આવ્યાં અને સેવકો પંખાથી પવન નાંખવા લાગ્યા. થોડીવારમાં ચેતના આવી. પિતાએ પૂછ્યું: ‘કેમ? પુત્ર! શું થયું? તારું ચિત્ત શું કાંઈ બીજે ચોંટ્યું છે? શું થયું, તે તું જલ્દી કહે, અમે તારા સર્વ મનોરથ પૂર્ણ કરવા તૈયાર છીએ. તારી જે ઈચ્છા હોય તે તું સત્વર પ્રકાશ.”
ત્યારે ગુણસાગરે જણાવ્યું: “પિતાજી, મારી કશી જ ઇચ્છા નથી. મને કોઇની સાથે રાગ નથી. મારું દિલ ત્યાગ તરફ આકર્ષાયું છે, ભોગો તો જન્મ જન્મમાં ભોગવ્યા છે, છતાં તૃપ્તિ થઈ નથી, પૂર્વભવે હું દેવ હતો ત્યાં પણ એ બધી સામગ્રી મળી હતી, પણ ત્યાં કામના પૂરી ન થઈ તો આ નાનકડાં જીવનમાં કયાં થવાની છે? મારા ચિત્તને હવે દેવભોગો કે મનુષ્યના ભોગો કોઈ પણ રીતે ડોલાવી શકે તેમ નથી. મારી ઇચ્છા સંસારનાં બંધનોને ફગાવી, ચારિત્ર ગ્રહણ કરવાની છે, માટે આપ મને આજ્ઞા આપો. પૂર્વભવમાં પણ મેં ચારિત્રનું પાલન કર્યું છે. એકવાર જેણે આ અધ્યાત્મરસનું પાન કર્યું છે, તેને જ તે પુનઃ પાન કરવાની અભિલાષા પ્રગટે છે. મારી એકેક ક્ષણ પણ મોંઘેરી વીતી રહી છે, આપ વિલંબ ન કરો.”
પુત્રની આ વાત સાંભળતાં પિતાએ પ્રત્યુત્તર આપ્યો કે “પુત્ર! તરુણવય એ ભોગને યોગ્ય વય છે. એટલે હમણાં લગ્ન કરી લે પછી તું દીક્ષા લઇ શકે છે!”
પિતાની વાત સાંભળી ગુણ સાગરે જવાબ આપ્યો: “પિતાજી ! ધર્મથી જે સુખની પ્રાપ્તિ થાય છે તે કામભોગથી થતી નથી. પરમાનન્દનો આસ્વાદ જેણે ચાખ્યો નથી, તેઓ જ ‘વિષય પર્વ રમીયઃ' વિષયને જ રમણીય, સુંદર અને મનોહર માને છે. જેણે ઘી કદી જોયું જ નથી, તે જ તેલના ગુણ ગાય છે. જેણે ઘેબર ખાધા નથી, તે જ ઘેસને બહુ ઊંચું ભોજન માને છે. પણ મેં તો આનો સ્વાદ ચાખેલો છે, એટલે આ બધી વસ્તુ મને તુચ્છ લાગે છે, નિઃસ્સાર લાગે છે, માટે આપ જલ્દી મને પ્રવ્રજ્યાની અનુમતિ આપો.
પિતા સમજી ગયા કે પુત્ર દેઢ નિશ્ચયી છે, વૈરાગી છે, ગમે તેટલા લોભામણાં સાધનો પણ એને લોભાવી શકવાનાં નથી. ત્યારબાદ ગુણસાગરની માતા આંખમાં આંસુ સારતી ગદ્ ગદ્ ઉચ્ચારે છેઃ “બેટા! “પાકેલાં ફળની જેમ મારું હૃદય તારા વગર ફાટી જશે અને મારા પ્રાણ ચાલ્યા જશે, માટે મારા મનના કોડ તું પૂર્ણ કર.” આમ ઘણો જ આલાપ-સંલાપ થાય છે. પુત્રને પોતાના નિશ્ચયમાં અડગ જાણી છેલ્લે માતાએ પ્રાર્થના કરી કે તારા લગ્ન કરીને તારી નવવધૂઓનાં મુખ મને જોવા દે, પછી ભલે તું દીક્ષા લેજે.' બસ આટલી ઇચ્છા તું પૂર્ણ કર.
204
Page #229
--------------------------------------------------------------------------
________________
માતા તારા કહેવાથી હું લગ્ન કરું પણ લગ્ન કર્યા પછી સ્ત્રીઓ કહશે કે દીક્ષા લેવી હતી, તો લગ્ન શા માટે કર્યા? માટે તેમને સ્પષ્ટ હકીકત જણાવી દો કે અમારો પુત્ર લગ્ન કર્યા પછી બીજે જ દિવસે દીક્ષા લેશે. કોઈને અંધારામાં રાખવાની જરૂર નથી.
આમ આઠે કન્યાના માતાપિતાને એ વાતથી વાકેફ કરવામાં આવ્યા કે અમારો પુત્ર લગ્નના બીજે જ દિવસે દીક્ષા ગ્રહણ કરશે. તમારી ઈચ્છા હોય તો લગ્નનું કહેણ સ્વીકારો. આ સાંભળી આઠે કન્યાનાં મા-બાપ વિચારમાં પડ્યા. ચિંતા સાગરમાં ડૂબી ગયા. જો દીક્ષા જ લેવાના હોય તો પછી વિવાહ કરવાનો કંઈ અર્થ નથી, છતાં પુત્રીઓને પુછી જોઇએ. પુત્રીઓને પુછતાં તેમણે જણાવ્યું કે “પિતાજી! અમારા નાથ જે કરશે તે અમને સંમત છે. પરંતુ અમારાં લગ્ન તો તેમની સાથે જ થશે. ભલે, તેઓ દીક્ષા લે, અમે પણ પતિના માર્ગે સંચરીશું. પતિ અમારા દેવ છે. એમની પાછળ ચાલવું એ જ અમારી ફરજ છે. પુત્રીઓના માબાપે વિચાર્યું કે પુત્રીઓ જ્યારે વિવાહ કરવા તૈયાર છે, તો બીજો વિચાર કરવાની જરૂર નથી. તેમણે આ નિર્ણય ગુણસાગરનાં માતાપિતાને જણાવી દીધો, લગ્ન-મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ. ભેરીભૂંગળ વાગવા લાગ્યા. શરણાઈના સૂર સંભળાવા લાગ્યા, આઠે કન્યાઓ હર્ષના હિલોળે ચઢી,
વરરાજા ગુણસાગર ઘોડે ચઢ્યા છે, વિવિધ વાજીંત્રો વાગી રહ્યા છે. અગણિત માનવમહેરામણ ઉભરાયો છે. શું ઠાઠ, શું ઉત્સાહ! શું વરઘોડો! તરહતરહની લોકવાયકા ચાલે છે.
ગુણસાગરનો વરઘોડો આગળ વધે છે, તેમ તેની ભાવના પણ આગળ વધી રહી છે. તે ધર્મધ્યાનની શુભ શ્રેણીમાં ચઢી રહ્યો છે, લગ્નના વરઘોડે પણ અધ્યાત્મરસથી તરબોળ બની ગયો છે. જોતજોતામાં વરઘોડો માંડવા આગળ આવી પહોંચ્યો. તોરણદ્વારે વરરાજા ઊભા છે. પોંખી લેવાની તૈયારી છે.
આઠે કન્યાઓએ અવનવા શણગાર સજ્યા છે અને ભારે ધામધૂમ મચી છે.
એક બાજુ ધવલમંગળ ગીતોની રમઝટ જામી છે, બીજી બાજુ મધુર અને મંજુલ વાદ્યધ્વનિ થઈ રહ્યો છે. મોટા મોટા ભટજી વરને મંગળ આશીર્વાદ આપી રહ્યા છે અને હર્ષના આવેશમાં જાણે સિંહનાદ થતો હોય તેમ ઊંચેથી મંગળ ધ્વનિ કરે છે. આ અવસરે ગુણસાગર પર તમામ વિવાદસામગ્રીને તત્ત્વવૃત્તિથી વિચારે છેઃ “અહો! આ પરસ્પર વેવાઇઓ-વૈવાહિકા કહેવાય છે, તે બરાબર છે. વૈ એટલે નિશ્ચય કરીને વાહનાત્ એટલે વહન કરાવે છે, મતલબ કે સંસાર સમુદ્રમાં પાડનારા હોવાથી ખરેખર તેઓ વૈવાહિક કહેવાય છે.
205
Page #230
--------------------------------------------------------------------------
________________
અને આ સોપારીની પરસ્પર ફેરબદલી કરવામાં આવે છે, તેથી હવે પુણ્યનું પાપમાં આરોપણ થાય છે અને આ શકોરાને ફોડવાથી આજથી ધર્મરૂપ મંગળ ભગ્ન થાય છે.અને હવે અધર્મની શરૂઆત થવાની. વળી માળા ખેંચે છે એટલે વાસ્તવમાં અપરાધ કરનારનું અપમાન કરવામાં આવે છે. બાણથી પોંખવામાં આવે છે, તે એમ સૂચવે છે કે-હવે જીવહિંસા અને આરંભ સમારંભ વધવાનો. બીજા પોંખણામાં મુશળ હોય છે તે એમ જણાવે છે કે હવે ભારે આરંભથી જીવોની હિંસા થવાની અને યુગનુંધોંસરીનું પોંખણું એ બતાવે છે કે અત્યારથી જ તમારા ઉપર ભાર લાદવામાં આવે છે.
કર્મરુપી સૂત્રને હવે કાંતવાનું છે. આ ચારે પોંખણાનો આધ્યાત્મિક વિચાર કર્યા પછી માયરામાં પ્રવેશ થાય છે. ખરેખર! આ માચરૂં નહિ પણ માયાગૃહ છે, એ વાત ખોટી નથી, અને ચોરીમાં ચાર ફેરા ફરવામાં આવે છે તે તે ચાર ગતિમાં ભ્રમણ ચાલુ જ રહેશે એમ કહી આપે છે. અને રાત્રિના સમયે એક બીજાના મુખનો એંઠો કંસાર ખાવામાં આવે છે, તે તો લજ્જાસ્પદ અને આચારભ્રષ્ટતા દર્શાવે છે. કોરાં વસ્ત્ર પહેરવાથી આજથી જ પવિત્રતા હવે દૂર ગઇ.
આમ અલૌકિક વિચારતંરગો ઉછળી રહ્યા છે, અને તે સંવેગ રસના રંગમાં ઝીલી રહ્યો છે,
ભટ્ટ મહારાજ ‘પુણ્યાહં પુણ્યાહં’ આજનો દિવસ પવિત્ર છે, પવિત્ર છે, ‘સાવધાન’ એમ ઉચ્ચ સ્વરે બોલે છે. તે પણ સત્ય જ છે. આટલા દિવસ તો પુણ્યના જ હતા. હવે લગ્નની શરૂઆત પછી પાપના દિવસોની શરૂઆત થઇ રહી છે, માટે ભટજી કહે છે: ‘સાવધાન! સાવધાન! સાવધ રહો, સાવધ રહો! અને અહીથી ભાગી જાવ, આમ કહેવા છતાં આ સંસારી આત્માઓ, મહામોહી આત્માઓ આના અર્થને સમજતા નથી. ખરેખર અજ્ઞાન છે. ‘અજ્ઞાનં વસ્તુ ષ્ટમ્।।' વિચારધારા આગળ વધે છે કે હવે તો હું સંયમ લઇને પાપ કર્મને દૂર કરીશ, તપ જપમાં તલ્લીન બની પાપમળને પખાળીશ. એમ સવેંગરંગની ઊંચી ભાવનામાં ચઢે છે, ક્ષપકશ્રેણિ પર આરોહણ કરે છે. ભાવનાના તારે ઘાતિ કર્મના તારો તોડી નાંખે છે. તે જ ક્ષણે ચોરીમાં બેઠેલા ગુણસાગરને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાનનો મહોત્સવ ઉજવવા માટે દેવલોકમાંથી દેવોને દેવેન્દ્રો ઉતરી આવે છે. લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાય છે. અહો ! કુમાર કેટલો પુણ્યશાળી છે કે દેવો પણ તેના વિવાહ મહોત્સવમાં ઉતરી આવે છે.
નગરજનો પોતાનાં કાર્યો પડતાં મૂકી લગ્નની ધામધૂમ નિરખવા એકત્રિત થયા છે. વરવધૂનાં સૌંદર્યને નિહાળી સૌ મુકત કંઠે પ્રશંસાના પુષ્પોને વેરી રહ્યા છે. લોકો તરહ તરહની વાતો કરે છે. આવી રૂપાળી સ્ત્રીઓને ત્યજીને આ આવતી કાલે તો દીક્ષા લેવાનો છે. ખરેખર! આ મૂઢ છે. ત્યારે બીજી કહે છેઃ એના જેવો ધન્યવાદને
206
Page #231
--------------------------------------------------------------------------
________________
પાત્ર બીજો કોણ હોઇ શકે? આવી નવયુવાવસ્થામાં આવી કમનીય કામિનીઓને છોડીને દીક્ષા લે છે બલિહારી છે એની!”
કેટલીક સ્ત્રીઓ કહે છે: “આ સ્ત્રીઓ મૂઢ છે. કારણકે જે કાલે દીક્ષા લેવાનો છે, તેની સાથે લગ્ન કરે છે તેથી શું લાભ? શું સોનાની છરી કંઈ પેટમાં ભોંકાય ?” ત્યારે બીજી બોલી ઉઠે છે કે “આ સ્ત્રીઓ પણ કેટલી યોગ્ય અને ઉત્તમ છે કે પોતાનો પતિ દીક્ષા લેવાનો છે, છતાંય બીજાને ચાહતી નથી. એજ એમની ઉત્તમતા છે.”
આ તરફ ગુણસાગર વરની શાંત, દાંત, ધીર અને ગંભીર મુખમુદ્રા નિહાળી આઠેય કાંતાઓ વિચારે છે કે ધન્ય છે પતિદેવને કે જેઓ સમતારસમાં લીન બન્યા છે. આવા મહાન આત્મા શું આ સંસારમાં લેપાય ખરા! ખરેખર આપણે પણ ભાગ્યશાળી છીએ કે આવો ઉત્તમ મુક્તિગામી ભર્તા આપણને મળ્યો. આપણે પણ પતિ જે માર્ગે જશે તે જ માર્ગે સંચરી કલ્યાણ કરીશું અને જરૂર મુક્તિપદને મેળવીશું. સર્વ સ્ત્રીઓ ભાવનારસમાં ચઢે છે. અધ્યાત્મ શિખર મેળવીશું. સર્વ સ્ત્રીઓ ભાવનારસમાં ચઢે છે. અધ્યાત્મ શિખર ઉપર આરૂઢ થાય છે. ભાવનાના બળે ઘાતિકર્મનો ચૂરો કરી નાંખે છે અને ચોરીમાં ને ચોરીમાં સઘળી સ્ત્રીઓ કેવળજ્ઞાન પામે છે. આકાશમાં દેવદુદુભિ વાગે છે, સુગંધી જળ અને પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ થાય છે, દેવતાઓ કેવળજ્ઞાનના મહિમાને ઉજવવા માટે ગગનાંગણથી ઉતરી આવે છે. લોકો તો મોંમાં આંગળાં નાંખવા મંડ્યા અને બોલવા લાગ્યા કે લગ્ન મંડપમાં અરે! મહામોહના સામ્રાજ્યમાં કેવળજ્ઞાન? ધન્ય છે ધન્ય છે! એમ સી સ્ટેજે બોલી ઉઠે છે. વાત વાયુવેગે નગરમાં પ્રસરે છે. ત્યાંનો રાજા પણ આવી પહોંચે છે અને ત્રણ પ્રદક્ષિણા આપી કેવળજ્ઞાની પરમાત્માને વંદન કરે છે.
આ બધી હકીકત-પૃથ્વીચંદ્ર પૃથ્વી પતિની રાજસભામાં સુધન વ્યાપારી સંભળાવી રહ્યો છે અને આગળ જણાવે છે કે હું પણ વ્યાપારાર્થે પ્રયાણ કરી રહ્યો હતો, પણ મેં આ વાત સાંભળી એટલે ત્યાંથી હું પાછો ફર્યો અને નજરો નજર આ અભુત દૃશ્ય નિહાળ્યું, તેથી મારા રૂવાં ખડાં થઈ ગયાં. હું મનમાં વિચાર કરતો હતો કે શું આ કૌતુક છે કે સત્ય છે? તેટલામાં મારા મનના ભાવને જાણીને કેવળજ્ઞાની ગુણસાગર ભગવાન બોલી ઉઠયા કે અરે સુધન? અયોધ્યામાં આથી પણ વધારે આશ્ચર્ય તને જોવા મળશે. તેથી હું ત્યાંથી પ્રયાણ કરી એથી વધુ આશ્ચર્ય જોવા આપની સભામાં આવ્યો છું. આ નગરની નગરચર્યા અને અહીંનો વ્યવહાર જોઈ હું ઘણો વિસ્મય પામ્યો છું.
પૃથ્વીચંદ્ર મહારાજા ગુણસાગરના આ અદ્ભુત વર્ણનને શ્રવણ કરી ભાવના ભાવવા લાગ્યા કે ખરેખર હું-જ અભાગી છું. એ મહાત્મા મહામોહને જીતી કેવળ
207
Page #232
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીને વર્યા પણ હું ક્યારે દીક્ષા લઇને સદ્ગુરુની સેવા કરીશ? પર્વત પર ગિરિગુહામાં, શમશાનમાં કે શૂન્યાગારમાં કાર્યોત્સર્ગમાં તન્મય બની જ્યારે હું સમતા રસનું પાન કરીશ? તેમજ કયારેક હું તપ-જપ-ત્યાગમાં એકરસ બની, કેવળ લક્ષ્મીને પ્રગટાવીશ? આ રીતે તે અધ્યાત્મરસમાં તરબોળ બને છે. ભાવનારૂપ પવનના જોરે ઘનઘાતિ કર્મોનો ચૂરો થઈ જાય છે અને રાજસભામાં સિંહાસન ઉપર પૃથ્વી ચંદ્ર નૃપતિને કેવળ જ્ઞાન થાય છે. દેવો કેવળજ્ઞાનનો મહિમા ઉજવવા માટે અયોધ્યામાં આવે છે અને પૃથ્વી ચંદ્ર કેવળીને મુનિનો વેશ અર્પણ કરે છે. જનતામાં ભારે કુતૂહલ પેદા થાય છે. સૌ દિમૂઢ બની જાય છે. પૃથ્વીચંદ્રના માતા પિતા અને સઘળી નારીઓ ત્યાં આવી પહોંચે છે. મહારાજા પ્રચતાપ કરે છે કે આવા એક ઉત્તમ પુરૂષને મેં જબરજસ્તીથી સંસારની માયામાં લપેટવાનો વિચાર કર્યો! સ્ત્રીઓ પણ પોતાના ભાગ્યની પ્રશંસા કરે છે કે ખરેખર આપણે મહાપુણ્યશાળી કે આપણને આવો ઉત્તમ વર મળ્યો! કેવળી ભગવાન દેશના આપે છે, અનેકોને વૈરાગ્ય થાય છે અને અનેક આત્માઓ વ્રત-નિયમ અંગીકાર કરે છે.
દેશના બાદ પદ્માવતી દેવીએ સવિનય જણાવ્યું કે પ્રભો! અમે અહત ધર્મના ઉપાસક હોવા છતાં તમારા ઉપર આટલો ગાઢ સ્નેહ શાથી? જેથી અમે તમને દીક્ષા લેતાં અંતરાય કર્યો? આ સાંભળી કેવળી ભગવંતે જણાવ્યું કે પૂર્વ ભવે તમે મારા માતાપિતા હતા; તમારું નામ પ્રિયમતી હતું અને એમનું નામ જયંભૂપતિ હતું. અને હું તમારો કુસુમાયુધ નામનો પુત્ર હતો. પૂર્વભવે પણ ચારિત્રની આરાધના કરવાથી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં હું દેવ થયો હતો અને તમે પણ ત્યાં જ ઉત્પન્ન થયા હતા. પૂર્વભવનાં કારણે તમને મારા ઉપર સ્નેહ છે. આમ કેવળી ભગવંતના મુખથી પૂર્વભવના વર્ણન સાંભળતાં જ રાજા રાણીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ બાજુ તમામ સ્ત્રીઓ ઉત્તમ ભાવના ભાવે છે, વૈરાગ્યના રંગે ચઢે છે. અને ક્ષેપક શ્રેણી માંડે છે. તે જ ક્ષણે ચાર ઘાતી કર્મનો ચૂરો કરી નાંખે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ અલૌકિક ઘટનાથી અયોધ્યા નગરીમાં અપૂર્વ આનંદની છોળો ઉછળી રહી છે.
સુધન સાર્થવાહે ભગવંતને પૂછયું:- હે ભગવન્! ગુણસાગર અને તમારા બન્નેનો શું સંબંધ છે? ત્યારે તેના ઉત્તરમાં કેવલી ભગવાને જણાવ્યું કે-શંખ અને કલાવતીના ભવથી લઇને એકવીશ ભવનો અમારો સંબંધ છે. કેવલજ્ઞાનીની વાણી શ્રવણ કરી અનેક આત્માઓ સંવેગરંગથી રંગાયા. આ કથા ભાવધર્મની પ્રધાનતા દર્શાવે છે. આવા ઉત્તમ પુરૂષોના ચરિત્રો આત્માના ભાવદીપકને પ્રગટાવી કેવલ્યજ્યોતિને પ્રગટાવવા સમર્થ બને છે. આપણે પણ જ્યારે એ ઉત્તમ ભાવમાં આરૂઢ થઈ આત્માની અનેરી જ્યોતને પ્રગટ કરવા સમર્થ બનીએ, એ અભિલાષા સાથે આ પુણ્યપુરૂષનું જીવન ચરિત્ર અહીં પૂર્ણ કરીએ છીએ.
208
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૨મી સદી વિ.સં.૧૧૭૦
ભવભાવના પ્રકરણ ભાગ-૧-૨
આ ગ્રંથમાં અનિત્યાદિ બાર ભાવનાઓનું વર્ણન છે. પણ સંસાર ભાવનાનું વર્ણન વિસ્તારથી હોવાથી આ ગ્રંથનું નામ ભવભાવના છે.
મહામહિમ શાસ્ત્રકાર પરમર્ષિ મલધારી પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ ચારેય ગતિના દારૂણ દુઃખનો ચિતાર ‘ભવભાવના' ગ્રંથમાં સૂત્ર સહિત ટીકા સાથે રજૂ કર્યો છે. આ ગ્રંથનું સર્જન કરીને આપણા જેવા સંસાર રસિક આત્માઓનો સંસાર પ્રત્યેનો રસ નીચોવી નાંખ્યો છે.
આ ગ્રંથ મૂળ પ્રાકૃત ભાષામાં છે. પાંચસો એકત્રીશ ગાથારૂપી વિચિત્ર રત્નોથી સૂત્રને અનુગત એવી આ શ્રેષ્ઠ રત્નમાળા રચાઇ છે. આ ગ્રંથ ભણનારા સમસ્ત જનના કંઠ અને હૃદયનું આભુષણરૂપ હોવાથી રત્નાવલી સમાન છે. ગ્રંથ ઉપર સંસ્કૃત ટીકા છે. ટીકામાં આવેલી કથાઓ મોટા ભાગે પ્રાકૃતમાં અને ક્યાંક ક્યાંક સંસ્કૃત ભાષામાં
છે.
સૂત્ર સહિત ટીકા રચવાની શરૂઆત કરાઇ અને તેઓ વડે જ વિક્રમ પછી ૧૧૭૦ વર્ષ ગયા ત્યારે શ્રાવણ મહિનાની પાંચમે રવિવારે પૂર્ણ થઇ. પ્રત્યેક અક્ષરની ગણતરી કરીએ તો આ ગ્રંથ ૧૨૯૫૦ અનુષ્ટુપ શ્લોક પ્રમાણ થાય છે.
આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજયરાજશેખર સૂરીશ્વરના શિષ્યરત્ન ફર્મ સાહિત્ય સર્જક પ.પૂ.આ.ભ.ના શિષ્ય પૂ.મૂનિરાજ શ્રી સુમતિશેખરવિજય વડે થયું છે.
મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિ જીવન ઝલકઃ
આચાર્ય અભયદેવસૂરિના ઉપદેશથી તેઓ વૈરાગ્ય પામ્યા. સુખ સાહ્યબી અને મંત્રીપદ છોડી દીક્ષા લીધી. તેઓ વધુ પ્રમાણમાં ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા’નું વ્યાખ્યાન આપતાં. ત્યારથી જ એ કથા વધુ પ્રચલિત બની. રાજા સિધ્ધરાજ જયસિંહ તેમનાં વ્યાખ્યાન સાંભળતો અને અવારનવાર તેમનાં દર્શન માટે આવતો. એકવાર તેણે આચાર્યને પોતાના રાજમહેલમાં પધરાવ્યા. ત્રણવાર આરતી ઉતારી પંચાગ નમસ્કાર કર્યા તેમજ ચાર પ્રકારનો આહાર વ્હોરાવ્યો.
આચાર્યશ્રી એ ઘણી ધર્મ પ્રભાવના કરી અને લગભગ ૧ લાખ શ્લોક પ્રમાણ ગ્રંથોની રચના કરેલી છે. આચાર્ય સાત દિવસનું અનશન કરી પાટણમાં સ્વર્ગે ગયા.
209
Page #234
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી પં શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિધ્ધ હતા તેઓશ્રીના વસ્ત્રો અને શરીર બહુજ મલિન રહેતા હોવાથી મલધારી તરીકે ઓળખાયા. આ ગ્રંથમાં ભાગ-૧માં આવતા ચરિત્રોનું પરિશિષ્ટ - શ્રી નેમિજિન ચરિત્ર (ધન-ધનવતી ભવનું વર્ણન). પાના નં-૧૦ થી ર૬ ચિત્રગતિ ભવનું વર્ણન, સુગ્રીવકુમારની કથા રત્નાવતી સાથે લગ્ન આદિ...
પાના નં-૩ર થી ૪૪ અપરાજિત ભવનું વર્ણન-પ્રીતિમતિ-અપરાજિતનું જીવન વૃતાંત
પાના નં-૪૬ થી ૨૯ શંખકુમાર ભવવર્ણન યશોમતી સાથેનું જીવન આદિ પાના નં-૬૩ થી ૭૫
કંસ, વસુદેવ, કૃષ્ણ, નેમનાથ ભગવાનના જીવનના પ્રસંગો, કૃષ્ણની સમકિત પ્રાપ્તિ, રૂદન, તેમનો વધ, નરકગમન, બળદેવનો શોક, પાંડવોને મોક્ષગમન, બલિનરેન્દ્ર કથા આદિ (પાના નં-૮થી ૧૯૭) આવે છે.
ભવભાવના ગ્રંથ ભાગ-૨ આ ગ્રંથમાં નીચેના કથાનકો આવે છે. કૌશાંબી પુરી રાજાનું કથાનક (પાના નં-૪) સોમચંદ્ર કથા
(પાના નં-૧૨) નંદનપતિ કથા
(પાના નં-૧૮) કુંચિકર્ણ કથા
(પાના નં-ર૦) તિલક શ્રેષ્ઠી કથા
(પા-૨૧), સગર ચકી કથા
(પા-ર૬) ગજપુર રાજપુત્ર કથા
(પ-ર૬) મધુનૃપતિ કથા
(પા-૩૧) ધનશ્રેષ્ઠી કથા
(પા-૩૭) ભીમકૂપ કથા
(પા-૭૬) કુંજર રાજાની કથા
(પ-૮૦) અદાલની કથા
(પા-૮૨) ધનપ્રિય વણિક કથા
(પી-૮૮) પ્રિયંગુ વણિક કથા
(પા-૯૧) ધનદેવ શ્રેષ્ઠી વૃષભ કથા (પા-૯૫)
210
Page #235
--------------------------------------------------------------------------
________________
કંબલ શંબલ વૃષભ કથા ક્ષુલ્લક કથા સમુદ્ર વણિક કથા અંગાર મર્દક (અભવ્ય) કથા મધુવિઝ કથા પુષ્પચૂલ કુમાર કથા શ્રરાજ પુત્ર કથા મેઘકુમાર કથા સુમિત્ર ગૃહપતિ કથા વસુદત્ત સાર્થવાહ કથા શ્રી તિલકપુત્ર પદ્મકુમાર કથા બલસાર રાજાની કથા મમ્મણ વણિકની કતા નૃપવિક્રમ રાજપુત્ર કથા કૌશાંબી વિપ્રની કથા જિનદત્ત શ્રાવક કથા ધરણીધર સુનંદની કથા શ્વેતાંબિકા રાજાની કથા ધનંજય શ્રેષ્ઠીની કથા જંબૂક કથા તામલિ તાપસ કથા ભુવન શ્રેષ્ઠિપુત્ર કથા ગોશાળાની કથા કદંબવિપ્ર કથા સુકોશલ મુનિ કથા સુરવિપ્ર ઉ.દા ઉક્ઝિત કુમારનું દૃષ્ટાંત વણિકપુત્ર કથા લોભાનંદની કથા રામરાજપુત્ર કથા શ્રેષ્ઠી પુત્ર કથા ગંધપ્રિય કુમાર કથા
(પા-૯૭) (પા-૯૯) (પાના-૧૦૧) (પ-૧૦૪) (પા-૧૦૮). (પ-૧૧૪) (પા-૧૨૮). (પા-૧૩૨) (પ-૧૩૭) (પા-૧૪૩) (પા-૧પર) (પા-૧૫૭) (પ-૧૫૯) (પા-૧૬૫) (પા-૧૭૭) (પા-૧૮૦) (પા-૧૮૬) (પા-૧૯૬) (પા-૨૦૦) (પા-૨૦૦) (પા-૨૦૪) (પા-૨૦૬) (પા-૨૨૨) (પ-૨૩૮) (પા-૨૪૧) (પા-૨૪૬). (પા-૨૪૭) (પાના-ર૪૯) (પાના-રપ૧) (પાના નં-રપ૩) (પાના નં-રપપ) (પાના-રપ૬)
211
Page #236
--------------------------------------------------------------------------
________________
મધુપ્રિયની કથા
(પાના-રપ૭) મહેન્દ્રકુમાર કથા
(પાના-૨પ૮) લલિતાંગની કથા
(પાના નં-ર૬૦) ધનાધર વણિક કથા
(પાના-ર૬૧) વજસાર કથા
(પાના નં-ર૬૩) શિવ નામના વણિકપુત્રની કથા (પાના - ૨૬૫) સુંદરની કથા
(પ-ર૬૬) વિજયરાજાની કથા
(પા-૨૭૨) ચિલાતી પુત્ર કથા
(પા-૨૭૩) અતિમુક્તક કથા
(પા-ર૯૪) કુરુદત્ત મહર્ષિ કથા
(પા-૨૯૬) ધનમુનિની કથા
(પા-૨૯૮) સ્કન્ધક મુનિની કથા
(પા-૨૯૯) સુંદર શ્રેષ્ઠીની કથા
(પા-૩૧૦) અમરકેતુ પુત્રી કથા
(પા-૩૧૪) સનતકુમાર ચક્રવર્તી કથા (પા-૩૨૨)
આ રીતે આચાર્ય શ્રી વિવિધ દેખાતો દ્વારા સંસાર અસાર છે એમ સમજાવે છે.
સં.૧૧૬૨ થી ૧૨૨૯
ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર ‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર' નામના ગ્રંથ વિશે આ.શ્રી શીલચંદ્રસૂરિજી કહે છે કે,
પ્રસ્તુત ચરિત્ર સત્સાહિત્ય છે. “કલિકાલસર્વજ્ઞ” બિરૂદ ધરાવતા અને ગુર્જરી ગિરાની આદ્ય ગંગોત્રી સમા જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે પોતાની નિર્વાજ લોકહિતની વૃત્તિનો આવિષ્કાર આ ગ્રંથ નિર્માણરૂપે કર્યો છે. એમ કહી શકાય. ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર એટલે જૈન ધર્મ સંસ્કૃતિનો સંપૂર્ણ ઇતિહાસ. ૬૩ શલાકા પુરુષો જે આ કાળખંડમાં થયા તેમનું સાંગોપાંગ ચરિત્ર વર્ણન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે પદ્ય રૂપે ૩૬૦૦૦ શ્લોકમાં આ ગ્રંથમાં વિસ્તાર્યું છે. Mythology નાં સંશોધકો આ ગ્રંથને પુરાણ-ગ્રંથ તરીકે ઓળખાવે છે.''
પહેલા તથા બીજા પર્વમાં છ છ સર્ગો છે. પહેલા પર્વના છ સર્ગમાં નીચે મુજબ બાબતો સમજાવી છે.
212
Page #237
--------------------------------------------------------------------------
________________
૧. પહેલા સર્ગમાં શ્રીૠષભદેવજીના પ્રથમના ૧૨ ભવોનું વર્ણન આપેલ છે. તેમાં ખાસ ધ્યાન આપવા લાયક શ્રી ધર્મઘોષસૂરિની દેશના છે. જેમાં દાનશીલાદિ ચારે પ્રકારના ધર્મોનું વર્ણન આપેલ છે. ત્યારપછી મહાબલ રાજાની સભામાં મંત્રીઓનો ધાર્મિક સંવાદ લક્ષપૂર્વક વાંચવા લાયક છે. તેમાં ખાસ નાસ્તિક મતનું મંડન ને ખંડન ધ્યાન આપવા યોગ્ય છે. ત્યારપછી મુનિઓને પ્રાપ્ત થતી લબ્ધિઓનું તથા વીશ સ્થાનકોનું વર્ણન છે.
૨. બીજા સર્ગમાં કુલકરોત્પત્તિ અને શ્રીૠષભદેવ ભગવંતના જન્મથી દીક્ષા લેવાની ઇચ્છા થવા સુધી હકીકત આપેલી છે. તેમાં પ્રારંભમાં આપેલી પહેલા કુલકર વિમળવાહનના પૂર્વભવની-સાગરચંદ્રની કથા વાંચવા લાયક છે. તેમાં દુર્જન કેવી દુર્જનતા કરે છે અને સતી કેવી સહનશીલતા વાપરે છે તેનો આબેહૂબ ચિતાર છે. ભગવંતનો દેવદેવીકૃત જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવેલો છે. અને પ્રભુના તથા સુનંદાના રૂપનું વર્ણન પણ વિસ્તારથી કરેલું છે. ભગવંતનો દેવકૃત વિવાહ મહોત્સવ વાંચવા લાયક છે. અને છેવટે આપેલું વસંતૠતુનું વર્ણન કર્તાની વિદ્વાન તરીકેની ખૂબી બતાવી આપવા માટે પૂરતું છે.
૩. ત્રીજા સર્ગમાં પ્રભુનો દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન અને દેશનાનો સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં ઇંદ્રકૃત દીક્ષા મહોત્સવનું તથા કેવળજ્ઞાન પામ્યા બાદ ચાર નિકાયના દેવોએ મળીને કરેલા સમવસરણનું વૃત્તાંત સવિસ્તર આપેલું છે. ત્યારબાદ ભગવંતની દેશના આપેલી છે. જેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની વ્યાખ્યા વાંચવા યોગ્ય છે.
૪. ચોથા સર્ગમાં ભરતચક્રીએ કરેલા દિગ્વિજયનું વર્ણન સમાવેલું છે. ભરતચક્રીએ પોતાના ૯૮ ભાઇઓને બોલાવેલા પણ તેઓ તેની પાસે ન જતાં પ્રભુ પાસે ગયા અને પ્રભુએ જે ઉપદેશ આપ્યો તે ખરેખર હૃદયદ્રાવક અને વૈરાગ્ય પમાડે તેવો છે.
૫. પાંચમા સર્ગમાં બાહુબલિ સાથેના વિગ્રહનું વર્ણન છે. રણસંગ્રામની વિધિનું આમાં ખાસ અનુભવ આપે તેવું આલેખન છે. યુધ્ધ અટકાવનાર દેવો સાથે ભરતબાહુબલિને થયેલ ઉત્તર પ્રત્યુત્તર ખાસ ધ્યાન ખેંચનારા છે.
૬. છઠ્ઠા સર્ગમાં ભગવંતના કેવળીપણાના વિહારનું વર્ણન છે. આ ઉપરાંત ભગવંતના તથા ભરતચક્રવર્તીના નિર્વાણનું વર્ણન, અષ્ટાપદનું વર્ણન ખૂબ જ સુંદર રીતે અલંકૃત કર્યા છે.
ત્રેસઠ શલાકા પુરુષનાં નામ, માતા, પિતા આદિ અનેક બાબતો આ સર્ગમાં ભગવાનની દેશનામાં સમાવેલ છે. આવી અનેક બાબતો વાંચવા યોગ્ય છે.
213
Page #238
--------------------------------------------------------------------------
________________
બીજા પર્વના છ સર્ગમાં નીચે જણાવેલી બાબતો સમાવી છે.
૧. પહેલા સર્ગમાં અજિતનાથજીના પૂર્વભવનું વર્ણન આપેલું છે. તેમાં વિમલવાહન રાજાના વૈરાગ્ય વાસનાવાળા વિચાર મંત્રીઓ અને પુત્ર સાથે તેમને થયેલ ઉત્તરપ્રત્યુત્તર, અરવિંદ આચાર્યે આપેલી દેશના અને આઠ પ્રવચન માતા તથા બાવીસ પરિષહોનું વર્ણન અદ્ભુત છે.
૨. બીજા સર્ગમાં ભગવંતને સગરચક્રીના જન્મ સંબંધી વર્ણનો પણ સુંદર છે. જિતશત્રુ રાજાએ કરેલ જન્મોત્સવનું વર્ણન પણ આહ્લાદક છે.
૩. ત્રીજા સર્ગમાં ભગવંતની બાલ્યાવસ્થા, યુવાવસ્થા, રાજ્ય સ્થિતિ, દીક્ષા, કેવળજ્ઞાન અને દેશના સમાવેલ છે. દેશનામાં ધર્મધ્યાનનું સ્વરૂપ આપેલું છે.
૪. ચોથા સર્ગમાં સગરચક્રીના દિગ્વિજયનું વર્ણન છે. ભરત ચક્રવર્તીના દિગ્વિજયના વૃત્તાંત કરતા આ વર્ણનની ઢબ જુદી જ છે.
૫. પાંચમા સર્ગમાં રાક્ષસ વંશની ઉત્પત્તિ કહ્યા બાદ સગરકુમારોનું અષ્ટાપદ જવું તેમજ નાગેન્દ્રથી થયેલ તેમના વિનાશનું સવિસ્તાર વર્ણન છે. તીર્થ પ્રત્યેની સગરકુમારોની ભક્તિ આકર્ષણ કરે તેવી બતાવેલી છે.
૬. છઠ્ઠો સર્ગ કરૂણારસથી ભરપૂર છે તેમાં સગરકુમારોના મૃત્યુ સંબંધી ચક્રીને પહોંચાડેલા ખબર, તેથી તેમને થયેલ શોક, તેનું નિવારણ આદિ વર્ણનો વૈરાગ્ય ઉપજાવે તેવા છે. ભગવંતના નિર્વાણ વિશે જણાવી આ પર્વની સમાપ્તિ કરેલી છે. પર્વ ત્રીજામાં આઠ સર્ગ છે. તેમાંઃ
૧.સર્ગ પહેલામાં- શ્રી સંભવનાથજીનું ચરિત્ર
૨.સર્ગ બીજામાં
શ્રી અભિનંદનસ્વામીનું ચરિત્ર
૩.સર્ગ ત્રીજામાં
૪.સર્ગ ચોથામાં
૫.સર્ગ પાંચમામાં૬.સર્ગ છઠ્ઠામાં૭.સર્ગ સાતમામાં- શ્રી સુવિધિનાથજીનું ચરિત્ર
શ્રી સુમતિનાથજીનું ચરિત્ર શ્રી પદ્મપ્રભુનું ચરિત્ર શ્રી સુપાર્શ્વનાથજીનું ચરિત્ર શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર
૮.સર્ગ આઠમામાં- શ્રી શીતળનાથજીનું ચરિત્ર
આ ચરિત્રોનાં વર્ણન પણ સરસ રીતે કર્યા છે. વાંચનારને રસ ઉપજે તેવા છે.
214
Page #239
--------------------------------------------------------------------------
________________
પર્વ ચોથામાં સર્ગ સાત છે તેમાં - ૧. સર્ષ પહેલામાં- શ્રી શ્રેયાંસનાથજીનું તથા પહેલા વાસુદેવ, બળદેવ ને પ્રતિ
વાસુદેવ ત્રિપૃષ્ટ, અચળ ને અશ્વગ્રીવનાં ચરિત્રો છે. ૨. બીજા સર્ગમાં- શ્રી વાસુપૂજ્યજીનું તથા બીજા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ
દ્વિપૃષ્ટ, વિજય ને તારકનાં ચરિત્રો છે. ૩. સર્ગ ત્રીજામાં- શ્રી વિમળનાથજીનું તથા ત્રીજા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ
સ્વયંભૂ, ભદ્ર ને મેરકનાં ચરિત્રો છે. ૪. સર્ગ ચોથામાં- શ્રી અનંતનાથજીનું તથા ચોથા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ
પુરૂષોત્તમ, સુપ્રભ ને મધુનાં ચરિત્રો છે. ૫. સર્ગ પાંચમા માં- શ્રી ધર્મનાથજીનું તથા પાંચમા વાસુદેવ, બળદવ ને પ્રતિવાસુદેવ
પુરુષસિંહ, સુદર્શન ને નિશુંભના ચરિત્રો છે. ૬. સર્ગ છઠ્ઠામાં- ત્રીજા મઘવા ચક્રવર્તીનું ચરિત્ર છે. ૭. સર્ગ સાતમા માં- ચોથા સનતકુમાર ચક્રવર્તીનું ચરિત્ર છે. પર્વ પાંચમામાં સર્ગ ૫ છે. ૧. તેમાં શ્રી શાંતિનાથજીનું તથા તેમના પુત્ર ચક્રાયુધનું ચરિત્ર છે. સર્ગ પહેલામાં પ્રથમ પાંચભવોનું વર્ણન છે. પહેલે ભવે શ્રીષેણ રાજા, બીજે ભવે ઉત્તર કુરૂમાં યુગલિક, ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવતા, ચોથે ભવે અમિતતેજ વિદ્યાધરને ત્રિપૃષ્ઠ વાસુદેવના પુત્ર શ્રી વિજય અને પાંચમે ભવે દશમા દેવલોકમાં દેવતા થયા તેનું સવિસ્તર ચરિત્ર છે. ૨. સર્ગ બીજામાં- છઠ્ઠા ને સાતમા ભવનું વર્ણન છે. ૩. સર્ગ ત્રીજામાં- આઠમા ને નવમા ભવનું વર્ણન છે. ૪. સર્ગ ચોથામાં- દશમા ને અગ્યારમા ભવનું વર્ણન છે. તેમાં દશમા ભવમાં મેઘરથે પારેવો ઉગાર્યો તેનું અને વીશ સ્થાનકની આરાધના વડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અગિયારમે ભાવે સર્વાર્થ સિધ્ધ વિમાનમાં દેવ થયા તેનું મનોહર ચિત્રણ છે. ૫. સર્ગ પાંચમામા-મેઘરથ રાજાનો જીવ શ્રી શાંતિનાથ નામે પાંચમા ચક્રીને સોળમાં તીર્થકર થયા. તેમના પ્રથમ ગણધર ચકાયુધ નામે થયા તેનું પણ અપૂર્વ ચરિત્ર છે.
આ પ્રમાણે પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથજીનું તેમના બાર ભવ સાથે સવિસ્તર
215
Page #240
--------------------------------------------------------------------------
________________
વર્ણન છે. ઉત્તમ જીવો દરેક ભવમાં ઉત્તમ સ્થાને, ઉત્તમ કુળમાં, ઉત્તમ જીવના પુત્રપણે ઉપજે છે. તે આમાં પ્રત્યક્ષ દેખાડી આપ્યું છે. શાંતિનાથજીના જીવ બે વાર તીર્થકરના પુત્ર થયા, બે વાર ચક્રવર્તીપણું પામ્યા, એકવાર બળદેવ થયા અને પોતે તીર્થકર પણ થયા. આવી શ્રેષ્ઠતા કોઈ અપૂર્વ પુણ્યવાન જીવને જ પ્રાપ્ત થાય છે. છઠ્ઠા પર્વમાં આઠ સર્ગ છે તેમાં:૧. સર્ગ પહેલામાં છઠ્ઠા ચક્રીને ૧૭મા તીર્થંકર શ્રી કુંથુનાથજીનું ચરિત્ર છે. ૨. સર્ગ બીજામાં- સાતમા ચક્રીને ૧૪મા તીર્થકર શ્રીઅરનાથજીનું ચરિત્ર તેમાં વિસ્તાર સહિત વીરભદ્રનું ચરિત્ર છે. ૩. સર્ગ ત્રીજામાં- છઠ્ઠા વાસુદેવ, બળદેવને પ્રતિવાસુદેવ પુરુષ પુંડરિક, આનંદને બલિરાજાનાં ચરિત્ર છે. ૪. સર્ગ ચોથામાં સુભૂમ નામે આઠમા ચક્રવર્તીનું ચરિત્ર, તેની અંતર્ગત પરશુરામનું ચરિત્ર છે. ૫. સર્ગ પાંચમા માં- સાતમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવદત્ત, નંદન અને અલ્લાદનાં ચરિત્રો છે. ૬. સર્ગ છઠ્ઠામાં-શ્રી મલ્લિનાથનું ચરિત્ર છે. તે સાથે તેમના પૂર્વ ભવના છ મિત્રોના ચરિત્ર પણ વર્ણવ્યા છે. ૭. સર્ગ સાતમા માં-શ્રી મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર છે. તેમાં હરિવંશની ઉત્પતિ, અગ્ધાવબોધ તીર્થની ઉત્પતિ અને કાર્તિક શેઠની કથા છે. ૮. સર્ગ આઠમામા-મહાપદ્મ નામે નવમા ચક્રવર્તીનું ચરિત્ર છે. તેની અંતર્ગત તેમના મોટા ભાઇ વિષ્ણુકુમારનું ચરિત્ર છે. સાતમું પર્વઃ
બીજા પર્વોની અપેક્ષાએ આ પર્વમાં જુદા જુદા મહાપુરુષોના ચરિત્રો વિશેષ સમાયેલા છે. આ ગ્રંથ જૈન રામાયણ તરીકે બહુ વર્ષોથી જેન વર્ગમાં પ્રસિધ્ધિ પામેલો છે.
આ પર્વમાં ૧૩ સર્ગ છે. તેમાંના પ્રથમના દસ સર્ગમાં જૈન રામાયણ સમાવેલું છે. એમાં મુખ્યત્વે આઠમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું ચરિત્ર છે. તે ત્રણ પુરુષોમાં રામચંદ્રની વિશેષ ખ્યાતિ હોવાથી “જૈન રામાયણ” અથવા “રામચરિત્ર” તરીકે પ્રખ્યાતિ પામેલું છે. અન્યમતમાં પણ રામાયણ નામનો પ્રસિધ્ધ ગ્રંથ જુદા જુદા
216
Page #241
--------------------------------------------------------------------------
________________
પંડિતોએ કરેલો છે. તે સર્વમાં મુખ્ય નાયક રામચંદ્ર જ છે. પરંતુ તેના લેખમાં અતિશયોક્તિ, પરસ્પર વિરોધ તથા નાયકનો સદોષ ચિતાર વિગેરે દોષો રહેલા છે. તે આ ગ્રંથમાં અલ્પમાત્રામાં પણ નથી.
રામાયણના પ્રારંભમાં રાક્ષસવંશની મૂળ ઉત્પત્તિ તરીકે શ્રી અજિતનાથજીના સમયમાં થયેલા સગર ચક્રવર્તીનું તથા તે પ્રસંગે અજીતનાથ પ્રભુના સમવસરણમાં જ ભીમ નામના રાક્ષસ નિકાયના ઈંદ્ર ધનવાહન નામના વિદ્યાધરને પોતાના પૂર્વભવના પુત્રપણાના સ્નેહથી રાક્ષસદ્વીપનું, લંકા નગરીનું તથા પાતાળ લંકાનું રાજ્ય આપ્યું અને પોતાનો નવરત્નોનો હાર તથા રાક્ષસી વિદ્યા આપી તેની હકીકત લીધેલી છે.
આ પર્વના પ્રારંભમાં અજિતનાથ પ્રભુના વખતમાં થયેલી રાક્ષસ વંશની સ્થાપનાનું અને તેના મૂળ પુરુષ તરીકે ધનવાહનનું નામ માત્ર સૂચવીને પછી અગ્યારમા શ્રેયાંસ પ્રભુના તીર્થમાં રાક્ષસ વંશમાં થયેલા કીર્તિધવળ રાજાની હકીકત આપવામાં આવી છે. એ કીર્તિધવળ રાજાના વખતમાં વાનરદ્વીપમાં શ્રીકંઠ રાજાએ કિકિંધા નગરીમાં નિવાસ કર્યો ત્યારથી વાનરવંશની ઉત્પત્તિ થઈ છે અને ત્યારથી ઘણા કાળ પર્યત રાક્ષસવંશ અને વાનરવંશ વચ્ચે પરસ્પર પ્રીતિભાવ ચાલ્યો આવ્યો છે. તેમાં પણ કાંઇક રાક્ષસવંશના રાજ્યકર્તાઓએ વાનરવંશના રાજ્ય કર્તા ઉપર હાથ રાખેલો દષ્ટિગોચર થાય છે.
કીર્તિધવળને શ્રીકંઠનું ચરિત્ર કહ્યા બાદ એ હકીકતને મુનિસુવ્રત સ્વામીના તીર્થ ઉપર લઈ જવામાં આવેલ છે. તે પ્રભુના તીર્થમાં રાક્ષસવંશમાં તડિતકેશ અને વાનરવંશમાં ધનોદધિ રાજા થયેલ છે. ત્યારપછીની હકીકત અવિચ્છિન્ન લખાયેલી છે. ત્યારપછી રાક્ષસદ્વીપનું અને વાનરદ્વીપનું રાજ્ય બે વખત રાક્ષસો તથા વાનરોના હાથમાંથી જાય છે, તે પાછું રાવણનો જન્મ થયા બાદ તે પોતાને સ્વાધીન કરે છે. વાનરવંશમાં વાલી નામે બહુ પરાક્રમી વિદ્યાધર રાજા થાય છે. તે રાવણને પણ પરાસ્ત કરે છે. પરંતુ તરત જ તેને વૈરાગ્ય થવાથી તે દીક્ષા લે છે અને તેનો ભાઈ સુગ્રીવ રાજ્ય પર આવે છે.
ત્રીજા સર્ગમાં આવેલા ચરિત્ર ઉપરથી ઘણા સાર ગ્રહણ કરવા યોગ્ય છે, તેમ જ પાંચમા ને છઠ્ઠા સર્ગમાં આવેલી રામચંદ્રના વનવાસની હકીકત પણ અપૂર્વ શિક્ષણ આપે છે.
રામચંદ્રની ઉત્પત્તિ કાંઈ વાનરવંશમાં થયેલી નથી. વાનરદ્વીપના નિવાસી હોવાથી જ વાનર તરીકે ઓળખાતા સુગ્રીવાદિ અનેક વિદ્યાધરો તેના ભક્તિવાન થયેલા હોવાથી તેના લકરમાં બહોળો ભાગ તેનો છે. બાકી રામલક્ષ્મણનો જન્મ તો
217
Page #242
--------------------------------------------------------------------------
________________
ઋષભ પ્રભુના સ્થાપેલા ઇક્વાકુ વંશમાં થયેલો છે. એ વંશના પણ કેટલાક રાજાઓનાં ચરિત્રો ચોથા સર્ગમાં આપેલાં છે. તે વાંચનારને રસ પડે તેવા છે. સર્ગ પહેલામાં- રાક્ષસવંશ ને વાનરવંશની ઉત્પત્તિથી માંડીને રાવણ અને તેના બંધુઓના જન્મ પર્વતની હકીકત છે. સર્ગ બીજામાં- રાવણે સાધેલી વિદ્યાની હકીકતથી માંડીને તેણે કરેલા દિગ્વિજયની હકીકત છે. તેની અંદર વાલી વિદ્યાધરના પરાક્રમની તથા નારદે કહેલી યજ્ઞાદિકની ઉત્પત્તિની હકીકત રસપ્રદ છે. સત્ય ધર્મથી ચુકેલ વસુરાજાનું ચરિત્ર એમાં સમાયેલું છે. સર્ગ ત્રીજામાં- પવનંજય, અંજનાસુંદરી સતી અને ચરમ શરીરી હનુમાનનું ચરિત્ર છે. તેમાં સતીપણાની ખરી કસોટી કેમ નીકળે છે તે યથાસ્થિત બતાવી આપ્યું છે. સર્ગ ચોથામાં- ઇક્વાકુ વંશમાંથી શરુ થયેલા સૂર્યવંશના કેટલાક રાજાઓનાં ચરિત્રો, રામલક્ષ્મણાદિનો જન્મ, સીતાનું પાણિગ્રહણ, દશરથ રાજાની ચરિત્ર લેવાની ઇચ્છા, કૈકેયીની ભરતને રાજ્ય આપવાની માગણી અને રામચંદ્રનો લક્ષ્મણ તથા સીતા સહિત સ્વેચ્છાએ પિતાનું વિઘ્ન દૂર કરવા વનવાસ-ઇત્યાદિનું વર્ણન છે. સર્ગ પાંચમા માં-રામચંદ્રના વનવાસની ઘણી હકીકત છે. પ્રતિ દંડકારણ્યમાં આગમન. ત્યાં સંબૂકનો લક્ષ્મણના હાથથી, અજાણતા વધ. તે નિમિત્તે યુધ્ધ, રામચંદ્રનું સિંહનાદથી છેતરાવું અને રાવણે કરેલું સીતાનું હરણ-ઇત્યાદિ હકીકત વિસ્તારથી વર્ણવેલી છે. સર્ગ છઠ્ઠામાં- રામચંદ્રનું પાતાળ લંકામાં આવવું, સુગ્રીવાદિ ઉપર કરેલ ઉપકાર, સીતાની શોધનો પ્રયત્ન, તેનો મળેલો પત્તો, હનુમાનને લંકામાં મોકલવો અને તેનું સીતાની ખબર લઈ પાછું આવવું ઇત્યાદિ હકીકત છે. સર્ગ સાતમા માં-રામચંદ્રનું લંકા તરફ પ્રયાણ, વિભીષણનું રામના પક્ષમાં આવવું, રાવણ સાથે યુધ્ધ, લક્ષ્મણને વાગેલી અમોધ વિજયાશક્તિ, વિશલ્યાના આવવાથી તેનું નિવારણ, રાવણે સાધેલી બહુરૂપી વિદ્યા અને છેવટે લક્ષ્મણના હાથથી રાવણનું મરણ-ઇત્યાદિ હકીકત છે. જેમાં મોટો ભાગ યુધ્ધનાં વર્ણનનો છે. સર્ગ આઠમામાં- વિભીષણને લંકાનું રાજ્ય આપી રામચંદ્રાદિનું અયોધ્યા આવવું, માતાઓ વગેરેને મળવું, લક્ષ્મણનો રાજ્યાભિષેક, આઠમા વાસુદેવ બળદેવ તરીકે પ્રસિધ્ધિ, શત્રુનને મથુરાનું રાજ્ય, સીતાનો અપવાદ અને અરણ્યમાં તજી દીધા પર્વતની હકીકત છે. સર્ગ નવમામાં- સીતાને થયેલા બે પુત્ર, તેનું રામલક્ષ્મણ સાથે યુધ્ધ, સીતાએ કરેલ
218.
Page #243
--------------------------------------------------------------------------
________________
અગ્નિપ્રવેશરૂપ દિવ્ય પરીક્ષા અને તેણે લીધેલી દીક્ષાનું વર્ણન છે.
સર્ગ દશમામાં- બધાઓનો પૂર્વભવ, હનુમાનાદિકે લીધેલી દીક્ષા, લક્ષ્મણનું મરણ, રામચંદ્રની મોહચેષ્ટા, રામચંદ્રે લીધેલી દીક્ષા, સીતંત્રે કરેલ અનુકૂળ ઉપસર્ગ, રાવણ લક્ષ્મણની ભાવી હકીકત અને રામચંદ્રના નિર્વાણ પર્યંતની સર્વ બીના સમાયેલી છે.
આ સર્ગમાં તમામ પુરુષોનાં ચરિત્રોનો ઉપસંહાર કરેલો છે. અને જૈન રામાયણની અહીં સમાપ્તિ થાય છે.
અગિયારમા સર્ગમાં- શ્રી નમિનાથ પ્રભુનું ચરિત્ર છે. તેમાં જન્મ તથા કેવળજ્ઞાનોત્પતિ સમયે,ઇંદ્રે કરેલી પ્રભુની સ્તુતિ તથા ભગવંતે આપેલી દેશના ખાસ વાંચવાલાયક છે. એ દેશનામાં શ્રાવકે દિવસે અને રાત્રે શું કરવું તેનું વર્ણન છે.
બારમા સર્ગમાં- હરિષણ નામના દશમા ચક્રીનું ચરિત્ર છે.
તેરમા સર્ગમાં- જય નામના અગ્યારમા ચક્રીનું ચરિત્ર છે. આ બન્ને ચક્રીના ચરિત્રો સંક્ષેપે આપેલા હોવાથી તેમાં વિશેષ જાણવા લાયક નવીન હકીકત નથી.
આ પ્રમાણે આ પર્વ સમાપ્ત થાય છે. તેમાં રામચંદ્ર, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા, રાવણ, વિભીષણ, કુંભકર્ણ, ઇંદ્રજીત, સુગ્રીવ ને હનુમાન એ મુખ્ય પાત્રો છે. તેમનાં ચરિત્રો ઉપરાંત રાક્ષસવંશના, વાનરવંશના અને સૂર્યવંશના અનેક રાજાઓનાં ચરિત્રો છે. તદુપરાંત વાલી, પવનંજય, અંજનાસુંદરી, કૈકેયી, સુકોશલમુનિ ભામંડળ, સાહસગતિ, શૂર્પણખા, જટાયુ પક્ષી, સ્કંદક મુનિના પાંચશે શિષ્યો, સહસ્રાંશુ, ઇંદ્ર, સહસ્રાર, મધુ, નારદ, પર્વત, વસુરાજા, મંદોદરી, અનરણ્ય, જનક, દશરથ, સિંહોદર, વજકર્ણ, વિશલ્યા, લવણાંકુશ, કૃતાંતવદન વગેરે અનેક સ્ત્રી-પુરુષોનાં ચિરત્રો ખાસ આકર્ષક છે. અને તેમાંથી ખાસ પૃથક્ પૃથક્ શિક્ષાઓ ગ્રહણ કરવા લાયક છે. તે દરેકનું અહીં વર્ણન કરવા કરતાં તેના ઈચ્છુકો તેને પુરુષોનાં ચરિત્ર વાંચીને તેમાંથી યોગ્ય શિક્ષા ગ્રહણ કરશે એમ વિચારવું વિશેષ યોગ્ય છે.
આ પર્વમાં સ્થાને સ્થાને અનેક જીવોના પૂર્વભવનું કથન છે. તે જૈનમતનું સાતિશય જ્ઞાનીપણું બતાવી આપે છે. તેમજ અનેક પ્રસંગોમાં કહેવતની જેવા સિધ્ધવચનો મૂકેલાં છે.
આમ આ પર્વ બાળક, યુવાન, વૃધ્ધ દરેકને આકર્ષણ થાય તેવું છે.
આઠમા પર્વની અંદર મુખ્યત્વે રરમા તીર્થંકર શ્રીનેમિનાથનું અને ૯મા વાસુદેવ અને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર અને જરાસંઘનું એમ ૪ શલાકા પુરુષના ચરિત્રો છે. પ્રથમ સાત પર્વોમાં એકંદર ૨૧ તીર્થંકરો, ૧૧ ચક્રવર્તીઓ અને આઠ વાસુદેવાદિ
219
Page #244
--------------------------------------------------------------------------
________________
ત્રિપુટીના ૨૪-કુલ પ૬ શલાકા પુરુષોનાં ચરિત્રો આવેલા છે. આઠમા પર્વમાં તેની કુલ સંખ્યા ૬૦ની થાય છે. પર્વ ભાં એક તીર્થકર અને એક ચક્રવર્તી બે શલાકા પુરુષના ચરિત્ર છે. અને દશમા પર્વમાં ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું એક જ ચરિત્ર છે. આ પ્રમાણે ત્રેસઠ શલાકા પુરુષોનાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો
આઠમા પર્વની અંદર ૪ શલાકા પુરુષ ઉપરાંત વસુદેવનું ચરિત્ર ઘણું વિસ્તારથી આપેલું છે. વસુદેવ પૂર્વે ભવે સ્ત્રીવલ્લભ થવાનું નિયાણું કરેલું હોવાથી તેને જોનાર દરેક સ્ત્રી તેના ઉપર મોહ પામી જતી હતી. તેથી ચક્રવર્તી કરતાં પણ તેને વધારે સ્ત્રીઓ થઈ હતી. તેણે પાણિગ્રહણ કરેલી ૭૨૦૦૦ સ્ત્રીઓ પૈકી ૩૬૦૦૦ સ્ત્રીઓ તો સિંધ્યાચળ ઉપર સિધ્ધપદને પામેલી છે. તેમનું સવિસ્તૃત ચરિત્ર વસુદેવ હિડી નામના પ્રથમાનુયોગ તરીકે પ્રસિધ્ધિ પામેલા ગ્રંથમાં છે. તે ગ્રંથના ત્રણ ખંડો પૈકી બે ખંડ ઉપલબ્ધ થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે આની અંદર દાખલ કરેલ ચરિત્ર તેમાંથી જ ઉધ્ધરેલ જણાય છે. આની અંદર નળ-દમયંતીના ચરિત્રનું પણ વર્ણન છે.
નળને દમયંતી મૃત્યુ પામીને સૌધર્મેન્દ્રના લોકપાળ કુબેરને તેની દેવાંગના થયેલ હતા. તે પૈકી દેવાંગનાનું આયુષ્ય ઓછું હોવાથી તે ત્યાંથી અવીને રાજપુત્રી કનકવતી થયેલી છે. તેના સ્વયંવરમાં વસુદેવનું અનાયાસે આવવું થાય છે અને કુબેર પણ પૂર્વ ભવના સ્નેહથી ત્યાં આવે છે. વસુદેવ દાક્ષિણ્યતાને લીધે કુબેરનું દૂતપણું કરવા કનકવતી પાસે જાય છે. પરંતુ કનકવતી વસુદેવને જ પરણે છે. આ પ્રસંગ પણ ખૂબ જ સુંદર છે.
આ પર્વમાં પાંચ પાંડવોનું ચરિત્ર પણ છે. પાંડવ-કૌરવના મહાભારત યુધ્ધનો સમાવેશ પણ કૃષ્ણ જરાસંઘના યુધ્ધની અંદર કરવામાં આવ્યો છે.
વસુદેવ અને પાંડવો ઉપરાંત શાંબ પ્રદ્યુમ્નનું ચરિત્ર પણ સારું આપેલું છે. તેની અંદર કેટલોક ચમત્કાર છે. તે સિવાય ગજસુકુમાળ, ઢંઢણકુમાર, દેવકીના છ પુત્ર, સાગરચંદ્ર, રાજીમતી, રહનેમિના ચરિત્રો સમાવેલાં છે. આઠમા પર્વના ૧૨ સર્ગ છે. જે નીચે પ્રમાણે છે. પ્રથમસર્ગમાં- નેમિનાથજીના પૂર્વભવોનું વર્ણન છે. સર્ગર-૩-૪માં- વસુદેવનું ચરિત્ર છે. સર્ગ પાંચમામાં- વાસુદેવ, બળદેવ ને અરિષ્ટનેમિનો જન્મ અને કૃષ્ણ કરેલ કંસના વધનું પણ વર્ણન છે.
220
Page #245
--------------------------------------------------------------------------
________________
સર્ગ છઠ્ઠામાં- કૃષ્ણને થયેલ આઠ પટ્ટરાણીઓ, પ્રદ્યુમ્નનો જન્મ તથા પાંડવોના જન્મથી માંડીને વનવાસ સુધીનું આલેખન કર્યું છે.
સર્ગ સાતમામાં- શાંબ પ્રદ્યુમ્નનું ચરિત્ર, કૃષ્ણ-જરાસંઘ યુધ્ધ, કૌરવ-પાંડવોનું યુધ્ધ, કૌરવોનો વિનાશ અને છેવટે જરાસંઘના મૃત્યુ સુધીનું વર્ણન છે.
સર્ગ આઠમામાં- નવમા વાસુદેવ, બળદેવ તરીકે કૃષ્ણને બળભદ્રનું પ્રકટ થવું, નેમનાથને વિવાહ માટે આગ્રહ આદિ પ્રસંગોનું ચિત્રણ કર્યું છે.
સર્ગ નવમામાં- નેમનાથ વિવાહ મનાવવાથી રાજીમતીના ઘર સુધી આવતાં પશુઓના પોકારથી પાછા વળી વાર્ષિકદાન દેઇ તેમણે લીધેલ ચારિત્ર, કેવળજ્ઞાન, પ્રભુની દેશના, રાજીમતીની દીક્ષા, સંઘસ્થાપના વગેરે ઘટનાઓ સમાવી છે.
સર્ગ દશમામાં- દ્રૌપદીનું હરણને પ્રત્યાહરણ, દેવકીના છ પુત્રનું-ગજસુકુમાળનું ઢંઢણકુમારનું, કૃષ્ણે કરેલ મુનિચંદન તેથી તેને થયેલ લાભ, તેની ગતિને સ્થિતિ અને રાજીમતી તથા રથનેમિના પ્રસંગ વગેરેનું હૃદય સ્પર્શી વર્ણન છે.
સર્ગ અગ્યારમાં- દ્વારકામાં દાહનું ને યાદવોના નાશનું સવિસ્તર વૃત્તાંત, કૃષ્ણનું થયેલ મૃત્યુ-ત્યાં સુધીની હકીકત સમાવી છે.
સર્ગ બારમામાં- બળભદ્રે લીધેલી દીક્ષા, બળભદ્ર, મૃગ ને રથકારની એક સરખી ગતિ, કૃષ્ણના આગ્રહથી બળભદ્રે પ્રવર્તાવેલ મિથ્યાત્વ, પાંડવોનું ચારિત્ર ગ્રહણ, નેમિનાથનું નિર્વાણ, પાંડવોનું નિર્વાણ આદિ પ્રસંગોને વર્ણવી આઠમું પર્વ સમાપ્ત કરવામાં આવ્યું છે.
નવમું પર્વઃ
નવમા પર્વમાં ૪ સર્ગ છે.
પહેલા સર્ગમાં- બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર છે. તેમાં તેનો પૂર્વભવ, ચિત્ર ને સંભુતિમુનિનું વૃત્તાંત, બ્રહ્મદત્તની માતા ચુલનીનો દુરાચાર બ્રહ્મદત્તનું પૃથ્વી પર્યટન, ચક્રીપણાની પ્રાપ્તિ ચિત્રમુનિના જીવે બ્રહ્મદત્તને આપેલ બોધ, તેની નિષ્ફળતા, એક બ્રાહ્મણે લીધેલ વૈર, બ્રહ્મદત્તનું અંધ થવું, તેના અધ્યવસાયની ક્રૂરતા અને મૃત્યુ પામીને સાતમી નરકે જવું એ પ્રસંગોનું હૃદય સ્પર્શી વર્ણન છે.
બીજા સર્ગમાં- શ્રીપાર્શ્વનાથનું ચરિત્ર શરૂ કરી તેમના પૂર્વ ભવોનું વર્ણન આપેલું છે. તેમાં દરેક ભવમાં પાર્શ્વનાથના જીવને એક પક્ષના વૈરથી પણ કેવા કેવા ઉપસર્ગ સહન કરવા પડ્યા તે વિચારવા યોગ્ય છે.
221
Page #246
--------------------------------------------------------------------------
________________
ત્રીજા સર્ગમાં- પાર્શ્વનાથનો જન્મ, પ્રભાવતીના પિતાને સહાય કરવા જવું, પ્રભાવતીનું પાણિગ્રહણ, કમઠ તાપસનો મેળાપ, પ્રભુએ લીધેલ ચરિત્ર, મેઘમાળીએ કરેલ ઉપસર્ગ, ભગવંતને થયેલ કેવળજ્ઞાન, તેમની દેશના ગણધરાદિની સ્થાપના વગેરે વર્ણનો કર્યા છે. ચોથા સર્ગમાં પ્રભુનાં વિહાર, સાગરદત્તનું વૃત્તાંત, બંધુદત્તનું વૃત્તાંત, ભગવંતનો પરિવાર, નિર્વાણ વગેરે વર્ણવી નવમું પર્વ સમાપ્ત કર્યું છે.
આમ, ૮-૯માં પર્વમાં અનેક મહાપુરુષોના ચરિત્રોનો સંગ્રહ કરેલો છે. પર્વ-૧મું
વિષયાનુક્રમણિકા: સર્ગ ૧લો (મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન) સર્ગ રજો (મહાવીર જન્મ અને દીક્ષા મહોત્સવ) સર્ગ ૩જો (પ્રથમના છ વર્ષનો વિહાર. સર્ગ ૪થો (બીજા છ વર્ષનો વિહાર) સર્ગ પમો (ભગવંતને કેવળજ્ઞાન, સંઘસ્થાપના) સર્ગ ૬ઠો (શ્રેણિક, મેઘકુમાર, નંદીષણનું વૃત્તાંત) સર્ગ ૭મો (ચિલ્લણા, શ્રેણિક, આર્કિકુમારનું વૃત્તાંત) સર્ગ ૮મો (ઋષભદત્ત, દેવાનંદા, જમાલિ, ગોશાળા વગેરેનું વૃત્તાંત) સર્ગ ૯મો (હાલિક, પ્રસન્નચંદ્ર, દદ્ધરાંકદેવ વગેરેનાં વૃત્તાંત) સર્ગ ૧૦મો (દશાર્ણભદ્ર ને ધન્નાશાલિભદ્રનું ચરિત્ર) સર્ગ ૧૧મો (રોહિણેય, અભયકુમાર, ઉદાયન, ચંડપ્રદ્યોત વગેરે) સર્ગ ૧રમો (વીતભયપત્તન, અભયકુમાર, કૂણિક, ચેડારાજા, ઉદાયી રાજા
વગેરેનાં ચરિત્ર) સર્ગ ૧૩મો (ભગવંતની છેલ્લી દેશના નિર્વાણ વગેરે)
ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રનું આ છેલ્લું પર્વ છે. બધા પર્વો કરતાં આ પર્વ પ્રમાણમાં મોટું છે. છદ્મસ્થપણાના બાર વર્ષના વિહારનું વર્ણન ઘણું વિસ્તૃત છે, ગણધરવાદ પણ સારી રીતે ટૂંકામાં સમજાવેલ છે. આ પર્વમાં પ્રાસંગિક ઉત્તમ પુરુષોના ચરિત્રો ને પ્રબંધો છે. આ પર્વમાં પ્રાસંગિક દેશના અને પ્રભુની ન્યાયગર્ભિત સ્તવના અનેક સ્થાને એવી અપૂર્વ છે કે વાંચનારનાં હદય આનંદ, વૈરાગ્ય તેમજ ધર્મ શ્રધ્ધાથી પરિપૂર્ણ કરે છે.
આમ, ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર જૈન શાસનમાં ખૂબ જ પ્રખ્યાતિ પામેલ છે.
222
Page #247
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ જૈન કથા સાહિત્યમાં શિરોમણિ સમાન, અદ્વિતીય, અજોડ છે.
ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર અને ત્રિષષ્ઠિ શલાકા પુરુષનો તુલનાત્મક અભ્યાસ કરતા નીચે પ્રમાણેની સામ્ય અને વૈષમ્ય જોવા મળે છે. ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર
ત્રિષષ્ઠિ શલાકા પુરુષ આ ગ્રંથમાં ચઉપન્ન મહાપુરુષોના ચરિત્રો આ ગ્રંથમાં ૬૩ શલાકા પુરુષોના વર્ણવેલ છે.
વર્ણન આલેખાયા છે. આ ગ્રંથ વિ.સં.૯રપમાં રચાયો છે.
આ ગ્રંથ સંવત૧૨૨૦માં લખાયો. આ ગ્રંથ ૧૧૦૦૦શ્લોક પ્રમાણ છે.
આ ગ્રંથ ૩૬૦૦૦શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથ પ્રાકૃતમાં ગદ્યપદ્ય રૂપે છે.
આ ગ્રંથ સંસ્કૃતમાં પદ્યરૂપે છે. આ ગ્રંથના રચયિતા શ્રી શીલાંકાચાર્ય છે. આ ગ્રંથના રચયિતા કલિકાલ
સવ હેમચંદ્રાચાર્ય છે. આ ગ્રંથ ગાથામાં વિભાજિત છે.
આ ગ્રંથમાં પર્વ અને સર્ગ દ્વારા
વિભાજન કર્યું છે. આ ગ્રંથમાં ર૪ તીર્થકર ચરિત્રો વર્ણવ્યા છે. આ ગ્રંથમાં પણ ર૪ તીર્થકરના તેમના પૂર્વભવોના પણ વર્ણનો છે.
ચરિત્રો તેમના પૂર્વભવોના વર્ણન
સાથે નિરૂપાયા છે. આ ગ્રંથમાં ૧૨ ચક્રવર્તીના વર્ણનો પણ આ ગ્રંથમાં પણ ૧ર ચક્રવર્તીના અદ્ભુત રીતે અલંકૃત થયા છે.
વર્ણન આલેખ્યા છે. આ ગ્રંથમાં ૯ બળદેવ, ૯ વાસુદેવના
આ ગ્રંથમાં ૯ બળદેવ, નવ વાસુદેવ વર્ણન છે અને પ્રતિવાસુદેવ અંતર્ગત
૯ પ્રતિવાસુદેવના વર્ણન અલગથી હોવાથી અલગ વર્ણવ્યા નથી.
રચ્યા છે. આ ગ્રંથમાં બાણભટ્ટની ગદ્ય છટાવાળી
આ ગ્રંથમાં કલિકાલસૂર્વજ્ઞ કાંદબરી કથાની રચયિતા ઉપર જણાય છે. હેમચંદ્રાચાર્યની બુધ્ધિની વિશાળતા,
વિસ્તૃત સ્મરણ શક્તિ પૃથક્કરણ શક્તિ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. આ ગ્રંથ મહાકાવ્ય હોવાથી તેમાં મહાકાવ્યના લક્ષણોની દરેક બાબતો
સમાયેલી છે. અન યોગ પ્રવર્તક મુનિશ્રી કયાલાલજી “ધર્મકથાનુયોગ”માં કુલકરનું વર્ણન કરતા
223
Page #248
--------------------------------------------------------------------------
________________
લખે છે કે,
ભારતીય ઇતિહાસની પૌરાણિક પરંપરામાં કુલકર સંસ્થાનું વર્ણન છે. માનવ સંસ્કૃતિના પ્રાથમિક ચરણમાં જીવનવૃત્તિનું માર્ગદર્શન તેમજ મનુષ્યોને કુળની જેમ એકઠા રહેવાનો ઉપદેશ આપનારને કુલકર કહેવામાં આવે છે. આગમ ગ્રંથોમાં આવા ૧૫ કુલકરોના ઉલ્લેખ છે. કેટલાક ગ્રંથોમાં તેમની સંખ્યા ૧૪ છે. મરુદેવ, નાભિ, ઋષભદેવ આ કુલકરીમાંના હતા. આ કુલકરોએ સમાજ અને રાજનીતિ બંને ક્ષેત્રોને વ્યવસ્થિત કર્યા હતા. તેમની હાકાર, માકાર અને ધિક્કારની નીતિમાં સમાજના બધા જ નિયમો સમાવિષ્ટ હતા. હાલના સંવિધાનની ચાવી કુલકરોની આ નીતિમાં છે. જૈન પરંપરાના કુલકર અને વૈદિક પરંપરાના મનુઓનું કાર્ય મોટેભાગે સમાન છે. સમવાયાંગ તેમજ સ્થાનાંગ સૂત્રમાં કેવળ કુલકરોના નામોનો ઉલ્લેખ છે. પરંતુ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં કુલકરોની નીતિઓનો સંકેત છે.”
પઉમચરિયું, મહાપુરાણ, હરિવંશપુરાણ, સિધ્ધાન્તસંગ્રહમાં ચૌદ કુલકરોનાં નામ પ્રાપ્ત થાય છે. પઉમચરિય પ્રમાણે ચૌદ કુલકરોનાં નામ નીચે પ્રમાણે છે. (૧)સુમતિ (૨)પ્રતિયુતિ (૩) સીમંકર (૪) સીમંધર (૫) ક્ષેમકર (૬)ક્ષે મધર (૭)વિમલવાહન (૮)ચક્ષુષ્માન (૯)યશસ્વી (૧૦)અભિચંદ્ર (૧૧)ચંદ્રાભ (૧૨)પ્રસેનજિત (૧૩)મરુદેવ (૧૪)નાભિ.
ભગવાન ઋષભદેવ પ્રથમ સમ્રાટ થયા અને યુગલિક સ્થિતિની સમાપ્તિ કરી કર્મભૂમિનો પ્રારંભ કર્યો, આથી એમને કુલકર માન્યા નહિ હોય.
જ્યારે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં એમને કુલકર કહ્યા છે. સંભવ છે કે માનવસમૂહના અર્થમાં કુલકરનો પ્રયોગ થયો હોય.
| ત્રિષષ્ઠિ શલાકા પુરુષને આધારે કુલકરોના નામ નીચે મુજબ છે. (૧)વિમલવાહન (૨)ચક્ષુ ખાન (૩) યશોમાન (૪)અભિચંદ્ર (૫)પ્રસેનજિત (૬)મરુદેવ (૭)નાભિ. (૧) પ્રથમ કુલકર:- વિમલવાહન
સાગરચંદ્ર-પ્રિયદર્શના ત્રીજા આરાના અંતમાં ઉત્પન્ન થયા. તેઓ નવસો ધનુષ શરીરવાળા તેમજ પલ્યોપમ દશમાંશ આયુષ્યવાળા યુગલિક થયા. તેઓનું શરીર વજઋષભ નારાચ સંઘયણવાળા સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હતા. તે વિમલવાહન
224
Page #249
--------------------------------------------------------------------------
________________
નામે પ્રથમ કુલકર થયા. તે સમયે કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટતો ગયો આથી વિમલવાહન યુગલિયાઓને કલ્પવૃક્ષ વહેંચી આપ્યા, શિક્ષા માટે હાકાર નીતિ પ્રગટ કરી. વિમલવાહનનું છ માસ આયુષ બાકી રહ્યું ત્યારે ચંદ્રયશા નામે સ્ત્રીથી એક યુગલનો જન્મ થયો. જેનું નામ ચક્ષુષ્માન-ચંદ્રકાંતા રાખ્યું. સાથે ઉત્પન્ન થયેલા બંને વૃધ્ધિ પામવા લાગ્યા છ માસ સુધી પોતાના બાળકોને પાળી જરા અને રોગ વિના મૃત્યુ પામી વિમલવાહન સુવર્ણકુમાર દેવલોકમાં અને ચંદ્રયશા નાગકુમાર દેવલોકમાં ઉત્પન્ન થયા. (ર) બીજા કુલકર ચક્ષુષ્માનઃ
તેમનો અંત સમય નજીક આવતાં તેમણે યશસ્વી અને સુરૂપા નામે યુગ્મધર્મી જોડલું ઉત્પન્ન થયું. સાડાસાતસો ધનુષ પ્રમાણ શરીરવાળા બંને મૃત્યુ પામી ચક્ષુષ્માન સુવર્ણકુમાર અને ચંદ્રકાંતા નાગકુમાર દેવલોકમાં ઉત્પન્ન થયા. (૩) ત્રીજા કુલકર યશસ્વી:
તેમના વખતમાં યુગલિયા હાકાર દંડનું ઉલ્લંઘન કરવા લાગ્યા ત્યારે યશસ્વીએ માકાર દંડથી તેઓને શિક્ષા કરવા માંડી તેમને અભિચંદ્ર અને પ્રતિરૂપા નામ જોડલું ઉત્પન્ન થયું. તે સાડાછસો ધનુષ ઊંચા શરીરવાળા અને તેમના માતાપિતાથી કાંઈ અલ્પ આયુષ્યવાળા હતા. યશસ્વી આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામી ઉદધિ કુમારમાં ઉત્પન્ન થયો અને સુરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થઈ. (૪) ચોથા કુલકર અભિચંદ્રઃ
અભિચંદ્ર પણ પિતાની માફક તે જ સ્થિતિ વડે યુગલીઆને શિક્ષા કરવા લાગ્યા. તેમણે પણ એક જોડલાને જન્મ આપ્યો. માતાપિતાએ પુત્રનું નામ પ્રસેનજિત પાડ્યું. પુત્રીનું નામ ચક્ષુકતા રાખ્યું. અભિચંદ્ર મૃત્યુ પામી ઉદધિકુમારમાં ઉત્પન્ન થયા અને પ્રતિરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થઈ. (૫) પાંચમા કુલકર પ્રસેનજિત:
તે પણ તેમના પિતાની જેમ સર્વ યુગલિઆઓને (નીતિનું ઉલ્લંઘન કરનારને) શિક્ષા કરવા લાગ્યા. તેમણે સ્ત્રી-પુરુષ-યુગ્મને જન્મ આપ્યો. જે સાડા પાંચસો ધનુષ પ્રમાણવાળા હતા. તેમનાં નામ મરુદેવ-શ્રીકાંતા રાખ્યા. આયુ પૂર્ણ થતાં પ્રસેનજિત દ્વીપકુમારમાં અને ચક્ષુકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થાય છે. (૬) છઠ્ઠા કુલકર મરુદેવઃ
મરુદેવ અને શ્રીકાંતાના પ્રાંત કાળની વખતે તેમનાથી નાભિ અને મરૂદેવા
225
Page #250
--------------------------------------------------------------------------
________________
નામનું યુગ્ય થયું. સવા પાંચસો ધનુષ પ્રમાણ વાળા તેઓ વૃધ્ધિ પામવા લાગ્યા. આયુષ્ય પૂર્ણ થતાં મરુદેવ દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા. શ્રીકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થઇ. (૭) સાતમા કુલકર નાભિઃ
તેઓના મૃત્યુ પામ્યા પછી નાભિ રાજા યુગલીઆઓના સાતમા કુલકર થયા. તે પણ પૂર્વોકત ત્રણ પ્રકારની નીતિ વડે જ યુગ્મધર્મી મનુષ્યોને શિક્ષા કરવા લાગ્યા.
આમ અહીં કુલકરોનું વર્ણન સુંદર રીતે કરેલ છે. અહીં કુલકર સંજ્ઞા યુગલીઆઓના રાજા માટે છે.
‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ' ગ્રંથમાં કલિકાલ સર્વજ્ઞ આ હેમચંદ્રાચાર્ય “કાળચક્ર”નું સવિસ્તાર વર્ણન કરતા કહે છે કે,
“પાંચ ભરત, પાંચ ઐરાવતક્ષેત્રમાં કાળની વ્યવસ્થા કરવામાં કારણભૂત બાર આરાનું કાળચક્ર ગણાય છે. તે કાળ અવસર્પિણી (ઉતરતો) અને ઉત્સર્પિણી (ચઢતો) એવા ભેદથી બે પ્રકારનો છે.”
અવસર્પિણીમાં (૧) સુષમ-સુષમ (૪ કોટાકોટી સાગરોપમ) (૨) સુષમા (૩ કોટાકોટી સાગરોપમ) (૩) સુષમ દુષમ (ર કોટાકોટિ સાગરોપમ) (૪) દુષમ-સુષમ (૪૨ હજાર વર્ષ, ન્યૂન એક કોડાકોડી સાગરોપમ) (૫) દુષમ (ર૧૦૦૦ વર્ષ) (૬) દુષમદુષમ (ર૧ હજાર વર્ષ).
આવી રીતે પ્રતિલોમક્રમ (અવળાક્રમ)થી ઉત્સર્પિણી કાળના પણ છ આરા જાણી લેવા.
બંને કાળની સંખ્યા એકંદર વીશ કોટાકોટી સાગરોપમની થાય છે તે કાળચક્ર કહેવાય. પ્રથમ આરો:- પ્રથમ આરાના મનુષ્યો ૩ પલ્યોપમ સુધી જીવનારા, ૩ ગાઉ ઊંચા શરીરવાળા, ચોથે દિવસે ભોજન કરનારા હોય છે. વૃષભ નારાજી સંઘયણવાળા, સદા સુખી, ક્રોધ, માન, માયા, લોભ રહિત હોય છે. તેઓના સમયે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે કલ્પવૃક્ષ હોય છે. આ સમયે ઘોડા-ગધેડા, બળદ વગેરે વિવિધ પ્રાણીઓ હોવા છતાં તેનો ઉપયોગ કરતા ન હતા. છ મહિના આયુષ્યના બાકી રહે ત્યારે (પુત્રપુત્રી)ના યુગલને જન્મ આપે. ૪૯ દિવસ પાલન પોષણ કરી છીંક કે બગાસું આવે એટલે મૃત્યુ પામે છે.
આ આરામાં અનુક્રમે ધીમે ધીમે આયુષ્ય, સંવનનાદિક અને કલ્પવૃક્ષનો પ્રભાવ
226
Page #251
--------------------------------------------------------------------------
________________
ન્યૂન થતો જાય છે. બીજો આરો:- બીજા આરામાં મનુષ્યો ર પલ્યોપમ આયુવાળા, બે કોશ ઊંચા, ત્રીજે દિવસે ભોજન કરનારા હોય છે. આ કાળે કલ્પવૃક્ષો કંઈક ન્યૂન પ્રભાવવાળા, પૃથ્વી ન્યૂન સ્વાદવાળી, જળ પ્રથમથી જરા ઓછા માધુર્યવાળા હોય છે. પુત્ર-પુત્રીનું પાલન ૬૪ દિવસ કરી યુગલિક દંપતીનું અવસાન થઈ જાય છે. ત્રીજો આરો:- આ આરામાં મનુષ્યો ૧ પલ્યોપમ સુધી જીવનારા, ૧ ગાઉ ઊંચા, બીજે દિવસે ભોજન કરનારા હોય છે. આ આરામાં પણ ધીમે ધીમે શરીર, આયુ, પૃથ્વી, જળ આદિનું માધુર્ય, કલ્પવૃક્ષ મહિમા ઘટતો જાય છે. મૃત્યુના છ મહિના પહેલા યુગલને જન્મ આપે અને ૭૯ દિવસ પાલનપોષણ કરે. ત્રીજા આરાનો એક પલ્યોપમના આઠમા ભાગનો સમય જ્યારે બાકી રહે ત્યારે ભરતક્ષેત્રમાં કુલકર પેદા થાય છે.
ચોથો આરો:- આ આરામાં મનુષ્યો કોટિ પૂર્વના આયુષ્યવાળા પાંચસો ધનુષ ઊંચા શરીરવાળા હોય છે. પાંચમો આરો:- પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્યો સો વર્ષના આયુવાળા અને સાત હાથ ઊંચા હોય છે. છઠ્ઠો આરો:- આ આરામાં મનુષ્યો ફક્ત સોળ વર્ષના આયુષ્યવાળા અને ૧ હાથ ઊંચા શરીરવાળા મનુષ્યો હોય છે.
આ જ પ્રમાણે અવળાક્રમથી ઉત્સર્પિણી કાળના છ આરા જાણવા. મુનિશ્રી કન્ડેયાલાલજી ‘કમલ”ના મંતવ્ય મુજબ:કલ્પવૃક્ષ:આ કલ્પવૃક્ષ માનવની આવશ્યકતાઓની પૂર્તિ કરતા હતા. (૧) “મતાંગક” વૃક્ષ:- આ વૃક્ષથી ચંદ્રપ્રભા, મન:શીલ, સિંધુવારીણી વગેરે વિશેષ પ્રકારના પૌષ્ટિક પદાર્થો યુક્ત પીણું ઉત્પન્ન થતું હતું. જે પીને યુગલિકોમાં અભિનવ સ્કૂર્તિનો સંચાર થતો હતો. આ વૃક્ષ તે સમયે સહજરૂપે ઉત્પન્ન થતાં હતા. (૨) ભૂતાંગ વૃક્ષ - આ વૃક્ષમાંથી સહજપણે એમને પાત્રા મળી જતા હતા. આ વૃક્ષની ડાળીઓ, પાંદડા વર્તનાકાર હતા. જીવાભિગમ સૂત્રમાં ઉલ્લેખ છે કે તે વૃક્ષ ઘટ, કલશ, કરકરી (પીત્તળનું ભજન), પાદ કાંચનિકા (પગનું પ્રક્ષાલન કરવા માટેનું સુવર્ણ પાત્ર), ઉદર (પાણી લેવાનું પાત્ર), ભંગાર (લોટા), સરક (વાંસના પાત્ર) તથા
227
Page #252
--------------------------------------------------------------------------
________________
મણિ રત્નોની રેખાઓથી ખચિત તથા વિવિધ પ્રકારના પત્ર અને ફૂલોના રૂપે પાત્રદાન કરતા હતા. (૩) સૂર્યાગ વૃક્ષ:- આ વૃક્ષો મનોરંજન માટે વાંજિત્રો આપતા હતા. જ્યારે માણસ થાકી જાય ત્યારે મનોરંજનની સામગ્રી શોધે છે. આ વાજિંત્રો કૃત્રિમ નહિ પરંતુ સ્વત: નિર્મિત હતા.
જેવા કે મૃદંગ, પણવ, દર્દરક, કરટી, દિમદિમ, ઢકકા, મૂરજ, શંખિકા, વિપંચી, મહતી, તલતાલ, કંસતાલ વગેરે. આ વૃક્ષમાંથી સ્વતઃ તત્ત, વિતત, ઘન, સુષિર વગેરે વિવિધ સ્વર પ્રફુરિત થતા હતા. (૪) જ્યોતિર્ક અને (૫) દીપશિખા વૃક્ષ:- પ્રાચીન યુગમાં જ્યારે વિદ્યુતશક્તિનો વિકાસ થયો ન હતો ત્યારે આ વૃક્ષોમાંથી જ નિર્મળ પ્રકાશ પ્રાપ્ત થતો હતો. યુગલિક કાળમાં અગ્નિનો અભાવ હતો. આ વૃક્ષોના પ્રકાશ સુવર્ણ, કેસૂક, અશોક અને જયા વૃક્ષોનાં ફૂલોની માફક મણિરત્નોનાં કિરણની જેમ દેદીપ્યમાન હતો. (૬) ચિત્રાંગ વૃક્ષ:- યુગલિક કાળમાં માનવ કૃત્રિમ કલાથી પરિચિત ન હતા. પણ તે સમયે કેટલાંક વૃક્ષો ચિત્રમય હતા. તે ચિત્ર અત્યંત દર્શનીય, રમ્ય, વિવિધ રંગયુક્ત હતા. (૭) ચિત્ર રસાંગ વૃક્ષ - સંસાર ભ્રમણ જ્યાં સુધી છે ત્યાં સુધી આહારની આવશ્યકતા રહે છે. યુગલિક કાળમાં માનવ આજકાલની જેમ ભોજનનું નિર્માણ કરતાં ન હતા. ત્યારે આ વૃક્ષ પર વિવિધ પ્રકારના ફળ બેસતાં હતાં. અઢાર પ્રકારના વિશિષ્ટ ભોજન ગુણોવાળાં તે ફળ માનવને પૂર્ણ તૃપ્તિ પ્રદાન કરતા હતા.
અનુસન્ધિત્સુઓનું એવું મંતવ્ય છે કે આધુનિક યુગમાં પણ અમેરિકામાં એવા વૃક્ષો છે જેને “મિલ્ક ટ્રી’ અને ‘લાઇટ ટ્રી” વગેરે નામથી ઓળખવામાં આવે છે. જેના ફળથી વ્યક્તિ લાભાન્વિત થાય છે. (૮) મર્યાગ:- આ વૃક્ષ પાસેથી વિવિધ પ્રકારના આભૂષણ પ્રાપ્ત થતા હતા. આ વૃક્ષના ફૂલ અને ફળ સહજ આભૂષણ બની જતા હતા. આ આભૂષણોની કાંતિ સ્વર્ણ, મણિ અને રત્નોથી પણ વિશેષ હતી. (૯) ગેહાકાર (ગૃહાકાર) વૃક્ષ:- યુગલિક કાળમાં મકાન બાંધવાની કળા ન હતી. આ ગૃહાકાર વૃક્ષોને લીધે તડકો-છાંયા વગેરેથી તેઓ સુરક્ષિત રહેતાં હતાં. તે વૃક્ષો ભવ્યભવનના નિર્માણનું કાર્ય કરતા હતાં. તે સ્વતઃ નિર્મિત થઈ જતા હતાં. મકાનો ઉપર ચઢવાને માટે પગથિયા તેમજ દ્વાર પણ બની જતા હતા.
228
Page #253
--------------------------------------------------------------------------
________________
(૧૦) અનંગ વૃક્ષ - યુગલિક કાળમાં માનવ પશુઓની જેમ નગ્ન રહેતા ન હતા પણ તે લજ્જાનું નિવારણ કરવા માટે વૃક્ષોની છાલ વગેરેનો ઉપયોગ કરતા હતા.
જીવાભિગમમાં એવું વર્ણન આવે છે કે આ વૃક્ષ પાસેથી ક્ષમ, કામળા, દુકુલ, કૌશેયક, ચીનાંકુર, શ્લષ્ણ, કલ્યાણક વગેરે વિવિધ પ્રકારનાં વસ્ત્ર યુગલિકોને પ્રાપ્ત થતા હતા.
કલ્પવૃક્ષને જ ઇસ્લામ ધર્મમાં “તોબે' કહેવામાં આવ્યા છે. ક્રિશ્મિન ધર્મમાં એને સ્વર્ગનું વૃક્ષ કહેવામાં આવે છે. પેરુ દેશમાં આજે પણ એવા વૃક્ષ છે કે હવામાંથી પાણી ખેંચે છે અને ગરમીના દિવસોમાં એ વૃક્ષોમાંથી સ્વયં પાણી ઝરવા લાગે છે. કેટલાંય વૃક્ષોના ફુલ આજે પણ લોકો આભૂષણ તરીકે ધારણ કરે છે. કેટલાંય ફળ ભૂખ અને તરસ છીપાવવાનું કામ કરે છે. કેટલાય વૃક્ષોની છાલ આજે પણ વસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવાય છે. આ પ્રમાણે વૃક્ષો માનવ માટે સદાય ઉપયોગી રહ્યાં છે. કલ્પવૃક્ષ કોઈ કાલ્પનિક વૃક્ષ ન હતા. જોકે આજે તેવાં વૃક્ષ નથી. પણ તેની સાથે સરખાવી શકાય તેવા કેટલાક વૃક્ષ આજે પણ છે. આ પરથી અનુમાન થઈ શકે કે કોઈ જમાનામાં આ પ્રકારના વૃક્ષો વિદ્યમાન હશે. • ચક્રવર્તીની માતા ચૌદ સ્વપ્ન ઝાંખો ઝાંખા જુએ છે. • બાર ચક્રવર્તીઓના બાર સ્ત્રીરત્નો નીચે પ્રમાણે હતા. (૧)સુભદ્રા (૨)ભદ્રા (૩)સુનંદા (૪)જયા (૫)વિજયા (૬)કૃષ્ણાશ્રી (૭)સૂરશ્રી (૮)પાશ્રી (૯)વસુંધરા (૧૦)દેવી (૧૧)લક્ષ્મીમતી (૧૨)કુરુમતી • બધા ચક્રવર્તીઓને મહામૂલ્યવાન ચોસઠ સેરનો મણિ-મુક્તાનો હાર હોય છે. • દરેક ચક્રવર્તીના છન્ને ક્રોડ ગામ હોય છે. દરેક ચક્રવર્તીના બોંતેર હજાર નગર હોય છે.
અને અડતાલીશ હજાર પારણ હોય છે. • પ્રત્યેક ચક્રવર્તીના સાત એકેન્દ્રિય રત્નો હોય છે. જેમ કે-(૧)ચક્રરત્ન (ર) છત્રરત્ન
(૩)ચામરરત્ન (૪)દંડરત્ન (૫)અસિરત્ન (૬)મણિરત્ન (૭)કાકિણીરત્ન . પ્રત્યેક ચક્રવર્તીના સાત પંચેન્દ્રિય રત્નો હોય છે જેમ કે (૧)સેનાપતિ રત્ન (૨)ગાથાપતિ રત્ન (૩)વર્ધકિરત્ન (૪)પુરોહિતરત્ન (૫)સ્ત્રીરત્ન (૬)અશ્વરત્ન (૭)હસ્તીરત્ન ચક્રવર્તીના ચૌદ રત્ન અને નવનિધિઓ આ પ્રમાણે છે. (૧) ચક્રરત્ન- આ આયુધશાલામાં ઉત્પન્ન થાય છે. સેનાની આગળ પ્રયાણ કરતું તે ચક્રવર્તીને પખંડ સાધવાનો માર્ગ દર્શાવે છે. ચક્રવર્તી એની સહાયથી શત્રુના શિરનું
229
Page #254
--------------------------------------------------------------------------
________________
છેદન પણ કરી શકે છે. (૨) છત્રરત્ન- આ રત્ન બાર યોજન લાંબુ અને પહોળું હોય છે. છત્રાકારના રૂપમાં તે સેનાનું ઠંડી, વરસાદ તેમજ તાપથી રક્ષણ કરે છે. છત્રીની માફક એને સમેટી પણ શકાય છે. (૩) દંડરત્ન- આ વિષમ માર્ગને સમ બનાવે છે. વૈતાદ્ય પર્વતની બંને ગુફાઓનાં દ્વાર ખોલી ઉત્તર ભારત તરફ ચક્રવર્તીને પહોંચાડી દે છે. દિગંબર પરંપરાની દૃષ્ટિથી વૃષણાચલ પર્વત પર નામ લખવાનું કાર્ય પણ આ રત્ન કરે છે. (૪) અસિરત્ન- આ રત્ન પચાસ આગળ લાંબું, સોળ આંગળ પહોળું, તેમજ અડધો આંગળ જાડું હોય છે. પોતાની તીક્ષણ ધાથી આ રત્ન દૂર રહેલા શત્રુઓને પણ નષ્ટ કરી નાંખે છે. (૫) મણિરત્ન:- સૂર્ય અને ચંદ્રની માફક આ રત્ન અંધકારનો નાશ કરે છે. આ રત્નને મસ્તક પર ધારણ કરી લેવાથી દેવ તથા તિર્યચકત ઉપસર્ગનો સ્પર્શ થતો નથી. હસ્તિરત્નના દક્ષિણ કુંભ સ્થલ પર આ રત્ન રાખવાથી અવશ્યમેવ વિજય પ્રાપ્ત થાય
(૬) કાકિણીરત્ન:- આ રત્ન ચાર આંગળના પ્રમાણમાં હોય છે. આ રત્નથી ચક્રવર્તી વૈતાઢ્ય પર્વતની ગુફામાં ઓગણપચાસ મંડલ બનાવે છે. એક એક મંડલનો પ્રકાશ એક એક યોજન સુધી ફેલાય છે અને આ રત્નથી ચક્રવર્તી ઋષભકૂટ પર્વત પર પોતાનું નામ અંકિત કરે છે. (૭) ચર્મરત્ન:- દિગ્વિજયના સમયે નદીઓ પાર કરાવવામાં આ રત્ન નૌકાના રૂપમાં કામ આવે છે અને પ્લેચ્છ નરેશો જલવૃષ્ટિ કરાવે છે ત્યારે તે સેનાની સુરક્ષા કરે છે. (૮) સેનાપતિરત્ન- તે સેનાનું પ્રમુખ થાય છે. તે વાસુદેવની સમાન શક્તિ સંપન્ન હોય છે. તે ચાર ખંડો પર વિજય કરે છે. (૯) ગાથાપતિ રત્ન:- આ રત્ન ચક્રવર્તી સેના માટે ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરે છે. દિગંબર ગ્રંથોમાં ગાથાપતિ રત્નને ગૃહપતિ-રત્ન કહ્યું છે એનું નામ છે કામવૃષ્ટિ ગૃહપતિ રત્ન. (૧૦) વર્ધકિરત્ન:- આ રત્ન ચક્રવર્તીની સેનાને માટે આવાસ વ્યવસ્થા કરે છે. ઉન્મગ્ન જલા, નિમગ્નજલા વગેરે નદીઓ પર પુલ બાંધવાનું કામ પણ આ રત્ન કરે
(૧૧) પુરોહિતરત્ન:- આ જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, લક્ષણ અને
230
Page #255
--------------------------------------------------------------------------
________________
વ્યંજન વગેરેનું પૂર્ણજ્ઞાતા હોય છે. દેવી ઉપદ્રવોને તે શાંત કરે છે. (૧૨) સ્ત્રીરત્ન:- તે સર્વાગ સુંદરી હોય છે. સદા યુવતી જ રહે છે. એનાથી તીવ્ર ભોગાવલી કર્મનો ઉદય થાય છે. એના પ્રત્યે ચક્રવર્તીને અત્યધિક રાગ હોય છે. (૧૩) અધ્વરત્ન:- આ શ્રેષ્ઠ અગ્ધ એક ક્ષણમાં સો યોજન દોડવાની શક્તિ ધરાવે છે. કીચડ, જલ, પહાડ, ગુફા વગેરે વિષમ સ્થલોને પણ તે સહજ રીતે ઓળંગી જાય છે. ભરત ચક્રવર્તીના અશ્વરત્નનું નામ “કમલાપીડ’ હતું. (૧૪) હસ્તિરત્ન:- તે ઐરાવત હાથીની જેમ સર્વગુણ સંપન્ન હોય છે.
પ્રત્યેક રત્નના એક એક હજાર દેવ રક્ષક હોય છે. ચૌદ રત્નોના ચૌદ હજાર દેવતા રક્ષક હતા. વૈદિક સાહિત્યમાં પણ ચૌદ રત્નોનાં નામ પ્રાપ્ત થાય છે. જે નીચે મુજબ છે. (૧)હાથી (૨)ઘોડો (૩)રથ (૪)સ્ત્રી (૫)બાણ (૬)ભંડાર (૭)માલા (૮)વસ્ત્ર (૯)વૃક્ષ (૧૦)શક્તિ (૧૧) પાશ (૧૨)મણિ (૧૩)છત્ર (૧૪)વિમાન. ચક્રવર્તીના નવ નિધિઃ
સમ્રાટ ભારતની પાસે નવનિધિ હતા. જેનાથી તેઓ મનવાંછિત વસ્તુઓ પ્રાપ્ત કરતા હતા. નિધિનો અર્થ ખજાનો છે. આચાર્ય અભયદેવ પ્રમાણે ચક્રવર્તીને પોતાના રાજ્ય માટે ઉપયોગી બધી વસ્તુઓની પ્રાપ્તિ નવનિધિ દ્વારા થાય છે. એટલે એની નવનિધાનરૂપે ગણના થઈ છે. (સ્થાનાંગ. વૃતિ પત્ર ૪ર૬) તે નવનિધિ નીચે પ્રમાણે છે. ૧. નૈસર્ષનિધિ:- આ નિધિ ગ્રામ-નગર-દ્રોણમુખ-મંડપ વગેરે સ્થાનોનું નિર્માણ કરવામાં સહાયક છે. ૨. પાંડુકનિધિ:- માન-ઉત્માન અને પ્રમાણનું જ્ઞાન કરાવે છે. તથા ધાન્ય અને બીજાને ઉત્પન્ન કરે છે. ૩. પિંગલનિધિ - આ નિધિ મનુષ્ય તેમજ તિર્યંચોના સર્વવિધ આભૂષણોની વિધિનું જ્ઞાન કરાવનારી છે તથા યોગ્ય આભરણ પ્રદાન કરનાર છે. ૪. સર્વરત્નનિધિ:- આ નિધિથી વજ, વૈડુર્ય, મરકત, માણિક્ય, પદ્મરાગ, પુખરાજ વગેરે બહુમૂલ્ય રત્ન પ્રાપ્ત થાય છે. ૫. મહાપદ્મનિધિ:- આ નિધિ સર્વ પ્રકારનાં શુધ્ધ તેમજ રંગીન વસ્ત્રોની ઉત્પાદિકા છે. કોઇ કોઇ ગ્રંથમાં એનું નામ પદ્મનિધિ પણ છે. ૬. કાલનિધિઃ- વર્તમાન, ભૂત, ભવિષ્ય, કૃષિકર્મ, કલાશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આ નિધિ કરાવે છે.
231
Page #256
--------------------------------------------------------------------------
________________
૭. મહાકાલનિધિ - સોના, ચાંદી, મોતી, પ્રવાલ, લોખંડ વગેરેની ખાણો ઉત્પન્ન કરાવવામાં સહાયક બને છે. ૮. માણનિધિ:- કવચ, ઢાલ, તલવાર વગેરે વિવિધ પ્રકારનાં દિવ્ય આયુધ, યુધ્ધનિધિ તથા દંડનીતિ વગેરેની જાણકારી કરાવનાર છે. ૯. શંખનિધિ:- વિવિધ પ્રકારના વાદ્ય, કાવ્ય-નાટક વગેરેના વિધિ અંગે જ્ઞાન કરાવનાર.
આ બધા નિધિ અવિનાશી હોય છે. દિવિજયથી પાછા વળતી વખતે ગંગાના પશ્ચિમ તટ પર અઠ્ઠમતપ દ્વારા ચક્રવર્તી સમ્રાટને પ્રાપ્ત થાય છે. પ્રત્યેક નિધિ એક એક હજાર યક્ષો વડે અધિષ્ઠિત હોય છે. એની ઊંચાઈ આઠ યોજન, પહોળાઈ નવયોજન તથા લંબાઇ દશ યોજન હોય છે. આ બધા નિધિ સ્વર્ણ અને રત્નોથી પરિપૂર્ણ હોય છે. ચંદ્ર અને સૂર્યના ચિહ્નોથી તે ચિહ્નિત હોય છે. તથા પલ્યોપમ આયુવાલા નાગકુમાર જાતિના દેવ તેના અધિષ્ઠાયક હોય છે.
આ નવનિધિઓ કામવૃષ્ટિ નામક ગૃહપતિ રત્નના આધીનમાં હતા. તેમજ ચક્રવર્તીના સમસ્ત મનોરથોને સંદેવ પૂર્ણ કરે છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નવનિધિઓના નામ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે. (૧)મહાપદ્મ (૨)પદ્મ (૩)શંખ (૪)મકર (૫)કચ્છપ (૬) મુકુંદ (૭)કુંદ (૮)નીલ (૯)ખર્વ. આ નિધિને કુબેરનો ખજાનો પણ કહેવામાં આવે છે.
- પર્વ ૧લું છઠ્ઠોસર્ગ - ચક્રવર્તી - (૧) ભરત:- છ ખંડનો નાથ, ૧૪ રત્નો ને નવનિધાનનો માલિક હતો. ભગવાન ઋષભદેવ અને રાણી સુમંગલાનો જ્યેષ્ઠ પુત્ર. એકવાર આરિસા ભુવનમાં વીંટી વિનાની આંગળી જોઇ. એનામાં એથી અનિત્ય સંસાર પ્રત્યેની અસારતા જાગી. એમણે એક એક અલંકારો ત્યજી ત્યાં જ દીક્ષા લીધી. એ ઉચ્ચ ભાવનામાં આરૂઢ થવાથી કેવલી થયા. એમણે અષ્ટાપદ ઉપર મુક્તિ સુંદરીને મેળવી. (૨) સગર ચક્રવર્તી:- અયોધ્યા નગરીના સુમિત્રરાજા અને યશોમતી રાણીનો કુમાર હતા. છ ખંડ પૃથ્વીના વિજેતા ૩ર૦૦૦ રાજ્યોના માલિક અને ૪પ૦ ધનુષની કાયા હતી. તેમણે ૭ર લાખ પૂર્વ આ ભૂમિને ભોગવી શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં થઈ ગયા. તે ૧૪ રત્નો, નવનિધાન ૬૪ હજાર રાણીઓના સ્વામી હતા. એમણે રાજ્ય વૈભવ ભોગવતા છતાં ધર્મ આરાધના સાધી લીધી. એમણે અજિતનાથ ભગવાન
232
Page #257
--------------------------------------------------------------------------
________________
પાસે જ દીક્ષા લઇ સંયમ પંથ સાધ્યો. તેઓ કઠીન કર્મોનો નાશ કરીને મુક્તિ પદના ભોગી બન્યા.
(૩) મઘવાઃ- શ્રાવસ્તી નગરીના સમુદ્રવિજય રાજા ને ભદ્રાદેવીના પુત્ર હતા. છ ખંડ વિજેતા, ૬૪ હજાર રાજ્યોના માલિક, ૪રરા ધનુષની કાયા હતી. તેમણે ૫ લાખ વર્ષ આ ભૂમિને ભોગવી. તેમણે રાજ્ય વૈભવ ભોગવી ધર્મપરાયણ જીવન ગાળ્યું. તેઓ ચંદ્રપ્રભુના ભક્ત રાજવી તરીકે જાણીતા છે.
આયુષ્ય પૂર્ણ થતાં ધર્મ આરાધનાના બળે સ્વર્ગમાં સિધાવ્યા.
(૪) સનતકુમાર:- હસ્તિનાપુરના અશ્વસેન રાજા ને સહદેવી રાણીના કુમાર હતા. ૪૧ાા ધનુષની કાયા હતી. ૩ લાખ વર્ષ આ ભૂમિ ભોગવી. ધર્મનાથ અને શાંતિનાથના વચ્ચેના સમયમાં આ પૃથ્વીપટે થઇ ગયા. એમણે રાજવૈભવ ભોગવી ધર્મપરાયણ જિદંગી ગાળી. એમણે આયુષ્ય પૂર્ણ થતાં આ પૃથ્વી પરથી વિદાય લીધી. તેઓએ ધર્મ પસાયે ત્રીજા દેવલોકનું સુખ ભોગવ્યું.
(૫) પાંચમા-શાંતિનાથ (જેમના ચરિત્ર આગળ વર્ણવ્યા છે.) (જેમના ચરિત્ર આગળ વર્ણવ્યા છે.)
(૬) છઠ્ઠા-શ્રીકુંથુનાથ (૭) સાતમા- શ્રી અરનાથ (જેમના ચરિત્ર આગળ વર્ણવ્યા છે.)
(૮) સુભ્રમઃ- હસ્તિનાપુરના કૃતવીર્ય રાજા અને તારાદેવીના પુત્ર હતા. ૨૮ ધનુષની કાયા હતી. ૬૦,૦૦૦ વર્ષ આ ભૂમિને ભોગવી. અરનાથ અને મલ્લિનાથના વચ્ચેના સમયમાં આ પૃથ્વી પેટે હતા. તેઓ રાજ્ય વૈભવને મોજ વિલાસમાં રચ્યા પચ્યા રહેતા. એ અરનાથ ભગવાનના ભક્ત હતા. પાપનું પ્રાયશ્ચિત ન કરવાથી કર્મસત્તાએ સાતમી નારકે મોકલ્યા.
(૯) મહાપદ્મ:- વારાણસી નગરીના પદ્મોતર રાજા ને જ્વાલા દેવીના પુત્ર હતા. ૨૦ ધનુષની કાયા હતી. તેમણે ૩૦,૦૦૦ વર્ષ આ ભૂમિને ભોગવી. તે મુનિસુવ્રત સ્વામીના સમયમાં થઇ ગયા. તેમણે રાજ્ય વૈભવ ભોગવવા છતાં પણ ધર્મ સાધના કરી હતી. તેમણે બધુંય ત્યાગીને ભગવાન પાસે દીક્ષા લીધી સંયમધારી બન્યા. એમણે કઠિન કર્મોનો નાશ કરી મુક્તિ સુંદરીને મેળવી લીધી.
(૧૦) હરિષણઃ- કાંપિલ્યપુરના મહાહરિ રાજા અને મેરાદેવીના પુત્ર હતા. નેવ્યાશી સો વર્ષ મહારાજા પદે રહ્યા. ૧પ ધનુષની કાચા, ૧૦ હજાર વર્ષ આ ભૂમિને ભોગવી મિનાથ ભગવાનના સમયે થયા. એ નિમનાથ ભગવાનના ભક્ત હતા. એમણે રાજ્ય વૈભવ ભોગવવા છતાં પણ ધર્મ આરાધના કરી. ભગવાન પાસે દીક્ષા લીધી અને મોક્ષે ગયા.
233
Page #258
--------------------------------------------------------------------------
________________
(૧૧) જયઃ- રાજગૃહી નગરીના વિજયરાજા ને વપ્રાદેવીના લાડકા પુત્ર હતા. ૧૨ ધનુષની કાયા હતી. ૩ હજાર વર્ષ સુધી આ પૃથ્વીને ભોગવી. નિમનાથ અને નેમનાથના વચ્ચેના સમયમાં થઇ ગયા. શેષ જીવનમાં સંયમ આરાધી ને મુક્તિ સુખને માણવા લાગ્યા.
(૧૨) બ્રહ્મદત્ત:- એ કાંપિલ્યપુર નગરના બ્રહ્મરાજ ને ચુલની રાણીના પુત્ર હતા. ૬૪ હજાર મુગટબંધી રાજાઓના માલિક હતા. એમની કાયા ૭ ધનુષની હતી. એમણે ૭૦૦ વર્ષ આ ભૂમિને ભોગવી. તે નેમનાથ અને પાર્શ્વનાથના વચ્ચેના સમયમાં થઇ ગયા. પાપનો પાશ્ચાતાપ ન કરવાથી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું.
આમ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષમાં આ અવસર્પિણી કાળમાં થયેલ બાર ચક્રવર્તીનું વિસ્તારથી વર્ણન છે જે વાંચવા યોગ્ય છે.
‘શ્રી અષ્ટાપદું મહાતીર્થ' ગ્રંથના આધારે ‘ભરતચક્રવર્તી"
ભરત ચક્રવર્તી:- ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી એ પ્રથમ ચક્રવર્તી રાજા બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ભગવાન શ્રી ઋષભદેવ સમવસરણમાં બિરાજીને દેશના આપતા હતા. ત્યારે ભરત મહારાજા દર્શનાર્થે આવ્યા. એ સમયે કુતૂહલવશ ચક્રવર્તી ભરતદેવે પૂછ્યું, “આ સમવસરણમાં દેશના સાંભળી રહેલા લોકોમાંથી ભવિષ્યમાં કોઇ તીર્થંકર થશે ખરા?' ત્યારે ભગવાન શ્રી ઋષભદેવે પ્રત્યુત્તર આપ્યો કે તમારો પુત્ર મરીચિ કેટલાય ભવો બાદ ચોવીશમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી બનશે. આ પછી ભગવાને વર્તમાન ચોવીશીની સમજ આપી.
જૈન આગમ ‘શ્રી સૂત્રકૃતાંગ’માં ઋષભદેવ ભગવાને તેમના પુત્ર ભરતને તેમના અષ્ટાપદ પર દેશના આપ્યાનો ઉલ્લેખ મળે છે. ‘ઉત્તરપુરાણ’ નામના ગ્રંથમાં એવું વર્ણન મળે છે કે ચક્રવર્તી ભરતે અતીત, વર્તમાન અને અનાગત એમ ત્રણેય ચોવીસીની એટલે કે બોંતેર તીર્થંકરોની મૂર્તિઓ ધરાવતા સુવર્ણ મંદિરની રચના કરી હતી અને આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિષ્કૃત ‘શત્રુંજય મહાત્મ્ય’ ગ્રંથમાં રાજા ભરતે ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ નજીક વર્ધકિરત્ન દ્વારા રત્નમય સિંહનિષદ્યા
પ્રાસાદની રચના કરી હતી.
આ રીતે ભિન્ન ભિન્ન ગ્રંથોમાં અષ્ટાપદ સંબંધે ચક્રવર્તી ભરત અને મુનિ ભરતના ઉલ્લેખો મળે છે.
‘વિવિધ તીર્થકલ્પ’ નામના ગ્રંથના ‘અષ્ટાપદ્મગિરિ કલ્પ'માં તથા આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના ‘શ્રી અષ્ટાપદ મહાતીર્થ કલ્પ'માં ભગવાન ઋષભદેવના નિર્વાણની ઘટનાના આલેખનમાં અષ્ટાપદગિરિ વિશેના વર્ણનમાં દેવતાઓએ અહીં ત્રણ સ્તૂપ
234
Page #259
--------------------------------------------------------------------------
________________
કર્યા એવી નોંધ છે. જ્યારે ભરત રાજાએ શ્રી ઋષભદેવના સંસ્કાર-સમર્પણની ભૂમિ પર ત્રણ ગાઉ ઊંચો અને જાણે મોક્ષ મંદિર વેદિકા હોય તેવો સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણથી વાર્ષિકી રત્ન પાસે કરાવ્યો. તેવી ગાથા સાંપડે છે. આમાં જ ઉલ્લેખ મળે છે કે “ચૈત્યની ભીંતોમાં વિચિત્ર મણિમય ગોખલા રચ્યા હતા.”
વળી, અહીં એક ઉલ્લેખ મળે છે કે “ચૈત્યના પૃષ્ઠ ભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનોહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી, તેથી અપ્સરાઓથી અધિષ્ઠિત મેરુ પર્વતની જેવું તે શોભતું હતું.'
એ પછી એક વિસ્તૃત અતિ મહત્ત્વનો ઉલ્લેખ આ પ્રમાણે છે.
ત્યાં(અષ્ટાપદ) આવનારા પુરુષો ગમનાગમન વડે એની આશાતના ન કરે એવું ધારીને લોઢાના યંત્રમય આરક્ષક પુરુષો તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યંત્રમય લોઢાના પુરુષોથી જાણે મર્યલોકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યોને અગમ્ય થઈ પડ્યું. પછી ચક્રવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા, તેથી સરળ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તેવો થઈ ગયો. પછી મહારાજાએ એ પર્વતની ફરતા મેખલા જેવા અને મનુષ્યોથી ઉલ્લંઘન થઈ શકે નહિ એવા એક એક યોજનને અંતરે આઠ પગથિયા બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પડ્યું. અને લોકોમાં તે “હિમાદ્રિ', “રજતાદ્રિ', “કેલાસ” અને “સ્ફટિકાચલ” એવા નામથી પણ ઓળખાવા લાગ્યો.”
બલદેવ-વાસુદેવ બલદેવ, વાસુદેવ. આ બંને ભાઈઓનાં રૂપ હોય છે. નવ બલદેવ, નવ વાસુદેવ તથા નવ પ્રતિવાસુદેવ, આ પ્રમાણે સત્તાવીશ વિશિષ્ટ વ્યક્તિ હોય છે. વાસુદેવ અર્ધચક્રી હોય છે. તે ત્રણ ખંડના અધિપતિ હોય છે. તેઓને ઉત્તમ પુરુષ માનવામાં આવ્યા છે. તે ઓજસ્વી, તેજસ્વી, બળવાન અને સ્વરૂપવાન હોય છે. તેઓ કાન્ત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શી હોય છે. તે મહાબલી, અપ્રતિહત અને અપરાજિત હોય છે. શત્રુઓનું સારી રીતે મર્દન કરનારા હોય છે. તેઓ હજારો શત્રુઓના માનને એક ક્ષણમાં નષ્ટ કરી નાંખે છે. તેઓ દયાળુ, અમત્સર, અચપલ અને પ્રચંડ હોય છે. એમનો સ્વભાવ ખૂબ જ મધુર હોય છે. એમની વાણી ગંભીર, મૃદુ તથા સત્ય હોય છે. એમના શરીર પર અનેક શુભ લક્ષણો હોય છે. તેઓ ચંદ્રની જેમ સૌમ્ય, સૂર્યની જેમ પ્રચંડ, પ્રકાંડ, દંડનીતિજ્ઞ, સમુદ્ર સમાન ગંભીર, યુધ્ધમાં દુર્ધર તથા ધનુર્ધર હોય છે. તે રાજવંશમાં તિલક સમાન હોય છે. બલદેવના હાથમાં તલ હોય છે અને વાસુદેવ ધનુષ્ય રાખે છે. વાસુદેવ શંખ, ચક્ર, ગદા, શક્તિ અને નન્દક ધારણ કરે છે. એમના
235
Page #260
--------------------------------------------------------------------------
________________
મુકુટમાં શ્રેષ્ઠ, ઉજ્જવલ, શુક્લ, વિમલ, કૌસ્તુભમણિ આવેલો હોય છે. અને કાનમાં કુંડળ હોય છે. તથા પંચરંગી સુગંધિત ફૂલોની માળા હોય છે. એમના અંગઉપાંગમાં આઠસો પ્રશસ્ત ચિન્હો હોય છે. એમનાં અંગ ઉપાંગ સર્વાગ સુંદર હોય છે. બલદેવ નીલ અને વાસુદેવ પીળા રંગના વસ્ત્ર ધારણ કરે છે. બલદેવ નિદાન રહિત હોય છે.
જ્યારે વાસુદેવ નિદાનત હોય છે. બલદેવ ઊર્ધ્વગામી હોય છે. જ્યારે વાસુદેવ અધોગામી હોય છે.
પ્રતિવાસુદેવને વાસુદેવ પરાજીત કરે છે અને અંતમાં સ્વચક્રથી જ પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે.
આયુ પૂર્ણ થતાં વાસુદેવ નરકે જાય છે, બળદેવ મોક્ષગામી હોય છે. પ્રતિવાસુદેવ પણ નરકે જાય છે.
નવ બળદેવ બળદેવની માતા ૫ સ્વપ્ન જુએ.
દરેક બળદેવ એમના સમયના વાસુદેવ સાથે રાજવૈભવ ભોગવે અને સ્નેહરાગથી રહે અને વાસુદેવના મરણ પછી શોકમગ્ન દશા ભોગવી, આચાર્ય દેવના પ્રતિબોધે સંયમી થાય. સંયમપાળી કર્મ ખપાવી મોક્ષે જાય. અપવાદ:- (બળભદ્ર બળદેવ સંયમપાળી પાંચમા દેવલોકમાં જાય છે.) કમ/ નગરી પિતા માતા ઓરમાન કાયા આયુષ્ય ગતિ નામ
ભાઈ પહેલા પોતન પ્રજાપતિ બીજી ત્રિપુષ્ઠ સફેદ ૮૫લાખ મોક્ષ અચળ પુર રાજા રાણી
ધનુષ
ભદ્રાદેવી બીજા દ્વારિકા બ્રહ્મરાજ બીજી દ્વિપુષ્ઠ શ્વેત ૭પલાખ મોક્ષ વિજય રાણી
વર્ષ સુભદ્રા ત્રીજા દ્વારિકા ભદ્રરાજ બીજી સ્વયંભૂ ઉજ્જવળ ૬૫લાખ મોક્ષ ભદ્ર રાણી
વર્ષ સુપ્રભા ચોથા દ્વારિકા સોમરાજા બીજી
ઉજ્જવળ ' પપલાખ મોક્ષ સુપ્રભ
સુદર્શના
ધનુષ
વર્ષ
૭૦
ધનુષ
રાણી
ત્તમ
પ૦
236
Page #261
--------------------------------------------------------------------------
________________
પાંચમા અંબ
સુદર્શન -પુર
છઠ્ઠા આનંદ
ચક્રપુર
સાતમા કાશી
નંદન
શિવરાજ
રાજા
મહાશિર
રાજા
અગ્નિસિંહ
રાજા
આઠમા અયોધ્યા દશરથ
રામચંદ્ર
રાજા
નવમા મથુરા વસુદેવ
બળભદ્ર
બીજી
વિજયા
બીજી
રાણી
વિજયવંતી
બીજી
રાણી
અપરાજિતા
બીજી
રાણી
કૌશલ્યા
બીજી
રાણી
રોહિણી
પુરુષ
-સિંહ
ધનુષ
પુરુષ
પુંડરિક
દત્ત
લક્ષ્મણ
કૃષ્ણ
શ્વેત
૪૫
ધોળી
૨૯
ધનુષ
સફેદ
૨૬
ધનુષ
શ્વેત
૧૬
ધનુષ
ઉજ્જવળ
૧૦
ધનુષ
૧૭લાખ મોક્ષ
વર્ષ
237
૮પહજાર મોક્ષ
વર્ષ
પહજાર
વર્ષ
૧૫હજાર
વર્ષ
૧૨હજાર
વર્ષ
નવ પ્રતિવાસુદેવ
શ્રીકાંતના ભવથી વસુદત્ત સાથે બાંધેલી પરંપરા કેટલાક ભવ સુધી ચાલી, આ ભવમાં લક્ષ્મણ વાસુદેવે, સીતા હરણના બહાને યુધ્ધમાં હણ્યો. નવ માણેકના હારમાં પડતા મોઢાના પ્રતિબિંબિથી દશમુખ કહેવાયો આ આત્મા આવતી ચોવીશીમાં મહાવિદેહે તિર્થંકર થઇ મોક્ષે જશે. જરાસંઘ વિશે વિશેષઃ
મોક્ષ
મોક્ષ
આમ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ગ્રંથમાં આચાર્ય હેમચંદ્રાચાર્યે નવ બળદેવના નામ, નગરી, પિતા, માતા, કાચા, આયુષ્ય, ઓરમાન ભાઇ તેમજ તેઓની ગતિ વગેરેનું સુંદર રીતે નિરૂપણ કર્યું છે.
પાંચમા
દેવલોકમાં
એની બેન જીવયા ને મથુરા પતિ કંસને પરણાવી
બેનના અપમાનનો બદલો લેવા યાદવો સામે વેર બાંધ્યુ.
એથી એ યાદવોએ દક્ષિણમાં દ્વારિકા વસાવી, તેમાં કૃષ્ણ વાસુદેવ પરાક્રમી થયો. એ પૂર્વભવના વેરની પરંપરાએ વાસુદેવે યુધ્ધમાં હણી નાંખ્યો.
આમ, આ ગ્રંથમાં નવ પ્રતિવાસુદેવના નામ, નગર, પિતા, માતા, તેમની સ્ત્રીઓ, કયા ભવમાં નિયાણુ કર્યું તે, કાયાનું માપ, આયુષ્ય ગતિ વગેરેનું કુશળતાથી ઉપસાવ્યું છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
238
ક્રમ/નામ નગર
પહેલા
ત્રિપુષ્ઠ
બીજા
દ્વિપુષ્ઠ
ત્રીજા સ્વયંભૂ
પિતા
પોતનપુર પ્રજાપતિ મૃગાવતી ત્રણ ખંડ રાણી રાજા
વિજેતા બત્રીસ
બ્રહ્મરાજ પદ્મદેવી હજાર દ્વારકા રાજા રાણી મુગુટબંધી
રાજા
રાજા
દ્વારકા ભદ્રરાજ પૃથ્વીદેવી ત્રણ ખંડ વિજેતા હજાર
ચોથા દ્વારિકા પુરુષોતમ
નવ વાસુદેવ
વાસુદેવની માતા ૭ સ્વપ્ન જુએ. નિયમથી વાસુદેવ મરીને નરકે જાય.
માલિકી
કાયા
કયા પ્રતિવાસુદેવને મારી લક્ષ્મી મેળવી અશ્વગ્રીવ
છઠ્ઠા ચક્રપુર
માતા
મહાશિર
ઓરમાન મોટાભાઇ
અચળ
વિજય
સોમરાજ સીતાદેવી મુગુટબંધી સુપ્રભ રાજા રાણી
રાજા
પાંચમા અંબપુર શિવરાજ અમૃતદેવી ત્રણ સુદર્શન પુરુષસિંહ
ખંડ વિજેતા
હજાર આનંદ
લક્ષ્મીદેવી
ભદ્ર
તારક
મરક
મધુકોટભ
નિશુભ
બિલ
આયુષ્ય
શ્યામ ૮૪લાખ શ્રેયાંસનાથ ૮૦ ધનુષ વર્ષ
કયા ભ.ના મરીને કઇ સમયે થયા
નરકે ગયા
૭મી
શ્યામ
૭૦ ધનુષ
૭૨લાખ વાસુપૂજ્ય વર્ષ
શ્યામ ૫૦ ધનુષ
દી
શ્યામ ૬૦લાખ વિમલનાથ ૬ઠ્ઠી
૬૦ ધનુષ
વર્ષ
૩૦લાખ અનંતનાથ ૬ઠ્ઠી
વર્ષ
મેઘવર્ણી ૧૦લાખ ધર્મનાથ ૬ઠ્ઠી ૪૫નુષ વર્ષ
કાળી
પવર્ષ અરનાથ
૬ઠ્ઠી
Page #263
--------------------------------------------------------------------------
________________
પુરુષપુંડરિક
મુગુટબંધી રાજા
ર૯ ધનુષ અને
મલ્લિનાથના વચ્ચેના સમયમાં
સાતમા કાશી
અગ્નિસિંહ શેષવતી
દત્ત
ત્રણ નદન પ્રહલાદ
ખંડ વિજેતા
૩૨ રામચંદ્ર રાવણ મુગુટબંધી
આઠમા અયોધ્યા દશરથ લક્ષ્મણ
સુમિત્રા
કાળી પહજાર અરનાથ પમી ર૬ ધનુષ વર્ષ અને
મલ્લિનાથના વચ્ચેના સમયમાં કાળી ૧રહજાર મુનિસુવ્રત ૪થી ૧૬ ધનુષ વર્ષ નેમનાથના
વચ્ચેના સમયમાં શ્યામ ૧હજાર નેમનાથ ૩જી ૧૦ ધનુષ વર્ષ
રાજા
239
નવમા
મથુરા
વસુદેવ
દેવકી
”
બળભદ્ર જરાસંઘ
આમ આ ગ્રંથમાં નવ વાસુદેવના નામ, નગર, પિતા, માતા, માલિકી, ઓરમાન ભાઈ, કથા, પ્રતિવાસુદેવને મારી લક્ષ્મી મેળવી તે, તેમની કાયા, આયુષ્ય, કયા ભગવાનના સમયે થયા છે તેમજ મરીને કઇ નરકમાં જશે આદિ વર્ણનો અદ્દભુત રીતે આલેખ્યા છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
નવ પ્રતિવાસુદેવ ક્રમ/નામ નગર પિતા માતા કેટલા રાજા નમાવ્યા કેટલી એના કયા ભવમાં કયા કયા આયુષ્ય ગતિ કેટલા ખંડ જીત્યા સ્ત્રી ઓ હતી રાજાએ નિર્વાણ કર્યું
વર્ષ પહેલા રત્નપુર મયુરગ્રીવ નિલાંજના ૧૬હજાર ૧૬ હજાર વિશાખાનંદી શ્યામ ૮૪લાખ ૭મી અશ્વગ્રીવ રાજા રાણી ૩ ખંડ
વિશ્લભૂતિએ ૮૦ ધનુષ નારકે ગયા બીજા વિજયપુર શ્રીધર શ્રીમતી ૧૬હજાર ૧૬ હજાર વિંધ્યશક્તિ શ્યામ ૭૦લાખ નરકમાં તારક રાજા રાણી ૩ ખંડ
પર્વતરાજાએ ૭૦ ધનુષ ત્રીજા નંદગ્રામ સમરકેશરી સુંદરી ૧૬હજાર ૧૬ હજાર બલિ
શ્યામ ૬૦લાખ નરક મેરાક રાજા રાણી ૩ ખંડ
ધનમિત્રે ૬૦ ધનુષ ચોથા પૃથ્વીપુર વિલાસ ગુણવંતી ૧૬ હજાર ૧૬ હજાર ચંડશાસન શ્યામ ૫૦લાખ નક મધુકૈટભ
૩ ખંડ
સમુદ્રદત્ત. ૫૦ ધનુષ પાંચમા ૧૬ હજાર
શ્યામ ૧૦લાખ નરક નિશુંભ ૩ ખંડ
૪પ ધનુષ છઠ્ઠા દક્ષિણ – ૧૬ હજાર ૧૬ હજાર
શ્યામ ૫૦હજાર નરક બલિ ભરતાર્ધ
૩ ખંડ
પ્રિયમિત્રએ ર૬ ધનુષ સાતમા તિલકપુર – – ૧૬ હજાર ૧૬ હજાર બલમંત્રિ શ્યામ – નરક પ્રહલાદ
૩ ખંડ
લલિતમિત્રે વજુકાયા આઠમા લંકા વિદ્યાધર કેકસી ૧૬ હજાર ૧૬ હજાર
શ્યામ
નરક રાવણ નગરી રાજા રત્નશ્રવાર ૩ખંડ નવમા રાજગૃહી - ૧૬ હજાર - ૧૬ હજાર
– – નરક જરાસંઘ
૩ ખંડ
240
પુરુષસિંહ
Page #265
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી, વાસુદેવ પર લખાયેલી અન્ય કૃતિઓ :
ભરતેશ્વરાક્ષુષ્ય કાવ્યઃ- આ કાવ્ય ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી ભરતના ઉદાત ચરિતનું આલેખન કરે છે. તેના કર્તા મહાકવિ આશાધર (વિ.સં.૧૨૩૭-૧૨૯૬) છે.
બીજા ચક્રવર્તી સગરના જીવન ઉપર પ્રાકૃત કૃતિ ‘સગરચક્રી ચરિત'નો ઉલ્લેખ છે. તેનો સમય સં.૧૧૯૧ છે. તેના લેખક અજ્ઞાત છે.
ત્રીજા ચક્રવર્તી મઘવાના જીવન ઉપર સ્વતંત્ર ચરિત ઉપલબ્ધ નથી.
સનત્કુમાર ચિરતઃ- ચોથા ચક્રવર્તી સનન્કુમારના જીવન ઉપર પ્રાકૃત ભાષામાં રચાયેલ મોટી કૃતિ છે. તેનું પરિમાણ ૮૧૨૭ શ્લોક પ્રમાણ છે. આ ચિરતમાં નાયકના અદ્ભુત કાર્યોના વર્ણન પ્રસંગે કહ્યું છે કે એકવાર તે એક ઘોડા ઉપર બેઠા. તો ઘોડો ભાગીને ગાઢ જંગલમાં લઇ ગયો. ત્યાં તેને અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો પરંતુ તે બધા ઉપર તેણે વિજય મેળવ્યો અને તેની વચમાં અનેક વિદ્યાધર પુત્રીઓ સાથે લગ્ન કર્યા. આ કૃતિના કર્તા શ્રીચન્દ્રસૂરિ છે. કૃતિની રચના સં.૧૯૧૪ આસો વદ ૭ બુધવારે થઇ હતી.
પાંચમા, છઠ્ઠા અને સાતમા ચક્રવર્તી શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ છે. અર્થાત્ સોળમા, સત્તરમા અને અઢારમા તીર્થંકર છે.
શાંતિનાથ પર ઘણા કવિઓએ ચરિત્ર રાસાઓ લખ્યા. તે નીચે મુજબ છે.
૧૩
શાંતિનાથ ચરિત્ર
શાંતિનાથ રાસ
શાંતિનાથ રાસ
શાંતિનાથ રાસ
શાંતિનાથ ચરિત બાલા
શાંતિનાથ રાસ
શાંતિનાથ રાસ
શાંતિનાથ રાસ
શાંતિનાથ રાસ
શાંતિનાથ રાસ
શાંતિનાથ રાસ
શાંતિનાથ રાસ
અજ્ઞાત
જ્ઞાન સાગર
રત્નવિજય ગણિ
અજ્ઞાત
લક્ષ્મીવિજય
પ્રેમરત્ન
દાનવિજય
માણિક્યસોમ
કેશરવિજય ગણિ
રામવિજય વા.
મુક્તિહંસ
ખુશાલચંદ્ર
241
૧૬૧૭
૧૭૨૦
૧૭૭૯
૧૭૯૮
૧૭૯૯
૧૮૦૭
૧૮૮૭
૧૭૩૫
૧૭૬૪
૧૭૮૫
૧૭૯૨
૧૭૯૦
Page #266
--------------------------------------------------------------------------
________________
સુભૌમ ચિરતઃ- આઠમા ચક્રવર્તી સુભૌમના ચરિત્રનું આલેખન ૭ સર્ગોમાં થયું છે. કુલ ૮૪૧ શ્લોક છે. આ ચિરત્રમાં કવિએ કથા પ્રસંગો દ્વારા અભિમાન કરવાનું પરિણામ, નિદાનનું ફળ, અતિ લોભનું ફળ, નવકાર મંત્રનું મહાત્મ્ય દર્શાવ્યું છે. આ કૃતિના કર્તા ભટ્ટારક રત્નચન્દ્ર પ્રથમ છે. રચના કાળ સં.૧૬૮૩ ભાદરવા સુદ ૫ આપવામાં આવ્યો છે.
પંડિત જગન્નાથકૃત ‘સુભૌમચરિત્ર’ નામની એક રચનાનો ઉલ્લેખ મળે છે. નવમા ચક્રવર્તી મહાપદ્મના ચરિત્રનું આલેખન કરતી કોઇ કૃતિનો ઉલ્લેખ મળતો
નથી.
દસમા ચક્રવર્તી હરિષણ ઉપર પ્રાકૃતમાં રચાયેલા હરિષેણ ચરિત્રના ઉલ્લેખ મળે છે. અગિયારમા ચક્રવર્તી ઉપર પ્રાકૃતમાં રચાયેલા જયચક્રી ચરિત્રનો ઉલ્લેખ મળે છે. બારમા ચક્રવર્તી ઉપર બ્રહ્મદત્ત ચક્રવર્તી કથાનક નામની રચનાનો ઉલ્લેખ મળે છે. નવ અર્ધચક્રવર્તી કે નવ વાસુદેવ ઉપર કેવળ કૃષ્ણ સિવાય અન્ય કોઇ ઉપર સ્વતંત્ર રચના મળતી નથી.
કૃષ્ણચરિતઃ- આ ચરિત શ્રાધ્ધદિન કૃત્ય નામની કૃતિમાં દષ્ટાન્ત રૂપે દેવામાં આવ્યું છે. ત્યાંથી તેને સ્વતંત્રરૂપે લઇ તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં ૧૧૬૩ પ્રાકૃત ગાથા છે. તેમાં વસુદેવચરિત, કંસચરિત, ચારુદત્તચરિત, કૃષ્ણ-બલરામચરિત, રાજીમતીચરિત, નેમિનાથચરિત, દ્રૌપદીહરણ, દ્વારિકાદાહ, બલદેવદીક્ષા, નેમિનિર્વાણ, ભાવિ તીર્થંકર અમમ આદિના વર્ણન કરવામાં આવ્યા છે. આ રચના આખી કથાપ્રધાન છે. કથાનો આધાર વસુદેવહિણ્ડી અને જિનસેન કૃત હરિવંશપુરાણ છે. આ કૃતિના કર્તા તપગચ્છના દેવેન્દ્રસૂરિ છે. આ રચના ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં રચાઇ છે.
જૈન રત્નચિંતામણિમાંથી ઋષભદેવ ભગવાનના એક પટ્ટચિત્રના આધારે તેમનું ચરિત્રઃ
૧૭ મી સદીનું જૈન પટ્ટચિત્ર જે શ્રીૠષભનાથના જીવનને આલેખે છે તે આધારે ઋષભદેવ.૧૪
આ ચિત્ર પટ્ટમાં ૧૬ પેનલોમાં ઋષભદેવ ભગવાનના જીવનનું વર્ણન છે. તેમા ર૧ દશ્યો છે. જેમાં ઋષભનાથની સિધ્ધિઓ પણ છે.
જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે મનુષ્ય પોતે જ પોતાના વર્તમાન અને ભાવિનો ઘડવૈયો
242
Page #267
--------------------------------------------------------------------------
________________
છે. ષભનાથ એ પૂર્ણતાના આદર્શ પુરુષ હતા, જેમણે કર્મો દ્વારા, પૂર્ણજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત કરેલી, આથી તેઓ “તીર્થકર કહેવાયા.
તીર્થકર તેને કહેવાય જે ઉચ્ચ પ્રકારના ધર્મના એક મહાન તીર્થસંઘની રચના કરે છે. જેની મદદથી લોકો પોતાના દુઃખો દૂર કરી શકે છે. જ્યારે લોકોમાં સદાચારનો ક્ષય થવા માંડે અને જગતમાં સદ્ધર્મની લોકો અવહેલના કરે ત્યારે તીર્થકરો સદ્ધર્મની પુનઃ સ્થાપના કરે છે.
માટીકામની કલાથી લઈ કાપડ વણવાની બધી જ કલા તેમણે શોધી. તે કૃષિદેવતા, સૂર્યદેવતા તરીકે ઓળખાયા.
ભગવાન ઋષભનાથનું જીવન ચરિત્ર ત્રિષષ્ઠિ શલાકા પુરુષ, દિગંબર આદિ પુરાણમાં વિગતવાર છે. તેમજ કલ્પસૂત્રમાં ટૂંકમાં આપેલ છે.
ધ્વનિશાસ્ત્રીઓ ઋષભને Re-shef-“રી શેફ' કહીને બોલાવતા. ગ્રીક વગેરે લોકો તેમને એપોલો તરીકે ઓળખતા. મોટા ભાગના એશિયાના લોકો તેમને વૃષભદેવ તરીકે પૂજતા હતા. - શિવપુરાણમાં તેમનો ઉલ્લેખ શિવના એક યોગાવતાર તરીકે થયેલો છે. (શિ.પુ.-પર્વ-૭, શ્લોક- ૯૩)
૧૭મી સદીનું ભગવાન ઋષભદેવના જીવનને વર્ણવતું પટ્ટચિત્ર મધ્યયુગ પછીના સમયની વિરલ કલાકૃતિ છે જેના આધારે પરમાત્માનું જીવન ચરિત્ર તેમજ એ સમયની સામાજિક પ્રવૃતિ, ધાર્મિક લાગણી આદિ જાણી શકાય છે. આદિનાથ ભગવાનના પૂર્વભવ::
ર૪ તીર્થકરોના તીર્થોની અંદર બાર ચક્રવર્તી, નવ અર્ધચક્રવર્તી નવ બળદેવ, નવ પ્રતિવાસુદેવ થયા છે. એ સર્વે આ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળની અંદર થયેલ ત્રિષષ્ટિ શલાકા પુરુષ છે. તેમાંના કેટલાકને મોક્ષ પ્રાપ્તિ થયેલી છે. કેટલાકને થવાની છે. આ મહાપુરુષોના ચારિત્રનું વર્ણન એ કલ્યાણ અને મોક્ષનાં સ્થાનરૂપ છે.
ભગવાન ઋષભદેવ આ અવસર્પિણી કાળમાં ત્રીજા આરાના છેડે થયેલા પ્રથમ તીર્થકર છે. ભગવાન ઋષભદેવના ૧૩ ભવ આ પ્રમાણે છે. ૧) ધનસાર્થવાહ ૨) ઉત્તરકુરુમાં યુગલિક
243
Page #268
--------------------------------------------------------------------------
________________
૩) સૌધર્મ દેવલોક ૪) મહાવિદેહમાં મહાબલ રાજા ૫) લલિતાંગ કુમાર (દેવ) ૬) વજજંઘ રાજા ૭) યુગલિક ૮) સૌધર્મ દેવલોક ૯) જીવાનંદ વૈદ્ય ૧૦) અશ્રુત દેવલોક ૧૧) મહાવિદેહમાં વજનાભ ૧૨) સવાર્થસિધ્ધ વિમાનમાં દેવ ૧૩) ઝાષભદેવ ભગવાન ઋષભદેવ અને શ્રેયાંસકુમારના ૯ ભવ (૧) લલિતાંગ દેવ: સ્વયંપ્રભાદેવી (૨) વજબંઘ રાજા શ્રીમતી રાણી (૩) યુગલિક યુગલિની (૪) સૌધર્મ દેવલોક બન્ને દેવ (૫) જીવાનંદ વૈદ્યઃ કેશવ (૬) અય્યત દેવલોક બંને દેવ (૭) વજનાભ ચક્રીઃ સારથી (૮) સવાર્થસિધ્ધ વિમાનમાં સાથે (૯) ભગવાન ઋષભદેવ : શ્રેયાંસકુમાર
244
Page #269
--------------------------------------------------------------------------
________________
આદીશ્વર દાદા
જન્મ ફાગણ વદ આઠમ, ઉતરાષાઢા નક્ષત્ર, ધનરાશિ.
/
ચં ૯ ૧૦ X - સૂ ૧૧ બુ
૭ ૮ રાX શ ૫
મંગળ-સ્વગૃહી શુક્ર ઉચ્ચનો સૂર્ય, શનિ, શુક્ર, ગુરુનો સ્વરાશિ પરિવર્તન યોગ તથા ચંદ્ર કેતુનો ઉચ્ચ રાશિ અને ચંદ્ર રાહુનો નીચ રાશિ પરિવર્તન યોગ છે. ચંદ્ર અને રાહુના નીચ ભંગ રાજયોગ છે. નવેય ગ્રહો પરિવર્તનના કારણે ઉચ્ચ સ્વગૃહી બને છે. ચતુરયોગ અને પરસ્પર કારકત્વ યોગ થાય છે. પત્નીયોગ, તપયોગ, પૌત્રયોગ, પારણાયોગ, માતાયોગ, વંશાનુવંશ યોગ હતા."
- શ્રી આદિનાથ ભગવાનનું જીવન દર્શન માતા:મરુદેવા
કુમારકાળ ૨૦લાખ પૂર્વ પિતા નાભિરાજા
ગૃહસ્થ કાળ ૮૩લાખ પૂર્વ વંશ ઈક્વાકુ
સંયતકાળ:૧લાખ પૂર્વ ગોત્ર કશ્યપ
ગણધર:૮૪ વર્ણ સુવર્ણ
સાધુ:૮૪૦૦૦ ઊંચાઈઃ૫૦૦ ધનુષ
સાધ્વી:૩,૦૦,૦૦૦ લાંછન:વૃષભ
શ્રાવક:૩,૦૫,૦૦૦ ગર્ભકાળ ૯ મહિનાને ૪ દિવસ
શ્રાવિકા ૫,૫૪,૦૦૦ રાજ્યકાળ ૬૩લાખ પૂર્વ
યક્ષ ગોમુખ
245
Page #270
--------------------------------------------------------------------------
________________
છદ્મસ્થકાળ ૧,૦૦૦ વર્ષ
યક્ષિણી ચક્રેબ્યુરી જીવનકાળ:૮૪લાખ પૂર્વ
ચ્યવન કલ્યાણક જેઠ વદ-૪ પુત્ર/પુત્રીઃ ૧૦૦/ર
ચ્યવન નક્ષત્ર:ઉત્તરાષાઢા જન્મરાશિ :ધન
જન્મકલ્યાણક ફાગણ વદ-૮ જન્મભૂમિ અયોધ્યા
જન્મનક્ષત્ર:ઉત્તરાષાઢા દીક્ષા કલ્યાણક ફગણ વદ ૮
પારણાનું સ્થળ હસ્તિનાપુર દીક્ષાનક્ષત્રઃઉત્તરાષાઢા
પ્રથમ પારણું ઇક્ષુરસ દીક્ષા તપ ર ઉપવાસ
સહ દીક્ષિતો:૪૦૦૦ દિીક્ષા શિબિકા સુદર્શના
કેવલજ્ઞાન કલ્યાણક મહાવદ ૧૧ દીક્ષા વૃક્ષ વટ
કેવલજ્ઞાન તપઃ૩ ઉપવાસ દીક્ષા ભૂમિ અયોધ્યા
કેવલજ્ઞાન વૃક્ષ વટ કેવલજ્ઞાન નક્ષત્ર:ઉત્તરાષાઢા
નિર્વાણ કલ્યાણક પોષ વદ ૧૩ કેવલજ્ઞાન ભૂમિ પુરિમતાલ
નિર્વાણ તપ:૬ ઉપવાસ નિર્વાણ નક્ષત્ર અભિજિત નિર્વાણ ભૂમિ અષ્ટાપદ
પ્રથમ તીર્થકર ભગવાન રાષભદેવ ભગવાન ઋષભદેવ માનવ સંસ્કૃતિના આદિ નિર્માતા છે અને એમણે જ સૌ પ્રથમ પરિવાર પ્રથા, સમાજ વ્યવસ્થા, શાસન પધ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી. ભારત વર્ષમાં ઇક્વાકુભૂમિમાં, કૌશલદેશમાં આવેલી અયોધ્યા નગરીમાં ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ અને નેવ્યાસી પક્ષ (ત્રણવર્ષ, સાડાઆઠ માસ) બાકી હતા ત્યારે અંતિમ કુલકર નાભિના પુત્રરૂપે ઋષભદેવનો જન્મ થયો.
દરેક તીર્થકરોની માતાઓ જે મહાસ્વપ્નો જુએ છે તેવા ૧૪ વિશિષ્ટ સ્વપ્નોનાં એમનાં માતા મરુદેવીને દર્શન થયાં. સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયો હતો. તેથી ચૈત્ર કૃષ્ણ અષ્ટમીના દિવસે જન્મેલા આ શિશુનું નામ ઋષભ રાખવામાં આવ્યું. તત્કાલીન રિવાજ અનુસાર સુનંદા અને સુમંગલા સાથે એમનાં લગ્ન થયાં. અંતિમ કુલકર નાભિએ પ્રજાની વિનંતીને માન આપીને ત્રાષભદેવને રાજા બનાવ્યા અને આમ તેઓ પૃથ્વીના પ્રથમ રાજા બન્યા. અનેક વર્ષો સુધી રાજા ઋષભે રાજ્ય કર્યું. એ સમયે એમણે એકલવાયું જીવન ગાળતી માનવજાતિને પરિવાર આપ્યો, સમાજ સ્થાપ્યો, સમાજને કલાઓ શીખવી, પૃથ્વીને ભોગભૂમિને બદલે કર્મભૂમિ બનાવી. લોકજીવન સુવ્યવસ્થિત કરીને ધર્મજીવન આપ્યું. ત્યાગને જીવન શુધ્ધિનું, તપને જીવન ક્રિયાનું અને મોક્ષને માનવીનું અંતિમ લક્ષ્ય હોવાનો ઉપદેશ આપ્યો.
246
Page #271
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાવસ્થામાં રાજા ઋષભદેવે પુત્ર ભરતને રાજ્યશાસન સોંપીને ચૈત્ર કૃષ્ણાષ્ટમીના દિવસે દીક્ષા ગ્રહણ કરી. દીર્ઘ સાધનાને અંતે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ દિવસે તેમણે લોકોને અહિંસા, સત્ય આદિ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો. આદિ તીર્થકર ભગવાન ઋષભદેવ પ્રથમ રાજા, પ્રથમ સાધુ-ભિક્ષાચાર, પ્રથમ જિન અને પ્રથમ તીર્થકર છે. ભગવાન ઋષભદેવે લોકોને સંદેશ આપ્યો. કોઈ જીવને મારવો નહિ, બધાની સાથે હેતથી રહેવું, અસત્ય બોલવું નહિ, ચોરી કરવી નહિ, શીલપાલન કરવું અને સંતોષથી રહેવું.
ભગવાન ઋષભદેવે કહેલો આ ધર્મ સી પાળવા લાગ્યા. એમણે શ્રી ઋષભસેન ગણધર સહિત સંઘની સ્થાપના કરી, એમના ઉપદેશથી એમના સંઘમાં ચોર્યાશી હજાર સાધુઓ અને ત્રણ લાખ સાધ્વીઓ બન્યા. ત્રણ લાખ અને પચાસ હજાર શ્રાવક અને પાંચ લાખ અને ચોપન હજાર શ્રાવિકાઓ થયાં. આ સંઘને તીર્થ પણ કહેવાય છે, તેથી ઋષભદેવ આદિનાથ- પહેલાં તીર્થ કરનારા એટલે તીર્થકર થયા. ઘણા વર્ષો સુધી એ પૃથ્વીપટ પર વિચર્યા. એમના ત્રિકાળ પ્રકાશિત જ્ઞાનથી લોકોને ધમમાર્ગ બતાવ્યો. ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર નિર્વાણ પામ્યા. આજે પણ ભાવિકો પ્રાતઃ કાળે ઉઠીને ભગવાન આદિનાથનું સ્મરણ કરે છે.
ભગવાન ઋષભદેવના નિર્વાણ કલ્યાણની પાવન ભૂમિ સમો અષ્ટાપદ પર્વત આજે દૃષ્ટિ ગોચર થતો નથી. ધર્મગ્રંથોમાં એનાં અનેક પ્રમાણો મળે છે. આથી આજે એ મહાપવિત્ર અષ્ટાપદ તીર્થને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અષ્ટાપદ તીર્થ ગ્રંથનું સંકલન કરતા ડૉ.કુમારપાળ દેસાઈ કહે છે કે,
“આદિ તીર્થકર ઋષભદેવ માત્ર ભારતીય ઉપાસક દેવ નથી પરંતુ ભારતની બહાર પણ એમનો પ્રભાવ દેખાય છે. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ શ્રમણ સંસ્કૃતિ અહિતોપાસનામાં આસ્થાવાન હતી તથા એટલી જ પ્રાચીન છે જેટલી આત્મવિદ્યા, ક્ષત્રિય પરંપરા રહી છે. પુરાણોના અનુસાર ક્ષત્રિયના પૂર્વજ ઋષભદેવ છે. બ્રાહ્મણ પુરાણ ૨:૧૪ માં પાર્થિવ શ્રેષ્ઠ ઋષભદેવને બધા ક્ષત્રિયોના પૂર્વજ કીધા છે."
મહાભારતના શાંતિ પર્વમાં પણ લખ્યું છે કે ક્ષાત્ર ધર્મ ભગવાન આદિનાથથી પ્રવૃત થયો છે. શેષ ધર્મ એના પછી પ્રચલિત થયા છે. પ્રાચીન ભારતની યુધ્ધ પધ્ધતિ નૈતિક બંધનોથી જકડાયેલી હતી. પ્રાચીન યુધ્ધોમાં ઉચ્ચ ચારિત્રનું પ્રદર્શન થતું. આટલી ઉચ્ચ શ્રેણીના ક્ષત્રિય ચરિત્રના ઉદાહરણ બીજે ક્યાંય દેખાતા નથી, આનું એક માત્ર કારણ ઋષભ સંસ્કૃતિનો પ્રભાવ છે. આર્યોએ આ ભારતની પ્રાચીન શ્રમણ પરંપરાથી શીખ્યું છે.
247
Page #272
--------------------------------------------------------------------------
________________
હિંદુ સાહિત્યમાં બ્રહ્માના અનેક નામો સંબોધિત કર્યા છે. હિરણ્યગર્ભ, પ્રજાપતિ, લોકેશ, નાભિજ, ચતુરાનન, ભ્રષ્ટા અને સ્વયંભૂ વગેરેનું સામ્ય ઋષભદેવના ચરિત્ર સાથે મળે છે.
આ પ્રકારે જૈન પરંપરામાં આદિ તીર્થકર ઋષભદેવ પ્રથમ યોગી હતા. જેઓએ ધ્યાન પધ્ધતિનો પ્રારંભ કર્યો હતો. શ્રીમદ્ ભાગવતમાં એમને યોગેશ્વર કહ્યા છે. મહાભારતમાં હિરણ્યગર્ભને અતિ પ્રાચીન યોગવેત્તા માન્યા છે. જૈન પરંપરાના ઋષભદેવ જ બીજી પરંપરામાં આદિનાથ, હિરણ્યગર્ભ, બ્રહ્મા અને શિવના નામથી પ્રચલિત છે. ઋગ્વદ અનુસાર હિરણ્યગર્ભને ભૂત-જગતના એક માત્ર સ્વામી માન્યા છે. સાયણ અનુસાર હિરણ્યગર્ભ દેહધારી હતા. ઋષભદેવ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજ્યમાં ધનધાન્યની વૃધ્ધિ થઈ એટલે એમને હિરણ્યગર્ભ પણ કહેવાય છે. મહાપુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ મળે છે.
આગમ અને શ્વેદના વ્યુત્પત્તિ જન્ય અર્થમાં અભુત સામ્ય દેખાય છે. જે આ પ્રકારે છે. “ઝ' નો અર્થ છે પ્રાપ્ત કરવું અથવા સોંપવું. “ક” અક્ષરનો અર્થ શિવ, વિષ્ણુ, બ્રહ્માના રૂપમાં પણ મળે છે. અને વેદનો અર્થ છે જ્ઞાન. અર્થાબ્રહ્મા, શિવ (ઋષભદેવ)થી પ્રાપ્ત થયેલું જ્ઞાન. આગમમાં ‘આ’ નો અર્થ છે “આયેલો', ‘અધિગ્રહણ”, “ગ”નો અર્થ છે ગણધર “મ”નો પ્રયોગ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ રૂપમાં થાય છે. ઋષભદેવથી ગણધરોને આપેલું રહસ્યમય જ્ઞાન અથવા ગણધરો દ્વારા ગ્રહણ કરાયેલું રહસ્યમય જ્ઞાન. સંક્ષિપ્ત હિન્દી શબ્દ સાગર (રામચંદ્ર વર્મા દ્વારા સમ્પાદિત નાગરી પ્રચારણી સભા કાશી દ્વારા પ્રકાશિત)ના પેજ.૮૧માં આગમનો અર્થ વેદ, શાસ્ત્ર, તંત્ર શાસ્ત્ર અને નીતિ શાસ્ત્ર એમ આપેલો છે. આનાથી ખ્યાલ આવે છે કે આગમ સાહિત્ય વૈદિક સાહિત્યથી પણ વિશાળ હતું. “તંત્ર અભિનવ વિનિશ્ચય” (શૈવ આગમોનો પ્રમુખ ગ્રંથ)માં લખ્યું છે કે તંત્રના આદિ સ્રષ્ટા શિવ હતા. જેમણે આગમના રૂપમાં એ જ્ઞાન પાર્વતીને આપ્યું. પાર્વતીએ લોક કલ્યાણ માટે એ જ્ઞાન ગણધરોને નિગમના રૂપમાં આપ્યું. આ ધારણા એ તથ્ય તરફ ઇંગિત કરે છે કે આદિ એક છે પરંતુ વિભિન્ન લોકો એ અલગ-અલગ દષ્ટિકોણથી એની વ્યાખ્યા કરી છે. “એક સદ્વિપ્રા બહુધા વદ–ગ્નિમ યમ માતરિશ્વાનમ્ આહુ”
એટલે મૂળજ્ઞાન સ્રોત આગમ હતા અને પછી એનું પરિવર્તિત રૂપ નિગમ થયું. પાર્વતી શબ્દનો અર્થ પર્વત પર રહેવાવાળાના અર્થમાં પણ થાય છે. જેને પાર્વતીય કહીને સંબોધિત કર્યું છે. આ રહસ્યમય જ્ઞાન માત્ર ભારતમાં નહિ પણ યુરોપમાં પણ કેવી રીતે નષ્ટ થયું છે એનું પણ ઉદાહરણ મળે છે.
248
Page #273
--------------------------------------------------------------------------
________________
ગોપથ બ્રાહ્મણમાં સ્વયંભૂ કાશ્યપનું વર્ણન મળે છે જે ઋષભદેવ છે. ભાગવતમાં અને વિષ્ણુ પુરાણમાં ઋષભદેવને વિષ્ણુનો અવતાર બતાવ્યો છે. વિષ્ણુ શબ્દમાં વિષનો અર્થ-પ્રવેશ કરવો અને અશ્નો અર્થ-વ્યાપ્ત કરવું. એ પ્રમાણે છે. વિષ્ણુ પુરાણમાં પણ વિષ ધાતુનો અર્થ પ્રવેશ કરવો છે, સંપૂર્ણ વિશ્વ એ પરમાત્મામાં વ્યાપ્ત છે. ઋગ્વેદમાં વિષ્ણુને સૌર દેવતા કહ્યા છે. અને એ સૂર્યના રૂપમાં છે. વેદો અને પુરાણો બધા ગ્રંથોમા ઋષભદેવ અને સૂર્યની સમાનતાનો ઉલ્લેખ મળે છે. અર્હત્ ૠષભદેવે લોક અને પરલોકના આદર્શ બતાવ્યા. ગૃહસ્થધર્મ અને મુનિધર્મ બંનેનું સ્વયં આચરણ કરી રાજ્યવસ્થામાં વિશ્વને સર્વ કલાઓમાં પ્રશિક્ષણ આપ્યું. ત્યાર બાદ પુત્રોને રાજ્યભાર સોપી અધ્યાત્મકલા દ્વારા સ્વ-પર કલ્યાણના માટે પ્રવજ્યા ગ્રહણ કરી અર્હત્ બન્યા. એટલે જ ભાગવતમાં એમને વિષ્ણુ કહ્યા. વધારે માહિતી શ્રીઅષ્ટાપદ તીર્થ ગ્રંથમાંથી મળી રહેશે.
પર્વ-૨ અજિતનાથજીનું ચરિત્ર
૧૮
સર્ગ પહેલો પાના નં: ૨૦૬ થી ૨૧૮ (પહેલા ભવનું વર્ણન)
પ્રથમ ભવઃ- જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં પ્રાયે દુઃષમાસુષમા નામે ચોથો આરો નિરંતર પ્રવર્તે છે તે ક્ષેત્રમાં સીતા નામે મહાનદીના દક્ષિણ તટ ઉપર વત્સ નામે વિજય છે. વિજય(દેશ)માં સુસીમા નગરી હતી. ત્યાં વિમલવાહન રાજા રાજ્ય કરતો હતો. અરિદમન નામના સૂરિ મહારાજાની દેશના સાંભળી તેમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પુત્રને રાજ્ય ગાદી સોંપી દીક્ષા લે છે. સંચમમાં મન સ્થિર કરી પરિષહને સહન કરતા તેમજ સિધ્ધ, ગુરુ, બહુશ્રુત, સ્થવિર, તપસ્વી, શ્રુતજ્ઞાની અને સંઘની ભક્તિ કરતા તીર્થંકર નામકર્મ-ઉપાર્જન કર્યું. કર્મનિર્જરા કરવા તેમણે માસોપવાસથી આરંભીને અષ્ટમાસોપવાસ સુધીનો તપ કર્યો. શુભધ્યાનમાં દેહનો ત્યાગ કરે છે.
બીજો ભવઃ- વિજય નામના અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્યવાળા દેવ
થયા.
ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનિતા નામે નગરી છે. તેમાં ઇક્ષ્વાકુ વંશનો જિતશત્રુ નામે રાજા હતો. તેને વિજયા નામે રાણી હતી. વિમલવાહન રાજાનો જીવ દેવલોકમાંથી આવીને વૈશાખ માસની શુક્લ ત્રયોદશીએ ચંદ્રના યોગમાં, રોહિણી નક્ષત્રમાં વિજયા દેવીની કુક્ષીમાં અવતર્યો. તીર્થંકરની માતા હોવાથી તેમણે ગર્ભકાળ દરમ્યાન ૧૪ સ્વપ્ન જોયા. નવમાસ અને સાડા આઠ દિવસ વ્યતીત થયે મહા સુદ અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં વિજયા માતાએ હાથીના લંછનવાળા તીર્થંકરને જન્મ
249
Page #274
--------------------------------------------------------------------------
________________
આપ્યો. પુત્ર ગર્ભમાં હતો ત્યારે તેની માતાને હું ઘુતમાં જીતી શકયો ન હતો એમ વિચારીને પ્રભુના પિતાએ તેનું નામ અજિત રાખ્યું. તીર્થકર જન્મથી જ ત્રણ જ્ઞાનવાળા હોય છે. આથી પોતાની મેળે જ સર્વ કળા અને શાસ્ત્રજ્ઞાન જાણી ગયા. વિવાહ યોગ્ય થતા જીતશત્રુ રાજાએ તેમના લગ્ન કર્યા. તેમજ રાજ્યાભિષેક કર્યો. સમય જતાં લોકાંતિક દેવો આવે છે અને અજિતનાથ પ્રભુને ધર્મતીર્થની સ્થાપના કરવાનું કહે છે. પ્રભુ આત્મચિંતવનમાં તો હતા જ. દેવોની વાતથી તેમનો ભવ વૈરાગ્ય મજબૂત પામ્યો. સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં મહાસુદ-૯ને રોહિણી નક્ષત્રમાં ચંદ્રના યોગે હજાર રાજાઓની સાથે છઠ્ઠનો તપ કરી તેમણે ચારિત્ર અંગીકાર કર્યું. તે વખતે પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. બીજે દિવસે પ્રભુએ બ્રહ્મદત્ત રાજાને ઘરે ક્ષીર વડે છઠ્ઠ તપનું પારણુ કર્યું. પ્રભુને જ્યારે પારણું થયું ત્યારે દેવોએ સાડા બારકોટિ સુવર્ણ દ્રવ્યની વૃષ્ટિ કરી. પ્રભુ પરિષદને સહેતા વિચારવા લાગ્યા. ૧ર વર્ષ પૂર્ણ થયે પોષ સુદ એકાદશીએ તેમને સહસ્સામ્રવનમાં, સપ્તપર્ણ વૃક્ષ નીચે રોહિણી નક્ષત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર બાદ પ્રભુ વિચરતા ધર્મદેશના આપવા લાગ્યા. દીક્ષાના દિવસથી એક અંગ (પૂર્વાગ) ઓછા એવા ૧ લાખ પૂર્વ ગયા. બોતેર લાખ પૂર્વનું સંપૂર્ણ આયુ પૂરું થયું ત્યારે ચૈત્ર માસની શુકલ પંચમીએ એક માસનું અનશન કરી, પર્યકાસને સમેત શિખરમાં હજાર મુનિ સાથે મોક્ષે ગયા. પ્રભુના મુખ્ય ગણધર સિંહસેન હતા. પ્રભુને ૯૫ ગણધર, ૧ લાખ મુનિ, ૩ લાખને ૩૦ હજાર સાધ્વી, સાડત્રીસો ચૌદ પૂર્વધારી, એક હજારને સાડાચારસો મનઃ પર્યાયી, ચોરાણુંસો અવધિજ્ઞાની, બાવીશ હજાર કેવલી, ૧૨ હજારને ૪૦૦ વાદી, વીશ હજાર ને ચારસો વૈક્રિયલબ્ધિવાળા, બે લાખ અઠ્ઠાણું હજાર શ્રાવક, પાંચ લાખને પીસ્તાળીસ હજાર શ્રાવિકા હતા.
ઋષભપ્રભુના નિવાર્ણથી ૫૦ લાખ ક્રોડ સાગરોપમે નિર્વાણને પામ્યા. મહા સુદ આઠમ, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ.
૧૦
X એ
૮ રા
-
સૂ ૧૧ બુ
શ
૫
ગુ
ચું
,
250
Page #275
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનયોગ:- ભાઇ સગરચક્રવર્તીને સંસારાવસ્થામાં આત્મા અને પ્રવજ્યા સંબંધી અદ્ભુત જ્ઞાન આપ્યું હતું.
માતા:-વિજયા
વંશ:-ઇક્ષ્વાકુ વર્ણઃ-સુવર્ણ
લાંછન:-હાથી
પિતા:-જિતશત્રુ ગોત્ર:- કાશ્યપ
ઊંચાઇ:-૪૫૦ ધનુષ્ય
ભવઃ-૩
ગર્ભકાળ:-નવમાસ,સાડાઆઠ દિવસ કુમારકાળ:-૧૮ લાખ પૂર્વ
તીર્થંકર જીવન દર્શન શ્રી અજિતનાથ
રાજ્યકાળઃ-૬૨લાખ પૂર્વ
છદ્મસ્થકાળ:-૧૨ વર્ષ
જીવનકાળઃ-૭૨ લાખ પૂર્વ પુત્ર/પુત્રીઃ
સાધુઃ-૧ લાખ
શ્રાવક:-૨,૯૮,૦૦૦
યક્ષ:-મહાયક્ષ
ચ્યવનકલ્યાણકઃ-વૈશાખ સુદ-૧૩
જન્મ કલ્યાણક:-મહાસુદ ૮ જન્મ રાશિઃ- વૃષભ દીક્ષા કલ્યાણક:-મહાસુદ ૯ દીક્ષા તપઃ-૨ ઉપવાસ પારણાનું સ્થળ:-વિનીતા સહદીક્ષિતો -૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-રોહિણી
કેવલજ્ઞાન વૃક્ષ:-સપ્તપર્ણ નિર્વાણ કલ્યાણક:-ચૈત્ર સુદ-પ નિર્વાણતપઃ-૩૦ ઉપવાસ
ગૃહસ્થ કાળઃ-૭૧લાખ પૂર્વ અને ૧પૂર્વાંગ સંચતકાળ:-૧ લાખ પૂર્વ
શાસનકાળ:-૩૦લાખ કોટી સાગ.
ગણધર:-૧૦૨
સાધ્વી:-૩,૩૦,૦૦૦
શ્રાવિકા:-૫,૪૫,૦૦૦ યક્ષિણી:-અજિતબલા ચ્યવન નક્ષત્રઃ-રોહિણી
જન્મનક્ષત્ર:-રોહિણી જન્મભૂમિઃ-અયોધ્યા દીક્ષાનક્ષત્ર:-રોહિણી દીક્ષાશિબિકા:- સુપ્રભા પ્રથમ પારણું:-પરમાત્ર કેવલજ્ઞાન કલ્યાણકઃ-પોષસુદ ૧૧ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિઃ-અયોધ્યા નિર્વાણનક્ષત્ર:-મૃગશીર્ષ નિવાર્ણભૂમિઃ- સમેતશિખર
સગર ચક્રવર્તી:- સગર ચક્રવર્તીને ૬૪ હજાર સ્ત્રીઓ હતી, અને જન્તુ કુમાર વગેરે ૬૦ હજાર પુત્રો હતા. યુવાન બનેલા પુત્રોએ એકવાર ચક્રવર્તીને કહ્યું, “હે પિતાજી આપે છ ખંડ જીતી લીધા હોવાથી અમારે માટે કંઇ જ બાકી રહ્યું નથી, તેથી હે પિતાજી! અમારું પુત્રપણું સફળ કરવા માટે અમે આપે જીતેલ સર્વ પૃથ્વી ઉપર સ્વેચ્છાએ ફરવા
251
Page #276
--------------------------------------------------------------------------
________________
માંગીએ છીએ.” સગર ચક્રવર્તીએ તેઓને સંમતિ આપી. તેઓ પિતાજીના સ્ત્રીરત્ન સિવાયના સર્વ રત્નો સાથે લઈને નીકળ્યા.
તેઓ ઠેર ઠેર ફરતા ફરતા અષ્ટાપદ પર્વત પાસે આવ્યા. પર્વત પાસે આવીને મંત્રી પાસેથી તે પર્વત વિશેની બધી માહિતી જાણી લીધી. પર્વત સાથેનો પોતાના પૂર્વજોનો ઇતિહાસ સાંભળીને સગરના તે ૬૦ હજાર પુત્રો ખુશ થઈ ગયા. અતિ હર્ષોલ્લાસ સાથે સર્વ પરિવાર લઈને તેઓ અષ્ટાપદ ચડ્યા. પ્રભુ ભક્તિ કરી.
મોટા ભાઇ જન્દુકુમારના પ્રસ્તાવથી અષ્ટાપદ પર્વતના રક્ષણ માટે તેને ફરતી ઊંડી ખાઈ ખોદવાનું બધાએ નક્કી કર્યું. ચક્રવર્તીના દંડ વડે તેઓએ એક હજાર યોજન ઊંડી ખાઇ ખોદી. ખાઇ ખોદતાં નીચે આવેલ નાગકુમારોના ભવનો તૂટવા લાગ્યા. નાગકુમાર કોપાયમાન થઈ સગર પુત્રો પાસે આવ્યો. જન્દુકુમાર માફી માંગે છે અને નાગરાજ શાંત થઈ ગયા નાગલોકમાં ચાલ્યા ગયા.
નાગરાજના ગયા પછી તેઓએ ખાઈને પાણીથી ભરવા ગંગાનદીને અષ્ટાપદ તરફ ખેંચી. ખાઇ પાણીથી ભરાઈ ગઈ અને વધેલું જળ નાગકુમારોના સ્થાનોમાં પેઠું. તેથી નાગકુમારો ત્રાસી ગયા. ભયંકર ક્રોધ સાથે નાગરાજ સગરપુત્રો પાસે આવ્યો. અને કોપાયમાન દષ્ટિથી ૬૦ હજાર પુત્રોને ભસ્મીભૂત કરી પાતાળ લોકમાં ચાલ્યો ગયો.
એક સાથે ૬૦ હજાર પુત્રોને રાખ થઈ ગયેલા જોઈ આખું સૈન્ય અને અંતઃપુરની સ્ત્રીઓ કાળો કલ્પાંત કરવા લાગી. આખું વાતાવરણ શોકમય થઈ ગયું. અને રાજાને કેવી રીતે જણાવશું તેમ તેઓ વિચારતા હતા ત્યાં એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થતો હતો. તેણે બધાને અસ્વસ્થ જોયા. કારણ પૂછ્યું અને બધાને શાંત કર્યા.
આશ્વાસન આપી કહ્યું કે તમારા સ્વામી સગર ચક્રવર્તીને હું શોક મુક્ત કરીશ. અને અનાથ મડદું ઉચકીને ચક્રવર્તીની પાસે પહોંચ્યો અને આંસુ પાડતો પોક મૂકીને રડતો કહેવા લાગ્યો કે, “જેના ઘરમાં કોઈ જ મૃત્યુ પામ્યા ન હોય તે ઘરમાંથી માંગલિક અગ્નિ લઈ આવે તો હું તારા પુત્રને જીવતો કરીશ.” આપ મારા પુત્રને જીવતો કરવા માંગલિક અગ્નિ મંગાવી આપો.
સગર રાજાએ કહ્યું કે, પ્રથમ તીર્થકર ઋષભદેવ સ્વામી પણ કાળના યોગે મૃત્યુ પામ્યા. કોઇ જ પૂર્વજ મરણથી બચી શક્યા નથી માટે આવો અગ્નિ હું લઈ આવવા અસમર્થ છું. જે જન્મે તે અવશ્ય મૃત્યુને ભેટે છે. માટે શોક ન કર. ચક્રવર્તીની વાત સાંભળી બ્રાહ્મણ સ્વસ્થ થયો અને કહ્યું કે જીવોના ભવસ્વરૂપને જાણતો હતો છતાં પુત્રનો વિયોગ થયો ત્યારે વિવેક ભૂલી ગયો. પણ તમે તમારા પુત્રોના વિયોગ વખતે વિવેક ચૂકશો નહિ. એમ કહી અને તેણે તેના પુત્રોના મરણના સમાચાર આપ્યા.
Rા.
252
Page #277
--------------------------------------------------------------------------
________________
ત્યારે ચક્રવર્તી બેભાન થઈ ગયા અને થોડીવાર પછી ભાનમાં આવ્યા. ત્યારે તેઓ વિલાપ કરવા લાગ્યા ત્યારે મંત્રીએ કથા કહી એ કથા સાંભળી રાજા સ્વસ્થ થયા. સંસારનું સ્વરૂપ જાણ્યું અને સંસાર પ્રત્યે ઉદ્વેગ પેદા થયો. ત્યારે તેનો પૌત્ર ભગીરથ કેવલી ભગવંતને પૂછે છે કે, “હે ભગવંત! મારા પિતા અને કાકાઓ કયા કર્મથી એક સાથે મૃત્યુ પામ્યા?'
કેવલી ભગવંતે કહ્યું, “હે રાજપુત્ર! એક સંઘ તીર્થયાત્રાએ નીકળ્યો હતો. તેણે એક ગામમાં એક કુંભારના ઘરની પાસે પડાવ નાખ્યો. તે વખતે ગામના બધા લોકોએ સંઘને લુંટવાનું નક્કી કર્યું, પરંતુ કુંભારની દરમ્યાનગીરીથી ગામના લોકોએ સંઘને લૂટ્યો નહિ.'
એક દિવસ ત્યાંના રાજાએ “આ મારું આખું ગામ ચોર છે.” એમ વિચારી આખુંને આખું ગામ સળગાવી દીધું. તે વખતે પુણ્યયોગે કુંભાર બીજે ગામ ગયો હોવાથી તે બચી ગયો.
પછી આયુષ્ય પૂર્ણ થયે તે કુંભાર મરીને વિરાટ દેશમાં વણિક થયો અને ગામના બધા લોકો તે જ વિરાટ દેશમાં વસતા મનુષ્યો થયા.
કુંભારનો જીવ ત્યાંથી મરીને તે જ દેશનો રાજા થયો. પછી ત્યાંથી મરીને દેવ થયો. અને ત્યાંથી ચ્યવીને તમે ભગીરથ થયા છો.
તે ગામવાસીઓ સંસારમાં ભમતા ભમતા તમારા પિતા જહુકુમાર વગેરે થયા.
તેઓએ પૂર્વે માત્ર મન વડે સંઘને લુંટવાની ઇચ્છા કરી હતી, તે પાપકર્મનો ટાઇમ બોંબ ફૂટવાથી એક સાથે ભસ્મીભૂત થયા છે.
કેવલી ભગવંતની વાણી સાંભળી ભગીરથને સંસાર ઉપરથી વૈરાગ્ય થયો. પરંતુ સગર ચક્રવર્તીને વધુ ખેદ ન થાય એવી ભાવનાથી તેમણે દીક્ષા ન લીધી. પાછા ફરી દાદા સગર ચક્રવર્તીને સઘળી વાત કરી. એ સાંભળી સગર ચક્રવર્તીનો વૈરાગ્ય વધુ દઢ થયો. અને તેમણે દીક્ષા લીધી.
તપ, ધ્યાન, સ્વાધ્યાય, વિનય અને સંયમમાં સદા મસ્ત એવા સગર મુનિએ તે જ ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
નિર્વાણ સમય નજીક આવતા શ્રી અજિતનાથ સ્વામીએ સમેતશિખર ઉપર હજાર મુનિઓ સહિત અનશન સ્વીકાર્યું, ચૈત્ર સુદ પાંચમના દિવસે પ્રભુ નિર્વાણ પામ્યા. સાથે કેવલી સગર મુનિએ પણ કેવલી સમુદ્ઘાત કરીને ક્ષણવારમાં અનુપદી જેમ મોક્ષ પદ પ્રાપ્ત કર્યું.
253
Page #278
--------------------------------------------------------------------------
________________
ત્રીજા સંભવનાથ ભગવાન સર્ગ-પહેલો
પર્વ-ત્રીજું
ભવ પહેલો પ્રથમ સર્ગ:- ધાતકીખંડના ઐરાવતક્ષેત્રમાં ક્ષેમપરા નામે પ્રખ્યાત નગરી છે. ત્યાં વિપુલવાહન રાજા રાજ્ય કરે છે. ધર્મનિષ્ઠ એવા રાજાએ પોતાના પુત્ર વિમલકીર્તિને રાજ્ય સોંપી સ્વયંપ્રભ નામના સૂરિ પાસે દીક્ષા લે છે. વિશસ્થાનક તપની આરાધના વડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. તેમજ પરિષદને સહી આયુષ્યને ખપાવે છે. બીજો ભવઃ- આનત નામના નવમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્રીજો ભવ:- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામે નગરી છે. ત્યાં જિતારી રાજા રાજ્ય કરે છે. તેમને સેનાદેવી નામે પટ્ટરાણી હતી. વિમલવાહન રાજાનો જીવ નવમા દેવલોકમાંથી ચવીને ફાલ્યુન માસની શુક્લ અમીને દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રના યોગે સેનાદેવીની કુક્ષીમાં અવતર્યો. પ્રભુની માતાએ ગર્ભકાળ દરમ્યાન ૧૪ સ્વપ્ન જોયા.
નવમાસ અને સાડાસાત દિવસ થયા ત્યારે માગશર માસની શુક્લ ચતુર્દશીએ મૃગશિર નક્ષત્રમાં ચંદ્રના યોગે પ્રભુનો જન્મ થયો. પ્રભુ જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી હતા. પ્રભુ અશ્વના લાંછનવાળા અને સુવર્ણવર્ણો હતા. સંભવનાથ નામ પાડવાનું કારણ - પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શંબા(સીંગ)(મગ, મઠ,ચોખા વિગેરે અનાજ)નું ધાન્ય ઘણું ઉત્પન્ન થયું હતું તેથી રાજાએ તેમનું નામ સંભવનાથ પાડ્યું.
પ્રભુ યૌવન વયને પામ્યા ત્યારે માતપિતાએ તેમના વિવાહ કરાવ્યા. તેમના આયુષ્યના પંદર લાખ પૂર્વ નિર્ગમન થયા ત્યારે પિતાએ રાજ્યગાદી સોંપી. એકવાર આત્મ ચિંતવનમાં ખોવાયેલા હતા ત્યારે લોકાંતિક દેવો તીર્થ પ્રવર્તાવાની વિજ્ઞપ્તિ કરે છે. ત્યાર બાદ પ્રભુ રોજના, એક કોડ આઠ લાખ સુવર્ણનું દાન આપે છે એ પ્રમાણે ૧ વર્ષમાં પ્રભુએ ત્રણસો અદ્યાસી કોડ એંશી લાખ સુવર્ણ મુદ્રાનું દાન કર્યું. દેવતાઓએ ભક્તિથી પ્રભુને પવિત્ર જળ વડે સ્નાન કરાવ્યું, વિલેપન કરી ભૂષણો ધારણ કરાવ્યા પછી સિધ્ધાર્થી નામે શિબિકામાં આરૂઢ થઈ પ્રભુ દીક્ષા લેવા જાય છે. માગસર માસની પૂર્ણિમાએ ચંદ્રના ચોગે મૃગશિર નક્ષત્રમાં છઠ્ઠનો તપ કરી પંચમુષ્ટિ લોચ કરી પ્રભુએ ચારિત્રનો સ્વીકાર કર્યો ત્યારે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. બીજે દિવસે સુદ્રદત્ત રાજાને ઘરે દૂધપાક(ક્ષીર)થી તેમણે પારણું કર્યું. ત્યાંથી
254
Page #279
--------------------------------------------------------------------------
________________
નીકળી પ્રભુએ અનેક ગામ, નગર, ખાણ, એમ નવાં નવાં સ્થાનોમાં ૧૪ વર્ષ વિહાર કર્યો. એમ કરતા સહસ્રાવનમાં સાળ વૃક્ષની નીચે કાર્યોત્સર્ગમાં પ્રભુને કાર્તિક માસના કૃષ્ણ પક્ષની પંચમીએ કેવળજ્ઞાન થયું. એ વખતે પ્રભુને છઠ્ઠનો તપ હતો.
દેવતાઓ સમવસરણની રચના કરે છે અને પ્રભુ દેશના આપે છે. દેશના સાંભળી ઘણા પુરુષો અને સ્ત્રીઓ દીક્ષા ગ્રહણ કરે છે. ચારુ વગેરે ગણધરોને પ્રભુ ત્રિપદી આપે છે. ૧૦૨ ગણધરો દ્વાદશાંગી રચે છે. ત્યાર બાદ પ્રભુ વિહાર કરે છે. પ્રભુને વિહાર કરતા બે લાખ સાધુ, ૩ લાખને છત્રીશ હજાર સાધ્વીઓ, બે હજાર અને દોઢસો પૂર્વધારી, નવ હજાર ને છસો અવધિજ્ઞાની, બાર હજાર ને દોઢસો મન:પર્યવજ્ઞાની, ૧૫૦૦૦ કેવલી, ૧૯૦૦૦ અને આઠસો વૈક્રિય લબ્ધિવાળા, ૧ર હજાર વાદ લબ્ધિવાળા, બે લાખ ને ત્રાણું હજાર શ્રાવકો, છ લાખ છત્રીશ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો. કેવળજ્ઞાન પછી પ્રભુ ચાર પૂર્વાંગ અને ૧૪ વર્ષોથી ન્યૂન એવા ૧ લાખ પૂર્વ સુધી વિહાર કર્યો. સમેતશિખરે હજાર મુનિઓ સાથે અનશન કર્યું. ૧ માસને અંતે ચૈત્ર સુદ પાંચમે મૃગશિર નક્ષત્રે તે સર્વે નિર્વાણ પદને પામ્યા. સાઠ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું.
અજિતનાથ પ્રભુના નિર્વાણ પછી ત્રીશ લાખ કોટી સાગરોપમ થયા ત્યારે સંભવનાથ પ્રભુ નિર્વાણ પામ્યા.
જન્મ:- માગશર સુદ ચૌદસ, મૃગસર નક્ષત્ર, મિથુન રાશિ.
८
૧૦
y
૭
સૂ ૯ બુ
૧૧
ગુ ૬ કે
મં
૧૨
રા
ચં
255
પ
3
૧
*
શ
૨
બુધ, ગુરુનો, શુક્ર શનિનો અને ગુરુ રાહુનો સ્વરાશિ પરિવર્તન યોગ તથા શુક્ર મંગળનો ઉચ્ચ રાશિ પરિવર્તન યોગ છે.
ત્રિકોણના શુક્ર શનિ પર ગુરુની ધ્રુષ્ટિ છે. નવેય ગ્રહો ચાર કેન્દ્ર અને બે ત્રિકોણમાં છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
માતા:-સેના
વંશ:-ઇક્ષ્વાકુ
વર્ણઃ-સુવર્ણ
લાંછનઃ-અશ્વ
તીર્થંકર જીવન દર્શન
શ્રી સંભવનાથ
ગર્ભકાળ:-૯મહિનાને ૬ દિવસ
રાજ્યકાળઃ-૪પૂર્વાંગ અધિક ૪૪લાખ
પૂર્વ
છદ્મસ્થકાળ:-૧૪ વર્ષ
જીવનકાળ:-૬૦લાખ પૂર્વ
પુત્ર/પુત્રી:-૩ પુત્ર
સાધુઃ-૨ લાખ
શ્રાવક:-૨,૯૩,૦૦૦
યક્ષ:-ત્રિમુખ
ચ્યવન કલ્યાણક:-ફાગણ સુદ ૮ જન્મ કલ્યાણક:-માગસર સુદ ૧૪ જન્મ રાશિઃ-મિથુન
દીક્ષા કલ્યાણક:-માગસર સુદ ૧૫
દીક્ષા તપઃ-૨ ઉપવાસ
દીક્ષા વૃક્ષ:-પ્રિચાલ પારણાનું સ્થળઃ-શ્રાવસ્તી સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-મૃગશીર્ષ
કેવલજ્ઞાન વૃક્ષ:- શાલ નિર્વાણ કલ્યાણક:-ચૈત્ર સુદ પ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
પિતા:-જિતારિ
ગોત્ર:-કાશ્યપ
ઊંચાઇ:-૪૦૦ ધનુષ્ય
ભવઃ-૩
કુમારકાળ:-૧૫લાખ પૂર્વ
ગૃહસ્થકાળઃ-પ૯ લાખ પૂર્વ અને પર પૂર્વાંગ
સંચતકાળઃ-૪પૂર્વાંગ ઓછા ૧લાખપૂર્વ શાસનકાળ:-૧૦લાખ કોટી સાગ
ગણધરઃ-૧૦૨
સાધ્વી:-૩,૩૬,૦૦૦
શ્રાવિકા:-૬,૩૬,૦૦૦
યક્ષિણી:-દુરિતારિ
ચ્યવન નક્ષત્રઃ-મૃગશીર્ષ
જન્મ નક્ષત્ર:-મૃગશીર્ષ
જન્મ ભૂમિ:-શ્રાવસ્તી
દીક્ષા નક્ષત્ર:-મૃગશીર્ષ દીક્ષા શિબિકા:-સિદ્ધાર્થા
દીક્ષાભૂમિ:-શ્રાવસ્તી
પ્રથમ પારણું:-પરમાન્ન કેવલજ્ઞાન કલ્યાણકઃ-આસો વદ ૫
કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ
કેવલજ્ઞાન ભૂમિ:-શ્રાવસ્તી
નિર્વાણ નક્ષત્રઃ-મૃગશીર્ષ
નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
256
Page #281
--------------------------------------------------------------------------
________________
અભિનંદન સ્વામી
શ્રી અભિનંદનસ્વામી ચરિત્ર પર્વ-૩
ભવ પહેલો:
દ્વિતીય સર્ગ:- જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવતી નામે વિજય છે તેમાં રત્ન સંચયા નામે નગરી છે. મહાબલ નામે રાજા રાજ્ય કરે છે. વિવેકી રાજાએ સર્વ ઠેકાણે અનિતત્યતા જાણી સંસારથી ઉદ્વેગ પામી વિમલસૂરિ આચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તપ અને આરાધના દ્વારા વીશ સ્થાનકોમાંના કેટલાએક સ્થાનોકોના આરાધના વડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
બીજા ભવઃ- બીજો ભવ વિજય વિમાનમાં મહર્ષિક દેવતા થયા.
ત્રીજો ભવઃ- જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિનીતા નામની નગરી છે. તેમાં સંવર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સિધ્ધાર્થ નામે પ્રિયા હતી. મહાબળ રાજાનો જીવ વિજય વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી આવી વૈશાખ માસની શુક્લ ચતુર્થીએ સિધ્ધાર્થા દેવીની કુક્ષિમાં અવતર્યો. નવમાસને સાડાસાત દિવસ જતાં માઘમાસની શુક્લ દ્વિતીયાને દિવસે તેણીએ પુત્રને જન્મ આપ્યો. કુમાર સુવર્ણ જેવા વર્ણના અને વાનરનું લાંછન ધરાવતા હતા.
અભિનંદન નામ રાખવાનું કારણ:- જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કુળ, રાજ્ય, નગરી, સર્વ અભિનંદન (હર્ષ) પામ્યા હતા. તેથી માતાપિતાએ તેમનું નામ અભિનંદન રાખ્યું. ચૌવન વયના થતા માતાપિતાની પ્રાર્થનાથી તેમણે અનેક રાજપુત્રીઓ સાથે વિવાહ કર્યો. આયુષ્યના સાડાબાર લાખ પૂર્વ નિર્ગમન થતા સંવર રાજાએ તેમને રાજગાદી પર બેસાડ્યા. આ રીતે રાજ્ય કરતા પ્રભુને આઠ પૂર્વાંગ સાડી છત્રીશ લાખ પૂર્વ નિર્ગમન થઇ ગયા. પ્રભુને દીક્ષા લેવાની ઇચ્છા થઇ. અર્થ સિધ્ધ નામની શિબિકામાં આરૂઢ થઇને સહસ્રામ્રવનમાં માઘ માસની શુક્લ દ્વાદશીએ અભિજિત નક્ષત્રમાં દિવસના પાછલા ભાગમાં છઠ્ઠનો તપ કરી દીક્ષા લીધી. બીજે દિવસે અયોધ્યા નગરીના ઇન્દ્રદત્ત રાજાને ઘરે ક્ષીરથી પારણું કર્યું. છદ્મસ્થપણે રહી ૧૮ વર્ષ સુધી વિવિધ અભિગ્રહો ધારણ કરતા વિહાર કર્યો. આ પ્રમાણે કરતા એકવાર છઠ્ઠ તપથી રાયણ વૃક્ષની નીચે કાર્યોત્સગે ધ્યાનમાં પોષ માસની શુક્લ ચતુર્દશીએ અભીજિત નક્ષત્રમાં ચંદ્રના યોગે કેવળજ્ઞાન પ્રગટ થયું. શ્રી અભિનંદન પ્રભુના તીર્થમાં શ્યામ વર્ણવાળો અને હસ્તિના વાહનવાળો યક્ષેશ્વર નામનો યક્ષ થયો. તથા શ્યામ
257
Page #282
--------------------------------------------------------------------------
________________
વર્ણવાળી ને કમળના આસનવાળી કાલિકા નામની શાસન દેવી હતી.
પ્રભુની દેશનાથી અનેક નરનારીઓએ તત્કાલ દીક્ષા લીધી. અને વજ્રનાભ વગેરે એકસો સોળ ગણધરો થયા. પચાસ લાખ પૂર્વનું આયુષ્યવાળા ૧ હજાર મુનિઓ સાથે ૧ માસના અનશન કરી સમેતશિખર પર્વત પર વૈશાખ માસની શુક્લ અષ્ટમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતા મોક્ષે ગયા.
સંભવનાથ સ્વામીના નિર્વાણ પછી દશ લાખ ક્રોડ સાગરોપમ વીત્યા ત્યારે અભિનંદન સ્વામી નિર્વાણ પામ્યા.
જન્મઃ-મહાસુદ બીજ, અભિજિત નક્ષત્ર, મકર રાશિ
را.
૧૧
શું
૮
માતા:-સિધ્ધાર્થા
વંશ:-ઇક્ષ્વાકુ
વર્ણઃ-સુવર્ણ
લાંછનઃ-વાનર
સૂ ૧૦
છે.
૧૨
عي
બુ
શ ૭
મેં ૧ રા
જીવનદર્શન
ગર્ભકાળ:-નવમાસ સાડાસાત દિવસ
રાજ્યકાળઃ-૮પૂર્વાંગ સહિત ૩૬લાખ પૂર્વ છદ્મસ્થકાળ:-૧૮ વર્ષ
૬
શનિ શુક્રનો સ્વરાશિ અને સૂર્ય મંગળના ઉચ્ચરાશિ પરિવર્તન યોગ છે. નવેય ગ્રહો ચારેય કેન્દ્રોમાં બે ત્રિકોણમાં છે.
ભવઃ-૩
૨
258
૪
૩
૫.
પિતા:-સંવર
ગોત્ર-કાશ્યપ
ઊંચાઇઃ-સાડા ત્રણસો ઘનુષ
કુમારકાળઃ-સાડાબારલાખ પૂર્વ ગૃહસ્થકાળઃ-સાડા ૪૮ લાખ પૂર્વ-૮પૂર્વાંગ સંચતકાળઃ-૮પૂર્વાંગ ઊણા ૧લાખપૂર્વ
Page #283
--------------------------------------------------------------------------
________________
જીવનકાળ:-૫૦લાખ પૂર્વ પુત્ર/પુત્રી:સાધુ:-૩ લાખ શ્રાવક-૨,૮૮,૦૦૦ ચક્ષ:-ચક્ષેશ્વર ચ્યવન કલ્યાણક -વૈશાખ સુદ ૪ જન્મ કલ્યાણકઃ-મહા સુદ ૧૪ જન્મ રાશિ - મકર દીક્ષા કલ્યાણક:-મહા સુદ ૧૨ દીક્ષા તપ:-98 દીક્ષા વૃક્ષ:પારણાનું સ્થળ:-ઈન્દ્રદત્તરાજા અયોધ્યા સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-અભિજિત કેવલજ્ઞાન વૃક્ષ - રાયણ નિર્વાણ કલ્યાણક-વૈશાખ સુદ ૮ નિર્વાણ તપ-૩૦ ઉપવાસ
શાસનકાળ:ગણધર:-૧૧૬ સાધ્વીઃ -૬,૩૦,૦૦૦ શ્રાવિકા:-૫,૨૭,૦૦૦ યક્ષિણી -કાલિકા ચ્યવન નક્ષત્રઃ-અભિજિત જન્મ નક્ષત્ર:-અભિજિત જન્મ ભૂમિ:-અયોધ્યા દીક્ષા નક્ષત્ર:-અભિજીત દીક્ષા શિબિકા:-અર્થ સિધ્ધ દીક્ષાભૂમિ -અયોધ્યા પ્રથમ પારણું -પરમાન્ન કેવલજ્ઞાન કલ્યાણક-પોષ સુદ-૧૪ કેવલજ્ઞાન તપ-છઠ્ઠ કેવલજ્ઞાન ભૂમિ -અયોધ્યા નિર્વાણ નક્ષત્રઃ-પુષ્ય નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર સાથે ૧૦૦૦મુનિઓ મોક્ષે પામ્યા.
અવધિજ્ઞાની ૯૮૦૦ ચૌદપૂર્વી ૧ હજાર પાંચસો મન:પર્યવજ્ઞાની ૧૧૬પ૦ કેવળજ્ઞાની ૧૪૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૯૦૦૦ વાદ લબ્ધિવાળા ૧૧૦૦૦
259
Page #284
--------------------------------------------------------------------------
________________
પર્વ-૩ પ.સુમતિનાથ ભગવાનનું ચરિત્ર"
પ્રથમ ભવઃ- જંબુદ્વીપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી નામે વિજય છે એમાં શંખપુર નગર છે. વિજયસેન રાજા રાજ્ય કરે છે. સુદર્શના નામે રાણી છે. કુળદેવીની આરાધનાથી તેમને પુરુષસિંહ નામે પુત્ર ઉત્પન્ન થયો. આ પુત્ર કુમાર અવસ્થામાં પહોંચતા વિનયનંદન નામના સૂરિની દેશના સાંભળી માતા-પિતાની આજ્ઞાથી દીક્ષા લે છે. પ્રમાદરહિત દીક્ષાનું પાલન કરી વીસ સ્થાનકની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
બીજો ભવઃ- વૈજયંત વિમાનમાં મહાર્ક્ટિક દેવતાપણે ઉત્પન્ન થયા.
ત્રીજો ભવઃ- જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં (અયોધ્યા) વિનીતા નગરીમાં મેઘ નામે રાજા હતો. તે રાજાને મંગળા નામે પત્ની હતી.
પુરુષસિંહનો જીવ જે વૈજયંત વિમાનમાં ગયેલો તે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી શ્રાવણ સુદ બીજને દિવસે મઘા નક્ષત્રમાં મંગલા દેવીની કુક્ષીમાં અવતર્યો. નવમાસ ને સાડાસાત દિવસ પૂર્ણ થતાં વૈશાખ સુદ આઠમે ચંદ્ર મઘા નક્ષત્રમાં આવતા મંગળાદેવીએ કૌંચ પક્ષીના લાંછનવાળા સુવર્ણવર્ણી પુત્ર રત્નને જન્મ આપ્યો.
સુમતિનાથ નામ રાખવાનું કારણઃ- ગર્ભકાળ દરમ્યાન માતાએ બે સ્ત્રીઓના પુત્ર માટેના ઝઘડાનો નિકાલ કર્યો હતો. (ગર્ભના પ્રભાવથી) સારી મતિ પ્રાપ્ત થઈ. ચૌવન વયને પ્રાપ્ત કરતા પ્રભુએ માતા-પિતાની આજ્ઞાથી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જન્મથી દશલાખ પૂર્વ ગયા ત્યારે રાજગાદીએ બેઠા. લોકાંતિક દેવતાઓના યાદ અપાવવાથી શ્રી સુમતિનાથ પ્રભુએ દીક્ષા લેવાની ઇચ્છાથી વાર્ષિક દાન આપવા માંડ્યું. અભયંકરા શિબિકા ઉપર આરૂઢ થઇને પ્રભુ સહસ્ત્રા વનમાં પધાર્યા. વૈશાખ સુદ-૯ને દિવસે મધ્યાહન વખતે પ્રભુએ ૧૦૦૦ રાજાની સાથે દીક્ષા લીધી. તે વખતે પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે વિજયપુરમાં પદ્મરાજાને ઘેર પ્રભુએ પરમાન્નથી પારણું કર્યું. ત્યાર બાદ પ્રભુએ ૨૦ વર્ષ વિહાર કર્યો.
એક દિવસ પ્રિયંગુ વૃક્ષના મૂલ નીચે સહસ્રામ્રવનમાં ચૈત્ર સુદ એકાદશી (૧૧) છઠ્ઠના તપ સાથે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર બાદ દેવતા સમવસરણ રચે છે. પ્રભુ દેશના આપે છે.
દેશના સાંભળી ઘણા નર-નારી દીક્ષા લે છે. તેમાંથી ચમર વગેરે ૧૦૦ ગણધર
260
Page #285
--------------------------------------------------------------------------
________________
થાય છે. દ્વાદશાંગી રચાય છે. તંબરૂ નામે યક્ષ, મહાકાલી નામે યક્ષિણી તેમના શાસનકાળમાં થાય છે.
મોક્ષનો સમય નજીક જાણી પ્રભુ વિહાર કરતા સમેતશિખરે પધારે છે. ત્યાં ૧૦૦૦ મુનિઓ સાથે ૧ માસનું અનશન સ્વીકારી ચૈત્ર સુદ-૯ને દિવસે પુનર્વસુ નક્ષત્રમાં અવ્યયપદને પામે છે. (અભિનંદન પ્રભુના નિર્વાણ પછી નવ લાખ ક્રોડ સાગરોપમ ગયા પછી સુમતિનાથ પ્રભુ મોક્ષે ગયા.) જન્મઃ વૈશાખ સુદ આઠમ, મઘા નક્ષત્ર, સિંહ રાશિનો ચંદ્રમા.
૧૨
(
૧૦
૧૦
X
૧૧
X
૯
કે
૮
આ સૂ ર બુ
શ
રા
પ
ચું
કેતુ રાહુ મૂળ ત્રિકોણ રાશિના છે. મંગળ, શનિ અને બુધ શુક્રનો સ્વ રાશિ પરિવર્તન યોગ છે. ચારે ચાર કેન્દ્રો અને ત્રિકોણમાં નવેય ગ્રહો પરસ્પર કારકત્વ યોગમાં છે.
જીવનદર્શન માતા:-મંગલા
પિતા:-મેઘ વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણઃ-સુવર્ણ
ઊંચાઈ:-૩૦૦ ધનુષ્ય લાંછન - કચ
ભવ:-૩ ગર્ભકાળ:-૯મહિનાને ૬ દિવસ
કુમારકાળ:-૧૦ લાખ પૂર્વ રાજ્યકાળઃ-૧૨પૂર્વાગ અધિક ર૯ લાખ ગૃહસ્થકાળ:-૩૯ લાખ પૂર્વ અને ૧૨
પૂર્વાગ
261
Page #286
--------------------------------------------------------------------------
________________
છદ્મસ્થ કાળઃ-૨૦ વર્ષ જીવનકાળ:-૪૦લાખ પૂર્વ પુત્ર/પુત્રીઃ-૩ પુત્ર સાધુ:-૩,૨૦,૦૦૦ શ્રાવક-૨,૮૧,૦૦૦ યક્ષ:-તુંબરુ ચ્યવન કલ્યાણક-શ્રાવણ સુદ ર જન્મ કલ્યાણક-વૈશાખ સુદ ૮ જન્મ રાશિ -સિંહ દીક્ષા કલ્યાણક-વૈશાખસુદ ૧૫ દીક્ષા ત૫:-ર ઉપવાસ દીક્ષા વૃક્ષ:- શાલ પારણાનું સ્થળ:-વિજયપુર સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-મઘા કેવલજ્ઞાન વૃક્ષ - પ્રિયંગુ નિર્વાણ કલ્યાણક -ચૈત્ર સુદ ૯ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ ચૌદપૂર્વી ૪૦૦૨ અવધિજ્ઞાની ૧૧૦૦૦ મન:પર્યવજ્ઞાની ૧૦,૪૦૦ કેવળજ્ઞાની ૧૩૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૮૪૦૦ વાદ લબ્ધિવાળા ૧૦૪૫૦
સંયતકાળ:-૧રપૂર્વાગ ઓછા ૧લાખપૂર્વ શાસનકાળ:-૯૦લાખ કોટી સાગ ગણધર -૧૦૦ સાધ્વી:-૫,૩૦,૦૦૦ શ્રાવિકા -૫,૧૬,૦૦૦ યક્ષિણી:-મહાકાલી ચ્યવન નક્ષત્રઃ-મઘા જન્મ નક્ષત્રઃ-મઘા જન્મ ભૂમિ:-અયોધ્યા દીક્ષા નક્ષત્રઃ-મઘા દીક્ષા શિબિકા -અભયંકર દીક્ષાભૂમિ:-અયોધ્યા પ્રથમ પારણું:-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક-ચૈત્રસુદ-૧૧ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિ -અયોધ્યા નિર્વાણ નક્ષત્રઃ-પુનર્વસુ નિર્વાણ ભૂમિ:-સમેતશિખર
262
Page #287
--------------------------------------------------------------------------
________________
પર્વ-૩જું
૬.પદ્મપ્રભ સ્વામિનું ચરિત્ર સર્ગ-૪૪ ભવ પહેલો:- ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રના વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી છે. ત્યાં અપરાજિત નામે ન્યાયી રાજા રાજ્ય કરે છે. વૈરાગ્ય પ્રાપ્ત થતાં તે પિહિતાશ્રવ આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી, વીશસ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. બીજો ભવઃ- નવમા ગ્રેવયકમાં મહર્બિક દેવતા થયા. એકત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવે છે. ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વત્સ દેશના કૌશાંબી નગરમાં ધર નામે રાજા હતો. તેને સુસીમા નામે રાણી હતી. અપરાજિત રાજાનો જીવ ધરરાજા અને સુસીમા રાણીના પુત્ર તરીકે જન્મ લે છે. ગર્ભકાળ દરમ્યાન માતાને પદ્મની શય્યામાં યુવાનો દોહદ થયો હતો તેમજ પદ્મના જેવી પ્રભુની કાંતિ હતી, આથી પિતાએ તેમનું નામ પદ્મપ્રભ રાખ્યું. માતા પિતાના આગ્રહથી તેમણે લગ્ન કર્યા તેમજ રાજ્ય સંભાળ્યું. સમય જતા લોકાંતિક દેવો દીક્ષાની પ્રેરણા કરે છે. પ્રભુ વાર્ષિક દાન આપી દીક્ષા લે છે. સોમદેવ રાજાને ઘરે પરમાત્રથી પારણુ કરે છે. છ માસનો દીક્ષા પર્યાય થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં ૩૦૮ મુનિઓની સાથે નિર્વાણ પામે છે.
સુમતિનાથ સ્વામીના નિર્વાણ પછી ૯૦૦૦૦ કોટી સાગરોપમ ગયા પછી પપ્રભુ નિર્વાણ પામ્યા. આસો વદ બારસ, ચિત્રા નક્ષત્ર, કન્યારાશિ.
૬
ચં
શ ૧૨
શુક્ર અને ગુરુ સ્વગૃહી, રાહુ કેતુ ઉચ્ચના, રાહુ બુધનો સ્વરાશિ પરિવર્તન અને શુક શનિનો ઉચ્ચ રાશિ પરિવર્તન યોગ છે.
263
Page #288
--------------------------------------------------------------------------
________________
માતા:-સુસીમા
વંશ:-ઇક્ષ્વાકુ
વર્ણઃ-લાલ
લાંછન:-કમલ
ગર્ભકાળ:-૯મહિનાને સાડાસાત દિવસ
રાજ્યકાળઃ-૧૬પૂર્વાંગ અધિક ૨૧.પલાખ પૂર્વ
છદ્મસ્થકાળ:-૬ મહિના
જીવનકાળ:-૩૦લાખ પૂર્વ
પુત્ર/પુત્રીઃ-૧૩ પુત્ર
સાધુઃ-૩,૩૦,૦૦૦
શ્રાવક:-૨,૭૬,૦૦૦
તીર્થંકર જીવન દર્શન શ્રી પદ્મપ્રભ સ્વામી
યક્ષ:-કમલ
ચ્યવન કલ્યાણકઃ-પોષવદ-૬ જન્મ કલ્યાણક:-આસોવદ-૧૨
જન્મ રાશિઃ-કન્યા
દીક્ષા કલ્યાણક:-આસોવદ-૧૩
દીક્ષા તપઃ-૨ ઉપવાસ
દીક્ષા વૃક્ષ:-છત્ર પારણાનું સ્થળ:-બ્રહ્મસ્થળ સહ દીક્ષિતો -૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-ચિત્રા કેવલજ્ઞાન વૃક્ષ:- પ્રિયંગુ (વટ) નિર્વાણ કલ્યાણક:-કારતકવદ-૧૧
નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ ચૌદ પૂર્વધારી ૨૨૦૦ અવધિજ્ઞાની ૧૦,૦૦૦ મન:પર્યવજ્ઞાની ૧૦,૦૦૦
કેવળજ્ઞાની ૧૨,૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૬,૧૦૮ વાદ લબ્ધિવાળા ૯,૬૦૦
પિતા:-ધર
ગોત્ર:-કાશ્યપ
ઊંચાઇ:-૨૫૦ ધનુષ્ય
ભવઃ-૩
કુમારકાળઃ-૭.પલાખ પૂર્વ ગૃહસ્થકાળઃ-૨૯ લાખ પૂર્વ અને ૧૨ પૂર્વાગ
264
સંચતકાળઃ-૧૬પૂર્વાંગ ઓછા ૧લાખપૂર્વ
શાસનકાળ:-૯ હજાર કોટી સાગ
ગણધર:-૧૦૭
સાધ્વીઃ-૪,૨૦,૦૦૦
શ્રાવિકા:-૫,૦૫,૦૦૦
યક્ષિણીઃ-શ્યામા
ચ્યવન નક્ષત્ર:-ચિત્રા
જન્મ નક્ષત્ર:-ચિત્રા
જન્મ ભૂમિ:-કૌશાંબી
દીક્ષા નક્ષત્ર:-ચિત્રા
દીક્ષા શિબિકા:-અયોધ્યા દીક્ષાભૂમિ:-કૌશાંબી પ્રથમ પારણું:-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક:-ચૈત્રસુદ-૧૫
કેવલજ્ઞાન તપઃ-૧ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિઃ-કૌશાંબી નિર્વાણ નક્ષત્ર:-ચિત્રા નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
Page #289
--------------------------------------------------------------------------
________________
૭.શ્રી સુપાર્શ્વનાથનું ચરિત્ર સર્ગ-૫ પ્રથમ ભવઃ- ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રના તિલક વિજયમાં ક્ષેમપુરી નગરી છે. નંદીષણ રાજા હતો. ધર્મપ્રધાન રાજા કેટલોક કાળ જતાં સંસારથી ઉદ્વેગ પામી અરિદમન આચાર્ય પાસે દીક્ષા લે છે. તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. બીજો ભવઃ- છઠ્ઠા સૈવેયકમાં ૨૮ સાગરોપમના આયુષ્યવાળા મહદ્ધિક દેવતા થાય છે. ત્રીજો ભવ - જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ નામે રાજા હતો. તેને પૃથ્વી નામની વલ્લભા હતી. નંદિષેણ રાજાનો જીવ તેમના પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. ગર્ભકાળ દરમ્યાન માતાએ સ્વપ્નમાં એક ફણાવાળા, પાંચફણાવાળા, અને નવ ફણાવાળા સર્પની ઉપર પોતાના આત્માને સૂતેલો જોયો હતો. માતા સારા પાર્શ્વ(પડખા)વાળા થયા. તેથી પિતાએ તેમનું નામ “સુપાર્શ્વ” રાખ્યું. અનુક્રમે યૌવન વયના થતાં માતાપિતાએ તેમના લગ્ન કરાવ્યા તથા રાજ્યભાર સોંપ્યો. કાળ પસાર થતાં વૈરાગ્ય વાસિત પ્રભુ દીક્ષા લે છે. દીક્ષાના બીજે દિવસે મહેંદ્ર રાજાને ઘેર પારણું કરે છે. દીક્ષાના નવ માસ થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ભવિ જીવોને પ્રતિબોધતા ૨૦ લાખ પૂર્વનુ આયુષ્ય પૂર્ણ થતાં ૫૦૦ મુનિઓની સાથે નિર્વાણને પામે છે.
પપ્રભુના નિર્વાણ પછી ૯ હજાર ક્રોડ સાગરોપમ વીત્યા ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુનો નિર્વાણ કાળ થયો. જેઠ સુદ બારસ, વિશાખા નક્ષત્ર, તુલા રાશિ.
૧૨
*
/ શ
૧૧
રા
X
265
Page #290
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી સુપાર્શ્વનાથ માતા:-પૃથ્વી
પિતા:-પ્રતિષ્ઠસેના વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ-સુવર્ણ
ઊંચાઈ:-ર૦૦ ધનુષ્ય લાંછન -સ્વસ્તિક
ભવ:-૩ ગર્ભકાળ:-૯મહિના ને ૧૯ દિવસ
કુમારકાળ:-પ લાખ પૂર્વ રાજ્યકાળ:-ર૦પૂર્વાગ અધિક
ગૃહસ્થકાળ:-૧૯ લાખ પૂર્વ અને ર૦ ૧૪લાખ પૂર્વ
પૂર્વાગ છદ્મસ્થકાળ:-૯ મહિના
સંયતકાળ:-ર૦પૂર્વાગ ઓછા ૧લાખ પૂર્વ જીવનકાળ-ર૦લાખ પૂર્વ
શાસનકાળ:-૯૦૦ કોટી સાગરોપમ પુત્ર/પુત્રી:-૧૭ પુત્ર
ગણધર:-૯૫ (વિદર્ભ વિગેરે) સાધુ:-૩,૦૦,૦૦૦
સાધ્વીઃ -૪,૩૦,૦૦૦ શ્રાવક:-૨,૫૭,૦૦૦
શ્રાવિકા -૪,૯૩,૦૦૦ યક્ષ:-માતંગ
યક્ષિણી:-શાન્તા ચ્યવન કલ્યાણક-શ્રાવણ વદ-૮
ચ્યવન નક્ષત્રઃ-અનુરાધા જન્મ કલ્યાણક:-જેઠ સુદ-૧૨
જન્મ નક્ષત્રઃ-વિશાખા જન્મ રાશિ:-તુલા
જન્મ ભૂમિડ-વારાણસી દીક્ષા કલ્યાણક-જેઠ સુદ-૧૩
દીક્ષા નક્ષત્રઃ-વિશાખા દીક્ષા તપ-ર ઉપવાસ
દીક્ષા શિબિકા -મનોહરા દીક્ષા વૃક્ષ:-સરિસ
દીક્ષાભૂમિડ-વારાણસી પારણાનું સ્થળ:-પાટલીખંડ
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણકા-મહા વદ-૬ કેવલજ્ઞાન નક્ષત્ર:-વિશાખા
કેવલજ્ઞાન તપઃ-ર ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:- શિરિષ
કેવલજ્ઞાન ભૂમિડ-વારાણસી નિર્વાણ કલ્યાણક:-મહા વદ-૭
નિર્વાણ નક્ષત્રઃ-મૂલ નિર્વાણ તપ:-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ:-સમેતશિખર ચૌદ પૂર્વધર ૧૦૪૫૦ અવધિજ્ઞાની ૯૦૦૦ મન:પર્યવજ્ઞાની ૯૧૫૦ કેવળજ્ઞાની ૧૧૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૫૩૦૦ વાદ લબ્ધિવાળા ૮૪૦૦
266
Page #291
--------------------------------------------------------------------------
________________
૮.શ્રી ચંદ્રપ્રભનું ચરિત્ર સર્ગ-૬ઠ્ઠો" ભવ પહેલો:- ધાતકીખંડના પ્રાષ્યિદેહ ક્ષેત્રના મંગળાવતી વિજયમાં રત્નસંચયા નગરીમાં પા નામે રાજા હતો. તત્ત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ એવો તે રાજા યુગધર ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરે છે. બીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામે નગરી છે. તેમાં મહાસેન નામે રાજા હતો. તેને લક્ષ્મણા નામની પ્રિયા હતી. પદ્મરાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. ગર્ભકાળ દરમ્યાન લક્ષ્મણા માતાને ચંદ્રપાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો હતો તથા આ ભગવાન પણ ચંદ્ર જેવા છે. માટે પિતાએ તેમનું નામ ચંદ્રપ્રભ રાખ્યું. યૌવન વય પ્રાપ્ત થતા માતા-પિતાની આજ્ઞા પાળવાને માટે પોતાને યોગ્ય એવી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. માત-પિતાની પ્રાર્થનાથી રાજ્ય સંભાળ્યું. સમય જતાં લોકાંતિક દેવોએ પ્રભુને દીક્ષા સમય જણાવ્યો. પ્રભુ દીક્ષા લે છે. દીક્ષાના બીજા દિવસે સોમદત્ત રાજાને ઘરે પારણું કર્યું. દીક્ષાના ૩ માસ જતાં કેવળજ્ઞાનને પામ્યા. સર્વ અતિશય યુક્ત પ્રભુ ૧૦૦૦ મુનિઓની સાથે અનશન ગ્રહણ કરી નિર્વાણને પામ્યા.
સુપાર્શ્વનાથના નિર્વાણ પછી નવસો કોટિ સાગરોપમ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભુ નિર્વાણ પામ્યા. માગશર વદ બારસ, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
૮
ચં
/
૧૦
/
૧૨
267
Page #292
--------------------------------------------------------------------------
________________
માતા:-લક્ષ્મણા
વંશ:-ઇક્ષ્વાકુ વર્ણઃ-શ્વેત
લાંછન:-ચંદ્ર
ગર્ભકાળ:-૯મહિનાને ૭ દિવસ રાજ્યકાળ:-૨૪પૂર્વાંગ અધિક
૬.પલાખ પૂર્વ
છદ્મસ્થકાળઃ-૩ મહિના
જીવનકાળ:-૧૦લાખ પૂર્વ પુત્ર/પુત્રીઃ-૧૦/ ૮
સાધુઃ-૨,૫૦,૦૦૦
શ્રાવક:-૨,૫૦,૦૦૦ ચક્ષ:-વિજય
તીર્થંકર જીવન દર્શન
શ્રી ચંદ્રપ્રભ સ્વામી
ચ્યવન કલ્યાણક:-ફાગણ વદ-૫ જન્મ કલ્યાણક:-માગસર વદ-૧૨ જન્મ રાશિઃ-વૃશ્ચિક
દીક્ષા કલ્યાણક:-માગસર વદ-૧૩
દીક્ષા તપઃ-૨ ઉપવાસ
દીક્ષા વૃક્ષ:-નાગ પારણાનું સ્થળઃ-પદ્મખંડ સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-અનુરાધા
કેવલજ્ઞાન વૃક્ષઃ- પુન્નાગ નિર્વાણ કલ્યાણક:-શ્રાવણ વદ-૭
નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
૧૪પૂર્વી ૨૦૦૦
અવધિજ્ઞાની ૮૦૦૦
મન:પર્યવજ્ઞાની ૮૦૦૦
કેવળજ્ઞાની ૧૦,૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૪,૦૦૦ વાદ લબ્ધિવાળા ૭૬૦૦
પિતાઃ-મહસેન
ગોત્ર:-કાશ્યપ
ઊંચાઇ:-૧૫૦ ધનુષ્ય
ભવઃ-૮
કુમારકાળઃ-૨.૫ લાખ પૂર્વ
ગૃહસ્થકાળઃ-૯ લાખ પૂર્વ અને ૨૪ પૂર્વાંગ સંચતકાળ:-૨૪પૂર્વાંગ ઓછા ૧લાખપૂર્વ
શાસનકાળ:-૯૦ કોટી સાગરોપમ
ગણધર:-૯૩ (દત્ત વિગેરે) સાધ્વી:-૩,૮૦,૦૦૦ શ્રાવિકા:-૪,૯૧,૦૦૦
યક્ષિણી:-ભૃકુટિ
ચ્યવન નક્ષત્ર:-અનુરાધા
જન્મ નક્ષત્ર:-અનુરાધા
જન્મ ભૂમિઃ-ચન્દ્રપુરી
દીક્ષા નક્ષત્ર:-અનુરાધા દીક્ષા શિબિકા:-મનોરમા
દીક્ષાભૂમિ:-ચન્દ્રપુરી
પ્રથમ પારણુંઃ-ક્ષીર
કેવલજ્ઞાન કલ્યાણક:-મહા વદ-૭ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિ:-ચન્દ્રપુરી નિર્વાણ નક્ષત્રઃ-શ્રવણ નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
268
Page #293
--------------------------------------------------------------------------
________________
૯.શ્રી સુવિધિનાથનું ચરિત્ર સર્ગ-૭મો" ભવ પહેલો:- પુષ્કરવર દ્વીપના પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે નગરીમાં મહાપદ્મ નામે રાજા હતો. સંસારનો પાર પામવાની ઈચ્છાથી જગન્નદ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. બીજો ભવ - વૈજયંત વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરે છે ત્રીજો ભવઃ- જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં કાકંદી નામે નગરી છે, તેમાં સુગ્રીવનામે રાજા હતો. તેને રામ નામે એક પત્ની હતી. મહાપદ્મ રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. ગર્ભકાળ દરમ્યાન માતા સર્વકાર્યમાં ચતુર થયા હતા તથા પુષ્પના દોહદને લીધે પ્રભુને દાંત ઉગ્યા હતા. તેથી પિતાએ સુવિધિ અને પુષ્પદંત એવાં બે નામ પ્રભુના કર્યા. યૌવન વય થતા પિતાના આગ્રહથી તેઓ રાજકન્યાઓને પરણ્યા. પિતાની આજ્ઞાથી રાજ્યભાર ગ્રહણ કર્યો. સમય જતાં લોકાંતિક દેવોએ પ્રભુને દીક્ષા સમય જણાવ્યો. દીક્ષાના બીજા દિવસે પુષ્પરાજાને ઘરે પારણું કર્યું. દીક્ષાના ૪ માસ પછી કેવળજ્ઞાનને પામ્યા. ૧ માસના અનશન વડે પ્રતિમામાં રહેલા શ્રી સુવિધિ પ્રભુ હજાર મુનિ સાથે મોક્ષ પદ પામ્યા.
શ્રી ચંદ્રપ્રભપ્રભુના નિર્વાણ પછી નેવું કોટી સાગરોપમ ગયા પછી સુવિધિ સ્વામીનું નિર્વાણ થયું. કારતક વદ પાંચમ, મૂળ નક્ષત્ર, ધન રાશિ.
૪
સૂ ૮ બુX ગુર
(
શ ૧૧
રા
૧૦
/
૧૨
269
Page #294
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી સુવિધિનાથ માતા:-રામાં
પિતા:-સુગ્રીવ વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ:-શ્વેત
ઊંચાઈઃ-૧૦૦ ધનુષ્ય લાંછનઃ-મગર
ભવ:-૩ ગર્ભકાળ:-૮મહિના ને રદ દિવસ
કુમારકાળ:-૫૦ હજાર પૂર્વ રાજ્યકાળઃ-૨૮પૂર્વાગ અધિક
ગૃહસ્થકાળઃ-૨૮ પૂર્વાગ અધિક અને ૫૦ હજાર પૂર્વ
૯ લાખ પૂર્વ છઘકાળ:-૪ મહિના
સંયતકાળઃ-૨૮પૂર્વાગ ઓછા ૧લાખપૂર્વ જીવનકાળ:-ર લાખ પૂર્વ
શાસનકાળ:-૯ કોટી સાગરોપમ પુત્ર/પુત્રી:-૧૯ પુત્ર
ગણધર:-૮૮ સાધુ:-૨,૦૦,૦૦૦
સાધ્વીઃ -૧,૨૦,૦૦૦ શ્રાવક-૨,૨૯,૦૦૦
શ્રાવિકા -૪,૭૧,૦૦૦ યક્ષ:- અજિત
યક્ષિણી -સુતારા ચ્યવન કલ્યાણક:-મહા વદ-૯
ચ્યવન નક્ષત્ર:-મૂળ જન્મ કલ્યાણક-કારતક વદ-૫
જન્મ નક્ષત્રઃ-મૂળ જન્મ રાશિઃ-ધન
જન્મ ભૂમિ:-કાનંદી દીક્ષા કલ્યાણક-કારતક વદ-૬
દીક્ષા નક્ષત્રઃ-મૂળ દીક્ષા તપ-ર ઉપવાસ
દીક્ષા શિબિકો:-સૂર પ્રભા દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ-કાનંદી પારણાનું સ્થળ:-શ્વેતપુર
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણક-કારતક સુદ-૩ કેવલજ્ઞાન નક્ષત્રઃ-મૂળ.
કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ - મલ્લી (માલૂર)
કેવલજ્ઞાન ભૂમિ:-કાનંદી નિર્વાણ કલ્યાણક-ભાદરવા સુદ-૯ નિર્વાણ નક્ષત્રઃ-મૂળ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિડ-સમેતશિખર અવધિજ્ઞાની ૮૪૦૦ પૂર્વધારી ૧૫૦૦ મન:પર્યવજ્ઞાની ૭૫૦૦ કેવળજ્ઞાની ૭૫૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૩૦૦૦ વાદ લબ્ધિવાળા ૬૦૦૦
270
Page #295
--------------------------------------------------------------------------
________________
૧૦. શ્રી શીતલનાથનું ચરિત્ર સર્ગ-૮મો" ભવ પહેલો:- પુષ્કરવર દ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રના વજ નામના વિજયમાં સુસીમા નામે નગરીમાં પડ્યોતર નામે ત્યાં રાજા હતો. ત્રિસ્તાઘ નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. બીજો ભવઃ- પ્રાણત નામના દશમા દેવલોકમાં વીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્રીજો ભવઃ- જંબુદ્વિપના દક્ષિણ ભારતમાં ભદ્દિલપુર નગર છે. તેમાં દઢરથ નામે રાજા હતો. તેને નંદા નામે પટ્ટરાણી હતી. પદ્મોતર રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે તેમના પિતાને દાહજ્વર થયો ત્યારે નંદારાણીના સ્પર્શથી શીતલતાને પામ્યા. તેથી તેમનું નામ શીતલ પાડ્યું. માતાપિતાના આગ્રહથી પાણિગ્રહણ કર્યું તેમજ રાજ્યનો સ્વીકાર કર્યો. સમય જતા લોકાંતિક દેવોની વિનંતી સ્વીકારી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના બીજા દિવસે પુનવર્સ રાજાને ઘેર પારણું કર્યું. દીક્ષાના ત્રણ માસ પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. ૧ માસનું અનશન કરી ૧ હજાર મુનિઓની સાથે મોક્ષ પદ પામ્યા. સુવિધિનાથના નિર્વાણ પછી નવકોટિ સાગરોપમ વ્યતીત થયે શીતલનાથ પ્રભુનો નિર્વાણ કાળ થયો. પોષ વદ બારસ, પૂર્વાષાઢા, નક્ષત્ર, ધનરાશિ.
આંસુ ૧૦ બુ
/
ગુ
૪
/
૨
271
Page #296
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શીતલનાથ માતા- નંદા
પિતા-દઢરથ વંશ- ઇક્વાકુ
ગોત્ર-કાશ્યપ વર્ણ- સુવર્ણ
ઊંચાઇ- ૯૦ ધનુષ લાંછન- શ્રીવત્સ
ભવ- ૩ ચ્યવન નક્ષત્ર- પૂર્વાષાઢા
ચ્યવન કલ્યાણક-ચૈત્ર વદ ૬ જન્મનક્ષત્ર- પૂર્વાષાઢા
જન્મ કલ્યાણક-પોષ વદ ૧૨ દીક્ષા કલ્યાણક – પોષ વદ ૧૨ દીક્ષાનક્ષત્ર- પૂર્વાષાઢા
દીક્ષાશિબિકા-ચંદ્રપ્રભા દીક્ષાસ્થળ- સહસ્સામ્રવન
દીક્ષાતપ- છઠ પારણાનું સ્થળ- રિષ્ટ નગર
પ્રથમ પારણુ-ક્ષીર કેવળજ્ઞાન નક્ષત્ર-પૂર્વાષાઢા
કેવળજ્ઞાન વૃક્ષ-પીપળો કેવળજ્ઞાન ભૂમિ-સહસ્સામ્રવન
કેવળજ્ઞાન કલ્યાણક-માગસર વદ ૧૪ નિર્વાણ નક્ષત્ર- પૂર્વાષાઢા
નિર્વાણ કલ્યાણક-ચૈત્ર વદ ર નિર્વાણ ભૂમિ- સમેતશિખર
નિર્વાણ તા- ૩૦ ઉપવાસ આયુષ્ય- ૧ લાખ પૂર્વ સાધુ- ૧ લાખ
સાધ્વી-૧ લાખ હજાર યક્ષ-બ્રહ્મ
યક્ષિણી-અશોકા દેવી શ્રાવકો- ૨૮૯૦૦૦
શ્રાવિકા-૪પ૮૦૦૦ અવધિજ્ઞાની ૭ર૦૦ પૂર્વધારી ૧૪૧૪ મન:પર્યવજ્ઞાની ૭૫૦૦ કેવળજ્ઞાની ૭૦૦૦ વૈક્રીય લબ્ધિવાળા ૧૨૦૦૦ વાદ લબ્ધિવાળા પ૮૦૦
272
Page #297
--------------------------------------------------------------------------
________________
પર્વ-૪થું ૧૧.શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર સર્ગ-૧લો ભવ પહેલો:- પુષ્કરવાર દ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રમાં કચ્છ નામના વિજયની અંદર ક્ષેમા નામે ઉત્તમ નગરી છે. તેમા નલિનીગુભ નામે ગુણોથી નિર્મલ રાજા હતો. ધર્મ બુધ્ધિવાળા એ નપતિએ વજદત્ત મુનિ પાસે દીક્ષા લીધી. તીર્થકર નામકર્મ ઉપાર્જન
બીજો ભવઃ-મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ગયા. ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામે નગર છે. તેમાં વિષ્ણરાજ નામે રાજા હતો. તેને વિષ્ણુ નામે પત્ની હતી. મહાશુક્ર દેવલોકમાંથી નલિની ગુલ્મ રાજાનો જીવ વિષ્ણુદેવીની કુક્ષીમાં અવતર્યો. જે કારણથી પ્રભુ આ શ્રેયકર દિવસે જન્મ્યા. આથી તેમના પિતાએ તેમનું નામ શ્રેયાંસ રાખ્યું. તેઓ યૌવન વયના થયા ત્યારે માતાપિતાના આગ્રહથી પાણિગ્રહણ કર્યું. અને રાજ્યકારભાર સંભાળ્યો. લોકાંતિક દેવોની વિનંતી સ્વીકારી પ્રભુએ વાર્ષિક વર્ષીદાન કરી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના બીજા દિવસે નંદ રાજાને ઘરે પ્રભુએ પરમોન્નથી પારણું કર્યું. દીક્ષા પછીના બે માસ પછી પ્રભુને કેવળજ્ઞાન થયું. ૧ માસનું અનશન કરી ૧ હજાર મુનિ સાથે ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નિર્વાણને પામ્યા. શ્રી શીતલનાથ પ્રભુના મોક્ષકાલ પછી છાસઠ લાખ અને છત્રીસ હજાર વર્ષ તથા સો સાગરોપમે ઊણા એક કોટિ સાગરોપમ ગયા ત્યારે શ્રી શ્રેયાંસનાથનું નિર્વાણ કાલ થયું.
મહા વદ, બારસ, શ્રવણ નક્ષત્ર, મકર રાશિ
ચું ૧ X +
સૂ ૧૧ બુ
૮ કે Xા શ ૫
/
ર ગુ.
રા
)
-
273
Page #298
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી શ્રેયાંસનાથ માતા-વિષ્ણુ
પિતા:-વિષ્ણુ વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ-સુવર્ણ
ઊંચાઈઃ-૮૦ ધનુષ્ય લાંછનઃ-ખગી
ભવ:-૩ ગર્ભકાળ:-૯મહિના ને ૬ દિવસ
કુમારકાળઃ-૨૧ લાખ વર્ષ રાજ્યકાળ:-૪ર લાખ વર્ષ
ગૃહસ્થકાળ:-૬૩ લાખ વર્ષ છઘકાળ -૨ મહિના
સંયતકાળ:-ર૧ લાખ વર્ષ જીવનકાળ:-૮૪ લાખ વર્ષ
શાસનકાળ:-૫૪ સાગરોપમ પુત્ર/પુત્રી:-૯૯ પુત્ર
ગણધર:-૭૬ સાધુ:-૮૪,૦૦૦
સાધ્વીઃ -૧,૦૩,૦૦૦ શ્રાવક-૨,૭૯,૦૦૦
શ્રાવિકા -૪,૪૮,૦૦૦ યક્ષ:-ઈશ્વર
યક્ષિણીઃ-માનવી ચ્યવન કલ્યાણક -વૈશાખ વદ-૬
વન નક્ષત્ર:-શ્રવણ જન્મ કલ્યાણક:-મહા વદ વદ-૧ર જન્મ નક્ષત્રઃ-શ્રવણ જન્મ રાશિઃ-મકર
જન્મ ભૂમિ -સિંહપુર દીક્ષા કલ્યાણકા-મહા વદ-૧૩
દીક્ષા નક્ષત્રઃ-શ્રવણ દીક્ષા તપ:- ઉપવાસ
દીક્ષા શિબિકા -વિમલપ્રભા દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ -સિંહપુર પારણાનું સ્થળ:-સિદ્ધાર્થપુર
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતોઃ-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણક-પોષ વદ-0)) કેવલજ્ઞાન નક્ષત્રઃ-શ્રવણ
કેવલજ્ઞાન તપ -૨ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-અશોક
કેવલજ્ઞાન ભૂમિ:-સિંહપુર નિર્વાણ કલ્યાણક-અષાઢ વદ -૩ નિર્વાણ નક્ષત્રઃ-ધનિષ્ઠા નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિડ-સમેતશિખર
274.
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૨.શ્રી વાસુપૂજ્ય સ્વામી ચરિત્ર સર્ગ-બીજા
પર્વ-૪થું ભવ પહેલો:- પુષ્કરદ્વીપના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામે એક નગરી છે. તેમાં પોતર રાજા રાજ્ય કરતો હતો. એ રાજાએ વજનાભ ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી. તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. ભવ બીજો - પ્રાણત નામના દશમા દેવલોકમાં મહર્બિક દેવ પણે ઉત્પન્ન થયા. ત્રીજો ભવ:- જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં ચંપા નગરી છે. તેમાં વાસુપૂજ્ય નામે રાજા છે જેને જયા નામે પટ્ટરાણી હતી. પદ્મોતરનો જીવ દેવલોક જ આયુષ્ય પૂર્ણ કરી તેમના પુત્ર રૂપે જન્મે છે. પિતાએ વિધિ પ્રમાણે તથા યોગ્યતા પ્રમાણે તેમનું નામ વાસુપૂજ્ય પાડ્યું. માતાપિતાને સમજાવી તથા લોકાંતિક દેવોની વાત સાંભળી પ્રભુએ યૌવન વયે દીક્ષા લીધી. દીક્ષાના બીજા દિવસે સનંદ રાજાના ઘરે પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દીક્ષાના ૧ માસ પછી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ મોક્ષ કાળ નજીક જાણી ચંપા નગરી પધાર્યા ત્યાં છસો મુનિઓની સાથે અનશન સ્વીકારી બોંતેર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા.
શ્રેયાંસનાથ પ્રભુના નિર્વાણ પછી ચોપન સાગરોપમ ગયા ત્યારે વાસુપૂજ્ય ભગવાન નિર્વાણ પામ્યા મહા વદ ચૌદશ, શતભિષા નક્ષત્ર, કુંભ રાશિ
X
૬
૧૦ મે
સૂ ૧૧ બુ
૮ કે શ
૫
રા
275
Page #300
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી વાસુપૂજ્ય સ્વામી માતા:-જયા
પિતા:-વસુપૂજ્ય વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ:-લાલ
ઊંચાઈ:-૭૦ ધનુષ્ય લાંછન:-મહિષ
ભવ:-૩ ગર્ભકાળ:-૮મહિના ને ર૦ દિવસ
કુમારકાળ:-૧૮ લાખ વર્ષ રાજ્યકાળ:- -
ગૃહસ્થ કાળ:-૧૮ લાખ વર્ષ છઘકાળ:-૧ મહિના
સંયતકાળ -પ૪ લાખ વર્ષ જીવનકાળ:-૭૨ લાખ વર્ષ
શાસનકાળઃ-૩૦ સાગરોપમ પુત્ર/પુત્રી:-૨ પુત્ર
ગણધર:-૬૬ સાધુ:-૭૨,૦૦૦
સાધ્વીઃ -૧,૦૦,૦૦૦ શ્રાવક:-૨,૧૫,૦૦૦
શ્રાવિકા -૪,૩૬,૦૦૦ ચક્ષ-કુમાર
યક્ષિણી:-ચંડા ચ્યવન કલ્યાણક-જેઠ સુદ-૯
ચ્યવન નક્ષત્રઃ-શતભિષા જન્મ કલ્યાણક:-મહા વદ -૧૪
જન્મ નક્ષત્રઃ-શતભિષા જન્મ રાશિ:-કુંભ
જન્મ ભૂમિ:-ચંપાપુરી દીક્ષા કલ્યાણક:-મહાવદ- ૦))
દીક્ષા નક્ષત્ર:-શતભિષા દીક્ષા તપ:- ઉપવાસ
દીક્ષા શિબિકા -પૃથ્વી દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ:-ચંપાપુરી પારણાનું સ્થળ:-મહાપુર
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૬૦૦
કેવલજ્ઞાન કલ્યાણક:-મહા સુદ-ર કેવલજ્ઞાન નક્ષત્રઃ-શતભિષા
કેવલજ્ઞાન તપઃ- ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-પાટલ (ગુલાબ)
કેવલજ્ઞાન ભૂમિ:-ચંપાપુરી નિર્વાણ કલ્યાણક-અષાઢ સુદ -૧૪ નિર્વાણ નક્ષત્રઃ-ઉત્તર ભાદ્રપદ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ:-ચંપાપુરી
ચૌદ પૂર્વધારી ૧૨૦૦ અવધિજ્ઞાની પ૪૦૦ મન:પર્યવજ્ઞાની ૬૧૦૦ કેવલજ્ઞાની ૬૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૦,૦૦૦ વાદ લબ્ધિવાળા ૧૦,૦૦૦
276
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૩.શ્રી વિમલનાથ ચરિત્ર સર્ગ-૩જો પ્રથમ ભવઃ- ધાતકીખંડના પ્રાષ્યિદેહ ક્ષેત્રના ભરત નામના વિજયમાં મહાપુરી નામે નગરી છે. જ્યાં પદ્મસેન નામે રાજા હતો. સર્વગુપ્ત આચાર્યની પાસે દીક્ષા લીધી. તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. બીજો ભવઃ- સહસાર દેવલોકમાં મહર્દિક દેવતા થયા. ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં કાંડિલ્યપુર નામે નગર છે. ત્યાં કૃતવર્મા નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શ્યામા નામે પટ્ટરાણી હતી. પદ્મસેન રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા (નિર્મળ) વિમલ થયા હતા. તેથી પિતાએ તેનું વિમલ એવું નામ રાખ્યું. યૌવન વયના થતા માતાપિતાની ઈચ્છાથી લગ્ન કર્યા તેમજ રાજ્ય સંભાળ્યું. દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર કરી વાર્ષિક દાન દીધું. દીક્ષા ગ્રહણ કરી બીજે દિવસે જયરાજાને ઘેર પરમ અન્નથી પારણું કર્યું. બે વર્ષ છદ્મસ્થપણે વિહાર કરી પ્રભુ કેવળજ્ઞાનને પામ્યા. છ હજાર સાધુઓની સાથે ૧ માસનું અનશન કરી સાઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નિર્વાણને પામ્યા.
વાસુપૂજ્ય પ્રભુના નિર્વાણ પછી ત્રીશ સાગરોપમ ગયા ત્યારે શ્રી વિમલનાથ પ્રભુ નિર્વાણ પામ્યા. મહા સુદ ત્રીજ, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, મીન રાશિ
X
૬
૧૦ X + ન સૂ ૧૧ બુ
૮ કે
શ
૫
277
Page #302
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી વિમલનાથ માતા:- શ્યામા
પિતા:- કૃતવર્મા વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ . વર્ણ-સુવર્ણ
ઊંચાઈઃ-૬૦ ધનુષ્ય લાંછન:-વરાહ
ભવ:-૩ ગર્ભકાળ:-૮મહિના ને ર૧ દિવસ
કુમારકાળ:-૧૫ લાખ વર્ષ રાજ્યકાળ:-૩૦ લાખ વર્ષ
ગૃહસ્થકળ:-૪૫ લાખ વર્ષ છદ્મસ્થકાળઃ-૨ મહિના
સંયતકાળ:-૧૫ લાખ વર્ષ જીવનકાળ:-૬૦ લાખ વર્ષ
શાસનકાળ:-૯ સાગરોપમાં પુત્ર/પુત્રી:- -
ગણધર:-પ૭ સાધુ:-૬૮,૦૦૦
સાધ્વી:- ૧,૦૦,૦૦૦ શ્રાવક-૨,૦૮,૦૦૦
શ્રાવિકા -૪,ર૪,૦૦૦ ચક્ષ:-જમ્મુખ
યક્ષિણી -વિદિતા ચ્યવન કલ્યાણક-વૈશાખ સુદ-૧૨
ચ્યવન નક્ષત્ર:-ઉત્તરભાદ્રપદ જન્મ કલ્યાણક - મહા સુદ-૩
જન્મ નક્ષત્ર:-ઉત્તરભાદ્રપદ જન્મ રાશિ:-મીન
જન્મ ભૂમિડ-કંપિલપુર દીક્ષા કલ્યાણકા-મહા સુદ-૪
દીક્ષા નક્ષત્રઃ-ઉત્તરભાદ્રપદ દીક્ષા તપ:- ઉપવાસ
દીક્ષા શિબિકા:-દેવદિન્ના દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિડ-કંપિલપુર પારણાનું સ્થળ:-ધાન્યકુટ
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણક-પોષ સુદ-૬ કેવલજ્ઞાન નક્ષત્ર:-ઉત્તરભાદ્રપદ
કેવલજ્ઞાન તપઃ-ર ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-જમ્મુ
કેવલજ્ઞાન ભૂમિડ-કંપિલપુર નિર્વાણ કલ્યાણક-જેઠ વદ -૭
નિર્વાણ નક્ષત્રઃ-રેવતી નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
ચૌદપૂર્વધારી ૧૦,૦૦૦ અવધિજ્ઞાની ૪૮૦૦, મન:પર્યવ જ્ઞાની પપ૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૯૦૦૦ પ૫૦૦ કેવલજ્ઞાની
278
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૪.શ્રી અનંતનાથ ચરિત્ર સર્ગ-૪થો પહેલો ભવઃ- ધાતકીખંડ દ્વીપમાં પ્રાષ્યિદેહ ક્ષેત્રના ઐરાવત નામના વિજયમાં અરિષ્ટા નામે નગરી છે. તેમાં પારથ નામે રાજા રાજ્ય કરે છે. આ વિવેકી રાજા ચિત્તરક્ષ નામના ગુરૂની પાસે દીક્ષા લે છે. અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. બીજો ભવ:- પ્રાણત દેવલોકમાં પુષ્પોત્તર વિમાનમાં દેવતા થયા. ત્રીજો ભવઃ- જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં અયોધ્યા નગરી છે. તેમાં સિંહસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુયશા નામે એક રાણી હતી. પદ્મરથ રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા તે વખતે તેમના પિતા સિંહસેને અનંતબલને જીત્યું હતું. તેથી તે પ્રભુનું નામ અનંતજિત્ એવું રાખ્યું. અનુક્રમે પ્રભુ મોટા થતા તેમના પિતાની આજ્ઞાથી પાણિગ્રહણ સ્વીકાર્યો અને રાજ્યકારભાર સંભાળ્યો. સમય જતાં લોંકાંતિક દેવોએ વિનંતી કરી ત્યારે વૈરાગ્ય વાસિત પ્રભુ વાર્ષિક દાન દઈ દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષાના બીજા દિવસે વર્ધમાન નગરના વિજય રાજાના ઘરે પરમ અન્નથી પારણું કર્યું. ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહ્યા પછી પ્રભુ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. નિર્વાણ સમય નજીક જાણી ૧૦૦૦ મુનિઓની સાથે પ્રભુ અનશન સ્વીકારી ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામે છે.
વિમલનાથના નિર્વાણની નવ સાગરોપમ અતિક્રમણ થયા પછી અનંતસ્વામીનું નિર્વાણ થયું. ચૈત્ર વદ તેરસ, રેવતી નક્ષત્ર, મીન રાશિ
મે
ચં ૧૨ - સૂ ૧ બુ
૧૦ કે x શ ૭
279
Page #304
--------------------------------------------------------------------------
________________
માતા:-સુયશા વંશ:-ઇક્ષ્વાકુ
વર્ણ:-સુવર્ણ લાંછનઃ-સ્પેન
ગર્ભકાળઃ-૯મહિના ને ૬ દિવસ રાજ્યકાળ:-૧૫ લાખ વર્ષ
છદ્મસ્થકાળ:-૩ વર્ષ
જીવનકાળ:-૩૦ લાખ વર્ષ
પુત્ર/પુત્રીઃ-૮૮ પુત્ર
સાધુઃ-૬૬,૦૦૦
શ્રાવક:-૨,૦૬,૦૦૦
યક્ષ:-પાતાલ
ચ્યવન કલ્યાણક:-અષાઢ વદ-૭ જન્મ કલ્યાણક:-ચૈત્ર વદ-૧૩ જન્મ રાશિઃ-મીન
દીક્ષા કલ્યાણક:-ચૈત્ર વદ-૧૪
દીક્ષા તપઃ-૨ ઉપવાસ
દીક્ષા વૃક્ષ:-અશોક પારણાનું સ્થળ:-વર્ધમાન નગર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન નક્ષત્ર:-રેવતી
કેવલજ્ઞાન વૃક્ષ:-અશ્વત્થ
નિર્વાણ કલ્યાણક:-ચૈત્ર સુદ -૫ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
૯૦૦ ચૌદ પૂર્વધારી
૪૩૦૦ અવધિજ્ઞાની
૪૫૦૦ મન:પર્યયજ્ઞાની
૫૦૦૦ કેવળજ્ઞાની
૮૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા
૩૨૦૦ વાદ લબ્ધિવાળા
તીર્થંકર જીવન દર્શન
શ્રી અનંતનાથ
પિતા:-સિંહસેન
ગોત્ર:-કાશ્યપ
ઊંચાઇ:-૫૦ ધનુષ્ય
ભવઃ-૩
કુમારકાળ:-૭.૫ લાખ વર્ષ
ગૃહસ્થકાળઃ-૨૨ લાખ ૫૦ હજાર વર્ષ
સંચતકાળ:-૭.૫ લાખ વર્ષ
શાસનકાળઃ-૪ સાગરોપમ
ગણધર:-૫૦
સાધ્વીઃ-૬૨,૦૦૦ શ્રાવિકા:-૪,૧૪,૦૦૦
યક્ષિણી :-અંકુશા
ચ્યવન નક્ષત્ર:-રેવતી
જન્મ નક્ષત્ર:-રેવતી
જન્મ ભૂમિ:-અયોઘ્યા
દીક્ષા નક્ષત્ર:-રેવતી
દીક્ષા શિબિકા:-સાગરદત્તા દીક્ષાભૂમિ:-અયોધ્યા પ્રથમ પારણું:-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક:-ચૈત્ર વદ-૧૪
કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ
280
કેવલજ્ઞાન ભૂમિઃ-અયોધ્યા નિર્વાણ નક્ષત્ર:-રેવતી
નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૫.શ્રી ધર્મનાથ ચરિત્ર સર્ગ-પમો" પહેલો ભવઃ- ધાતકીખંડ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયમાં ભદ્રિલ નામે નગર છે. તેમાં દઢરથ નામે રાજા હતો. વૈરાગી રાજા વિમલવાહન નામના ગુરૂ પાસે દીક્ષા લઈ તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરે છે. બીજો ભવઃ- તે વૈજયંત વિમાનમાં મહર્દિક દેવતા થાય છે. ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભારતવર્ષમાં રત્નપુર નગર હતું. ત્યાં ભાનુ નામે રાજા હતો. તેને સુવ્રતા નામે રાણી હતી. દઢરથ રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે તેમના માતાને ધર્મ કરવાનો દોહદ થયો હતો તેથી ભાનુ રાજાએ તેમનું નામ ધર્મ રાખ્યું. યૌવન વય પ્રાપ્ત થતા માતાપિતા તેમના લગ્ન કરાવે છે. તેમજ રાજ્ય સોંપે છે. અવસર જોઇ પ્રભુ દીક્ષા લે છે. દીક્ષાના બીજા દિવસે ધર્મસિંહ રાજાના ઘરે પારણું કર્યું. બે વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહ્યા પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. મોક્ષ સમય નજીક જાણી ૧૦૮ મુનિઓની સાથે અનશન સ્વીકારી દશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ધર્મનાથ પ્રભુ નિર્વાણને પામે છે. અનંતનાથ સ્વામીના નિર્વાણ પછી ચાર સાગરોપમ ગયા ત્યારે ધર્મનાથ સ્વામીનું નિર્વાણ થયું. મહા સુદ ત્રીજ, પુષ્ય નક્ષત્ર, કર્ક રાશિ
સૂ ૧૦ બુ
ચ
૪
ગુ
281
Page #306
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી ધર્મનાથ માતા:-સુવ્રતા
પિતા:-ભાનુ વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ-સુવર્ણ
ઊંચાઇ:-૪૫ ધનુષ્ય લાંછનઃ-વજ
ભવ:-૩ ગર્ભકાળ:-૮મહિના ને ર૬ દિવસ
કુમારકાળ -૨.૫ લાખ વર્ષ રાજ્યકાળઃ-૫ લાખ વર્ષ
ગૃહસ્થકાળ:-૭.૫ લાખ વર્ષ છઘસ્યકાળ -૨ વર્ષ
સંયતકાળ:-૨.૫ લાખ વર્ષ જીવનકાળઃ-૧૦ લાખ વર્ષ
શાસનકાળ:-૦ની પલ્યોપમ.
શેષ ૩ સાગરોપમ પુત્ર/પુત્રી:-૧૯ પુત્ર
ગણધર:-૪૩ સાધુ:-૬૪,૦૦૦
સાધ્વી:-૬૨,૪૦૦ શ્રાવક:-૨,૦૪,૦૦૦
શ્રાવિકા -૪,૧૩,૦૦૦ યક્ષ-કિન્નર
ચક્ષિણી -કંદર્પ ચ્યવન કલ્યાણક-વૈશાખ સુદ-૭
ચ્યવન નક્ષત્રઃ-પુષ્ય જન્મ કલ્યાણક:-મહા સુદ-૩
જન્મ નક્ષત્રઃ-પુષ્ય જન્મ રાશિ :- કર્ક
જન્મ ભૂમિ:-રત્નપુર દીક્ષા કલ્યાણક-મહા સુદ-૧૩
દીક્ષા નક્ષત્રઃ-પુષ્ય દીક્ષા તપ:- ઉપવાસ
દીક્ષા શિબિકા -નાગદત્તા દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ:-રત્નપુર પારણાનું સ્થળ:-સોમનસપુર
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણક-પોષ સુદ-૧૫ કેવલજ્ઞાન નક્ષત્રઃ-પુષ્ય
કેવલજ્ઞાન તપ-ર ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-દધિપર્ણ
કેવલજ્ઞાન ભૂમિ -રત્નપુર નિર્વાણ કલ્યાણક-જેઠ સુદ -૫
નિર્વાણ નક્ષત્રઃ-પુષ્ય નિર્વાણ તપ:-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ:-સમેતશિખર ૯૦૦ ચૌદપૂર્વધારી ૩૬૦૦ અવધિજ્ઞાની ૪૫૦૦ મન:પર્યવધારી તેટલાજ કેવળજ્ઞાની ૭૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ર૮૦૦ વાદ લબ્ધિવાળા
282
Page #307
--------------------------------------------------------------------------
________________
૩૨
૧૬.શ્રી શાંતિનાથ ચરિત્ર સર્ગ ૧ થી ૫ પર્વ પાંચમું
પ્રથમ ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રત્નપુર નગરમાં શ્રીષેણ રાજા હતા.
બીજો ભવઃ- ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલ રૂપે (યુગલિક) જન્મ્યા.
ત્રીજો ભવઃ- સૌધર્મ દેવલોકમાં દેવપણાને પ્રાપ્ત કરે છે.
ચોથો ભવઃ- અમિતતેજ નામે વિદ્યાધર થયા.
પાંચમો ભવઃ- દશમા દેવલોકમાં વીશ સાગરોપમના આયુષ્યવાળા દિવ્યફૂડ નામે દેવતા થયા.
છઠ્ઠો ભવઃ- અપરાજિત નામે બળદેવ થયા.
સાતમો ભવઃ- અચ્યુત દેવલોકમાં ઇંદ્ર થયા.
આઠમો ભવઃ- વાયુધ નામે ચક્રવતી થયા.
નવમો ભવઃ- ત્રીજા ત્રૈવેયકમાં પચવીશ સાગરોપમની સ્થિતિ નિર્ગમન કરી.
દશમો ભવઃ- મેઘરથ રાજા તરીકે જન્મ લે છે. તેઓ અત્યંત દયાળુ હતા. એક વખત ઇન્દ્ર મહારાજાએ પોતાની રાજસભામાં મેઘરથ રાજાની પરમ દયાની પ્રશંસા કરી. ત્યારે બે દેવોને આ વાતમાં શંકા થઇ. તેઓ બંને રાજાની પરીક્ષા કરવા આવ્યા. તેમાંથી એક દેવે કબૂતર અને બીજા દેવે બાજ પક્ષીનું રૂપ ધારણ કર્યું. કબૂતર ઉડીને રાજાના ખોળામાં બેસી ગયું. એની પાછળ બાજ પક્ષી આવ્યું. અને રાજાને કહેવા લાગ્યું, હે રાજન! મારો શિકાર મને આપી દો, ત્યારે રાજાએ પોતાને શરણે આવેલા કબૂતરને બચાવવા માટે બાજને કહ્યું, ‘તારે જોઇએ તો મારું માંસ લે પરંતુ કબૂતર તને નહિ આપું.' આખરે નક્કી કર્યા પ્રમાણે કબૂતરના વજન જેટલું પોતાનું માંસ આપવા માટે મેઘરથ રાજા પોતાના પગમાંથી માંસ કાપીને આપવા લાગ્યા. બંને પગો કાપવા છતાં દેવમાયાથી કબૂતરનું વજન વધતું ગયું. એટલે ખુદ સ્વયં મેઘરથ રાજા ત્રાજવામાં બેસી ગયા અને એક જીવને બચાવવા ખાતર પોતાની સમગ્ર જાતનું બલિદાન આપવા તૈયાર થયા. ત્યારે કબૂતર અને બાજે પોતાનું મૂળ દેવનું રૂપ પ્રગટ કર્યું અને રાજાની પ્રશંસા કરતા સ્વસ્થાને ગયા. મેઘરથ રાજા સંયમ લે છે. અને ૧ લાખ પૂર્વનું આયુષ્ય પાળે છે. વીશ સ્થાનક વિધિ સેવીને તીર્થંકર નામકર્મ બાંધ્યું.
283
Page #308
--------------------------------------------------------------------------
________________
અગ્યિારમો ભવઃ- સર્વાર્થ સિદ્ધ નામના અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્યવાળા દેવ થાય છે. બારમો ભવ:- જંબુદ્વીપના હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજા અને અચિરા રાણી રાજ્ય કરે છે. શાંતિનાથ ભગવાનનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે દેશમાં વ્યાપેલ ઉપદ્રવ શાંત થયો હતો તેથી તેમના પિતાએ તેમનું નામ શાંતિનાથ પાડ્યું. શાંતિનાથ તીર્થકર તેમજ પાંચમા ચક્રવર્તી હતા. પ્રભુની ઉમર ૫૦૦૦ વર્ષની હતી ત્યારે તેમનો રાજ્યાભિષેક થયો. અનેક રાજકન્યા સાથે લગ્ન થયા. યશોમતી રાણીથી પુત્ર પ્રાપ્તિ થઈ તે દરમ્યાન એક ચક્ર દેખાયું. આથી પુત્રનું નામ ચક્રાયુધ રાખ્યું. છઠ્ઠની તપસ્યાવાળા સ્વામીએ હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે સુમિત્ર રાજાના ઘરે પરમાન્ન વડે પારણું કર્યું. બાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં ફરીને એકવાર સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં નંદિવૃક્ષની નીચે છઠ્ઠના તપવાળા પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. સમેતશિખર પર્વત ઉપર નવસો સાધુઓ સહિત એક માસના અનશનવાળા પ્રતિમાએ રહેલા શાંતિનાથ ભગવાન લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વૈશાખ વદ ૧૩ ના દિવસના પ્રારંભે નિર્વાણ પામ્યા.
શ્રી ધર્મનાથ પ્રભુના નિર્વાણ પછી શાંતિનાથ પ્રભુનો નિર્વાણ કાલ પોણા પલ્યોપમે ઉણા ત્રણ સાગરોપમ ગયા પછી થયેલો છે. વૈશાખ વદ તેરસ, ભરણી નક્ષત્ર, મેષ રાશિ.
૧૨ /
શ
૧૦ કે
X
૮
-
ચં
,
૧
બ
/
મં
૭.
ગુ
રા.
284
Page #309
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી શાંતિનાથ માતા:-અચિરા
પિતા:-વિશ્વસેન વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ:-સુવર્ણ
ઊંચાઈ :-૪૦ ધનુષ્ય લાંછનઃ-મૃગ
ભવ:-૧૨ ગર્ભકાળ:-૯મહિના ને ૬ દિવસ
કુમારકાળ:-૨૫ હજાર વર્ષ રાજ્યકાળ:-૫૦ હજાર વર્ષ
ગૃહસ્થકાળ:-૭૫ હજાર વર્ષ છદ્મસ્થકાળ:-૧ વર્ષ
સંયતકાળ:-૨૫ હજાર વર્ષ જીવનકાળ -૧ લાખ વર્ષ
શાસનકાળ:-ની પલ્યોપમ. પુત્ર/પુત્રી:-૧,૫૦,૦૦,૦૦૦
ગણધર:-૩૬ સાધુ:-૬૨,૦૦૦
સાધ્વીઃ -૬૧,૬૦૦ શ્રાવક:-૧,૯૦,૦૦૦
શ્રાવિકા:-૩,૯૩,૦૦૦ યક્ષ:-ગરુડ
યક્ષિણી -નિર્વાણી ચ્યવન કલ્યાણકા-શ્રાવણ વદ-૭
ચ્યવન નક્ષત્રઃ-ભરણી જન્મ કલ્યાણક -વૈશાખ વદ-૧૩
જન્મ નક્ષત્રઃ-ભરણી જન્મ રાશિ :-મેષ
જન્મ ભૂમિ -હસ્તિનાપુર દીક્ષા કલ્યાણક-વૈશાખ વદ-૧૪
દીક્ષા નક્ષત્રઃ-ભરણી દીક્ષા તપઃ- ઉપવાસ
દીક્ષા શિબિકા:-સર્જાથા દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ:-હસ્તિનાપુર પારણાનું સ્થળ:-મંદિરપુર
પ્રથમ પારણું:-ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણક-પોષ સુદ-૯ કેવલજ્ઞાન નક્ષત્ર:-ભરણી
કેવલજ્ઞાન તપ - ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-નંદી
કેવલજ્ઞાન ભૂમિ:-હસ્તિનાપુર નિર્વાણ કલ્યાણકઃ-વૈશાખ વદ-૧૩ નિર્વાણ નક્ષત્રઃ-ભરણી નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ:-સમેતશિખર
૮૦૦ ચૌદપૂર્વધારી ૩૦૦૦ અવધિજ્ઞાની ૪૦૦૦ મન:પર્યવજ્ઞાની ૪૩૦૦ કેવળજ્ઞાની ૬૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૨૪૦૦ વાદ લબ્ધિવાળા
285
Page #310
--------------------------------------------------------------------------
________________
શાંતિનાથ ભગવાનના સમયે
સનસ્કુમાર ચક્રવર્તી જ્યારે દેવોની સભામાં ખુદ ઇંદ્ર મહારાજ ચક્રવર્તી સનસ્કુમારના રૂપગુણની ભારોભાર પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે આ પ્રશંસા સાંભળી બે દેવો ચમકી ઊડ્યા! હાડ-માંસ અને રૂધિરથી ભરેલી માનવની કાયા શું આટલી રૂપાળી હોય ખરી ! હરગીઝ નહિ.
અને તેઓ ઇંદ્રની વાત જૂઠી ઠરાવવા ભૂદેવના વેશમાં આ ભારત વર્ષના કુરુદેશમાં હસ્તિનાપુરમાં જ્યાં ચક્રવર્તી સનસ્કુમારની રાજધાની હતી ત્યાં આવી ચહ્યા.
સનસ્કુમાર ચક્રવર્તી તે વખતે સ્નાનમંડપમાં સ્નાન કરી રહ્યા હતા.
સેવકોએ જણાવ્યું. મહારાજાધિરાજ! આપના રૂપ ગુણની પ્રશંસા શ્રવણ કરી બે ભૂદેવો દૂરથી આપના દર્શને આવ્યા છે. શી આજ્ઞા છે?
ભલે આવે! મહારાજાએ જવાબ વાળ્યો. અને ભૂદેવના વેશમાં સજ્જ થયેલા બન્ને દેવો ત્યાં આવીને ઉભા રહ્યા. ચક્રવર્તીની કમનીય કાંતિ, અદ્ભુત રૂપ અને અનુપમ સૌંદર્ય નિહાળી તેઓ તો ઠરી જ ગયા, આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને મોમાં આંગળી નાંખી ડોલવા લાગ્યા કે ખરે જ ચક્રવર્તીનું રૂપ અને સૌંદર્ય અનુપમ
ચક્રવર્તી ભૂદેવોનો ભાવ કળી ગયા અને બોલી ઊઠ્યા અરે ભૂદેવો! આ તો હજી કંઈ નથી. જ્યારે હું વસ્ત્રાલંકારથી સજ્જ થઈ સિંહાસન ઉપર બેસીશ ત્યારે જોજો કે કેવું અદ્ભુત રૂપ છે. ચક્રવર્તી અભિમાને ચઢ્યા. શણગાર સજી અને સિંહાસને બિરાજ્યા અને ભૂદેવોને બોલાવ્યા. ચક્રવર્તીએ કહ્યું. જાઓ ભૂદેવો! ભૂદેવો તો ચક્રવર્તીને જોઇને ગુમસુમ બની ગયા અને એમનાં તો હોશકોશ ઉડી ગયા.
ચક્રવર્તીએ પૂછયું. ભૂદેવો! કેમ આમ ગુમસુમ લાગો છો? હર્ષના સ્થાને ખેદ કેમ જણાય છે?
મહારાજ બસ કરો! ઘડી પહેલાનાં રૂપમાં અને આ કાયામાં આસમાન પાતાળ
286
Page #311
--------------------------------------------------------------------------
________________
જેટલું અંતર છે. આ કાયા અત્યારે સોળસોળ રોગોની ભોગ બની છે. અને એમાં કીડાઓ ખદબદી રહ્યા છે. ચક્રવર્તીએ તંબોળ થૂક્યું અને નજરો નજર એ થૂંકમાં કીડા ખદબદતા નિહાળ્યા. ચક્રવર્તીનું અભિમાન ઓગળી ગયું. એનો ગર્વ ગળી ગયો અને તેમને ભાન થયું કે આ રૂપ, આ વૈભવ અને આ સત્તા ક્ષણિક છે. વીજળીના ચમકારા જેમ બધું અનિત્ય છે. અને તે જ ક્ષણે તેઓ છ ખંડની ઋદ્ધિ સિદ્ધિને છોડીને ચાલતા થયા. વૈરાગી બન્યા, ત્યાગી બન્યા અને સાધુતાની સાધનામાં તન્મય થયા.
હજારો સ્ત્રીઓ અને લાખો પુરજનો છ-છ મહિના સુધી એમની પાછળ ફરે છે. અને કરુણ ક્રદંન કરે છે. વિલાપ કરે છે અને આંસુ સારે છે, પણ સ્નેહની ષ્ટિથી તેમણે ન જોયું તે ન જ જોયું. છેલ્લે સૌ વિલેમુખે પાછા ફર્યાં.
તપ જપથી કાચા કૃશ થઇ ગઈ એવા સનકુમાર રાજર્ષિનું શરીર ભયંકર રોગોનો ભોગ બન્યું, છતાં તેઓ ઔષધ લેતા નથી. લેવાની ઇચ્છા પણ રાખતા નથી.
બે દેવો પુનઃ તેમની સહનશીલતાની કસોટી કરવા આવ્યા. ઔષધ આપવા લાગ્યા. પણ મહામુનિવરે ઔષધ લેવાની ચોખ્ખી ના પાડી અને કહ્યું આ બાહ્ય ઔષધ તો મારી પાસે પણ છે અને તેમણે પોતાનું થૂંક આંગળીએ ચોપડ્યું, ત્યાં તો એ આંગળી કંચનવર્ણી બની ગઇ. દેવો એ જોઇને સ્તબ્ધ બની ગયા. શું મહર્ષિના શરીરના મળ-મૂત્ર અને થૂંકમાં પણ આવી લબ્ધિઓ-શક્તિઓ ભરી પડી છે. અને તેઓ ભક્તિભર્યા હૃદયે વંદન કરીને અદશ્ય થયા.
દ્રવ્યરોગ દૂર કરવાની તાકાત તો તેમના મળ-મૂત્રમાં હતી. પણ એ તો ભાવ રોગ-કર્મને દૂર કરવા ઇચ્છતા હતા.
સનત્યુમાર રાજર્ષિ ૭૦૦ વર્ષો સુધી સમભાવે રોગોને સહન કરી, સુંદર ચારિત્ર પાળી અને સ્વર્ગે સીધાવ્યા.
આ કથા આપણને સુંદર બોધપાઠ આપી જાય છે કે રૂપ, જ્ઞાન, ઐશ્વર્ય, જાતિ, કુળ, બળ અને લાભ વગેરેનું કોઇ અભિમાન કરશો નહિ.
287
Page #312
--------------------------------------------------------------------------
________________
ભવ પહેલો:- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવર્ત નામે વિજયમાં ખડ્ડી નામે નગરી છે. ત્યા સિંહાવહ રાજા હતો. તેણે સંવરાચાર્ય પાસે જઇને દીક્ષા ગ્રહણ કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું
પર્વ છઠ્ઠું ૧૭.શ્રી કુંથુનાથ ચરિત્ર સર્ગ ૧લો
ભવ બીજોઃ- સર્વાર્થ સિધ્ધમાં અનુત્તર વિમાનમાં દેવતા થયા.
ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમા સૂરરાજા અને શ્રીદેવી રાણી હતી. સિંહાવહ રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ કુંથુના જેવા મુખવાળા રત્નોનો સમૂહ જોયો તેથી પિતાએ તેનું કુંથુ એવું નામ પાડ્યું. કુંથુ સ્વામી ચક્રવર્તી પણ હતા. ચક્રવર્તીપણે ત્રેવીશ હજાર સાડા સાતસો વર્ષ નિર્ગમન થયા બાદ લોકાંતિક દેવોએ વિનંતી કરી અને એ વિનંતિ સ્વીકારી કુંથુ સ્વામી દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષાના બીજા દિવસે વ્યાઘ્રસિંહ રાજાને ઘરે પારણું કર્યું. ૧૬ વર્ષ બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. ૧ માસના અણસણ કરી ૧૦૦૦ મુનિઓની સાથે મોક્ષપદ પામ્યા.
શાંતિનાથ પ્રભુના નિર્વાણ પછી અર્ધ પલ્યોપમ કાળ ગયો ત્યારે શ્રી કુંથુનાથ ભગવાનનું નિર્વાણ થયું.
ચૈત્ર વદ ચૌદસ, કૃતિકા નક્ષત્ર, વૃષભ રાશિ.
૩
૧
સૂ
૧૨
મ
શ
બુ
cat
કે
૧૧
૫ ગુ
288
રા
૧૦
મં ૮
૬
૭
€
Page #313
--------------------------------------------------------------------------
________________
માતા:-શ્રીદેવી
વંશ:-ઇક્ષ્વાકુ
વર્ણ:-સુવર્ણ
લાંછનઃ-છાગ
ગર્ભકાળઃ-૯મહિના ને ૫ દિવસ
રાજ્યકાળ:-૪૭,૫૦૦ વર્ષ
છદ્મસ્થકાળ:-૧૬ વર્ષ
જીવનકાળ:-૯૫ હજાર વર્ષ
પુત્ર/પુત્રીઃ-૧,૫૦,૦૦,૦૦૦
સાધુઃ-૬૦,૦૦૦
શ્રાવક:-૧,૭૯,૦૦૦
ચક્ષુઃ-ગંધર્વ
અવન કલ્યાણક:-અષાઢ વદ-૯
જન્મ કલ્યાણક:-ચૈત્ર વદ-૧૪ જન્મ રાશિઃ-વૃષભ
દીક્ષા કલ્યાણક:-ચૈત્ર વદ-૫
દીક્ષા તપઃ-૨ ઉપવાસ દીક્ષા વૃક્ષ:-અશોક પારણાનું સ્થળ:-ચંઢપુર સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-કૃત્તિકા કેવલજ્ઞાન વૃક્ષ:-તિલક નિર્વાણ કલ્યાણક:-ચૈત્ર વદ -૧
નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
૬૭૦ ચૌદપૂર્વધારી
૨૫૦૦ અવધિજ્ઞાની
૩૩૪૦ મન:પર્યવજ્ઞાની
૩૨૦૦ કેવળજ્ઞાની
૫૧૦૦ વૈક્રિય લબ્ધિવાળા
૨૦૦૦ વાદ લબ્ધિવાળા
તીર્થંકર જીવન દર્શન શ્રી કુંથુનાથ
પિતાઃ-સૂરસેન ગોત્ર:-કાશ્યપ
ઊંચાઇ:-૩૫ ધનુષ્ય
ભવઃ-૩
કુમારકાળ:-૨૩,૭૫૦ વર્ષ
ગૃહસ્થકાળઃ-૭૧,૨૫૦ વર્ષ
સંચતકાળ:-૨૩,૭૫૦ વર્ષ
શાસનકાળ:-૦૫ પલ્યોપમ.
ગણધર:-૩૫
સાધ્વી:-૬૦,૬૦૦
શ્રાવિકા:-૩,૮૧,૦૦૦
ચક્ષિણી:-બલા
ચ્યવન નક્ષત્રઃ-કૃત્તિકા
જન્મ નક્ષત્રઃ-કૃત્તિકા
જન્મ ભૂમિઃ-હસ્તિનાપુર
દીક્ષા નક્ષત્રઃ-કૃત્તિકા
દીક્ષા શિબિકા:-વિજયા
દીક્ષાભૂમિઃ-હસ્તિનાપુર
પ્રથમ પારણું:-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક:-ચૈત્ર સુદ-૩ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિઃ-હસ્તિનાપુર નિર્વાણ નક્ષત્રઃ-કૃત્તિકા નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
289
Page #314
--------------------------------------------------------------------------
________________
પર્વ છઠું ૧૮.શ્રી અરનાથ સ્વામી ચરિત્ર સર્ગ રજો પહેલો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વત્સવિજયમાં સુસીમા નામે નગરી છે ત્યાં ધનપતિ રાજા હતો. તેણે સંવરમુનિ પાસે દીક્ષા લીધી. વીશસ્થાનક તપ કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. બીજો ભવ:- નવમાં દેવલોકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયા. ત્રીજો ભવ - જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગર છે. ત્યાં સુદર્શન રાજા હતો. મહાદેવી નામે રાણી હતી. ધનપતિ રાજાનો જીવ દેવલોકમાંથી મહાદેવી રાણીની કુક્ષીથી અવતર્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં સુવર્ણમય અર (ગાડીના પૈડાનો આરો) જોયો હતો. તેથી પિતાએ પ્રભુનું અર એવું નામ કર્યું. ર૧૦૦૦ વર્ષ ચક્રવર્તીપણું ભોગવી પુત્ર અરવિંદને રાજ્ય સોંપી અરનાથ પ્રભુએ દીક્ષા લીધી. દીક્ષાના બીજા દિવસે રાજપુર નગરમાં અપરાજીત રાજાને ઘેર પ્રભુએ પારણું કર્યું. છદ્મસ્થપણામાં ૩ વર્ષ ગયા પછી પ્રભુ કેવળજ્ઞાન પામ્યા.
૧ માસનું અણસણ કરી મોક્ષપદ પામ્યા.
શ્રી કુંથુનાથ પ્રભુ મોક્ષે ગયા પછી કોટિ હજાર વર્ષે ઉણો પલ્યોપમનો ચોથો અંશ ગયો ત્યારે શ્રી અરનાથ પ્રભુ મોક્ષે ગયા. માગશર વદ દશમ, રેવતી નક્ષત્ર, મીન રાશિ.
૮
X શ ૬ રાજ ૪
/
ચં ૧૨ કે
/
જે
૧
/
૧૧
290
Page #315
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી અરનાથ માતા:-મહાદેવી
પિતા:-સુદર્શન વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ-સુવર્ણ
ઊંચાઈઃ-૩૦ ધનુષ્ય લાંછનઃ-નંદ્યાવર્ત
ભવ:-૩ ગર્ભકાળ:-૯મહિના ને ૮ દિવસ
કુમારકાળઃ-૨૧ હજાર વર્ષ રાજ્યકાળ:-૪ર હજાર વર્ષ
ગૃહસ્થકાળ:-૬૩ હજાર વર્ષ છદ્મસ્થકાળ:-૩ વર્ષ
સંયતકાળઃ-૨૧ હજાર વર્ષ જીવનકાળ:-૮૪ હજાર વર્ષ
શાસનકાળ -૧ હજાર ક્રોડ વર્ષ. પુત્ર/પુત્રી:-૧,૨૫,૦૦,૦૦૦
ગણધર:-૩૩ સાધુ:-૬૦,૦૦૦
સાધ્વીઃ -૬૦,૦૦૦ શ્રાવક:-૧,૮૪,૦૦૦
શ્રાવિકા:-૩,૭૨,૦૦૦ યક્ષ:-ચક્ષેન્દ્ર
યક્ષિણી -ધારિણી ચ્યવન કલ્યાણક-ફાગણ સુદ-૨
અવન નક્ષત્રઃ-રેવતી જન્મ કલ્યાણક-માગસર સુદ-૧૦ જન્મ નક્ષત્રઃ-રેવતી જન્મ રાશિઃ-મીન
જન્મ ભૂમિ:-હસ્તિનાપુર દીક્ષા કલ્યાણક-માગસર સુદ-૧૧
દીક્ષા નક્ષત્રઃ-રેવતી દીક્ષા તપઃ-૨ ઉપવાસ
દીક્ષા શિબિકા -નિવર્તિકા દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ -હસ્તિનાપુર પારણાનું સ્થળ:-રાજપુર
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણકા-કારતક સુદ-૧૨ કેવલજ્ઞાન નક્ષત્રઃ-રેવતી
કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-આમ્ર
કેવલજ્ઞાન ભૂમિ:-હસ્તિનાપુર નિર્વાણ કલ્યાણક-માગસર સુદ-૧૦ નિર્વાણ નક્ષત્ર:-રેવતી નિર્વાણ તપ:-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ-સમેતશિખર
291
Page #316
--------------------------------------------------------------------------
________________
પર્વ-છઠ્ઠ ૧૯.શ્રી મલ્લિનાથ સ્વામી ચરિત્ર સર્ગ-છઠ્ઠો ભવ પહેલો:- જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા નગરી છે તેમાં બલરાજા અને ધારિણી રાણી હતી. તેમને મહાબલ નામે પુત્ર થયો. મહાબલ કુમાર કમલશ્રી વગેરે પાંચશો કન્યા સાથે પરણ્યો. તે મહાબલને અચળ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ, અભિચંદ્ર નામે છ(રાજાઓ) મિત્રો હતા. ધર્મ સાંભળી વૈરાગ્ય પ્રાપ્ત થતા મહાબલ રાજા તેના છ મિત્રો સાથે વરધર્મ મુનિની પાસે દીક્ષા લીધી. સૌએ સાથે તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. ત્યારે મહાબલ માયા રાખી અધિક તપ કરતા એટલે કે બીજા બધા ઉપવાસ કરે ત્યારે તે છઠ્ઠનો તપ કરે. ઉપવાસના બીજા દિવસે મને સુધા નથી એમ કહી આહાર ન કરતા અને તપ કરતા. તપના પ્રભાવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું પણ માયા કરી એટલે સ્ત્રીવેદ બાંધ્યું. ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય તેઓ પાળે છે. બીજો ભવઃ- વૈજયંત નામના ૩૩ સાગરોપમના આયુષ્યવાળા અનુત્તર વિમાનમાં દેવ થયો. ત્રીજો ભવ - જંબુદ્વીપના દક્ષિણ ભારત ક્ષેત્રમાં મિથિલા નગરી છે. તેમાં કુંભારાજા રાજ્ય કરે છે. તેને પ્રભાવતી રાણી છે. મહાબલ રાજાનો જીવ દેવલોકમાંથી તેમની પુત્રી તરીકે જન્મ લે છે. તે ગર્ભમાં હતી ત્યારે માતાને પુષ્પની શૈયાનો દોહદ થયો હતો તેથી કુંભ રાજાએ તેનું મલ્લિ એવું નામ પાડયું. પૂર્વ ભવના મિત્રોમાંથી અચળ પ્રતિશુધ્ધ રાજા થાય છે. ધરણનો જીવ ચંદ્રચ્છાયા રાજા, પૂરણનો જીવ રૂકિમ નામે રાજા, વસુનો જીવ શંખરાજા, વૈશ્રમણનો જીવ અદિનશત્રુ રાજા, અભિચંદ્રનો જીવ જિતશત્રુ રાજા થાય છે. આ છએ રાજાઓને મલ્લિકુમારી પર રાગ થયો. મલ્લિકુમારી એ આ વાત અવધિજ્ઞાનથી જાણી. પોતાની સુવર્ણ પ્રતિમા બનાવી તેમાં એક ઢાંકણું રખાવી તેમાં રોજ એક કવલ આહાર નાંખતા. જ્યારે છ મિત્રો આવે છે ત્યારે તે પ્રતિમા પાસે લઈ જાય છે અને ઢાંકણું ખોલતા અતિશય દુર્ગધ આવે છે. આ રીતે છએ મિત્રોને પ્રતિબોધ કરી ૩૦૦ રાજાની સાથે દીક્ષા લીધી. અને તે જ દિવસે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુ મોક્ષ કાલ નજીક જાણી ૫૦૦ સાધુઓની સાથે અને ૫૦૦ સાધ્વીની સાથે અનશન સ્વીકારી મોક્ષ પદ પામ્યા.
અરનાથ પ્રભુના નિર્વાણ પામ્યા પછી કોટિ હજાર વર્ષ ગયા ત્યારે શ્રી મલ્ટિપ્રભુનું નિર્વાણ થયું.
292
Page #317
--------------------------------------------------------------------------
________________
માગશર સુદ અગ્યારસ, અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ.
૯
રાજ્યકાળ:
の
و
છદ્મસ્થકાળ:-૧ પ્રહર
૬
A
માતા:-પ્રભાવતી
વંશ:-ઇક્ષ્વાકુ
વર્ણ:-નીલ
લાંછનઃ-કુંભ
ગર્ભકાળ:-૯ મહિના ને ૭ દિવસ
૧૦
જીવનકાળ:-૫૫ હજાર વર્ષ
પુત્ર/પુત્રીઃ
સાધુઃ-૪૦,૦૦૦
શ્રાવક:-૧,૮૩,૦૦૦
عه
રા ૧૧ શ
~
તીર્થંકર જીવન દર્શન
શ્રી મલ્લિનાથ
૪
ભવઃ-૩
૧૨
293
3
પિતાઃ-કુંભ
ગોત્ર:-કાશ્યપ
ઊંચાઇ:-૨૫ ધનુષ્ય
*
કુમારકાળ:-૧૦૦ વર્ષ
ગૃહસ્થકાળ:-૧૦૦ વર્ષ
સંચતકાળ:-૫૪,૯૦૦ વર્ષ
શાસનકાળ:-૫૪ લાખ વર્ષ
ગણધરઃ-૨૮
સાધ્વીઃ-૫૫,૦૦૦
શ્રાવિકા:-૩,૭૦,૦૦૦
Page #318
--------------------------------------------------------------------------
________________
યક્ષ:-કુબેર
ચ્યવન કલ્યાણક:-ફાગણ સુદ-૪
જન્મ કલ્યાણક:-માગસર સુદ-૧૧
જન્મ રાશિઃ-મેષ
દીક્ષા કલ્યાણક:-માગસર સુદ-૧૧
દીક્ષા તપઃ-૩ ઉપવાસ
દીક્ષા વૃક્ષ:-અશોક
પારણાનું સ્થળઃ-મિથિલા
સહ દીક્ષિતો:-૩૦૦
કેવલજ્ઞાન નક્ષત્ર:-અશ્વિની
કેવલજ્ઞાન વૃક્ષ:-અશોક
નિર્વાણ કલ્યાણકઃ-ફાગણ સુદ -૧૨
નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
૬૬૮ ચૌદપૂર્વધારી
૨૨૦૦ અવધિજ્ઞાની
૧૭૫૦૦ મન:પર્યવજ્ઞાની
૨૨૦૦ કેવળજ્ઞાની
૨૯૦૦ વૈક્રિય લબ્ધિવાળા
વાદ લબ્ધિવાળા ૧૪૦૦
294
યક્ષિણી:–વૈરુટચા
ચ્યવન નક્ષત્રઃ-અશ્વિની
જન્મ નક્ષત્ર:-અશ્વિની
જન્મ ભૂમિઃ-મિથિલા
દીક્ષા નક્ષત્ર:-અશ્વિની
દીક્ષા શિબિકા:-જયંતી
દીક્ષાભૂમિ:-મિથિલા
પ્રથમ પારણું:-ક્ષીર
કેવલજ્ઞાન કલ્યાણક:-માગસર સુદ-૧૧
કેવલજ્ઞાન તપઃ-૩ ઉપવાસ
કેવલજ્ઞાન ભૂમિઃ-મિથિલા
નિર્વાણ નક્ષત્રઃ-ભરણી
નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
Page #319
--------------------------------------------------------------------------
________________
પર્વ-દહું
૨૦.મુનિસુવ્રત સ્વામી સર્ગ-૭મોમ ભવ પહેલો - જંબુદ્વીપના અપરવિદેહમાં ભરત નામના વિજયમાં ચંપા નગરી છે. ત્યાં સુરશ્રેષ્ઠ રાજા હતો. તેણે નંદનમુનિ પાસે દીક્ષા લીધી. વીશસ્થાનક તપ કરી તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. બીજો ભવ:- પ્રાણત દેવલોકમાં દેવતા થયા. ત્રીજો ભવઃ- ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નગરમાં સુમિત્ર નામે રાજા હતો. તેને પદ્માવતી નામની રાણી હતી. સુરશ્રેષ્ઠ રાજાનો જીવ પ્રાણત દેવલોકમાંથી તેમના પુત્ર તરીકે જન્મે છે. આ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતા મુનિની જેમ સુવ્રતા (રાત વ્રતવાળી) થઈ તેથી પિતાએ તેનું નામ મુનિસુવ્રત પાડ્યું. યૌવન વય પ્રાપ્ત થતાં પિતાએ તેમને પ્રભાવતી વગેરે રાજપુત્રીઓની સાથે પરણાવ્યા. પિતાની ઈચ્છાથી રાજ્યભાર ગ્રહણ કર્યો. એક દિવસ લોકાંતિક દેવોએ વિનંતી કરી અને પ્રભુ દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષાના બીજા દિવસે બ્રહ્મદત્ત રાજાને ઘેર મુનિસુવ્રત પ્રભુએ પારણું કર્યું. છદ્મસ્થ અવસ્થામાં ૧૧ માસ થયા પછી તેમને કેવળજ્ઞાન મળે છે. ૧ હજાર મુનિઓની સાથે અનશન સ્વીકારી તેઓ નિર્વાણ પામ્યા.
શ્રી મલ્લિનાથ સ્વામી મોક્ષ ગયા પછી ચોપન લાખ વર્ષ ગયા ત્યારે શ્રી મુનિસુવ્રતસ્વામીનું નિર્વાણ થયું. વૈશાખ વદ આઠમ, શ્રવણ નક્ષત્ર, મકર રાશિ.
૧૨
X ચં
૧૦ શ
X
૮
295
Page #320
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી મુનિસુવ્રત સ્વામી માતા:-પદ્માવતી
પિતા:-સુમિત્ર વંશ -હરિ
ગોત્ર:-ગૌતમ વર્ણઃ-શ્યામ
ઊંચાઈઃ-૨૦ ધનુષ્ય લાંછન -કૂર્મ
ભવ:-૯ ગર્ભકાળ:-૯મહિના ને ૮ દિવસ
કુમારકાળ:-૭.૫ હજાર વર્ષ રાજ્યકાળ:-૧૫ હજાર વર્ષ
ગૃહસ્થકળ:-૨૨,પ૦૦ વર્ષ છદ્મસ્થકાળ:-૧૧.૫ મહિના
સંચતકાળ:-૭૫૦૦ વર્ષ જીવનકાળ:-૩૦ હજાર વર્ષ
શાસનકાળ:-૬ લાખ વર્ષ પુત્ર/પુત્રી:-૧૯ પુત્ર
ગણધર -૧૮ સાધુ:-૩૦,૦૦૦
સાધ્વી:-પ૦,૦૦૦ શ્રાવક:-૧,૭૨,૦૦૦
શ્રાવિકા:-૩,૫૦,૦૦૦ યક્ષ:-વરુણ
યક્ષિણી:-નરદત્તા ચ્યવન કલ્યાણક-શ્રાવણ સુદ-૧૫
ચ્યવન નક્ષત્ર:-શ્રવણ જન્મ કલ્યાણક -વૈશાખ વદ-૮
જન્મ નક્ષત્ર:-શ્રવણ જન્મ રાશિ:-મકર
જન્મ ભૂમિ -રાજગૃહ દીક્ષા કલ્યાણક-ફાગણ સુદ-૧૨
દીક્ષા નક્ષત્રઃ-શ્રવણ દીક્ષા તપઃ-ઉપવાસ
દીક્ષા શિબિકા:-અપરાજિતા દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ -રાજગૃહી પારણાનું સ્થળ:-રાજગૃહી
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણકા-મહા વદ-૧ર કેવલજ્ઞાન નક્ષત્રઃ-શ્રવણ
કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-ચંપક
કેવલજ્ઞાન ભૂમિ:-રાજગૃહી નિર્વાણ કલ્યાણક -વૈશાખ વદ -૯ નિર્વાણ નક્ષત્ર:-શ્રવણ નિર્વાણ તપ:-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ:-સમેતશિખર ચૌદપૂર્વધારી પ૦૦ અવધિજ્ઞાની ૧૮૦૦ મન:પર્યવ જ્ઞાની ૧૫૦૦ કેવળજ્ઞાની ૧૮૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૨૦૦૦ વાદ લબ્ધિવાળા ૧૦૦૦
295
Page #321
--------------------------------------------------------------------------
________________
પર્વ-૭મું ૨૧.નમિનાથ ચરિત્ર સર્ગ-૧૧મો
ભવ પહેલો:- જંબુદ્વીપના ભરત વિજયમાં કૌશાંબી નામે નગરી છે. તેમાં સિધ્ધાર્થ નામે રાજા હતો. તેણે સુદર્શન મુનિની પાસે દીક્ષા લીધી. વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
બીજો ભવઃ- અપરાજિત વિમાનમાં ૩૩ સાગરોપમના આયુવાળા દેવપણે ઉત્પન્ન
થયા.
ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલા નામે નગરી છે. તેમાં વિજય નામે રાજા હતો તેની વપ્રા નામની પ્રિયા હતી. સિધ્ધાર્થ રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂંધી હતી. તે વખતે તત્કાળ વપ્રાદેવી પ્રાસાદના શિખર પર ચડ્યા હતા. ગર્ભના પ્રભાવથી વેરીઓ વિજય રાજાને નમ્યા હતા. તેથી તેણે પ્રભુનું નિમ એવું નામ પાડ્યું. પિતાની ઇચ્છાથી પરણ્યા તેમજ રાજ્ય કારભાર સ્વીકાર્યો. લોકાંતિક દેવોની ઇચ્છાથી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના બીજા દિવસે દત્ત રાજાને ઘરે પારણું કર્યું. નવ માસ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહી કેવળજ્ઞાનને પામ્યા. ૧ હજાર મુનિઓની સાથે અનશન ગ્રહણ કરી નિર્વાણ
પામ્યા.
ო
મુનિસુવ્રત પ્રભુના નિર્વાણ પછી છ લાખ વર્ષ નિર્ગમન થયાં ત્યારે શ્રી નમિનાથનું નિર્વાણ થયું.
અષાઢ વદ આઠમ, અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ.
પ
کو
ર
*
జ
૬
ਤ
રા
૧
•≈
297
5)
શ
·I
39
.
૧૨
૧૦
८
૧૧
C
Page #322
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી નમિનાથ
પિતા:-વિજય
ગોત્ર:-કાશ્યપ
ઊંચાઇ:-૧૫ ધનુષ્ય
ભવ:-૩
કુમારકાળ:-રપ૦૦ વર્ષ ગૃહસ્થકાળ:-૭૫૦૦ વર્ષ સંયતકાળ:-૨૫૦૦ વર્ષ શાસનકાળ:-૫ લાખ વર્ષ
ગણધર:-૧૭
માતા:-વઝા વંશ -ઇક્વાકુ વર્ણ-સુવર્ણ લાંછન:-નીલકમલ ગર્ભકાળ:-૯ મહિના ને ૮ દિવસ રાજ્યકાળ:-૫ હજાર વર્ષ છદ્મસ્યકાળ:-૯ મહિના જીવનકાળઃ-૧૦ હજાર વર્ષ પુત્ર/પુત્રી:- - સાધુ:-૨૦,૦૦૦ શ્રાવક:-૧,૭૦,૦૦૦ યક્ષ:-ભ્રકુટિ ચ્યવન કલ્યાણક -આસો સુદ-૧૫ જન્મ કલ્યાણક-અષાઢ વદ-૮ જન્મ રાશિઃ-મેષ દીક્ષા કલ્યાણક-જેઠ વદ-૯ દીક્ષા તપઃ-ર ઉપવાસ દીક્ષા વૃક્ષ-અશોક પારણાનું સ્થળ:-વીરપુર સહ દીક્ષિતો -૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-અગ્વિની કેવલજ્ઞાન વૃક્ષ -બકુલ નિર્વાણ કલ્યાણક-ચૈત્ર વદ -૧૦ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
સાધ્વી:-૪૧,૦૦૦ શ્રાવિકા -૩,૪૮,૦૦૦ યક્ષિણી:-ગાંધારી ચ્યવન નક્ષત્રઃ-અશ્વિની જન્મ નક્ષત્ર -અશ્વિની જન્મ ભૂમિ -મિથિલા દીક્ષા નક્ષત્ર -અશ્વિની દીક્ષા શિબિકા-દેવકુરુ દીક્ષાભૂમિ -મિથિલા પ્રથમ પારણું :-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક-માગસર સુદ-૧૧ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિ:-મિથિલા નિર્વાણ નક્ષત્રઃ-અશ્વિની નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
298
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૨. નેમનાથ ભગવાનનું ચરિત્ર પર્વ-૮મું”
સર્ગ-૧લો નેમનાથ ભગવાન અને રાજીમતીના નવ ભવ
આરણ નામના ૧૧મા દેવલોકમાં ઇંદ્રના સામાનિક
દેવતા અપરાજિત અને પ્રીતિમતિ
શંખ
અને
યશોમતિ
પરમર્ણિક દેવતા
અપરાજિત નામના અનુત્તરવિમાનમાં
છે.
ચિત્રગતિ
નેમ અને રાજુલ
અને
રત્નાવતી
સૌધર્મ દેવલોક
ધનકુમાર
અને ધનવતી
પ્રથમ ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અચળપુર નામે નગરમાં વિક્રમધન રાજા રાજ્ય કરતો હતો. તેને ધારિણી નામની રાણીથી ત્રણ પુત્રોનો જન્મ થાય છે. (૧)ધનકુમાર (ર)ધનદત્ત (૩)ધનદેવ. ધનકુમાર આદિ મોટા થતા ધનકુમારના લગ્ન કુસુમપુર નગરના સિંહરાજા અને વિમળારાણીની પુત્રી ધનવતી સાથે થાય છે. તેમને જયંત નામે પુત્રનો જન્મ થાય છે. પુત્ર મોટો થતાં ધનકુમાર મુનિચંદ્ર મુનિ પાસે દીક્ષા લે છે.
299
Page #324
--------------------------------------------------------------------------
________________
બીજો ભવઃ- ધનકુમારના ભવમાં મુનિ તરીકે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવતા થયા.
ત્રીજો ભવઃ- વૈતાદ્યાગિરિમાં સૂરજ નગરમાં સૂરરાજા છે તેને વિદ્યુમ્મતિ રાણી છે. ધનકુમારના જીવનું સૌધર્મ દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થતાં વિદ્યુમ્નતિના ગર્ભમાં ચ્યવન થાય છે. તે પુત્રપણે જન્મ લે છે. તેનું નામ ચિત્રગતિ રાખવામાં આવે છે. ગયા ભવના ભાઈ આ ભવમાં પણ મનોગતિ અને ચપલગતિ તરીકે જન્મ લે છે. ચિત્રગતિના લગ્ન શિવમંદિર નગરના અસંગસિંહ રાજા અને શશીખભા રાણીની પુત્રી રત્નવતી સાથે થાય છે. ચિત્રગતિ અને રત્નાવતીને પુરંદર નામે પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે. પુત્ર મોટો થતાં તેને રાજગાદી સોંપી તેઓ દમધર આચાર્ય પાસે દીક્ષા લે છે. ચોથો ભવઃ- ત્યાંથી મરીને ચિત્રગતિનો જીવ પરમર્બિક દેવતા થાય છે. આગળના ભવના તેના બે ભાઈ અને રત્નાવતી પણ તેની સાથે હોય છે. પાંચમો ભવઃ- સિંહપુર નગરમાં હરિસંદિ રાજા છે તેને પ્રિયદર્શના નામે રાણીથી ત્રણ પુત્રની પ્રાપ્તિ થાય છે. અપરાજિત, સુર, સોમ. તેમાં અપરાજિતના લગ્ન અમૃતસેન (ખેચરપતિ) અને કીર્તિમતીની દીકરી રત્નમાળા જોડે તેમજ જનાનંદ નગરના જિતરાનું અને ધારિણીની દીકરી પ્રીતિમતિ સાથે થાય છે. પ્રીતિમતિથી તેને પદ્મ નામે પુત્રની પ્રાપ્તિ થાય છે. પુત્ર મોટો થતાં તેને રાજ્યગાદી સોંપી અપરાજિત રાજા વિમળબોધ મંત્રી, સૂર, સોમ તથા પ્રીતિમતિ સાથે દીક્ષા લે છે. છઠ્ઠો ભવઃ- ત્યાંથી મરીને તે આરણ નામના ૧૧માં દેવલોકમાં ઈંદ્રના સામાનિક દેવ તરીકે જન્મ લે છે. સાતમો ભવઃ- હસ્તિનાપુર નગરમાં શ્રીષેણરાજા અને તેને શ્રીમતિ નામે રાણી છે. તેમને ત્રણ પુત્ર છે. શંખ, યશોધર, ગુણધર. વિમળબોધ મંત્રીનો જીવ શંખના મિત્ર તરીકે જન્મે છે. શંખ કુમાર યૌવન વયે પહોંચતા તેમના લગ્ન જિતારી રાજા અને કીર્તિમતિ રાણીની પુત્રી યશોમતી સાથે થાય છે. શંખ અને યશોમતીને પુંડરિક નામે પુત્રની પ્રાપ્તિ થાય છે. પુત્ર મોટો થતાં તેને રાજ્યગાદી સોંપી બંને શ્રીષણમુનિ પાસે દીક્ષા લે છે. અહીં શંખમુનિ તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરે છે. આઠમો ભવઃ- ત્યાંથી મરીને શંખનો જીવ અપરાજિત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે.
300
Page #325
--------------------------------------------------------------------------
________________
નવમો ભવઃ- શૌરિપુરી નગરમાં સમુદ્રવિજય નામે રાજા છે તેને શિવાદેવી નામે રાણી છે. તેઓને નેમ નામના પુત્રની પ્રાપ્તિ થાય છે. જેમને અરિષ્ટનેમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાએ રિષ્ટમી ચક્રધારા સ્વપ્નમાં જોઇ હતી. તેઓ મોટા થતાં તેમના લગ્ન ઉગ્રસેન રાજા અને ધારિણીની પુત્રી રાજીમતી સાથે નક્કી થાય છે. લગ્ન કરવા જતી વેળાએ પશુઓના પોકાર સાંભળી કરૂણામૂર્તિ તેમજ અહિંસા પ્રેમી નેમકુમાર લગ્ન કર્યા વગર પાછા ફરે છે. અને દીક્ષા લે છે. દીક્ષા બાદ કેવળજ્ઞાન પામી નિર્વાણ પામે છે. યશોધર, ગણુધર, મતિપ્રભ મંત્રી આદિ આ ભવમાં તેમના ગણધર બને છે. તેમના પરિવારની તથા તેમના જીવનની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે.
નેમનાથ ભગવાનની જન્મકુંડલીઃ
જન્મ-શ્રાવણ સુદ પાંચમ
નક્ષત્ર-મિત્રા
રાશિ-કન્યા
રક્ષાયોગ, શંખયોગ, બાહુબળયોગ, જલક્રિડાયોગ, વાગ્દત્તાયોગ.
હ્યુ, ”
મ
کو
૩
૭
3)
^*.
301
'
h
૧
૧૧
C
૧૨
૧૦
Page #326
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી નેમિનાથ માતા -શિવા
પિતા:-સમુદ્રવિજય વંશઃ-ગૌતમ
ગોત્ર:-હરિવંશ વર્ણઃ-શ્યામ
ઊંચાઈઃ-૧૦ ધનુષ્ય લાંછન:-શંખ
ભવ:-૯ ગર્ભકાળ:-૯મહિના ને ૮ દિવસ
કુમારકાળ:-૩૦૦ વર્ષ રાજ્યકાળ:- -
ગૃહસ્થીકાળ:-૩૦૦ વર્ષ છાકાળ:-પ૪ દિવસ
સંયતકાળ:-૭૦૦ વર્ષ જીવનકાળ:-૧૦૦૦ વર્ષ
શાસનકાળ:-૮૩,૭૫૦ વર્ષ પુત્ર/પુત્રી:- -
ગણધર -૧૧ સાધુ:-૧૮,૦૦૦
સાધ્વી:-૪૦,૦૦૦ શ્રાવક:-૧,૬૯,૦૦૦
શ્રાવિકા -૩,૩૬,૦૦૦ યક્ષઃ-ગોમેધ
યક્ષિણી:-અંબિકા ચ્યવન કલ્યાણકઃ-આસો વદ-૧૨
ચ્યવન નક્ષત્ર:-ચિત્રા જન્મ કલ્યાણકા-શ્રાવણ સુદ-૫
જન્મ નક્ષત્રઃ-ચિત્રા જન્મ રાશિ:-કન્યા
જન્મ ભૂમિ:-શૌરિપુર દીક્ષા કલ્યાણક:-શ્રાવણ સુદ-૬
દીક્ષા નક્ષત્રઃ-ચિત્રા દીક્ષા તપ-ર ઉપવાસ
દીક્ષા શિબિકા-ઉત્તરકુર દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ-દ્વારીકા,સહસ્સામ્રવન પારણાનું સ્થળ -દ્વારિકા
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણક-ભાદરવા વદ-0)) કેવલજ્ઞાન નક્ષત્રઃ-ચિત્રા
કેવલજ્ઞાન તપ -૩ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ-વેતસ
કેવલજ્ઞાન ભૂમિડ-ગિરનાર નિર્વાણ કલ્યાણક-અષાઢ સુદ -૮ નિર્વાણ નક્ષત્રઃ-ચિત્રા નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિડ-ગિરનાર દીક્ષા વખતે ઉંમરઃ-૩૦૦ વર્ષ
દીક્ષા સમય પૂર્વાહનકાળ દીક્ષાનું પારણું -વરદત્ત બ્રાહ્મણના ઘરે
ચૌદપૂર્વધારી ૪૦૦ અવધિજ્ઞાની,વૈક્રિયલબ્ધિધારી, કેવળજ્ઞાની ૧૫૦૦ મન:પર્યવજ્ઞાની ૧૦૦૦ વાદ લબ્ધિવાળા ૮૦૦
302
Page #327
--------------------------------------------------------------------------
________________
• ઉગ્રસેન રાજાથી થયેલી ભૂલ અને માસક્ષમણના પારણા માટે આવેલ મુનિ ક્રોધ
ચઢ્યા, નિયાણું કર્યું. મુનિએ કહ્યું આ તપના પ્રભાવે હું ભવોભવ તેનો વધ
કરનારો થાઉં. • મુનિ મૃત્યુ પામી ઉગ્રસેન રાજાના પુત્ર તરીકે જન્મે છે. ગર્ભમાં આવે છે ત્યારે
માતાને માંસ ખાવાનો દોહદ થાય છે. આ પુત્ર એટલે કંસ કંસના લગ્ન જીવયશા સાથે થાય છે. જીવયશા એકવાર મદિરામાં વશ થઇને મુનિને ગળે વળગી. મુનિએ કહ્યું જે નિમિત્ત ઉત્સવ છે. તેનો સાતમો ગર્ભ (એટલેકે દેવકીનો પુત્ર) તારા પતિનો હણનાર છે. આથી કંસે વસુદેવ પાસેથી વચન માગ્યું કે દેવકીનો સાતમો ગર્ભ મને સોંપવો. દેવકીના સાતમા પુત્રનો જન્મ થાય છે જેને વસુદેવ નંદના ઘરે ગોકુળમાં મૂકવામાં આવે છે. આ સાતમો પુત્ર એટલે કૃષ્ણ. એકમત પ્રમાણે તેને ૧૬૦૦૦ કન્યાઓ સાથે પરણ્યા. બીજા મત પ્રમાણે તેને ૮ રાણીઓ હતી. (૧)સત્યભામા (ર) રુકમણિ (૩)જાંબવતી (૪)સુસીમા (૫)લક્ષ્મણા (૬)ગૌરી
(૭) પદ્માવતી (૮)ગાંધારી ગજસુકુમાલ મુનિ:
દેવકીમાતા કંઈક અસ્વસ્થ જણાતા હતા. તેમનું મુખકાળ કરમાયેલાં પુષ્પ જેવું નિસ્તેજ લાગતું હતું. તેટલામાં શ્રીકૃષ્ણજી આવ્યા. માતાજીની ખિન્ન દશા નિહાળી તેમણે પૂછ્યું, “માતાજી! કેમ શું થયું? કયા વિચારોમાં છો? આટલા ઉદાસ કેમ લાગો છો ?'
દેવકીજી બોલ્યા, “બેટા! સાત પુત્રોની માતા થયાં છતાંય એક પણ પુત્રને હું રમાડી ન શકી. એજ વાતનો મને ખેદ છે.'' છેવટે કૃષ્ણજીએ અઠ્ઠમની તપશ્ચર્યા દ્વારા દેવતાનું આરાધન કર્યું. દેવ પ્રસન્ન થયો. વરદાન માંગ્યું અને એક પુત્રની પ્રાપ્તિ થઈ તેનું નામ ગજસુકુમાલ પાડયુ.
સુકોમળ કાયા, તેજસ્વી ભવ્યલલાટ, પ્રસન્ન વદન, ગજગામિની ચાલ, આ બધા કારણે તે સૌને ખૂબ વ્હાલો થઈ પડ્યો.
માતા દેવકીજી તેને રમાડી રમાડી ખુશ થતા હતા. માતાના મનોરથ પૂર્ણ થતાં
303
Page #328
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણજી પણ ખુશ થતા હતા.
ધીમે ધીમે ગજસુકુમાલ વધવા લાગ્યા. યુવાન વયે પહોંચતા તેમના લગ્ન એક રાજકન્યા સાથે અને સોમિલ બ્રાહ્મણની પુત્રી સાથે કરવામાં આવ્યા.
એકવાર બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ વિચરતા વિચરતા દ્વારામતી નગરીમાં પધારે છે. ત્યારે તેમની વાણી સાંભળી ગજસુકુમાલનું હદય વૈરાગ્ય વાસિત બન્યું. તેમણે દીક્ષા ગ્રહણ કરવા માતા-પિતાની આજ્ઞા માંગી. ગજસુકુમાલની વાત સાંભળી દેવકી મૂછિત થઈ ગયા. પુત્રને ઘણું સમજાવ્યો પણ ગજસુકુમાલ મક્કમ હતા. તેમનાથ ભગવાન પાસે દીક્ષા લે છે. પ્રભુ પાસે આજ્ઞા માંગી સ્મશાનમાં જઈ ધ્યાનમાં ઉભા રહ્યાં. ત્યાં જ સોમિલ બ્રાહ્મણે ગજસુકુમાલને ધ્યાનમાં ઊભેલા જોયા અને વિમાસણમાં પડ્યો: “આ શું? હજી તો થોડા સમય પહેલાં જ મારી પુત્રીના વિવાહ કર્યો છે અને આણે સંસાર છોડી દીધો.” ગજસુકુમાલને જોઈ ગુસ્સે થઈ તેના મસ્તક પર આગારા મૂકયા. અંગારા મૂકયા છતાં ગજસુકુમાલ સ્વસ્થ રહ્યા. શાંત રહ્યા, ધ્યાનથી જરા પણ ચલાયમાન થયા નહિ. અનિત્ય ભાવના ભાવતા શુક્લધ્યાનમાં આરૂઢ થયા.
જેમ ધાણી શકાય અને ફટાકડા ફૂટે તેમ શ્રી ગજસુકુમાળની ખોપરી ફટફટ ફૂટવા લાગી છતાં તેઓ ધ્યાનમાં સ્થિર રહ્યા. સમભાવથી ઘાતિ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રકટ થયું.
બીજે દિવસે સવારે શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના પરિવાર સાથે ભગવાન નેમિનાથનાં દર્શને ગયા. ત્યાં ગજસુકુમાલ મુનિ જોવામાં ન આવ્યા, ત્યારે કૃષ્ણજીએ પ્રભુને પૂછયું: “ભગવન? ગજસુકુમાલ મુનિ કયાં છે?” ભગવાને જવાબમાં જણાવ્યું: “એ એમનું કાર્ય સાધી ગયા.” કૃષ્ણજીએ પૂછ્યું શી રીતે? એટલે સઘળી બીના ભગવાને જણાવી. એ હકીકત સાંભળી કૃષ્ણજીને ખૂબ દુ:ખ થયું. કૃષ્ણજી રડતાં હૃદયે ઘર તરફ પાછા ફરતા હતા, તેટલામાં જ દૂરથી સોમિલ બ્રાહ્મણે કૃષ્ણજીને જોઈ લીધા અને તે ગભરાણો. કૃષ્ણજીના ભયથી ત્યાંને ત્યાંજ તેના પ્રાણ નીકળી ગયા.
સૌ ગજસુકુમાલ મુનિની ક્ષમાના અને એમની અપૂર્વ સમતાનાં વખાણ કરવા લાગ્યા.
ધન્ય છે એ મહામુનિ ગજસુકુમાલને કે જેમના મસ્તક ઉપર ધગધગતા ખેરના અંગારા ભરવામાં આવ્યા છતાંય સંપૂર્ણ સમતા ભાવમાં રહ્યા અને કેવલ જ્યોતિને વર્યા.
304
Page #329
--------------------------------------------------------------------------
________________
વાસુદેવ પ્રવજ્યા લેતા નથી:
શ્રી કૃષ્ણ વાસુદેવને વિચાર આવ્યો કે ધન્ય છે તે જાલિ, માલિ, ઉવયાલિ, શાબ, સત્યનેમિ આદિ કુમારો જેમણે સુવર્ણ આદિ સંપત્તિનો ત્યાગ કરીને યાચકોને દાન આપીને અહત અરિષ્ટનેમિ ભગવંત સમીપે મુંડિત બની ગૃહસ્થવાસ ત્યજીને અણગાર વ્રત ગ્રહણ કર્યું. અને હું અધન્ય છું. અમૃતપુણ્ય છું કે જેણે માનુષી કામ ભોગોનો મોહ રાખ્યો. અને આસક્ત થઈને અરહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત બની ગૃહવાસ ત્યજી અનગાર વ્રત લેવા હું શક્તિમાન ન બન્યો.
ત્યારે એમનાથ ભગવાને કહ્યું કે, “હે કૃષ્ણ! એવું કદિ બન્યું નથી. બનતું નથી અને બનશે પણ નહિ કે સુવર્ણ આદિ સંપત્તિનો ત્યાગ કરીને વાસુદેવ પ્રવજ્યા ગ્રહણ કરે.” સર્વ વાસુદેવ પૂર્વભવમાં નિયાણું કરે છે. નિયાણું કરનારા હોય છે. આ કારણથી એમ કહેવાય છે કે ભૂત, ભાવિ કે વર્તમાન કોઈ વાસુદેવ સુવર્ણ આદિ ત્યજીને પ્રવજ્યા લેતા નથી. અનંતર ભવમાં કૃષ્ણની નરકગતિઃ- આગામી ઉત્સર્પિણીમાં કૃષ્ણનું અમમરૂપે તીર્થકરપણું:- શ્રી કૃષ્ણ ભગવંત નેમનાથને પ્રશ્ન કરે છે કે, “હું મરીને ક્યાં ઉત્પન્ન થઈશ?'' ત્યારે તેમનાથ ભગવાને આ પ્રમાણે કહ્યું, “હે કૃષ્ણ! વાત એમ છે કે તમે સુરા, અગ્નિ અને પાયનના ક્રોધને કારણે દ્વારિકા નગરી ભસ્મ થઈ ગયા પછી માતા-પિતા અને સ્વજનો વિનાના રામ બલદેવની સાથે દક્ષિણ સમુદ્રતટની તરફ, પાંડુ રાજાના પુત્રો યુધિષ્ઠિર આદિ પાંચ પાંડવોની પાસે, પાંડુ મથુરા નગરીમાં જવા નીકળશો ત્યારે માર્ગમાં કોશાબ વન નામે વનમાં વટવૃક્ષ નીચે પૃથ્વી શિલાપાટ પર, પીતામ્બર વસ્ત્ર પહેરેલ શરીરે બેઠા હશો ત્યારે જરકુમારે ધનુષ્યમાંથી છોડેલા તીક્ષણ બાણથી ડાબા પગે વીંધાઈને તે સમયે કાળ કરીને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉજ્વલિત નરક ભૂમિમાં નારકીરૂપે ઉત્પન્ન થશો.”
ત્યારે કૃષ્ણ વાસુદેવે અરિષ્ટનેમિ પાસેથી આવા અર્થની વાત સાંભળી, જાણી એટલે તે ભગ્નાશ થઈ બે હથેળીમાં મોં ઘાલી આર્તધ્યાનમાં પડી ગયા. ત્યારે ભગવંત નેમનાથ કહે છે કે, “હે કૃષ્ણ! તમે આર્તધ્યાન ન કરો. નરક ભૂમિમાંથી નીકળી પછી તરત જ અહીં જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં શતદ્વાર નામના નગરમાં બારમા અમમ નામે અરિહંત-તીર્થકર બનશો. ત્યારે તમે ત્યાં અનેક વર્ષ સુધી કેવળી પર્યાય પાળીને પછી સિધ્ધ થશો અને સર્વ દુઃખોનો અંત કરશો.”
305
Page #330
--------------------------------------------------------------------------
________________
(17219) 52070
કુકકત સર્પ
@
મરૂભૂતિ મઢ
કિરણ વેગમુનિ સર્પ
સહસ્ત્રાર દેવલોક
19211
બારમાં દેવલોકમાં છઠ્ઠી નરકમાં
વજ્રનાભમુનિ ભીલ
10.
પાર્શ્વ - કમઠ
306
લલિતાંગ દેવ
કમી નરક
સુવર્ણબાહુમુનિ સિંહ
દેવલોકમાં
Page #331
--------------------------------------------------------------------------
________________
પર્વ-૯ પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર સર્ગ ૨ થી ૪*
પાર્શ્વનાથ ભગવાનના પૂર્વ ભવ પ્રથમ ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પોતનપુર નગરમાં અરવિંદરાજા રાજ્ય કરતો હતો. એ જ નગરમાં વિશ્વભૂતિ પુરોહિતને બે પુત્રો મરુભૂતિ અને કમઠ હતા. મરુભૂતિ (પાર્શ્વનાથ ભગવાનનો જીવ) એકવાર હરિશ્ચંદ્ર આચાર્યની દેશના સાંભળવા જાય છે અને તેમને સંસાર પ્રત્યે વિરક્તિ થઈ જાય છે. આ વાત તેના પત્ની વસુંધરાને ન ગમી. વસુંધરાની મનોવેદના કમઠને ખબર પડે છે. તે વસુંધરાને પોતાની કરે છે. મરુભૂતિ તો પોતાની આરાધના સાધનામાં લાગેલો હોય છે. પરંતુ કમઠની પત્ની વરૂણાને આ અપકૃત્યની જાણ થાય છે. તે દિયર મરુભૂતિને આ વાત કરે છે. મરુભૂતિને આ વાતમાં ભરોસો નથી બેસતો પરંતુ જ્યારે તે નજરોનજર પોતાની પત્ની અને ભાઈનું દુએષ્ટિત નિહાળે છે ત્યારે તે ન્યાય માંગવા અરવિંદરાજા પાસે જાય છે. સાક્ષી તરીકે કમઠની પત્ની વરૂણાને રાખે છે. રાજા મરુભૂતિને ન્યાય આપે છે અને કમઠને બોલાવી ગધેડા ઉપર બેસાડી આખા નગરમાં ફેરવી બહાર કાઢી મૂકે
નગરમાં ધિક્કાર પામેલો કમઠ શિવ તાપસ પાસે જઈ ઉગ્ર તપસ્યા કરે છે. આ બાજુ મરભૂતિને પાશ્ચાતાપ થાય છે. તે કમઠ પાસે જઈ ક્ષમા માંગે છે, પરંતુ કમઠ તો ક્રોધથી શીલા ઉપાડી મરુભૂતિ ઉપર ફેંકે છે. મરુભૂતિ આર્તધ્યાનથી મૃત્યુ પામે છે. કમઠ નિંદાને પાત્ર બને છે. તેનું આવું કૃત્ય જોઈ તેના ગુરૂ તેની સાથે બોલતા નથી પછી વિશેષ આર્તધ્યાનથી મૃત્યુ પામે છે. આ નગરનો અરવિંદરાજા પણ કાળક્રમે દીક્ષા લે છે.
બીજો ભવઃ- મરુભૂતિનો જીવ મૃત્યુ પામી વિંધ્ય પર્વતમાં ચૂથપતિ હાથી થાય છે. કમઠની સ્ત્રી વરુણા યૂથનાથ ગજેન્દ્રની વ્હાલી હાથણી થઈ. એકવાર અરવિંદમુનિ વિહાર કરતા આ અટવામાં આવે છે અને કાઉસગ્ગ ધ્યાન કરે છે. આ સમયે યુથનાથે ત્યાં સાર્થને પડાવ નાંખેલો જોયો. તેની નજર તંબૂઓ પર પડી અને યમરાજની જેમ તે તે તરફ દોડ્યો. વચ્ચે આ મુનિને જોતા શાંત થયો. મુનિએ અવધિજ્ઞાનથી તેનો આગળનો ભવ જાણ્યો અને તેને કહ્યું મરુભૂતિ હવે તો તો તું સમજ શાંત થા. હાથીને પૂર્વભવ યાદ આવે છે. અને પ્રતિબોધ પામી શ્રાવક ધર્મ સ્વીકારે છે. તે સૂકું ઘાસ ખાતો અને કોઇને ઉપદ્રવ ન કરતો. કમઠનો જીવ આર્તધ્યાનથી મૃત્યુ પામી આ જ અટવીમાં કુલ્ટ જાતિનો સર્પ થાય છે. એક વખત યુથાધિપતિ સરોવરમાંથી
307
Page #332
--------------------------------------------------------------------------
________________
પાણી પીને પાછો ફરે છે ત્યારે તેનો પગ કાદવમાં ખેંચી જાય છે. એ જ વખતે આ સર્પ કુંભ સ્થળ પર તેને હસ્યો. યુથાધિપતિ સમાધિ મરણ પામે છે. હાથિણી પણ દુસ્તપ કરી સમાધિ મરણ પામે છે. કાળક્રમે કુલ્ફટ સર્પ મૃત્યુ પામી સત્તર સાગરોપમના આયુષ્યવાળો પાંચમી નરક ભૂમિમાં નારકી થયો. ત્રીજો ભવઃ- યૂથપતિ ગજેન્દ્ર મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. (વરુણાનો જીવ) હાથણી મૃત્યુ પામી બીજા દેવલોકમાં દેવી થઇ. અહીં તેને ઘણા દેવો ઇચ્છે છે. પરંતુ તેનું મન કોઇ ઉપર ચોંટ્યું નહિ. આ વાત ગજેન્દ્રદેવે અવધિજ્ઞાનથી જાણી અને તેને સહસ્ત્રાર દેવલોકમાં લાવે છે. અને તેની સાથે કાળનિર્ગમન કરવા લાગ્યો. ચોથો ભવઃ- આ દેવ મૃત્યુ પામી વૈતાદ્યગિરિ ઉપર તિલકા નગરીમાં વિદ્યત્વેગ રાજા અને કનકતિલકા રાણીના પુત્ર કિરણબેગ તરીકે જન્મ લે છે. અનુક્રમે યુવાન થતાં તેના લગ્ન પદ્માવતી રાણી સાથે થાય છે. તેઓને કિરણતેજ નામે પુત્ર જન્મે છે. જેને રાજ્ય ગાદી સોંપી કિરણવેગ સુરગુરૂ આચાર્ય પાસે દીક્ષા લે છે. આ કિરણગ મુનિ હિમગિરીની ઉપર પ્રતિસાધારી કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ અરસામાં કુર્કટ નાગનો જીવ પાંચમી નારકીમાંથી નીકળી આ અટવીમાં સર્પપણે ઉત્પન્ન થાય છે. આ મુનિને જોતાં તેને વૈર જાગ્યું અને મુનિના શરીરે વીંટળાઇને ડંસ માર્યા. મુનિના શરીરમાં ઝેર પ્રસર્યું. મુનિ પોતાનું ધ્યાન પંચપરમેષ્ઠિમાં લીન કરે છે અને સમાધિ મરણ પામે છે. મુનિને પટકાયેલ દેખી સર્પ આનંદ પામે છે. ત્યાર બાદ ઘણા જીવોનો નાશ કરતો મૃત્યુ પામી બાવીશ સાગરોપમની સ્થિતિવાળી છઠ્ઠી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. આમ મરુભૂતિનો જીવ ઉત્તરોત્તર ઉચ્ચસ્થાન પામે છે, જ્યારે કમઠના જીવનું અધ:પતન થાય છે. પાંચમો ભવઃ- કિરણબેગ મુનિ (મરુભૂતિનો જીવ) સમાધિ મરણથી મૃત્યુ પામી બારમા દેવલોકમાં જંબુદ્વમાવર્ત નામના વિમાનમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. કમઠનો જીવ બાવીશ સાગરોપમવાળી સ્થિતિમાં તમ:પ્રભા નરકમાં ઉત્પન્ન થયો. છઠ્ઠા ભવઃ- કિરણવેગનો જીવ દેવનું આયુષ્ય પૂર્ણ કરી વજુવીર્ય રાજા અને લક્ષ્મીવતી રાણીની કૂખે વજુનાભ નામે પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. વજુનાભ અનુક્રમે મોટા થતા તેમને ચક્રાયુધ નામે પુત્ર ઉત્પન્ન થાય છે. તે મોટો થતાં તેને રાજ્યભાર સોંપી વજૂનાભ રાજા ક્ષેમંકર પ્રભુની પાસે દીક્ષા લે છે. દીક્ષા બાદ તેમને આકાશગામિની લબ્ધિ પ્રાપ્ત થતાં તે આકાશમાર્ગે ઉડીને સુકચ્છ વિજયમાં આવે છે. કાઉસગ્ગ ધ્યાન કરે છે. આ જ અટવીમાં કમઠનો જીવ કુરંગડ નામે ભીલ થાય છે. જે સવારમાં મુનિના
308
Page #333
--------------------------------------------------------------------------
________________
દર્શન થતાં અપશુકન માની તેની ઉપર બાણ ફેંકે છે. મુનિ સર્વજીવોને ખમાવતા સમાધિ મરણ પામે છે. જ્યારે ભીલ ખુશ થાય છે કે એક જ બાણમાં મેં તેના પ્રાણ લીધા. તે મરીને સાતમી નરકમાં જાય છે.
સાતમો ભવઃ- વજ્રનાભ મુનિ મૃત્યુ પામી ગ્રેવયકમાં લલિતાંગ નામે દેવ થાય છે.
આઠમો ભવઃ- લલિતાંગ દેવનો જીવ આયુષ્ય પૂર્ણ થતાં પુરાણપુર નગરમાં કુલીશબાહુ રાજા અને સુદર્શના રાણીને ત્યાં પુત્ર સુવર્ણબાહુ તરીકે જન્મે છે. તે ચક્રવર્તી રૂપે ઉત્પન્ન થાય છે. ચૌવન અવસ્થા પામતા તેના લગ્ન પદ્મા રાણી તેમજ અનેક કન્યાઓ જોડે થાય છે. સુવર્ણબાહુને ચક્રરત્નની પ્રાપ્તિ થાય છે અને ષટ્યુંડ વિજેતા બને છે. એકવાર જગન્નાથ તીર્થંકરની દેશના સાંભળતા જાતિસ્મરણજ્ઞાન થાય છે અને દીક્ષા અંગીકાર કરે છે. તપ, ધ્યાન, જ્ઞાનમાં મન જોડી વીશસ્થાનક તપ આરાધી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. એકવાર વિચરતા વિચરતા તે ક્ષીરપર્ણા અટવીમાં આવે છે. ત્યાં કુરંગડ ભીલનો જીવ સાતમી નરકમાંથી નીકળી સિંહ થયો હોય છે. જે મુનિને દેખતાં જ તેના ઉપર ત્રાટકે છે. મુનિ સમાધિમરણ પામે છે. સિંહ કાળક્રમે મૃત્યુ પામી દશ સાગરોપમની સ્થિતિએ નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી પાછો તિર્યંચયોનિમાં બહુ વેદના ભોગવે છે.
નવમો ભવઃ- સુવર્ણબાહુ મુનિનો જીવ મૃત્યુ પામી દશમા દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થાય છે. મરુભૂતિનો જીવ પૂર્ણ વિકાસની નજીક આવીને ઉભો રહ્યો. તે જગત ઉપર ઉપકાર કરવા દેવલોકમાં એકાંત આવાસમાં પોતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યો.
દશમો ભવઃ- સુવર્ણબાહુ મુનિનો જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં વારાણસી નગરીમાં ઇશ્વાકુ વંશના અશ્વસેનરાજા અને વામાદેવીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. તે તીર્થંકરનો જીવ હોવાથી જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે વામામાતા ૧૪ સ્વપ્ન જુએ છે. ગર્ભકાળ દરમ્યાન વામાદેવી સર્પના દર્શન કરે છે. આથી તેમનો જન્મ થતાં તેમનું નામ ‘પાર્શ્વ’ રાખવામાં આવે છે. પાર્શ્વ તીર્થંકરનો જીવ હોવાથી ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાન છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. સિંહનો જીવ કેટલાક ભવો રખડી કોઇ ગામમાં ગરીબ બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે જન્મે છે જે મોટા થતા ગરીબીને કારણે વૈરાગ્ય થવાથી તાપસવ્રત ગ્રહણ કરે છે અને કમઠ તાપસના નામે પ્રસિધ્ધ થાય છે. એકવાર તે પંચાગ્નિ તપ કરે છે જેમાં (તેની ચારે બાજુ લાકડાથી અગ્નિ જલાવવામાં આવે છે. અને પાંચમો સૂર્યનો તાપ) આખું નગર આ કૌતુક જોવા ઉમટે છે. આ વખતે પાર્શ્વકુમાર મહેલના ઝરુખામાં બેઠેલા હોય છે તેમને આ તપની ખબર પડતાં ત્યાં જાય છે. કમઠને સમજાવે છે આ ખોટું છે. આમાં હિંસા છે. પરંતુ કમઠ ગુસ્સે થાય
309
Page #334
--------------------------------------------------------------------------
________________
છે. તે સમયે પાર્શ્વકુમાર તેમના સેવકને જલતા લાકડાને ચીરવાનું કહે છે. તે ચીરતા તેમાંથી અર્ધ બળેલ સર્પ બહાર નીકળે છે. પાર્શ્વકુમાર તેને નવકાર સંભળાવે છે. તે સર્પ મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે દેવ થાય છે. કમઠ તાપસ મૃત્યુ પામી અજ્ઞાન તપના કારણે ભવનવાસી મેઘનિકાયમાં મેઘમાળી દેવ થાય છે.
પાર્શ્વકુમારના લગ્ન પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતી સાથે થાય છે. સંસારમાંથી વિરક્તિ પામી પાર્શ્વકુમાર આશ્રમપદ ઉદ્યાનમાં ૩૦ વર્ષની ઉંમરે ગુજરાતી માગશર વદ અગ્યારસને દિવસે દીક્ષા લીધી. તીર્થંકરનો જીવ હોવાથી દીક્ષા સમયે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. દીક્ષા બાદ એકવાર તેઓ કાર્યોત્સર્ગમાં ઉભા હતા ત્યારે મેઘમાળી પૂર્વના વેરના કારણે જળનો ઉપસર્ગ કરે છે. પ્રભુને નાસિકા સુધી પાણી આવે છે છતાં તેઓ ધ્યાનથી ચલિત થતા નથી. એ સમયે ધરણેન્દ્ર દેવ તેમની મદદે આવે છે. તે પોતાની ફણાથી પ્રભુને ઉંચકી લે છે. મેઘમાળીએ આટલો ઉપસર્ગ કર્યા છતાં પ્રભુને માટે મેઘમાળી અને ધરણેન્દ્ર બંને માટે સમભાવ હોય છે. પ્રભુ ધ્યાનથી જરા પણ વિચલિત થતા નથી. દીક્ષા પછીના ૮૪મા દિવસે ઘાતીકર્મો ક્ષય થતાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ, વિચરતા વિચરતા જીવો ઉપર ઉપકાર કરતા પ્રભુ સમેતશિખરે આવે છે અને ૩૩ મુનિ સાથે અઠ્ઠમ તપ કરી ૭૦ વર્ષનો દીક્ષા પર્યાય એટલે કે ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામે છે.
પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ગણધર
(૧)આર્યદત્ત (૨)આર્યઘોષ (૩)વિશિષ્ટ (૪)બ્રહ્મ (૫)સોમ (૬)શ્રીધર (૭)વીરસેન (૮)ભદ્રયશા (૯)જય (૧૦)વિજય
જન્મઃ માગશર વદ દશમ, વિશાખા નક્ષત્ર, તુલા રાશિ.
૩
૧૧
८
સૂ ૧૦
૧૨
શ
عه
の
રા
310
૧
૬
ગુ ૪
૨
૫
3
Page #335
--------------------------------------------------------------------------
________________
તીર્થકર જીવન દર્શન
શ્રી પાર્શ્વનાથ માતા:-વામાં
પિતા:-અશ્વસેના વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ:-નીલ
ઊંચાઈઃ-૯ હાથ લાંછન -સર્પ
ભવ:-૧૦ ગર્ભકાળ:-૯મહિના ને ૬ દિવસ
કુમારકાળ:-૩૦ વર્ષ રાજ્યકાળ :- -
ગૃહસ્થકાળ:-૩૦ વર્ષ છદ્મસ્થકાળ:-૮૪ દિવસ
સંયતકાળ:-૭૦ વર્ષ જીવનકાળઃ-૧૦૦ વર્ષ
શાસનકાળ:-રપ૦ વર્ષ પુત્ર/પુત્રી:--
ગણધર:-૧૦ સાધુ:-૧૬,૦૦૦
સાધ્વી:-૩૮,૦૦૦ શ્રાવક:-૧,૬૪,૦૦૦
શ્રાવિકા -૩,૩૯,૦૦૦?૩,૭૭,૦૦૦ યક્ષ :-પાર્શ્વ
યક્ષિણી:-પદ્માવતી ચ્યવન કલ્યાણકઃ-ફાગણ વદ-૪
ચ્યવન નક્ષત્ર:-વિશાખા જન્મ કલ્યાણક-માગસર વદ-૧૦
જન્મ નક્ષત્રઃ-વિશાખા જન્મ રાશિ:-તુલા
જન્મ ભૂમિડ-વારાણસી દીક્ષા કલ્યાણક:- માગસર વદ-૧૧
દીક્ષા નક્ષત્રઃ-વિશાખા દીક્ષા તપઃ-૩ ઉપવાસ
દીક્ષા શિબિકો:-વિશાલા દીક્ષા વૃક્ષ -અશોક
દીક્ષાભૂમિડ-વારાણસી પારણાનું સ્થળ:-કોપટકા
પ્રથમ પારણું-ક્ષીર સહ દીક્ષિતો:-૩૦૦
કેવલજ્ઞાન કલ્યાણકદ-ફાગણ વદ-૪ કેવલજ્ઞાન નક્ષત્રઃ-વિશાખા
કેવલજ્ઞાન તપ:-૩ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-ઘાતકી
કેવલજ્ઞાન ભૂમિ:-વારાણસી નિર્વાણ કલ્યાણક-શ્રાવણ સુદ -૮ નિર્વાણ નક્ષત્ર:-વિશાખા નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ:-સમેતશિખર ૩૫૦ ચૌદપૂર્વધારી ૧૪૦૦ અવધિજ્ઞાની ૭૫૦ મન:પર્યવજ્ઞાની ૧૦૦૦ કેવળજ્ઞાની ૩૦ વર્ષ ગૃહસ્થવાસ ૭૦ વર્ષ દીક્ષાપર્યાય દીક્ષા પછી ૮૪મા દિવસે કેવળજ્ઞાન
311
Page #336
--------------------------------------------------------------------------
________________
૧૦૮ પાર્શ્વનાથના નામ
(૧)ઉવસગ્ગહરં પાર્શ્વનાથ (૨)જીરાઉલા પાર્શ્વનાથ (૩)શ્રી મનમોહન પાર્શ્વનાથ (૪)શ્રીજોટીંગડા પાર્શ્વનાથ (૫)કેશરીયા પાર્શ્વનાથ (૬)શ્રીશંખલા પાર્શ્વનાથ (૭)શ્રીગંભીરા પાર્શ્વનાથ (૮)શ્રીસ્તંભન પાર્શ્વનાથ (૯)શ્રીગાડલીયા પાર્શ્વનાથ (૧૦)શ્રી શામળા પાર્શ્વનાથ (૧૧)શ્રીકલીકુંડ પાર્શ્વનાથ (૧૨)શ્રીમૂલેવા પાર્શ્વનાથ (૧૩)શ્રી હૂકાર પાર્શ્વનાથ (૧૪)શ્રીનવખંડા પાર્શ્વનાથ (૧૫)શ્રીસુખસાગર પાર્શ્વનાથ (૧૬)શ્રીપોશીના પાર્શ્વનાથ (૧૭)શ્રીમુહરી પાર્શ્વનાથ (૧૮)શ્રીવિષ્નાપહાર પાર્શ્વનાથ (૧૯)શ્રી સ્કૂલિંગ પાર્શ્વનાથ (૨૦)શ્રીપલ્લવીયા પાર્શ્વનાથ (૨૧)શ્રીનાગફણા પાર્શ્વનાથ (રર)શ્રી કલ્યાણ પાર્શ્વનાથ (૨૩)શ્રીભીલડીયા પાર્શ્વનાથ (૨૪)શ્રીમનોરંજન પાર્શ્વનાથ (રપ)શ્રી અમીઝરા પાર્શ્વનાથ (ર૬)શ્રીપંચાસરા પાર્શ્વનાથ (૨૭)થીડોસલા પાર્શ્વનાથ (૨૮)શ્રીકોકા પાર્શ્વનાથ (૨૯)શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ (૩૦)શ્રીકંકણ પાર્શ્વનાથ (૩૧)શ્રીઘીયા પાર્શ્વનાથ (૩ર)શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ (૩૩)શ્રીધરણેન્દ્ર પાર્શ્વનાથ (૩૪)શ્રી પદ્માવતી પાર્શ્વનાથ (૩૫)શ્રીભીડભંજન પાર્શ્વનાથ (૩૬)શ્રી ધીંગડમલ પાર્શ્વનાથ (૩૭)શ્રીવાડી પાર્શ્વનાથ (૩૮)શ્રીવણછરા પાર્શ્વનાથ (૩૯)શ્રદૂધાધારી પાર્શ્વનાથ (૪૦)શ્રીટાંકલા પાર્શ્વનાથ (૪૧)શ્રી સુલતાન પાર્શ્વનાથ (૪૨)શ્રીકંસારી પાર્શ્વનાથ (૪૩)શ્રીવિમલ પાર્શ્વનાથ (૪૪)શ્રી વારાણસી પાર્શ્વનાથ (૪૫)શ્રી સાંવરા પાર્શ્વનાથ (૪૬)શ્રીપ્રગટપ્રભાવી પાર્શ્વનાથ (૪૭)શ્રીલોઢણ પાર્શ્વનાથ (૪૮)શ્રી કલ્યારા પાર્શ્વનાથ (૪૯)શ્રીચંપા પાર્શ્વનાથ (૫૦)શ્રી નવસારી પાર્શ્વનાથ (૫૧)શ્રીદોડકીયા પાર્શ્વનાથ (૫૨)શ્રી ચોરવાડી પાર્શ્વનાથ (૫૩)શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ (૫૪)શ્રીનવપલ્લવ પાર્શ્વનાથ (૫૫)શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ (૫૬)શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (૫૭)શ્રીહમીપુરા પાર્શ્વનાથ (૫૮)શ્રીસપ્તફણા પાર્શ્વનાથ (૨૯)શ્રીલોદ્રવા પાર્શ્વનાથ (૬૦)શ્રીભાભા પાર્શ્વનાથ (૬૧)શ્રીબજા પાર્શ્વનાથ (દર)શ્રીદાદા પાર્શ્વનાથ (૬૩)શ્રીધૃતકલ્લોલ પાર્શ્વનાથ (૬૪)શ્રીભયભંજન પાર્શ્વનાથ (૬૫)શ્રીવરકાણા પાર્શ્વનાથ (૬૬)શ્રી સંકટહરણ પાર્શ્વનાથ (૬૭)શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ (૬૮)શ્રીનવલખા પાર્શ્વનાથ (૬૯)શ્રીકુંકુમરોલ પાર્શ્વનાથ (૭૦)શ્રીસિરોડીયા પાર્શ્વનાથ (૭૧)શ્રીફલવર્ધિ પાર્શ્વનાથ (૭ર)શ્રીપોસલી પાર્શ્વનાથ (૭૩)શ્રીકચ્છલિકા પાર્શ્વનાથ (૭૪)શ્રીનાકોડા પાર્શ્વનાથ (૭૫)શ્રીસેસલી પાર્શ્વનાથ (૭૬)શ્રીરાણકપુરા
312
Page #337
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વનાથ (૭૭)શ્રીસમેતશિખર પાર્શ્વનાથ (૭૮)શ્રીશેરીસા પાર્શ્વનાથ (૭૯)શ્રી સોગઠીયા પાર્શ્વનાથ (૮૦)શ્રી મહાદેવા પાર્શ્વનાથ (૮૧)શ્રીભટેવા પાર્શ્વનાથ (૮૨)શ્રીઆનંદા પાર્શ્વનાથ (૮૩)શ્રીસ્વયંભૂ પાર્શ્વનાથ (૮૪)અલોકિક પાર્શ્વનાથ (૮૫)શ્રીવિઘ્નહરા પાર્શ્વનાથ (૮૬)શ્રીમંડોવરા પાર્શ્વનાથ (૮૭)શ્રી અજાહરા પાર્શ્વનાથ (૮૮)શ્રીકરેડા પાર્શ્વનાથ (૮૯)શ્રીવહી પાર્શ્વનાથ (૯૦)શ્રીનાગેશ્વર પાર્શ્વનાથ (૯૧)શ્રીકલ્પદ્રુમ પાર્શ્વનાથ (૯૨)શ્રી કૂડેશ્વર પાર્શ્વનાથ (૯૩)શ્રી અવંતી પાર્શ્વનાથ (૯૪)શ્રીભુવન પાર્શ્વનાથ (૫)શ્રીરાવણ પાર્શ્વનાથ (૯૬)શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથ (૯૭)શ્રીકામિતપૂરણ પાર્શ્વનાથ (૯૮)શ્રીસમીના પાર્શ્વનાથ (૯૯)શ્રીમક્ષી પાર્શ્વનાથ (૧૦૦)શ્રી ચંદા પાર્શ્વનાથ (૧૦૧)શ્રીજગવલ્લભ પાર્શ્વનાથ (૧૦૨)શ્રી ચારૂપ પાર્શ્વનાથ (૧૦૩)શ્રીગિરૂઆ પાર્શ્વનાથ (૧૦૪)શ્રીમનોવાંછિત પાર્શ્વનાથ (૧૦૫)શ્રીચિંતામણી પાર્શ્વનાથ (૧૦૬)શ્રી વિજયચિંતામણી પાર્શ્વનાથ (૧૦૭)શ્રી સોમ ચિંતામણી પાર્શ્વનાથ (૧૦૮)શ્રીગોડીજી પાર્શ્વનાથ .
જૈન ધર્મના ઉપલબ્ધ વર્તમાન આગમો ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ બાદ લખાયેલ છે.
ભગવાન પાર્શ્વનાથની ઐતિહાસિકતા વર્ણવતા. પ્રો. અશોક.એસ.શાહ કહે છે કે,
ભગવાન પાર્શ્વનાથનો ચાતુર્યામ રૂપી સામાયિક ધર્મ ભ.મહાવીરની પહેલા બહુ પ્રચલિત હતો. આ વાત શ્વેતાંબર, દિગંબર પરંપરા ઉપરાંત બૌધ્ધ પાલી સાહિત્યોતર્ગત ઉલ્લેખો ઉપરથી નિઃશંક સિધ્ધ થાય છે." આ ઉપરાંત ભગવતી સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, સિધ્ધસેનની ટીકા બુમ્બનિકાય આદિ ગ્રંથોને આધારે પણ પાર્શ્વનાથ ભગવાનની ઐતિહાસિકતા જાણી શકાય છે.
ડૉ.હર્મન જેકોબી, ડૉ.રાધાકૃષ્ણનું, ડૉ.શાર્પેટીઅર, પ્રો.ગેરીનોટ, શ્રી કોલમ્બુક, સ્ટીવનસન, એડવર્ડ વગેરે અનેક પશ્ચિમી અને પૂર્વીય વિદ્વાનોએ ભગવાન પાર્શ્વનાથનું ઐતિહાસિક મહત્વ સિધ્ધ કર્યું છે. તેમનો સમય ભગવાન મહાવીરની ૨૫૦ વર્ષ પૂર્વેનો સિધ્ધ કર્યો છે.
ઉપનિષદોના રચના તીર્થંકર પાર્શ્વનાથના થયા પછી થઈ છે.
313
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૪.મહાવીર સ્વામી પર્વ ૧૦મું આજથી લગભગ રપ૮૭ વર્ષ પહેલા મગધ દેશ જે અત્યારે બિહાર પ્રાંતથી ઓળખાય છે ત્યાંના ક્ષત્રિયકુંડ નગરના સિધ્ધાર્થ રાજાની રાણી ત્રિશલા દેવીએ એક પ્રભાવશાળી પુત્ર રત્નને ચૈત્ર સુદ-૧૩ના દિને જન્મ આપ્યો. દેવોએ પ્રભુને મેરૂ પર્વત ઉપર લઇ જઇ ખૂબ ભક્તિ ભાવથી જન્માભિષેક કર્યો. જેના અનુકરણ રૂપે આજે આપણે સ્નાત્ર મહોત્સવ ઉજવીએ છીએ.
પ્રભુનો જન્મ થવાનો હતો, તે સમયે રાજ્યમાં ધન-ધાન્યની ખૂબ વૃધ્ધિ થઇ તેથી આ બાળકનું નામ “વર્ધમાન” પાડવામાં આવ્યું.
એક વૃક્ષની નીચે શ્રી વર્ધમાન કુમાર મિત્રો સાથે આમળી-પીપળીની રમત રમતા હતા ત્યારે એક દેવે તેમની પરીક્ષા કરવા સર્પનું રૂપ ધારણ કરી લૂંફાડા મારીને વૃક્ષના થડ સાથે વીંટળાઈ ગયો. તે વખતે બીજા બધા બાળકો ગભરાઈને ભાગી ગયા. ત્યારે વર્ધમાન કુમારે સપને હાથથી પકડીને દૂર ફેંકી દીધો.
આઠ વર્ષની ઉમરે વર્ધમાનકુમાર બીજા બાળકો સાથે હિંદુસકની રમત રમતા હતા. આ રમતમાં એવી વ્યવસ્થા હોય કે જે હારે તેણે જીતનારને પીઠ પર લઈ દોડવાનું હોય છે. ત્યારે તેમની પરીક્ષા કરવા એક દેવ બાળકનું રૂપ કરીને રમવા આવ્યો અને ઇરાદાપૂર્વક રમતમાં હારી જઈ દેવે વર્ધમાનને ખભા ઉપર બેસાડી દીધા અને ઉંચુ તાડ જેવું વિકરાળ શરીર બનાવી ડરાવવા પ્રયત્ન કર્યો. ત્યારે પ્રભુએ તેને જોરથી માથામાં મુષ્ઠિ પ્રહાર કર્યો. જેથી દેવ દબાઈ ગયા અને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરીને પ્રભુને કહ્યું કે ખરેખર! આપ મહાન વીર છો માટે આપનું નામ “મહાવીર” પાડું છું. શ્રમણ મહાવીર પુસ્તકમાં આચાર્ય મહાપ્રજ્ઞ કહે છે કે,
ભગવાન પાર્શ્વની પરંપરા ચાલુ હતી. તેમના હજારો શિષ્યો બૃહત્તર ભારત અને મધ્ય એશિયાઈ પ્રદેશોમાં વિહાર કરતા હતા. તેમના બે શિષ્ય ક્ષત્રિયકુંડ નગરમાં આવ્યા જેમના નામ અનુક્રમે સંજય અને વિજય હતા. એ બંને ચારણ મુનિ હતા. તેમને આકાશમાં ઉડવાની શક્તિ હતી. તેમના મનમાં તત્ત્વ સંબંધી સંદેહ હતો જે દૂર કરવા બાળ વર્ધમાન પાસે આવે છે અને તેમનો સંદેહ દૂર થાય છે. તેઓએ વર્ધમાનને ‘સન્મતિ' નામથી સંબોધિત કર્યા.”** રાજનિતિક વાતાવરણ અંગે મહાપ્રજ્ઞજી “શ્રમણ મહાવીરમાં કહે છે કે,
“પ્રભુ મહાવીરના સમયે વજ્જિતંત્ર બહુ શક્તિશાળી હતું. તેની રાજધાની
314
Page #339
--------------------------------------------------------------------------
________________
વૈશાલી હતી. વર્જાિસંઘમાં લિચ્છવિ અને વિદેહ બંને શાસક હતા. એમાં પ્રધાન શાસક લિચ્છવિ રાજા ચેટક હતા. સિધ્ધાર્થ વર્જિસંઘના એક સદસ્ય-રાજા હતા. વર્ધમાન ગણતંત્રના વાતાવરણમાં મોટા થયાં.”
કુમાર વર્ધમાનના જન્મોત્સવ વખતે જિતશત્રુરાજા આવે છે. જે કુમારને જોઇને મુગ્ધ થઈ જાય છે. જિતશત્રુરાજાને યશોદયારાણીથી યશોદા નામની પુત્રી થાય છે. જે મોટી થતાં તેના લગ્ન વર્ધમાન સાથે કરવામાં આવે છે. વર્ધમાનની વિરક્ત ટેવોથી પરિચિત માતા લગ્ન માટે પુત્રને મનાવી લે છે. યથાકાળે તેમને પ્રિયદર્શના નામની એક પુત્રી થઈ. તથા યોગ્યકાળે તેને તે જ નગરના જમાલિ નામના ક્ષત્રિય કુમાર સાથે પરણાવવામાં આવી. તે જમાલિ વર્ધમાનના મોટા બહેન સુદર્શનાનો જ પુત્ર થતો હતો. તેને પણ પ્રિયદર્શનાથી શેષવતી કે યશસ્વતી નામની કન્યા થઈ.
પ્રભુ ૨૮ વર્ષના થયા ત્યારે માતા-પિતાનો સ્વર્ગવાસ થવાથી મોટાભાઈ નંદિવર્ધન પાસે સંયમ લેવાની રજા માંગી પરંતુ મોટા ભાઈના આગ્રહથી તેઓ બે વર્ષ સંસારમાં નિરાસક્ત ભાવે રહ્યા.
કુમાર વર્ધમાન ઘરની દિવાલોમાં બંધ રહીને પણ મનની દિવાલોનું અતિક્રમણ કરવા લાગ્યા. એમણે સ્વતંત્રતાની સાધનાના ત્રણ આયામ એક સાથે ખોલી દીધા. (૧)અહિંસા (૨)સત્ય (૩)બ્રહ્મચર્ય.
અહિંસાની સાધના માટે તેમણે મૈત્રીનો વિકાસ કર્યો. એમના માટે સૂક્ષ્મ જીવોની હિંસા પણ અસંભવ થઈ ગઈ. તે ના સચિત અન્ન વાપરતા, ન સચિત પાણી પીતા અને ન રાત્રિભોજન કરતા.
સત્યની સાધના માટે તે ધ્યાન અને ભાવનાનો અભ્યાસ કરવા લાગ્યા. હું એકલો છું એ ભાવના દ્વારા તેમણે અનાસક્તિને સાધી અને એ દ્વારા આત્માની ઉપલબ્ધિનું દ્વાર ખોલ્યું.
બ્રહ્મચર્યની સાધના માટે તેમણે અસ્વાદનો અભ્યાસ કર્યો. આહાર સંબંધી તેમણે વિવિધ પ્રયોગ કર્યા. તેના ફળ સ્વરૂપ સરસ અને નીરસ ભોજનમાં એમનું સમત્વ સિધ્ધ થઈ ગયું.
આ સમય દરમ્યાન એક દિવસ કુમાર વર્ધમાન બપોરના સમયે ભોજન કક્ષમાં આવે છે. પુત્રી પ્રિયદર્શનાને ના ખુશ જોઈ વર્ધમાન યશોદાને પ્રશ્ન કરે છે કે પ્રિયદર્શનાને શું થયું છે. ત્યારે યશોદા કહે છે કે, “આપતો રુખ સુખુ ખાવા ટેવાઈ ગયા છો. પરંતુ આપની દીકરી પ્રિયદર્શના હજી પણ પિતાના હાથે ખાવા માટે તરસી રહી છે. ત્યારે વર્ધમાન પ્રિયદર્શનાને બોલાવે છે અને પોતાના ખોળામાં બેસાડી
315
Page #340
--------------------------------------------------------------------------
________________
પોતાના હાથે સુંદર પકવાન જમાડે છે. પ્રિયદર્શનાના મુખ પરની ખુશી જોઈને વર્ધમાનને સંતોષ થાય છે. આ પરથી ખ્યાલ આવે છે કે વર્ધમાન એક ઉત્તમ પિતા પણ હતા. જેમણે સાધના દરમ્યાન પુત્રી માટેની ફરજો પણ પૂરી કરી.
કાળચક્ર અવિરામ ગતિએ ફરે છે. મહાવીરનો બે વર્ષનો કાળ પૂર્ણ થાય છે અને લક્ષ્મપૂર્તિની ઘડી નજદીક આવે છે.
૩૦ વર્ષની ઉમરે માગશર વદ-૧૦, વિજય મુહૂર્ત, ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ભગવાન ક્ષત્રિય કુંડની ઇશાન દિશાએ આવેલા જ્ઞાતખંડના ઉદ્યાનમાં આવેલ અશોકવૃક્ષના ઝાડ નીચે પોતાના હાથે પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા સ્વીકારે છે. તે જ વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. દીક્ષા વખતે તેમને છઠ્ઠનો તપ હતો. દીક્ષાના બીજા દિવસે કોલ્લાગ નગરમાં ક્ષીરથી પારણું કરે છે. મહાવીરે ગૃહત્યાગ કર્યા બાદ ૧૩ માસ વસ્ત્ર ધારણ કર્યા. પછી અચેલક રહ્યા. ભગવાનને દીક્ષાના પ્રથમ છ વર્ષ થયેલા ઉપસર્ગ વિશે ગોપાળભાઈ જીવાભાઇ પટેલ આચારાંગ અને કલ્પસૂત્ર પ્રમાણે કહે છે કે,
દીક્ષા પહેલાં અભિષેક વખતે લગાડેલ ચંદનાદિ સુગંધી દ્રવ્યોથી ભમરાનો ઉપસર્ગ થાય છે. નાની ઉંમરના જુવાનિયા તથા શરીર સોંદર્યથી કામમોહિત થયેલી સ્ત્રીઓનો ઉપસર્ગ થાય છે. પૂર્વભવમાં (૧૮મા) શય્યાપાલકના કાનમાં ગરમ સીસુ રેડાવ્યું હતું. જે ભગવાનના અંતિમ ભાવમાં ભરવાડ તરીકે જન્મ્યો હતો. જેણે ભગવાનના કાનમાં ખીલા ઠોક્યા હતા. તાપસ આશ્રમમાં કુલપતિએ આપેલ સૂચન પોતાની સાધનામાં બાધારૂપ લાગતા અપ્રીતિ થાય તેવા સ્થાને ન જવાનો લીધો. શૂલપાણિ યક્ષે મહાવીર ભગવાનને શિર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ઠ, નવ એવા સાત સ્થાને મરણાંતિક વેદના કરી, જે ગમે તે માણસને કંપાવી મૂકે. આમાં મહાવીરની શારીરિક સહન શક્તિ કે તિતિક્ષાની પરાકાષ્ઠા જોવા મળે છે. ચંડકૌશિક સર્પ પ્રભુ મહાવીરને જોતાં જ ફંફાડા મારતો કરડવા દોડ્યો. પરંતુ મહાવીરના શાંત, નિર્ભય સ્નેહાન્દ્ર સ્વરૂપ પર નજર પડતા સ્તબ્ધ થઈ ગયો. પ્રભુ મહાવીરે તેને પ્રેમથી સંબોધતા કહ્યું, ચંડકૌશિક! આ શું? હવે તો સમજ અને તેને આગળના ભવોનું પૂર્વ જ્ઞાન થાય છે અને કરડવાનું છોડી દે છે.”
પ્રભુ મહાવીરનું બીજું ચોમાસું અને ગોશાલકનો સંપર્ક થયો. ગોશાલક પ્રભુ સાથે ૬ વર્ષ રહ્યો. ત્યાર બાદ મહાવીરથી છૂટો પડ્યો અને પોતાનો આજીવક સંપ્રદાય સ્થાપ્યો. પ્રભુ મહાવીરને તેજલેશ્યા છોડ્યા બાદ સાત દિવસમાં તે મૃત્યુ પામે છે. લાઢ દેશની યાતનાઓનું આચારાંગમાં હદયદ્રાવક વર્ણન છે.
316
Page #341
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ભગવાન મહાવીરે પાંચમું ચોમાસું ભદિલપુર, છઠ્ઠું ચોમાસું ભદ્રિકાપુરી, ૭મું ચોમાસું-આલંભિકા નગરીમાં, ૮મું ચોમાસું રાજગૃહી નગરીમાં, ૯મું ચોમાસું લાઢ દેશમાં, ૧૦મું ચોમાસું શ્રાવસ્તી નગરીમાં કર્યું. ત્યાં ભદ્ર પ્રતિમા ધારણ કરી.
મલેચ્છોના દેશમાં પોતાની જાતને મૂકી ઉગ્ર પરીક્ષા આપેલી. એક રાત્રિમાં ર૦ ઉપસર્ગ જે સંગમ નામના દેવે ઉભા કર્યા હતા. જેવા કે, પિશાચો, વાઘ, પક્ષીઓના પાંજરા, ભયંકર વંટોળિયો, સિધ્ધાર્થ-ત્રિશલાના સ્વરૂપ, જોરથી ઉછળતું કાળચક્ર આદિ. સંગમ આખરે થાકીને જતો રહે છે. પ્રભુ મહાવીરને તેની માટે પણ આંખમાં આંસુ આવે છે કે આ જીવ કાંઈ પામ્યો નહિ. પ્રભુવીરે લીધેલ અભિગ્રહ -
સતી, રાજકુમારી, દાસીપણું પામેલી, પગમાં બેડી, માથે મુંડન, રુદન, એક પગ ઉબંરામાં બીજો બહાર, હાથમાં સૂપડામાં અડદના બાકુળા અને ભિક્ષા હોરાવે તો જ પારણું કરવું નહિ તો નહિ.
છ મહિનામાં પાંચ દિવસ બાકી હતા ત્યારે તેમનું પારણું ચંદનાના હાથે થાય છે. જે એમની પ્રથમ શિષ્યા થયા. ૧૨મું ચોમાસું ચંપાનગરીમાં કર્યું. સાડાબાર વર્ષની ઘોર સાધના બાદ પ્રભુવીરને જુવાલિકા નદી, જંભક ગામની બહાર, શાલ વૃક્ષની નીચે ગોદોહાસને વૈશાખ સુદ-૧૦, ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ચોથા પ્રહોરે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. છદ્મસ્થમાંથી અહંત, જિન, સવર્ણ, બન્યા. પ્રભુવીરની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ. પ્રભુવીરના પ્રથમ અગિયાર શિષ્યો સંશય લઈને આવે છે મહાવીર પ્રભુ તે દૂર કરે છે તે બધા દીક્ષા ગ્રહણ કરે છે.
૧૩મું ચોમાસું રાજગૃહીમાં કરે છે. ત્યાં સાષભદત્ત અને દેવાનંદાને પ્રતિબોધ કરે છે. જેઓ દીક્ષા લઇ સિધ્ધ ગતિને પામે છે. જમાલિ અને પ્રિયદર્શના પણ દીક્ષા લે છે. પ્રભુથી અલગ રહી જમાલી પોતાના સ્વતંત્ર સિધ્ધાંતની સ્થાપના કરે છે. જે પ્રભુથી અળગા રહીને જ ૩૦ ઉપવાસ કરી મૃત્યુ પામે છે. ૧૪મું ચોમાસું વૈશાલીમાં કર્યું ત્યાર બાદ જયંતિની દીક્ષા થાય છે. ૧૫મું ચોમાસું વાણિજ્ય ગ્રામમાં થાય છે. ત્યાર બાદ ધન્ના શાલીભદ્રની દીક્ષા થાય છે. જેઓ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી દેવગતિને પામે છે. ૧૬મું ચોમાસું રાજગૃહમાં થાય છે. ત્યાર બાદ કામદેવની દીક્ષા થાય છે. તે પણ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી દેવગતિને પામે છે. ઉદયન રાજર્ષિની દીક્ષા થાય છે. ૧૭મું ચોમાસું વાણિજ્ય ગ્રામમાં થાય છે. ત્યાર બાદ ચુલ્લશતકની દીક્ષા થાય છે. અઢારમું ચોમાસું રાજગૃહમાં થાય છે. ત્યાર બાદ આદ્રકુમાર, અભયકુમારની દીક્ષા થાય છે. ૧૯મું ચોમાસું રાજગૃહીમાં કરે છે ત્યાર બાદ
317
Page #342
--------------------------------------------------------------------------
________________
મૃગાવતીની દીક્ષા થાય છે. ર૦મું ચોમાસું વૈશાલીમાં, રરમું ચોમાસું રાજગૃહમાં, ર૩મું ચોમાસું વાણિજ્ય ગ્રામમાં ત્યાર બાદ મૃગાવતી અને ચંદનાને કેવળજ્ઞાન થાય છે. ર૪મું ચોમાસું રાજગૃહમાં ત્યાર બાદ શ્રેણિકનું મૃત્યુ થાય છે. શ્રેણિકના પૌત્રો આદિની દીક્ષા થાય છે.
ર૫મું ચોમાસું મિથિલામાં થાય છે. ત્યાર બાદ શ્રેણિકની વિધવા રાણીઓની દીક્ષા થાય છે. ર૮મું ચોમાસું વૈશાલીમાં, ર૯મું રાજગૃહમાં, ૩૦મું વાણિજ્ય ગામમાં, ૩૧મું વૈશાલીમાં, ૩રમું વૈશાલીમાં થાય છે. ત્યારબાદ પાર્શ્વ પરંપરાના ગાંગેય શ્રમણ સાથે ભેટો થાય છે, જે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી સિધ્ધ ગતિ પ્રાપ્ત કરે છે. ૩૩મું ચોમાસું રાજગૃહમાં, ૩૪મું નાલંદામાં ત્યારબાદ સુદર્શન શેઠની દીક્ષા થાય છે, જે સારું ચારિત્ર પાળી સિધ્ધ ગતિને પામે છે. ૩૫મું ચોમાસું વૈશાલીમાં, ૩૬મું ચોમાસું મિથિલામાં,. ૩૭મું ચોમાસું રાજગૃહમાં, ૩૪મું ચોમાસું નાલંદામાં, ૩૯ભું ૪૦મું ચોમાસું મિથિલામાં, ૪૧મું ચોમાસું મગધમાં થાય છે.
પ્રભુવીરનું અંતિમ ચોમાસું પાવાપુરીમાં થાય છે. જ્યાં ૭૨ વર્ષનું આયુષ્ય પાળી, પ્રભુ મહાવીર આસો માસ વદ અમાવસ્યામાં હસ્તિપાલની રાજસભામાં નિર્વાણને પામે છે. પ્રભુના નિર્વાણના સમાચાર મળતાં જ વિલાપ કરતા ગૌતમને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. (કારતક સુદ એકમની સવારે)
મહાવીર ભગવાનની કુંડળી ચૈત્ર સુદ તેરસ, ઉતરાફાલ્યુની નક્ષત્ર, કન્યા રાશિ. વિક્રમ પૂર્વ પ૪૨. મધ્યરાત્રિ, ક્ષત્રિયકુંડ નગર, ઇસવીસન પૂર્વ પ૯૯ માર્ચ ૩૦ સોમવાર
કે
૧૨ - સૂ
મે ૧ બુ
૧૦ x
X શ ૭
રા
૪
ગુ
318
Page #343
--------------------------------------------------------------------------
________________
• મહાવીર ભગવાનને ૯મા સ્થાને ચંદ્રમાં છે. • મહાવીર ભગવાનને પગે સ્થાને શુક્ર છે. • મહાવીર ભગવાનનો વર્ણ પીળો હતો. . મહાવીર ભગવાનને લાંછન સિંહ હતું (જમણી સાથળ પર જન્મજાત ચિત્ર હોય છે.) . લબ્ધિ યોગ, સિધ્ધિ યોગ, તપ યોગ, આતાપના યોગ, ધ્યાન યોગ,
પ્રતિમા ધ્યાનનો જ્ઞાન યોગ, કેવલ્યપદ યોગ, સિધ્ધપદ યોગ, ઉપસર્ગ યોગો, દ્વાદશ ભાવ ફળ. . આદીશ્વર ભગવાનને બંને સાથળો પર લાંછન હતા. બાકીના ત્રેવીશને જમણી સાથળ પર લાંછન હોય છે.
તીર્થકર જીવન દર્શન
શ્રી મહાવીર સ્વામી માતા:-ત્રિશલા
પિતા:-સિદ્ધાર્થ વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ:-સુવર્ણ
ઊંચાઈ:-૭ હાથ લાંછન -સિંહ
ભવઃ-૨૭ ગર્ભકાળ:-૯મહિના ને ૭ દિવસ કુમારકાળ:-૩૦ વર્ષ રાજ્યકાળ:- -
ગૃહસ્થકાળ:-૩૦ વર્ષ છદ્મસ્થકાળ:-૧૨ વર્ષ ૬ મહિના
સંતકાળ:-૪ર વર્ષ ૧૫ દિવસ જીવનકાળ:-૭૨ વર્ષ
શાસનકાળ:- ૨૧ હજાર વર્ષ પુત્ર/પુત્રી:- ૧ પુત્રી
ગણધર:-૧૧ સાધુ:-૧૪,૦૦૦
સાધ્વીઃ -૩૬,૦૦૦ શ્રાવક:-૧,૫૯,૦૦૦
શ્રાવિકાઃ-૩,૧૮,૦૦૦ યક્ષઃ-માતંગ
યક્ષિણી -સિદ્ધાયિકા ચ્યવન કલ્યાણક-અષાઢ સુદ-૬
ચ્યવન નક્ષત્ર:-ઉત્તરાફાલ્ગની
319
Page #344
--------------------------------------------------------------------------
________________
જન્મ કલ્યાણક-ચૈત્ર સુદ-૧૩ જન્મ રાશિ:-કન્યા દીક્ષા કલ્યાણકદ-કારતક વદ-૧૦ દીક્ષા તપ-ર ઉપવાસ દીક્ષા વૃક્ષ:-અશોક પારણાનું સ્થળ:-કોલ્લોગ સહ દીક્ષિતો:-એકલા કેવલજ્ઞાન નક્ષત્રઃ-ઉત્તરાફાલ્યુની કેવલજ્ઞાન વૃક્ષ:-શાલ નિર્વાણ કલ્યાણક:-આસોવદ-0)) નિર્વાણ તા:-ર ઉપવાસ
જન્મ નક્ષત્ર:- ઉત્તરાફાલ્ગની જન્મ ભૂમિ -ક્ષત્રિયકુંડ દીક્ષા નક્ષત્ર - ઉત્તરાફાલ્ગની દીક્ષા શિબિકા -ચન્દ્રપ્રભા દીક્ષાભૂમિ -ક્ષત્રિયકુંડ પ્રથમ પારણું-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક -વૈશાખસુદ-૧૦ કેવલજ્ઞાન તપ -૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિ -ઋજુવાલિકા નિર્વાણ નક્ષત્રઃ-સ્વાતિ નિર્વાણ ભૂમિ-પાવાપુરી
ભવના નામ
પ્રભુ મહાવીરના ૨૭ ભવ આયુ વિશેષ જાણકારી
સમકિતઃ પશ્ચિમ મહાવિદેહ
૧. નયસાર (ગામના મુખી) ૨.સૌધર્મ દેવ (૧) ૩.મરિચી
૧ પલ્યોપમ ૮૪ લાખ પૂર્વ
નીચ ગોત્રકર્મ બાંધ્યું. કુળમદ ત્રિદંડીવેષ પ્રારંભ
૪.બ્રહ્મ દેવલોકમાં(૫). પ.કૌશિક ૬.પુષ્પમિત્ર ૭.સૌધર્મદેવ(૧) ૮.અગ્નિદ્યોત
૧૦ સાગરોપમ ૮૦ લાખ પૂવ ૭ર લાખ પૂર્વ
કોલાકગામ ત્રિદંડી ધૂણાનગરીમાં ત્રિદંડી મધ્યમ સ્થિતિવાળા દેવ ચૈત્યગામમાં ત્રિદંડી
૬૦ લાખ પૂર્વ
320
Page #345
--------------------------------------------------------------------------
________________
૯. ઇશાનદેવ(ર)
મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૦. અગ્નિભૂત
પ૬ લાખ પૂર્વ મંદર ગામમાં ત્રિદંડી ૧૧.સનતકુમાર(૩)
મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૨.ભારદ્વાજ ત્રિદંડી ૪૪ લાખ પૂર્વ ત્રિદંડી બ્રાહ્મણ ૧૩.માહેન્દ્ર દેવ(૪)
મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૪.સ્થાવર (બ્રાહ્મણ) ૩૪ લાખ પૂર્વ રાજગૃહીમાં ત્રિદંડી ૧૫.બ્રહ્મદેવ (૫)
મધ્યમ સ્થિતિવાળા દેવ ૧૬ વિશ્વભૂતિ રાજકુમાર ૧કરોડ પૂર્વ રાજગૃહીમાં સંભૂતિ મુનિ
દીક્ષા લઈ નિયાણું કર્યું ૧૭.મહાશુક્ર દેવ (૭)
ઉત્કૃષ્ટ આયુવાળા દેવ ૧૮.ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૪ લ
પોતનપુરમાં કાનમાં સીસુ રેડાવ્યું. વિજયવતી રાણી
સાથે વેર ૧૯.તમ તમ પ્રભા ૩૩ સાગરોપમ સાતમી નરક ર૦.સિંહ
તિર્યંચગતિ ર૧.પંકપ્રભા
ચોથી નરક રર.વિમલ રાજકુમાર
અનામી ભવ દીક્ષા લીધી ર૩.પ્રિય મિત્ર ચક્રી ૮૪ લાખ વર્ષ મૂકાનગરીમાં પોટીલાચાર્ય
પાસે દીક્ષા ૨૪.મહાશુક્ર દેવ(૭) ૧૭ સાગરોપમ સવંથ વિમાનમાં ૨૫.નંદનરાજકુમાર ૨૫ લાખ વર્ષ ૧૧,૮૦,૬૪૫ માસ ક્ષમણ
તીર્થકર નામકર્મ બાંધ્યું ર૬.પ્રાણત દેવ(૧૦) ર૦ સાગરોપમ પુષ્યોત્તરાવતંસક વિમાનમાં ર૭.શ્રી વર્ધમાન કુમાર ૭ર વર્ષ ચરમ તીર્થપતિ, (મહાવીર)
ક્ષત્રિય કુંડ
321
Page #346
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરનાં જીવન અને કવન વિષે પાશ્ચાત્ય તેમજ પૌર્વાત્ય ભાષામાં સંખ્યાબંધ વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો લખાયા છે, લખાઇ રહ્યા છે અને હજુ પણ લખાશે. આનું પ્રધાન કારણ એ છે કે એમના ભવ્ય જીવને જગતની પ્રજાને વર્ષોથી પ્રેરણા અર્પી છે અને હજુ પણ આપી રહી છે. ભગવાન મહાવીરે ઉપદેશેલો ‘અહિંસા’નો ભવ્ય આદર્શ જો માનવજાત આજના સંક્ષુબ્ધ અને ભયગ્રસ્ત વાતાવરણમાં ખેલદિલીથી અને શુભનિષ્ઠાથી અપનાવે તો જગતની પ્રજાની અનેક મુશ્કેલીઓ તથા મૂંઝવણો આપોઆપ દૂર થાય. જગતમાં શાંતિનું સામ્રાજ્ય પ્રવર્તે, અણુબોંબ અને હાઇડ્રોજન બોંબ જેવા વિનાશક આયુધોનો ભય ઓછો થાય અને સંસારમાં સહાનુભૂતિ, મૈત્રી, પ્રેમ, ભવ્ય ભાઇચારાની ભાવનાનો ઉત્તરોત્તર ઉદય થાય.
૪૫
જૈન માન્યતાના આધારે શ્રીમહાવીર પાછલા જન્મોના કેટલાક કર્મોને લીધે ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણીની કૂખે ઉત્પન્ન થયા. જ્યારે ઇન્દ્રે જાણ્યું ત્યારે તેણે ગર્ભને દેવાનંદાની કૂખેથી ક્ષત્રિયોના વંશમાં કાશ્યપ ગોત્રના ક્ષત્રિયરાજા સિધ્ધાર્થની પત્ની ત્રિશલાની કૂખે બદલવાની યોજના કરી. શ્રીમહાવીરે પાછલા જન્મોમાં કુલાભિમાન કરેલું તેમાંનું અવશેષ કર્મ ભોગવવા, એમને બ્રાહ્મણના ગોત્રમાં જન્મ લેવો પડેલો. ખાસ કરીને જૈન માન્યતા પ્રમાણે, તીર્થંકરો ક્ષત્રિય અથવા એવા ઉચ્ચ કુળમાં જન્મે છે.
ગર્ભાપહરણ એ કંઇ અશક્ય ઘટના નથી. આજના વિજ્ઞાન યુગમાં વૈજ્ઞાનિક ડૉકટરો આજે પણ ગર્ભ પરાવર્તન કરી શકે છે તો અચિંત્ય દૈવિક શક્તિ ધરાવતા દેવોથી શું અશક્ય હોય ખરું? આ અંગે વિશેષ ઉદાહરણ આપવાનું જરૂરી નથી..
પ્રભુના શરીરનું લોહી શ્વેત હતું એ વાત માટે લોકોને તર્ક થાય છે. પણ બુધ્ધિને બીજી બાજુ વળાંક આપીએ તો સમાધાન મળી આવે. શું માનવ શરીરમાં શ્વેત લોહી હોય? હા. સ્ત્રીના શરીરમાં જ્યારે તે પત્ની ઉપરાંત માતૃત્વદશા પ્રાપ્ત કરે છે ત્યારે અર્થાત્ બાળક ગર્ભમાં આવે ત્યારે. જો એક જ જીવ પ્રત્યેના પ્રેમથી લોહી સફેદ થતું હોય તો વિશ્વના પ્રાણી પ્રત્યેના પ્રેમ વાત્સલ્યની ઉષ્મા, ભગવાનના શરીરના સંપૂર્ણ લોહીને શ્વેત કરી નાંખે છે.
ઇશુખ્રિસ્તનો `live & let live' જીવો અને જીવવા દો - નો વિશ્વપ્રસિધ્ધ સિધ્ધાંત અધૂરો ને સ્વાર્થ મૂલક છે. આમાં એકબીજાને મદદરૂપ થવાની વાત નથી. જ્યારે ભગવાન મહાવીર સિધ્ધાંત પૂર્તિ કરતા કહે છે કે જીવો જીવવા દો આની સાથે તમારા જીવનના ભોગે અન્યને જીવાડો અથવા અન્યને જીવંત રાખવા તમે જીવો. આમ દ્વિસૂત્રીને બદલે ત્રિસૂત્રી સિધ્ધાંત બને તો જ સિધ્ધાન્ત સાચો અને સંપૂર્ણ બને અને માનવતાનું તેજ દેખાય.
322
Page #347
--------------------------------------------------------------------------
________________
બુધ્ધનું સુપ્રસિધ્ધ બહુજનહિતાય બહુજનસુખાય સૂત્ર એમ કહે છે કે ઘણા જીવોના હિત માટે અને ઘણા જીવોના સુખ માટે કરો.
ભગવાન મહાવીર કહે છે કે સર્વજન જ નહિ સર્વજીવનો સિધ્ધાંત ઊંચો છે.
પીર્વાત્ય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોએ મહાવીર પ્રભુનાં જીવન વિષે તેમજ તેમના આદર્શો વિષે સારો પ્રકાશ પાડ્યો છે. તેઓએ મહાવીર અને બુધ્ધની તુલના કરી છે અને “બુધ્ધ અને મહાવીર' નામક ગ્રંથ લખી બંનેને સમાન કક્ષામાં મૂકવા પ્રયત્ન કર્યો છે. જૈનોના પ્રથમ બાવીશ તીર્થકરો વિષે આપણને પૂરતી માહિતી મળતી નથી. જ્યારે પાર્શ્વનાથજી અને મહાવીર પ્રભુના જીવન વિષે, તેમના સિધ્ધાંતો વિષે તેમજ તેમના સમય વિષે પુષ્કળ પ્રકાશ પાડ્યો છે. મહાવીર પ્રભુના જીવન અને કાર્ય વિષે આપણને પૂરતી સામગ્રી મળી રહે છે."
પ્રો.લોયમન મહાવીર પ્રભુ વિષે જણાવે છે કે તે અલૌકિક પુરુષ હતા. એ મહાન વિચારક, દર્શનકાર હતા. એમણે આપણને તત્ત્વવિદ્યા, વિશ્વવિદ્યા, જીવવિદ્યા, માનસશાસ્ત્ર વગેરે આપ્યા છે.
ભગવાન મહાવીરનો સમય અને જન્મ:
ઇતિહાસવિદો અને પુરાતત્વવેત્તાઓના નિર્ણય પ્રમાણે શ્રી મહાવીર પ્રભુ પાર્શ્વનાથજીના નિર્વાણ પછી ૧૭૮ વર્ષે જન્મ્યા અર્થાત પ્રભુનો જન્મ વિ.સં.પૂર્વે પ૪રમાં થયો હતો.
શ્રી મહાવીર પ્રભુ ઇક્વાકુ વંશમાં ક્ષત્રિયને ઘેર જન્મ્યા હતા એમના પિતા સિધ્ધાર્થ ક્ષત્રિયકુંડ નામના ગામના રાજા હતા. એમ શ્રી હેમચંદ્રાચાર્યજી એમના “ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર” નામના ગ્રંથમાં જણાવે છે.
શ્રી મહાવીર અને બુધ્ધ ધર્મના સંસ્થાપક શ્રી ગૌતમ બુધ્ધ બંને એક જ દેશ મગધમાં અને ઇક્વાકુ કુળમાં જન્મ્યા હતા. આમ, એક જ સમયમાં એક જ ભૂમિમાં બે પયગંબર જન્મે એ યુગ ખરેખર આપણા ધર્મના અને ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે જ લખાવો જોઈએ.
- મહાવીર કાલીન ચરિત્રો:
મહાવીર પ્રભુના સમયમાં નંદ મણિયારનું કથાનક -
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રાજગૃહ નામે નગરમાં ગુણશીલક ચૈત્ય છે. ત્યાં શ્રેણિક રાજા છે. તે જ નગરમાં નંદ નામે એક મણિયાર શેઠ રહેતો હતો. પ્રભુ મહાવીરના
323
Page #348
--------------------------------------------------------------------------
________________
આગમનથી નંદ મણીયાર શેઠ સુશ્રાવક બન્યો. એકવાર નંદ મણીયાર શ્રેષ્ઠી અષ્ટમ ભક્ત વ્રત પૂરું થવાની તૈયારી હતી ત્યારે ભૂખ-તરસથી વ્યાકુળ થઈ ગયો અને તેના મનમાં મનોવિકાર ઉત્પન્ન થયો. તેણે નંદા પુષ્કરિણી ખોદાવાનો સંકલ્પ કર્યો. નંદ મણિયાર નિષ્ણાતો દ્વારા પસંદ કરાયેલ ભૂમિ પર નંદા પુષ્કરિણી ખોદાવે છે. ત્યારબાદ વનખંડ, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય, અલંકારસભા બનાવડાવે છે. અનેક માણસો તેની પ્રશંસા કરે છે. હવે એકવાર અચાનક તેને સોળ પ્રકારના રોગો ઉત્પન્ન થયા. ચિકિત્સાની નિષ્ફળતા મળે છે. ત્યારે તે નંદાપુષ્કરિણીમાં દેડકા (દુર્દર) રૂપે ઉત્પન્ન થયો.
નંદા પુષ્કરિણીમાં અનેક લોકો સ્નાન કરતા, પાણી પીતા, લઈ જતા. ત્યારે બધા નંદ મણિયારના વખાણ કરતા. આ સાંભળી દેડકાને જાતિસ્મરણજ્ઞાન થાય છે. પૂર્વ જન્મનું સ્મરણ થાય છે. એકવાર પ્રભુ મહાવીર નજીકમાં પધારે છે ત્યારે દેડકાને પ્રભુના દર્શન કરવાનું મન થાય છે અને પુષ્કરિણીમાંથી નીકળી રાજમાર્ગે જાય છે. ત્યારે તે રસ્તામાં ઘોડાના પગ નીચે ચગદાઈ જાય છે. ત્યારે તે મહાવ્રત ધારણ કરવાની ઇચ્છાવાળો હતો તેથી મૃત્યુ પામી દેવ બને છે. તે જે દેવલોકમાં ઉત્પન્ન થાય છે તેની સ્થિતિ ચાર પલ્યોપમની છે. ત્યાંથી દુર્દર દેવ સ્થિતિક્ષય થતાં મહાવિદેહમાં ચ્યવન પામી સિધ્ધ, બુધ્ધ, મુક્ત થશે.* પ્રભુ મહાવીરના સમયમાં આનંદ ગાથાપતિઃ
વાણિજ્યગ્રામ નામનું નગર હતું. એ નગરમાં જીતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં આનંદ નામનો ધનાઢ્ય ગાથાપતિ રહેતો હતો. તેને શિવાનંદા નામે ભાર્યા હતી. એકવાર પ્રભુ મહાવીર વાણિજ્ય ગ્રામમાં પધારે છે. સમવસરણ રચાય છે. આનંદ પણ ધર્મશ્રવણ કરવા જાય છે. પ્રભુની દેશના સાંભળી આનંદે બાર વ્રત ધારણ કર્યા. તેની પત્ની શિવાનંદા પણ બારવ્રત ધારણ કરે છે. આનંદ ધીરે ધીરે ધર્મ કરતા અનશન કરવાનો સંકલ્પ કરે છે. અને તેમને અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. એ સમયે ગોચરી માટે નીકળેલા ગૌતમસ્વામીને પ્રશ્ન કરે છે કે, ભગવાન! ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે? ગૌતમે કહ્યું. હા, થઈ શકે. ત્યારે તેણે કહ્યું, મને આટલું અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે. ત્યારે ગૌતમસ્વામી કહે છે કે આવી અયોગ્ય ધારણા ન કર અને પ્રાયશ્ચિત લે. ત્યારબાદ ગૌતમસ્વામી પ્રભુ મહાવીર પાસે આ શંકાનું સમાધાન મેળવે છે અને આનંદ શ્રાવક પાસે ક્ષમા યાચે છે. ત્યારબાદ આનંદ શ્રાવક ધર્મ ધ્યાન કરી વીસ વરસ બાદ ૧ માસની સંખના કરી કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ૪ પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિધ્ધ, બુધ્ધ થશે. કામદેવ - ચંપાનગરીમાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જિતશત્રુરાજા હતો. તે નગરીમાં અતિ
324
Page #349
--------------------------------------------------------------------------
________________
ધનાઢ્ય કામદેવ ગૃહપતિ હતો. એકવાર પ્રભુ મહાવીર ચંપાનગરીમાં પધારે છે. પ્રભુનું સમવસરણ રચાય છે. અને પરમાત્મા દેશના આપે છે. ધર્મશ્રવણ કરવા કામદેવ પણ જાય છે અને પ્રભુની વાણી સાંભળી ગૃહસ્થ ધર્મ સ્વીકારી બાર વ્રત ધારણ કરે છે. તેની પત્ની ભદ્રા પણ ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરે છે. એકવાર ધર્મ જાગરણ કરતા કામદેવને મિથ્યાદષ્ટિ દેવ દ્વારા મરણાંત ઉપસર્ગ કરવામાં આવે છે. ત્યારે તે સમભાવ પૂર્વક સહન કરે છે. આથી દેવ પોતાના મૂળ સ્વરૂપમાં આવી કામદેવની પ્રશંસા કરે છે અને ક્ષમાયાચના કરે છે. ભગવાન દ્વારા કામદેવની પ્રશંસા કરાય છે. ભગવાન ત્યાંથી બીજે વિહાર કરે છે. ત્યારબાદ કામદેવ ઉપાસક પ્રતિમા ગ્રહણ કરે છે. ત્યાર બાદ અનશન કરે છે. એક માસની સંલેખના બાદ સમાધિ પૂર્વક મૃત્યુ પામી સૌધર્મ કલ્પમાં અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિધ્ધ ગતિને પામશે." ચુલનીપિતા:- તે સમયે વારાણસી નામે નગરી હતી. કોષ્ટક નામનું ચૈત્ય હતું. જ્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. ચુલનીપિતા ધનાઢ્ય શેઠ હતો. તેની પત્નીનું નામ શ્યામા હતું. એકવાર પ્રભુ મહાવીર વારાણસી નગરીમાં પધારે છે. ત્યારે પરમાત્માના દર્શન માટે ચુલની પિતા જાય છે. દેવો દ્વારા પ્રભુનું સમવસરણ રચાય છે. પરમાત્મા દેશના આપે છે. જે સાંભળી ચુલનીપિતા ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે છે. શ્યામા પણ શ્રમણોપાસિકા બની ગઈ. એકવાર ચુલની પિતા ધર્મ જાગરણ કરે છે. ત્યારે દેવ દ્વારા પોતાના જ્યેષ્ઠ પુત્રના મરણરૂપ ઉપસર્ગ કરવામાં આવે છે તે સમભાવ પૂર્વક સહન કરે છે. દેવ દ્વારા તેમની માતાને મારવાની વાત સાંભળી સહન ન થતાં કોલાહલ કરે છે અને દેવ માયા વિતુર્વી આકાશમાં ઉડે છે. ત્યારબાદ ચુલની પિતા પ્રાયશ્ચિત લે છે અને ઉપાસક પ્રતિમા ગ્રહણ કરે છે. ત્યારબાદ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એમ અગ્વિાર પ્રતિમા ધારણ કરે છે.
કોઇ એક દિવસ મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતા સંલેખના સ્વીકારવાનો સંકલ્પ કરે છે અને સંલેખના સ્વીકારી સમાધિ મરણ પામી અરુણપ્રભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી થઇને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે." સુરાદેવ કથાનકઃ- વારાણસી નગરી હતી. તેમાં કોઇક ચેત્ય હતું. જિતશત્રુ રાજા હતો. તે ધનાઢ્ય હતો. તેની પત્નીનું નામ ધન્ના હતું. એકવાર શ્રમણ ભગવાન મહાવીર વારાણસી નગરીમાં પધારે છે. જિતશત્રુ રાજા પણ વંદન કરવા જાય છે. સુરાદેવ પણ ધર્મ શ્રવણ કરવા જાય છે. પ્રભુની વાણી સાંભળી તે શ્રમણધર્મ સ્વીકાર કરે છે. તેની પત્ની શ્રમણોપાસિકા બને છે.
સુરાદેવ ધર્મ જાગરણ કરે છે ત્યારે દેવ દ્વારા તેના જ્યેષ્ઠ પુત્રના મરણ રૂપ ઉપસર્ગ
325
Page #350
--------------------------------------------------------------------------
________________
કરાય છે. તે ઉપસર્ગને સુરાદેવ સમભાવે સહન કરે છે. ત્યારબાદ દેવ સુરાદેવના વચલા પુત્રના મરણરૂપ ઉપસર્ગ કરે છે. સુરાદેવ તે પણ સમ્યક્ ભાવે સહન કરે છે. દેવકૃત તેના કનિષ્ઠ પુત્રના મરણરૂપ ઉપસર્ગને પણ તે સમભાવે સહન કરે છે.
સુરાદેવ દ્વારા દેવ કથિત રોગાંતક ઉપસર્ગ સહન ન કરી શકવાથી કોલાહલ થાય છે અને દેવ માચા વિકુર્થી આકાશમાં ઉડી જાય છે. ત્યારબાદ સુરાદેવ પ્રાયશ્ચિત લઇ પ્રતિમા ધારણ કરી અનશન સ્વીકારે છે. સુરાદેવ સમાધિ મરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિધ્ધ બની સર્વ દુઃખોનો અંત લાવશે.
ચુલ્લશતકઃ- તે સમયે આલંભિકા નામે નગરી હતી. તેમાં શંખવન નામનું ઉદ્યાન હતું. જ્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં અતિ ધનાઢ્ય ચુલ્લશતક ગાથાપતિ રહેતો હતો. તેને શુભ લક્ષણોવાળી બહુલા નામની પત્ની હતી. એકવાર પ્રભુ મહાવીરનું ત્યાં સમવસરણ રચાય છે. ચુલ્લશતક તેની પત્ની સાથે ધર્મશ્રવણ કરવા જાય છે. બંને પતિ-પત્ની શ્રાવક ધર્મ સ્વીકાર કરે છે. ભગવાન અન્ય સ્થળે વિહાર કરી જાય છે. ચુલ્લાતકને ધર્મ પામ્યાને ચૌદ વર્ષ પૂર્ણ થયા અને પંદરમું વર્ષ ચાલતું હતું ત્યારે એક સમયે મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરે છે ત્યારે દેવકૃત પોતાના જ્યેષ્ઠ પુત્રના મરણરૂપ ઉપસર્ગને તે સહન કરે છે. એ જ રીતે મધ્યમ પુત્રના, કનિષ્ઠ પુત્રના મરણરૂપ ઉપસર્ગને સમભાવ પૂર્વક સહન કરે છે. ત્યારબાદ દેવ કથિત નિજ સર્વ હિરણ્ય-કોટિઓના વિકીર્ણ કરવા રૂપ ઉપસર્ગને સહન ન કરી શકવાથી કોલાહલ કરે છે. ત્યારે દેવ માયા વિકુર્તી આકાશમાં ઉડી જાય છે. ત્યારબાદ ચુલ્લશતક પ્રાયશ્ચિત લે છે અને અને પ્રતિમા ધારણ કરી અનશન સ્વીકારી સમાધિ મરણ પામી સૌધર્મ કલ્પના અરુણસિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ સિધ્ધ થશે. અને સર્વ દુઃખોનો અંત કરશે.'
કુંડકોલિક કથાનકઃ- તે સમયે કાંપિલ્યપુર નગર હતું. તે નગરમાં સહસ્રામ્રવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. કુંડૌલિકને શુભ લક્ષણોથી યુક્ત પૂષા નામની પત્ની હતી. તે સમયે શ્રમણ ભગવાન મહાવીરનું સમવસરણ રચાય છે. જેમાં કુંડૌલિક ધર્મ શ્રવણ માટે જાય છે. સાંભળીને શ્રાવક ધર્મ સ્વીકારે છે. પૂષા પણ શ્રમણોપાસિક ચર્યા સ્વીકારે છે. એકવાર તેની પાસે દેવ આવે છે અને નિયતિવાદનું સમર્થન કરે છે પરંતુ કુંડકોલિક નિયતિવાદનું નિરસન કરે છે. તે સાંભળી દેવ જતો રહે છે. ફરી ભગવાન મહાવીરનું સમવસરણ ત્યાં રચાય છે. કુંડકૌલિક ત્યાં ધર્મશ્રવણ માટે જાય છે. પ્રભુ મહાવીર કુંડકૌલિકની પ્રશંસા કરે છે. કુંડકૌલિક દેશના સાંભળી ધર્મ જાગરિકા કરે છે. પ્રતિમા ધારણ કરે છે. અનશન સ્વીકારી સમાધિ મરણ પામી ૪ પલ્યોપમ જેટલી સ્થિતિવાળા અરુણજ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી
326
Page #351
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિધ્ધિ ગતિ પ્રાપ્ત કરશે.' સદ્દાલપુત્ર કુંભકાર કથાનક - તે કાળે તે સમયે પોલાસપુર નગરમાં સહસ્સામ્રવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. ત્યાં આજીવિક ગોશાલકનો અનુયાયી સદાલપુત્ર નામે કુંભકાર રહેતો હતો. એકવાર એક દેવ પ્રગટ થાય છે અને પ્રભુ મહાવીરની પ્રશંસા કરી ચાલ્યો જાય છે. સદ્દાલપુત્ર શ્રમણ ભગવાન મહાવીરના સમવસરણમાં ધર્મશ્રવણ માટે જાય છે. અને ભગવાન મહાવીરને પોતાની કર્મશાળામાં પધારવા આમંત્રણ આપે છે. મહાવીર તેના નિવેદનને સ્વીકારી જાય છે. ત્યાં બનાવેલા વાસણ જોઈ તેમણે સાલપુત્રને પૂછ્યું, “આ વાસણ કેવી રીતે બન્યા?” ત્યારે સાલ પુત્રે કહ્યું આ બધા વાસણો માટી લાવી ચાકડે ચઢાવી પછી બન્યા. તેને કહ્યું આ બધા ભાવ-થનારા કાર્યો નિયત નિશ્ચિત છે. પ્રભુ મહાવીરે કહ્યું કે આ વાસણોને કોઈ ચોરી લે, છિન્ન-ભિન્ન કરી નાખે, ફોડી નાખે તો તું એ પુરુષને શું દંડ આપે? ત્યારે એ કહે છે કે એને ફટકારીશ, મારીશ, બાંધી દઈશ. ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે, આ ભાવો નિયત છે તો કોઈ ચોરી લે તો તું તે પુરુષને મારી શકતો નથી, અગર તું મારે છે તો તું જ કહે કે ઉત્થાન, બળ, વીર્ય, પૌરુષ, પરાક્રમનું અસ્તિત્વ નથી. એ તારું કથન મિથ્યા છે. આ વાત સાલ પુત્રને ઉતરી ગઇ તે ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરે છે.
હવે ગોશાલક તેને પોતાનો પુનઃ અનુયાયી બનાવવા જાય છે. એણે જ્યારે જોયું કે સદાલપુત્ર શ્રમણ મહાવીરને અનુસરે છે. તે જોઈ ગોશાલો મહાવીરના ગુણગાન ગાય છે. મહાવીર સાથે વિવાદ કરવામાં ગોશાલ સમર્થ નથી. આથી ગોશાલક ત્યાંથી ચાલ્યો જાય છે.
સદાલ પુત્ર ધર્મ જાગરિકા કરે છે. દેવકૃત ઉપસર્ગ થાય છે પણ તે સમભાવ પૂર્વક સહન કરે છે. પરંતુ તેની ભાર્યા પર મરણાંત ઉપસર્ગ સહન ન થતાં કોલાહલ કરે છે. અને દેવ માયા વિમુર્તી ચાલ્યો જાય છે. સાલ પુત્ર પ્રાયશ્ચિત કરે છે. અને પ્રતિમા ધારણ કરે છે. સાલ પુત્ર અનશન કર્યું અને સમાધિ મરણ પામી દેવલોકમાં જાય છે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિધ્ધ થશે અને સર્વ દુઃખોનો અંત કરશે." મહાશતક ગાથાપતિ કથાનક - રાજગૃહ નગરમાં શ્રેણિકરાજા રાજ્ય કરતો હતો. ત્યાં મહાશતક નામનો ગૃહસ્થ રહેતો હતો. તેની પત્ની રેવતી હતી. મહાશતક ધનાઢ્ય હતો. એકવાર પ્રભુ મહાવીરનું સમવસરણ રચાય છે. મહાશતક ધર્મ શ્રવણ કરવા ત્યાં જાય છે. સાંભળીને ગૃહસ્થ ધર્મ સ્વીકારે છે. જ્યારે તેના પત્ની રેવતી માંસ-મદ્ય આદિનું સેવન કરે છે. રાજગૃહ નગરમાં અમારિ-ઘોષણા થઈ છતાં તે માંસમઘનું સેવન છોડતી નથી.
327
Page #352
--------------------------------------------------------------------------
________________
એકવાર મહાશતક ધર્મ જાગરિકા કરે છે. ત્યારે રેવતી તેના પર અનુકૂળ ઉપસર્ગ કરે છે. ત્યારે અડગ મહાશતક આગળ રેવતી ઉપેક્ષિત થઇ જે દિશામાં આવી હતી પાછી તે દિશામાં ગઇ. મહાશતક પ્રતિમા ધારણ કરે છે અનશન સ્વીકારે છે. મહાશતકને અવધિજ્ઞાન થાય છે. રેવતી દ્વારા પુનઃ તેના ઉપર ઉપસર્ગ થતાં તે રેવતીનું મરણાન્તર નરકમાં ગમન થશે એમ કહે છે. જે સાંભળી રેવતી ભયભીત થાય છે અને વ્યથિત થઇ રોગથી પીડિત તે રત્નપ્રભા નારકીમાં ચોર્યાસી હજાર વર્ષના આયુષ્યવાળા નરકમાં નારકરૂપે ઉત્પન્ન થઇ.
ભગવાન મહાવીર મહાશતક પાસે ગૌતમને મોકલે છે અને ગૌતમ મહાશતકને પ્રાયશ્ચિત કરવા કહે છે. મહાશતક આલોચના લે છે અને એક માસની સંલેખના દ્વારા અરુણાવતુંસક વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યારબાદ મહાવિદેહ ક્ષેત્રમાં તે સિધ્ધ થશે. બુધ્ધ થશે.
મ
લેતિકાપિતા કથાનકઃ- તે કાળે તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ઠક નામનું ચૈત્ય હતું અને ત્યાંના રાજાનું નામ જિતશત્રુ હતું. ત્યાં ધનાઢ્ય શ્રાવક લેતિકાપિતા રહેતો હતો. એકવાર ભગવાન મહાવીરનું સમવસરણ ત્યાં રચાય છે અને લેતિકાપિતા ધર્મશ્રવણ માટે જાય છે. ધર્મશ્રવણ કર્યા બાદ ગૃહસ્થ ધર્મ સ્વીકારે છે. તેની પત્ની ફાલ્ગુની પણ શ્રમણોપાસિક બને છે.
એકવાર લેતિકાપિતા ધર્મ જાગરણ કરે છે પ્રતિમા ધારણ કરે છે. અનશન કરી સમાધિ મરણ પામી સૌધર્મ કલ્પના અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી આયુ ક્ષય કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ સિધ્ધ, બુધ્ધ થશે.
૫૭
શંખ અને પુષ્કલી કથાનકઃ- તે કાળે ને સમયે શ્રાવસ્તી નગરી હતી ત્યાં શંખ શ્રમણોપાસક ને ઉત્પલા નામે પત્ની હતી. તે નગરીમાં પુષ્કલી નામે ધનાઢ્ય શ્રાવક પણ રહેતો હતો. એકવાર શ્રમણ ભગવાન મહાવીરનું સમવસરણ રચાય છે અને ત્યાં ધર્મશ્રવણ કરવા શંખ જાય છે. ધર્મ શ્રવણ કર્યા બાદ એક દિવસ શંખ પૌષધ કરે છે. મધ્ય રાત્રિએ ધર્મ જાગરણ કરતા શંખ સંકલ્પ કરે છે કે પ્રભુ મહાવીરને વંદન કરી પછી પારણું કરશે. ત્યારબાદ તે ધર્મ જાગરણ કરી અનશન કરી સમાધિ મરણ પામી દેવ બને છે. ત્યાંથી આયુ પૂર્ણ થતાં મહાવિદેહમાં ઉત્પન્ન થઇ સિધ્ધ બની સર્વ દુઃખોનો અંત કરશે.
પ
જે વ્યકિત કોઇ આપ્ત પુરુષના સિધ્ધાંતને માનવા છતાં કોઇ વિશેષ બાબતમાં આગ્રહ કે અભિનિવેશપૂર્વક વિરોધ કરે અને પછી પોતાના દુરાગ્રહને કારણે પોતે એક અલગ મતનો પ્રવર્તક બની બેસે છે તેને નિન્દવ કહેવામાં આવે છે.
328
Page #353
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના શાસનમાં આવી જાતના સાત પ્રવચન-ન્ડિવો નીચેના ક્રમે થઈ ગયા.
૧.જમાલિ- ભગવાન મહાવીરના સર્વજ્ઞકાળમાં ૧૬મા વર્ષે ૨.તિ ગગુપ્ત- ભગવાન મહાવીરના સર્વજ્ઞકાળમાં ૧૬ વર્ષ પછી ૩. આષાઢ
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ર૧૪ વર્ષ પછી ૪.અચ્છમિત્ર- ભગવાન મહાવીરના નિર્વાણ પછી રર૦ વર્ષ પછી ૫.ગંગ
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૨૮ વર્ષ પછી ૬. ષડુલક(રોહગુપ્ત)- ભગવાન મહાવીરના નિર્વાણ પછી પ૪૪ વર્ષ પછી ૭.ગોષ્ઠામાહિલ- ભગવાન મહાવીરના નિર્વાણ પછી પ૮૪ વર્ષ પછી સાત નિન્દવમાં ગોશાલકની ગણના થતી નથી પરંતુ તેને પણ નિન્દવ માનવામાં આવે છે આથી ગોશાલકનું કથાનક પણ મૂકવામાં આવ્યું છે. આ સાત નિન્દવોની ઉત્પત્તિ નીચેના સાત નગરમાં થઈ હતી. (૧)શ્રાવસ્તી (૨)ષભપુર (૩)શ્વેતામ્બી (૪)મિથિલા (૫)દુલ્લકાતીર (૬)અંતરંજિકા (૭)દશપુર. જમાલિ નિન્દવ કથાનક - બ્રાહ્મણકુંડગ્રામ નગરની પશ્ચિમ દિશામાં ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું. નગરમાં જમાલિ નામનો ક્ષત્રિય કુમાર રહેતો હતો. બધી રીતે તે સમર્થ હતો. એકવાર પ્રભુ મહાવીર બ્રાહ્મણકુંડગ્રામમાં આવે છે. ત્યારે જમાલિ મહાવીરની પર્યુપાસના કરે છે. મહાવીર પ્રભુએ અર્ધમાગધી ભાષામાં ધર્મોપદેશ આપ્યો. જે સાંભળી જમાલિ પ્રવજ્યા ગ્રહણ કરવાનો સંકલ્પ કરે છે. પ્રથમ તો જમાલિના માતા-પિતા પ્રવજ્યા ગ્રહણ ન કરવા કહે છે. પરંતુ જમાલિની દેઢતા જોઈ અંતે અનુમતિ આપે છે. જમાલિ પ્રવજ્યા ગ્રહણ કરે છે. અગિયાર અંગોનું અધ્યયન કરે છે. તેમજ ચતુર્થ ભક્ત છઠ, અઠમ, અર્ધમાસ, માસક્ષમણ વગેરે તપ કર્મ વડે આત્માને ભાવિત કરે છે. એકવાર જમાલિ દ્વારા જનપદ વિહારની પ્રાર્થના ભગવાન મહાવીરને કરાય છે. ત્યારે પ્રભુ મહાવીર મૌન રહ્યા. જમાલિ પ્રભુ મહાવીરને વંદન કરી જનપદ વિહાર કરે છે. એકવાર જમાલિને દાહની પીડા થાય છે. ત્યારે તે પોતાના શ્રમણ નિગ્રંથોને બોલાવી તેમના માટે શય્યા પાથરવાનું કહે છે. તેના શિષ્યો સુવા માટે સંસ્મારક પાથરવા લાગ્યા. ત્યારે જમાલિ અનગારે અત્યંત વ્યાકુળ થઈને ફરીથી નિગ્રંથોને કહે છે કે “હે દેવાનુપ્રિયો! મારે માટે સંસ્તારક કર્યો?” ત્યારે શ્રમણ નિગ્રંથોએ કહ્યું-“હા”, પરંતુ જમાલિએ જોયું કે શય્યા સસ્તારક તૈયાર કર્યો નથી પણ કરાય છે. ત્યારે જમાલિ અનગારને સંકલ્પ ઉત્પન્ન થયો કે “શ્રમણ ભગવાન મહાવીર
329
Page #354
--------------------------------------------------------------------------
________________
જે પ્રમાણે કહે છે તેમ તો જે કાર્ય ક્રિયમાણ તે કૃત છે. પણ અહીં તો પ્રત્યક્ષ જોઇ શકાય છે કે શૈયા તૈયાર કરવામાં આવે છે ત્યાં સુધી તૈયાર થઈ નથી.'' આમ, જમાલિ દ્વારા આ મંતવ્ય શિષ્યો સમક્ષ રજૂ કરતા કેટલાક મહાવીર સમીપ જાય છે. અને કેટલાક જમાલિનુ મંતવ્ય સ્વીકારી તેની સાથે રહે છે. જમાલિ દ્વારા ચંપામાં ભગવાન મહાવીર સમક્ષ પોતાના કેવલીપણાની ઘોષણા કરે છે. ત્યારબાદ ભગવંત ગૌતમ જમાલિને પ્રશ્ન કરે છે.
હે જમાલિ! જો તું ઉત્પન્ન થયેલા જ્ઞાન-દર્શન ને ધારણ કરનાર કેવલી થઇને વિચરે છે તો આ બે પ્રશ્નોના ઉત્તર આપ. હે જમાલિ! લોક શાશ્વત છે કે અશાશ્વત? ત્યારે તે જમાલિ અનગાર મૌન ધારણ કરી ચૂપચાપ ઊભા રહ્યા. ત્યારે પરમાત્મા કહે છે કે હે જમાલિ! ઘણા નિગ્રંથ શિષ્યો છદ્મસ્થ છે તેઓ આ પ્રશ્નનો ઉત્તર આપવા સમર્થ છે પરંતુ તેઓ ‘હું સર્વજ્ઞ છું’ એવું બોલતા નથી. હે જમાલિ! લોક શાશ્વત છે. એમ પરમાત્મા તેને સમજાવે છે. પરંતુ જમાલિ ભગવંત મહાવીરની આજ્ઞાનું ઉલ્લંઘન કરી બહાર નીકળી ગયા અને મિથ્યાજ્ઞાનવાળા તે અર્ધમાસિક સંલેખના વડે અનશન કરી કાળ કરી લાન્તક દેવલોકને વિષે તેર સાગરોપમની સ્થિતિવાળા ફિલ્ટિષિક દેવોમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભવો કરીને સિધ્ધ થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
૫
આજીવક તીર્થકર ગોશાલક કથાનકઃ
તે કાળે તે સમયે શ્રાવસ્તી નગરી હતી જેમાં હાલાહલા નામની આજીવિક કુંભારણ રહેતી હતી. તેણે આજીવક સિધ્ધાંતનો અર્થ સમજ્યો હતો. તે એ મતને માનનારી હતી.
તે સમયે ચોવીશ વર્ષના દીક્ષા પર્યાયવાળો ગોશાલ મંખલિપુત્ર હાલાહલા કુંભારણની હાટમાં આજીવિક સંઘથી ઘેરાયેલો, આજીવિક સિધ્ધાંત અનુસાર પોતાના આત્માને ભાવિત કરતો વિહરી રહ્યો હતો. ત્યારે તેની પાસે અન્ય કોઇ સમયે છ દિશાચરો આવી ચડ્યા. તેઓએ આઠ પ્રકારના પૂર્વગત (નિમિત્તો) અને (નવમ)દશમ માર્ગ (ગીતનૃત્ય)ની પોતાની મતિ પ્રમાણે નિરૂપણા કરી ગોશાલ મંખલિપુત્રને શીખવ્યા. તે શીખીને ગોશાલો ‘હું સર્વજ્ઞ છું' એમ કહેતો ફરવા લાગ્યો. ત્યારે ગૌતમ સ્વામી પ્રભુ મહાવીરને આ અંગે પ્રશ્ન કરે છે અને મહાવીર દ્વારા ગોશાલચરિત્રનો પૂર્વભાગનું વર્ણન કરાયું છે.
આ ગોશાલક મંખલિપુત્રનો મંખલિ નામે મંખ જાતિનો પિતા હતો. મંખલિને ભદ્રા નામની પત્ની હતી. તેનાથી તેને ગોશાલ નામનો પુત્ર થાય છે. ગોશાલક
330
Page #355
--------------------------------------------------------------------------
________________
સમજણવાળો થતાં પોતાનું સ્વતંત્ર ચિત્રફલક તૈયાર કર્યું અને ચિત્રફલક હાથમાં રાખી મંખરૂપે પોતાને ઓળખાવતો તે ફરવા લાગ્યો. એકવાર ભગવાન મહાવીર નાલંદાની વણકર શાળામાં આવે છે ત્યારે ગોશાલક પણ ત્યાં આવે છે. ત્યાં ભગવાનના પ્રથમ માસક્ષમણના પારણે પંચ દિવ્ય પ્રગટ થયા. ત્યારે ગોશાલક પ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે-હે ભંતે! તમે મારા ધર્મચાર્ય હું તમારો-અંતેવાસી. આ સાંભળી પ્રભુ મૌન રહ્યા.
ત્યારબાદ ભગવાનના બીજા, ત્રીજા, ચોથા માસક્ષમણમાં પણ પંચ દિવ્ય થાય છે. ફરીવાર ગોપાલક શિષ્યત્વની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન અનુમતિ આપતા નથી. હવે એકવાર વિહાર કરતા તલછોડ ફળવા વિશે ભગવાનના વચનમાં ગોશાલકને અશ્રધ્ધા થાય છે. તેણે તે તલછોડ ઉખેડીને ફેંકી દીધો છતાં તે તલના છોડમાં એક સીંગમાં સાત તલ ઉત્પન્ન થયા.
એક વાર કૂર્મગ્રામ નગરમાં વૈશ્યાયન નામનો બાલ તપસ્વી છઠ્ઠ છઠ્ઠના તપ કરી સૂર્યની આતાપના લઈ વિચારી રહ્યો હતો ત્યારે ગોશાલક તે બાલ તપસ્વી પાસે જઈને કહેવા લાગ્યો કે શું તમે મુનિ છો, પાગલ છો કે જૂના આશ્રયદાતા છો? આવું બે ત્રણ વાર પૂછતા વૈશ્યાયને શરીરમાંથી તેજોલેશ્યા બહાર કાઢ્યું. ત્યારે ભગવાન મહાવીરે ગોશાલકના રક્ષણ માટે શીત લેશ્યાનો પ્રયોગ કર્યો. ત્યારબાદ ગોશાલક ભગવાન મહાવીર પાસે તેજોવેશ્યા શીખે છે. અને પરમાત્માથી છૂટો પડી વિચરે છે. બધે તે પોતે જિન છે અને મહાવીર મિથ્યા છે એમ કહેતો ફરે છે. ગોશાલક ભગવાન પર આક્રોશ કરે છે. પ્રભુ માટેના અનુરાગથી સર્વાનુભૂતિથી ગોશાલકનું વચન સહન ન થતા વચ્ચે બોલે છે અને ગોશાલક તેના ઉપર ગુસ્સે થઇ તેને ભસ્મ કરે છે. અને પાછો ભગવાનની નિંદા કરે છે. ભગવાન ગોશાલકને શીખામણ આપે છે. ત્યારે તે ભગવાન ઉપર તેજોવેશ્યા છોડે છે. એ તેજલેશ્યા પરમાત્માને પ્રદક્ષિણા ફરી પાછી ગોશાલકના શરીરમાં પ્રવેશી.
ગોશાલક ભગવંતને કહેવા લાગ્યો જે છ માસના અંતે પિત્તજ્વરથી વ્યાપ્ત શરીરવાળા, દાહથી પીડાતા મૃત્યુ પામશો. ત્યારે ભગવાન મહાવીર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, “હે ગોશાલક! તારા તપના તેજથી આક્રત થઈને હું છ મહિનાની અંદર કાળ નહિ કરું, હું બીજા સોળ વર્ષ સુધી જિનરૂપે સુખપૂર્વક વિહાર કરીશ, પણ તું તારા પોતાના તેજથી આક્રાંત થઈને સાત રાતની અંદર જ શરીરમાં પિત્તજવર પેદા થતાં યાવત્ છઘાવસ્થામાં જ કાળ કરીશ.'
આમ, ગોશાલક જે કામ માટે આવ્યો હતો તે ન સધાતા નિ:શાસો નાંખતો ચાલી નીકળ્યો. તેના સંઘમા પણ ભેદ પડતા કેટલાક શ્રમણ ભગવાન મહાવીર પાસે
331
Page #356
--------------------------------------------------------------------------
________________
આવ્યા. આ બાજુ ગોશાલો પોતાનો દાહ મટાડવા મદ્યપાન આદિનું સેવન કરે છે. અને સાત રાત્રિ પૂર્ણ થતાં કાળ પામ્યો. સિંહ અનગારને ભગવાનને થયેલા ઉપસર્ગથી ખૂબ દુ:ખ થાય છે ત્યારે પ્રભુ તેને આશ્ર્વાસન આપે છે. પ્રભુ રેવતી પાસેથી ઔષધ લેવા સિંહ અણગારને મોકલે છે અને એ લેતા પ્રભુ નિરોગી થાય છે.
ગોશાલકનો જીવ મૃત્યુ પામી અય્યત કલ્પમાં દેવતારૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી મહાપ રાજારૂપે જન્મ લેશે. તેનું નામ વિમલવાહન પડશે. વિમલવાહન નિગ્રંથો પ્રતિ પ્રતિકૂળ આચરણ કરશે. ત્યાંથી મૃત્યુ પામી મત્સ્યોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી તે શસ્ત્ર દ્વારા વધ કરાતાં દાહની પીડા ભોગવીને મૃત્યુ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી અનેક ભવો કરી દેઢ પ્રતિજ્ઞ કેવલીના રૂપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. જ્યાં પોતાના પૂર્વ ભવોનું વર્ણન કરતા અનેક જીવો આ સાંભળીને, સમજીને, ડરેલા, સંસારના ભયથી વ્યાકુળ બનેલા દઢપ્રતિજ્ઞને વંદન કરીને નમન કરશે, આલોચના કરશે. ત્યાં અનેક વર્ષો સુધી કેવલી-પર્યાય પાળી આયુષ્ય પૂર્ણ થતાં ભોજનનો ત્યાગ કરી સર્વ દુઃખોનો અંત કરશે.'
રાજર્ષિ પ્રસન્નચંદ્ર રાજર્ષિ પ્રસન્નચંદ્રને માત્ર એક જ પુત્ર હતો. એકનો એક પુત્ર બાલ્યાવસ્થાવાળો હોવા છતાં, સ્થિર વૈરાગ્યવાળા શ્રી પ્રસન્નચંદ્ર રાજાએ પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કરી દીધો. અને પોતે શ્રી મહાવીર પરમાત્માની પાસે દીક્ષા લઇ લીધી. દીક્ષા બાદ તેમણે ઉગ્ર તપનો આદર કર્યો હતો. પોતાના કઠિન એવા પણ કર્મોની નિર્જરાને સાધવામાં જ એ એકતાન બની ગયા હતા. એમનો વૈરાગ્ય કાચો નહિ પણ ઉત્કૃષ્ટ કોટિનો હોવા છતાં પણ એક નિમિત્તને પામી એ રાજર્ષિ મહા દુર્ગાને ચડી ગયા. પરંતુ અનિવેષ એમને માટે ગજબનો મદદગાર નીવડ્યો.
એકવાર રાજર્ષિ સૂર્યની આતાપનાને સહતા ધ્યાનસ્થ બન્યા છે ત્યારે ત્યાંથી બે ઘોડે સ્વારો ચાલી રહ્યા હતા. એક ઘોડેસ્વારે મુનિની અનુમોદના કરી પણ બીજા ઘોડે સ્વારે કહ્યું કે, “આ તો રાજા પ્રસન્નચંદ્ર છે. જેમણે પોતાના બાલવયસ્ક પુત્રને રાજગાદી પર સ્થાપી દીક્ષા લઈ લીધી છે પરંતુ મંત્રીઓ બાળ રાજાને મારી નાંખશે.”
આ વાકય સાંભળતા જ પ્રસન્નચંદ્રના મનમાં યુધ્ધ ચાલુ થયું. તે દુષ્ટ ધ્યાન ઉપર આરૂઢ થયા. તેમણે તો જાણે મંત્રીઓ તેમની સામે જ રૂબરૂમાં હોય તેમ મનમાં ને મનમાં યુધ્ધ કરવા માંડ્યું. તલવારના ઘાથી તે રાજર્ષિએ મંત્રીઓના ટુકડે ટુકડા કરી નાખવા માંડ્યા. એમ કરતાં કરતાં પોતાના શસ્ત્રો ખૂટી ગયા એટલે પોતાના માથા ઉપર રહેલા ટોપથી પણ બાકીના મંત્રીઓને મારી નાંખવાનો તેમણે વિચાર કર્યો. એ
332
Page #357
--------------------------------------------------------------------------
________________
વિચારથી ટોપ લેવાને માટે તેમણે જેવો હાથ નાંખ્યો, કે તરત જ પોતાનું ચારિત્ર યાદ આવ્યું.
એમ ચારિત્ર યાદ આવતાની સાથે જ, રાજર્ષિએ વિચાર્યું કે “રોદ્ર ધ્યાનનો અનુબંધ કરનાર મને ધિક્કાર હો, મેં તો બધાય પ્રકારની મમતાનો ત્યાગ કરેલો છે. એટલે મારે પુત્રની સાથે પણ કાંઈ નિસ્બત નથી. અને મંત્રીઓની સાથે પણ કાંઈ નિસ્બત નથી.” આ પ્રમાણે વિચારતાં, વિચારતાં તેમણે પોતાના ઉપર જામી જવા પામેલી મોહની સત્તાને ફગાવી દીધી. તેમણે પોતાના આત્માને પુનઃ વિવેકમાં સ્થાપિત કરી દીધો. પોતાનાથી થઇ ગયેલા પાપથી પ્રતિક્રમવાની ક્રિયાને શરૂ કરી દીધી. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જાણે કે પોતાની આંખ સામે જ છે- એવી કલ્પના કરી લીધી. ભગવાનને ભક્તિપૂર્ણ હૃદયે વંદન કર્યું. અને પ્રશસ્ત ધ્યાનારૂઢ બની ગયા. એ ધ્યાનમાં વધતે,એ રાજર્ષિએ કેવળજ્ઞાનને ઉપાજર્યુ.
આમ અંતમુહૂર્તમાં સાતમી નરકના બદલે કેવળજ્ઞાનને ઉપાજ. આમાં નિમિત્ત મુનિવેષ બન્યો હતો. ધન્ય હો આવા મુનિને!
શ્રી નંદિષેણ મુનિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યારે આ પૃથ્વી તલને પાવન કરતા રાજગૃહી નગરીમાં પધાર્યા ત્યારે તેમની અમીસમી મીઠી વાણી શ્રવણ કરવા નગરની જનતા ટોળે વળી ઉમટી હતી. મગધાધિપતિ રાજા શ્રેણિક પણ પોતાના વિશાળ પરિવાર સાથે આવ્યા હતા, પ્રભુની એક એક દેશનામાં કેક આત્માઓ ભવસાગર તરી જતા હતા. રાજપુત્ર નંદિષેણ પણ પ્રભુની મધુરી વાણી સાંભળી વેરાગી બન્યો અને દીક્ષા લેવા તૈયાર થયો. શાસન દેવીએ ના પાડી કે દીક્ષા ના લેશો કારણ કે તમારું ભોગાવલી કર્મ હજી બાકી છે. પણ રણે ચઢ્યો લડવૈયો જેમ પાછો ન ફરે તેમ વૈરાગી બનેલા નંદિષેણે પણ આ વાત ધ્યાનમાં લીધી નહિ અને ખુદ ભગવાન મહાવીરના વરદહસ્તે દીક્ષા અંગીકાર કરી એમના શિષ્ય બન્યા. દીક્ષા લીધા પછી તેમણે ઉગ્ર તપશ્ચર્યા આદરી એટલું જ નહિ પણ કાયાની માયાને તિલાંજલી આપવા એમણે પહાડ જેવા નિર્જન પ્રદેશમાં વિહરવા માંડ્યું. તેઓ આત્મ સાધનામાં લીન બન્યા, આમ છતાં એમનું મન કાબૂમાં નહોતું આવતું. છેલ્લે તેમણે આપઘાત કરવાનો વિચાર કર્યો, પણ પાછો વિચાર ફર્યો, અને તેઓ એકદા છઠના પારણે નગરીમાં વહોરવા પધાર્યા, એક ઉંચો પ્રાસાદ નિહાળી તેમણે ધર્મલાભ આપી પ્રવેશ કર્યો, પણ સામો અવાજ અથડાયો કે અહીં તો અર્થ લાભની જરૂર છે, ધર્મલાભની જરૂર
333
Page #358
--------------------------------------------------------------------------
________________
નથી. મુનિ પણ મહાસમર્થ હતા, લબ્ધિધારી હતા અને તેમણે પોતાની શકિતનો પરચો આપ્યો, તરણાના ટૂકડા કર્યા અને સાડા બાર કોડ સોનૈયાનો વરસાદ થયો. આ પ્રાસાદ હતો એક નિપુણ વેશ્યાનો, વેશ્યા તો આ જોતાંજ દિલ્ગ બની ગઈ, મુનિશ્રી તો ધર્મલાભ આપી ચાલવા માંડ્યા, ત્યાં તો વેશ્યા ઉંબરામાં આડી ઉભી રહી અને બે કર જોડી વિનવવા લાગી કે મહારાજ! આ ધન મારે કામ નહિ આવે ગાડાઊંટ ભરી, થેલા ભરી આપ લઈ જાવો. કાં આપ અહીં રહી જાઓ.
વેશ્યા પછી પૂછવું જ શું? એને તો હાવ ભાવ અને ચાળા ચસ્કા દ્વારા મુનિનું મન આકર્ષી લીધું. અને મુનિ નંદિષણ ઓઘો અને મુહપત્તિ ખીંટીએ લટકાવી વેશ્યાના આવાસમાં વસવા લાગ્યા. ભોગાવલી કર્મ ઉદયમાં આવ્યું. ભોગ ભોગવવા છતાં, જળમાં કમળ જેમ નિર્લેપ રહે એમ અંતથી તેઓ ચારા હતા. એમની એ પ્રતિજ્ઞા હતી કે રોજ દસ જણને પ્રતિબોધ કરી પછી જ ભોજન લેવું. આ ક્રમ વર્ષ-બે વરસ નહિ પણ, લાગ લાગઢ ૧૨ વર્ષ ચાલુ રહ્યો. એક દિવસ નવ જણા પ્રતિબોધ પામ્યા પણ દસમો કેમેય સમજતો નહોતો, એ હતો સોનાર.
ભોજનનો સમય થતાં વેશ્યા વિનંતી કરે છે પધારો સ્વામીનાથ! ભોજન આરોગવા પધારો. આ દશમો તો મહાકામી છે. બુઝે એવો નથી. અને બોલતા બોલાઈ ગયું. કે “આજે દસમા તમે જ સહી'' નંદિષણનો આત્મા ફકત વેશ્યાના આટલા શબ્દથી જાગી ઉઠ્યો અને ઓઘો અને મુહપત્તિ લઈ તેઓ પુનઃસદગુરુના સમીપે આવ્યા. હદયના પારાવાર પશ્ચાત્તાપ પૂર્વક-વૈરાગવાસિત ભાવનાથી પુન તેમણે સંયમ અંગીકાર કર્યું અને તેઓ તપ-૫, ક્રિયાકાંડ, જ્ઞાન-ધ્યાન દ્વારા પાપને પખાળવા લાગ્યા અંતે કાળ કરી સ્વર્ગલોકમાં સીધાવ્યા. મુનિ નંદિષણની આ કથા આપણને અનેરી પ્રેરણા આપે છે.
શ્રી અભયકુમાર શ્રી અભયકુમાર પોતે ધર્માસક્ત રહ્યા છતાંય, તેમના પિતાશ્રી શ્રેણિક મહારાજાનું રાજ્ય ચલાવતા હતા. તેમના હૈયે સંસારના સુખની, રાજ્યની સ્પૃહા ન હતી, પણ મોક્ષની સ્પૃહા હતી અને એ માટે ધર્મની સ્પૃહા હતી.
આથી જ, એક વાર જ્યારે શ્રી શ્રેણિક મહારાજાએ શ્રી અભયકુમારને કહ્યું કેવત્સ! હવે તો તું જ આ રાજ્યનો સ્વીકાર કર, કે જેથી હું ભગવાન શ્રી મહાવીર પરમાત્માની સેવાના સુખનો રોજ આશ્રય કરી શકું!'' ત્યારે શ્રી અભયકુમારે કહ્યું કેઆપ જે આજ્ઞા કરો છો તે ઘટિત છે, પરંતુ તેને માટે થોડીક રાહ જુઓ!”
શ્રી અભયકુમારે આવું એટલા માટે નથી કહ્યું કે-તક જોઈને રાજગાદીએ બેસવું!
334
Page #359
--------------------------------------------------------------------------
________________
શ્રી અભયકુમાર પિતાની આજ્ઞાના ભંગથી પણ ડરનારા હતા અને સંસારથી પણ ડરનારા હતા. પિતાની આજ્ઞાનો ભંગ કરવો પડે નહિ અને પોતાના સંસારને છેદવાની પોતાની ભાવના સફળ નિવડે, એવી શ્રી અભયકુમારની ઇચ્છા હતી. આટલા માટે જ, તેમણે પોતાના પિતાને થોડીક રાહ જોવાની વિનંતિ કરી હતી. પોતાના સંસારને છેદવાની પોતાની જે ભાવના, તેને જો રાજ્યનો સ્વીકાર કરવાથી બાધ પહોંચે તેમ હોય, એટલે કે- આ જીવનમાં તેમને સાધુપણાને સ્વીકારીને મોક્ષમાર્ગની એકાન્તે આરાધના કરવાની જે ભાવના હતી, તે ભાવના જો રાજા બનવાના કારણે સફળ નિવડે તેમ ન હોય તો તેમને રાજા થયું જ નહોતું! પિતાની આજ્ઞા ખાતરેય રાજા થઇને તેમને પોતાની સાધુજીવનને જીવવાની ભાવવાને જતી કરવી નહોતી! જો પિતાની આજ્ઞા પણ પળાય અને સાધુજીવનને જીવવાની પોતાની ભાવના પણ ફળે, એ બન્ને શક્ય હોય તો પિતાની આજ્ઞાના પાલન ખાતર તેમને રાજા બનવામાં વાંધો ન હતો, પણ પિતાની આજ્ઞાને પાળતાં જો પોતાની સાધુજીવનની ભાવના નિષ્ફળ નિવડે તેમ હોય, તો એ માટે શ્રી અભયકુમારે શ્રી શ્રેણિકને જે રાહ જોવાનું કહ્યું તે એ કારણથી જ કહ્યું.
શ્રાવકને સર્વ ભાવનાઓમાં પ્રધાન ભાવના સાધુજીવનને પામવાની હોવી જોઇએઃ
શ્રી અભયકુમારની આ મનોવૃત્તિ સમજાય છે? સુશ્રાવકોની મનોવૃત્તિ કેવા પ્રકારની હોય, તેનું શ્રી અભયકુમારના આ પ્રસંગમાં સુન્દર દર્શન છે. શ્રાવક માતાપિતાની આજ્ઞાને અવગણનારો ન હોય; શ્રાવક જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી માતા-પિતાની આજ્ઞાનો અમલ કરવાની જ વૃત્તિવાળો હોય; પોતાના પૌદ્ગલિક સુખનો અનાદર કરીને પણ શ્રાવક માતા-પિતાની આજ્ઞાનો આદર કરે. આવો પણ શ્રાવક, જ્યારે માતા-પિતાની અમુક આજ્ઞાનો અમલ કરવાના કારણે, પોતાની સાધુજીવનને જીવવાની ભાવનાને બાધ પહોંચે તેમ છે-એમ સમજી જાય, ત્યારે એ કરે શું? માતા-પિતાની આજ્ઞાના પાલનને ગૌણ બનાવે કે સાધુજીવનને જીવવાની પોતાની ભાવનાને ગૌણ બનાવે? એવા સમયે તો જે શ્રાવક, માતા-પિતાની આજ્ઞાના પાલનને ગૌણ પદ આપીને પણ સાધુજીવનને જીવવાની પોતાની ભાવનાને પ્રધાન પદ આપે, તે જ શાણો શ્રાવક કહેવાય. પણ આજે તો, સાધુજીવનને જીવવાની ભાવનાનાં જ ફાં-ફાં છે ને? આજે જેટલા શ્રાવકો ગણાય છે, આગેવાન શ્રાવકો ગણાય છે અથવા તો ધર્મી તરીકેની જેઓની ખ્યાતિ છે, તેઓમાં પણ સાધુજીવનને પામવાની ભાવના અન્ય સર્વ ભાવનાઓ કરતાં પ્રબળ હોય, એ એમ ને એમ માની લેવાય એવું છે ખરૂં? અન્ય સર્વ ભાવનાઓથી પ્રબળ ભાવના સાધુજીવનને પામવાની હોય, એવા સુશ્રાવકો પણ નથી જ-એમ નહિ; એવા ભાગ્યશાળીઓ ચ છે; પરન્તુ શ્રાવકસમાજના મોટા ભાગમાં જો અન્ય સર્વ
335
Page #360
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓથી પ્રબળ ભાવના સાધુજીવનને પામવાની હોત, તો આજે પણ ભગવાનનું શાસન કોઇ અજબ પ્રકારના પ્રભાવનો પ્રસાર કરનારૂં બનેલું હોત. ઘણો ભાગ જો એવો હોત, તો ચતુર્વિઘ શ્રીસંઘની જાહોજલાલી કોઇ જાદી જ જોવાને
મળત.
આ પ્રસંગ લેવાનો હેતુઃ
શ્રી અભયકુમારના આ પ્રસંગને આપણે એટલા માટે પહેલાં લીધો છે કે-શ્રી અભયકુમારે દીક્ષા લીધા બાદ જે પરિસ્થિતિ ઉપસ્થિત થવા પામી, તે પરિસ્થિતિમાંથી શ્રી હલ્લ વિહલ્લને સેચનક હાથી મળવાનો પ્રસંગ બન્યો છે. સેચનક હાથીને મહારાજા શ્રી શ્રેણિકે પોતાનો પટ્ટહસ્તિ જ બનાવ્યો હતો. પણ સંયોગો એવા ઉભા થયા કે-એમણે તે હાથી હલ્લ-વિહલ્લને આપી દીધો. એ વાત ઉપર આવવાને માટે જ આ વાત છે.
‘રાજ્ય લેવું કે નહિ?’ એનો ભગવાનને પૂછીને નિર્ણય કરવાનો વિચારઃ
હવે શ્રી અભયકુમારે કર્યું શું? તે સમયે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વિચરતા હતા. એટલે શ્રી અભયકુમારે ભગવાનને પૂછીને જ, ‘પિતાની આજ્ઞા ખાતર પણ રાજ્ય લેવું કે નહિ?’-એનો નિર્ણય કરવાનો વિચાર રાખ્યો.
આથી એમ સમજતા નહિ કે-ભગવાન કહે તો રાજ્ય લેવું, એવો શ્રી અભયકુમારને વિચાર હતો !
ભગવાન તે વળી રાજ્યને ગ્રહણ કરવાનું કહેતા હશે? ભગવાન રાજ્યને લેવાનું કહે કે રાજ્યને પણ છોડવાનું કહે? મહારાજા શ્રી ભરત જેવા પણ સમજે કે- એટલે કે-‘રાખ્યું મવતરોર્લીન’-‘રાજ્ય સંસાર રૂપી વૃક્ષનું બીજ છે’ અને ભગવાન એવા રાજ્યને લેવાનું કહે, એ બને? ભગવાનની વાત તો દૂર રહી, પણ સાધુ ય રાજ્યને ગ્રહણ કરવાનું કહે નહિ. સંસારની કોઇ પણ ક્રિયામાં જો કોઇ પણ સાધુ ભૂલથી પણ અનુમતિ આપી દે, તો તે સાધુ પાપથી લેપાય.
તો પછી, શ્રી અભયકુમાર જેવા સમજી અને શ્રદ્ધાળુએ, ભગવાનને પૂછીને જ ‘પિતાની આજ્ઞા ખાતર પણ રાજ્ય લેવું કે નહિ?-એનો નિર્ણય કરવાનો વિચાર રાખ્યો, તેનું કારણ શું?’
એ કારણને જાણવાને માટે, શ્રી અભયકુમારે ભગવાનને શું પૂછ્યું છે, એ જ ખાસ જાણવા જેવું છે. પ્રશ્ન, ડહાપણભર્યો કહેવાય, ભગવાન ઉત્તર દીધા વિના ન રહે અને શ્રી અભયકુમારનો પોતાનો હેતુ પણ સરે, એવી રીતિએ શ્રી અભયકુમારે
336
Page #361
--------------------------------------------------------------------------
________________
ભગવાનને પૂછયું છે.
શ્રી અભયકુમારે ભગવાનને એ જ માત્ર પૂછયું કે- હે ભગવન્! આપના શાસનમાં અન્તિમ રાજર્ષિ કોણ થશે ?'
એના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-“રાજા ઉદયન.” શ્રી અભયકુમારે એ પણ જાણી લીધું કે અત્યારે રાજા દીક્ષિત થઈ ચૂકેલા છે. પોતાને નિર્ણય કરવાને માટે, શ્રી અભયકુમારને પણ આટલું જ જાણવું હતું. દીક્ષા લેવાને માટેની આજ્ઞાની માગણી:
ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસેથી આવીને, પોતાના પિતા શ્રી શ્રેણિક મહારાજાને શ્રી અભયકુમારે કહ્યું કે-હે પિતાજી! આપ ફરમાવો છો તેમ જો હું રાજા થઈશ, તો પછી મારાથી મુનિ થવાશે નહિઃ કારણ કે-શ્રી ઉદયન રાજા એ અન્તિમ રાજર્ષિ છે-એમ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું છે. આપ વિચાર કરો કે-હું જો શ્રી મહાવીર પરમાત્મા જેવા સ્વામીને પામીને અને આપના જેવાના પુત્રપણાને પામીને પણ, મારા ભવ રૂપ દુ:ખનો છેદ કરી શકું નહિ, તો મારા જેવો અધમ બીજો કયો પુરૂષ ગણાય?”
વળી શ્રી અભયકુમારે કહ્યું કે- પિતાજી! હું નામથી તો અભય છું, પરંતુ ભવ રૂપ ભયથી તો હું સભય જ છું; માટે આપ જો આજ્ઞા આપો, તો હું ત્રણેય ભુવનના જીવોને અભયનું દાન કરનારા એવા ભગવાન શ્રી વીર પ્રભુનો આશ્રય કરૂં! રાજ્ય તો અભિમાન રૂપ સુખના હેતુભૂત છે. મારે એવું રાજ્ય જોઇતું નથી, કારણકે-સંતોષ એ જ શ્રેષ્ઠ સુખ છે, એમ મહર્ષિઓનું કહેવું છે. ”
શ્રી અભયકુમારના અન્તઃકરણમાં સાધુજીવનને જીવવાની ભાવના કેટલી બધી પ્રબળ હતી, એનો ખ્યાલ આવ્યોને? એટલે એમણે પોતાની ઈચ્છા કેવી સુન્દર રીતિએ વ્યકત કરી? પિતાની આજ્ઞાનો અનાદર કરવા જેવું પણ થાય નહિ અને પોતાની ભાવના પણ બર આવે, એવા પ્રકારે વાત મૂકી છે ને? એ રાજ્યને અભિમાન રૂપ સુખના હેતુભૂત માનતા હતા, એટલે કે-વિષય અને કષાય રૂપ સુખના હેતુભૂત માનતા હતા તેમ જ એવા સુખનો. ત્યાગ કરવામાં જ સાચું સુખ છે, એમ માનતા હતા. રાજ્યના સુખ સંબંધી તેમની આ માન્યતા, તમને ગમી તો ખરી ને? મોહના જોર સામે ધર્મરાગનું જોર ફાવ્યું:
મહારાજા શ્રી શ્રેણિકે જ્યારે જોયું કે-શ્રી અભયકુમાર રાજ્યને સ્વીકારવાને માટે કોઈ પણ રીતિએ રાજી થાય તેમ નથી, ત્યારે તેમણે પણ પોતાની ઈચ્છાને ગૌણ
337
Page #362
--------------------------------------------------------------------------
________________
બનાવી દઇને, શ્રી અભયકુમારની સાધુજીવનને જીવવાની ઇચ્છાને પ્રધાન બનાવી દીધી. મહારાજા શ્રી શ્રેણિકે, શ્રી અભયકુમારને દીક્ષા ગ્રહણ કરવાની રજા આનન્દપૂર્વક આપી. મહારાજા શ્રી શ્રેણિકને શ્રી અભયકુમાર પ્રત્યે જેવો તેવો રાગ નહિ હતો. શ્રી અભયકુમારે મહારાજા શ્રી શ્રેણિકનાં અંગત તેમજ રાજ્ય સંબંધી કેટલાક કાર્યો તો એવાં કરી આપ્યાં હતાં કે-બીજો કોઇ જ એમનાં એ કાર્યોને કરી આપી શકે નહિ; અને જો એ કાર્યો થાય નહિ, તો એથી મહારાજા શ્રી શ્રેણિકના મનદુઃખાદિનો પાર પણ રહે નહિ, એવાં એ કાર્યો હતો. શ્રી અભયકુમાર જેમ અજબ પિતૃભક્ત હતા. તેમ બુદ્ધિશાળીઓમાં પણ અજોડ હતા. આવા પુત્રને દીક્ષા લેવાની આજ્ઞા આનન્દ પૂર્વક આપવી, એ શું રમત વાત છે? મોહના જોર સામે ધર્મરાગનું જોર જ્યારે ફાવે, ત્યારે જ આ બને ને? મહારાજા શ્રી શ્રેણિકે પોતાનું પિતા તરીકેનું કર્તવ્ય પાળવામાં કચાશ નથી રાખી, શ્રી અભયકુમારના ઉભય લોકના હિતની ચિન્તા તેમણે કરી છે. જો તે સંસારમાં રહે, તો તેમને રાજ્ય આપવાની ઇચ્છા હતી અને જો તેમને સંસારમાં ન જ રહેવું હોય તો, તેમને દીક્ષા પણ હર્ષથી જ અપાવવી હતી. પિતા બનેલાઓએ, આ વાત ધ્યાનમાં લેવા જેવી છે ને? તમારામાંના ઘણા પિતા તો છે જ, પણ પિતા તરીકેના પોતાના કર્તવ્યનો વિચાર કરનારા કેટલા છે? તમારાં સંતાનો જો ભવભયથી ભયભીત બનીને સંસારને તજવાને તૈયાર થાય, તો તમે બધા એમાં રાજી તો ખરા
પુત્રની ને માતાની દીક્ષા:
મહારાજા શ્રી શ્રેણિકની આજ્ઞા મળતાં. શ્રી અભયકુમારે, ભગવાનની પાસે ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી. શ્રી અભયકુમારની પાછળ, શ્રી અભયકુમારની માતા શ્રીમતી નન્દાએ પણ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી."
શ્રી સુદર્શન કામ વિજેતા બનવું હોય, તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગનું આલંબન ગ્રહણ કરવું જોઇએ અને એ માર્ગની આરાધના કરવાના લક્ષ્યવાળા બનવું જોઇએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગની આરાધના કરવાને માટે પણ, કામવિજેતા બનવું એ આવશ્યક છે. કામથી જીતાએલો ભગવાને કહેલા માર્ગની આરાધનામાં લીન બની શકતો નથી. સઘળાંય, માનુષી અને દેવી ભોગસુખો તરફ ધૃણાભાવ પ્રગટે અને એક મોક્ષસુખની જ તાલાવેલી લાગે, તો જ ભગવાને કહેલા માર્ગની આરાધનામાં લીન બની શકાય છે. ભગવાને કહેલા માર્ગની આરાધના કરવાના અભિલાષી ગૃહસ્થો પણ, ધારે તો કામવિજેતા બની શકે છે. સ્વ
338.
Page #363
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીની સાથે ભોગને ભોગવવા છતાં પણ, જો ભોગસુખ તરફ ધૃણા હોય છે, તો તેઓ પરસ્ત્રી તરફ નજર પણ કરતા નથી. ગૃહસ્થોને માટે, એ પણ કામનો વિજય જ છે. એવાઓ સ્વસ્ત્રીમાં પણ ભોગવ્યાકુળ બનનારા હોતા નથી. ભોગસુખની લાલસાએ આપણી કેટલી બધી પાયમાલી કરી નાખી છે, એ વાતને તમે સમજો અને વિચારો. ભોગસુખની લાલસા જ માણસને પાપી બનાવે છે. એના તરફ ધુણાભાવ જન્મ અને મોક્ષસુખની લાલસા પ્રગટે, તો દુ:ખો ભાગવા માંડે અને સુખો સર્જાવા માંડે. જે ગૃહસ્થો ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મને પામે છે, તેઓને માટે કામનો વિજય એ બહુ સામાન્ય બની જાય છે. ચારિત્રમોહના બળવાન ઉદયની વાત જુદી છે, બાકી તો વખતે ય હેયે જો ભગવાને કહેલો ધર્મ વસેલો હોય છે, તો એ ભોગી પણ કામના કારણને ભેદતો હોય છે. સમ્યગ્દર્શન ગુણનો મહિમા અસાધારણ છે. - ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ધર્મને પામેલા ગૃહસ્થો પણ કેવા કામવિજેતા હોઈ શકે છે, એ માટે મહાનુભાવ શ્રી સુદર્શન શેઠનું ઉદાહરણ યાદ કરવા જેવું છે. શ્રી સુદર્શન, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મની શ્રદ્ધાવાળા હતા અને અણુવ્રતધારી પણ હતા. શ્રી સુદર્શન અણુવ્રતધારી હતા, એ સૂચવે છે કે-એમને ચારિત્રમોહનો ઉદય તો હતો જ, પણ તે ઉદય એવો બળવાન નહોતો કે- સર્વથા વિરતિને પામવા જ ન દે; આથી તેઓ સર્વવિરતિવાળા નહોતા બન્યા, પણ દેશવિરતિપણાને તેમણે સ્વીકાર્યું હતું.
શ્રી સુદર્શનને કપિલ નામનો એક પુરોહિત મિત્ર હતો. શ્રી સુદર્શનના ગુણો ઉપર એ આફીન હતો. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મને પામેલા પુણ્યવાનોમાં એવા ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય આદિ ગુણો હોય છે કે-ઇતરને એ ગુણો આકર્ષ્યા વિના રહે નહિ. ભગવાને કહેલા માર્ગની શ્રદ્ધા માત્રમાં પણ, આત્માના ઘણા ગુણોને પ્રગટ કરવાની તાકાત છે. ખરેખર, શ્રી સુદર્શન જ હતા; સુદર છે દર્શન જેમનું, એવા જ હતા.
આથી, તેમના અનેક ગુણોથી આકર્ષાએલો એમનો પુરોહિતમિત્ર, રોજ પોતાની પત્નીની પાસે શ્રી સુદર્શનનાં વખાણ કરતો હતો. જ્યારે જ્યારે એ કપિલ પુરોહિત ઘેર મોડા આવતો, ત્યારે તેની કપિલા નામની પત્ની પૂછતી કે-“આપ અત્યાર સુધી કયાં હતા?” કપિલ કહેતો કે- હું મિત્ર સુદર્શનની સાથે ગોષ્ઠી કરવામાં રોકાયો હતો.” આમ કહીને તે શ્રી સુદર્શનના રૂપનું, શ્રી સુદર્શનની વાણીના માધુર્યનું, શ્રી સુદર્શનની બુદ્ધિમત્તાનું અને શ્રી સુદર્શનની સૌમ્ય પ્રકૃતિ આદિનું પ્રશંસાત્મક વર્ણન કરતો.
339
Page #364
--------------------------------------------------------------------------
________________
પોતાના પતિના મુખે શ્રી સુદર્શનની આવા પ્રકારની ખૂબ ખૂબ પ્રશંસાને સાંભળવાના પરિણામે, કપિલા શ્રી સુદર્શન પ્રત્યે અનુરાગવતી બની. કપિલાનો એ અનુરાગ ગુણાનુરાગ ન હતો, પરંતુ કામાનુરાગ હતો.
ખરેખર, સારી પણ વાણી પાત્રાનુસાર પરિણમે છે, એનું આ પણ એક જવલન્ત ઉદાહરણ છે. કપિલ જ્યારે શ્રી સુદર્શન પ્રત્યે ગુણાનુરાગથી આકર્ષાઇને ભક્તિમય પ્રીતિવાળો બન્યો હતો, ત્યારે કપિલા કામરાગથી શ્રી સુદર્શન પ્રત્યે પ્રીતિવાળી બની. શ્રી સુદર્શનના ગુણોની પ્રશંસાએ કપિલામાં કામરાગનું આકર્ષણ પેદા કર્યું, એમાં દોષ કોનો? જેનામાં ગુણાનુરાગ હોય, તેને ગુણસમ્પનની પ્રશંસા કરવાનું મન તો થાય જ. એ પ્રશંસાને સાંભળીને કોઈ અવળચંડી વૃત્તિવાળું બને, તો તેમાં પ્રશંસા કરનારો કરે શું?
આવો એક પ્રસંગ આર્ય વજસ્વામીજીના સંબંધમાં પણ બન્યો હતો. આર્ય વજસ્વામીજી જેમ અનેકાનેક ગુણોના ધામ હતા, તેમ રૂપ પણ તેમનું અદ્ભુત હતું. સાધ્વીઓ એ મહાપુરૂષના ગુણોની જેમ પ્રશંસા કરતી હતી, તેમ તેમના રૂપની પણ પ્રશંસા કરતી હતી, કેમ કે-એ મહાપુરૂષનું રૂપ પણ અનેક આત્માઓને ધર્મશાસન તરફ આકર્ષનારું નિવડતું હતું. અથવા તો કહો કે-સંયમી મહાપુરૂષોને સઘળું ય પ્રશંસનીય બની જાય છે. સાધ્વીઓ એ મહાપુરૂષના રૂપ અને ગુણ આદિની પ્રશંસા કરતી હતી, એટલે એ સાંભળીને એક શેઠની પુત્રીને, આર્ય વજસ્વામીજીને જ પરણવાનું મન થઈ ગયું. સાધ્વીઓ એ કન્યાને ઘણી સમજાવી, પણ એ કન્યા એકની બે થઈ નહિ. એણે તો હઠ જ લાધી કે-“પરણું તો શ્રી વજસ્વામીજીને જ પરણું.’ હવે આમાં સાધ્વીઓનો દોષ કઢાય?’ એવી પ્રશંસા કેમ કરી, કે જેથી શેઠની પુત્રીને આર્ય વજસ્વામી સાથે પરણવાનું મન થઈ ગયું?' એમ કહેવાય? ત્યારે “સાધ્વીઓએ મહાપુરૂષોના રૂપની પ્રશંસા નહિ જ કરવી જોઈએ”-એમ પણ કહેવાય? નહિ જ. સાધ્વીઓનો આશય શો હતો ? એ મહાપુરૂષ પોતાના રૂપથી પણ ઉપકાર કરી રહ્યા છે, એની અનુમોદના કરીને, સાંભળનારને એ મહાપુરૂષ પ્રત્યે ભક્તિવાળાં બનાવવાં, એ જ એ સાધ્વીઓનો આશય હતો. જો કે- પછી તો એ શેઠપુત્રી પણ આર્ય વજસ્વામીજીના સદુપદેશથી સદ્ધર્મને જ પામી છે; પણ એ પહેલાં તો એણે એના પિતાને, ઘણું ઘણું ધન લઇને આર્ય વજસ્વામી પાસે જઈ પરણવાની વિનંતિ કરવાની લાચાર હાલતમાં મૂકી દીધા હતા. એટલે, સારી પણ વાણી સારા પાત્ર રૂપ આત્માઓના હૈયામાં જ સારી અસરને નિપજાવનારી નિવડે છે.
કપિલા તો હવે શ્રી સુદર્શનનો સંગ સાધવાની તક શોધવા લાગી. એના પતિ કપિલને, કપિલાની આ કામવેદનાની ખબર નથી. આવા કુટીલ હૈયાની સ્ત્રીઓ તો
340
Page #365
--------------------------------------------------------------------------
________________
પ્રાયઃએવી કુશળ હોય છે કે-પતિને કદાચ પોતાની પત્ની મહાપતિવ્રતા છે એવું લાગ્યા કરે, એ તો કોઇ અવસરે એના પાપનો ઘડો ફુટે, ત્યારે, એનો અંધાપો ટળે તો
ટળે !
એક વાર કપિલને કોઇ ખાસ કામસર અચાનક બહારગામ જવાનું થયું. શ્રી સુદર્શનને મળીને પોતાના બહારગામ જવા વિષેની ખબર પણ આપી શક્યો નહિ.
કપિલ બહારગામ ગયો, એટલે કપિલાને થયું કે-ઘણા દિવસોથી હૈયામાં સમાવી રાખેલી અભિલાષાને પૂર્ણ કરવાનો આજે ઠીક જ અવસર આવી લાગ્યો છે. આજે સુદર્શનને અહીં લાવીને, એના સંગના રંગનો ઉમંગ માણું !’
આવો નિર્ણય કરીને, કપિલા તરત જ શ્રી સુદર્શનના ઘરે ગઇ અને શ્રી સુદર્શનને કહ્યું કે-‘આપના મિત્રને તાવ આવ્યો છે, તેથી આપને તે બોલાવે છે. આપને તેડવાને માટે જ હું આવી છું. આપ જરા પણ મોડું કરો નહિ, કારણકે- આપના વિના એમને એક ક્ષણ ચેન પડતું નથી.’
પોતાની પાપવાસનાને સફલ બનાવવાના હેતુથી કપિલા કેવું અસત્ય બોલે છે? એક પાપની વૃતિ અનેક પાપોની સર્જક બની જાય છે. પાપ કેવું ભૂંડું છે? એને સેવવાને માટે પણ અનેક પાપોનો આશ્રય લેવો પડે અને એમ અનેક પાપોનો આશ્રય લેવા છતાં પણ, જો પુણ્યનો યોગ ન હોય, તો ધાર્યું ધૂળમાં મળે; માટે પુણ્યનો યોગ હોય તો ધાર્યું થઇ જાય, પણ એ શું કહેવાય? જેની ખરી સહાય તેનો દ્રોહ અને તેના દુશ્મનનું પોષણ! પુણ્યની સહાયે પાપ આચરવું, એ શું છે? પુણ્યનો દોષ જ છે ને? અને પાપ એ પુણ્યનું દુશ્મન ગણાય. એટલે પાપરૂપ દુશ્મનનું પોષણ જ કર્યું ગણાય ને? પણ વિષયસુખોના ભોગવટામાં જ સુખની કલ્પના કરી બેઠેલાઓને તો, ગમે તેનો દ્રોહ કરવાનું પણ મન થાય, એમાં નવાઇ નથી.
શ્રી સુદર્શન તો, કપિલાએ કહેલી વાતને સાચી જ માની લે છે. તે કહે છે કે-‘મને આવી ખબર નહોતી' આમ કહીને શ્રી સુદર્શન તરત જ પોતાના સઘળા ય કાર્યને પડતું મૂકી દે છે અને પોતાના મિત્રને ઘરે આવે છે.
મિત્રની પાસે જવાને માટે શ્રી સુદર્શન કપિલના ઘરમાં પેસે છે. જ્યાં એ અંદરના ઓરડામાં આવે છે, કે તરત જ કપિલા ઘરનાં બારણાંને બંધ કરી દઇને, એ ઓરડામાં આવે છે. શ્રી સુદર્શન પોતાના મિત્ર વિષે પૂછે છે. ત્યારે કપિલા કહે છે કે-‘સ્વામિન્! ઘણાં કાળથી હું તમારા સંગને ઇચ્છી રહી હતી. આ શય્યા અને આ મારૂં શરીર આપને સ્વાધીન છે. મારી ઇચ્છાને પૂર્ણ કરો!’
શ્રી સુદર્શન કાંઇ બોલતા નથી. હાલતા નથી કે ચાલતા નથી. કેવા કપરા
341
Page #366
--------------------------------------------------------------------------
________________
સંયોગોમાં પોતે મૂકાઇ ગયા છે, એનો વિચાર કરે છે. કામને વિવશ બની ગયેલી કપિલાને આવી ચાચના કરતી જોઇને, શ્રી સુદર્શનને થાય છે કે-‘ભોગસુખની લાલસા કેવી ગજબની છે?’
શ્રી સુદર્શનને મૌન અને જડવત્ ઉભા રહેલા જોઇને, કપિલા, શ્રી સુદર્શનના શરીરને ભેટી પડે છે; પણ શ્રી સુદર્શનના હૈયામાં જરા પણ વિકાર પેદા થતો નથી.
શ્રી સુદર્શન તો અહીંથી છૂટવાનો ઉપાય જ અજમાવી રહ્યા છે. કપિલા પોતાના અંગને સંગ કરવા લાગી, એટલે નિર્વિકારપણે સુસ્થિર રહેલા શ્રી સુદર્શને કહ્યું કે-‘તને કોણે આવા ઉધા ચક્રાવે ચઢાવી દીધી? હું તો નપુંસક છું, પણ તારે આ વાત કોઇને ચ કહેવી નહિ.’
શ્રી સુદર્શનની વાતને સાંભળીને કપિલા તો ઠંડી જ પડી ગઇ. એકદમ ક્ષોભ પામી ગઇ. એણે માની લીધું કે-શ્રી સુદર્શન નપુંસક જ છે, કારણકે- એણે શ્રી સુદર્શનના અંગનો સ્પર્શ કરવા છતાં પણ, શ્રી સુદર્શન તદ્ન નિર્વિકાર ને નિશ્ચલ ઉભા રહ્યા હતા.
આથી તેણીએ પણ શ્રી સુદર્શનને કહ્યું કે-‘તમારે પણ મારા આ દુષ્કાર્યની વાત કોઇને ય કહેવી નહિ.'
આમ કહીને, હતાશ બની ગયેલી કપિલાએ, શ્રી સુદર્શનને પોતાના ઘરની બહાર કાઢ્યા અને શ્રી સુદર્શન પોતાના ઘર તરફ રવાના થયા.
વસ્તુત:શ્રી સુદર્શન કાંઇ નપુંસક જ નહોતા; પરસ્ત્રીને માટે જ એ નપુંસક હતા; અને એથી એમણે જે કહ્યું તે સાચું જ હતું. આમ છતાં પણ, એવા અવસરે આવું બોલવું એ માચા ગણાતી હોય, તો ચ વસ્તુતઃતે માયા નથી. સુવિહિત શિરોમણિ, પરમ ઉપકારી, આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે‘ધર્મે માયા, નો માયા’ એ સૂત્ર આવા પ્રસંગોમાં જ બંધબેસતું થાય છે.
આપણે તો વિચાર એ કરવાનો છે કે-એ કામોન્મત્ત બનીને ભોગની પ્રાર્થના કરતી કપિલા સમક્ષ શ્રી સુદર્શન નિર્વિકાર કેમ રહી શક્યા? વિકારને પેદા થવાને માટેનું એ નિમિત્ત કાંઇ જેવું-તેવું નહોતું. પણ ઉપાદાન કારણનો યોગ નહિ થવાથી જ, એ નિમિત્ત નિષ્ફલ નિવડ્યું. આવું નિમિત્ત કારણ મળવા છતાં પણ, ઉપાદાન કારણનો યોગ શાથી થયો નહિ? એથી જ કે- ભગવાને કહેલા માર્ગને શ્રી સુદર્શન ભૂલ્યા નહિ. એમની નજર ભગવાને કહેલા માર્ગની આરાધનાની સામે જ રહી. શ્રી સુદર્શન કાંઇ ત્યાગી નહોતા, ભોગી હતા; પરન્તુ ભોગી હોવા છતાંય શ્રી સુદર્શનનું લક્ષ્ય ત્યાગ તરફ જ હતું. ભોગોને ભોગવવા છતાં પણ, એમને ‘ભોગો ભોગવવા
342
Page #367
--------------------------------------------------------------------------
________________
જેવા નથી જ, પણ છોડવા જેવા જ છે” એમ લાગતું હતું. ભોગોને એ ભોગવતા હતા, તે રોગને જેમ ભોગવવો પડે તેમ ભોગવતા હતા, કારણ કે-એ સમ્યવ્રુષ્ટિ હતા. પ્રશ્નઃ સમ્યગ્દષ્ટિ પરસ્ત્રીને ભોગવે જ નહિ?
સમ્યગ્દર્શન એમ જ સૂચવે કે-ભોગ તજવા જેવા જ છે અને પરસ્ત્રી આદિની સાથેના ભોગ તો વિશેષે કરીને તજવા જેવા છે. સમ્યગ્દર્શન આવા ભાનને જીવન્ત રાખે. પરંતુ જો અવિરતિનો તીવ્ર ઉદય હોય, તો પરસ્ત્રીને પણ પોતાની અનુરાગિણી આદિ બનાવી લઈને તેને ભોગવવાની લાલસા જન્મે એ શક્ય છે. પાપથી વિરામ પામવા દે જ નહિ, એવા પાપકર્મનો ઉદય હોય, તો સદ્ગષ્ટિ પણ મહાપાપોને સેવનારો હોય એ બને, પરંતુ સમ્યગ્દર્શનની હાજરીના યોગે, એને ભોગસુખ ઉપાદેય તો લાગે જ નહિ.
શ્રી સુદર્શન તો સમ્યગ્દષ્ટિ હોવા સાથે પરસ્ત્રીના ત્યાગી છે અને કપિલાએ ઉભી કરેલી ફસામણ વખતે પણ એમની નજર જો પોતાના સ્વીકારેલા ત્યાગ તરફ જ રહી, તો ભોગી હોવા છતાં પણ, એ કામવિજેતા બનીને કપિલાથી મુકત બની શકયા. આ રીતિએ કામ ઉપર વિજય મેળવીને શ્રી સુદર્શન, પોતાને ઘેર આવ્યા બાદ અભિગ્રહ કરે છે કે-“હવેથી હું એકલો કોઇને ઘેર જઈશ નહિ!”
શ્રી સુદર્શન જેવા કામવિજેતાએ પણ આવો અભિગ્રહ કેમ ગ્રહણ કર્યો? એ માટે કે-નિમિત્ત કારણોની પ્રબળતાને પણ એ સમજતા હતા. ખરાબ નિમિત્તો ખરાબ ભાવને પેદા થવામાં ઘણાં સહાયક બની જાય છે, માટે જેણે સારા રહેવું હોય, તેણે ખરાબ નિમિત્તોથી બચતા રહેવાનો અને સારાં નિમિત્તોનો યોગ સાધ્યા કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. આજે કેટલાકો અધ્યાત્મના નામે ઉપાદાન કારણને મહત્ત્વ આપીને, ‘નિમિત્ત કારણોની કોઈ અસર જ નથી” એવા ઉન્માર્ગને પ્રચારી રહ્યા છે અને તેમ છતાં પણ તેઓ દેવદર્શન, શાસ્ત્રવાંચન આદિ પણ કરી રહ્યા છે. કોઈ એમ કહે કે-“મારી મા વાંઝણી છે” એના જેવો જ પૂરવાર થાય છે. નિમિત્ત કારણની અસર જ ન હોય, તો દેવદર્શન અને શાસ્ત્રવચન આદિ પણ અસર ઉપજાવી શકે જ નહિ, એવું માનવું જોઈએ. શ્રી સુદર્શન તો ભગવાને કહ્યું છે તે મુજબ નિમિત્ત કારણોની અસરને પણ માનતા જ હતા અને એથી એમણે કપિલાની કપટજાળમાંથી છૂટીને પોતાને ઘેર આવ્યા બાદ તરત જ એવો અભિગ્રહ કરી લીધો કે- હવેથી હું એકલો કોઇને ઘેર જઈશ નહિ.”
કપિલાવાળા બનાવને બચાને કેટલાક દિવસો પસાર થઈ ગયા. એ વિષે શ્રી સુદર્શને કોઈને કાંઈ કહ્યું નહિ અને કપિલા તો એ વાત ઉચ્ચારી શકે એવું હતું જ નહિ;
343
Page #368
--------------------------------------------------------------------------
________________
પણ કપિલાના મનમાં તો એ વાત રહી જ ગઈ હતી.
એકવાર એવું બન્યું કે-રાજાએ વસન્ત ઋતુમાં વસન્તોત્સવ યોજ્યો. એ વસન્તોત્સવમાં નગરજનોએ પણ જવાનું હતું. વસન્તોત્સવમાં જવાને માટે, શ્રી સુદર્શનની ધર્મપત્ની મનોરમા પણ, પોતાના છ પુત્રોની સાથે ઘેરથી નીકળી.
રસ્તામાં મનોરમા પોતાના પુત્રો સહિત જતી કપિલાએ જોઇ. કપિલા પુરોહિત પત્ની હતી, એટલે રાજરાણી અભયાની સાથે જ રથમાં બેસીને તે પણ વસન્તોત્સવમાં જતી હતી. મનોરમાનો અને શ્રી સુદર્શનના પુત્રોનો દેખાવ, પહેરવેશ આદિ ધ્યાન ખેંચે એવાં હતાં. કપિલા મનોરમાને ઓળખતી નહોતી, પરન્તુ મનોરમાને છે છોકરાઓની સાથે જોઈને, એ કોણ છે? એ જાણવાનું એના મનમાં કૌતુક જાગ્યું.
કપિલાએ રાણી અભયાને પૂછયું કે-“આ સ્ત્રી કોણ છે? અને આ કોના પુત્રો છે?”
અભયા રાણી કહે છે કે- “તું ઓળખતી નથી? સુદર્શન શેઠની આ પત્ની છે અને તેના જ આ પુત્રો છે.”
કપિલા આશ્ચર્યમાં ડૂબી ગઈ. એને પેલી યાદ આવી ગઈ. સુદર્શને તો એને કહ્યું હતું કે પોતે નપુંસક છે. ક્ષણ વાર વિચાર કરીને કપિલા બોલી કે-“ગજબની વાત છે. સુદર્શનને પુત્રો છે?'
અભયા રાણી કહે-“એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?'
એ વખતે કપિલા કહે છે કે- “સુદર્શન તો નપુંસક છે. મેં એની પરીક્ષા કરેલી છે.” એમ કહીને તે પોતાનો અનુભવ અભયા રાણીને કહે છે.
આવી વાત કેવી સ્ત્રી, કેવી સ્ત્રીની પાસે કરી શકે? અભયા રાણી વિષે પણ કપિલાએ કેવું ધાર્યું હશે, ત્યારે કપિલા આવી વાત અભયા રાણીને કહી શકી હશે? આવી વાતને સાંભળીને પતિવ્રતા સ્ત્રીને તો ક્ષોભ થાય. કપિલા પ્રત્યે દુર્ભાવ આવે. એમ લાગે કે-“આવી સ્ત્રીનો સંગ મારાથી થાય નહિ.” એને બદલે અભયા રાણી જુદું જ કહે છે!
રાણી અભયા કહે છે કે- “સુદર્શન નપુંસક નથી, પણ તારામાં જ કુશળતા નથી. તું છેતરાઈ. તારી જગ્યાએ જો હું હોઉં તો એમ છેતરાઈ જાઉં નહિ. હું કામોન્મત્ત બનીને ગમે તેવા પુરૂષનો હાથ પકડું, તો તે પછી એની તાકાત નથી કે-એ કામાતુર બને નહિ!”
344
Page #369
--------------------------------------------------------------------------
________________
આ સાંભળીને કપિલાને દુ:ખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે. કપિલા આવેશમાં આવી જઇને કહે છે કે-૧બીજાની ભૂલ કાઢવી સહેલી છે. જો તમે એની સાથે ભોગ ભોગવો, તો હું જાણું કે તમે ખરાં ચતુર છો!”
અભયા રાણીએ અભિમાનમાં આવી જઈને પ્રતિજ્ઞા કરી કે-“જો સુદર્શનની સાથે હું રમું નહિ, તો મારું નામ અભયા નહિ.”
છે કાંઈ કહેવાપણું? આવી હુંસાતુંશી તે હોતી હશે? શીલ, એ તો સ્ત્રીઓનું ઉમદામાં ઉમદા ભૂષણ છે. લાખ્ખો અલંકારથી લદાએલી સ્ત્રી પણ જો શીલહીન હોય, તો તે શોભાહીન છે. શીલસંપન્ન સ્ત્રીઓ તો કદી પણ આવી હુંસાતુંશીમાં પડે નહિ.
તે દિવસથી અભયારાણી ચિન્તાતુર બની ગઇ. શ્રી સુદર્શનને મળવાનો કોઈ ઉપાય સુઝતો નહોતો અને જો શ્રી સુદર્શનને પોતે વશ કરી શકે નહિ, તો કપિલા પાસે હલકા પડવાનો ડર લાગતો હતો. એ ચિન્તામાં ને ચિન્તામાં, તે બરાબર ખાતીપીતી પણ નહિ. એનું શરીર સુકાવા લાગ્યું. આથી એક વાર પંડિતા નામની તેની ધાત્રીએ તેને પૂછ્યું કે-“હમણાં હમણાંથી તમે બહુ ચિન્તામાં રહો છો, તો ચિત્તાનું એવું તે કયું કારણ તમને મળ્યું છે?”
અભયા રાણીએ એને પોતાના હૈયાની વાત કહી. પંડિતા કહે છે કે-“આ તમે કર્યું શું? આવું તે પણ લેવાતું હશે? સુદર્શન શીલમાં કેવો નિશ્ચલ છે, તે જાણો છો? મેરૂ ચળે, પણ સુદર્શન શીલથી ચળે નહિ. સુદર્શન પરસ્ત્રી માત્રને પોતાની મા જાયી બેન ગણે છે.”
અભયા રાણી કહે છે કે- હવે એવી બધી વાત કરવી નકામી છે. જે થઈ ગયું, તે થઈ ગયું. હવે તો લીધેલા પણને પાર પાડ્યું જ ઝંપું. તું મને માત્ર એટલી જ મદદ કર કે ગમે તેમ કરીને પણ એ સુદર્શનને તું અહીં લઈ આવ. એ અહીં આવ્યા પછીનું બધું હું સંભાળી લઈશ.”
પંડિતાએ કહ્યું કે-“કોઈક પર્વ દિવસે વાત.”
આ પછી રાજ્યયોજિત કૌમુદી મહોત્સવ આવ્યો. રાજાએ પડહ વગડાવીને નગરનાં સઘળાં ચ સ્ત્રી-પુરૂષોને કૌમુદી-મહોત્સવમાં ભાગ લેવાને માટે વનમાં આવવાની આજ્ઞા કરી હતી અને પોતે પણ અન્તઃપુર સહિત વનમાં જવાની તૈયારી કરી હતી. એ દિવસે ચતુર્દશી તિથિ હતી, એટલે એ પર્વ દિવસે શ્રી સુદર્શનને પૌષધ કરવાનો હોવાથી, રાજાની અનુમતિ મેળવીને શ્રી સુદર્શન દેવકુલમાં ગયા અને ત્યાં પૌષધ લઇને કાયોત્સર્ગમાં સ્થિર બન્યા.
345
Page #370
--------------------------------------------------------------------------
________________
પંડિતાને આ વાતની ખબર પડી ગઈ. અભયા રાણીની પાસે આવીને તેણીએ કહ્યું કે-આજે તમે પણ વનમાં જશો નહિ. આજે ઘણી સારી તક છે અને આવી તક ફરીથી મળશે નહિ.” આથી અભયા રાણીએ પણ પોતાની તબિયત નાદુરસ્ત હોવાનું બહાનું કાઢીને રાજાની સંમતિ મેળવી લીધી અને મહેલમાં રહી ગઇ.
પંડિતાએ હવે એક યુક્તિ રચી, કારણકે-અન્તપુરના પહેરેગીરોને છેતરીને શ્રી સુદર્શનને મહેલમાં લઈ જવા હતા. યક્ષની પ્રતિમાને મહેલમાં લાવવાનો તેણે દેખાવ કર્યો. પહેલાં તો પહેરેગીરોએ તપાસ કરી, પણ પછી વિશ્વાસ બેસી ગયો એટલે ઉપેક્ષા સેવવા માંડી. પહેરેગીરોની ઉપેક્ષાનો લાભ લઇને, શ્રી સુદર્શનને શિબિકામાં નાખીને, તે પંડિતા તે શિબિકાને રાણી અભયાની પાસે લઇ આવી. શ્રી સુદર્શનને કાયોત્સર્ગ સ્વીકાર્યો હતો, એટલે એ ગમે તેવો ઉપદ્રવ આવે તો પણ નિશ્ચલ રહેવાના જ લક્ષ્યવાળા હતા અને એથી જ પંડિતાને આમ કરવામાં ફાવટ આવી ગઈ હતી.
શ્રી સુદર્શનને અભયા રાણીની પાસે મૂકીને, પોતે કબૂલેલું કાર્ય પૂરૂ થઈ ગયેલું હોવાના કારણે, પંડિતા ત્યાંથી રવાના થઈ ગઈ. પછી અભયાએ કામકળા અજમાવવા માંડી. જેનું વર્ણન શિષ્ટજનોથી થઈ શકે નહિ, એવી અનેક યુક્તિપ્રયુક્તિઓ અભયા રાણીએ અજમાવી; પણ શ્રી સુદર્શન તો કાર્યોત્સર્ગમાં હતા. એટલે એક મુડદાની જેમ નિશ્ચષ્ટ જ રહ્યા.
અહીં પણ વિચાર કરવા જેવો છે. શ્રી સુદર્શનની પાસે ભોગ ભીખ માંગી રહ્યા છે. તમારી પાસે ભોગ ભીખ માગે છે કે ભોગની પાસે તમે ભીખ માગો છો? સારા ય જગતને પાગલ બનાવી મૂકનાર કામ, અભયા રાણીના રૂપમાં, શ્રી સુદર્શનની પાસે પ્રાર્થના કરી રહ્યો છે. શમ્ભ, સ્વયમ્ભ અને હરિને દાસ બનાવી દેવાના સામર્થ્યવાળો કામદેવ, શ્રી સુદર્શનની પાસે દીનદાસ બની ગયો છે. ભગવાને કહેલા માર્ગના લક્ષ્યવાળા ભોગી ગૃહસ્થોની પાસે પણ કામ જો આટલો કમતાકાત હોય છે, તો ખુદ ભગવાન અમ્મર હોય એમાં નવાઈ શી છે? જેના ભક્તો પણ આવા કામવિજેતા હોય, તે ભગવાન પોતે કામરહિત હોય, એ તો આપોઆપ સિદ્ધ થઈ જાય છે. શ્રી સુદર્શનનું લક્ષ્ય જો એક માત્ર ભગવાને કહેલા ધર્મ તરફ ન હોય, તો આ સંયોગો કાંઈ જેવા-તેવા નથી. ભોગની પ્રાર્થના કરનાર, યુક્તિ-પ્રયુક્તિથી મનાવવા મથનાર, દીનતા દાખવનાર, કામની અનિચ્છા છતાં આપમેળે અંગ સમર્પણ કરનાર કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ રાણી પોતે જ છે! એકાન્ત છે અને રાત્રિનો સમય છે. રાણી રીઝે તો ઘણો ફાયદો થવાનો સંભવ છે અને ખીજે તો ખૂન થવાનો સંભવ પણ છે. આટલું છતાં ય, શ્રી સુદર્શન તો પોતાના કાયોત્સર્ગમાં જ સુસ્થિર રહે છે.
346
Page #371
--------------------------------------------------------------------------
________________
જ્યારે અભયા રાણીનું પોતે, પ્રીતિ બતાવવાથી કાંઈ સર્યું નહિ, એટલે તેણીએ ભીતિ બતાવવા માંડી; પણ પ્રીતિની જેમ ભીતિ પણ નિષ્ફલ જ નિવડી.
હવે રાણીને ભય લાગ્યો. સાપે છછુંદર ગળ્યા જેવી રાણીની હાલત થઈ હતી. શ્રી સુદર્શનને ત્યાં પણ રાખી શકાય નહિ અને પાછા મોકલી દે તો આબરૂ જવાની બીક. શ્રી સુદર્શન પ્રત્યે રાણીને ખૂબ ખૂબ ગુસ્સો આવી ગયો. રાણી વિકરાળ બની ગઈ. પોતાનું પાપ શ્રી સુદર્શનને શિરે નાખી દેવાનો નિર્ણય રાણીએ કરી લીધો, પોતાના હાથે જ પોતાનાં વસ્ત્રોને રાણીએ ફાડી નાખ્યાં. પોતાના શરીરે તેણીએ પોતાના નખોથી જ વલુરા ભર્યા. આવેશમાં ને આવેશમાં શ્રી સુદર્શનને રાણીએ કહ્યું કે હવે તું જો, કે મને તરછોડવાનું ફળ તને કેવું મળે છે!” અને એમ કહીને રાણીએ રાડો પાડવા માંડી; દોડો, દોડો બચાવો; આ દુષ્ટ પાપી મારી લાજ લૂંટી રહ્યો છે.'
રાણીની આવા પ્રકારની રાડોને શ્રી સુદર્શને સાંભળી, તે છતાં પણ એ ચલચિત્ત બન્યા નહિ. કામ તો એમને કાયોત્સર્ગમાંથી ચલિત કરી શક્યો નહિ, પરન્તુ ભય પણ એમને મુંઝવી શક્યો નહિ. નહિતર આ કેવો વિષય પ્રસંગ છે? કારમું કલંક લાગે અને અંતે જીવથી પણ જાય.
રાણીની રાડોને સાંભળીને, મહેલના પહેરેગીરો દોડી આવ્યા. શ્રી સુદર્શનને પકડીને એ પહેરેગીરો રાજાને બોલાવી લાવ્યા. રાજા આવીને રાણીને પૂછવાને બદલે શ્રી સુદર્શનને પૂછે છે કે-“શું બન્યું છે. તે કહે!”
રાજાને, રાણી કરતાં પણ શ્રી સુદર્શન ઉપર વધારે વિશ્ર્વાસ છે, એમ આથી જણાઈ આવે છે; પણ શ્રી સુદર્શન કાંઈ જ બોલતા નથી. કેમ? એક તો કાયોત્સર્ગમાં છે અને બીજી વાત એ પણ છે કે- સાચી હકીકત કહેવાથી રાણીનું આવી બને તેમ છે. એક જીવના નાશના ભોગે જ પોતે બચી શકે તેમ છે. પોતે નિર્દોષ છે. સર્વ દોષ માત્ર રાણીનો જ છે, છતાં પણ પોતાના નિમિત્તે રાણીની હિંસા થાય તેમ હોવાથી, તેવું નહિ થવા દેવાને માટે, પોતે મૌન રહીને, પોતાના યશનો અને પોતાના જીવિતનો ભોગ આપવાનું શ્રી સુદર્શન પસંદ કરે છે. અહિંસક મનોવૃત્તિનો આ કેવો સુન્દર નમુનો છે?
શ્રી સુદર્શન કાંઈ બોલતા નથી. એટલે રાજા પણ શ્રી સુદર્શનને દોષિત માનવાને પ્રેરાય છે. શ્રી સુદર્શનને દોષિત માનવાને પ્રેરાયા પછી તો, રાજાને પણ ઘણો ક્રોધ આવે છે. અત્યાચાર અને તે ય પોતાની રાણી ઉપર એ સામાન્ય ગુન્ડો કેમ લાગે? રાજા પોતાના કર્મચારીઓને હુકમ કરે છે કે-“આને શહેરમાં ફેરવીને, આના પાપની પૂરેપૂરી જાહેરાત કરીને, આને શૂળીએ ચઢાવી દો!”
347
Page #372
--------------------------------------------------------------------------
________________
રાજપુરૂષો શ્રી સુદર્શનનો ગજબનો ફજેતો કરે છે. શ્રી સુદર્શન બધું જ જુએ છે અને સાંભળે છે, છતાં પોતાનાં કર્મોની નિર્જરાને સાધવામાં ધીર અને વીર બનેલા એ મહાપુરૂષ, એક હરફ પણ ઉચ્ચારતા નથી.
એમની ધર્મપત્ની મનોરમાને કાને આ વાત જાય છે. એ નિર્ણય કરે છે કે-‘મારા સ્વામીમાં આ સંભવે જ નહિ.’ તરત જ તે પણ જ્યાં સુધીને માટે પોતાના પતિનો છૂટકારો થાય નહિ, ત્યાં સુધીને માટેના કાયોત્સર્ગનો સ્વીકાર કરે છે.
રાજપુરૂષો શ્રી સુદર્શનને નગરમાં ફેરવીને નગર બહાર લઇ ગયા અને શ્રી સુદર્શનને શૂલીએ ચઢાવ્યા. ત્યાં તો શ્રી સુદર્શનના પુણ્યબળે આકર્ષાએલી શાસનદેવીએ શૂલીનું સ્વર્ણમય સિંહાસન બનાવી દીધું.
પૂર્વ ભવોમાં કરેલા અશુભ કર્મના ઉદયથી, શ્રી સુદર્શન જેવા તદ્ન નિર્દોષ અને શીલસંપન્ન પુરૂષની ઉપર પણ આવી આફત આવવા પામી; પરન્તુ એ મહાપુરૂષ વિવેકી હતા, તો તેમણે આ આફતને એવા સમભાવથી વેઠી કે-એથી એ પાપકર્મ ખપી જવા સાથે, બીજાં ઘણાં ઘણાં પાપકર્મોની થોકબંધ નિર્જરાને તેઓ સાધી
શકયા.
આ નિમિત્તે, તેમના વિરાગભાવને ખૂબ જ ઉત્તેજિત કર્યો, તેમનું રાજાએ તો ઘણું બહુમાન કર્યું, પરન્તુ તેમણે તો સંયમનો જ સ્વીકાર કર્યો. એ મહાપુરૂષે એવી સાધના કરી કે- કેવલજ્ઞાનને ઉપાર્જીને આયુષ્યને અંતે એ મુક્તિ એ પહોંચ્યા.
તેમની ધર્મપત્ની શ્રીમતી મનોરમા પણ, સંયમને સાધી, કેવલજ્ઞાનને ઉપાર્જી, મોક્ષે પહોંચ્યાં.
ભગવાન મહાવીરની ઐતિહાસિકતા જણાવતા શ્રી મૂળશંકર પ્રા.ભટ્ટઃ
“આચારાંગમાં સ્પષ્ટ કર્યું છે કે ભગવાન મહાવીરનો જીવ અષાઢ સુદી છઠ્ઠને દિવસે ઉ.ફા.નક્ષત્રમાં પ્રાણત નામના દેશમાં દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ કરી બ્રાહ્મણ કુળમાં દેવાનંદા કુક્ષિમાં ચ્યવન પામે છે.’૧
‘કલ્પસૂત્ર’માં જણાવ્યા મુજબ ભગ.મહાવીર આ સમયે મતિ, શ્રુત, અવધિ ત્રણે જ્ઞાન ધરાવતા હતા. આ વાત બધા તીર્થંકરો માટે સમજવી.
દેવનેન્દ્ર મુનિ શાસ્ત્રીના ગ્રન્થ ‘ભ.મહાવીરઃ એક અનુશીલન'માં જણાવ્યું છે કે જૈન પરંપરામાં તીર્થંકરનો જન્મ ક્ષત્રિય કુળમાં થાય છે અન્ય કુળમાં નહિ.
‘ત્રિષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર’માં કહેવાયું છે કે દેવાનંદા શયનાગારમાં આરામથી સૂતી હતી ત્યારે ૧૪ મગંલકારી સ્વપ્ન તેનાં મુખમાંથી બહાર સરી પડ્યા. આથી તે
348
Page #373
--------------------------------------------------------------------------
________________
જાગી ગઈ અને રુદન કરવા લાગી કે તેના ગર્ભનું અપહરણ થયું છે.
ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર, મહાવીર ચરિય, કલ્પસૂત્ર, આવશ્યક ચૂર્ણિ આદિ ગ્રંથોમાં મહાવીરનો એક દિલચસ્પ પ્રસંગ વર્ણવાયેલો છે. ગર્ભમાં પોતાના હલનચલનથી માતાને કષ્ટ થશે એ વિચારે ભગવાન નિશ્ચલ બની ગયા અને જ્યારે ત્રિશલા માતાને ગર્ભ અંગે કુશંકાઓ થઈ ત્યારે મહાવીરે અવધિજ્ઞાનથી માતા તથા અન્ય સૌને શોકાતુર જોયા અને ફરીથી સ્પંદન ચાલુ કર્યું અને પ્રતિજ્ઞા કરી કે, “માતાપિતા જીવિત હશે ત્યાં સુધી દીક્ષા અંગીકાર કરીશ નહિ.”
ભગવાન મહાવીરનો જીવ જ્યારથી ગર્ભમાં આવ્યો ત્યારથી ધન-ધાન્ય, મૈત્રી, આદર આદિ દરેકમાં વૃધ્ધિ થતા જોઈ પિતાએ તેમનું નામ વર્ધમાન રાખ્યું. આવા ઉલ્લેખ સૂત્રકૃતાંગ, પઉમચરિયું, હરિવંશ, ઉત્તરપુરાણ વગેરેમાં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભગવાન મહાવીરના સન્મતિ, કાશ્યપ, જ્ઞાતપુત્ર, વૈશાલિક, વિદેહ એવા નામોનો ઉલ્લેખ મળે છે.
મુનિશ્રી દેવેન્દ્રજી, મહાપ્રજ્ઞજી આદિના અભિપ્રાય મુજબ તેમજ આગમ ગ્રંથોના આધારે ગૃહસ્થાશ્રમાં પ્રાય: વર્ધમાન નામથી ઓળખવામાં આવ્યા છે. મહાવીર નામ પછી પડ્યું. બીજા અન્ય નામો સાહિત્યકારો દ્વારા આપવામાં આવ્યા છે. જન્મ સ્થાન :- આગમેતર સાહિત્યમાં વૈશાલી છે. આચારાંગમાં વૈશાલી પાસે આવેલ કુંડપુર છે. પઉમચરિયું, આવશ્યકનિકિત, આવશ્યકચૂર્ણિ, મહાવીર ચરિયું, કલ્પસૂત્ર, આવશ્યક હરિભદ્રીયાવૃત્તિ વગેરેમાં જન્મસ્થાન કુડપુર છે. પૂર્વ ભવોઃ- મહાવીરનો સર્વ પ્રથમ પરિચય આચારાંગ અને કલ્પસૂત્રમાં સાંપડે છે. આ ગ્રંથોમાં તેમના પૂર્વભવોનો ઉલ્લેખ નથી. શ્વેતામ્બર પરંપરાના ગ્રંથોમાં મહાવીરના સત્તાવીશ અને દિગંબર પરંપરાના ગ્રંથોમાં તેમના તેત્રીશ ભવોનું વર્ણન
ભગવાન મહાવીર વિશેના ઉલ્લેખો વિવિધ ગ્રંથોમાં વિવિધ રીતે આપવામાં આવ્યા
આચારાંગ સૂત્ર:- આ ગ્રંથ જેન આચારની આધાર શિલા રૂપ ગણાય છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીરની સાધનાનો અહેવાલ મહાવીરના મુખેથી સાંભળવામાં આવેલ હોય તેમ રજૂ થયેલ છે સૂત્રકૃતાંગ, સ્થાનાંગ સૂત્ર, સમવાયાંગમાં મહાવીરના જીવન વિશેની છૂટક માહિતી પ્રાપ્ત થાય છે.
349
Page #374
--------------------------------------------------------------------------
________________
ભગવતી સૂત્રમાં મહાવીરે પંચવ્રતોનો સ્વીકાર કર્યો. મહાવીર પૂર્વે નિગ્રંથ ધર્મનું અસ્તિત્વ, ગોશાલક વિશેની માહિતી આદિ ઉપલ્બધ્ધ છે.
જ્ઞાતાધર્મ કથામાં મહાવીર અને ગોશાલકના સિધ્ધાંતોમાં જે ભેદ છે તેનું સ્પષ્ટ નિર્દેશન છે.
આ પ્રમાણે અન્તકૃહૃદશા, અનુત્તરોપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર, ઔપપાતિક સૂત્ર, રાજપ્રશ્નીય સૂત્ર, નિરચાવલિયા સૂત્ર, કલ્પાવતંસિકા, પુષ્પિકા, ઉત્તરાધ્યયન સૂત્ર, નંદી સૂત્ર, દશાશ્રુત સ્કંધ વગેરે ગ્રંથોમાં મહાવીર વિશે વિવિધ હકીકતો પ્રાપ્ત થાય છે. નિર્યુક્તિ સાહિત્ય- આવશ્ય નિર્યુક્તિમાં ભગવાન મહાવીરના જીવન સંબંધી તેર ઘટનાઓ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, ભાવિ ગણધરોનાં નામ, તેમણે ઉત્પન્ન થયેલ શંકાઓ, શંકા નિવારણ, દીક્ષા ગ્રહણ આદિ વાતો મળે છે.
પ્રાકૃત જૈન સાહિત્ય:- ચઉપન્ન મહાપુરુષ ચરિચં, મહાવીરચરિચં, તિલોયપણ્યતિ વગેરે ગ્રંથોમાં ભગવાન મહાવીર વિશે કેટલીક હકીકતો ઉલ્લેખિત મળી આવે છે.
સંસ્કૃત જૈન સાહિત્ય:- આચાર્ય હેમચંદ્ર લિખિત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, સોમપ્રભાચાર્ય કૃત લઘુત્રિષષ્ટિ પુરુષ ચરિત્ર, પંડિત આશાધરજીનું ત્રિષષ્ટિ સ્મૃતિ શાસ્ત્ર, મેરુત્તુંગ રચિત મહાપુરુષ ચરિત, પદ્મસુંદરજીનું રાયમલ્લાભ્યુદય, અમરચંદ્ર રચિત ચતુર્વિંશતિ જિન ચરિત, મુનિ જ્ઞાનસાગરજી રચિત વીરોદય કાવ્ય, ગુણભદ્ર રચિત ઉત્તરપુરાણ, મહાકવિ ચાસગ લિખિત વર્ધમાન ચિરતમ્, ભટ્ટારક સકલકીર્તિ રચિત વીરવર્ધમાન ચરિતમ્ વગેરે ગ્રંથોમાંથી મહાવીરનો જીવન વિકાસ ખુલ્લો થતો જાય છે.
અપભ્રંશ તેમજ રાજસ્થાની સાહિત્યમાં પણ મહાવીર વિશે માહિતી ઉપલબ્ધ
થાય છે.
આધુનિક સાહિત્ય:
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર (લે.વકીલ નંદલાલ લલ્લુભાઇ)
મહાવીર કથા (લે. ગોપાલદાસ જીવાભાઇ પટેલ) ભગવાન મહાવીર (લે.ચંદ્રરાજ ભંડારી)
શ્રી મહાવીર ચરિત્ર (મુનિ શ્રી હર્ષચંદ્રજી કૃત)
શ્રી વર્ધમાન ચરિત્ર (લે. જ્ઞાનચંદ્રજી)
ભગવાન મહાવીરકા આદર્શ જીવન (લે.ચૌથમલજી મહારાજ) શ્રમણ ભગવાન મહાવીર (લે.મુનિ શ્રી કલ્યાણવિજયજી)
350
Page #375
--------------------------------------------------------------------------
________________
તીર્થકર વર્ધમાન (લે.શ્રી ચંદ્રરામપુરિયા)
તીર્થંકર મહાવીર (લે.વિજયેન્દ્રસૂરિ)
આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન (લે.મુનિ શ્રી નાગરાજજી) ભગવાન મહાવીરઃ એક અનુશીલન (લે.શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી) નિગ્રંથ ભગવાન મહાવીર (લે. જયભિખ્ખું)
મહાવીર વર્ધમાન (લે. ડૉ.જગદીશચંદ્ર જૈન)
આ ઉપરાંત પણ અસંખ્ય વર્તમાન સાહિત્યના ગ્રંથોમાંથી મહાવીર વિશે માહિતી સાંપડે છે.
‘ભગવાન મહાવીર ઇતિહાસનું એક એવું વ્યકિતત્વ છે કે જેનાથી દાર્શનિક, ધાર્મિક, સામાજિક તેમજ રાજનૈતિક ક્ષેત્ર હંમેશા પ્રભાવિત થતું રહ્યું છે. મહાવીર સૌ પ્રથમ વ્યક્તિ હતા જેમણે કહ્યું કે આત્માના વિકાસમાં દુન્યવી કોઇના સહારાની આવશ્યકતા નથી.’’
વિક્રમ સંવત ૧૨૪૧ કુમારપાળ પ્રતિબોધ
ગુજરાતના ચૌલુક્ય વંશના પ્રસિધ્ધ નૃપતિ કુમારપાલને જૈનાચાર્ય હેમચંદ્રસૂરિએ સમય-સમય ઉપર જે રીતે જૈન ધર્મના સિધ્ધાંતોનો વિવિધ કથા-આખ્યાનો દ્વારા બોધ આપ્યો હતો તેનું વર્ણન આ ગ્રંથમાં છે. ગ્રંથકારે આ ગ્રંથનું નામ ‘જિનધર્મપ્રતિબોધ’ એવું રાખ્યું છે. પરંતુ ગ્રંથના અંતે પુષ્પિકા લેખમાં ‘કુમારપાલ-પ્રતિબોધ’ એવું નામ મળવાથી તેમજ ગ્રંથના વિષયનો નામમાત્રના નિર્દેશથી ખ્યાલ આવી શકે તે હેતુથી કુમારપાલ-પ્રતિબોધ એ જ નામ પુસ્તક ઉપર અંકિત કર્યું છે.
આ ગ્રંથની આવૃતિ ભાંડાગારમાંથી મળેલ તાડપત્ર ઉપરથી તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તક બીજો ભાદરવા સુદ ૪ના શુક્રવારે સંવત ૧૪૫૮ ખંભાતમાં લખાયેલું છે. આ સમય પછી લખાયેલું બીજું કોઇ તાડપત્ર જૈન ભંડારમાં જોવામાં
આવેલ નથી.
આ ગ્રંથના રચયિતા સોમપ્રભાચાર્ય એક સુપ્રસિધ્ધ અને સુજ્ઞાત જૈન વિદ્વાન છે. તેમણે આ ગ્રંથ વિક્રમ સંવત ૧૨૪૧માં, એટલે કુમારપાળ રાજાના મૃત્યુ પછી ૧૧ વર્ષે બનાવ્યો હતો. આ ગ્રંથ પ્રાગ્વાટજાતીય કવિ ચક્રવર્તી શ્રી-શ્રીપાલના પુત્ર કવિ સિધ્ધપાલની વસતિમાં રહીને રચ્યો છે. તથા હેમચંદ્રાચાર્યના મહેન્દ્રમુનિ, વર્ધમાન, ગુણચંદ્ર નામે વિદ્વાન શિષ્યોએ અથ થી ઇતિ સુધી સાંભળ્યો છે.
351
Page #376
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર સોમપ્રભાચાર્ય મહાવીરની પટ્ટ પરંપરામાં ૪૩મા નંબરે છે. આ ઉપરાંત તેમના બીજા ત્રણ ગ્રંથો પણ ઉપલબ્ધ છે. જેમાં સુમતિનાથ ચરિત્ર પ્રાકૃત ભાષામાં સાડા નવ હજાર શ્લોક પ્રમાણ છે. જેમાં જૈન ધર્મના સિધ્ધાંતોનો બોધ આપતી પુરાણ કથાઓ છે. બીજો સિંદુર પ્રકરણ જે સોમશતકના નામે પણ ઓળખાય છે અને ત્રીજો ગ્રંથ ‘શતાર્થ કાવ્ય’. આ ત્રીજા ગ્રંથમાં એકજ શ્લોકના ૧૦૦ જુદા જુદા અર્થ કરવામાં આવ્યા છે જેના કારણે વિદ્વાનો તરફથી તેમનેં શતાર્થિકનું ખાસ પાંડિત્યસૂચક ઉપનામ પ્રાપ્ત થયું હતું.
આ ગ્રંથના રચયિતા સોમપ્રભ ગૃહસ્થાવસ્થામાં પોરવાડ જાતિના વૈશ્ય હતા. પિતાનું નામ સર્વદેવ હતું. સોમપ્રભે કુમારવસ્થામાં જ જૈન દીક્ષા લીધી અને તીવ્ર બુધ્ધિના પ્રભાવે સમસ્ત શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો.
કુમારપાલ પ્રતિબોધની રચના ગ્રંથકારે મુખ્ય કરીને પ્રાકૃતમાં કરી છે. છેવટે સંસ્કૃતમાં કેટલીક કથાઓ આપેલ છે. થોડોક ભાગ અપભ્રંશ ભાષામાં પણ ગૂંથાયેલો છે.
આ ગ્રંથ લખવામાં લેખકનો ઉદ્દેશ્ય, કુમારપાળ આદિનો ઇતિહાસ લખવાનો નથી પરતું તે વ્યક્તિઓને લક્ષીને ધર્મોપદેશ આપતી એક કથા ગૂંથવાનો છે. આ ગ્રંથમાં સંક્ષેપમાં કુમારપાળના જૈન ધાર્મિક જીવનનો સાર આપવામાં આવ્યો છે. કુમારપાળ અને તત્કાલીન અન્યાન્ય પ્રસિધ્ધ પુરુષો કે જેમનો ઉલ્લેખ પ્રસંગોપાત આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે.
તેમના સંબંધમાં વિશેષ હકીકતો પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, જયસિંહકૃત-કુમારપાળ ચરિત્ર, ચારિત્ર સુંદર રચિત-કુમારપાળ ચરિત્ર, જિનમંડન કૃતકુમારપાળ પ્રબંધ ઇત્યાદિ ગ્રંથોમાં તેમજ ફાર્બસકૃત રાસમાલા અને બોમ્બે ગેઝેટીઅર આદિ અર્વાચીન ઐતિહાસિક ગ્રંથોમાં યથાજ્ઞાત પ્રગટ થયેલી છે.
કુમારપાળના ધાર્મિક જીવનના સંબંધમાં તેના સમકાલીન એવા ત્રણ લેખકોના લખેલાં વર્ણનો મળી આવે છે. (૧)કુમારપાળ ચરિત્રમાં અને મહાવીર ચરિત્રમાં તેના સંબંધમાં સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. તેમના ધર્મગુરુ હેમચંદ્રાચાર્ય, (ર)કવિ ચશપાલ જેમણે મોહરાજ પરાજય નામનું નાટક કુમારપાલના આધ્યાત્મિક જીવનને અનુલક્ષીને રચ્યું છે, (૩)સોમપ્રભાચાર્ય રચેલ કુમારપાળ પ્રતિબોધ.
આ ત્રણેય લેખકોના કથન ઉપરથી જણાય છે કે કુમારપાળ એ પરમ ધાર્મિક જૈન રાજા હતો. તેને જૈન ધર્મ ઉપર પૂર્ણ શ્રધ્ધા હતી. જૈન ધર્મનો પ્રભાવ સ્થાપવા તેણે બનતા પ્રયત્નો કર્યા. તેણે અન્ય ધર્મ ઉપર ક્યારે પણ અભાવ પ્રકટ નહતો કર્યો.
352
Page #377
--------------------------------------------------------------------------
________________
એક પ્રજાપાલક રાજા તરીકે તે દરેક ધર્મ ઉપર સમાન ભાવ જ રાખતો હતો.
૭૭ વર્ષ પહેલા આ ગ્રંથ મુનિ જિનવિજયજી દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થયેલો. તેમાં રહેલી ત્રુટિઓને દૂર કરી ગ્રંથનું પ્રકાશન શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા દ્વારા થયું. | હેમચંદ્રાચાર્ય અને કુમારપાળના જીવન તથા કાર્યોને સમજવા માટે બીજા કોઈ પણ સાહિત્યક સાધનોની અપેક્ષાએ કુમારપાળ પ્રતિબોધ એ વધુ પ્રાચીન, વ્યવસ્થિત અને પ્રમાણભૂત છે. પાંચ પ્રસ્તાવના યુક્ત આ ગ્રંથમાં -
પ્રથમ પ્રસ્તાવમાં મૂળદેવ કથાનક (પા-૯) યશોભદ્રનૃપને વૈરાગ્ય ઉત્પતિ (પા-૧૯) હેમચંદ્રસૂરિ કથા (પા-ર૫) અહિંસા માટે અમરસિંહ કથા (પા-૨૭) દામન્નક કથા (પા-૩૩), અભયસિંહ કથા (પા-૩૯) કુન્દ કથા (પા-૪૮), ધૂત નળ કથા પા-પ૫). પારિદારિક પ્રદ્યોત કથા (પ-૮૮), વેશ્યા વ્યસને અશોકકથા (પા-૯૫) મદ્યપાને દ્વારિકાદાહ-યાદવ કથા (પા-૧૦૪)
પરધન કરવા વિશે- વરુણ કથા (પા-૧૨૦) બીજા પ્રસ્તાવમાં -
દેવપાલ કથા (દેવ પૂજા માટે) (પા-૧૩૦), મણિચૂડ કથા (પા-૧૩૭) પદ્મોતર કથા (પા-૧૪૫), દીપશિખ કથા (પા-૧૫૩) પ્રદેશી નૃપકથા (પા-૧૬૩), લક્ષ્મી કથા (પા-૧૬૯) ગુરુવિરાધના પર કૂલવાલ કથા(પા-૧૭૮), ગુરુભકત, સંપ્રતિકૂપ કથા (પા-૧૮૭)
353
Page #378
--------------------------------------------------------------------------
________________
ત્રીજા પ્રસ્તાવમાં:
સુપાત્રદાનમાં ચંદનબાળા કથા (પા-ર૦૩) દાન માટે ધન્ય કથાનક (પા-ર૧૪), કુરુચંદ્ર કથા (પા-રરર) કૃતપુણ્ય કથા (પા-૨૩૦), રાજપિંડમાટે ભરતચક્રી કથા (પા-૨૩૭) શીલવ્રત માટે શીલવતી કથા (પા-ર૪૮), મૃગાવતી કથા (પા-૨૫૮) તારા કથા (પા-ર૬૬), પતિ ભક્ત જયસુંદરી કથા (પા-૨૭૫) તપસિ રુકમણી કથા (પા-૨૮૫), પ્રદ્યુમ્નશાંબ કથા (પા-૨૯૩) ધર્મયશ ધર્મઘોષ કથા(પા-૩૦૨), લબ્ધિ પ્રગટ કરવા પર વિષ્ણુકુમાર કથા (પા-૩૧૧), ભાવના માટે પ્રસન્નચંદ્ર કથા (પા-૩૨૦), શાલ-મહાશાલ કથા (પા-૩૩૦), ઇલાપુત્ર કથા (પા-૩૩૭), જય-વિજય કથા (પા-૩૪૪)
ચોથા પ્રસ્તાવમાં:
પ્રાણાતિપાત વિરમરણ માટે શિવકુમાર કથા (પા-૩૫૩) મૃષાવાદ વિરમરણ માટે મકરધ્વજ કથા (પા-૩૬૨) અદત્તાદાન વિરમરણ માટે દત્ત-સંખ્યાયન કથા (પા-૩૭૦) પરસ્ત્રીગમન માટે પુરન્દર કથા (પા-૩૭૭) પરિગ્રહ પરિમાણ માટે હરિવિક્રમ કથા (પા-૩૮૮) દિવ્રત માટે સુબધુ કથા (પા-૩૯૫) ભોગોપભોગ વ્રતે જયદ્રથ કથા(પા-૪૦૨) તૃતીય ગુણ વ્રતે પુરુષચંદ્ર કથા (પા-૪૧૩) સામાયિક માટે સાગરચંદ્ર કથા (પા-૪૨૦) દેશાવગાશિક માટે પવનંજય કથા (પા-૪ર૬) પૌષધ માટે રણસૂર કથા (પ-૪૩૩) અતિથિ સંવિભાગ માટે નરદેવ કથા (પા-૪૪૧)
354
Page #379
--------------------------------------------------------------------------
________________
પાંચમાં પ્રસ્તાવમાંઃ
ક્રોધ ઉપર સિંહ-વ્યાઘ્ર કથા (પા-૪૪૯) માન ઉપર ગોધન કથા (પા-૪૫૫) માયા ઉપર નાગિની કથા (પા-૪૬૧) લોભ ઉપર સાગરશ્રેષ્ઠીની કથા (પા-૪૭૦) વિક્રમાદિત્ય કથા (પા-૪૯૬) સ્થૂલિભદ્ર કથા (પા-૫૦૩) નમસ્કાર માટે નંદન કથા (પા-૫૨૪) દશાર્ણભદ્રનૃપ કથા (પા-૫૩૬) કુમારપાલ નૃપ વર્ણન (પા-૫૪૧)
આમ, આ ગ્રંથ હેમચંદ્રસૂરિ અને કુમારપાળના જીવન ચરિત્રને રજૂ કરતો મહત્ત્વ પૂર્ણ ગ્રંથ છે.
વિ.સં.૧૨૫૨ અમમસ્વામી ચરિત
આ કૃતિમાં ર૦ સર્ગોમાં ભાવિ તીર્થંકર અમમસ્વામીનું ચરિત નિરૂપવામાં આવ્યું છે. તેમાં દસ હજારથી વધુ શ્લોક છે. તેમાં શ્રી કૃષ્ણનો જીવ આવનારી ઉત્સર્પિણીના ચોથા આરામાં અમમ નામના તીર્થંકર બનવાનો છે એની કથા છે. પ્રથમ છ સર્ગમાં, જીવદયા ઉપર દામન્ન કથા, તેની શિથિલતા ઉપર શુદ્રકમુનિ કથા, તેના ત્યાગ ઉપર નિમ્બકમુનિ કથા, રહસ્યભેદ ઉપર કાજીંઘ કથા, મિત્રકાર્ય ઉપર દેઢમિત્ર કથા, પાંડિત્ય ઉપર સુંદરી-વસંતસેના કથા, અવાન્તરમાં લોભનન્દી, સર્વાંગિલ, સુમતિ, દુર્મતિ, દ્યુતકાર કુન્દ, કમલ શ્રેષ્ઠી, સતી સુલોચના, કામાંકુર, લલિતાંગ, અશોક, બ્રહ્મચારિભŕ-ભાર્યા, દુર્ગવિપ્ર, તોસિલ રાજપુત્રની કથાઓ કહેવામાં આવી છે. તે પછી હરિવંશની ઉત્પતિ, તેમાં મુનિસુવ્રત જિનેશ્વરના પૂર્વભવનું વર્ણન, ઇલાપતિરાજનું વર્ણન, ક્ષીરકદમ્બક-નારદ-વસુરાજ-પર્વત કથા, નદ્ઘિર્ષણ કથા, કંસ તથા પ્રતિવાસુદેવ જરાસંઘની ઉત્પતિ, વસુદેવ ચરિત્ર કથા, ચારુદત્ત-રુદ્રદત્ત કથા, નલદમયંતી કથા, કુબેરદેવ પૂર્વભવ કથા આવે છે. તે પછી નેમિનાથનો જન્મ, કૃષ્ણ જન્મ, દ્વારિકારચના, કૃષ્ણનો રાજ્યાભિષેક, રુકમણિ વિવાહ, પાંડવ દ્રૌપદી સ્વયંવર, પ્રદ્યુમ્ન-શામ્બ ચરિત, જરાસંઘવધ વગેરે, રાજીમતી વર્ણન, નેમિનાથ દીક્ષા, દ્વારિકા દહન, કૃષ્ણમરણ, પાંડવશેષ કથા, નેમિનાથ મોક્ષ ગમન વગેરે અવસર્પિથી ઉત્સર્પિણીનું આવવું, ભાવિજિન અમમનો જન્મ, બાલ્યાદિ વર્ણન, વિવાહ,
355
Page #380
--------------------------------------------------------------------------
________________
રાજ્યાભિષેક, સંમતિનૃપ દીક્ષા, અમદીક્ષા, કેવળજ્ઞાન, સમવસરણ, ધર્મદેશના, સમ્યકત્વ ઉપર સૂરરાજની કથા, ધર્મ ઉપર રાજપુત્ર પુખસાર, મંત્રીપુત્ર ક્ષેમંકરની કથા, અંતે અમમ સ્વામીના ગણધરોનું વર્ણન, તત્કાલીન સુંદરબાહુ વાસુદેવ અને પ્રતિવાસુદેવ વજજંઘ પછી અમમ સ્વામીના નિર્વાણનું વર્ણન છે. કર્તા:- આ કૃતિના કર્તા ચન્દ્રગથ્વીય મુનિ રત્નસૂરિ છે. આ ગ્રંથની રચના વિ.સં.૧૨પરના વર્ષમાં પત્તનનગરમાં થઈ હતી. આ ગ્રંથનું સંશોધન કુમારકવિએ કર્યું હતું. મુનિ રત્નસૂરિ પૂર્ણિમામતને પ્રગટ કરનાર શ્રીમાન ચંદ્રપ્રભસૂરિના શિષ્ય ધર્મઘોષ સૂરિના શિષ્ય સમુદ્રઘોષ સૂરિના શિષ્ય હતા.
વિ.સં.૧૨૭૦
મહાભારત ૧. જૈન દષ્ટિએ મહાભારતનો સમય:
જેન દષ્ટિએ બાર આરાનું એક ચક્ર બને છે તેને કાળચક્ર કહે છે. આ ચક્રના અડધા ભાગને ઉત્સર્પિણી કાળ કહેવામાં આવે છે. અનાદિકાળથી આ ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં વિશ્વ માત્રનું કલ્યાણ કરવાની અમોધ શક્તિ ધરાવતા ર૪-૨૪ તીર્થકરો થયા કરે છે. અને ભવિષ્યમાં પણ થશે.
મહાભારતનો સમય આ અવસર્પિણી કાળના રરમા તીર્થંકર નેમનાથ ભગવાનનો સમય છે. એટલે એમ કહી શકાય કે જૈન દષ્ટિએ મહાભારતની કથા ૮૭૦૦૦ વર્ષ પૂર્વેની કથા છે. ૨. અજેન દષ્ટિએ મહાભારતનો સમય:
પુરાણકારોના મતે દ્વાપર યુગમાં મહાભારતની ઘટના બની છે. તે વખતે કલિયુગ આરંભ થયો હતો એમ કહેવાય છે. ઐતિહાસિકોની દષ્ટિએ મહાભારતનો કાળ ઇ.સ. પૂર્વે ૪૦૦૦ વર્ષે (આજથી ૬ હજાર વર્ષ) થયો કહેવામાં આવે છે. ૩. જૈન મહાભારતના લેખક
જેન મહાભારતનું નિરૂપણ કર્યું છે તે ગ્રંથનું નામ “પાંડવ ચરિત્ર” છે. તેના લેખક મલધારી શ્રી દેવપ્રભસૂરિજી નામના જૈનાચાર્ય છે. વિક્રમ સંવત ૧૨૭૦ની સાલમાં આ ગ્રંથ રચ્યો. જેના માટે તેમણે જ્ઞાતા ધર્મકથા, ત્રિષષ્ટિ શલાકા પુરુષનો આધાર લીધો છે.
આ જૈન ગ્રંથ વિસંગતિના કલંકથી સર્વથા મુક્ત છે. પ્રક્ષિપ્ત વિચારો થી પણ
356
Page #381
--------------------------------------------------------------------------
________________
સર્વથા મુક્ત છે.
૪. અજૈન મહાભારતના લેખકઃ- વ્યાસ મુનિ
કહેવાય છે કે ગણેશની સહાયથી વ્યાસ મુનિએ ‘મહાભારત’ કથા તૈયાર કરી. સમગ્ર મહાભારતના રચિયતા એકલા વ્યાસ નહિં પરંતુ વ્યાસ ‘જપ’ લખ્યું, તેમના શિષ્ય વૈશમ્પાયને ‘ભારત’ લખ્યું અને શ્રીસૂતિએ ‘મહાભારત' લખ્યું છતાં મૂળ પટકથા વ્યાસ મુનિની હોવાથી તે રચયિતા છે.
અજૈન પ્રમાણે કથા ચાર્ટ
ગંગા
પુત્ર ભીષ્મ
પિતામહ વ્યાસ
શાન્તનુ રાજાની બે પત્નિ
વ્યાસ + દાસી
વિદુર (પુત્ર) (દાસીપુત્ર કહેવાયા) વિદુર દાસીપુત્ર હોવાથી
રાજ્યાધિકાર પ્રાપ્ત ન થયો.
સત્યવતી
पुत्र
ચિત્રાંગદ
ૠષિ સંબંધ
1
વિચિત્રવીર્ય વ્યાસનો જન્મ
પત્નીઓ
+
અંબિકા
વ્યાસ + અંબિકા વ્યાસ + અંબાલિકા
પુત્ર
પુત્ર!
ધૃતરાષ્ટ્ર
કુંતી શાપિત પાંડુથી પુત્ર ન થવાને કારણે દેવ + કુંતી પાંડવ માદ્રી `જન્મ
357
7
અમ્બાલિકા
વેદ વ્યાસને મહાભારતનો ગ્રંથ પૂરો કરતા ૩ વર્ષ લાગ્યા હતા.
પાંડુ
પતિઓ
પુત્રો પાંચ પાંડવો
દેવ દ્વારા
માદ્દી
Page #382
--------------------------------------------------------------------------
________________
જેના મત પ્રમાણે કથા ચાટ મથુરાધીશ યદુ (યદુવંશ)
-
શૂર
કુશાવર્ત-નરેશ
શૌરિ
મથુરાધીશ સુવીર
ભોજ વૃષ્ણિ વગેરે
અપકષ્ણિ-સુભદ્રા બીજા અનેક પુત્રો
સંતાનો
ઉગ્રસેન, દેવ, વગેરે
કંસ, દેવકી
સમુદ્રવિજય શિવાદેવી રોહિણી જસકુમાર કુંતી માદ્દી(ચેદિદેશાધિ૫) નેમનાથ
દમઘોષની પત્ની | (કંસના કાકાની પુત્રી)
દેવકી
સુભા(અર્જુનની પત્ની)
મહારાજાની બેન
માદ્દી તે પાંડની પત્ની |
અભિમન્યુ પતિ પત્ની ને વિરાટ*સુદેષ્ણા [ સંતાનો | ભાઇ ઉત્તમકુમાર:બેન ઉત્તરા
સુદેષ્ણાનો ભાઈ કીચક
આદિનાથ પુત્ર-મહારાજા કુરુ (કુરુ વંશ)
હસ્તિ (તેના નામથી હસ્તિનાપુર)
સુમ્બરાજ Fકુનિ ગંધારી વગેરે [બંધાર રાજા) આઠ કન્યાઓ
| અસંખ્ય પાટ-(સનત, શાંતિનાથ,
* કુંથુનાથ, અરનાથ, વગેરે)
| કાંડિલ્યપુરાધીશ
પદ
દ્રોપદી
શાન્તનુની પત્ની (ગંગા અને સત્યવતી) ગાંગેય(ભીષ્મ)
વિચિત્રવીર્ય, ચિત્રાંગદ त्रएपनि અંબાલિકા અંબા
ધૃષ્ટદ્યુમ્ન
ગોકુલાધીશ નંદ અને યશોદા
અંબિકા
358
Page #383
--------------------------------------------------------------------------
________________
——ત્રણ પાન--- ગોકુલાધીશ નંદ અને યશોદા અંબિકા અંબાલિકા અંબા (પતિ - પત્ની)
ધૃતરાષ્ટ્રના પત્ની પાંડુરૂકુંતી,માદ્દી વિદુર રાજગૃહી નરેશ જરાસંઘ ગંધારી વગેરે આઠ
કુમુદ વતી જીવયશા | દુર્યોધન, બીજા ૯૯ ૧.યુધિષ્ઠિર નકુળ(દેવકરાજની
પુત્રો અને ર.ભીમ સહદેવ પુત્રી) પત્ની દુઃશલ્યા ૩. અર્જુન+સુભદ્રા(કૃષ્ણની જયદ્રથ
અભિમન્યુ+ઉત્તરા પરિર્ભિત
બહેન)
રામાયણ અને મહાભારત ભારતના ઇતિહાસ અંગેના ગ્રંથમાં સૌથી વધુ પ્રચલિત ગ્રંથો તે રામાયણ અને મહાભારત- બંનેના ચારિત્ર નાયકોને સૌ પોતાના ધર્મના આદ્ય પુરુષ માને છે. (રામ અને કૃષ્ણ) (૧) બંને ગ્રંથનો રાગમાંથી જન્મ
રાવણના કામરાગથી રામાયણ. દુર્યોધનના અહંકારથી મહાભારત. કૈયીના પુત્ર મોહથી રામાયણ.
ધૃતરાષ્ટ્રના પુત્ર મોહથી મહાભારત. (ર) સંપ અને કુસંપ
સંપનો મહિમા(રામાયણ)- કુટુંબમાં રામ, દશરથ, સીતા, ઉર્મિલાથી હકારાત્મક પ્રેરણા.
કુસંપનો મહિમા(મહાભારત)- કુટુંબમાં ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુનિ વગેરે ન હોવા જોઇએ એવી પ્રેરણા.
359
Page #384
--------------------------------------------------------------------------
________________
(૩) બેય દ્વારા થતો બોધ
બંનેય ગ્રંથો એકદમ વિરોધી છે. • રામાયણમાં આદર્શ (પિતા, પુત્ર, સાસુ, વહુકેવા હોય તેનું ચિતરામણ છે. જેથી વાંચનાર ગુણ-વૈભવથી લલચાયા વગર રહે નહિ. • મહાભારતમાં લુચ્ચાઈ, કુટુતા, નિર્લજ્જતા, આપબડાશ વગેરે અવગુણ જોવા મળે છે. કયાંક તો આ અવગુણોની એટલી બધી પરાકાષ્ટા જોવા મળે કે વાંચક મનોમન નિર્ણય કરે કે હું મારા સ્નેહીજનો સાથે આવો વ્યવહાર તો નહિ જ કરું.
મહાભારતમાં ક્રોધ, અહંકાર, તિરસ્કાર, વૈરવૃત્તિ વગેરેના અતિ વિકરાળ સ્વરૂપ બતાવ્યા છે. જે કોઈપણ કાળના સમાજને બોધ આપવા માટે જરૂરી છે. મહાભારતમાં એવું તો કંઈક છે જે યુગે યુગે સમાજને આકર્ષિત કરે છે. જે સનાતન હોવા છતાં નિત્યનૂતન છે. (૪) બેચ દ્વારા પૂર્ણ થતું દિનચક્ર
રાત્રે ૧ર થી સવારે ૧૨ અંધકારથી પ્રકાશ = રામાયણ
અંતમાં આનંદ પ્રકાશથી અંધકાર = મહાભારત આનંદથી ઉદ્વેગ અંતમાં દુઃખ
(૫) પુરુષાર્થ અને પ્રારબ્ધ
રામાયણની કથા પુરુષાર્થની પ્રેરણા કરે છે.
મહાભારતની કથા પ્રારબ્ધને (નિયતિ) બળવાન બતાવે છે. મહાભારતની કથા કહે છે- કર્મથી વિરુધ્ધ કશું જ થઈ શકતું નથી. તમે તમારા કર્મોને ચૂપચાપ ભોગવો. તેની આગળ તમે નિ:સહાય છો. હે માનવ! જ્યારે પણ તમારું અણધાર્યું લલાટ આવે તો જરા પણ અફસોસ કરશો નહિ. એક જ વાક્ય મનમાં યાદ કરી લઇને મનનું સમાધાન કરજો. 'Everything is in order'
360
Page #385
--------------------------------------------------------------------------
________________
કેટલીક વાર મહાભારતમાં પુરુષાર્થને નિયતિ કરતા ચડતો બતાવ્યો છે. (૬) દર્પ અને કંદર્પની ભયાનકતાનું દર્શન
રામાયણની કથા ભર દરિયે આવે છે ત્યારે કામ(કંદર્પ) નાચતો જોવા મળે છે. જે રાવણને વળગે છે. ત્યારથી શરૂ થાય છે રાવણની પાયમાલી.
કંદર્પ બોધ આપે છે કે મારા પડછાયામાં આવશો નહિ, નહિ તો રાવણ જેવા હાલ થશે.”
દર્પ: મહાભારતની કથામાં દર્પ(અહમ)ની ભયાનકતા બતાવી છે. દર્પ જાહેરમાં કરી શકાય છે. અચ્છા અચ્છા ધર્મીને પણ દર્પ છોડતો નથી. દુર્યોધન એના અભિમાનથી અનેકવાર મર્યો પણ મરતી વખતે પણ દર્પથી મર્યો (૭) વૈરના અંજામ- વૈરના અંજામ અતિ કરુણ હોય છે. કહેવાય છે કે “શમે ના વેરથી વેર”. અહંકારમાંથી પેદા થાય છે તિરસ્કાર, તિરસ્કારમાંથી છેલ્લે ધિક્કાર અને વૈરની આગ ભભૂકે છે. સ્વ. ડૉ.સુકથનકરના મતે મહાભારત ઘટનાપ્રધાન નહિ તેટલું પાત્ર પ્રધાન છે." પાત્ર પરિચય:- પાત્ર પ્રધાન ૧.શ્રીકૃષ્ણ - મહાભારતની કથાના પરિઘનું કેન્દ્રબિંદુ.
વસુદેવ-દેવકીનો પુત્ર- શ્રીકૃષ્ણ આ અવસર્પિણીના છેલ્લા વાસુદેવ.
અજૈન દષ્ટિએ ભગવાન કહેવાયા. જૈન દષ્ટિએ આગામી ચોવીશીના બારમાં ‘અમમ” નામના તીર્થકર થવાના.
શ્રીકૃષ્ણ જીવનના પૂર્વાધમાં રાજપ્રાપ્તિ, નારી આસક્તિમાં લીન હતા. જીવનના ઉત્તરાર્ધમાં સમ્યગ્દર્શન પામ્યા છે.
મુનિપદભાવ પ્રત્યે અતિશય આદર. તમામ પુત્રીઓને (કોક અપવાદ સિવાય) મુનિ જીવન અપાવ્યા. પણ પોતે મુનિ પદ ન પામી શક્યા.
તેમણે ૧૮૦૦૦ સાધુઓને વંદન કરી નરકનું આયુ તોડ્યું હતું.
જૈન દષ્ટિએ શ્રીકૃષ્ણ ઉચ્ચ કક્ષાના સદ્ગહસ્થ હતા. ભાયિક સમક્તિના સ્વામી, ધર્માત્મા, યોગી હતા. ત્યારે જ તો મરેલી, હડકાયેલી, ગંધાતી કૂતરીમાં દાંતની સફેદીની અનુમોદના કરી શક્યા.
361
Page #386
--------------------------------------------------------------------------
________________
તે ધર્મક્ષેત્ર અને રાજક્ષેત્ર બંને ક્ષેત્રે એમની નીતિ ભિન્ન હતી. ધર્મક્ષેત્રે વિશિષ્ટ કોટિના ધર્માત્મા, રાજકીય ક્ષેત્રે વિશિષ્ટ કોટિના રાજનીતિજ્ઞ હતા.
ભીષ્મ કે દ્રૌણ જેવા વડીલોની સામે લડતા અચકાતા. અર્જુનને તૈયાર કરવા ‘જેવા સાથે તેવા’ની `Tit for Tat' રાજનીતિનું કૃષ્ણે માંડ્યું હતું.
અજૈન પ્રમાણે કૃષ્ણને ભગવત્ સ્વરૂપ અપાયું છે. જેમાં મારનાર કે જિવાડનાર કૃષ્ણ પોતે જ છે એમ કહ્યું છે.
મહાભારતના યુધ્ધને રોકવાની ઘણી કોશિશ શ્રીકૃષ્ણે કરી. જ્યારે યુધ્ધ નક્કી થયું ત્યારે શ્રીકૃષ્ણની સ્વાર્થ વૃત્તિ હતી જ નહિ. તેનું લક્ષ માત્ર પ્રજા ઉપરથી દુષ્ટોને હટાવી સત્પુરુષને સ્થાપન કરવાનું હતું. આ જ બતાવે છે કે તે ધર્માત્મા હતા.
શ્રીકૃષ્ણના મત પ્રમાણે સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે ‘અનુબંધ’ (પરિણામ)ના વિચાર પર આધારિત છે.
રાજનીતિમાં ચાણક્યને કચાંચ ટપી જાય તેવા શ્રીકૃષ્ણ હતા.
આજના કૌરવોને એમનું સ્થાન બતાવવા કૃષ્ણની નીતિ જ જોઇએ. જો મહાભારતમાં કૃષ્ણ ન હોત તો–
શું યુધિષ્ઠિર કુરુક્ષેત્રે પોતાનો રણ-રથ લાવી શક્યા હોત? અર્જુન તો કદાચ કૌરવોના કપટ જોઇ સાધુ જ બની ગયા હોત! ભીષ્મ તો પોતાની શક્તિઓને તપ માર્ગે વાળી ચૂકયા હોત! સહદેવ અને નકુલ અધ્યાત્મ માર્ગે વળી ગયા હોત! હા.....અંતે એ જ થયું પણ આ બધું પહેલા ન બન્યું તેના કારણમાં મુખ્યત્વે કૃષ્ણ હતા, કારણ કે કૃષ્ણ માનતા હતાઃ ‘રાજા કાલસ્ય કારણમ્'.
શ્રીકૃષ્ણ નેમનાથ ભગવાનના ભાઇ હતા.
ભીષ્મઃ- ભીષ્મ એટલે આત્મભોગની પરાકાષ્ટા-(ધૂપસળી)”
પિતા શાન્તનુ માતા ગંગા
પતિના શિકાર ત્રાસથી થાકેલી ગંગા પિયર ચાલી ગઇ. ત્યાં ચારણ મુનિઓની સહાયથી ભીષ્મમાં ધાર્મિક સંસ્કારનું સિંચન કર્યું. અહિંસા, બ્રહ્મચર્યના મહિમા ભીષ્મએ જીવનસાત્ કરી લીધા.
આત્મ બલિદાન પ્રથમ વાટ.
પિતા શાન્તનુ અને સત્યવતીના લગ્ન સમયે આજીવન બ્રહ્મચર્ય લીધું.
362
Page #387
--------------------------------------------------------------------------
________________
ભવિષ્યમાં ભાવિ પુત્રોના રાજ્યાધિકારમાં આડા આવતા હતા. તેથી એ અધિકાર પણ પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગી દીધો.
પિતા શાન્તનુના મૃત્યુ બાદ તેમના બે પુત્રોની જવાબદારી પણ ભીષ્મએ સંભાળી. (ચિત્રાંગદ, વિચિત્રવીર્ય)
કમનસીબે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય પણ મૃત્યુ પામે છે. આથી ધૃતરાષ્ટ્ર, પાંડુ વગેરેની જવાબદારી પણ ભીષ્મ ઉપર આવે છે.
તેનાથી આગળ વધતા ધૃતરાષ્ટ્ર આંખેથી અંધ ન હતા પણ જ્ઞાનચક્ષુથી તો અંધ જ હતા. પુત્ર મોહના પાટા બાંધ્યા હતા. પાંડુ શારીરિક રીતે નબળા હતા. આથી ધૃતરાષ્ટ્રના ૧૦૦ અને પાંડુના પાંચ પુત્રોની જવાબદારી પણ ભીષ્મ ઉપર આવી.
અજૈન મહાભારતમાં ભીષ્મના મુખે કહેવડાવ્યું છે કે “હું તો પૈસાનો દાસ બની કૌરવ પક્ષે બેઠો છું.” જે ખરેખર ભીખ જેવા મહાન આત્માને અન્યાય કરવા જેવું હોય તેવું લાગે છે.
છેલ્લે કૌરવોના પક્ષે રહી પાંડવોને ઘાયલ કરવાના બદલે પોતે જ ઘાયલ થઈ ગયા.
ખોવાનું બધું ભીષ્મને- સુખ, યશ, જીવન, બધું સહર્ષ કેટલું આત્મ બલિદાન! કેવા અધ્યાત્મયોગી આત્મા!
ભીષ્મની નીતિમત્તા કેટલી જોરદાર કે નિ:શસ્ત્ર, ગરીબ, સ્ત્રી અને નપુંસક સાથે નહિ લડવાની યુધ્ધ નીતિએ શીખંડી સામે શસ્ત્ર ન ઉગામ્યા.
સંસાર ત્યાગની ભાવના તેમની કેટલી ઉગ્ર કે યુધ્ધમાં ઘાયલ થયા બાદ મુનિ વેશ સ્વીકારી છેલ્લું વર્ષ અદ્ભુત સાધનામાં વ્યતીત કરે છે. તેમજ છેલ્લો મહિનો આખોય નિર્જલ ઉપવાસ કરે છે. યુધિષ્ઠિર વગેરે ઉપસ્થિત આત્મા સાથે હાર્દિક ક્ષમાપના કરે છે અને પરમાત્માનું સ્મરણ કરતા દેવલોક પામે છે. તેમનું કેવું જાજરમાન સમક્તિ કે તદ્દન વિરોધી પક્ષો માટે અત્યંત આદરણીય બન્યા હતા.
આવા હતા મહાન ભીખ! ધર્માત્મા ભીષ્મ ! આત્મ બલિદાન વ્યસની ભીખ!
હા.... નિયતિથી નિષ્ફળ છતાં અદુઃખી, આંસુ વિનાના! પરમ પિતૃ ભક્ત! મહાબ્રહ્મચારી! અહિંસક મહામુનિ! ઉગ્ર તપસ્વી! અજાતશત્રુ! સાધક ભીખ! કેવા વંદનીય!
363
Page #388
--------------------------------------------------------------------------
________________
દુર્યોધનઃ
મહાભારતનો દુર્યોધન, મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટ' પુસ્તકનો શેતાન અને જર્મનીનો હેર હીટલર ત્રણેય સમકક્ષ ગણી શકાય. તેને હીટલરનું બિરૂદ આપી શકાય.
શું શેતાન કે દુષ્ટ માણસ જન્મથી હોય છે? ના- સમાજ તરફથી પ્રેમ ન મળતાં, અવગણના થતાં, ધિક્કાર થવાથી, અપમાનિત થવાથી, લઘુતાગ્રંથિથી પીડાઇને શેતાન બને છે.
વ્યાસમુનિએ વારંવાર તેને ‘મૂર્ખ’ અને ‘પાગલ’ તરીકે પણ વર્ણવ્યો છે. ખરેખર, દુર્યોધનમાં મહામૂર્ખતા હતી. અને અહંકારમાંથી રૂપાંતતિરત થયેલું પાગલપન હતું.
નાનપણથી ભીમ તેને ખૂબ મારતો, સતાવતો, ચીડવતો.
દુર્યોધનના જન્મની કરૂણતા- તેને ગાંધારીના પેટમાં ત્રીસ માસ સુધી રહેવું પડ્યું હતું અને તે સમયે ગાંધારીને ભયાનક સ્વપ્ન આવતા હતા. આથી કુલાંગાર પાકશે તેવું સાંભળતા પોતાના જીવન વિશે કેવી નફરત પેદા થઇ હશે ?
તેને મળેલી નિષ્ફળતાઓ
લાક્ષાગૃહના મલ્લો સાથેના યુધ્ધમાં, ઝેર આપવાના અનેક કપોથી ભીમ વગેરેના જાન લેવા, દ્રૌપદીના સ્વયંવરમાં- આ નિષ્ફળતાઓએ લઘુતા ગ્રંથિથી ઘેરી લીધો અને અહંકાર પ્રજ્વળી ઉઠ્યો.
""
વ્યાસમુનિએ તો દુર્યોધનના મોંમા શબ્દો મૂક્યા છે “જાનામિ ધર્મ.. હું ધર્મ અને અધર્મ જાણું છું પણ ધર્મ તરફ જઇ શકું તેમ નથી અને અધર્મથી પાછો હટી શકું એમ નથી.
દુર્યોધનના પાત્ર પરથી તમામ વડીલોએ બોધ લેવા જેવો છે કે આશ્રિત વ્યક્તિને તિસ્કારવો નહિ. કોઇ કારણે કોઇને છોડી શકાય પણ તરછોડી તો ન જ શકાય. નહિ તો તમામ નિર્દોષ ફૂલો ખીલ્યા પહેલા કચડાઇ જશે, કરમાઇ જશે, ખતમ થઇ જશે.“ કર્ણ -
નિયતિના કારમા અંધકારમાં અને ધિક્કારની આગમાં સતત ટીચાતો-કુટાતો, બળતો અને જલતો જીવ એટલે કર્ણ.
在
પાંડુ અને કુંતીના લગ્ન થતા પૂર્વે સ્નેહના આવેશમાં મર્યાદા ઓળંગી તેનું પરિણામ કર્ણ.
364
Page #389
--------------------------------------------------------------------------
________________
વ્યાસ રચિત મહાભારતમાં કર્ણ એ વ્યાસનું લાડકું પાત્ર હોય એમ લાગે. કર્ણ મહાન હતો પણ સંયોગોએ તેને અધમ બનવાની પ્રેરણા આપી. તેનામાં ટોચના ૪ ગુણ હતા. પરાક્રમી, શૂરવીર, વફાદાર, ફતશી, દાનેશ્વરી. કર્ણને વિશેષ સમજવા તો મહાભારત ગ્રંથનો રસ વાંચવો કે ચાખવો જ પડે.
જ્યારે કુંતી તેને “રાધેય’ના બદલે કાંતેય કહેવાનું કહે છે ત્યારે તે સ્પષ્ટ ના પાડી દે છે. કેવી કૃતજ્ઞતા છે તેની પાલક માતા પ્રત્યે તે આ એક વાક્ય પરથી ખ્યાલ આવી જાય. યુધિષ્ઠિર, અર્જુન -
“ઓ દ્વૌપદી! ધર્મ તો મારો સ્વભાવ છે. કોઈ પણ સંયોગોમાં હું તેનો ત્યાગ કરી શકું તેમ નથી.” આ હતા સત્યનિષ્ઠ ધર્મરાજ યુધિષ્ઠિરના શબ્દો.”
જ્યારે પણ દ્રૌપદી આગ બની, ભીમ અને અર્જુન પેટ્રોલ બન્યા. ત્યારે ધર્મરાજ પાણી બનીને જ તે આગ ઉપર વરસતા રહ્યા. આગને ઠારતા રહ્યા. તે જાણતા હતા કે Dynamicની સામે Static બનવું પડે.
યુધિષ્ઠિરનો અર્થ આમ તો યુધ્ધમાં અડગ એવો થાય છે. પણ યુધિષ્ઠિર તો મનુષ્યના અંતરમાં ચાલતા સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, ન્યાય-અન્યાય, કૃપણતા ઉદારતા, વૈર-ક્ષમાના સમરાંગણના તે યોધ્ધા છે. અને અવિચલ યોધ્ધા છે.”
શું ખબર? કુરુક્ષેત્રના મેદાનમાં ખરેખર ગીતાની રચના થઇ છે કે નહિ? જે હોય તે, પરંતુ એ વાત નક્કી છે કે તે દ્વારા શ્રીકૃષ્ણ બે ઉપદેશ આપ્યા
(૧) અહંકાર છોડવા દ્વારા યશકીર્તિની આસક્તિનો ત્યાગ કરો. (ર) સહજ રીતે સ્વધર્મનું પાલન કરો.
શ્રીકૃષ્ણ સાતસો શ્લોકમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો તે જ ગીતા. શ્રીકૃષ્ણ અર્જુનના અહંકારને ગીતાથી માર્યો.
યુધ્ધ માટે શ્રીકૃષ્ણની મદદે ગયેલા અર્જુને નિ:શસ્ત્ર શ્રીકૃષ્ણની માંગણી કરી. આમાં તેની ધાર્મિકતા અને નિર્મળ બુધ્ધિમતા જોવા મળે છે.
અર્જુન ભલે દુર્યોધનની જેમ ઇમેજ'નો આગ્રહી હતો, યશનો કામી હતો, અપયશનો ભીરૂ હતો, તેથી સ્વધર્મનો ત્યાગ કરવા ઉત્સુક બની ગયો હતો. છતાંય જીવદળ ઉત્તમ હતું. આથી જ દુર્યોધનની જેમ શ્રીકૃષ્ણ તેને ગદાથી, જાનથી માર્યો
365
Page #390
--------------------------------------------------------------------------
________________
નથી, ગીતાથી માર્યો.
ગીતાનું મૂળ અર્જુનના વિષાદ છે જે યોગ બની ગયો. ગીતામાં જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગનું સુંદર નિરૂપણ હશે પણ શ્રેષ્ઠ નિરૂપણ તો આ નેત્ર દીપક વિષાદ યોગ (પોતાના જ સ્વજનો, સ્નેહીઓ, ગુરુ સાથે યુધ્ધ).
નપુંસક બનવાના કારણે અર્જુન વિરાટ નગરમાં આખુ વર્ષ ગુપ્ત રહી શક્યો. આ અપમાન જ તેના ઉધ્ધારનું નિમિત્ત બન્યું. ભીમ - ભીમ એ કોઇ રૂપકની છાયા નથી, પણ ભાવત્સલ, સત્યપ્રેમી, ભોળો, પૃથ્વી તત્વથી ભરેલો, અન્યાય સામે ભીષણ રૂપ બની દુઃશાસનની છાતી ચીરનારો, રગે રગે જીવતો જાગતો, બંધ કાનને બંધ આંખવાળાને પણ પ્રત્યક્ષ થનારો સદેહ પુરુષ છે.”
દુઃશાસનના રુધિરપાન વખતના તેના વેણથી વૈરીના કાળજા કંપે છે. એટલું જ નહિ હાડકાંયે જાણે ગળવા લાગે છે.
દુઃશાસને પકડી તે બધાને પડકારે છે,અરે કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા હું આ દુઃશાસનનો વધ કરું છું. તમે બધા ભેગા મળીનેય તેને બચાવવા તો આવો.” અને પછી દુઃશાસનના ગળા પર પગ મુકી કહે છે કે “અરે દુરાત્મા, તારો એ હાથ બતાવ, જે હાથવતી તે અવભૂથસ્થાનથી પવિત્ર થયેલા દ્વીપદીના કેશને ખેંચ્યા હતા. તેનો હાથ મરડી તોડી રણ મેદાનમાં ફેંકી, ફરી દુઃશાસનના સાગરીતોને સાદ કરે છે, જેને પોતાના બળનું અભિમાન હોય તે આવી આ દુરાત્માને બચાવો.” દુઃશાસનની છાતી ચીરી ઊભો ઊભો લોહી પીતા રણાંગણમાં સૌ સાંભળે તેમ કહે છે, “માના દુધ, મધે, અરે! અમૃતે મને આ રુધિર જેવો સ્વાદ નથી આપ્યો.” આ વાક્યો કોઈ છાયાપાત્ર ઉચ્ચારી ન શકે.
દુર્યોધન અને ભીમ અનેકવાર અથડાઈ પડતા. ભીમની પ્રચંડ શારીરિક તાકાત સામે દુર્યોધન ટકી શકતો ન હતો. એ તો ઠીક, પરંતુ પોતાની નાદાનયિતાને કારણે વિજય પામ્યા બાદ ભીમ દુર્યોધનની ખૂબ મશ્કરી કરવા લાગ્યો. જેનાથી ભેદભાવ પડ્યો. ભીમની શક્તિના અજીર્ણના પ્રત્યાઘાત રૂપે દુર્યોધનમાં ઈર્ષ્યા ભડકી ઉઠે છે. જે ભવિષ્યમાં મહાસંહારક ભડકાનું કારણ બની." દ્રોપદી -
ખૂન કા બદલા ખૂન સે....'' આ હતું રાજા દ્રુપદની પુત્રી પાંડવ પત્ની દ્વૌપદીનું જીવન સૂત્ર.
366
Page #391
--------------------------------------------------------------------------
________________
- જ્યારે યુધિષ્ઠિર કહેતા “ખૂન કા બદલા દેર સે.” કેવો વિરોધાભાસ બંને પતિપત્ની વચ્ચે.
| દિવ્યસભામાં દ્રૌપદીએ દુર્યોધનની ભયંકર હાંસી ઉડાવી હતી. તે બોલી ગઈ, “આંધળાનો દીકરો તો આંધળો જ હોય ને?' બસ.... આમાંથી જ મહાભારતનું બીજ રોપાયું. બસ....... આ જ કારણથી દુર્યોધને તેણી એમ.સી.માં હતી તો તેની પરવા કર્યા વિના દુઃશાસન દ્વારા ચોટલો પકડાવી બહાર ઢસેડી લાવવાનો આદેશ કર્યો.
દ્વૌપદી સતી નહિ મહાસતી હતી. પાંચ પુરુષની પત્ની હોવા છતાં પણ. કારણકે સીતા વગેરે સતીઓને તો આજીવન-ચોવીસ કલાક એક જ પુરુષમાં સર્વથા ઓતપ્રોત રહેવાનું હતું. જ્યારે દ્રૌપદીને દર વર્ષે પાંચમાંથી એક જ પુરુષને પોતાનો પતિ જોવાનો હતો. બાકીના ચારને તે વર્ષમાં સગા ભાઈ તરીકે સ્વીકારવાના હતા. દર વર્ષે પતિ બદલાય. જેમાં દ્રૌપદી સાંગોપાંગ ઉતરી માટે જ તો તેને મહાસતી કહેવી જોઈએ. ઇતિહાસની તવારીખોમાં આ “મહાસતીત્વ' પહેલીવારનું અને છેલ્લીવારનું હતું.
દ્વીપદીના પાંચ પુરુષની પત્ની બનવા પાછળ અને ક્રોધી રહેવા પાછળ બે કારણ હોઇ શકે. ૧) દ્વૌપદીનો જીવ માતાના પેટમાં પ્રવેશ કરે છે ત્યારે હુપદ રાજા ક્રોધથી કંપિત હતા અને એ જ ચિત્ત અવસ્થામાં સંસાર સુખ ભોગવ્યું હતું. ૨) પૂર્વના ભવમાં તે સુકુમાલિકા નામે સાધ્વી હતી અને ગુરુની ઉપર વટ જઈ તેણે જંગલમાં સૂર્યની આતાપના લેવાનું તપ કર્યું. તેણે તે તપનું ફળ આ સુખભોગ માંગી નિયાણું કર્યું. આથી જ તે પાંચ પાંડવોની પત્ની બની.
જીવનના અંતે તે દીક્ષા લે છે અને સ્વર્ગે જાય છે.” દ્રોણાચાર્ય અને એકલવ્ય -
અપમાનો બદલો લેવાની વૃત્તિ કેટલું ભયાનક સ્વરૂપ લઈ શકે છે? તે બરાબર જાણવું હોય તો દ્રોણાચાર્યના પાત્ર ઉપર નજર રાખવી જ રહી.
ગરીબીનો ભોગ બનેલા દ્રોણ જ્યારે દ્રુપદ રાજાની મદદ માંગવા જાય છે અને ત્યાં એમનું જે ભયંકર અપમાન થયું તેમાંથી મહાભારતનું ભયાનક યુધ્ધ જામી પડ્યું.
દ્રુપદને શબક શીખવાડવા માટે જ આ બ્રાહ્મણ ક્ષત્રિય રાજકુમારોને શસ્ત્રવિદ્યા શીખવાડે છે. બ્રાહ્મણ શાસ્ત્રવિદ્યા શીખવી શકે પણ શસ્ત્રો હાથમાં લઈને યુધ્ધ કદી
367
Page #392
--------------------------------------------------------------------------
________________
કરી ન શકે.” આવી સનાતન વ્યવસ્થાનો દ્રોણે ભંગ કર્યો. તેણે હાથમાં શસ્ત્ર લીધા. છેવટે પુત્રમોહથી(અશ્વત્થામા) તે યુધ્ધ ભૂમિમાં સ્વધર્મ ગુમાવી હારી બેસે છે. (સાચો માણસ એ જ છે જે કર્તવ્ય સામે કોઇપણ પ્રકારની લાગણી આવવા ન દે.)
દ્રુપદનો વેરી દ્રોણ પાંડવો સાથે ન રહી શકે એનું કારણ એ જ કે દ્રુપદની દિકરી દ્રૌપદીના લગ્ન પાંડવો સાથે થયા હતા. તેથી જ તો દ્રૌપદીના વસ્ત્રહરણના પ્રસંગે દ્રોણ મૌન રહ્યા.
વેરનો અગ્નિ ભલભલાની બુધ્ધિ નષ્ટ કરે છે.
અયોગ્ય વ્યક્તિએ શસ્ત્રો લીધા તો અન્યાય ક્રૂરતા અને ભયાનક ઘાતકીપણાનો જ આશ્રય લીધો.
એકલવ્યની entry મહાભારતમાં– ભસીને ત્રાસ દેતા કૂતરાને બાણો ફેંકીને ચૂપ કરી દીધો. ત્યારથી highlightમાં આવે છે. તેને વિદ્યાગુરુનું નામ પૂછતાં ખબર પડે છે કે તેના ગુરુ દ્રોણાચાર્ય છે. દ્રોણાચાર્યને જઈને અર્જુન બધી જ વાત કરે છે. દ્રોણાચાર્ય ખુદ એકલવ્યને મળવા આવે છે. એકલવ્યની આ મહાન સિધ્ધિ પાછળનું કારણ તેનો વિનયભાવ. તે ગુરુને જ સર્વસ્વ માનતા હતા. Truth બે પ્રકારનું હોય Objective (વાસ્તવિક) અને Ideal reality (કાલ્પનિક). કેટલીકવાર વાસ્તવિક કરતાં પણ અસર કાલ્પનિકમાં હોય છે. અને એકલવ્યની બાબતમાં આવું જ બન્યું છે.
આ પરથી ફલિત થાય છે કે ભલે આજે સાક્ષાત્ પરમાત્મા નથી પરંતુ Ideal realityથી આપણે તેને મેળવી શકીએ છીએ.
દ્રોણે દૂરથી જોયું કે એકલવ્ય ગુરુમૂર્તિની સામે એકલો બોલતો હતો “ગુરુજી! હવે શું કરું? આ રીતે ધનુષ પકડું? આ તરફ તીર તાકું? આપ જ કહો. આપ જ મારું સર્વસ્વ છો. વન્દ દ્રોણે મહાગુરું.......' વગેરે.....
બંને જ્યારે તેની પાસે આવે છે ત્યારે એકલવ્ય તેમના ચરણોમાં પડે છે અને તેમની લીધેલી તમામ કસોટીમાં પાર ઉતરે છે.
અરે! ગુરુદક્ષિણામાં માથું આપવા તૈયાર થઈ જાય છે. પણ ખેદ! દ્રોણે તેની પાસે માત્ર ડાબા હાથના અંગૂઠાનું દાન માંગી તેને “અજોડ બાણાવાળી” બનતો અટકાવ્યો. ખેર......... આ સજા વધુ પડતી લાગે છે.
દ્રોણાચાર્યની આ કપટી સજામાં દ્રોણાચાર્ય ભલે મહાભારતમાં વિવાદાસ્પદ બન્યા પરંતુ એકલવ્ય તો વિશિષ્ટ કોટીના આત્મબલિદાની તરીકે પંકાઈ ગયો. આથી જ તો તે વખતે દેવોએ એકલવ્ય ઉપર પુષ્પવર્ષા કરી તેનું સમ્માન કર્યું. (આ ઘટના વિદ્યાદાનની છૂટ્ટીના કારણે અર્જુન પુષ્પકરંડક વનમાં ફરવા નીકળ્યો ત્યાં બની છે.)
368
Page #393
--------------------------------------------------------------------------
________________
વિ.સં.૧૨૭૧
ધર્મરત્ન પ્રકરણ
શ્રી શાંતિસૂરિ મ.સા.કૃત ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ શ્રી શાંતિસૂરિ મ.સા.એ રચ્યો છે. જેઓશ્રી બૃહદ ગચ્છમાં શ્રી સર્વદેવ સૂરિના શિષ્ય શ્રી નેમિચંદ્રસૂરિના શિષ્ય હતા. તેઓશ્રી એ સંવત ૧૨૭૧ના વૈશાખ સુદ ૮ ગુરૂવારના રોજ આ ગ્રંથ રચ્યો છે. તે સ્વોપજ્ઞવૃત્તિ સાથે છે. આ ગ્રંથના રચનાર મહાત્માથી અર્વાચીન શ્રી દેવેંદ્રસૂરિએ આ ગ્રંથની બીજી મોટી ટીકા ચૌદમા સૈકાના આરંભમાં રચેલ છે. ધર્મરત્ન પ્રકરણ ગ્રંથની મૂળ ગાથા ૧૪પ છે.
આ ગ્રંથમાં શ્રાવક અને સાધુના સંબંધથી બે પ્રકારના ધર્મરત્ન કહેલ છે. આ ગ્રંથની ત્રણ વાચના છે.
પ્રથમ વાચનામાં એકવીશ ગુણનું સ્વરૂપ છે. શ્રાવકના એકવીશ ગુણો અશુદ્રપણું વગેરેનું સરલ અને સુંદર વિવેચન કથાઓ સાથે જ પ્રથમ વાચનામાં આપેલ છે.
પ્રથમ ગુણ-અશુદ્ધ માટે નારદ-પ્રવર્તક કથા (પા-૧૭) ગુણ-૩ સૌમ્ય માટે અંગષિની કથા (પા-ર૯) ગુણ-૪ લોકપ્રિય માટે સુજાતની કથા (પા-૩૪) ગુણ-૬ પાપભીરૂ માટે સુલસની કથા (પા-૪૨) ગુણ-૮ દાક્ષિણ્ય માટે ક્ષુલ્લક કુમારની કથા (પા-૪૭) ગુણ-૯ લજ્જાળુ માટે શ્રી ચંડરૂદ્રચાર્યના શિષ્યની કથા (પા-પ૪) ગુણ-૧૦ દયાળુ માટે ધર્મરુચિની કથા છે. (પા-પ૯). ગુણ-૧૧ મધ્યસ્થ માટે સોમવસુ બ્રાહ્મણ કથા (પા-૬૧) ગુણ-૧૨ ગુણનો રાગી માટે ધનસાર્થવાહ-વંકચૂલ કથા (પા-૭૦) ગુણ-૧૪ સુપક્ષ યુક્ત માટે પ્રભાકર-જિનમતિ કથા (પા-૭૬) ગુણ-૧૫ દીર્ઘ દર્દીપણા માટે ધનશ્રેષ્ઠી કથા (પા-૭૯) ગુણ-૧૮ વિનય માટે પુષ્પસાળના પુત્ર ફળસાળની કથા (પ-૮૭) ગુણ-૧૯ કૃતજ્ઞ માટે ભીમની કથા (પા-૯૦) ગુણ-ર૦ પરહિતાર્થકારી માટે વિજયનું દૃષ્ટાંત (પા-૯૫) ગુણ-ર૧ લબ્ધ લક્ષ્ય માટે શ્રી આર્યરક્ષિતની કથા (પ-૧૦૦)
એકવીસ ગુણના ઉપસંહાર ઉપર ચિત્ર વિનાની ચિત્રવાલી ભૂમિકથા છે. (પ-૧૦૭) બીજી વાચનામાં ભાવશ્રાવકનું સ્વરૂપ છે.
369
Page #394
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રકારના શ્રાવકોના વર્ણનમાં આરોગ્યદ્વિજની કથા છે. (પા-૧૧૭) શીલવંત શ્રાવક કોને કહેવો તે ઉપર મહાશતકની કથા છે. (પા-૧૩૮) ભાવશ્રાવકના પાંચ ગુણનું સ્વરૂપ વર્ણવતા ત્રીજા લક્ષણ ઉપર ચશસુયશની કથા (પા-૧૫૦)
ચોથા લક્ષણ ઉપર ધર્મનંદનું દુષ્ટાંત છે. (પા-૧૫૮)
ત્રીજા ચોથા ભેદ ઉપર સંપ્રતિરાજાનું દ્દષ્ટાંત છે. (પા-૧૬૬)
પાંચમા લક્ષણ પ્રવચન કુશળ ઉપર શ્રાવક ધર્મી પદ્મશેખર રાજાની કથા (પા-૧૭૯) ધર્મક્રિયા કરતા લજ્જા ન પામવા ઉપર નાગદેવ અને દત્ત શ્રેષ્ઠીની કથા. (પા-૨૧૩) ચારિત્રનો મનોરથ સેવનાર ગૃહવાસ પર ઉદાસીનતા કેળવનાર વસુદેવ શ્રેષ્ઠીના પુત્ર સિધ્ધની કથા છે. (પા-૨૨૪)
ત્રીજી વાચનામાં ભાવ સાધુના સાત લિંગનું વર્ણન કરતા શ્રી આર્યમહાગિરિની કથા (પા-૨૮૬), શ્રી શિવભૂતિની કથા (પા-૨૯૧), શ્રી શબર રાજાની કથા (પા૩૦૮), શ્રી સેલગસૂરિની કથા (પા-૩૧૬) આપી છે.
શ્રાવક અને સાધુના સંબંધથી બે પ્રકારના ધર્મરત્નને આ ગ્રંથમાં જણાવેલ છે. પૂર્વાચાર્યો પુરુષોની શ્લાઘા કરી સ્વપરના અનુગ્રહથી જ પોતાના જ મતિવૈભવ અનુસારે આ ભાવર્થ સંક્ષિપ્તમાં ગ્રંથ વડે રચ્યો છે. તેને સમ્યક્ પ્રકારે સિધ્ધાંતને અનુસરી યુક્તિ વડે જે વિચારે તેઓ પાપ રહિત થઇ મોક્ષ સુખ પામે છે. એમ જણાવી શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરી શાંતિસૂરિ મહારાજે આ ગ્રંથ સમાપ્ત કર્યો છે.
આમ સમ્યક્ત્વને પાયો બનાવી જેણે ગુણો ધર્મરત્ન પ્રાપ્ત કરે છે તે ક્રમશઃ ભાવશ્રાવક ને ભાવસાધુપણાને પ્રાપ્ત કરી પરમપદનો અધિકારી બને છે.
આ ગ્રંથનું પુનઃપ્રકાશન કરવાની પ્રેરણા સં.૨૦૪૧માં મુનિ શ્રી કાંતિવિજયજી મ.સા. તથા.મુ.શ્રી વિક્રમ વિજયજી મ.સા.એ કરેલ છે.
ગ્રંથનું પુનઃપ્રકાશન મુનિ શ્રી હરીશભદ્રવિજયજી મ.સા.એ કરેલ છે.
શીલોપદેશમાલા
શીલોપદેશમાલા મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી જયસિંહસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય આચાર્ય શ્રી જયકીર્તિસૂરીજી છે. તેઓશ્રીના જીવનની વિશેષ કોઇ માહિતી મળતી નથી. મૂળ ગ્રંથ ઉપર શીલતરંગિણી નામની સંસ્કૃત ટીકા રુદ્રપલ્લીય ગચ્છના આચાર્ય શ્રી સંઘતિલકસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી સોમતિલકસૂરિજીએ
370
Page #395
--------------------------------------------------------------------------
________________
વિ.સં.૧૩૯૪માં કરી છે. તેમનું બીજું નામ વિદ્યાતિલક હતું. તેઓશ્રીએ બીજા પણ વીરકલ્પ, ષડદર્શન સૂત્ર-ટીકા, લઘુસ્તવટીકા, કુમારપાલદેવ ચરત વગેરે ગ્રંથોની રચના કરી છે.
પૂર્વે
આ ગ્રંથનું પ્રકાશન વિ.સં.૧૯૬૬માં જામનગર નિવાસી પંડિત શ્રાવક શ્રી હીરાલાલ હંસરાજ તરફથી કરવામાં આવેલું. તે ગ્રંથ વર્તમાનમાં અપ્રાપ્ય હોવાથી શુધ્ધિ સહિત વર્તમાન લિપિમાં પુનઃપ્રકાશન કરવા માટે સહાયક આચાર્ચ લલિતશેખરસૂરીશ્વરજી મ.સા (સંપાદન કરનાર) પ.પૂ.આચાર્ય દેવ શ્રીરાજશેખર સૂરીશ્વરજી મ.સા છે.
આ ગ્રંથ ૧૧૪ ગાથાનો છે.
આ ગ્રંથમાં શીલનું મહત્ત્વ સમજાવવા અનેક દ્દષ્ટાંતો છે.
અગડદત્તનું દુષ્ટાંત (ગાથા-૮૬, પા-૨૦૬) અંજનાસુંદરી (ગા-૫૪) (પા-૧૧૬)
આર્દ્રકુમાર (ગા-૩૦) (પા-૨૭) ઇન્દ્ર (ગા-૨૦) (પા-૨૪) ઋષિદત્તા (ગા-૫૫) (પા-૧૩૩) કમલા (ગા-૫૫) (પા-૧૫૫) કલાવતી (ગા-૫૫) (પા-૧૫૯) ફૂલવાલક (ગા-૬૩) (પા-૧૮૩)
ગુણસુંદરી-પુણ્યપાલ (ગા-૪) (પા-૪)
ચંદ્ર (ગા-૨૦) (પા-૨૪), દત્તપુત્રી (શૃંગાર મંજરી) (ગા-૬૬, પા-૧૯૬) દમયંતી (ગા-૫૫, પા-૧૪૨), દ્વૈપાયમાન ઋષિ (ગા-૮, પા-૧૦)
દ્રૌપદી (ગા-૬૪, પા-૧૮૬), ધનશ્રી સતી (ગા-૧૧૩, પા-૨૩૫)
નર્મદા સુંદરી (ગા-૫૪, પા-૧૨૩), નેમનાથ(નવભવની વિગત) (ગા-૩૯, પા-૩૮)
નારદ (ગા-૧૨, પા-૧૨), નપૂર પંડિતા (ગા-૬૬, પા-૧૯૦) નંદિષેણ (ગા-૩૧, પા-૩૨), નળદમયંતી (ગા-૫૬, પા-૧૭૫) પ્રદેશી રાજા (ગા-૮૭, પા-૨૧૩), બ્રહ્મા (ગા-૨૦, પા-૨૨) મદનરેખા સતી (ગા-૫૩. પા-૧૦૭), મનોરમા (ગા-પ૬, પા-૧૭૮) મલ્લિનાથ ભગવાન (ગા-૪૦, પા-૬૩), મહાદેવ (ગા-૨૦, પા-૨૩) રતિ સુંદરી (ગા-૫૪, પા-૧૨૯), રહનેમિ (ગા-૩૨, પા-૩૪) રિપુમર્દન-ભુવનાનંદા (ગા-૧૭, પા-૧૬), રુક્ષ્મણી (ગા-૮, પા-૮) રોહિણી (ગા-પ૬, પા-૧૭૮), વજસ્વામી (ગા-૪૨, પા-૮૧)
371
Page #396
--------------------------------------------------------------------------
________________
વિશ્વામિત્ર ઋષિ (ગા-૮, પા-૧૧), વંકચૂલ (ગા-૪૬, પા-૯૯) શીલવતી (ગા-૫૬, પા-૧૬૭), સીતાજી (ગા-૧૦૮, પા-૨૨૨) સુદર્શન શેઠ (ગા-૪૫, પા-૯૩), સુભદ્રાસતી (ગા-પર, પા-૧૦૪) સુંદરી (ગા-૫૪, પા-૧૧૨), સૂર્ય (ગા-૨૦, પા-૨૪) સ્થૂલભદ્ર (ગા-૪૧, પા-૭૪)
ઉપરના દૃષ્ટાંતો દ્વારા શીલનું મહત્ત્વ સમજાવી ગ્રંથકાર શીલપાલનનો ઉપદેશ આપે છે. અને શીલ રક્ષાનો ઉપાય, શીલપાલનના ફળનું કથન, સ્ત્રીના દોષો, સ્ત્રીઓથી વિરક્ત બનેલાની પ્રશંસા, સતી શબ્દનો અર્થ, તત્ત્વજ્ઞાની કે પંડિત માટે પણ શીલપાલન દુષ્કર છે. આદિ અનેક બાબતોનો આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે.
આમ, આ ગ્રંથ શીલની મહત્તા દર્શાવે છે.
૧૬મી સદી
પ્રદ્યુમ્ન ચરિત્ર સંવત ૧૫૩૧
પ્રદ્યુમ્ન સંક્ષિપ્ત કથાઃ- શ્રી કૃષ્ણની રાણી રુક્મિણીથી પ્રદ્યુમ્ન જન્મ્યા હતા. જન્મની છઠ્ઠી રાતે તેને ધૂમકેતુ રાક્ષસ અપહરણ કરી લઇ ગયો. અને એક શીલા નીચે દબાવી ભાગી ગયો. તે વખતે કાલસંવર વિદ્યાધરે તેને ઉપાડી લીધો અને પોતાની પત્નીને પુત્રરૂપે ઉછેરવા આપી દીધો. જ્યારે પ્રદ્યુમ્ન યુવાન થયો ત્યારે તેણે કાલસંવરના શત્રુ સિંહરથને હરાવ્યો. પ્રદ્યુમ્નનું બળ અને તેનું પ્રતિભાચાતુર્ય જોઇ કાલસંવરના બીજા પુત્રો ઇર્ષ્યાથી બળવા લાગ્યા. જિનદર્શનના બહાને તેઓ તેને વનમાં લઇ ગયા અને એક પછી એક અનેક વિપત્તિઓમાં તેને ફસાવતા ગયા. પરંતુ પ્રદ્યુમ્ન તો નિર્ભયતાથી વિપત્તિઓ ઉપર વિજય મેળવી અનેક વિદ્યાઓ પામી સમૃધ્ધ બની ગયો. તેણે પોતાના બુધ્ધિ કૌશલ્યથી પાલક માતા કંચનમાલા પાસેથી પણ ત્રણ વિદ્યાઓ પ્રાપ્ત કરી. પરંતુ કંચનમાલા પોતાનો સ્વાર્થ સધાતો નથી એ જોઇ ગુસ્સે થઇ ગઇ. કાલસંવરના કાન ભંભેર્યા, તે પ્રદ્યુમ્નને મારવા તૈયાર થયો. તે જ વખતે નારદે આવી પ્રદ્યુમ્નનો બચાવ કર્યો. પછીથી વાસ્તવિક સ્થિતિની જાણ થઇ. પ્રદ્યુમ્ન દ્વારિકા જવા નીકળ્યા. રસ્તામાં દુર્યોધનના વિવાહ માટે જઇ રહેલી કન્યાનું અપહરણ કરી વિમાનમાં દ્વારિકા આવ્યા. દ્વારિકા આવ્યા પછી પોતાની બીજી માતાના પુત્ર ભાનુકુમાર અને સત્યભામાને પોતાની વિદ્યાઓથી ચકિત કરી દીધા. ત્યારબાદ બ્રહ્મચારીનો વેશ લઇ તે પોતાની માતા રુકમણિ પાસે ગયા. ત્યાં પોતાના કાકા બલરામ અને સત્યભામાની દાસીઓની પજવણી કરી. પછી પ્રદ્યુમ્ને માયા કરી
372
Page #397
--------------------------------------------------------------------------
________________
રુક્મણિને શ્રીકૃષ્ણની સભા આગળથી હાથ પકડી ખેંચી લઇ જઇને શ્રીકૃષ્ણને લલકાર્યા. કૃષ્ણ અને પ્રદ્યુમ્ન વચ્ચે ખૂબ યુધ્ધ થયું. આની વચ્ચે નારદે આવીને પ્રદ્યુમ્નનો પરિચય આપ્યો તેથી બધા ખૂબ રાજી થયા. પ્રદ્યુમ્નનું સારું સ્વાગત કરવામાં આવ્યું અને નગરમાં ઉત્સવ કરવામાં આવ્યો. પ્રદ્યુમ્ને ઘણો સમય રાજસુખ ભોગવી પછી દીક્ષા લીધી. અંતે નિર્વાણ પ્રાપ્ત કર્યું.
૩૮
પ્રદ્યુમ્ન ચરિત્ર ઉપર રચાયેલી કૃતિઓના કોઠા ઉપરથી એમ કહી શકાય કે આ ચરિત્રને સૌ પ્રથમ સ્વતંત્ર ચરિત્ર અને કાવ્યના રૂપમાં પ્રસ્તુત કરવાનું શ્રેય પરમારવંશીય નરેશ સિંધુરાજના સમકાલીન આચાર્ય મહાસેનને જાય છે.
પ્રદ્યુમ્ન ચરિતઃ- ભટ્ટારક સોમકીર્તિકૃત પ્રદ્યુમ્ન ચરિત કાલક્રમમાં ત્રીજી રચના છે. ૧૬ સર્ગ, ૬૦૦૦ શ્લોક પ્રમાણ છે. સંસ્કૃત ભાષામાં છે. કથા પ્રબંધ સુંદર, આકર્ષક છે. રચના સં.૧૫૩૧ પોષ સુદઃ૧૩ બુધવારના થઇ છે.
સામ્યપ્રદ્યુમ્ન ચરિતઃ- આ ગ્રંથ ૧૬ સર્ગોમાં ૭૨૦૦૦ શ્લોક પ્રમાણ છે. આમાં પ્રદ્યુમ્ન અને તેના અનુજ સામ્બના લોકરંજન ચરિત્રોનું આલેખન છે. આ કથા અન્નકૃત દશાંગના ચોથા વર્ગના આઠમા સૂત્રમાં આવે છે. તેને સુધર્મા ગણધરે જમ્મૂને કહી હતી. આ ગ્રંથની રચના નૂતન ચરિત્ર કરણ પરાયણ પંડિત ચક્રવર્તી પં.શ્રી રવિસાગર ગણિએ કરી છે. રચના સં.૧૬૪૫માં પૂરી કરી હતી.
પ્રદ્યુમ્ન ચરિતઃ- આ ગ્રંથ ૧૬ સર્ગમાં, ૩૫૬૯ શ્લોક પ્રમાણ છે. પ્રદ્યુમ્નને નિમિત્ત બનાવીને સૌરાષ્ટ્ર વગેરે દેશો, દ્વારિકા વગેરે નગરીઓ, વિવિધ વન, નગ, સરોવર વગેરેના સરસ પ્રાકૃતિક વર્ણન આપ્યા છે. એક બાજુ રુકમિણી, સત્યભામા વગેરે કૃષ્ણની પત્નીઓના જીવનાલેખન દ્વારા સ્ત્રી સ્વભાવનું, તો બીજી બાજુ પ્રવાસ, ચાત્રાઓ વગેરેના સુયોગ્ય ચિત્રણ દ્વારા પ્રાચીન પુરુષોની પરદેશ પ્રવાસ કુશળતા અને યુધ્ધાદિ વર્ણનોમાં નીતિરીતિ પરાયણતાનું દર્શન કરાવવામાં આવ્યું છે.
આ ગ્રંથના રચયિતા તપાગચ્છમાં હીરવિજય સન્તાનીય શાંતિચંદ્ર વાચક શિષ્ય રત્નચંદ્ર ગણિ છે. આ કૃતિ સં.૧૯૭૪માં સૂરતમાં આસો મહિનાની વિજયાદસમીએ પૂર્ણ થઇ હતી.
વીસમા કામદેવ વસુદેવના પૌત્ર તથા નવમા નારાયણ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન જૈન ધર્મસંમત એકવીસમા કામદેવ હતા. પ્રદ્યુમ્ન ચરિત જૈન કવિઓને એટલું તો રુચિકર હતું કે તેને સાધારણ પુરાણોમાં પર્યાપ્ત સ્થાન દેવા ઉપરાંત સ્વતંત્ર કાવ્યો પણ તેના ઉપર તેમણે રચ્યા. આજ સુધી સંસ્કૃત, અપભ્રંશ, હિંદીમાં તેના ઉપર રચાયેલી ૨૫ થી વધુ કૃતિઓ મળી છે. કેટલીક પ્રકાશિત કૃતિઓ નીચે પ્રમાણે છે.
373
Page #398
--------------------------------------------------------------------------
________________
(૧) પ્રદ્યુમ્ન ચરિત મહાસેનાચાર્ય
૧૧મી સદી (૨) પ્રદ્યુમ્ન ચરિત ભટ્ટારક સકલકીર્તિ
૧૫મી સદી (૩) પ્રદ્યુમ્ન ચરિત ભટ્ટારક સોમકીર્તિ
સં-૧પ૩૦ (૪) શામ્બપ્રદ્યુમ્ન ચરિત રવિસાગરગણિ
સં.૧૬૪પ (૫) પ્રદ્યુમ્ન ચરિત શુભચન્દ્ર
૧૭મી સદી (૬) પ્રદ્યુમ્ન ચરિત રત્નચન્દ્ર
સં.૧૯૭૧ (૭) પ્રદ્યુમ્ન ચરિત ભટ્ટા મલ્લિભૂષણ
૧૭મી સદી (૮) પ્રદ્યુમ્ન ચરિત ભટ્ટા.વાદિચન્દ્ર
૧૭મી સદી (૯) પ્રદ્યુમ્ન ચરિત ભટ્ટારક ભોગકીર્તિ
અજ્ઞાત સમય (૧૦) પ્રદ્યુમ્ન ચરિત જિનેશ્વરસૂરિ
અજ્ઞાત સમય (૧૧) પ્રદ્યુમ્ન ચરિત યશોધર
અજ્ઞાત સમય ૧૭મી સદી પાંડવપુરાણ
સંવત ૧૬૦૮ પાંડવપુરાણ - આ ગ્રંથમાં પાંડવોની રોચક કથાનું આલેખન કરવામાં આવ્યું છે. તેમાં રપ પ છે. તેની શ્લોક સંખ્યા ૬૦૦૦ છે. આ પુરાણની રચનામાં ગ્રંથકર્તાએ જિનસેનના હરિવંશ પુરાણ વગેરે અને ઉત્તરપુરાણ તથા શ્વેતાંબર રચના દેવપ્રભસૂરિ ફત પાંડવ ચરિતનો પર્યાપ્ત ઉપયોગ કર્યો છે. આ ગ્રંથ જૈન મહાભારત પણ કહેવાય છે. ગ્રંથ રચના સરલ સંસ્કૃતમાં છે. આ ગ્રંથના કર્તા ભટ્ટારક શુભચંદ્ર છે. વિ.સં.૧૬૦૮ ભાદ્રપદ દ્વિતીયાના દિને આ પાંડવ પુરાણની રચના કરી છે.* (૨) પાંડવ પુરાણઃ- આ પાંડવ પુરાણના કર્તા ભટ્ટારક વાદિચન્દ્ર હતા. ૧૮ સર્ગમાં આ ગ્રંથ રચાયો છે. આ ગ્રંથની રચના સં.૧૬પ૪માં નોધકનગરમાં થઈ હતી. (૩) પાંડવ પુરાણ:- આ જિનસેન, સકલકીર્તિ અને અન્ય ગ્રંથ કર્તાઓની રચાયેલી સંસ્કૃત પદ્યાત્મક કૃતિ છે. જેના કર્તા કોઠાસંઘીય નન્દીતર ગચ્છના ભટ્ટારક શ્રીભુષણ છે. આ કૃતિની રચના કાળ વિ.સં.૧૬૫૭ પોષ સુદ ત્રીજ રવિવાર છે. આ ગ્રંથની રચના સુરતમાં થઈ છે. (૪) પાંડવ ચરિત્ર:- આ ગ્રંથ દેવપ્રભસૂરિ કૃત પાંડવ ચરિત્રનું સરળ સંસ્કૃતમાં રૂપાંતરણ છે. તેમાં ૧૮ સર્ગ છે. આ ગ્રંથના કર્તા દેવવિજય ગણિ છે. આ ગ્રંથ સં.૧૯૬૦માં રચાયો તેનું સંશોધન શાંતિચંદ્રના શિષ્ય રત્નચંદ્ર કર્યું હતું.
374
Page #399
--------------------------------------------------------------------------
________________
(૫) પાંડવ ચરિત્ર:- આ ગ્રંથ શુભવર્ધન ગણિ દ્વારા રચાયેલ છે. તેને હરિવંશ પુરાણ પણ કહે છે.
સં.૧૬પ૭ કથા રત્નાકર
આ કથા રત્નાકર ૧૦ તરંગોમાં વિભક્ત છે. તેમાં કુલ મળીને રપ૮ કથાઓ છે. આમાંથી ઘણી કથાઓ સંસ્કૃત ગદ્યમાં લખાઈ છે. આ કૃતિમાં રામાયણ, મહાભારત વગેરે વિશાળ ગ્રંથો અને ભર્તુહરિ શતક, પંચતંત્ર વગેરે નીતિ ગ્રંથોમાંથી સુપરિચિત કેટલાંક ઉધ્ધરણો લેવામાં આવ્યા છે. તેમાં શુંગારથી લઈ વૈરાગ્ય સુધીના વિચારો અને ભાવોનો સમાવેશ થાય છે. પંચતંત્રની જેમ જ કથાઓની વચ્ચે વચ્ચે અનેક સદુક્તિઓ ફેલાયેલી પડી છે. કૃતિનો મોટો ભાગ એક દષ્ટિએ ભારતીય જ છે. જેને કથા ગ્રંથોમાં સામાન્ય રીતે આવતાં નામો ઉપરાંત આમાં ભોજ, વિક્રમ, કાલિદાસ, શ્રેણિક વગેરેના ઉપાખ્યાન આપવામાં આવ્યાં છે. ટૂંકમાં આનો વિષય શિક્ષાપ્રદ અને મનોરંજક બને છે. કર્તા અને રચનાકાળ :- આ કૃતિના કર્તા હેમવિજય ગણિ છે. તે તપાગચ્છના કલ્યાણવિજય ગણિના શિષ્ય હતા. આ કૃતિની રચના સં.૧૬૫૭માં કરવામાં આવી
૧૭મી સદી તરંગવતી
સં.૧૬૪૪ પાદલિપ્તાચાર્યનું નામ જૈન સાહિત્યમાં સુપ્રસિધ્ધ છે. પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ આદિ અનેક ગ્રંથોમાં એમના સંબંધમાં કેટલુંયે લખેલું મળી આવે છે. પાલીતાણા (પાદલિપ્તપુર) એ જ આચાર્યના નામનું અતિ પ્રાચીન સ્મરણ સ્થાન છે. એમ ઘણી જૂની જેને માન્યતા છે.
તરંગવતી મૂળ પ્રાકૃતમાં લખાયેલ છે. એ કાળે આ કથા સહદય વિદ્વાનોના સુકુમાર મનને ગંગાના કિલ્લોલની માફક નચાવ્યા કરતી હતી. (એ સૈકાઓ જ્યારે ભારતીય સર્વશ્રેષ્ઠ ગદ્ય-કાવ્ય કથા કાદંબરીના કર્તા બાણભટ્ટનો જન્મયે થયો નહતો.)
જૈન આગમ સાહિત્યના દ્વિતીય યુગના મૂળ સૂત્રધાર વિદ્યમાન વાડ્મયને અમર સ્વરૂપ આપનાર યુગપ્રવર જિનભદ્રગણિ ક્ષમાક્ષમણે પોતાના આવશ્યક મહાભાષ્યમાં
375
Page #400
--------------------------------------------------------------------------
________________
તરંગવતીનો નામ નિર્દેશ કર્યો છે.
તેનુ પુનરૂચ્ચારણ આચાર્યવર્ય શ્રી હરિભદ્રે પોતાની આવશ્યક ટીકામાં કર્યું છે.
પાદલિપ્તાચાર્યની મૂળ કૃતિ આજે કયાંય ઉપલબ્ધ નથી. ઘણા જૂના ભંડારોમાં અને તેવી જૂની ટીપોમાં પણ આ કથાનો ઉલ્લેખ મળી આવતો નથી. આથી જણાય છે કે મૂળકથા ઘણા જૂના સમયમાં નષ્ટપ્રાય થયેલી હોવી જોઇએ.
જે કૃતિને આધારે પ્રસ્તુત અનુવાદ તૈયાર કરવામાં આવેલો છે તે વાત ગ્રંથની શરૂઆતમાં જ ગ્રંથકારે પૂર્વ કથનરૂપે કહી છે. આખો ગ્રંથ પ્રાયઃ વિ.સંવત ૧૬૪૪ પ્રાકૃત આર્યામાં રચેલો છે. મૂળ કથા ગદ્યપદ્ય ઉભયમાં હશે એમ જણાય છે તેની ભાષા પ્રાચીન અપભ્રંશ હશે. ઉપર જે મૂળકથાની પ્રશંસા જણાવનારા પદ્યો ટાંકેલાં છે તે ઉપરથી તેનું મહત્વ સહેજે જાણી શકાય તેમ છે. વિદ્વાન સંશોધકો અને મુનિઓ આ બાબત લક્ષ્ય રાખે અને જૂના પુરાણા ભંડારોમાંથી જો મૂળ ગ્રંથ મળી આવે તો જૈન કથા સાહિત્યની કીર્તિ દિગંત પર્યત ઝળકી ઉઠે તેમ છે.
આ ગ્રંથની એક મૂળ પ્રતિ, અમદાવાદમાં ચંચળબાઈના ભંડાર તરફથી અને એક બીજી પ્રત પાલીતાણાના આણંદજી કલ્યાણજીના ભંડારમાંથી મળેલ છે. આમાંની એક પ્રતિ જર્મનીના પ્રસિધ્ધ વિદ્વાન પ્રો.યાકોબીને, કેશવલાલ પ્રે.મોદીએ મોકલેલી અને તેમણે તે પ્રતિ પોતાના મિત્ર ડૉ.લૉયમાનને આપી. ડૉ.લૉયમાનને એ ગ્રંથ અતિશય રસદાયક જાણી આખા ગ્રંથનો જર્મન ભાષામાં અનુવાદ કરી પ્રસિધ્ધ કર્યો.
ડૉ.લોયમેનનો એ અનુવાદ ઘણો સરસ અને કાવ્યભરી ભાષામાં થયેલો હોવાથી તેમજ મૂળ કથાની વસ્તુ પણ એક ભાવપૂર્ણ ભારતીય આદર્શ હોવાથી યુરોપમાં તેના તરફ લક્ષ્મ ખેંચાયું છે. બીજી યુરોપીય ભાષામાં પણ તેના ભાષાંતરો થવા લાગ્યા છે.
એ જર્મન અનુવાદ ઉપરથી એનું આ ગુજરાતી ભાષાંતર શ્રીયુત નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે તૈયાર કરી સાહિત્ય પ્રેમી શ્રી જિનવિજયજી પાસે શોધાવ્યું છે.
પ્રો.લૉયમેન પોતાની જર્મન પ્રસ્તાવનામાં લખે છે-“હું આ જે કથા રજુ કરું છું તે ખરેખર એક નવીન કથા છે. કારણકે ભારતવાસીઓ સિવાય બહારના કોઇએ અદ્યાપિ એ વાંચી નથી અને જે ભારતમાં એકવાર એ લોકપ્રિય થઈ પડી હતી, ખુદ તે ભારતમાં પણ અત્યારે એને કોઈ જાણતું નથી. આ કથા પ્રાચીન ભારતનું દાન છે. પણ વાંચીને વાચક એને કયા કાળમાં મૂકશે એ હું ચોક્કસ રીતે જાણતો નથી. ટૂંકમાં એટલું જ કહેવાનું કે એમાં વર્ણવેલા ધાર્મિક સિંધ્ધાંતો બૌધ્ધકાળમાં પ્રગટ થયા છે. તેથી કથા ક્રાઈસ્ટના પછીના કાળમાં એટલે કે બીજી કે ત્રીજી સદીમાં લખાઈ હોવી જોઇએ. કાળ નિર્ણય ચોક્કસ રીતે વાચક જાણશે ત્યારે વખતે ફરીવાર એનો ભ્રમ ઉડી
376
Page #401
--------------------------------------------------------------------------
________________
જશે. આ પુસ્તક દરેક સાહિત્ય ભક્તને અને દરેક ધર્મશોધકને બહુ ઉપયોગી થઈ પડશે. માનસશાસ્ત્રીને પણ ઉપયોગી થઈ પડશે. અને એ આશ્ચર્ય સહિત જોઈ શકશે કે પુનર્જન્મનો સિધ્ધાંત કેવી પ્રબળતાથી ભાવનામય પ્રદેશ ઉપર અસર કરીને ઠેઠ વસ્તુ સ્થિતિમાં આવી ઠરે છે. અને શ્રધ્ધાના સામાન્ય મતો પેઠે એ મત પણ વ્યવસ્થિત રીતે પ્રવર્તે છે.”
પથ્થર જેવા કઠણ હદયવાળાને પણ પીગળાવે એવી આ અતિ અદ્ભુત અસરકારક કથા છે.*
કથાનક મગધ દેશમાં કોણિક રાજાના સમયે ધનપાલ નામે નગરશેઠ અને સીમા નામે શેઠાણી રહે છે. શેઠના મકાનની નજીકમાં ઉપાશ્રય છે જેમાં સુવ્રતા નામે સાધ્વી પોતાના શિષ્ય પરિવાર સાથે ત્યાં આવીને રહેલા છે. એ શિષ્યામાંથી તરંગવતી નામની શિષ્યા ભિક્ષા ગ્રહણ કરવા બહાર નીકળે છે. તેનું આ શેઠાણીના ઘરે જવાનું થાય છે. તેમનું રૂપ જોતા શેઠાણીને જિજ્ઞાસા જાગે છે કે કયા કારણથી તેમણે દીક્ષા લીધી. આથી ભિક્ષા આપી પછી તે વિનયભાવથી જન્મકથા સંભળાવવાનું કહે છે. અતિ આગ્રહને વશ થઈને તે પોતાની કથા કહે છે.
વત્સદેશમાં, કૌશામ્બી નગરીમાં ઉદયન રાજા છે. તેનો એક મિત્ર જે નગરનો નગરશેઠ છે. તેનું નામ ઋષભસેન તેને આઠ પુત્રો છે અને તેના ઉપર નવમી તરંગવતી પુત્રી તરીકે જન્મ લે છે.
સમજ આવતા ધાર્મિક, ગણિત, વાંચન, લેખન, વીણાવાદન, નાચ, પુષ્પઉછેર બધું જ શીખવવામાં આવે છે. તે પૂરા પરિવારમાં લાડકવાયી હોય છે.
અનુક્રમે તે મોટી થતાં ખાનદાન ઘરોમાંથી તેના માટે માંગા આવતા પરંતુ તેમના પિતાને કોઈ તેને લાયક લાગતું ન હતું.
એકવાર સપ્તપર્ણના ફુલના બગીચામાં જવાનું થાય છે. અને ત્યાં એ ઝાડને નીહાળતા તેની નજર બાજુનાં તળાવમાં તરતા ચક્રવાકો ઉપર ગઈ. તે વખતે ચક્રવાકોનો પરસ્પરનો સ્નેહ જોઈ તેને પૂર્વ જન્મનું સ્મરણ થાય છે અને મૂચ્છિત થઈ જાય છે.
ભાન આવતા પોતાની સખીને પૂર્વ જન્મની કથા કહી સંભળાવે છે. તે કહે છે કે આગળના ભવમાં તે રાતાપીળા પીછાંવાળી ચક્રવાકી હતી. (કહેવાય છે કે ચક્રવાકોમાં સ્નેહ જેટલો સાચો અને પ્રબળ હોય તેવો સ્નેહ આખા જગતમાં બીજે
377
Page #402
--------------------------------------------------------------------------
________________
ક્યાંય નહિ હશે.) તે તેના ચક્રવાક સાથે ખૂબ આનંદથી રહેતી હતી.
એકવાર એક હાથી તેઓ જે તળાવમાં રમતા હતા ત્યાં નાહવા માટે આવે છે. એના ડરથી તે ચક્રવાક સાથે ઉંચે ઉડી ગઈ. એ પછી હાથી નદીમાંથી નીકળી પોતાને રસ્તે જાય છે ત્યારે એક જુવાન પારધિએ ધનુષ પર બાણ ચઢાવીને ખૂબ જોરથી ખેંચ્યું. ને હાથી ઉપર તાક્યું. પરંતુ તે કમનસીબે હાથીને ન લાગતા તેના નર ચક્રવાકને વાગે છે. તે મરી જાય છે. તેના પ્રિય પાછળ તે પણ સ્નેહીનો વિયોગ થવાથી મરે છે.
અને તે હવે પોતાના પ્રિયને મળવા માટે તત્પર બને છે અને પોતાની સખીને કહે છે કે જો તેનો પ્રિયજન નહિ મળે તો તેનો વિયોગનું દુ:ખ ખમવું પડે છે તેવું ફરીવાર ન થાય તે માટે તે સાધ્વી થશે.
કૌમુદી પર્વના દિવસે પોતાના પ્રિયજનને મેળવવા તે આગળના ભવની બધી છબીઓ દોરે છે અને તે હવેલી બહાર મૂકે છે. પોતાની સખીને બધું સમજાવે છે.
સખી સવારથી સાંજ સુધી ઉભી રહે છે. પણ કોઈ નથી આવતું અને મોડી રાત્રે એક યુવાન આવે છે અને જેને આ જોતાં જ મૂર્છા આવે છે અને આગળના ભવ યાદ આવી જાય છે. ત્યારે તેને એની પ્રિયા તેની પાછળ સ્નેહને લીધે મૃત્યુ પામેલી જાણી વધારે વિયોગ સતાવે છે.
તે એક મોટા વ્યાપારી ધનદેવ શેઠનો દીકરો હોય છે. તેનું નામ પદ્મદેવ હતું. તે તરંગવતીના ઘરે માંગુ લઇને પિતાને મોકલે છે. પરંતુ તરંગવતીના પિતા ના પાડે છે. ત્યારે તરંગવતી ધીરજ ગુમાવીને પદ્મદેવ પાસે પહોંચી જાય છે. અને તેણી તેને સાથે પરદેશ જવા મજબૂર કરે છે. બંને નાસી જાય છે.
વહાણમાં બેસીને જતા બીજા કાંઠે લૂંટારાઓ તેમને ઘેરી લે છે.
સરદાર પાસે લઈ જાય છે. બંનેની કાળી દેવી આગળ બલિ ચઢાવવાનું નક્કી થાય છે. એકવાર તરંગવતી એક સ્ત્રીના મોઢે પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવે છે જે સરદારનો એક માણસ સાંભળી જાય છે. તેને આ બંનેની દયા આવે છે અને તેઓને ત્યાંથી છોડાવી બીજા ગામમાં પહોંચાડે છે. તેઓ એ ગામમાં મંદિરમાં પહોંચે છે આરામ કરે છે. ત્યાં એક યુવાન ઘોડા પર બેસીને આવે છે અને તેના સ્વામીના પગમાં પડી રહે છે. અને એ લોકોને કહે છે કે તમારા માતા-પિતા તમને શોધી રહ્યા છે. વિષ્પાસ કરાવી પછી તેમના ઘરે લઇ જાય છે તેમને પોતાના મૂળ ગામે પહોંચાડે
378.
Page #403
--------------------------------------------------------------------------
________________
બંનેના લગ્ન થાય છે. બંને દાંપત્ય સુખ માણે છે અને દિવસો પસાર કરે છે.
એકવાર વસંતઋતુમાં તેઓ બાગમાં જાય છે ત્યાં પત્થર ઉપર મુનિને જોયા. તેઓએ વંદન કર્યા. ત્યારે મુનિ આર્શીવાદ આપતા બોલ્યા કે બધા દુઃખનો અંત થાય તેવું નિર્વાણ સુખ પ્રાપ્ત થાઓ. અને ઉપદેશ આપ્યો. તેનાથી પ્રતિબોધ થઈ તેમને આપ કઈ રીતે આ સાધના સાધી શક્યા એમ પૂછે છે. એના જવાબમાં મુનિ પોતાની જીવન કથા કહે છે.
તે આગળના ભવમાં પારધી હતા. “સિધ્ધબાણના નામથી પ્રસિધ્ધ હાથીને ન મારવું, નાના બચ્ચા ન મારવા અને સ્નેહ યુગલને ન મારવા વગેરે કુળ પરંપરા હતી.
તેણે એ કુળ પરંપરા તોડી અને તેનાથી હાથીને મારવા જતા ચક્રવાક વિંધાઇ જાય છે, હાથી બચી જાય છે. ચક્રવાકની પાછળ ચક્રવાકી પાગલ થઈને તે પણ મરી જાય છે. એ જોઈને તે પારધિ આપઘાત કરે છે. મૃત્યુ પામી બીજા જન્મમાં (પાશ્ચાતાપને કારણે નરકના બદલે) વ્યાપારીના દીકરા તરીકે જન્મ થાય છે. બધી જ રીતે હોશિયાર છતાં જુગારની લતના કારણે (રૂદ્ર યશ) ચોરી કરવાની આદત પડે છે. પછી ધીરે ધીરે લૂંટફાટ કરવા લાગે છે. પછી તે લૂંટારાની ટોળીમાં ભળી જાય છે. ત્યાં એકવાર યુવાન જોડા બલિ ચઢાવવાની હોય છે ત્યારે તે સ્ત્રી પોતાના પૂર્વભવની કથા કહે છે જે જોઈને તેને દયા આવી અને તે જ વખતે તેને પોતાના પૂર્વ જન્મમાં કરેલું પાપ યાદ આવ્યું. આ એ જ યુગલ છે જેને તેણે વિખૂટું પાડેલું આથી એક ગામમાં આવે છે ત્યાં એક સાધુ પુરુષને જોઇ તેમની પાસે પાપવૃત્તિમાંથી નિવૃત થવા તે શિષ્ય બને છે. અને અભ્યાસ કરી પોતાનું તેમજ બીજાનું આત્મકલ્યાણ કરે છે.
આ સાંભળતા બંને દંપતીને તેમના દુ:ખના દિવસો તાજા થાય છે. વીતેલા દુ:ખનો વિચાર કરતા સ્નેહ ઉપર વિરાગ થાય છે. અને પોતાની ઓળખ કરાવે છે. અને મુનિનો ઉપકાર માની દીક્ષા લે છે.
હાઇયપુરીય ગચ્છમાં થયેલા આચાર્ય વીરભદ્રના શિષ્ય સાધુ નેમિચંદ્ર ગણિએ આ કથાનું આલેખન કર્યુ છે.
‘તરંગવતી કથાનક' પરથી એટલું તો નક્કી સમજાય છે કે મિલન છે ત્યાં વિયોગ છે. અને જેના પર સ્નેહ હોય તેનો વિયોગ એ સૌથી મોટું દુઃખ છે. આ સંસારના દરેક જીવ આ દુ:ખની હારમાળામાંથી પસાર થાય છે. તેમના દુ:ખોના અંત માટે તરંગવતીની કથા ખૂબ જ અસરકારક ઔષધિ રૂ૫ બોધપાઠ છે. ‘તરંગવતી”ના કથાનકમાં સ્નેહની પરાકાષ્ટા અને સ્નેહીજનનું વિખૂટુ પડવું, એ ખરેખર વાચકના હદયને હલાવી નાંખે તેમ છે. આ કથા વાંચ્યા પછી કે સાંભળ્યા પછી કોઈ બદનસીબ
379
Page #404
--------------------------------------------------------------------------
________________
જીવ જ જન્મ-મરણની ઝંખના કરે અને સંસારની જંજાળમાં પડ્યો રહે. ‘તરંગવતી”નું કથાનક એ રાગદ્વેષની આગમાં સળગતા સંસારનું જ્વલંત ઉદાહરણ છે.
જો આ કથાને જૈન સિધ્ધાંતથી જ ફિલ્મ તરીકે બનાવવામાં આવે તો ઘણા લોકો સુધી તેનો બોધ પહોંચાડી શકાય. જે જૈન સમાજના ઉત્થાનનું કારણ પણ બની શકે. મોહની દુનિયામાં ફસાયેલા લોકોને સાચો રસ્તો બતાવી શકે. વર્ણનો - આ કથામાં પ્રકૃતિનું, ઉદય દેવના રથનું, મહામંત્રી યોગેશ્વરાયણના રથનું, નગરશ્રેષ્ઠી ઋષભ દેવના રથનું, રાજસેવકો અને પરિચારકોના વિવિધ વાહનોનું, મેઘધનુષ્યનું, કૌશામ્બી નગરીનું, પ્રભાતનું વર્ણન, રાત્રિનું વર્ણન, સ્વપ્નનું, તરંગવતીના દેહ સૌદર્યનું, તંગવતીના બુદ્ધિચાતુર્યનું, વસંત ઋતુનું, ઉપવનનું, પુષ્પોની અલગ અલગ ભાતનું, સ્ત્રીઓની અલગ અલગ જાતનું, વત્સ દેશનું, યમુના નદીનું, વિરાટકાય ગજરાજનું, કૌમુદી મહોત્સવનું, ડાકુઓની ગુફાનું, વાસાલિક તીર્થનું, શાખાંજના નગરીનું, પરમાત્માની ભક્તિનું, ઉદયન રાજા અને વાસવદત્તાની કથા, ઈલાચીકુમાર નાટક દ્વારા અભુત અને શાંતરસનું વર્ણન, ચંપા નગરીનું વર્ણન, જંગલનું, ખારીક વનનું, શકટમુખ ઉદ્યાનનું, સંસારની અસારતાનું, અષ્ટપ્રવચનમાતાનું, બાર ભાવનાનું વર્ણન છે. ઘટનાઓ:- તરંગવતીનું મૂર્ષિત થવું, પૂર્વજન્મ કથા, ચક્રવાકનું મૃત્યુ, ચક્રવાકીનુ આપઘાત કરવું, શિકારીને આપઘાત કરવું, તરંગવતીનું ૧૦૮ આયંબિલનું તપ કરવું, ચિત્ર જોતા યુવાનનું મૂઠિત થવું, તરંગવતીનું પદ્મદેવ સાથે જવું, ડાકૂઓ દ્વારા બંનેને પકડવા, શક્તિધર દ્વારા બંનેને મુક્ત કરવા, બંનેનું વતન પાછા ફરવું, તરંગવતી અને પઘદેવના લગ્ન,બંને સાથે પરમાત્માની ભક્તિ કરવી, મુનિ દ્વારા પૂર્વભવની કથા સાંભળવી, મુનિનુ ખુનીમાંથી મુનિ બનવું, એ સાંભળી બંનેનું હૃદય પરિવર્તન, બંનેનું દીક્ષા ગ્રહણ કરવું, કથા સાંભળી સોમવતીનું વૈરાગ્ય ઉત્પન્ન થવું અને બાર વ્રત ધારણ કરવા.
તરંગવતી
આ પ્રાકૃત સાહિત્યની સૌથી પ્રાચીન કથા છે. તેનો ઉલ્લેખ અનુયોગદ્વારસૂત્ર, દશવૈકાલિક ચૂર્ણિ (૩,૫.૧૦૯) તથા વિશેષાવશ્યક ભાષ્ય (ગાથા.૧૫૦૮)માં મળે છે. નિશીથચૂર્ણિમાં મલયવતી અને મગધસેના સમાન તરંગવતી લોકોત્તર ધર્મકથા કહી છે. ઉદ્યોતનસૂરિએ ચક્રવાક યુગલથી યુક્ત રાજહંસોને આનંદિત કરનારી તરંગવતીની પ્રશંસા કરી છે. તેને ત્યાં સંકીર્ણ કથા કહી છે. તેવી જ રીતે ધનપાલ કવિએ તિલકમંજરીમાં, લક્ષ્મણ ગણિએ સુપાસનાહ ચરિયામાં તથા પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવક
380
Page #405
--------------------------------------------------------------------------
________________
ચરિતમાં તરંગવતીનું ઉદાત્ત શબ્દોમાં સ્મરણ કર્યું છે.
તરંગવતી તો તેના મૂળ રૂપમાં આપણને ઉપલબ્ધ નથી પરંતુ તેનું સંક્ષિપ્તરૂપ ૧૬૪ર પ્રાકૃત ગાથાઓમાં ‘તરંગલોલા” નામે મળે છે. તરંગલોલાઃ- આને સંક્ષિપ્ત તરંગવતી પણ કહે છે. તેમાં કથાવસ્તુને ચાર ખંડોમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ એક અદ્ભુત શૃંગાર કથા છે પણ તેનો અંત ધર્મઉપદેશમાં થાય છે. તરંગલોલાના કર્તા વીરભદ્ર આચાર્યના શિષ્ય નેમિચન્દ્ર ગણિ છે. મૂળ તરંગવતીની કથાના સર્જન પછી લગભગ ૧૦૦૦ વર્ષે યશ નામના પોતાના શિષ્યના સ્વાધ્યાય માટે તરંગલોલાની રચના કરી.
સર્વ કૌમુદી ભાષાંતર
સમ્યક્તકો મુદી ગ્રંથના કર્તા મહાત્માએ અજ્ઞાત રહેવાનું પસંદ કર્યું છે.
આ ગ્રંથના કર્તા કોણ હતા? સૂરિ હતા કે મુનિ હતા એ પ્રશ્નો અનુત્તરિત છે. આજ સુધી. આ ગ્રંથના વાંચન દ્વારા એટલું જણાઈ આવે છે કે તેઓ ખૂબ વિદ્વાન હશે. ગ્રંથનો પ્રારંભ આ રીતે કર્યો છે કે,
મગધ દેશની રાજગૃહી નગરી, રાજા શ્રેણિક પ્રભુ મહાવીરને વંદન કરવા આવે છે. પ્રભુ દેશના આપી દેવછંદામાં પધારે છે અને ક્રમ મુજબ ગૌતમસ્વામી દેશના માટે પધારે છે. ત્યારે શ્રેણિક રાજા ગૌતમ ગણધરને સમક્તિનો દીવો વધારે પ્રજ્વલિત બને તેવી પ્રેરણાદાયક કથા કહેવાની વિનંતી કરે છે.
શ્રેણિક રાજાને કહેલી કથા તે આ સમ્યકત્વ કૌમુદી ગ્રંથ.
આ ગ્રંથના મુખ્ય પાત્રો શ્રેષ્ઠિ જિનદત્ત શ્રાવકના પુત્ર અહસાદ તેમજ તેમની આઠ પત્ની ઓ છે.
એક વખત રાત્રિના સમયે વાર્તાલાપમાં શેઠે પોતાની પત્નીઓને કહ્યું કે, “તમે તમારું સમકિત દઢ કેમ થયું? તેનું કારણ જણાવો.”
પત્નીઓએ કહ્યું કે, “પહેલાં આપ જણાવો. પછી અમે પણ અમારું કારણ કહીશું.”
ત્યારબાદ શેઠ અને આઠ પત્નીઓ ક્રમપૂર્વક પોતાના સખ્યત્વની દઢતાના કારણની કથા કહે છે.
381
Page #406
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથમાં આવતા કથાનકો:અર્હદાસ શેઠે કહેલી રુખ્યખુર ચોરની કથા (પાના નં-૧૯) મિત્રશીએ કહેલી જિનદત્તા અને બંધુશ્રીની કથા (પાના નં-૫૫) ચંદનીએ કહેલી સૌમ્યા અને વસુમિત્રાની કથા (પાના નં-૬૩) વિષ્ણુશ્રીએ કહેલી સોમશર્માની કથા (પાના નં-૭૦) નાગશ્રીએ કહેલી મુંડિકા અને ભગદત્ત રાજાની કથા (પાના નં-૮૦) પદ્મલતાએ કહેલી પદ્મશ્રી અને પદ્મસિંહની કથા (પાના નં-૮૯) કનકલતાએ કેહલી ઉમયકુમારની કથા (પાના નં-૯૫) વિદ્યુલ્લતાએ કહેલી વૃષભદાસ શેઠની કથા (પાના નં-૧૦૧)
વાંચતા વાંચતા એમ થાય કે શેઠ પરિણત હશે કે વિલાસની વાતો કરવાને બદલે ધર્મચર્ચા-કથા કરે છે. આજે સાવ છીંછરી અને ઉપચ્છલ્લી વાતોમાં અમુલ્ય સમય બગાડતા પતિ-પત્નીઓને આ ગ્રંથ વાંચવા જેવો છે.
વાર્તા સ્વરૂપે કહેવાયેલા આ ગ્રંથમાં ઉપદેશનો ભાર વર્તાતો નથી. પ્રવાહી શૈલીમાં ગ્રંથ ચાલ્યા જ કરે છે. ગ્રંથની શૈલી વાર્તાની છે. માટે વાંચવો ગમે તેવો છે.
સંસ્કૃતના નવા અભ્યાસુઓને આ ગ્રંથનું વાંચન ખૂબ જ સુગમ પડે તેવું છે. ધર્મની સમ્યત્વની અચલ ટૅકધારીઓની આ કથા વાંચતા મસ્તક નમી પડે છે.
ઉપદેશમાળા ઉપદેશમાળા” ગ્રંથ વિશે | વજસેનવિજયજી જણાવે છે કે,
“આ ગ્રંથ પરમાત્મા શ્રી વીરપ્રભુના હાથે સંયમ લેનાર એમના જ શિષ્ય, અવધિજ્ઞાની શ્રી ધર્મદાસગણિવરે પોતાના સંસારી અવસ્થામાં રહેલા પુત્રના હિત માટે બનાવ્યો. એમાં માગધી ભાષામાં શ્લોકો રચાયા છે. કુલ પ૪૪ શ્લોકો છે. એક વત્સલ પિતા પોતાના પુત્રને વાત્સલ્યસભર જે હિત વચનો કહે છે એનો સંગ્રહ એ ઉપદેશમાળા ગ્રંથ..! એ હિત-વચનોમાં સંસારનું વાસ્તવિક સ્વરૂપ, વિષયની વિરૂપતા, કષાયની ઉત્કટતા, કર્મની વિચિત્રતા વગેરે સુંદર દષ્ટાંતો-કથાનકો દ્વારા વર્ણવ્યા છે. અર્થાત્ ઉપદેશમાળામાં એવું જણાવ્યું છે કે વાચકને અવશ્ય સંવેગનિર્વેદની પ્રાપ્તિ થાય.” (ઉપદેશમાળા ગ્રંથ, પ્રસ્તાવના, પાનાનં-૪ (વિ.સં.ર૦૪૧) ધર્મદાસ ગણિ, બીજી આવૃતિ)
382
Page #407
--------------------------------------------------------------------------
________________
પેજ નં.
આ ગ્રંથમાં આવતી કથાઓ:કમ વાર્તા ૧) રણસિંહકુમાર ચરિત્ર ૨) ચંદનબાળા ચરિત્ર ૩) સંબોધનરાજાનું ચરિત્ર ૪) ભરત ચક્રીનું ચરિત્ર ૫) પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર ૬) બાહુબલિનું ચરિત્ર ૭) સનતકુમાર ચરિત્ર ૮) બ્રહ્મદત્તચક્રીનું ચરિત્ર(ચિત્રસંભૂતિના ભવથી) ૯) ઉદાયન નૃપને મારનારનું ચરિત્ર ૧૦) જા સા સા સા (અનંગસેન સોની)નું ચરિત્ર ૧૧) મૃગાવતીનું ચરિત્ર ૧૨) જંબુસ્વામીનું ચરિત્ર (ભવદેવના ભવથી) ૧૩) ચિલાતી પુત્રનું ચરિત્ર (પૂર્વભવ સહિત) ૧૪) ઢંઢણકુમાર ચરિત્ર ૧૫) સ્કંધાચાર્યનું ચરિત્ર ૧૬) હરિકેશિમુનિનું ચરિત્ર ૧૭) વજમુનિનું ચરિત્ર ૧૮) નંદિષણનું ચરિત્ર ૧૯) ગજસુકુમાળનું ચરિત્ર ર૦) સ્થૂલિભદ્રનું ચરિત્ર ર૧) સિંહગુફાવાસી મુનિનું ચરિત્ર રર) પીઠ અને મહાપીઠ મુનિનું ચરિત્ર ૨૩) તામલિતાપસનું ચરિત્ર ર૪) શાલિભદ્રનું ચરિત્ર(પૂર્વભવસહિત) ૨૫) અવંતિસુકુમાલ ચરિત્ર ર૬) મેતાર્ય મુનિનું ચરિત્ર ર૭) વજસ્વામીનું ચરિત્ર ૨૮) દત્તમુનિનું ચરિત્ર ર૯) સુનક્ષત્રમુનિનું ચરિત્ર ૩૦) કેશીગણધર, પ્રદેશ રાજાનું ચરિત્ર
૧૦૧ (૧૦૮થી૧૨૩) ૧૨૪ ૧૨૮ ૧૩૧
૧૩૬
૧૪૪
૧૫૧
૧૫૭
૧૬૧
૧૭૦
૧૭૫
૧૮૦
૧૮૨ ૧૮૬ ૧૮૯ ૧૯૬ ૧૯૯ ૨૦૧
૨૦૪
383.
Page #408
--------------------------------------------------------------------------
________________
૨૧૨ ૨૧૫
૨૨૦
૨૨૩ ૨૨૫ ૨૩૧ ર૩ર
૨૩૬
૩૧) કાલિકાચાર્યનું ચરિત્ર ૩૨) શ્રી મહાવીર સ્વામી ભગીના પૂર્વભવો (૩૩) બળદેવ,રથકાર અને મૃગનું ચરિત્ર ૩૪) પૂરણતાપસનો વૃત્તાંત ૩૫) વરદત્તમુનિનું ચરિત્ર ૩૬) ચંદ્રાવતંસક રાજાનું ચરિત્ર ૩૭) સાગરચંદ્ર કુમારનું ચરિત્ર ૩૮) કામદેવ શ્રાવકનું ચરિત્ર ૩૯) દ્રમકનું ચરિત્ર ૪૦) દઢપ્રહારીનું ચરિત્ર ૪૧) સહસ્ત્રમલ્લનું ચરિત્ર ૪૨) સ્કંધકુમારનું ચરિત્ર ૪૩) ચુલણીરાજાનું ચરિત્ર ૪૪) કનકકેતુ રાજાનું ચરિત્ર ૪૫) કોણિક રાજાનું ચરિત્ર ૪૬) ચાણકયનું ચરિત્ર ૪૭) પરશુરામ અને સુભૂમનું ચરિત્ર ૪૮) આર્યમહાગિરિનું ચરિત્ર ૪૯) મેઘકુમારનું ચરિત્ર પ૦) સત્યકી વિદ્યાધરનું ચરિત્ર પ૧) શ્રીકૃષ્ણરાજાનું ચરિત્ર પર) ચંડરુદ્રાચાર્યનું ચરિત્ર પ૩) અંગારમદકાચાર્યનું ચરિત્ર ૫૪) અર્ણિકાપુત્રનું ચરિત્ર પ૫) મરૂદેવી માતાનું ચરિત્ર પ૬) સુકુમાલિકાનું ચરિત્ર ૫૭) મંગુસૂરિનું ચરિત્ર પ૮) ગિરિશુક અને પુષ્પશુકનું ચરિત્ર ૫૯) સેલનાચાર્ય અને પંથકશિષ્યનું ચરિત્ર ૬૦) નંદિષણનું ચરિત્ર ૬૧) કંડરીક અને પુંડરીકનું ચરિત્ર ૬૨) શશિપ્રજરાજાનું ચરિત્ર
૨૪૧ ૨૪૭ ૨પ૦ રપર ૨પ૬ ૨૬૧ ૨૬૫ ર૬૭ ૨૭૪ ૨૮૦ ૨૮૨ ૨૮૮ ર૯૨ ૨૯૪ ર૯૬ ૩૦૨ ३०७
૩૦૯
૩૧૫
૩૨૮
૩૩૬
૩૩૯
૩૪૬
૩૪૯
384
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૫૩
૩૫૫
૪૧૮
જે
૬૩) પુલિંદ (ભીલ)નું ચરિત્ર ૬૪) ચંડાલનું ચરિત્ર ૬૫) ત્રિદંડીનું ચરિત્ર
૩૬૦ ૬૬) કપટક્ષપક તપસ્વીનું ચરિત્ર
४०० ૬૭) દુર્દરાંકદેવનું ચરિત્ર ૬૮) સુલસાનું ચરિત્ર
૪૨૭ ૬૯) જમાલીનું ચરિત્ર
૪૩૩ ૭૦) કૂર્મનું ચરિત્ર
४४४ અહીં ધર્મદાસ ગણિ પ૪૧માં શ્લોકમાં જણાવે છે કે
"संतिकरी वृड्डिकरी कल्लाणकारी सुमंगलकारी अ
होउ कहगस्स परिसाए तह य निव्वाणफलदाई"।। ५४१ ।। શબ્દાર્થ:- આ ઉપદેશમાળા કથક એટલે કે વક્તા તથા પર્ષદને ક્રોધાદિકની શાંતિ કરનારી, જ્ઞાનાદિક ગુણોની વૃધ્ધિ કરનારી, કલ્યાણકારી એટલે આ લોકમાં ધનાધિક સંપત્તિ અને પરભવમાં વૈમાનિક ઋધ્ધિને પ્રાપ્ત કરાવનારી, સુમાંગલ્ય કરનારી અને પરલોકમાં નિર્વાણરૂપ ફળને આપનારી થાય છે.
આ ગ્રંથનું નામ સાર્થક છે. જિનરાજના વચનનો ઉપદેશ તેની માળા એટલે શ્રેણી ફૂલની માળા જેવી છે. જેમ ફૂલ વિવિધ પ્રકારના હોય અને વિવિધ સુગંધ આપે તેમ આ ગ્રંથની ગાથાઓ વિવિધ વિષયો પર ઉપદેશ રૂપ છે. “ઉપદેશમાલા ક્રોધાદિ આદિ દૂર કરીને જ્ઞાન આપનારી તેમજ ઈહલોક-પરલોકને વિશે સુખ આપનારી છે. આમ,આ ગ્રંથ સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ લાવી વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી છે.
કથાઓ
ઢંઢણકુમારનું ચરિત્ર ઢંઢણકુમારનો જીવ પૂર્વભવમાં કોઈ રાજાના પાંચસો ખેડૂતનો અધિકારી હતો. જ્યારે મધ્યાહ્ન સમયે બધાને માટે ભાત આવતા હતા. ત્યારે તે તેઓની પાસે પોતાના ખેતરમાં એક-એક ચાસ હળથી કઢાવતો હતો. આ પ્રમાણે કરવાથી તે દરરોજ પાંચસો ખેડૂત અને એક હજાર બળદોને ભાત-પાણીમાં અંતરાય કરતો હતો. તેમ કરવાથી તે ભવમાં તેણે ઘણું અંતરાય કર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરીને ઘણા ભવમાં ભટકીને તે દ્વારિકા નગરીમાં “કૃષ્ણ” વાસુદેવને ઘેર “ઢંઢણા' રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે ઢંઢણકુમારના નામથી પ્રસિધ્ધ થયો. યુવાનવય થતાં
385
Page #410
--------------------------------------------------------------------------
________________
પિતાએ તેને પરણાવ્યો. ત્યારપછી સંસારના સુખમાં લીન થઇ તેણે ઘણા દિવસો પસાર કર્યા.
એકવાર ભગવાન શ્રી અરિષ્ટનેમિ અઢાર હજાર સાધુઓ થી પરિવરેલા દ્વારકાનગરીના મોટા ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વંદન કરવાને માટે કૃષ્ણ વાસુદેવ ઢંઢણકુમાર સાથે નીકળ્યા. વાંદીને યોગ્ય સ્થાને બેઠા. એટલે ભગવાને કુમતરૂપ અંધકારને દૂર કરનારી, પતિતજનનો ઉધ્ધાર કરનારી, અમૃતના ઝરણા જેવી, મોહમલ્લનો નાશ કરનારી, સર્વજનને આનંદ આપનારી, માલકોશ રાગનો અનુવાદ કરનારી, સમગ્ર કલેશનો નાશ કરનારી દેશના આપવાની શરૂ કરી.
તે સાંભળતા ઢંઢણકુમારનું મન વૈરાગ્ય રસથી રંગાઈ જવાને લીધે તેણે શ્રી નેમિનાથ સ્વામી પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તે દ્વારકા પુરીમાં ભિક્ષા ને માટે ફરે છે. કૃષ્ણ વાસુદેવના પુત્ર તરીકે તેમજ શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય તરીકે પ્રખ્યાત છતાં પણ તેને શુદ્ધ ભિક્ષા મળતી નથી અને અશુધ્ધ ભિક્ષા તે ગ્રહણ કરતા નથી. એક વખત નેમિનાથ ભગવાને તેને કહ્યું કે “હે ઢંઢણ! તે પૂર્વભવમાં બાંધેલુ અંતરાય કર્મ ઉદય ભાવમાં આવેલું છે. તેથી તને શુધ્ધ આહાર મળતો નથી, માટે બીજા મુનિએ લાવેલો આહાર ગ્રહણ કર.'
ત્યારે હાથ જોડીને ઢંઢણે કહ્યું કે-“હે ત્રિલોકનાથ! જ્યારે મારું અંતરાય કર્મ ક્ષય પામશે ત્યારે જ મારી પોતાની લબ્ધિથી મળેલો શુદ્ધ આહાર હું ગ્રહણ કરીશ, બીજાએ લાવેલો આહાર ગ્રહણ કરવો તે બરાબર નથી.” આ પ્રમાણે કહીને તેણે એવો અભિગ્રહ સ્વામીની સાક્ષીએ લીધો. પછી હંમેશા અવ્યાકુળ મને ભિક્ષા માટે ફરે છે. પરંતુ તેને શુધ્ધ આહાર મળતો નથી. તેથી તે ભૂખ અને તરસ સહન કરે છે. આ પ્રમાણે તેણે કેટલોક સમય પસાર થયો.
એક દિવસ નેમીસ્વર ભગવાનને વંદન કરવા માટે કુષ્ણ વાસુદેવ આવ્યા. પ્રભુને વંદન કરીને કૃષ્ણ વાસુદેવે પૂછયું કે- આપના અઢાર હજાર સાધુઓમાં દુષ્કર કાર્ય કરનારો કયો સાધુ છે?” તે વખતે ભગવાને કહ્યું, ‘દુષ્કર કરનાર તો બધા સાધુઓ છે, પણ તેમા ઢંઢણમુનિ વિશેષ છે.” વાસુદેવે કહ્યું કે-“હે ભગવાન! કયા ગુણથી તે વિશેષ છે?' ત્યારે ભગવાને તેનો વિશિષ્ટ અભિગ્રહ કહ્યો. તે સાંભળી અતિષિત થઈ કૃષ્ણ બોલ્યા કે -‘તે ધન્ય એવા ઢંઢણમુનિ કયાં છે? તેને વાંદવાની મને તીવ્ર ઈચ્છા થઈ છે.” ભગવાને કહ્યું કે- ભિક્ષાને માટે શહેરમાં ગયેલા છે. તેમને સામા જ મળશે.” પછી સ્વામીને વાંદીને દ્વારકાપુરીમાં પાછા આવતા હાથી ઉપર બેઠેલા કૃષ્ણ ઢંઢણમુનિને બજારમાંથી સામે આવતા જોયા. કૃષ્ણ હાથી ઉપરથી ઉતરી ઢંઢણમુનિની ત્રણ પ્રદક્ષિણા કરી. ઘણા ભાવપૂર્વક તેમને વાંદ્યા અને કહ્યું કે- હે મુનિ! તમને ધન્ય
386
Page #411
--------------------------------------------------------------------------
________________
છે! તમે પુન્યશાળી છો. અતિ ભાગ્ય સિવાય તમારા દર્શન થવા સુલભ નથી.” તે સમયે સોળ હજાર રાજાઓ મુનિનાં પગમાં પડ્યા. તે વખતે બારીમાં બેઠેલા એક વણિકે તે જોઈને વિચાર્યું કે-અહો! આ મુનિ મહાનુભાવ દેખાય છે. જેથી મહાસમૃધ્ધિવાળા કૃષ્ણ વગેરે રાજાઓ પણ તેમના ચરણકમલમાં પડે છે. માટે તેમને શુધ્ધ મોદક વહોરાવી લાભ લેવો. તેમને વહોરાવવાથી મને મોટું પુન્ય થશે. આ પ્રમાણે વિચારી તે ઢંઢણ મુનિને પોતાના ઘરે તેડી લાવી તેણે બહુ ભાવથી લાડવા વહોરાવ્યા.
ઢંઢણ મુનિએ ભગવાનની પાસે આવીને પૂછ્યું કે- હે ભગવાન! મારું અંતરાય કર્મ આજે નાશ પામ્યુ?” ભગવાને કહ્યું કે-હે મુનિ! હજી તે નાશ પામ્યું નથી. ઢંઢણ મુનિએ પૂછ્યું કે- હે સ્વામિ! ત્યારે આજે મને ભિક્ષાનો લાભ કેમ થયો? સ્વામીએ કહ્યું કે-કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આ આહાર મળેલો છે. પણ અંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી તમારી લબ્ધિથી મળેલો નથી. આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળીને ઢંઢણમુનિ તે આહારને શુધ્ધ ભૂમિમાં પરઠવવા ગયા. ત્યાં પોતાના પૂર્વકૃત કર્મના સમૂહ જેવા લાડવાનું ચૂર્ણ કરતી વખતે અતિ શુધ્ધ અધ્યવસાયથી પ્રબલ શુક્લ ધ્યાનરૂપી અગ્નિ વડે કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.
તે વખતે દેવોએ દુંદુભિ વગાડી ચારે બાજુ જય-જય શબ્દ કર્યો અને કૃષ્ણ આદિ સર્વ ભવ્યજનો ખુશ થયા. ઘણા કાળ સુધી કેવળપણે વિહાર કરીને અંતે ઢંઢણ મુનિએ મુક્તિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે બીજા મહાત્માઓએ પણ વર્તવું.
મરૂદેવી માતાનું ચરિત્ર જ્યારે રૂષભદેવ ભગવાને ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે ભરત રાજા રાજ્યના અધિકારી થયા. ભરતને દરરોજ મરૂદેવી માતા ઉપાલંભ આપતાં કે-“હે વત્સ! તું રાજ્ય સુખમાં મોહ પામ્યો છે. તેથી મારા પુત્ર રૂષભની તું કાંઈ સાર-સંભાળ લેતો નથી. હું લોકોના મુખથી એવું સાંભળું છું કે તે મારો પુત્ર વર્ષ થયા-એક વર્ષથી અન્ન જળ વિના ભૂખ્યો-તરસ્યો અને વસ્ત્ર વિના એકાકી-એકલો અરણ્યમાં-જંગલમાં વિચરે છે. તાપાદિક સહન કરે છે અને બહુ દુઃખને અનુભવે છે. માટે તું એકવાર મારા પુત્રને અહીં લાવ... તેને હું ભોજન આપું અને... એકવાર પુત્રનું મુખ જોઉં.'
તે સાંભળીને ભરતે કહ્યું કે હે માજી! તમે શોક ન કરો. અમે સોએ પુત્રો તમારા જ છીએ.” માતા બોલ્યા- “હે વત્સ! તું કહે છે તે ખરું! પણ આમ્રફળની ઈચ્છાવાળા માણસને આંબલીના ફળથી શી પ્રાપ્તિ થાય? માટે તે રૂષભ પુત્ર વિના આ સર્વ સંસાર મારે મન તો શૂન્ય જ છે.”
387
Page #412
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે દરરોજ ઉપાલંભ આપતા તથા પુત્રના વિયોગથી રુદન કરતા-રડતા મરૂદેવી માતાના નેત્રમાં આખોમાં પડલ આવ્યા. આવી રીતે એક હજાર વર્ષ પસાર થયા. ત્યારે શ્રી રૂષભદેવ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે વખતે ચોસઠ ઇન્દ્રોએ આવીને સમવસરણ રચ્યું. વનપાલકે ભરત રાજાને તેની વધામણી આપી. તે જાણીને ભરત રાજા મરૂદેવી માતા પાસે આવીને વૃત્તાંત કહીને બોલ્યા કે-હે માતા! તમે મને હંમેશા ઉપાલંભ આપતા હતા કે મારો પુત્ર ટાઢ-તડકા વગેરે દુ:ખોને સહન કરે છે અને એકલો જ વનમાં વિચરે છે, તો આજે મારી સાથે તમે ચાલો એટલે તમારા પુત્રનો વૈભવ હું તમને બતાવું. તે વચન સાંભળીને પુત્ર દર્શન માટે અતિ ઉત્સુક થયેલા મરૂદેવી માતાને હાથીના સ્કંધ ઉપર બેસાડીને ભરત મહારાજા સમવસરણ તરફ આવ્યા.
સમવસરણ નજીક પહોંચતા દેવદુંદુભિનો શબ્દ સાંભળીને મરૂદેવી માતાને હર્ષ થયો અને દેવ તથા દેવીઓના જય-જય શબ્દો સાંભળીને તેમની રોમરાજી વિકસ્વર થઇ-રોમાંચ ખડા થયા. આખોમાં આંસુ આવ્યા. તેથી તરત જ તેમના નેત્ર પડળ ઉઘડી ગયા. એટલે સમવસરણનાં ત્રણ પ્રકાર, અશોકવૃક્ષ તથા છત્ર ચામરાધિક સર્વ તેમણે પ્રત્યક્ષ જોયું. પછી ઉપમારહિત એવી પ્રાતિહાર્યની સમૃદ્ધિ જોઇને માતા મનમાં વિચાર કરવા લાગ્યા કે-“અહો! આ સંસારને ધિક્કાર છે. અને મોહને પણ ધિક્કાર છે. કેમકે હું એમ જાણતી હતી કે મારો પુત્ર એકલો વનમાં ભૂખ્યો-તરસ્યો ભટકતો હશે. પરંતુ આ તો આટલી બધી સમૃધ્ધિ પામ્યો છે. તે છતાં પણ તેણે મને કોઈ વખત સંદેશો-સમાચાર સરખા પણ મોકલ્યા નહિ અને હું તો તેના પ્રત્યેના મોહને લીધે હંમેશા દુઃખી થઈ. તો કૃત્રિમ અને એક તરફી સ્નેહને ધિક્કાર છે! પુત્ર કોણ અને માતા પણ કોણ? આ સર્વ દુનિયા સ્વાર્થની જ સગી છે. વાસ્તવિક કોઈ કોઈને વહાલું નથી. એમ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પામી તુરત મોક્ષે ગયાં. આ મરૂદેવી માતા પહેલા સિધ્ધ થયા એમ કહીને દેવોએ તેમનો દેહ ક્ષીરસાગરમાં નાંખ્યો.
આ દૃષ્ટાંત લઈને કેટલાક માણસો એમ કહે છે કે- ત૫, સંયમ વગેરે અનુષ્ઠાન કર્યા વિના જેમ મરૂદેવી માતા સિધ્ધિપદ પામ્યા, તેમ અમે પણ મોક્ષ પામીશું. એવું આલંબન ગ્રહણ કરે છે. પણ વિવેકી પુરુષોએ તેવું આલંબન ગ્રહણ કરવા લાયક
નથી.
શબ્દાર્થ - કેટલાંક પુરુષો, કોઈક વખત કાંઇક વસ્તુ જોઈને, કોઈક સ્થાને, આવરણકારી કર્મના ક્ષયપક્ષમ રૂપ લબ્ધિ વડે, કોઇક વૃધ્ધ વૃષભ (બળ૬) વગેરે વસ્તુ જોવા રૂ૫ નિમિત્ત વડે પ્રત્યેક બુધ્ધપણે સમ્યકુદર્શન ચારિત્રાદિકનો લાભ પ્રાપ્ત કરે છે તે આશ્ચર્યભૂત છે. તેવા દૃષ્ટાંતો થોડાંક જ હોય છે. માટે તેનું આલંબન પણ ગ્રહણ કરવા યોગ્ય નથી!
388
Page #413
--------------------------------------------------------------------------
________________
ચંદ્રાવતંસક રાજાનું ચરિત્ર
સાકેતપુર નગરમાં ચંદ્રાવસંતક નામનો રાજા હતો. તેને સુદર્શના નામે રાણી હતી. તે રાજા પરમ-શ્રેષ્ઠ શ્રાવક હતો અને સમક્તિ મૂળ શ્રાવકના બાર વ્રતો સારી રીતે પાળતો રાજ્ય કરતો હતો. એક દિવસ સભા વિસર્જન કરી અંતઃપુરમાં જઈ સામાયિક કરી કાઉસગ્ગ ધ્યાનમાં અભિગ્રહ ધારી સ્થિર રહ્યો કે-“જ્યાં સુધી આ દીવો બળે ત્યાં સુધી મારે કાઉસગ્ગ મુદ્રાથી અહીં સ્થિર રહેવું.” એ પ્રમાણે પહેલો પહોર ગયો.
પછી દીવાને ઝાંખો પડેલો જોઈ રાજાના નિયમને નહિ જાણતી દાસીએ તેલ પૂર્યું. એ પ્રમાણે બીજો પહોર ગયો એટલે ફરીને તેલ પૂર્યુ. એ પ્રમાણે તેલ પૂરવાથી ચાર પહોર સુધી અખંડ દીવો બળ્યો અને અખંડ અભિગ્રહવાળા રાજાએ પણ સવારમાં દીવો ઓલવાયા પછી કાઉસગ્ગ પાર્યો. પરંતુ રાજા ઘણો કોમળ હોવાથી ચાર પહોર સુધી એક જગ્યાએ સ્થિર રહેવાને લીધે ઘણી વેદના-પીડા અનુભવી. વિશુદ્ધ ધ્યાન વડે કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયો.
એ પ્રમાણે બીજા મનુષ્યોએ પણ લીધેલા નિયમના પાલનમાં દઢતા રાખવી. એવો આ કથાનો ઉપદેશ છે.
દેઢપ્રહારીનું ચરિત્ર માકંદી નામની મોટી નગરીમાં સમુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ વસતો હતો. તેને સમુદ્રદત્તા નામે સ્ત્રી-પત્ની હતી. એક દિવસ તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે હંમેશા વધતો-વધતો સેંકડો અન્યાય કરે છે. યુવાવસ્થા પ્રાપ્ત થતા તે લોકોને મારે છે. ખોટું બોલે છે. ચોરી કરે છે. પરસ્ત્રી સમાગમ કરે છે. ભક્ષ્યાભઢ્ય- શું ખાવું- શુ ન ખાવું તેના વિવેકને જાણતો નથી. કોઈની શિખામણ માનતો નથી. માતા-પિતાની અવજ્ઞા-અવગણના-તિરસ્કાર કરે છે. એ પ્રમાણે મહા અન્યાયના આચરણમાં ચતુર એવો તે શહેરમાં ભમ્યા કરે છે.
એક દિવસ રાજાએ તેના વિષે હકીકત સાંભળી કે આ અયોગ્ય છે, એમ જાણી દુર્ગપાળને બોલાવીને કહ્યું કે- વિરસ વાંજિત્રો વગાડતા આ અધમ બ્રાહ્મણને શહેરની બહાર કાઢી મૂકો. લોકોએ પણ તે બાબતમાં અનુમોદન આપ્યું.
દુર્ગપાળે તે પ્રમાણે કર્યું. તે બ્રાહ્મણ પણ મનમાં દ્વેષ રાખી નગરમાંથી નીકળી
389
Page #414
--------------------------------------------------------------------------
________________
ભીલની પલ્લીમાં ગયો. ત્યાં તે ભીલપતિને મળ્યો. ભીલપતિએ પણ ‘અમારા કામમાં આ કુશળ છે.’ એવું લક્ષણોથી જાણી તેને પોતાના પુત્ર તરીકે સ્થાપિત કર્યો અને પોતાના ઘરની બધી સંપત્તિ તેને સ્વાધીન કરી. તે કુમારપણે વિચરે છે-ફરે છે. ત્યાં રહેતો તે ઘણા જીવોને નિર્દયપણે મારે છે. તેથી લોકમાં ઢઢપ્રહારી એ નામથી તે પ્રસિદ્ધ થયો.
એક દિવસ તે મોટું ધાડું કઇને કુશસ્થલ નગર લૂંટવા ગયો. તે વખતે તે નગરમાં દેવશર્મા નામનો એક દરિદ્ર-ગરીબ બ્રાહ્મણ વસતો-રહેતો હતો. તે દિવસે તેણે ઘણા મનોરથપૂર્વક પોતાના ઘરે ખીરનું ભોજન રંધાવ્યું બનાવરાવ્યું હતું અને પોતે સ્નાનન્હાવાને માટે નદીએ ગયો. તે અવસરે કોઇ એક ચોરે તે બ્રાહ્મણના ઘરમાં દાખલ થઇ તે ખીરનું ભાજન-વાસણ ઉપાડ્યું. તે જોઇને રડતા-રડતા તે બ્રાહ્મણના બાળકોએ નદીએ જઇને તેમના પિતાને તે કહ્યું. ક્ષુધાતુર-ભૂખથી પીડાયેલો તે બ્રાહ્મણ પણ જલદી ઘેર આવી ક્રોધિત થઇને મોટી ભોગળ-સાંકળ લઇ મારવાને માટે તે ચોર પાસે આવ્યો. બંને પરસ્પર લડવા લાગ્યા. તે વખતે પેલા ઢઢપ્રહારીએ આવીને ખડ્ગથી બ્રાહ્મણને મારી નાખ્યો. તેને ભૂમિ ઉપર પડેલો જોઇને ક્રોધના આવેશથી પરવશ બનેલી પોતાનું પૂછડું ઊંચું કરી તે બ્રાહ્મણના ઘરની ગાય તે દેઢપ્રહારીને મારવાને માટે દોડી. પરંતુ ઢઢપ્રહારીએ ભયંકર પરિણામપૂર્વક તે ગાયને પણ મારી નાંખી. તે વખતે પોતાના પતિને મરેલો જોઇને આંસું પાડતી વિલાપ કરતી અને ગાઢ સ્વરે આક્રોશ કરતી તે બ્રાહ્મણની સગર્ભા સ્ત્રી પણ ત્યાં આવી. તેને પણ તે દૅપ્રહારીએ મારી નાંખી. તેના પેટ ઉપર પ્રહાર કરવાથી-મારવાથી તેની કુક્ષિમાં રહેલો ગર્ભ નીકળીને પૃથ્વી ઉપર પડ્યો. તે ગર્ભને ભૂમિ ઉપર તરફડતો જોઇને તે નિર્દય દયા વગરનો હતો, છતાં તેના મનમાં દયા ઉત્પન્ન થઇ.
તે વિચારવા લાગ્યો કે-“અરેરે! અતિ અધમ-હલકું, નીચકર્મ કરનાર મને ધિક્કાર છે! મેં નિષ્કારણ-વગર પ્રયોજન વિના આ અનાથ અને ગર્ભવતી અબળા-સ્ત્રીને મારી નાખી. તેથી મારી કેવી ગતિ થશે?
આ પ્રમાણે વિચારી વ્યગ્ર મને-ચિંતિત મને નગરમાંથી બહાર નીકળી વનમાં ગયો. ત્યાં તેણે એક સાધુ મહારાજને જોયા. તેમના પગમાં પડી અને પોતાના પાપનું સ્વરૂપ જણાવ્યું અને કહ્યું કે- હે ભગવાન! આ હત્યાઓના પાપમાંથી હું કેવી રીતે મુક્ત થાઉં તે કહો. સાધુએ કહ્યું કે ‘શુધ્ધ ચારિત્ર ધર્મને આરાધ્યા સિવાય તું તે પાપથી મુકાઇશ નહિ.’ તે સાધુના વચનથી વૈરાગ્ય પામીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું.
390
Page #415
--------------------------------------------------------------------------
________________
પછી તેણે એવો અભિગ્રહ કર્યો કે-“જ્યાં સુધી આ ચાર હત્યાઓ મારા સ્મરણમાં આવે-મને યાદ આવે ત્યાં સુધી અન્ન કે પાણી માટે લેવું નહિ.' એવો અભિગ્રહ લઈને તે જ નગરના એક દરવાજે કાઉસગ્ગ-કરીને ઊભો રહ્યો. પછી તે દરવાજે થઈને આવતા જતાં નગરના લોકો તે હત્યાઓનું વાંરવાર સ્મરણ કરાવીને-સાદ કરાવીને –
આ મહાદુષ્ટ કર્મનો કરનાર છે.' એ પ્રમાણે તેની તાડના-તર્જના કરવા લાગ્યા. કેટલાક લાકડી વડે મારે, કેટલાક મુષ્ટિના પ્રહાર કરે, કેટલાક ગાળો દે, કેટલાક પત્થર ફેંકે- આ પ્રમાણે તેણે પરિષહોને સહન કર્યા.
આવી રીતે દઢપ્રહારીને છ મહિના પસાર થઇ ગયા પરંતુ તે પોતાના નિયમથી જરા પણ ચલાયમાન થયો નહિ. વિશુધ્ધ ધ્યાનથી તેનું અંતઃકરણ ક્ષમા વડે નિર્મળ થયું. અને ઘાતી કર્મોનો ક્ષય થવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઘણા જીવોને પ્રતિબોધ પમાડી દઢપ્રહારી કેવલી મોક્ષે ગયા.
આ પ્રમાણે બીજા પણ જેઓ આક્રોશ આદિ અનેક પ્રકારના-ઉપસર્ગોને સહન કરે છે, તેઓ અનંત સુખ ભોગવનારા થાય છે. એવો આ કથાનો ઉપદેશ છે.
આમ, ઉપદેશમાળા” ગ્રંથમાં આવા અનેક દૃષ્ટાંતો દ્વારા ઉપદેશની માળા સર્જી છે. ખરેખર! આ નામ સાર્થક છે. આવા ગ્રંથના વાંચનથી વૈરાગ્યની પુષ્ટિ થાય છે.
મધ્યકાલીન કથા સાહિત્ય
જૈન કથા સાહિત્ય વિપુલ પ્રમાણમાં ખેડાયેલું છે. મોટા ભાગના જૈન સાધુ કવિઓ અને કેટલાંક શ્રાવક કવિઓએ રચનાઓ કરી છે. બીજી રીતે કહીએ તો કવિઓએ તેમના સમયમાં સામાન્ય જનોને ઉપદેશ આપવા માટે જેન કથાઓનો સુંદર ઉપયોગ કર્યો છે. સામાન્ય જનોને જૈન ધર્મના સિધ્ધાંતને તાત્વિક રીતે સમજાવવા એ મુશ્કેલ અથવા કઠિન કહી શકાય તેવું કાર્ય હતું. એટલે આબાલ વૃધ્ધ સૌ કોઈ સમજી શકે એ હેતુથી કવિઓએ રાસા કે અન્ય સ્વરૂપની રચના કરવા વિવિધ કથાઓનો આશરો લીધો છે. એક તરફ જૈનેતર હિન્દુ સાહિત્યમાં આખ્યાનનું સ્વરૂપ ખૂબ વિકાસ પામેલું હતું. જૈન કવિઓએ એ જ રીતે રાસાઓ રચીને રાસ સ્વરૂપનું ખેડાણ કર્યું અને તે સમયને “રાસ યુગ”નામ આપવામાં આવ્યું. જેનેતર કવિઓમાં ખાસ કરીને પ્રેમાનંદે પોતાના આખ્યાનોનું કથાવસ્તુ, પુરાણ, ભાગવત, મહાભારત વગેરે ગ્રંથોમાંથી કથાઓ લઇને આખ્યાનના સ્વરૂપ ઢાળ્યા અને તે દ્વારા સામાન્ય જનોને કથારસરૂપી આસ્વાદ ચખાડીને ધર્મનો બોધ પમાડ્યો. એ જ રીતે જૈન
391
Page #416
--------------------------------------------------------------------------
________________
કવિઓએ આગમ, તીર્થકરના જીવનચરિત્રો, રાજાઓ, સતીઓ, મુનિઓ વગેરેના જીવનની કથાઓને વણી લઈ રાસાઓ, ફાગુઓ, બારમાસી કે અન્ય સ્વરૂપોમાં રચનાઓ કરી છે.
આ રીતે જોતાં જેન કથાઓના આધારે સૌથી વધુ રાસની રચના થઇ છે.
મધ્યકાલીન સાહિત્યમાં સાધુ કવિઓ અને શ્રાવક કવિઓએ જૈન કથાઓના આધારે રાસની રચનાઓ વિપુલ પ્રમાણમાં કરી છે. જેના સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે આપવામાં આવ્યો છે. જેમાં પ્રારંભમાં બારમીથી ૧૫મી સદી સુધીમાં જે રાસ લખાયાં તેમાં શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર બાહુબલિ રાસ(સં ૧૨૪૧)મુખ્ય છે. જેમાં કવિએ ભારત અને બાહુબલિ ઋષભદેવના બે પુત્રોની કથાને ગૂંથી.
વિજયસેનસૂરિએ રેવતગિરિ રાસમાં બાવીસમા તીર્થંકર નેમિનાથની સહાયિકા દેવી અંબિકા તથા ગિરનાર પર્વત વિશેની કથાને ગૂંથી લીધી છે.
પાલ્હણ નામના કવિએ નેમિનાથની કથાને નેમિરાસમાં ગુંથી છે. આ રાસ ૧૩મી સદીમાં રચાયો.
પ્રારંભના રાસાઓ ટૂંકા હતા. પંદરમી સદીમાં સં ૧૪૧રમાં ઉપાધ્યાય વિનયપ્રત્યે પ્રભુ મહાવીરના પરમ શિષ્ય અને પ્રથમ ગણધર ગૌતમસ્વામીના કથાનકના આધારે ગૌતમસ્વામી રાસની રચના કરી છે.
સાધુહંસ નામના કવિએ શાલિભદ્ર રાસ અથવા ધન્નાશાલિભદ્ર અંબધ ચોપાઈ રચના સં.૧૪૫૫માં ર૦૦ કડીમાં કરી છે. જેમાં ધન્ના અને શાલિભદ્રના કથાનકને વણી લેવામાં આવ્યું છે.
સં.૧૪૮૪માં હીરાનંદસૂરિએ વસ્તુપાલ તેજપાલના રાસમાં વસ્તુપાલ તેજપાલની કથાને ગૂંથી છે. દશાર્ણભદ્ર રાસમાં દશાર્ણભદ્રની કથા ગૂંથી છે.
માંડણ શ્રેષ્ઠી શ્રાવક કવિએ શ્રીપાળરાસની રચના ર૫૮ કડીમાં કરી છે. જેમાં શ્રીપાળમયણાની કથા અને સિધ્ધચક્રના મહિમાને ગૂંથી લીધો છે.
મંડલિક નામના કવિએ ૧૩મા શતકમાં થઈ ગયેલા પોરવાડ વંશના પેથડશાહના સુતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે.
ચંપ નામના કવિએ ર૪૨ કડીમાં નળચરિત્ર અથવા નળદમયંતી રાસની ચરના કરી છે. જેમાં નળદમયંતીની કથા આલેખી છે.
392
Page #417
--------------------------------------------------------------------------
________________
૧૪મી સદી અભયતિલક સં.૧૩૦૭માં મહાવીર રાસની રચના કરી છે. જેમાં મહાવીર ચરિત્ર ગૂંથી લીધું છે.
વસ્તિગે વીસવિહરમાન રાસની રચના સં.૧૩૬૮માં કરી, જેમાં વીસવિહરમાનની કથા આલેખી છે.
અમ્મદેવસૂરિએ સં.૧૩૭૧માં અમરસિંહરાસની રચના કરી. જેમાં અમરસિંહની કથા વર્ણવી છે.
૧૨મીથી ૧૪મી સદી સુધીમાં જે રાસ રચાયા તેમાં શાલિભદ્રસૂરિએ ભરત બાહુબલિકથા, વિજયસેનસૂરિએ નેમિનાથ કથા, પાલ્હણે નેમિનાથ કથા, વિનયપ્રત્યે ગૌતમસ્વામી કથા, સાધુ હંસે શાલિભદ્ર કથા, હીરાનંદ સૂરિએ વસ્તુપાલ તેજપાલ કથા, મંડણે શ્રીપાળ રાજાની કથા, મંડલિકે પેથડશાહની કથા, ચંપ નામના કવિએ નળદમયંતીની કથા, અભયતિલકે મહાવીરરાસ કથા, વસ્તિગે વીસવિહરમાન કથા, અમ્મદેવસૂરિએ અમરસિંહ કથા રાસાઓમાં ગૂંથી છે.
૧પમી સદી શાલિભદ્રસૂરિએ સં.૧૪૧૦માં પાંચ પાંડવ રાસની રચના કરી જેમાં પાંચ પાંડવની જીવનને આલેખ્યું છે.
જયતિલકસૂરિ શિષ્ય ૧૫મી સદીમાં ર૧ ગાથાના નેમિનાથ રાસની રચના કરી. જયસાગર ઉપાધ્યાયે સં.૧૫૦૩માં વરસ્વામી ગુરુરાસ સં.૧૪૮૯માં રચ્યો. સકારોએ પંદરમી સદીમાં નેમિચરિત રાસ રચ્યો. જેની ૨૮ ગાથા છે. સુંદરસૂરિ શિષ્ય સં.૧૫૧૩ પહેલા વિમલમંત્રી રાસ રચ્યો.
સાધુ કીર્તિ કવિએ વિક્રમચરિત્રકુમાર રાસ તેમજ મત્સ્યોદર કુમાર રાસની રચના સં.૧૪૯૯માં કરી, જેમાં વિક્રમરાજાની કથા ગૂંથી છે.
તેજવર્ધને ભરત બાહુબલિ રાસ રચ્યો, જેમાં ભરત બાહુબલિની કથા ગૂંથી છે. મંડલિકે પેથડરાસમાં ૧૩મા સૈકામાં થયેલ પેથડશાહની કથા વર્ણવી છે.
પંદરમી સદીમાં રચાયેલા રાસાઓને જોતાં શાલિભદ્રસૂરિએ મહાભારતના પાંચ પાંડવોની કથા, જયતિલકસૂરિએ રરમા તીર્થંકર નેમિનાથની આદિની કથા, સાધુ કીર્તિએ ઋષભદેવના પુત્રોને સમયની પ્રખ્યાત વિક્રમરાજાની કથા, તે જ વધીને
393
Page #418
--------------------------------------------------------------------------
________________
ભરત બાહુબલિની કથા અને કવિ મંડિલકે પેથડશાહ શ્રાવક(મંત્રીની) કથાને રાસામાં ગૂંથી છે.
૧૬મી સદી
સાધુ મેરુએ સં ૧૫૦૧માં ૬૦૮ કડીનો પુણ્યસાર રાસ રચ્યો, જેમાં પુણ્યસારની કથા વર્ણવી છે.
શુભશીલ ગણિએ સં.૧૫૦૯માં પ્રસેનજિત રાસ રચ્યો, જેમાં પ્રસેનજિતની કથા વર્ણવી છે.
૧૬મી સદીમાં જિનદાસે ૧૨૮ ગાથાનો પુષ્પાંજલિ રાસ રચ્યો. જેમાં
મંગલાવતીના વ્રજસેન અને એની પત્ની જયાવતીની કથા છે.
રત્નસિંહસૂરિ શિષ્ય સં.૧૫૦૯મા ૩૪૫ કડીનો રત્નચૂડ-મણિચૂડ રાસ રચ્યો. તેમ જંબુસ્વામી રાસ સં.૧૫૧૬માં રચ્યો. તે ૧૧૨ કડીનો છે, જેમાં જંબૂસ્વામીની કથા છે. જેમાં રત્નચૂડ મણિચૂડ કથા આલેખી છે.
ઋષિવર્ધનસૂરિએ સં.૧૫૧૨માં નળદમયંતી રાસની રચના કરી, આ રાસ ૩૩૧ કડીમાં રચાયો છે જેમાં નળદમયંતીની કથા છે.
મતિશેખરે સં.૧૫૧૪માં ધન્ના રાસ રચ્યો. જેમાં ધન્નાના ચરિત્રનું વર્ણન છે. કુરુગડુ (કૂરઘટ) ઋષિ રાસ રચ્યો. જેમાં કુરુગડુ મુનિની કથા ગૂંથી છે.
સંવત ૧૫૩૭માં મચણરેહા સતી ઉપર ૩૬૦ કડીનો રાસ રચ્યો. જેમાં મયણરેહા સતીના શીલને વર્ણવ્યું છે.
જિનવર્ધને સં.૧૫૧૫ની આસપાસ ધન્નારાસ રચ્યો. જેમાં ધન્નાની કથા આલેખી છે.
લક્ષ્મીસાગર (સૂરિ?)એ ૫૮ કડીનો વસ્તુપાલ તેજપાલ રાસ રચ્યો.
(બ્રહ્મ)જિનદાસે સંવત ૧૫૨૦માં હિરવંશ રાસ, શ્રેણિક રાસ જેમાં શ્રેણિક કથા આલેખી છે, યશોધર રાસ જેમાં યશોધર કથા આલેખી છે, આદિનાથ રાસ જેમાં આદિનાથ કથા આલેખી છે, કરકંડુરાસ (પૂજાલ પર), હનુમંત રાસ, સમકીત રાસ, સાસરવાસો રાસની રચના કરી.
સોમચંદ્રે સં.૧૫૨૦ની આસપાસ કામદેવ રાસ રચ્યો. ૩૧૪ કડીમાં આ રાસ રચાયો છે. સુદર્શનરાસ પણ તેમણે રચ્યો. જેમાં સુદર્શનની કથાને સરસ રીતે ગૂંથી છે.
394
Page #419
--------------------------------------------------------------------------
________________
કવિ દેપાલે અભયકુમાર શ્રેણિક રાસ, જાવડ ભાવડરાસ, પાર્શ્વનાથ જીરાઉલારાસની રચના કરી. જેમાં અભયકુમાર શ્રેણિકની કથા ગૂંથી છે. જાવડભાડની કથા વર્ણવી છે.
જ્ઞાનસાગરે સિધ્ધચક્ર રાસ અથવા શ્રીપાળ રાસમાં શ્રીપાળની કથાનું વર્ણન કરતા ૭૬ કડીમાં રાસ રચ્યો. તેની રચના કાળ સં.૧પ૩૧ છે.
વચ્છ-વાછો(શ્રાવક)એ સં.૧૫ર૩માં મૃગાંકલેખા રાસ રચ્યો જેમાં મૃગાંકલેખાની કથા ગૂંથી છે.
કક્કસૂરિ શિષ્ય ૩૭૫ ગાથાનો કુલધ્વજકુમાર રાસ રચ્યો. જેમાં કુલધ્વજકુમારની કથા ગૂંથી છે.
દેવકીર્તિએ સં.૧૫૩૧માં ધન્નાશાલિભદ્રરાસ દ્વારા ધન્નાશાલિભદ્ર જીવનગાથા ગૂંથી લીધી છે.
દેવપ્રભગણિએ કુમારપાલ રાસ રચ્યો. જેમાં કુમારપાળની કથા વર્ણવી છે.
લાવણ્યસમયે સંવત ૧૫૬૭માં ૨૦૦ કડીનો સુરપ્રિય કેવલી રાસ રચ્યો. જેમાં, સુરપ્રિય કેવલી ચરિત્રનું વર્ણન કર્યુ છે.
સંવત ૧૫૮૯માં બલિભદ્ર યશોભદ્ર રાસ રચ્યો. જેમાં બલિભદ્ર યશોભદ્રની જીવન ગાથા ગૂંથી છે.
યશોભદ્રસૂરિએ વચ્છરાજ દેવરાજ રાસ છ ખંડમાં રચ્યો. સંવત ૧૫૭પમાં જેમાં વચ્છરાજ દેવરાજ કથા ગૂંથી છે.
ઉદયધર્મએ સં૧૫૪૩માં ૧૧૮૫ કડીનો મલયસુંદરી રાસ રચ્યો. જેમાં મલયસુંદરી કથા વર્ણવી છે.
શાંતિસૂરિએ સં.૧૫૧૭-૧૯ આસપાસ ૧૩૭ ગાથાના સાગરદત્ત રાસની રચના કરી દાનનું મહત્ત્વ બતાવ્યું છે.
કલ્યાણતિલકે ૬૫ ગાથાનો ધન્નારાસ રચ્યો. જેમાં ધન્નાની કથા ગૂંથી છે.
જિનસાધુસૂરિ એ સં.૧૫૫૦ની આસપાસ ભરત બાહુબલિ રાસમાં ભારતબાહુબલિની કથાને ગૂંથી છે. ૩૨૩ કડીનો આ રાસ છે.
ક્ષમાકલશે સં.૧૫૫૧માં ૧૯૧ કડીમાં સુંદર રાજા રાસ રચ્યો. શીલનું મહત્ત્વ બતાવતો લલિતાંગકુમાર રાસ સં.૧૫૫૩માં રચ્યો. જેમાં લલિતાંગ કુમારની કથા વર્ણવી છે.
395
Page #420
--------------------------------------------------------------------------
________________
જયરાજ સં.૧૫૫૩માં મત્સ્યોદર રાસ રચ્યો. આ રાસ ચોપાઇમાં છે.
સંવત ૧૫૫૪માં ર૮૪ કડીનો હરિશ્ચંદ્ર રાસ રચ્યો. સંવત ૧૫૬૧માં અજાપુત્ર રાસ રચ્યો. જેમાં અજાપુત્રની કથા ગૂંથી છે. સંવત ૧૫૬૩માં ૧૧૦ કડીમાં વજસ્વામીનો રાસ રચ્યો. જેમાં વજસ્વામીની કથા વર્ણવી છે.
કુશળસંયમે સં.૧૫૫૫માં હરિબલનો રાસ રચ્યો. જેમાં હરિબલ માછીની કથા ગૂંથી છે.
નેમિકુંજરે સં.૧૫૫૬માં ચારખંડમાં ગજસિંહરાય ચરિત્ર રાસ રચ્યો. જેમાં ગજસિંહરાય ચરિત્ર વર્ણવ્યું છે.
લબ્ધિસાગરે સંવત ૧૫૫૭માં શ્રીપાળમચણાની કથા ગૂંથતો શ્રીપાળ રાસ રચ્યો.
લાવણ્ય સિંહે પ૬ કડીમાં, સંવત ૧૫૫૮માં ઢંઢણ કુમાર રાસ રચ્યો. જેમાં ઢંઢણ કુમારની કથા ગૂંથી છે.
ઈશ્વર સૂરિએ સંવત ૧૫૬૧માં લલિતાંગ રાસ રચ્યો. જેમાં લલિતાંગ કુમારની કથા ગૂંથી છે.
કઠુઆ કવિએ દુહા અને ચોપાઇમાં લીલાવતી સુમતિવિલાસ રાસ રચ્યો. જેમાં લીલાવતી સુમતિવિલાસની કથા વર્ણવી છે.
- જ્ઞાનચંદ્રસૂરિએ સંવત ૧૫૬૫માં વંકચૂલનો રાસ લખ્યો. રાસમાં ત્રણ ખંડની મળી ૯૧૮ ગાથા છે. જેમાં વંકચૂલે ધર્મ સ્વીકાર કેવી રીતે કર્યો એની કથા આલેખી
- ઉદયભાનુએ સંવત ૧૫૬પમાં વિક્રમસેન રાસ રચ્યો. આમા પ૬૬ ટૂંક છે. જેમાં વિક્રમસેન રાજાની કથા ગૂંથી છે.
ધર્મસમુદ્રમણિએ સં.૧૫૬૭માં સુમિત્રકુમાર રાસ રચ્યો. અને દાન વિશેનો આ રાસ ૩૩૭ કડીનો છે. જેમાં સુમિત્ર કુમારની કથા છે.
સંવત.૧૫૮૪માં કુલધ્વજકુમાર રાસ રચ્યો. જેમાં કુલધ્વજ કુમારની કથા આલેખી છે.
લક્ષમીરત્ન શિષ્ય સુરપ્રિયઋષિ રાસ રચ્યો. જેમાં સુરપ્રિય ઋષિની કથા ગૂંથી છે.
સહજસુંદરે સંવત.૧૫૭રમાં ૩૬૮ કડીનો ઋષિદરા રાસ રચ્યો. જેમાં ઋષિદત્તાની કથા ગૂંથી છે.
396
Page #421
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત રત્નસાર કુમાર રાસ સં.૧પ૮રમાં રચ્યો. જેમાં આત્મરાજ રત્નસાર કુમારની કથા વર્ણવી છે.
સંવત ૧૫૮૨માં, પ્રસન્નચંદ્રરાજર્ષિ રાસ, જેમાં પ્રસન્નચંદ્ રાજર્ષિની કથા ગૂંથી છે. પરદેશી રાજાનો રાસ, જેમાં પરદેશી રાજાની કથા આલેખી છે. શુકરાજ સહેલી કથા રાસ, જંબુઅંતરંગ રાસની રચના કરી. જેમાં જંબૂની કથા વર્ણવી છે.
લાવણ્યરત્ન વત્સરાજ દેવરાજ રાસ સંવત ૧૫૭૧માં રચ્યો. ૪૭૫ કડીના આ રાસમાં વત્સરાજ- દેવરાજની કથા ગૂંથી છે.
અમીપાલે મહિપાલનો રાસ સંવત ૧૫૭રમાં રચ્યો. જેમાં મહિપાલની કથા ગૂંથી
જયવલ્લભે ગૃહીધર્મ રાસ(સમ્યકત્વ મૂલ બારવ્રત રાસ) રચ્યો. રચના સંવત ૧૫૭૭, ૫૯ કડીમાં રાસ રચાયો છે. તેમણે ધન્ના આણગારનો રાસ પણ રચ્યો. જેમાં ધન્નાનો ત્યાગ કથા દ્વારા ગૂંથી લેવાયો છે. - સૌભાગ્યસાગરસૂરિએ સંવત ૧૫૭૮માં ચંપકમાલા રાસ રચ્યો. જેમાં ચંપકમાલા સતીનું ચરિત્ર વર્ણવાયું છે.
ચારચંદ્રએ સંવત ૧૯૪૦માં ૧૧૭ કડીનો મહાબલ મલયસુંદરી રાસ રચ્યો. જેમાં મહાબલ-મલયસુંદરીની કથા વર્ણવી છે.
- સિંહદત્તસૂરિએ સ્થૂલિભદ્ર રાસ રચ્યો જેમાં યુલિભદ્રના શીલનું વર્ણન કથા દ્વારા ગૂંથી લેવાયું છે.
વિનયસમુદ્ર ચંદનબાળા રાસ રચ્યો. સંવત ૧૬૦૪માં ચિત્રસેન પદ્માવતી રાસ રચ્યો. સંવત ૧૬૦૫માં રોહિણેય(ચોરમુનિ) રાસ રચ્યો. જેમાં રોહિણેયની કથા આલેખી છે.
ભીમ (શ્રાવકે) સંવત ૧૫૭૪માં અગડદત્ત રાસ રચ્યો. જેમાં અગડદત્તની કથા ગૂંથી છે.
સાધુરત્નસૂરિએ સંવત ૧૫૭રમાં કયવન્ના રાસ રચ્યો. જેમાં ક્યવન્નાની કથા વર્ણવી છે.
વિજયદેવસૂરિએ શીલપ્રકાશ રાસ (નેમિજિન) રચ્યો. જેમાં નેમિનાથનું જીવન ચરિત્ર આલેખાયુ છે.
શુભવર્ધન શિષ્ય અષાઢભૂતિ મુનિનો રાસ રચ્યો. જેમાં અષાઢાભૂતિ મુનિની
397
Page #422
--------------------------------------------------------------------------
________________
કથા ગૂંથી છે. સંવત ૧૫૯૧માં ગજસુકુમાલઋષિરાસ રચ્યો. જેમાં ગજસુકુમાલ મુનિની કથા વર્ણવી છે.
સમરચંદ્ર શિષ્ય ૧૨૩ર ગાથાનો શ્રેણિકરાસ રચ્યો. જેમાં શ્રેણિક કથા વર્ણવાયી
કવિ દોલતવિજયે ખુમાણરાસ રચ્યો.
કવિ પુષ્યરત્નએ સંવત ૧૫૯૬ પહેલા ૬૫ ગાથાનો નેમિરાસ રચ્યો. જેમાં નેમિનાથના જીવનનું વર્ણન કથા દ્વારા ગૂંથી લેવાયું છે.
કવિ વાસણે સંવત ૧૫૯૭માં આનંદવિમલસૂરિ રાસ રચ્યો.
ભાવ ઉપાધ્યાયે હરિશ્ચંદ્ર રાસ, અંબડરાસ ૧૬મી સદીમાં રચ્યા જેમાં અંબડ કથા ગૂંથી છે.
વિજયભદ્રએ ૭૭ ગાથાનો કમલાવતી રાસ, ૭૭ કડીનો કલાવતી સતી રાસ રચ્યો. જેમાં સતીકલાવતીના શીલની કથા વર્ણવાઈ છે. આ રાસાઓ ૧૬મી સદીમાં રચાયા.
ઉદયરત્નએ સંવત ૧૫૯૮ માં અજાપુત્ર રાસ રચ્યો. જેમાં અજાપુત્રની કથા રાસ સ્વરૂપે ગૂંથી છે.
ખમે સં.૧પ૯૬માં ૩૩ ગાથાનો નેમિરાસ રચ્યો. જેમાં નેમિનાથની કથા ગૂંથી છે.
આમ, ૧૯મી સદીના જે રાસાઓ લખાયા તેમાં સાધુમેરુએ પુણ્યસારની કથા, શુભશીલગણિએ પ્રસેનજિતની કથા, મતિશેખરે ધન્નાની કથા, કુરગુડુમુનિની કથા, મયણરોહા સતીની કથા, જિનદાસે શ્રેણિક કથા, યશોધર કથા, આદિનાથ ચરિત્ર, કરઠંડુ કથા(પૂજાફળ પર), હનુમંત કથા, કવિ દેપાલે અભયકુમાર-શ્રેણિક કથા, જિાવડ-ભાવડની કથા, પાર્શ્વનાથ જીરાઉલાની કથા, લાવણ્ય સમયે સુરપ્રિયકેવલી કથા, પરદેશી રાજાની કથા, શુકરાક સહેલીની કથા, જંબૂની કથા, ઉદયરત્નએ અજાપુત્રની કથા રાસાઓમાં ગૂંથી છે. આ ઉપરાંત બીજા ઘણા કવિઓ આ સદીમાં થઈ ગયા જેમણે વિવિધ રાસાની રચના કરી છે.
૧૭ મી સદી સોમવિમલ સૂરિએ સંવત ૧૬૦૩માં ૬૮૧ ગાથાનો શ્રેણિકરાસ રચ્યો. સંવત ૧૬રરમાં દાન વિષયે ચંપકશ્રેષ્ઠી રાસ રચ્યો. જેમાં ચંપકશ્રેષ્ઠીની કથા ગૂંથી છે. સંવત ૧૬૩૩માં ૩૦૩ ગાથાનો ક્ષુલ્લકકુમાર રાસ રચ્યો. જેમાં ક્ષુલ્લક કુમાર કથા ગૂંથી છે.
398
Page #423
--------------------------------------------------------------------------
________________
સુમતિ મુનિએ ૧૩૭ કડીનો અગડદત્ત રાસ સંવત ૧૬૦૧માં રચ્યો. જેમાં અગડદત્તની કથાને આલેખી છે.
વિમલચારિત્રસૂરિએ સંવત ૧૬૦૫માં નવકારરાસ અથવા રાજસિંહરાસ રચ્યો. જેમાં નવકારનું મહત્ત્વ દર્શાવતી રાજસિંહની કથા ગૂંથી છે.
મતિસારે (કદાચ જેનેતર હોય) સંવત ૧૬૦૫માં કપૂરમંજરી રાસ રચ્યો. તેમાં પ્રારંભમાં ગણપતિને નમસ્કાર કર્યા છે. જેમાં કપૂરમંજરીની કથાને ગૂંથી છે.
મતિસાગરે ૩૮૮ કડીનો ચંપકસેન રાસ સંવત ૧૬૦૫માં રચ્યો. જેમાં ચંપકસેનની કથા વર્ણવાથી છે.
સિધ્ધિસૂરિએ સંવત ૧૬૦૬માં પર૩ કડીનો અમરદત્ત મિત્રાનંદ રાસ રચ્યો. જેમાં અમરદત્ત મિત્રાનંદની કથા ગૂંથી છે. સંવત ૧૬૧૬માં સિંહાસન બત્રીશી કથા અથવા રાસ રચ્યો. સંવત ૧૬૧૮માં કુલધ્વજકુમાર રાસ રચ્યો. જેમાં કુલધ્વજ કુમારની કથા ગૂંથી છે. સંવત ૧૬ર૩માં ર૯૫ કડીનો શિવદત્ત રાસ રચ્યો. તેમાં સર્વદત્ત કથા ગૂંથી લેવામાં આવી છે.
કવિ હેમરાજે સંવત ૧૬૦૯માં ધારાસ રચ્યો. રાસની ૩૪૪ ગાથા છે. જેમાં ધનાની કથા ગૂંથાઈ છે.
સંવત ૧૬૩૦માં ૫૫ ગાથાનો બુધ્ધિરાસ રચ્યો.
કવિ ઉદાએ ૮૪ કડીનો સનતકુમાર રાસ સંવત ૧૬૧૭માં રચ્યો. જેમાં સનતકુમારની કથા આલેખી છે.
કવિ વિમલે મિત્રચૂડાસ જે ૩૪૪ કડીમાં, સંવત ૧૬૧૦માં રચ્યો. અજિતદેવસૂરિએ સમકિતશીલ સંવાદ રાસ સંવત ૧૬૧૦માં રચ્યો. તેમણે કર્પરચક્ર કરેલું છે.
પ્રીતિવિજયે સંવત ૧૬૧રમાં ૪૬૧ ગાથાનો બારવ્રત રાસ રચ્યો.
માલદેવે સંવત ૧૯૬૯માં પુરંદરકુમાર રાસ રચ્યો. તેમાં પુરંદરની કથા છે. તેના શીલનું મહત્ત્વ દર્શાવ્યું છે.
કવિ જયવંતસૂરિએ ર૩૯૧ કડીનો શૃંગારમંજરી રાસ (શીલવતી ચરિત્ર) સંવત ૧૬૧૪માં રચ્યો. સંવત ૧૬૪૩માં પ૬ર કડીનો ઋષિદત્તા રાસ રચ્યો. જેમાં ઋષિદત્તાનું ચરિત્ર વર્ણવાયું છે.
સૌભાગ્ય મંડને સંવત ૧૬૧રમાં પ્રભાકર રાસ રચ્યો. જેમાં પ્રભાકરની જીવન કથા
399
Page #424
--------------------------------------------------------------------------
________________
ગૂંથી છે.
કવિ હર્ષરાજે સંવત ૧૬૧૩માં સુરસેન રાસ રચ્યો. જેમાં સુરસેનની કથા વર્ણવી
વિનયસાગરે ચિત્રસેન પદ્માવતી રાસ રચ્યો. જેમાં ચિત્રસેન પદ્માવતીની કથા આલેખી છે.
બ્રહ્મમુનિ- વિનયદેવસૂરિએ સુદર્શન શેઠ રાસ રચ્યો. જેમાં સુદર્શન શેઠની કથા ગૂંથી છે. આ રાસ ૧૯૪૦માં રચાયો. ૮૩૯ ગાથાનો થયો. આ ઉપરાંત તેમણે ૩રપ કડીનો ભરતબાહુબલિરાસ સંવત ૧૯૩૪માં રચ્યો. જેમાં ભરતબાહુબલિની કથા ગૂંથી
છે.
કવિ નયસુંદરે સંવત ૧૯૩૭માં રૂપચંદકુંવર રાસ રચ્યો. જેમાં રૂપચંદકુંવરની કથા ગૂંથી છે.
સંવત ૧૯૪૦માં પ્રભાવતી રાસ (ઉદાયન) રચ્યો. સંવત ૧૬૪૬માં સુરસુંદરી રાસ રચાયો. જેમાં સુરસુંદરીની કથા ગૂંથી છે. સંવત ૧૬૬૫માં નલદમયંતી ચરિત્ર(નલાયનઉધ્ધાર રાસ) રચાયો. સં.૧૯૬૯માં વિજય શેઠ વિજયા શેઠાણીની કથાગર્ભિત શીલશિક્ષા રાસ રચાયો.
સોમવિમલસૂરિ શિષ્ય સંવત ૧૯૩૭માં ૪૦૨ કડીનો અમરદત્તમિત્રાનંદ રાસ રચ્યો. જેમાં અમરદત્ત મિત્રાનંદની કથાને ગૂંથી છે.
જયસારે સંવત ૧૬૧૯માં રૂપસેન રાસ રચ્યો. જેમાં રૂપસેન કથા ગૂંથી છે.
આણંદસોમે સંવત ૧૬૧૯માં ૧૫૬ કડીનો સોમવિમલસૂરિ રાસ રચ્યો. જેમાં સોમવિમલસૂરિની કથાને ગૂંથી છે.
મલ્લિદાસે ૩૦ ઢાળનો જંબુસ્વામી રાસ સંવત ૧૬૧૯માં રચ્યો. જેમાં જબૂસ્વામીના જીવનની ગાથા ગૂંથી છે.
કમલસોમે ર૦ કડીનો બારવ્રતરાસ સંવત ૧૯૨૦માં રચાયો.
ભીમ ભાવસારે સંવત ૧૯૨૧માં શ્રેણિકરાસ રચ્યો. જેમાં શ્રેણિકની કથા વર્ણવી છે. ર૦૧ કડીનો નાગલકુમાર- નાગદત્તનો રાસ સંવત ૧૬૩ર માં રચ્યો. જેમાં નાગલકુમાર-નાગદત્તની કથા આલેખી છે.
સમયસુંદરે ૪૧૧ કડીમાં સ્યુલિભદ્ર રાસ સંવત ૧૬રરમાં રચ્યો. જેમાં સ્યુલિભદ્રની કથા ગૂંથી છે.
400
Page #425
--------------------------------------------------------------------------
________________
કવિ રાજપાળે પરપ કડીમાં જંબૂકુમાર રાસ સંવત ૧૬૨૨માં રચ્યો. જેમાં જંબૂકુમારની કથા વર્ણવી છે.
રત્નસુંદરે રત્નવતીરાસ સંવત ૧૯૩૫માં ૪૦૩ કડીમાં રચ્યો. જેમાં રત્નવતીની કથા ગૂંથી છે.
જ્ઞાનદાસે સંવત ૧૯૨૩માં યશોધર રાસ રચ્યો. જેમાં યશોધર ચરિત્ર વર્ણવાયું છે. હરજીએ ભરડક બત્રીશીરાસ સંવત ૧૬૨૪માં રચ્યો.
કનક સોમે પર ગાથાનો જિનપાલ જિનરક્ષિત રાસ સંવત ૧૬૩૨માં રચ્યો. જેમાં જિનપાલ જિનરક્ષિતની કથા આલેખી છે.
કવિ ભવાને સંવત ૧૯૨૬માં ૪૮૩ કડીનો વંકચૂલરાસ રચ્યો. જેમાં વંકચૂલની કથા વર્ણવી છે.
મહેશ્વરસૂરિ શિષ્યએ સંવત ૧૬૩૦માં ૨૫૫ કડીનો ચંપકસેન રાસ રચ્યો. જેમાં ચંપકસેનની કથા ગૂંથી છે.
રત્નવિમલે ૧૪૮ કડીનો દામનક રાસ રચ્યો. તેમાં દામનગકુંવરની કથા ગૂંથી છે. જયનિધાને યશોધર રાસ સંવત ૧૬૪૩માં રચ્યો. જેમાં યશોધરની કથા ગૂંથી છે. સંવત ૧૯૬૫માં સુરપ્રિય ચરિત રાસ રચ્યો. જેમાં સુરપ્રિયની કથા વર્ણવી છે.
પુણ્યરત્નસૂરિએ સંવત ૧૬૩૭માં ૨૮૧ ગાથાની સનતકુમાર રાસ રચ્યો જેમાં સનતકુમારની કથા વર્ણવી છે. સંવત ૧૯૪૦માં ૭૨ કડીનાં સુધર્મા સ્વામી રાસ રચ્યો.
મંગલમાણેકે સંવત ૧૬૩૮માં વિક્રમરાજ અને ખાપરા ચોરનો રાસ રચ્યો. જેમાં વિક્રમરાજા અને ખાપરાચોરની કથા ગૂંથી છે.
હર્ષસાગરે સંવત ૧૬૩૮માં ૪૭૧ કડીનો ધનદકુમાર રાસ રચ્યો. જેમાં ધનદકુમારની કથા આલેખી છે.
દેવન્દ્રે સંવત ૧૬૩૮માં યશોધરચરિત્ર રાસ રચ્યો. જેમાં યશોધર ચારિત્ર ગૂંથી લીધું છે.
હરખજીએ સંવત ૧૯૩૯માં પુણ્યપાપ રાસ રચ્યો.
લાઇઆ ૠષિ શિષ્યએ સંવત ૧૯૪૦માં મહાબલ રાસ રચ્યો. જેમાં મહાબલની કથા ગૂંથી છે.
પદ્મસુંદર ઉપાધ્યાયે ૩૫૮ ગાથાનો શ્રીસાર રાસ સંવત ૧૯૪૦માં રચ્યો. તેમાં
401
Page #426
--------------------------------------------------------------------------
________________
શ્રીસાર નરેશની કથા ગૂંથી છે. સંવત ૧૬૪૨માં ૧૩૮ ગાથાનો રત્નમાલા રાસ રચ્યો. જેમાં રત્નમાલાના શીલની કથા ગૂંથી છે.
સંવત ૧૬૪૨માં ૨૪૫ ગાથાનો શ્રીપાલ રાસ રચ્યો. સંવત ૧૬૪રમાં કથાચૂડ રાસ રચ્યો. કથાચૂડના નરેશના તપનું મહાત્મ્ય વર્ણવ્યું છે. ૨૭૨ ગાથાનો કનકરથ રાસ રચ્યો. જેમાં કનકથની કથા ગૂંથી છે.
હીરકુશલે સંવત ૧૬૪૦માં કુમારપાળ રાસ રચ્યો. જેમાં કુમારપાળની કથા વર્ણવી છે.
નગાૠષિએ સંવત ૧૬૪૯માં રામસીતા રાસ રચ્યો. જેમાં રામ અને સીતાની કથાને ગૂંથી છે.
વચ્છરાજે ૧૪૮૪ કડીનો સમ્યકત્વ કૌમુદી રાસ સંવત ૧૬૪૨માં રચ્યો. તેમાં સમકિત ગુણ કથા વર્ણવી છે. નીતિશાસ્ત્ર પંચાખ્યાન રાસ ૩૪૯૬ કડીમાં સંવત ૧૬૪૮માં રચ્યો.
સકલચંદ્ર ઉપાધ્યાયે સંવત ૧૬૪૩માં ૪૨૧ કડીનો મૃગાવતી રાસ રચ્યો. જેમાં મૃગાવતીની કથા ગૂંથી છે. ૬૧ ઢાલનો વાસુપૂજ્યજિન પુણ્યપ્રકાશ રાસ રચ્યો.
વિનયશેખરે રત્નકુમાર રાસ રચ્યો. જેમાં રત્નકુમારની કથા વર્ણવી છે.
ગુણવિનયે સંવત ૧૬૭૦માં જંબૂરાસ રચ્યો. જેમાં જંબૂની કથા આલેખી છે. ગુણવિનયે અંગડદત્ત રાસ રચ્યો. જેમાં અગડદત્ત કથા વર્ણવી છે.
નવિજયે સં.૧૭૯૦માં જંબૂસ્વામી રાસ રચ્યો. જેમાં જંબૂકથા ગૂંથી છે.
કુશલસાગરે ૬ર૪ કડીનો કુલજ રાસ સંવત ૧૬૪૪માં રચ્યો. જેમાં કુલધ્વજ કુમારની કથા ગૂંથી છે. સંવત ૧૬૫૭માં સનતકુમાર રાજર્ષિ રાસ રચ્યો.
મનજી ઋષિએ સં.૧૬૪૬માં વિજયદેવસૂરિાસ રચ્યો. જેમાં વિજયદેવસૂરિની કથા વર્ણવી છે.
હેમાણંદે સંવત ૧૯૫૪માં ૫ ખંડનો ૧૦૨૧ કડી વાળો ભોજ ચરિત્ર રાસ રચ્યો. જેમાં ભોજ ચરિત્ર વર્ણવાયું છે.
સૂજીએ સંવત ૧૬૪૮માં ૪૪ કડીનો શ્રી પૂજ્ય રત્નસિંહ રાસ રચ્યો. જેમાં રત્નસિંહની કથા ગૂંથી છે.
લબ્ધિકલ્લોલે સં.૧૬૪૯ માં ૨૦૮ કડીનો રિપુમર્દન રાસ રચ્યો. જેમાં રિપુમર્દનની કથા ગૂંથી છે.
402
Page #427
--------------------------------------------------------------------------
________________
લલિતપ્રભસૂરિએ સં.૧૯૫૫માં ૪ ખંડમાં ચંદરાજાનો રાસ રચ્યો. જેમાં ચંદરાજાની કથા ગૂંથી છે.
દયા કુશલે સં.૧૬૪૯માં ૧૪૧ કડીનો લાભોદય રાસ(વિજયસેનસૂરિ) રચ્યો. સંવત ૧૬૮પમાં ર૩૩ કડીનો વિજયસિંહસૂરિ રાસ રચ્યો. જેમાં વિજયસિંહસૂરિની કથા વર્ણવી છે.
કલ્યાણચંદ્ર સંવત ૧૬૪૯માં ચિત્રસેન પદ્માવતી રાસ રચ્યો. જેમાં ચિત્રસેન પદ્માવતીની કથા ગૂંથી છે.
પ્રીતિવિમલે સંવત ૧૬૫૮માં દાનશીલતપ ભાવના રાસ રચ્યો.
ધનવિજયે સંવત ૧૬૫૦માં હરિષણ શ્રીષેણ રાસ રચ્યો. જેમાં હરિષણ ગ્રીષણની કથા વર્ણવી છે. ૩ર૯ કડીનો નર્મદા સુંદરી રાસ સંવત ૧૬૫૦માં રચ્યો. જેમાં નર્મદાસુંદરીની કથા ગૂંથી છે.
વિવેકહર્ષે સંવત ૧૬૫રમાં ૧૦૧ કડીનો હીરવિજયસૂરિરાસ રચ્યો. જેમાં હીરવિજયસૂરિની કથા ગૂંથી છે.
ઊજલે સંવત ૧૬૫રમાં ૬૩૧ કડીનો રાજસિંહ કથા(નવકાર)રાસ રચ્યો.
ધર્મદાસે સંવત ૧૬૫રમાં જસવંતમુનિનો રાસ રચ્યો. જેમાં જસવંત મુનિની કથાને વર્ણવી છે.
જયવિજયે સંવત ૧૬૫૫માં ૨૭૦ કડીનો કલ્યાણવિજયગણિનો રાસ રચ્યો. જેમાં કલ્યાણવિજયગણિની કથા આલેખી છે.
શ્રવણે સંવત ૧૬૫૭માં ઋષિદત્તા રાસ રચ્યો. જેમાં ઋષિદરાની કથા ગૂંથી છે. ક્ષેમકુશલે ૪૬૨ કડીનો રૂપસેનકુમાર રાસ રચ્યો. જેમાં રૂપાસેનકુંવર કથા વર્ણવી
સમયસુંદરે સં.૧૬૭૩માં ૯૩૧ ગાથાનો નળદમયંતી રાસ રચ્યો. જેમાં નળદમયંતીની કથા વર્ણવી છે. સંવત ૧૯૭રમાં ર૩૦ કડીનો પ્રિયમેલક રાસ રચ્યો. જેમાં પ્રિયમલકની કથા ગૂંથી છે.
સંવત ૧૬૮૧માં રર૫ કડીનો વલ્કલચીરી રાસ રચ્યો. જેમાં વલ્કલચીરીની કથા વર્ણવી છે.
સંવત ૧૬૮૨માં ૪૦ કે પર કડીનો વસ્તુપાલ તેજપાલ રાસ રચ્યો. જેમાં વસ્તુપાલ તેજપાલની કથા ગૂંથી છે.
403
Page #428
--------------------------------------------------------------------------
________________
સંવત ૧૯૯૮માં પુજાઋષિરાસ રચ્યો. મયણરેહા રાસ રચ્યો. જેમાં મયણરેહાની કથા વર્ણવી છે. સંવત ૧૭૦૦માં ૬૦૬ કડીનો દ્વીપદી રાસ રચ્યો. જેમાં દ્વીપદીની કથા ગૂંથી છે.
પ્રેમવિજયે સંવત ૧૬૭૭માં ૨૫ ઢાળ પ૦૪ કડીનો વસ્તુપાલ તેજપાલ રાસ રચ્યો. જેમાં વસ્તુપાલ તેજપાલની કથા આલેખી છે.
ભાવરત્નએ સંવત ૧૬૬૦માં ૫૦૬ કડીનો કનકશ્રેષ્ઠી રાસ રચ્યો. જેમાં કનકશ્રેષ્ઠીની કથા ગૂંથી છે. વિજયકુશલ શિષ્ય સંવત ૧૯૬૧માં શીલરત્ન રાસ રચ્યો.
સહજકીર્તિએ સંવત ૧૯૬૧માં ૪૩૧ કડીનો સુદર્શનશ્રેષ્ઠીરાસ રચ્યો. જેમાં સુદર્શનશ્રેષ્ઠીની કથા વર્ણવી છે. સંવત ૧૬૬૭માં કલાવતી રાસ રચ્યો. જેમાં કલાવતીની કથા ગૂંથી છે. સંવત ૧૬૭૫માં ર૩ર કડીનો સાગરશ્રેષ્ઠી કથા રચી. જેમાં સાગરશ્રેષ્ઠી કથા આલેખી છે. સંવત ૧૬૮૮ માં ૮૧ કડીનો શીલરાસ રચ્યો.
હેમવિજય ગણિએ સંવત ૧૯૬૧માં કમલવિજયરાસ રચ્યો.
મેઘરાજે સંવત ૧૬૬૪માં નળદમયંતી રાસ રચ્યો. તેમણે સોળ સતી રાસ પણ રચ્યો. જેમાં નળદમયંતીની કથા ગૂંથી છે.
કનકસુંદરે સંવત ૧૬૬રમાં ૭૩૨ કડીનો જ ખંડમાં કપૂરમંજરીનો રાસ રચ્યો. જેમાં કપૂરમંજરીની કથા દ્વારા લોભપણું દૂર કરવાનું સમજાવાયું છે. તેમણે સગાલસા રાસ ૪૮૯ કડીમાં સંવત ૧૬૬૭માં રચ્યો. જેમાં સગાલસાહની કથા ગૂંથી છે.
સંવત ૧૬૭૩માં ૯૩ કડીનો રૂપસનરાસ રચ્યો. જેમાં રૂપસેન કથા વર્ણવી છે. ૪૧૨ કડીનો દેવદત્ત રાસ રચ્યો. જેમાં દેવદત્ત કથાને ગૂંથી લેવાઈ છે.
લાલવિજય નંદમણિયાર રાસ રચ્યો. જેમાં નંદમણિયારની કથા આલેખી છે.
ઋષભદાસે સંવત ૧૬૬રમાં ૧૨૭૧ કડીનો (૧૧૮ ઢાળ) ઋષભદેવરાસ રચ્યો. જેમાં ઋષભદેવનું ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૬૬૮માં ૪૨૫ કડીનો સુમિત્ર રાજર્ષિરાસ રચ્યો. જેમા સુમિત્રરાજર્ષિની કથા ગૂંથી છે. સંવત ૧૬૬૮માં ૭૩ર કડીનો સ્થૂલિભદ્ર રાસ રચ્યો.જેમાં સ્યુલિભદ્રની કથા વર્ણવી છે. સંવત ૧૯૭૦માં ૫૫૭ કડીનો અજાકુમાર રાસ રચ્યો. જેમાં અજાકુમારની કથા વર્ણવી છે. સંવત ૧૯૭૦માં ૪૬૯૯ કડીનો કુમારપાળ રાસ રચ્યો. જેમાં કુમારપાળની કથા ગૂંથી છે. સંવત ૧૯૭૮માં ૧૧૧૬ કડીનો ભરત બાહુબલિરાસ રચ્યો. જેમાં ભરતબાહુબલિની કથા વર્ણવી છે. સંવત ૧૬૮૨માં ૧૮૫૧ કડીનો ૭ ખંડમાં શ્રેણિકરાસ રચ્યો. જેમાં શ્રેણિક કથા ગૂંથી છે.
404
Page #429
--------------------------------------------------------------------------
________________
સંવત ૧૬૮૩માં ૨૮૪ કડીનો કચવન્ના રાસ રચ્યો. જેમાં કયવન્નાની કથા ગ્રંથી છે. સંવત ૧૬૮૫માં હીરવિજયસૂરિ રાસ રચ્યો. જેમાં હીરવિજયની કથા વર્ણવી છે. સંવત ૧૬૮૭માં ૧૦૧૪ કડીનો અભયકુમાર રાસ રચ્યો. જેમાં અભયકુમારની કથા ગૂંથી છે. સંવત ૧૬૮૮માં ૩૪૫ કડીનો રોહણિયા મુનિ રાસ રચ્યો. જેમાં રોહણિયા મુનિની કથા આલેખી છે. ૪૪૫ કડીનો વીરસેનનો રાસ રચ્યો. જેમાં વીરસેન કથા ગૂંથી છે. ૯૭ કડીનો આર્દ્રકુમાર રાસ રચ્યો. જેમાં આર્દ્રકુમારની કથા વર્ણવી છે.
માલમુનિએ સંવત ૧૯૬૩ પહેલા ૧૫૪ કડીનો અંજનાસતી રાસ રચ્યો. જેમાં અંજનાસતીની કથા ગૂંથી છે.
જીવરાજે સંવત ૧૯૬૩માં સુખમાલાસતી રાસ રચ્યો. જેમાં સુખમાલા સતીની કથા વર્ણવી છે.
વિમલચારિત્રએ સંવત ૧૯૬૩માં ૩૯૭ કડીનો અંજનાસુંદરી રાસ રચ્યો. જેમાં અંજનાસુંદરીની કથા ગૂંથી છે.
દયાશીલે સંવત ૧૬૬૬માં ઇલાચી કેવલી રાસ રચ્યો. જેમાં ઇલાચીકુમારની કથા ગૂંથી છે.
દર્શનવિજયે સંવત ૧૬૮૯માં (૫૩ ઢાળ) પ્રેમલાલચ્છી રાસ રચ્યો. જેમાં પ્રેમલાલચ્છીની કથા વર્ણવી છે. સંવત ૧૬૯૭માં વિજયતિલકસૂરિરાસ રચ્યો. જેમાં વિજયતિલકસૂરિની કથા વર્ણવી છે.
હીરાનંદે વિક્રમરાસ રચ્યો. જેમાં વિક્રમકથા ગૂંથી છે.
જ્ઞાનમેરુએ સંવત ૧૬૭૬માં ગુણકરડ ગુણાવલી રાસ રચ્યો. જેમાં ગુણકદંડગુણાવલી કથા વર્ણવી છે.
દામોદર મુનિ-દયાસાગરે મદનકુમાર રાસ સંવત ૧૯૬૯માં રચ્યો.
રાજસમુદ્ર-જિનરાજ સૂરિએ શાલિભદ્રમુનિરાસ સંવત ૧૬૭૮માં રચ્યો. જેમાં શાલિભદ્રની કથા આલેખી છે. સંવત ૧૬૯૯માં ૩૦ ઢાળમાં ૫૦૦ કડીનો ગજસુકુમાલરાસ રચ્યો. જેમાં ગજસુકુમાલની કથા વર્ણવી છે.
પુણ્યકીર્તિએ સંવત ૧૬૬૬માં ૨૦૫ કડીનો પુણ્યસાર રાસ રચ્યો. જેમાં પુણ્યરાસની કથા વર્ણવી છે. સંવત ૧૬૮૧માં ૨૦ ઢાળ ૩૦૧ કડીમાં રૂપસેન કુમાર રાસ રચ્યો. જેમાં રૂપસેનકુમાર કથા ગૂંથી છે.
ભુવનકીર્તિ ગણિએ સંવત૧૬૯૧માં ૧૩૬૯કડીમાં જંબૂસ્વામી રાસ રચ્યો. જેમાં
405
Page #430
--------------------------------------------------------------------------
________________
જંબૂસ્વામીની કથા ગૂંથી છે. સંવત ૧૭૦૬માં ૭૦૩ કડીનો અંજના સુંદરી રાસ રચ્યો. જેમાં અંજના સુંદરીની કથા વર્ણવી છે.
શાંતિકુશલે સંવત ૧૬૯૬૭માં ૬૦૬ કડીનો અંજનાસતી રાસ રચ્યો. જેમાં અંજના સતીની કથા ગૂંથી છે.
રાજચંદ્રસૂરિએ સંવત ૧૬૮૩માં ૨૧૩ કડીનો વિજયસિંહસૂરિ રાસ રચ્યો. જેમાં વિજયસિંહસૂરિની કથા વર્ણવી છે.
જિનોદચસૂરિએ ૯૧૯ કડીનો સંવત ૧૯૮૦માં હંસરાજ વચ્છરાજનો રાસ રચ્યો. જેમાં હંસરાજ વચ્છરાજની કથા ગૂંથી છે.
સંઘવિજયે સંવત ૧૬૮૮માં ૪૪૭ કડીનો વિક્રમસેનશનિશ્ચર રાસ રચ્યો. સંવત ૧૬૭૫માં ૫૪૯ કડીનો વચ્છરાજ હંસરાજ રાસ રચ્યો. જેમાં હંસરાજ વચ્છરાજની કથા વર્ણવી છે.
રાજસાગર ઉ.એ સંવત ૧૬૪૭માં પ્રસન્નચંદ્રરાજર્ષિ રાસ રચ્યો. જેમાં પ્રસન્નચંદ્રરાજર્ષિની કથા ગૂંથી છે. સંવત ૧૬૭રમાં પ૦પ કડીનો લવકુશ રાસ રચ્યો. જેમાં લવકુશની કથા વર્ણવી છે.
ગંગદાસે સંવત ૧૬૭૧માં ૧૨૮ કડીનો વંકચૂલ રાસ રચ્યો. જેમાં વંકચૂલની કથા ગૂંથી છે.
હંસરત્નએ રત્નશેખર અથવા પંચપર્વીરાસ રચ્યો. જેમાં રત્નશેખરની કથા વર્ણવી
છે.
પુણ્યસાગરે સંવત ૧૬૮૯માં ૩ ખંડ ૨૨ ઢાળ ૬૩૨ કડીનો અંજનાસુંદરી રાસ રચ્યો. જેમાં અંજનાસુંદરીની કથા આલેખી છે.
લાવણ્યકીર્તિએ ૯ ઢાળનો ગજસુકુમાલરાસ રચ્યો. જેમાં ગજસુકુમાલની કથા
ગૂંથી છે.
અમરચંદ્રએ સંવત ૧૬૭૮માં ૨૮૦ કડીનો કુલજ કુમાર રાસ રચ્યો. જેમાં કુલજકુમારની કથા ગૂંથી છે.
ગુણવિજય ગણિએ સંવત ૧૬૮૩માં ૨૭૬ કડીનો જયચંદ્ર રાસ રચ્યો. જેમાં જયચંદ્રની કથા વર્ણવી છે.
રાજસિંહે સંવત ૧૬૭૯માં વિદ્યાવિલાસ રાસ રચ્યો. જેમાં વિદ્યાવિલાસની કથા વર્ણવી છે. તેમાં વિદ્યાવિલાસ નૃપ દાનથી સુખ સન્માન પામે છે, તેની કથા છે.
406
Page #431
--------------------------------------------------------------------------
________________
લલિતકીર્તિએ સંવત ૧૯૭૯ માં ૩૯૬ કડીનો અગડદત્તમુનિરાસ રચ્યો. જેમાં અગડદત્તમુનિની કથા આલેખી છે.
વિજયશેખરે સંવત ૧૯૮૧માં ૧૬ ઢાળ ૩૬ર કડીનો કયવન્ના રાસ રચ્યો. જેમાં કયવન્નાની કથા ગૂંથી છે. સંવત ૧૬૮૧ માં ૩૦૫ કડીનો સુદર્શન રાસ રચ્યો. જેમાં સુદર્શનની કથા વર્ણવી છે. સંવત ૧૭૦૭માં ૩ ખંડ ૭૭૫ કડીનો ઋષિદત્તા રાસ રચ્યો. જેમાં ઋષિદત્તાની કથા ગૂંથી છે.
રાયચંદે સંવત ૧૬૮૨માં વિજય શેઠ વિજયા સતી રાસ રચ્યો. જેમાં વિજય શેઠ વિજયા શેઠાણીની કથા ગૂંથી છે.
નારાયણે સંવત ૧૬૮રમાં ૩૧૫ કડીનો નળદમયંતી રાસ રચ્યો. જેમાં નળદમયંતીની કથા વર્ણવી છે. સંવત ૧૬૮૩માં ર૧ ઢાલ ૧૩૫ કડીનો અઈમુત્તા કુમાર રાસ રચ્યો. જેમાં અઈમુત્તાની કથા વર્ણવે છે. સંવત ૧૬૮૩ ર૧ ઢાલનો કંડરિક પુંડરિકરાસ રચ્યો. જેમાં કંડરિક પુંડરિક કથા ગૂંથી છે.
ભાવશેખરે સંવત ૧૬૮૩માં ૩ ખંડ ૩૧ ઢાળ ૭૪૭ કડીમાં રૂપાસેનઋષિ રાસ રચ્યો. જેમાં રૂપાસેનઋષિની કથા વર્ણવી છે.
પુણ્યભવને સંવત ૧૬૮૪માં પવનંજય અંજનાસુંદરી સુત હનુમંત ચરિત્ર રાસ રચ્યો. જેમાં હનુમાનની કથા ગૂંથી છે.
કલ્યાણ સાએ સંવત ૧૯૮૫માં ૪ પ્રસ્તાવ ૪૩ ઢાળનો ધન્નાશાલીભદ્ર રાસ રચ્યો. જેમાં ધન્નાશાલીભદ્રની કથા ગૂંથી છે.
સ્થાનસાગરે સંવત ૧૯૮૫માં ૩૯ ઢાળ ૭૭૨ કડીનો અગડદત્ત રાસ રચ્યો. જેમાં અગડદત્તની કથા વર્ણવી છે.
વાનાએ સંવત ૧૯૮૬માં ૫ ખંડ ૧૨૦૭ કડીમાં જયાનંદરાસ રચ્યો. જેમાં જયાનંદની કથા આલેખી છે.
કરમચંદે સંવત ૧૬૮૭માં ૬૯૬ કડીનો ચંદરાજાનો રાસ રચ્યો. જેમાં ચંદરાજાની કથા ગૂંથી છે.
પ્રેમે સંવત ૧૬૯૧માં ૬૫ કડીનો દ્વીપદી રાસ રચ્યો. જેમાં દ્વીપદીની કથા વર્ણવી
લબ્ધિવિજયે સંવત ૧૭૦૧માં ૫ ખંડ ૪૪ ઢાળ ૧૫૪૦ કડીમાં ઉત્તમકુમાર રાસ રચ્યો. જેમાં ઉત્તમકુમારની કથા વર્ણવી છે. સંવત ૧૭૦૩માં ૭ ખંડ ૨૯ ઢાળ ૧૪૨૦
407
Page #432
--------------------------------------------------------------------------
________________
કડીમાં અજાપુત્રનો રાસ રચ્યો. જેમાં અજાપુત્રની કથા ગૂંથી છે.
દેવચંદ્રએ સંવત ૧૯૯૬માં ૧૭૪ કડીનો પૃથ્વીચંદકુમાર રાસ રચ્યો. જેમાં પૃથ્વીચંદ કુમારની કથા વર્ણવી છે.
કનકકીર્તિ વા એ સંવત ૧૬૯૨માં ૧૩ ઢાળમાં નેમિનાથ રાસ રચ્યો. જેમાં નેમિનાથની કથા ગૂંથી છે. સંવત ૧૬૯૩માં ૩૯ ઢાળમાં દ્વીપદી રાસ રચ્યો. જેમાં દ્વૌપદીની કથા વર્ણવી છે.
ધર્મસિંહે સંવત ૧૯૯રમાં ર૫ ઢાળમાં શિવજીઆચાર્ય રાસ રચ્યો. રામદાસઋષિએ સંવત ૧૬૯૩માં ૪ ખંડ ૮૨૩ કડીમાં પુણ્યપાલ રાસ રચ્યો.
રાજરત્ન ઉપા.એ સંવત ૧૯૯૫માં નર્મદાસુંદરી રાસ રચ્યો. જેમાં નર્મદાસુંદરીની કથા ગૂંથી છે. સંવત ૧૬૯૬માં ૪૬૦ કડીમાં વિજય શેઠ વિજયા શેઠાણી રાસ રચ્યો. જેમાં વિજય શેઠ વિજયા શેઠાણીની કથા ગૂંથી છે.
હર્ષરત્નએ સંવત ૧૬૯૬માં ૧૮૩ કડીનો નેમિજિન રાસ રચ્યો. જેમાં નેમિજિન કથા વર્ણવી છે.
કુશલધીર ઉપા.એ સંવત ૧૭૨૮માં ર૫ ઢાળ ૬૦૩ કડીમાં લીલાવતી રાસ રચ્યો. જેમાં લીલાવતીની કથા ગૂંથી છે.
વિવેકચંદ્રએ સંવત ૧૯૯૭માં ૧૯ ઢાળ ૪૪૬ કડીમાં સુરપાલનો રાસ રચ્યો. જેમાં સુરપાલ કથા આલેખી છે.
ભાવવિજયે ૧૦૦૧ કડીમાં શુકરાજરાસ સંવત ૧૭૩પમાં રચ્યો. જેમાં શુકરાજની કથા વર્ણવી છે.
કનકસુંદરે સંવત ૧૯૯૭માં ૩૯ ઢાળ ૭૮૧ કડીમાં હરિશ્ચંદ્રરાજાનો રાસ રચ્યો. જેમાં હરિશચંદ્રની કથા ગૂંથી છે.
૧૭મી સદીમાં સોમવિમલસૂરિએ શ્રેણિક, ચંપકશ્રેષ્ઠિએ ક્ષુલ્લકકુમારની કથા, મતિસારે કપૂરમંજરી કથા (જેમાં પ્રારંભમાં ગણપતિને નમસ્કાર કર્યા છે.), નયસુંદરે રૂપચંદકુંવર કથા, પ્રભાવતી કથા, સુરસુંદરી કથા, નળદમયંતી કથા, વિજય શેઠવિજયા શેઠાણીની કથા (બ્રહ્મચર્ય ઉપર), સમયસુંદરે સ્થૂલિભદ્ર કથા, પદ્મસુંદરે શ્રીસાર કથા, રત્નમાલા કથા, શ્રીપાળકથા, કથાગૂડ કથા, કનકરથ કથા, નયવિજયે જંબૂસ્વામી કથા, સમયસુંદરે નળદમયંતી કથા, પ્રિયમેલક કથા, વલ્કલ કથા, મયણરેહા સતીની કથા, દ્રોપદી કથા, સહજકીર્તિએ સુદર્શન શ્રેષ્ઠી કથા, કલાવતી
408
Page #433
--------------------------------------------------------------------------
________________
કથા, સાગરશ્રેષ્ઠી કથા, કનકસુંદરે કર્પૂરમંજરી કથા (જેમાં લોભ દૂર કરવાનુ કહ્યું છે.) રૂપસેન કથા, દેવદત્ત કથા, ઋષભદાસે ઋષભદેવ કથા, સુમિત્ર રાજર્ષિ કથા, સ્થૂલિભદ્ર કથા, અજાકુમાર કથા, ભરત બાહુબલિ કથા, કુમારપાળની કથા, રોહિણીયામુનિની કથા, વીરસેન કથા, આર્દ્રકુમાર કથા, કનકસુંદરે હરિશ્ચંદ્રની કથા રાસાઓમાં ગૂંથી છે. આ ઉપરાંત બીજા ઘણા કવિઓએ પણ એ સમય દરમ્યાન રાસાઓની રચના કરી છે.
૧૮મી સદી
જ્ઞાનચંદે ૪૧ ઢાળમાં (કેશી)પ્રદેશીરાજાનો રાસ રચ્યો. જેમાં પ્રદેશીરાજાની કથા વર્ણવી છે. સંવત ૧૭૯૪માં ચિત્રસંભૂતિ રાસ રચ્યો. જેમાં ચિત્રસંભૂતિની કથા વર્ણવી છે. જિનપાલિત જિનરક્ષિતરાસ રચ્યો. જેમાં જિનપાલિત જિનરક્ષિત કથા વર્ણવી છે.
દલભટ્ટે સંવત ૧૯૯૯માં ૨૧ કડીનો પૂંજામુનિરાસ રચ્યો
ત્રિકમમુનિએ સંવત ૧૬૯૯માં ૧૧ ઢાળ ૨૨૪ કડીમાં રૂપચંદઋષિ રાસ રચ્યો. જેમાં રૂપચંદઋષિની કથા ગૂંથી છે. સંવત ૧૭૦૬માં ૧૭ ઢાળમાં વંકચૂલનો રાસ રચ્યો.
તેજચંદે સંવત ૧૭૦૦માં ૫૦૦ કડીમાં પુણ્યસાર રાસ રચ્યો. જેમાં પુણ્યસાર કથા ગૂંથી છે.
ધનજીએ સિધ્ધદત્ત રાસ રચ્યો. જેમાં સિધ્ધદત્તની કથા વર્ણવી છે.
મુનિકીર્તિએ સં. ૧૬૮૨માં પુણ્યસાર રાસ રચ્યો. જેમાં પુણ્યસાર કથા વર્ણવી છે.
વિનયવિજય ઉપાધ્યાયે સંવત ૧૭૩૮માં ૪ ખંડમાં ૧૯૦૦ કડીનો શ્રીપાલરાસ રચ્યો. જેમાં શ્રીપાલ કથા વર્ણવી છે. જેમાંની ૭૫૦ કડી વિનયવિજયજીએ રચી છે.
જયરંગ-જેતસીએ સંવત ૧૭૨૧માં ૩૧ ઢાળ પ૬ર કડીનો કચવન્નાશાહનો રાસ રચ્યો. જેમાં કયવન્નાની કથા ગૂંથી છે.
ભુજનસોમે શ્રેણિકરાસ રચ્યો. જેમાં શ્રેણિકની કથા વર્ણવી છે.
જ્ઞાનસાગરે સંવત ૧૭૦૧માં ૪ ખંડ ૯૦૫ કડીનો શુકરાજ રાસ રચ્યો. જેમાં શુકરાજ કથા વર્ણવી છે.
સંવત ૧૭૧૫માં ૩ ખંડ ૧૦૦૬ કડીની ધમ્મિલ રાસ રચ્યો. જેમાં ધમ્મિલની કથા ગૂંથી છે. સં.૧૭૧૯માં ૧૬ ઢાળ ૧૮૭ કડીનો ઇલાચીકુમાર રાસ રચ્યો. જેમાં ઇલાચીકુમારની કથાને ગૂંથી છે. સંવત ૧૭૨૦માં ૬૨ ઢાળ ૧૪૩૫ કડીનો શાંતિનાથ રાસ રચ્યો. જેમાં શાંતિનાથની કથા વર્ણવી છે. સંવત ૧૭૨૪માં ૧૬ ઢાળ ૨૧૮ કડીનો
409
Page #434
--------------------------------------------------------------------------
________________
અષાઢાભૂતિ રાસ રચ્યો. જેમાં અષાઢાભૂતિની કથા ગૂંથી છે. સંવત ૧૭૨૪માં ૩૩ ઢાળ ૭ર૧ કડીનો પ્રદેશી રાજા રાસ રચ્યો. જેમાં પ્રદેશી રાજાની કથા ગૂંથી છે. સંવત ૧૭રપમાં ૧૬ ઢાળ ૨૮૩ કડીનો નંદિષેણ રાસ રચ્યો. જેમાં નંદીષણની કથા ગૂંથી છે. સંવત ૧૭ર૬માં ૪૦ ઢાળનો શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળ કથા વર્ણવી છે. સંવત ૧૭૨૭માં ૧૯ ઢાળનો ૩૦૧ કડીનો આદ્રકુમાર રાસ રચ્યો. જેમાં આદ્રકુમારની કથા આલેખી છે. સંવત ૧૭૩૦માં ૩૧ ઢાળનો સનતચક્રી રાસ રચ્યો. જેમાં સનતચક્રીની કથા વર્ણવી છે. શાંબ પ્રદ્યુમ્નકુમાર રાસ રચ્યો. જેમાં પ્રદ્યુમ્નકુમારની કથા છે.
માનવિજયે ૧૭૦૪માં શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળ કથા આલેખી છે.
ઋદ્ધિવિજયે સંવત ૧૭૦૩માં વરદત્ત ગુણમંજરી રાસ રચ્યો. જેમાં વરદત્ત ગુણમંજરી કથા વર્ણવી છે. સંવત ૧૭૧૬માં રોહિણી રાસ રચ્યો. જેમાં રોહિણીની કથા ગૂંથી છે.
મેરુલાભ માહાવજીએ સંવત ૧૬૪રમાં ૩૦૩ કડીમાં ચંદ્રલેખાતી રાસ રચ્યો.
જિનહર્ષ-જસરાજે સંવત ૧૭૧૧માં ૩૦ ઢાળમાં વિદ્યાવિલાસ રાસ રચ્યો. જેમાં વિદ્યાવિલાસની કથા ગૂંથી છે. સં.૧૭૪૦માં ૪૯ ઢાળમાં શ્રીપાળ રાજાનો રાસ રચ્યો. સંવત ૧૭૪૧માં ૩૯ ઢાળ ૭૦૯ કડીમાં રત્નસિંહ રાજર્ષિ રાસ રચ્યો. જેમાં રત્નસિંહની કથા ગૂંથી છે. ર૭૧ કડીનો શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળની કથા વર્ણવી છે. સંવત ૧૭૪રમાં ૧૩૦ ઢાળ ર૮૭૬ કડીમાં કુમારપાળ રાસ રચ્યો. જેમાં કુમારપાળ કથા આલેખી છે. સંવત ૧૭૪૪માં અમરસેન વરસેન રાસ રચ્યો. જેમાં અમરસેન વયરસેન કથા વર્ણવી છે. ૨૩ ઢાળ ૪૦૭ કડીમાં ચંદન મલયગિરિ રાસ રચ્યો. જેમાં શીલનું મહત્ત્વ વર્ણવ્યું છે. સંવત ૧૭૪૪માં ૭૫ ઢાળ ૭૦૦ કડીમાં હરિશ્ચંદ્રકુમાર રાસ રચ્યો. જેમાં હરિશ્ચંદ્રની કથા વર્ણવી છે. સંવત ૧૭૪૫માં ર૯ ઢાળ ૫૮૭ કડીમાં ઉત્તમચરિત્રકુમાર રાસ રચ્યો. જેમાં ઉત્તમચરિત્રકુમારની કથા ગૂંથી છે. સંવત ૧૭૪૬માં ૩ર ઢાળ ૬૭૯ કડીમાં હરિબલમાછીનો રાસ રચ્યો. જેમાં હરિબલ માછીની કથા વર્ણવી છે. સંવત ૧૭૪૭માં યશોધર રાસ રચ્યો. જેમાં યશોધર કથા વર્ણવી છે. સંવત ૧૭૪૮માં ૪૧ ઢાળમાં મૃગાકલે ખા રાસ રચ્યો. જેમાં મૃગાંકલેખાના ચરિત્રનું વર્ણન છે. સંવત ૧૭૪૯માં ૩૯ ઢાળ ૮૫૦ કડીમાં અમરદત્ત મિત્રાનંદ રાસ રચ્યો. આમાં હસતા બાંધેલા કર્મો કેવી રીતે ભોગવવા પડે છે તે કથા દ્વારા બતાવ્યું છે. સંવત ૧૭૪૯માં ર૪ ઢાળ ૪૫૭ કડીમાં ઋષિદત્તા રાસ રચ્યો. સંવત ૧૭૪૯માં સુદર્શન શેઠ રાસ રચ્યો. સંવત ૧૭૫૧માં ૭૫૮ કડીમાં અજિતસેન કનકાવતી રાસ રચ્યો. આ ચરિત્રમાં તપનો મહિમા કથા દ્વારા ગૂંચ્યો છે. સંવત ૧૭૫૧માં ૧૪ર ઢાળ ૩૦૦૬ કડીમાં મહાબલ. મહાસુંદરી રાસ રચ્યો. સંવત ૧૭૫૧માં ર૬ ઢાળમાં ગુણકરંડ ગુણાવલી રાસ રચ્યો.
410
Page #435
--------------------------------------------------------------------------
________________
જેમાં બુધ્ધિ દ્વારા જ સંસારમાં કાર્ય થાય છે. મન, વચન, કાયાની સ્થિરતા કથામાં ગૂંથી લેવાઈ છે. સંવત ૧૭૫૮માં ૪૮૦ કડીનો શીલવતી રાસ રચ્યો. જેમાં શીલવતીના શીલનું મહત્ત્વ કથા દ્વારા વર્ણવ્યું છે. સંવત ૧૭૫૯માં ૩૬ ઢાળ ૭૧૭ કડીમાં રત્નશેખર રત્નાવતી રાસ રચ્યો છે. જ્ઞાનથી જ સમક્તિ અને સુગતિ પ્રાપ્ત થાય છે. તે રત્નશેખર નૃપતિ અને રત્નાવતીની કથા દ્વારા બતાવ્યું છે. સંવત ૧૭૫૯માં ૩૩ ઢાળ ૬૦૪ કડીમાં રત્નસાર રાસ રચ્યો. તેમાં રત્નસાર કુમાર સાધુની સેવા કરી નિર્મળ શીલ પાળી સુખ પામ્યો એ ગૂંથી લેવામાં આવ્યું છે. સંવત ૧૬૫૭માં ૪ અધિકાર ૮૦ ઢાળમાં જંબૂસ્વામી રાસ રચ્યો. સંવત ૧૭૬૧માં ૧૪ ઢાળમાં નવકાર પર શ્રીમતી રાસ રચ્યો. સંવત ૧૭૬૧માં ૨૧ ઢાળ ૪ર૯ કડીમાં આરામશોભા રાસ રચ્યો. આરામશોભા જિનવર ભક્તિથી સંસારમાં સુખ પામે છે, તેનું વર્ણન છે. સંવત ૧૭૬રમાં પ૦ ઢાળ ૧૧૬૩ કડીમાં વસુદેવ રાસ રચ્યો.
રાજસારે સંવત ૧૭૦૪માં ૧૭ ઢાળ ર૫૩ કડીમાં કુલધ્વજકુમાર રાસ રચ્યો. તેમાં કુલધ્વજકુમારના દષ્ટાંત દ્વારા શીલનું મહત્ત્વ બતાવ્યું છે.
રાજરત્નએ સંવત ૧૭૦૫માં રાજસિંહકુમાર રાસ રચ્યો. તેમાં નવકારનું મહત્વ વર્ણવ્યું છે.
તેજમુનિ-તેજપાલે સંવત ૧૭૦૭માં ૪ ખંડમાં ચંદરાજાનો રાસ રચ્યો. જિતારી રાજાનો રાસ સંવત ૧૭૩૪માં ૧૫ ઢાળમાં રચ્યો. પાંચસો નારીને ત્યજી સંજમ લે છે. આમ, રાસમાં જિતારીપની કથા સુંદર રીતે વર્ણવી છે.
પુણ્યહર્ષે સંવત ૧૭૦૯માં જિનપાલ જિનરક્ષિત રાસ રચ્યો.
કમલહર્ષ વી.એ સંવત ૧૭૨૮માં પાંડવચરિત્ર રાસ રચ્યો. જેમાં પાંડવચરિત્ર વર્ણવ્યું છે.
યશોવિજય-જશવિજયે સંવત ૧૭૩૮માં વિનયવિજય રચેલ અધૂરી કૃતિ શ્રીપાલ રાસ પૂર્ણ કર્યો. જેમાં શ્રીપાલ કથા ગૂંથી છે. સંવત ૧૭૩માં જંબૂરાસ રચ્યો. જેમાં જંબુસ્વામીની કથા ગૂંથી છે.
લાભવર્ધન-લાલચંદે સંવત ૧૭૨૮માં ૨૯ ઢાળ ૬૦૦ કડીનો લીલાવતી રાસ રચ્યો. જેમાં લીલાવતીની કથા વર્ણવી છે. સંવત ૧૭૪રમાં ૩૯ ઢાળ પ૩૫ કડીમાં ધર્મબુધ્ધિ પાપબુધ્ધિ રાસ રચ્યો. જેમાં ધર્મબુધ્ધિ મંત્રીની કથા દ્વારા તેમણે ધર્મ દ્વારા સંકટ નાશ પામે છે અને સુખ મળે છે, તે બોધ આપ્યો છે.
ઉત્તમકુમારે સંવત ૧૭૧૨માં ૬૫૦ કડીનો ત્રિભુવનકુમાર રાસ રચ્યો. જેમાં
411
Page #436
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનકુમારની કથા ગૂંથી છે.
શુભવિજયે સંવત ૧૭૧૩માં ૬૦૦ કડીમાં ગજસિંહરાજનો રાસ રચ્યો. તેમાં ગજસિંઘની કથાને ગૂંથી શીલ વિશે સમજાવ્યું છે.
ગજકુશલે સંવત ૧૭૧૪માં ર૯ ઢાળ પર કડીમાં ગુણાવલી ગુણકરંડ રાસ રચ્યો. જેમાં ગુણાવલી ગુણકાંડની કથા વર્ણવી છે.
પદ્મચંદ્ર સંવત ૧૭૧૪માં જંબુસ્વામી રાસ રચ્યો. જેમાં જંબુસ્વામીની કથા ગૂંથી
ઉદયવિજય ઉપા.એ સંવત ૧૭૨૮માં ૬ ખંડ ૭૭ ઢાળ ર૦૫૫ કડીમાં શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળ કથાને આલેખી છે.
પદ્મવિજયે સંવત ૧૭૧૫માં શીલપ્રકાશ રાસ રચ્યો. સંવત ૧૭ર૬માં શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળની કથા ગૂંથી છે.
વિદ્યારુચિએ સંવત ૧૭૧૧માં ૬ ખંડ ૧૦૩ ઢાળ ર૫૦૫ કડીમાં ચંદરાજાનો રાસ રચ્યો. જેમાં ચંદરાજાની કથા વર્ણવી છે.
હસ્તિરુચિએ સંવત ૧૭૧૭માં ચિત્રસેન પદ્માવતી રાસ રચ્યો. જેમાં ચિત્રસેન પદ્માવતીની કથા વર્ણવી છે.
સકલચંદે સંવત ૧૭૧૭માં સૂરપાલ રાસ રચ્યો. જેમાં સૂરપાલની કથા ગૂંથી છે.
ધર્મવર્ધન-ધર્મસિંહ પાઠકે સંવત ૧૭૩૬માં ૪ ખંડ ૩૯ ઢાળ ૬૩૨ કડીમાં અમરકુમાર સુરસુંદરીનો રાસ રચ્યો. જેમાં અમરકુમાર સુરસુંદરીની કથાને વર્ણવી છે.
મેરુવિજયે સંવત ૧૭૬૧માં વસ્તુપાલ તેજપાલનો રાસ રચ્યો. જેમાં વસ્તુપાલ તેજપાલની કથા ગૂંથી છે. સંવત ૧૭રરમાં નવપદરાસ રચ્યો. જેમાં શ્રીપાળરાજાની દૃષ્ટાંત કથાથી નવપદનો મહિમા વર્ણવ્યો છે. તેમણે નર્મદા સુંદરી રાસ રચ્યો. જેમાં નર્મદાસુંદરીની કથા વર્ણવી છે.
સુરજીમુનિએ સંવત ૧૭૬૧માં લીલાધર રાસ રચ્યો. જેમાં લીલાધરની કથા વર્ણવી છે.
મહિમાદિયે સંવત ૧૭રરમાં શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાલ કથાને વર્ણવી
વીરવિમલે જંબૂસ્વામી રાસ રચ્યો. જેમાં જંબૂસ્વામીની કથા વર્ણવી છે.
412
Page #437
--------------------------------------------------------------------------
________________
માનસાગરે સંવત ૧૭૪૬માં ૯ ઢાળમાં કાન્હડ કઠિયારાનો રાસ રચ્યો. કાન્હડ કઠિયારાની જેમ શીલ પાળવાથી મનના મનોરથ ફળે છે. સંવત ૧૭૫લ્માં ૪ ઢાળમાં સુભદ્રારાસ રચ્યો. જેમાં સુભદ્રાની કથા ગૂંથી છે.
પરમસાગરે સંવત ૧૭૨૪માં ૬૪ ઢાળમાં વિક્રમાદિત્ય રાસ રચ્યો. જેમાં વિક્રમાદિત્યની કથા વર્ણવી છે.
- તત્ત્વવિજયે ૪ ખંડ ૩૪ ઢાળ ૮૩૧ કડીમાં સંવત ૧૭૨૪માં અમરદત્ત મિત્રાનંદ રાસ રચ્યો. તેમાં અમરદત્ત અને મિત્રાનંદની કથા દ્વારા દાનનું મહત્ત્વ બતાવ્યું છે.
હીરાણંદ-હરમુનિએ સંવત ૧૭ર૪માં ૪૫ ઢાળ ૭૦૪ કડીમાં સાગરદત્ત રાસ રચ્યો. જેમાં સાગરદત્તની કથા ગૂંથી છે.
લક્ષ્મી વલ્લભ-રાજ-હેમરાજે ૬ ખંડ ૭૫ ઢાળમાં ૩૧૬૮ કડીમાં વિક્રમાદિત્ય પંચદંડ રાસ રચ્યો. જેમાં નવરસનું વર્ણન છે.
૧૭ ઢાળ ૨૫૭ કડીમાં દાન વિષયે અમરકુમાર ચરિત્ર રાસ રચ્યો.
જિતવિજયે સંવત ૧૭ર૬માં હરિબલ રાસ રચ્યો. જેમાં જીવદયાનું મહત્વ બતાવ્યું છે. કરૂણાથી નવનિધિ મળે છે અને જગતમાં જસ વધે છે.
યશોનંદે સંવત ૧૭ર૬માં ૬ર૧ કડીમાં રાજસિંહ કુમાર રાસ રચ્યો. જેમાં નવકારનો મહિમા ગૂંથી લીધો છે.
લક્ષ્મીવિજયે સંવત ૧૭૨૭માં ૭૦૯ કડીમાં શ્રીપાળ મયણાસુંદરી રાસ રચ્યો. જેમાં સિધ્ધચક્રનું મહત્ત્વ દર્શાવતી શ્રીપાલ મયણાની જીવન ગાથા આલેખી છે.
જિનવિજયે સંવત ૧૭ર૭માં ધન્નાશાલીભદ્ર રાસ રચ્યો. જેમાં ધન્નાશાલીભદ્રની કથા ગૂંથી છે. સંવત ૧૭૫૧માં ૨૭ ઢાળ ૪૮૭ કડીમાં ગુણાવલી રાસ રચ્યો. જેમાં ગુણાવલીની કથા વર્ણવી છે.
જ્ઞાનવિમલસૂરિએ સંવત ૧૭૩૮માં ૩૫ ઢાળ ૬૦૦ કડીમાં જંબુરાસ રચ્યો. જેમાં જંબુકુમારનું ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૭૬પમાં ૩૮ ઢાળ ૧૧રર કડીમાં રણસિંહરાજર્ષિ રાસ રચ્યો. જેમાં રણસિંહરાજર્ષિની કથા ગૂંથી છે. સંવત ૧૭૭૦માં ૧૧૧ ઢાળમાં ૨૩૯૪ કડીમાં ચંદકેવલી રાસ રચ્યો. સંવત ૧૭૭૪માં ૩૧ ઢાળમાં અશોકચંદ્ર રોહિણી રાસ રચ્યો.
કનકનિધાને સંવત ૧૭૨૮માં ર૪ ઢાળ ૩રર કડીમાં રત્નચૂડ વ્યવહારી રાસ રચ્યો. જેમાં રત્નચૂડની કથા વર્ણવી છે.
413
Page #438
--------------------------------------------------------------------------
________________
ઉદયસમુદ્ર સંવત ૧૭૨૮માં ર૯ ઢાળમાં કુલધ્વજરાસ રચ્યો. જેમાં કુલધ્વજ કુમારની કથા ગૂંથી છે.
| વિનયલાભ-બાલચંદે ૪ ખંડમાં સંવત ૧૭૩૦માં વચ્છરાજ દેવરાજ રાસ રચ્યો. જેમાં વચ્છરાજ દેવરાજની કથા ગૂંથી છે.
અમૃતસાગરે સંવત ૧૭૩૦માં ૪૪ ઢાળ ૮૯૬ કડીમાં જયસેનકુમાર રાસ રચ્યો. જેમાં રાત્રિભોજન પરિવારને મહત્ત્વ આપ્યું.
વિવેકવિજયે સંવત ૧૭૩૦માં ૪ ખંડમાં મૃગાંકલેખા રાસ રચ્યો. જેમાં મૃગાંકલેખાની કથા ગૂંથી છે.
સુરવિજયે ૩ ખંડ ૩૪ ઢાળમાં સંવત ૧૭૩ર માં રતનપાળરાસ રચ્યો. શાંતિદાસે સં. ૧૭૩૨માં ૬૫ કડીનો ગૌતમસ્વામી રાસ રચ્યો. ખેતોએ સંવત ૧૭૩૨માં ધન્ના રાસ રચ્યો. જેમાં ધન્નાની કથા વર્ણવી છે. ચંદ્રવિજયે સંવત ૧૭૩૪માં જંબુકુમાર રાસ રચ્યો. જેમાં જંબુની કથા ગૂંથી છે.
તેજપાલે સંવત ૧૭૪૪માં ૪ ખંડમાં અમરસેન વયસેન રાસ રચ્યો. જેમાં અમરસેન વરસેનના જીવન દ્વારા બોધ અપાયો છે.
દીપવિજયે સંવત ૧૭૩૫માં કયવન્ના રાસ રચ્યો. સંવત ૧૭૪૯માં ૩ ખંડમાં મંગલકલશ રાસ રચ્યો. જેમાં મંગળકલશકુમારની કથા ગૂંથી છે.
રુચિરવિમલે ૩૩ ઢાળમાં સંવત ૧૭૩૬માં મત્સ્યોદર રાસ રચ્યો.
દયાતિલકે સંવત ૧૭૩૭માં ૧૭ ઢાળમા ધન્નાનો રાસ રચ્યો. તે દ્વારા દાનનું મહત્ત્વ બતાવ્યું.
કેશવદાસ-કુશલસાગરે સંવત ૧૭૪૫માં ૬૫ ઢાળમાં વીરભાણ ઉદયભાણ રાસ રચ્યો. જેમાં વિરભાણે દાનથી અને ઉદયભાણે સેવા દ્વારા આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરી.
અજિતચંદે સંવત ૧૭૩૬માં ચંદન મલયાગિરિ રાસ રચ્યો. જેમાં મલયાગીરીની કથા ગૂંથી છે.
દીપસૌભાગ્યે સંવત ૧૭૪૭માં વૃધ્ધિસાગરસૂરિ રાસ રચ્યો. આનંદસૂરિએ સંવત ૧૭૪૦માં સુરસુંદરીરાસ રચ્યો.જેમાં સુરસુંદરીની કથા ગૂંથી
414
Page #439
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીરત્નએ સંવત ૧૭૪૧માં ૬ ઢાળ ૧૩૫ કડીમાં ખેમા હડાલિયાનો રાસ રચ્યો.
અમરચંદે સંવત ૧૭૪૫માં ૩ ખંડ ૩૦ કડીમાં વિદ્યાવિલાસ રાસ રચ્યો. જેમાં વિદ્યાવિલાસની કથા ગૂંથી છે.
યશોવર્ધને સંવત ૧૭૪૭માં ૩ર ઢાળમાં ચંદનમલયાગીરી રાસ રચ્યો. જેમાં ચંદનમલયાગીરીની કથા ગૂંથી છે. સંવત ૧૭૫૧માં જંબુસ્વામી રાસ રચ્યો. જેમાં જંબુસ્વામીની કથા વર્ણવી છે. સંવત ૧૭૫૮માં વિદ્યાવિલાસ રાસ રચ્યો. જેમાં વિદ્યાવિલાસની કથા આલેખી છે.
ઉદયરત્નએ સંવત ૧૭૪માં ૬૬ ઢાળમાં જંબુસ્વામી રાસ રચ્યો. જેમાં જંબૂની કથા વર્ણવી છે. સંવત ૧૭૫૯માં ૯ ઢાળમાં સ્યુલિભદ્ર રાસ રચ્યો. જેમાં સ્યુલિભદ્રની કથા ગૂંથી છે. સંવત ૧૭૬૧માં ૯૩ ઢાળ ર૮ર૧ કડીમાં મુનિપતિ રાસ રચ્યો. જેમાં મુનિપતિનું ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૭૬રમાં ૩૧ ઢાળ ૮૮૦ કડીમાં રાજસિંહ રાસ રચ્યો. જેમાં રાજસિંહની કથા ગૂંથી છે. સંવત ૧૭૬૬માં ૧૩૩ ઢાળ ર૯૭૫માં મલયસુંદરી મહાબલ રાસ રચ્યો. જેમાં મલયસુંદરી અને મહાબલની કથા ગૂંથી છે. સંવત ૧૭૬૭માં ૮૧ ઢાળ ૧૫૦૩ કડીમાં યશોધર રાસ રચ્યો. જેમાં યશોધર ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૭૬૭માં ૨૧ ઢાળ ૩૪૮ કડીમાં લીલાવતી સુમતિવિલાસ રાસ રચ્યો. જેમાં લીલાવતી સુમતિવિલાસની કથા આલેખી છે. સંવત ૧૭૬૮માં ર૭ ઢાળ ૩૯૬ કડીમાં ધર્મબુધ્ધિ મંત્રી અને પાપબુધ્ધિ રાજાનો રાસ રચ્યો. સંવત ૧૭૬૯માં ૯૭ ઢાળ ર૪ર૪ કડીમાં ભુવનભાનુ કેવલીરાસ રચ્યો. જેમાં ભુવનભાનુ કેવલીનું ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૭૮રમાં ૧૩ ઢાળ ૧૮૩ કડીમાં દામન્નક રાસ રચ્યો. સંવત ૧૭૮રમાં ૧૩ ઢાળમાં વરદત્ત ગુણમંજરી રાસ રચ્યો. જેમાં વરદત્ત ગુણમંજરીની કથા આલેખી છે. સંવત ૧૭૮૫ માં ર૩ ઢાળમાં સુદર્શન શ્રેષ્ઠી રાસ રચ્યો. જેમાં સુદર્શન શ્રેષ્ઠીની કથા ગૂંથી છે. સંવત ૧૭૯૯માં હરિવંશરાસ રચ્યો. સંવત ૧૭૮૨માં ભરતપુત્રરાસ રચ્યો. જેમાં ભરતપુત્રની કથા વર્ણવી છે.
નેમવિજયે સંવત ૧૭૫૦માં ૮૪ ઢાળ ર૦૬૧ કડીમાં શીલવતી રાસ રચ્યો. જેમાં શીલવતીના શીલનું વર્ણન કર્યું છે. સંવત ૧૭૫૮માં ૪ ખંડ ૬૩ ઢાળ ર૦૧૨ કડીમાં વચ્છરાજ ચરિત્ર રાસ રચ્યો. સંવત ૧૭૫૫માં પર ઢાળમાં સુમિત્ર રાસ રચ્યો. સંવત ૧૭૬૮માં ધર્મબુધ્ધિ પાપબુધ્ધિરાસ રચ્યો. સંવત ૧૭૮૭માં ૩૯ ઢાળ ૧૯૫૮ કડીમાં તેજસાર રાજર્ષિરાસ રચ્યો. સંવત ૧૭૯૦માં સીતારાસ રચ્યો.
વિનયચંદ્રએ સંવત ૧૭૫રમાં ૪૨ ઢાળ ૮૪૮ કડીમાં ઉત્તમકુમાર રાસ રચ્યો. જેમાં ઉત્તમકુમારનું ચરિત્ર વર્ણવ્યું છે. મયણરેહા રાસ રચ્યો. જેમાં મયણરેહાની કથા ગૂંથી
415
Page #440
--------------------------------------------------------------------------
________________
કેસરવિમલે સંવત ૧૭૫૬માં વંકચૂલ રાસ રચ્યો. જેમાં વંકચૂલે લીધેલ નિયમોનું ફળ વર્ણવ્યું છે.
સંવત ૧૮૫૪માં મોહનવિજયે ૬૩ ઢાળમાં નર્મદા સુંદરીનો રાસ રચ્યો. જેમાં નર્મદાસુંદરીનું ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૭૫૭માં ૩૧ ઢાળમાં હરિવહન રાજાનો રાસ રચ્યો. સંવત ૧૭૬૦માં ૪ ખંડ ૬૬(૮) ઢાળ ૧૩૮૯ કડીમાં રત્નપાલનો રાસ રચ્યો. જેમાં રત્નપાલની કથા ગૂંથી છે. સંવત ૧૭૬૦માં ૪૭ ઢાળ ૧૦૧૫ કડીમા માનતુંગ માનવતી રાસ રચ્યો. જેમાં માનતુંગ માનવતીની કથા વર્ણવી છે. સંવત ૧૭૬૩માં ૭૫૭ કડીમાં પુણ્યપાલ ગુણસુંદરીરાસ રચ્યો. જેમાં પુણ્યપાલ અને ગુણસુંદરીના જીવનની કથા ગૂંથી છે. જેમાં શીલનું મહત્ત્વ વર્ણવ્યું છે. સંવત ૧૭૮૩માં ૪ ખંડમાં ચંદરાજાનો રાસ રચ્યો. જેમાં ચંદરાજાની કથા વર્ણવી છે.
ગોડિદાસે સંવત ૧૭૫૫માં ર૪ ઢાળ ૬૦૫ કડીમાં નવકાર રાસ અથવા રાજસિંહ રત્નાવતી રાસ રચ્યો.
દાનવિજયે સંવત ૧૭૬૧માં ૨૭ ઢાળ ૬૮૯ કડીમા લલિતાંગરાસ રચ્યો. જેમાં લલિતાંગની કથા ગૂંથી છે.
ભાવરત્ન-ભાવપ્રભસૂરિએ ૩૩ ઢાળ ૮૪૯ કડીમાં સંવત ૧૭૬૯માં હરિબલ મચ્છીનો રાસ રચ્યો. જેમાં હરિબલે આપેલ અભયદાનથી થયેલ ચમત્કારોનું વર્ણન છે. સંવત ૧૭૭૫માં અંબડરાસ રચ્યો. સંવત ૧૭૯૭માં ર૦ ઢાળનો સુભદ્રાસતી રાસ રચ્યો. જેમાં સુભદ્રાસતીનું વર્ણન છે. સંવત ૧૭૯૯માં ૨ ખંડમાં બુધ્ધિલ વિમલાસતીનો રાસ રચ્યો. જેમાં બુધ્ધિ અને વિમલાસતીની કથા ગૂંથી છે.
કીર્તિસુંદર-કાન્હજી એ સંવત ૧૭૫માં ૧૨ ઢાળમાં અભયકુમારાદિ પંચ સાધુ રાસ રચ્યો. જેમાં અભયકુમારના જીવનની કથા ગૂંથી છે.
દીપચંદે સુદર્શન શેઠ રાસ રચ્યો. જેમાં સુદર્શનની અતૂટ શ્રધ્ધા જોવા મળે છે. વીરસ્વામીનો રાસ રચ્યો.
લક્ષ્મીવિનયે સંવત ૧૭૬૦માં ૪ ખંડમાં અભયકુમાર મહામંત્રીશ્વર રાસ રચ્યો. જેમાં અભયકુમારની કથા ગૂંથી છે.
લાધા શાહે સંવત ૧૭૬૪માં ૩ર ઢાળમાં જંબૂકુમાર રાસ રચ્યો. જેમાં જંબૂકુમારની કથા વર્ણવી છે. સંવત ૧૭૯૫માં ૭ ઢાળમાં શિવચંદજીનો રાસ રચ્યો. જેમાં ગચ્છપતિ શિવચંદજીનું વર્ણન છે.
રામવિજયે સંવત ૧૭૬૦માં તેજપાળ રાસ રચ્યો. જેમાં તેજપાળની કથા વર્ણવી
416
Page #441
--------------------------------------------------------------------------
________________
છે. સંવત ૧૭૬૬માં ધર્મદત્તઋષિ રાસ રચ્યો. જેમાં ધર્મદત્તઋષિની કથા ગૂંથી છે. સંવત ૧૭૮૫માં શાંતિજિન રાસ રચ્યો. જેમાં શાંતિજિન કથા વર્ણવી છે.
વિવેકવિજયે સંવત ૧૭૬૧માં ૧૭ ઢાળમાં રિપુમર્દન રાસ રચ્યો.
ગંગમુનિએ સંવત ૧૭૬૧માં ૪ ખંડ ૩૮ ઢાળ ૮૦૯ કડીમાં રત્નસાર તેજસાર રાસ રચ્યો. જેમાં તેજસારની કથા ગૂંથી છે. ૧૭ ઢાળમાં ધન્નાનો રાસ રચ્યો. જેમાં ધન્નાની કથા વર્ણવી છે.
કાંતિવિમલે ૪૧ ઢાળ ૮૯૦ કડીનો સંવત ૧૭૬૭માં વિક્રમ કનકાવતી રાસ રચ્યો. જેમાં વિક્રમ અને કનકાવતીના જીવનને આલેખ્યું છે.
જિનોદચસૂરિએ સંવત ૧૭૬૯માં સુરસુંદરી અમરકુમાર રાસ રચ્યો. જેમાં સુરસુદંરી અને અમરકુમારની કથા ગૂંથી છે.
કાંતિવિજયગણિએ ૪ ખંડ ૯૧ ઢાળનો, સંવત ૧૭૭૫માં મહાબલ મલય સુંદરીનો રાસ રચ્યો. જેમાં મલયસુંદરીની કથા વર્ણવી છે.
ગંગવિજયે સંવત ૧૭૭૨માં ૩ ખંડમાં ગજસિંહકુમાર રાસ રચ્યો. તેમાં ગજસિંહકુમારની કથા ગૂંથી છે. સંવત ૧૭૭૭માં પપ ઢાળમાં કુસુમશ્રીરાસ રચ્યો. જેમાં કુસુમશ્રીની કથા વર્ણવી છે.
ચતુરસાગરે સંવત ૧૭૭માં ૨૧ ઢાળનો મદનકુમાર રાસ રચ્યો. જેમાં મદનકુમારની કથા ગૂંથી છે.
નિત્યલાભે સંવત ૧૭૮૨માં ૨૪ ઢાળમાં સદેવંત સાવલિંગા રાસ રચ્યો.
દેવવિજયે સંવત ૧૭૭૮માં ૩૬ ઢાળમાં રૂપસેનકુમાર રાસ રચ્યો. જેમાં રૂપસેનકુમાર ચરિત્ર વર્ણવ્યું છે.
ગજવિજયે સંવત ૧૭૮૧માં ૩૯ ઢાળમાં મુનિપતિરાસ રચ્યો. જેમાં મુનિપતિ ચરિત્ર ગૂંથી લીધું છે.
જિનવિજયે સંવત ૧૭૭૯માં ૯ ઢાળમાં કર્પૂરવિજય ગણિનો રાસ રચ્યો. જેમાં કપૂરવિજય ગણિના જીવનની કથા વર્ણવી છે.
પુણ્યવિલાસે સંવત ૧૭૮૦માં માનતુંગમાનવતી રાસ રચ્યો.
વિબુદ્ધવિજયે સંવત ૧૭૮૧માં ૪૦ ઢાળ ૯૫૫ કડીમાં સુરસુંદરી રાસ રચ્યો. જ્ઞાનસાગરે સંવત ૧૭૯૭માં ૬ ખંડ ૯પ ઢાળ ૪૩૭૧ કડીનો ગુણવર્મા રાસ રચ્યો.
417
Page #442
--------------------------------------------------------------------------
________________
સંવત ૧૮૦રમાં કલ્યાણસાગરસૂરિનો રાસ રચ્યો.
રામવિજય-રૂપચંદે સંવત ૧૮૧૪માં ૪૯૫ કડીનો ચિત્રસેન પદ્માવતી રાસ રચ્યો.
જિનવિજયે સંવત ૧૭૯૧માં ૪૧ ઢાળમાં શ્રીપાળ ચરિત્રરાસ રચ્યો. સંવત ૧૭૯ભાં ૪ ખંડ ૮૫ ઢાળ રર૫૦ કડીમાં ધન્નાશાલિભદ્ર રાસ રચ્યો.
મહિમાવર્ધને સંવત ૧૭૯૬માં ધનદત્તરાસ રચ્યો. નિહાલચંદ્ર સંવત ૧૭૯૮માં માણકદેવીનો રાસ રચ્યો. વીરચંદે સંવત ૧૭૯૮માં પંદરમી કલા-વિદ્યારાસ રચ્યો. સત્યસાગરે સંવત ૧૭૯૯માં વછરાસ રચ્યો. કમલવિજયે સંવત ૧૭૨૦માં રર ઢાળમાં ચંદ્રલેખારાસ રચ્યો.
આમ, ૧૮મી સદીમાં જ્ઞાનચંદે પ્રદેશ રાજાની કથા, ચિત્રસંભૂતિ કથા, જિનપાલિત જિનરક્ષિત કથા, વિનયવિજયે શ્રીપાળ રાજાની કથા, જ્ઞાનસાગરે શુકરાજ કથા, ધમિલકથા, ઈલાચીકુમાર કથા, અષાઢાભૂતિ કથા, પ્રદેશી રાજાની કથા, નંદીષેણ કથા, આર્દ્રકુમાર કથા, સનતચક્રવર્તી કથા, શાંબકુમાર કથા, જિનહર્ષજસરાજે વિદ્યાવિલાસ કથા, શ્રીપાળરાજાની કથા, રત્નસિંહરાજર્ષિની કથા, કુમારપાળ કથા, અમરસેન વયરસેન કથા, હરિશ્ચંદ્રની કથા, યશોધર કથા, મૃગાંકલેખાની કથા, ઋષિદત્તાની કથા, સુદર્શનશેઠની કથા, અજિતસેન કનકાવતીની કથા, મહાબલ મહાસુંદરી કથા, ગુણકરંડ ગુણાવલી કથા, રત્નસાર કુમાર કથા, આરામશોભાની કથા, વસુદેવરાજાની કથા, રત્નસારકુમાર કથા, યશોવિજયે જંબૂકથા, વિનયવિજયની અધૂરી શ્રીપાલ કથા, શુભવિજયે ગજસિંહ કથા, વિદ્યારુચિએ ચંદરાજાની કથા, જ્ઞાનવિમલસૂરિએ જંબૂકથા, રણસિંહરાજર્ષિ કથા, ચંદકેવલી કથા, અશોકચંદ્ર રોહિણી કથા, દીપવિજયે કયવન્નાની કથા, મંગળકળશ કથા, ઉદયરત્નએ સ્યુલિભદ્ર કથા, જંબૂકુમાર કથા, મુનિ પતિ કથા, લીલાવતી સુમતિ વિલાસ કથા, ધર્મબુધ્ધિ મંત્રી કથા, ભુવનભાનુ કેવલી કથા, દામન્નક કથા, વરદત્ત ગુણમંજરી કથા (જ્ઞાનનું મહત્ત્વ આપતી), સુદર્શન શ્રેષ્ઠી કથા, હરિવંશકથા, ભરતપુત્ર કથા, દાનવિમલે લલિતાંગ કથાને રાસાઓમાં ગૂંથી છે. આ ઉપરાંત બીજા ઘણા કવિઓએ વિવિધ રાસાઓની રચના આ સમયગાળામાં કરી છે.
418.
Page #443
--------------------------------------------------------------------------
________________
૧૯મી સદી
વૃધ્ધિવિજયે સંવત ૧૮૦૯માં ૩ ખંડમાં ચિત્રસેન પદ્માવતીરાસ રચ્યો. જેમાં ચિત્રસેન પદ્માવતીની કથાને ગૂંથી છે.
મહાનંદે પ ખંડ ૭૫ ઢાલ ૨૦૧૯ કડીમાં રૂપસેન રાસ રચ્યો. જેમાં રૂપસેનની કથા વર્ણવી છે. સંવત ૧૮૩૯માં સનતકુમાર રાસ રચ્યો. જેમાં સનતકુમારની કથા વર્ણવી છે.
લબ્ધિવિજયે સંવત ૧૮૧૦માં ૫૯ ઢાળમાં હિરબલ મચ્છીરાસ રચ્યો. જેમાં હિરબલ માછીએ કરેલ અભયદાનનું ફળ શું મળે છે. એ વર્ણવ્યું છે.
માલે સંવત ૧૮૫૭માં ૨૧ ઢાળમાં ષટ્ બાંધવ રાસ રચ્યો.
નેમવિજયે સંવત ૧૮૨૪માં ૪૫ ઢાળનો શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળ કથા ગૂંથી છે.
પદ્મવિજયે સંવત ૧૮૨૦માં ૪ ખંડ ૧૬૯ ઢાળ પપ૦૩ કડીમાં નેમિનાથ રાસ રચ્યો. જેમાં નેમિનાથની કથા ગૂંથી છે. સંવત ૧૮૩૯માં ૯ ખંડ ૧૯૯ ઢાળનો સમરાદિત્યકેવલી રાસ રચ્યો. જેમાં સમરાદિત્યકેવલીની કથાનું સરસ નિરૂપણ થયું છે. સંવત ૧૮૫૮માં ૯ ખંડ ૨૦૨ ઢાળમાં જયાનંદ કેવળી રાસ રચ્યો. જેમાં જયાનંદ કેવલીની કથા વર્ણવી છે.
મયાચંદે સંવત ૧૮૧૫માં ૨૭ ઢાળમાં ગજસિંહ રાજાનો રાસ રચ્યો. જેમાં ગજસિંહરાજાની કથા આલેખી છે.
અમૃતસાગરે સંવત ૧૮૧૭માં ૩૧ ઢાળ ૭૭૬ કડીમાં પુણ્યસાર રાસ રચ્યો. જેમાં પુણ્યસારની કથા ગૂંથી છે.
મચારામે સંવત ૧૮૧૮માં પ્રદ્યુમ્નકુમાર રાસ રચ્યો. જેમાં પ્રદ્યુમ્નકુમારનું જીવન વર્ણવ્યું છે.
પાસા પટેલે સંવત ૧૮૧૮માં ૨૦ ઢાળમાં ભરતચક્રવર્તી રાસ રચ્યો. જેમાં ચક્રવર્તી ભરતની જીવન ગાથા ગૂંથી છે.
રાયચંદે સંવત ૧૮૩૪માં ગૌતમસ્વામી રાસ રચ્યો.
દર્શનસાગર ઉપા.એ સંવત ૧૮૨૪માં ૬ ખંડ ૧૬૯ ઢાળ ૬૦૮૮ કડીમાં આદિનાથજીનો રાસ રચ્યો. જેમાં આદિનાથનું જીવન ચરિત્ર વર્ણવ્યું છે.
419
Page #444
--------------------------------------------------------------------------
________________
ભાણવિજયે સંવત ૧૮૩૦માં ૪ ખંડ પ૭૯૭ કડીમા વિક્રમાદિત્ય પંચદંડ રાસ રચ્યો. જેમાં વિક્રમાદિત્યની કથાનું વર્ણન છે.
રત્નવિમલે સંવત ૧૮૩૯માં ૯ ઢાળમાં ઇલાપુત્ર રાસ રચ્યો. જેમાં ઇલાપુત્રની કથા ગૂંથી છે.
ભીખજીએ સંવત ૧૮૩૭માં ૪૭ ઢાળમાં શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળની કથા દ્વારા સિધ્ધચક્રનો મહિમા વર્ણવાયો છે.
હર્ષવિજયે સંવત ૧૮૨૪માં ૬૪ ઢાળમાં સાંબપ્રદ્યુમ્ન રાસ રચ્યો. જેમાં સાંબપ્રદ્યુમ્નની કથા ગૂંથી છે.
શ્રેમવર્ધને સંવત ૧૮૫રમાં પ૩ ઢાળમાં સુરસુંદરી અમરકુમાર રાસ રચ્યો. જેમાં સુરસુંદરી અને અમરકુમારનુ જીવન વર્ણવ્યું છે. સંવત ૧૮૭૦મા ૪૫ ઢાળમાં શાંતિદાસ અને વખતચંદશેઠનો રાસ રચ્યો. સંવત ૧૮૭૯માં શ્રીપાળ રાસ રચ્યો.
રાજરત્નએ સંવત ૧૮૫રમાં ૨૭ ઢાળીનો ઉત્તમકુમાર રાસ રચ્યો. જેમાં ઉત્તમકુમારની કથા ગૂંથી છે.
રૂપચંદે સંવત ૧૮૮૦માં ૮ ખંડમાં અંબડરાસ રચ્યો.
માનવિજયે સંવત ૧૮૫૩માં ૪ ઉલ્લાસ ૬૪ ઢાળમાં ગજસિંહકુમાર રાસ રચ્યો. જેમાં ગજસિંહકુમારની કથા વર્ણવી છે. સંવત ૧૮૬૭માં જિનપાલિત જિનરક્ષિત રાસ રચ્યો. જેમાં જિનપાલિત જિનરક્ષિતની કથા ગૂંથી છે.
વીરવિજયે સંવત ૧૮૫૭માં ૪ ખંડ પર ઢાળ ૧૫૮૪ કડીમાં સુરસુંદરી રાસ રચ્યો. જેમાં સુરસુંદરીના શીલનું મહત્ત્વ વર્ણવ્યું છે. સંવત ૧૮૯૬માં ૭ર ઢાળ ર૪૮૮ કડીમાં ધમ્મિલકુમાર રાસ રચ્યો. જેમાં ધમ્મિલકુમારની કથા છે. સંવત ૧૯૦૨માં પ૭ ઢાળમાં ચંદ્રશેખર રાસ રચ્યો. જેમાં ચંદ્રશેખર નૃપની કથા છે.
રામચંદ્રએ સંવત ૧૮૬૦માં ૧૦૯ ઢાળમાં તેજસાર રાસ રચ્યો. જેમાં તેજસારનું જીવન કથા ગૂંથી છે.
રૂપવિજય ગણિએ સંવત ૧૮૬૧માં ગુણસેન કેવલી રાસ રચ્યો. જેમાં ગુણસેન કેવલીની કથા ગૂંથી છે. સંવત ૧૯૦૦માં વિમલમંત્રી રાસ રચ્યો. જેમાં વિમલમંત્રીની કથા વર્ણવી છે.
ઉત્તમવિજય સંવત ૧૮૭૮માં ૪ ઉલ્લાસ ૭૦ ઢાળમાં ધનપાળ શીલવતીનો રાસ રચ્યો. જેમાં શીયલનું મહત્ત્વ વર્ણવાયું છે.
420
Page #445
--------------------------------------------------------------------------
________________
ઋષભવિજયે સંવત ૧૮૮૨માં ૪ ઉલ્લાસ ૫૬ ઢાળ ૧૫૨૮ કડીમાં વત્સરાજ રાસ રચ્યો. પરમાત્માની પૂજાથી વત્સરાજ કેમ ભવ પાર કરે છે તે વર્ણવાયું છે.
લાલવિજયે સંવત ૧૮૮૧માં ૩૨૩ ગાથાનો ઇલાકુમાર રાસ રચ્યો. જેમાં ઇલાકુમારની કથા નિરૂપી છે.
અમીવિજયે સંવત ૧૮૮૯માં નેમ રાસા રચ્યો.
ઉદયસોમસૂરિએ સંવત ૧૮૯૮માં શ્રીપાલ રાસ રચ્યો. આ રાસ દ્વારા સિધ્ધચક્રનું મહત્ત્વ નિરૂપાયું છે.
૧૯મી સદીમાં વૃધ્ધિવિજયે ચિત્રસેન પદ્માવતીની કથા, મહાનંદે રૂપસેન કથા, પદ્મવિજયે નેમિનાથ કથા, સમરદિત્ય કથા, જયાનંદ કેવલી કથા, ભાણવિજયે વિક્રમાદિત્ય પંચદંડ કથા, ક્ષેમવર્ધને સુરસુંદરી અમરકુમાર કથા, શાંતિદાસ અને વખતચંદશેઠની કથા, શ્રીપાળ કથા, માનવિજયે ગજસિંહકુમાર કથા, જિનપાલ જિનરક્ષિત કથા, વીરવિજયે સુરસુંદરી કથા, ધમ્મિલકુમાર કથા, ચંદ્રશેખર કથા, રૂપવિજયે ગુણસેનકેવલી કથા, વિમલમંત્રી કથા, ઉત્તમવિજયે ધનપાળ શીલવતી કથા, રાસાઓમાં ગૂંથી છે. આ ઉપરાંત બીજા ઘણા કવિઓએ વિવિધ રાસાની રચના આ સમયગાળામાં કરી છે.
વિક્રમ ૨૦મી સદી
જીવજીએ સંવત ૧૯૦૪માં મણરેહા રાસ રચ્યો. જેમાં મયણરેહાની કથા ગૂંથી છે.
ખોડીદાસ-ખોડાજી સ્વામીએ સંવત ૧૯૧૯માં ૬૩ ઢાળનો અંજનાસતી રાસ રચ્યો. જેમાં અંજનાસતીની કથા વર્ણવી છે. સંવત ૧૯૫૦માં ૬ ઉલ્લાસ ૧૧૨ ઢાળમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી રાસ રચ્યો. જેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનું જીવન વર્ણવ્યું છે.
ઉમેદચંદ્રે સંવત ૧૯૨૨મા ૧૪ ઢાળમાં આર્દ્રકુમાર રાસ રચ્યો. જેમાં આર્દ્રકુમારની કથા ગૂંથી છે. સંવત ૧૯૨૨માં ૯ ઢાળમાં ગજસુકુમાર રાસ રચ્યો. જેમાં ગજસુકુમારની કથા આલેખી છે. સંવત ૧૯૨૫માં ૧૩ ઢાળમાં હિરકેશી મુનિનો રાસ રચ્યો. જેમાં હરિકેશીમુનિની કથા ગૂંથી છે.
રંગનાથ શ્રાવકે સંવત ૧૯૪૭માં ૩૨ ઢાળમાં સૂરજમલ પારધીનો રાસ રચ્યો.
આમ, વીસમી સદીમાં જીવજીએ મયણરેહા કથા, ખોડીદાસે અંજનાસતી કથા, બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા, ઉમેદચંદે આર્દ્રકુમાર કથા, ગજસુકુમાર કથા, હિરકેશી મુનિની કથા, રંગનાથ શ્રાવકે સૂરજમલ પારધીની કથા, રાસાઓમાં ગૂંથી છે.
421
Page #446
--------------------------------------------------------------------------
________________
તીર્થકર ચરિત્ર કથાઓ વિશેના રાસાઓ નીચે પ્રમાણે છે. રચયિતા (કર્તા)
ઈ.સ. આદિનાથ દેવરાસ
ધવલ
૧પ૩૩ આદિનાથ દેવરાસ
ગુણનિધાન સૂરિશિ ૧૫૯૦ આદિનાથ રાસ
બ્રહ્મજિન દાસ
૧૬મી સદી ઋષભદેવનો રાસ
ઋષભ દાસ
૧૬૦૫ આદિનાથજીનો રાસ
દર્શન સાગર
૧૭૬૭ વાસુપૂજ્યજિન રાસ
કરમચંદ દરડા
૧૬૭૧ વાસુપૂજ્યજિન પુણ્યપ્રકાશ રાસ સકલ ચંદ્ર
૧૭મી સદી શાંતિનાથ રાસ
જ્ઞાન સાગર
૧૬૬૩ શાંતિજીન રાસ
રામવિજય(૨)
૧૭૨૮ મલ્લિનાથ રાસ
ઋષભ દાસ
૧૬૨૮ નેમિ રાસ
રામ(?)
૧ર૩ર નેમિ રાસ
પામ્હણ
૧૨૮૯ નેમિનાથ રાસ
જિનપ્રભ સૂરિ
૧૩-૧૪મી સદી નેમિ રાસ
ખેમ
૧પ૯૬ નેમિ રાસ
પદ્મા હંસગણિ
૧પ૯૬ નેમિરાસ-યાદવ રાસ
પુણ્યરત્ન
૧૫૩૯ પહેલાં નેમિ રાસ
ધર્મકીર્તિ
૧૬૧૮ નેમિજિન રાસ
સહજકીર્તિ
૧૬૨૯ નેમિનાથ રાસ
કનકકીર્તિ
૧૬૩૫ નેમિ રાસ
પ્રતાપસી
૧૬૯૬ નેમિ રાસ
કીકા
૧૬૯૭ નેમિનાથ રાસ
પવિજય
૧૭૬૩ નેમિ રાસ
ભાવકીર્તિ
૧૭૬૬ નેમ રાસો
અમીવિજય
૧૮૩૨ મહાવીર રાસ
અભયતિલક
૧રપ૦ વીર સ્વામીનો રાસ
દીપ
૧૬મી સદી જીવિત સ્વામીનો રાસ
ષભદાસ
૧૬૮૨ ગૌતમ સ્વામીનો રાસ
વિજય પ્રભ
૧૩૫૫ ગૌતમ સ્વામીનો રાસ
રત્નશેખર સૂરિ
૧૪૧૯ ગૌતમ સ્વામીનો રાસ
અજ્ઞાત
૧૫૭૪
422
Page #447
--------------------------------------------------------------------------
________________
૧૫૭૭ ૧૬૭૦ ૧૬૭૨
૧૬૭૫
ગૌતમ સ્વામીનો રાસ ગૌતમ સ્વામીનો રાસ ગૌતમ સ્વામીનો રાસ ગૌતમ સ્વામીનો રાસ ગૌતમ સ્વામીનો રાસ ગૌતમ સ્વામીનો રાસ ગૌતમ સ્વામીનો રાસ ગૌતમ સ્વામીનો રાસ ગણધર રાસ, ચક્રવર્તીના રાસ -
દાનશિવગણિ વિશાલકીર્તિ બાઈકીકૂ શાંતિદાસ રાયચંદ ભાગ્યવિજયજી પ્રેમ વિજયજી વસ્તિગ
૧૭૭૭ ૧૮૭૬ ૧૯૩૬ ૧૩૧૧
ઇ.સ.
૧૬૪૦ ૧૭૦૨
૧૮૭૦ ૧૭૩૭
સુધર્માસ્વામી રાસ સુધર્માસ્વામી રાસ બ્રહ્મદત્ત ચક્રવર્તી રાસ ચિત્રસંભૂતિ રાસ સનતચક્રી રાસ સનતકુમાર રાસ સનતકુમાર રાજર્ષિ રાસ ભરત ચક્રવર્તી રાસ ભરત ચક્રવર્તી રાસ
કર્તા પુણ્યરત્નસૂરિ ઉદયરત્ન ખોડીદાસ જ્ઞાનચંદ જ્ઞાન સાગર મહાનંદ કુવરંજી (૨) પાસો પટેલ રણછોડદેવજી
૧૬૭૩
૧૭૮૨ ૧૬૦૦ ૧૮૧૮
૧૮૯૪
વંશના ચરિત્ર નો રાસ - હરિવંશ રાસ
બ્રહ્મજિનદાસ
૧૪૬૩ હરિવંશ રાસ
ઉદયરત્ન
૧૭૪ર રાજા, રાણી, રાજકુમાર, શ્રેષ્ઠી, મંત્રી, ગુરુભગવંતના રાસાઓ:
કર્તા
સદી ખીમ-બલિભદ્ર-યશોભદ્ર રાસ લાવણ્યસમય
૧૫૮૯ ખીમ-બલિભદ્ર-યશોભદ્ર રાસ ઇન્દ્રસહજગણિ
૧૬૧૧ ખીમ-બલિભદ્ર-યશોભદ્ર રાસ પમુક્તિવિજય
૧૭૧૯ ખીમ-બલિભદ્ર-યશોભદ્ર રાસ રાજેન્દ્રસાગર
૧૮૧૯ ભરતેશ્વર બાહુબલિ રાસ
શાલીભદ્રસૂરિ
૧૧૮૪ ભરતેશ્વર બાહુબલિ ઘોર
અજ્ઞાત
૧૪૩૦ ભરતેશ્વર બાહુબલિ રાસ તેજવર્ધન
૧૫મી સદી
423
Page #448
--------------------------------------------------------------------------
________________
ભરતેશ્વર બાહુબલિ રાસ ભરતેશ્વર બાહુબલિ રાસ
ધન્ના શાલીભદ્ર રાસ
ધન્ના રાસ
ધન્ના શાલીભદ્ર રાસ
ધન્ના શાલીભદ્ર રાસ
ધન્ના અણગારનો રાસ
ધન્ના શાલીભદ્ર રાસ
ધન્ના શાલીભદ્ર રાસ
ધન્ના શાલીભદ્ર રાસ
ધન્ના શાલીભદ્ર ચરિત્ર
ધન્ના શાલીભદ્ર ચરિત્ર
શાલીભદ્ર ચરિત્ર
ધન્ના શાલીભદ્ર રાસ
ધન્ના શાલીભદ્ર રાસ
અભયકુમાર રાસ
અભયકુમાર રાસ
અભયકુમાર શ્રેણિક રાસ
અભયકુમાર શ્રેણિક રાસ
અભયકુમાર શ્રેણિક રાસ
શ્રેણિક રાસ
શ્રેણિક રાસ
શ્રેણિક રાસ
શ્રેણિક રાસ
વસ્તુપાલ તેજપાલનો રાસ
વસ્તુપાલ તેજપાલનો રાસ
વસ્તુપાલ તેજપાલનો રાસ
વસ્તુપાલ તેજપાલનો રાસ
પૃથ્વીચંદ્ર-ગુણસાગર રાસ પૃથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્ર
પૃથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્ર
પૃથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્ર
ઋષભદાસ
બ્રહ્મમુનિ
સાધુહંસ
મતિશેખર
રતનશી
ગાંધીપૂજા
જયવલ્લભ
રૂપવિજય
તેજવિજય ગણિ
ગુણભદ્ર
પૂર્ણભદ્ર
ભદ્રગુપ્ત
વિનય સાગર
દેવકીર્તિ
જિનરાજ
ષભદાસ
જિનહર્ષ
ઉદયરત્ન
કમલચરિત્ર ગણિ
ઋષભદાસ
સોવિમલ
બ્રહ્મજિનદાસ
ઋષભદાસ
સાધ્વી ચંપા
હીરાનંદ સૂરિ
સમય સુંદર
પાર્શ્વચંદ્ર
પ્રેમવિજય
સત્યાચાર્ય
માણિક્ય સુંદર
જયસાગર ગણિ
સત્યરાજ ગણિ
424
૧૬૨૧
૧૬૩૪
૧૪૫૫
૧૪૫૭
૧૬૭૩
૧૮૭૦
૧૬મી
૧૮૮૦
૧૯૨૭
૧૨મી સદી
૧૨૮૫
૧૪૨૮
સં ૧૬૨૩
૧૪૭૪
૧૬૨૧
૧૬૩૦
૧૭૦૧
૧૫૨૬
૧૫૩૯
૧૬૩૦
૧૫૪૬
૧૬મી
૧૬૧૩
૧૬૫૦
૧૪૮૪
૧૬૨૫
૧૫૪૦
૧૬૨૦
૧૧૬૧(પ્રાકૃત) ૧૪૯(ગુજરાતી)
૧૫૦૩
૧૫૩૪
Page #449
--------------------------------------------------------------------------
________________
૧૫૫૮
૧૮૮૨ ૧૫૧૨
૧૬૦૭ ૧૬૧૬ ૧૭૭૦ ૧૬૪૦ ૧૭૬૮ ૧૭૪૪
૧૭૪૪ ૧૪૫૬ ૧પ૬ર ૧૫૬૫ ૧૬મી સદી ૧૬૧૩
૧૬
પૃથ્વી ચંદ્ર-ગુણસાગર ચરિત્ર લબ્ધિ સાગર પૃથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્ર રૂપવિજય નળ દમયંતી રાસ
ઋષિવર્ધન સૂરિ નળ દમયંતી રાસ
મેઘરાજ નળ દમયંતી રાસ
સમય સુંદર નળ દમયંતી રાસ
રામવિજય ગણિ અમરસેન વરસેન ચરિત્ર કમલહર્ષ અમરસેન વયરસેન ચરિત્ર
જીવસાગર અમરસેન વયરસેન રાસ જિનહર્ષ અમરસેન વયરસેન રાસ
તેજપાલ જંબુસ્વામી રાસ
વિનયચંદ જંબુસ્વામી (પંચભવચરિત્ર) મલ્લિદાસ જંબૂસ્વામી રાસ
રાજપાલ જંબૂસ્વામી અંતરંગ રાસ
સહજ સુંદર જંબૂ રાસ
ગુણવિનય જંબૂ રાસ
યશોવિજય જંબૂ રાસ
જ્ઞાનવિમલ જંબૂસ્વામી રાસ
ઉદયરત્ન જંબુસ્વામી રાસ
જિનહર્ષ જંબૂસ્વામી રાસ
વીરવિમલ ગજસુકુમાલ રાસ
જિનરાજ ગજસુકુમાલ ઋષિ રાસ
સુધર્મરુચિ ગજસુકુમાલ રાસ
લાવણ્યકીર્તિ ઢંઢણકુમાર રાસ
લાવણ્યસિંહ જયાનંદ કેવલી રાસ
પદ્મવિજય વિજયાશેઠ-વિજયાશેઠાણી રાસ રાયચંદ(૧) વિજયાશેઠ-વિજયાશેઠાણી રાસ રાજરત્ન લલિતાંગકુમાર રાસ
ક્ષમાકલક લલિતાંગકુમાર રાસ
દાનવિજય રત્નચૂડ મણિચૂડ રાસ
રત્નસિંહ સૂરિશિષ્ય રત્નચૂડ રાસ
રત્નશેખર રત્નચૂડ વ્યવહારી રાસ
કનક નિધાન
૧૮મી સદી ૧૬૪ર ૧૬૧૨ પહેલાં ૧૭મી સદી ૧૫૦૧ ૧૮૦૧ ૧૬૨૫
૧૬૩૯
૧૪૯૬
૧૭૦૪ ૧૪પર ૧૪પ૩ ૧૬૭૧
425
Page #450
--------------------------------------------------------------------------
________________
૧૭૦૦
૧૭૦૨ ૧૫૦૪ ૧૬મી સદી
૧૬૨૦
૧૬૪૬ ૧૬૨૬
૧૫૮૦ ૧૬૪૨ ૧૭૫૨
રત્નચૂડ મુનિ રાસ રત્નસાર નૃપ રાસ અજાપુત્ર રાસ અજાપુત્ર રાસ અજાપુત્ર રાસ અજાપુત્ર રાસ અયમુત્તા કુમાર રાસ રુપચંદ કુવર રાસ રુપચંદ ષિ રાસ રૂપસેન રાસ રૂપાસેન રાસ રૂપાસેન રાસ રૂપસેન રાસ રૂપાસેન રાસ રૂપસેન ઋષિ રાસ યશોધર ચરિત્ર રાસ યશોધર રાસ યશોધર રાસ યશોધર રાસ સુદર્શન રાસ સુદર્શન શ્રેષ્ઠી રાસ સુદર્શન શ્રેષ્ઠી રાસ સુદર્શન શ્રેષ્ઠી રાસ સુદર્શન શ્રેષ્ઠી રાસ વલ્કલચિરિ રાસ પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ ચંદ્રશેખર રાસ હરિશચંદ્રનો રાસ હરિશચંદ્રનો રાસ હરિશચંદ્રનો રાસ હરિશચંદ્રનો રાસ હરિશચંદ્રનો રાસ
જિનહર્ષ જિનહર્ષ ધર્મદેવ બ્રહ્મમુનિ
ષભદાસ લબ્ધિવિજય નારાયણ નયન સુંદર ત્રિકમ મહાનંદ જયસાર(?) કનક સુંદર ક્ષેમકુશલ પુણ્યકીર્તિ ભાવશેખર દેવેન્દ્ર જ્ઞાનદાસ ઉદયરત્ન બ્રહ્મજિનદાસ સોમચંદ્ર સહજકીર્તિ ઉદયરત્ન જિનહર્ષ દીપ સમય સુંદર સહજ સુંદર વીરવિજય ધર્મદેવ કનકકુશલ કનકસુંદર ગુણમાણિકયશિષ્ય જિનહર્ષ
૧૫૬૨ ૧૬૧૬ ૧૬રપ પહેલાં ૧૬૨૪ ૧૬૨૬ ૧૫૮૧ ૧૫૬૬ ૧૭૧૦ ૧૬મી સદી ૧૬મી ૧૬૦૪ ૧૭૨૮ ૧૬૯ર ૧૭૭૯ પહેલાં ૧૬૨૪ ૧૫૯૧ ૧૮૪૫ ૧૪૯૭ ૧૬૪૦ ૧૬૪૦ ૧૬મી ૧૬૮૭
426
Page #451
--------------------------------------------------------------------------
________________
આદ્રકુમાર રાસ આર્દ્રકુમાર રાસ
રિબલનો રાસ
હરિબલનો રાસ
હિરબલ માછીનો રાસ
વંકચૂલ રાસ
રોહિણિયા ચોરનો રાસ રોહિણિયા ચોરનો રાસ
રાજસિંહ રાસ
શ્રીપાળ રાસ
શ્રીપાળ રાસ
ચારપ્રત્યેકબુધ્ધનો રાસ
ઢઢણકુમાર રાસ
વસુદેવ રાસ
તેતલી મંત્રી રાસ
રૂપચંદકુમાર રાસ
પ્રિયમેલક રાસ
અજાતપુત્ર રાસ
અજાતપુત્રકુમાર રાસ
સ્થૂલિભદ્ર રાસ
સ્થૂલિભદ્ર રાસ
સ્થૂલિભદ્ર રાસ
સ્થૂલિભદ્ર રાસ
જાવડભાવડ રાસ
કુમારપાળ રાસ
કુમારપાળ રાસ
કુમારપાળ રાસ
પ્રદેશી રાજાનો રાસ
પ્રદેશી રાજાનો રાસ
પ્રદેશી રાજાનો રાસ
ચંદ રાજાનો રાસ
ચંદ રાજાનો રાસ
ઋષભદાસ
ઉમેદચંદ્ર
કુશલસંયમ
જીનવિજય
જિનહર્ષ
કેસરવિમલ
ઉદયરત્ન
ઋષભદાસ
ઉદયરત્ન
પદ્મવિજય
જિનહર્ષ
સમયસુંદર
લાવણ્યસિંહ
જિનહર્ષ
સહજસુંદર
નયસુંદર
સાધ્વી ચંપા
ઉદયરત્ન
ઋષભદાસ
સમયસુંદર
ઋષભદાસ
સિંહદત્ત
ધર્મ(?)
દેપાલ
દેવપ્રભ
ઋષભદાસ
જિનહર્ષ
સહજસુંદર
જ્ઞાનસાગર
જેમલ
તેજમુનિ
વિદ્યારુચિ
427
૧૭મી
૧૮૬૫
૧૪૯૮ •
૧૬૬૯
૧૬૮૯
૧૬૯૯
૧૭૦૫
૧૬૩૧
૧૭૦૫
૧૫૬૬
૧૬૮૩
૧૬૦૮
૧૫૦૧
૧૭૦૫
૧૫૯૫
૧૬૩૭
૧૬૭૨
૧૫૯૮
૧૬૭૦
૧૬૨૨
૧૬૬૮
૧૫૨૫
૧૩મી
૧૫મી
૧૪૮૩
૧૬૧૩
૧૬૮૫
૧૬મી
૧૬૧૭
૧૯૧૫
૧૬૫૦
૧૬૫૪
Page #452
--------------------------------------------------------------------------
________________
૧૬૫૮ ૧૮૩૯ ૧૭૨પ ૧૬૨૬ ૧૬૮૮ ૧૬૪૪
૧પ૬૭ ૧૬૦૧ ૧પ૭ર ૧૭૧૨ ૧૬૧૭ ૧૭૧૩ ૧૬૦૯
ધમ્મિલકુમાર રાસ
જ્ઞાનસાગર ધમ્મિલકુમાર રાસ
વીરવિજય(ર) ધમનક રાસ
ઉદયરત્ન કવયના રાસ
ઝાષભદાસ રાસ ઉત્તમકુમાર રાસ
જિનહર્ષ ઉત્તમકુમાર રાસ
લમ્બિવિજય કેવલી રાસ : સુરપ્રિય કેવલી રાસ
લાવણ્યસમય સુરપ્રિય કેવલી રાસ
ગુણ સુંદર ભુવનભાનુ કેવલી ચરિત્ર
શીલભદ્ર ભુવનભાનુ કેવલી રાસ
ઉદયરત્ન કપિલ કેવલીનો રાસ
દેવસાગર શ્રીચંદ કેવલી રાસ
જ્ઞાનવિમલ ઈલાચી કેવલી રાસ
દયાશીલ ગુરુભગવંતના રાસા આનંદવિમલસૂરિ રાસ
વાસણ કપૂરવિજયગણિ રાસ
જિનવિજયજી(૩) કમલવિજય રાસ
હેમવિજય કલ્યાણવિજયગણિનો રાસ જયવિજય કલ્યાણસાગરસૂરિનો રાસ ઉદયસાગર કલ્યાણસાગરસૂરિનો રાસ માણિક્ય સાગર જિનસાગરસૂરિ રાસ
ધર્મકીર્તિ જિનરાજસૂરિ રાસ
શ્રીસાર યશોભદ્રસૂરિ રાસ
લાવણ્યસમય રંગરત્નાકર રાસ
કનકસૌભાગ્ય વિજયસિંહસૂરિ રાસ
દયાકુશલ વિજયતિલકસૂરિ રાસ
દર્શનવિજય વિનયદેવસૂરિ રાસ
મનજી બુધ્ધિસાગરસૂરિ રાસ
દીપસૌભાગ્ય બુધ્ધિવિજયગણિ રાસ
સુખસાગર હીરવિજયસૂરિના બારબોલનો રાસ ષભદાસ વજસ્વામી રાસ
વિદ્યાવલ્લભ
૧૫૪૦ ૧૭રર
૧૬૦૪
૧૫૯૮ ૧૭૪૫ ૧૭૬૦ ૧૬૨૪ ૧૬૨૪ ૧૬મી ૧૬૦૭ ૧૬૨૮ ૧૬૪૦ ૧૫૮૯ ૧૬૯૦ ૧૭૧૨
૧૬૨૭
૧૬૧૦
428.
Page #453
--------------------------------------------------------------------------
________________
વજસ્વામી રાસ
ધર્મદેવ
૧પ૦૬ વયરસ્વામી ગુરુ રાસ
જયસાગર
૧૪૪૧ આમ, સમગ્ર રચનાને જોતાં જણાય છે કે તીર્થકરના રાસાઓ ૧૫મી થી ૧૯મી સદીમાં વધારે રચાયા. જેમાં આદિનાથ, શાંતિનાથ, નેમનાથ, મહાવીર સ્વામી, મલ્લિનાથ, વિસવિહરમાનનો સમાવેશ થાય છે. તેમાં પણ સૌથી વધારે નેમનાથ પ્રભુના રાસ રચાયા.
ગણધર અને ચક્રવર્તીના રાસાઓનું સર્વેક્ષણ કરતાં માલુમ થાય ૧૫મી થી ૧૯મી સદીમાં આ રાસાઓ રચાયા જેમાં ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, બ્રહ્મદત્ત ચક્રવર્તી, ચિત્રસંભૂતિ, સનત ચક્રવર્તી, ભરત ચક્રવર્તીનો સમાવેશ થાય છે.
કેવલીના રાસાઓ ૧૦મી થી ૧૮મી સદીમાં વધારે રચાયા છે. જેમાં સુરપ્રિય, ભુવનભાનુ, કપિલકેવલી, શ્રીચંદ, ઈલાચી, આદિનો સમાવેશ થાય છે.
ગુરુભગવંતના રાસાઓ વધારે ૧૬ થી ૧૮મી સદીમાં રચાયા. જેમાં આનંદવિમલસૂરિ, કપૂરવિજયગણિ, કમલવિજય, કલ્યાણવિજય ગણિ, કલ્યાણ સાગરસૂરિ, જિનસાગરસૂરિ, યશોભદ્રસૂરિ, બુધ્ધિસાગરસૂરિ, હીરવિજયસૂરિ, વજસ્વામી, વયસ્વામી આદિ અનેક ગુરુભગવંતોનો સમાવેશ થાય છે.
રાજા, રાણી, રાજકુમાર, શ્રેષ્ઠી, મંત્રીના રાસાઓ વધારે ૧રમી થી ૧૭મી સદીમાં રચાયા. જેમાં ભારત-બાહુબલિ, શાલીભદ્ર, વસ્તુપાલ-તેજપાલ, પેથડશાહ, નળ-દમયંતી, અમરસિંહ, પુણ્યસાર, પ્રસેનજિત, ધન્ના, શ્રેણિક, યશોધર, જાવડભાવડ, ઋષિદત્તા, રત્નસાર કુમાર, રૂપસેન, દ્રૌપદી, સુરસુંદરી, કુમારપાળ, કયવત્રા, હરિશચંદ્ર, ઉત્તમકુમાર, અજાપુત્ર, શ્રીપાળરાજા, સુદર્શન શ્રેષ્ઠી, વિજયશેઠવિજયાશેઠાણી, અમરસેન-વાયરસેન, જંબુસ્વામી, ગજસુકુમાલ, ઢંઢણઋષિ આદિ અનેક રાસાઓ રચાયા.
મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યમાં સાધુ કવિઓએ જે વિવિધ સ્વરૂપોમાં રચનાઓ કરી તેમાં રાસા ઉપરાંત બારમાસી, ફાગુ, કક્કો, વિવાહલઉં, પ્રબંધ, ચચ્ચારી ને ધવલ વગેરે નોંધપાત્ર છે. મોટા ભાગના કવિઓએ આ સ્વરૂપોની રચના માટે પ્રાચીન કથાઓનો ઉપયોગ કરી તેને વિવિધ રસો, વર્ણનો અને સુંદર શૈલી દ્વારા નિરૂપણ કરી લોકભોગ્ય બનાવ્યા છે.
કવિઓએ ખાસ કરીને તે સમયની લોકભોગ્ય કથાઓ જેવી કે જેમ-રાજુલની કથા, સ્થૂલિભદ્ર-કોશા, જંબુસ્વામી કથા વગેરેનો આધાર લીધેલો હોય એવી પ્રતીતિ થાય છે.
429
Page #454
--------------------------------------------------------------------------
________________
વિવિધ કથા કાવ્ય પ્રકારો ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં બારમાસી”નું વર્ણન કરતા અનંતરાય રાવળ કહે છે
બારમાસી - “બારમાસી એ ઋતુકાવ્યનો પ્રકાર છે. ધર્મકથાનુયોગના આ વિષયમાં બારમાસી વિશે જણાવવું જરૂરી છે. કારણકે આ સાહિત્ય પ્રકારમાં ઋતુઓનું વર્ણન આવે. આ વર્ણન વિરહિણી નાયિકા કરતી હોય એમાં નાયિકાના બધા મહિનાના વિરહનું વર્ણન ઋતુવર્ણન સાથે આવે. આ રીતે આ પ્રકૃતિકાવ્ય ઉપરાંત વિરહ કાવ્યનો પ્રકાર પણ કહેવાય.'
જૈન કવિઓએ રચેલ બારમાસીમાં વિનયચંદ્રસૂરિકત નેમિનાથ ચતુષ્પાદિકા (ઈ.સ.૧૫૪૪)એ પહેલું જૈન ગુજરાતી બારમાસી કાવ્ય છે.
રાજુલ અને એની સખી વચ્ચેના સંવાદરૂપે ઉત્કટ વિરહનું મનોરમ આલેખન આ બારમાસી કાવ્યમાં થયું છે. રાજુલના લગ્ન નેમિકુમાર સાથે નક્કી થયા હોય છે. પરંતુ લગ્ન માટે જાન સાથે પધારેલા નેમિકુમાર લગ્નનો જમણવાર કરવાને મારવા માટે એક વાડામાં પૂરેલ પશુઓને જોઈ લગ્ન વિના જ પાછા ફરે છે. એમનો વિરહ અનુભવતી રાજુલ સખીઓ પાસે પોતાની વેદના વ્યક્ત કરે છે. એમાં દરેક મહિને બદલાતા જતા પ્રકૃતિના વાતાવરણ સાથે પોતાની વિરહવ્યથા ઉત્તરોત્તર કેટલી ઉત્કટ બનતી જાય છે, તે રાજુલ વર્ણવે છે. બારમાસી કાવ્યોમાં અંતે નાયકનાયિકાનું મિલન થતું હોય છે. જૈન ઇતિહાસ પ્રમાણે રાજુલ અંતે દીક્ષિત નેમનાથને મળે છે અને એમના ઉપદેશથી દીક્ષા ગ્રહણ કરે છે. આ રીતે આ બારમાસીનું પર્યવસાન શૃંગાર રસમાં નહિ પણ વિરક્તિના શાંતરસમાં થયું છે.
જૈનેતર કવિ નરસિંહ, પ્રેમાનંદ, રત્નેશ્વર, રત્નો, દયારામ આદિએ પણ રાધાકૃષ્ણના “મહિના'ના કાવ્યો લખ્યા છે. અર્વાચીન કવિ દલપતરામે “એ માસે ના જઇએ રે પિયુ પરદેશમાં અને નર્મદે “ઋતુવર્ણન'માં આ મધ્યકાલીન પ્રણાલીનું અનુસરણ કર્યું છે. કકકો :- આ પદ્યસાહિત્ય જૈન સાધુઓને હાથે ઠીક ઠીક લખાયું છે. વિવાહલઉ - સાધુઓના દીક્ષા પ્રસંગના વિવાહલ નામના ચરિતાત્મક સામંદાયિક ગેય વર્ણનાત્મક કાવ્યો જૈન સાધુઓને હાથે પંદરમા શતક પહેલાં લખાયા છે. વિવાહલઉ એટલે વિવાહ, લગ્ન. આ લગ્ન તે દીક્ષા લેનાર સાધક કે તપસ્વીનાં સંયમસુંદરી સાથે.
430
Page #455
--------------------------------------------------------------------------
________________
પ્રબંધઃ- “પ્રબંધ” માટે લાગે ઐતિહાસિક અને ચરિત્રાત્મક વસ્તુવાળા આખ્યાન પધ્ધતિના કાવ્યને માટે આપણે ત્યાં મધ્યકાળમાં વપરાયેલી સંજ્ઞા છે. જૈન કવિઓએ પ્રબંધકોશ, કુમારપાળ પ્રબંધ, પ્રબંધ ચિંતામણિ, ચતુવિંશતિ પ્રબંધ, વિમળ પ્રબંધ આદિ રચ્યા.
જેનેતરમાં કાન્હડે પ્રબંધ સાંસ્કૃતિક ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ચચરી ને ધવલ - પ્રાકૃતના વારસારૂપ ગેય કાવ્યપ્રકાર ‘ચચરી અને મંગલ ગીતોનો ધવલ નામે પ્રકાર જૂની જૈન કવિતામાં જોવા મળે છે. પદ્યવાર્તા-લોકકથા - જૈન સાધુ કવિઓને હાથે ઘણી લખાઈ. જે પદ્યમાં લખાયેલી સાંસરિક વાર્તાઓ છે. આ કથાઓનું વસ્તુ ઇતિહાસ-પુરાણ નહિ પણ કલ્પિત અને લોકોને આકર્ષતી અને લોકોમાં પ્રચલિત વાર્તાઓનું હતું. સૌથી જૂની મળી આવતી લોકકથા વિજયભદ્ર લિખિત હંસરાજ વચ્છરાજ ચઉપઈ (ઈ.સ.૧૩૫૫). આ સિવાય માધવાનલ-કામકંદલા, મારુ-ઢોલા ઉપઈ, સધ્યત્સકથા, નંદબત્રીસી, મદનમોહના, સિંહાસનબત્રીસી, વેતાળપચીસી, સૂડાબહોતેરી વગેરે.
‘સિહાસન બત્રીશી”ની બત્રીશ વાર્તાઓ વિક્રમના મળી આવેલા સિંહાસન પર બેસવા જતાં રાજા ભોજને સિંહાસન પરની બત્રીસ કાષ્ઠપૂતળીઓ એક પછી એક કહી જાય છે.
વેતાળ પચ્ચીસી'ની પચ્ચીસ વાર્તાઓ તેનો ખરો જવાબ આપે. એમ પચ્ચીસવાર બનતું બતાવીને લખાઈ છે.
બહારગામ ગયેલા પતિની કામવશ બની બહાર જવા પગ ઉપાડતી સ્ત્રીને ઘરનો પોપટ રોજ એક વાર્તા કહી બોંતેર દિવસ સુધી રોકી રાખે. એવી શામળની સૂડાન્હોતેરી'ની વાર્તાઓની સંકલના આ જ પ્રકારની છે.
લાંબી સળંગ વાર્તામાંય કેટલીક આડકથાઓ કે દૃષ્ટાંત કથાઓ આવતી, ઘણીવાર નાયક-નાયિકાના દુઃખો કે સાહસમાંથી જ વિવિધ વાર્તા રસ ઊભો કરવામાં આવતો. શામળની “મદન મોહના” એનું એક દષ્ટાંત છે.*
મધ્યકાલીન પદ્યવાર્તા કથ્ય અને શ્રાવ્ય સાહિત્ય પ્રકાર હતા. તેમાં .......... નામે નગરી હતી......................નામે રાજા હતો. એ રીતે થતો અને વાર્તા સીધી સમયાનુક્રમી કથનશૈલીને અનુસરતી. વાર્તાકાર મંગલાચરણ કરી નગર, રાજા, નાયક, નાયિકા એમ પરિચય વર્ણન કરી વાર્તા વસ્તુને ધક્કો આપનાર પ્રસંગનિરુપી, તેના પ્રત્યાઘાત કે તેની અનુગામી ઘટનાઓ વિસ્તારથી રજૂ કરી
431
Page #456
--------------------------------------------------------------------------
________________
વાર્તાના અંતે થોડી ફલશ્રુતિ સંભળાવી, પોતાના ગામ, જ્ઞાતિ, વાર્તા રચ્યમિતિ આપી પૂર્ણ કરતો.
વિષયની સૃષ્ટિ એ ઘણી વાર્તાઓ (જેમકે “માધવાનલ-કામકંડલા', મારુઢોલા, સધ્યવત્સકથા, હંસાઉલી વગેરે) પ્રેમ કથાઓ છે.
પાદલિપ્તસૂરિની અત્યારે અનુપલબ્ધ ‘તરંગવતી અને તેનાથી પ્રેરિત તરંગલોલાની પ્રણાલિકા ચાલુ રહી છે.
આમાંની ઘણી કથાઓનાં નામ તેની નાયિકા ઉપરથી હોય છે. જેમ કે કામાવતી, હંસાઉલી, પ્રેમાવતી. તેમજ ઘણી કથાઓના નાયક-નાયિકાનાં નામ પરથી હોય છે. જેમકે રૂપચંદકુંવર રાસ, મારુઢોલા ચઉપાઉ, મદનમોહના છે.
નાયક-નાયિકાના પ્રમોદય માટે ચક્ષુરાગ, સ્વખ, સમસ્યા વગેરેથી કૌતુકમય પરિસ્થિતિઓનું સર્જન થતું. પ્રમોદય પછી સંકટ, એમના વિજોગ-વ્યથાનું નિરૂપણ અંતે મિલન સુખમાં એનો અંત આવતો.
વિપ્રલંભ શૃંગારના નિરૂપણથી એમના પ્રેમની અભિવ્યક્તિ માટે થતો. અહીં શૃંગાર રસનું પ્રાધાન્ય હોવાથી કેટલીકમાં કામદેવના સ્તુતિ સ્મરણથી મંગલાચરણ કરતા વાર્તા મૂળ તો જનતાના મનોરંજન માટે હતી. જનમનરંજક રસ શૃંગાર પછી વીર અને અદ્ભુત. મધ્યકાળમાં ઘણા વાર્તાકારોએ એ બે રસનીય ઘણી વાર્તાઓ લખી છે. જેમકે, વીર વિક્રમના પર દુઃખભંજન પરાક્રમોની વાર્તા કહેતી સિંહાસનબત્રીશી” તથા “મડાપચીસી' જેવી વાર્તામાળાઓ સાહસ કથાઓનો વીરરસ તથા તે સાથે અદ્ભુત રસ પણ બહોળા પ્રમાણમાં પૂરો પાડે છે. જેમકે આ કથાઓમાં પ્રેમ અને શૃંગાર રસને અવકાશ મળતો. આ વાર્તાઓ અદ્ભુત રસિક કૌતુકપ્રધાન પરિકથાઓની કોટિની ગણાય.
જાતક કથાઓ, “બૃહત્કથા”, “કથાસરિત્સાગર', ‘તરંગવતી-તરંગલોલા', “વસુદેવ હિડી', “વાસવદત્તા’, ‘દશકુમાર ચરિત', ‘સિંહાસન દ્વાર્ગિશિકા’, ‘વૈતાલ પંચવિંશતિ', “શુકસપ્તતિ', “પંચતંત્ર', “ભોજપ્રબંધ', “કુવલયમાલા', ‘સમરાઇચકહા”, “તિલકમંજરી', “વિલાસવઈકહા', “પમસિરિચરિય”, આદિ કૃતિઓથી વિભૂષિત સંસ્કૃત-પ્રાકૃત લોકસાહિત્યની પ્રેરણાથી તેની પ્રણાલિકા મધ્યકાળ ગુજરાતી સાહિત્યે ચાલુ રાખી.
પદ્યબધ્ધ લોકકથાના મધ્યકાલીન સાહિત્યમાં જૈન સાધુઓનો વિપુલ ફાળો છે. અસાઇત, ભીમ, નરપતિ, ગણપતિ, મધૂસુદન, અતિસાર, માધવ, વચ્છરાજ, શિવદાસ, શામળ ને વીરજી જેવા જૈનેતર વાર્તાકારની કલમ, કલ્પનાને કવિતાનો
432
Page #457
--------------------------------------------------------------------------
________________
લાભ મધ્યકાલીન ગુજરાતી વાર્તાને મળ્યો છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગદ્યનું પ્રયોગક્ષેત્ર વિસ્તૃત નથી. તેમાં જૈન બાલવબોધ, બાલવબોધમાંની દષ્ટાંત કથાઓ,“પૃથ્વીચંદ્ર ચરિત્ર” જેવી પ્રાસબધ્ધ ગદ્યમાં લખાયેલી વાર્તાઓ, ઓક્તિકો અને સંસ્કૃત ગ્રંથોના સારાનુવાદો છે. બાલાવબોધ અને ટબા મધ્યકાલીન જૈન સાહિત્યે મોટી સંખ્યામાં આપ્યા. (મૂળ ગ્રંથની પંક્તિઓનો શાબ્દિક અનુવાદ ટબો કહેવાતો.)
ગુ
ફાગુ વિશે વિદ્વાન ડૉ.રમણલાલ કહે છે કે,
ભારતીય ઉપખંડમાં ફાગણ અને ચૈત્રમાસ વસંતઋતુના મહિના તરીકે ગણાયા છે. ભારતીય સાહિત્યમાં આરંભથી જ ઋતુઓને મહત્ત્વનું સ્થાન અપાયું છે. કવિતામાં ઋતુવર્ણન થાય છે. કવિતા યુગે યુગે જુદા જુદા સ્વરૂપે આવિષ્કાર પામે છે. ચમત્કૃતિવિહીન બની ગયેલા કાવ્યસ્વરૂપોમાં નવી પ્રજાને, નવા કવિઓને તથા નવા ભાવુકોને રસ ન પડે એ કુદરતી છે. આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે.” (પાના નંર૧૪)
ડૉ.રમણલાલ ચી. શાહ
સાહિત્ય સૌરભગ્રંથ-૪, સાહિત્ય દર્શન મધ્યકાલીન ગુર્જર સાહિત્યમાં (ગુજરાતી અને રાજસ્થાનીમાં) વસંતઋતુને અનુલક્ષીને જે એક કાવ્ય પ્રકાર ખીલ્યો તે ફાગુકાવ્ય” છે. રાસ અને ફાગુ એ બંને સહોદર જેવા ગણાય છે. વિકાસ - વિક્રમના ચૌદમાં શતકથી અઢારમા-ઓગણીસમા શતક સુધીમાં આ કાવ્ય પ્રકાર ઠીક ઠીક વિકાસ પામ્યો. લગભગ દોઢસો જેટલા ફાગુકાવ્યો આપણને પ્રાપ્ત થયા છે. બીજા પણ મળવાનો સંભવ છે. તેમાંથી ૧૨૫ થી વધુ ફાગુ કાવ્યો જૈન કવિઓએ રચ્યા છે. હેતુઃ- આ કાવ્ય પ્રકાર મુખ્યત્વે જૈન સાધુ કવિઓના હાથે ખેડાતો રહ્યો હતો. યુવા પેઢીને અસંસ્કારી અને વિકૃત કરનારા ફાગુઓ જ્યારે જોર પકડતાં જતાં હતાં ત્યારે યુવાપેઢીને સન્માર્ગે વાળવાનું કાર્ય જૈન સાધુ કવિઓએ કર્યું. આમ, ફાગુકાવ્યોની રચનામાં જૈન સાધુઓની સામાજિક અને ધાર્મિક કર્તવ્યની ભાવના વિશેષ દેખાય
પંદરમા સૈકામાં લખાયેલી પચ્ચીસથી વધુ ફાગુકૃતિઓ પ્રાપ્ત થાય છે. જેમાંથી
433
Page #458
--------------------------------------------------------------------------
________________
વસથી અધિક કૃતિઓ જૈન સાધુ કવિઓની જ છે. આ કાળમાં નેમિનાથ વિશેના ફાગુ કાવ્યો સૌથી વિશેષ રહ્યા છે.
જૈન સાધુ કવિઓએ શૃંગારરસનું નિરૂપણ પોતાની મર્યાદા સાચવીને કરી અંતે તો સંયમનો મહિમા દર્શાવાય એવા કથાનકો પસંદ કર્યા છે. (૧) વસંત-શૃંગારના ફાગુકાવ્યો (૨) વ્યકિત વિષયક ફાગુકાવ્યો. (૩) તીર્થ વિશે ફાગુકાવ્યો
(૪) ગુરુભગવંતો વિશે ફાગુકાવ્યો. (૫) તીર્થકરો વિશે ફાગુકાવ્યો (૬) અધ્યાત્મિક ફાગુકાવ્યો. (૭) લોકકથા-વિષયક ફાગુકાવ્યો (૮) પ્રકીર્ણ વિષયનાં ફાગુકાવ્યો. (૯) સંસ્કૃત ભાષામાં ફાગુકાવ્યો.
આપણો વિષય ધર્મકથાનો હોવાને લીધે વિષયની મર્યાદાને લઇને દરેક ફાગુ કાવ્યોની ચર્ચા કરવાનું શક્ય નથી. તીર્થકરો વિશે ફાગુકાવ્યો - જૈનોમાં તીર્થંકર પરમાત્માના જીવન ચરિત્રનો મહિમા અપરંપાર છે. એટલે સૌથી વધુ ફાગુકાવ્યો તીર્થકરો વિશે લખાય એ સ્વાભાવિક છે.
વર્તમાન ચોવીસીમાં પાંચ તીર્થ કરો મુખ્ય ગણાય છે. (૧)આદિનાથ (૨)શાંતિનાથ (૩)નેમનાથ (૪) પાર્શ્વનાથ (૫)મહાવીર સ્વામી.
આ પાંચ તીર્થકરોમાં નેમિનાથ ભગવાનનાં વિશે વધારે ફાગુકાવ્યો લખાયાં છે. તેમના પછી પાર્શ્વનાથ વિશે ફાગુકાવ્યો લખાયાં છે. ત્યારબાદ આદિનાથ અને શાંતિનાથ વિશે ફાગુકાવ્યો લખાયાં છે. આશ્ચર્યની વાત એ છે કે મહાવીર સ્વામીના જીવન વિશે ઘણી બધી વિગતો મળે છે છતાં તેમના વિશે એકપણ ફાગુકાવ્ય લખાયું હોય એવું જાણવા મળતું નથી. બંભણવાડા તીર્થના શ્રી મહાવીર સ્વામી વિશે ફાગુકાવ્ય લખાયું.
મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી વિશે પણ ફાકાવ્ય છે.
વ્યકિતગત ફાગુકાવ્યોમાં જંબુસ્વામી, ભરતે સ્વર, શાલિભદ્ર, શ્રીકૃષ્ણ, પાંચ પાંડવ આદિ પ્રાપ્ત થયા છે.
ગુરુ ભગવંતો વિશે ફાગુકાવ્યોમાં લગભગ વીસથી વધુ ફાગુકાવ્યો લખાયા છે. તેમાંના કેટલાકમાં કવિનાં નામ છે. આ પ્રકારના ફાગુકાવ્યોમાંથી ગુરુભગવંતના જીવન વિશે વિગતો મળે છે. જે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ મહત્ત્વની છે. તેમજ તે સમયના સમાજચિત્ર પણ કેટલાકમાં પ્રતિબિંબ થયું છે. આવા ફાગુકાવ્યોમાં વસંતઋતુ અને મદનરાજના પ્રભાવ સામે ગુરુ ભગવંતનો વિજય બતાવવામાં
434
Page #459
--------------------------------------------------------------------------
________________
આવ્યો છે. ચાર જેટલા વૈષ્ણવ ફાગુકાવ્યો પ્રાપ્ત છે. જેમાં શ્રીકૃષ્ણના જીવન પ્રસંગ ભાગવત પુરાણ અનુસાર વર્ણવાયા છે.
અધ્યાત્મિક ફાગુકાવ્યોમાં રૂપક શૈલી છે. તેમાં શુંગારરસનો યત્કિંચિત નિર્દેશ કરી સંયમ-પર્યવસાયી કૃતિઓની રચના કરી છે.
લોકકથા રૂપ ફાગુકાવ્યોમાં કાલ્પનિક કથા લેવાઇ છે, જેમાં મંગલ કલશની વાર્તા પસંદ થઈ છે.
તીર્થ વિશેના ફાગુકાવ્યમાં તીર્થ મહિમા સમજાવ્યો છે. ફાગુકાવ્યનું નામ
રચયિતા
સમય ૧. ઋષભદેવ ફાગુ
લીંબો
૧૬મી સદી ૨. આદિનાથ ફાગુ
જ્ઞાનભૂષણ
૧૬મી સદી ૩. શાંતિનાથ ફાગુ
ભટ્ટારક સકલકીર્તિ ૪. શાંતિનાથ ફાગુ
રત્ન વિજય ૫. રાવણિ પાર્શ્વનાથ ફાગુ પ્રસન્ન ચંદ્રસૂરિ ૬. પાર્શ્વનાથ વંસતવિલાસ સોમકીર્તિ ૭. જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ મેરુ નંદન ૮. પાર્શ્વનાથ ફાગુ
પઘમંદિર ૯. વાસુપૂજ્ય મનોરમ ફાગુ કલ્યાણ
૧૭મી સદી ૧૦. સુજાત પ્રભુ ફાગુ
ન્યાયસાગર ૧૧. રંગતરંગ ફાગુ
શ્રીહેમવિજય
૧૭મી સદી ૧૨. રંગસાગર ફાગુ
રત્નમંડણ ગણિ
૧૫મી સદી ૧૩. નેમિનાથ ફાગુ
કેશવ
૧૮ મી સદી ૧૪. નેમિજિન ફાગુ
ગુણ વિજય
૧૭ મી સદી ૧૫. નેમીપ્પર ફાગુ
વિદ્યાભૂષણ
૧૭ મી સદી ૧૬. નેમિનાથ ફાગુ
રાજશેખર સૂરિ ૧૭. નેમિનાથ ફાગુ
સમુધર ૧૮. નેમિનાથ ફાગુ
સમર ૧૯. રંગસાગર નેમિ ફાગુ સોમસુંદર સૂરિ ર૦. નારી નિરાસ ફાગુ
રત્નમંડણ ગણિ
૧૫મી સદી ર૧. નેમીશ્વર ચરિત ફાગુ માણિક્યસુંદરસૂરિ ૧૫મી સદી ર. વસંતશૃંગાર ફાગુ
અજ્ઞાત
૧૬મી સદી ૨૩. સુરંગાભિધ નેમિ ફાગુ ધનદેવ ગણિ
૧૬મી સદી
435
Page #460
--------------------------------------------------------------------------
________________
રામ
ર૪. વીરવિલાસ ફાગુ
શ્રીવીરચન્દ્ર
૧૬મી સદી રપ. સ્થૂલિભદ્ર ફાગુ
જિનપદ્મસૂરિ
૧૪મી સદી ર૬. સ્યુલિભદ્ર ફાગુ
હિલરાજ
વિ.૧૪૦૯ ૨૭.સ્થૂલિભદ્ર કોશાપ્રેમવિલાસ ફાગુ જયવંત સૂરિ ૨૮. વસંતવિલાસ
અજ્ઞાત ૨૯. વસંતવિલાસ ૩૦. વિરહ દેસાઉરી
અજ્ઞાત
૧૬મી સદી ૩૧. જંબૂસ્વામી ફાગુ
અજ્ઞાત ૩ર. બ્રહ્મગીતા
ઉ.યશોવિજયજી ૩૩. પુરુષોતમ પાંચ પાંડવ ફાગુ અજ્ઞાત ૩૪. ભરતેશ્વર ચક્રવર્તી ફાગુ અજ્ઞાત
૧૫મી સદી ૩૫. નારાયણ ફાગુ
નતર્ષિ ૩૬. હરિવિલાસ ફાગુ
અજ્ઞાત ૩૭. વસંતવિલાસ
કેશવદાસ ૩૮. ભ્રમરગીતા
ચતુર્ભુજ ૩૯. મંગળકલશ
કનકસોમ
૧૭મી સદી ૪૦. માતૃકા ફાગુ
અજ્ઞાત કવિ (પાંચ મહાવ્રતના પાલન તેમજ ૧૮ પાપસ્થાનકથી બચવાનો ઉપદેશ)
નેમનાથ વિષે ઘણા કવિઓએ ફાગુ રચ્યા છે. જેમકે સમુધર, કાન્હ, ધનદેવ, સમર, પદ્મ, ડુંગર, મતિશેખર, ઇંદ્રસૌભાગ્ય, ગજસાગર, પુણ્યરત્ન, મહિમામેરુ, કલ્યાણકમલ, લબ્ધિવિજય, લબ્ધિકલ્લોલ, જિનસમુદ્ર, હર્ષરત્ન, જયનિધાન, ઉત્તમસાગર, રત્નકીર્તિ વગેરે.
આ સિવાયના ઘણા ફાગુકાવ્યો મળે છે જેની સૂચિ વિષય મર્યાદાને લીધે શક્ય નથી. વિશેષ માટે જુઓ જેનગુર્જર કવિઓ.
શ્રીપાળ રાજાનો રાસ ચરિત્ર જેન કાવ્ય સાહિત્યમાં ગુલાબચંદ્ર ચૌધરી કથાસાહિત્ય નામક ત્રીજા પ્રકરણમાં શ્રીપાળ ચરિત્રનું વર્ણન નીચે પ્રમાણે જણાવે છે. શ્રીપાળ ચરિત્ર:- શ્રીપાળનું ચરિત્ર સિધ્ધચક્ર પૂજા (અષ્ટાન્ડિકા, નંદીશ્વરદ્વીપ પૂજા) અર્થાત્ નવપદ મંડલનું માહાત્મ પ્રગટ કરનાર, એક રૂઢ ચરિત છે. આ ચરિતને વત્તા ઓછા પરિવર્તન સાથે શ્વેતામ્બર અને દિગંબર બંને પરંપરા માને છે. જેવી રીતે બીજા
436
Page #461
--------------------------------------------------------------------------
________________
વતો કે અનુષ્ઠાનો માટે એક થી વધુ ચરિત્ર મળે છે તેવી જ રીતે આને માટે પણ સંસ્કૃત-પ્રાકૃતમાં કુલ ર૬ થી વધુ રચનાઓ મળે છે. પહેલા નંદીશ્વરપૂજા મૂળ રૂપમાં વિદ્યાધર લોકની વસ્તુ હતી. પરંતુ વિદ્યાધર ઉપરાંત માનવ સાથે સંબંધ જોડવા માટે લોકકથા સાહિત્યમાંથી શ્રીપાળના ચરિત્રને ધર્મકથાના રૂપમાં ઘડીને તૈયાર કરવામાં આવ્યું. શ્રીપાળ કોઈ પૌરાણિક પુરુષ નથી. તેની જે કથા મળે છે તેનું વિશ્લેષણ કરવાથી તેની મુખ્ય વસ્તુ જાણવા મળે છે. પૂર્વ જન્મોનાં સંચિત કર્મોના ફળ દર્શાવવાનું પ્રયોજન છે પરંતુ સાથે સાથે તે પણ જણાવે છે કે તેમનાથી બચવા માટે અલૌકિક શક્તિઓ પાસેથી પણ મદદ મળી શકે છે અને તે અલૌકિક શક્તિ છે સિધ્ધચક્રપૂજા. કથાવસ્તુ - ઉજજૈનના રાજા પ્રજાપાલને બે રાણીઓ હતી. એક શેવ અને બીજી જેન. એકની પુત્રી સુરસુન્દરી અને બીજાની મયણાસુંદરી. શિક્ષા દીક્ષા પછી વાદસભામાં રાજા તેમને પૂછે છે કે તેમના સુખનું શ્રેય કોને છે? સુરસુંદરીએ તે શ્રેય પિતાને છે એમ કહ્યું. જ્યારે મયણાએ કહ્યું કે ધર્મને. રાજાએ સુરસુંદરી ઉપર પ્રસન્ન થઈ તેના લગ્ન શંખપુરના રાજા અરિદમન સાથે કરાવી દીધા, જ્યારે બીજી મયણા ઉપર ક્રોધે ભરાઈ તેના લગ્ન કોઢિયા રાજપુત્ર શ્રીપાલ સાથે કરાવી દીધા.
શ્રીપાળ ચંપાપુરનો રાજપુત્ર હતો. બચપણમાં જ તેના પિતાનું મરણ થવાથી તેના કાકા અજિતસેને રાજ્ય છીનવી લીધું અને મા-દીકરાને ખતમ કરી દેવાનું ષટ્યત્ર રચ્યું. તેથી મા-દીકરો બન્ને ભાગી નીકળ્યા અને ૭૦૦ કોઢિયાના ગામમાં શરણ લીધું.
ત્યાં શ્રીપાળને પણ કોઢ થઈ ગયો. માતા ઉપચાર માટે તેને ઉજ્જયિની લઈ ગઈ. કોઢિયાઓએ શ્રીપાલને પોતાના મુખી તરીકે ચૂંટી કાઢ્યો હતો. તેના લગ્ન માટે તે લોકોએ રાજા પાસે મયણાસુંદરીનો હાથ માંગ્યો. રાજા પોતાની પુત્રી મયણાના લગ્ન તેની સાથે કરાવી દે છે. મયણાસુંદરી તેને પોતાના કર્મોનું ફળ માને છે અને તેના નિવારણ માટે સિધ્ધચક્રની પૂજા કરે છે અને બધા કોઢિયાઓનો કોઢ મટી જાય છે.
કેટલોક સમય ત્યાં રહી શ્રીપાળ પત્નીની અનુમતિ લઇ યશ અને સંપત્તિ કમાવા માટે વિદેશ જાય છે. ત્યાં અનેક રાજકુંવરીઓ સાથે લગ્ન કરે છે. વ્યાપારમાં ભાગીદાર ધવલશેઠ દ્વારા છળકપટથી સમુદ્રમાં પાડી દેવા છતાં બચી જાય છે અને તે શેઠના અનેક કપટ પ્રપંચોથી બચતો શ્રીપાલ સંપત્તિ-વિપત્તિ વચ્ચેની ડામાડોળ દશાને પાર કરી પોતાની પત્નીઓ સાથે પાછો ઉજ્જૈન આવી જાય છે. પછી પોતાની મા અને પત્ની મયણાને મળીને અંગદેશ ઉપર આક્રમણ કરે છે. કાકા અજિતસેનને હરાવે છે. અજિતસેન દીક્ષા લઈ લે છે. અને શ્રીપાળ રાજસુખ ભોગવે છે. એક દિવસ તે જમુનિ પાસેથી પોતાના પૂર્વ જન્મની કથા સાંભળી જાણી લે છે કે પોતે કેટલોક કાળ
437
Page #462
--------------------------------------------------------------------------
________________
કર્મફળ ભોગવી ૯ભા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરશે.
દિગંબર પરંપરાના કથાનકમાં રાજા પ્રજાપાલને એક રાણી હતી. અને તેને બે પુત્રીઓ હતી સુરસુંદરી અને મયણા. સુરસુંદરીના લગ્ન કૌશામ્બીના રાજા શુંગારસિંહ સાથે થાય છે અને મયણાના કોઢિયા શ્રીપાળ સાથે. તે કોઢને કારણે ૧૨ વર્ષથી પ્રવાસમાં હતા. મયણા સિધ્ધચક્ર વિધિથી તેના કોઢનું નિવારણ કરે છે. ત્યારપછી બે વિદ્યાઓ પ્રાપ્ત કરી શ્રીપાલ વિદેશ યાત્રાએ જાય છે. ત્યાં સમુદ્રમાં પતન વગેરે કપટ પ્રયુક્તિઓમાંથી બચી ક્રમશઃ ૪૦૦૦ રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે. પાછા આવીને પોતાના કાકા વીરદમન પાસેથી રાજ્ય છીનવી સુખભોગ કરે છે પછી એક મુનિ પાસેથી પોતાના પૂર્વભવની વાતો સાંભળી તે મુનિ બની જાય છે અને તપસ્યા કરી મોક્ષે જાય છે.
ઉક્ત બંને રૂપાન્તરોંમાં જે સમાન તથ્યો પ્રતિફલિત થાય છે તે છે: શ્રીપાલનું ચંપાપુરના રાજપુત્ર હોવું, તેને પૂર્વ કર્મોના ફળ સ્વરૂપ કોઢ થવો અને મયણાનું શ્રીપાલ સાથે લગ્ન થવું, શ્રીપાળે ઘર જમાઈ ન બનીને પોતાનું સાહસ અને પોતાનો પુરુષાર્થ દેખાડવો, સમુદ્રયાત્રાના અનુભવો પ્રગટ કરવા અને એ દર્શાવવું કે આ કષ્ટોમાંથી મુક્ત થવાનો ઉપાય છે સિધ્ધચક્ર પૂજા. સિરિસિરિવાલકહા - શ્રીપાળના આખ્યાન ઉપર સૌ પ્રથમ એક પ્રાકૃત કૃતિ સિરિસિરિવાલકહા મળે છે. તેમાં ૧૩૪ર ગાથાઓ છે. તેમાં કેટલાક પદ્યો અપભ્રંશમાં પણ છે. ર૮૮મી ગાથાથી શ્રીપાળની કથા છે. કથા ગ્રંથ કલ્પના, ભાવ અને ભાષામાં ઉદાત્ત છે. તેમાં કેટલાય અલંકારોનો સફળતાપૂર્વક પ્રયોગ થયો છે. કથાનકની રચના આર્યા અને પાદાકુલક (ચોપાઈ) છંદોમાં કરવામાં આવી છે. કર્તા અને રચનાકાલ - આનું સંકલન વજસેન ગણધરના પટ્ટશિષ્ય અને પ્રભુ હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ કર્યું છે. તેમના શિષ્ય હેમચન્દ્ર સાધુએ વિ.સ.૧૪ર૮માં આ કૃતિને લિપિબધ્ધ કરી હતી. સિરિસિરિવાલકહા ઉપર ખરતરગચ્છીય અમૃતધર્મના શિષ્ય ક્ષમા કલ્યાણ સં.૧૮૬ભાં ટીકા લખી હતી. શ્રીપાલ કથા યા ચરિત્ર:- ૫૦૭ શ્લોક પ્રમાણ આ રચના તપાગચ્છના ઉદયસાગર ગણિના શિષ્ય લબ્ધિસાગર ગણિએ સં.૧૫૫૭માં કરી હતી.“ શ્રીપાલ ચરિત ઉપર એક નાટક પણ ધર્મસુંદર અપર નામક સિધ્ધસૂરિએ સં.૧૫૩૧માં રચ્યું. અપભ્રંશ ભાષામા કવિ રઇધૂ અને પં.નરસેનના સિરિપાલચરિઉમાં દિગંબર સંપ્રદાય સમ્મત કથાનક આપવામાં આવ્યું છે.
438
Page #463
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી અને હિંદી ભાષાના કવિઓ માટે આ ચિરત બહુજ રોચક અને આકર્ષક રહ્યું
છે.
જૈન ગુર્જર કવિઓ ભાગ-૭ માં મોહનલાલ દલીચંદ દેસાઇના સંપાદન અનુસાર :(પાના નં-૨૨૩ થી ૪૩૬) સિધ્ધચક્ર (શ્રીપાલ રાસ)
શ્રીપાલ પ્રબંધ
સિધ્ધચક્ર રાસ
શ્રીપાલ રાસ
શ્રીપાલ રાસ
શ્રીપાલ ચોપાઇ
સિધ્ધચક્ર રાસ
સિધ્ધચક્ર રાસ
શ્રીપાલ ચોપાઇ
સિધ્ધચક્ર રાસ
શ્રીપાલ ચોપાઇ
સિધ્ધચક્ર રાસ
શ્રીપાળ રાસ
શ્રીપાળ ચોપાઇ
શ્રીપાળ આખ્યાન
શ્રીપાલ રાસ
શ્રીપાલ રાસ
શ્રીપાલ રાસ
સિધ્ધચક્ર રાસ
શ્રીપાળ રાસ
શ્રીપાળ મયણાસુંદરી રાસ
શ્રીપાળ રાસ
શ્રીપાળ રાસ
શ્રીપાળ રાસ
શ્રીપાળ રાસ
સિધ્ધચક્ર રાસ
શ્રીપાળ રાસ
શ્રીપાળ રાસ
માંડણ
ધર્મસુંદર
જ્ઞાનસાગર
ઉદયહર્ષ શિ.
લબ્ધિસાગર
ઇશ્વરસૂરિ
માણિક્ય ચારિત્ર ગણિ
મુનિ લાલા
ભાવવર્ધન
કનકધર્મ
પદ્મસુંદર
સુમતિસુંદર
મુનિ કમલરાજ
રત્નલાભ
બ્ર.વચ્છરાજ
માનવિજય
માનવિજય
મહિમાઉદય
પ્રીતિવિમલ
પદ્મવિજય
શુભવિજય ગણિ
અમૃતકુશલ
ચશોવિજય
હરખચંદ સાધુ
સોમનંદન
જીવનચંદ
તેજરત્ન
મહિમાસૌભાગ્ય
439
૧૪૯૮
૧૫૦૪
૧૫૩૧
૧૫૪૪
૧૫૫૭
૧૫૬૪
૧૫૭૯
૧૫૯૭
૧૫૯૮
૧૬૦૫
૧૬૪૨
૧૬૪૮
૧૬૫૨
૧૬૬૨
૧૬૭૬
૧૭૦૨
૧૭૦૪
૧૭૨૨
૧૭૨૪
૧૭૨૬
૧૭૩૧
૧૭૩૬
૧૭૩૮
૧૭૪૦
૧૭૪૨
૧૭૫૩
૧૭૬૦
૧૭૬૪
Page #464
--------------------------------------------------------------------------
________________
શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ ચોપાઈ સિધ્ધચક રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ
કૃષ્ણવિજય જયવિજય દોલતચંદ ભાગ્યવિજય જિનવિજય રત્નવિજય શાંતિવિજય સભાચંદ દાનરત્નસૂરિ રામવિજય રંગસૌભાગ્ય ભીમજી ઇંદ્રવિજય તત્વવિજય ગણિ નેમવિજય કમલસુંદર ચંદગણિ કલ્યાણવિજય ચારિત્રોદય મુનિ ઉમેદવિજય દૌલત ચંદ્ર જ્ઞાનચંદ ચેતનવિજય જયતચંદ રૂપચંદ ખુશાલચંદ કાંતિરત્ન
હીરવિજય પ્રતાપરુચિ,
ચતુરવિજય, પ્રમોદવિજય વખતા વિવેક સાગર શિવલાભ
૧૭૭૩ ૧૭૮૦ ૧૭૮૩ ૧૭૮૭ ૧૭૯૧ ૧૭૯૪ ૧૭૯૯ ૧૮૦૧ ૧૮૦૭ ૧૮૧૩ ૧૮૧૫ ૧૮૧૮ ૧૮૨૦ ૧૮૨૩ ૧૮૨૪ ૧૮૩૭ ૧૮૪૧ ૧૮૪૨ ૧૮૪૨ ૧૮૪૪ ૧૮૪૮ ૧૮૪૯ ૧૮૫૩ ૧૮૫૫
૧૮૫૬
૧૮૬૧ ૧૮૬૧ ૧૮૬૧ ૧૮૬૨ ૧૮૬૫ ૧૮૬૯ ૧૮૭૦
440
Page #465
--------------------------------------------------------------------------
________________
શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ શ્રીપાળ રાસ
થ્થિરત્ન ચારિત્રવિલાસ ચતુરનિધાન, રામવિજય આનંદસાગર પ્રેમરત્ન, નેમચંદ્ર ધર્યરુચિ પં.હીરવિમલ જોશી શિવરામ ૫.જીવન ઠાકોર નરભે રામ બુધજી વિવેક માણિક્ય ધન્ના- શાલીભદ્ર
૧૮૭૦ ૧૮૭૧ ૧૮૭૨ ૧૮૭૬ ૧૮૮૨ ૧૮૮૯ ૧૯૧૪ ૧૯૨૬ ૧૯૨૭ ૧૯૩૨ ૧૯૫૩ ૧૯૦૧
ધન્યશાલિ ચરિત" - પોતાના વિવેકથી પાત્રદાનરૂપી ધાર્મિક પ્રવૃતિ દ્વારા જીવનને ઉચ્ચ સાધનાપથ ઉપર લઈ જવા માટે, શ્રેણિક અને મહાવીરના સમકાલીન રાજગૃહના બે શ્રેષ્ઠિ પુત્ર ધન્યકુમાર અને શાલિભદ્રના ચરિત્રો જૈન કવિઓને બહુ પ્રિય થઈ પડ્યાં છે. ધન્યકુમારની કથા અનુત્તરોવાઇદસાઓમાં આવે છે. સમાધિમરણ નામના પ્રકીર્ણકમાં ધન્ય અને શાલિભદ્રના કથાનકો આવે છે. આ બંને પણ પ્રત્યેક બુધ્ધોની શ્રેણિમાં આવે છે. આ બંનેને એક સાથે રાખીને ઘણી કૃતિઓ લખાઈ છે. કથાસાર - સુપ્રતિષ્ઠિત નગરમાં નૈગમશેઠ અને લક્ષ્મી શેઠાણીને ધનચંદ્ર વગેરે પાંચ પુત્રો હતા. ધન્યકુમાર તેમાં પાંચમો હતો. થોડા જ સમયમાં તે સકલ કલાઓમાં પારંગત બની ગયો. તેના મોટા ભાઇઓ તેની ઈર્ષ્યા કરતા હતા. તેણે જીવનની શરૂઆત કરતાં જ અનેક આશ્ચર્યજનક કામો કરી બતાવ્યા. તેણે પાડાઓ સાથે લડીને હજાર દીનાર મેળવી, મૃતક પશુ ખરીદી તેમાંથી કિંમતી રત્નો મેળવ્યાં, વગેરે. ભાઇઓમાં વધતી ઇર્ષાને કારણે તે ઘર છોડી ગયો અને બુધ્ધિવૈભવથી અનેક ચમત્કારોનું પ્રદર્શન કરી તેણે રાજગૃહમાં અનેક કન્યાઓ સાથે તથા ગોભદ્ર શેઠની પુત્રી સાથે લગ્ન કર્યા. અને સુખે જીવન જીવવા લાગ્યો. આ બાજુ માતા-પિતા તથા ભાઈઓની હાલત ખરાબ ને ખરાબ થતી ગઈ. તેમને આજીવિકા માટે મજૂરી કરવી પડતી હતી. તેણે તેમને મદદ કરી ખૂબ જ ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવી.
શાલિભદ્ર પૂર્વભવમાં ગરીબ વિધવાના પુત્ર હતા. તેમનું નામ સંગમક ગોવાળ
441
Page #466
--------------------------------------------------------------------------
________________
હતું. તે ગાય-બળદ ચરાવતો હતો. એક ઉત્સવના દિવસે બધાં ઘરોમાં મિષ્ટાન્ન તૈયાર થતું જોઇ તેણે પોતાની માતાને ખીર બનાવવાનું કહ્યું. તે ગરીબ માતા પાડોશીઓ પાસેથી દૂધ, સાકર, ચોખા માંગી લાવી, ખીર બનાવી, બાળકને પીરસી કામે ગઈ. તે જ વખતે પારણા માટે એક મુનિ આવ્યા. સંગમે પોતાનું ભોજન તેમને આપી દીધું. રાતે ભૂખને કારણે તે મરી ગયો. પરંતુ આહાર દાનરૂપી પુણ્યફળથી રાજગૃહમાં શેઠ ગોભદ્ર અને શેઠાણી ભદ્રાને ત્યાં તે જન્મ્યો. તેનું નામ શાલિભદ્ર પાડવામાં આવ્યું. તે ખૂબ સુંદર અને ગુણવાન હતો. જ્યારે તે યુવાન થયો ત્યારે તેના પિતાએ ૩ર કન્યાઓ સાથે તેના લગ્ન કરાવ્યા અને આ રીતે તે આનંદ પૂર્વક દિવસો પસાર કરવા લાગ્યો. તેના પિતા મુનિ બની ગયા અને સમાધિમરણ પૂર્વક સ્વર્ગે ગયા. દેવતા બની તેમણે પોતાના પુત્ર શાલિભદ્ર માટે પ્રચુર ધન સંગ્રહ કર્યો. એક દિવસ તેની માતાએ તેની વહુઓ માટે ૩ર બહુમૂલ્ય રત્ન કમ્બલ ખરીદી. તેમાંની એકને પણ ખરીદવાનું સામર્થ્ય રાજા શ્રેણિકમાં ન હતું. એક દિવસ પોતાના વૈભવને જોવા માટે રાજા શ્રેણિકને સાધારણ મનુષ્યના વેશમાં આવેલા જોઈ અને પોતાના ઉપર પણ કોઈ નાથ છે એ સમજીને શાલિભદ્ર સંસારથી વિરક્ત થઈ ગયા. પ્રત્યેકબુધ્ધ બની ગયા અને દીક્ષા ગ્રહણ કરી તપ કરવા લાગ્યા. પોતાના સાળાના આ ચરિત્રને જોઈ ધન્યકુમાર પણ બધો વૈભવ છોડી દીક્ષિત થઈ ગયા. બંને ઘોર તપ કરી સ્વર્ગે ગયા. ધન્ના શાલીભદ્ર પર ઘણી કૃતિ લખાઈ તે નીચે પ્રમાણે છે. ૧. ધન્યકુમાર યા સાલિભદ્ર યતિ ગુણભદ્ર
૧રમીસદી ૨. ધન્યશાલિ ચરિત્ર
પૂર્ણભદ્ર
સં.૧૨૮૫ ૩. શાલિભદ્ર ચરિત્ર
ધર્મકુમાર
સં.૧૩૩૪ ૪. ધન્યશાલિભદ્ર ચરિત્ર
ભદ્રગુપ્ત
સં.૧૪૨૮ ૫. ધન્યશાલિભદ્ર ચરિત્ર
દયાવર્ધન
સં.૧૪૬૩ ૬. ધન્યકુમાર
સકલકીર્તિ
સં.૧૪૬૪ ૭. ધન્યશાલિ ચરિત્ર
જિનકીર્તિ
સં.૧૨૯૭ ૮. ધન્યશાલિ ચરિત્ર
જયાનંદ
સં.૧૫૧૦ ૯. ધન્યકુમાર ચરિત્ર
યશકીર્તિ ૧૦. ધન્યકુમાર ચરિત્ર
મલ્લિષણ
૧૬મીનો પ્રારંભ ૧૧. ધન્યકુમાર ચરિત્ર
નેમિદત્ત
સં.૧૫૧૮-રર ૧૨. શાલિભદ્ર ચરિત્ર
વિનયસાગર
સં.૧૬ર૩ ૧૩. શાલિભદ્ર ચરિત્ર
પ્રભાચન્દ્ર ૧૪. શાલિભદ્ર ચરિત્ર(પ્રાકૃત) અજ્ઞાત ૧૫. શાલિભદ્ર ચરિત્ર(પ્રાકૃત) અજ્ઞાત
છે.
442
Page #467
--------------------------------------------------------------------------
________________
૧૬. ધન્યવિલાસ
ધર્મસિંહસૂરિ ૧૭. ધન્ય ચરિત્ર
ઉદ્યોતસાગર ૧૮. ધન્નાશાલિભદ્ર રાસ
સાધુહંસ ૧૯. ધન્નાશાલિભદ્ર રાસ
રતનશી ૨૦. ધન્નાશાલિભદ્ર રાસ
ગાંધીપૂજા ૨૧. ધન્નાશાલિભદ્ર રાસ
રૂપવિજય રર. ધન્નાશાલિભદ્ર રાસ
તેજવિજય ગણિ માનતુંગ-માનવતી રાસ કથા વસ્તુ
સં.૧૬૮૫ લગભગ સં.૧૭૪૨ ૧૪૫૫ ૧૬૭૩ ૧૮૭૦ ૧૮૮૦ ૧૯૨૭
માનતુંગ-માનવતી ચરિત:- આ લોકકથાને મૃષાવાદ પરિવાર સાથે જોડવામાં આવી છે. આ કૃતિ મૂળમાં પંડિત મોહનવિજય દ્વારા સં.૧૭૬૦માં વિરચિત માનતુંગમાનવતી રાસના આધારે રચાયેલી સંસ્કૃત રચના છે. આ કૃતિ નાના નાના આઠ સર્ગોમાં વિભક્ત છે. કથાવસ્તુ એટલી મનોહર છે કે આધુનિક ચિત્રપટ ઉપર પણ સરસ રીતે તેનો અભિનય રજૂ કરી શકાય. કથાવસ્તુ - અવન્તીના એક શેઠની પુત્રી માનવતી પોતાની સખીઓ સમક્ષ વિનોદવશ પોતાના અભિમાની સ્વભાવનું વર્ણન કરે છે અને કહે છે કે પોતાના પતિને બધી રીતે વશમાં રાખશે. આ વાત અવન્તીનો રાજા માનતુંગ સાંભળી જાય છે. તેના ગર્વને ઉતારવા માનતુંગ તેની સાથે લગ્ન કરે છે અને પ્રથમ મિલન વખતે જ તેને દંડ દેવા માટે એક અલગ મહેલમાં બંધ કરી તેને રાખે છે અને પોતાની ગોંક્તિને સિધ્ધ કરવા માનવતીને તે કહે છે. માનવતી છાની માની પોતાના પિતાને કહી એક સુરંગ બનાવી યોગિનીના વેશે તેમાંથી બહાર નીકળી જાય છે. માનવતી યોગિનીનાં વેશમાં રાજા માનતુંગ ઉપર જાદૂ જેવું કરે છે. એક પ્રસંગે તે રાજા પાસે પોતાના પગ ધોવડાવે છે અને ચરણોદક પીવડાવે છે. તે યોગિની અપ્સરાનું રૂપ ધારણ કરી રાજા પાસે પોતાના ગર્વની બીજી શરતો પૂરી કરાવે છે. એક વખત રાજાના અન્ય લગ્નના પ્રસંગમાં માનવતી તેને છેતરી ગર્ભ ધારણ કરે છે અને ચિહ્ન તરીકે વીંટી, મોતીનો હાર વગેરે લઈ લે છે અને પોતાના એકાન્ત મહેલમાં આવી રહે છે. જ્યારે રાજાને ગર્ભ રહ્યો હોવાની જાણ થાય છે ત્યારે બીજી રાણીઓ ખૂબ ખિન્ન થાય છે. પછી રાજાને સમાચાર મળે છે કે તેને પુત્ર થયો છે. રાજા તેને દંડ દેવા જાય છે. પણ પછી બધો ભેદ ખૂલી જાય છે એટલે રાજા લજ્જિત થાય છે અને પોતાની પત્નીને અને પુત્રને મોટો ઉત્સવ કરી ઘરે લઈ આવે છે.
આ લોકકથાને ધાર્મિક કથાના રૂપમાં આ રીતે પરિવર્તિત કરી દીધી છે. માનવતીએ પૂર્વ ભવમાં જૂઠ બોલવાનું છોડી દીધું હતું એટલે આ જન્મમાં તેના ફળરૂપે
443
Page #468
--------------------------------------------------------------------------
________________
તેને એવી શક્તિ મળી કે વિનોદમાં બોલેલાં પોતાના ગર્વિષ્ટ વચનોને પણ તે શક્તિથી પૂરાં કરી શકી.
આ કથા ઉપર ઘણા રાસા લખાયામાનતુંગ માનવતી રાસ
પુણ્યવિલાસ
૧૭૮૨ માનતુંગ માનવતી રાસ
કૃષ્ણવિમલ
૧૭૮૫ માનતુંગ માનવતી રાસ
ધનજી મુનિ
૧૭૮૬ માનતુંગ માનવતી રાસ
રત્ન
૧૮૦૭ માનતુંગ માનવતી રાસ
ભાગચંદ્ર નાગોરી માનતુંગ માનવતી રાસ
લબ્ધિ ચંદ્ર
૧૮૧૭ માનતુંગ માનવતી રાસ
ડુંગર વિ.
૧૮૨૩ માનતુંગ માનવતી રાસ
રવિ વિ.
૧૮૨૪ માનતુંગ માનવતી રાસ
કનકધર્મ
૧૮૨૭ માનતુંગ માનવતી રાસ
ગંગારામ ઋષિ
૧૮૩૫ માનતુંગ માનવતી રાસ
વિવેક વિ.
૧૮૩૫ માનતુંગ માનવતી રાસ
જ્ઞાનવિજય
૧૮૪૨ માનતુંગ માનવતી રાસ
પરસોત્તમ
૧૮૪૪ માનતુંગ માનવતી રાસ
દલીચંદ
૧૮૪૫ માનતુંગ માનવતી રાસ
૧૮૪૭ માનતુંગ માનવતી રાસ
મચારત્ન
૧૮૫૦ માનતુંગ માનવતી રાસ
નાયકવિજય
૧૮૫૩ માનતુંગ માનવતી રાસ
ભોજવિજય
૧૮૬૫ માનતુંગ માનવતી રાસ
યુક્તિધર્મ
૧૮૮૭ ઋષિદના ચરિત ઋષિદત્તા ચરિત:- આમાં ઋષિઅવસ્થામાં હરિહા-પ્રીતિમતિથી જન્મેલી પુત્રી ઋષિદત્તા અને રાજકુમાર કનકરથનું કૌતુકતાપૂર્ણ ચરિત્ર વર્ણવાયું છે. કનકરથ એક અન્ય રાજકુમારી રમણિ સાથે લગ્ન કરવા જતો હોય છે ત્યારે માર્ગમાં એક વનમાં ઋષિદત્તા સાથે લગ્ન કરી પાછો આવે છે. રુકમણિ ઋષિદત્તાને એક યોગિનીની સહાયથી રાક્ષસીરૂપે કલંકિત કરે છે. તેને ફાંસીની સજા પણ થાય છે. પરંતુ ઋષિદત્તા પોતાના શીલના પ્રભાવથી બધી મુશ્કેલીઓ પાર કરે છે અને પોતાના પ્રિય સાથે સમાગમ કરે છે.
દૌલત
444
Page #469
--------------------------------------------------------------------------
________________
આ આકર્ષક કથાનકને લઇને સંસ્કૃત-પ્રાકૃતમાં કેટલીક કૃતિઓ મળે છે. રાસાઓ પણ મળે છે.
આ કથા ઉપર સૌથી પ્રાચીન રચના પ્રાકૃતમાં છે, તેનું પરિમાણ ૧૫૫૦ ગ્રન્થાગ્ર છે. તેની રચના નાઇલકુલના ગુણપાલ મુનિએ કરી છે. અજ્ઞાત કૃત ઋષિદત્તાની કૃતિ પણ મળે છે. જે ૧૧૯૪ સંસ્કૃત શ્લોક ધરાવે છે. ઋષિદત્તા પુરાણ, ઋષિદત્તા સતી આખ્યાન પણ મળે છે.
ઋષિદત્તા રાસ ઋષિદત્તા ચોપાઇ
ઋષિદત્તા રાસ
ઋષિદત્તા ચોપાઇ
ઋષિદત્તા રાસ
ઋષિદત્તા રાસ ઋષિદત્તા ચોપાઈ
ઋષિદત્તા રાસ
ઋષિદત્તા ચોપાઈ
ઋષિદત્તા રાસ
ઋષિદત્તા ચોપાઇ
ઋષિદત્તા ચોપાઇ
અજ્ઞાત
દેવ કલશ
સહજસુંદર
અજ્ઞાત
લાલા ઉસવાલ
જયવંતસૂરિ
રંગસાર
શ્રવણ
ગુણવિનય
વિજયશેખર
ચોથમલ
સુરતમલ
૧૫૦૨
૧૫૬૯
૧૫૭૨
૧૫૬૯
૧૬૦૫
૧૬૪૩
૧૬૨૬
૧૬૫૭
૧૬૬૩
445
6638
૧૮૬૪
૧૮૭૬
નળ- દમયંતી
નળદમયંતી કથા વસ્તુ :- અયોધ્યા નગરીની રાજગાદી પર નિષધરાજા રાજ્યાસન પર હતા તેને બે પુત્રો નળ અને કુબેર હતા. મહારાજા ભીમકની દમયંતી નામે પુત્રીનો સ્વયંવર રચાય છે. તેમાં દમયંતીએ નળના ગળામાં પુષ્પહાર પહેરાવ્યો. તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. હવે નિષધ રાજા નળને રાજ્યાસને અને કુબેરને યુવરાજ પદ સ્થાપી દીક્ષા લઇ ચાલી નીકળ્યા અને આત્મ સાધના કરવા લાગ્યા. નળ સત્યવાન, ગુણવાન, ધર્મિષ્ઠ અને પરોપકારી હતા પણ તેમનામાં એક દૂષણ હતું જુગાર. તેના ભાઇ કુબેરે નળને જુગાર રમાડી તેની પાસેથી રાજ્ય પડાવી લીધું. નળરાજા કુબેરની સાથે જુગાર રમી રાજપાટ, સ્ત્રી સર્વ હારી બેઠા. એક પહેરેલા વસ્ત્રે તેણે રાજ્યની હદબાર કાઢી મૂક્યો. દમયંતી પણ સાથે ચાલી નીકળી. નળદમયંતી વનમાં ચાલ્યા ગયા. ત્યાં શીતળ છાયામાં મધ્યરાત્રિએ દમયંતી સૂતી હતી ત્યારે નળ તેને છોડીને ચાલ્યો ગયો. અને કેસૂડાના પાન પર લખીને ગયો કે સ્થિતિ પલટાશે, ત્યારે જ હું હને દર્શન આપીશ. મ્હારો શોક તું જરાપણ ન કરીશ. નળ આગળ ગયો. ત્યાં તેણે
Page #470
--------------------------------------------------------------------------
________________
એક મોટો દવ બળતો જોયો. તેમાં નાગદેવને બળતા જોયો. તેણે નાગદેવને બચાવ્યો. તરત જ નાગે તેને ડંખ માર્યો અને નળરાજા કદરૂપો કૂબડો બની ગયો. નાગે કીધું હું તારો પિતા નિષધ છું. ચારિત્ર લેવાથી પાંચમા દેવલોકમાં દેવ થયો છું. મેં અવધિજ્ઞાનથી તારી સ્થિતિ જાણી આથી છૂપાવેશે રહેવા તને મેં ડંશ વડે કદરૂપો બનાવ્યો છે. આ શ્રીફળ કરંડિયો રાખ તારે જ્યારે જ્યારે અસલરૂપ કરવું હોય ત્યારે શ્રીફળ ફોડજ અને કરંડીયો ઉઘાડી તેમાંથી વસ્ત્રાલંકાર પહેરજે. નળરાજા ત્યાંથી સુરમાર ગામમાં દધિપર્ણ રાજા પાસે જાય છે. ત્યાં એક હાથીને તે વશ કરે છે. ખુશ થઈ રાજા તેને રાખે છે. આ બાજુ દમયંતી નળને શોધે છે. કલ્પાંત કરે છે. છેવટે વસ્ત્રના છેડા પર લખેલ અક્ષરો વાંચ્યા. પ્રભાત થતાં તે આગળ ચાલી ત્યાં એક પારધી તેની પર મોહ્યો. દમયંતીએ તેને બોધ પમાડ્યો. આથી પારધીએ તેની ક્ષમા માંગી. આગળ વણઝારાના ટોળામાં તે ભળી ગઈ. ત્યાં એક કૂવા પાસે બધી પનિહારીઓએ તેને જોઇ. ત્યાંના રાજાની રાણી ચંદ્રયાશા પાસે લઈ ગયા. ચંદ્રયાશા દમયંતીની સગી માસી. તે દમયંતીને ઓળખી ન શકી. એકવાર ચંદ્રયાની પુત્રી ચંદ્રકળાનો હાર ખોવાયો. ત્યારે દમયંતી પર આરોપ આવ્યો. દમયંતી દુઃખથી શોક કરવા લાગી. હાર મળતા દમયંતીએ પોતાની ઓળખાણ કરાવી અને તેણે પિતાને ત્યાં જવાની ઇચ્છા બતાવી. દધિપર્ણ રાજાના દૂત વિશે તેણે જાણ્યું કે તે સૂરજપાક બનાવે છે ત્યારે તેને ખાતરી થઈ કે નળરાજા સિવાય બીજું કોઈ સૂરજપાક બનાવી જાણતું નથી. દમયંતીનો ફરી સ્વયંવર યોજાયો ત્યારે પ૦૦ યોજન દૂરથી અશ્વવિદ્યાથી નળ દધિપર્ણ રાજાને લઈ આવી પહોંચ્યો. દમયંતી નળને કૂબડાના વેશમાં પણ ઓળખી જાય છે. તેના ગળામાં હાર પહેરાવે છે. નળરાજા પોતાના અસલીરૂપને ધારણ કરે છે. ત્યારબાદ સૈન્ય લઇ અયોધ્યા આવ્યા. કુબેરને હરાવી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. ત્યારબાદ કેટલાક વર્ષો સુધી રાજ્યાસને રહી નળરાજા રાજ્ય કાર્યમાંથી નિવૃત થયા. પોતાના પુત્ર પુષ્કરને રાજ્ય કારભાર સોંપી નળ અને દમયંતી દીક્ષા લઈ ચાલી નીકળ્યા અને આત્મ સાધના કરવા લાગ્યાં. અંતિમ સમયે અનશન આદરી તેઓ સર્વ કર્મથી મુક્ત બન્યા અને નિર્વાણ પદને પામ્યાં. નલાયન - આ કાવ્યમાં સત્તરમા કામદેવ નલ અને તેમની પતિવ્રતા પત્ની દમયંતીનું ચરિત જૈન દષ્ટિએ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તેના ૧૦૦ સર્ગ ૪૦૫૬ શ્લોકો છે. નલાયનનું બીજું નામ “કુબેરપુરાણ” અને “શુકપાઠ” પણ છે. નળના જન્મથી શરૂ કરી મૃત્યુ સુધીનું વિવરણ આપ્યું છે. કથા ત્રણ ભાગોમાં વિભક્ત કરી શકાય. પ્રથમ ભાગમાં નળના જન્મથી દમયન્તી સાથે તેના વિવાહ અને દમયન્તીને લઇને નિષધ દેશના આગમન સુધી, બીજા ભાગમાં ઘૂતક્રીડાથી દમયન્તીની પુનઃપ્રાપ્તિ સુધી, ત્રીજા ભાગમાં નલ દ્વારા શ્રાદ્ધધર્મ સ્વીકારી મૃત્યુ પછી કુબેર બનવા સુધીની કથા
446
Page #471
--------------------------------------------------------------------------
________________
આવે છે. આ કાવ્યના અનેક અંશોમાં કવિની મૌલિકતા અને કાવ્ય કુશળતા ઝળકે છે. કાવ્યમાં પ્રધાન રસ શાંત જ છે. છતાં બાકીના રસોની સુંદર યોજના યોગ્ય પ્રસંગોએ થઇ છે. અહીં પ્રસંગે પ્રસંગે કહેવતોનો પણ સુંદર પ્રયોગ થયો છે. કવિ પરિચય, રચના કાળઃ- પ્રશસ્તિ ઉપરથી કવિનો કોઈ વિશેષ પરિચય મળતો નથી. માત્ર ગચ્છનું નામ આપ્યું છે. જાણવા મળે છે કે વટગચ્છના સૂરિ માણિક્યદેવે તેની રચના કરી છે. આની રચના (હેમચંદ્રના સમય) ઇ.સ.ની બારમી શતાબ્દી પછીના સમયે થઈ હશે. નળ-દમયંતી વિષયક સંસ્કૃત-પ્રાકૃત કૃતિ તેમજ અન્ય કૃતિઓ:(૧) નળ વિલાસ નાટક- રામચંદ્રસૂરિ કૃત (૨) નલ ચરિત- ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત અન્તર્ગત (૩) નલ ચરિત- ધર્મદાસ ગણિ વિરચિત વસુદેવહિડી અન્તર્ગત (૪) નલોપાખ્યાન- દેવપ્રભસૂરિ વિરચિત પાંડવચરિત અંન્તર્ગત (૫) નલ ચરિત- દેવવિજય ગણિ વિરચિત પાંડવચરિત અન્તર્ગત (૬) નલ ચરિત- ગુણ વિજયગણિ વિરચિત નેમિનાથ રચિત અન્તર્ગત (૭) દમયંતી ચરિત- સોમપ્રભાર્યા વિરચિત કુમારપાલ પ્રતિબોધ અન્તર્ગત (૮) દમયંતી કથા- સોમતિલકસૂરિ વિરચિત શીલોપદેશમાલા વૃત્તિમાં (૯) દમયંતી કથા- જિનસાગરસૂરિ વિરચિત કપૂરપ્રકર ટીકામાં (૧૦) દમયંતી કથા- શુભાશીલ ગણિ વિરચિત ભરતેશ્વર બાહુબલિ વૃત્તિમાં (૧૧) દમયંતી પ્રબંધ- ગદ્યરૂપ (૧૨) દમયંતી પ્રબંધ -(પદ્યરૂ૫) જૈન ગ્રંથાવલી (૧૩) દમયંતી ચરિત- પાટણ ભંડાર પ્રાકૃત સૂચી પત્ર
નળ-દમયંતી રાસ નળ- દમયંતી રાસ નળ-દમયંતી ચરિત્ર નળ-દમયંતી ચરિત્ર નળ- દમયંતી રાસ નળ-દમયંતી રાસ નળ- દમયંતી રાસ નળ-દમયંતી ચરિત્ર નળ-દમયંતી રાસ નળ-દમયંતી રાસ
ઋષિ વર્ધનસૂરિ જિનસાધુસૂરિ માણિકરાજ વિજય સમુદ્ર ખેમરાજ મુનિ અજ્ઞાત ઠાકુરજી ધનવિમલ પં.રામવિજય ગણિ ચતુરહર્ષ
૧૫૧૨ ૧૫૭૯ ૧૫૯૦ ૧૬૧૪ ૧૬૮૧ ૧૬૯૧ ૧૬૯૪ ૧૬૯૪ ૧૭૭૦ ૧૭૮૮
447
Page #472
--------------------------------------------------------------------------
________________
નળ- દમયંતી રાસ
નળ- દમયંતી ચ.ચો
નળ- દમયંતી રાસ
નળ- દમયંતી રાસ
નળ- દમયંતી રાસ
નળ- દમયંતી રાસ
નળ- દમયંતી રાસ
દેવવર્ધન
જ્ઞાનભદ્ર-ધર્મરંગ
ભીમવિજય
સમય સુંદર ઉપા
કનકરુચિ
નારાયણ કેસરવિજય
૧૭૯૮
૧૭૯૮
શ્રી માણિકય સૂરિ કૃત દમયંતી ચિરત્રમાં શીલના પ્રભાવથી દમયંતીની બધી જ આપત્તિમાં રક્ષા થાય છે. અંતે રાજ્યાદિ સંપત્તિ પુનઃપ્રાપ્ત કરે છે. આરાધના કરી સ્વર્ગમાં જાય છે. ત્યાંથી પુન: મનુષ્યભવ પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે.
જંબુસ્વામી ચરિત
૧૬૭૩
૧૮૩૦
૧૬૭૮
૧૭૨૬
અનેક જીવોને શીલમાં પ્રેરણાદાયી આ ચરિત્ર સંસ્કૃતમાં “નલાયનમ્′ નામે સેંકડો વર્ષ પૂર્વે પૂ.આ.માણિક્યસૂરિ મ.એ રચેલું છે. જેનું પ્રકાશન શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા તરફથી સં.૧૯૯૪માં થયેલ છે. તેનું પ્રકાશન શ્રી જૈન આત્માનંદ સભા તરફથી વિક્રમ સંવત ૨૦૦૫માં થયું. એકાવન વર્ષે પ્રાચીન પ્રકાશનનું પુનઃપ્રકાશન શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા થયું.
૯૩
કુલ દસ સ્કંધમાં આ ચરિત્રનું વર્ણન છે.
448
જમ્મૂસ્વામી ચરિતઃ- જંબૂ ભગવાન મહાવીરના શાસનના અંતિમ કેવલી તથા જૈનમાન્ય ૨૪ કામદેવમાં અંતિમ કામદેવ હતા. આના ઉપર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં ૧૦૦થી વધુ રચનાઓ થઇ છે. તેમાંથી કેટલીક કૃતિઓનાં નામ નીચે આપ્યા છે.
૯૪
૧.વસુદેવહિંડીનું કથોત્પતિ પ્રકરણ(પ્રાકૃત) સંઘદાસગણિ (પ-૬ સદી) ૨.ઉત્તરપુરાણનું ૭૬મું પર્વ ૨૧૩શ્લોક (સંસ્કૃત) ગુણભદ્રાચાર્ય (લગણગ સન.૮૫૦) ૩.ધર્મોપદેશ માલામાં સંક્ષિપ્તરૂપે (પ્રાકૃત) જયસિંહસૂરિ (સન્.૮૫૮) ૪.કહાવલી અન્તર્ગત (પ્રાકૃત) ભદ્રદેવસૂરિ (૧૦-૧૧મી સદી) ૫.જંબૂચિ ૧૬ ઉદ્દેશક (પ્રાકૃત) ગુણપાલમુનિ (વિ.સં.૧૦૭૬ પૂર્વ) ૬.ઉપદેશમાલા અન્તર્ગત (સંસ્કૃત) રત્નપ્રભસૂરિ (વિ.સ.૧૨૩૮) ૭.કર્પૂરપ્રકરટીકા અન્તર્ગત (સંસ્કૃત) જિનસાગરસૂરિ ૮.પરિશિષ્ટપર્વ-૪૫ર્વ(સંસ્કૃત) હેમચંદ્રાચાર્ય (વિ.સં.૧૨૧૭-૧૨૨૯) ૯.ધર્માભ્યુદય મહાકાવ્ય ૮ સર્ગ(સંસ્કૃત)ઉદયપ્રભસૂરિ (વિ.સં.૧૨૭૯-૯૦)
Page #473
--------------------------------------------------------------------------
________________
૧૦.જંબૂસ્વામી ચરિત્ર કાવ્ય ૬ પ્રક (સંસ્કૃત) જયશેખરસૂરિ (વિ.સં.૧૪૩૬) ૧૧.જંબૂ સ્વામિચરિત (સંસ્કૃત) રત્નસિંહ શિષ્ય (વિ.સં.૧૫૧૬) ૧૨.જંબૂ સ્વામિચરિત્ર ૧૧સંધિ (સંસ્કૃત) બ્રહ્મજિનદાસ (વિ.સ.૧૫ર૦) ૧૩.જંબૂચરિય (પ્રાકૃત) ભુવન કીર્તિશિષ્ય સકલચન્દ્ર (વિ.સં.૧.ર૦) ૧૪.જંબૂચરિય (પ્રાકૃત) ઉપા.પદ્મસુંદર નાગૌરી (વિ.સં.૧૯ર૬-ર૯). ૧૫.જંબૂસ્વામી ચરિત્ર (સંસ્કૃત) પં.રાજમલ્લ (વિ.સં.૧૬રર). ૧૬.જંબૂસ્વામી ચરિત્ર (સંસ્કૃત) વિદ્યાભૂષણ ભટ્ટારક (વિ.સં.૧૯૫૩) ૧૭.જંબુસ્વામી ચરિત્ર (પ્રાકૃત) જિનવિજય (વિ.સં.૧૭૮૫-૧૮૦૯) ૧૮.જેબૂસ્વામી ચરિત્ર ૭૫૦ ગાથા (પ્રાકૃત) પદ્મસુંદર ૧૯. જંબુસ્વામી ચરિત્ર સકલહર્ષ ર૦.જંબુસ્વામી ચરિત્ર માનસિંહ (પાના નં-૧૫૪,૧૫૫ જૈન કાવ્યસાહિત્ય) ર૧.જંબુસ્વામી ચરિત
ધર્મ
૧૨૬૬ રર.જંબૂસ્વામી ફાગુ
રાજતિલક
૧૪૩૦ ર૩.જંબુસ્વામી સત્યવસ્તુ
અજ્ઞાત
૧૪૩૭ ૨૪.જંબૂસ્વામી વિવાહલુ
હીરાનંદસૂરિ
૧૪૯૫ ૨૫.જંબુસ્વામી રાસ
રત્નસિંહસૂરિ
૧૫૧૬ ર૬.જંબૂ પંચભવ ચોપાઈ
દેપાલ
૧૫૨૨ ર૭.જંબૂસ્વામી રાસ
અજ્ઞાત
૧૫૪૧ ૨૮.જંબૂસ્વામી ચરિત્ર
સત્યતિલક મુનિ
૧૫૭૩ ર૯.જંબુસ્વામી પચંભવવર્ણન ચોપાઇ અજ્ઞાત
૧૫૯૭ ૩૦.જંબુસ્વામી રાસ
લક્ષ્મીસૌભાગ્ય
૧૬૧૫ ૩૧.જંબુસ્વામી રાસ
મલિદાસ
૧૬૧૯ ૩ર.જંબૂકુમાર રાસ
રાજપાળ
૧૬૨૨ ૩૩.જંબૂસ્વામી ચોપાઈ
હીરકલશ
૧૬૩૨ ૩૪.જંબુસ્વામી પંચભવ ચોપાઈ
અજ્ઞાત
૧૬૩૬ ૩૫.જંબૂસ્વામી પંચભવ ચોપાઈ
હેમ સિંહશિ
૧૬૩૮ ૩૬.જંબુસ્વામી સ્વામી ગીત
અજ્ઞાત
૧૬૪૧ ૩૭.જંબુસ્વામી ચોપાઈ
ચેલાઈસર
૧૬૬૦ ૩૮.જંબુસ્વામી રાસ
ઝાંઝણ
૧૬૬૮ ૩૯.જંબુસ્વામી રાસ
ગુણવિજય
૧૬૭૦ ૪૦. જંબુસ્વામી પંચભવ ચોપાઈ ચેલી પ્રભાવતી
૧૬૯૦ ૪૧.જંબૂ સ્વામી ચોપાઈ
ભુવનકીર્તિ ગણિ
૧૬૯૧
449
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૨.જંબૂ પંચભવ વર્ણન ચોપાઈ
સુંદર
૧૬૯૬ ૪૩.જંબૂ ચરિત
ચેતનવિજય ૧૮૫૨ ૪૪.જંબૂરાસ
રંગરત્ન
૧૮૫૭,૧૮૬૩ ૪૫.જંબૂરાસ
રતનવિજય
૧૮૭ર ૪૬. જંબૂરાસ
મયાંક રત્ન
૧૮૯૬ ૪૭.જંબૂરાસ
અજ્ઞાત
૧૮૯૮ ૪૮.જંબૂરાસ
ઋષિ વિજેરાજ ૧૭૮૬ ૪૯.જંબૂરાસ
ઋષિ હિરઉદય ૧૭૮૬ પ૦.જંબૂરાસ
રત્ન
૧૮૦૪ ૫૧.જંબૂરાસ
ભક્તિવિજય ૧૮૧૦ પર.જંબૂરાસ
નેણચંદ
૧૮૨૧ પ૩.જંબૂરાસ
નરરાજ
૧૮૨૨ પ૪.જંબૂરાસ
મોહનવિજય ૧૮૪૨ પપ.જંબૂરાસ
રાઘવજી રામચંદજી ૧૮૫૧ કથાનક - ભગવાન મહાવીરના સમયમાં જંબૂ રાજગૃહના એક શેઠના પુત્ર રૂપે જન્મ્યા. તે અતિશય રૂપાળા હતા અને અનેક કળાઓમાં પ્રવીણ હતા. એકવાર સુધર્મા સ્વામીનો ઉપદેશ સાંભળ્યા પછી તેમણે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરી લીધું અને વૈરાગ્યવૃત્તિ ભણી આગળ વધ્યા. તેમને રોકવા માટે માતપિતાએ તેમના લગ્ન આઠ સુંદર કન્યાઓ સાથે કરી નાંખ્યા. પરંતુ તે કન્યાઓ તેમના મનને સાંસરિક સુખોમાં વાળી ન શકી. દીક્ષાની આગલી રાતે તેમના ઘરમાં મોટો ડાકૂ ચોરી કરવા ઘુસ્યો. પરંતુ જંબૂ તો આખી રાત પોતાની પત્નીઓને સંસારના દુઃખોનું જ્ઞાન કરાવવા દૃષ્ટાન્તરૂપે અનેક કથાઓ એક પછી એક કહેતા રહ્યા અને પત્નીઓની દલીલો તોડતા રહ્યા. પેલો ડાકૂ પણ જંબૂના ઉપદેશો સાંભળી સંસારથી વિરક્ત થઈ ગયો. પરિણામે જંબૂ તેમની પત્નીઓ અને પેલો ડાકૂ પોતાના સાથીઓ સાથે દીક્ષિત થઈ ગયા. જંબુસ્વામી તપસ્યા કરી સુધર્મા સ્વામી પછી શ્રમણસંઘના નેતા-પટ્ટધર બન્યા. તે છેલ્લા કેવલી હતા અને વીર નિર્વાણ સંવત ૬૪માં તે નિર્વાણ પદને પામ્યા.
નર્મદાસુંદરી કથાનક નર્મદાસુંદરી કથા - આ કથામાં નર્મદા સુંદરી અનેક વિચિત્ર અને વિકટ પરિસ્થિતિઓમાં પડવા છતાં પોતાના સતીત્વનું રક્ષણ કેવી રીતે કરે છે તેનું અદ્ભુત આલેખન છે."
450
Page #475
--------------------------------------------------------------------------
________________
કથાવસ્તુ - નર્મદા સુંદરીનું લગ્ન એક અજેન પરંતુ લગ્ન પહેલાં જૈન ધર્મ અંગીકાર કરનાર મહેશ્વરદત્ત વણિક સાથે થાય છે. મહેશ્વરદત્ત નર્મદા સુંદરીને સાથે લઈને ધન કમાવા માટે યવનદ્વીપ જાય છે. પરંતુ તેને નર્મદા સુંદરીના ચરિત્ર ઉપર શંકા જાય છે એટલે તેને કપટથી માર્ગમાં સૂતી છોડી ને જતો રહે છે. પછી અનેક કષ્ટો સહન કર્યા પછી નર્મદા સુંદરી પોતાના કાકા વીરદાસને મળી જાય છે. અને તેમની સાથે તે બબ્બર દેશ જાય છે. અહીંથી તેનો જીવનસંઘર્ષ ઉત્તરોત્તર વધતો જાય છે. બબ્બર દેશમાં હરિણી નામની વેશ્યાની દાસીઓ તેને ફોસલાવી ભગાડી જાય છે. વેશ્યા તેને પોતાના જેવું જીવન જીવવા ખૂબ દબાણ કરે છે, ધમકાવે છે પરંતુ નર્મદા સુંદરી પોતાના શીલવતમાં દઢ રહે છે. પછી તે બીજી કરિણી નામની વેશ્યાના ચક્કરમાં ફસાય છે. ત્યાંથી રાજા દ્વારા પકડીને બોલાવવામાં આવે છે, પરંતુ રસ્તામાં તેણે ગાંડી હોવાનો અભિનય કર્યો એટલે તે બચી શકી. પછી જિનદાસ શ્રાવકની મદદથી તે પાછી પોતાના કાકા વીરદાસ પાસે પહોંચી શકે છે. છેવટે સંસારથી વિરક્ત થઈ તે સુહસ્તસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરે છે.
નર્મદાસુંદરીના ઉપર ઘણી કૃતિઓ, પ્રાકૃત, અપભ્રંશમાં લખાઈ છે. આ ઉપરાંત તેના ઉપર રાસાઓ પણ લખાયા છે.
દેવેન્દ્રસૂરિએ ૨૫૦ ગાથા પ્રમાણ આ ચરિત્રની રચના કરી છે. મહેન્દ્રસૂરિ એ ૧૧૧૭ ગાથા પ્રમાણ આ ચરિત્રની રચના કરી છે. કેટલાક અજ્ઞાત કવિઓએ નર્મદાસુંદરી કથાનક વર્ણવ્યું છે. ચંદનબાળા રાસ
અજ્ઞાત
૧૪૩૭ ચંદનબાળા ચરિત્ર
હર્ષમૂર્તિગણિ
૧૫૬૬ ચંદનબાળા ચોપાઈ
રૂડા ૫.
૧૬૭૦ ચંદનબાળા ચોપાઈ
ગુણસાગર
૧૭૨૪ ચંદનબાળા ચોપાઈ
રત્નચંદ નર્મદાસુંદરી રાસ
રાજરત્ન ઉપાધ્યાય
૧૬૯૫ નર્મદા સુંદરી રાસ
હસ્તિસાગર
૧૭૮૩ નર્મદાસુંદરી રાસ
કનક રત્ન
૧૭૯૪ નર્મદાસુંદરી રાસ
અમીવિજય નર્મદાસુંદરી રાસ
સામદાસ
૧૮૧૮ નર્મદાસુંદરી રાસ
મોહનવિજય
૧૮૩૧ નર્મદાસુંદરી રાસ
અજ્ઞાત
૧૮૮૦ નર્મદાસુંદરી રાસ
વજલાલ વેણીદાસ ૧૯૨૯ સુભદ્રા રાસ
માન સાગર
૧૮૫૨
૧૭૫૯
451
Page #476
--------------------------------------------------------------------------
________________
સુભદ્રા રાસ
માણિજ્યચંદ
૧૮૦૩ સુભદ્રા રાસ
આનંદ સુંદર
૧૯૦૩ કપુર મંજરીનો રાસ
કનક સુંદર
૧૬૬૨ કપુર મંજરીનો રાસ
અજ્ઞાત
૧૭૧ર ચિત્રસેન-પદ્માવતી ચરિત્ર ચિત્રસેન-પદ્માવતી ચરિત્ર:- (પાના નં-૩૫૪) આને પદ્માવતી ચરિત્ર તથા શીલાલંકાર કથા પણ કહે છે. તેમાં સ્વદારસન્તોષ વ્રતનું માહાભ્ય દર્શાવવા માટે ચિત્રસેન અને પદ્માવતીની કથા કહેવામાં આવી છે. “ કથાવસ્તુ - રાજપુત્ર ચિત્રસેન અને મંત્રીપુત્ર રત્નસાર મિત્રો હતા. બંનેના રૂપથી નગરની યુવતીઓ આકર્ષાવા લાગી. લોકોએ ફરિયાદ કરી. રાજાએ જકમાં આવી સાત રત્નો આપી રાજકુમારને રાજ્ય છોડી જવા કહ્યું. રાજકુમાર પોતાના મિત્ર સાથે રાજ્ય છોડી જતો રહે છે. ભટકતાં ભટકતાં જંગલમાં એક યુવતીનું ચિત્ર જોઈ રાજકુમાર બેભાન થઈ જાય છે. ભાનમાં આવતા તે અને તેનો મિત્ર એક કેવલીને આ અંગે પૂછે છે અને જાણી લે છે કે તે ચિત્ર પદ્માવતીનું છે. પૂર્વભવમાં ચિત્રસેન અને પદ્માવતી હંસયુગલ હતાં અને બંને આ ભવમાં માનવ જાતિમાં જન્મ્યા છે. ચિત્રસેન અને તેનો મિત્ર પદ્માવતીની શોધમાં રત્નપુર જાય છે. ત્યાં ચિત્રસેને પૂર્વભવનું ચિત્ર દોરી પ્રદર્શિત કર્યું. પદ્માવતી તે ચિત્ર જોઈ બેભાન થઈ જાય છે. સ્વયંવર દ્વારા તેનું લગ્ન ચિત્રસેન સાથે થાય છે. પાછા ફરતાં એક વટવૃક્ષ ઉપર બેઠેલા યક્ષ-યક્ષિણીની વાતો સાંભળી રત્નસાર ચિત્રસેન-પદ્માવતીને અનેક દુર્ઘટનાઓથી બચાવે છે. પરંતુ છેલ્લી ઘટનામાં રત્નસારને પાષાણરૂપે પરિવર્તિત થવું પડે છે. ચિત્રસેનને ખૂબ દુઃખ થાય છે અને તે યક્ષને રત્નસારની મુક્તિનો ઉપાય પૂછે છે. પદ્માવતી પોતાને પુત્ર જન્મતાં તેને ખોળામાં લઈ જેવી પોતાના હાથથી રત્નસારની પાષાણ પ્રતિમાને સ્પર્શ કરે છે. તેવો જ તે સજીવન થઈ જાય છે. પછી ચિત્રસેનના સાહસિક કાર્યોનું વર્ણન છે. છેવટે ચિત્રસેન અને પદ્માવતી શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કરે છે અને તીર્થયાત્રાઓ કરે છે.
આ કથાને લઈને અનેક રચનાઓ થઈ છે. સૌ પ્રથમ ધર્મઘોષ ગચ્છના મહીચન્દ્રસૂરિના શિષ્ય પાઠક રાજવલ્લભે પ૧૧ સંસ્કૃત શ્લોકોમાં એક રચના સં.૧૫ર૪માં કરી છે.
બીજી રચના સં.૧૬૪૯માં દેવચન્દ્રના શિષ્ય કલ્યાણચન્ટે કરી હતી. ત્રીજી રચના સં.૧૯૬૦માં બુધ્ધિવિજયે દેશી ભાષાથી મિશ્રિત જૈન સંસ્કૃતમાં કરી છે. અન્ય
452
Page #477
--------------------------------------------------------------------------
________________
રચનાઓ હેમચન્દ્ર, પદ્મસેન, શીલવિજય, રત્નશેખર અને પૂર્ણ મલ્ટકૃત સંસ્કૃતમાં નિબદ્ધ કૃતિઓ મળે છે. આ ચરિત્ર ઉપર રાસાઓ મળે છે.
ચિત્રસેન પદ્માવતી રાસ
વિનયસમુદ્ર
ચિત્રસેન પદ્માવતી રાસ
કલ્યાણચંદ્ર
ચિત્રસેન પદ્માવતી રાસ
શ્રીવંત
ચિત્રસેન પદ્માવતી રાસ
વૃધ્ધિ વિ.
ચિત્રસેન પદ્માવતી રાસ
રૂપચંદ
ગુજરાતીમાં નવિજય અને ભકિતવિજયની રચનાઓનો ઉલ્લેખ મળે છે.
મહાબલ-મલયસુંદરી
મલયસુંદરી કથાઃ- આમાં મહાબલ અને મલયસુંદરીની પ્રણયકથાનું આલેખન છે. આ નામની અનેક રચનાઓ વિવિધ કર્તૃક મળે છે. આ કથામાં અદ્ભુત કથા સાહિત્યમાં સુજ્ઞાત કલ્પના બન્ધો(motifs)ના તાણાવાણા આખા વિસ્તારમાં ગૂંથાયેલા છે. તેમાં રાજકુમાર મહાબલ અને રાજકુમારી મલયસુંદરીનું આકસ્મિક મિલન, પછી એકબીજાનો વિયોગ, વળી પાછું સદા માટે તેમનું મિલન આલેખાયલે છે. આ બધું તેમના પૂર્વોપાર્જિત કર્મોનાં ફળોનું આશ્ચર્યજનક રૂપ છે. પછી મહાબલ જૈન મુનિ બની જાય છે અને મલયસુંદરી સાધ્વી બની જાય છે. આમ જૈન પૌરાણિક કથાને અદ્ભુત કથાથી સંમિશ્રિત કરવામાં આવી છે. આ કથાનક જૈન સમાજમાં બહુ પ્રચલિત રહ્યું છે.
૯૭
આ કથાનક ઉપર ૧૫મી સદીમાં સંસ્કૃત ગદ્યમાં અંચલગચ્છના માણિકયસૂરિએ ‘મહાબલ મલયસુંદરી' નામની કથા રચી છે. આગમગચ્છના જયતિલકસૂરિએ પણ સંસ્કૃત ગદ્યમાં આ કથાની રચના કરી છે. પલ્લીગચ્છના શાંતિસૂરિએ આ ચરિત્રને સં.૧૪૫૬માં ૫૦૦ ગ્રન્થાગ્ર પ્રમાણ રચ્યું. આ ઉપરાંત મહાબલ-મલયસુંદરી ઉપર ઘણા રાસાઓ રચાયા તે નીચે મુજબ છે.
મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા
જિનહર્ષ
ઉદયરત્ન
વિવેક સૌભાગ્ય
મારન
જ્ઞાનનિવ
૧૬૦૪
૧૬૪૯
૧૬૫૩
૧૮૦૯
૧૮૧૪
ખાંતિવિજય
રત્નવિજય
453
૧૭૫૧
૧૭૬૨
૧૮૧૮
૧૮૨૮
૧૮૨૪
૧૮૪૮
૧૮૬૦
Page #478
--------------------------------------------------------------------------
________________
મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા
લાલ વિજય ચુનીલાલ, ચારિત્રસુખ?
૧૯૧૩
૧૯૨૯
યશોધર ચરિત
જૈન કાવ્ય સાહિત્યમાં ગુલાબચંદ્ર ચૌધરીના જણાવ્યા મુજબ
યશોધર ચરિત્રઃ- અહિંસાનું માહાત્મ્ય તથા હિંસા અને વ્યાભિચારનું દુષ્પરિણામ દર્શાવવા યશોધર નૃપની કથા પ્રાચીન કાળથી જૈન કવિઓને બહુ જ પ્રિય રહી છે. તેના ઉપર પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશમાં સાધારણથી શરૂ કરી ઉચ્ચકોટિની અનેક રચનાઓ મળે છે.
કથાસારઃ- એકવાર રાજપુરના રાજા મારિદત્ત ચંડમારી દેવીના મંદિરમાં બધી જાતના પ્રાણીઓની જોડીઓની બલિ ચડાવવાનું અનુષ્ઠાન કરે છે. જેથી તેને લોકવિજય કરનારી તલવાર પ્રાપ્ત થાય. ત્યાં નર નારી તરીકે બલિ માટે મુનિકુમાર અભયરુચિ અને અભયમતી (સહોદર ભાઇ-બહેન)ને પકડીને લાવવામાં આવ્યા. તે બંને એક મુનિસંઘના સદસ્ય હતા અને ભિક્ષા માટે નગરમાં આવ્યા હતાં. તેમને જોઇ મારિદત્તનું ચિત્ત કરૂણાથી દ્રવી ઉઠ્યું અને તેણે તેમનો પિરચય પૂછ્યો. તે બંનેએ પોતાના વર્તમાન જન્મનો સીધો પરિચય ન આપતાં પોતાના પૂર્વભવોની કથા સંભળાવી અને અંતે કહ્યું કે તે બંને તે રાજાના ભાણી-ભાણિયો છે. અભયરુચિએ બલિ માટે લાવવામાં આવેલા અનેક જીવોને જોઇ હિંસાની કઠોર નિંદા કરી અને પોતાના પૂર્વજો સાથે સંબંધ ધરાવતી, જીવતા મરઘાની જ નહિ પરંતુ લોટના બનાવેલા મરઘાની બલિ ચડાવવાથી અને તેને ખાવાથી કેવાં દારૂણ ફળો જન્મોજન્મ ભોગવવાં પડે છે તેની અદ્ભુત કથા નીચે પ્રમાણે કહી.
અભયરુચિએ કહ્યું કે આઠ પૂર્વભવોની આ કથા છે. પહેલા ભવમાં તે ઉજ્જયિનીનો યશોધર નામનો રાજા હતો. તેની રાણી એક રાતે કુબડા, કુરૂપ મહાવતનું ગાન સાંભળી તેના ઉપર આસક્ત થઇ ગઇ અને તેની સાથે પ્રેમ સંબંધ બાંધી રાતના પાછલાં ભાગમાં તેની સાથે કામક્રીડા કરવા લાગી. એકવાર રાતે આ કૃત્યને રાજાએ પોતે પોતાની નજરે જોયું પરંતુ કુલિનંદાના ભયને કારણે તે બંનેને તે મારી ન શક્યો અને ચૂપચાપ સૂઇ ગયો. સવારે બહુ ભારે હૃદયે અને ઉદાસીનતાપૂર્વક તે પોતાની માતાને મળ્યો અને ઉદાસીનતાનું કારણ એક દુઃસ્વપ્ન દર્શાવ્યું. જેમાં તેણે પોતાની રાણીના દુશ્ચરિત્રનો આભાસ આપ્યો પરંતુ તે સમજી ન શકી અને દુઃસ્વપ્નના વારણ માટે તેણે દેવીને માટે બકરીના બચ્ચાનો બલિ ચડાવવા કહ્યું. પરંતુ તેણે તેમ કરવા ઇન્કાર કરી દીધો. પરંતુ માતાના અતિ આગ્રહને કારણે લોટના
454
Page #479
--------------------------------------------------------------------------
________________
બનાવેલા મરઘાનો બલિ ચડાવ્યો. તો પણ આ હિંસા અને રાણીના વ્યાભિચારને કારણે તેનું દિલ એટલું બધું હલી ઉર્યું કે તેણે રાજપાટ ત્યાગી તપસ્યા કરવા ઇચ્છા કરી. પરંતુ રાણીએ તેને આગ્રહ કર્યો કે તે તેમ કરે તે પહેલાં દેવીનો પ્રસાદ લે,અને પછી તેને તથા તેની માને વિષમિશ્રિત લાડુ ખવરાવી રાણીએ મારી નાંખ્યા. માતા અને પુત્ર મરીને ક્રમશઃ કૂતરો અને મોર થયા. બંને સંયોગવંશ તે જ મહેલમાં ભેગાં થયા. મોરે રાણી સાથે સંભોગ કરતા કુબડાની આંખ ફોડી નાખવા વિચાર્યું પરંતુ રાણીએ મોર ને અધમૂઓ કરી નાખ્યો અને કૂતરો તેને ખાઈ ગયો. રાજપુત્રે ગુસ્સે થઈ કૂતરાને મારી નાખ્યો. પછીના જન્મોમાં માતા-પુત્ર બંને ક્રમશઃ સાપ અને નોળિયો, મગર અને મત્સ્ય, બકરી અને બકરી પુત્ર, પાડો અને બકરો, બે મરઘા બન્યાં. એક વખત મુનિનો ઉપદેશ સાંભળી બંને મરઘાને જાતિસ્મરણ થયું અને તે બંને મોટી બાંગ પોકારવા લાગ્યા. રાજા યશોધરના પુત્રે (તત્કાલીન રાજા) પોતાની રાણીને પોતાનું શબ્દધિત્વ દેખાડવા તે મરઘાઓ ઉપર બાણ છોડ્યાં. જેના પરિણામે બંને મરઘા મરી ગયા અને પછી તે જ રાજાના પુત્ર-પુત્રી યુગલ- અભયરુચિ અને અભયમતી રૂપે જન્મ્યા.
એકવાર નગરના એક જિનાલયમાં સુદત્તાચાર્ય મુનિ આવ્યા. રાજાએ તેમને અમંગલરૂપ માની તેમના ઉપર ક્રોધ કરવા વિચાર્યું પરંતુ એક વ્યક્તિ પાસેથી તેમનો પરિચય જાણી તથા તેમનો ઉપદેશ સાંભળી પોતાના પિતામહ, પિતામહી તથા પિતા વગેરેના પૂર્વ જન્મનો વૃત્તાન્ત સાંભળી યશોધર વિરક્ત થઈ ગયા અને દીક્ષા લઈ સાધુ થઈ ગયા. અભયરુચિ અને અભયમતીએ પણ પોતાનાં પૂર્વ જન્મોની દશાઓ સાંભળી ક્ષુલ્લક વતો ગ્રહણ કરી લીધા.
આ બધો વૃત્તાન્ત સાંભળી મારિદત્ત તે ક્ષુલ્લક યુગલના ગુરુ પાસે ગયો અને સંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી. તેના પુત્રે પણ રાજ્યમાં હિંસાનો નિષેધ કર્યો.
આ યશોઘર ચરિત્ર કુંભારના ચક્રની જેમ રજૂ કરવામાં આવ્યું છે. જે મારિદત્ત અને ક્ષુલ્લક યુગલના પરસ્પર વાર્તાલાપથી શરૂ થાય છે અને તે બંનેના વાર્તાલાપથી સમાપ્ત થાય છે. - કેટલીય રચનાઓમાં મારિદત્તનું આખ્યાન પ્રારંભમાં ન આપતાં ગ્રંથાને આપ્યું
ઉપલબ્ધ રચનાઓમાં હરિભદ્રસૂરિ કૃત સમરાઈચ કહામાં આવેલી યશોધર કથા પરવર્તી રચનાઓનું ઉપજીવ્ય રહી છે. પરંતુ તેનાં પાત્રો પરવર્તી કથાઓમાં પરિવર્તિત રૂપમાં મળે છે. તથા તેમાં અનેક ઘટનાઓ ઉમેરવામાં આવી છે. હરિભદ્રે કથાના નાયક-નાયિકા તરીકે યશોધર-નયનાવલિ નામો આપ્યાં છે. ત્યાં મારિદત્તનું આખ્યાન
455
Page #480
--------------------------------------------------------------------------
________________
નથી. અને ન તો ચંડમારી દેવીની સમક્ષ પૂર્વ નિયોજિત નર બલિની ઘટના છે. સમરાઈચ કહામાં અભયમતી અને અભયરુચિ બંને જુદા જુદા દેશના રાજકુમાર રાજકુમારી છે. કારણવશ બંનેએ વૈરાગ્ય ધારણ કરેલ છે. ત્યાં તેમને ભાઈ-બહેન તરીકે માનવામાં નથી આવ્યા. સમરાઈચુકામાં યશોધર કથા આત્મકથાના રૂપમાં મળે છે. ત્યાં યશોધર પોતાની કથા ધન નામની વ્યક્તિ માટે કહે છે નહિ કે અભયરુચિ, અભયમતી અને મારિદત્ત માટે. યશોધર ચરિત ઉપર જ્ઞાતસંસ્કૃત-પ્રાકૃત રચનાઓની તાલિકા નીચે પ્રમાણે છે. ૧.યશોધર ચરિત પ્રભંજનકૃત (કુવલયમાલામાં ઉલ્લેખ) ૨.યશોધર ચરિત
હરિભદ્રસૂરિની સમરાઇચકહામાં ૪થોભવ(૯મી સદી) ૩. યશોધર-ચન્દ્રમતિ કથાનક-હરિણ-બૃહત્કથાકોશ (૧૦મી સદી) ૪.યશસ્તિલક અન્યૂ સોમદેવ (૧૦મી સદી) પ.યશોધર ચરિત વાદિરાજ (૧૧મી સદી) ૬.યશોધર ચરિત મલ્લિષણ(૧૧મી સદી) ૭.યશોધર ચરિત માણિકયસૂરિ (સં૧૩ર૭-૧૩૭૫) ૮.યશોધર ચરિત વાસવસેન (સં૧૩૨૭-૧૩૭૫) ૯.યશોધર ચરિત પદ્મનાભ કાયસ્થ (સં૧૪૦૨-૧૪૪૪) ૧૦.યશોધર ચરિત દેવસૂરિ (અજ્ઞાત) ૧૧.યશોધર ચરિત ભટ્ટારક સકલકીર્તિ (૧પમી સદીના મધ્ય) ૧૨.યશોધર ચરિત ભટ્ટારક કલ્યાણકીર્તિ (સં-૧૪૮૮) ૧૩. યશોધર ચરિત ભટ્ટારક સોમકીર્તિ (૧૨૩૬) ૧૪.યશોધર ચરિતા ભટ્ટારક પદ્મનંદિ (૧૬મી સદી) ૧૫.યશોધર ચરિત ભટ્ટારક શ્રુતસાગર (૧૬મી સદી). ૧૬.યશોધર ચરિત બ્રહ્મચારી નેમિદત્ત (૧૬મી સદી) ૧૭.યશોધર ચરિત હેમકુંજર ઉપાધ્યાય (સં-૧૬૦૭થી પહેલાં) ૧૮.યશોધર ચરિત જ્ઞાનદાસ (સં.૧૯૨૩) ૧૯.યશોધર ચરિત વિનયચારિત્ર (૧૬૨૮) ર૦.યશોધર ચરિત દેવેન્દ્ર (૧૯૩૮) ર૧.યશોધર ચરિત જયનિધાન ૧૬૪૩) રર.યશોધર ચરિતા પદ્મસાગર (સં.૧૬૫૦) ર૩. યશોધર ચરિત
ભટ્ટારક વાદિચંદ્ર (સં.૧૬૫૭) ર૪.યશોધર ચરિત મનોહર દાસ (૧૬૭૬) ૨૫.યશોધર ચરિત વર્ધમાન (૧૯૮૦)
456
Page #481
--------------------------------------------------------------------------
________________
ર૬.યશોધર રાસ જિનહર્ષ (૧૭૪૭) ૨૭.યશોધર રાસ ઉદયરત્ન (૧૭૬૭) ૨૮.યશોધર રાસ
અમૃતરત્ન મુનિ (૧૮૧૮) ર૯.યશોધર રાસ
ક્ષમા કલ્યાણ (૧૮૩૯). ૩૦.યશોધર ચરિત (પ્રાકૃત)માનવેન્દ્ર
સુરસુંદરી ચરિત્ર સુરસુંદરી ચરિય કથાવસ્તુઃ- સુરસુંદરી કુશાગ્રપુરના રાજા નરવાહનદત્તની પુત્રી હતી. તે અનેક વિદ્યાઓમાં નિષ્ણાત હતી. ચિત્ર જોવાથી તેને હસ્તિનાપુરના મકરકેતુ નામના રાજકુમાર ઉપર આસક્તિ થઈ ગઈ. તેની સખી પ્રિયંવદા મકરકેતુને શોધવા નીકળી પડે છે. તેને બુહિલા નામની એક પરિવ્રાજિકાએ કપટથી નાસ્તિકતામાં વાળવા માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ સુરસુંદરીએ તેને અનેક તર્કોથી પરાજિત કરી દીધી. તેનાથી રોષે ભરાઈ પરિવ્રાજિકાએ સુરસુંદરીનું ચિત્રપટ ઉજજૈનના રાજા શત્રુંજયને દેખાડ્યું અને તે રાજાને સુરસુંદરી સાથે લગ્ન કરવા ઉત્તેજિત કર્યો. શત્રુંજયે સુરસુંદરીના પિતા પાસે સુરસુંદરીનો હાથ માંગ્યો. પરંતુ સુરસુંદરીના પિતાએ તેની માંગણીનો અસ્વીકાર કર્યો. તેથી બંને રાજાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ દરમ્યાન વૈતાદ્ય પર્વતના એક વિદ્યાધરે સુરસુંદરીનું અપહરણ કર્યું અને તેને રત્નદ્વીપ લઈ જઈ ત્યાં સંતાડી રાખી. ત્યાં સુરસુંદરી આપઘાત કરવા માટે વિષફળ ખાઈ લે છે. દેવયોગે આ અરસામાં તેનો સાચો પ્રેમી મકરકેતુ ત્યાં આવી ચડે છે અને તેનું રક્ષણ કરે છે. અને ત્યાંથી જઇને તે શત્રુંજય રાજાનો નાશ કરે છે. પરંતુ અહીં સુરસુંદરીનો કોઈ પૂર્વવૈરી વેતાલ તેને ઉપાડી જાય છે અને હસ્તિનાપુરના ઉદ્યાનમાં પાડી દે છે. ત્યાંના રાજા તેને રક્ષણ આપે છે અને દાસીઓ દ્વારા બધી વાત જાણી લે છે. આ બાજુ શંત્રુજયના વધ પછી મકરકેતુનું પણ અપહરણ થઈ જાય છે.*
મોટી મુશ્કેલી અને વિવિધ ઘટનાઓ પછી સુરસુંદરી અને મકરકેતુનું પુનર્મિલન થાય છે. તે બંનેના છેવટે લગ્ન થાય છે. છેવટે સંસાર સુખ ભોગવી બંને દીક્ષા લે છે. તપસ્યા કરી મોક્ષ પામે છે.
આ કથાના પ્રારંભમાં સજ્જન-દુર્જન વર્ણન તથા પ્રસંગે પ્રસંગે મંત્ર, દૂત, રણપ્રયાણ, પર્વત, નગર, આશ્રમ, સંધ્યા, રાત્રિ, સૂર્યોદય, વિવાહ, વનવિહાર આદિનાં વર્ણનો કરવામાં આવ્યાં છે. સુરસુંદરી ચરિય:- પ્રાકૃત ભાષામાં નિબધ્ધ આ રાજકુમાર મકરકેતુ અને સુરસુંદરીનું એક પ્રેમાખ્યાન છે. તેમાં ૧૬ પરિચ્છેદ છે. પ્રત્યેક પરિચ્છેદમાં ર૫૦ ગાથાઓ છે. કુલ
457
Page #482
--------------------------------------------------------------------------
________________
મળીને ૪૦૦૧ ગાથાઓમાં કૃતિ સમાપ્ત થાય છે. આ કૃતિ રચનાર ધનેશ્વરસૂરિ છે. સં.૧૦૯૫ના આ કથાકાવ્ય રચાયું. આ સિવાય સુરસુંદરી ઉપર અનેક રાસાઓ ચોપાઈ રચાયા છે. જે નીચે પ્રમાણે છે. સુરસુંદરી રાસ નયસુંદર
૧૬૪૬ સુરસુંદરી રાસ વ્યાસસૂરજી
૧૬૪૯ સુરસુંદરી રાસ અજ્ઞાત
૧૬૫૫ સુરસુંદરી ચોપાઈ દયા કીર્તિ
૧૬૬૩ સુરસુંદરી રાસ ઉદયસાગર
૧૬૬૯ સુરસુંદરી રાસ ગંગા દાસ
૧૬૯૩ સુરસુંદરી રાસ બ્રહ્મભાનું
૧૭૦૨ સુરસુંદરી રાસ ધર્મહર્ષ
૧૭૦૭ સુરસુંદરી રાસ તેજવિજય
૧૭૧૬ સુરસુંદરી રાસ અજ્ઞાત
૧૭૩૭ સુરસુંદરી રાસ આનંદસૂરિ
૧૭૪૦ સુરસુંદરી રાસ પ્રેમસૌભાગ્ય
૧૭૭૩ સુરસુંદરી રાસ વિબુધવિજય
૧૭૮૧ સુરસુંદરી રાસ વીરવિજય
૧૮૫૭ સુરસુંદરી રાસ જેચંદ ધર્મસી
૧૮૭૦ સતીઓના ચરિત્ર
(૧) મનોરમા ચરિત:- મનોરમાની કથા જિનેશ્વરસૂરિક કહાણયકોસ સં.૧૧૦૮માં આપવામાં આવી છે. તેમાં દર્શાવ્યું છે કે શ્રાવસ્તીનો રાજા કોઇ નગરના વેપારીની પત્નીને પોતાની રાણી બનાવવા ઇચ્છતો હતો. તે સફળ પણ થઈ જાય છે પરંતુ છેવટે દેવતાઓ મનોરમાના શીલની રક્ષા કરે છે. નવાંગી ટીકાકાર અભયદેવના શિષ્ય વર્ધમાનચાર્યે સં.૧૧૪૦માં આ કથાને સ્વતંત્ર વિશાલ પ્રાકૃત રચનાના રૂપમાં સર્જવામાં આવી છે.' (૨) કમલાવતી:- આમાં મેઘરથ રાજા અને રાણી કમલાવતીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. રાજારાણી સંસારથી રક્ત થઈ જાય છે. પણ રાણી કમલાવતી નાના દૂધ પીતા બાળકને કારણે ર૦ વર્ષ ઘરમાં શીલ પાળતી રહે છે. અને પુત્રને ગાદીએ બેસાડી દીક્ષા લઈ લે છે. આના ઉપર સંસ્કૃતમાં અજ્ઞાત રચના અને ગુજરાતીમાં વિજયભદ્ર કૃત કમલાવતી રાસ મળે છે."
458
Page #483
--------------------------------------------------------------------------
________________
(૩) મૃગસુંદરી કથા - શ્રાવક ધર્મની દશવિધ ક્રિયાઓનું યત્નપૂર્વક પાલન કરવાના દૃષ્ટાન્તરૂપે મુગસુંદરીની કથા કહેવામાં આવી છે. તેના ઉપર અનેક કૃતિઓના સર્જક કનકકુશલગણિએ સં.૧૯૬૭માં એક રચના કરી છે. ગુજરાતીમાં આ કથા ઉપર રચનાઓ છે.' (૪) કનકાવતી ચરિત્ર:- આને રૂપસેન ચરિત્ર પણ કહે છે. તેમાં રૂપસેન રાજા અને રાણી કનકાવતીનું આખ્યાન વર્ણવાયું છે. સંસ્કૃતમાં જિનસૂરિ રચિત તથા અજ્ઞાત કર્તક (સં.૧૯૦૪) રચનાઓ મળે છે. ગુજરાતીમાં સાધ્વી હેમશ્રી એ રચેલું કનકાવતી આખ્યાન (સં.૧૬૪૪) મળે છે. (૫) સુભદ્રા ચરિતઃ- આમાં સાગરદને જૈન ધર્મ સ્વીકાર્યો એટલે સુભદ્રાના માતાપિતાએ તેનું લગ્ન સાગરદત્ત સાથે કરાવ્યું. અહીં સાસુ-વહુ અને જૈન-બૌધ્ધ ભિક્ષુઓના કલહનો આભાસ મળે છે. આમાં સુભદ્રાના શીલધર્મનું સરસ નિરૂપણ છે. આ કથાનક કથાકોષ પ્રકરણમાં (જિનેશ્વરસૂરિએ) પણ આવ્યું છે. અજ્ઞાતકર્તક પ્રસ્તુત રચના ૧૫૦૦ ગ્રંથાગ પ્રમાણ છે. અભયદેવની સં.૧૧૬૧માં રચાયેલી અપભ્રંશ કૃતિનો પણ ઉલ્લેખ મળે છે."
આ સિવાય ચંપકમાલાકથા, કુંતલદેવી કથા, શીલસુંદરી શીલ પતાકા, અભયશ્રી કથા, જયસુંદરી કથા, જિનસુંદરી કથા ધવ્યસુંદરી કથા, નાગશ્રી કથા, પુણ્યવતી કથા, મધુમાલતી કથા, સૌભાગ્યસુંદરી કથા, હંસાવલી કથા આદિ વિવિધ કથાઓ મળે છે." આ ઉપરાંત અનેક સતીઓ પર રાસાઓ મળે છે જે નીચે મુજબ છે. લીલાવતી ચોપાઈ
ક્રિસૂરિરિ
૧૫૯૬ લીલાવતી રાસ
લાભવર્ધન પા.
૧૭૨૮ લીલાવતી રાસ
માણિક્ય વિજય
૧૭૫૪ લીલાવતી રાસ
રવિરત્ન
૧૭૮૮ લીલાવતી રાસ
ધીરચંદ
૧૮૪૬
સમયધ્વજ
અજ્ઞાત
સીતા ચોપાઈ સીતા પ્રબંધ સીતા પ્રબંધ સીતા રાસ
૧૬૧૧ ૧૬૨૮ ૧૬૫૩
અજ્ઞાત અજ્ઞાત
૧૭૯૦
459
Page #484
--------------------------------------------------------------------------
________________
૧૬૧૪
૧૬૯૧
૧૬૯૩
૧૬૯૮
૧૭૦૩ ૧૭૦૭
૧૭૧૧
શૃંગાર મંજરી રાસ શૃંગાર મંજરી રાસ દ્વિૌપદી રાસ દ્વીપદી રાસ દ્વીપદી રાસ દ્વૌપદી રાસ દ્વૌપદી રાસ દ્વીપદી રાસ દ્રોપદી રાસ દ્વૌપદી રાસ દ્વૌપદી રાસ દ્વૌપદી રાસ દ્વૌપદી રાસ દ્વૌપદી રાસ દ્વૌપદી ચરિત્ર દ્વૌપદી ચરિત્ર રાસ
જયવંતસૂરિ વિનયસાગર ગણિ પ્રેમ કનકકીર્તિ લક્ષ્મીચંદ્ર અજ્ઞાત મુનિભીમ મેરુવિજય કનકનિધાન,હીરાનંદ ન્યાયકીર્તિ સુમતિવિજય નમસાગર કહાનજી ઉદેવિજય સૌજન્ય સુંદર કસ્તૂર ચંદ
૧૭૧૩ ૧૭૨૪ ૧૭૨૭ ૧૭૨૮ ૧૭૬૨
૧૮૦૦
૧૮૧૮ ૧૯૦૪
૧૫૩૫
કીર્તિ અજ્ઞાત
૧૫૫૬
ખેમા
આરામશોભા રાસ આરામશોભા રાસ આરામશોભા ચોપાઈ આરામશોભા ચોપાઈ આરામશોભા ચરિત્ર આરામશોભા રાસ
સમયપ્રમોદ પંજાઋષિ જિનહર્ષ
૧૬૦૭ ૧૬૫૧ ૧૬પર ૧૭૬૧
૧૭૨૦
ચંદ્રલેખા રાસ ચંદ્રલેખા ચોપાઈ ચંદ્રલેખા ચોપાઈ
કમલવિજય મતિકુશલ પદ્રસિંહ
૧૭૨૮
૧૭૪૫
૧૬૪૨
રત્નમાલા રાસ શીલવતી રાસ
પદ્મસુંદર નેમવિજય
૧૭૫૦
460
Page #485
--------------------------------------------------------------------------
________________
૧૭૮૧
૧૮૪૭
૧૮૬૬
૧૯૪૭
૧૬૦૪
૧૬૦૦
૧૭૫૧
૧૫૮૦
૧૫૯૪
૧૬૨૬
૧૭૩૮
૧પ૨૩ ૧૫૪૪ ૧૫૬૧
૧૫૮૨
શીલવતી રાસ શીલવતી રાસ શીલવતી રાસ મૃગાવતી આખ્યાન મૃગાવતી ચો. મૃગાવતી આખ્યાન ગુણાવલી રાસ કલાવતી ચરિત્ર કલાવતી ચોપાઈ કલાવતી ચોપાઈ કલાવતી રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મયણરેહા સતી ચરિત્ર મયણરેહા સતી ચરિત્ર મયણરેહા સતી ચરિત્ર મયણરેહા સતી ચરિત્ર મયણરેહા સતી ચરિત્ર મયણરેહા ચોપાઈ અંજના રાસ
રામવિજય હેમસાગર રૂપરત્ન દાનવિમલ રત્નસિંઘ હરજી જિનવિજય ભુવનકીર્તિ સંયમમૂર્તિ ધર્મરત્નસૂરિ અજ્ઞાત વચ્છ-વાછો અજ્ઞાત અજ્ઞાત વિવેક ચારિત્ર ગણિ અજ્ઞાત હર્ષહંસગણિ રત્નસિંહ લક્ષ્મી સૌભાગ્ય અજ્ઞાત રામદાસ શ્રીપાલ વિવેકવિજય મતિશેખર રત્ન સમુદ્ર ગુણ પ્રમાદ મહિમાસાગર કીર્તિસિંઘ હર્ષવલ્લભ નરેન્દ્રકીર્તિ
૧૫૯૭ ૧પ૯૮
૧૬૧૪
૧૬૨૪ ૧૬૨૮
૧૬૩૮
૧૬૬૦
૧૭૩૦
૧૫૩૭
૧૫૯૧
૧૫૯૨ ૧૬૩૮ ૧૬૬૧
૧૬પર
461
Page #486
--------------------------------------------------------------------------
________________
અંજના સુંદરી પ્રબંધ
અંજના રાસ
અંજના રાસ
અંજના રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સતી રાસ
અંજના સુંદરી રાસ
અંજના સુંદરી રાસ
ઋષિદત્તા રાસ
ઋષિદત્તા રાસ
ઋષિદત્તા રાસ
ઋષિદત્તા રાસ
લીલાવતી રાસ
લીલાવતી સુમતિવિલાસ રાસ લીલાવતી સુમતિવિલાસ રાસ
ગુણવિનય માલમુનિ
વિમલ ચરિત્ર
શાંતિકુશલ
પુણ્યસાગર
કીર્તિકુશલ
દીપા
હરજી
ભુવનકીર્તિગણી
લબ્ધિવિલાસ
દીપસાગર
નિત્યસાગર
કુશલલાભ
સમયનંદન
ભક્તિવિશાલ
ધર્મસુંદર
કેસરવિજય
કૃષ્ણવિજય
વિજયસાગર
માણિક્યવિ. ગણિ
ગોપાલઋષિ
ખોડાજી સ્વામી
ભાવસાર પીતાંબર
અજ્ઞાત
સહજસુંદર
શ્રવણ
જિનહર્ષ
કડુઆ
કુશલધીર
લાભવર્ધન
462
૧૬૬૨
૧૬૬૩
૧૬૬૭
૧૬૮૯
૧૬૯૧
૧૭૦૧
૧૭૦૮
૧૭૦૬
૧૭૨૫
૧૭૨૬
૧૭૩૩
૧૭૩૪
૧૭૩૬
૧૭૩૭
૧૭૫૩
૧૭૫૩
૧૭૬૩
૧૭૭૬
૧૭૯૩
૧૯૦૯
૧૯૧૯
૧૯૫૫
૧૪૪૫
૧૫૧૫
૧૬૦૦
૧૬૬૨
૧૫૦૫
૧૬૭૧
૧૬૭૧
Page #487
--------------------------------------------------------------------------
________________
ઉદયરત્ન પદ્મસુંદર વચ્છ વિવેકવિજય(ર) જિનહર્ષ ઉદયરત્ન
૧૭૧૦ ૧૫૮૫ ૧૪૮૭ પહેલા ૧૬૭૩ ૧૬૯૧ ૧૭૦૯
કાંતિવિજય
૧૭૧૮ ૧૬મી સદી
૧૯૯૪
ચારચન્દ્ર જિનહર્ષ ઉદયઘર્મ હરસેવક મુનિશેખર
વિનયચંદ
લીલાવતી સુમતિવિલાસ રાસ રત્નમાલા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મૃગાંકલેખા રાસ મલયસુંદરી મહાબલરાસ (વિનોદ વિલાસ રાસ) મહાબલ મલયસુંદરી રાસ મહાબલ મલયસુંદરી રાસ મહાબલ મલયસુંદરી રાસ મલયસુંદરી રાસ મયણરેહા રાસ મયણરેહા સતી રાસ મયણરેહા સતી રાસ મયણરેહા સતી રાસ નર્મદા સુંદરી રાસ નર્મદા સુંદરી રાસ નર્મદા સુંદરી રાસ ચંદ્રલેખા સતી રાસ ચંદ્રલેખા સતી રાસ કુસુમ શ્રી રાસ કુસુમ શ્રી રાસ કપૂર મંજરી રાસ કપૂર મંજરી રાસ કલાવતી સતીનો રાસ કલાવતી સતીનો રાસ કલાવતી સતીનો રાસ કમલાવતી રાસ કમલાવતી રાસ આરામ શોભા રાસ
૧૪૮૬ ૧૩પ૬ ૧૪૮૦ ૧૮૪૭ પહેલા ૧૮મી સદી ૧૫૯૩ ૧૬૩૮ ૧૭૦૭ ૧૬૪૮
માહાવજી
૧૭૬૩
૧૬૫૮ ૧૭૨૦
૧૫૪૮
રાજરત્ન મોહનવિજય મેરુલાલ(માહાવજી) કમલવિજય જિનહર્ષ-જસરાજ ગંગવિજય મતિસાર કનકસુંદર વિજયભદ્ર લાવણ્યરત્ન સહજકીર્તિ વિજયભદ્ર લાવણ્યરત્ન જિનહર્ષ
૧૬૦૫ ૧૫મી સદી ૧૬મી સદી ૧૬૧૦ ૧૫મી સદી ૧૬મી સદી ૧૭૦૪
463
Page #488
--------------------------------------------------------------------------
________________
૧૫૨૧
અજીતસેન કનકાવતિ રાસ જિનહર્ષ
૧૬૯૪ ગુણાવલી રાસ
જિનવિજય(૨)
૧૬૯૪ ગુણાવલી ગુણકરંડરાસ
ગજકુશલ
૧૬૫૭ ગુણકરંડ ગુણાવલી રાસ જિનહર્ષ
૧૯૯૪ ચંપકમાલા રાસ
સૌભાગ્યસૂરિ શિષ્ય
મુનિ પતિ ચરિત્ર મુનિ પતિ ચરિત્ર - મણિપતિકા નગરીનો મણિપતિ નામનો રાજા હતો. તેણે એક દિવસ પોતાના માથામાં પાકેલો ધોળો વાળ જોઈ પોતાના પુત્ર મુનિચન્દ્રને રાજ સોંપી દમઘોષમુનિ પાસે દીક્ષા લઇ લીધી અને એકલા વિહાર કરવા લાગ્યો. એકવાર તે ઉજ્જયિનીની બહાર મસાણમાં કાર્યોત્સર્ગ કરતા હતા. ત્યાં ભયાનક ઠંડીને કારણે ગોપાળ બાળકોએ ભક્તિથી મુનિને વસ્ત્ર ઓઢાડ્યું. પરંતુ ચિતાની ઝાળ લાગવાથી વસ્ત્રને આગ લાગી ગઈ અને મણિપતિમુનિ દાઝી ગયા. તેની ખબર તે નગરના શેઠ કુંચિકને પડી અને તેમણે મુનિને પોતાના ઘરે લાવી તેમની ચિકિત્સા કરાવી તથા વર્ષાકાલ નજીક હોવાથી મુનિને ચોમાસું ત્યાં વિતાવવા આગ્રહ કર્યો, તથા પોતાના પુત્રના ભયથી સસ્તારક નીચે પોતાના ધનને દાટી દીધું. પરંતુ પુત્ર તે ધનને ઉઠાવી ગયો. શેઠે મુનિ ઉપર ધનચોરીનો આક્ષેપ મૂક્યો અને હાથીની કથા કહી. એટલે મુનિએ પોતાની નિદોર્ષતા દર્શાવવા એક હારકથા કહી. આ રીતે તે બંનેની ચર્ચામાં ૮+૮=૧૬ કથાઓ કહેવાઈ. પરંતુ શેઠના મનની શંકા દૂર ન થઈ, એટલે મુનિએ ક્રોધે ભરાઈને શાપ આપ્યો કે “જેણે તારું ધન લીધું હોય તે ફાટી પડે.” તપના પ્રભાવથી મુનિના શરીરમાંથી તેજલેશ્યા નીકળવા લાગી. એટલે કુંચિક શેઠના પુત્રે ભયભીત થઈ ચોરી સ્વીકારી મુનિની ક્ષમા માંગી. મુનિએ ક્ષમા આપી પરંતુ કુંચિક શેઠને વૈરાગ્ય વ્યાપી ગયો. તે દીક્ષા લઈ મુનિ બન્યા. બંનેએ નિર્દોષ તપસ્યા કરી સ્વર્ગ મેળવ્યું.
આ કથા ઉપર સંસ્કૃતમાં ત્રણ અને પ્રાકૃતમાં એક રચના મળે છે. પ્રથમ રચના સંસ્કૃત ગદ્ય-પદ્યમય છે. જમ્મુ કવિએ સં.૧૦૦પમાં કરી હતી. બીજી રચના પ્રાકૃતમાં ૬૪૬ ગાથાઓ છે. તે ૮૦૫ શ્લોક પ્રમાણ છે. સં-૧૧૭રમાં બૃહુદગચ્છીય માનદેવના પ્રશિષ્ય અને ઉપાધ્યાય જિનપતિના શિષ્ય હરિભદ્રસૂરિએ કરી છે. ત્રીજી રચના સંસ્કૃત ગદ્યમાં છે. તેના કર્તા ધર્મવિજય ગણી છે. ચોથી રચના નયનદિસૂરિ કૃત છે. તેને ગ્રન્યાગ્ર ૬રપ પ્રમાણે છે. એક મુનિપતિ ચરિત્ર સારોદ્ધાર નામની સંસ્કૃત કૃતિનો પણ ઉલ્લેખ મળે છે.
464
Page #489
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત નીચે જણાવેલ કવિઓ એ તેના ઉપર રાસા, ચોપાઇ, ચરિત્ર લખ્યા છે.
સિંહકુલ
૧૫૫૦
અજ્ઞાત
મુનિપતિ રાજર્ષિ ચરિત્ર મુનિપતિ રાજર્ષિ ચરિત્ર મુનિપતિ રાજર્ષિ ચરિત્ર મુનિપતિ રાજર્ષિ ચરિત્ર
મુનિપતિ ચરિત્ર ચોપાઇ
મુનિપતિ ચોપાઇ
મુનિપતિ રાજર્ષિ ચરિત્ર મુનિપતિ રાજર્ષિ ચરિત્ર
મુનિપતિ રાજર્ષિ ચરિત્ર
મુનિપતિ રાજર્ષિ ચરિત્ર
મુનિપતિ ચરિત્ર
મુનિપતિ ચરિત્ર
મુનિપતિ ચરિત્ર
મુનિપતિ રાસ
મુનિપતિ રાસ
ગુણરત્ન
સમય લાભગણિ
હીરકલશ
અજ્ઞાત
હીરકલશ
ધર્મરત્નસૂરિ
વિજયમૂર્તિગણિ
કીર્તિચંદ્ર
ધર્મમંદિરગણિ
જિનહર્ષ
સુખહેમ
દાનવિજય
ભોજક પરમા
૧૬૦૦,૧૬૪૧,૧૬૪૨
૧૬૦૮
૧૬૧૧
૧૬૦૮
૧૬૧૨
૧૬૧૧
૧૬૨૬
૧૬૭૬
૧૬૯૯
૧૭૨૫
૧૭૫૪
૧૮૦૮
૧૮૮૭
૧૮૯૫
શ્રી શ્રીચંદ્દેવલી રાસ (શ્રી જ્ઞાન વિમલ સૂરિષ્કૃત)
ભાષાની દૃષ્ટિ એ જોઇએ તો જૈન સાહિત્ય મુખ્યપણે પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી આદિ પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
ગુર્જર પ્રાચીન સાહિત્ય, અપભ્રંશ ચા પ્રાચીન ગુજરાતી વ્યાકરણ અદિના પ્રવર્તક અને પ્રાકૃત બોલીઓના વ્યાકરણ સર્જક કલિકાલ સર્વજ્ઞ આ.શ્રી હેમચંદ્રસૂરિ, પ્રબધચિંતામણિના કર્તા આ.શ્રી મેરુત્તુંગસૂર, કવિ ધનપાલ (ભવિષ્યદત્ત કથાના કર્તા) આદિ અનેક જૈન ગ્રંથકારોએ મહામુલી સાહિત્ય સેવા કરી છે. જૈન ગ્રંથ ભંડારોમાં અપભ્રંશ ભાષાના અનેક ગ્રંથો મળી શકે છે.
મધ્યકાલીન યુગ વિક્રમના પંદરમા શતકથી સતરમા શતકનો ગણીએ તો પંદરમા શતકમાં થોડા પણ સોળમા શતકમાં ઘણા વધુ અને સતરમા શતકમાં તો અતિ વિપુલ પ્રમાણમાં જૈન કવિઓ અને ગ્રંથકારો મળી આવે છે. મધ્યકાલીન કે અર્વાચીન યુગમાં એક પણ શતક જૈનોની ગુર્જર સાહિત્ય સેવા વગરનું રહ્યું નથી.
465
વર્તમાન સમયે ગુજરાતી રાસા સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે. સેકડોની સંખ્યામાં નાના-મોટા રાસો પ્રસિધ્ધ થયા છે. જેમાં શ્રીપાલ રાજાનો રાસ, ચંદરાજાનો
Page #490
--------------------------------------------------------------------------
________________
રાસ, જંબૂસ્વામી રાસ, ધન્નાશાલીભદ્રનો રાસ, શ્રી ચંદ્રકેબલીનો રાસ, રામચશોરસાયન રાસ, ભરત બાહુબલિ રાસ, જયાનંદ કેવલીનો રાસ, વચ્છરાજદેવરાજ રાસ, સુરસુંદરી રાસ, નળદમયંતી રાસ, હરિબલ માછીનો રાસ, હિતશિક્ષાનો રાસ વગેરે મુખ્ય રાસો છે.
શ્રીચંદ્ગકેવલીનો રાસનું બીજું નામ આનંદમંદિર રાસ છે. આ રાસ શ્રી જ્ઞાનવિમલસૂરિ મહારાજે રાધનપુર શહેરમાં પ્રારંભી તે આ જ નગરમાં વિ.સં.૧૭૭૦ મહા સુદી ૧૩ના શુભ દિવસે પરિપૂર્ણ કરેલ છે.
આ રાસમાં શ્રી વર્ધમાન આયંબીલ તપની આરાધનાના પ્રભાવે શ્રી ચંદનશેઠનો જીવ અતીત ચોવીશીમાં નિર્વાણી તીર્થંકરના તીર્થમાં શ્રી ચંદ્રકેવળી થઇ મોક્ષને પામે છે. વળી જેમનું નામ ૮૦૦ ચોવીશી સુધી અમર રહેનાર છે. તે શ્રી ચંદ્રકેવલીનું વિસ્તૃત ચિરત્ર ચાર ખંડમાં, ૧૧૧ ઢાળોમાં, ૭૬૪૯ ગાથાઓમાં નવા નવા પદ્યબંધોમાં શ્રી જ્ઞાનવિમલસૂરિએ સુંદર રીતે આલેખ્યું છે.
પ્રથમ ખંડમાં ૨૦ ઢાળો છે. દ્વિતીય ખંડમાં ૧૬ ઢાળો છે. તૃતીય ખંડમાં ૨૭ ઢાળો છે. ચતુર્થ ખંડમાં ૫૫ ઢાળો છે.
આ રાસના પ્રથમ ખંડના પ્રારંભથી માંડીને ચોથા ખંડના અંત સુધી દૃષ્ટિ કરી વાંચનારને એ મહાપુરુષના પ્રતાપની પ્રબલતા વિષે આશ્ચર્ય ઉત્પન્ન થયા વિના ન રહે. આ સર્વ પૂર્વભવને વિષે આચરેલ શ્રી આયંબિલ વર્ધમાન તપ નામે તપાચારના આરાધનનું ફળ જાણવું.
આ ગ્રંથના ત્રીજા ખંડમાં પ્રિયંગુ મંજરીએ પાણિગ્રહણ કરતા પહેલા શ્રીચંદ્રકુમારને અનેક પ્રશ્નો પૂછ્યા છે. તેનો વિસ્તાર છે. દેવદ્રવ્ય ભક્ષણ અંગે સંકાસની કથા, સાગર શેઠની કથા છે. સાધારણ દ્રવ્ય અને જ્ઞાનદ્રવ્યના ભક્ષણ અંગે કર્મસાર અને પુણ્યસારની કથાઓ આપેલી છે.
ચતુર્થ ખંડમાં વિશેષ કરી શલ્યનો ઉધ્ધાર ન કરનારા દાંભિક જનોને શિખામણ આપવા અંગે રૂપી સાધ્વી, સુસઢ સાધુ, લક્ષ્મણા સાધ્વીની કથાઓ વિસ્તારથી છે.
આ રાસનું બીજું નામ આનંદમંદિર રાસ છે. તેનો હેતુ આ રાસના ચોથા ખંડની છેલ્લી ઢાળમાં દર્શાવેલ છે. આ રાસના પ્રત્યેક ખંડમાં પ્રસંગાનુસાર નીતિ આદિ વિષે વિવિધ પ્રકારના પ્રાસ્તાવિક શ્લોક, કુંડલીયા, દોહા, ચોપાઇ વગેરે અનેક જાતિના છંદો આવેલા છે. તેમજ કેટલીક ચમત્કારિક કથાઓ પણ આવેલી છે.
466
Page #491
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ ગુજરાતી તથા બાળબોધ ટાઈપમાં મૂલમાત્ર શ્રાવક ભીમશી માણેક તરફથી વિ.સં.૧૯૬૮માં પ્રસિધ્ધ કરવામાં આવેલ. તે હાલ અલભ્ય છે. આ ગ્રંથનો મૂળ સાથે અનુવાદઃ
આ ગ્રંથનો અનુવાદ અલભ્ય હોવાથી આ વિજયકલાપૂર્ણ સૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તીની પ્રશાંતમૂર્તિ પૂ.સાધ્વીજી શ્રી ચતુરશ્રીજી મ.સા.ના શિષ્યા સાધ્વી નિર્મળાશ્રીજી મ.સા.એ કરી. ગ્રંથનો અનુવાદ ગિરિરાજની પરમ પવિત્ર છાયામાં વિ.સં.૨૦૩૩માં કાર્તિક સુદી ૫ બુધવારે શરૂ થયું અને વિ.સં.૨૦૩૩ અષાડ સુદ ૬ ગુરુવારે પૂર્ણ થયું.
આ ગ્રંથનું સંપાદન કાર્ય પ.કપૂરચંદ રણછોડદાસ વારૈયા દ્વારા થયું. (અધ્યાપક શ્રી જૈન સૂક્ષ્મતત્વ બોધ પાઠશાળા, પાલીતાણા)
ગ્રંથકાર જ્ઞાનવિમલસૂરિજી મ.સા.નો પરિચય જન્મઃ વિ.સં.૧૯૯૪માં મારવાડ દેશના ભિનમાલ નગરમાં થયો હતો. તેઓ વિશા ઓસવાલ જ્ઞાતિના હતા. પિતાનું નામ વાસવ શેઠ, માતા કનકાવતી, તેમનું નામ નાથુમલ.
૮ વર્ષની વયે મુનિશ્રી ધીરવિમલગણિ પાસે સંયમ લીધું. વિ.સં.૧૭ર૭માં પંડિત પદથી ગુરુએ વિભૂષિત કર્યા. સં.૧૭૪૮ ફા.સુ.પને દિવસે સંડેર ગામમાં આચાર્ય પદથી તેમને વિભૂષિત કર્યા.
ન્યાયવિશારદ શ્રીમદ્ યશોવિજયજી, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રી આનંદધનજી વગેરે તેમના સમકાલીન હતા. તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષામાં અનેક ગ્રંથો રચ્યા. તે પૈકી કથાને લગતા શ્રીપાલચરિત્ર, જંબુસ્વામી રાસ, શ્રી ચંદ્રકેવલી રાસ, સૂર્યાભ નાટક, બારવ્રત ગ્રહણ રાસ.
તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું. વિ.સં.૧૭૮રમાં ખંભાત મુકામે આસો વદ ૪ના દિવસે પ્રભાતે અનશન પૂર્વક ૮૦ વર્ષનો સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી તેમણે કાળ કર્યો ત્યારે ૪૦ દિવસ ખંભાતમાં આમારિ પ્રવર્તન કરાયેલ દરિયામાં માછીમારની જાળો બંધ રહેલ.
સુરતના સૈયદ પરાના નંદીશ્વર દ્વીપ જિનાલયમાં તેમના પગલાની દેરી છે. આમ, ૧૮મી શતાબ્દીને તેમણે પોતાના તપઃપૂત જીવનથી સંવિગ્નપણાથી, જ્ઞાનના પ્રકાશથી તથા અનેક ગુણોથી અજવાળી છે.*
467
Page #492
--------------------------------------------------------------------------
________________
મધ્યકાલીન જૈન કવિઓ:(૧) દેપાળઃ- ઈ.સ.ના પંદરમાં શતકના અંતભાગમાં દેપાળ નામના કવિએ રાસ, ફાગુ, ધવલ ઇત્યાદિની તેર જેટલી કૃતિઓની રચના કરેલી મળે છે. જેમાંની ઘણી ખરી અપ્રસિધ્ધ છે.
દેપાળનું ટૂંકુ નામ દેપો હતું. તે ભોજક હતો. કવિ ઋષભદાસે ઈ.સ.૧૯૧૪માં રચેલા પોતાના “કુમારપાળ રાસ'માં જે પોતાના પુરોગામી કવિઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં દેપાળનો નિર્દેશ છે. કવિ દેપાળ ભોજક હોવાને લીધે સંગીતના તત્ત્વની એને સારી સૂઝ હોય એમ જણાય છે. એની કૃતિઓની ભાષામાં પ્રાસાનુપ્રાસ, પ્રાસાદિકતા અને લયબધ્ધતાનું તત્ત્વ તરત જ નજરે ચડે છે. કવિ દેપાળ સ્વભાવે ઘણો નમ્ર અને નિરભિમાની હતો. પોતાની કૃતિઓમાં એણે પોતાની લઘુતા દર્શાવી
(૨) ઋષિવર્ધન - કવિ ઋષિવર્ધન અચલગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય હતા. મધ્યકાળમાં નળદમયંતીની કથા વિશે લખાયેલી રાસ કૃતિ (ઈ.સ.૧૪૫૬માં) આગળની કૃતિઓમાં નોંધપાત્ર છે. કદની દષ્ટિએ આ રાસ નાનો છે. લગભગ સાડાત્રણસો કડીની આ સળંગ રચનામાં કવિ શ્રી શાંતિનાથ ભગવાનને પ્રણામ કરી રાસની શરૂઆત કરે છે. પૂર્વભવોના વૃત્તાન્તથી વીરમતી અને મમ્મણના ભવની અને ધણધૂસરીના ભવની કથાથી શરૂ થાય છે. નળદમયંતીના પૂર્વભવના આલેખન પછી દુહામાં નળનું અને “ઉલાલાની ઢાળમાં દમયંતીનુ ચિત્ર કવિએ ખડું કર્યું છે. નિષધ રાજાના રાજ્યની સમૃધ્ધિનું અને નળના લગ્ન મહોત્સવનું કવિએ કરેલું વર્ણાનુપ્રાસયુકત વર્ણન પણ ધ્યાન ખેંચે એવું છે.
યૌવનિ ચડીય સંપૂરઇ, રતિરંભા મદ ચૂરઈ' એવી દમયંતીનું સ્વયંવર મંડપમાં આગમન થયું, તે સમયનું કવિએ આલેખેલું ચિત્ર પણ મનોહર છે. નળદમયંતીના લગ્નપ્રસંગના નિરૂપણમાં એ સમયની લગ્ન વિધિનું પ્રતિબિંબ પડેલું જણાય છે.
રાસની છેલ્લી બે કડીમાં કવિ પોતાની ગુરુપરંપરા, રાસની રચના સાલ, રચના સ્થળ અને ફલશ્રુતિ જણાવી રાસ પૂરો કરે છે. રાસનું કદ નાનું હોવાથી કવિને પ્રસંગોના નિરૂપણમાં ઘણી ઝડપ રાખવી પડી છે. કયાંક તો માત્ર નિર્દેશ કરીને પણ ચલાવવું પડ્યું છે. તેમ છતાં કવિ પાસે સારી નિરૂપણ શક્તિ છે, એની આપણને પ્રતીતિ થાય છે. કવિના આ રાસની કેટલીક અસર નળદમયંતી વિશેના કેટલાક ઉત્તરકાલીન રાસ પર થયેલી જણાય છે.
468
Page #493
--------------------------------------------------------------------------
________________
(૩) બ્રહ્મજિનદાસ:- સકલકીર્તિના શિષ્ય બ્રહ્મજિનદાસે ઈ.સ.ના ૧૫માં સૈકાના ઉત્તરાર્ધમાં કેટલીક રાસકૃતિઓની રચના કરી છે. તેઓ ઘણા વિદ્વાન હતા. સંસ્કૃતમાં રામચરિત' નામનો ગ્રંથ તેમણે લખ્યો છે. જેમાં દરેક સર્ગને અને “ભટ્ટારક શ્રી સકલકીર્તિ શિષ્ય બ્રહ્મચારી જિનદાસ વિરચિત” એમ આપ્યું છે. એમની રાસકૃતિઓમાં હરિવંશરાસ, યશોધરરાસ, આદિનાથરાસ, શ્રેણિકરાસ, કરકંડુરાસ, હનુમંતરાસ જેવા કથાને લગતા રાસા ઉપલબ્ધ છે. (૪) વચ્છ ભંડારી - વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના ભક્ત શ્રાવક વચ્છભંડારીએ રચેલી મૃગાંકલેખા રાસ એ કથાને લગતી કૃતિ છે. કદમાં નાની છે. એમાં રચના સાલનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ તે આશરે ઈ.સ.૧૪૮૮ પહેલાંની હોય એમ જણાય છે. આ કૃતિમાં મૃગાંકલેખા સતીનું ચરિત્ર આલેખાયું છે આ દ્વારા શીલનો મહિમા દર્શાવ્યો છે. કવિ ગૌતમ ગણધરને પ્રણામ કરીને “સીલસિરોમણિ' એવી મૃગાંકલેખાનો વૃતાન્ત પ્રારંભ કરે છે. ઉજજૈની નગરીના અવંતીસેન રાજાના મંત્રી મતિસારની રૂપગુણવતી ધર્મનિષ્ઠા પુત્રી મૃગાંકલેખાના લગ્ન સાગરચંદ્ર નામના શ્રેષ્ઠીપુત્ર સાથે થાય છે. પણ કોઈક કારણે ગેરસમજ થવાથી તે મૃગાંકલેખાને બોલાવતો નથી અને દેશાવર ચાલ્યો જાય છે. સાતેક વર્ષ એ રીતે વીત્યા પછી ધર્મધ્યાનમાં સમય વિતાવતી મૃગાંકલેખાને સાગરચંદ્ર એકવાર દેવી ગુટિકાની મદદથી રાતોરાત લાંબુ અંતર કાપી ગુપ્તપણે મળવા આવે છે અને પાછો ચાલ્યો જાય છે. પરિણામે સગર્ભા બનેલી મૃગાંકલેખાને અસતી ગણી કાઢી મૂકવામાં આવે છે. વનમાં તે પુત્રને જન્મ આપે છે અને કેટલેક સમયે એનો પુત્ર પણ વનમાં ગુમ થઈ જાય છે. ત્યારપછી એક પછી એક સંકટોમાં આવી પડતા મૃગાંકલેખા એક યા બીજી યુક્તિથી પોતાના શીલને બચાવે છે. અને છેવટે પોતાના સાગરચંદ્ર પતિને અને પુત્રને મેળવે છે અને સુખમાં વર્ષો વિતાવે છે. (૫) લાવણ્ય સમયઃ- કવિ લાવણ્ય સમય ઈ.સ.પંદરમા સૈકાના એક સમર્થ કવિ થઈ ગયા. લાવણ્યસમયનો જન્મ ઇ.સ.૧૪૬૫માં અમદાવાદમાં અજદરપુરામાં થયો હતો. એમના પિતાનું નામ શ્રીધર અને માતાનું નામ ઝમકલદેવી હતું. એ સમયે એમનું નામ લહુરાજ પાડવામાં આવ્યું હતું. ઉપાશ્રયમાં મુનિ સમયરત્ન બિરાજમાન હતા. જન્માક્ષર જોઈ સમયરને કહ્યું, આ બાળક મહાન તપસ્વી, મહાવિદ્વાન અને બહુ તીર્થયાત્રા કરનારો થશે. મુનિ સમયરત્નના કહેવાથી માતા-પિતાએ લહુરાજને નવમે વર્ષે દીક્ષા આપવાનું નક્કી કર્યું અને દીક્ષા પછી તેમનું નામ “લાવણ્યસમય” રાખવામાં આવ્યું. સોળમે વર્ષે તો લાવણ્યસમય કવિતાની રચના કરવા લાગ્યા હતા. તેમણે રાસ, પ્રબંધ, ચોપાઈ, સંવાદ, વિવાહલો, સ્તવન, સક્ઝાય, છંદ, હમચડી, હરિયાળી વિનંતી ઇત્યાદિ પ્રકારની ૪ર જેટલી નાની મોટી કૃતિઓની રચના કરી છે.
469
Page #494
--------------------------------------------------------------------------
________________
એમના સમયમાં એ પ્રભાવશાળી પંડિત કવિ હતા. એમના ઉપદેશથી મોટા મોટા રાજપુરુષો પણ પ્રભાવિત થયા હતા. મંત્રી કર્માશાહે શંત્રુજય તીર્થનો સાતમો જિર્ણોધ્ધાર કરાવ્યો હતો તે લાવણ્યસમયના ઉપદેશથી કરાવ્યો હતો એવો નિર્દેશ શંત્રુજય ઉપરના ઈ.સ.૧૫રરના શિલાલેખમાં આજે પણ જોઈ શકાય છે. લાવણ્યસમય ક્યારે કાળધર્મ પામ્યા તે નિશ્ચિતપણે જાણી શકાતું નથી. પરંતુ ઈ.સ.૧૫૩૩માં એમણે અમદાવાદમાં “યશોભદ્રસૂરિ રાસા'ની રચના કરી છે. એટલે કે સડસઠ વર્ષની ઉમર સુધી તેઓ વિદ્યમાન હતા એમ કહી શકાય. (૬) જ્ઞાનચંદ્રઃ- સોરઠ ગચ્છના ક્ષમાચંદ્રસૂરિની પરંપરાના વીરચંદ્રસૂરિના શિષ્ય કવિ જ્ઞાનચંદ્રસૂરિની કથા સાહિત્ય ઉપર નિર્ભર એવી ત્રણ કૃતિઓ મળી આવે છે. (૧)વંકચૂલ પવાડઉ રાસ (ઈ.સ.૧૫૧૧) (૨)વેતાલ પચવીસી (ઇ.સ.૧૫૩૯) અને (૩)સિંહાસન બત્રીસી (ઇ.સ.૧૫૪૫). આ ઉપરાંત કવિએ નેમિરાજુલ બારમાસી” કૃતિની પણ રચના કરેલી છે. કવિની કૃતિમાં ‘સિંહાસન બત્રીશી' સૌથી વધુ નોંધપાત્ર છે. આ કૃતિની રચના ત્રણ ખંડમાં, ૧૦૩૪ કડીમાં કવિએ કરી છે. સ્થળે સ્થળે એમણે સુંદર, અલંકારયુક્ત વર્ણનો આપ્યાં છે. એમાં કહેવતો, સુભાષિતો પણ વણી લીધા છે. ઇંદ્રસભાનું વર્ણન, નગર ફરતા બનાવેલા તાંબાના કોટનું વર્ણન ગણિકા અને ભર્તુહરિના પ્રસંગનું વર્ણન, વિક્રમના ઉપવન વિહારનું વર્ણન, દેવીની શક્તિનું વર્ણન, લીલાવતીના ચારિત્ર્યનું વર્ણન ઇત્યાદિ વર્ણનોમાં કવિની વિશિષ્ટ શક્તિનો પરિચય થાય છે. - એકંદરે, કવિ જ્ઞાનચંદ્રની આ કૃતિ ભાષા, છંદ, વર્ણનો અલંકારો સુક્તિઓ ઇત્યાદિની દષ્ટિએ મહત્વની બની રહે છે. આ વિષયની જેન કવિઓની કૃતિમાં તે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી યોગ્યતા ધરાવે છે. (૭) સહજસુંદરઃ- ઈ.સ.ના ૧૮માં સૈકાના આરંભમાં થઈ ગયેલા કવિઓમાં કવિ સહજસુંદર ગણના પાત્ર છે.
ઈ.સ.૧૫૧૪ થી ૧૫૩૯ સુધીની તેમની રચનાઓ મળે છે. સહજસુંદરે ઋષિદત્તાવાસ, આત્મરાજરાસ, પ્રદેશી રાજાનો રાસ, જંબુઅંતરંગ રાસ, તેટલી મંત્રીનો રાસ વગેરે રાસાઓની રચના કરી. આ સિવાય પણ એમની બીજી ઘણી કૃતિઓ મળે છે.
ઋષિદરા રાસ(ઈ.સ.૧૫૧૬) જેમાં કવિએ ઋષિદત્તાના શીલનો મહિમા ગાયો છે. તેમાની આરંભની થોડી પંક્તિઓ જોતાં કવિના ભાષા પ્રભુત્વની પ્રતીતિ થાય
470
Page #495
--------------------------------------------------------------------------
________________
કઈ કવિત કરું મનભાવિ સારણ દેવ તણાં પરભાવિ, સિધ્ધિસૂરિ ગુરુપય નમીય સીલ શિરોમણિ ગુણ સંયુતા, નમિ અનોપમા શ્રી ઋષિદત્તા જલધિસુતા જગિ તે સમય.
સહજસુંદરની બધીજ કૃતિઓ અદ્યાપિ અપ્રકાશિત છે એ બધી પ્રકાશિત થતાં કવિની પ્રતિભાનો સવિશેષ પરિચય થશે. (૮) લાવણ્યરત્ન - આ જ ગાળાના બીજા એક સમર્થ કવિ તે લાવણ્યરત્ન છે. તેઓ તપગચ્છના સાધુપંડિત ધનદેવના શિષ્ય સુરહંસના શિષ્ય હતા. “વત્સરાજ દેવરાજ રાસ'માં કવિએ સુપ્રસિધ્ધ આચાર્ય સોમસુંદરસૂરિથી પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કર્યો છે. લાવણ્યરત્ન આ ઉપરાંત “યશોધર ચરિત્ર”, “મસ્યોદર રાસ”, “કલાવતી રાસ’, ‘કમલાવતી રાસ”ની રચના કરી છે. (૯) સોમવિમલસૂરિ - સોમવિમલસૂરિ ઈ.સ.ના સોળમા સૈકાના પ્રતિભાશાળી આચાર્ય હતા. ઇ.સ.૧૫૧૮માં તેમણે તપગચ્છના હેમવિમલસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેઓ ઇ.સ.૧૫૮૧માં કાળધર્મ પામ્યા હતા
સોમવિમલસૂરિએ “શ્રેણિકરાસ”, “ધમ્મિલરાસ”, “ચંપકશ્રેષ્ઠીરાસ”, “ક્ષુલ્લકકુમાર રાસ” તથા આ સિવાય પણ ઘણી કૃતિઓ રચી. શ્રેણિકરાસઃ- ઈ.સ.૧૫૪૭માં આ રાસની રચના સોમવિમલસૂરિએ કરી. આ રાસનું અપર નામ સમ્યકત્વસાર રાસ છે. સકલજિનેશ્વર, સરસ્વતી દેવી, ગૌતમસ્વામીને પ્રણામ કરીને કવિરાસની રચનાનો પ્રારંભ કરે છે. આ રાસમાં કવિએ ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમગણધરના સમયમાં વિદ્યમાન ધર્મપ્રેમી રાજા શ્રેણિકના વૃતાન્તનું આલેખન કર્યું છે. રાજગૃહ નગરીના પ્રસેનજિત રાજાને પોતાના પુત્રોમાં શ્રેણિક સૌથી વધુ બુધ્ધિમાન હોવાથી વહાલો હતો. જેથી તેઓ પોતાની ગાદી શ્રેણિકને સોંપે છે. શ્રેણિક રાજ્ય કરે છે. જીવનનાં અંતિમ વર્ષોમાં એના પુત્રોમાંથી અજાતશત્રુ કુણિક શ્રેણિકને કેદ કરી ગાદીએ બેસે છે. પરંતુ એકવાર કુણિક પોતાને મારી નાખવા આવે છે એમ સમજી પુત્રને હાથે મરવાં કરતાં શ્રેણિક આત્મઘાત કરે છે.
શ્રેણિક રાજા ભગવાન મહાવીરના સમકાલીન હતા અને ભગવાનની ઘણી સભાઓમાં જઈ ઉપદેશ સાંભળતા અને ઘણીવાર પોતાને થતા પ્રશ્નો ભગવાનને પૂછી સમાધાન મેળવતા. ધમિલરાસ - ઈ.સ.૧૫૩૫ માં ખંભાતમાં ધમિલરાસ નામની રાસ કૃતિની રચના કરી છે. એમાં ધમિલ નામના શ્રેષ્ઠીપુત્રનું કથાનક છે. ધમિલ કુશાગ્રપુરના સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી અને તેની પત્ની સુભદ્રાનો પુત્ર હતો. એના લગ્ન યશોમતી નામની એક
471
Page #496
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીપુત્રી સાથે થયા હતા. પરંતુ ધમિલને યૌવનના સુખપભોગમાં રસ ન હતો એટલે એ માટે એની માતાએ એને જુગારીઓની સોબત કરાવી. તેમ કરતા તે વેશ્યાઓની સોબતે ચડ્યો. માતપિતાના અવસાન પછી ધન હતું ત્યાં સુધી યશોમતી ધમ્મિલને મોકલતી રહી. પણ એ ખલાસ થયું એટલે યશોમતી પિયર ચાલી ગઈ અને ધમિલને વેશ્યાએ બહાર કાઢ્યો. એથી ધમ્મિલની આંખ ઊઘડી. ફરી તે ગૃહસ્થ જીવન તરફ વળ્યો, પ્રગતિ સાધી, બીજી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને ભોગવિલાસ ભોગવવા લાગ્યો. પરંતુ એથી સંતોષ ન થતાં એક વખત સાધુ પાસે ધર્મોપદેશ સાંભળતા ફરી એનામાં વૈરાગ્ય જાગ્યો. અને છેવટે એણે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. (૧૦) હેમરત્નસૂરિ - દેવતિલકસૂરિના શિષ્ય જ્ઞાનતિલકસૂરિના પદ્મરાજ ગણિના શિષ્ય હેમરત્નસૂરિએ રચેલી પાંચેક રાસ કૃતિઓ ઉપલબ્ધ છે. જે હજુ અપ્રસિધ્ધ છે. તેઓ ઈ.સ.ના સોળમાં શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે ઈ.સ.૧૫૪૩માં પાલીનગરમાં “શીલવતી કથા”ની રચના કરી છે. હેમરત્નસૂરિએ એ જ વર્ષે લીલાવતી' નામની બીજી એક રાસકૃતિની રચના કરી છે. ઈ.સ.૧૫૯૧માં ગારોબાદલકથા”ની રચના સાદડી નગરમાં કરી છે. શ્રી હેમરત્નસૂરિએ “સીતાચરિત્ર” નામની પણ એક કૃતિની રચના કરી છે. જેમાં જૈન પરંપરાનુસારી રામસીતાની કથાનું સાત સર્ગમાં આલેખન કરવામાં આવ્યું છે. ચોપાઇ, દુહા અને જુદી જુદી દેશીઓની ઢાલમાં આ કૃતિ લખાયેલી છે. ત્રીજા સર્ગને અંતે કવિ જૈન રામાયણ “પદ્મચરિત્ર”નો નિર્દેશ કરે છે. (૧૧) કુશળલાભ - વાચક કુશળલાભ ઈ.સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. “તેજસાર રાસ”માં અને અગડદત્ત રાસ”માં તેઓ પોતાના ગુરુ અભયધર્મ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરે છે. કુશળલાભે બે મહત્ત્વની રાસકૃતિઓનું સર્જન રાજસ્થાનના જેસલમેરમાં કર્યું હતું. તેમણે રચેલા નવકાર છંદ આજે પણ વખણાય
(૧૨) વાચક નયસુંદરઃ- ઈ.સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા જૈન કવિઓમાં વાચક નયસુંદર એક સમર્થ કવિ છે. નયસુંદર પોતે માણિકયરત્નના લઘુ બંધુ હતા એવો પોતાની રાસકૃતિઓમાં ઉલ્લેખ કર્યો છે. નયસુંદરની એક શિષ્યા તે સાધ્વી શ્રી હેમશ્રી એમણે કનકાવતી આખ્યાન નામની રાસકૃતિની રચના કરી છે. જેના સાધ્વીઓમાં હેમશ્રી એક વિરલ કવયિત્રી છે.
નળદમયંતી રાસ, રૂપચંદકુંવરરાસ એ નયસુંદરની સમર્થ કૃતિઓ છે. નળદમયંતી રાસ - કવિ નયસુંદરની આ કૃતિ જેન પરંપરાની અન્ય રાસ કૃતિ કરતાં
472
Page #497
--------------------------------------------------------------------------
________________
જુદી પડે છે. કવિ નયસુંદરે ૧૬૦૯માં કરેલી આ રાસની રચના માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય “નલાયન'નો આધાર લઈને કરી છે. જેને પરંપરામાં ‘નલાયન” મહાકાવ્ય એક વિલક્ષણ કૃતિ છે. કારણકે એમાં મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયનો પ્રયાસ થયો છે.
આ રાસમાં નયસુંદરે સ્થળે સ્થળે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, હિંદી, ફારસી સુભાષિતો મૂક્યા છે અને એમાંના કેટલાકનો ગુજરાતી પદ્યાનુવાદ પણ આપ્યો છે. કવિ પાસે ઉચ્ચ અનુવાદ શક્તિ છે તેમ ઉચ્ચ કવિત્વ શક્તિ પણ છે, જેની પ્રતીતિ આખો રાસ વાંચતાં વારંવાર થાય છે. આ રાસ કૃતિ લગભગ ૨૪૦૦ કડીમાં
આ રાસ કૃતિ મધ્યકાલીન ઉત્તમ સાહિત્ય કૃતિઓની હરોળમાં સ્થાન પામે એવી
રૂપચંદકુંવર રાસ - કવિ નયસુંદરે વિજાપુર નગરમાં છ ખંડમાં આ રાસની રચના કરી છે. એમાં રૂપચંદકુંવરનું સ્થાનક આલેખાયું છે.
ઉજ્જયિની નગરીમાં રાજ કરતા રાજા વિક્રમના રાજ્યમાં ધનદત્ત શ્રેષ્ઠી અને એની ભાર્યા ધનસુંદરીને થયેલા ચાર પુત્રોમાં છેલ્લો પુત્ર રૂપચંદ. રૂપચંદ ભણી ગણી મોટો થાય છે એટલે રૂપસુંદરી નામની કન્યા સાથે એનાં લગ્ન થાય છે. ત્યાર પછી કનોજ નગરીના રાજા ગુણચંદની કુંવરી સૌભાગ્યકુંવરીને રૂપચંદ પ્રત્યે આકર્ષણ થાય છે. બંને ગાંધર્વ વિવાહથી જોડાય છે. એ વાતની વિક્રમરાજાને ખબર પડે છે. તે રૂપચંદ પાસેથી વાત કઢાવવાનો જુદી જુદી રીતે પ્રયાસ કરે છે. ખૂબ મારે છે. પરંતુ રૂપચંદ કશો જ ખુલાસો કે એકરાર કરતો નથી. છેવટે રાજા એને શૂળીએ ચડાવવાનો નિર્ણય કરે છે તો પણ રૂપચંદ મક્કમ રહે છે. તે સમયે પ્રધાન રાજાને વચન આપે છે અને રૂપચંદને મુક્ત કરાવે છે. રૂપચંદ પાસેથી બધી સમસ્યાના અર્થ જાણવા હોય તો વિક્રમ રાજાએ પોતાની પુત્રી મદનમંજરીને રૂપચંદ સાથે પરણાવી જોઈએ એવા પ્રધાનના સૂચનથી રાજાએ તે પ્રમાણે કર્યું. મદનમંજરી પોતાની કુશળતાથી અને પ્રેમથી રૂપચંદ પાસેથી બધી માહિતી મેળવી રાજાને કહે છે. રાજા એથી પ્રસન્ન થઇ સૌભાગ્યસુંદરી સાથે એનાં વિધિપૂર્વક લગ્ન કરાવે છે. આમ ત્રણ પત્નીઓ સાથે ભોગવિલાસ ભોગવતો રૂપચંદ સુખમાં દિવસોનું નિર્ગમન કરતો હતો. એવામાં ઉજ્જયિની નગરીમાં પધારેલા જેન આચાર્ય સિધ્ધસેનસૂરિના ઉપદેશની રાજા ઉપર ઘણી અસર પડી. રૂપચંદ પણ ત્યાં ઉપસ્થિત હતો. સૂરિએ સંસારની અસારતા અને મનુષ્ય ભવની દુર્લભતા ઉપર ઉપદેશ આપ્યો. રૂપચંદનું આયુષ્ય છ મહિનાનું બાકી છે એમ જણાવ્યું. એ સાંભળી, વિચારો, માતાપિતા અને પત્નીઓએ અને પાંચેક
473
Page #498
--------------------------------------------------------------------------
________________
વડીલોએ પણ દીક્ષા લીધી. છ મહિના પૂરા થવા આવતાં મુનિવર રૂપચંદ સંલેખના કરી, આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા.
કવિએ આ કથાનકને રસિક બનાવવા વર્ણનો અલંકારો, સુભાષિતો ઇત્યાદિ ઉપરાંત એમાં કેટલીક આડકથાઓ પણ નિરૂપી છે. લોકકથાના પ્રકારની આ કથા હોવાથી એમાં અદ્ભુત રસિક ઘટનાઓનું નિરૂપણ થાય એ સ્વાભાવિક છે. વળી એમા શૃંગારસનું નિરૂપણ પણ કવિએ ઠીક ઠીક કર્યું છે. તેમ છતાં કવિનો આશય કૃતિને શાંત પર્યવસાયી બનાવવાનો છે, એ સ્પષ્ટ છે. આ કૃતિ સમગ્ર રાસ સાહિત્યની એક મહત્ત્વની કૃતિ બની રહે છે.
(૧૩) સાધ્વીશ્રી હેમશ્રીઃ- જૈન સાધુકવિઓએ ગુજરાતી ભાષામાં ૧૨થી૧૮મા સૈકા સુધીમાં એટલું બધું સાહિત્ય લખેલું છે કે એ બધું મુદ્રિત થઇ પ્રકાશમાં આવતાં ઘણાં વર્ષો લાગશે. જૈન સાધુઓના પ્રમાણમાં સાધ્વીઓની કૃતિઓ ખાસ જોવા મળતી નથી. ઇ.સ.ના સોળમા સૈકાના અંતભાગમાં રચાયેલી એક કૃતિ જોવા મળે છે અને તે છે ‘સાધ્વી શ્રી હેમશ્રીકૃત કનકાવતી આખ્યાન’. ઇ.સ.૧૫૮૮માં આ કૃતિની રચના કરેલી છે. ૩૬૭ જેટલી કડીમાં રચાયેલી આખ્યાન નામની આ રાસકૃતિમાં કવિયત્રીએ સરસ્વતી દેવી અને જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી કનકાવતીના વૃતાન્તનું નિરૂપણ કર્યું છે. આ કૃતિ હજુ અપ્રસિધ્ધ છે. રાજપુત્રી કનકાવતીને માથે બાલ્યકાળથી જ જેવા સંકટો આવી પડે છે. એક રાજપુત્ર અજિતસેનનો એને કેવી રીતે મેળાપ થાય છે, બંને કેવી રીતે વિખૂટાં પડે છે અને ફરી પાછાં મળે છે. અને અનેક વર્ષ રાજ ભોગવી દીક્ષા લે છે. એ કથાનું અદ્ભુત રસિક આલેખન આ રાસમાં કરવામાં આવ્યું છે.
(૧૪) ગુણવિનયઃ- ખતરગચ્છના ક્ષેત્ર શાખાના જયસોમ ઉપાધ્યાયના શિષ્ય ગુણવિનય વિદ્વાન પંડિત અને સમર્થ ટીકાકાર હતા. એમણે ગુજરાતીમાં પણ સંખ્યાબંધ કૃતિઓની રચના કરી છે. કવિએ ઘણી ખરી કૃતિમાં પોતાની ગુરુ પરંપરા યુગપ્રધાન આચાર્ય જિનચંદ્રસૂરિથી જણાવી છે. જંબૂરાસ, કલાવતી ચોપાઇ, અગડદત્તરાસ આદિ અનેક કૃતિની રચના તેમણે કરી છે.
(૧૫) સમયસુંદર:- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સમર્થ જૈન કવિઓમાં સમયસુંદરનું સ્થાન વિશિષ્ટ છે. વિદ્વાન સાહિત્યકાર તરીકે તેમજ તપસ્વી સાધુ તરીકે ઉચ્ચપ્રકારની પ્રતિષ્ઠા પોતાના સમયમાં મેળવી હતી.
સમયસુંદરના જીવન વિશે, એમણે પોતે રચેલા ગ્રંથોના આધારે, તેમજ એમના શિષ્યોએ રચેલી કૃતિઓને આધારે કેટલીક માહિતી મળે છે. સમયસુંદરનો જન્મ
474
Page #499
--------------------------------------------------------------------------
________________
મારવાડમાં સાંચોરની પોરવાડ વણિક જ્ઞાતિમાં થયો હતો. એમની માતાનું નામ લીલાદેવી હતું. એમના પિતાનું નામ રૂપસિંહ હતું. કવિના કવનકાળ તેમજ કાળધર્મના સમય વિશે જેવા નિશ્ચિત પ્રમાણો મળે છે તેવા તેમના જન્મસમય કે બાલ્યકાળ વિશે મળતાં નથી. પરંતુ અન્ય ઉલ્લેખો પરથી એ વિશે કંઈક અનુમાન કરી શકાય છે. સમયસુંદરનો સૌથી પહેલો ગ્રંથ તે “ભાવશતક’ વિક્રમ સંવત ૧૬૪૧માં આ ગ્રંથ રચાયો. તેમાં તેઓ “ગણિ સમયસુંદર' તરીકે ઓળખાવે છે. આ ઉપરથી એમનો દીક્ષા સમય સં.૧૯૩૦ની આસપાસ લીધી હશે એવું અનુમાન કરી શકાય. તેમણે લખેલ ગ્રંથોના આધારે જ અનુમાન કરીએ તો તેમનો જન્મ સં.૧૯૧૦ની આસપાસ થયો હશે એમ માની શકાય યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પોતાને હાથે કવિને દીક્ષા આપી હતી અને પોતાના પ્રથમશિષ્ય સકલચંદ્ર ગણિના શિષ્ય તરીકે એમને જાહેર કરી એમનું સમયસુંદર” નામ રાખ્યું હતું.
સમ્રાટ અકબરના નિમંત્રણને માન આપી જ્યારે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ સં.૧૬૪૮માં લાહોર ગયા ત્યારે બીજા સાધુઓમાં સમયસુંદર પણ હતા. તે સમયે સમયસુંદરે “રાનાનો તે સૌથ્યમ્' આઠ અક્ષરના આ વાકયના આઠ લાખ અર્થ કરી બતાવી પોતાની “અષ્ટલક્ષી” નામની કૃતિ વડે અકબર બાદશાહને પ્રસન્ન કર્યા હતા. સં.૧૬૪૯માં ફાગણ સુદ બીજે શ્રી જિનચંદ્રસૂરિએ સમયસુંદરને લાહોરમાં વાચનાચાર્યનું પદ આપ્યું હતું.
વાચનાચાર્યની પદવી પછી વીસ કે એકવીસ વર્ષે સમયસુંદરને પાઠક કે ઉપાધ્યાયની પદવી મળી હતી. તેમણે સિંધ, પંજાબ, ઉતરપ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધર્મોપદેશ અર્થે વિચરણ કર્યું હતું. તેમાંય ખાસ કરીને તેઓ રાજસ્થાન અને ગુજરાતમાં વિશેષ રહ્યા હતા. ગ્રંથોમાં મળતા ઉલ્લેખો પરથી માનવામાં આવે છે કે એમના લગભગ ૪ર શિષ્યો હતા. એમાં કેટલાક શિષ્યો અત્યંત વિદ્વાન અને સમર્થ સાહિત્યકાર હતા.
લગભગ ૮૦ વર્ષની ઉમર થતા વૃધ્ધાવસ્થાને લીધે તથા શારીરિક નબળાઇને લીધે હવે વધારે વિહાર કરવાનું ફાવે તેમ ન હતું. તેઓ તે સમયે ગુજરાતમાં વિહાર કરતા હતા. સં.૧૬૯૬થી તેઓ અમદાવાદમાં સ્થિર થઈ ગયા. સં.૧૭૦૦માં ‘દ્વૌપદી ચોપાઈ”ની રચના કરી. સં.૧૭૦૩ના ચૈત્ર સુદી તેરસને દિવસે, મહાવીર જન્મના દિવસે તે કાળધર્મ પામ્યા. કવિ સમયસુંદરની સાહિત્ય રચનાઓ વિશે ડૉ.રમણલાલ.ચી.શાહ જણાવે છે,
“સમયસુંદરે લગભગ નેવું વર્ષનું આયુષ્ય ભોગવ્યું. તેમણે ગુજરાતીમાં ત્રીસેક
475
Page #500
--------------------------------------------------------------------------
________________
અને સંસ્કૃતમાં લગભગ વીસેક કૃતિઓ લખેલી છે. સંસ્કૃત ભાષામાં કવિએ ભાવશતક(સં.૧૬૪૧), કલિકાચાર્ય કથા(સં.૧૯૬૬), રઘુવંશીકા (સં.૧૯૯૨) આદિ તેમજ ગુજરાતીમાં સાંબપ્રદ્યુમ્ન રાસ(સં.૧૬પ૯), ચાર પ્રત્યેકનો બુધ્ધ-રાસ (સં.૧૯૬૫), મૃગાવતી રાસ(સં.૧૯૬૮), પુણ્યસાર રાસ(સં.૧૬૭૩), નલદમયંતી રાસ(સં.૧૬૭૩) આદિ અનેક કૃતિઓ તેમણે રચી મૃગાવતી ચોપાઈઃ- કવિ સમયસુંદરે આ કૃતિની રચના સં.૧૬૬૮માં સિંધમાં મુલતાન નગરમાં કરી હતી. તેમની ભિન્ન-ભિન્ન રાસ કૃતિઓમાં “મૃગાવતી ચરિત્ર ચોપાઈ' એ એક અત્યંત મહત્ત્વની કૃતિ છે.
સમયસુંદરે મૃગાવતીનું ચરિત્ર આ રાસ કૃતિ માટે પસંદ કર્યું છે. મૃગાવતી એ ભગવાન મહાવીરના સમયમાં વિદ્યમાન એવા એક તેજસ્વી સતી ગણાયા છે. જે સંયમધર્મ પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદ પામે છે. મૃગાવતીનું જીવન સુખદુ:ખથી સભર છે. દુ:ખના સમયમાં પણ તેઓ ધર્મ ચૂકતાં નથી. વિષમ કસોટીમાંથી એ પાર પડે છે. અને સતી તરીકે પંકાય છે. આ રાસના પ્રારંભમાં જ કવિ શીલનો મહિમા દર્શાવે છે. આ રાસમાં કવિ સમયસુંદરે કયાંય પ્રગટપણે સીધો ઉપદેશ આપ્યો નથી. અલબત્ત, પ્રસંગાનુસાર એમણે કેટલેક સ્થળે ધર્મની વાત સાંકળી લીધી છે. આ રાસની રચના ૭૪પ જેટલી કડીમાં કરી છે. કવિએ દુહા અને ઢાળનું આયોજન સપ્રમાણ કર્યું છે અને રાગરાગિણિની દષ્ટિએ એને વૈવિધ્યસભર બનાવ્યું છે. મૃગાવતી રાણી, શતાનિક રાજા, જુગધર મંત્રી, ઉદયનકુમાર, ચંદનબાળા, મહાવીર સ્વામી ઈત્યાદિનાં પાત્રોને કવિએ યોગ્ય રીતે વર્ણવ્યાં અને વિકસાવ્યાં છે.
મૃગાવતીના દોહદનો પ્રસંગ, ભારંડ પક્ષીએ કરેલા અપહરણનો પ્રસંગ, ચિતારાનો પ્રસંગ, ચંડપ્રદ્યોતના આક્રમણનો પ્રસંગ, ભગવાન મહાવીર સ્વામીના સમવસરણનો પ્રસંગ, ચંદનબાળાએ મૃગાવતીને આપેલા ઠપકાનો પ્રસંગ, ક્ષમાપના કરતા મૃગાવતીને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનનો પ્રસંગ ઇત્યાદિ પ્રસંગો કવિએ રસિક રીતે નિરૂપ્યાં છે.
ભાષાની દ્રષ્ટિએ કવિએ પોતાના સમયની ગુજરાત રાજસ્થાનમાં પ્રચલિત તત્કાલીન ગુજરાતી ભાષા સાથે સિંધુ ભાષાની અંદર એક ઢાલ પ્રયોજીને રાસની વિશિષ્ટતા વધારી દીધી છે." વલ્કલચીરી રાસ - સમયસુંદરે “વલ્કલચીરી રાસની રચના સં.૧૯૮૧માં જેસલમેર નગરમાં મુલતાનના શાહ કરમચંદની આગ્રહ ભરી વિનંતીથી કરી છે. એમાં કવિએ
476
Page #501
--------------------------------------------------------------------------
________________
જેનોમાં સુપ્રસિધ્ધ એવી પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને વલ્કલચીરીની કથા આલેખી છે. કવિએ આ રાસની રચના દુહા અને જુદી જુદી દેશીઓમાં લખાયેલી ઢાલમાં કરી છે. જૈન રાસાઓમાં મધ્યમકદના રાસ તરીકે જેને ઓળખાવી શકાય એવી આ રચના છે. કુલ રર૬ ગાથામાં કવિએ આ રચના કરી છે. આ રચનામાં કવિએ ઉપમાદિ અલંકારો વિવિધ જગ્યાએ પ્રયોજ્યા છે. સ્થળે સ્થળે રસિક કાવ્યમય પંક્તિઓ લખી છે.
રાસની પહેલી ઢાળમાં કવિ કથાનો આરંભ મગધ દેશની રાજગૃહી નગરીના વર્ણનથી કરે છે. નગરીનું માહાભ્ય વર્ણવતા કવિએ ભગવાન મહાવીર, ધન્ના, શાલિભદ્ર, નન્દ મણિયાર, કવન્ના શેઠ, જંબુસ્વામી, મેતાર્યમુનિ, ગૌતમસ્વામી વગેરેનાં નામ એ નગરી સાથે કેટલી ગાઢ રીતે સંકળાયેલા છે તે સચોટ રીતે દર્શાવ્યું
કથા વસ્તુ - પોતનપુર નામના નગરમાં સોમચંદ્ર નામે રાજા હતો એની રાણીનું નામ ધારિણી. એક વખત રાજારાણી મહેલમાં બેઠાં હતા તે વખતે રાજાના મસ્તક પર સફેદ વાળ જોઈ રાણીએ કહ્યું. “જુઓ! કોઈ દૂત આવ્યો છે. સફેદ વાળ જોઈ રાજાએ કહ્યું. અરે! મારા પૂર્વજો તો માથામાં સફેદ વાળ આવે તે પહેલા રાજગાદીનો ત્યાગ કરી વનમાં જતા. પરંતુ હું તો હજુ મોહમાયામાં ફસાયેલો છું. શું કરું? તરત જ તેઓએ નિશ્ચય કર્યો. રાજા- રાણી પુત્ર પ્રસન્નચંદ્રને રાજગાદી પર સ્થાપી તાપસી દીક્ષા ધારણ કરી તાપસાશ્રમની ઝૂંપડીમાં રહેવા લાગ્યા. બંને તપ કરતા કરતાં પોતાના દિવસો પસાર કરતા. રાણી ગૃહસ્થાવસ્થામાં જ ગર્ભવતી હતી પરંતુ દીક્ષા લેવામાં અંતરાય થાય એટલે તેમણે તે વાત અપ્રગટ રાખી. ગર્ભકાળ પૂરો થતા રાણીએ એક પુત્રને જન્મ આપી મૃત્યુ પામ્યા. જન્મેલા બાળકને વલ્કલના વસ્ત્રમાં લપેટવામાં આવ્યું હતું એટલે પિતાએ એનું નામ “વલ્કલચીરી” રાખ્યું. વનમાં દૂધ, વનફળ વગેરે વડે ‘વલ્કલચીરી” મોટો થયો. યુવાનીમાં પ્રવેશ્યો. પરંતુ તે તદ્દન ભોળો બ્રહ્મચારી જ રહ્યો હતો. સ્ત્રી એટલે શું એની પણ એને ખબર ન હોતી.
આ બાજુ પ્રસન્નચંદ્ર મોટો થયો. સુખેથી રાજ્ય કરવા લાગ્યો. એણે એક વખત સાંભળ્યું કે માતાએ વનમાં ગયા પછી એક પુત્રને જન્મ આપ્યો છે એ હવે મોટો થઈ ગયો છે. ત્યારે ચિત્રકારોને બોલાવી જંગલમાં જઈ ભાઈનું ચિત્ર તૈયાર કરી લાવવાની આજ્ઞા કરી. ચિત્રકારો તે પ્રમાણે ચિત્ર બનાવી લાવ્યા. એ જોઈ પ્રસન્નચંદ્રને ઘણો આનંદ થયો. તે વિચારવા લાગ્યો કે, પિતાજી તો વૃધ્ધાવસ્થામાં વનમાં વૈરાગ્ય ધારણ કરી ઉત્સાહપૂર્વક તપ કરે છે. પરંતુ મારો નાનો ભાઈ તરુણ અવસ્થામાં આવું કષ્ટ ઉઠાવે અને હું રાજસુખ ભોગવું તે યોગ્ય નથી. એટલે પ્રસન્નચંદ્ર રાજાએ કેટલીક કુશળ વેશ્યાઓને બોલાવી કહ્યું “તમે વનમાં જાઓ અને વિવિધ કળાઓ વડે મારા ભાઇનું મન આકર્ષી અહીં લઈ આવો”. વેશ્યાઓ જાય છે. અને વિવિધ કળાથી
477
Page #502
--------------------------------------------------------------------------
________________
વલ્કલચીરીને આકર્ષે છે. પરંતુ સોમચંદ્ર ઋષિ આવવાના સમાચાર મળતાં વેશ્યાઓ આમ તેમ નાસી ગઇ. વલ્કલચીરી પોતનપુર જવા ઉત્સુક થાય છે. વેશ્યાને ત્યાં પૈસા આપી વલ્કલચીરી રહે છે. ત્યાં તેના લાંબા વાળ અને નખ ઉતરાવ્યા, એના શરીરને નિર્મળ, સુગંધિત કરાવ્યું, સુંદર વસ્ત્રો આપ્યા. પોતાની દીકરી સાથે એનું પાણિગ્રહણ કરાવી ઉત્સવ મનાવ્યો આ બધો અનુભવ વલ્કલચીરીને ઘણો આશ્ચર્યજનક લાગે છે. આ બધા સમાચાર વેશ્યાઓ પ્રસન્નચંદ્રને આપે છે. ત્યારબાદ પ્રસન્નચંદ્ર પોતાના ભાઈને હાથી પર બેસાડી રાજમહેલમાં બોલાવી લે છે. તેને સંસ્કાર અને શિષ્ટાચાર શીખવ્યા અને કેટલીક સુંદર કન્યાઓ પરણાવી.
આ બાજુ આશ્રમમાં વલ્કલચીરીને ન જોતા સોમચંદ્ર ઋષિને દુઃખ થાય છે અને ચિંતામાં ને ચિતામાં અંધ થઈ ગયા. જ્યારે એમને સમાચાર મળ્યા કે પોતનપુરમાં તે પોતાના ભાઇની સાથે જ છે ત્યારે તેમને સાંત્વન મળ્યું.
પોતનપુર આવીને રહે વલ્કલચીરીને બાર વર્ષ વીતી ગયા. ત્યાં તેને એકાએક આશ્રમ જીવનનો વિચાર આવ્યો. ફરી પાછા આશ્રમમાં જવાની ઈચ્છા તેમણે પ્રસન્નચંદ્ર આગળ કરી. બંને ભાઇઓ સોમચંદ્ર પાસે આવી પહોચ્યાં. હર્ષના આંસુથી પિતાનો અંધાપો ચાલ્યો ગયો.
વલ્કલચીરી કુટિરમાં ગયા ત્યાં તેમને જાતિ સ્મરણજ્ઞાન થયું અને પોતાના મનુષ્યભવ અને દેવભવનું સ્મરણ થતાં આત્માની ઉચ્ચભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતાઓએ પ્રગટ થઈ સાધુવેશ આપ્યો. વલ્કલચીરી સોમચંદ્ર અને પ્રસન્નચંદ્રને પ્રતિબોધ કરી બીજે વિહાર કરે છે.
પ્રસંન્નચંદ્રને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેઓ પાછા પોતનપુર આવ્યા. એના હૃદયમાં સંસાર ત્યાગની ભાવના પ્રબળ બનતી જતી હતી. એકવાર પ્રભુ મહાવીર પોતનપુરમાં સમવસર્યા હતા ત્યારે પ્રસન્નચંદ્ર પ્રતિબોધ પામી પોતાના પુત્રને રાજગાદી સોંપી દીક્ષા લીધી. અને ઉગ્ર તપસ્યા કરી.
ભગવાન મહાવીરે પ્રસન્નચંદ્ર રાજર્ષિની પ્રવજ્યાનું કારણ શ્રેણિક રાજાને કહ્યું ત્યાં દેવ દુંદુભિ સંભળાવા લાગી. શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો કે, આ શું થઈ રહ્યું છે? ભગવાને કહ્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ જોઈ શ્રેણિક રાજાને આશ્ચર્ય થયું. તેમણે રાજર્ષિને ફરી ફરીને વંદન કર્યા. કવિ સમુયસુંદરની રચના વલ્કલચીરી રાસ વિશે ડૉ.રમણલાલ.ચી.શાહ કહે છે.
કવિની આ કૃતિ સ્થળે સ્થળે રસિક, કાવ્યમય મારવાડીની છાંટવાળી જૂની ગુજરાતી ભાષામાં એક પ્રકારનું પ્રસાદ ગુણયુક્ત માર્દવ અને માધુર્ય અનુભવાય તેવી
478
Page #503
--------------------------------------------------------------------------
________________
(૧૬) ઉપાધ્યાય યશોવિજયજી:- મહોપાધ્યાય શ્રીયશોવિજયજી વિક્રમના સતરમા શતકમાં ગુજરાતમાં થઈ ગયેલી એક મહાન ભારતીય વિભૂતિ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્ય પછી અત્યાર સુધીના સમયમાં તેમના જેવી મહાન વિભૂતિ જૈન શાસનમાં થઈ હોયતો માત્ર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી છે, એમ કહેવાય. એમના જન્મ-સમય વિશે સર્વ માન્ય નિશ્ચિત નિર્ણય થઈ શક્યો નથી. શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદધનજી મહારાજ સમકાલીન હતા. અત્યાર સુધી સં.૧૭૪૩ના માગશર સુદ ૧૧ એમની કાળધર્મની તિથિ મનાતી અને કેટલાક જૈન પંચાગોમાં એ પ્રમાણે આપવામાં આવતી. ભાષાકીય દષ્ટિએ ઉ.યશોવિજયજી મ.સા.ની વિદ્વતા રજુ કરતા ડૉ.રમણલાલ ચી.શાહ કહે છે કે,
“શ્રીયશોવિજયજીના પોતાના હસ્તાક્ષરમાં જ લખાયેલી “જંબૂસ્વામી” રાસની પ્રતિ આપણને મળે છે. એ પરથી કવિના સમયમાં કેવી ભાષા બોલાતી હશે એનો સૌથી વધુ પ્રમાણ ભૂત ખ્યાલ આપણને મળે છે. આ રાસની રચના તેમણે સં.૧૭૩૯માં કરી છે એટલે તેઓ પ્રેમાનંદના સમકાલીન છે એમ કહી શકાય. શ્રીયશોવિજયજી મહારાજ વિદ્યાભ્યાસાર્થે કાશીમાં અને ત્યાર પછી આગ્રામાં રહ્યા હતા એટલે અને જૈન સાધુઓ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ઘણું ખરું વિહાર કરતા હોઈ. આ રાસમાં હિંદી અને મારવાડી ભાષાની છાંટ કોઈ કોઈ સ્થળે આવી છે. લાઘવ એ શ્રીયશોવિજયજીની ભાષાનું એક મહત્ત્વનું લક્ષણ છે. તેઓએ પોતાનું વક્તવ્ય મિત ભાષામાં કુશળ અને સચોટ રીતે રજુ કરે છે. એમની ભાષામાં ગૌરવ, માર્મિકતા, પ્રસાદ, માધુય જોઈ શકાય છે. શબ્દો પરનું એમનું પ્રભુત્વ આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એટલું સારું છે. એમની સર્જક પ્રતિભાની સાથે એમની વિદ્વત્ પ્રતિભાના દર્શન પણ આ રાસમાં આપણને ઘણી સારી રીતે થાય છે." યશોવિજયજી કૃત જંબુસ્વામી રાસ” વિશે ડૉ.રમણલાલ ચી.શાહ કહે છે કે,
“જબૂસ્વામી રાસ' એ યશોવિજયજીની સમગ્ર ગુજરાતી કૃતિઓમાં કદની દૃષ્ટિએ મોટામાં મોટી કૃતિ છે. તેમણે આ રાસની રચના માટે હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર”ના પરિશિષ્ટ પર્વમાં આપેલા જંબુસ્વામીના ચરિત્રનો મુખ્યત્વે આધાર લીધો છે. આમ, છતાં એકંદરે રાસનુ નિરૂપણ તેમણે પોતાની સ્વતંત્ર, મૌલિક શક્તિ અને દષ્ટિથી કર્યું છે. તેમ કરવામાં કેટલેક સ્થળે તેઓ માત્ર મૂળ કથા પદ્યમાં આપે છે અને કેટલેક સ્થળે પાત્રને બહલાવી નિરૂપણને ઊંચી કોટિ
479
Page #504
--------------------------------------------------------------------------
________________
સુધી પહોંચાડે છે. આ રાસમાં એકબાજુ ભોગવિલાસની અને બીજી બાજુ સંયમઉપશમની કથાઓ જોવા મળે છે. આમ, શૃંગાર અને શાંત બંને રસોના આલેખન કર્યા છે. આ કૃતિની રચના તેમણે એમના ગુરુ શ્રીનવિજયજીના સાનિધ્યમાં ખંભાત ચોમાસા દરમ્યાન કરી છે."
જંબુસ્વામીનું ચરિત્ર પ્રાચીન ગ્રંથોમાં આપણને ઈ.સ.ના છઠ્ઠા સૈકાના “વસુદેવ હિંડી”માં જોવા મળે છે. તેમાં જંબુસ્વામી ચરિત્ર, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રની સરખામણીમાં ઘણું જ ટૂંકમાં આપવામાં આવ્યું છે. વસુદેવ હિડીમાં જણાવ્યા પ્રમાણે શ્રીસુધર્મા સ્વામીએ શ્રી જંબુસ્વામીને વસુદેવ ચરિત્ર કહેલું હતું. તેથી “વસુદેવહિડી”માં માત્ર “કથાની ઉત્પતિ' તરીકે જંબુસ્વામીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. જંબુસ્વામી વિશે અત્યાર સુધીમાં મળતી મુખ્ય મુખ્ય ઘટનાઓ આપણે જોઈ લઇએ. કથાવસ્તુ - રાજગૃહ નગરમાં શ્રેણિકરાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં ઋષભદત્ત શાહુકાર રહેતો હતો. એની પત્ની ધારિણીને એકવાર પાંચ સ્વપ્ન આવે છે અને એ પ્રમાણે તેને પ્રભાવશાળી પુત્ર જન્મે છે. ધારિણીએ સ્વપ્નમાં જાંબુફળનું દર્શન કર્યું હતું એટલે પુત્રનું નામ જંબૂકુમાર રાખ્યું.
જંબૂકુમાર યુવાવસ્થામાં આવ્યા ત્યારે એકવાર સુધર્મા સ્વામી પાસે વંદન કરવા જાય છે. તેમનો ઉપદેશ સાંભળી દીક્ષા લેવા પ્રેરાય છે. માતાપિતા જંબૂકુમારને દીક્ષા ન લેવા સમજાવે છે. જવાબમાં તે માતાપિતાને સુધર્મા સ્વામીએ કહેલ કથા સંભળાવે છે. ત્યાર પછી, માતાપિતાના આગ્રહથી દીક્ષા લેતા પહેલા પાણિગ્રહણ કરે છે. આઠ શ્રેષ્ઠી કન્યાઓ સાથે તેમનો વિવાહ કરવામાં આવે છે.
જંબૂકુમાર લગ્નની પ્રથમ રાત્રિએ તે આઠે કન્યાઓને પ્રતિબોધ કરે છે. આ વાત ત્યાં ચોરી કરવા આવેલ પ્રભવ ચોર સાંભળે છે. પ્રભવ ચોર અને તેના સાથીઓ જંબૂકુમારના શબ્દોથી નિચેષ્ટ થઈ જાય છે. તે જંબૂકુમારને દીક્ષા ન લેવા કહે છે. ત્યારે જંબૂકુમાર તેને મધુબિંદુની કથા, લલિતાંગકુમારની, કુબેરદત્તની, ગોપ યુવકની, મહેશ્વરદતની અને વણિકની કથા કહે છે.
ત્યાર પછી જંબૂકુમાર, તેમના માતાપિતા, પત્નીઓ, પ્રભવ ચોર અને તેના સાથીઓ સુધર્મા સ્વામી પાસે દીક્ષા લે છે. ત્યારબાદ તેમાં જંબૂકુમારના પૂર્વભવની કથા પણ આવે છે.
480.
Page #505
--------------------------------------------------------------------------
________________
આમ, વસુદેવહિંડીની કથા પછીના સમયમાં વિકાસ પામે છે. તેમાં નવી દેષ્ટાન્ત-કથાઓ પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષરૂપે ઉમેરાતી જાય છે. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કથાઓ એવી રીતે આવે છે કે જેમાં આઠ કથાઓ આઠ કન્યા તરફથી કહેવામાં આવે છે. તેના જવાબમાં આઠ કથાઓ જંબૂસ્વામી તરફથી કહેવામાં આવે છે. એ રીતે સોળ કથાઓ ઉમેરાયેલી આપણને જોવા મળે છે. સોળમાંથી કનકસેનાની દલીલના જવાબમાં જંબૂસ્વામી એ કહેલી ‘વાનરની કથા’, નાગશ્રીની દલીલના જવાબમાં એમણે કહેલી ‘લલિતાંગકુમારની કથા' વસુદેવહિંડીમાં આવી જાય છે. એટલે ચૌદ વધુ કથાઓ ઉમેરાય છે. આ ચૌદ કથાઓના મૂળ પૂર્વેની કંઇ કૃતિઓમાં રહેલાં છે એ સંશોધનનો રસિક પ્રશ્ન છે.
આમ, અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રમાં પોતાનું મૂલ્યવાન અર્પણ કરનાર ઉપાધ્યાય શ્રીયશોવિજયજી આપણા મહાન જયોતિર્ધર છે. તાર્કિક શિરોમણિ, સ્મારિત શ્રુતકેવલી, લઘુહરિભદ્ર, દ્વિતીય હેમચન્દ્ર, યોગવિશારદ, સત્યગવેષક, સમય વિચારક, ‘ŕ' બીજ મંત્ર પદના પ્રસ્થાપક, ‘કુર્ચાલી શારદ’ (પુરુષરૂપે અવતરેલ મૂછવાળી સરસ્વતી) બિરુદ પામેલા, મહાન સમન્વયકારક, પ્રખર નૈયાયિક, વાદીમદભંજક, શુધ્ધાચાર ક્રિયાપાલક, દ્રવ્યાનુયોગનો દરિયો ઉલ્લંઘી જનાર ઇત્યાદિ શબ્દો વડે જેમને બિરદાવવામાં આવે છે એવા મહાન જ્યોતિર્ધર શ્રીયશોવિજયજીને આપણા કોટિશઃ વંદન હો !૧૪
ઉપસંહાર
આ પ્રકરણમાં મધ્યકાલીન જૈન કથાઓની સવિસ્તર માહિતી આપવામાં આવી છે. આગમ અને આગમેતર કથાઓનો કાળ પૂર્ણ થયા પછી બારમી સદીથી ૧૮મી સદીના સમયમાં જૈન સાધુ કવિઓએ વિપુલ પ્રમાણમાં જૈન સાહિત્યનું ખેડાણ કર્યું
છે.
મધ્યકાલીન જૈન સાહિત્યમાં ૧૨મી સદીમાં દેવભદ્રસૂરિએ કથારત્નકોશ રચ્યો. જે ધર્મકથાઓનો મહાન ગ્રંથ છે. ૧૨મી સદીમાં જિનેશ્વરસૂરિ કૃત કથાકોશ પ્રકરણ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ૧૨મી સદીમાં રચાયેલ પૃથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્ર પણ અદ્ભુત કૃતિ છે. વિ.સં.૧૧૭૦માં રચાયેલ ભવભાવના પ્રકરણમાં બાર ભાવનાઓનું સુંદર વર્ણન મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિએ કર્યું છે.
૧૩મી સદીમાં હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર અદ્વિતીય, અજોડ
481
Page #506
--------------------------------------------------------------------------
________________
કૃતિ છે. ૧૩મી સદીમાં રચાયેલ ગ્રંથ “કુમારપાળ પ્રતિબોધ'માં હેમચંદ્રસૂરિએ કુમારપાળ રાજાને વિવિધ કથા દ્વારા બોધ આપ્યો, તેનું વર્ણન છે. ૧૩મી સદીમાં રચેલ અમમસ્વામી ચરિતમાં ભાવિ તીર્થકર અમમસ્વામીનું ચરિત્ર નિરૂપવામાં આવ્યું છે. ૧૩મી સદીમાં માલધારી દેવપ્રભસૂરિએ જેને મહાભારતનું નિરૂપણ કર્યું, જેનું નામ પાંડવ ચરિત્ર” રાખ્યું છે. આ ગ્રંથ વિસંગતિના કલંકથી મુક્ત છે. ૧૩મી સદીમાં રચાયેલ ધર્મરત્નપ્રકરણમાં શ્રાવક અને સાધુના સંબંધથી બે પ્રકારના ધર્મરત્ન કહેલ છે. કથાતત્વથી ભરપુર આ ગ્રંથ છે.
૧૪મી સદીમાં રચાયેલ ગ્રંથ શીલોપદેશમાલાના કર્તા જયકીર્તિસૂરિજી છે. આ ગ્રંથમાં શીલનું મહત્વ સમજાવવા અનેક દૃષ્ટાંતો છે.
૧૬મી સદીમાં રચાયેલ ગ્રંથ પ્રદ્યુમ્ન ચરિત્ર પણ સુંદર કૃતિ છે. જેમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનું જીવન નિરૂપાયું છે.
૧૭મી સદીમાં રચેલ પાંડવપુરાણ ગ્રંથમાં પાંડવોની રોચક કથાનું આલેખન છે. ૧૭મી સદીમાં રચેલ કથીરત્નાકરમાં ૨૫૮ કથાઓ છે. જેમાં શૃંગારથી લઇને વૈરાગ્ય સુધીના વિચારો અને ભાવોનો સમાવેશ થાય છે. ૧૭મી સદીમાં રચાયેલ તરંગવતી ગ્રંથ પણ શ્રેષ્ઠ કૃતિ છે.
આ ઉપરાંત સર્વ કૌમુદી ગ્રંથ જેમાં શ્રેણિક રાજાને કહેલી કથાનું આલેખન છે. તે પણ અદ્ભુત કૃતિ છે. અવધિજ્ઞાની ધર્મદાસ ગણિ રચેલ કૃતિ ઉપદેશમાળા કથારસથી ભરપૂર ગ્રંથ છે. જેમાં એક વત્સલ પિતા પોતાના પુત્રને વાત્સલ્યસભર જે હિત વચનો કહે છે તે દષ્ટાંતો દ્વારા નિરૂપ્યા છે.
આમ, આવા ગ્રંથોના વાંચનથી વૈરાગ્યની પુષ્ટિ થાય છે.
આ ઉપરાંત મધ્યકાલીન યુગમાં રાસાઓ, બારમાસી, ફાગુની જે રચનાઓ થઈ તેના વર્ણન પણ આ પ્રકરણમાં છે. મધ્યકાલીન રાસા અત્યંત લોકપ્રિય મનાતું હતું. તેમજ શ્રીપાળ રાજાનું ચરિત્ર, ધન્ના-શાલીભદ્ર ચરિત્ર, માનતુંગ-માનવતી ચરિત્ર, ઋષિદત્તા ચરિત્ર, નળદમયંતી, જંબુસ્વામી ચરિત, ચિત્રસેન-પદ્માવતી ચરિત્ર, યશોધર ચરિત્ર, સુરસુંદરિ ચરિત્ર, વિવિધ સતીઓના ચરિત્ર, મુનિ પતિ ચરિત્ર, શ્રી ચંદ્રકેવલી રાસ, મધ્યકાલીન જૈન કવિઓ તેમજ તેમણે રચેલી જેન કથા કૃતિઓ આદિના વર્ણન આ પ્રકરણમાં આલેખ્યાં છે.
482
Page #507
--------------------------------------------------------------------------
________________
પાદનોંધ
ગ્રંથ
કર્તા/સંપાદક
પાના નં
દેવભદ્રસૂરિ
૪૬૨
૧. કથાર–કોષ
જૈનસાહિત્યનો બૃહદ ઇતિહાસ ભાગ-૬
૧૭૪,૧૭૫ ૧૭૬
માલધારી આ.હેમચંદ્ર
૫,૬,૮,૧૧
ભવભાવના પ્રકરણ ભાગ-૧,૨
હેમચંદ્રાચાર્ય
ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર
ધર્મકથાનુયોગ ૮. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ
મુનિશ્રીકયાલાલજી પહેલુ પર્વ,સર્ગ-૨
૧૬,૧૭,૧૮
૧૦૬ ૧૨૭થી૧૩૧
૧૦. ધર્મકથાનુયોગ મુનિશ્રી કન્ડેયાલાલજી ૧૧. શ્રીઅષ્ટાપદ મહાતીર્થ રજનીકાંત શાહ ૧૨. જૈન સાહિત્યનો બૃહદ્ ગુલાબચંદ્ર ચૌધરી
ઇતિહાસ ભા-૬ ૧૩. જૈન ગુર્જર કવિઓ ભા-૭ મોહનલાલ દલીચંદ
દેસાઈ ૧૪. જૈન રત્ન ચિંતામણિ નંદલાલ દેવલુક ૧૫. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ હેમચંદ્રાચાર્ય
૨૨૩થી૪૩૬
૭૫૩
૧થી ર૦૫
ચરિત્ર
પ્રથમ
૧૬૪
૧૬. જૈન તીર્થકરોના જન્માક્ષર રજનીકાંત લક્ષ્મીચંદ ૧૭. શ્રી અષ્ટાપદ મહાતીર્થ રજનીકાંત શાહ ૧૮. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ હેમચંદ્રાચાર્ય ૧૯. ત્રિ.શ.પુ.ચ
હેમચંદ્રાચાર્ય, જશવંતલાલ ગિરધરલાલ
૨૦૬થી૩૨૪
૧થી૧૭
ર૦. ,,
,,
૧૮થી૨૫
483
Page #508
--------------------------------------------------------------------------
________________
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૫.
૩૧.
૨૬.
૨૭. ત્રિ.શ.પુ.ચ
૩ર.
33.
૨૮.
૨૯. ત્રિ.શ.પુ.ચ
૩૦.
૩૪.
૩૫.
૩૬.
""
૩૭.
""
૩૮.
""
""
""
""
,,
..
""
""
""
૩૯.
૪૦. જૈન રત્નચિંતામણિ ૪૧. ત્રિ.શ.પુ.ચ
""
,,
૪૨. શ્રમણ મહાવીર
૪૩.
૪૪. મહાવીર કથા
""
""
૪૫. જગદુધ્ધારક ભગવાન મહાવીર
:
""
હેમચંદ્રાચાર્ય, જશવંતલાલ
ગિરધરલાલ
હેમચંદ્રાચાર્ય, જશવંતલાલ
""
""
""
3
"
નંદલાલ દેવલુક
હેમચંદ્રાચાર્ય, જશવંતલાલ
ગિરધરલાલ
આચાર્ય મહાપ્રજ્ઞ
ગોપાળભાઇ જીવાભાઇ
પટેલ
અંબેલાલ જોશી
484
૨૬થી૩૬
૩૭થી૪૫
૪૬થી૫૧
પરથી૫૭
૫૮થી૬૫
૬૬થી૭૧
૭૨થી૧૦૭
૧૧૦થી૧૨૫
૧૨૬થી૧૩૫
૧૩૬થી૧૪૯
૧પ૦થી૧૬૫
૧૮૫થી૨૦૩
૨૬૪થી૨૬૯
૨૭૦થી૨૮૫
૨૯૫થી૩૦૫
૩૦૬થી૩૧૬
૧૫૪થી૧૫૮
૧૬૩થી૩૬૦
૩૮૬થી૩૯૮
સર્ગ ૧થી૧૪
૫
૬
૧૨૩,૧૩૭
પ્રસ્તાવના
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૬.
૪૭.
૪૮. ધર્મકથાનુયોગ
૪૯.
૫૦.
૫૧.
પર.
૫૩.
૫૪.
૫૫.
૫૬.
૫૭.
૫૮.
૫૯.
,,
""
૬૦.
૬૧.
સર્વસંગ્રહ ગ્રંથ
૬૨. લબ્ધિ વાર્તા વિહાર
૬૩.
૬૪. મહાભારત ભાગ-૧
ભાગ-૨
મહાભારતનો મર્મ
૬૫.
૬૬.
૬૭. જૈન મહાભારત ભાગ-૧
""
""
,,
૯.
૭૦. મહાભારતનું પાત્રા લેખન ૭૧. મહાભારતનો મર્મ
""
..
૭૨. મહાભારતનું પાત્રા લેખન ૭૩. મહાભારતનો મર્મ
..
મુનિ કહૈયાલાલ, ચતુર્થ સ્કંધ
""
પ્રા. ભટ્ટ
..
44
પં.ચંદ્રશેખર વિજયજી
""
,,
""
""
મનુભાઇ પંચોલી
પં.ચંદ્રશેખર વિજયજી
,,
""
મનુભાઇ પંચોલી
પં.ચંદ્રશેખર વિજયજી
મનુભાઇ પંચોલી
485
૨૯.૩૦
૪૦૧
૮૩થી૮૮
૮૯થી૧૦૨
૧૦૨થી૧૧૩
૧૧૪થી૧૨૦
૧૨૦થી૧૨૮
૧૨૮થી૧૩૪
૧૩૫થી૧૪૦
૧૪૦થી૧૫૫
૧૫૫થી૧૬૫
૧૬૫થી ૧૬૯
૧૩૧થી૧૭૫
૧૭૬થી૧૮૦
૧૮૧થી૧૮૪
૮૮૦થી૮૮૪
૨૨૫થી૨૩૦
૧૮૭થી૨૦૧
૯,૧૦
૧૫,૧૬
૯
૪૩
૪૭
૫૧
૪૮
૨૫
૩૧,૩૨
૪૯
Page #510
--------------------------------------------------------------------------
________________
૭૪.
૭૫. જૈન મહાભારત ભાગ-૧
૭૬. મહાભારતનું પાત્રા લેખન
..
૭૭. જૈન મહાભારત ભાગ-૧
૮૦. તરંગવતી
૮૦/૧.ઉપદેશમાળા ગ્રંથ
૮૧. ગુજરાતી મઘ્યકાલીન સાહિત્ય
૭૮. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૬
૭૯.
૮૨.
૮૩. સાહિત્ય સૌરભ ગ્રંથ-૪
""
૮૪.
૮૫. જૈન કાવ્ય સાહિત્ય
૮૬.
૮૭. જૈન ગુર્જર કવિઓ ભા-૭
૮૮. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ
૮૯.
૯૦. જૈન ગુર્જર કવિઓ ભા-૭
૯૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભા-૬
૯૨. જૈન સાહિત્યની કથાઓ
""
પં.ચંદ્રશેખર વિજયજી
પં.ચંદ્રશેખર વિજયજી
૯૩. નલાયન, શ્રીમાણિક્ય સૂરિ,
૯૪. જૈન કાવ્ય સાહિત્ય
પં.ચંદ્રશેખર વિજયજી
ગુલાબચંદ્ર ચૌધરી
નેમિચંદ્રગણિ
ધર્મદાસ ગણિ
અનંતરાય રાવળ
ડૉ.રમણલાલ શાહ
ગુલાબચંદ્ર ચૌધરી
મો.દ.દેસાઈ
ભા-૬
મો.દ.દેસાઈ
ગુલાબચંદ્ર ચૌધરી
જીવનલાલ છગનલાલ
સંઘવી
જિનશાસન આરાધના ટ્રસ્ટ
ગુલાબચંદ્ર ચૌધરી
486
૪૨,૪૩
૧૪૨
૫૯,૬૦,૬૨
૬૩,૭૧
૧૫૦,૧૫૨
૧૫૮,૧૬૦
૧૭૨
૧૪૪થી૧૪૮
૫૦,૫૨,૫૩
૫૪,૫૫
૯થી૧૩
પ્રસ્તાવના ૪
૩૫
૩૯થી૪૮
૨૧૪
૨૧૫થી૨૬૧
૨૯૧,૨૯૨,૨૯૩
૨૯૪
૨૨૩થી૪૩૬
૧૬૮,૧૬૯,૧૭૦
૩૫૫,૩૫૬
૨૨૩થી૪૩૨
૩૪૬
૨૩થી૪૧
૧૫૪,૧૫૫
Page #511
--------------------------------------------------------------------------
________________
૩૪૯
ગુલાબચંદ્ર ચૌધરી
૩૫૪
૫. જે.સા.બુ.ઈ.,ભાગ-૬ ૯૬. જે.સા.બુ.ઇ ,, ૯૭. જે.સા.બુ.ઇ. ભા-૬ ૯૮. જેન કાવ્ય સાહિત્ય ૯૯. જે.સા.બુ.ઇ.ભા-૬
૩૫૧
૨૮થી૨૮૫
૩૪૭,૩૪૮
૧૦૦.
,
૩૫૦
૧૦૧.
૩૫૮
૩પ૯
૩૫૮
૩૬૦
૩૬૦
૨૨૩થી૪૩૨ ૨૯થીર૯૮
૧૦૨. , ૧૦૩. ,, ૧૦૪. ,, ૧૦૫. , ૧૦૬. જૈન ગુર્જર કવિઓ ભા-૭ ૧૦૭. શૈ.સા.બુ.ઈ.ભા-૬ ૧૦૮. શ્રીચંદ્રકવલીનો રાસ ૧૦૯. સાહિત્ય સૌરભ ગ્રંથ-૪ ૧૧૦, ,, ૧૧૧. ,, ,, ૧૧૨. ,, , ૧૧૩. ,, ,, ૧૧૪. ,, ,
મો.દ.દેસાઈ ગુલાબચંદ્ર ચૌધરી પં.કપૂરચંદ વાયા ડૉ.રમણલાલ શાહ
૮૫થી૯૪ ૯૫થી૧૦૫
૧૦૬થી૧૧૫
૧૫૩
૧૪૩,૧૪૪
૧૩૮
487
Page #512
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૪
અર્વાચીન કથા સાહિત્ય
જૈન કથા સાહિત્ય એટલે વિપુલ કથા સાહિત્ય. જો કે ભારતભરમાં કથા સાહિત્ય બહોળા પ્રમાણમાં ખેડાયેલ છે. પ્રારંભની જેન કથાઓ, આગમ કથાઓ અને આગમેતર કથાઓના વિભાગ કરી શકાય. મધ્યકાલીન કથા સાહિત્ય એટલે બારમીથી અઢારમી સદીના સમયમાં લખાયેલ કથા સાહિત્ય. જેમાં મુખ્યત્વે વિપુલ પ્રમાણમાં કથા સાહિત્ય પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત કથાઓને ઉપયોગમાં લઇ રાસા, ફાગુ, બારમાસી વગેરે મળે છે. અને સૌથી અંતિમ તબક્કામાં એટલે ૧૯મી સદીના પ્રારંભથી જે કથા સાહિત્યનું નિર્માણ થયું તેને આપણે અર્વાચીન કથા સાહિત્ય (જૈન) કહી શકીએ.
આ કથાઓનું સર્જન કરનાર મોટે ભાગે સાધુ લેખકો છે અને કેટલાક શ્રાવકોએ પણ જૈન કથા સાહિત્યમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. ઉપરાંત કેટલીક સ્ત્રીઓએ પણ પોતાની વાર્તાઓ દ્વારા જેન કથા સાહિત્યમાં પોતાનું આગવું પ્રદાન કર્યું છે.
ઉપદેશ પ્રાસાદ ગ્રંથ
૧૯ મી સદી
સંવત-૧૮૮૩ શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથ માત્ર ઉપદેશાત્મક ગ્રંથ નથી પરંતુ સ્થાને સ્થાને શાસ્ત્રીય પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો, બોધદાયક કથાઓ વગેરેનો સમાવેશ કરી ગ્રંથને બોધક અને રોચક બનાવવામાં આવ્યો છે. દરેક સાધકને તેમાંથી સાધના માટેનું બળ મળે તેવો ગ્રંથ છે.
આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગ તથા કથાનુયોગનું અદ્ભુત સંમિશ્રણ છે. પહેલા સિધ્ધાંત અને પછી સિધ્ધાંતને હૃદયમાં સ્થિર થવા દૃષ્ટાંતો આપેલ છે. આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ છે.
તેમણે આ ગ્રંથરૂપ પ્રાસાદના ર૪ સ્તંભો કલ્પી દરેક સ્તંભની પંદર-પંદર હાંશ કલ્પી છે. આ રીતે વર્ષના દિવસ પ્રમાણ ૩૬૦ વ્યાખ્યાનો રૂપ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે.
આ ગ્રંથને અત્યુપયોગી જાણીને તેનું ગુજરાતી ભાષાતર ઘણા વર્ષો પહેલા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ.શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ
488
Page #513
--------------------------------------------------------------------------
________________
અથાગ પ્રયત્નપૂર્વક ચીવટથી કરીને પ્રકાશિત કરેલ. ત્યારબાદ રત્નત્રયી ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું. ઉપદેશપ્રસાન ગ્રંથમાં આલેખાયેલા વિષયો વિશે આ શ્રી વિજયલક્ષ્મી સૂરિ લખે છે,
આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશ બોધનો છે. દરેક વસ્તુને દૃષ્ટાંતથી સમજાવતાં વિશેષ દઢ થાય છે. આ શૈલી ગ્રંથકારે અહીં અપનાવી છે. સમકિત, સમકિતના ૬૭ બોલ, શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, તે બધા વ્રતના અતિચારો, ધર્મના ચાર ભેદ-દાન, શીલ, તપ, ભાવ, તીર્થયાત્રા અને તેનું ફળ, જિનપૂજા, જિનમૂર્તિ, જિનચૈત્ય, દેવદ્રવ્ય ભક્ષણના માઠા ફળ, તીર્થકર ભગવાનના પાંચ કલ્યાણકોનું વર્ણન, છ આરાનું સ્વરૂપ, દીપોત્સવી, જ્ઞાનપંચમી આદિ પર્વોનું વર્ણન, પાંચ સમવાય કારણ, નવ નિહ્નવ, અંતરંગશત્રુઓ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચારનું સ્વરૂપ, યશોવિજયજી ઉપાધ્યાયના ૩ર અષ્ટકોનું વિવેચન વગેરે વિષયો ઉપર ટૂંક વિવેચન કરી નાના- મોટા દષ્ટાંતોથી અસરકારક વ્યાખ્યાન આપેલા છે.'
ગ્રંથની ઉપયોગિતા માટે દરેક ભાગના અંતે કથાઓ તથા દેખાતોની વર્ણાનુક્રમણિકા આપી છે. આથી દૃષ્ટાંત શોધવું સહેલું પડે. ભાગ:૧માં ૬૧ વ્યાખ્યાનોમાં એકંદરે પ૭ કથાઓ આપેલી છે. ભાગરમાં ૭૪ વ્યાખ્યાનમાં (વ્યા.૬ર થી ૧૩૫)માં શ્રાવકના પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત ઉપર વિસ્તારથી વર્ણન કરેલ છે. આમાં ૧૦૦ કથાઓનો સમાવેશ કરેલ છે. ભાગ-૩માં (સ્તંભ ૧૦ થી ૧૪) (વ્યાખ્યાન ૧૩૬ થી ર૧૦) ૭૫ વ્યાખ્યાનમાં શ્રાવકના ચાર શિક્ષાવ્રત છે. એકંદરે આ ભાગમાં નાની મોટી ૧૦૦ કથાઓનો સમાવેશ કરેલો
ભાગ-૪માં (તંભ ૧૫ થી ૨૩) વ્યા.ર૧૧ થી ૨૮૫. ભાગ-પમાં (સ્તંભ ર૦ થી ર૪) (વ્યાખ્યાન ર૮૬ થી ૩૬૧) ૭૬ વ્યાખ્યાનોમાં નાની મોટી ૮૦ કથાઓ છે. તપાચાર-વીર્યાચારનું સ્વરૂપ, યશોવિજયજી કૃત જ્ઞાનસાર ગ્રંથના ૩ર અષ્ટકો ઉપર ૩૮ વ્યાખ્યાન, અનિત્યાદિ ચાર ભાવના, હોળી પર્વનું સ્વરૂપ તથા તેની ઉત્પત્તિની કથા, કરકંડુ-દ્વિમુખ-નગ્નતિ-નમિરાજર્ષિ એ ચાર પ્રત્યેકબુધ્ધનું વર્ણન, અંતિમ કેવળી શ્રી જંબુસ્વામી ચરિત્ર તથા શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર આપેલું છે. પ્રસંગોપાત, શ્રાવકના બાર વ્રતોના પ્રાયશ્ચિત, સોપક્રમ-નિરુપક્રમ આયુષ્ય, મહાવીર ભગવાને નંદન ઋષિના ભવમાં ભાવેલી સંલેખનાની ભાવના,
489
Page #514
--------------------------------------------------------------------------
________________
કર્મની વિચિત્રતા વગેરે વિષયો ચર્ચેલા છે. છેલ્લે શંત્રુજય તીર્થનું માહાત્મ્ય તથા વંદના અને ગુરુ પટ્ટાવલી આપેલી છે. આ ઉપદેશ પ્રાસાદને મહેલરૂપે ગણી તેના અવયવોનું વર્ણન તથા ગ્રંથ પૂર્ણતારૂપે પ્રશસ્તિ આપેલ છે.
આ ગ્રંથ સંવત ૧૮૮૩ના કાર્તિક સુદી પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ થયો છે.
શ્રી ઉપદેશપ્રસાદ ભાષાંતર-ભાગ ૧ અહંકારી ભટ્ટની કથા, નંદિષણનું દ્રષ્ટાંત (સમકિત), અગ્નિભૂતિનું દ્રષ્ટાંત, નિગ્રન્થ (અનાથી) મુનિની કથા, અભયકુમારનું ધ્રુષ્ટાંત, પદ્મશેખર રાજાની કથા, આનંદ શ્રાવકનું ઢષ્ટાંત, પાદલિપ્તસૂરિનું દ્દષ્ટાંત વગેરે કથાઓ છે.
-
ભાગ-૨ માં અઢાર નાતરાનો પ્રબંધ, અનુમોદન (છ પુત્રોની કથા), અનંગસેન સોનીની કથા, ઇલાયચી કુમારની કથા, ગુણસુંદરની કથા, જિનપાળની કથા, બ્રાહ્મણીની કથા, રોહિણીની કથા, વિજય શેઠ અને વિજયા શેઠાણીની કથા, સૂર અને ચંદ્નકુમારની કથા, વગેરે.
ભાગ-૩માં અર્હદુત્તની કથા, ચાણક્યની કથા, દ્વિમુખ મુનિની કથા, પંચાખ્ય ભારવાહક કથા, ભાનુમંત્રીનું ધ્રુષ્ટાંત, માનદેવસૂરિનું દૈષ્ટાંત, શકટાલ મંત્રીની કથા, વસુભૂતિની કથા, શ્રેણિકરાજાની કથા, સુભદ્દની કથા, સોમવસુની કથા, રોહકની કથા, સગરચક્રીના પુત્રોની કથા, વગેરે.
પૂ.આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિશ્વરજી મહારાજ (પ્રિયદર્શન):
ગરવી ગુજરાતના મહેસાણા શહેરમાં સાધુચરત મણિભાઇ અને તેમનાં શીલવતી ધર્મપત્ની હીરાબહેન રહે. તેમના બે પુત્રો કાંતિલાલ અને મૂળચંદને પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થતાં અને પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી (પછીથી આચાર્ય)મહારાજની વિરાગ-વાણી સ્પર્શી જતા દીક્ષા લેવાની ભાવના જાગી. તેમાં સં.૨૦૦૭ના મહા સુદ-૬ને દિવસે સુરતમાં દીક્ષા અંગીકાર કરીને કાંતિલાલ મુનિ શ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ બન્યા અને સં.૧૯૮૯ ના શ્રાવણ સુદ -૧૨ને દિવસે જન્મેલા મૂળચંદ સં.૨૦૦૭ના પોષ વદ પાંચમે દીક્ષા અંગીકાર કરીને, રાણપુર મુકામે, પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્યમુનિ શ્રી ભદ્રગુપ્તવિજયજી બન્યા.
બંને બંધુ મુનિઓની સંયમયાત્રા પૂ.ગુરૂવર્યોની નિશ્રામાં આગળ વધવા લાગી. બંને આગમ, પ્રકરણોના ઊંડા જ્ઞાતા બન્યા. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત-ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન અને કાવ્ય સાહિત્યનો અભ્યાસ કર્યો. મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજને નાનપણથી જ લેખન અને પ્રવચનનું કૌશલ્ય
490
Page #515
--------------------------------------------------------------------------
________________
વરેલું હતું. મુનિ જીવનમાં એનો ખૂબ વિકાસ થતો ચાલ્યો. પૂજ્યશ્રી પ્રવચનકાર તરીકે સમુદાયમાં આદરપાત્ર બન્યા. સાથોસાથ સાહિત્ય સર્જનની કુશળતા અને તત્પરતાના ગુણો પણ વિકાસ પામ્યા. મહાપંથનો યાત્રી નામના પુસ્તકથી વીસવરસની ઉમરે આરંભાયેલી તેઓશ્રીની લેખન યાત્રા આજે સોળેક જેટલા પુસ્તકોનું સર્જન કરીને અવિરત-અપ્રમત ચાલી છે. પૂજ્યશ્રીએ જ્ઞાનસાર, પ્રશમરતિ, જેવા ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની વિવેચના, ‘જૈન રામાયણ’ જેવી સુદીર્ઘકથા તેમજ વાર્તાઓ, કાવ્યો આદિ જાતજાતનું મૌલિક સાહિત્ય સર્જ્યું છે. પૂજ્યશ્રીએ આ સાહિત્યની રચના ગુજરાતી, હિંદી, અંગ્રેજી ઇત્યાદિ ભાષાઓમાં કરી. મહેસાણાથી વિશ્વકલ્યાણ પ્રકાશન દ્વારા વર્ષોથી આ સાહિત્યગંગા વહી. અરિહંત નામક હિંદી માસિકમાં પૂજ્યશ્રીનાં પ્રવચનો તથા કથાસાહિત્ય પીરસાયું. પૂજ્યશ્રીનો પ્રેમાળ સ્વભાવ, પ્રસન્ન અને મૃદુ વ્યક્તિત્વ,સંઘશાસન માટે બહુજન હિતાય-બહુજન સુખાય વિવિધ પ્રવૃત્તિઓ કરવી એ તેઓશ્રીનાં જીવનના આદરણીય પાંસા હતાં. વિશેષ કરીને, નાના બાળકો અને ઊગતી પેઢી માટે સંસ્કાર સિંચનની પ્રવૃત્તિઓ કરવામાં તેઓશ્રીને વિશેષ રૂચિ હતી. પ્રવચનો, વાર્તાલાપો, શિબિરો, જપધ્યાનઅનુષ્ઠાનોનાં આયોજનો દ્વારા તેઓશ્રી આવતી પેઢીને અમૂલ્ય માર્ગદર્શન આપતા રહ્યા. યોગ્યતા અનુસાર ગણિ-પંન્યાસપદ પ્રાપ્ત કરીને સં.૨૦૪૩ના વૈશાખ સુદ-૬ના શુભ દિને પૂ.ગુરૂદેવ શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજે કોલ્હાપુર મુકામે તેઓશ્રીને આચાર્ય પદે આરૂઢ કર્યા ત્યારથી પૂજ્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિધ્ધ થયા. જીવનનાં અંતઃસમય સુધી સાહિત્ય સર્જન કરતા ૧૯/૧૧/૧૯૯૯ એ અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
વિક્રમની નવમી સદીમાં આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજીએ પ્રાકૃત ભાષામાં તેર હજાર શ્લોક પ્રમાણ ‘કુવલયમાલા’ નામના મહાગ્રંથની રચના કરેલી છે. પ્રિયદર્શન દ્વારા રચાયેલ ‘રાગવિરાગના ખેલ'નું કથા વસ્તુ કુવલયમાલા ગ્રંથ આધારિત છે. કથાનો મુખ્ય નાયક કામગજેન્દ્ર છે, જે પ્રિયંગુમતિ ઉપરાંત એક બીજી શ્રેષ્ઠીકન્યા સાથે લગ્ન કરે છે. કામગજેન્દ્રના આંતરિક જીવનમાં ત્યાગ, વૈરાગ્ય રહેલા છે. મુનિશ્રી ભદ્રગુપ્તવિજયે આ કથાને ૧૨ પ્રકરણમાં વિભાજિત કરી છે. જેમાં મૂળ કથાવસ્તુને ચથાવત્ રાખી કથાને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ વિ.સં. ૨૦૩૬માં રચાયો જેમાં કામગજેન્દ્રની નિર્વાણ સુધી કથાને રજૂ કરી છે.
‘શ્રધ્ધાની સરગમ’ પુસ્તકમાં પ્રિયદર્શન જે કથાઓનો ઉલ્લેખ કર્યો છે તે ખૂબજ સુંદર બોધપાઠ સાથે આપ્યા છે. જેમાં કરૂણાદ્રષ્ટિની કથાવસ્તુ નીચે પ્રમાણે છે. કથાવસ્તુ :- એકવાર મોરાક નામના ગામમાં પ્રભુ મહાવીર પધાર્યા. ત્યારે જ્વલન
491
Page #516
--------------------------------------------------------------------------
________________
શર્મા નામના તાપસે પોતાના આશ્રમમાં પ્રભુને ચાતુર્માસ કરવાની વિનંતી કરી. પ્રભુ એ વિનંતી સ્વીકારે છે. પોતે ઝૂંપડીમાં જઇ ધ્યાન ધરતા ઊભા રહ્યા. દિવસો પસાર થયા ત્યારે પશુઓને ઘાસની તંગી પડતા ગાયો-ભેંસોના ટોળા ત્યાં ઉમટી પડ્યા અને ઘાસથી બનેલી કુટિરનું ઘાસ ખાવા લાગ્યા. ત્યારે અન્ય તાપસો પોતાની કુટિરનું રક્ષણ કરે છે પણ પ્રભુવીર તો ધ્યાનમાં મગ્ન રહે છે ત્યારે તાપસો કુલપતિ પાસે જઇ ફરિયાદ કરે છે. કુલપતિ મધુરવાણીથી આશ્રમનું ધ્યાન રાખવાનું કહે છે ત્યારે ભગવંતે વિચાર્યું કે, મારા નિમિત્તે આ જીવ અબોધિ પામે-કષાયી બને તે યોગ્ય નથી. આ રીતે પોતાના નિમિત્તે અન્યને પીડા ન થાય એ માટે તુરત જ આશ્રમનો ત્યાગ કર્યો. અન્યત્ર વિહાર કરી ગયા. કેવી કરૂણા દ્રષ્ટિ!
આ ઉપરાંત આ પુસ્તકમાં નવકારથી ભવપાર, ભગવાન મલ્લિનાથ, શિષ્ય આવા હોય, પતન અને ઉત્થાન (મેઘકુમાર), કોઢિયો, ભગવાન મહાવીર પ્રભુની દ્રષ્ટાંત કથાઓ, જ્ઞાનશ્રીનો ઉપાસક, નરવીર (જે એક સમયે રાજપુત્ર, એક સમયે ડાકૂ છે), કુમારપાળ, અહિંસાનો અરૂણોદય, દાન ભાવનું શ્રેષ્ઠ ગૌરવ, વૈરની આગ પ્રેમનો બાગ, શ્રધ્ધાના સૂર, ગિરનારના શિખરે, ગોધરાનો ઘૂઘુલ, સેનાપતિ જિનદાસ, ભાવ વિશુધ્ધિ આદિ વાર્તાઓનો સંગ્રહ છે. આ ગ્રંથ વિ.સં. ૨૦૩૫માં લખાયો.
આ ઉપરાંત પ્રિયદર્શને જૈન રામાયણ (ભાગ-૧,૨,૩), ભવના ફેરા, જીવન વૈભવ આત્મ સંવેદન, બાળકોની સુવાસ, સબસે ઊંચી પ્રેમ સગાઇ આદિ અનેક ગ્રંથ લખ્યા છે.
‘સવસે વી પ્રેમ સારૂં' પુસ્તકમાં આમ અને બપ્પભટ્ટની સ્નેહ ગાથાનું વર્ણન છે. રામ અને ૠષિ, ભોગી અને જોગી, રાગી અને ત્યાગી, સંસારી અને સાધુ બંને ધ્રુવના વચ્ચે રહેલી આ કથા બહુ મૂલ્યવાન આદર્શ રજુ કરે છે.
વિક્રમની ૯મી શતાબ્દીના પ્રારંભમાં ભાદરવા સુદ-૧૩ના દિવસે પંજાબના ડૂબા ઉધી ગામમાં પૈદા થયેલ સુરપાલ ૭ વર્ષની સુકોમલ ઉમ્રમાં તો મુનિ જીવનની કાંટાળી રાહ લે છે. એક વખત કનૌજના રાજા આમ સાથે તેમની દોસ્તી થાય છે. જૈનાચાર્ય બપ્પભટ્ટસૂરિને આમરાજા માટે અપાર સ્નેહ છે. તો રાજા આમ પણ બપ્પભટ્ટીના માટે દીવાનો હોય છે.
બપ્પભટ્ટસૂરિજીએ આમ માટે, જે કાંઇ કર્યું તે ચાપલૂસી નથી, રાજાને ખુશ રાખવાની લાલચ નથી પરંતુ અંદરની પ્રેમસગાઇ હતી.
પ્રિયદર્શનને આ કથાને હિન્દી ભાષામાં સુંદર રીતે રજુ કરી છે. તેમણે કથાને
492
Page #517
--------------------------------------------------------------------------
________________
અલગ અલગ પ્રકરણોમાં વહેંચી રજુ કરી છે. જેમકે સવારે વી પ્રેમ સારું, મૈત્રી કે વીપ, गोपालगिरी में पदार्पण, भोगी से त्यागी बढे, शंका स्नेह जलाये, फिर से मिलन: किर से खिलन, વાપસ રોપારી મૈં...... આદિ ર૦ પ્રકરણમાં રજુ કરી છે.
આજના આધુનિક યુગમાં જે રીતે બાળકો મિત્રોને બનાવી રહ્યા છે તે કુસંગતનો ભોગ બને નહિ અને મિત્રતા સેને કહેવાય એ જાણી શકે તે માટે આવી કથાઓની આવશ્યકતા છે.
પ્રિયદર્શને આ કથા દ્વારા સમાજને અણમોલ ભેટ આપી છે."
બાર વ્રતોને જે ધારણ કરે તે જ સાચો શ્રાવક કહેવાય. એ વ્રતોને ધારણ કરનાર શ્રાવક, એ વ્રતોના પ્રભાવે કેવા સુખ પ્રાપ્ત કરે છે એ જાણવા માટે ખૂબ સરળ ભાષામાં અને રોચક શૈલીમાં, વ્રતધરે-ભવતમાં કથાઓ લખાઈ છે. આમાં વ્રતનો મહિમા ગાતી પ્રાચીન વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની પરિશિષ્ટ નીચે મુજબ છે." વ્રતનો ક્રમ નામ
વાર્તાનું નામ
પાનાનું અહિંસા
સૂર્ય અને ચંદ્ર સત્ય
રાજા હંસ અચોરી
લક્ષ્મીપુંજ સ્વસ્ત્રી-સંતોષ
નાગિલ પરસ્ત્રી પરિવાર સ્થૂલ પરિગ્રહ પરિમાણ વિદ્યાપતિ દિશા પરિમાણ વ્રત સિંહ શ્રેષ્ઠી ભોગોપભોગ વિરમણ વ્રત ધર્મરાજા અનર્થદંડ વિરમણ વ્રત સુરસેન, મહાસેન
૫૯ સામાયિક
કેશરી ચોર દેશાવગાસિક મહામંત્રી સુમિત્ર
७४ ૧૧મું પૌષધ
મહામંત્રી મિત્રાનંદ ૧રમું અતિથિસંવિભાગ સુમિત્રા
આ ઉપરાંત તેમણે રચેલ “એક રાત અનેક વાતમાં જંબૂકુમારના પૂર્વ ભવોનું વર્ણન છે. જેના વિષય તેમજ કથાવસ્તુ નીચે મુજબ છે. (આ પુસ્તકની ત્રીજી આવૃતિ વિ.સં. ૨૦૬૫માં રચાઈ ).
४४
૫૨
પ
૮૨
493.
Page #518
--------------------------------------------------------------------------
________________
ક્રમ
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
(૭)
(૮)
(૯)
(૧૦)
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭)
(૧૮)
(૧૯)
(૨૦)
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
પાના નં
ભવદત્ત
ભવદેવ
વ્યથાયાની
ભવદત્તમુનિ
નાગિલા
ઘટનાયક
સાગરદત્ત
શિવકુમાર
વૈરાગીની વેદના
શિવકુમારના ઉપવાસ
કલ્યાણમિત્રઃ ધર્મેશ
સ્વર્ગવાસ
જંબૂકુમાર
જંબૂનો વૈરાગ્ય
લગ્ન નક્કી થયાં
પ્રભવ મળે છે.
પ્રભવ પ્રતિબોધ
સમુદ્રશ્રી અને પદ્મશ્રી
પદ્મસેના
કનકસેના અને નભસેના
કનકશ્રી અને કમળવતી
જયશ્રી
દીક્ષા...દીક્ષા...દીક્ષા...
સાચી પ્રીતિ
પ્રભવ જયપુરમાં
પ્રભુ સાથે પલ્લીમાં
પ્રભવની દીક્ષા
જંબુસ્વામીનું નિર્વાણ
494
૧
૪
૧૩
૨૩
૩૦
૩૯
મેં તો મેં
૫૩
૭૫
૮૨
Go
૯૬
૧૦૩
૧૧૦
૧૧૭
૧૨૬
૧૩૪
૧૪૩
૧૫૦
૧૫૭
૧૬૩
૧૭૧
૧૭૭
૧૮૪
૧૯૧
૧૯૭
Page #519
--------------------------------------------------------------------------
________________
કથાવસ્તુ
૧. ભવત્ત
સુગ્રામ નગરના બાહ્ય ઉદ્યાનમાં આચાર્ય શ્રી મહીધર મુનિ વૃંદ સાથે બિરાજમાન હતા. પ્રતિદિન હજારો નગરજનો તેમના ધર્મોપદેશ સાંભળી હર્ષ વિભોર બનતા હતા. મધુ અને શર્કરાથી પણ વધારે મધુર વાણી આચાર્ય દેવની હતી.
એક યુવક નિયમિત આચાર્ય દેવનો ધર્મોપદેશ સાંભળવા આવતો હતો. તેનુ નામ હતું ભવદત્ત. સુગ્રામના ધનપતિ રાષ્ટ્રકૂટનો એ મોટો પુત્ર હતો. ખૂબ તન્મય બનીને તે ઉપદેશ શ્રવણ કરતો હતો. ધર્મશ્રવણથી તેને વૈરાગ્ય ભાવ પેદા થયો. એક દિવસ માતા રેવતી અને પિતા રાષ્ટ્રકૂટની આગળ પોતાનો નિર્ણય જાહેર કર્યો. તેઓની આજ્ઞા મળતાં તેણે ચારિત્ર ગ્રહણ કર્યું.
ભવદત્ત મુનિ સુંદર સંયમ ધર્મનું પાલન કરે છે. સૂત્ર અને અર્થ ગ્રહણ કરી. એના પર અનુપ્રેક્ષા કરે છે. થોડા વર્ષોમાં તેઓ વિશિષ્ટ કોટિના વિદ્વાન બન્યા. ખૂબ આનંદ-ઉલ્લાસ પૂર્વક તેમની સંચમ યાત્રા ચાલી રહી છે.
૨ ભવદેવ
આચાર્ય દેવશ્રી મહીધરસૂરિ વિહાર કરતા કરતા વત્સદેશમાં પધાર્યા. વત્સદેશની રાજધાની કૌશામ્બી હતી. આચાર્ય દેવે કૌશામ્બીમાં માસ કલ્પની સ્થિરતા કરી. તેમાં એક શ્રમણ વત્સ દેશના હતા. તેમનું નામ પ્રભાસ મુનિ હતું. તેમને સમાચાર મલ્યા કે તેમના નાનાભાઇ વિલાસના લગ્નની તૈયારી ચાલે છે. તે સાંભળી પ્રભાસમુનિનું હૃદય ભાઇ પ્રત્યેની ભાવ દયાથી ઊભરાવવા માંડયું. તેમને થયું કે જઇને વિલાસને સમજાવું સંસારની અસારતા સમજાવી વૈરાગી બનાવું અને તેને દીક્ષા આપું. તેઓ શ્રીઆચાર્યજીની આજ્ઞા લઇને ભાઇને પ્રતિબોધ કરવા જાય છે પરંતુ તેમને જોતાં તેમનો ભાઇ ખિન્ન બન્યો. છતાં મુનિરાજ દુર્ભાવ કર્યા વગર ત્યાંથી નીકળી ગયા.પરંતુ ભવદત્ત મુનિને તેમના લઘુભાઇનો વિચાર પ્રવેશ્યો. ભવદત્ત મુનિની કલ્પનાસૃષ્ટિમાં લઘુભ્રાતા ભવદેવ સાકાર થયો.
મારો નાનોભાઇ વિનીત છે. મારા પ્રત્યે અપૂવ અનુરાગ છે... અમે સાથે રમેલા છે...મને એના વિના ચાલતું ન હતું. એને મારા વિના ચાલતું ન હતું...જ્યારે મેં ગૃહવાસ ત્યાગ કર્યો ત્યારે તે કેવો રહ્યો હતો ?
આચાર્ય દેવ મુનિ પરિવાર સાથે મગધ દેશ તરફ વિહાર કર્યો.
સુગ્રામ નગરમાં શ્રેષ્ઠી રાષ્ટ્રકૂટ ભવદેવનો લગ્નોત્સવ આયોજિત કર્યો છે. તે જ
495
Page #520
--------------------------------------------------------------------------
________________
નગરના શ્રેષ્ઠી નાગદત્ત અને એમની ધર્મપત્ની વાસૂકીની પુત્રી નાગિલા સાથે ભવદેવનું લગ્ન થયું. ભવદત્ત મુનિ જાણતા નથી કે ભવદેવનું લગ્ન થઇ ગયું છે. ગુરૂદેવની અનુમતિ લઇને સુગ્રામ નગરે આવે છે. એજ દિવસે ભવદેવનું લગ્ન થઇ ગયું. ભવદત્તમુનિ તેમના સંસારી ઘરે જાય છે ત્યારે ઘર-પરિવારના સભ્યો તેમના દર્શનવંદનથી ખુશ થયા. ભવદત્ત મુનિની આંખો ભવદેવને શોધતી હતી.
ભવદેવ તેની પત્નીને શણગારવામાં વ્યસ્ત હતો. ત્યાં ભવદેવે ભવદત્ત મુનિનો અવાજ સાંભળ્યો. તેના હાથ થંભી ગયા. હું હમણાં જ પાછો આવું છુ ને! એમ કહી ભવદેવ મેડી ઉપરથી નીચે પધાર્યા.
ભાઇ મુનિને જોઇ તેઓ ખુશ થયા અને ભિક્ષા વ્હોરાવી. ભવદત્તની વજનદાર ઝોળી જોઇ ભવદેવે કહ્યું કે ગુરૂદેવ! મને આ ઝોળી આપવા કૃપા કરો? હું ઉપાડી લઇશ. ભવદત્ત મુનિએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ભિક્ષાપાત્રની ઝોળી ભવદેવને સોંપી દીધી. ચાલતાં ચાલતાં ભવદત્ત મુનિએ નાનપણના સંસ્મરણો ભવદેવને યાદ કરાવ્યા. વાત વાતમાં ઉપાશ્રય આવી ગયો. જેવા બંનેને જોયા ત્યારે બીજા સાધુઓ તર્ક વિતર્ક કરવા લાગ્યા અને બોલ્યા કે-દીક્ષા આપવા જ ભાઇને લાવ્યા હશે ને?
ગુરૂદેવ પાસે આવીને ભવદત્ત મુનિ બોલ્યા કે આ મારો લઘુભ્રાતા છે તેને દીક્ષા આપીને ભવસાગરથી તારવાની કૃપા કરો. ભવદત્ત મુનિના વચનો સાંભળીને ભવદેવ સ્તબ્ધ થઇ ગયો. ક્ષણમાં વિચાર કરી લીધો ભાઇ મુનિરાજ છે. તેમનું વચન જૂઠું ન પડવું જોઇએ એમ વિચારી ગુરૂદેવને કહ્યું, સાચી વાત છે ગુરૂદેવઃ હું દીક્ષા લેવા આવ્યો છું.....ભવદેવે ગૃહવાસ ત્યજી દીધો. પરંતુ આ વૈરાગ્ય વિનાનો ત્યાગ હતો. ભાઇ પ્રત્યેનો કર્તવ્યભાવ હતો. કુટુંબીજનોને ખબર પડતાં તેઓ દોડી આવ્યા. અને તેઓએ જાણ્યું કે ભવદેવે ચારિત્રધર્મ અંગીકાર કરી લીધો છે. માતા રેવતી બેહોશ બની જમીન પર ઢળી પડી. નાગિલા પણ ચીસ પાડીને જમીન પર ઢળી પડી. ૩. વ્યથા હૈયાની
આ બાજુ પિતા ભવદેવની આગળ હૃદયની વ્યથા રજુ કરે છે. તેઓ કહે છે કે, બેટા ભવદેવ, તેં આ શું કર્યું? તારા વૃધ્ધ માતા-પિતા, નવોઢા પત્નીનો પણ વિચાર ન કર્યો? શું તારા મનમાં ઊંડે ઊંડે વૈરાગ્ય ભરેલો હતો? શું તું તારા વડીલ ભ્રાતાની રાહ જોતો હતો?
બેટા, સંયમ ધર્મને હું ઉપાદેય માનું છુ પરંતુ તારા લગ્ન પછી તો અનુમતિ આપવાનો પ્રશ્ન જ ન હતો. શું તારા અગ્રજ મુનિરાજે તારા હૃદયમાં વૈરાગ્ય પેદા કરી
496
Page #521
--------------------------------------------------------------------------
________________
દીધો? કે પછી અગ્રજનો અનુરાગ તને એ માર્ગે ખેંચી ગયો? | તારા વિના આ ઘર સૂનું સૂનું થઈ ગયું છે. સર્વત્ર ઉદાસી છવાઈ ગઈ છે. આજે હું બેસહારા બની ગયો છું-દિશા શુન્ય બની ગયો છું. અને પુત્રવધૂન? એ બિચારી પાણી વિનાની માછલીની જેમ તરફડી રહે છે-એનો વિચાર કરૂ છું ને મારું કાળજુ કંપી ઉઠે છે....બેટા તને શું કહું? તારે નાગિલાનો વિચાર તો કરવો જ જોઇતો હતો. આટલું બોલતા રાષ્ટ્રકૂટ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
રેવતી માતા પણ મનની વ્યથાને રજુ કરે છે. તે કહે છે, બેટા! તારા વિના ઘર શૂન્ય ભાસે છે. મને કાંઈ જ ગમતુ નથી... બધું જ હોવા છતાં અમે નિરાધાર બની ગયા. તે સારો મારગ જ લીધો છે છતાં પણ મારી મોહદશા મને રડાવે છે. મારો રાગ મને દુઃખી કરે છે બસ! હવે, તું સુખી રહે, આત્માનું કલ્યાણ કર. - નાગિલા પણ પોતાની વ્યથાને રજુ કરે છે. તે કહે છે હે નાથ, તું જલદી આવી જા. તું નહિ આવે તો હું જીવી નહિ શકું.....મારી વ્યથા... મારી વેદના તું કેવી રીતે જાણે? રોઇ રોઇને મારી આંખો સૂજી ગઈ છે.
શું ખરેખર! તું શ્રમણ બની ગયો છે? શા માટે? એવા કેવા સંયોગ પેદા થયા કે તારે શ્રમણ બની જવું પડ્યું? તું તો ભાઈ મુનિરાજને વિદાય આપવા ગયો હતો....તને ભાઈ પ્રત્યે અનુરાગ હોય પરંતુ તું વૈરાગી ન હતો....તારા ગયા પછી તારી રાહ જોતી હું બેસી જ રહી..... મારા જીવનમાં આ પહેલું જ દુઃખ આવ્યું....અસહ્ય દુ:ખ છે આ. .
ઓ ભગવાન!... અમારા પર પાપી દેવ રૂઠી ગયો છે.....શું તું અમારી રક્ષા નહિ કરે? તું દયાળુ છે, કરૂણાવંત છે, ઓ પ્રભુ! અમારા પર તારી કરૂણાનો ધોધ વરસાવ.....
એકાંતમાં બેઠેલા ભવદેવમુનિ રડી પડ્યા. તેઓ વિચારે છે કે, માતા-પિતા એ મને સુખ આપ્યું, મેં એમને દુઃખ આપ્યું, એમણે મને વાત્સલ્ય આપ્યું, મે તેમને વેદના આપી. એમણે મને સ્નેહ આપ્યો, મેં એમને ઉકળાટ આપ્યો....હું કુપુત્ર નીવડ્યો....હું અધમ નીવડ્યો. મેં નાગિલા સાથે વિશ્વાસઘાત કર્યો છે. મેં વચન ન પાળ્યું.
નાગિલા! મારા પ્રત્યે તું નારાજ ન થઈશ. તને દુઃખી કરવાનો મને વિચાર પણ નથી આવ્યો. તું મારા હૃદયમાં છે ને રહીશ. દેવી! તું મારી છે ને હું તારો છું. એક દિવસ હું તારી પાસે આવીશ જરૂર આવીશ.
497
Page #522
--------------------------------------------------------------------------
________________
આમ, વિચારોમાં રાત્રિના ત્રણ પ્રહર વીતી ગયા. ભવદેવ મુનિએ જોયું તો ભવદત્ત મુનિ ઉભા હતા. ભવદેવ મુનિ ઉભા થયા.... ભાઈ મુનિરાજના ચરણોમાં મસ્તક મૂકી દીધું. ભવદત્ત મુનિના ચરણો ભીંજાઈ રહ્યા હતા. ૪. ભવદત્ત મુનિ
ભવદત્ત મુનિનું હૃદય વ્યથિત હતું. ભવદેવ મુનિના મુખ પર હંમેશા ઉદાસીનતા રહેતી હતી. ભવદત્ત મુનિ વિચારે છે કે શું મેં ભવદેવના જીવન સાથે ક્રૂર વ્યવહાર તો નથી કર્યોને? મેં મારા અહંને પોષવા, રાગીને વૈરાગીના કપડાં તો નથી પહેરાવ્યા ને? મેં એના પ્રેમનો દ્રોહ કર્યો છે. આવા અનેક વિચારોથી ભવદત્ત મુનિ ચિંતાતુર બન્યા. અને સંયમમાં સ્થિર કરવા પ્રયત્ન કરે છે. ૫. નાગિલા
રેવતી અને રાષ્ટ્રકૂટ માટે ભવદેવનો વિરહ અસહ્ય બન્યો. બંને માંદગીમાં પટકાયા. નાગિલા સાસુ-સસરાની દિનરાત સેવા કરે છે. નાગિલાના હૃદયમાં પતિ વિરહની વ્યથા ભરેલી જ હતી, છતાં તે સાસુ-સસરાને આશ્વાસન આપતી રહી અને સેવા કરતી રહી.
એક દિવસ રાષ્ટ્રકૂટે નાગિલાને પાસે બોલાવી કહ્યું કે, બેટી! તું લગ્ન કરી લે....તારું જીવન સુરક્ષિત બની જશે. ત્યારે નાગલિાએ કહ્યું કે જેમ આપ આપના પુત્રને ભૂલી શકતા નથી તેમ હું પણ એમને ભૂલી શકતી નથી. એમના સિવાય આ જન્મમાં બીજો પતિ નહિ કરું. તેના સાસુ-સસરાએ તેમજ તેના માતા-પિતાએ ઘણું સમજાવી પણ નાગિલા ન માની. તે પિયર પણ જવા તૈયાર થતી નથી. નાગિલાએ પરમાત્માનું આલંબન લીધું.
પરમાત્માનાં સ્મરણ-દર્શન-પૂજન-સ્તવનમાં તેણે રસાનુભૂતિ કરવા માંડી. ધર્મચર્ચા કરવા લાગી. વૈષયિક સુખોની ઇચ્છાઓથી પણ તે સહજતાથી વિરામ પામી. આમ લગ્નના બાર વર્ષ વીતી ગયા. ૬. ઘટનાચક્ર
સમય જતાં મહિધરસૂરિજી સ્વર્ગવાસ પામ્યા. તેમના ગયા પછી ભવદત્ત મુનિ એકાએક માંદગીની પથારીએ પડ્યા. ભવદેવ મુનિ અપ્રમત ભાવથી સેવા કરી રહ્યા હતા. પૂર્ણ સમાધિ ભાવમાં ભવદત્ત મુનિ મૃત્યુ પામ્યા. ભવદત્ત મુનિનો આત્મા સૌધર્મ-દેવલોકમાં દેવ થયો.
દિવસો વીતતા શૂન્ય બની ગયેલા મનમાં નાગિલાની આકૃતિ ઉપસી આવી.
498
Page #523
--------------------------------------------------------------------------
________________
બાર-બાર વર્ષની તડપ જાગી ગઇ. તેમનું મન ધર્મક્રિયામાં લાગતું નથી. ભવદેવમુનિ વિહ્વળ બની જાય છે ને વિચારે છે, મેં બાર વર્ષ સુધી મહાવ્રત પાળ્યા, મોટા ભાઈને લીધે, એમના વચનની ખાતર પાડ્યા છે. મોટાભાઈ સ્વર્ગવાસી થયા છે. હવે મારે કોની ખાતર આ વ્રત પાળવાનાં! હજુ કાંઈ મોડું થયું નથી. આ સાધુવેષ ત્યજી દઉં? ઘરે જઈ એની સાથે ગૃહ સંસાર શરૂ કરી દઉં? હવે મને રોકનાર કોણ છે? મોટાભાઈ ચાલ્યા ગયા.... કોઈને ખ્યાલ ન આવે એ રીતે અહીંથી નીકળી જઇશ.
વહેલી સવારમાં ભવદેવ મુનિ ઉપાશ્રયમાંથી નીકળી ગયા. સુગ્રામ પ્રદેશે સાંજ પડતાં પહોંચી ગયા. રાત્રે એક શિવમંદિરમાં રોકાઈ ગયા. રાત ત્યાં પસાર કરી પ્રભાત થયું. ગામની સ્ત્રીઓ પાણી ભરવા કૂવા પર આવવા લાગી. દૂરથી બે સ્ત્રીઓને મંદિર તરફ આવતા જોઈ. સ્ત્રીઓ નજીક આવી ત્યારે મુનિએ રેવતી અને રાષ્ટ્રકૂટના સમાચાર પૂછયા. તેમને નાગિલાના સમાચાર પૂછ્યા. તે સ્ત્રી બીજી કોઈ નહિ નાગિલા જ હતી. પૂછ્યું તમે અહીં કેમ આવ્યા છો? ત્યારે ભવદેવ કહ્યું નાગિલાને મળવા. ત્યારે નાગિલા પોતાની ઓળખ આપી, તેમને સંયમમાં સ્થિર કરે છે. નાગિલા પણ ચારિત્રધર્મ સ્વીકાર કરે છે.
ભવદેવ મુનિ સંયમ જીવનમાં સ્થિર બની શ્રેષ્ઠ સાધુ જીવન જીવ્યા. આયુષ્ય પૂર્ણ થતાં પહેલા દેવલોકમાં દેવ થયા.
૭ સાગરદત્ત
ભવદત્ત મુનિનો સ્વર્ગવાસ, દેવલોકમાં દેવ બની દેવનું આયુષ્ય પૂર્ણ કરી પુનઃ મનુષ્ય બને છે. એ પણ મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરિકિણી નામની નગરીમાં. તે ખંડનો ચક્રવર્તી રાજા હતો વજદત્ત. તેની રાણીનું નામ હતું યશોધરા. યશોધરા ગર્ભવતી બને છે. તેને નદીમાં સ્નાન કરવાનો દોહદ ઉત્પન્ન થાય છે. અને પછી જન્મેલ પુત્રનું નામ સાગરદત્ત રાખે છે. પૂર્વ જન્મમાં અહિંસા ધર્મનું પાલન કર્યું. આથી નીરોગી શરીર અને અપૂર્વ સુખ પ્રાપ્ત થયું.
સમય જતાં સાગરદત્ત બધી કલાઓમાં પારંગત થાય છે. યૌવન કાળમાં પ્રવેશતા ઘણી બધી રાજકન્યાઓ સાથે તેના લગ્ન થાય છે. એક વાર પત્નીઓ સાથે સાગરદત્ત મહેલના ઝરૂખામાં બેઠો છે અને વાદળમાં એક વિશિષ્ટ આકૃતિ જોઈ અને થોડીવારમાં વિખરાઈ ગઈ. આ દ્રશ્ય જોઈ સાગરદત્ત વિચારોમાં ડૂબી ગયો. તેને સમજાયું કે આ સંસારના સુખ પણ ક્ષણિક છે. શાશ્વત છે આત્મા. માતા-પિતા પાસે જઈ દીક્ષાની અનુમતિ માંગે છે. આ સાંભળી તેની પત્નીઓ બેહોશ થઈ જાય છે. અમૃતસાગર નામના મુનિરાજ પાસે સાગરદત્ત દીક્ષા લે છે. શ્રમણ બની જાય છે.
499
Page #524
--------------------------------------------------------------------------
________________
આત્મભાવમાં વિચરતા અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે વીતશોકા નગરીમાં વિચરતાવિચરતા પહોંચે છે.
૮. શિવકુમાર
ભવદેવનો આત્મા આયુષ્ય પૂર્ણ થતા દેવલોકમાંથી વીતશોકા નગરીમાં પદ્મરથ રાજાની વનમાલા રાણીની કુક્ષિમાં અવતરે છે. ગર્ભકાલ દરમ્યાન રાણીને ગુફામાં જઇ ધ્યાન કરવાની તેમજ મુનિઓને દાન કરવાની ભાવના પ્રગટ થાય છે. સમય જતાં રાણી સુંદર પુત્રને જન્મ આપે છે. જે ભવદેવનો જીવ છે અને તેનું નામ શિવકુમાર રાખે છે. ભરપૂર સુખ સામગ્રીમાં શિવકુમારનો ઉછેર થયો. એકવાર શિવકુમારે હવેલીમાંથી મુનિરાજના દર્શન કર્યા. શ્રેષ્ઠીએ મુનિને ભિક્ષા આપી એ જ વખતે આકાશમાંથી હવેલીના મધ્યભાગમાં સોનામોહોરની વૃષ્ટિ થઇ. શિવકુમાર આ બધું જોઇ પ્રભાવિત થયો ને મુનિના દર્શન કરવા ઉદ્યાનમાં પહોંચ્યો. તેણે મુનિને પ્રશ્ન કર્યો કે આપના દર્શન કરી મને કેમ આનંદ થયો? શું આપણો કોઇ પૂર્વ જન્મનો સ્નેહ-સંબંધ છે?
આ મુનિરાજ હતા સાગરદત્ત! અવધિજ્ઞાનથી તેઓ શિવકુમારના પૂર્વ જન્મને પ્રત્યક્ષ જોતા હતા. તેમણે પૂર્વ જન્મની વાત કહી સંભળાવી. એ સાંભળી ભવદેવના ભવમાં સાધુજીવન જીવેલું હતું એ ગાઢ સંસ્કાર નિમિત્ત મળતા જાગી ગયા! સાથે સાથે નાગિલાનો પણ વિચાર આવ્યો. નાગિલાનો જીવ ક્યાં હશે? કઇ ગતિમાં હશે? એમ પૂછ્યું. ત્યારે સાગરદત્ત મુનિરાજે ઉપયોગ મૂકી કહ્યું કે તે વીતશોકા નગરીમાં જ જન્મ પામી છે. અને એ તારો પરમમિત્ર છે. એ છે ધર્મેશ. તેનું મૂળ નામ ધર્મ છે અને તે નાગિલાનો આત્મા છે. હવે તેને ધર્મેશને મળવાની ઇચ્છા જાગી.
૯. વૈરાગીની વેદના
નગર શ્રેષ્ઠી કામ સમૃધ્ધનો એકનો એક પુત્ર હતો હઠધર્મ. શિવકુમાર સાથે તેની અંતરંગ મૈત્રી હતી. તે રૂપવાન,બુધ્ધિમાન, પ્રિયભાષી હતો. બંને મિત્રોની એક બીજાને ત્યાં રોજની અવરજવર હતી. ધર્મેશ ગુરૂદેવો પાસેથી અર્હત્ ધર્મનું જ્ઞાન મેળવેલું હતું. શિવકુમાર પાસે એ જ્ઞાન ન હતું. શિવકુમારે પોતાના હૈયાની સઘળી વાત કરી. અને દીક્ષા લેવાના ભાવ વ્યક્ત કર્યા. શિવકુમારે ઘરે પહોંચી માતા-પિતા પાસે પણ સંયમ લેવા અનુમતિ માંગી. માતા-પિતા મૌન રહ્યા. મહેલમાં ગ્લાનિ, વેદના, સંતાપ ફેલાઇ ગયો.
૧૦. શિવકુમારના ઉપવાસ
શિવકુમારે ભૂમિશયન, મૌનવ્રત તેમજ ઉપવાસ ચાલુ કર્યો. એ જોઇ તેની પત્ની, પિતા, માતા સર્વે સ્તબ્ધ થઇ ગયા. કુમાર રંગીન કપડાં ત્યાગી, શ્વેત વસ્ત્ર
500
Page #525
--------------------------------------------------------------------------
________________
ધારણ કર્યા અને ધ્યાનમાં બેસી ગયા. એમ કરતા આઠ દિવસ વીતી ગયા. મહારાજાએ ધર્મેશને બોલાવી શિવકુમારને સમજાવવાનું કહે છે. શિવકુમાર ભાવ સાધુ બની ગયો. તેનો આત્મા ભાવ સાધુતાથી રંગાઇ ગયો.
૧૧. કલ્યાણ મિત્ર : ધર્મેશ
ધર્મેશે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા અને માતા પિતાની અનુમતિ લઇ શિવકુમાર પાસે આવી તેમને વંદન કર્યું: આ જોઇ શિવકુમારે કહ્યું આવો વિનય તો સંયમધારી મુનિવરોનો કરવામાં આવે છે. ધર્મેશે શિવકુમારને પૂછ્યું કે તમે ભોજન કેમ નથી લેતા? ત્યારે શિવકુમારે કહ્યું: મારા નિમિત્તે બનતો આહાર અશુધ્ધ કહેવાય. હું નિર્દોષ આહાર જ ગ્રહણ કરીશ. ધર્મેશે કહ્યું કે હું તમારા માટે નિર્દોષ આહાર લાવીશ. ત્યારે શિવકુમારે કહ્યું કે આ શરીરને ટકાવવા પૂરતો હું રસહીન આહાર જ કરીશ. ત્યારે ધર્મેશ તેના માટે ભિક્ષા લેવા જાય છે. આવો છે કલ્યાણ મિત્ર!
૧૨. સ્વર્ગવાસ
ભાવસાધુ બનેલા શિવકુમાર છઠ્ઠના તપને પારણે આયંબિલનો તપ કરતા રહે છે. શિવકુમાર અને ધર્મેશ વચ્ચે હંમેશા તત્ત્વની ચર્ચા રહે છે. કુમાર! કોઇપણ પ્રકારની રોકટોક વિના આરધના કરતા જાય છે. આ રીતે જીવતા બાર વર્ષ પૂર્ણ થાય છે. હવે શિવકુમાર અનશન કરે છે. મૃત્યુને મહોત્સવ બનાવી દીધું. મૃત્યુ પામી પાંચમા દેવલોકમાં જન્મ થયો. તેનું નામ રાખ્યું વિદ્યુન્નાલી.
૧૩. જંબૂકુમાર
આ દેવ આયુષ્ય પૂર્ણ થતાં ઋષભદત્ત શેઠની ધારિણી નામે સ્ત્રીના ગર્ભમાં ચ્યવે છે. ધારિણી સ્વપ્નમાં સિંહ જુએ છે. કાળ પૂર્ણ થતાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. જેનું નામ જંબૂકુમાર રાખવામાં આવે છે.
આ જ નગરમાં સમુદ્રપ્રિય નામે શ્રેષ્ઠી હતો. તેની પત્નીનું નામ હતું પદ્માવતી અને પુત્રીનું નામ હતું સમુદ્રશ્રી.
બીજો શ્રેષ્ઠી હતો સમુદ્રદત્ત. તેની પત્નીનું નામ કનકમાલા અને પુત્રી હતી પદ્મશ્રી.
ત્રીજો શ્રેષ્ઠી હતો સાગરદત્ત. તેની પત્નીનું નામ વિનયશ્રી. તેની પુત્રી હતી પદ્મસેના.
ચોથો શ્રેષ્ઠી હતો કુબેરદત્ત. તેની પત્ની ધનશ્રી અને પુત્રી હતી કનકસેના.
501
Page #526
--------------------------------------------------------------------------
________________
પાંચમો શ્રેષ્ઠી હતો કનકસેન. તેની પત્નીનું નામ હતું કનકવતી અને પુત્રીનું નામ હતું નભસેના.
છઠ્ઠો શ્રેષ્ઠી હતો શ્રમણદત્ત. તેની પત્ની શ્રીષેણા અને પુત્રી કનકશ્રી.
સાતમો શ્રેષ્ઠી હતો વસુસેન. તેની પત્ની વીરમતી અને પુત્રી કનકવતી. આઠમો શ્રેષ્ઠી હતો વસુપાલિત. તેની પત્ની જયસેના અને પુત્રી જયશ્રી.
સમય વીતતા જંબૂકુમાર ચૌવન અવસ્થા પ્રાપ્ત કરે છે. આ આઠેય શ્રેષ્ઠી પોતાની દીકરી જંબૂકુમાર સાથે પરણાવવા ઇચ્છે છે અને ઋષભદત્તની સાથે વાત કરે છે ત્યારે ઋષભદત્ત તેઓની વાતનો સ્વીકાર કરે છે.
૧૪. જંબૂનો વૈરાગ્ય
જંબૂકુમારની ઉમર સોળ વર્ષની હતી ત્યારે રાજગૃહીમાં શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટધર સૌધર્માસ્વામી પધાર્યા. તેમનો ઉપદેશ શ્રવણ કરવાથી જંબૂકુમારને વૈરાગ્ય જાગ્રત થયો. જંબૂકુમાર સંસારથી વિરક્ત બની ગયા.
૧૫. લગ્ન નક્કી થયા
જંબૂકુમારના વૈરાગ્ય જાગૃત થયાની વાત આઠેય શ્રેષ્ઠીઓને પહોંચી ગઇ. આઠેય શ્રેષ્ઠી પોતાની કન્યાના લગ્ન જંબૂકુમાર સાથે નહિ કરવાનું નક્કી કરે છે. ત્યારે શ્રેષ્ઠી કન્યાઓ જંબૂકુમારની સાથે લગ્ન કરવામાં અચલ રહે છે. તે બધા જ સુખ દુઃખ ભોગવાની તૈયારી બતાવે છે. છેવટે આઠેય કન્યાઓને જંબૂકુમાર સાથે પરણાવવાનું નક્કી થાય છે.
પ્રભુ.
પ્રભવ મળે છે. અને પ્રભવને પ્રતિબોધ કરે છે!
જયપુર નામના નગરમાં વિંધ્યરાજ રાજા હતો. તેને બે પુત્ર હતા. પ્રભવ અને
પ્રભવ પરાક્રમી હતો. પણ તેનો વ્યવહાર રૂક્ષ હતો....તે વિંધ્યરાજને પણ કટુ વચન સંભળાવી દેતો.
પ્રભુ બુધ્ધિમાન, વિનયી, વિવેકી અને વ્યવહારદક્ષ હતો. બંને પુત્રો મોટા થતાં રાજા પ્રભુનો રાજ્યાભિષેક કરવાની ઘોષણા કરે છે. જેથી પ્રભવને પોતાનું અપમાન લાગે છે. તે રાજ્ય છોડી ચાલ્યો જાય છે. અને વિંધ્ય પર્વતની ગુફાઓમાં જાય છે. ત્યાં તેને ચોગી મળે છે. યોગી તેને ઉત્તરસાધક તરીકે રાખે છે અને વિવિધ સિધ્ધિ પ્રાપ્ત કરે છે. અને પ્રભવને પણ બે વિદ્યા શીખવાડે છે.
502
Page #527
--------------------------------------------------------------------------
________________
સમય જતાં પ્રભવ આ વિદ્યાથી ચોરી કરવા લાગ્યો. તેના સાથીદાર પણ બન્યા. અને ખૂબ ધન ભેગું કર્યું. ધીમે ધીમે ૫૦૦ સાથીદાર થતા તેણે એક નાનકડું ગામ વસાવી લીધું. તે ગરીબોને ધન આપતો અને શ્રીમંતોને લૂંટતો હતો.
આ બાજુ જંબૂકુમારના લગ્ન થાય છે. આઠેય કન્યાઓ શણગાર સજી જંબૂકુમારના શયનખંડમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રભવ ચોર પણ ચોરી કરવા તેના સાથીદારો સાથે આવે છે. જંબૂકુમાર ત્યારે કુબેરદત્ત અને કુબેરદત્તાની વાર્તા કહે છે. સાંભળીને પ્રભવ પ્રતિબોધ પામે છે.
સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના, નભસેના, કનકશ્રી, કમલવતી, જયશ્રી એમ આઠેય પત્નીઓ જંબૂકુમારની વાતથી પ્રતિબોધ પામે છે.
આમ આખી રાતના વાર્તાલાપથી આઠેય રાણીઓનો વૈયિક સુખ પ્રત્યેનો રાગ ઓસરી ગયો. તેઓનો વૈરાગ્ય ભાવ જાગૃત થયો. પ્રભવ પણ દીક્ષા લેવા તૈયાર થયો. સાથે સાથે તેના સાથીદારો તેમજ આઠેય રાણીઓના માતા પિતા પણ જંબૂકુમારની સાથે દીક્ષા લેવા તૈયાર થયા. રાગના બંધનો તૂટી ગયા અને બધાએ સાથે સંયમ ગ્રહણ કર્યું.
સમય વીતતા એકવાર પ્રભવસ્વામીએ જંબુસ્વામીને પ્રશ્ન કર્યો કે આપણે કયા ઋણાનુબંધથી જોડાયા છે? ત્યારે જંબૂસ્વામીએ આગળના ત્રણ ભવોનો સંબંધ કહી સંભળાવ્યો. પ્રભવ એટલે બીજું કોઇ નહિ પરંતુ નાગિલાનો જીવ.
કાળ વીતતા જંબૂસ્વામી કેવળજ્ઞાન પામે છે અને પ્રભવસ્વામીને શાસન સોંપી પોતે એકાંતવાસ સ્વીકારી શુક્લધ્યાનમાં મસ્ત બની, આઠેય કર્મોનો નાશ કરી સિધ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
પ્રભવસ્વામી પણ ઉત્તરાધિકારી તરીકે શઅંભવસૂરિને બનાવી આયુષ્ય પૂર્ણ થતા સ્વર્ગવાસી થયા.
આમ, આ કથામાં પ્રિયદર્શને પોતાની આગવી શૈલીથી શૃંગારરસનું વર્ણન કર્યું છે અને અંતે શાંતરસમાં પરિણમન કર્યું છે. ખરેખર! તેમની કથાને રજુ કરવાની શૈલી ખૂબ જ રસપ્રદ અને સરળ છે. તેઓએ આ કથા દ્વારા તત્ત્વ પણ સરસ રીતે પીરસ્યું
છે.
ખરેખર! આ કથાનું નામ એક રાત અનેક વાત યથાર્થ છે.
503
Page #528
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ - કથા સાહિત્યના ક્ષેત્રમાં નજર કરતા શ્રીમદ્ આચાર્ય વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે ‘કથાઓ અને કથા પ્રસંગો’ પુસ્તકમાં ઉપદેશાત્મક કથાઓ રજૂ કરી છે. તેમાં અણુમાંથી મેરૂ”, “મેરૂમાંથી અણ’, ‘મહાત્મા ઇલાતીપુત્ર”, “આંધળાને આરસી”, શ્રી ગૌતમ સ્વામીજીના આઘાતનું રહસ્ય”, “ધર્મછલ’, પરણ્યાં તોય રહ્યા બ્રહ્મચારી, નવકાર અને ભીલડી”, “ધના સાર્થવાહ અને શ્રી નયસાર”, “હારની ચોરી તથા શાસન મળ્યું”, “કુમારપાળનો વિવેક”, “અરિહંત પરણે ક્યારે”, “આંખનો સંયમ કર્મનો વાદ અને દયા”, “શાહ અને બાદશાહ”, “મુસાભાઇના વા ને પાણી', ‘ચિત્રકારની ભૂમિ શુધ્ધિ”, “રાવણ અને શ્રીધરણેન્દ્ર આદિ કથાઓ આ પુસ્તકમાં અલંકૃત કરેલ છે.
- આમ આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજીએ કથા દ્વારા ભરપૂર તત્ત્વને પીરસ્યું છે. પૂ.આચાર્યશ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ:-*
પૂજ્યશ્રીનો જન્મ બારડોલી શહેરમાં થયો. પિતાનું નામ નગીનદાસ અને માતાનું નામ કમળાબહેન હતું. તેઓના ઘરે સં.૧૯૮૪ના ભાદરવા સુદ ૧ ને શુભદિને તેમનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ બારડોલીમાં લીધું. પરંતુ બાલ્યકાળથી જ ધર્મ અને તપ પ્રત્યે અને પ્રગતિ આપોઆપ વધતી રહી. પરિણામે ર૧ વર્ષની ઉમરે સં. ૨૦૦૫ કાર્તિક વદ ૧૦ને દિવસે મુંબઇમાં દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લઈને સ્વાધ્યાય મગ્ન બની ગયા. થોડા જ સમયમાં જૈન દર્શનનું સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો ઉંડો અભ્યાસ કર્યો. પહેલેથી જ લેખન પ્રત્યે અપૂર્વ રૂચિ હતી. વિદ્વદ્ ભોગ્ય શાસ્ત્ર ગ્રંથોને બાળ યોગ્ય ભાષામાં ઉતારવામાં તેઓશ્રી વિશેષ કુશળ બન્યા. શાંત સ્વભાવ અને સતત પુરૂષાર્થની ભાવનાને લીધે અવિરત લેખન અને વાંચન કાર્ય ચાલ્યા કરે છે. પરિણામે કુશળ પ્રવચનકાર પણ બની શક્યા છે. સં.ર૦ર૬ના મહા વદ પાંચમે જૂના ડીસા શહેરમાં ગણિપચાસપદ પામ્યા અને અનેકવિધ શાસન પ્રભાવના કરતા કરતા, સં.ર૦૩૧ના મહા સુદ પાંચમે અમદાવાદ સાબરમતીમાં આચાર્ય પદથી અલંકૃત કર્યા.
બારડોલી સંઘની વિનંતીને ધ્યાનમાં રાખી ૩૬ વર્ષે પ્રથમવાર જન્મભૂમિ બારડોલીમાં ચાર્તુમાસ માટે પધારતાં આખા ગામમાં આનંદ છવાઈ ગયો. પૂજ્યશ્રીનું સંપૂર્ણ જીવન ગુજ્ઞામય છે. ગુરૂનિશ્રામાં જ પ્રવજ્યાના પંથે આગેકૂચ કરી રહ્યા છે. પોતાને કઠિન પ્રશ્નો હલ કરવાની સૂઝ-સમજણ હોવા છતાં, ગુરૂ મહારાજને પૂછીને જ કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપવો એવો તેઓશ્રીનો નોંધપાત્ર વિનય વિવેક છે. પોતે
504
Page #529
--------------------------------------------------------------------------
________________
સારા એવા અભ્યાસી હોવા છતાં પૂજ્યપાદ ગુરૂદેવશ્રી પાસે તો બાળકની જેમ જ વર્તે છે. પૂ.ગુરૂદેવની અનુકૂળ કે પ્રતિકૂળ આજ્ઞામાં જ પોતાનું જીવન સમભાવે વ્યતીત કરે છે. પૂ.ગુરૂદેવની આજ્ઞા એ જ મારું જીવન એમ કહેતાં તેઓશ્રી કળિયુગમાં ગુર્વાજ્ઞાનું અજોડ ઉદાહરણ છે. આજે ૪૧-૪૧ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં કોઈપણ પળે તેઓશ્રી ગુરૂદેવની આજ્ઞામાંથી ચલિત થયા નથી. તે ગૌરવરૂપ ઘટના છે. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પ.પૂ.પન્યાસપ્રવર શ્રી સુદર્શનકીર્તિસાગરજી ગણિવર્ય તથા તેમના શિષ્ય મુનિશ્રી અનંતકીર્તિસાગરજી મહારાજ, પ.પૂ. મુનિવર્યશ્રી શાંતિસાગરજી મહારાજ, પ.પૂ. મુનિવર્યશ્રી ઉદયકીર્તિસાગરજી મહારાજ તથા તેમના શિષ્યો વિશ્વોદયકીર્તિસાગરજી, મુનિશ્રી વિદ્યોદયકીર્તિસાગરજી અને બાલમુનિશ્રી પુણ્યોદયકીર્તિસાગરજી શોભી રહ્યા છે. પૂજ્ય આચાર્યશ્રી મનોહરકીર્તિસાગરજી મહારાજે રચેલ કથાકૃતિઓ નીચે પ્રમાણે છે. (૧) ગ્રંથ ખૂલે ગ્રંથી તૂટે
જેમાં પદ્મપ્રભુનું ચરિત્ર છે. (૨) લાગે લગન બુઝે અગન શ્રી સુપાર્શ્વનાથનું ચરિત્ર છે. (૩) આંખ નરમ સપના ગરમ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચરિત્ર છે. (૪) અંતરની ઉજાસ
શ્રી સુવિધિનાથ ભગવાનનું ચરિત્ર (૫) પરમાત્માનાં પુષ્પો
શ્રી શીતલનાથ ભગવાનનું ચરિત્ર (૬) બિંદુ એક સિંધુ અનેક શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું ચરિત્ર (૭) તણખો ઝરે મનખો ફરે શ્રી વાસુપૂજ્ય ભગવાનનું ચરિત્ર (૮) કરે જતન મીલ રતન
શ્રી વિમલનાથ ભગવાનનું ચરિત્ર (૯) તૂટે તાર ખૂલે દ્વાર
શ્રી અનંતનાથ ભગવાનનું ચરિત્ર (૧૦) સુકા તન ભીના મન
શ્રી ધર્મનાથ ભગવાનનું ચરિત્ર (૧૧) દ્રષ્ટિ ખૂલે મુક્તિ મીલે શ્રી કુંથુનાથ ભગવાનનું ચરિત્ર
શ્રી અરનાથ ભગવાનનું ચરિત્ર (૧૨) ભીના અંતર સૂખ સમન્દર શ્રી મલ્લિનાથ ભગવાનનું ચરિત્ર (૧૩) ઉદધિ ઉલ્લસે ઉર
શ્રી મુનિસુવ્રત ભગવાનનું ચરિત્ર (૧૪) સંસ્કૃતિના સુર્વણ શિખરે જેમાં શ્રી રામાયણ છે. (૧૫) ભાવ ભરે ભવ તરે
શ્રી નમિનાથ ભગવાનનું ચરિત્ર (૧૬) ભીનાશ ભઈ ઉજાશ ભાગ-૧ શ્રી નેમનાથ ભગવાનનું ચરિત્ર (૧૭) ભીનાશ ભઈ ઉજાશ ભાગ-ર શ્રી નેમિનાથ ભગવાનનું ચરિત્ર (૧૮) જ્યોતિ જલે જિંદગી ફલે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર (૧૯) ઉછળે ઉર્મિ અંતરમાં ભાગ-૨ શ્રી મહાવીર સ્વામીનું ચરિત્ર (૨૦) આંખ ઝંખે પાંખ
શ્રી જંબૂસ્વામીનું ચરિત્ર
505
Page #530
--------------------------------------------------------------------------
________________
(ર૧) ધન્ય બની ધરા
શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર (રર) પલ પલ પલટે પાંખ જેમાં રત્નસાર ચરિત્ર છે. (૨૩) જાગે આતમ રામ જીવને
મળે મુકામ જેમાં ભીમસેન ચરિત્ર (૨૪) આભ ઉંચેરો આભા પતિ જેમાં ચંદરાજાનું જીવન ચરિત્ર (૨૫) ઉર વદે પુર
જેમાં ચંદ્રકેવલી ચરિત્ર છે. પ્રભાવ પ્રજ્ઞાનો સ્વભાવ સંપત્તિનો'-આ ગ્રંથમાં આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરિજી એ લક્ષ્મી અને સરસ્વતીની કથા આલેખી છે. લક્ષ્મી અને સરસ્વતી બેય એકમેકનું ચઢિયાતાપણું પુરવાર કરવા મથે છે પણ અંતે બંને પોતપોતાની મર્યાદાઓ સ્વીકારી લે છે ને એકમેકની ઉપયોગિતાની કબૂલાત કરે છે. મોટું કોઈ નથી, મોટી છે સમ્યક ઉપયોગિતા. એના સદઉપયોગમાં જ મોટાઈ છે. દુરપયોગ દારૂણ પરિણામ સર્જે છે. સુપરિણામનું નિમિત બને છે."
આમ, આ ગ્રંથમાં લક્ષ્મી અને સરસ્વતીની સુંદર કથા નિરૂપાઈ છે. જેમાં ઓગણત્રીશ કથા આપી છે જેમાં બંનેના સંવાદો છે. આચાર્યશ્રીએ સુંદર રીતે કથાને આલેખી બંનેનો સમન્વય કર્યો છે. આ કથા વિ.સં. ર૦૫૯માં લખી.
તરંગવતી ગ્રંથમાં પૂ. આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરિએ ર૫ ભાગમાં કથાને વહેંચી છે. તેમણે લખ્યું છે કે, અશાન્ત, બેચેન, વ્યગ્ર અને ચિત્કાર કરતુ મન શાંત બને, પ્રશાન્ત બને, આત્મારંગી બને એનામાં મુક્તિનો અનુરાગ પ્રગટે એ માટે છે તરંગવતીની અલૌક્કિ કથા.૧૦
આચાર્યશ્રીએ આ કથાને જીવંત બનાવી દીધી છે. એમણે કથાને સુંદર રીતે રજૂ કરી છે. તરંગવતી ખુદ આ કથાને કહી રહી છે. આ એક અદ્ભુત કથા છે. આધ્યાત્મિક ઉડાણો અને ઉડ્ડયનોથી ભરેલી છે. આમ, આ કથા વાંચતા કે સાંભળતા આનંદ સ્વરૂપ બની જવાય. આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા.ની જીવન ઝલક - વિ.સ.ર૦૦૩માં આસો વદ-૧ર, જંબુસર પાસે અણખી ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમનું સંસારી નામ પ્રવીણ હતું. તેમના માતા પ્રભાવતીબેન (સાધ્વી પદ્મલતાશ્રીજી) અને પિતા હીરાભાઈ (મુનિ શ્રી હીરવિજયજી) હતા.
તેઓ નાના હતા ત્યારે એકવાર કધોણી ટૂંકી ચઢી અને ટૂંકી બાંહ્યના ખમીસના લેબાસમાં પાડાપોળમાં પૂજ્ય બા મ.સા.(પદ્મલતાશ્રીજી)ની કઠોર કૃપાદ્રષ્ટિમાં આવ્યા. સાવ રખડું ધૂળથી ખરડાયેલા પગ અંગૂઠાથી લઈ સુકાયેલા પરસેવાના
506
Page #531
--------------------------------------------------------------------------
________________
ઓઘરાળા મુખ ઉપર થઇને વીંખાયેલા વાળ સુધી એમની દ્રષ્ટિ ફરી વળી. તેમને બા.મ.સા.એ કહ્યું, હવે મારી પાસે આ કપડામાં આવતો નિહ. એ વખતે પ્રવીણની ઉમર ૧૨ વર્ષની હતી. સાતમાની પરીક્ષા આપેલી. (સાલ વિ.સ.૨૦૧૬) અમદાવાદ શહેર ને વૈશાખ મહિનો હતો.
એ જ વર્ષના જેઠ મહિનામાં સુરત મુકામે પૂજ્ય ઉપાધ્યાય શ્રી મેરૂવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસ શ્રી દેવવિજયજી મહારાજ અને પૂ.મુનિ મહારાજ શ્રી હેમચન્દ્રવિજયજી મ.સા.ના સાનિધ્યમાં નેમુભાઇની વાડીના ઉપાશ્રયે શ્રી અનંતનાથ ભગવાનની છત્રછાયામાં તેઓનું રહેવાનું થયું. ત્યાં રહેવાથી પેલી રખડું બાળકની સિકલમાં બદલાવ આવવા લાગ્યો. શ્રી ભક્તામર સ્તોત્રની ચાર-ચાર ગાથાઓ રોજ કરતા. બે સામાયિક પ્રતિક્રમણ આદિ કરવા લાગ્યા. આમ, પ્રગતિ થતાં પર્યુષણ આવતા ૬૪ પહોરી પૌષધ કર્યા. ચોમાસુ પૂર્ણ થતાં માગસર સુદ પાંચમ, વિ.સં.૨૦૧૭ના રોજ આચાર્ય મેરૂપ્રભસૂરીશ્વરજીના હાથે તેમની દીક્ષા થઇ. તેમના ગુરૂ આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી છે. બા.મ.સા.નો પત્ર આવ્યો ઉત્સાહથી સિંહની પેઠે દીક્ષા લે છે, તેવી જ રીતે પાળે છે.
દીક્ષા બાદ સંસ્કૃત વ્યાકરણ, હિતોપદેશ, રઘુવંશ, તર્કસંગ્રહ, મુક્તાવલિ આદિ મૈથિલ પંડિત બંસીધર ઝા પાસે શીખ્યા. પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, ઉત્તરાધ્યનસૂત્ર આદિ વિષયો તેમના ગુરૂમહારાજ પાસે શીખ્યા. આ ઉપરાંત તેમને સાહિત્ય ક્ષેત્રમાં સારૂં ખેડાણ કર્યું. તેઓશ્રી જ્ઞાનભંડારની પણ કાળજી લેતા.
તેમની આચાર્ય પદવી વિ.સં.૨૦૫૨, માગસર સુદ-૬ના દિવસે થઇ હતી."
આચાર્ય પ્રદ્યુમ્નસૂરિનો અલ્પાક્ષરી પરિચય આપતા સુનંદાબેન વહોરા કહે છે કે, “તેઓ શ્રી શાસ્ત્રજ્ઞ, ચારિત્રશીલ છે. તેઓ શ્રી જૈન દર્શનના ઐતિહાસિક, અર્વાચીન પ્રાચીન પ્રસંગો અને પાત્રોના સંશોધક છે. શાસ્ત્રોના કોઇ અદશ્ય ખૂણામાંથી અજબગજબનાં રહસ્ય શોધીને ફરતી પાઠશાળામાં મૂકે ત્યારે ઘણીવાર ભણેલું પ્રગટ થતું લાગે. તેઓશ્રીના પ્રવચનમાં પણ આ શૈલી રહી છે. કોઇ કવિઓના ગીત દ્વારા કે કુદરતના સંકેતથી પાઠશાળામાં તે વાચા આપે છે ત્યારે આનંદ થાય છે. પાઠશાળા તે મુખપત્ર છે.’’'
પાઠશાળા ગ્રંથ-૧ ના અનુસંધાનમાં આર્ચાય શ્રી હેમચંદ્રસૂરિ કહે છે કે,
“આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ એમની સંયમ સાધનામાં કાળજીપૂર્વક પ્રવૃત રહેવા સાથે, પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય, કાવ્ય, શિલ્પ, સ્થાપત્ય, વનસ્પતિ, ઔષધ આરોગ્યશાસ્ત્ર જેવા વિવિધ વિષયો પરત્વે અભ્યાસપૂર્ણ રસ રૂચિ ધરાવે છે. એમની
507
Page #532
--------------------------------------------------------------------------
________________
વાણીમાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુવાસ ફોરે છે.”
“ગામડામાં વિહાર કરતા કોઈ એવા માણસો મળી જાય તો જાણે ગોળનો ગાડવો મળી ગયો હોય એવું થાય. એમની આ સ્વાભાવિક શૈલી પાઠશાળાના અંકેઅંકે ઝિલાઈ છે. ૧૩
• શ્રી શત્રુંજય ગિરિરાજ પર દાદાની છડી પોકરતા કરસન ચોપધરે પાલિતાણાના
ડાકોર સામે બતાવેલી ખુમારીને વાંચી કોણ એવો હશે કે જેનામાં ખુમારી ના પ્રગટે?
• સાધ્વી શ્રી લક્ષ્મણાશ્રીજી અને મુનિરાજ શ્રી યશોહીરવિજયજીની વાતો વાંચતા
એમની ઉદાર મનોવૃત્તિના દર્શન થાય છે.
• વામજથી શેરીસા સુધીના વિહારનું વર્ણન એવું તો રસાળ શૈલીથી લખાયું છે કે
એ વાંચતા આપણે જ એ રસ્તે પસાર થતા હોઇએ એવો પ્રત્યક્ષ અનુભવ થાય. • દાદાના અભિષેકનું વર્ણન તો આખાયે પુસ્તકમાં શિરમોર સમું જ છે. એ વાંચનાર ગમે તેવો નાસ્તિક હોય તે આસ્તિક થયા વિના ન જ રહે.
કેટકેટલી અવનવી અગાઉ ક્યારેય ન જાણેલી કે વાંચેલી કે ન સાંભળેલી વાતો અહીં વાંચવા મળે છે. આ પુસ્તકને સાદ્યાન્ત વાંચનારનું જીવન પરિવર્તન થયા વિના રહેશે જ નહિ. વાંચનારને વાંચ્યા પછી પોતાના જીવનમાં ચમત્કાર જેવું લાગશે.
પાઠશાળા ગ્રંથ-૧ વિશે ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્રમુનિ કહે છે કે, “પ્રદ્યુમ્નસૂરિજીની લેખણ રસ ઝરતી છે. ભાવની ભીનાશ એક-એક લખાણમાંથી નીતરે છે. લેખક રસસિધ્ધ ગદ્યકાર છે. તેમના લેખનને સાત્ત્વિક કે તાત્વિક કહેવા કરતાં, હાર્દિક કહીએ તે વધારે બંધ બેસતું થાય. હાર્દિક અર્થ બે રીતે લેવાનો: હદયથી લખાયેલું અને હૃદય સુધી પહોંચતું. ચંદનબાળા, ઝાંઝણશા કે રજની દેવડી જેવાં પાત્રો, આપણે હાથ પસારીને અડી લઈએ એવા જીવંત લાગે છે. અભિષેક વર્ણનો, વિહાર વર્ણનો એવાં ચિત્રાત્મક લખાયા છે કે એ કલ્પનામાં પાંચેય ઇન્દ્રિયે સામેલ થઈ જાય.”
જાણીતી ચરિત્ર કથાઓને તેઓશ્રીની કલમ, કોઈ જુદા જ પરિવેશમાં મૂકીને ભલે માંજી આપે છે. જેને વાંચતા વાચક, દ્રવીભૂત થાય છે, હસે છે, રડે છે અને ક્યારેક ઉકળે પણ છે. કથાઓ અને પ્રસંગો, પુનરાવર્તન પામીને તેમની ધાર ગુમાવી બેસતા હોય છે. એવા પ્રસંગોની ઝીણી ઝીણી ઓછી જાણીતી વિગતો પ્રસ્તુત કરીને પ્રસંગને ઉઠાવ આપવાની પ્રદ્યુમ્નસૂરિજી હથોટી ધ્યાનપાત્ર છે.
508
Page #533
--------------------------------------------------------------------------
________________
પાઠશાળામાં પ્રદ્યુમ્નસૂરિજીની કલમે ઊતરી આવેલું ચિંતન પણ મધ મીઠું જ. અરીસાના એકલ દોકલ ટુકડા પરથી ઊછળીને આંખ પર ઝિલાતા તેજ કિરણની જેમ, તેમનાં વાક્યો ક્યારેક સૂત્ર બનીને ચિત્તને ચમકાવી દે છે. ક્યાંક તો ચિંતનની આતશબાજી પણ રચાઈ છે. મૌન વિશેની વાત કરતાં વિસ્તરેલા વાક્ય-તણખા સ્વયંમાં એક એક આતશ સંઘરીને બેઠા છે. એક વિચાર અને બીજા વિચાર વચ્ચે અંતર વધે તો ઓજસ પ્રગટે છે. લેખકની આ વાત વાચનમાં પણ પ્રયોજવી જોઇએ.
પ્રદ્યુમ્નસૂરિજીને કવિઓ પ્રિય છે. પ્રત્યેક અંકમાં એકાદ કવિતા મૂકે છે ને તેનો ભાવ, ગદ્યમાં ગોઠવી આપે છે. એ, વિવેચન નથી કરતા, મુદ્દાની વાત પર આંગળી મૂકીને વાચકને સચેત કરવા ચાહે છે. કવિઓનાં નામ છાપવાનું તેઓ ચૂકતા નથી. જેમ કે, નૂતન પ્રભાતે પ્રાર્થના નીચે પ્રમાણે આપી છે.
આશા ને ઘેર્યનો તંતુ તૂટું-તૂટું થઇ રહ્યો. એવે ટાણે; નવા વ્હાણે, ચિંતવું માત્ર આટલું, જિંદગી જેલ જેવી કે જેવી નથી નથી,
શાળા છે એ પ્રયોગની, માનવીના વિકાસની આ રચના ૨૫-૩૦ વર્ષ પહેલાંની છે. પરંતુ માનવીના અટલ ઊંડાણમાંથી, તેના પાતાળ કૂવામાંથી ફૂટેલી શબ્દ-સરવાણી ક્યારેય જૂની, પુરાણી કે વાસી થતી નથી, તે નિત્ય નૂતન જ રહે. એમાં સત્ય સનાતનની સુવાસ હોય છે.
મધ્યકાલીન ગુજરાતી પદ્યો, દુહાની, મજા તથા સંસ્કૃત સુભાષિતોનો રસ, આજનો ગુજરાતી ભાષી માણે એવો પ્રયાસ તેઓશ્રી ચાંપ રાખીને કરે છે. આંસુને વિષય બનાવીને લખાયેલા ૧૮-૨૦ પાના આ ગ્રંથમાં મળશે. શબ્દ વિશે ચાર પાંચ લેખ પણ આ સંપુટમાં છે. લેખકનું ચિત્ર અલગ-અલગ સંદર્ભો સાથે સંકળાયેલું છે તે ખરેખર નોંધવા જેવું છે. વાતમાંથી વાર્તા પર અને વાર્તા પરથી વાત પર, વાચકને તેઓશ્રી કેવી નજાકતથી લઈ જાય છે એય સમજવા જેવું છે.
પાઠશાળા ગ્રંથ તેમજ આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ વિશે ભોળાભાઈ પટેલ લખે છે કે, “આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મહારાજ જૈન ધર્મ શાસ્ત્રોના ગહન અભ્યાસી છે સાથે તેઓ સંસ્કૃત પ્રાત-જૂની ગુજરાતીમાં લખાયેલા સર્જનાત્મક જૈન સાહિત્યના પષક છે. તેમનું અધ્યયન ધર્મ વિષયક સાહિત્ય સુધી કદી સીમિત રહ્યું નથી, બલકે શિષ્ટ અને અદ્યતન ગુજરાતી સાહિત્યમાં તેમની ઊંડી પ્રીતિ અને મર્મગ્રાહી દષ્ટિ પણ રહેલા
છે. ૭.૨
પાઠશાળા' એક રીતે ઉપનિષદ છે. જેમાં ગુરૂજીની નિકટ બેસીને જિજ્ઞાસુ,
509
Page #534
--------------------------------------------------------------------------
________________
શિષ્યો પરિપ્રશ્નો અને ઉત્તરોથી બોધિત થવાની પ્રક્રિયા છે. લિખિત શબ્દોથી તે સહજ સંભવ બને છે. પાઠશાળા આ દિશાનું પ્રકાશન છે.
આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની લેખન રીતિ વિશિષ્ટ છે. ક્યારેક ભાવકો સમક્ષ વાર્તાલાપ કરે છે, ક્યારેક બોધ આપે છે. ક્યારેક ભાષ્યકાર રૂપે આવે છે, ક્યારેક વ્યાખ્યાકાર રૂપે-કેન્દ્રીય વિષય છે ધર્મ પ્રબોધના.
પાઠશાળાનો હેતુ સર્વથા સિધ્ધ થયો છે. આપણી સમગ્ર જીવન રીતિ સાથે જોડતાં પાઠશાળાની ઉપદેશના ભાવકના જીવનને ઉન્નત રીતે, છતાં સહજ સાધ્ય આચરણમાં મૂકવાની પ્રેરણા આપે છે.
પાઠશાળામાં આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજના જ લેખ છે. પણ પ્રત્યેક અંકમાં જ્યારે તે આવતા ત્યારે એના વૈવિધ્યને કારણે ભલે અનેક કલમોની પ્રસાદી હોય એ રીતે અંક જીવંત બની જતો. કોઈ પણ સામાયિક પત્રિકાની જીવંતતા તેની સામગ્રીની મનભર વિવિધતા અને એનાં પૃષ્ઠો પર એના નયન સુભગ વિન્યાસમાં હોય છે. પાઠશાળા એ રીતે પણ સિધ્ધિવંત છે. - ધર્મ પ્રવણ લેખનમાં સાહિત્યિક સંસિદ્ધિ પણ હોય, તે તો પાઠશાળાની ઘણી રચનાઓમાં જોવા મળે છે. કથાઓની પ્રસ્તુતિમાં તો પ્રાયઃ આ સાહિત્યિકતાથી ધર્મપ્રબોધ સાથે રસબોધ પણ સિધ્ધ થાય છે.
દાદાના અભિષેકઃ એક સ્મરણ યાત્રાઃ લેખકની જ ટાંકેલી પંક્તિ પ્રયોજી કહીએ કે આ લેખ તો સાવધાન થઈ સાંભળો! રાખી મન થિરકામ? એવી રીતે વિહારની સોડમથી ભરપુર એક પત્ર છે જા બારેમાસ વસંત; સાધુ જીવન જીવવું અને તેમાંય જૈન ધર્મના સાધુ મહારાજનું જીવન જીવવું ખાંડાના ખેલ છે. પણ આ લેખો વાંચતા વાચકને થાય કે “વિહારો માટે કંઈ નહિ તો પેલી અરણીની સુવાસ લેવા માટે “થોડા સમય” સાધુ થઈ શકાય જો! પણ આવી ઈચ્છા થવાનું કારણ તો આચાર્યશ્રીની ખુલ્લી પ્રસન્નતા સભર રૂપરસની સૃષ્ટિનેય માણવાની દ્રષ્ટિ છે.
જે “પીલુડી કેરા તરૂ તળે-મેઘાડંબર ગાજે', જેવો મૂલ્યવાન લઘુ લેખ સહજે રચી દે છે અને એટલે એમની સાથે કહેવાની ઈચ્છા થાય કે “વિહાર એ તો જંગમ પાઠશાળા
પાઠશાળામાં અનેક કાવ્યો-મુક્તકોના આસ્વાદ છે. કોઈ આરૂઢ પ્રોફેસરોની પરિભાષામાં ગૂંચવાયેલા નહિ પણ સામાન્ય વાંચકને પહોંચે એ રીતે વિશદ વિવરણ સાથે વિચારોનું તે પાથેય બંધાવે છે. કહે છે પણ ખરા કે કવિઓ આપણને જિવાડે છે. કાવ્યમર્મા આચાર્યશ્રી કોઈ મુક્તકોની પ્રશંસા કરતા કહી બેસે છે. હૃદયની શાહીથી
510
Page #535
--------------------------------------------------------------------------
________________
લખાયેલાં છે ‘આ છે અણગાર અમારા સાથે ખુશીની ખોજ'નો આસ્વાદ છે.
કાવ્યશાસ્ત્ર વિનોદિત જેવા સંક્ષિપ્ત લેખમાં વિનોદ કાવ્યનો પરિચય કરાવી હસાવી લે છે.
પાઠશાળા'ના પૃષ્ઠો વચ્ચેથી પસાર થનાર ધર્મ, અધ્યાત્મ, નીતિ, જીવનરીતિ, પ્રકૃતિ પ્રીતિ અને મનુષ્ય પ્રીતિના પાઠ સહજમાં ભણશે અને એના ભણતર સાથે જીવનમાં એના ગણતરનો સંયોગ રચી શકશે તો મનુષ્ય અવતારમાં સાફલ્ય પ્રાપ્તિની દિશા એને મળી રહેશે.
આ કૃતિમાં ૧૫ વિભાગ છે. તેમાં સૌથી પહેલો વિભાગ ચિંતન છે. જેમાં ‘હૈયાનો હોંકાર” ‘દોષો માટી પગા છે. ગુણો હાથી પગા છે” “શોભે છે દાનથી નર” આદિ ઘણા વિષયો છે.
બીજો વિભાગ “પ્રાર્થનાનો છે. તેમાં શુભ અને લાભ પામવાનો માર્ગ પરિવારનું પાવર હાઉસઃ નવકાર જાપ, નવકાર અષ્ટક, પંચસૂત્ર, નૂતનપ્રભાતે પ્રાર્થના આદિ વિષયો છે.
ત્રીજો વિભાગ છે અભિષેક: જેમાં આનંદની ઘડી આઈ સખીરી! આજ.... અભિષેકની પ્રસાદીઃ આદિ વર્ણવ્યા છે.
ચોથો વિભાગ છે ધન્યતે મુનિવરા રે! જેમાં લબ્લિનિધાન ગૌતસ્વામી, અનાસક્ત યોગી શાલિભદ્ર, સકલ મુનિવર કાઉસગ્ગ ધ્યાને, આ છે અણગાર અમારા આદિ અલંકૃત કર્યા છે.
પાંચમો વિભાગ છે મીઠી વીરડીના જળબિંદુઓ: જેમાં શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો વર્ણવ્યા છે. જેમકે, પેથડ પ્રસંગમાળા, રંગ છાંટણાં ઝાંઝણનાં, સાધર્મિક વાત્સલ્ય આભૂશેઠનું, જાજરમાન શ્રાવિકાની વાત વગેરેનું નિરૂપણ કર્યું છે.
છઠ્ઠો વિભાગ છે અશ્રુમાળા- જેમાં આસુંના પણ પડે પ્રતિબિંબ-એવા દર્પણની એક અમર કથા, વીતરાગ પ્રભુએ જેની નોંધ લીધી તે, હરખના આંસુથી આંખ ભીની થાય એવી કથા આદિ આલેખ્યા છે. - સાતમો વિભાગ છે વિહાર-જેમાં વિકારની સોડમથી ભરપૂર એક પત્ર, તે રમ્ય રાત્રે --- રમણીય સ્થાને--- આદિ અદ્ભુત વિષયો વર્ણવ્યા છે.
આઠમો વિભાગ છે કાવ્ય આસ્વાદ જેમાં બોધાત્મક કાવ્યો જેવાં કે મીઠા મોતને માંગીએ, ઊભો થા તું, એક કોરા રૂમાલની માંગણી આદિ સુંદર રીતે અલંકૃત કર્યા છે.
511
Page #536
--------------------------------------------------------------------------
________________
નવમો વિભાગ છે મનનઃ જેમાં અભંગ દ્વાર પાઠશાળા: મારું એક સ્વપ્ન, ઉત્તમતાને બિરાજમાન કરવા સિંહાસન રચીએ, સ્વયં સમભાવના કરીએ, વાત્સલ્યઃ વૃધ્ધત્વની શ્રેષ્ઠ શોભા આદિ વિષયો છે. - દસમો વિભાગ છે કથા પરિમલ જેમા આંતર ગાંઠ છૂટવાની વેળા, સુખની ચાવી આપણા હાથમાં, હે માનવ! તું બન હંસ વગેરે બોધાત્મક કથાઓ આલેખી છે.
અગ્યિારમો વિભાગ હિતની વાતો છે જેમાં હિત માટેની વાતો કરી છે.
બારમો વિભાગ છે વહીવટ-જેમાં દીપતા વહીવટની ગુરુચાવી, ભૂકંપ પછી, વહીવટદાર બનતા પહેલા-આદિનું ઉપદેશાત્મક વર્ણન છે.
તેરમા વિભાગમાં જિજ્ઞાસાનું વર્ણન છે.
ચૌદમો વિભાગ છે શબ્દ જેમાં શબ્દો તો પાણીદાર મોતી છે, શબ્દ એક સંજીવની, શબ્દ શબ્દમાં ફેર વગેરેનું નિરૂપણ કર્યું છે.
પંદરમો વિભાગ સમાપન છે. જેમાં લેખકે અંતરગ સુખનો માર્ગ ક્ષમાપના બતાવી સુંદર આલેખન કર્યું છે.
આમ પાઠશાળામાં જેમ અલગ અલગ વિભાગો હોય ધોરણ હોય તેમ લેખકે અહીં અલગ અલગ વિષયો દ્વારા સુંદર, બોધાત્મક, હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. આ પુસ્તકનું નામ પાઠશાળા યથાર્થ છે. વર્તમાન આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ રચિત પાઠશાળા ગ્રંથ-ર વિષે કુમારપાળ દેસાઈ કહે છે
“ત્યાગ સમૃધ્ધ, જ્ઞાન સમૃધ્ધ અને અનુભવ સમૃધ્ધ એવા આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજનું વ્યાખ્યાન પ્રત્યક્ષ દર્શન કે એમનું લેખન સદૈવ પ્રસન્નતાનો પરમાનંદ અર્પતું રહ્યું છે. પાઠશાળા ગ્રંથમાં તેઓ ધર્મ કથાઓના મર્મને જે રીતે ઉઘાડી આપે છે, એ જ રીતે માનવના અંતર મનના સંચાલનોને પારખીને એને પણ આલેખે છે. આથી મેઘકુમાર, રાજા ભવદેવ અને શ્રાવક રાજા શ્રીપાળની કથાની સાથો સાથ વિચાર, વૃત્તિ અને પૂર્વગ્રહોના પરિગ્રહની ગુણપક્ષપાતી દ્રષ્ટિની, પ્રતિપક્ષી વિચારણાની અને મનોવિજયની વાત તેઓ કરે છે. આગમ પંચાંગીની સાથે ધર્મક્રિયા કે દર્શન વિષયક કેટલાક પ્રશ્નોની વ્યાપક અને વિશદ વિચારણા કરે છે. પર્યુષણના દિવસોમાં ૧૭ પ્રતિક્રમણ કરવાની વાત કે શ્રી શત્રુંજય તીર્થની યાત્રામાં પાંચ ચૈત્યવંદનોમાં એક શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શા માટે, એનો ઉત્તર આપે છે. આ ઉત્તરો એમની વ્યાપક અને મૂળગામી ચિંતનદ્રષ્ટિના દ્યોતક
છે.
૧૩.૩
512
Page #537
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી ભરત કે ચિત્તોડના મહારાણાની કથાની સાથોસાથ આચાર્ય શ્રી ધુરંધરસૂરિજી મહારાજ સાહેબની જીવન પધ્ધતિ અને તેમની અવિચલિત મનોદશાના દ્રષ્ટાંતો તેઓ આપે છે. આમ અહીં મોતીની ખેતી છે. જ્ઞાનસાગર, જીવનસાગર કે અનુભવસાગરમાંથી મેળવેલા તેજસ્વી મોતી એમણે અહીં વેર્યા છે.
જીવનના બાગમાંથી તાજા, પ્રફુલ્લિત અને સુવાસિત પુષ્પોની સુગંધ આપતાં કેટલાંક સુંદર વાક્યો તો મનમાં રમ્યા કરે તેવાં છે. જેમ કે, કાજીપણું છોડીએઃ સાક્ષીપણું શીખીએ.
“દેહની દુર્ભેદ દિવાલને અડીને જ ઇન્દ્રિયોનો કિલ્લો છે. ફરિયાદઃ ઉત્તમત્તાની ઉણપમાંથી જન્મે છે.’’
“પ્રતિપક્ષી વિચારણા તે વાડ છે.’’
પૂજ્ય આચાર્યશ્રીની પાસે મૌજેલું ગદ્ય છે. એ પ્રત્યેક શબ્દ પ્રયોગ ખૂબ ચીવટથી કરે છે એ એક વાત છે પરંતુ એમણે એ માટે જે તેજ ઘડ્યા શબ્દો પ્રયોજ્યા છે તે બાબત એમને ગુજરાતી ભાષા ગદ્યકાર તરીકે સ્થાપે છે.
‘પાઠશાળા’ની લેખસૃષ્ટિ એ કોઇ ફરમાયશી સર્જન નથી. આ તો સ્વાન્તઃ સુખાય થયેલું સર્જન છે અને તેથી જ શબ્દે શબ્દમાં ભાવની સાચુકલાઇ અને નિરાડંબરી પ્રસ્તુતિ જેવા મળે છે. આ ગ્રંથમાં ક્યારેક જિજ્ઞાસા રૂપે, ક્યારેક પત્રરૂપે, ક્યારેક કથારૂપે તો ક્યારેક ચિંતનરૂપે એમનું હૃદયગત પ્રગટ થાય છે. ક્યારેક તેઓ બોધ આપતા લાગે, ક્યારેક વાર્તાલાપ કરતા જણાય છે. આવા જુદાં-જુદાં સાહિત્ય સ્વરૂપો યોજીને એમનો હેતુ તો ભાવકની ચેતનાને સ્પર્શીને જગાડવાનો છે. આ એવી પાઠશાળા છે કે જ્યાં વાચકનું જીવન ઘડતર થાય છે. કોઇ કથાનો મર્મ કે જીવનનો મહિમા પ્રગટ થાય છે.
જૈન કથાઓમાં રહેલા માર્મિક રહસ્યને પ્રગટ કરવાની સાથોસાથ ક્યારેક કવિકલ્પનાનો સુંદર વિહાર પણ જોવા મળે છે. કૌશાંબી નગરીમાં આવેલા ભગવાન મહાવીર સ્વામીને સૂપડાના ખૂણામાં પડેલા અડદ બાકળા વહોરાવનારી ચંદનબાળાની વાત કરીને તેઓ કહે છે સૂપડું કેવું સહભાગી છે કે આ ઘટનાના પ્રથમ પ્રેક્ષક થવાનો યશ મળ્યો અને એ સૂપડાને જ આ ઘટનાની વાત પૂછે છે.
આવી જ રીતે ભગવાન ઋષભદેવને પારણા કરાવનાર ઇક્ષ્રસના ઘડાની કલ્પના આહ્લાદક લાગે છે. કલ્પનાના ગગનમાં વિહાર કરતા તેઓ વાસ્તવની ધરતી પર સર્જતા હૃદયસ્પર્શી પ્રસંગો પણ આલેખે છે. ખેમો દેદરાણી, રતિભાઇ કામદાર, જીવદયા પ્રેમી જેસિંગભાઇ જેવી વ્યક્તિઓના પ્રસંગો મૌલિક જીવન સુઝ આપી
513
Page #538
--------------------------------------------------------------------------
________________
જાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ‘સધ્ધા પરમ દુલ્લહા' સૂત્ર દ્વારા પરમ દુર્લભ શ્રધ્ધાની પ્રાપ્તિની વાત કરે છે. તો પ્રતિપક્ષની વિચારણાના અનેકાંત વિચારણાનો પડઘો સંભળાય છે.
આ એવી પાઠશાળા છે કે જેમાં વાચક ઘૂંટડે ઘૂંટડે આંતરપ્રસન્નતા પામે છે. આ ઊર્ધ્વજીવનની વિચારશાળા છે અને અધ્યાત્મ જીવનની પાઠશાળા છે.
વર્તમાન આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ રચિત પાઠશાળા ગ્રંથ-૨ વિષે પૂજ્ય આચાર્ય શ્રી દેવસૂરીશ્વરજીના શિષ્ય વિજયહેમચંદ્રસૂરિ કહે છે કે, પાઠશાળાએ પોતાની વૈવિધ્ય સભર અને અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે એ નિર્વિવાદ છે.
આચાર્ય શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજીની મર્યાવગાહિની સૂક્ષ્મ પ્રતિભાના કારણે પાઠશાળામાં આવતા લેખોમાંથી બધાને નવી પ્રેરણા, નવી ચેતના અને નવી દષ્ટિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
પાઠશાળાનો અંક હાથમાં આવ્યા પછી તે વાંચ્યા સિવાય હાથમાંથી મૂકવાનું મન થતું નથી. તેમાં આવતા અલગ-અલગ વિભાગો જેવા કે: પહેલું પાનું, સુભાષિત, જિજ્ઞાસા, પત્ર તથા કથા પ્રસંગો સૌ કોઇને માટે આકર્ષણ રૂપ બને તેવાં છે. આત્માર્થી જીવોને આ ગ્રંથમાંથી ઘણી ઘણી પ્રેરણા મળે તેમ છે.
આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે આત્મા નિમિત્તવાસી છે. મેઘકુમાર જેવા કેટલાય આત્માઓ નિમિત્તના યોગે પતનની ખીણમાંથી ઊગરી સાધનાના સર્વોચ્ય શિખરે આરૂઢ થઇ ગયા છે. મેઘકુમારની આ વાત પણ સુંદર વિશ્લેષણ પૂર્વક અહીં રજુ કરવામાં આવી છે.
જુની વાતોની સાથે સાથે પ્રેરણાદાયી નવી નવી વાતો પણ સ્વ/પર સમુદાયના ભેદને વચમાં લાવ્યા સિવાય આ પાનાંઓ પર રજુ કરવામાં આવી છે. જેમકે, આચાર્ય શ્રી વિજયજિતેન્દ્રસૂરિજીની વાત.
ખાણમાંથી કાઢવામાં આવેલ હીરાને જેમ સાફ કરી, પહેલ પાડી, પોલીશ કરી મૂલ્યવાન બનાવી એને બજારમાં મૂકવામાં આવે છે. તેવી જ રીતે આપણા આ વિચક્ષણ આચાર્યશ્રી પણ સાહિત્યના અગાધ સાગરમાં ડુબકી મારી એમાંથી અનેક રત્ન જેવી વાતોને શોધીને બહાર કાઢી એને સારી રીતે મઠારીને સામાન્યજન માટે સરળ બનાવી અત્યંત મુશ્કેલ ગણાય તેવું કાર્ય કરી રહ્યા છે. ગહન ચિન્તન, ઊંડું અવગાહન અને સુસ્પષ્ટ તથા સરળ લેખન શૈલીના સુભગ સંયોગ વિના આવું
514
Page #539
--------------------------------------------------------------------------
________________
૧૩.૪
અસરકારક લખાણ નિષ્પન્ન થવું તે શકય નથી.
પાઠશાળા ગ્રંથ-૨માં પહેલો વિભાગ ચિંતનનો છે. જેમ કે વિચાર દિવાલ છે. તેની પેલે પાર સૂર્ય છે. જેમાં કવિ રાજેશ વ્યાસની કવિતાની પંક્તિ લીધી છે કે “આભમાં કે દરિયામાં, ક્યાંય પણ કેડી નથી
અર્થ એનો એ નથી કે, કોઇએ સફર ખેડી નથી.’’
આ ઉપરાંત પ્રશંસા-નિંદા સરખામણી, યે દિન ભી બીત જાયેગા, ધર્મનું ફળ: વૃત્તિ વિજય આદિનું ચિંતન અદ્ભુત રીતે આલેખ્યું છે.
વિભાગ-ર પ્રભુ પ્રાર્થનામાં આગમ પંચાગીને પ્રણામ કર્યા છે. જેમાં આગમો વિશે સંશોધન કરનાર, વૃત્તિકાર આદિના ઉલ્લેખ કરી પરમાત્માની વાણી દ્વારા જ્ઞાનદશાને પ્રાપ્ત કરવાનું સમજાવ્યું છે.
ત્રીજા વિભાગ મનનમાં દેવે બનાવેલું દેરાસર: શ્રી શાંતિનાથનું દેરૂ જેમાં પાલિતાણામાં ગિરિરાજ ઉપર સિંહદેવ દ્વારા સર્જેલ શાંતિનાથ ભગવાનના ચૈત્યની વાત નિરૂપી છે. આ ઉપરાંત દેવે બનાવેલું દેરાસરઃ પાટણ વાવ, વાણી વ્યક્તિનું માપ છે આદિ સુંદર રીતે આલેખ્યા છે.
ચોથો વિભાગ સાધુ છે. જેમાં ચેતન! અબ મોહે દિરસણ દીજે, મેઘને વંદના હો, મુનિવર પ્રેમવિજયજી મહારાજની ટીપ, શ્રી નીતિવિજયજી દાદા અને શિષ્ય શ્રી મણિવિજયજી મહારાજ આદિના અદ્ભુત વર્ણન કર્યા છે. એક અલગ શૈલીથી તેમણે રજુઆત કરી છે. ‘મેઘને વંદના હોજો’માં મેઘકુમારની કથા પૂર્ણ થતા અંતમાં સુંદર પંક્તિઓ મૂકી છે. જે નીચે પ્રમાણે છે.
પ્રવજ્યાના પ્રથમ દિવસે દેહ વોસિરાવ્યો. પ્રવજ્યાના પ્રથમ દિવસે હારને હાર
દીધી.
પ્રવજ્યાના પ્રથમ દિવસે જીતને જીતી લીધી. પ્રવજ્યાના પ્રથમ દિવસે જન્મને ધન્ય કીધો!
એક સ્ત્રીના વેણે તાંબુ બને છે સોનું, એમાં ભવદત્ત મુનિને સંયમમાં વાળતી નાગીલાની કથા અહીં વર્ણવી છે. લેખકની શૈલી ખરેખર પ્રબુધ્ધ તેમજ અદ્ભુત છે. એ જ પ્રાચીન કથાને પોતાની શૈલીથી વર્ણવી કથાને રસપ્રદ બનાવી દીધી છે.
પાંચમા વિભાગમાં શ્રાવકોની વાત રજુ કરી છે. જેમાં રાજા શ્રીપાળનાં ન્યારાં જીવનનાં રહસ્યો, માલવપતિ પુત્રી મયણા અતિ ગુણવંત આદિનો સમાવેશ થાય છે.
515
Page #540
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો વિભાગ સંવાદનો છે તેમાં વીરપ્રભુના જન્મની ખુશાલી, વિનય વડો સંસારમાં, ઇક્ષરસનું પાન કર્યું છે, તપચિંતવણી કાઉસગ્ગ આદિ વિષયો રજુ કર્યા છે. વાંચનારને ગુંચવાડામાંથી બહાર કાઢવાનો સરસ પ્રયોગ તેમણે કર્યો છે. આ વાંચતા એવું લાગે કે આચાર્ય ભગવંત પ્રત્યક્ષ તે વિષય સમજાવી રહ્યા છે
સાતમો વિભાગ છે કાવ્ય. જેમાં મયણાસુંદરી, પર કવિ પ્રિયદર્શનનું, શ્રી યશોવિજયજીનું, ધર્મનાથ જિન સ્તવન, હંસને માનસરોવરના કોડ, કાવ્યાત્મક આત્મ પરિચય, સંવેદન ભીના થઇએ આદિ અલંકૃત કર્યા છે.
આઠમા વિભાગમાં કથા રજુ કરી છે. જેમાં દર્શન કરવા ન ગયા તો પણ શ્રેષ્ઠ ગણાયા તેમાં સુલસા શ્રાવિકાની કથા સુંદર રીતે ટૂંકમાં રજુ કરી છે. આ ઉપરાંત શેરડીનો સાંઠો, ઘડો, સૂપડું, સાંબેલું, આંબાના વન જેવા થજો વગેરે કથાઓ અદ્ભુત રીતે રજુ કરી છે.
નવમા વિભાગમાં સુભાષિત આપ્યા છે જે દરેક વિભાગમાં ક્યાં ક્યાં મૂક્યા છે તે દર્શાવ્યું છે.
ખરેખર, પાઠશાળા ગ્રંથ એ અર્વાચીન સાહિત્યની અજોડ કૃતિ છે. પ.પૂ.આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ વિરચિત કથા કૃતિ :
(૧) ધન્યકુમાર ચરિત્ર ઈ.સ. ૨૦૦૮ સં.ર૦૬૪ (૨) પેથડકુમાર ચરિત્ર (૩) સત્વ સમૃધ્ધ સ્થૂલભદ્ર
સં.ર૦૬૬ ધન્યકુમાર ચરિત્રનું સંપાદન કરતા પ.પૂ.આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ કહે છે કે,
છેલ્લા કેટલાય સમયથી મીડીયા માધ્યમના કારણે ગણો કે અમેરિકાના વાયરસના કારણે ગણો, બધા જ ક્ષેત્રે આમૂલ મૂલ પરિવર્તન આવ્યું છે. તેવા વાવાઝોડામાં વર્તમાન કાળમાં ધર્મતત્વને વળગી રહેવાનું છે. સત્ત્વ સાથે અનુસંધાન સાધી રાખવાનું છે. તે માટે મને તૂર્ત સૂઝે છે તે એ કે ઉત્તમ પુરૂષોના ઉત્તમ ચરિત્રો વાંચવામાં આવે, વાગોળવામાં આવે તો પોતાની જાતને બદલવા માટે રોલમોડલ મળી રહે. વળી એ આદર્શ ચરિત્ર માપસર, રસાળ અને પ્રસગોથી અસરકારક હોવું જોઈએ. તેવાં ત્રણ ચારિત્રો પ્રત્યેક શ્રાવકના ઘરે હોવા જોઈએ. (૧) પેથડકુમાર ચરિત્ર (૨) ધન્યકુમાર ચરિત્ર (૩) શ્રીપાળ ચરિત્ર.
કાળના પ્રભાવે અલ્પ પુણ્યવાળા જીવો જ અહીં અવતરે છે તેવી સ્થિતિમાં પણ સમભાવથી નવાં ચીકણાં કર્મ ન બંધાય તે રીતે કેમ જીવવું તેનું પથદર્શન આ
516
Page #541
--------------------------------------------------------------------------
________________
૧૪
ચરિત્રોમાંથી થાય છે.
આ ચરિત્ર ધન્યકુમારના બાલ્યકાળ, ભાગ્યપરીક્ષા, પુણ્યનો પ્રભાવ, અદ્ભુત નિઃસ્પૃહતા, પુણ્યશાળીના પગલે, ધન્યકુમારનું બુદ્ધિચાતુર્ય, ધન્યકુમારનો પૂર્વભવ, પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ, ધન્નાશાલીભદ્રનો પ્રવજ્યા સ્વીકાર, પૂર્વભવની માતાએ લાભ લીધો, બંને મહાત્માઓની દેવલોકમાં ઉત્પત્તિ આદિ વિભાગોમાં વિભાજિત કરી સુંદર રીતે વર્ણવ્યું છે.
પ.પૂ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ પેથડકુમાર ચરિત્ર વિશે કહે છે કે
શ્રી રત્નમંડન ગણિ મહારાજે રચેલા આ ગ્રંથનું નામ જ એવું છે કે, એ સાંભળતા આપણને સમજતાં સહેજ પણ વાર નથી લાગતી કે, સાગરરૂપ આ ચિત્રમાં કેટકેટલીએ સુકૃત સરિતાઓની અપૂર્વ સંગમ થયો હશે. ઘણું જ ઉદાત્ત અને આદર્શરૂપ છે આ ચરિત્ર,
એમાં વર્ણવાયેલા એક એક પ્રસંગો એવા ચોટદાર છે કે, એ વાચંતા-સાંભળતાં શ્રી દેદાશા,પેથડશા અને ઝાંઝણશા-એ ધર્માત્મા ત્રિપુટીમાં રહેલા ઉદાર, શાસન ભક્તિ ધર્મનિષ્ઠા અને અપૂર્વ સમય સૂચકતા વગેરે મહાન ગુણોની ઝાંખી થાય છે. ’- ૧૫
આ ગ્રંથમાં રત્નત્રયી સમા પિતા, પુત્ર અને પૌત્ર એ ત્રણ નરરત્નોના જીવન પ્રસંગોનું વર્ણન આપવામાં આવેલું હોવા છતાં મુખ્યપણે પેથડશાનું જીવનચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. એટલે આ સુકૃત સાગરને પેથડકુમાર ચરિત્રના નામે પણ ઓળખવામાં આવે છે.
ભીમ શ્રાવકે સ્વીકારેલ બ્રહ્મચર્યવ્રતની ખુશાલી નિમિત્તે પેથડશાને પહેરામણી રૂપે મોકલેલ પૂજાની જોડને પહેરવાને બદલે ચંદનના છાંટા નાંખી તેની પૂજા કરતા જોઇ તેમનાં ધર્મપત્ની પ્રથમિણીએ જ્યારે એમને એમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેના જવાબમાં પોતે બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર નથી કર્યો એ કારણ જ જણાવ્યું. એ વખતે પ્રથમિણીએ કરેલા આહ્વાનને સહેજ પણ ખચકાટ કે વિલંબ વગર સ્વીકારી, બત્રીશ વર્ષની ભરયુવાન વયે, ઉમંગભેર, બ્રહ્મચર્ય વ્રતને અંગીકાર કરનાર એ નરવીરમાં સાચે જ અપૂર્વ વિષયવિરાગ, દઢમનોબળ, ધર્મનિષ્ઠા અને બીજાને અનુકુળ થઇને કાર્ય કરવાની વૃત્તિના આપણને આહ્લાદકારી દર્શન થાય છે.
વિષય વસ્તુની શૈલી :- આ ચરિત્રને ૮ તરંગોમાં વિભાજિત કર્યું છે. જેમાં પ્રથમ તરંગમાં પેથડશાનો જન્મ, બીજા તરંગમાં, ઝાંઝણનો જન્મ, આચાર્ચ શ્રીધર્મઘોષસૂરિ મહારાજનું આગમન અને પેથડશાહનો વ્રત સ્વીકાર, ત્રીજા તરંગમાં
517
Page #542
--------------------------------------------------------------------------
________________
પેથડની પ્રજોપકારિતા, સમકિત મોદકો, ભાગ્યની પરીક્ષા, સુવર્ણ-સિધ્ધિ પ્રયોગ છે. ચોથા તરંગમાં ૮૪ ચૈત્યોનું નિર્માણ અને જિર્ણોધ્ધાર, પેથડની નિરહંકારિતાનું વર્ણન છે, પાંચમા તરંગમાં પેથડકુમારનો બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર રાણી લીલાવતીનો જાપ, તેના પર ચડાવેલું આળ, રાણીનો આપઘાત પ્રયત્ન, રાજાનો પાશ્ચાતાપ અને રાણીનું ગૃહગમન. છઠ્ઠા તરંગમાં રાજ્યમાં સપ્તવ્યસન-નિવારણની ઉદ્ઘોષણા. સાતમા તરંગમાં પેથડ મંત્રીની પુસ્તકપૂજા, દેવપૂજા, પ્રતિક્રમણ પધ્ધતિ, સાધર્મિક ભક્તિનું, આઠમા તરંગમાં ઝાંઝણ મંત્રીની વીરતા અને અદ્ભુત શાસન પ્રભાવના, તેમની તીર્થયાત્રા આદિનું વર્ણન છે.
ઉપદેશ ઃઐતિહાસિક કથાઓમાં આ ચરિત્રમાં વર્ણવવામાં આવેલ દેદાશા, પેથડશા અને ઝાંઝણશાની ત્રિપુટીએ જે ધર્મસંઘના કાર્યો કર્યા છે તે અદ્ભુત છે. શ્રી દેદાશાહ કે પેથડકુમારના જીવનનું ઉત્થાન શ્રી નાગાર્જુનથી, આ.શ્રી ધર્મઘોષસૂરિજીથી જ થયું છે તે આ ચરિત્રમાં આવે છે.
વિમલશ્રી-જેઓ પેથડકુમારનાં માતા હતાં તેઓ રોજ સવારે દેરાસર પ્રભુનાં દર્શન કરી ગુરૂ મુખે પચ્ચખાણ લઇ ઘેર આવે ત્યાં સુધીમાં સવાશેર સોનાના સિક્કા આપતા
હતા.
તેથી એ નિત્યદાનથી સમૃધ્ધ થયેલા ઘણા આત્માઓ રાત્રે એ સોનામહોર આપવા આવતા પણ કોઇનું કશું સ્વીકારતાં નહિ ઔચિત્યના સંસ્કાર કેવા પ્રબળ હશે કે માંડવગઢમાં પ્રવેશ કરતી વખતે કાળો નાગ અને કાળી ચકલી જોઇને પગ માંડતા ખચકાયાં તો એક રાજસ્થાનવાસી ભાઇએ કહ્યું કે તુર્ત પ્રવેશ કરો, રાજા તો નહિ હવે મંત્રી બનશો.
આવું શુભ કહેનારને કંઇ આપવુ જોઇએ માટે ઉપરણાના ગજવામાં ખાંખાખોળા કરીને એક સોપારી આપે છે.
આપવા માટે મનુષ્યનો અવતાર છે એવી ઘણી વાતો બોધદાયક આ ચરિત્રમાં
છે.
આમ આ વાતો વાગોળવાથી આપણા જીવનમાં તે ગુણ દાખલ થાય છે. પ. પૂ. આ. શીલચંદ્રસૂરિ
શાસ્ત્ર-સાહિત્યમાં નિપુણ અને શાસન કાર્યોમાં અગ્રસેર પ.પૂ. આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિનું જીવન ચરિત્ર.
૧૬
વર્તમાન તપાગચ્છ શ્રી સંઘમાં પૂજ્ય આચાર્ય ભગવંતાદિ શ્રમણ ભગવંતોમાં
518
Page #543
--------------------------------------------------------------------------
________________
તેમજ જૈન સમાજના વિદ્ધર્યો તથા શ્રેષ્ઠીવર્યોમાં ગૌરવ ભર્યું સ્થાન શોભાવી રહ્યા છે. એવા પ.પૂ આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિજીનો જન્મ ભાવનગર શહેરમાં ઘોઘારી પરિવારમાં થયો હતો. બાળવયમાં જ ધર્મના ઊંડા સંસ્કારોથી અને પૂજ્ય સાધુ મહારાજાઓના સમાગમથી વૈરાગ્યની ભાવના જાગી-અને તેમની એ ભાવના બારેક વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરતા સાકાર બની. પૂજ્ય આચાર્ય શ્રી વિજય સૂર્યોદયસૂરિજી મહારાજના શિષ્ય બની, મુનિ શ્રી શીલચંદ્રવિજયજી નામ પામી, તેઓ દીક્ષાના પ્રારંભથી સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનોપાસનામાં એકાગ્ર બની ગયા. વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણો વડે તથા તેજસ્વી પ્રજ્ઞાબળે તેમજ પૂજ્ય ગુરૂદેવોની અમોધ કૃપાથી તેમણે જ્ઞાનોપાસનામાં ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા રહી શાસ્ત્રાદિ વિવિધ વિષયોનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની આ યોગ્યતાથી પૂ.ગુરૂદેવે તેમને સં.ર૦૪રમાં કપડવંજ મધ્ય ગણિપદ અને સં.ર૦૪રમાં અમદાવાદ મળે પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા."
પૂ.આચાર્ય શીલચંદ્રસૂરિજી મહારાજની જ્ઞાન પ્રાપ્તિનો ઇતિહાસ, ખરેખર અદ્ભુત છે. તેમના સંયમ જીવનનું ઘડતર પૂજ્ય ગુરૂદેવ શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે કર્યું. જ્યારે તેમના જ્ઞાનસંપાદનના ભણતર-ગણતર-ચણતરમાં પૂ.આ.શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનો ફાળો મુખ્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટેની તેમની તીવ્ર ઝંખના અને સતત જાગૃતિને લીધે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં પહોંચીને જે તે વિષયોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે. તેઓશ્રીએ પ્રખર વિદ્વાન પંડિત શ્રી બેચરદાસભાઈ પાસે પણ ઊંડો અભ્યાસ કર્યો છે. ભિન્ન ભિન્ન વિચારધારા ધરાવતા મહારથીઓ પાસેથી તેમણે જ્ઞાન સંપાદન કર્યું. એટલું જ નહિ એ સૌના હૃદયમાં તેઓશ્રીએ વિશિષ્ટ સ્થાન પણ પ્રાપ્ત કર્યું.
પરમ પ્રભાવી અને સમર્થ શાસ્ત્રવેતા પૂ.આ.શ્રીવિજયનંદન સૂરીશ્વરજી મહારાજ તેમના વિશે એક ગ્રંથમાં લખે છે કે, શીલચંદ્રવિજયની નાની ઉમર છતાં વિનયગુણ, કાર્યકુશળતા, પ્રતિભા સંપન્નતા સાથે તેમના હૃદયનો ઉમળકો, ઉલ્લાસ ને ઉત્સાહ પૂજ્ય શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જીવનકથા લખવાના કાર્ય માટે મને ખૂબ દેખાયો. તેથી મેં તેને આ મંગલ કાર્ય કરવાનું સોંપ્યું. તેમણે આ કાર્ય પૂર્ણ કર્યું અને મારી ભાવના, મારી ઉત્કંઠા પૂર્ણ કરી, સાકાર કરી. આ વિધાનથી જાણી શકાય કે પરમ પૂજ્ય આચાર્ય શીલચંદ્રસૂરીશ્વરજી નાની ઉમરથી જ જવાબદારી ભર્યા કાર્યને વહન કરવાની અને સફળ બનાવવાની શક્તિ અને ક્ષમતા ધરાવે છે.
પૂજ્યશ્રીની આ કૃતિ સાહિત્ય-સર્જન ક્ષેત્રે પ્રાયઃ પ્રથમ હોવા છતાં વિદ્વદ્ધર્યોમાં પ્રશંસનીય બની રહીઃ પૂજ્યશ્રીનું સાહિત્ય ક્ષેત્રે સંશોધન, સંપાદન સર્જન વિપુલ અને
519
Page #544
--------------------------------------------------------------------------
________________
નોંધપાત્ર રહ્યું છે. કોઈ પણ વિષય પર તેમની અભિવ્યક્તિ અસરકારક અને મર્મસ્પર્શી હોય છે. એ જ રીતે પ્રવર્તમાન પ્રશ્નો સમસ્યાઓને વિચારવાની, સમજવાની, મૂલવવાની અને સૂલઝાવવાની તેમની દ્રષ્ટિ વ્યાપક, વેધક અને સચોટ હોય છે. પૂજ્યશ્રી લેખો લખવા દ્વારા જૈન સમાજને અનેકવિધ રીતે, સમયે સમયે, ઉજાગર બનાવવા માર્ગદર્શનરૂપ અને પ્રેરણા રૂપ બનતા રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસન પ્રભાવનાનાં ચિરસ્થાયી અને ચિરસ્મરણીય કાર્યો પણ થયાં છે. આચાર્ય શીલચંદ્રસૂરિ રચિત કથા કૃતિ :
(૧) ધનધન શાસન મંડન મુનિવરા વિ.સ.૨૦૧૫ (૨) સમરૂ પલ પલ સુવ્રત નામ વિ.સ.૨૦૫૫ (૩) બાળ શ્રાવક ધર્મરૂચિ
વિ.સ.ર૦૫૫ બાળશ્રાવક ધર્મરૂચિ' કથાની પ્રસ્તાવનામાં વિજય શીલચંદ્રસૂરિ કહે છે કે, શ્રધ્ધા અને સંસ્કારનો આદર્શ ધર્મરૂચિ છે. જૈન સાધના માર્ગના બે પાયા વિરતિ અને જીવદયા જેને બચપણથી જ સાંપડે, તેનું જીવન કેવું પવિત્ર, સંસ્કાર પૂત અને ધન્ય હોય તેનો આલેખ ધર્મરૂચિની કથા દ્વારા આપણને સાંપડે છે. જૈન બીજાને બચાવે, મારે નહિ. મરણાંત કસોટી આવે તો પણ સાચો જૈન પોતાના વ્રત થકી વિચલિત ન થાય, પોતાની ટેક, પોતાનો ધર્મ ના છોડે, આવું ઘણું બધું આ ધર્મરૂચિ-બાળશ્રાવક આપણને શીખવી જાય છે." વિષય વસ્તુ - ધાન્યપુર નામે નગરમાં માણિભદ્ર નામે એક શેઠ હતો. ધર્મ અને લક્ષ્મી બંનેનું ત્યાં આગમનછે. શેઠ નીતિવાન હતો. શેઠને ધર્મરૂચિ નામે એક દીકરો હતો. એ બાર વર્ષનો થયો ત્યારે સુસંસ્કારોથી સર્વથા સુરભિત બની ગયો. એકવાર ધર્મરૂચિ સાંજના સમયે મિત્રો સાથે ફરવા નીકળ્યો. તેણે કિમતી દાગીના પહેર્યા હતા. તે વખતે દૂર ખેતરમાંથી ચોર ચોરનો આવાજ આવ્યો. બુકાની બાંધેલા અસવારોને લઇને ઘોડાઓનું નાનું જૂથ દોડ્યું આવતું હતું. બધા નાસી ગયા, બાળક ધર્મરૂચિ ભાગવા જાય છે, ત્યાં એના ઘરેણાનો ચળકાટ જોઈ ચોરે એણે પકડી પાડ્યો. તેને ઉપાડીને લઈ ગયા ત્યાંથી ગુલામ બજારમાં વેચ્યો. એક રસોઇયાએ ખરીદ્યો. તેને પંખીઓની હિંસા કરવાનું કામ સોંપ્યું. પરંતુ બાળક ધર્મરૂચિ અડગ રહ્યો. રસોઇયાએ મારપીટ કરી તેને ધમકી આપી. બાળક ધર્મરૂચિનો આવાજ સાંભળ્યો. બાળક ધર્મરૂચિને રાજાની પાસે લઈ ગયા. રાજાએ પ્રશ્ન કર્યો કે તું પંખીની હત્યા કેમ કરતો નથી? ત્યારે ધર્મરૂચિએ જવાબ આપ્યો કે મેં કોઈપણ જીવની હત્યા ન કરવાનું વ્રત લીધું છે. રાજાએ વ્રત છોડવા ઘણું સમજાવ્યો પણ ધર્મરૂચિ મક્કમ રહ્યો. પછી રાજાએ ચાબૂક મંગાવી, મદોન્મત હાથી મંગાવ્યો છતાં પણ તે ડર્યો નહિ, અડગ, નિશ્ચલ
520
Page #545
--------------------------------------------------------------------------
________________
રહ્યો. ધર્મરૂચિ મરણની રાહ જોતો નવકારના ધ્યાનમાં લીન બની ઉભો રહ્યો. ત્યારે રાજાએ ખુશ થઈને તેને અંગરક્ષક તરીકે નીમ્યો. પોતાની પાસે તેને રાખ્યો. ઉપસંહાર :- આ કથામાં બાળ શ્રાવક ધર્મરૂચિની મક્કમતા ખરેખર! વીરરસથી ભરપૂર છે. બાળકની નીડરતા, ધર્મ પ્રત્યેની શ્રધ્ધા આજની પેઢીને પશ્ચિમના વાવાઝોડા સામે ટકી રહેવા માટે ઉપદેશાત્મક, બોધાત્મક છે. આજનો બાળક કાલનો સુશ્રાવક છે. અને આવા વ્રતધારી શ્રાવકોની જૈન સમાજને અત્યંત જરૂરી છે. બાળકો આ કથામાંથી જરૂર બોધ પામશે અને આવા અનેક બાળ શ્રાવક-ધર્મરૂચિ પેદા થશે. ખરેખર! આચાર્ય શીલચંદ્રસૂરિએ આ કથાનું અદ્ભુત રીતે આલેખન કર્યું છે. ઓછા અને સચોટ શબ્દોમાં સુંદરમય રીતે કથાને વર્ણવી છે.
સમરું પલપલ સુવ્રત નામ' આ કથા વિશે આચાર્ય શીલચંદ્રસૂરિ કહે છે કે, આ કથા વિક્રમના ૧રમાં સૈકામાં થઈ ગયેલા હર્ષપૂર ગચ્છના આ.શ્રી ચંદ્રસૂરિ મહારાજે રચેલા પ્રાકૃત ભાષામય ગાથાઓમાં નિબધ્ધ શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર પર સંપૂર્ણપણે આધારિત છે. કથા એક પ્રકારનો મુક્ત ભાવાનુવાદ છે. વ્રજકુંડલ અને શ્રીવર્મના બે પ્રકરણોમાં કોઇ ઐતિહાસિક નવલકથાના લેખકને રસ પડે તેવો ભરપૂર મસાલો ભર્યો છે. એ પ્રકરણો વાંચતા એમ લાગે કે આપણે ધૂમકેતુ કે મુનશીની નવલકથા વાંચી રહ્યા છીએ. આ કથામાં શાસ્ત્રીય પદાર્થોનું નિરૂપણ અદ્ભુત ઢંગથી થયું છે. ગ્રંથકાર સ્વયં બૃહ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ જેવા ભૂગોળ-ખગોળ વિષયક શાસ્ત્રગ્રંથોના પ્રણેતા હોવાથી તેમની તે વિષયની સજ્જતા આ ગ્રંથમાં રૂડી રીતે વ્યક્ત થતી અનુભવી શકાય છે.“
આ કથા ૩૧૧ પાનામાં સમાયેલી છે. તેમાં સૌપ્રથમ શિવકેતુનું ત્યારબાદ કુબેરદત્ત, વજકુંડલ, શ્રીવર્ગ અને છેલ્લે મુનિસુવ્રતસ્વામીના ભવનું વર્ણન છે. આ કથામાં જંબુદ્વીપનું વર્ણન છે. ચક્રવર્તી અને વાસુદેવની ખંડ મર્યાદા દર્શાવી છે. વાક્યરચના વિશેષણોથી ભરપૂર છે. મુનિનું વર્ણન પણ અદ્ભુત રીતે કર્યું છે. જેમકે,
કેવી નયનાભિરામ મુદ્રા હતી એમની! એમનું મુખડું કેવું તેજસ્વી અને પ્રસન્ન હતું! તેમનો સ્વર કેટલો મીઠો હતો જાણે વેદગાન કરતા હોય તેવું લાગતું હતું. એમના સામે જોતાં જ મારા હૈયે કેવી ઠંડક વળવા માંડેલી. આવી શાતા તો મેં ક્યાંય પામી નથી. શું હું ફરીથી ત્યાં જઈ ન શકું? ત્યાં જઈ શકાય, ને એમની સમક્ષ થોડીવાર બેસી શકાય તો મને કેટલી બધી શાંતિ મળે!
આ વાક્યો વાંચતા વાંચકની નજર સમક્ષ મુનિની સૌમ્ય પ્રતિભાનું ચિત્ર ખડું થઇ જાય તેવું છે. આ શીલચંદ્રસૂરિએ સુંદર રીતે કથાનું આલેખન કર્યું છે. લેખકની
521
Page #546
--------------------------------------------------------------------------
________________
શૈલી એવી છે કે પાત્ર જીવંત બની જાય છે.
રાજપુરોહિત વિશ્વભુતિના પુત્ર શિવકેતુના પૂર્વભવનું વર્ણન પણ હૃદયસ્પર્શી છે. કરેલા કર્મો ભોગવવા જ પડે છે તેવો બોધ આપે છે. કર્મબંધનથી છૂટવા માટે ત્યાગનો માર્ગ અપનાવવા માટે શિવકેતુ જ્યારે તેના માતા પિતાને વાત કરે છે ત્યારે એ સંવાદ પણ રસમય છે. વાચકને કુતૂહલ ઉપજે તેવા છે.
લેખકની શૈલી નાટ્યાત્મક છે. જાણે કોઈ નાટક ચાલી રહ્યું હોય તે રીતે સંવાદો મૂક્યા છે. આ કથા દ્વારા લેખકે જૈન ધર્મના રહસ્યો તેમ જ ભરપૂર તત્ત્વરસ પીરસ્યો
કુબેરના વ્યક્તિત્વનું વર્ણન કરતા તેઓશ્રી કહે છે કે “ઉત્તમ સંસ્કાર, સહજવિનય અને તીક્ષણ પ્રજ્ઞા-આ ત્રણનો સુમેળ ધરાવતા કુબેરદત્તે અત્યંત ઝડપથી બધી કળાઓ, વિદ્યાઓ તથા શાસ્ત્રો હસ્તગત કરી લીધાં.”
આમ, ઓછા શબ્દોમાં અલંકારિત વાક્યો દ્વારા તેનું પાત્ર ઉપસાવ્યું છે.
વજકુંડલ અને વીરસેનના ગુણોનો પરિચય કરાવતા આચાર્યશ્રી વીરસેનની વીરતા અને બુદ્ધિમત્તાના દર્શન પણ આ કથામાં કરાવે છે.
શ્રીવર્મકુમારની વિશાલ યાત્રાનું વર્ણન પણ ખૂબ જ સુંદર રીતે કર્યું છે શ્રીવર્મકુમારના વિનયવિવેક આદિ ગુણો પણ લેખકે આલેખ્યા છે. સુપાત્રદાનનું મહત્ત્વ પણ વર્ણવ્યું છે.
મુનિસુવ્રત સ્વામીનો ભવ વર્ણવતા પ્રથમ વાક્ય દ્વારા શિવકેતુથી મુનિસુવ્રત સ્વામીના ભવ સુધીના ઉત્થાનને ઉત્ક્રાંતિ શબ્દ વાપરી એક અનોખી શૈલીથી રજૂ કરે છે. જેમકે,
શિવકેતુની ઉત્ક્રાંતિયાત્રાનો હવે અંતિમ મુકામ આવી પહોંચ્યો છે. ઉત્ક્રાંતિ સામાન્ય રીતે બે પ્રકારે હોયઃ માનવીય અને આધ્યાત્મિક. માનવીય ઉત્ક્રાંતિ એ આધુનિક વિજ્ઞાનની કલ્પનાની નીપજ ગણાય. જ્યારે આધ્યાત્મિક ઉત્ક્રાંતિની વાસ્તવિકતા એ વિજ્ઞાનવાદ માટે હજી એક રહસ્યમય કલ્પના જ છે.
તીર્થંકર પરમાત્મા મુનિસુવ્રતસ્વામીના જન્મનું વર્ણન પણ આધુનિક ઢબથી કર્યું
મુનિસુવ્રતસ્વામીના જન્મ, રાજ્યાભિષેક, વર્ષીદાન, દિક્ષાયાત્રા, દીક્ષા, વિહાર, અશ્વને પ્રતિબોધ કર્યો તે કેવળજ્ઞાન, નિર્વાણ આદિ વર્ણનો નોંધપાત્ર છે.
522
Page #547
--------------------------------------------------------------------------
________________
ધન ધન શાસન મંડન મુનિવરાની પ્રસ્તાવનામાં વિજયશીલચંદ્રસૂરિ મ.સા.કહે છે કે,
“આ પુસ્તકમાં વંદનીય શ્રમણ પરંપરાના પ્રતીક સમાન કેટલાક શાસન-ધોરી સંઘનાયક ભગવંતોનો અતિઅલ્પ શબ્દો વડે આછેરો પરિચય આપવાનો એક અદનો પ્રયાસ થયો છે. સૂર્યને ફાનસ વડે જોવાના-દેખાડવાના પ્રયાસ સાથે આને સરખાવી
,,e
શકાય.
જૈન શાસનને અઢી હજાર વર્ષોમાં થઇ ગયેલા અસંખ્ય મહાન શ્રુતધરશાસનપ્રભાવક ગુરૂભગવંતોએ અજવાળ્યું છે, અવિચ્છિન રાખ્યું છે. જૈન શાસન અને સંઘ પર આવેલા અગણિત આક્રમણોની સામે પણ શાસન અને સંઘ આજ પર્યંત અવિચલ-અડગ રહ્યાં છે. તેનું મુખ્યકારણ આપણી યશોજ્જવલ શ્રમણ પરંપરા જ છે.
આ પુસ્તકમાં કૂરગુડુમુનિની કથા દ્વારા ક્ષમાધર્મની મહત્તા બતાવી છે. ક્ષુલ્લકમુનિની કથામાં સંયમથી વિચલિત થઇ સંસારમાં આવવાનો પ્રયાસ કરનાર મુનિ નર્તકીના એક વેણ, બહુત ગઇ થોડી રહી! એ સાંભળી સંયમ છોડવાના જે ભાવ હતા તેને બદલે સંચમમાં સ્થિર થઇ ગયા.
‘ચંડદ્રાચાર્ય’ની કથામાં ક્રોધી ગુરૂનો પાશ્ચાતાપ કેવળજ્ઞાન સુધી તેમને લઇ જાય છે.
‘કપિલકેવલી’ની કથામાં લોભનું ફળ કેવું? તે ભણી કપિલ સંયમ ગ્રહણ કરી કેવળજ્ઞાનને પામે છે.
‘પ્રસન્નરાજર્ષિ’ની કથામાં પ્રભુ મહાવીરે શ્રેણિકને બોધ આપ્યો કે કલેશસહિત મન સંસાર, કલેશરહિત મન તે ભવપાર.
‘અનાથીમુનિ’ની કથામાં આત્મજ્યોત પ્રગટાવતા અનાથીમુનિ શ્રેણિકને બોધ પમાડે છે. રાજન! તું સ્વયં અનાથ છે, મને શું સુખ આપી શકવાનો?
આ વાક્ય હૃદયસ્પર્શી અને વૈરાગ્ય ઊપજાવે તેવું છે.
‘શઅંભવસ્વામી’ની કથામાં દીક્ષા બાદ આઠ વર્ષના દીક્ષિત પુત્ર મનકને અંતિમ સમાધિ આપવા દશવૈકાલિક રચનાર પિતાની કથા છે.
‘ભદ્રબાહુસ્વામી’ની કથામાં ઉવસગ્ગહરં તેમજ કલ્પસૂત્રના પ્રણેતા સૂરિજીની જ્ઞાનશક્તિના દર્શન થાય છે.
‘કાલિકાચાર્ય’ જૈન ઇતિહાસના એક અમર યુગ પુરૂષ તરીકે જેનું નામ પ્રસિધ્ધ
523
Page #548
--------------------------------------------------------------------------
________________
છે. જેમણે ગઈભિલ્લ રાજાની કેદમાંથી બહેન સાધ્વી સરસ્વતીને છોડાવ્યા તે રીતે તેની શીલ રક્ષા કરી. - આ રીતે તેમણે બહેન પ્રતિ ભાઈના પ્રેમનો એક અજોડ આદર્શ જગત સમક્ષ રજૂ કર્યો.
‘વજસ્વામી”ની કથા દ્વારા પૂર્વજન્મના સંસ્કારોનો પ્રભાવ કેવો હોય તે સમજાવવામાં આવ્યું છે.
સિધ્ધસેન દિવાકરસૂરિ એ મૂળે તો બ્રાહ્મણ પંડિત. પોતે કરેલ ભૂલના પ્રાયશ્ચિત રૂપે અજ્ઞાતવાસ રહે છે બાર વર્ષ. અંતે તેઓ પુનઃ ઉજ્જયનિ પધાર્યા શિવલિંગના સામે પગ થાય તેમ સૂઈ ગયા અને ત્યાં રાજા ખુદ વિનંતી કરવા આવે છે ત્યારે ત્યાં ઊભા થઈ “બૃહત્ સ્તોત્ર'નું સર્જન કર્યું જેના પ્રભાવે શિવલિંગની નીચે અવંતિ પાર્શ્વનાથની શ્યામ પ્રતિમા પ્રગટ થઈ.
દેવાર્ષિ ગણિ ક્ષમાક્ષમણ” એટલે જૈન ઇતિહાસનું પરિવર્તન, નંદીસૂત્ર નામના મહાન આગમ તે તેઓની રચના છે.
મલ્લવાદીસૂરિ ક્ષમાક્ષમણે પાચરિત્ર(જેન રામકથા) લખી, તેમને વાદીનું બિરૂદ મળ્યું તેથી તેઓ મલ્લવાદસૂરિ કહેવાયા. તેમનું મૂળ નામ મલ્લસૂરિ હતું.
જૈન લઘુશાંતિના રચયિતા “શ્રી માનદેવસૂરિ'નું પણ જીવન ચરિત્ર વર્ણવ્યું છે. ભક્તામર સ્તોત્રના રચિયતા “શ્રી માનતુંગસૂરિનું પણ જીવન ચિત્રણ રજુ કર્યું
હરિભદ્રસૂરિના જીવનનું ઉત્થાન અહંકારને જ આભારી છે એમ બેધડક કહી શકાય જો એમનું જીવન ચરિત્ર વાંચીએ તો.
ગુરૂ શિષ્યની બેલડી તે છે ઇતિહાસના અમર પાત્રો અને એ છે શ્રીબપ્પભટ્ટસૂરિ અને આમ રાજા. ૧૧ વર્ષની ઉમરે આચાર્ય પદવી પામી, ઉત્તમ ચિત્રકારો વડે જિનાલયોમાં ભવ્ય કલાત્મક ચિત્રો રચાવી ઠેરઠેર પ્રતિષ્ઠા કરાવી. ગિરનાર તીર્થ રક્ષક તેમજ અનેક ગ્રંથોના રચયિતા હતા.
જેન આચાર્યના નામ ઉપરથી કોઈ નગરનું નામ પડ્યું હોવાનો દાખલો ઈતિહાસમાં એક જ મળે છે. પાદલિપ્તપુર, (પાલિતાણા)-પાદલિપ્તસૂરિના નામ ઉપરથી ગુજરાતના સોલંકીયુગમાં થનાર આચાર્યોમાં જેનું નામ મોખરે છે તેવા સૂરાચાર્યની કથા વર્ણવી છે.
524
Page #549
--------------------------------------------------------------------------
________________
નવાંગી ટીકાકાર અભયદેવસૂરિની જીવન રેખા પણ અહીં અંલકૃત કરી છે.
અહિંસાની શક્તિને રોમરોમમાં ખીલવનાર એક યુગપુરૂષ જે આજથી નવસો વર્ષ પૂર્વે ગુજરાતમાં થયા તેમનું નામ છે હેમચંદ્રાચાર્ય. એમની જીવન ઝલક પણ અહીં આલેખી છે.
વિક્રમના બારમા સૈકામાં થયેલ આચાર્યોમાં જેનું નામ મોખરે છે તેવા દાદા જિનદત્તસૂરિનું જીવન દર્શન અહીં પ્રસ્તુત કર્યું છે. જૈન સંઘના ઇતિહાસમાં તેમનું નામ સોનાની શાહીથી લખાયું છે.
જિનશાસનના આઠ પ્રભાવકમાં જેનું નામ છે તથા પેથડશા મંત્રીના ઉપકારી ધર્મઘોષસૂરિજીની કથા પણ અહીં અલંકૃત કરી છે.
અકબરને પ્રતિબોધ કરનાર જગતગુરૂ હીરવિજયસૂરિનું જીવનચિત્રણ પણ અત્રે અંકિત કર્યું છે.
મહોપાધ્યાય યશોવિજયજી જે ભૂતકાળના ઇતિહાસના અમરપાત્ર જ નહિ પ્રણેતા છે. તેમની જીવન ઝલકની પણ અહીં ઝાંખી કરાવી છે.
વિક્રમના સત્તરમાં સૈકામાં થયેલ કવિ ઉદયરત્નની જીવન રેખા અહીં પ્રસ્તુત કરી
સાત્વિક્તાની મૂર્તિ, તીર્થોધ્ધારક, બાલબ્રહ્મચારી એવા ર૦મી સદીના આચાર્ય નેમિસૂરિના જીવન ચરિત્રને પણ અહીં ઓછા શબ્દોમાં સુંદર રીતે વર્ણવ્યું છે.
આમ પરમ પૂજ્ય આચાર્ય વિજય શીલચંદ્રસૂરિ એ પોતાના બુધ્ધિ કૌશલ્યથી ભરપૂર તત્વ સાથે સાહિત્ય જગતમાં વાર્તાનો ખજાનો મૂકયો છે. મુનિ શ્રી અકલકવિજયજી -
પ્રાચીન જૈન સાહિત્યમાં કથાઓ જુદી જુદી જગ્યાએ અનેક પડી છે. વીણીવીણીને ટૂંકમાં તથા મુદ્દાસર કરીને નાના સંપુટ દ્વારા જન-સમાજમાં રજુ કરવાનો પ્રયાસ શ્રી અકલંક ગ્રંથમાળા દ્વારા થયો છે.
કથાનુયોગ દ્વારા સમગ્ર જૈન સંઘમાં સમ્યકજ્ઞાનનો પ્રકાશ રેલાવવાની પ્રશસ્ત ભાવનાથી મુનિશ્રી અકલકવિજયજીએ કથાનું સુંદર સંકલન કર્યું.
કથાઓ માણસની Current Life ની સાથે સંકળાતી હોવાથી Interest ઉત્તેજિત કરે છે. અને રસ જાગે એટલે તત્વજ્ઞાન સહેલાઈથી સમજી જવાય છે.
પાપનાં કડવા ફળ જાણીને પાપ પ્રવૃત્તિનો રસ છૂટે અને પાપમય સંસાર પ્રત્યે
525
Page #550
--------------------------------------------------------------------------
________________
ધિક્કાર ભાવ જાગે તે ધર્મકથાનું શુધ્ધ ધ્યેય છે. ઘરમાં અબાલ વૃધ્ધ બધા સભ્યો ધર્મકથા કરતા હોય તો તે સંસ્કારી કુટુંબ સમજવું. જેન કથાનુયોગના શાસ્ત્રો. હજારોની સંખ્યામાં છે. લાખો કથાઓ છે. તેમાંથી ચૂંટેલી કથાઓ અકલંક ગ્રંથમાળામાં લેવામાં આવી છે.
મુનિ શ્રી અકલકવિજયજીનો જન્મ ૧૯૭૦, ફાગણ સુદ-૫ મહેસાણામાં થયો હતો. તેમનું સંસારી નામ અમૃતલાલ શીવલાલ શાહ હતું. તેમણે આચાર્ય વિજયભુવનભાનુસૂરિ પાસે સંવત ૨૦૩૫ વૈશાખ સુદ ત્રીજના રોજ મલાડ મુકામે દીક્ષા લીધી. દીક્ષા પછીનું તેમનું નામ મુનિ અકલકવિજયજી રાખવામાં આવ્યું. તેમણે પ્રેમસૂરિ મહારાજ પાસે ધાર્મિક અભ્યાસ કર્યો. તેમણે ૧૦૦ ઓળી પૂર્ણ કરી હતી.
તેમણે બહાર પાડેલ કૃતિઓ નીચે મુજબ છે.* (૧) અકલંક વિજયજીનું જીવન ચરિત્ર () કુમારપાળ ચરિત્ર (૩) ભક્તામર અર્થ કથાસહિત (૫) નળદમયંતી ચરિત્ર (૬) જૈન કથાઓ ભાગ ૧થીર૯ (૭) શુકરાજાની કથા (૮) કુવલયમાલા કથા (૯) સામાયિક-પ્રતિક્રમણ તથા અષ્ટકર્મ ઉપરની કથાઓ (૧૦) તિલકમંજરી કથા (૧૧) વૈરાગ્યનું અમૃત યાને સમરાદિત્ય ચરિત્ર (૧૨) ઋષભદેવ ચરિત્ર સ્તવનો સાથે (૧૩) શાંતિનાથ ચરિત્ર સ્તવનો સાથે (૧૪) નેમનાથ ચરિત્ર સ્તવનો સાથે (૧૫) પાર્શ્વનાથ ચરિત્ર સ્તવનો સાથે (૧૬) મહાવીર સ્વામી ચરિત્ર સ્તવનો સાથે (૧૭) જૈન રામાયણ (૧૮) શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર (૧૯) વીશ સ્થાનકની કથાઓ (ર૦) જૈન કથાઓ ભાગ-૪ (૨૧) શ્રીપાળ મયણાસુંદરી ચરિત્ર (રર) નેમિ વિવાહલો (૨૩) મહાબળ મલયાસુંદરી ચરિત્ર (ર૪) જૈન મહાભારત (૨૫) વસુદેવ હિંડી (ર૬) સમકિત મૂળ બાર વ્રતની કથા (૨૭) બુધ્ધિસાગરસૂરિ જીવનઝરમર (૨૮) ચંદરાજાનું ચરિત્ર (ર૯) પેથડશાહ ચરિત્ર (૩૦) ભીમસેન નૃપચરિત્ર (૩૧) શ્રીસુરસુંદરી ચરિત્ર (૩ર) રાજેન્દ્રસૂરિ ચરિત્ર (૩૩) વંદિતાસૂત્ર અર્થ કથા ચરિત્ર (૩૪) જૈન કથાઓ અને સુબોધ કથાઓ (૩૫) ઉપમિતિ ભવ પ્રપંચ કથા આદિ.
મુનિશ્રી અકલકવિજયજીએ જેન રામાયણ લખી. કલકિાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે સાડા ત્રણ ક્રોડ શ્લોક પ્રમાણ શાસ્ત્રો લખાવ્યા તેમાં ત્રિપષ્ઠિના દસ પર્વ છે. સાતમા પર્વમાં રામાયણ છે."
આ રામાયણની અજબ અપૂર્વ ખૂબી છે. ૬૩ શલાકા પુરૂષોમાં રામ-લક્ષ્મણની જોડી જૈન-જૈનેતર દરેક વર્ગને એક સરખી આદરણીય છે.
મુનિ શ્રી અકલકવિજયજી દ્વારા લખાયેલ આ ગ્રંથમાં આવતા પાત્રોમાં જીવન
526
Page #551
--------------------------------------------------------------------------
________________
જીવવાની એવી ખૂબી હતી કે જેથી લાખો ઉપરાંત વર્ષો પછી પણ કથાકારની કથા શ્રવણથી જીવોમાં ભાતૃભાવ-ઉદારતા, સમર્પિત ભાવ આવે છે.
ભાતૃસ્નેહ, નિઃસ્પૃહતા, ભક્તિભાવ, વિનય, નમ્રતા, સહનશીલતા, સદાચારિતા, આદિ ગુણો નાનામોટા સૌને સરખી રીતે આદરણીય બને છે. રામ, લક્ષ્મણ, હનુમાન, સીતા વગેરેમાંથી એવા આદર્શો મળે છે કે દરેકને પોતાનું જીવન ઉચ્ચ બનાવી પરમાત્મપદ પ્રાપ્ત કરાવી આપવામાં નવી નવી પ્રેરણા મળે છે.
આમ, મુનિ શ્રી અકલકવિજયજી એ સ્વપરના ઉપકાર અર્થે જ ઉદ્યમ કરી પ્રામાણિક ગ્રંથોને બાળજીવોના ઉપકાર અર્થે પીરસ્યો છે. પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ:
આર્યવર્તની ગૌરવવંતી સંસ્કૃતિની રક્ષા અને જૈન શાસનના યોગક્ષેમ કાજે શ્રી જૈન સંઘને સતત જાગૃત અને પ્રવૃત બનાવનાર પ્રખર અને પ્રસિધ્ધ પ્રવચનકાર પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી.*
સોનાના ઘૂઘરે ખેલતા અને ચાંદીની લખોટીએ રમતા બાલ ઇન્દ્રવદન યૌવનના ઉંબરે પગ મૂકતા સુખ-સાહ્યબીનો ત્યાગ કરી કઠીન એવા ત્યાગ માર્ગે સંચરશે એવી કલ્પના કોને હોય! કોઈ શુભ ઘડીએ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો અને ઇન્દ્રવદનનો જુગજુગ જૂનો વિરાગ જાગી ઉઠ્યો. ૧૧/૧૨ વર્ષની ઉમરે ઇન્દ્રવદને પિતાની સમક્ષ દીક્ષાની ભાવના દર્શાવી. પણ પિતાજી રજા આપવા તૈયાર ન થયા. થોડા સમયમાં તેમના પિતાનું અવસાન થયું હતું. કાકા જીવાભાઈની રજા મળવી પણ મુશ્કેલ હતી. ધીરે ધીરે જીવાભાઈને ખ્યાલ આવ્યો કે, ઈન્દ્રવદન સંસારમાં પડે તેમ નથી. એમણે ઇન્દ્રવદનને કહ્યું કે, તું મેટ્રિક પાસ થઈ જા પછી તને દીક્ષા માટે રજા આપું. ઇન્દ્રવદને દીક્ષાની ભાવના સાકાર કરવા કમર કસીને મેટ્રિક પાસ કરી. દીક્ષાનું મુહૂર્ત નક્કી થઈ ગયું. દીક્ષાના ઓચ્છવનું ભવ્યાતિભવ્ય આયોજન થયું. સં. ૨૦૦૮ના, વૈશાખસુદ-૬ના શુભ દિવસે મુંબઈ ભાયખલાના વિશાલ પ્રાંગણમાં અઢાર વર્ષની ઉંમરે તેમણે દીક્ષા અંગીકાર કરી.
પૂજ્ય આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય બનાવી. મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજી નામે જાહેર કર્યા. તેમની વાણીમાં તેમજ કલમમાં અદ્ભુત સામર્થ્ય હતું.
527
Page #552
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નસેનસૂરીશ્વરજી
ગોડવાડના ગૌરવ સમાન,પ્રવચન પ્રભાવક તેમજ હિંદી સાહિત્યકાર પૂજ્ય પંન્યાસ શ્રી રત્નસેનવિજયજી મ.સા.એ ૧૨૬થી વધારે પુસ્તકો લખ્યા છે. તેમાં કથાવિષયક સાહિત્ય પણ તેમણે રચ્યું છે. જેનાં નામ નીચે પ્રમાણે છે.
ધારાવાહિક કહાની :
(૧) કર્મન્ કી ગત ન્યારી
(૨) આગ ઔર પાણી ભાગ-૧,૨
(૩) કર્મ કો નહીં શર્મ
(૪) શ્રીપાળ મયણા
(૫) ભગવાન મહાવીર
(૬) મહાવીરપ્રભુ કા સચિત્ર જીવન (૭) તબ આંસુ ભી મોતી બન જાતે હૈ (૮)કર્મ નચાએ નાચ
ઉપદેશક કહાનિયાઁ :
(૧) જીંદગી જિંદાદિલી કા નામ
(૨) પ્રિય કહાનિયાઁ
(૩) ગૌતમસ્વામી-જંબૂસ્વામી
(૪) મનોહર કહાનિયાઁ
(૫) ઐતિહાસિક કહાનિયાઁ
(૬) તેજસ્વી સિતારે
(૭) જિનશાસન કે જ્યોતિર્ધર
(૮) પ્રેરક કહાનિયાઁ
(૯) મધુર કહાનિયાઁ
(૧૦) મહાસતિયોં કા જીવન
(૧૧) આદિનાથ, શાંતિનાથ ચરિત્ર
(૧૨) સરસ કહાનિયાઁ
(૧૩) પારસ પ્યારો લાગે
(૧૪) શીતલ નહીં છાયા રે
(૧૫) આવો વાર્તા કહું
તેમણે રચેલ પુસ્તક ‘ગુણવાન બનોં’માં ૧૮ દોષ નિવારણ માટે યોગ્ય ઉપાય
528
Page #553
--------------------------------------------------------------------------
________________
દ્વેષ
કલહ
માટે
બતાવ્યા છે. મોક્ષ માર્ગમાં અંતરાય રૂપ ૧૮ પાપસ્થાનક દ્રષ્ટાંત સાથે સમજાવ્યા છે. તેમાં – અહિંસા માટે તેમનાથનું, મેઘરથરાજાનું.
માટે
વસુ રાજાનું ચોરી માટે
દેવાનંદાનું પરિગ્રહ
પેથડ શાહનું અભિમાન
શ્રેણિક, સ્થૂલભદ્રનું માયા
ચંડપ્રદ્યોત અને અભયકુમારનું લોભ
મમ્મણ શેઠનું અગ્નિશર્મા તાપસનું
ગુણમંજરીના પૂર્વભવનું જૂઠા આરોપ માટે ઋષિદત્તાનું પશુન્ય માટે ચાણક્ય અને સુબંધુ મંત્રીનું
રતિ-અરતિ માટે ક્ષુલ્લકમુનિનું દૃષ્ટાન્ન આપ્યું છે. આ ઐતિહાસિક દૃષ્ટાંતો ઉપરાંત અન્ય દૃષ્ટાંતો આપીને પંન્યાસજીએ આબાલ જીવોને સમજાવવા માટે સુંદર પુસ્તક લખ્યું છે."
બ્રહ્મચર્ય” પુસ્તકમાં ૫૪ પ્રકરણ પાડ્યા છે. તેમાં બ્રહ્મચર્યનું પાલન કરનાર અને તેનું ખંડન કરી પતન થનારા ઐતિહાસિક દ્રષ્ટાંતો આપ્યા છે. જેમાં સુનંદા, રાજીમતી, સીતા, પેથડશાહ, વિજયશેઠ-વિજયાશેઠાણી, સ્થૂલભદ્ર, બપ્પભટ્ટસૂરિ આદિ દ્રષ્ટાંત આપ્યા છે. પશ્ચિમની આંધી, બીભત્સ ચેનલોના આક્રમણથી શીલ સંકટમાં આવ્યું છે. આવા સમયે બ્રહ્મચર્ય જેવા પુસ્તક દ્વારા સદાચારનો પાઠ આપી શકાય છે.' આમ, તેઓશ્રીએ જૈન સાહિત્યમાં સારું એવું યોગદાન ફાળવ્યું છે.
આચાર્ય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી આચાર્ય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજે “કલ્યાણ” નામના માસિકમાં સુખ દુઃખની ઘટમાળ નામની કથા લખી હતી. એ કથા ત્યાર બાદ પુસ્તક રૂપે પ્રકાશિત થઈ.
વીર નિર્વાણ પછી લગભગ ૬૬૫ વર્ષ બાદ થઈ ગયેલા પ્રભાવક શ્રીપાદલિપ્તાચાર્યે પ્રાકૃત ભાષામાં “તરંગવતી”ની કથા સવિસ્તાર-શૈલીથી આલેખી હતી. અત્યારે આ રચના અનુપલબ્ધ છે. પણ આ રચનાના આધારે શ્રી નેમિચંદ્ર ગણિ રચિત કથા સંક્ષેપમાં અત્યારે ઉપલબ્ધ છે. એ યુગમાં આ કથા ખૂબ જ લોકપ્રિય
529
Page #554
--------------------------------------------------------------------------
________________
હતી. આચાર્ય પૂર્ણચંદ્રસૂરીશ્વરજીએ આ કથાને નાના-નાના વિભાગોમાં વહેંચી વિ.સં. ર૦૫૯માં સુંદર રીતે રજૂ કરી છે. તરંગવતીના પૂર્વ જન્મની કથા વસ્તુ -
ચક્રવાક અને ચક્રવાકી બંને આનંદથી કિલ્લોલ કરતાં તળાવમાં ક્રીડા કરી રહ્યા હતા. ત્યાં એકાએક પારધીનું તીર વાગ્યું અને ચક્રવાકનું મૃત્યુ થયું. ત્યારબાદ ચક્રવાકી પણ તેની પાછળ મૃત્યુ પામે છે. તરંગવતીને જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વ જન્મમાં જે ચક્રવાક હતો, એ જ આ જન્મમાં મળશે તો લગ્ન કરશે, એવું નક્કી કરે છે. ચિત્રપટ તૈયાર કરાવી રાજકુમારને શોધે છે અને પછી ઘણી ઉથલ-પાથલ થયા પછી બંનેનું મિલન થાય છે. સમય જતાં એકવાર મુનિ ભગવંતની દેશના સાંભળતા યોગવિયોગનું, વિરહનું કારણ પૂર્વજન્મના કરેલ કર્મો વગેરે જાણતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને બંને દીક્ષા લે છે.
પૂર્ણચંદ્રસૂરીશ્વરજીએ કથા આધારિત ઘણી પુસ્તકો લખી જેમકે, ભાગ્યચક્ર, પ્રેરણા પ્રકાશ (જેમાં પરમાત્મા પાર્શ્વનાથની જીવનકથા, મદનરેહાની કથા, નળદમયંતીની કથા સુંદર રીતે રજૂ કરે છે.) ફૂલ અને ફોરમ (જેમાં તૂટયા તાર ગૂંજ્યુ ગીતમાં મંદોદરી-રાવણની કથા, ભિખારી ધન કુબેર, દિલ દિલથી જીતાય એવી અનેક કથાઓ છે.) કલિકાલ સર્વજ્ઞ અને કુમારપાલ, અંધારે અજવાળાં, ઝેર તો પીધાં જાણી જાણી, દરિયામાં એક વીરડી મીઠી, મૃગજળની માયા, પળપળના પલટા, કમળની કેદ, કલ્યાણયાત્રા, ચિંતન અને ચિનગારી, સો સો સલામ સંસ્કૃતિને, શૌર્ય અને શહાદત, વેર અને વાત્સલ્ય, પ્રકાશ પ્રતિ પ્રયાણ, કલ્યાણ મંત્ર, સન્ના ત્રાજવે મૂંઝાતા માનવીને, મૂંઝવણમાંથી મુક્તિ, પુણ્યે જાય પાપે ક્ષય, જીવદયા કાજે જંગ આદિ અનેક.
ભાગ્યચક્ર” પુસ્તકમાં આચાર્ય પૂર્ણચંદ્રસૂરિએ વીરભદુની જીવન કથા સુંદર રીતે આલેખી છે. દરેક પ્રસંગોને અલગ-અલગ વિભાગમાં વહેંચી ઋષભદાસ શ્રેષ્ઠીના પુત્ર વીરભદ્રની જીવનની શરૂઆતથી મુનિ વીરભદ્ર બન્યા ત્યાં સુધીની કથાને રજૂ કરી છે.
આમ કથામાં નવે નવ રસોને સુંદર રીતે આવરી લીધા છે. છેલ્લે દરેક જૈન મુનિ જેમ શાંતરસ દ્વારા વૈરાગ્યની વાત સમજાવે છે, એવું જ આચાર્ય પૂર્ણચંદ્રસૂરિએ કથાને શાંતરસ તરફ વળાંક આપી સુંદર બોધ આપ્યો છે.
- પ.પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ મ.સા. જૈન મુનિઓમાં અભ્યાસનિષ્ઠાની મોટી પરંપરા છે. અને સાથે સાથે સર્જકતાની
530
Page #555
--------------------------------------------------------------------------
________________
પણ. યશોવિજયજી, આનંદધનજી વગેરે અનેક સાધુઓએ ઉત્તમ સર્જન કર્યા છે.
જૈનોનું કથા સાહિત્ય અત્યંત સમૃધ્ધ છે. અત્યંત સુંદર, સારગર્ભ, જીવનના મર્મને છતો કરી દેતી અને જીવનનાં ઊંડાણો સુધી પહોંચી જતી કથાઓ જૈનોના સાહિત્યમાં ઠેર ઠેર વેરાયેલી પડી છે. તેમાંનું વૈવિધ્ય કુતૂહલને સંતોષે અને ઊંચી રસ દ્દષ્ટિને સંતર્પક બને એવું છે. વીસમી એકવીસમી સદી તરફ નજર નાંખતા અત્યંત મહત્ત્વના વાર્તાલેખકોમાં આચાર્ય શ્રી વાત્સલ્યદીપનું કથાકત્વ અત્યંત વિચારવા યોગ્ય છે.
એમના પુસ્તક ‘રણથી ઝરણ'માં મુનિશ્રીએ સોળ કથાઓને પોતાની કલમથી આલેખી છે. અને તેમના વાચકોના હૃદયને રણઝણાવી દીધાં છે. આ પુસ્તક સંસારના રણથી ધર્મના ઝરણ સુધી દોરી જાય છે.
જૈનોની કેટલીક કથાઓ તો જૈન સાહિત્યમાં જ નહિ, ભારતભરના સાહિત્યના ઘરેણાં જેવી છે. નેમ-રાજુલ-રહનેમિની કથા, શાલિભદ્ર-ધનાની કથા, શ્રેણિક મહારાજા અને તેમના તેજસ્વી પુત્ર અભયકુમારની કથાઓ, ચંદનબાળાની કથા વગેરે અનેકાનેક કથાઓ ગમે ત્યાં પણ પોતાનો પ્રભાવ પાથરી દે તેવી છે. તેમાં જો ઉપદેશનો અને છેલ્લે જતાં ધર્મના ઉપદેશથી થતી ઇતિશ્રીના અંશ ઉમેરવાનો લોભ છોડી દેવામાં આવે તો એ પોતાની અદંરની વસ્તુના બળથી રસિક જનપ્રિય બની જાય તેવી છે.
‘રણથી ઝરણ’ પુસ્તક વિશે વાર્તાકાર અને વિવેચક ગુલાબદાસ બ્રોકર કહે છે કે,
“વાત્સલ્યદીપજીએ નાનકડા કથાસંગ્રહમાં એમાંની થોડી કથાઓનો ઉપયોગ કર્યો છે. અને એના ગુણ પક્ષે એ છે કે ઉપદેશને ઉપસાવવામાં કે ધર્મના પરિણામને પ્રત્યક્ષ કરી આપવાના લોભમાંથી પોતાની જાતને ઉગારી શક્યા છે. અંદર અનુસ્મૃત રહેતું સૌન્દર્યતત્ત્વ, તેમણે એ કથાઓના માત્ર અંશોને જ આલેખી બતાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં તેમણે કથાકારના સામર્થ્ય વડે આલેખ્યું છે અને તેમની પ્રસન્ન મધુર વર્ણન શૈલીને અંગે એ હદ્ય બન્યું છે.’
→→
અને છતાં એ કથાઓના મૂળ ઉદ્દેશને-જીવનના મંગળને,ત્યાગના મહત્ત્વને, ધાર્મિક ભાવનાઓના સારસ્યને તેમણે કયાંય અન્યાય થવા દીધો નથી.અને તોયે કથાને એમણે રસમય રહેવા દીધી છે.
શાલિભદ્ર એટલે અત્યંત સમૃધ્ધ શ્રેષ્ઠી. તેને કોઇ પીડા નહિ, કોઇ આપદા નહિ. દુઃખનું તો તેના જીવનમાં અસ્તિત્વ જ ન હોય, બત્રીશ રૂપે ભરી સુંદરીઓનો તે સ્વામી.
531
Page #556
--------------------------------------------------------------------------
________________
આવા પુરુષનો અન્ય કોઈ સ્વામી હોય ખરો? તું માને છે કે ન જ હોય. પણ એને ખબર પડે છે કે શ્રેણિક મહારાજા ભલે સંપત્તિએ પોતાના જેટલા સમૃધ્ધ ન હોય તોય એ પોતાના સ્વામી છે.
એ કેમ સહન થાય? તેના કરતાં પોતે જ પોતાનો સ્વામી ન બની જાય? એમ કરતાં આ અપાર સમૃધ્ધિ, સુખ, શાતા, સુદંર પત્નીઓ છોડવી પડે તો શું થયું? મોટા સુખ ખાતર અનેક નાનાં સુખો ત્યજવાં જ જોઇએ ને?
વાત્સલ્યદીપજીએ કથાનો એ ભાગ સરસ રીતે આલેખ્યો છે. જોઇશું એ અંશ? શાલિભદ્ર કહે છે પોતાની બત્રીસે પત્નીઓને
હવે હું જ મારો સ્વામી બનીને રહીશ. પ્રભુના પંથે જઇશ. ચારિત્ર્યનાં કષ્ટો સહીશ. આત્માના કર્મો સહીશ. મોક્ષ લક્ષ્મીને વરીશ. શું તમે એ માર્ગે સહકાર નહિ આપો?'
હા આપીશું. એક સાથે બત્રીશ કંઠોમાંથી સંસ્કારની સૌરભ ફેલાવતો આવાજ આવ્યો. જે પંથ અમારા સ્વામીનો એ પંથ અમારો હજો.”
શાલિભદ્રના મુખારવિંદ પર તેજરેખા પ્રગટી. “આ જગતમાં ન કોઈ સ્વામી છે, ન કોઇ સેવક! સાચો પુરૂષાર્થ કરનારનો આત્મા જ સાચો સ્વામી બની શકે !
આજથી આપણે સૌ તે કરીશું. હું રોજ એક પત્નીનો ત્યાગ કરીશ ને અંતે ચાલી નીકળીશ.”
શાલિભદ્ર જળાશયમાં જોયું. સંધ્યા લીલા રચતી હતી. આકાશમાં સૂર્યાસ્ત થતો હતો, ધરતી પર સૂર્યોદય !”
કેવાં વ્યંજનાગર્ભ વાકયો છે. અને કેવી સરળતાથી અનેક એ નિર્ણયનાં ગુણગાન ગાઈ અ-સર્જક થવામાંથી બચી ગયા છે.
અન્ય કથાઓ પણ આ જ રીતે સર્જનાત્મક બની છે.
આ ઉપરાંત વજસ્વામી, સાધ્વી રૂક્ષ્મણીજી, દેહની પેલે પારના શાશ્વત આંતરિક સંબંધ પ્રગટાવતા યોગી આનંદધન, શૌરીપુરીના પાદરેથી પાછા વળતા નેમકુમાર અને તેમના ત્યાગને પગલે ચાલતી મહાન નારી રાજુલ, ઔદાર્યની અને દાનની ચરમસીમા સુધી પહોંચતા જગડુશા, સંસારના સંબંધોને મેઘધનુષની માયા સમજી સહધર્મનું શરણ લેતી જ્ઞાની સાધ્વી પુષ્પચૂલા, નિર્ભયતાની પ્રતિમા સમા મહારાણી જયાદેવી, મહારાજા કુમારપાલ અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, હૂંડી પર ટપકેલાં
532
Page #557
--------------------------------------------------------------------------
________________
આંસુને જોઈ નાણા ચૂકવી દેનારા સોમચંદ શેઠ, ધર્મપ્રેમી લુણિગદેવ તથા કુમારદેવી તથા મૃત્યુને વરીને અમર થયેલા વીર વિક્રમશી વગેરેને આવરી લેતી આ કથાઓમાં જૈન ધર્મની જીવંત પ્રણાલિકાઓનું પ્રતિબિંબ પડે છે. જગતના સ્થળ સુખની પાર વસેલા અનંત પ્રેમનો માર્ગ અહીં અંકાયો છે. વજસ્વામીની સમગ્ર સંસારનાં લાવણ્ય, તેજ અને શૌર્યને છલકાવતી આંખો જોઈ પાગલ બનેલી નગરશ્રેષ્ઠીની પુત્રી રુક્મણીને આ તેજથી અનંતગણી વધુ તેજોભૂમિ તરફ લઈ જતા દેહમુક્ત આત્મપ્રેમનો પંથ સાંપડે છે. દેહનો વૈભવ ત્યજી સંયમ સ્વીકારતા ભગવાન નેમિનાથ આ બધી જ કથાઓમાં ત્યાગ, તપ, ધ્યાન, સંયમ, મોક્ષ, જીવરક્ષા, કર્મની ગતિ વગેરે ભાવો આકર્ષક રીતે વિકસે છે. આમ, આ કથાઓની સરલતા સ્પર્શી જાય છે.
પ્રાચીન જૈન ગ્રંથોની કથાઓ પ્રાકૃત,સંસ્કૃત, અપભ્રંશ તેમજ વિવિધ પ્રાન્તીય ભાષાઓમાં લખાયેલી છે. પણ આજે સામાન્ય લોકો આ ભાષાઓને ઓછી જાણેસમજે છે. માત્ર વિદ્વાનો અથવા સાધુ-સાધ્વીઓએ પ્રાચીન ગ્રંથોને વિના અનુવાદ વાંચી શકે છે. આમ મોટા ભાગના લોકો એ ગ્રંથોનો લાભ લઈ શકતા નથી. આથી જૈન કથાસાહિત્યના આ અમૂલ્ય ખજાનાને આજની લોકભાષામાં રજૂ કરવાની આવશ્યકતા છે.
આ આવશ્યકતા પૂર્ણ કરવા માટે જ પૂજ્ય શ્રી વાત્સલ્યદીપજી મહારાજ કેટલાંય વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. તેઓશ્રીએ પોતાના વિશાળ અધ્યયનના આધારે ઘણી બધી કથાઓ વાર્તાઓ લખી છે. તેઓશ્રીએ જૈન કથાઓને આધુનિક ભાવ-ભાષામાં રજૂ કરીને ગુજરાતી સાહિત્યને મહાન ભેટ ધરી છે. અંતર જ્યોતિ ઝળહળે પુસ્તકમાં ૧૭ કથાઓ છે. એમાંથી બે-ત્રણ કથાઓ બહુ જાણીતી છે. જેમકે ભગવાન મહાવીરનું જીવન ચારિત્ર અથવા રાજુલ અને રહનેમિની આખ્યાયિકા. બધી જ કથાઓની ભાષા સરલ, શિષ્ટ તથા પ્રાંજલ છે. કથાઓનું ઘટના તત્ત્વ કે વિષય વસ્તુ રોચક તથા આકર્ષક છે. ફરી ફરીને કથાઓ વાંચવાનું મન થાય તેવું છે.
“અંતર જ્યોતિ ઝળહળે” કથામાં શુભંકરના એક પ્રશ્નની જિજ્ઞાસા દૂર થાય છે અને કથા પણ પૂર્ણ થાય છે. શુભંકર મુનિ પાસે જઈ પૂછે છે કે મારા પ્રશ્નનો જવાબ આપશો? ત્યારે મુનિએ કહ્યું, “ભંતે ! પ્રશ્ન પૂછો મને આવડશે તો ઉત્તર આપીશ. પણ તમારું વદન કહે છે કે તમે સ્વયં જ્ઞાની દેખાઓ છો.”
મુનિના પ્રત્યુત્તરમાં નમ્રતાનું ગુલાબજળ છંટાયેલુ હતું વાત્સલ્યદીપજીએ મુનિના વચનોને કેટલી સુંદર ઉપમા આપી છે. શુભંકર હસે છે અને કહે છે “તમે પરિચય મેળવ્યા વિના મને ઓળખી ગયા. અને પ્રશ્ન પૂછે છે કે મુનિજી પાપનો પિતા કોણ?”
533
Page #558
--------------------------------------------------------------------------
________________
આ પ્રશ્નનો જવાબ મુનિ બે રત્નો દ્વારા એટલી સુંદર રીતે સમજાવે છે કે શુભંકરને જીવનનું સાચું સુખ સંતોષમાં છે એમ સમજાઈ જાય છે.
ધરતીના દરિયા” પરમાં જીવનનું હાડકું બનાવીને જીવેલા માનવીઓની કથાઓ છે. જીવન જાતરામાં વિરલ ઘટનાઓનું સર્જન અશક્ય નથી. માનવી અંતે તો તેજ અને તિમિરનું પૂતળું છે. સારપની ઊંડેથી પ્રકટતી ઝંખના હંમેશા પ્રત્યેક માનવીની ભીતરમાંથી ક્યારેક તો ઊઠે જ છે. અને તે જ છે જીવનનું સત્ય. અવગુણોની આસપાસ ઘૂમતો માનવી છેવટે એનાથી અકળાયા વિના, થાક્યા વિના રહેતો નથી અને એ સારપની નજીક જવા તડપે છે. અને એ તડપ જ એની ઉધ્ધારક છે. એ તડપ સુધી પહોંચેલા આ જગતમાં અનંત માનવીઓ થયા. એમાંથી કેટલાકની વાતો અહીં મૂકી છે.
અહીં મુકાયેલી વાતોમાંથી કેટલીક ધર્મકથા છે, કેટલીક પુરાણકથા, કેટલીક ઇતિહાસકથા. જૈનધર્મની વાર્તાની સ્વતંત્ર પરંપરા છે પણ આ સંગ્રહની તમામ કથાઓ ધર્મકથાઓ નથી પણ સાત્વિક અને પ્રેરક કથાઓ તો તમામ છે અને આ વાર્તાઓ પ્રેરણાનો સત્ત્વ સુધી પહોંચાડવાનો આનંદ આપે તેવી પણ છે.
આંધણ મેલ્યાં તા કરવા કંસાર એમાં મેં ઓરી દીધો સંસાર' આ કથા વાત્સલ્યદીપજી એ રહસ્યમય રીતે રજુ કરી છે. પહેલા પ્રસંગને રજુ કર્યો અને કથાના અંતિમ ભાગમાં નાયક કોણ છે. તે જણાવે છે. તેમની આ શૈલી અદ્ભુત છે. તેમાં કથાનો ત્રણ દિવસથી ભૂલ્યા રાજ હસ્તિના પ્રસંગ દ્વારા તેના પૂર્વભવનું કથા વર્ણવી છે. ર૦મા તીર્થકર મુનિસુવ્રતસ્વામિને અંતરમાં આંદોલન થાય છે. તેઓ સંયમ લઈ સંસાર પાર કરે છે.
એના હૃદયમાં એ કથામાં શ્રીપતિ શ્રેષ્ઠીના પુત્ર કમલની કથા વર્ણવી છે. તેમાં એક નિયમથી ધર્મનું બીજ આમ્રવૃક્ષની જેમ વિકાસ પામે છે.
પ્રેમની હાટડી” કથામાં ધર્મદત્ત સાર્થવાહની પુત્રી શ્રી કીર્તિ અને શીલરત્નના પ્રેમની કથા છે. આ કથામાં વાત્સલ્યદીપજીએ બંનેના પ્રેમને રજુ કરતા અદ્ભુત શૃંગાર રસ વર્ણવ્યો છે. અને શુધ્ધ પ્રેમનો બોધ આપનાર જય સાથે શ્રી કીર્તિનો મેલાપ થાય છે.
‘આકાશમાંથી વરદાન' કથામાં મંત્રીશ્વર વિમળશા અને મહાદેવી શ્રીદેવીની વાર્તા છે. જેમાં અંબિકા દેવી પ્રસન્ન થઈ તેઓને વરદાન માંગવા કહે છે કે વરદાનમાં દેરાસર કે દીકરો શું જોઇએ? બેમાંથી એક વસ્તુ માંગ ત્યારે વિમળશા અને શ્રીદેવી મૂંઝાયા. અને અંતરમાંથી અવાજ આવ્યો કે દેરાસર શાશ્વત સુખનું ધામ. યુગયુગાંતર રહેશે, સૌને ધર્મ પ્રબોધશે. અને વિમલશા આબુના દેરાસર બંધાવે છે.
534
Page #559
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યદીપજીએ આ કથાને અનોખી રીતે વર્ણવી છે. તેમની કથા શૈલી આધુનિક ઢબની છે. તેઓ પુરાણી કથાને નવી શૈલીથી વર્ણવી કથાને રસપ્રદ બનાવે
આ ઉપરાંત આ પુસ્તકમાં “દિલદારી કથામાં આમ્રપાલી અને બિંબસારની પ્રેમકથા વર્ણવી છે. કરૂણા અને કુરબાનીમાં જાપાનના મહારાજ મિકાડોની કથા છે. ગિરનાર પંથિની રાજુલ'ની કથા બહુ પ્રખ્યાત છે છતાં વાત્સલ્યદીપજીએ તેને પણ આગવી શૈલીમાં એવી રીતે રજુ કરી છે કે વાંચનાર કથામય થઈ જાય છે. અને કથા પ્રથમવાર જ વાંચતા હોય તેવું અનુભવે છે. “મુનિ અને માનુની કથામાં વજસ્વામીની સંયમ દ્રઢતા સુંદર રીતે વર્ણવી છે. રૂક્ષ્મણીના હદયને પણ તેમને વૈરાગ્ય વાસિત કરી દીધું.
ઈ.સ.૧૯૯૧માં વાત્સલ્યદીપજીના ત્રણ પુસ્તક પ્રગટ થયા. તેમાં “કલ્પતરૂ”, મેઘધનુષ્યની માયા”, “અંતરજ્યોતિ ઝળહળેનો સમાવેશ કરતું પુસ્તક તે “ત્યાગનો વૈભવ” પ્રેરક અને સંસ્કાર પોષક વાર્તાઓ કાળજયી છે. તે જ્યારે પણ જ્યાં હોય ત્યાં ખુશબુદાર પુષ્પની જેમ પ્રેરણાની સુગંધ વેરે છે.
જેન વાર્તાને જ્યારે આધુનિક સમાજ સમક્ષ લઈ જઈએ ત્યારે તેના લેખક પાસે તેના હાર્દને પારખવાની સજ્જતા જોઈએ. આ વાર્તાઓમાંથી પ્રકટતું સૌદર્ય એટલા માટે શાશ્વત છે કે તે માનવમૂલ્યની માવજત કરે છે, માનવજીવનના ઉત્કર્ષની પ્રેરણા આપે છે, માનવીય સંસ્કારની વાટ સંકોરે છે.
જીવનનું અંતિમ ધ્યેય પ્રેરણા પ્રાપ્ત કરવાનું, ઉત્તમ બનવાનું, ઉન્નત બનવાનું છે. રજકણનું શમણું તો સૂરજ બનવાનું જ હોય છે.
ફૂલ વીણ સખે” પુસ્તકમાં વાર્તાઓ તેવી જ છેઃ પ્રેરક અને સીધી જીવનમાંથી જડેલી. આ વાર્તાઓ સંપૂણ જીવનની સંપૂણ વાર્તાઓ નથી પણ જીવનનો એકાદ અંશ ઝળકાવતી વાર્તાઓ છે અને તેને રસાળ બનાવી છે.
આચાર્યશ્રી વાત્સલ્યદીપની વાર્તાઓ માટે ગુજરાતી ભાષા અને સાહિત્યના વિવિધ વિદ્વાનોના મંતવ્યો નીચે પ્રમાણે છે.
આ વાર્તાઓ માટે ડૉ.રમણલાલ જોશી કહે છે કે, “આ કથાઓ પ્રેરક છે અને ભાવવાહી શૈલીમાં તે લખાઈ છે. વાત્સલ્યદીપજીનું લેખન ઉત્તમ છે અને શૈલી ઘડાયેલી છે. સંતપુરૂષો દ્વારા સત્ સાહિત્ય મલતું રહે, તેનાથી સમાજ અને જીવન ઘડાય છે.”
535
Page #560
--------------------------------------------------------------------------
________________
ડૉ.જયંત મહેતા કહે છે કે, “મુનિશ્રી વાત્સલ્યદીપના સર્જનોમાં કથાવાર્તાઓની કૃતિઓ વિશેષ ગણના પાત્ર છે. એમની પાસે કથાના શિલ્પને કંડારવાની અનોખી કલા છે. આ પ્રાચીન કથાઓ જિનવાણી લાગતી નથી, તેનું કારણ એમનું અનેરૂ શિલ્પવિધાન છે. આ સર્વ કથાઓ હોવા છતાં એમાં સાંસારિક ચિત્ર અને મનુષ્યનાં સ્વાભાવિક વર્ણનો જીવંત બનીને વાચકના હદયમાં આબેહૂબ રસસૃષ્ટિ પ્રગટ કરે છે. આ કથાઓ માત્ર જૈન સાહિત્યમાં જ નહિ પણ સમગ્ર ગુજરાતી વાર્તા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાને બિરાજે છે.”
ડૉ. ચંદ્રકાન્ત શેઠ કહે છે કેઃ “વાત્સલ્યદીપજી જે રીતે કલમ ચલાવે છે તેથી ધર્મ અને સાહિત્યની ઉત્તમ સેવા થઈ રહી છે. પ્રજા જેટલી ધર્માભિમુખ થશે તેટલું તેનું અને તેના ફલસ્વરૂપે સાહિત્ય આદિનું શ્રેય થશે. વાત્સલ્યદીપજીનું સાહિત્ય એ દિશાના સાત્વિક પુરૂષાર્થના સુખદ સંકેતરૂપ છે.*
વાત્સલ્યદીપજીની કથાઓ વિશે ગુલાબદાસ બ્રોકર કહે છે કે, કથા છત્રીશી વાંચી. એ લખાઈ હોય તે જમાનાના જીવનનું અને સમાજનું તે આબેહૂબ ચિત્ર ઊભું કરે છે. તેમાંયે સ્ત્રી જાતિની કામવાસના, તેની ચતુરાઈ, તેનું કપટીપણુંજ વગેરેથી લેખક શ્રી પૂરેપૂરા વાકેફ લાગે છે. અત્યારના યુગ સિવાય મધ્યયુગમાં નારીને આમાં છે તેવી જ બહુધા ચીતરવામાં આવતી ... એક જમાનાના જીવન અને સમાજનું આવું ચિત્ર આમાં અપાયું છે તે સાહિત્ય તરીકે તેના ગુણપક્ષે અને તેના આલેખનમાં નિર્ભિકતા છે તે પણ એના ગુણપક્ષે ગણાય.
પં.દલસુખભાઈ માલવણિયા કહે છે કે, સમાજનને પ્રેરણા આપે એવું વાત્સલ્યદીપજીનું સાહિત્ય છે. તેમનું છેલ્લું પુસ્તક અંગ્રેજીમાં જોયું. તેમાં જેન વાર્તાઓને આધુનિક રૂપમાં લખવાની હથોટી છે, તે દેખાઈ આવે છે. વાર્તાઓ અત્યારની રીતે ચોટદાર ભાષામાં છે અને પ્રાકૃતિક વર્ણનની સાથે લખવાની પધ્ધતિ આકર્ષક છે. જેને વાર્તાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં ફાળો નોંધ પાત્ર રહેશે તેમાં કોઈ શક નથી.
જયંત કોઠારી કહે છે કે, કથાછત્રીશી મળ્યું. વાત્સલ્યદીપજીએ નોંધપાત્ર કૃતિને બહાર લાવવાનું સરસ વિદ્યાકાર્ય કર્યું તેથી પ્રસન્નતા થઈ.
કૃપાશંકર જાની કહે છે કે, “ફુલવીણ સખે મુનિ શ્રી વાત્સલ્યદીપની સુંદર ભેટ છે. પ્રત્યેક પ્રસંગ વાર્તા રૂપે હોવાથી પુસ્તક એકવાર વાંચવા લીધા પછી પૂરું કર્યા સિવાય રહેવાતું નથી. લેખકની પાવન કલમની આ એક સિધ્ધિ છે. સંતપુરૂષોના સાહિત્ય લોક કલ્યાણ માટે જ રચાય છે.
536
Page #561
--------------------------------------------------------------------------
________________
બાબુભાઇ જશભાઇ પટેલ કહે છે કે, જૈન ધર્મના પાયાનાં તત્ત્વો કેવી રીતે પચી શકે તે સુંદર દષ્ટાંત દ્વારા રજૂ કરેલ છે. અનેક લોકોને મૂંઝવણમાં માર્ગદર્શન આપે એવી ટૂંકી વાર્તાઓ છે. આ સર્જન માટે હાર્દિક અભિનંદન.
ડૉ.અમૃત ઉપાધ્યાય કહે છે કે, “વાત્સલ્યદીપના અવિરત અખંડ સાહિત્ય સાધનારાં ત્રણ નવતર પુષ્પો (૧) મેઘધનુષની માયા (ર)કલ્પતરૂ (૩)અંતર જ્યોતિ ઝળહળે પ્રાપ્ત કરી પ્રસન્નતા અનુભવી. પેરીસ યુનિવર્સિટીના વિદુષી પ્રો.સુ.શ્રી નલિની બલવીરની માર્મિક પ્રસ્તાવનાથી સુશોભિત આ ત્રણેય પુસ્તકોની હૃદયસ્પર્શી કથાઓ તેમની સર્જક પ્રતિભાના અનોખા ઉન્મેષને ઝીલનારી બની રહે છે, આથી વાત્સલ્યદીપજી સહૃદયોના અભિનંદન અધિકારી છે.’’
યશવંત શુકલ કહે છે કે, “કોઇ ડાળી, કોઇ ફૂલ”ની પ્રાપ્તિ થઇ, કથાનકો વાંચી. ભાષા, વર્ણનની દ્રુતતા અને મૂલ્યબોધ બધું અત્યંત આનંદદાયક છે. અનેક સ્થાનોએ ગદ્ય પણ કાવ્યકોટિએ પહોંચે છે.
જૈન સાહિત્યઃ એક છબી’’ અને ‘જૈન ધર્મ’’ મળ્યા. વાંચવાનો સારો અવસર મળી ગયો. જૈન સાહિત્યની સર્વાંગી છબી નાનકડી પુસ્તિકામાંથી મળી પણ જૈન ધર્મ પુસ્તકમાંથી પ્રત્યેક અંગનું રહસ્ય પણ ભણવા મળ્યું. આ બંને કૃતિઓ મળવાથી ઘણો લાભ થયો છે.
ડૉ. ભરત ગરીવાલા કહે છે કે, “મુનિ શ્રી વાત્સલ્યદીપે માટીમાંથી મહામાનવ બનેલા મહાન જૈનાચાર્ય, શ્રીમદ બુધ્ધિસાગરસૂરીશ્વરજીના સાહિત્ય સર્જનમાંથી ચૂંટેલાં વિચાર રત્નોનો સમુચ આતમવાણીના નામે લખ્યો છે.'' સમાજને મુનિશ્રીએ મોટું ભાથું પુરૂં પાડ્યું છે.
પૂજ્યશ્રી વાત્સલ્યદીપનાં કથાસાહિત્યને લગતા પુસ્તકોઃ
(૧) મહાસતી અંજના
નવલકથા
(૨) મહાન મંદીર
(૩) મહાન માનવી
(૪) મહાસતી પદ્માવતી
(૫) ઝાકળ બન્યુ મોતી
(૬) ઓસ બન્યા મોતી
(૭) રણ થી ઝરણ
(૮) મેઘ ધનુષ્યની માયા
(૯) એક ખોબો ઝાકળ
(૧૦) કલ્પતરૂ
લઘુ નવલકથા
લઘુ નવલકથા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
537
૨૦૦૫
૧૯૯૭
૧૯૯૮
૧૯૭૭
૧૯૭૭
૧૯૮૦
૧૯૯૧
૧૯૯૧
૧૯૯૧
Page #562
--------------------------------------------------------------------------
________________
(૧૧) અંતર જ્યોતિ ઝળહબે
(૧૨) ભીતર સૂરજહજાર (૧૩) કોઇ ડાળી, કોઇ ફૂલ (૧૪)જૈન સ્ટોરીઝ ફ્રોમ (૧૫)મુનિ વાત્સલ્યદીપ (૧૬) આકાશને દરવાજે સૂરજ (૧૭)ધરતીના દરિયા પર (૧૮)પ્રેરક જૈન કથાઓ
(૧૯) ફૂલ વીણ સખે!
(૨૦) જૈન ધર્મની આગમ કથાઓ (૨૧) અમાસ અને પૂનમ
(૨૨) શીતળ પવન (ઝેન કથાઓ) (૨૩) ત્યાગનો વૈભવ
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
વાર્તા
૧૯૯૧
૧૯૯૨
૧૯૯૨
૧૯૯૩
૧૯૯૫
૧૯૯૫
૨૦૦૧
२००३
૨૦૦૫
૨૦૦૬
૨૦૦૮
૨૦૦૮
પ.પૂ.આચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી
‘વાર્તા રે વાર્તા મજેની વાર્તા’ના રચિયતાં આચાર્ય મુક્તિપ્રભસૂરિજી મ.સા. કહે છે કે, આજનું બાળક પોતાને મનગમતું કંઇક માંગે છે. એને જેમ રમવા રમકડાં જોઇએ, ભણવા માટે રંગબેરંગી સચિત્ર પુસ્તકો જોઇએ તેમ વાંચવા માટે નાની-નાની મનગમતી વાર્તાઓ જોઇતી હોય છે. એનામાં કંઇક સંસ્કાર રેડાય ને એને નિર્દોષ મનોરંજન મળી રહે એ માટે બાળ સાહિત્ય પ્રગટ કર્યું છે.
૨૭
વાર્તા રે વાર્તા મજેની વાર્તાને અનુલક્ષીને આચાર્ય વિજય પૂર્ણચંદ્રસૂરિ કહે છે કે, “આજનો બાળક આવતી કાલના સંઘ અને સમાજનો રખેવાળ છે. તથા ઢાલ બનવાનો છે. એથી આજના બાળકની સંભાળ લેવામાં ઉપેક્ષા ન કરાય. આ પેઢીને ઝાકઝમાળ આપવા સંસ્કારી વાતાવરણ ઉપરાંત કથા સાહિત્યની ઘણી જ આવશ્યકતા છે. એની આંશિક પૂર્તિની દિશા ભણીના પ્રયાસ તરીકે આ વાર્તા રે વાર્તા મજેની વાર્તાને વધાવી શકાય.’’
538
‘વાર્તા રે વાર્તા મજેની વાર્તા'માં રે! ઇર્ષ્યા! તારા પાપમાં સીતાના પૂર્વ જન્મ વેગવતીની કથા સુંદર રીતે આલેખી છે. સીતાએ વેગવતીના ભવમાં એક નિર્દોષ મુનિ પર કલંક લગાડ્યું એ કારણે તેને સીતાના ભવમાં સતી ગણાતી છતાં કલંક ચોટ્યું. આચાર્ય મુક્તિપ્રભસૂરિજી આ દ્વારા બાળકોને બીજાના દોષ જોવા માટેનો ઉપદેશ આપે છે.
Page #563
--------------------------------------------------------------------------
________________
‘ચોર કે શાહુકાર વાર્તા દ્વારા વચનને સંપૂર્ણ વફાદાર રહેવાનો બોધ આપે છે.
બુધ્ધિનો બેતાજ બાદશાહ” કથા દ્વારા ખોટી વાતો સિધ્ધ નહિ કરવાની એનાથી બુધ્ધિ ઘટશે. સાચી વાત કરવાથી બુધ્ધિ વધશે એવો સુંદર ઉપદેશ આપે છે.
“પ્રામાણિકતાનો પૂજારી” આ કથાથી જીવનમાં પ્રામાણિક રહેવાનું જણાવે છે.
માથા માટે મૈત્રી'માં સાચા મિત્ર બની સંસ્કૃતિનો આદર્શ જાળવી રાખવાનો ઉપદેશ આપ્યો છે.
આવી ૧૭ વાર્તાનો સંગ્રહ આ પુસ્તકમાં થયો છે.
આમ, દરેક વાર્તાને અંતે બાળકોને સંબોધીને ઉપદેશ આપી એમના જીવન પરિવર્તન અને જીવન ઘડતર માટેનો સારો પ્રયાસ લેખકે કર્યો છે
“વાર્તા રે વાર્તા” બાળકોની વાર્તામાં બાળ સિધ્ધરાજ, પાપ કરે પુકાર, અપકાર પર ઉપકાર આદિ બોધદાયક સુંદર ૧૫ વાર્તાઓ આપી છે.
બાળ સિધ્ધરાજ વાર્તામાં બાળ સિધ્ધરાજની ઉમર દસ વર્ષની છે. દિલ્હીના બાદશાહે લાલચોળ આંખો કરી સિધ્ધરાજના બંને હાથ મજબૂત પકડી લેતા કહ્યું, “હવે બતાવ! જગતમાં તારું રક્ષણ કરનાર કોણ છે?' એ જ વખતે સિધ્ધરાજે કહ્યું, “સંસારનો નિયમ છે જે હાથ પકડે તે રક્ષણ કરે છે. આપે તો મારા બંને હાથ પકડી લીધા છે પછી મારે શી ચિંતા?”
બાદશાહ બાળ સિધ્ધરાજનો જવાબ સાંભળીને એની પર આફરીન થઈ ગયો અને એને છોડી મૂક્યો. આ વાર્તા દ્વારા લેખક શ્રી બાળકોને બોધ આપે છે કે, તમે કાલે સંઘના નાયક બનવાના છો માટે બાળ સિધ્ધરાજની જેમ તમે યોગ્યતા પ્રાપ્ત કરજો.
આમ, આચાર્ય શ્રી મુક્તિપ્રભસૂરિજીએ આ બંને પુસ્તક દ્વારા બાળકમાં સંસ્કાર આપવાનું સુંદર કાર્ય કર્યું છે. આગળ પણ આવી બોધ દાયક વાર્તાઓ લખાય ઘર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ માટે જરૂરી છે. આજનો બાળક આવતી કાલનો નાગરિક છે. અને એ બાળક નીતિવાન બને તો આવનાર પેઢી સચવાય.
મુનિરાજ શ્રી રાજરત્નવિજયજી સાગરતટની રેતીનું મૂલ્ય કાંઇ જ નથી હોતું. છતાં કેક લોકો એનો કણેકણ ખૂંદી વળે છે કારણકે એમાંથી ક્યાંક મોતી મળી જવાની સંભાવના છે. બરાબર એ રીતે જ સંસારના જીવોના જીવન પણ મહાપુરૂષો તપાસી જાય છે અને ખૂણે ખાંચરે ઝળહળી
539
Page #564
--------------------------------------------------------------------------
________________
રહેલા કોઈક વિરલ જીવને રેતીમાંના મોતીની જેમ ગોતી કાઢે છે. અને એને ચરિત્ર દ્વારા, રાસ દ્વારા, કે ઉપદેશ-ગ્રંથોના અવાંતર દ્રષ્ટાંતો આદિ દ્વારા જગતની સમક્ષ રજૂ કરે છે. આવી કેટલીક પ્રેરક કથાઓ રેતીમાં મોતી' પુસ્તકમાં રજૂ કરાઈ છે.*
આ પુસ્તકમાં “પુત્ર હજો તો આવા”, “મહાન મૈત્રી’, ‘અવજ્ઞાનો અંજામ', કરમ ન છૂટે રે પ્રાણિયા' આદિ અઢાર કથાઓ રજૂ કરાઇ છે.
જીવદયાના જ્યોતિર્ધર” કથામાં જીવરક્ષા કાજે કંટકેશ્વરી દેવીની સામે જાનની બાજી ખેલનાર કુમારપાળની કથા લેખકે સુંદર રીતે રજુ કરી છે.
સુતર સાંકળ'માં શ્રીમતીના મુનિ પ્રત્યેના ભાવ અદભુત રીતે વર્ણવ્યા છે. એ મુનિવર એટલે આદ્રકુમાર. આર્દ્રકુમાર મનને મજબૂત કરી કર્મોને કેવી રીતે ખપાવે છે એનું સુંદર વર્ણન કર્યું છે. ખરેખર આ શીર્ષક યથાર્થ છે.
આમ, કથાને નવા સ્વરૂપમાં રજૂ કરવાની લેખકની સર્જન શક્તિ ખૂબ અનુમોદનીય છે.
આ ઉપરાંત મુનિશ્રી એ “માયાના મૃગજળ' પુસ્તક લખી જેમાં સાધ્વી તરંગવતીની સત્યકથાનું રસપૂર્ણ વર્ણન કર્યું છે.
પ્રારંભમાં રાગદશાનું વર્ચસ્વ ધરાવતી આ કથા આગળ જતાં રાગ-વિરાગના કંઠમાં પરિણમે છે. અંતે રાગ પર વિરાગના વિજયમાં પરિપૂર્ણ થાય છે. આ કથાને વિશેષ આકર્ષક બનાવવા તેમાં કલ્પનાઓ, સંસ્કૃત શ્લોકો, કાવ્યપંક્તિઓ આદિનો તેમજ ઇલાચીકુમારના નાટકનો આમાં સમુચિત રીતે ઉપયોગ કર્યો છે. આ કથાનો રચના કાળ વિ.સં.ર૦પર છે.
આ ઉપરાંત રાજરત્નસૂરિએ “જીવનનું ઝવેરાત' પુસ્તક લખ્યું, જેમાં ર૯ કથાઓ છે. “પગલું પડે તો પંથ ખૂલે” જેમાં શુકરાજની અદ્ભુત કથાને રસ-પ્રચૂર શૈલીમાં રજૂ કરી છે.
‘નમામિ વીરમ્”માં પ્રભુ મહાવીરના પૂર્વજન્મ-વર્તમાનજન્મ, સાધના કાળ તેમજ પ્રભુવીરના પાંચ જીવન પ્રસંગોની કથા આલેખી છે.
પર્યુષણાની પાવન પ્રેરણા” માં ક્ષમાધર્મને બિરદાવતા બે કથા લેખોનો સંગ્રહ
મુનિ શ્રી અપરાજિતવિજય મ.સા.
મુનિશ્રી અપરાજિત વિજય મ.સા. આચાર્ય હેમચંદ્રસૂરિના શિષ્ય છે. તેમણે
540
Page #565
--------------------------------------------------------------------------
________________
રત્નશેખર-રત્નાવતી’ કથાનું સંપાદન કર્યું. આ કથા શ્રી જિનહર્ષસૂરિ રચિત છે. આ કથાની રચના લગભગ ૫૦૦ વર્ષ પૂર્વે સંસ્કૃત ભાષામાં થયેલી છે. તેનો અનુવાદ પણ શ્રી જૈન ધર્મપ્રચારક સભા તરફથી વિક્રમ સંવત ૧૯૬૦માં પ્રકાશિત કરવામાં આવેલ છે. તેનું પુન:પ્રકાશન શ્રી જિન શાસન આરાધના દ્રસ્ટે વિ.સં. ર૦૧પમાં કરેલ છે. આ ગ્રંથમાં પર્વ તિથિનું મહત્ત્વ કથા દ્વારા બતાવ્યું છે. આ કથાના કર્તા જિનહર્ષસૂરિ વિ.સં.૧૫૦ની સાલમાં વિદ્યમાન હતા.
આ નાની સરખી કથાને કર્તાએ સ્થાને સ્થાને પ્રસ્તાવિક શ્લોકો અને ગાથાઓથી તેમજ જુદી જુદી કથાઓથી ચિત્રિત કરેલી છે. કથાના નાયક-નાયિકાને અનેક પ્રકારના ધાર્મિક ગુણોથી શોભાવ્યા છે. આ કથા એટલી અસરકારક છે કે તે સાવંત વાંચવાથી અવશ્ય પર્વતિથિના આરાધનમાં વાચક દોરવાયા સિવાય રહે જ નહિ.
આ કથાના અંતમાં કહ્યું છે કે, “જે જીવો પર્વોને વિષે જિનેશ્વર કથિત ધર્મ આણા સંયુક્ત ત્રિકરણ શુધ્ધ પાળશે અને સુર તથા અસુરોથી અશુભત રહેશે, તે રત્નશેખર રાજાની માફક મનવાંછિત સમૃધ્ધિને પામીને અનુક્રમે કેવળજ્ઞાન તથા મોક્ષપદને પામશે. પશુના ભાવમાં પણ પર્વદિન પાળવાથી સુખ પ્રાપ્ત થાય છે. તો ભાવ પૂર્વક મનુષ્ય ભવમાં જો આરાધન થાય તો ઈન્દ્રપદ, ચક્રીપદ અને છેવટે પરમપદ તે પ્રાણી પામે છે. રત્નાવતી અને રત્નશેખરનું ચારિત્ર જે ભવ્ય જીવો સાંભળે છે તેને તે બોધિબીજ પ્રાપ્તિનું કારણ થાય છે. આમાં આડકથા પણ આપવામાં આવેલ છે.
મુનિ રાજકીર્તિ સાગર પાંડવો ક્યાં? એ કથા રજૂ કરતા મુનિ રાજકીર્તિસાગર કહે છે કે,
અંતે જીત કોની...? સત્ય અને અસત્ય..., સંસ્કાર અને કુસંસ્કાર..., ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ..., સજ્જન અને દુર્જન..., પાંડવ અને કૌરવો...ધર્માત્મા, પુણ્યાત્મા,સત્યવાદીને જ સહન કરવાનું છે. જે સહન કરે તે શિખરને પ્રાપ્તકરે. આ સનાતન સત્ય છે. હંસ અને કાગમાં જેમ આકાશ પાતાળનો ફરક છે, તેવું જ પાંડવકૌરવોમાં છે. ક્યાં પાંડવો...? અને ક્યાં કૌરવો....? સારું મન, સારા વિચારો તે પાંડવો. ખરાબ મન, ખરાબ વિચારો તે કૌરવો.
આ કથામાં કૌરવો અને પાંડવોની રજુઆત ખૂબ જ સુંદર રીતે કરી છે. ઐતિહાસિક પાત્રો દ્વારા તેમણે સારા અને ખરાબ વિચારો કોના સમાન છે તે અદભુત રીતે વર્ણવ્યું છે. આ કથામાં પાંડવોનું જીવનચરિત્ર અલગ અલગ ર૦ પ્રકરણમાં વિભાજીત કરી સમજાવ્યું છે. છેવટે અંતમાં બોધ આપતા લખ્યું છે કે પાંડવો આપણી
541.
Page #566
--------------------------------------------------------------------------
________________
ચોફેર જ નહિ પણ આપણામાં સમાયેલા છે. પાંચ ઇન્દ્રિયો, પાંચ તત્ત્વોમાં પણ તેઓનું અસ્તિત્વ છે.
આમ, આ કથામાં મુનિશ્રી રાજકીર્તિસાગરની સૂક્ષ્મ દ્રષ્ટિ દેખાય છે.
આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મ.સા. રચિત મુલશુધ્ધિપ્રકરણ
ચાંદ્રકુલના પૂર્ણતલ ગચ્છના આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મ.સા.એ મૂલશુધ્ધિ પ્રકરણ રચ્યું હતું. તેનું ગુજરાતી વિવેચન આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજના શિષ્ય દેવચંદ્રસૂરિજીએ મૂલ શુધ્ધિગ્રંથની ટીકાના આધારે કર્યું છે. વર્તમાનમાં તેનું વિવેચન આચાર્ય જયઘોષસૂરિ મ.સા.ની કૃપાથી આચાર્ય હેમચંદ્રસૂરિજીના શિષ્ય મુનિ રત્નબોધિવિજયે વિ.સં.૨૦૬૭માં કર્યું છે.
આ ગ્રંથમાં જિનશાસનની કુશળતા માટે આર્દ્રકુમારનું, જિનશાસન પ્રભાવના માટે આર્ય ખુપટાચાર્યનું, તીર્થ સેવા માટે આર્ય મહાગિરિ અને ભીમ-મહાભીમના દ્રષ્ટાંતો, ભક્તિ માટે આરામ શોભાનું, સ્થિરત્વ માટે સુલસાનું, શંકા માટે શ્રીધરનું, કાંક્ષા માટે ઇન્દ્રદત્તનું, વિચિકિત્સા માટે પૃથ્વીસાર-કીર્તિદેવનું, રાજાભિયોગ માટે કાર્તિક શેઠનું દ્રષ્ટાંત, બલાભિયોગ માટે જિનદેવનું, દેવાભિયોગ માટે કુલપુત્રનું, ભીલનું, સંકાશશ્રાવકના જીવનું વસુદત્તનું, રોહિણીયા ચોરનું, સુપાત્રદાનમાં મૂલદેવનું, દેવધરનું, અભિનવ શેઠનું, નયસારનું, શ્રેયાંસનું, આર્ય ચંદ્રનાનું, દ્રોણનું, સંગમનું, સિંહગુફાવાસી મુનિનું, ગોશાળાનું, બ્રહ્મદત્તચક્રીનું, ચંડપુત્રનું, બુધ્ધિની તુચ્છતા પર મારિકાનું, પ્રિયદર્શનાનું, સુકુમાલિકાનું, વજ્રનું, રેવતીનું, દેવકીનું, નંદા શ્રાવિકાનું, ભદ્રાનું, મનોરમા સતીનું, સુભદ્રાનું, નર્મદાસુંદરી, વગરે દ્રષ્ટાંત આપેલ છે.
આમ,રસપ્રદ કથાઓ દ્વારા ગ્રંથને આવરી લેવાયો છે. કથામાં પ્રસંગોનું સરસ રીતે આલેખન કર્યું છે. આજની પેઢીને તેમાં રસ પડે એ છટાથી કથાને રજુ કરી છે. ગણિ મુક્તિચંદ્રવિજય, મુનિચંદ્રવિજય
‘આત્મકથાઓ’ પુસ્તકમાં ગણિ મુક્તિચંદ્રવિજય તેમજ મુનિ ચંદ્રવિજય લખે છે
કે,
‘આ કથાઓમાં ખુદ કથા-નાયક જ આવીને કહે છે. કથાકાર ખુદ કંઇ કહે તે કરતાં કથા પાત્ર સ્વયં આવીને પોતાની વાત કહે છે જે લખનાર અને વાંચનાર બંને માટે વધુ રસપ્રદ બને. આવી ચોસઠ આત્મકથાઓનો સંગ્રહ આ પુસ્તકમાં છે.’’
→→ ૩૨
542
Page #567
--------------------------------------------------------------------------
________________
આ કથાઓની પરિશિષ્ટ નીચે મુજબ છે.
પાના નં
(૧) હું અમરકુમાર (૨) હું નંદિષણ(સેવામૂર્તિ) (૩) હું અષાઢાચાર્ય (૪) હું અવંતીસુકુમાલ (૫) હું મૃગાવતી (૬) હું રોહિણિયો (૭) હું ચંડકૌશિક (૮) હું મેઘરથ (૯) હું દશાર્ણભદ્ર (૧૦) હું ઢંઢણ (૧૧) હું પ્રસન્નચંદ્ર (૧૨) હું અનાથી (૧૩) હું નંદિષણ(શ્રેણિકપુત્ર) (૧૪) હે કપિલ (૧૫) હું સનત કુમાર (૧૬) હું સ્કંધક (૧૭) હું અચૂંકારી ભટ્ટા (૧૮) હું અર્જુન માળી (૧૯) હું સુકોશલ (૨૦) હું ચંડરૂદ્રાચાર્ય (૨૧) હું પ્રદેશી (રર) હું નાગકેતુ (૨૩) અમે સાઠ હજાર (૨૪) હું દામન્નક (રપ) હું ચંદના (ર૬) હું ત્રિવિક્રમ (૨૭) હું સુભૂમ (૨૮) હું પંથક (૨૯) હું સ્કંધાચાર્ય (૩૦) હું મનોરમા
૧૧૦ ૧૧૭ ૧૨૭ ૧૩૩ ૧૩૮ ૧૪૫ ૧૫૭ ૧૬૪ ૧૭૧ ૧૮૦ ૧૮૮ ૧૯૬ ૨૦૫
૨૧૦ ૨૧૭
543
Page #568
--------------------------------------------------------------------------
________________
૨૨૨
૨૨૯ ૨૩૭ ૨૪૫ ૨૫૦ રપ૪ ર૬ર ર૬૯ ૨૭૭ ૨૮૪ ૨૯૧
૩૦૩
૩૧૧
૩૧૮
૩૩૩
(૩૧) હું નાગશ્રી (૩ર) હું સુકુમારિકા (૩૩) હુ સુવ્રતાશ્રી (૩૪) હું નમિ (૩૫) હું ચક્ષા (૩૬) હું કોણિક (૩૭) અમેચંડાળ ચોકડી (૩૮) મારાભાઈ મહારાજ (૩૯) હું ચિત્રકાર (૪૦) હું સોમદત્ત (૪૧) હું શારદા નંદન (૪૨) હું અંજના (૪૩) હું ઈલાચીપુત્ર (૪૪) હું નૂપુર પંડિતા (૪૫) હું રાજરાણી(સાધ્વી) (૪૬) હું અઈમુત્તો (૪૭) હું વજ (૪૮) હું મનક (૪૯) હું અભય (પ૦) હું સંગમ (૫૧) હું સુભગ (પર) હું દેવપાલ (૫૩) હું હેમચંદ્ર (૫૪) હું યશોવિજય (૫૫) હું કુમારપાળ
(૧) પૂર્વભવ (૨) રઝળપાટ (૩) હું રાજા બન્યો (૪) મેં માંસાહાર છોડયો (૫) મેં મિથ્યાત્વ છોડ્યું (૬) અમારિ પ્રવર્તન (૭) મારૂં ધર્મયુધ્ધ
૩૩૮ ३४४
૩૪૭ ૩પ૪ ૩પ૬
૩૫૮
૩૬૦ ૩૬૪
3७४
૩૮૨
૪૦૧ ૪૦૫ ૪૦૯ ૪૧૩
૪૧૮
544
Page #569
--------------------------------------------------------------------------
________________
४४८
(૮) કંટકેશ્વરીદેવીનો પ્રકોપ ૪૨૪ (૯) મકોડો બચાવવા
૪૨૯ (૧૦) પ્રતિલેખકનું સન્માન ૪૩૧ (૧૧) કાશીમાં અહિંસા પ્રચાર ૪૩૩ (૧૨) મારા તાબેદાર
રાજાઓની અહિંસા ૪૩૫ (૧૩) રૂદતી-દાન-ત્યાગ
૪૩૬ (૧૪) મારી સાધર્મિક ભક્તિ ૪૩૯ (૧૫) મારું શિક્ષણ
૪૪૧ (૧૬) તૈલપનું આક્રમણ
४४४ (૧૭) મારી આરતિ
४४६ (૧૮) સાળવી પાડો (૧૯) માંસાહારની સ્મૃતિ પ્રાયશ્ચિત ૪૪૯ (૨૦) કેટલીક ઘટનાઓ
૪૫૧ (૨૧) મારા સુકૃતો
૪૫૭ (રર) મારા ગુરૂદેવનું સ્વર્ગારોહણ ૪૫૯ (૨૩) મારું મૃત્યુ અને પછી | વિશ્વ નિરીક્ષણ
૪૬૨ (૫૬) હું મેઘકુમાર (૫૭) હું રાવણ
४७८ (૫૮) હું દ્રાવિડ
૪૯૮ (૫૯) હું વામન
૫૦૪ (૬૦) હું મમ્મણ(પૂર્વભવ)
૫૧૯ (૬૧) હું મરીચિ
૫૧૯ (૬૨) હું નારદ
પરપ (૬૩) હું ભરત(દ્વિધાવસ્થા)
૫૩૦ (૬૪) હું કાળિયો કસાઈ
પ૩૫ પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી રચિત ગ્રંથ શ્રી જૈન કથા રત્નમંજૂષા એ અઠ્ઠાવન પ્રાચીન કથાઓનો સંગ્રહ છે. આ બધી જ કથાઓ પૂર્વાચાર્યોના ગ્રંથોમાંથી લેવામાં આવી છે. કથાઓનો પૂરો રસ જળવાઈ રહે છે એવી સુંદર આ કથાઓ
૪૭૧
545
Page #570
--------------------------------------------------------------------------
________________
હૃદયમાં સંવેગ અને નિર્વેદ જગાડનારી છે. આજના ભયંકર ભૌતિકકાળમાં જ્યારે ચારે બાજુ વિષયની વાસનાઓની ખૂબ વૃધ્ધિ થાય તેવા સાહિત્યના ઢેર જાગ્યા છે ત્યારે આવા સાહિત્યનું પ્રકાશન ખૂબ જ જરૂરી બન્યું છે.
પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી કહે છે, ‘પ્રજા જીવનના દેશીય ઘડતરમાં ધર્મકથાઓએ કિંમતી ફાળો આપ્યો છે અને આજે પણ આપી શકે તેમ છે. આથી ટૂંકી ટૂંકી કથાઓના સંગ્રહ રૂપ ગ્રંથોની આપણા સમાજના ઘડતર માટે ઘણી જ આવશ્યકતા છે.’’
,,૩૩
જૈન કથા સાગર ભાગ-૧ આ ગ્રંથમાં જેમણે પોતાની જીવન નૌકાને સફળ રીતે સંસાર સમુદ્ર પાર કરી છે તેવા મહાત્માઓની કથાઓ છે. આ ગ્રંથમાં દરેક કથાને સ્વતંત્ર મહત્ત્વ અપાયું છે. જેમકે ‘દેવતાઇ અગ્નિ યાને સગર ચક્રવર્તી’, ‘વૈયાવચ્ચ ચાને મહામુનિ નંદીષેણ’, ‘મુનિદાન યાનિ ધન્ના શાલિભદ્ર’ વગેરે.”
૩૫
પંડિતવર્ય શ્રી બેચરદાસ દોશી
સત્યની સાધના માટે ફૂલના હાર નહિ પણ તલવારની ધાર પર જીવનાર, પાંડિત્ય માટે આત્મભોગ આપનાર, રાષ્ટ્ર ખાતર હદપારની સજા ભોગવનાર, પંડિતવર્ય શ્રી બેચરદાસજીની ગણના ભારતના અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકોને સમાજ સેવકોમાં કરી શકાય. જૈન સંઘને અંધશ્રધ્ધાની નિદ્રામાંથી જગાડનાર ગણ્યા ગાંઠ્યા પંડિત પુરૂષોમાં તેઓ એક હતા.
વિશેષ શાસ્ત્રાભ્યાસ :- તેઓ ૧૯૬૨-૬૩ના અરસામાં કાશી ગયા. કાશીમાં બે વર્ષ રોકાઇ તેઓ વલભીપુર આવ્યા. ત્યારે આચાર્ય હેમચંદ્રકૃત લઘુવૃત્તિ પોણી થઇ ગઇ હતી. વલભીપુરમાં થોડું રોકાઇ તેઓ પાછા બનારસ આવ્યા અને અભ્યાસની સાથે સાથે શ્રી ચશોવિજય જૈન ગ્રંથમાળા ગ્રંથોનું સંપાદન પં.શ્રી ગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં કરવા લાગ્યા. ત્યાર પછી પંડિતજી ન્યાય વ્યાકરણ તીર્થ થયા. તેમણે પ્રાકૃતભાષા અને અન્ય દર્શનોનો અભ્યાસ પણ કર્યો આ ઉપરાંત તેઓએ આગમનો અનુવાદ અને પ્રકાશન કામ કર્યા.
સને ૧૯૨૧-૨૨માં તેઓશ્રી ગાંધીજીના ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા. ત્યાં તેમણે પંડિત સુખલાલજીના સહકારમાં સન્મતિ તર્કના સંપાદનનું અતિ દુષ્કર કાર્ય કર્યું. તેમના કામથી ગાંધીજીને ભારે સંતોષ થયો.
સને ૧૯૩૮ આસપાસ અમદાવાદમાં એલ.ડી આર્ટસ કોલેજ સ્થપાઇ અને આ કોલેજમાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે પંડિતજી નિમાયા. જીવનનાં સાઠ વર્ષ
546
Page #571
--------------------------------------------------------------------------
________________
દરમ્યાન પંડિતજીએ જૈન સાહિત્યની જે વિરલ સેવા કરી તેના લીધે અનેક મહત્વના ગ્રંથો પ્રકાશમાં આવ્યા.
સંસ્કૃતમાં પાંડિત્ય તથા શાસ્ત્ર નિષ્ઠા માટે સને ૧૯૬૪માં રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન તરફથી પ્રમાણપત્ર મેળવેલ. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ તરફથી વિવિધ પ્રસંગે તેમનું બહુમાન કરી ૭ સુવર્ણ ચંદ્રક, સાતેક ચાંદીની કાસ્કેટો પંદરેક સન્માન પત્રો તેમને અર્પણ થયેલા. અંતિમ વર્ષો :- કોલેજમાંથી નિવૃત થયા પછી પણ સારી એવી સ્વૈચ્છિક સેવાઓ પંડિતજી એ લા.દ.પ્રારા વિદ્યામંદિરને આપી હતી. પીએચડીના ઘણા વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપ્યું હતું. આમ વિવિધ સેવાઓ આપી ૯૩ વર્ષની જૈફ વયે, સૌ સ્વજન-બંધુવર્ગને ખમાવીને તા.૧૧/૧૦/૧૯૮૨ના રોજ તેઓએ શાંતિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું.
તેમણે ઘણી કૃતિઓ લખી તેમજ સંપાદન કરી છે. આમ તેઓએ ખૂબજ સાહિત્ય સેવા આપી છે.
તેમણે કથા સાહિત્યને લગતી કૃતિઓ લખી છે કે સંપાદન કરી છે. તેમાની કેટલીક નીચે મુજબ છે.
અનુવાદક
આવૃતિ (૧) ભગવાન મહાવીરના દશ ઉપાસકો
બેચરદાસ દોશી પહેલી ૧૯૩૧ (૨) ભગવાન મહાવીરની ધર્મકથાઓ
બેચરદાસ દોશી દ્વિતીય ૧૯૯૧ (૩) ભગવાન મહાવીર ચરિત્ર બેચરદાસ દોશી ઈ.સ. (૪) ભગવાન મહાવીર જીવન નો મહિમા
બેચરદાસ દોશી દ્વિતીય (૫) નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ
બેચરદાસ દોશી દ્વિતીય ૧૫૪ ભગવાન મહાવીર દશ ઉપાસકો કથા ગ્રંથ વિશે ગોપાલદાસ જીવાભાઈ પટેલ લખે છે કે, “જૈન ધર્મના અનુયાયીઓની ઠીક ઠીક સંખ્યા આજે પણ ગુજરાતમાં મોજૂદ છે. તથા ગુજરાતનું સામાજિક અને ધાર્મિક જીવન ઘડવામાં ભૂતકાળથી તે વર્ગે ઠીક ઠીક ભાગ લીધો છે. ભગવાન મહાવીરના દશ ઉપાસકોના જીવન ચરિત્રની કથાઓ વાચકોને ઉપયોગી તથા રસિક નીવડે તેવી છે. તે રીતે આ પુસ્તકનું મહત્ત્વ સવિશેષ
ને.
સન
૧૯૬૬
૧૯૮૪
547
Page #572
--------------------------------------------------------------------------
________________
છે.
૩૬
૪૨
૪૫
આ ઉપરાંત પંડિતજીએ આ પુસ્તકમાં કાકાસાહેબ કાલેલકરનું નિરૂપણ કર્યું છે. આ પુસ્તકનું અનુવાદન કરી પંડિતજીએ ઉપયોગી શબ્દકોશ પુસ્તક પાછળ ઉમેર્યો છે. ભગવાન મહાવીર ની ધર્મકથાઓની પરિશિષ્ટ નીચે મુજબ છે.
પાના નં. ૧. પગ ઊંચો કર્યો ૨. બે સાથે બાંધ્યા ૩. બે ઇંડા ૪. બે કાચબા ૫. શૈલક ઋષિ ૬. તુંબડું ૭. રોહિણી ૮. મલ્લિ ૯. માકંદી ૧૦. ચંદ્રમાં ૧૧. દાવદ્રવના ઝાડ ૧૨. પાણી
૮૭ ૧૩. દેડકો ૧૪. અમાત્ય તે પલિ ૧૫. નંદી ફળ
૧૦૮ ૧૬. અપર કંકાનગરી
૧૧૨ ૧૭. ઘોડાઓ
૧૩૯ ૧૮. સુંસુમાં
૧૪૪ ૧૯. પુતંરિક
૧પ૦ - દ્વિતીય શ્રુત સ્કંધ ૧ કાલી ૧૫૮
આત્મા અનાત્માનો ભેદ જાણ્યા પછી શરીરને અનાસક્તપણે નભાવ્યે જ છૂટકો એ વસ્તુ સાર્થવાહ ધન્ય અને વિજય ચોરવાળી વાર્તામાં અસરકારક રીતે બતાવ્યું છે.
પોતાના વિશ્વાસનું જતન કરવું જોઇએ એ બોધ બે ઇંડાવાળી વાર્તામાં સુંદર રીતે આવ્યો છે.
८४
૯૪
૧૦૧
548
Page #573
--------------------------------------------------------------------------
________________
ત્યાગી પણ ભોગી થયા માટે માણસે અભિમાન ન કરવું એ બોધ “શૈલક ઋષિની કથામાં આપેલો છે.
પુંડરીક-કંડરીક’ની વાર્તામાં પણ કંડરીક વૈરાગ્ય પામી પ્રવજ્યા લે છે પણ ભોગથી વશ થતા રાજગાદી સ્વીકારે છે જ્યારે પુંડરીક વ્રત સ્વીકારી સિધ્ધ, બુધ્ધ થવાનો રસ્તો લે છે.
તુંબડા”ની વાર્તામાં હિંસા, અસત્ય, અવ્રત તેમજ ક્રોધ, માન, માયા, લોભ આદિ સંસ્કારો માણસને કેમ ડૂબાડે છે અને એથી ઉલ્ટા સંસ્કારો માણસને કેમ તારે છે એ બતાવ્યું છે.
“રોહિણી'ની વાર્તા દ્વારા દરેકને લાયક કામ સોંપી દરેકને પોતાનું સ્થાન આપ્યું
“મલ્લિ”ની કથા દ્વારા બાહ્ય સૌદર્યવાળા શરીરમાં કેટલી દુર્ગધ રહેલી હોય છે એનું દર્શન કરાવી વૈરાગ્યની પ્રેરણા કરી છે.
માકંદીની વાર્તા તો દુનિયાના બધા જ દેશોમાં એક યા બીજી રીતે પ્રસિધ્ધ છે. ચંદ્રના શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષનો ભેદ પણ એટલો જ સાર્વલોભ છે.
‘દાવદ્રવ”ની વાર્તા પણ એટલી જ મહત્ત્વની છે. બધાજ ધર્મના લોકો માટે ઉપયોગી છે.
સાધના કરવાથી પતિતમાં પતિત પણ શુધ્ધ થઈ શકે છે. એ માટે “જિતશત્રુ અને અમાત્યની વાર્તા છે.
કેવલ પ્રસિદ્ધિ અને કીર્તિ માટે દાનધર્મ કરનાર કે સમાજ સેવા કરનાર આજકાલના ઢગલાબંધ લોકોને દેડકાની વાર્તા ભેટ આપવા જેવી છે.
સંસારથી ત્રાસેલાને શરણ પ્રવજ્યા છે, અભય એવો તો એક દાન્ત અને જિતેંદ્રિય જ હોઈ શકે, એ બોધ આપવા માટે અને માણસોને ધર્માભિમુખ કરવા અમાત્ય તેટલીની વાર્તા છે.
જેમ નંદીફળ સામે ધન્ય સાર્થવાહે લોકોને પોકારીને ચેતવ્યા હતા. તેમ સંકુચિતતા સામે ભગવાન મહાવીર માણસને પોકારીને ચેતવે છે.
અપરકંકા નગરી” વાળી વાર્તા અને તેમાં આવેલ દ્રૌપદીનો ઉલ્લેખ વાંચીને બોધ મળે છે કે તેની પાછળ જો આસક્તિ હોય તો ગમે તેવું ઉગ્ર તપ હોય છતાં ચિત્તશુધ્ધિ કરી શકતું નથી.
549
Page #574
--------------------------------------------------------------------------
________________
ઘોડાઓને પકડવા માટે જેવી લાલચો “આઇણ” નામની વાર્તામાં ઉભી કરી છે. બોધ એ જ લેવાનો કે શ્રમણે મધુર શબ્દ કે અમધુર શબ્દ બંને માટે સમભાવ કેળવવો.
ભગવાન મહાવીરે આહાર કરવાનો ઉદ્દેશ સમજાવવા સુસુમાની વાર્તા એના રોમાંચકારી ભયાનક રસ સાથે રજુ કરી છે.
કાલીની વાર્તા દ્વારા સંયમ લીધા પછી પસ્તાવો કરનાર શ્રમણોને બોધ આપ્યો છે.
આમ, આ પુસ્તકમાં ભગવાન મહાવીરની વીસ ધર્મકથાઓ આવેલી છે. વાચકને આ કથાઓ દ્વારા સુંદર બોધ આપ્યો છે. આ કથાઓ દેખાવે ભલે સાદી હોય પણ એમની સાદી સીધી અને સચોટ શૈલી ઉપર જ કેવળ નથી પણ વિશ્વ હિતના સર્વ મંગળકારી સંકલ્પથી કરેલી ઉગ્રમાં ઉગ્ર તપસ્યાનું બળ આ કથાઓ પાછળ છે.
જયભિખુની જીવન ઝલક સાહિત્ય જગત જેને જયભિખુના હુલામણા નામથી ઓળખે છે તે જયભિખુનો એટલે કે બાલાભાઈ વીરચંદ દેસાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૪ના જેઠ વદ તેરસને શુક્રવારે સાત વાગે (ઈ.સં.૧૯૦૮ના જુન મહિનાની ર૬મી તારીખે) સૌરાષ્ટ્રમાં એમના મોસાળ વીંછિયા ખાતે થયો હતો. એમના માતાનું નામ પાર્વતીબહેન અને પિતાનું નામ વીરચંદભાઈ ખેમચંદ દેસાઈ હતુ. જયભિખુ ૪ વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ વઢવાણ ખાતે થયું હતું. પિતાના નીડર, અતિથિપ્રેમી કુટુંબવત્સલ સ્વભાવના સંસ્કાર બાળ જયભિખ્ખને ગળથુથીમાંથી જ મળ્યા હતા. માધ્યમિક શિક્ષણ બાદ મુંબઈ ખાતે મુનિશ્રી વિજયધર્મસૂરિએ સ્થાપેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશ મંડળ-જે વિલેપાર્લેમાં હતું તેમાં સંસ્કાર-શિક્ષણાર્થે દાખલ થયા. ત્યાં રહીને જયભિખુ એ જૈન તત્વજ્ઞાન અને જૈન દર્શનનું ઊંડું અધ્યયન કર્યું. ત્યારબાદ કલકત્તા સંસ્કૃત એસોસિએશનની ન્યાયતીર્થની પદવી સંપાદન કરી શિવપુરી ગુરૂકુળની તર્મભૂષણની પદવી પણ મેળવી.
કુટુંબનું એમનું હુલામણું નામ હતું. ભીખાલાલ સ્નેહીઓમાં તે બાલાભાઇના નામે અને સાહિત્ય ક્ષેત્રે જયભિખ્ખું એમનું ઉપનામ લોકપ્રિય બન્યું હતું. જયભિખ્ખ ઉપનામ એમણે વિજયાબહેનમાંથી જય અને ભીખાલાલમાંથી ભિખુ લઇને બનાવ્યું હતું. એમનું બાળપણ વીંછિયામાં, કિશોરવસ્થા વરસોડામાં અને વિદ્યાર્થીકાળ કુદરતી સૌદર્યથી ભર્યા ભર્યા શિવપુરીમાં વિત્યા. કથાવાર્તા વાંચવાનો શોખ જયભિખુને છેક બાળપણથી જ. સાહિત્ય વાંચતા વાંચતા નોંધવા જેવું લાગે એ નોંધી પણ
550
Page #575
--------------------------------------------------------------------------
________________
લેવાનું એ એમની ટેવ. જયભિખ્ખએ પોતાના જીવન આરંભકાળમાં જીવનની કસોટી કરે એવી ત્રણ પ્રતિજ્ઞાઓ કરી. પૈતૃક સંપતિ લેવી નહિ, નોકરી કરવી નહિ અને કલમના આશ્રયે જિંદગી વિતાવવી. આ પ્રતિજ્ઞાઓ એમને સંઘર્ષની એરણ ઉપર ઠીક ઠીક કસ્યા પણ ખરા. છેવટે મા શારદાની સેવા-ઉપાસનાની દેઢ તમન્નાએ જયભિખ્ખને યશ અપાવ્યો. શિવપુરીના ગુરૂકૂળમાં ડૉ.ક્રાઉઝ નામના વિદૂષીનો સંપર્ક અને સમાગમ તેમને થયો. આથી પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કારનો તેમને પરિચય થયો. મધ્યપ્રદેશમાં લાંબો સમય રહેવાને કારણે હિંદી ભાષાનો પણ સારો મહાવરો કેળવાયો. ‘તું તારો દીવો થા” એ જયભિખ્ખના જીવનનું પ્રિય સૂત્ર હતું. જયભિખ્ખના પુત્ર કુમારપાળને પણ સાહિત્યના સંસ્કાર વારસામાં મળ્યા છે. વિનયી, વિવેકી અને તેજસ્વી એવા કુમારપાળ દેસાઈને પણ એમની આરંભની કારર્કિદીમાં જ સાહિત્ય ક્ષેત્રે નોંધનીય સિધ્ધિ પ્રાપ્ત થઇ. ગુજરાત સરકારે ‘લાલ ગુલાબ” અને “ડાહ્યા ડમરાને ઇનામ આપી તેમનું સન્માન કર્યું છે.
જયભિખ્ખના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડવામાં અન્ય મહાનુભાવોએ પણ સારો એવો ફાળો આપ્યો છે. સંસારી જનોની જેમ સાધુજનોની પણ તેઓ સ્નેહભાજન હતા. મુનિશ્રી ચિત્રભાનુ, મહંત શ્રી શાંતપ્રિસાદજી, ગોસ્વામી મુગટલાલજી, મહાસતી ધનકુંવરબાઈ વગેરેની તેમની ઉપર ગાઢ પ્રીતિ હતી. તેમની પાસેથી જયભિખ્ખને અવારનાર માર્ગદર્શન પણ મળતું હતું. પ.પૂ.મોટાના તથા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના આર્શીવાદ અનેકવાર એમને પ્રાપ્ત થયેલા. મહાન જાદુગર કે.લાલ સાથે પણ એમને ગાઢ સંબંધ હતો. જૈન કથાસાહિત્યને સર્વ સમાજોપયોગી બનાવવાની આકાંક્ષામાંથી જૈન કૃતિઓનું સર્જન તેમના દ્વારા થયું છે. સંસારના, ઇતિહાસના, સાહિત્યના અને શાસ્ત્રના પ્રેરક બળે જયભિખ્ખું ચેતનવંતા બન્યા છે. એમનું વ્યક્તિત્વ awe-inspiring ભયયુક્ત માન પેદા કરે તેવું નહિ પરંતુ મેગ્નેટિકચુંબકીય છે.
જયભિખ્ખએ સૌથી પહેલી કૃતિ ભિક્ષુ સાયલાકર'ના નામથી ઇ.સ. ૧૯૨૯માં લખી હતી જેમાં તેમના ગુરૂ વિજયધર્મસૂરિજીનું જીવનચરિત્ર આલેખ્યું હતું. વર્ષો સુધી એમણે જૈન જ્યોતિ અને વિદ્યાર્થી સાપ્તાહિકમાં નવા વિચારો પીરસ્યા હતા. આ સિવાય સંદેશ, ગુજરાત સમાચાર, જયહિંદ, ફૂલછાબ, ગુજરાત ટાઈમ્સ પણ તેમની કલમે ઘણી પ્રસિદ્ધિ મેળવી.
ઈ.સ.૧૯૬૯ ના વર્ષની દિવાળી વખત તેમની તબિયત ઠીક ઠીક લથડી ગઈ હતી. ઇ.સ.૧૯૬૯ના ડિસે.ની ર૪મી તારીખને બુધવારે જયભિખ્ખની સ્થળ જીવન લીલાની સમાપ્તિ થઈ.
551
Page #576
--------------------------------------------------------------------------
________________
જયભિખુ નવલકથા ક્ષેત્રે ઇ.સ. ૧૭૫ પછી પ્રકાશમાં આવ્યા. તેમણે ઐતિહાસિક પૌરાણિક નવલકથાઓમાં પૂર્વ પરંપરા કરતા તદ્દન નવીન અને વિશિષ્ટ પ્રદાન કર્યું. પૌરાણિક નવલકથામાં પુરાણખ્યાત વસ્તુ સ્વીકારી કૃતિનું નિર્માણ થાય. ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસની શુષ્ક અને વિશૃંખલ વિગતોને કલ્પના તંતુથી સાંકળી જે તે સાંસ્કૃતિક સમયનું યર્થાથ અને રસપૂર્ણ ચિત્ર આપવાનું હોય છે.
જયભિખ્ખએ લખેલ કૃતિ” ભાગ્યવિધાતા, વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ, દિલ્હીથ્થર, કામવિજેતા શ્રી સ્થૂલિભદ્ર, રાજવિદ્રોહ, મત્સ્યગલાગલ, બૂરોદેવળ, નરકેસરી, દાસી જનમ જનમની સાથી જનમ જનમના સંસારસેતુ-મહર્ષિ મેતારજ, શત્રુ કે અજાતશત્રુ, પ્રેમાવતાર ભા.-૧,૨, લોખંડી ખાખનાં કુલ ભા.૧,ર, ઉપવન (ર૪ વાર્તાનો સંગ્રહ), પારકા ઘરની લક્ષ્મી (રપ વાર્તાનો સંગ્રહ), વીરધર્મની વાતો ભા.૧ થી ૪ (જૈન ૪૩ વાર્તાનો સંગ્રહ કથાશોવાળી વાર્તાઓનો સંગ્રહ), માદરે વતન, કંચન અને કામિની, સાંકળી ફઈબા, સોનાની મરઘી, ગંગા ગટરમાં, કંથ અને કામિની, પ્રેમલક્ષણા, પાપનો પોકાર, વસિયતનામું, યાદવાસ્થળી (૧૪ વાર્તાનો સંગ્રહ), લાખેણી વાતો (ર૧ વાર્તાઓનો સંગ્રહ), જયભિખુ વાર્તા સૌરભ ૧,૨ (રપ વાર્તાઓનો સંગ્રહ), અંગના (૧૯ વાર્તાઓનો સંગ્રહ), સની બાંધી પ્રથ્વી (૧૬ વાર્તાઓનો સંગ્રહ) કરલે સિંગાર (૧૪ વાર્તાઓનો સંગ્રહ), શૂલી પર સેજ હમારી (૨૦ વાર્તાઓનો સંગ્રહ ), કાજલ અને અરીસો (૧૮ વાર્તાઓનો સંગ્રહ), માટીનું અત્તર (૨૩ વાર્તાઓનો સંગ્રહ), કન્યાદાન (૧૮ વાર્તાઓનો સંગ્રહ), મન ઝરૂખો (૨૧ વાર્તાઓનો સંગ્રહ), પગનું ઝાંઝર (૧૮ વાર્તાઓનો સંગ્રહ), વેર અને પ્રીત (ર૧ વાર્તાઓનો સંગ્રહ).
શ્રી ચારિત્રવિજયજી, ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી, યોગનિષ્ઠ આચાર્ય, નિગ્રંથ ભગવાન મહાવીર, ભગવાન મહાવીર, સિધ્ધરાજ જયસિંહ, ઉદા મેહતા, મંત્રીશ્વર વિમલ, પ્રતાપી પૂર્વજો ભા.૧થી ૪, દહીંની વાટકી, યજ્ઞ અને ઈંધણ, વિદ્યાર્થી વાંચનમાળા (૧૦ શ્રેણી.) (પ્રત્યેક શ્રેણીમાં ર૦ પુસ્તિકા એમ ર૦૦ પુસ્તિકા), રત્નનો દાબડો, હીરાની ખાણ, મીઠી માણેક, પાલી પરવાળાં, નીલમનો બાગ, માણું મોતી, આંબે આવ્યા મોર, ચપટીબોર, નીતિકથાઓ ભાગ-૧થી ૪, દીલના દીવા, દેશના દીવા, દેવના દીવા, દેરીના દીવા, દીવેદીવા, બાર હાથનું ચીભડું ભા.-૧,૨, તેર હાથનું બી ભા.૧, ૨, છૂમંતર, બકરીબાઈની જે, નાનો પણ-રાઈનો દાણો, શૂરાને પહેલી સલામ, ફૂલપરી, ગરૂડજીના કાકા, ગજમોતીનો મહેલ, ઢમાંથી ધુરધર, મા કડાનું મંદિર, હિંમતે મર્દા, ગઈગુજરી, માઇનોલાલ, માણસે માણસે ફેર, બાલાવનામબોધાય, લીલી લીલી વરિયાળી (૧૮ વાર્તાનો સંગ્રહ).
552
Page #577
--------------------------------------------------------------------------
________________
- આમ, જયભિખ્ખનું સાહિત્ય વિષય દૃષ્ટિએ વૈવિધ્યયુક્ત છે. એમાં એમણે દંતકથાઓ, લોકકથાઓ, તેમજ ધર્મકથાઓનો ઉપયોગ કરીને એમાંના કલ્પના તથા ચમત્કાર તત્ત્વને ગાળી નાખીને, આજની બુધ્ધિજીવી વર્ગ ગળે ઉતારી શકે એ રીતે રોચક ફેરફાર કરીને સરસ વાર્તાઓ સર્જી છે. એમની વાર્તાઓ ટૂંકા વાક્યોવાળી પ્રવાહી શૈલીને કારણે બાળકોને એક અનોખી રસસૃષ્ટિમાં રમમાણ કરે છે. આબાલ વૃધ્ધ સૌને જીવન જીવવાનો સાચો રાહ ચીંધે છે. આ ઉપરાંત કહેવત કથાઓ પ્રાણી કથાઓ, નીતિકથાઓ પણ જયભિખ્ખએ બાળકો અને પ્રોઢોને ધ્યાનમાં રાખીને લખી છે. એમની કહેવતકથાઓ કિશોરોની ભાષા શક્તિને ખીલવવામાં ખૂબ ઉપયોગી થઈ પડે એવી છે. પ્રાણી કથાઓને સાંપ્રદાયિક રંગોથી મુક્ત રાખીને રજૂ કરનાર તેઓ પહેલા સર્જક છે. આમ જયભિખુનું સંખ્યા દષ્ટિએ પણ સમૃધ્ધ છે. બાળસાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં છે.
આમ, જયભિખ્ખનું સાહિત્ય જીવન લક્ષી માંગલ્ય અને માનવતાનો સંદેશ આપતું નોંધપાત્ર ક્ષમતા ધરાવતું છે.
ભગવાન ઋષભદેવ” જેન સંઘના બે સર્વોદય શિખરોમાં એક શિખર તે આ શ્રી ઋષભદેવનું છે. બીજું ભગવાન મહાવીરનું આ ગ્રંથમાં લેખક શ્રી જયભિખ્ખું એ એજ પ્રચલિત અને પરિચિત જીવનની કથા કહી છે પરંતુ એમની શૈલી એટલી રસભરી અને વેગીલી છે કે પરિચિત છતાં તદ્દન નવી કથા વાંચતા હોઈએ એમ લાગે. જે વાત આપણે પહેલાં અનેકવાર સાંભળી હતી તે જયભિખ્ખના શબ્દોમાં નવાં જ રૂપ-રંગ ધરી ખીલી નીકળી છે. આવા સમયે લેખકને કહેવાનું મન થઈ આવે કે “ભાઈ, અમારી જૂની વાતો ફરી કહેતા મૂંઝાશો નહિ. એની એ જ વાતો ફરી કહેશો તો પણ અમને કંટાળો નહિ આવે. તમારા કથનની શૈલી જ એટલી રંગભરી છે કે તમે એ કહો છો ત્યારે જાણે એના રૂપ-રંગ પલટાઈ જાય છે. કાલિદાસ, ભવભૂતિને બાણના જમાનામાં જેમ રાજસભામાં કોઇ પુરાણ-કથાનું પારાયણ ચાલતું અને છતાં શ્રોતાઓનો રસ બરાબર જળવાઇ રહેતો તેમ તમારી કલમમાંથી નિઝરતી કથા અમને ફરી ફરી સાંભળવાનું મન થાય છે.''
ભાઇ જયભિખ્ખું જ્યારે પ્રસંગ વર્ણવે છે ત્યારે એક એક સુરેખ ચિત્ર ખડું થાય છે. યુગલિક જીવનની આ રોમાંચ કથા, તેમજ આવી કથાઓ આવાં સજીવ, પ્રાણવાન, વિવિધરંગી બનશે ત્યારે પ્રાચીન જૈન સાહિત્યનો પુનરૂધ્ધાર થશે.
553
Page #578
--------------------------------------------------------------------------
________________
રતિલાલ દીપચંદ દેસાઈ, જીવન ઝંખી
જન્મઃ તાઃ ૧૨/૯/૧૯૦૭. અવસાનઃ તાઃ ૭/૧૨/૧૯૮૫ રતિભાઇના પિતા દીપા-ભગત કહેવાતા. દીક્ષા પણ લીધેલી એ ધાર્મિકતા રતિભાઈના જીવનમાં જુદી રીતે ખીલી. એમના સમગ્ર ઘડતરમાં સંપીલા, સંસ્કારી કુટુંબનું વાતાવરણ, પંડિતો, મુનિવરોની દીર્ઘકાલીન છત્રછાયા અને આપકમાઇનો સંજોગ-આ બધાએ ભાગ ભજવ્યો.
એમના સાહિત્યમાં જૈન ધર્મ ને ઇતિહાસનું એમનું ઊંડું અધ્યયન ખૂબ ડોકાય પણ કયાંય-સાંપ્રદાયિક્તા નહિ. શિવપુરી (મ.પ્ર.)ની જેને સંસ્કૃત પાઠશાળામાં એમનું ખૂબ સમતોલ ઘડતર થયું હતું.
શ્રી રતિભાઇ મૂળે તો ઠરેલ ચિંતન-વિવેચનનો જીવ. જૈન ધર્મ, જૈન સંઘ તેમ જ રાષ્ટ્રજીવન વિષે એમના વિચારો ચોખ્ખા ચણક ને પાકા, છતાં સૌમ્ય. જૈન, સત્યપ્રકાશ અને એ બે સામાયિકો દ્વારા વર્ષો સુધી નિર્ભય સત્યકથનનો પરિશ્રમ કર્યો. એમની વાર્તાઓમાં ય આવું ગંભીર વિચાર ભાતું ખૂબ મળે.
દરેક બાબતનો સાચો ઇતિહાસ જાણીને, તપાસ કરીને લખે. વાર્તાઓમાંય એવું પુરું ધ્યાન રાખે. એમની આવી ચીવટને કારણે એમની કલમે કચ્છના ભદ્રેશ્વર તીર્થનો સુંદર ઈતિહાસ તેમજ આણંદજી કલ્યાણજીની પેઢીનો વિસ્તૃત ઇતિહાસ પણ મળ્યા. ઉપરાંત અનેક વ્યક્તિ ચરિતો, તીર્થ પરિચયો રસાળ ભાષામાં લખ્યા.
સાથે સાથે દેશની આમ પ્રજા વિશે, કુટુંબ-સમાજ વિશે, અર્થકારણની બેઢંગી રફતાર વિષે એમની ઊંડી જાણકારી અને સંવેદના. ટૂંકી આવક, છતાં અપાર અતિથિભક્તિ, માનવભક્તિ. એમની અનેક વાર્તાઓમાં આ માનવભક્તિ ઉભરાય
સમાજના અવગણાયેલા અંગરૂપ નારી બાબત એમના હૃદયમાં ઊંડા આદર અને કરૂણા. અટલે એમના હૈયે ચડેલાં અનેક નારીચરિતો આમાં સુપેરે ડોકાય છે. રતિલાલ દીપચંદ દેસાઇ દ્વારા રચિત કથા સાહિત્ય-૨ (અભિષેક) પુસ્તક વિશે આચાર્ય શીલચંદ્રસૂરિ કહે છે કે,
રતિભાઈનું વાર્તા સાહિત્ય કેટલું બધું સમૃધ્ધ તેમજ વૈવિધ્યસભર છે તેમને દસેક વાર્તા સંગ્રહોને અવલોકીએ ત્યારે જ સમજાય. તેમણે જેન ગ્રંથોમાં મળતા કથા પ્રસંગોને મમળાવ્યા છે. તેનો પ્રવર્તમાન દેશ-કાળને અનુરૂપ પકડાયો છે અને પછી તે મર્મને કેન્દ્રમાં રાખી હૃદયસ્પર્શી, પ્રતીતિકર તેમજ મૂળ કથાનકના વસ્તુને પૂર્ણ ન્યાય
554
Page #579
--------------------------------------------------------------------------
________________
મળે એ રીત વાર્તા સર્જી છે. આવા સરસ અને સરળ સાહિત્યનું સર્જન આજના સ્વતંત્ર અને વિષમ વાતાવરણમાં પોષણક્ષમ આહારની ગરજ સારે તેવું છે."
ર૦મી સદીના સર્જનાત્મક સાહિત્યને જોતા એવું કહી શકાય કે નીચે વાર્તા સર્જકોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
(૧) શ્રી ભીમજી હરજીવન સુશીલ (૨) શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ : જયભિખુ (૩) શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
મૂલ્યનિષ્ઠ, સત્વશીલ અને સંસ્કાર પ્રેરક વાર્તા સાહિત્યનું સર્જન એ આ ત્રણે સર્જકોનો સમાન ગુણધર્મ હતા. તેવું ત્રણેની વાર્તાઓનો તુલનાત્મક રીતે જોતાં જણાઈ આવે છે. ગાંધી યુગનો પ્રભાવ ત્રણેયના સાહિત્ય પર જોવા મળે છે.
રતિલાલ દીપચંદ દેસાઇએ ઇતિહાસમાં ઘટેલી સત્ય, શીલ, શૌર્ય અને સંસ્કારિતાનો સંદેશો આપતી ઘટનાઓનો કાચા માલ તરીકે ઉપયોગ કરી તેમાંથી સરસ કથાઓ સર્જે છે. એથી વધુ તેમણે કેટલાક અનુભવોને પણ કથાવાર્તાનો ઘાટ આપ્યો છે. તેમણે નારી કથા, શીલકથા, ઇતિહાસ કથા, ધર્મકથા, શૌર્યકથા તેમજ સત્યકથાઓનું સર્જન કર્યું છે. તેમની વાર્તામાં કયાંય છીછરાપણું કે આછકલાઈ નથી કથા સાહિત્ય-ર માં રતિલાલ દિપચંદ દેસાઈ કહે છે કે,
સાચું સાહિત્ય તો એ છે કે જે માનવીના ચિત્તને પ્રેરણા આપતું રહે અને આસુરી વૃત્તિઓથી દૂર રાખે છે. ભાતૃભાવ, સમાનતા, શાંતિ જેવા મૂલ્યોને પોષણ મળવું જોઇએ અને એ પોષણનું કાર્ય સાહિત્ય દ્વારા સારી રીતે થઇ શકે છે.* આ પુસ્તકની પરિશિષ્ટ નીચે મુજબ છે.
પાનાને ૧. ન મારે વેર કે દ્વેષ ૨. પદ્મપરાગ ૩. સાતભવ ૪. દેવ વધે કે પશુ? ૫. વિસ્તાર ૬. સુવર્ણ કંકણ ૭. સાધનાનું સુવર્ણ ૮. પ્રેમ-પાવક ની જવાળા ૯. જાગૃત આત્મા
555
Page #580
--------------------------------------------------------------------------
________________
૧૭ર
૧૦. રાજકુમાર
૧૧૩ ૧૧. પાંચ જનમની પ્રીત
૧ર૩ ૧ર. એ રાત ને એ પ્રકાશ
૧૩૯ ૧૩. સંતોની ભિક્ષા
૧૪૫ ૧૪. ચારિત્ર ખાંડાની ધારોજી
૧પ૯ ૧૫. નિર્મોહી ગુરૂ ૧૬. રાજા અને યોગી
૧૭૯ ૧૭. ઉદારતા
૧૯૩ ૧૮. કર્મવીર પિતાનો શૂરવીર પુત્ર ર૦૪ ૧૯. સાચી પ્રભુસેવા
૨૦૬ આમાં ‘ન મારે વેર કે દ્વેષ'માં પાર્શ્વનાથ પ્રભુની કથા આપી છે. પદ્મપરાગ”માં શ્રમણ ભગવાન મહાવીરની કથા આપી છે.
આ કથાને જુદા જુદા વિભાગમાં વહેંચી છે. જેમકે વાદળનો અમર રંગ, સૌરભ બિચારી શું કરે?, આપ સમાન બળ નહિ, ત્યાગની ખુમારી, કષ્ટ સહનનો પ્રતાપ, સર્યુ આવા ચમત્કારથી, દુઃખ તો સુખની ખાણ, ક્રોધના કડવા ફળ, આતો આત્માની શીતળતા, સૌને માટે વાત્સલ્ય, નહિ રસ નહિ કસ માત્ર દેહને દાપું, ભક્તિ અને અભક્તિ, મારું કર્યું મેં ભોગવ્યું, મારાં મા-બાપ, અજ્ઞાનના ઉચ્છેદનાર, રાજા હોય કે ભક્ત સૌના કર્યા સૌ ભોગવે, ધર્મ કરે તે મોટો, જ્ઞાની ગૃહસ્થની પણ પ્રશંસા, પરિવ્રાજકનું બહુમાન, ગૌતમ માફી માંગે, કોઈનો તિરસ્કાર ન કરો,
સાત ભવ”ની કથા માં દુર્ગ વિપ્ર અને તેના ચાર સંતાનની કથા છે.
‘દેવ વધે કે પશુ?’ વાર્તામાં મોરાક ગામમાં આશ્રમમાં રોકાયેલા મહાવીર પ્રભુનો પ્રસંગ વર્ણવ્યો છે.
‘નિસ્તારમાં શાલ-મહાશાલમુનિ ની કથા છે. સુવર્ણ કંકણમાં નમિરાજર્ષિની કથા રજુ કરી છે. સાધનાનું સુવર્ણ'માં આર્યકાલકની વાતો છે. પ્રેમ- પાવકની જ્વાળામાં આર્યકાલકની વાતો છે. “જાગૃત-આત્મા’માં વજસ્વામીની કથા સુંદર રીતે અલંકૃત કરી છે. “રાજકુમારની કથામાં નંદીષેણની કથા આલેખી છે.
પાંચ ભવોની પ્રીત'માં બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વ ભવોની કથા વર્ણવી છે. પાંચ ભવોમાં પહેલો જન્મ દાસનો, બીજો મૃગ યુગલનો, ત્રીજો હંસ યુગલ, ચોથો ચંડાલ
556
Page #581
--------------------------------------------------------------------------
________________
પુત્રનો અને પાંચમો દેવનો ભવ છે.
‘એ રાત ને એ પ્રકાશમાં મંત્રીશ્વર સાન્ત મહેતા અને એક મુનિની વાર્તા રજુ કરી છે.
સંતોની ભિક્ષા’માં હીરસૂરિ અને અકબર અને મુનિ ભાનચંદ્ર અને સિધ્ધિચંદ્રની કથા વર્ણવી છે.
‘ચારિત્ર ખાંડાની ધારમાં અરણિકમુનિની કથા આલેખી છે. ‘નિર્મોહી ગુરૂમાં આચાર્ય માર્ગાચાર્યની કથા વર્ણવી છે. ‘રાજા અને યોગી”માં સિધ્ધિચંદ્રમુનિ, અકબર, જહાંગીરની વાર્તા અલંકૃત કરી છે.
‘ઉદારતા'માં આચાર્ય વર્ધમાનસૂરિની, જિનેશ્વરસૂરિ, બુધ્ધિસાગર સૂરિની, પુરોહિત સોમેશ્વરની કથા આપી છે.
‘કર્મવીર પિતાનો શૂરવીર પુત્ર”માં ધનજી મોરબિયાના પુત્ર સરૂપચંદ મોરબિયાની કથા વર્ણવી છે.
સાચી પ્રભુ સેવામાં પાર્વતી અને મહાદેવનો સંવાદ સુંદર રીતે રજુ કર્યો છે. રતિલાલ દીપચંદ દેસાઈ એ લખેલ કથા કૃતિઓ નીચે મુજબ છે. (૧) ગુરૂ ગૌતમ સ્વામી (૨) અભિષેક (૩) સુવર્ણકંકણ (૪) રાગ-વિરાગ (૫) પદ્મ પરાગ (૬) કલ્યાણમૂર્તિ (૭) હિમગિરિની કન્યા (૮) સમર્પણનો જય (૯) મહાયાત્રા (૧૦) સત્યવતી (૧૧) મંગળમૂર્તિ
વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી ર૦મી સદીના લેખકોમાં વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીનું નામ જાણીતું છે. વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી રચિત “રાજકન્યા બંધન તૂટયાં પુસ્તકમાં
557
Page #582
--------------------------------------------------------------------------
________________
પં.કનકવિજયજી મ.સા.કહે છે કે,
વિશ્વની શ્રેષ્ઠ વિભૂતિ શ્રમણ ભગવાન મહાવીર દેવના સમકાલીન ઇતિહાસનો ઐતિહાસિક પાત્રોને તથા તત્કાલીન વાતાવરણને સજીવ કરતી મહાકથા લેખક ભાઇશ્રી ધામીએ અહીં આલેખી છે. તેમની શૈલી શાંતપણે વહી જાય છે. ભાષા પરનો તેમનો કાબૂ અદ્ભુત છે, શબ્દોને સંસ્કાર ભરી છટામાં રજુ કરવામાં તેમનું સામર્થ્ય અપ્રીતમ છે. ક્યાંય પાત્રોના વ્યક્તિત્વને અન્યાય ન થવા પામે તેની તેઓએ કાળજી રાખી છે. તે જાળવીને સાત્ત્વિક, રાજસ અને તામસી ભાવોને, જે દરેક આત્મામાં ભિન્ન ભિન્ન રૂપે રહેલા છે તેને ધામીએ હૂબહૂ આલેખ્યાં છે. શૃંગાર, વીર, રૌદ્ર, શાંત, વૈરાગ્ય રસોને પણ યથાવસરે આલેખીને શાંત અને વૈરાગ્યરસની પ્રધાનતા, શ્રેષ્ઠતા દર્શાવી છે. ધામીના શબ્દો યથાર્થ તેમજ અનુભવ રૂપ એરણ પર ઘડાઇને બહાર આવ્યા છે. ઐતિહાસિક પાત્રોની સાથે પ્રાસંગિક અનેક પાત્રોને વાચકના માનસ પટ પર અંકિત કરવા અનેક પ્રસંગો નવા- નવા રજૂ કર્યા છે છતાં મૂલ કથાવસ્તુને સહેજ પણ આંચ કે ક્ષતિ નથી આવવા દીધી.
તેઓની કલ્પના સૃષ્ટિના ઘડેલા એક એક પાત્રને જુઓ! ધામીએ સુંદર રીતે રજૂ કર્યા છે. મહારાજા ચેટક, જિતશત્રુ, ધારિણીદેવી, ભગવાન શ્રી મહાવીર દેવ, ધનવાહ શ્રેષ્ઠી, વસુમતિ-ચંદનબાલા ઇત્યાદિ મુખ્ય પાત્રોને તેમણે સરસ રીતે વર્ણવ્યા છે.
જૈન ઇતિહાસના પ્રસંગોને, સંસારના આસુરી પિરબળો જેવા કે કામ, ક્રોધ, મદ, મત્સર, ઇર્ષ્યા, હિંસા, પરિગ્રહ, માન, લોભ ઇત્યાદિની સામે ત્યાગ વૈરાગ્ય, ક્ષમા, તપ, તિતિક્ષા, સંયમ ઇત્યાદિને અદ્ભુત રીતે આલેખ્યા છે.
મોહનલાલ ચુનીલાલ ધામી રચિત ‘અમર બલિદાન યાને સિધ્ધગિરિના શહીદો’ પુસ્તકમાં કાકુભાઇ નારસિંહ બ્રહ્મભટ્ટ કહે છે કે,
“બારોટોનું ઉદ્ગમસ્થાન રાજસ્થાન ગણાય છે. ઇતિહાસ પ્રસિધ્ધ ચંદ બારોટ જોધપુર અંતર્ગત બાલા ગામના હતા. જ્યાં આજે પણ એમના વંશજો વસે છે. કાળક્રમે વિક્રમના ૧૨માં સૈકામાં શ્રી શંત્રુજયગિર નીકટ, હાલ ધોળી વાવ છે ત્યાં રંગપુર નામનું ગામ વસાવી તેઓ રહ્યા. તીર્થ રક્ષા માટે બારોટોએ જે બલિદાન આપ્યા તેની આ કથા છે. આ કથામાં અલ્લાઉદ્દીન ખીલજીના અમાનુષી હુમલાનું રસપ્રદ નિરૂપણ છે. સમસ્ત ભારતવાસી બારોટોની આ મહાન કુરબાની માટે મગરૂબી અનુભવે છે. રાજર્ષિ કુમારપાળ રાજાના મંદિર સામે શહીદ થયેલા વીર બારોટોના પાળીઆઓ આજે પણ પૂજાય છે.’*
558
Page #583
--------------------------------------------------------------------------
________________
આ કથા વિષે મો.ચુ. ધામી કહે છે કે,
પ્રસ્તુત લોક-કથા એ કોઇ રાસ પરથી યોજવામાં આવેલી નવલકથા નથી તેમ નરી કલ્પનાની ઇમારત પણ નથી. આ કથા પાછળ ઇતિહાસ જીવંત સ્મારકસમા અણનમ ખડા રહેલા પાળિયાઓની સાખ છે. આ કથામાં બારોટોના
આત્મ-બલિદાનની યશ ગાથા છે. આ કથાની સાંકળ મેળવવા બારોટોની દંતકથા, કેટલીક લોકવાણી અને ચારણભાટની વાતોનો આશ્રય લેવો પડ્યો. આ લોકકથા ઉપર ઇતિહાસની મહોર મેળવવા માટે નીચેના પુસ્તકોનો આશ્રય લેવો પડ્યો. (૧) સોરઠી તવારીખ (ર) ભારત લોકકથા (૩) સોરઠનો ઇતિહાસ (૪) રાજસ્થાન (૫) જૈન યુગ.૪૫
આમ, મો.ચુ.ધામી એ કથામાં ઇતિહાસના પાના પર લખાયેલા શબ્દો કરતા દંતકથા અને લોકવાણીનો વિવેક પૂર્વક વધારે ઓથ લીધો છે. કારણકે વિશ્વનું લોકસાહિત્ય ઇતિહાસના પાનાંઓથી દૂર દૂર વસ્તુ છે.
‘સૌભાગ્ય કંકણ’ નામની કથા પાછળ નારીના શિયળનો એક મહાન આદર્શ પડેલો છે. આ પુસ્તક રચ્યું ત્યારે લેખક મો.ચુ. ધામીની ઉમર ૭૩ વર્ષની હતી. આ પુસ્તકની ત્રણ આવૃત્તિ બહાર પડી છે.
એક સુર્વણયુગ એવો હતો કે નારી પોતાના શિયળના તેજ વડે સંસારમાં શ્રેષ્ઠ નારી રત્ન તરીકેનું ગૌરવ પામી શકતી હતી. પોતાના ચારિત્રની રક્ષા ખાતર તે ગૌરવ પામી શક્તી હતી.
આમ, સોભાગ્ય કંકણના કથા થાળમાં શિયળનું બળ અને ગૌરવ કેટલું ભવ્ય છે તે વાત શીલવતી પોતાના જીવનથી દર્શાવે છે, જેનું અદ્ભુત વર્ણન મો.ચુ. ધામી એ આ પુસ્તકમાં કર્યું છે.
‘રાગ વિરાગ’ કથા અંગે વૈધ મોહનલાલ ચુ. ધામી કહે છે કે,
જૈન ઇતિહાસ રૂપ ઉપવનમાં ખીલેલા અનંત પુષ્પોમાંથી મેં પુષ્પ ચૂંટી કાઢ્યું છે. જૈન ઇતિહાસમાં થઇ ગયેલા મહાત્મા અષાઢાભૂતિના જીવનને સ્પર્શતી આ કથા નર નારના મનોમંથનને દર્શાવે છે. આ કથા ઐતિહાસિક નવલકથા છે. ‘નિમરાજ’ નામની કથા રજુ કરતા વૈદ્ય મો.ચુ. ધામી કહે છે કે,
૪૬
નમિરાજની કથા પ્રાચીન કથા સાહિત્યમાંથી પ્રાપ્ત થયેલી છે. આ કથા કર્મના ઘેરાવાને ભેદવા સહાય કરશે. કથામાં નિમરાજને અંતરમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાયો અને સાંસારિક જીવન છોડી ને મુક્તિના માર્ગે આગળ વધે છે અને પાછો વળતો નથી. તેને
559
Page #584
--------------------------------------------------------------------------
________________
ચલિત કરવા માટે પ્રયત્નો થાય છે પરંતુ અંતરમાં મુક્તિ મેળવવાની અભિલાષા લાગી હોય, તપ, ત્યાગ, ચારિત્ર્ય મનમાં વસી ગયા હોય સંસારનુ સાચુ સ્વરૂપ સમજાઈ ગયું હોય તો તે ફરીને સંસારમાં શી રીતે આવે?''
વૈદ્ય મો. ચુ. ધામીએ અન્ય કથાઓની જેમ આ કથામાં પણ અદ્ભુત વર્ણન કર્યું છે તબિયત સ્વસ્થ ન હોવાને કારણે તેઓ આ કથા પોતે બોલતા અને તેમના પુત્ર વિમલકુમાર ધામી લખતા. આ ઉપરથી તેમનો સાહિત્ય પ્રેમ કેવો હશે તે જાણી શકાય છે. ‘દેદાશાહ” નામની ઐતિહાસિક નવલકથામાં વધ મોહનલાલ ચુનીલાલ ધામી કહે છે
“મંત્રી પેથડશાહના પિતા દેદાશાહ, તેમનું જીવન ઘણું ભવ્ય હતું. જે યુગની આ કથા છે તે યુગમાં આપણા દેશ પર વિધર્મીઓના નાના મોટા આક્રમણો થયા કરતા. દેદાશાહનું કથાનક વાંચનારના હૈયામાં સદાચાર, સંસ્કાર, ધર્મપ્રેમની રેખા દોરવામાં અલ્પાંશે પણ સફળ થશે તો ભૌતિક ભૂતાવળથી ઘેરાયેલા આ યુગમાં એક સાદગી ભર્યા જીવનનો ધબકાર ઊભો કરી શકાશે. ગરીબી હટાવોની આધુનિક યુગની ધમાચકડીમાં આ કથા પ્રેરક બનશે.
વૈધ મોહનલાલ ચુનીલાલ ધામી એ લગભગ ૧૪૫ કરતાં વધુ કથાનકોની રચના કરી છે. તેમણે લખેલ કેટલાક પુસ્તકની યાદી નીચે મુજબ છે. ભવબંધન મલયસુંદરી, રૂપકોશા નર્તકી, મંત્રપ્રભાવ, ભવબંધન મલયકુમાર, રૂ૫ ગર્વિતા, રૂપકોશા આર્ય
સ્થૂલભદ્ર, વેરથી વેર શમતું નથી, ૩ અવશેષ, વેરના અવશેષ, પાયલ બાજે કલ્યાણી, પાયલ બાજે ઇલાચિ, અજ્ઞાતવાસ, સંસાર ચાલ્યો જાય છે, રાજ દુલારી, વાસવદત્તા, પરદુઃખભંજક સવાઈ વિક્રમ, નટરાજ અંજના, પરદુઃખભંજક વિક્રમાદિત્ય, પરદુ:ખભંજક વૈતાલ, નટરાજ મેખલી પુત્ર, મગધેશ્વરી ચાણક્ય, મગધેશ્વરી ચિત્રલેખા, વાલા, વેર શમતું નથીઃ ચિનગારી, ઉચો ગઢ ગિરનાર, સોરઠની સુંદરી ભાગ-૧,૨, પુણ્ય પ્રભાવ-૧,૨, અંજના સુંદરી, પેથડ શાહ, નિષધપતિ, જાવડ શેઠ, દેદાશાહ, મગધેશ્વરી નૃત્યાંગના, તરંગલોલા, સુદર્શન શેઠ, આર્ય લલિતાંગ, રત્નમંજરી, કુપદ્મલેખા વગેરે.
જીવનલાલ છગનલાલ સંઘવી જીવનલાલ છગનલાલ સંઘવીએ ભગવતી સૂત્રની કથાઓ નામક પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેમણે આગમ સાહિત્યમાંથી કેટલાક કથાનકો પ્રગટ કર્યા છે. જેમકે (૧) જૈનાગમ કથાકોષ (૨) ઉત્તરાધ્યયન સૂત્રની કથાઓ (૩) જ્ઞાતા સૂત્રની કથાઓ
560
Page #585
--------------------------------------------------------------------------
________________
છે
• ૨ જ
8 8 ? ? ? ? ૧ ૦
(૪) ઉપાસકદશાંગ સૂત્રની કથાઓ (૫) નંદીસૂત્ર ની કથાઓ (6) કલ્પસૂત્રની કથાઓ (૭-૮) જૈન સિદ્ધાંતની વાર્તાઓ ભાગ-૧,૨. જેનાગમમાં ભગવતી સૂત્ર મહાન અને માનનીય છે. આગમ કથાનકના સંશોધન દરમ્યાન જીવનલાલજીએ ગોપાલદાસ જીવાભાઈ પટેલ દ્વારા સંપાદિત ભગવતીસૂત્રમાંથી ર૦ કથાઓનું ભાષા પરિવર્તન સાથે સંકલન કર્યું, જેની પરિશિષ્ટ નીચે મુજબ છે.* કથાન. કથાનું નામ
પાનાનં. ખંધકમુનિ તામલી તાપસ ચમરેન્દ્રનો ઉત્પાત ત્રાયશ્વિંશક દેવો શિવરાજ ઋષિ સુદર્શન શેઠ શંખ શ્રાવક જયંતી શ્રાવિકા ઉદાયન રાજા ગંગદત્ત દેવ મંડિત શ્રાવક સોમિલ બ્રાહ્મણ અતિમુક્તક કુમાર કેટલા શિષ્યો સિધ્ધ થશે? ગૌતમને આશ્વાસન મહાકંટક સંગ્રામ દેવાનંદા બ્રાહ્મણી
જમાલી ૧૯ ગોશાલક ૨૦ તુંગીયા નગરીના શ્રાવકો
આ ઉપરાંત તેમના અન્ય પ્રકાશિત ગ્રંથોમાં જંબુસ્વામી ચરિત્ર, નંદીસૂત્રની કથાઓ, જૈન ધર્મના સોળ સતી રત્નો, જૈન ધર્મની શ્રેષ્ઠ સન્નારીઓ, સતી રાજિમતી આદિ કથાનકોનો સમાવેશ થાય છે.
561
Page #586
--------------------------------------------------------------------------
________________
ફતેહચંદ બેલાણી
ફતેહચંદ બેલાણીએ જંબૂસ્વામી, કલ્પક મંત્રી, જમાલી, વલ્કલ ચીરી, બાળયોગી મનકમુનિ, વેશ્યા અને યોગી આદિ વિષયો પર કથાઓ લખી છે. તેમણે જ્યારે તેમને કથા લખતા ન હતું આવડતું તે સમય પહેલી કથા ભરતેશ્વર-બાહુબલિની લખી. પછી સ્થૂલભદ્રની લખી.
આ કથાઓ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અને જીવનની કથાઓ છે. આ કથાઓ વિશે ફતેહચંદ બેલાણી કહે છે કે,
“સંસ્કૃતિ એટલે માનવતાભર્યું જીવન. જેમાં બીજાનો વિચાર વધારે હોય પોતાનો વિચાર ગૌણ હોય. કોઇપણ સૂત્ર, કથા કે પાત્ર પહેલા પુરાણમાં હોય કે ઉપનિષદમાં પિટકમાં હોય કે આગમમાં, કુરાનમાં હોય કે બાઇબલમાં સૌથી પહેલા તે માનવીય છે પછી ભારતીય, અંગ્રેજ કે મુસલમાન છે કે જૈન, વૈદિક, ક્રિશ્ચન છે.
૫૦
આમ ઇતિહાસનું દર્શન એટલા માટે છે કે તેમાંથી આપણને ભૂતકાળની પરિસ્થિતિનું જ્ઞાન મળે. ઇતિહાસની એ જ સાર્થકતા છે અને આ કથાઓનો પણ એ જ ઉદ્દેશ છે.
જૈન પત્રના પ્રકાશનમાં નીચે મુજબ કથાઓ પ્રસિધ્ધ થઇ છે.
શ્રી શ્રીપાળ, શ્રી તીર્થકર ચરિત્ર, હરિ વિક્રમ ચરિત્ર, પ્રદ્યુમ્ન ચરિત્ર, વિમલમંત્રીનો વિજય, ભાગ્યવિધાયક ભામાશાહ, ગુર્જરેશ્વર કુમારપાળ, વીર શિરોમણિ વસ્તુપાળ ભા-૧, ભવકથા, હેમચંદ્રાચાર્ય, તરંગવતી.
આ કથાઓનું પ્રાપ્તિસ્થાન ભાવનગર છે.
સારાભાઈ નવાબ
તેમણે જૈન આગમોમાંથી કથાઓ લઇ તેને બાર વિભાગોમાં વહેંચી દીધી. (૧)નીતિ વિષયક કથાઓ (ર)ધર્મ કથાઓ (૩)તપ કથાઓ (૪)દાન કથાઓ (૫)શીલ કથાઓ (૬)ભાવ કથાઓ (૭)દર્શન કથાઓ (૮)જ્ઞાન કથાઓ (૯)ચારિત્ર કથાઓ (૧૦)ઇતિહાસ કથાઓ (૧૧)લોક કથાઓ (૧૨)દંત કથાઓ. પ્રથમ ભાગ કથામંજરી૧માં ૭૫ નીતિવિષયક કથાઓ છે.
બીજા ભાગ કથામંજરી-૨ માં ૬૦ ધર્મ કથાઓ આપી છે. તથા ત્રીજા ભાગમાં શ્રીપાળ કથા આપવામાં આવી છે.
562
Page #587
--------------------------------------------------------------------------
________________
સારાભાઈ નવાબ પ્રકાશિત કથાકૃતિઓ.
(૧) કથા મંજરી-૧ (૨) કથા મંજરી-૨ (૩) કથા મંજરી-૩ (૪) પુષિાદાની પાર્શ્વનાથજી
ચિત્રભાનુ ‘શાંતિપથનો યાત્રી : સ્વપ્ન દષ્ટા ચિત્રભાનુ' પુસ્તકમાં હસમુખ શેઠ ચિત્રભાનુ વિષે લખે છે કે,
અદ્ભુત વ્યક્તિત્વ છે, અનેરો માનવી છે, અનોખો એનો પ્રભાવ છે. આ માનવીની જીવનકથા નથી. આ તો આકાશે વિહરતી જમીન તરફ કદી નજર ન કરતી સૂર્ય અને ચંદ્રની પેલી પાર જવાની ઇચ્છા ધરાવતી મુક્ત પંખીની કથા છે. એની પાંખોમાં અકથ્ય જોમ છે. હિંમત છે, હામ છે. એનું મનોબળ પોલાદી છે. આ માનવ પંખી પાસે લોખંડી તાકાત છે.”
ચિત્રભાનુજીની જીવન ઝલક - તેમનો જન્મ ૨૬/૭/૧૯રરના રોજ થયો. તેમનું બચપનનું નામ રૂપરાજેન્દ્ર હતું. તેમના માતા ચુનીબાઇ, પિતા છોગાલાલ. તેમને એક નાની બહેન(મગી) પણ હતી. તે નાના હતા ત્યારે તેમની માતા ચુનીબાઇ દેવલોક પામ્યા. એક વખત પિતાની વાત માની તે પાલીતાણા પહોંચ્યો. ત્યાં એણે આદિનાથ દાદાના દર્શન કર્યા. તેનું મન શુધ્ધ બન્યું. ત્યાં તે આચાર્ય ભક્તિસૂરિજીને મળ્યો. તેમણે સમજાવ્યું કે આત્માનું કલ્યાણ કરવું હોય તો સંસાર ત્યાગ કર. આ સાંભળી રૂપે સંસાર છોડવાનો નિર્ણય લીધો.
પિતા છોગાલાલ પાસે સંયમ લેવાની આજ્ઞા માંગી. પ્રથમ તો તેમના પિતાએ ના પાડી ત્યારબાદ તેમના મનોમંથન જોતાં છેવટે તેમના પિતાએ આજ્ઞા આપી. રૂપ પ્રથમ તો આનંદસાગરસૂરિજી પાસે પાલીતાણા પહોંચ્યો. ત્યાં તેણે ગુરૂને પૂછ્યું કે મારે જાણવું છે કે મૃત્યુ શું છે? એ કેમ આવતું હોય છે? હું અખંડ શાંતિ ચાહું છું. ત્યારે ગુરૂએ માર્ગ બતાવ્યો. ત્યારે ત્યાં રૂપને આગમાં વાંચવાની ઇચ્છા થતી હતી. થોડા સમય પછી રૂપને મુંબઈ મોકલવામાં આવ્યો. ત્યાં પંન્યાસ ચંદ્રસાગરજી પાસે રહેવાનું હતું. રૂપ મુંબઇમાં સાધુઓ સાથે રહેવા લાગ્યો. સાધુઓની જેમ જ જીવતો હતો. ધ્યાન કરતો.
બોરડી ગામમાં ૬/૧૨/૧૯૪૨ના રોજ રૂપની દીક્ષા થઈ. એનું નામ
563
Page #588
--------------------------------------------------------------------------
________________
ચંદ્રપ્રભસાગરજી રાખવામાં આવ્યું. થોડા દિવસમાં ચંદ્રપ્રભસાગરજી અનુભવવા લાગ્યા કે એમની ઉર્ધ્વયાત્રા શરૂ થઈ છે. ક્યારેક ભૂતકાળમાં મન સરી જતું. મનમાં યાદોની વણઝાર શરૂ થતી, શું બા, બહેન અને ઉષા ફરી કદી જોવા મળી શકશે, જે ગુમાવ્યા છે એને કેમ મળી શકાતું નહિ હોય? પાછું મન શાંત થતું કે વિખૂટા પડેલાને મળવાનો મોહ શા માટે?
ચંદ્રપ્રભસાગરને મૃત્યુ નો ડર ઘેરી વળતો. કોઇવાર તેઓ નિરાશ થતાં ક્યારેક ગુસ્સો ચડતો. તેમણે ગુરૂને કહ્યું કે મારું મન અસ્વસ્થ રહે છે. ત્યારે ગુરૂએ સમજાવી તેમને એકાગ્ર કર્યા અને મનને શાંત કરવાના ઉપાય બતાવ્યા.
એકવાર છોગાલાલ તેમની પાસે આવ્યા અને કહ્યું કે મારે પણ દીક્ષા લેવી છે. તેમણે દીક્ષા લીધી અને તેમનું નામ રાખ્યું મુનિ શ્રી ચંદ્રકાંતસાગરજી. ધીરે ધીરે ચંદ્રપ્રભસાગર આત્માની અનુભૂતિ કરવા લાગ્યા. તેમણે જાણી લીધું કે જીવનનો વિકાસ પોતાના હાથમાં છે. ધીરે ધીરે ગુરૂએ શિષ્યને વ્યાખ્યાન આપવાનું કહ્યું. એમણે સચ્ચાઈથી રણકતું અને લાગણીથી ધબકતું વ્યાખ્યાન આપ્યું. ધ્યાનથી તેમનું મન પણ શાંત બન્યું. તેઓ ઉર્ધ્વગામી પંથે આગળ વધ્યા. તેમણે ચિંતન અને લેખન કાર્ય ચાલુ કર્યું. તેઓ નવી જીવનરીતિનો માર્ગ બતાવે છે. અને ચિત્રભાનુ એ ખુદ ચંદ્રપ્રભસાગર.
ચિત્રભાનુનો ઉપદેશ કોરો ન હતો. તેમાં હકીકત હતી. યુવાનો-યુવતીઓ એમની તરફ આકર્ષાયા અને એમના ભક્ત બન્યા. તેમના જીવનમાં થતાં એકએક અનુભવ જ્ઞાનનું ભાથું બંધાવતા હતા. એમને નવાનવા પંથ દેખાડતા હતા. તેમને નવા-નવા અનુભવો થતા હતા. સત્ય, અહિંસા અને મૈત્રીભાવ એ મુનિનો મુદ્રા લેખ હતો.
ચિત્રભાનુ ફક્ત કોઈ એક જાતને એક ધર્મના માનવીઓને યોગ્ય રાહ બતાવવા માગતા ન હતા. તેઓ ફક્ત સજ્જનો અને ખાનદાન કુળને જ્ઞાન આપવા માગતા ન હતા. તેથી તેઓ લૂંટારાઓ, વેશ્યાઓ, હલકી નાતના તરછોડાયેલા વગેરેમાં ઊંડો રસ લેતા હતા. મુનિ શ્રીચિત્રભાનુ માનતા હતા કે ગુનેગારોમાં પણ પ્રભુતા છે તેથી તેઓને તક મળતાં સાબરમતી જેલમાં કેદીઓને વ્યાખ્યાન આપવા જતા હતા. ચિત્રભાનુ તેઓને શાંત કરતા અને કર્મ વિશે સમજ આપતા. હવે એકાએક તેમના પિતા (પૂ.ચંદ્રકાંતસાગરજી) મુનિ ચિત્રભાનુના ખોળામાં નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં બોલતા દેવલોક પામ્યા. ફરી ચિત્રભાનુ વિચારતા હતા. આ દેહ નિર્જીવ બની ગયો. આ કેમ માનવું? અંતે મૃત્યુને સ્વીકાર્યુ. બા, બહેન, મિત્ર અને હવે પિતા. હર મૃત્યુ દ્વારા એક નવું જ્ઞાન મળ્યું.
ત્યાર બાદ મુનિ મુંબઈ પધાર્યા. વ્યાખ્યાનમાં મુનિ એક વાર્તા કહેતા કે, એક
564
Page #589
--------------------------------------------------------------------------
________________
બાળક પર્વતની કંદરા પાસે રખડતો હતો. એણે બૂમ પાડી, તું કોણ છે? સામેથી જવાબ આવ્યો, તું કોણ છે? બાળક પડઘો પડે એ જાણતો ન હતો તેથી ડરી ગયો. એ ડરથી બચવા રાડ પાડી, હું તારા કરતાં બળવાન છું. સામે એ જ જવાબ મળ્યો.
બાળક બોલ્યો, તું શેતાન છે, તું શેતાન છે. એને જવાબ મળ્યો. જે સાંભળી બાળક ગભરાણો. એ ઘરે ગયો. તેની બા પાસે જઇ રડવા લાગ્યો. એની બાને કહ્યું, બા પર્વત પર શેતાન રહે છે. બા સમજી ગઇ. તેણે બાળકને કહ્યું, પાછો ત્યાં જા. જઇને બોલ તું બ્રહ્મ છે. તું બ્રહ્મ છે ઉત્તર મળ્યો. આપણે સો બાળક છીએ આપણામાં બ્રહ્મનું તેજ છે.
આમ, ચિત્રભાનુ મુનિ વ્યાખ્યાનો વડે માનવીમાં આત્મશ્રધ્ધા જાગૃત કરતા હતા. પડકાર ઝીલવો એ એમનો સ્વભાવ હતો. એમણે માનવ સેવાના કાર્યો શરૂ કર્યા હતા. એમને દરેક માનવીમાં ઇશ્વર દેખાતો હતો. એમને સેકન્ડ સ્પીરીચ્યુઅલ સમીટનું આમંત્રણ મળ્યુ. આ કોન્ફરન્સ જીનીવામાં મળવાની હતી. એ સાલ હતી ૧૯૭૦ની. શ્રીમતી સરલા અને બી.કે.બીરલાએ આમંત્રણ આપવા આવ્યા. એમને કહેવામાં આવ્યુ કે પૂર્વ પશ્ચિમની ક્રૂરતાને નજીકતામાં બદલવાનો સમય પાકી ગયો છે. વિજ્ઞાન એ કાર્ય કરી શકશે નહિ. એ કાર્ય ધર્મ દ્વારા જ થશે તેથી ધર્મપુરૂષોએ એકઠા થવાની જરૂર છે. ચિત્રભાનુજીના જીવન પંથમાં અનેક વળાંકો આવ્યા હતા.
ચિત્રભાનુજીએ વિદેશ જઇ સૌ પ્રથમ તેમણે ધર્મ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. તેમણે અનેકાંતવાદ, સત્ય, અહિંસા વિશે વ્યાખ્યાનો કર્યા. શાકાહારી બનવા પ્રેરણા કરી.
જીજ્ઞાસુઓની સંખ્યા વધતા ૧૯૭૯માં અમેરિકામાં જૈન મેડિટેશન ઇન્ટરનેશનલ સેન્ટરની શરૂઆત કરી. ૧૯૮૦માં જૈનાની સ્થાપના કરી.
આમ, તેઓ અહિંસાનો માર્ગ સમજાવતા આ દુનિયાને સુખશાંતિના માર્ગે લઇ જવાનો પ્રયત્ન કરતા.
તેમણે રચેલ કૃતિઓ નીચે મુજબ છે.
૧. ધર્મ રત્નના અજવાળાં
૨.
3.
મધુ સંચય
માનવતાનાં મૂલ્ય
ચિત્રભાનુ
ચિત્રભાનુ
ચિત્રભાનુ
565
પ્રકાશક: નવભારત સાહિત્ય
મંદિર ૨૦૦૮
પ્રકાશકઃ નવભારત સાહિત્ય
મંદિર ૨૦૦૮
પ્રકાશકઃ નવભારત સાહિત્ય
મંદિર ૨૦૦૮
Page #590
--------------------------------------------------------------------------
________________
“મધુસંચય પુસ્તક”માં જીવનસૌરભ, પ્રતિબિંબ, પ્રેરણાની પરબ, હંસનો ચારો, ઉર્મિ અને ઉદધિ, ભવનું ભાતું, બિંદુમાં સિંધુ, કણમાં મણ, ૩૦ દિવસની ૩૦ વાતો આદિ પ્રકરણોનો સમાવેશ થાય છે. બિંદુમાં સિંધુ પુસ્તકમાં ચિત્રભાનું કહે છે કે,
ગુલાબ એ ફુલોનો રાજા છે એનો રંગ, એનું રૂપ એની સુગંધ, એની રચના એની પાંખડીઓ બધું જ અપૂર્વ! પણ એ ગુલાબને પોતાનું આ અપૂર્વ સૌન્દર્ય પ્રાપ્ત કરવામાં મૂક અવસ્થામાં કાંટાના કેવા કેવા જખો સહેવા પડ્યા હોય છે, તે એના નાજુક હદય સિવાય કોણ જાણે? આ પુસ્તકમાં એ સિંધુ જેવા ઉદાર ચરિત મહાપુરૂષોના જીવન વૃત્તના થોડા બિંદુઓ આપ્યા છે. કોઈ ન ભૂલ કે બિંદુઓએ જ સિંધુ સર્યો છે! આ જીવન-બિંદુ સૌ કોઇનું લક્ષ્યબિંદુ બની રહે."
આ પુસ્તકમાં ૩૭ વૃત્તાંત છે, જેમકે, લઘુ અને ગુરૂ, વીતરાગનો માર્ગ, જાગૃતિનો જય હો, વિનિમય, વિજય ધ્વજ, પાણીનો વિવેક, જેણે છોડ્યું તેને કોઈ ન છેડે, જ્વાળા અને જળ, માન ગળે તો જ્ઞાન મળે, સંસારની શેરડી, હાથે કરીને હેરાન, સંતનું નામ, બિંદુમાં સિંધુ, અભયદાન શા માટે શ્રેષ્ઠ, ઇજ્જત કોણે લીધી, ક્રોધ નહિ ક્ષમા કર, દષ્ટિ તેવી સૃષ્ટિ, અર્પણ અને ધર્મ, કબ્રસ્તાન નથી, હિંસા પર વિજય, મારું નમન શ્રમણ તત્ત્વને છે, મૈત્રીનું માધુર્ય, અપકારી પર પણ ઉપકાર, અંતરનું અજવાળું, પારસમણિ, પ્રકાશને અંધકાર, રક્ષાને કાજે, એ બધા દલાલના તોફાન, રૂપનો ગર્વ, અર્પણ, પુનિયો શ્રાવક, બલિ, સંસ્કૃતિને ઘડનારો શિલ્પી, પ્રેમના ટેભા, અંતર પટ, આચરણ, જિજ્ઞાસા.
બિંદુમાં સિંધુ વૃત્તાંતમાં જે રીતે પ્રકૃતિનું વર્ણન કર્યું છે. તે વાંચતા જ આપણી આંખ સામે દેશ્ય ખડું થઇ જાય છે. સુંદર દૃશ્ય જોઈ આનંદઘનજીના ભક્તનું હૈયું નયન મનોહર દશ્યથી નર્તન કરવા લાગ્યું. ત્યારે એ ભક્ત આનંદઘનજીને એ દશ્ય જોવા બોલાવે છે ત્યારે આનંદઘનજી કહે છે, વત્સ! તુ અંદર આવ જેના માત્ર એક જ કિરણમાં વિશ્વની સમસ્ત લીલા અને શોભા સમાઈ જાય એવા અનંત કિરણોથી શોભતા આત્માની આત્મલીલા અહીં ભમી છે તે અંદર આવ. આવો અવસર ફરી નહિ આવે.
કેવો અદ્ભુત આત્માનો અનુભવ હશે. આપણે આ નાના વૃત્તાંત દ્વારા સમજી શકીએ છીએ. પ્રકૃતિની લીલા કરતા અનંત ઘણી સુંદરતા તે અનુભવમાં હશે એવું કહી શકીએ. ચિત્રભાનુજીની વૃત્તાત રજૂ કરવાની આ સર્જન શક્તિ ખરેખર અનુમોદનીય છે.
566
Page #591
--------------------------------------------------------------------------
________________
પુણિયો શ્રાવક કથામાં પુણિયા શ્રાવકનું વર્ણન ચિત્રભાનુએ ઓછા શબ્દો અને સરળ ભાષામાં સુંદર રીતે કર્યું છે.
આના માટીના લીપેલા ઘરમાં જમવાના થાળી-વાટકા સિવાય બીજું કંઇ ના મળે પરંતુ સિધ્ધ પુરૂષ વિચારી રહ્યોઃ વાહ! દુનિયામાં પુણિયાની નામના છે, ઘરમાં તો કાંઇ ના મળે, પણ હૈયામાં કેટલું બધું ભરેલું છે.
સિધ્ધપુરૂષે લોખંડનો તવો લઇને પારસમણિને અડાડ્યો. લોખંડનો તવો સાવ સોનાનો થઇ ગયો. પણ શ્રમ વિનાનું ધન પુણિયો થોડો કંઇ લે? ક્યારેય નહિ. સિધ્ધપુરૂષ પુણિયાને નમન કરી કહે છે, મેં વિદ્યા સાધવામાં વર્ષો કાઢ્યા પણ સાચી વિદ્યા તો તમે જ મેળવી છે. હવે તો હું એક જ માંગુઃ જે સંતોષને પામીને તમે આ સુવર્ણને પણ ધૂળ ગણ્યું, તે સંતોષનું મને શરણ હો!
ખરેખર ઐતિહાસિક પાત્રોને રજુ કરવાની શૈલી સુંદર છે. પાત્ર વિષે જાણતા હોવા છતાં તેમાં વાચકનો રસ જળવાઇ રહે તેવી અનોખી શૈલી છે.
‘સંસ્કાર સંભાર નીતિ બોધની ધર્મકથાઓ'માં ચિત્રભાનુ કહે છે કે,
વિશ્વનું કથા સાહિત્ય એ એક મહાન સરોવર છે. એમાંથી દેશના માણસો પોતાની રૂચિ અનુસાર પોતાના સંસ્કાર ઘડતર માટે કથા-વારિ લે છે. પોતાની ઉછરતી પ્રજામાં એ કથા વારિ સિંચે છે. અને પ્રજાને સંસ્કારી બનાવે છે.
પણ વર્ષો જતા વિશ્વ સાહિત્યમાંથી ઉપાડેલી એ કથા, એ દેશમાં વધુ પ્રચાર પામવાને કારણે એ દેશની બની જાય છે. કૂવામાંથી ભરેલું પાણી એ વ્યક્તિના હાથમાં જતાં બ્રાહ્મણીયા પાણી, ઇસ્લામીયા પાણી-એમ ભેદ પડી જાય છે. તેમ કથાઓમાં પણ બને છે. તેનાથી જલનું જલતત્ત્વ પલટાઇ જતું નથી. એ ગમે ત્યાં જાય પણ અંતે તો એ તૃષા છૂપાવવાનું જ કાર્ય કરે છે. એ જ રીતે વિશ્વ સાહિત્યમાંથી ઉપાડેલી વાર્તા પણ ગમે તે દેશમાં પ્રચાર પામવા છતાં પણ તે કામ માણસોને ઘડવાનું અને સંસ્કારી બનાવવાનું જ કરે છે.
૫૫
સમગ્ર રચના શૈલી તેમજ ચિત્રભાનુજીની જીવન ઘટનાઓને નીહાળતા કહી શકીએ કે તેમણે મુક્ત પંખીની જેમ ઉડાન ભરી વિશ્વના સાહિત્યની સફર કરી અદ્ભુત ભાથું વાચકોને પીરસ્યું છે.
વિમલકુમાર મોહનલાલ ધામી
વિમલકુમાર મોહનલાલ ધામી રચિત કર્મબંધન નવલકથા હંસાવલી ચિરત્ર પરથી તૈયાર કરવામાં આવી છે. કર્મના બંધનો સર્વજીવોને ઓછા વધતા અંશે સ્પર્શતા હોય
567
Page #592
--------------------------------------------------------------------------
________________
છે. કર્મના બંધનો તૂટે નહિ ત્યાં સુધી ભવભ્રમણના વર્તુળમાંથી મુક્તિ મળતી નથી. બંધન તોડ્યા વગર સંસાર ચક્રનો અંત નથી. આત્મ ચેતનાને જાગૃત કરવા સઘળા બંધનોને દૂર કરવા, નષ્ટ કરવા અત્યંત આવશ્યક છે. એ માટે તપ, ત્યાગ, જ્ઞાન, દર્શન, ચારિત્રનો માર્ગ સ્વીકારવો જરૂરી બને.
મહારાજા નરવાહનના વિવાહ હંસાવલી નામની અનિધ રૂપ ધરાવતી રાજકન્યા સાથે થાય છે. હંસાવલીની કુખે બે પુત્રોના જન્મ થાય છે એ બે પુત્રો યુવાન થતાં અપર માતાના શબ્દોને કારણે દેશનિકાલ થાય છે. સજા મૃત્યુદંડની હતી પણ ડાહ્યો અને ચતુરમંત્રી બંને રાજપુત્રોને જીવતા જંગલમાં છોડી મૂકે છે. પછી થાય છે વિધિનો ચક્રાવો. વિધિએ બંનેને અલગ પાડીને કેવી રમત રમાડી એ આ કથામાં છે.
પુણ્યની પરીક્ષા એક ઐતિહાસિક નવલકથા રચતા વિમલકુમાર ધામી કહે છે કે, આ કથા પાપ અને પુણ્યના ફલ અંગેની છે. રાજા અને મંત્રી વચ્ચે જ્યારે ધર્મઅધર્મનો વિવાદ શરૂ થાય છે ત્યારે મંત્રી ધર્મનો ચમત્કાર અને પુણ્યના ફલ બાબતે પરીક્ષા આપવા તૈયાર થઇ જાય છે અને છેવટે ધર્મનો વિજય એટલે કે મંત્રી તેના પુણ્ય પ્રભાવે વિજયી બને છે.”
મૂળ આ કથાનું નામ પાપબુધ્ધિ રાજા અને ધર્મબુધ્ધિ મંત્રીના રાસ છે. વિક્રમ સંવત ૧૮૬૭માં પં. ઉદયરત્નજી મહારાજે લગભગ ચારસો ગાથામાં આ પુસ્તકની રચના કરેલી.
સુનંદાબેન વહોરા અનોખી મૈત્રી' પુસ્તકમાં સુનંદાબહેન વહોરાએ વિરૂપા નામની વિરલ નારીની કથા વર્ણવી છે. કથાના અંતમાં મુનિ મેતારજનો પ્રસંગ વર્ણવ્યો છે.
વિરૂપા કોણ હતી! મેતાર્યની જન્મદાત્રી, દેવશ્રી શેઠાણીની ખાસ સખી, માતંગ મંત્રરાજની ગુણિયલ પત્ની. તેનું કુળ-જાતિ ચાંડાલ હતા છતાં તેનું હૈયું તેના સંસ્કાર ઉત્તમ-કુળજાતિ દર્શાવતા હતા. શ્રેષ્ઠીઓની હવેલી સાફ કરતા તે શ્રીમંત શેઠાણીના પરિચયમાં આવી. તે પરિચય ગાઢ મૈત્રીમાં પરિણમ્યો. વિરૂપાના વ્યક્તિત્વથી શેઠાણી પ્રભાવિત હતા.
મુનિ મેતારજના પ્રસંગ સાથે વિરૂપાનું આત્મ સમર્પણ ઇતિહાસના પાને અમર બન્યું. મુનિ મેતારજ ભગવાન શ્રી મહાવીરના કાળમાં થયા હતા.
568
Page #593
--------------------------------------------------------------------------
________________
સુનંદાબેન વહોરા રચિત કૃતિઓ નીચે મુજબ છે. (૧) અનોખી મૈત્રી
ઇ.સ.૨૦૦૮ (૨) લબ્ધિના ભંડાર
ઈ.સ.૧૯૯૨ (૩) મારી મંગલયાત્રા
ઈ.સ.૨૦૦૬ (૪) મયણા સુંદરી અને શ્રીપાળરાજા ઇ.સ.૧૯૯૪ (૫) સંયમવીર સ્કુલભદ્ર
ઇ.સ.ર૦૦૫ મારી મંગલ યાત્રામાં સુનંદાબેન વહોરાની જીવન યાત્રાનું વર્ણન કર્યું છે. સુનંદાબેન વહોરા સંકલિત શ્રી કલ્પસૂત્ર-કથાસારને આધારે
ભગવાન નષભદેવનું જીવન ચરિત્ર - પૂર્વભવઃ૧. ધન્ના સાર્થવાહ (ઋષભદેવનો આત્મા)
અપર મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં ધન્ય નામનો સાર્થવાહ રહેતો હતો. તેની પાસે વિપુલ વૈભવ હતો. એકવાર તે વ્યાપાર અર્થે નીકળ્યો. માર્ગ ઘણો વિકટ હતો.
ધર્મઘોષ આચાર્ય તથા તેમના શિષ્યો વસંતપુર ધર્મપ્રભાવનાને અર્થે જવા માંગતા હતા. તેમણે ધન્ય સાર્થવાહ પાસે જઈને તેમની સાથે વસંતપુર જવાની ભાવના જણાવી. ધન્ય સાર્થવાહ આ સાંભળી આનંદ પામ્યો તેણે આચાર્ય તથા અન્ય શિષ્ય સમુદાયની ભોજનાદિ આદિ તમામ વ્યવસ્થા યોગ્ય રીતે અનુચરોને સોંપી.
સાર્થવાહ અને આચાર્ય સૌ જંગલના માર્ગેથી પસાર થઈ આગળ વધી રહ્યા હતા. સમય પસાર થઈ રહ્યો હતો. ત્યાં તો વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું. સાધુ આચાર પ્રમાણે આચાર્યનો પરિવાર યોગ્ય સ્થળે રોકાઈ ગયો. જંગલમાં વર્ષાને કારણે કાદવ થવાથી ધન્ય સાર્થવાહનો સમુદાય પણ રોકાઈ ગયો. ધાર્યા કરતાં ચોમાસાંનો કાળ વધુ લંબાયો. સાર્થવાહને પણ રોકાઈ જવું પડ્યું. તેમની પાસે ખાદ્યસામગ્રી ખુટી જતાં તેઓ કંદમૂળ વગેરેને ગ્રહણ કરી સમય પસાર કરવા લાગ્યા.
આ બાજુ આચાર્ય અને તેમના પરિવાર આચાર પ્રમાણે ભિક્ષા મળે તો ગ્રહણ કરતા અથવા અનશન કરી લેતા. એકવાર અચાનક સાર્થવાહને સ્મૃતિ થઈ કે અરે! આ સાધુગણનું શું થયું હશે? તરત જ તે આચાર્ય પાસે પહોંચ્યો. અને ઘણા પ્રયત્ન
569
Page #594
--------------------------------------------------------------------------
________________
મળેલા નિર્દોષ આહારનું નિઃસ્પૃહ ભાવે અને અત્યંત ભાવપૂર્વક તેણે સુપાત્ર આહારદાન કર્યું. આચાર્યશ્રીએ પણ તેને આત્મહિતકારી ઉપદેશ આપ્યો. તે સમયે તેના પરિણામની શુધ્ધિ થતાં તેને સમકિત પ્રગટ થયું. ઋષભદેવના આત્માએ અનંતકાળના પરિભ્રમણનો આ ભવમાં સંક્ષેપ કરી મુક્તિ માર્ગમાં ક્રમશઃ પ્રયાણ આદર્યું. ૨. ઉત્તરકુરૂમાં મનુષ્યઃ- ધન્ય સાર્થવાહનો જીવ આયુષ્ય પૂર્ણ કરી પુણ્યયોગે ઉત્તરકુરૂમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો. ૩. સૌધર્મ દેવલોક - મનુષ્યપણાનું આયુષ્ય પૂર્ણ કરી તે જીવ પુણ્યના સંચયે દેવલોકમાં ઉત્પન્ન થયો. ૪. મહાબલઃ- દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી તે જીવ મહાવિદેહની ગંધિલાવતી નગરીના વિદ્યાધર શતબલ રાજાના મહાબલ પુત્રપણે જન્મ્યો. અનુક્રમે રાજ્ય સુખભોગવી સંસારનો પરિત્યાગ કરી આલોચના પૂર્વક આયુષ્ય પૂર્ણ થયે તે સમાધિમરણને પામ્યો. ૫. લલિતાંગ દેવઃ- ધન્ના સાર્થવાહનો જીવ લલિતાંગ નામના દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની દેવી સ્વયંપ્રભાનું ચ્યવન થતા તેના પ્રત્યેની અતિશય આસક્તિને કારણે તે ઘણું દુઃખ પામ્યો. વળી તે સ્વયંપ્રભા મનુષ્યલોકનું આયુષ્ય પૂર્ણ કરી તે જ કલ્પમાં સ્વયંપ્રભા દેવી નામે પુનઃ ઉત્પન્ન થઈ. બંને દેવી સુખ ભોગવવા લાગ્યા. પરંતુ પૂર્વના સંસ્કારને કારણે અંતિમ દશામાં બોધ પામી નમસ્કાર મંત્રના જપનું સ્મરણ કરી, આયુષ્ય પૂર્ણ થતાં ચ્યવન કરી ગયા. ૬. વજ જંઘ - તે જીવ દેવલોકમાંથી ચ્યવન કરી જંબુદ્વીપની પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરના સ્વર્ણગંધ સમ્રાટની પત્ની લક્ષ્મીદેવીની કુક્ષિામાં ઉત્પન્ન થયો. તેનું નામ વજજંઘ રાખવામાં આવ્યું.
સ્વયંપ્રભાદેવી પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાની શ્રીમતી નામે પુત્રી પણ ઉત્પન્ન થઈ. એકવાર તે મહેલની અગાસીમાં ફરતી હતી ત્યાં તે સમયે નજીકના કોઈ ઉદ્યાનમાં મુનિને કેવળજ્ઞાન થતાં દેવસમૂહને આકાશ માર્ગે તે મહોત્સવમાં જતો જોઇને શ્રીમતીને પોતાના પૂર્વભવની સ્મૃતિ થઇ. તે સ્મૃતિનું તેણે એક ચિત્ર અંકિત કર્યું.
હવે બીજે દિવસે રાજા વજસેનનો જન્મદિવસ હોવાથી અનેક દેશોના રાજાઓ અને રાજકુમારો આવતા હતા. શ્રીમતીએ તે તકનો લાભ લઈ એક દાસીને એ ચિત્રપટ લઇ રાજમાર્ગ ઉપર ઉભી રાખી. એ માર્ગે વજબંધકુમાર પસાર થતાં તેણે
570
Page #595
--------------------------------------------------------------------------
________________
આ ચિત્રપટ જોયું અને તેને પણ પૂર્વભવની સ્મૃતિ થઈ આવી. તેણે તરત જ તેવી પ્રતિકૃતિ કરીને પરિચારિકાને આપી. આમ, બંનેનો પરિચય થતાં તે પરિચારિકાએ રાજા વજસેનને આ વૃત્તાન્ત જણાવી બંનેનું પાણિગ્રહણ કરાવ્યું.
સંસારસુખ ભોગવતા સુખેથી સમય નિર્ગમન કરતાં તેમને પુત્ર પ્રાપ્તિ થઈ. એકવાર તેઓએ કેવળી ભગવંતનો ઉપદેશ સાંભળી નિર્ણય કર્યો કે પુત્રને રાજ્ય કારભાર સોંપી દીક્ષા ગ્રહણ કરીએ. એ નિર્ણય તે પુત્રાદિને જણાવે તે પહેલાં પુત્રને કંઈ કુમતિ સૂઝી. તેણે વિચાર્યુ કે આ પિતા જ્યાં સુધી રાજ્ય ભોગવશે ત્યાં સુધી મને રાજ્યનું સુખ મળશે નહિ. આથી તેણે રાજા મહેલમાં પ્રવેશ્યા કે તરત જ ઝેરી ધુમાડાથી મહેલને ભરી દીધો. વજજંઘ અને શ્રીમતીએ જાણ્યું કે હવે મૃત્યુ નજીક છે તેથી ધર્મનું શરણ લઈ સમતા ભાવે દેહનો ત્યાગ કર્યો. ૭. યુગલિક - રાજારાણી શુભ ભાવના વડે દેહત્યાગ કરી, ઉત્તરકુરૂમાં યુગલિયા તરીકે જન્મ પામ્યાં. ત્યાં ઘણું લાંબુ આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યા. ૮. સૌધર્મકલ્પ - ત્યાંથી મૃત્યુ પામીને તેઓ સૌધર્મ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. ૯. જીવાનંદ વૈદ્ય - દેવલોકમાંથી મૃત્યુ પામી ધના સાર્થવાહનો જીવ વૈદ્ય જીવાનંદ પણે ઉત્પન થયો. તે સમયે રાજાને ત્યાં મહીધર નામે પુત્રનો જન્મ થયો. મંત્રીને ત્યાં સુબુધ્ધિ નામે પુત્રનો જન્મ થયો. એક સાર્થવાહને ત્યાં પૂર્ણ ચંદ્ર પુત્રપણે ઉત્પન્ન થયો. શ્રેષ્ઠીને ત્યાં ગુણાકાર અને એક ગૃહસ્થને કેશવ નામે પુત્ર થયો. તે શ્રીમતીનો જીવ હતો. આ છ એ ગાઢ મિત્રો હતા. જીવાનંદ આયુર્વેદની ઉત્તમ કેળવણી પામ્યો હતો.
એકવાર એક મુનિ કૃમિ-કુઝની ભયંકર વ્યાધિથી પીડાતા હતા. ત્યારે આ છએ. જણાએ મુનિની શુશ્રુષા કરી. મુનિ પૂર્ણ સ્વસ્થ થયા. આથી છએ મિત્રો ઘણો જ પ્રમોદ પામ્યા. ત્યારબાદ મુનિએ પણ યોગ્ય ઉપદેશ આપ્યો. તેથી સંસાર પ્રત્યેથી વિરક્ત થઈ તેઓએ દીક્ષા ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ સાધના કરી. ૧૦. બારમા દેવલોક - ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં તેઓ, મૃત્યુ પામીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયાં. ૧૧. વજનાભઃ- જીવાનંદ વૈદ્યનો જીવ પુષ્પકલાવતી વિજયની પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાની ધારણી રાણીની કુક્ષિામાં ગર્ભપણે ઉત્પન્ન થયો ત્યારે રાણીએ મધ્યરાત્રીએ ચૌદ સ્વપ્ન જોયા અનુક્રમે તેણે વજનાભ નામે પુત્રને જન્મ આપ્યો. તેમને ચક્રરત્નની પ્રાપ્તિ થતાં છ ખંડ પર વિજય મેળવી ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું. દીર્ઘકાળ સુધી તે પદને યોગ્ય સુખ ભોગવી તેમણે પોતાના પિતા મુનિના ઉપદેશથી સંસારનો ત્યાગ કર્યો અને ઉત્કૃષ્ટ સાધના કરી સમાધિમરણને પામ્યા.
571
Page #596
--------------------------------------------------------------------------
________________
તેમના આગળના ભવના જે પાંચ મિત્રો હતા તે તેમની સાથે બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ નામે ભાઈઓ પણે જન્મ્યા હતા. એક સારથિપણે જન્મ્યો હતો. તે સૌએ તેમની સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. બાહુ, સુબાહુ મુનિ વૈયાવૃત અને સુશ્રુષાનું કાર્ય કરતાં તેમના આ કાર્યની પ્રશંસા થતાં પીઠ, મહાપીઠ બંનેને ઇર્ષા થતી હતી. તેવા પરિણામને કારણે તેમને સ્ત્રીવેદનો બંધ પડ્યો. શલ્ય સહિત તેઓ મૃત્યુ પામ્યા. ૧૨. સર્વાર્થસિધ્ધમાં - ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે છએ મિત્રો સર્વાર્થસિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થયો. ૧૩. ષભદેવ ભગવાનનો જન્મ - સર્વાર્થસિધ્ધ વિમાનમાંથી આયુષ્ય પૂર્ણ કરીને સૌ પ્રથમ વજનાભનો જીવ ભગવાન ઋષભદેવપણે ઉત્પન્ન થયો. બાહુ મુનિ વૈયાવૃત્તના પ્રભાવથી શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી પણે ઉત્પન્ન થયા. સુબાહુ મુનિ બાહુબલિ તરીકે જન્મ્યા. પીઠ મહાપીઠ સ્ત્રી વેદને કારણે ઋષભદેવની બ્રાહ્મી અને સુંદરી નામે પુત્રીઓ પણે ઉત્પન્ન થઈ. સારથિનો જીવ શ્રેયાંસ પૌત્ર પણે જમ્યો હતો. ઈક્વાકુ વંશની સ્થાપના - ઋષભદેવનો જન્મ થયા પછી ઇન્દ્રાદિ દ્વારા જન્મ મહોત્સવ કરવામાં આવ્યો. ત્યાર પછી પ્રભુ જ્યારે ૧ વર્ષના થયા ત્યારે કેન્દ્રને તેમનો આચાર સ્મૃતિમાં આવ્યો અને તેઓ એક શેરડીનો સાંઠો લઇને અયોધ્યા નગરીમાં નાભિકુલકરના નિવાસે પધાર્યા. ઇન્દ્રના હાથમાં શેરડીનો સાંઠો જોઈ બાળ ઋષભે હાથ લંબાવી ઈન્દ્રના ભટણાનો સ્વીકાર કર્યો. આથી ઈન્દ્ર પ્રભુના કુળનું નામ ઇક્વાકુ પાડ્યું અને ગોત્રનું નામ કાશ્યપ પાડ્યું. પ્રથમ રાજા - ઋષભદેવ પ્રથમ રાજા થયા. તેમનો રાજ્યાભિષેક કેવી રીતે કરવો તે યુગલિયાઓ જાણતા ન હતા. તે સમયે પોતાનો આચાર સમજી અન્ય દેવો સાથે શક્રેન્દ્ર પૃથ્વી પર આવ્યા. દિવ્ય વસ્ત્રાલંકાર સજાવીને ભગવાનનાં રાજ્યાભિષેકનો ઉત્સવ કર્યો. વિવાહ પરંપરા :- ઋષભદેવ સાથે જન્મેલી કન્યાનું નામ સુમંગલા હતું. અને એક યુગલ જેનો નર મૃત્યુ પામ્યો હતો તે કન્યાનું નામ સુનંદા હતું. એકાકી કન્યાને વનમાં ઘૂમતી જોઈ યુગલિયાઓ તેને નાભિ કુમાર પાસે લઈ ગયા. આ કન્યા નાભિરાજાએ ઋષભદેવ સાથે પરણાવી.
છ લાખ પૂર્વ પર્યત સુખ ભોગવતાં સુમંગલાએ ભરત અને બ્રાહ્મીના યુગલને જન્મ આપ્યો અને સુનંદાએ બાહુબલી અને સુંદરીના યુગલને જન્મ આપ્યો. તે ઉપરાંત સંસાર અવસ્થામાં અઠ્ઠાણું પુત્રીનો જન્મ થયો.
572
Page #597
--------------------------------------------------------------------------
________________
યુગ પરિવર્તનને જાણીને રાજા ૠષભદેવે યુગલ વિવાહમાં પરિવર્તન કર્યું. ભરત સાથે જન્મેલી બ્રાહ્મીનું વાદાન બાહુબલિ સાથે કર્યું અને બાહુબલિ સાથે જન્મેલી સુંદરીનું ભાવિ ભરત સાથે જોડવાનું નક્કી કર્યું. જોકે ભાવિ તો કંઇક જુદુ જ નીકળ્યું. બ્રાહ્મી અને સુંદરી બંને પિતાને માર્ગે ચાલી.
રાંધણ કળાનો વિકાસઃ- કલ્પવૃક્ષ ક્ષીણ થતાં ઇક્ષ્વાકુ વંશના માનવો શેરડીના રસ પર નભવા લાગ્યા. ચોખા જેવા કાચા ધાન્ય ખાતા હતા. તેમાં પાચનની તકલીફ થવા લાગી અને અગ્નિનો ઉપયોગ ખબર નથી. એ કાળે એકવાર બે વૃક્ષના ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો અને આગળ વધ્યો. આ ઉપદ્રવની ફરિયાદ તેઓ એ ભગવાન પાસે જઇને કરી ત્યારે ભગવાને સમજાવ્યું કે આ તો અગ્નિ છે અનાજ પક્વીને ખાજો તેનો સીધો સ્પર્શ ન કરતા. અગ્નિમાં ધાન્યને મૂકતા તે હજમ કરી જતો હતો આથી તેઓ મૂંઝાયા.
પ્રથમ કળા કુંભકારની તથા બીજી કથાઓઃ- યુગલિકોની વાત સાંભળી ભગવાન ભીની માટી મંગાવી પિંડ બનાવ્યો. તેને આકાર આપવા હાથીના કુંભ સ્થળ પર મૂકાવી. મહાવત પાસે તેનું વાસણ બનાવરાવ્યું તેથી તે કળા કુંભારકળા નામે પ્રસિધ્ધ થઇ. આવા બીજા પાત્ર બનાવવા સૂચવ્યું અને ધાન્યને ભીંજવીને આ પાત્રમાં પકવવા સૂચવ્યું. પછી તો લુહાર, વણકાર, ચિત્રકાર, વાળંદ એવી લગભગ સો કળાઓ વિકાસ પામી.
ભગવાને જ્યેષ્ઠ પુત્ર ભરતને ૭૨ કળાઓ શીખવી. બાહુબલિને પ્રાણી શાસ્ત્ર શીખવ્યું. બ્રાહ્મીને ૧૮ લિપિઓનું અધ્યયન કરાવ્યું. સુંદરીને ગણિત વિદ્યા શીખવી.
આ ઉપરાંત સ્ત્રીની ચોસઠ કળા બતાવી. જીવન વ્યવહારની મુખ્ય કળાઓ અસિ, મસિ, કૃષિ શીખવી.
પ્રથમ અણગાર :- વીસ લાખ વર્ષ કુમારવસ્થામાં અને કુલ ત્યાસી લાખ પૂર્વ વર્ષ સંસારમાં રહીને ચૈત્ર (ફાગણ) વદ આઠમે દિવસના પાછલે પહોરે ચાર મુષ્ટિ લોચ કર્યો. પાંચમી મુષ્ટિ કરવા ગયા ત્યાં તો આ દશ્ય ઇન્દ્રે નિહાળી એક લટ બાકી રાખવા વિનંતી કરી. શક્રેન્દ્રના આગ્રહ વશ ભગવાને તે પ્રમાણે એક લટ રહેવા દીધી. ઇન્દ્રે આપેલા દેવદૂષ્યને ધારણ કરી પ્રભુ મૌનવ્રત ધારણ કરી છ માસના ઉપવાસનો અભિગ્રહ ધારણ કરી કર્યો હતો. તે સમય લોકો ભિક્ષા કેમ અપાય તે જાણતા ન હતા. પ્રારંભમાં તેમની પાછળ ચાર હજાર સાધુઓ સ્વયં દીક્ષિત થઇને વિચરતા હતા પણ તેઓ ક્ષુધા તૃષાથી અકળાવા લાગ્યા. વળી ઘરે પાછા ફરવું તેમાં પણ શોભા નહિ. પ્રભુ તો મૌન હતા. આમ સૌ તાપસ બનેલા કચ્છ મહાકચ્છ પાસે ગયા. તેમની
573
Page #598
--------------------------------------------------------------------------
________________
સલાહ પ્રમાણે નદી કાંઠે રહેતા, વૃક્ષો પરથી પાકાં ફળો-ફૂલ પત્રો ખાઇને દાઢી-મૂછ જટા રાખીને રહેવા લાગ્યા. તેથી તેઓ જટાધારી તાપસ કહેવાયા. પ્રથમ પારણું - પ્રભુ તો મૌન પણે વિચરતા હતા કુલ એક વર્ષ પૂર્ણ થયું.
તે કાળે હસ્તિનાપુરમાં બાહુબલીના પૌત્ર શ્રેયાંસે રાત્રિએ સ્વપ્ન જોયું કે શ્યામ વર્ણવાળા મેરૂપર્વતને અમૃત ભરેલા કળશ વડે સિંચન કરવાથી તે અત્યંત દીપી ઉઠ્યો. તે જ નગરમાં સુબુધ્ધિ નામના નગરશેઠે તે જ રાત્રિએ શ્રેયાંસકુમારને સૂર્યમંડળના ખરી પડેલા કિરણોને પુનઃ સ્થાપતો જોયો. તેમજ રાજાએ કોઇ મહાપુરૂષને શ્રેયાંસની સહાયથી વિજય પામતો જોયો. આ ત્રણેય સ્વપ્નો સૂચવતાં હતાં કે શ્રેયાંસને કોઈ મહાન લાભ થશે. પ્રભાતે શ્રેયાંસને દૂરથી પ્રભુના દર્શન થયાં. જોતાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે જોયું કે પૂર્વે પ્રભુ ચક્રવર્તી હતા અને હું સારથિ હતો. તેમની સાથે મેં પણ દીક્ષા લીધી હતી ત્યારે મેં વજસેન કેવળી પાસેથી સાંભળ્યું હતું કે આ વજનાભનો જીવ ભરતક્ષેત્રમાં તીર્થકર થશે.
અહો ! સદ્ભાગ્યે મને પ્રભુનાં દર્શન થયા એમ વિચારી તે પ્રભુનાં દર્શન માટે નીચે આવ્યો. ત્યાં વળી યોગાનુયોગ એક માણસે શ્રેયાંસને શેરડીના ઉત્તમ રસના ઘડા ભેટ આપ્યા. પૂર્વ ભવના મુનિપણાના આચારની ભિક્ષા વિધિ શ્રેયાંસ જાણતા હતા. તેમણે તરત જ પ્રભુને ભિક્ષા માટે વિનંતી કરી. નિર્દોષ આહારનો જોગ જાણીને પ્રભુએ બે હાથની અંજલિ કરી તે ઘડાઓના રસથી પ્રથમ પારણું કર્યું. પ્રભુનું પારણું થતાં પંચ દિવ્ય પ્રગટ્ય, સાડા બાર ક્રોડ સોનૈયાની વસુધારા થઈ. આ દાનને! પ્રભુ જય પામો વગેરે નાદથી આકાશ ગુંજી ઉઠ્યું.
શ્રેયાંસે સૌને નિર્દોષ આહાર વિધિ સમજાવી. આમ, આહારદાનનો પ્રવાહ શ્રેયાંસે પ્રથમ જ પ્રવર્તાવ્યો. પારણાના પવિત્ર સ્થાનની રક્ષા માટે શ્રેયાંસે ત્યાં રત્નમય પીઠિકા બનાવી.
પ્રભુનું પારણું વૈશાખ સુદ ત્રીજને દિવસે થયું હોવાથી તે દિવસ અક્ષયતૃતીયા કહેવાયો પ્રથમ ધર્મ ચક્રવર્તી :- પ્રભુએ વિહાર કરતા ૧ હજાર વર્ષ વ્યતીત કર્યા ત્યાર બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારે ઇન્ડોએ સમવસરણની રચના કરી ત્યાર પછી પ્રભુએ ચર્તુવિધ સંઘની સ્થાપના કરી ભારતની ભક્તિ :- એક બાજુ પ્રભુને કેવળજ્ઞાન, બીજી બાજુ આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પતિ. બંને સમાચાર સાથે મળતાં ભરત રાજા વિચક્ષણ હતા. તેમણે વિચાર્યું કે ચક્રરત્ન તો આ જન્મ પૂરતુ સહાયક છે તેના વડે જે સુખ મળશે તે ક્ષણિક
574
Page #599
--------------------------------------------------------------------------
________________
છે. ધર્મચક્રીનું પધારવું તો મારા પરમાર્થ કલ્યાણ માટે છે માટે મારે પ્રથમ બહુમાન અને પૂજા ભગવાનની જ હોય. એમ વિચારી તેઓ પ્રભુ વંદન માટે નીકળ્યા.
માતા મરૂદેવાનો સ્નેહ ઃ- (પ્રથમ મોક્ષગમન)
તે કાળે તે સમયે ભગવાને પ્રથમ જ દીક્ષા લઇ વનવાસ સ્વીકાર્યો. તેમના માતા આથી ઘણું દુઃખ અનુભવતાં હતા. તેમને મહાવ્યથા હતી કે મારો પુત્ર જંગલના દુઃખો કેવી રીતે સહન કરશે. કલ્પાંત કરીને મરૂદેવા માતાનાં આંખનાં પડળો પણ અંધકારમય બની ગયા હતા. જ્યારે પ્રભુને કેવળજ્ઞાન થયું ત્યારે વંદન કરવા જતાં ભરત મહારાજાએ ૠષભદેવ ભગવાનની સર્વ વિભૂતિ અને ઇન્દ્રાદિ દેવો વડે થયેલી સમવસરણની રચના વિષેની હકીકત માતાને જણાવી. ત્યારે માતા નેત્રો આંનદાશ્રુથી છલકાઇ ગયા. આમ, એક બાજુ આનંદથી તેમનાં રોમાંચ ખડા થઇ ગયા. ઇહાપોહ કરતાં આત્મભાવની શુધ્ધ શ્રેણીએ આરૂઢ થતાં મરૂદેવા માતા સ્વયંબુધ્ધ થયા. આ અવસર્પિણી કાળમાં તેઓનું પ્રથમ મોક્ષગમન થયું.
ભરત ચક્રવર્તી - બાહુબલિ :- ભરત મહારાજાના પાંચસો પુત્રો, સાતસો પૌત્રો એ તે સમય દીક્ષા ગ્રહણ કરી. ત્યારે ચોરાશિ ગણધરો સ્થાપના થઇ. બ્રાહ્મીએ તથા અન્ય સ્ત્રીઓએ દીક્ષા લીધી. ભરત ચક્રવર્તી શ્રાવક થયા. સુંદરીનો ભાવ દીક્ષા લેવાનો હતો પરંતુ તે અત્યંત સ્વરૂપવાન હોવાથી ભરત રાજાએ વિચાર્યુ કે ચક્રવર્તી પદ પછી તેને પ્રથમ સ્ત્રીરત્ન તરીકે સ્થાપવી તેથી આજ્ઞા આપી નહિં આથી તેણે શ્રાવિકાવ્રત ધારણ કર્યું. ભરત મહારાજા છ ખંડ પર વિજય કરી પાછા ફર્યા ત્યારે સુંદરીને સ્ત્રીરત્ન બનાવવાનો મનોરથ હતો પરંતુ તે દરમ્યાન સાઠ હજાર વર્ષ તેણે આંબિલ કરી શરીરને શુષ્ક કર્યું. આ દશામાં પોતાની જાતને નિમિત્ત માનતા તે સુંદરીને દીક્ષા માટે રજા આપે છે. આ બાજુ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું ન હતું. આથી ભરત રાજાએ નિયમને આધીન થઇ પોતાના નવ્વાણું ભાઇઓને પોતાની આજ્ઞામાં રહેવાનો સંદેશો આપ્યો. બાહુબલિ સિવાય અઠ્ઠાણું ભાઇઓ પિતા (ભગવાન) પાસે ગયા. ભગવાને વૈરાગ્ય જનિત ઉપદેશ આપ્યો તેઓ દીક્ષા ગ્રહણ કરે છે. ભરતજી રડતી આંખે ઘણું સમજાવે છે પણ તેઓ શાશ્વત સુખનો માર્ગ છોડવા તૈયાર થતા નથી.
આ બાજુ ભરત ચારિત્ર મોહનીય કર્મને વશ હતા આથી તેઓને સંસારમાં રહેવાનું હતું. બાહુબલિ ભરતની આજ્ઞામાં રહેવા તૈયાર નથી. બાર બાર વર્ષ યુધ્ધ ચાલે છે. બંને વચ્ચે દૃષ્ટિયુધ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુધ્ધ, દંડયુધ્ધ થયું. બધામાં બાહુબલિનો વિજય થયો. છેવટે આખરી ઉપાય તરીકે તેમનો શિરચ્છેદ કરવા પોતાનું ચક્રરત્ન ઘુમાવીને ફેંક્યું. ત્યારે બાહુબલિ અત્યંત કોપાયમાન થઇ ભરત રાજાને હણવા મુષ્ટિનો પ્રહાર કરવા તૈયાર થયા હતા ત્યાં તેમને કાને આ શબ્દો પડયાં. અને એમનો રોષ થોડો
575
Page #600
--------------------------------------------------------------------------
________________
શમ્યો. તેઓ વિચારવા લાગ્યા કે આ મારા મોટા ભાઇ છે. તેમને મારાથી હણી શકાય નહિ. આથી ઉપાડેલી મુષ્ટિ વડે તરત જ કેશનો લોચ કરી વસ્ત્ર અલંકાર ઉતારી શ્રમણ બની ગયા. જંગલ તરફ ચાલી નીકળ્યા. ભરત રાજા ક્ષમા માંગે છે પણ વ્યર્થ. બાહુબલિજી તો ક્ષમા ભાવ ધારણ કરી પ્રભુ પાસે જવાં ઉપડ્યા. જતા જતા વિચાર આવે છે કે જો હું અત્યારે પિતા પાસે જઇશ તો મારે નાના અઠ્ઠાણું ભાઇઓને વંદન કરવું પડશે એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જાઉં. આથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે એક વર્ષ વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને ઉભા રહ્યા. શરીરે વૃક્ષની વેલડીઓ વીટળાઇ. પણ માન ન ગયું. એકવાર બ્રાહ્મી-સુંદરી બંને સાધ્વી બહેનોનું ત્યાં આગમન થયું. તેઓ બોલી કે, “વીરા ગજ થકી ઉતરો, માન મૂકો તો મોક્ષ છે.' બાહુબલિજીને કાને શબ્દટંકાર થયો. મનોમન અત્યંત પસ્તાવો કરી બહુમાનપૂર્વક પગ ઉપાડ્યા ત્યાં કેવળજ્ઞાન પામ્યા.
આ બાજુ નવ્વાણું ભાઇઓને કષ્ટ પોતે આપ્યું છે એવા ભાનથી ભરતજી બેચેન હતા. વાત્સલ્ય ભાવે પ્રજા પાલન કરતા એવામાં પ્રભુ ઋષભ નિર્વાણ પામ્યા. સાથી ભરત બહુ ખિન્ન હતા. એક દિવસ પોતે વસ્ત્રાભૂષણોથી સજ્જ થઇ અરીસા ભુવનમાં ઉભા હતા ત્યાં તેમની નજર વીંટી વગરની આંગળી તરફ ગઇ. બીજા અલંકારો ઉતારી નાંખ્યા. જોયું કે આ શરીર તો કૃત્રિમ અલંકારોથી શોભાયમાન છે. અનિત્ય ભાવના ભાવતા કેવળજ્ઞાન પામ્યા. દેવોએ મુનિવેશ-દેવદુષ્ય આપ્યું. તેઓની સાથે બીજા દશ હજાર રાજાઓએ પણ સંસાર ત્યાગ કર્યો.
ભગવાનના સો પુણ્યવંતા પુત્રોની નામાવિલ
(૧)ભરત (૨) બાહુબલિ (૩) શંખ (૪) વિશ્વકર્મા (પ) વિમલ (૬)સુલક્ષણ (૭)અમલ (૮) ચિત્રાંગ (૯) ખ્યાતકીર્તિ (૧૦) વરદત્ત (૧૧)સાગર (૧૨) યશોધર (૧૩)અમર (૧૪) રથવર (૧૫) કામદેવ (૧૬) ધ્રુવ (૧૭) વત્સ (૧૮) નંદ (૧૯) સુર (૨૦)સુનંદ (૨૧) કુરૂ (૨૨) અંગ (૨૩) નંગ (૨૪)કોશલ (૨૫)વીર (૨૬) કંલિગ (૨૭) માગધ (૨૮) વિદેહ (૨૯) સંગમ (૩૦) દશાર્ણ (૩૧)ગંભીર (૩૨) વસુવર્મા (૩૩)સુવર્મા (૩૪) રાષ્ટ્ર (૩૫) સુરાષ્ટ્ર (૩૬)બુધ્ધિકર (૩૭) વિવિધકર (૩૮) સુચશા (૩૯)યશકીર્તિ (૪૦) ચશસ્કર (૪૧) કીર્તિકર (૪૨)સૂરણ (૪૩) બ્રહ્મસેન (૪૪) વિદ્વાન્ત (૪૫) નરોત્તમ (૪૬) પુરૂષોત્તમ (૪૭) ચંદ્રસેન (૪૮) મહાસેન (૪૯) નભઃસેન (૫૦) ભાનુ (૫૧) સુકાન્ત (પર)પુષ્પયુત (૫૩) શ્રીધર (૫૪) દુર્ધર્ષ (૫૫) સુસુમાર (૫૬) દુર્જય (૫૭)અજેયમાન (૫૮) સુધર્મા (૫૯) ધર્મસેન (૬૦)સાનંદન (૬૧) આનંદ (૬૨)નંદ (૬૩) અપરાજિત (૬૪) વિશ્વસેન (૬૫) હરિષણ (૬૬) જય (૬૭) વિજય (૬૮) વિજયંત (૬૯) પ્રભાકર (૭૦) અરિદમન (૭૧) માન (૭૨) મહાબાહુ (૭૩)દીર્ઘબાહુ (૭૪) મેઘ (૭૫)સુઘોષ (૭૬) વિશ્વ (૭૭)
576
Page #601
--------------------------------------------------------------------------
________________
વરાહ (૭૮) સુસેન (૭૯) સેનાપતિ (૮૦) કપિલ (૮૧) શૈલવિચારી (૮૨) અરિજય (૮૩)કુંજરબલ (૮૪) જયદેવ (૮૫) નાગદત્ત (૮૬) કાશ્યપ (૮૭) બલ (૮૮) ધીર (૮૯)શુભમતિ (૯)સુમતિ (૯૧) પદ્મનાભ (૯ર) સિંહ (૯૩) સુજાતિ (૯૪) સંજય (૫)સુનાભ (૯૬) નરદેવ (૯૩) ચિત્તહર (૯૮)સુરવર (૯૯) દઢરથ (૧૦૦) પ્રભંજન
જેમ દેવતાઓમાં ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ મનાય છે તેમ કલ્પસૂત્રને કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષમાં આપેલું મહાવીર ચરિત્ર મોક્ષના બીજ સમાન, પાર્શ્વનાથ ચરિત્ર અંકુર સમાન છે, તેમનાથ ચરિત્ર થડ સમાન છે, આદિનાથ ચરિત્ર શાખા સમાન છે, વિરાવલી પુષ્પો સમાન છે, સમાચારી સુગંધ સમાન છે. આ સર્વની ફળશ્રુતિ મોક્ષ
ગોપાલદાસ પટેલ તેમણે રચેલ કૃતિઓ નીચે મુજબ છે.
(૧) પાપ, પુણ્ય અને સંયમ .સ.૧૯૪૦ (૨) પ્રાચીન શીલ કથાઓ ઇ.સ.૧૯૫૫ (૩) પ્રેમ બલિદાન
ઈ.સ.૧૯૭૫ (૪) સમી સાંજનો ઉપદેશ ઈ.સ.૧૯૮૯
પલ વિજયભાઈ ઝવેરી જન્મ સ્થળ :- મુંબઈ જન્મ તારીખ :- ૧૭ એપ્રિલ વ્યવહારિક અભ્યાસ - એમ.બી. એ. રચેલ કૃતિ :- ડીવાઇન સ્ટોરીસ-ભાગ-૧,૨
આ પુસ્તકમાં બાળકો માટેની જેન નાની વાર્તાઓનો સંગ્રહ છે. ભાગ-૧ માં શાલીભદ્ર, અઈમુત્તામુનિ, નેમ-રાજુલ વગેરેનો સમાવેશ થાય છે. ભાગ-૨ માં ગૌતમસ્વામી, ચંદનબાળા, ચંડકૌશિક, ચલણા અને રાજા શ્રેણિક, હાથી અને આંધળા માણસો, મેઘકુમાર, પ્રભુ પાર્શ્વનાથ આદિનો સમાવેશ થાય છે.
આ કથાઓ બાળકો રમતા-રમતા જ્ઞાન મેળવે તેવી છે.
આ કથાઓ સરળ ભાષામાં છે. આ કથાઓ દ્વારા બાળકો સુપાત્રદાન, જ્ઞાનની આશાતના ન કરવી, પ્રાયશ્ચિત લેવું, ક્રોધ ન કરવો વગેરે જેવા બોધ મેળવી શકશે.
વાર્તાકારે આ બંને ભાગમાં નાની-નાની કથાઓને સરળ અંગ્રેજી ભાષામાં રચી અને બાળકોના ભવિષ્ય માટે સારો પ્રયાસ કર્યો છે.
577
Page #602
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક ચિત્ર સહિત હોવાથી બાળક જલ્દીથી બોધ ગ્રહણ કરી શકે. આમ પલબેને આજના જમાના પ્રમાણે સુંદર, કલરફુલ, એક્ટીવ પુસ્તક રચીને જેના સમાજને મોટી ભેટ ધરી છે.
ઉપસંહાર આમ, પ્રકરણ ૪માં ૧૯મી સદીમાં રચાયેલ ‘ઉપદેશ પ્રાસાદ ગ્રંથ” બોધદાયક કથાઓથી ભરપૂર છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજે “રાગ વિરાગના ખેલ', શ્રધ્ધાની રસગમ', “સબ સે ઊંચી પ્રેમ સગાઈ' આદિ વાર્તાસંગ્રહની રચના કરી છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની જીવન રેખા તેમજ તેમણે રચેલ કૃતિઓ “રામાયણમાં સંસ્કૃતિનો આદર્શ” કથાઓ અને કથા પ્રસંગો આદિ અલંકૃત કર્યા છે. - પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરીજી મ.સા. રચિત “ધન્યકુમાર ચરિત', પેથડકુમાર ચરિત્ર', “સત્ત્વ સમૃધ્ધ સ્થૂલભદ્ર', “પાઠશાળા ગ્રંથ-૧,ર' આદિ કૃતિઓ નોંધપાત્ર છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજની જીવનઝલક તેમજ તેમની કૃતિઓ “બાળ શ્રાવક ધર્મરુચિ”, “ધન ધન શાસન મંડન મુનિવરા” “સમરું પલપલ સુવ્રત નામ” આદિ જૈન સાહિત્યનું વૈવિધ્ય દાખવતી કૃતિઓ છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજીએ “ગ્રંથ ખૂલે ગ્રંથી તૂટે', લાગે લગન બુઝે અગન”, “આંખ નરમ સપના ગરમ”, “અંતરની ઉજાસ પરમાર્થના પુષ્પો”, “બિંદુ એક સિંધુ અનેક આદિ અનેક કથા કૃતિઓનું સર્જન કર્યું છે.
મુનિશ્રી અકલકવિજયજી મ.સા.નો પરિચય તેમજ તેમણે રચેલ કૃતિઓનું વિવેચન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મ.સા., આચાર્ય રત્નસેનસૂરીશ્વરજી મ.સા., આચાર્ય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા., આચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા., મુનિ રાજરત્ન વિજયજી મ.સા., મુનિ અપરાજિતવિજયજી મ.સા., મુનિ રાજકીર્તિસાગરજી મ.સા., મુનિ મુકિતચંદ્રવિજયજી મ.સા., આદિએ રચેલ કથાકૃતિઓનું વિવેચન કરવામાં આવ્યું છે.
તેમજ જૈન કથા સાહિત્યના જયભિખ્ખ, પંડિત બેચરદાસ દોશી, વૈદ્ય
578
Page #603
--------------------------------------------------------------------------
________________
મોહનલાલ ચુનીલાલ ધામી, પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી, રતિલાલ દીપચંદ દેસાઈ, જીવનલાલ છગનલાલ સંઘવી, ફતેહચંદ બેલાણી, સારાભાઈ નવાબ, સુનંદાબેન વહોરા, ગોપાલદાસ પટેલ, પલબેન ઝવેરી આદિ રચિત કૃતિઓનું સુંદર આલેખન કર્યું છે.
આમ, અર્વાચીન યુગના લેખકોએ પ્રાચીન કથાને તેમની અભુત શૈલીથી, વાચકને રસ પડે તે રીતે રજૂ કરી છે. કથાઓ એની એ જ છે પરંતુ બોધ આધુનિક ઢબથી આપ્યો છે. ખરેખર! કથા સાહિત્ય કોમ્યુટર, લેપટોપ, ઈન્ટરનેટ જેવા માધ્યમોની વચ્ચે પણ ઉપકારક છે, તેનું આલેખન કરવામાં આવ્યું છે.
579
Page #604
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
ક્રમ
ગ્રંથ નું નામ
લેખક
પાનાનું
આવૃતિ
ઉપદેશપ્રાસાદ ગ્રંથ
આ.લક્ષ્મીસૂરીશ્વરજી
પ્રસ્તાવના
શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો
૪રર
પ્રથમ
નંદલાલ દેવલુક પ્રિય દર્શન
શ્રધ્ધાની સરગમ
૬૨ થી ૬૮
પ્રથમ
સબસે ઊંચી પ્રેમ સગાઈ
ભદ્રગુપ્ત વિજય
પ્રસ્તાવના
પ્રથમ
વ્રતધરે-ભવતરે
ભદ્રગુપ્ત વિજય
પરિશિષ્ટ
પ્રથમ
એકરાત-અનેકવાત
ભદ્રગુપ્ત વિજય
પરિશિષ્ટ
ત્રીજી
શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો-૨
નંદલાલ દેવલુક
૩૩૭
પ્રથમ
શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો-ર
નંદલાલ દેવલુક
૧૩૭
પ્રભાવ પ્રજ્ઞાનો સ્વભાવ સંપત્તિનો
આ મનોહર કીર્તિસાગરસૂરિજી
૦
તરંગવતી
આ મનોહર કીર્તિસાગરસૂરિજી
૧૧
પાઠશાળા ગ્રંથ-૧
પ્રસ્તાવના
પ્રથમ
પ્રદ્યુમ્નસૂરિ સુનંદાબેન વહોરા
૧૨
મારી મંગલ યાત્રા
૨૭૯
પ્રથમ
૧૩
પાઠશાળા ગ્રંથ-૧
પ્રદ્યુમ્નસૂરિ
૧૧,૧૨
પ્રથમ
૧૩.૧ પાઠશાળા ગ્રંથ-૧
પ્રદ્યુમ્નસૂરિ
૧૪
પ્રથમ
૧૩.૨ પાઠશાળા ગ્રંથ-૧
પ્રદ્યુમ્નસૂરિ
૧૬,૧૭
પ્રથમ
૧૩.૩ પાઠશાળા ગ્રંથ-૧
પ્રદ્યુમ્નસૂરિ
૬થી૧૦
પ્રથમ
૧૩.૪ પાઠશાળા ગ્રંથ-૧
પ્રદ્યુમ્નસૂરિ
૩,૪
પ્રથમ
૧૪ ધન્યકુમાર ચરિત્ર
પ્રદ્યુમ્નસૂરિ
પ્રથમ
580
Page #605
--------------------------------------------------------------------------
________________
૧૫ પેથડકુમારચરિત્ર
પ્રદ્યુમ્નસૂરિ
પ્રથમ
શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો-૨
પ્રથમ
નંદલાલ દેવલુક વિ. શીલચંદ્રસૂરિ
૧૭ બાળશ્રાવક ધર્મરૂચિ
પ્રસ્તાવના
પ્રથમ
સમરું પલપલ, સુવ્રત નામ
વિ.શીલચંદ્રસૂરિ
પ્રથમ
ધનધન શાસન મંડન મનિવરા
વિ. શીલચંદ્રસૂરિ
પ્રસ્તાવના
પ્રથમ
જેન કથાઓ ભાગ ૮ થી ૧૧
પ્રસ્તાવના
ત્રીજી
મુનિઅકલકવિજયજી મુનિઅકલકવિજયજી
જૈન રામાયણ
પ્રસ્તાવના
ત્રીજી
શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો-ર
નંદલાલ દેવલુક
૬૩૮
૬૩૮
પ્રથમ
જૈન સંઘ થાણા (M.S)
૧૯
પ્રથમ
પં.રત્નસેન વિજયજી
પ્રથમ
પં.રત્નસેન વિજયજી
પ્રસ્તાવના
પ્રથમ
જીવન યાત્રા,
પ્રકાશક:-રાજસ્થાન ર૪
ગુણવાન બનો ૨૪.૧ બ્રહ્મચર્ય ૨૫ રણ થી ઝરણ ર૬ ફૂલ વીણ સખે
વાર્તા વાર્તા મજેની વાર્તા
મુનિશ્રીવાત્સલ્યદીપ
મુનિશ્રીવાત્સલ્યદીપ
પ્રસ્તાવના
આ મુક્તિપ્રભસૂરિજી
પ્રસ્તાવના
પ્રથમ
વાર્તા વાર્તા મજેની વાર્તા
આ.મુક્તિપ્રભસૂરિજી
પ્રસ્તાવના
પ્રથમ
ર૯ રેતીમાં મોતી
મુનિશ્રીરાજરત્નવિજયજી
૧૮
પ્રથમ
રત્નશેખરરત્નાવતીની કથા
મુનિશ્રી અપરાજિત
વિજયજી
૧,૨,૩
પ્રથમ
૩૧
પાંડવો કયાં?
મુનિરાજકીર્તિસાગર
પ્રસ્તાવના
પ્રથમ
581
Page #606
--------------------------------------------------------------------------
________________
૩૨
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
આત્મ કથાઓ
શ્રી જૈન કથા
રત્ન મંજૂષા
જૈન કથાસાગર
ભાગ-૧
અર્વાચીન જૈન
જ્યોર્તિધરો
ભગવાન મહાવીરના
દસ ઉપાસકો
જયભિખ્ખુ વ્યક્તિત્વ
અને વાડ્મય
જયભિખ્ખુ વ્યક્તિત્વ
અને વાડ્મય
ભગવાન ઋષભદેવ
કથા સાહિત્ય-૨
(અભિષેક)
કથા સાહિત્ય-૨
(અભિષેક)
કથા સાહિત્ય-ર
(અભિષેક)
બંધન તૂટ્યા
અમર બલિદાન યાને
સિધ્ધગિરિના શિખરો
અમર બલિદાન ચાને
સિધ્ધગિરિના શિખરો
રાગ-વિરાગ
મુક્તિચંદ્ર, મુનિચંદ્ર
પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી
પંડિત મફતલાલ
ઝવેરચંદ ગાંધી
શ્રદ્ધેયશ્રીઆત્માનંદજી
બેચરદાસ દોશી
નટુભાઇ ઠક્કર
નટુભાઇ ઠક્કર
જયભિખ્ખુ
રતિલાલ દીપચંદ દેસાઇ
રતિલાલ દીપચંદ દેસાઇ
રતિલાલ દીપચંદ દેસાઇ
મોહનલાલ
ચુનીલાલ ધામી
મો. ચુ.ધામી
મો. ચુ.ધામી
મોહનલાલ
ચુનીલાલ ધામી
582
૧૦
૧૯૮
૧થી૩૩૪
૩૯૮ થી
૪૦૪
૫,૬,૭
પ્રસ્તાવના
૭
૭,૮
૩,૪,૫
પ્રસ્તાવના
પ્રથમ
બીજી
પ્રથમ
પ્રથમ
બીજી
બીજી
ત્રીજી
પ્રથમ
પ્રથમ
Page #607
--------------------------------------------------------------------------
________________
૪૭ નમિરાજ
મોહનલાલ ચુનીલાલ ધામી
૪૮
દેદા શાહ
મોહનલાલ
૪.૫
ચુનીલાલ ધામી
૪૯
ભગવતી સૂત્રની
કથાઓ
જીવનલાલ છગનલાલ સંઘવી
૫૦ સંસ્કૃતિની જીવન
કથાઓ
ફતેહચંદ બેલાણી
કલેર રોઝન ફિલ્ડ
પ્રસ્તાવના
૫૧ શાંતિ પથનો યાત્રી:
સ્વપ્નદ્રષ્ટા ચિત્રભાનું બિંદુ માં સિંધુ
પ્રથમ
ચિત્રભાનું
પ્રથમ
પ૩ બિંદુમાં સિંધુ
ચિત્રભાનુ
પ્રથમ
૫૪ બિંદુ માં સિંધુ
ચિત્રભાનું
સંસ્કાર સંભાર નીતિબોધક ધર્મકથાઓ
ચિત્રભાનુ,
પ્રસ્તાવના
પ૬ પુણ્યની પરીક્ષા
વિમલકુમાર મોહનલાલ ધામી
પ૭ પુણ્યની પરીક્ષા
વિમલકુમાર મોહનલાલ ધામી
583
Page #608
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૫
ઉપસંહાર
જ્ઞાન વિના મુક્તિ નહી રે, કિરિયા જ્ઞાનની પાસ સલુણા
શ્રી શુભવીરની વાણીએ રે, શિવકમલા ઘરવાસ સલુણા. ઉપરોકત પંક્તિમાં શ્રી શુભવીરજી કહે છે કે જ્ઞાન વિના મુક્તિ નથી. અર્થાત્ મોક્ષપદ, સિધ્ધપદ મેળવવું હોય તો જ્ઞાન એ આવશ્યક છે.
વ્યવહારિક ક્ષેત્રમાં જ્ઞાન મેળવવા આગળ વધતા choice આપવામાં આવે છે. એક વ્યવસ્થા છે. સાયન્સ લાઇન, કોમર્સ લાઇન કે આર્ટસ લાઇન. એ જ રીતે આધ્યાત્મિક જગતમાં આગળ વધવા માટે પરમાત્માએ choice આપી છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ. સરળતાથી તત્ત્વનું જ્ઞાન મેળવવાના હેતુથી જ્ઞાની પુરુષોએ ધર્મકથાનુયોગની રચના કરી છે.
જ્ઞાન વિના કોઇપણ જીવ ભવસાગરમાં ભટક્યા કરે છે. અનાદિ કાળથી ભટકતો આત્મા અનેક યોનિમાં જન્મ લઇ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. ત્યારે તેના માટે દુર્લભ એવા આ ભવમાં જ્ઞાન મેળવવું આવશ્યક છે. સૌ પ્રથમ તો આ દુર્લભતા સમજાવવા જે વ્યકિતઓએ મનુષ્યભવ મેળવી અને વધારે કર્મબંધ કરી સંસાર વધાર્યો છે. તેવા તેમજ તેનાથી વિરુધ્ધ મનુષ્યભવની દુર્લભતા સમજી સંસાર ઘટાડ્યો હોય તેવા ઐતિહાસિક કથાનકોથી આ વાત સરળતાથી સમજી શકાય.
પરમાત્મા પાર્શ્વ પર ઉપસર્ગ કરનાર કમઠ આગળના ભાવમાં મનુષ્યપણું પ્રાપ્ત કર્યું ત્યારે કષાયને વશ થઈ પોતાની વૃત્તિઓ સંતોષવા માટે અવળા કામ કરે છે અને ભટકી જાય છે. છેવટે તેની પડતી થાય છે. પરમાત્મા મહાવીરનો જીવ નયસારના ભવમાં ગુરૂની ભક્તિ કરે છે અને ગુરૂ તેને દેવ-ગુરૂ અને ધર્મ સમજાવે છે. ત્યારે નયસાર શુભકર્મ કરી અને મહાવિદેહમાં જન્મ લે છે. આ રીતે મનુષ્ય ભવને સાર્થક કરે છે.
“સમરાદિત્ય ચરિત્ર'માં ગુણસેન રાજાનો જીવ નવે નવ ભવમાં સમતા રાખી ગતિ સુધારે છે તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. જ્યારે અગ્નિશર્મા તાપસનો જીવ વેરની આગમાં નિયાણુ કરી ભવોભવ ગુણસેન રાજાના જીવને મારનારો બને છે.
આમ, મનુષ્યભવની દુર્લભતા સમજવા આવા કથાનકો ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. જૈન શાસનનાં આગમ રત્નાકર સાગરમાં આવી કથાઓનો ભરપૂર ખજાનો છે. આ કથાઓને પ્રકરણ-રમાં સુંદર રીતે રજુ કરાઈ છે. જેમાં જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃત દશા, નંદીસૂત્રની કથાઓ, ઉત્તરાધ્યયન સૂત્ર આદિ અનેક
584
Page #609
--------------------------------------------------------------------------
________________
આગમોનો સમાવેશ થાય છે. આ આગમો ઉપદેશ પ્રધાન છે. કથા દ્વારા સુંદર રીતે ઉપદેશને ગૂંથી લેવાયો છે. સંસારમાં રહી ધર્મ સાધના કેવી રીતે કરવી એમ કોઈ આગમ કહે છે, તો કોઈ આગમ અતિ સાહ્યબી હોવા છતાં પુણ્યશાળી રાજકુમારો સંચમ લઈ આત્મસાધના કરે છે તેમ સમજાવે છે. આ ઉપરાંત ભયંકર પાપી જીવો કેવી રીતે આત્મ કલ્યાણ સાધી લે છે, સંત સમાગમ, વ્યકિત પર કેવો ઉપકાર કરે છે, ભૌતિક ક્ષણ ભંગુર વસ્તુની તીવ્ર મૂછ સ્વપરના જીવનમાં કેવું ભયંકર નુકસાન કરે છે, સુખેષ્ણુએ ત્યાગ અને સંયમરૂપ માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ વગેરે અનેક બોધદાયક કથાનકો આ આગમોમાં જણાવ્યા છે.
આમ, આગમકાલીન સાહિત્યમાં કથા તત્ત્વની વિપુલતા જોવા મળે છે.
આગમેતર સાહિત્યમાં વસુદેવ હિડી, મહાપુરાણ, સમરાદિત્ય ચરિત્ર, ઉપદેશપદ, કુવલયમાલા, હરિવંશપુરાણ, ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર, ઉપમિતિ ભવ પ્રપંચકથા વગેરે કથા ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ગ્રંથોમાંથી અનેક વિષયો પર બોધ મળી રહે છે. કોઇ ગ્રંથમાં કષાયો પર વિજય કેવી રીતે મેળવવું, તે બતાવ્યું છે તો કોઇમાં દાનનું મહત્ત્વ, શીલનું મહત્ત્વ, લોભ પર વિજય મેળવવાનું, તપનું મહત્ત્વ બતાવ્યું છે. આ મહત્ત્વ બતાવવા સુંદર કથાઓ વર્ણવી છે. કથાતત્ત્વ દ્વારા આ ઉપદેશ સહેલાઇથી ઉતરી જાય છે. “પઉમચરિય” જેવો ગ્રંથ પરિવારનું મહત્ત્વ બતાવે છે અને રામ જેવા આજ્ઞાંકિત પુત્રની કથા બોધદાયક છે. આજની યુવાપેઢી પશ્ચિમના વાતાવરણથી રંગાઇ રહી છે ત્યારે સંસ્કૃતિને ટકાવનારી આવી કથાઓ તારનારી બની રહે છે.
પ્રકરણ ૩માં બારમીથી અઢારમી સદીના સમયમાં રચાયેલ ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમયમાં કથા રત્નકોશ, કથાકોશ પ્રકરણ, પૃથ્વીચંદ્રગુણસાગર ચરિત્ર, ભવભાવના પ્રકરણ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, કુમારપાળ પ્રતિબોધ, જૈન મહાભારત, ધર્મરત્ન પ્રકરણ, શીલોપદેશ માલા, પ્રદ્યુમ્ન ચરિત્ર, પાંડવ પુરાણ, તરંગવતી સમ્યત્વ કૌમુદી ગ્રંથ, ઉપદેશમાળા આદિ અનેક ગ્રંથો રચાયા છે. જેમાં દરેક ગ્રંથની આગવી વિશેષતા છે. આ સમયમાં રચાયેલ ગ્રંથોમાં ત્રિષષ્ઠિ શલાકા પુરુષ એ અદ્વિતીય, અજોડ કૃતિ છે તો ભવભાવના પ્રકરણમાં બાર ભાવનાઓનું સુંદર નિરૂપણ થયું છે. જેને મહાભારતમાં કષાયોથી કેવા ખરાબ પરિણામ આવે છે, તેથી કષાય ન કરવાનો બોધ મળે છે, તો શીલોપદેશ માલામાં શીલનું મહાભ્ય છે.
કુમારપાળ પ્રતિબોધમાં એક ગુરૂ સુશ્રાવકને પ્રતિબોધ કરે છે, તે સુંદર કથાઓ દ્વારા વર્ણવાયું છે. તરંગવતીની કથા પૂર્વભવની કથા છે. તેમાં સંયોગ-વિયોગ બતાવી સંસારની અસારતા રજુ કરી છે.
585
Page #610
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત મધ્યકાલીન યુગમાં રાસાઓ, બારમાસી, ફાગુની રચનાઓ પણ ભરપૂર પ્રમાણમાં થઈ છે. જેમાં શ્રીપાળ રાજાનો રાસ આજે પણ શાશ્વતી ઓળીમાં વંચાય છે. બીજા રાસાઓ વ્યાખ્યાનમાં વંચાય છે. જે બતાવે છે કે કથા તત્ત્વ ઉપદેશ આપવા તેમજ તત્વ પીરસવામાં કેટલું ઉપયોગી છે.
પ્રકરણ-૪માં આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મ.સા., આચાર્ય શીલચંદ્રસૂરિજી, આ.રામચંદ્રસૂરિજી, આચાર્ય ભદ્રગુપ્તસૂરિજી, આ.મનોહરકીર્તિસાગરસૂરીજી, પં.ચંદ્રશેખરવિજયજી, આ મુક્તિપ્રવિજયજી તેમજ જયભિખ્ખું, રતિલાલ દીપચંદ દેસાઇ, સારાભાઈ નવાબ, સુનંદાબેન વહોરા, બેચરદાસ દોશી આદિ વિદ્વાનો દ્વારા રચાયેલ કથાઓનું વિવેચન છે. જે બતાવે છે કે હાલના ટેકનોલોજીના યુગમાં પણ કથાતત્વ માણસના મનને કેટલું પ્રિય છે. રામાયણ જેવી કથાઓનો આધાર લઈ એજીન્યરીંગના ટુડન્ટ પ્રોજેકટ તૈયાર કરે છે. જેમાં M.B.A, C.A, એજીનીયર રૂપે કથા પાત્રોને લઇ સુંદર રીતે રજુઆત કરાય છે. ખરેખર! કથા એ માનવ જીવન માટે જરૂરી છે.
કથાની અંતે નવ રસોના વર્ણન, આડ કથાઓ, ઘટનાઓ, વર્ણનો, સામાજિક પરિસ્થિતિ, સાંસ્કૃતિક વર્ણનો આવે છે. વિવિધ વર્ણનોને કારણે કથા પ્રવાહ વહેતો રહે છે. અને વાંચકને એવો રસ પડે છે કે એ કથા સાંભળ્યા વિના કથાનો અંત સાંભળ્યા વિના ચેન પડતુ નથી. આમ, વર્ણનો વાચકને પકડી રાખે છે. ઘટનાઓથી વાચકને કથામાંથી બોધ પણ મળે છે અને રસ પણ પડે છે.
આમ, આપણા પૂર્વાચાર્યો એ કથાનુયોગના સાહિત્યમાં મહાપુરુષના અનેક સુંદર ચરિત્રો, અનેક અંતર્ગત બોધકથાઓ અને વિવિધ વર્ણનો સાથે રચી આપણા ઉપર મહાન ઉપકાર કરેલ છે.
જૈન કથા સાહિત્યમાં નિશ્ચય અને વ્યવહાર બંને ધર્મનાં સ્વરૂપો યથાસ્થિત બતાયેલાં છે. છતાં કાળ પરિવર્તન વડે મૂળ સંસ્કૃતિ જાળવી રાખતાં તેમાં જૂનાધિક્તા થયા કરે તે સ્વાભાવિક છે.
જૈન કથા અને ઇતિહાસ સાહિત્ય વિસ્તારપૂર્વક ગદ્ય, પદ્યાત્મક રૂપે અત્યારે જે ઉપલબ્ધ છે તે ભારતીય ઇતિહાસ ઉપર નૂતન પ્રકાશ પાડે છે, તેની ભાષા પણ શુધ્ધ અને સુંદર પ્રાકૃત મૂળરૂપે છે. જેમાં અનેક સત્ત્વશાળી પૂજ્ય પુરુષોના જીવન વૃત્તાન્તો વિદ્વાન મહાન ત્યાગી મહાત્મા અને આચાર્ય મહારાજાઓએ અનેક રચેલા છે. તેમાં શ્રી તીર્થકર ભગવાનોના ચરિત્રો વધારે રસિક, અનુપમ અને વિવિધ જાતના સુંદર વર્ણનો યુક્ત હોવાથી તે પ્રથમ પંક્તિએ મૂકી શકાય છે.
586
Page #611
--------------------------------------------------------------------------
________________
તીર્થકર ભગવંતો, ગણધર મહારાજાઓ અને અનુકરણીય અનેક પૂર્વજોની નિર્મળ કથાઓ, તેમજ જિનેશ્વર ભાષિત આગમના રહસ્યનું વિવેચન જેમાં હોય તે જ ધર્મકથા કહેવાય છે. તેથી જ તીર્થંકર દેવોના ચરિત્રો એ ઉત્તમ પ્રકારની ખાસ ધર્મસ્થાઓ ગણાય છે. આવી ધર્મકથા સિવાય પ્રાણી વૈરાગ્ય પ્રાપ્ત કરી શકતો નથી, સાંસારજન્ય વ્યથાથી મુક્ત થઈ શકતો નથી. તેમજ આનંદજન્ય સુખનો સ્વાદ પણ લઈ શકતો નથી. શ્રી જિનેન્દ્રદેવોના સુંદર ચરિત્રો આત્મકલ્યાણની સર્વ સામગ્રી યુક્ત હોવાથી મનનપૂર્વક તેવા ચરિત્રો વાંચનારને કોઈને કોઈ લાભ થયા સિવાય રહેતો નથી.
મોક્ષ માટે પ્રથમ પગથિયું સમકિત ગયું છે અને સમક્તિ વિશે સમજવા થા તત્વનો આધાર લેતા સરળ રીતે તેના લક્ષણો સમજી શકાય છે. “યોગદષ્ટિ” જેવા વિષયને સમજવા માટે પણ દૃષ્ટાંતોનો આધાર લેવો પડે છે. સિધ્ધાંત ક્યારેક આકાશેથી પડતી વિજળી જેવો ભારેખમ હોય છે. કોઈ તારમાં ઝીલી લેવાય તો જ તે હળવો ફૂલ બની જાય છે. અને ધરતી ઉપર પ્રકાશ પાડીને ઉપયોગી બની જાય છે. દષ્ટાંતો એ સિધ્ધાન્તની વીજળીને ઝીલી લેતો તાર છે એના દ્વારા સિધ્ધાન્તનું હાર્દ પ્રકાશી ઉઠે છે. શ્રોતાના જીવનમાં તે પહોંચી જઈને જીવનની ધરતીને પ્રકાશમય બનાવે છે. દરેક પુત્રે વડીલોની સેવા કરવી જોઈએ. જે પુત્રો વડીલોને ત્રાસ આપે તે કુપુત્રો છે. આ વાત સીધે સીધી સાંભળવા કુપુત્ર તૈયાર થતો નથી. એટલે “કુણિક નામના પુત્રની કથા સાંભળવી જરૂરી છે.
આમ ધર્મકથા દ્વારા કોઈ પણ વાત સમજાવવી સરળ પડે છે. જૈન ધર્મમાં કથાની આગવી વિશેષતા છે કે વર્ણનો બધા જ આવશે પરંતુ અંતે તો વૈરાગ્યની પુષ્ટિ થાય તેવો જ બોધ આપવામાં આવે છે.
આમ, જિનેશ્વર દેવોના ચરિત્રોનું શ્રધ્ધા અને એકાગ્ર ચિત્તે વાંચન કરવાથી પરમાત્મા દેવાધિદેવ પ્રત્યે અદ્વિતીય ભક્તિભાવ પ્રગટે છે અને પરમાત્માના વચન અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા ઉત્પન્ન થતાં તે પ્રમાણે જીવનમાં વર્તતા કોઈ વખત અપૂર્વ ઉલ્લાસ આત્મામાં અનુભવવામાં આવે છે. ઉત્તરોત્તર મોક્ષ પ્રાપ્તિ થાય છે.
જૈન કથાના વિષયનું સંશોધન કાર્ય પૂર્ણ કરતા પરમાત્માને એક પ્રાર્થના કરું છું કે આ પંચમકાળમાં કેવળજ્ઞાન મળવું શક્ય નથી પરંતુ તેના બીજરૂપ સમકિતની પ્રાપ્તિ મને થાય. મારું સમ્યકત્વ નિર્મળ બને અને બધા જીવો પણ આ ગ્રંથ વાંચન દ્વારા જ્ઞાન મેળવી મોક્ષ માર્ગે આગળ વધે. જેમ અંધારું દૂર કરવા માત્ર એક દીવો પૂરતો છે તેમ અજ્ઞાન રૂપ અંધકાર દૂર કરવા આ ગ્રંથ દીવા જેવું કાર્ય કરશે એ જ અભિલાષા!
જિનાજ્ઞા વિરુધ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્...
587
Page #612
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
પુસ્તકનું નામ
કર્તા/સંપાદક
પ્રકાશક
આવૃતિ
(અ)
અષ્ટાપદ તીર્થ
ડૉ.રજનીકાંત શાહ ડૉ.કુમારપાળ દેસાઈ
અમર બલિદાન
જૈનસસ્તીવાંચનમાળા
મોહનલાલ ચુનીલાલ ધામી
પ્રથમ સં.૧૯૮૯
મુનિશ્રી વાત્સલ્યદીપ
અક્ષર અને અસ્તિત્વ
ન્જર ગ્રંથકાર્યાલય
પ્રથમ ઇ.સં.૨૦૦૬
અનોખી મૈત્રી
સુનંદાબેન વહોરા
આનંદ સુમગલ પરિવાર અમદાવાદ-અમેરિકા
ઇ.સં. ૨૦૦૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
શ્રી આત્માનંદજી પ્રકાશભાઈ ડી. શાહ
શ્રીસદ્ભુત્ સેવા આરાધના કેન્દ્ર, કોબા
મુનિ દીપરત્ન સાગર
સં. ૨૦૪૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાનો -
અમાસ અને પૂનમ
મુનિ વાત્સલ્ય દીપ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ર૦૦૬
(આ)
આંખ ઝંખે પાંખ
ગુ
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર,વીજાપુર
આ.શ્રી મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી આ.શ્રી મનોહરકીર્તિ સાગરસૂરીશ્વરજી
ગુ
આંખ નરમ સપના ગરમ
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર,વીજાપુર
આભ ઉચેરો આભાપતિ
ગુ
આ.શ્રી મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી મુનિ શ્રી વાત્સલ્યદીપ
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર,વીજાપુર
આકાશને દરવાજે સૂરજ
શ્રીવાત્સલ્યદીપ ફાઉન્ડેશન
પ્રથમ ઇ.સં.૧૯૯૫
આત્મકથાઓ
ઇ.સં.
તચંદ્ર વિજય પં.મુનિચંદ્ર વિજય
શાંતિજિન આરાધના મંડલ ૩૭૦૧૪૦
૨૦૦૩
588
Page #613
--------------------------------------------------------------------------
________________
મુનિ મુક્તિ શ્રવણવિજય
(ઉ)
ઉપદેશમાલા
શ્રીધર્મદાસ ગણિ
સં.૧૯૩૪
ઉપદેશપદ મહાગ્રંથ નો ગુજરઅનુવાદ
મુનિચંદ્ર આ.શ્રી હેમસાગરસૂરિ
આનંદ-હેમ ગ્રંથમાળા ખારાકૂવા મું.ન-ર
પ્રથમ
ઇ.સં.૧૯૭૨
ઉપદેશપદ ગ્રંથ ભાવાનુવાદ ભાગ
વિ.સં. ૨૦૬૨
હરિભદ્રસૂરિ મહારાજ શ્રીઅરિહંત આરાધક મુનિચંદ્ર મહારાજની ટીકા ટ્રસ્ટ ભિવંડી-૪૨૧૩૦૫ આ.રાજશેખરસૂરિ મુનિ ધર્મશેખર વિજયજી
ગુ
ઉછળે ઉર્મિ અન્તરમાં ભાગ-૧,૨
આ.શ્રીમનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈનસમાધિમંદિર, વિજાપુર
ઉદધિ ઉલ્લસે ઉર
ઉરહે પૂર
ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧,૨
શ્રીમદ્ ભદ્રંકરસૂરિજી
ભુવનભંદ્રકર સાહિત્ય પ્રચાર કેન્દ્ર
બીજી વિ.સં.૨પ૦૨
ઉત્તરાધ્યનસૂત્ર
ચંદ્રકાંત શાંતિલાલ કોઠારી
મૂળગાથા અર્થ
દર્શનાચાર્ય સાધ્વીચંદના
ઉત્તરાધ્યયન સૂત્ર અનુવાદ
ઉત્તરાધ્યયનસૂત્ર પ્રવચનો
પૂ.આ.શ્રી ચંદ્રગુપ્ત સૂરિજી
શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ
ઉપમિતિભવ પ્રપંચકથા
ઉપદેશમાળા
શ્રીધર્મદાસ ગણિ
શ્રી જેન આત્માનંદ સભા દ્વિતીય ખારગેઇટ ભાવનગર વિ.સં.ર૦૬૦
(એ)
ગૂર્જર ગ્રંથ કાર્યાલય
એક ખોબો ઝાકળ
મુનિ વાત્સલ્યદીપ
૧૯૯૧
589
Page #614
--------------------------------------------------------------------------
________________
ઓસ બન્યા મોતી
અંતર જ્યોતિ ઝળહવે મુનિ વાત્સલ્યદીપ
અંતરની ઉજાસ
આચાર્ય મનોહર
કીર્તિસાગર સૂરિ
કુવલયમાલા
કલાપૂર્ણ સંસ્કાર શિબિર
કુવલયમાલા-૧૨ ભેદી આકાશવાણી
કથાકોષ પ્રકરણ
ભા-૧
કુમારપાળ પ્રતિબોધ શ્રીસોમપ્રભા ચાર્ય
મુનિજિન વિજય
કરે જતન મીલે રતન
કર્મ બંધન
મુનિશ્રી વાત્સલ્ય દીપ
કથાઓ અને કથા પ્રસંગો ભાગ-૧,૨
કલ્પતરુ
શ્રીઉદ્યોતન સૂરિ
આચાર્ય હેમસાગર
સૂરિ
કલાપૂર્ણ સંસ્કાર શિબિર સા.ચિત્તપ્રસન્ના શ્રી સા.
ચિત્તરંજના શ્રી
શ્રીજિનેશ્વરસૂરિ શ્રીજિન વિજય
આ.શ્રીમનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી
( ઓ )
આ.ઉદ્યોતનસૂરિ,પ.પૂ પ.પદ્મ સેનગણિ પ્રવચન કાર ભુવનભાનુસૂરીશ્વરજી
( અં )
આ.વિ.રામચંદ્રસૂરિ
( ૭ )
મુનિશ્રી વાત્સલ્પદીપ
વિમલકુમાર મોહનલાલ
ધામી
590
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
શ્રીમદ બુધ્ધિસાગર જૈન સમાધિ મંદિર, વીજાપુર
શ્રીધનજી દેવચંદ્ર ઝવેરી ૫૦/૫૪ મીરઝાસ્ટ્રીટ
મુંબઇ-૩
શ્રીશ્રુતજ્ઞાન પ્રસારક સભા.અમ-૩૮૦૦૮ પાલડી
દિવ્ય દર્શન ટ્રસ્ટ
દિવ્ય દર્શન ટ્રસ્ટ
શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર, વીજાપુર
નવયુગ પુસ્તક ભંડાર
જૈન પૃવચન કાર્યાલય
અમદાવાદ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
૧૯૭૭
૧૯૯૧
ગુજરાતી
પ્રથમ
સાતમી
ઇ.સં.
૨૦૧૦
વિ.સં.
૨૦૫૧
પ્રથમ
(હિંદી)
પહેલી
ગુ
ગુ
પ્રથમ
૧૯૮૭ ગુ
સં.૧૯૬૧
ગુ
ઇ.સં.૧૯૯૧
Page #615
--------------------------------------------------------------------------
________________
કામકથા
ડૉ.હસુ યાજ્ઞિક
રન્નાદે પ્રકાશન
બીજી ઇ.સં.ર૦૧૦
કથા સાહિત્ય-ર અભિષેક
રતિલાલ દીપચંદ દેસાઇ ગૂર્જર ગ્રંથરત્ન
કાર્યાલય
પ્રથમ ૧૯૯૪
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ભીમશી માણેક સિંહ
૧૯૯૨ સંવત
કોઈ ડાળી કોઈ ફૂલ મુનિ વાત્સલ્યદીપ કાન્હડ કઠીયારાનો રાસ - મયણરેહા સતીનો રાસ નારકીના ઢાળિયા
૧૯૪૫
સમયસુંદર
ભીમશી માણેક
કરકંડૂ આદિ ચાર પ્રત્યેક બુધ્ધ રાસ
વીરજી મુનિ
સં.૧૯૬૬
કર્મ વિપાકનો રાસ જંબુ પૃચ્છાનો રાસ
કયવત્રા શાહનો રાસ
ભીમશા માણેક
સં.૧૯૪૧
(
ખ)
ખુલે આાંખ રતન લાખ શ્રીમદ્ આ મનોહર
કીર્તિ સ
ગુજરાતી
શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર, વિજાપુર-૩૮૩૮૭૦
( ગ )
ગ્રંથ ખુલે ગ્રંથિ તૂટે
આ મનોહરકીર્તિ સાગરસૂરિ મ.સા
બુધ્ધિસાગર જૈન સમાધિ મંદિર, વિજાપુર-૩૮૨૮૭૦
ગણધરવાદ
ગુ
ભુવનભાનુ સૂરીશ્વરજી દિવ્યદર્શન ટ્રસ્ટ ધોળકા મ.સા મુનિશ્રી ભુવન સુંદર (અમદાવાદ) વિજયજી ધૂમકેતુ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગુર્જરેશ્વર કુમાર
પહેલી ગુ વિ.સં.ર૦૦૩
ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન
અનંતરાય રાવળ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ
પાંચમી ૧૯૯૨ ગુ
591
Page #616
--------------------------------------------------------------------------
________________
( ૨ )
વિ.સં.ર૦૧૭
ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર
સિરિ-સલોકાચાર્ય પ્રાકૃત ગ્રંથપરિષદ ૫.અમૃતલાલ મોહનલાલ વારાણસી-૫ ભોજક
ચોવીશ તીર્થકર
પ્રથમ
શ્રીપૂર્ણ ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ
પંચપ્રસ્થાન પુણ્ય સ્મૃતિ પ્રકાશન
પ્રથમ
ચોપાન્ન મહાપુરુષ ચરિતનો અનુવાદ
શીલાંકાચાર્ય આ.શ્રી હેમસાગરસૂરિ
મોતીચંદ મગનભાઈ ચોકસી
ચોવીશ તીર્થકર
વિમલકુમાર મોહનલાલ નવયુગ પુસ્તક ભંડાર ધામી.
રાજકોટ-૩૬૦૦૦૧ સૌરાષ્ટ્ર
પ્રથમ ૧૯૯૨ ગુજરાતી
ચંદરાજાનો રાસ
પં.મોહન વિજયજી
ભીમશી માણેક
વિ.સં.૧૯૬૧
(જ).
જેનાગમ કથાકોષ
જીવનલાલ છગનલાલ સઘવી
જૈમસાહિત્ય વિકાસ મંડળ. ૧૧૨ સ્વામી વિવેકાનંદ રોડ, વીલેપારલે મું-પ૬
જેનકથારત્ન કોષ ભાગ-૬
શ્રાવક ભીમશી માણેક ૫.કલ્યાણબોધિ વિજયજી
શ્રીજિનશાસન આરાધના મુંબઈ
જેનકથારત્ન કોષ ભાગ-૧,૨,૩
પુન.સં.સત્ય સુંદર વિજયજી
, ભાગ-૪
પુન.સં.મુનિ રવિકાંત વિજયજી
,,
ઇ.સં.૨૦૦૬
જૈન રામાયણ (સચિત્ર)
દીક્ષા દાનશ્વરી આ. ગુણરત્ન સૂરીશ્વરજી
જિનગુણ આરાધક ટ્રસ્ટ ૧૫૧,ગુલાલવાડી. કીકાસ્ટ્રીટ મુંબઈ-૪૦૦૦૪
પ્રથમ ઇ.સં.૨૦૦૨ વિ.સં.૨૦૫૮
જીવનનું ઝવેરાત
શ્રીહંસાબાઈ
જેનદર્શન પ્રકાશન રાજકોટ
મહાસતીજી
જેન રામાયણ ભાગ-૧,૨,૩
ચુનાવાલા ચેમ્બર, ગોંડલ રોડ. ૩૬૦૦૦૨
592
Page #617
--------------------------------------------------------------------------
________________
જૈન મહાભારત
ભાગ-૧,૨
જૈનકથા સાગર
ભાગ-૧
જગ ઉધ્ધારક ભગવાન મહાવીર
જૈન પરંપરાનો
ઇતિહાસ
જૈન સાહિત્યમાં શ્રીકૃષ્ણ ચરિત
જૈન રામાયણ
જૈનકથા સાગર
ભાગ-૧
જિનાગમ કથા
સંગ્રહ
જૈનકથા સાગર
જૈનકથાઓ ભાગ ૮,૯,૧૦,૧૨,૧૭
જ્યોતિ જલે
જિંદગી ફળે.
જાગે આતમરામ
જીવને મળે મુકામ
જાતક કથા
પં ચંદ્રશેખર વિજયજી
પંડિત મફતલાલ
ઝવેરચંદ ગાંધી
અંબેલાલ જોશી
ત્રિપુટી મહારાજ
શ્રી રાજેન્દ્ર મુનિ
પ્રિયદર્શન
મુનિ અરુણોદય સાગર મુનિ વિનય
સાગર
બેચરદાસ દોશી
રોહિત શાહ
મુનિશ્રી અકલંક વિજયજી
આ.શ્રીમનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી
ભદ્દન્ત આનંદ કૌસલ્યાયન
593
કમલ પ્રકાશન ટ્રસ્ટ,૨૭૭૭ દ્વિતીય નિશાપોળ, રિલીફ રોડ ઝવેરીવાડ, અમદાવાદ
કીર્તિલાલ મફતલાલ ગાંધી બીજી સારંગપુર, પિતળીઆ પોળ ઇ.સં.૧૯૭૦
અમદાવાદ
૪૩, જરીવાલા બિલ્ડીગ
ચોપાટી મું-૭
શ્રીચારિત્ર સ્મારક ગ્રંથમાળા વિ.સં.૨૦૨૦
માંડવીની પોળ, અમદાવાદ પ્રથમ ગુ
પ્રાકૃત ભારતી અકાદમી જૈન ગ્રંથાલય (ઉદયપુર)
વિશ્વકલ્યાણ પ્રકાશક ટ્રસ્ટ, સંઘવીપોળ, મહેસાણા
શ્રીસીમંધર સ્વામી જૈન
જ્ઞાનમંદિર, મહેસાણા
જૈનસાહિત્ય ટ્રસ્ટ ગુ.વિદ્યાપીઠ, અમદાવાદ
શ્રીકૈલાસ સૂરિ ફાઉન્ડેશન
મુ.૪૦૦૦૬૨
શા.નવીનચંદ્ર મોતીચંદ
મંડપવાળા સુરત
દ્વિતીય
૧૯૬૪
શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરી
જૈન સમાધિ મંદિર, વિજાપુર
૩૮૨૮૭૦
પ્રથમ
૧૬૬૧ હિંદી
વિ.સં.૨૦૩૦
વિ.સં.૨૦૩૪
ગુજરાતી
પ્રથમ
પ્રથમ, ગુ ઇ.સ.૧૯૮૯
સં.૨૦૪૩
હિંદી સાહિત્ય સંમેલન તૃતીય ૧૨,સમ્મેલન માર્ગ ઇલહાબાદ સં.૧૯૯૪
Page #618
--------------------------------------------------------------------------
________________
જીવદયા કાજે જંગ
આ પૂર્ણચંદ્ર સૂરિ
પંચપ્રસ્થાન પુણ્ય સ્મૃતિ પ્રકાશન, સુરત
પ્રથમ વિ.સં.ર૦૫૮
કુમારપાળ દેસાઈ
જયભિખ્ખની ધર્મ કથાઓ
અરિહંત પ્રકાશન અમદાવાદ-૩૮૦૦૦૧
પ્રથમ, ગુ ૧૯૮૫
ઈ.સં.ર૦૦ર
જૈન આગમ નવનીત ભાગ-૧
આગમ મનીષી શ્રી ત્રિકાલ મુનિજી મ.સા
જેનાગમ નવનીત પ્રકાશ સમિતિ સુરેન્દ્રનગર
ડૉ.કવિન શાહ
જૈન સાહિત્યનો સ્વાધ્યાય
રીટાબેન કિરણકુમાર બીલીમોરા- ૩૯૬૩ર૧
પ્રથમ સં.ર૦૬૬
ગુલાબચંદ ચૌધરી
પ્રથમ
જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ ભા-૬, ભા-ર
શ્રી અનિલભાઈ ગાંધી શ્રી૦૮ જૈન તીર્થ દર્શન ભવનદ્રસ્ટ, અમદાવાદ-૬
જેનકથા સંગ્રહ
જૈના એજ્યુકેશન કમિટિ
ફેડરેશન ઓફ જેન એસોસિએશન ઇન નોર્થ અમેરિકા
પ્રથમ ઈ.સં.ર૦૧૧
જેનસ્ટોરી મે
મુનિ વાત્સલ્ય દીપ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ઈ.સં.૨૦૦૫
જૈનધર્મની આગમ કથાઓ
નટુભાઈ ઠક્કર
બીજી
જયભિખ્ખ વ્યકિતત્વ વાડ્મય
કુમારપાળ દેસાઈ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
જયવિજય કથા
શુભંકર વિજય
નેમિ વિજ્ઞાન ગ્રંથમાળા
વિ.સં.૧૯૯૧ સંસ્કૃત
ભીમસિંહ માણેક
ભાવનગરી જૈન ધર્મ
જયાનંદ કેવલીનો
રાસ
વિ.સં.૧૯૪૨ પ્રાકૃત
જંબુસ્વામી ચરિત્ર
જયશેખર સૂરિ
જિનશાસન આરાધના
વિ.સં.૧૯૭૦
ટ્રસ્ટ
જંબુ કુમાર
નવયુગ પુસ્તક ભંડાર
વિ.સં.૧૯૮૩
વિમલકુમાર મોહનલાલ ધામી
ગુ
જંબુસ્વામી ચરિત્ર
ઝવેરચંદ
જિનવિજય મ.સા
..૨૦૦૪
594
Page #619
--------------------------------------------------------------------------
________________
જૈનકથા સંગ્રહ
જૈન કથારત્ન
મંજૂષા
જૈન સતીરત્ન
ઝાકળ બન્યું મોતી
તારો જીવનપંથ ઉજાળ
તીર્થંકરોના
જન્માક્ષરો
(જૈન જયોતિષ)
તરંગવતીતરંગલોલા
તૂટે તાર ખૂલેદ્વાર
તણખોઝ રે મનખો ફળે
તરંગવતી
ત્યાગનો વૈભવ
તિલક મંજરી કથા સારાંશ
હેમચંદ્ર સૂરિ
કલ્યાણ બોધિ
વિજય મ.સા
ભાવસાગરજી
મ.સા
લાલચંદ
લખમીચં શાહ
મુનિ વાત્સલ્ય દીપ
પં.ચંદ્રશેખર વિજયજી
શ્રીપાદલિપ્તા ચાર્ય
રજનીકાંત લક્ષ્મીચંદ ત્રિભોવનદાસ જાંબુવાલા
આ.શ્રીમનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી
પૂ.આ.મનોહરકીર્તિ સાગર સૂરિ
મુનિશ્રી વાત્સલ્ય દીપ
( c )
પ્રભુદાસ બેચરદાસ પારેખ
( ત )
595
જિનશાસન આરાધના
ટ્રસ્ટ
સીમંધર સ્વામી જૈન મંદિર
ગ્રંથ ભંડાર
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
કમલ પ્રકાશન ટ્રસ્ટ ઝવેરીવાડ,રિલિફ રોડ
અમ-૩૮૦૦૦૧
જૈન સસ્તી વાંચનમાળા પાલીતાણા
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જૈનસમાધિ મંદિર વીજાપુર
શ્રીબુધ્ધિકીર્તિ પ્રકાશન ટ્રસ્ટ અમદાવાદ-૩૮૦૦૦૭
ગૂર્જર ગ્રંથ કાર્યાલય
વિ.સં.૨૦૫૪ સંસ્કૃત
જિ.આ.ટ્રસ્ટ
વિ.સં.૨૦૩૪
ગુજરાતી
વિ.સં.૧૯૮૦
નવભારત સાહિત્ય મંદિર ૧૩૪.પ્રિન્સેસ સ્ટ્રીટ, મું-૪૦૦૦૨
ગુ
૧૯૭૭
પહેલી
ત્રીજી વિ.સં.૧૯૮૯
ગુ
ગુ
પ્રથમ ઇ.સ.૨૦૦૮
વિ.સં.૨૦૬૩
Page #620
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર ચરિત્ર
દિવ્ય દ્દષ્ટા મહાવીર
દર્શન રત્નાકર ભાગ-૧,૨
ષ્ટિ ખૂલે મુકિત મીલે
દિલ્હીશ્વર
દેદા શાહ
દર્શાણભદ્ર
ચરિત્ર
દાનવીર
જગડું શાહ
ધર્મરત્ન પ્રકરણ
ધર્મકથાનુયોગ ભાગ-૧,૨
ધર્મરત્ન પ્રકરણ
કૃષ્ણલાલ વર્મા જયાનંદ વિજય મ.સા
સા.ર્ડા.દિવ્યપ્રભા
પં.સિંદ્ધાંત સાગરગણિ મુનિ શ્રી અમિતયશ
વિજયજી. સા.
આ.શ્રીમનોહરકીર્તિ
સાગરસૂરિ
જયભિખ્ખુ
વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી
શુભ શીલગણિ હીરાલાલ હંસરાજ
પંડિત
વિમલકુમાર
મોહનલાલ ધામી
શાંતિસૂરિ મ.સા
મુનિશ્રી કનૈયાલાલજી
પંડિત દલસુખભાઇ માલવણિયા
શ્રીશાંતિસૂરિ મ.સા મુનિરાજ શ્રીહરિશભદ્ર
( ૬ )
(ધ)
596
ગુરુ રામચંદ પ્રકાશન
સમિતિ
પ્રાકૃત ભારતી અકાદમી જયપુર-૩૦૨૦૦૩
શ્રીસ્થૂલભદ્રસૂરિ પુણ્ય પ્રભાવક કેન્દ્ર, બેંગલોર
શ્રીમદ્ બુધ્ધિ સાગરસૂરિ જૈન સમાધિ મંદિર વીજાપુર
૩૮૨૮૭૦
હીરાલાલ હંસરાજ
જામનગર
નવયુક પુસ્તક ભંડાર
શ્રીઆરાધના ભવન જૈનસંઘ (દાદર) મું.
ધનજીભાઇ પી.શાહ
નવભારત સાહિત્ય મંદિર ગાંધીરોડ અમદાવાદ-૩૮૦૦૦૧
નવયુગ પુસ્તક ભંડાર
આગમ અનુયોગ ટ્રસ્ટ
૧૫,સ્થાનકવાસી
સોસાયટી, નારણપુરા ક્રોસિંગ-અમ-૩૮૦૦૧૨
વિ.સં.
૨૦૩૨
શ્રીદેવકરણ મૂલજી જૈન દેરાસર પેઢી મલાડ મું-૬૪
પ્રથમ
હિંદી
ગુ
ગુ
પ્રથમ
૧૯૯૦
ચોથી,ગુ
૧૯૮૮
૧૯૯૪
હિં
૧૯૮૫
ગુ
વિ.સં.
૨૦૩૮
પ્રથમ
વિ.સં.
૨૦૪૭
બીજી
Page #621
--------------------------------------------------------------------------
________________
ધન્ય બની ધરા
ઘરના દરિયાપર
ધનધન શાસન
મંડન મુનિવરા
ધન્યકુમાર ચરિત્ર
ધર્મરત્નનાં
અજવાળા
ધન્ના શાલીભદ્ર
ચરિત્ર
ધન્ના શાલીભદ્ર
રાસ
ધર્મિલકથા
(તપકથા)
ધર્મદત્ત કથા
સુપાત્રદાન
ધર્મબિંદુ પ્રકરણ
ધૂર્તાખ્યાન
મિરાજ
નવાંગી વૃત્તિકાર અભયદેવ સૂરિ
નર્મદા સુંદરી કથા
આ.શ્રીમનોહરકીર્તિ
સાગર સૂરીશ્વરજી
મુનિશ્રી વાત્સલ્યદીપ
વિ.શીલચંદ્ર સૂરિ
આ.વિજય પ્રદ્યુમ્ન
સૂરિજી
ચિત્રભાનુ
જિનવિજયજી મ.સા
જિનેન્દ્રસૂરિ મ.સા
જિનેન્દ્રસૂરિ મ.સા
દાનવિજય ગણિ મ.સા
હીરાલાલ હંસરાજ
હરિભદ્રસૂરિ રાજ શેખર સૂરિ
હરિભદ્રસૂરિ મ.સા જિન વિજય મ.સા
પ્રવિણ વિમલ મ.સા
શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર, વીજાપુર
597
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અમદાવાદ-૩૮૦૦૦૧
શ્રીનેમિ-વિજ્ઞાન કસ્તૂર
સ્મારક ટ્રસ્ટ અમદાવાદ
શ્રુતજ્ઞાન પ્રસારક સભા
નવભારત સાહિત્ય મંદિર
અમદાવાદ
હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા
યશોવિજય જૈન સંસ્કૃત ગ્રંથમાળા
જૈન આત્માનંદ સભા
હીરાલાલ હંસરાજ
( ન )
વૈદ્ય મોહનલાલ ચુનીલાલ નવયુગ પુસ્તક ભંડાર ધામી
બેચરદાસ દોશી
સર્વોદય પાર્શ્વ ચેરિટેબલ
ટ્રસ્ટ
સરસ્વતી પુસ્તક ભંડાર
વાડીલાલ એમ.પારેખ
ગુ
પ્રથમ
૧૯૯૫
પ્રથમ
૧૯૯૯
ઇ.સ.૨૦૦૮
પ્રથમ
ઇ.સ.૨૦૦૮
૧૯૯૨
ગુ
૧૯૭૪
ગુ
૧૯૭૧
સંસ્કૃત
સંસ્કૃત
૨૦૫૨
ગુજરાતી
૨૦૦૨
હિં.સં.
૧૯૭૯
પ્રથમ
ઇ.સ.૧૯૫૪
સં.૧૯૩૯
Page #622
--------------------------------------------------------------------------
________________
નરવિક્રમ ચરિત્ર
સં.૧૯૯૧
ગુણ ચંદ્રસૂરિ મ.સા સરસ્વતી પુસ્તક ભંડાર શુભંકરસૂરિ મ.સા શુભશીલ ગણિ હીરાલાલ હંસરાજ હીરાલાલ હંસરાજ પંડિત જામનગર
સં.૧૯૩૯
નર્મદા સુંદરી ચરિત્રમ
હરિભદ્રાચાર્ય મ.સા.
જિનશાસન આરાધના
સં.૧૯૨૭
નળદમયંતી ચરિત્રમ્
ટ્રસ્ટ
ભુવનચંદ્ર વિ.મ.સા
નર્મદા સુંદરી મહાસતી ચરિત્ર
જસવંતલાલ ગીરધરલાલ ગુ.
૧૯૯૧
નળાખ્યાન નાયા ધમકહાઓ
ભોગીલાલ જે. સાંડેસરા ભોગીલાલ જે.સાંડેસરા તુલસી આચાર્ય જૈન વિશ્વ ભારતી મહાપ્રજ્ઞ
૧૯૫૭ હિંદી
નેમિનાથ પ્રભુનું ચરિત્ર
વોરા દડીસંગ ભાઈ
જેન આત્માનંદ સભા
૧૯૮૦
નેમનાથ ચરિત્ર
કાશીનાથ જૈન પદ્મવિ.મ.સા
કાશીનાથ જૈન
૨૦૪૬
ર૦પર
નેમનાથ ચરિત્ર ભાષાંતર
- ગુણવિજય મ.સા જયાનંદ વિ.મ.સા
ગુરુ રામચંદ્ર પ્રકાશન સમિતિ
( ૫ )
પઉમચરિક
ભાગ-૩
કવિશ્રી સ્વયંભૂ દેવ અધિષ્ઠાતા. સિંધિ જૈન પહેલી ડૉ.હરિવલ્લભ ચુનીલાલ શાસ્ત્ર શિક્ષાપીઠ ભારતીય ૧૯૫૩ ભાયાણી
વિધાભવન મુંબઈ
પઉમચરિઉ ભાગ-૨.૩
કવિશ્રી સ્વયંભૂ દેવ શ્રી દેવેન્દ્ર કુમાર જૈન
ભારતીય જ્ઞાનપીઠ કાશી પ્રથમ
ઈ.સં.૧૯૫૮
વિ.સં.ર૪૭૫
પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર
શ્રીદેવભદ્રાચાર્ય મહારાજ
શ્રીજેન આત્માનંદ સભા તરફથી ભાવનગર
હસુ યાજ્ઞિક
પ્રથમ
પ્રાચીન કથાધન (પ્રાકૃત)
કાંતિભાઈ ગોવિંદ લાલ - શાહ, ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧
598
Page #623
--------------------------------------------------------------------------
________________
ભારતીય જ્ઞાન વિદ્યાપીઠ પ્રથમ
પઉમચરિક (હિંદી)
કવિશ્રી શ્રીદેવેન્દ્ર કુમાર
કાશી
પાર્શ્વનાથ ચરિતમ્
શ્રીહેમ વિજય ગણિ વેલસિંહ
મુનિશ્રી મોહનલાલજી વિ.સં. જૈન ગ્રંથમાળા કાર્યાલય ૧૯૭૨ રઘુવીર સિંહ પ્રાસાદ સરસ્વતી ફાટક, બનારસ સિટી
પઉમચરિય જૈન મહારામાયણનો ગુજરાતી અનુવાદ
શ્રી વિમલસૂરિ પૂ.આ.શ્રી આનંદ સાગરસૂરિ ના શિષ્ય આ હેમસાગરસૂરિ
ગોકળદાસ સંઘવી શ્રીગોડીજી પ્રથમ જૈન દેરાસર ૧૨, પાયધુની વિ.સં.ર૦૬૬
.સં.૧૯૭૦
હસુ યાજ્ઞિક
પ્રાચીન કથાધન (પ્રાકૃત)
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પ્રથમ કુવારા પાસે, ગાંધી માર્ગ ૧૯૮૮ અમ-૩૮૦૦૦૧
પાંડવ ચરિત્રમ્ પં.શ્રીદેવ વિજયગણિ ચાને જૈન મહાભારત આ.શ્રીકલ્પયશસૂરીજી સંસ્કૃત ગદ્યબધ્ધ
શ્રીજીરાવાલા પાર્શ્વનાથ વિ.સં. ર૪ તીર્થકર તીર્થ મોડાસા ર૦૬૫ ગુજરાત
પ્રથમ
પરમાર્થના પુષ્પો
ગુ
આ મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી
શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરિ જૈન સમાધિમંદિર, વીજાપુર
પલપલ પલટે પાંખ
પુણ્યની પરીક્ષા
વિમલકુમાર મોહનલાલ
નવયુગપુસ્તક ભંડાર
ધામી
૧૯૮૭ પ્રથમ
પુણ્ય જય પાપે કાય આ.પૂર્ણચંદ્રસૂરીજી
સંસ્કૃતિ પ્રકાશન સુરત
પ્રથમ વિ.સં.ર૦૫૪
પ્રભાવ પ્રજ્ઞાનો સ્વભાવ સંપતિનો
આ.મનોહરકીર્તિ સાગર સૂરિ
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર વિજાપુર
પ્રથમ વિ.સં.ર૦૫૯
પાંડવો ક્યાં?
મુનિરાજ કીર્તિસાગર
સુબોધ શ્રેણી પ્રકાશન પ્રાતિજ-૩૮૩ર૦૫
પ્રથમ વિ.સં.ર૦પ૦
599
Page #624
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાનો પ્રકાશ
મુનિપૂર્ણચંદ્ર વિજયજી શ્રીસંપકલાલ ત્રિભોવન મુનિ રત્નસેન વિજયજી દાસ વાલકેશ્વર મુ-૬
ગુ.વિ.સં. ૨૦૩૫
પાઠશાળા ગ્રં-૧,૨
આ.પ્રદ્યુમ્નસૂરિ મ.સા
પાઠશાલા પ્રકાશન સુરત-૩૯૫૦૦૧
વિ.સં. ૨૦૬૩
પવિત્રકલ્પસૂત્ર
ભદ્રબાહુ સ્વામી મુનિ પુણ્યવિજયજી
જશવંત એન.શાહ નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
પ્રથમ ઇ.સં.ર૦૦૬
પેથડકુમાર ચરિત્ર
શ્રીરત્નમંડણ ગણિ આ.પ્રદ્યુમ્નસૂરિજી મુનિ વાત્સલ્યદીપ
શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ-૧૪
સંવત ૨૦૬૪
પ્રેરણાનો પ્રકાશ
ઈ.સં. ૨૦૦૧
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ભીમસિંહ માણેક
પાંડવ ચરિત્ર ગ્રંથ
મલધારી પંડિત શ્રી દેવપ્રભ સૂરિ
સંવત ૧૯૩૪
પરદેશી રાજાનો રાસ
ભીમસિંહ માણેક
સં.૧૯૫૭
પઉમ ચરિત્ર
સ્વયંભૂ મહાકવિ
૨૦૧૬
સિંધી જૈન શાસ્ત્ર વિદ્યાપીઠ
પઉમ ચરિયું
સદ્ગુણ નિરંજન
નિરંજન યુ.ત્રિવેદી ચીમનભાઈ એસ.રાવળ
પઉમચિરિ ચરિક
ભારતીય જ્ઞાનપીઠ
પઉમસિરિ ચરિઉ
મધુસૂદન ચિ.મોદી કવિ ઘાહિલ ભીમસિંહ માણેક
ભારતી વિદ્યાભવન માનેક હિરજી ઘેલાભાઈ પદમસી
પર્યુષણાદિપર્વો નીકથા સંગ્રહ નામક ગ્રંથ
૧૯૩૭
પર્યુષણાદિ પર્વની કથાઓ
જિન શાસન આરાધના
અમૃત કુશલ પંડિત સત્યસુંદર વિ.મ.સા
ગુ ૨૦૧૬
પર્વકથા સંગ્રહ
લક્ષ્મીસૂરિ મ.સા રામચંદ્ર સૂરિ મ.સા નયવર્ધન વિ.મ.સા
ભારત વર્ષીય જિનશાસન સં સેવા સમિતિ
૨૦૫૫
પર્વકથા સંગ્રહ
ગુણસાગરસૂરિજી
કચ્છ દેશીયા
સં.૨૦૫૫
600
Page #625
--------------------------------------------------------------------------
________________
ધામી.
૧૯૭૯
પાયલ બાજે ઈલાચીકુમાર મોહનલાલ ચુનીલાલ નવયુગ પુસ્તક (ખંડ-૧,૨)
ભંડાર પાર્શ્વનાથ ચરિતમ્ વેલસિંહ
મોહનલાલ જૈન ગ્રંથમાળા
૨૫૧૫
પાર્શ્વનાથ ચરિત્ર
૧૯૯૦
ઉદયવિજય ગણિ નિગ્રંથ સાહિત્ય અનુ.પદ્મવિજય ગણિત પ્રકાશન સંઘ મ.સા
પાર્શ્વનાથ ચરિત્ર
૧૯૭૨
ભાગદેવ સૂરિ મ. વજૂસેન વિ.મ.સા
મોહનલાલ જૈન ગ્રંથમાળા
પાસના ચરિયું
૨૦૦૧
દેવભદ્ર સૂરિજી કુમુદ સૂરિ મ.
જિનશાસન આરાધના ટ્રસ્ટ
પાંડવ ચરિત્ર
શોભાચંદ્ર ભારિલ્લા
હિ.
જવાહર સાહિત્ય સમિતિ ભાવનગર
પાંડવ ચરિત્ર
અરિહંત આરાધના
૨૦૦૧
દેવવિજય ગણિ મ.સા સૌમ્ય જ્યોતિ. મ.સા
દ્રસ્ટ
પુણ્યધન કથા
શુભશીલ ગણિ
હર્ષ પુષ્યામૃત ગ્રંથમાળા
૧૯૮૯
પુસાર ચરિત્રમ
ભાવચંદ્ર સૂરિજી
હીરાલાલ હંસરાજ
૧૯૮૧
ચંદુલાલ એમ.શાહ
નવસ ગ્રંથાવલી
પુણ્યાત્મા અમર કુમાર
કીર્તિ પ્રકાશન
પુષ્પાવતી અને મંગલસિંહનો રાસ
લલિત મુનિ ચિદાનંદ સૂરિ મ.સા
૧૯૧૯
પુંડરિક ચરિત્ર
સંઘવી ડાહ્યાલાલ શ્રીધરલાલ
મેસર્સ એ.એમ. એન્ડ કાં
પુંડરિક ચરિત્ર
કમલપ્રભસૂરિ મ.સા
હર્ષ પુષ્પામૃત ગ્રંથમાળા
ર૦૬૯
પૃથ્વીચંદ્ર ચરિત્ર
માણિકય સુંદર સૂરિજી ભારતી-રાજેન્દ્ર પંડ્યા
૧૯૯૨
601
Page #626
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર ચરિત્ર
સત્યરાજ ગણિ મ. મંગલ વિજયજી મ.સા
યશોવિજયજી જૈન ગ્રંથમાળા
૧૯૭૬
પૃથ્વીચંદ્ર ચરિત્ર
આનંદ સાગર સૂરિ
શ્રુતજ્ઞાન પ્રસારક સેવા
સં.૧૯૭૨
પ્રત્યેકબુધ્ધ ચરિત્ર
ભાવ વિજયગણિ મ.સા રંજી ભાઈ હર્ષ વિજયજી
૧૯૯૬
પ્રદ્યુમ્ન ચરિત્ર
મનોહરલાલ શાસ્ત્રી
માણિકયચંદ્ર દિગમ્બર જૈન ગ્રંથમાલા
૧૯૭૩
ધર્મદાસ ગણિ
હીરાલાલ હંસરાજ
પ્રસન્નરાજર્ષિ ચરિત્રમ્
૧૯૭૪
૨૦૨૪
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
જયચંદ્ર વિ.મ.સા કપૂર સૂરિ મ.સા
જસવંતલાલ ગીરધરલાલ શાહ
જિનસૂર મુનિ
૨૦૪૭
પ્રિયંકર નૃપ કથા (ઉપસર્ગહર સ્તોત્ર)
દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર
ફૂલ અને ફારેમ
પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી
સંસ્કૃતિ પ્રકાશન
ગુ. પ્રથમ વિ.સં.ર૦૫૦
ફૂલવણ, સખે!
મુનિશ્રી વાત્સલ્ય દીપ
ગૂર્જર ગ્રંથ કાર્યાલય
પ્રથમ ઇ.સં.૨૦૦૪
(બ)
સચ્ચિદાનંદ
પ્રથમ
બુદ્ધજાતક ચિંતન-૧
ગૂર્જર સાહિત્ય ભવન રતનપોળ, નાકા સામે ગાંધી માર્ગ,અમ-૩૮૦૦૦૧
બિંદુ એક સિંધુ 'આ મનોહરકીર્તિ અનેક (એપાસનાથ) સાગર સૂરીશ્વરજી
ગુ
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર, વિજાપુર
બિંદુમાં સિંધુ
ચિત્રભાનું
લાલભાઈ શાહ શ્રી જીવન ગુ મણિ સહવાંચન માળા દ્રસ્ટ દ્રિતીય અમદાવાદ
602
Page #627
--------------------------------------------------------------------------
________________
વિ.શીલચંદ્ર સૂરિ
પ્રથમ
બાલશ્રાવક ધર્મરુચિ
શ્રીનેમિ-વિજ્ઞાન કસ્તુર આરાધક ટ્રસ્ટ
૧૯૯૯
બારપર્વની કથા
ભદ્રંકર વિજયજી
ગુજરાતી
વર્ધમાન ભકિતસેવા સંઘ
બારપર્વની કથા
કેશરી ચંદ જવરમલ
યશોભદ્ર વિ.મ.સા ભાનુચંદ્ર વિજયજી
૨૪૮૩
બૃહદ્ કથાકોષ
૨૦૪૮
હરિણાચાર્ય પૂર્ણચંદ્ર સૂરિ
સિધ્ધગિરિ ચાર્તુમાસ સમિતિ
( ભ ).
ભવભાવના પ્રકરણ ભાગ-૧ ભાગ-૨
મલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ પૂ.મુનિ રાજશ્રી ધર્મ શેખર વિજયજી
અરિહંત આરાધના દ્રસ્ટ હિંદુસ્તાનમિલ સ્ટોલ ૪૮૧ ગની ઓપાર્ટમેન્ટ ભિવડી આઝારોડ મું.૪૨૧૩૦૫
ભગવાન ઋષભદેવ
જયભિખ્ખ
લાલભાઈ મણિલાલ શાહ ત્રીજી અમદાવાદ
૧૯૫૮ ગુજરાતી
ભાવભરે ભવતરે
ગુ
આ.શ્રી મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર,વિજાપુર
ભિનાશ ભઇ ઉજાશ. ભાગ-૧,૨
ભીના અંતર સુખ સમન્દર
ભાગ્ય ચક્ર
આ.પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી શેઠશ્રી ડાહ્યાભાઈ દેવચંદ
સંસ્કૃતિ પ્રકાશન
૧૯૯૭ વિ.સં.૨૦૫૪
ભાગ્ય જ્યોત
ચંદુલાલ એમ. શાહ
દીપક પ્રકાશન ગૃહ, રર૦ કીકાસ્ટીટ, મુબઈ-૨
૧૯૫૭ પહેલી
આ ટીપ
મુનિ વાત્સલ્ય દીપ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
૧૯૯૨
ભીતર સૂરજ હજાર
603
Page #628
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકો (ઉવાસગ દશાઓ)
અનુવાદક બેચરદાસ દોશી ગુજરાત વિદ્યાપીઠ
અમદાવાદ
બીજી ૧૯૩૧
ભગવાન મહાવીરની બેચરદાસ દોશી ધર્મકથાઓ (નાયધમ્મ કહા)
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ
દ્વિીતિય સંન.૧૯૫૦
ભગવાન મહાવીર
મીરા ભટ્ટ
સ્વામી શિવાનંદ શતાબ્દી ગુ મહોત્સવ સમિતિ રાજકોટ
નિરંજન વિ.મ.સા
નટવરલાલ ગીરધરલાલ
૨૦૦૬
ભગવાનશ્રી આદિનાથ
શાહ
હીરાલાલ હંસરાજ
ભદ્રબાહુસ્વામી ચરિત્ર
શૂભશીલ ગણિ હીરાલાલ હંસરાજ પંડિત
વિ.સં. ૧૯૯૫
બળવંત જાની
પાર્શ્વ પ્રકાશન
ભરતેશ્વર બાહુબલિ રાસ
૧૯૯૩
જૈન વિદ્યાશાખા
૧૯૯૪
ભરતેશ્વર બાહુબલિ ત્રિપુટી મહારાજ રાસ
ચિદાનંદ મ.સા
મફતલાલ ઝવેરચંદ
૧૯૯૭
ભવિષ્યદત્ત ચરિત્ર મેઘવિજય ગણિ મ.સા (જ્ઞાનપંચમીમહિમા) મફતલાલ ઝવેરચંદ ગાંધી ભાનુચંદ્ર ગણિ ચરિત્ર સિધ્ધિચંદ્ર
મોહનલાલ દેસાઈ
જિનશાસન આરાધના
૧૯૯૭
ભુવનભાનુ કેવલી ચરિત્ર હંસગણિ મ.સા
રમણીક મ.સા
લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિર
(મ ).
મહાવીર
કવિ પ્રદીપ જૈન સુરેન્દ્ર મુનિ
મહાપ્રભુ મહાવીર
શ્રીનાનક ગુરુ જૈન ગ્રંથાલય હિન્દી ઉદયપુર (રાજ)
મહાવીર મેરી દષ્ટિએ રજનીશ
સાધુ ઈશ્વર જાગૃતિ મસ્જિદ દ્વિતીય બંદર મું-૪૦૦૦૦૬
૧૬૭૪ હિન્દી
604
Page #629
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
રજનીશ સ્વામી આનંદ હરીશ
મા યોગી લક્ષ્મી ફાઉન્ડેશન પ્રથમ પૂના
૧૯૭૩ હિન્દી
વિ.સં.ર૦૫૫
મહોપાધ્યાય શ્રીવર મુનિશ્રી રામવિજયજી વિજયજીનું જીવન ચરિત્ર
શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટ
માયાના મૃગજળ
મુનિ રાજરત્ન વિજયજી
શ્રીકાંદીવલી જૈનગ્ધ મુ.સંઘ કાંદીવલી (૫) મું,૪૦૦૦૬૭
પ્રથમ વિ.સં.ર૦પર
પ્રથમ
મધ્યકાળના સાહિત્ય ડૉ. ચંદ્રકાંત મહેતા ના પ્રકારો
પરમસુખ પંડ્યા એના એમ ત્રિપાઠી પ્રા.લિ પ્રિન્સેસ સ્ટ્રેટ મું-૨
ગુ, ઇ.સં. ૧૯૫૮
મુનિ વાત્સલ્યદીપ
મહાસતી અંજના મહાસતી પદ્માવતી
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
” ,,
ર૦૦૫ ૧૯૯૮
મહાન માનવી
૧૯૯૭
મેઘધનુષની માયા
મુનિ વાત્સલ્યદીપજી
,
,
૧૯૯૧
મારી મંગલયાત્રા
સુનંદાબેન હોરા
મહાવીર ચરિતા
.સં.૧૯૬૬
આચાર્ય ગુણચંદ્ર બેચરદાસ દોશી
પ્રાકૃત વિધામંડળ અમદાવાદ-૯
મહાવીર જીવનનો મહિમા
એસ.જે.શાહ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
દ્વિતીય વિ.ર૪પ૪
ભીમશી માણેક
સં.૧૯૬૬
મંગળ કલશ કુમારનો રાસ
ભીમશી માણેક
માનતુંગરાજા અને પં.મોહન વિજયજી માનવતી રાણીનો રાસ
ત્રીજી સં.૧૯૬૨
મધુસંચય
માનવતાનાં મૂલ્ય
મનોહર કહાનિયા
રત્નસેનવિજયજી મ.સા દિવ્ય સંદેશ પ્રકાશન
૧૯૯૬
605
Page #630
--------------------------------------------------------------------------
________________
મચણા અને શ્રીપાળ
મલયસુંદરી ચરિત્ર
મલ્લિનાથ ચરિત્ર
મલ્લિનાથ ચરિત્ર
મહાભારત
મહાભારત કથા-૧
મહામંત્રી શકટાળ
મહાવીર કથા
મહાવીર ચરિત્ર
મહાવીર ચરિત્ર
મહાવીર ચરિત્ર
મહાવીર ચરિત્ર
મહાવીર ચરિત્ર
નિરંજન વિ.મ.સા
જયંતિલક સૂરિ મ.સા કેશર સૂરિ મ.સા
વિનયચંદ્ર સૂરિ મ.સા હરગોવિંદદામ બેચરદાસ
દેવચંદ્રજી મ.સા બુધ્ધિસાગર સૂરિ મ.સા
શુભશીલ ણિ મ.સા
ભિક્ષુ અખંડાનંદ
શંકરદત્ત શાસ્ત્રી
કરસનદાસ માણેક
ચંદુલાલ એમ. શાહ
શોભાનાથ પાઠક ગોપાલ દાસ જીવભાઇ
પટેલ
નિરંજન યુ. ત્રિવેદી ચીમનભાઇ એસ.રાવળ
મહાકવિ ભવભૂતિ વાસુદેવ લક્ષ્મણ શાસ્ત્રી
ગુણચંદ્ર સૂરિ
નચવર્ધન વિ.મ.સા
હેલન એમ.જોન્સન
હેમચંદ્રા ચાર્ય
શીલચંદ્ર વિજયજી
606
નેમિ-અમૃત ખાંતિ નિરંજન ગ્રંથ માળા
મુકિતચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ
શાહ હરખચંદ ભૂરા
ભાઈ
અધ્યાત્મજ્ઞાન પ્રસારક
ઋષભદેવજી
કેશરીયલજી શેઠ
સસ્તુ સાહિત્ય
વર્ધક કાર્યાલય
સ્વાઘ્યાંય મંડળ
ભોમીલાલ રતનાચંદ રાજકવિ
જૈન સાહિત્ય પ્રચાર
સભા
સદ્ગુણ નિરંજન ત્રિવેદી
જૈન આત્માનંદ સભા
ઓરીએન્ટલ ઇન્સ્ટીટયૂટ
વડોદરા
ૠષભદેવજી કેશરીમલજી
૨૦૧૯
૨૦૬૦
*.
૨૦૫૬
હિ
*
*.
જૈનેતર ગુ
=
૧૯૮૬
સંસ્કૃત
૧૯૪૬
ગુ.સં
ઇ.સં.
૧૯૪૧
ગુ
ગુ
ગુ
૧૯૮૦
અં
૧૯૯૩
Page #631
--------------------------------------------------------------------------
________________
મહાવીર ચરિત્ર
મારે જાવું પેલેપાર યા ચરમ કેવલિ
જંબુસ્વામી
મીઠો કથારસ પીવો
મુનિ પતિ ચરિત્ર
મુનિ સુવ્રત સ્વામી ચિરત્રમ્
મૂલદેવનું ચરિત્ર
(સુપાત્રદાન)
મેરુત્રયોદશી
પર્વ કથા
મૌન એકાદશી કથા
ચાકિની મહતરા સૂનુ શ્રી હરિભદ્રસૂરીજી
યોગ નિષ્ઠા બુધ્ધિસાગરસૂરિ
અભયદેવસૂરિ
નિરંજન વિજય મ.સા મફતલાલ સંઘવી
ધર્મગુપ્ત વિજય
મ.સા
પૂર્વાચાર્ય
રત્નાકર વિ.મ.સા
વિનયચંદ્ર સૂરિ વિક્રમ ભાંસ્કર વિ.મ.સા
હર્ષ વિજય મ.સા
ગુણસાગર સૂરિ મ.સા
સૌભાગ્યનંદી સૂરિ
આ.પૂર્ણચંદ્રસૂરિજી
જય ભિખ્ખુ
વૈદ્ય મોહનલાલ
રંગરાગ વિરાગ ઐતિહાસિક નવલકથા ચુનીલાલ ધામી
રાગવિરાગના ખેલ
મુનિશ્રી ભદ્રગુપ્ત વિજયજી
( ૨ )
( ૨ )
607
દેવચંદ લાલભાઇ મુંબઇ
સર્વમંગલ પ્રકાશન
કેન્દ્ર
પ્રેમસૂરિ જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ
અજિતનાથ જૈન છાત્રા
વેપ્સ
ચંદૂલાલ જમનાદાસ
શાહ
ભકિત સુંદર ચરણ
ગ્રંથમાલા
આર્ય જય કલ્યાણ
કેન્દ્ર
દાનસૂરિ જૈન
ગ્રંથમાળા
સંસ્કૃતિ પ્રકાશન
સુરત
અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
નવયુગ પુસ્તક ભંડાર નવા નાકા રોડ, રાજકોટ-૧
શ્રીવિશ્વકલ્યાણ પ્રકાશન
ટ્રસ્ટ સંઘવીપોળ
મહેસાણા
ઇ.સં.૧૯૮૫
પ્રા.
ગુજરાતી
૨૦૩૨
ગુજરાતી
૨૦૪૫
સં
૨૦૩૨
સંસ્કૃત
સંસ્કૃત
ઇ.સં.૧૯૯૬
ગુ
સં
સં
૧૯૩૮
ઇ.સ.૨૦૦૬
ગુજરાતી
ઇ.સ.૧૯૭૧
દ્વિતીય
ઇ.સં
૧૯૮૦
Page #632
--------------------------------------------------------------------------
________________
રત્નશેખર રત્નવતી
કા
રાજકન્યા બંધન
તૂટયા
રેતીમાં મોતી
રણથી ઝરણ
રત્નચૂડ કથા
રત્નશેખર રત્નવતી
કથા
રત્નશેખર રત્નવતી
કથા
રત્નસાર ચરિત્રમ્
રામચરિત માનસ
રૂપસંત ચરિત્રમ
રોહિણી કથા
રોહિણી પર્વકથા
લાગે લગન બુઝે
અગન
જિનહર્ષ સૂરિ મુનિશ્રી અપરાજિત વિજય
વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી
મુનિશ્રી રાજરત્ન વિજયજી
મુનિશ્રી વાત્સલ્યદીપ
જ્ઞાનસાગર સૂરિ મ.સા
શુભવર્ધન ગણિ હીરાલાલ હંસરાજ પંડિત
દયાવર્ધન ગણિ
ત્રિલોકય સાગર ગણિ
તુલસીદાસ હનુમાન પ્રસાદ, યશંવત દોશી
જિનસૂરિ મ અપૂર્વ ભકિતજી
કનક કુશલ વિ.મ.સા
દાન વિજય મ.સા
મુકિત વિમલવિ મ.સા
( ૯ )
આ.મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી
608
શ્રીજિનશાસન આરાધના
ટ્રસ્ટ. મુંબઇ-૪૦૦૦૦૨
નવયુગ પુસ્તક ભંડાર
શ્રીકાંદીવલી જૈન શ્વે.મૂ
સંઘ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
યશોવિજયજી જૈન
ગ્રંથમાળા
હીરાલાલ હંસરાજ
જામનગર
જિનશાસન આરાધન
ટ્રસ્ટ
કૈલાશ કંચન ભાવસાગર
શ્રમણ સંઘ
પરિચય ટ્રસ્ટ
હીરાલાલ હંસરાજ
જૈન આત્માનંદ સભા
ચાવિમલ જૈન ગ્રંથમાળા અમદાવાદ
વિ.સં.
૨૦૫૫
ત્રીજું
૧૯૭૨
વિ.સં
ગુ.૨૦૫૧
ચોથી
૧૯૯૨
સંસ્કૃત
૧૯૭૪
સંસ્કૃત
૧૯૯૪
ગુ.સં.પ્રા
૨૦૫૫
સંસ્કૃત
૨૦૪૭
ગુ.હિ
સં
૧૯૬૮
સં
૧૯૭૧
૧૯૭૫
ગુ
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર, વિજાપુર
Page #633
--------------------------------------------------------------------------
________________
ભીમશી માણેક
લીલાવતી રાણી અને ઉદયરત્નજી મહારાજ સુમતિવિલાસ રાસ
શ્રુતજ્ઞાન પ્રસારક સભા
લઘુ ત્રિષષ્ઠી શલાકા મેઘ વિજયગણિ મ.સા પુરુષ ચરિત્ર પ્રદ્યુમ્ન સૂરિ મ.સા
સંસ્કૃત ૨૦૪૯
લબ્ધિવાર્તા વિહાર
પુણ્યાનંદ સૂરિ મ.સા
ઓમકાર જૈન તીર્થ
૨૦૪૩ ગુજરાતી
વાર્તાદીપ
આ. ભદ્રગુપ્ત સૂરિ
શ્રીવિષ્ય કલ્યાણ પ્રકાશનું પ્રથમ ટ્રસ્ટ મહેસાણા-૩૮૪૦૦૨ (ગુ) ૧૯૮૭
વ્રતધરે ભવતરે
પ્રિયદર્શન
વાર્તા રે વાર્તા મજેની વાર્તા
આ.મુકિતપ્રભ સૂરીશ્વરજી
વિ.સં.૨૦૪૭ વિજય મુકિતચંદ્ર સૂરિ સ્મૃતિ ગુ ગ્રંથશાળા ગોપીપુરા, સુરત
વાર્તા રે વાર્તા બાળકોની વાર્તા
ભીમસિંહ માણેક
વસ્ત્રદાનોપરિ ઉત્તમ ચરિત્ર કુમાર રાસ
વિમલમંત્રી નો રાસ લાવણ્ય સમય.
ભીમસિંહ માણેક
પ્રથમ સં.૧૯૬૮
વસુદેવ હિડી સાર
વીરચંદ્ર પ્રભુદાસ
હેમચંદ્રાચાર્ય જેન સભા
પ્રાકૃત ૧૯૭૪
વસ્તુપાલ ચરિત્ર
જિનહર્ષ ગણિ મ.સા
સંસ્કૃત
જિનશાસન આરાધના ટ્રસ્ટ
વસ્તુપાલ ચરિત્ર
જિનશાસન આરાધના
હેમચંદ્રસૂરિ મ.સા પદ્મબોધિ વિજય મ.સા
ટ્રસ્ટ
૨૦૫૬
વસુદેવ હિડી
જેન આત્માનંદ સભા
સંઘદાસ ગણિ ચતુર વિજય મ.સા
૧૯૮૬ પ્રા
વાસુપૂજ્ય ચરિત્ર
મણીલાલ શાહ
જેન વાંચન માળા
સં.૧૯૧૬
609
Page #634
--------------------------------------------------------------------------
________________
વાસુપૂજ્ય ચરિત્ર
વાસુપૂજ્ય ચરિત્ર
વિક્રમ ચરિત્ર
વિક્રમ ચરિત્ર
વિક્રમ ચરિત્ર
વિમલ મંત્રીનો રાસ
વિજયાનંદ સૂરિ
વિમલનાથ ચરિત્ર
વિમલનાથ ચરિત્ર
વિવેકાનંદકી કથાઓ
વિશ્વજ્યોતિ વિભુ વર્ધમાન મહાવીર
વિશ્વોધ્ધારક શ્રી
મહાવીર
વીરવિજય મ.નું જીવન ચરિત્ર
વીરપ્રભુનું ચરિત્ર
શ્રીકથારત્ન કોષ
માણેકલાલ ચુનીલાલ
વર્ધમાન સૂરિ મ.સા
શુભશીલ ગણિ મ.સા
રમણલાલ સોની
જયસિંહ સૂરિ મ.
લાવણ્ય સમય
સત્ય સુંદર મ.સા
સુશીલ
જ્ઞાનસાગર સૂરિ પદ્મબોધિ વિજય
જ્ઞાનસાગર સૂરિ
રામકૃષ્ણ
મંગળદાસ ત્રિકમદાસ
ઝવેરી
મફતલાલ સંઘવી
મુનિરામ
ભવ્યદર્શન વિ.મ.સા
શ્રીદેવભદ્રાચાર્ય
જૈન આત્માનંદ સભા
અરિહંત આરાધના
ટ્રસ્ટ
610
ૠષભદેવ જૈન ટેમ્પલ
ટ્રસ્ટ
હરિહર પુસ્તકાલય
જૈન ગ્રંથ પ્રકાશક
સભા
જિ.આ.
જૈન આત્માનંદ સભા
જિ.આ.ટ્રસ્ટ
જૈન આત્માનંદ સભા
વિજય દેવસૂરિ સંઘ
સંસ્કૃતિ રક્ષક સંઘ સસ્તુ સાહિત્ય રત્ન મંડળ
જિનશાસન આરાધના
ટ્રસ્ટ
પદ્મવિજય ગણિ જે. ગ્રંથમાળા ટ્રસ્ટ
( શ્ર ) (શ) (૫) (સ)
શ્રીજૈન આત્માનંદ સભા (ભાવનગર)
ગુ.૧૯૯૭
સં.૧૯૮૩
ગુજરાતી
ગુજરાતી
સં.૧૯૮૩
ગુ
ગુ.૨૦૧૬
ઇ.સ.૧૯૬૧
ગુ
૨૦૧૭
ગુજરાતી
૧૯૮૫
ગુ
હિન્દી
ગુજ
૧૯૪૯
ગુ
૨૦૫૫
ગુજરાતી
૨૦૫૯
ગુ
Page #635
--------------------------------------------------------------------------
________________
શ્રીપૃથ્વીચંદ્ર ચરિત્રમ્
રામચંદ્ર પ્રકાશન સમિતિ
રુપવિજય ગણિ પંડિત અમૃત લાલ
શ્રી પાર્શ્વનાથ ચરિતમ્ શ્રીહેમ વિજયગણિ
શ્રીજિનશાસન આરાધના વિ.સં. ટ્રસ્ટ ત્રીજો ભોઇવાડો ર૦૪૬ ભૂલેશ્વર મું-ર
પ્રથમ
શ્રીઉપમિતિ ભવપ્રપંચ સિધ્ધર્ષિગણિ કથા ભા-૩
આ.વિજય ચંદ્રગુપ્ત સૂરિ
શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલીજીયસ ટ્રસ્ટ
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ કલિકાલસર્વજ્ઞ ચરિત્ર પર્વ ૧ થી ૧૦ શ્રીહેમચંદ્રાચાર્ય ૩ ભાગ
સ્વ.શ્રી કુંવરજીભાઈ
જશવંતલાલ ગીરધરલાલ છઠ્ઠી શાહ, શ્રી જૈન પ્રકાશન મંદિર ઈ.સ ૩૦૯/ખત્રીની ખડકી ર૦૧૦ આણંદજીભાઇ.અમ-૩૮૦૦૦૧
સમરાદિત્ય કેવલી
સમરાદિત્ય મહાકથા
હરિભદ્રસૂરિ મહારાજા શ્રીજેનલ્પે.મૂ.પૂ.સંઘ નંદુરબાર - આ.ચિદાનંદ સૂરિ જી.ધુલિયા પી.ન.૪૨૫૪૧૨ મુનિ અમરેન્દ્રસાગર મુનિ શ્રીશ્રમણ સ્થવિરાલય જૈન ઇ.સં. મહાભદ્ર સાગર ઉપાશ્રય તલેટી રોડ, ૧૯૮૮
પાલીતાણા-૩૬૪ર૭૦ બીજી
શ્રી ચતુર્વિધ સંઘ તવારી નંદલાલ બી દેવલુક ખની તેજ ાયા
શ્રીઅરિહંત પ્રકાશન ભાવનગર-૩૬૪૦૦૨
શાસનના સિતારા
પહેલી
પૂનમચંદ નાગરલાલ દોશી
પૂનમચંદ નાગરલાલ દોશી, સદર બજાર, બનાસકાંઠા
વિ.સં ૨૫૦૪
શ્રીઉપમિતિ ભવપ્રપંચ સિધ્ધર્ષિ ગણિ કથા-ભાગ-૧,૨,૩ પં.શ્રીવન્સેન ગણિ
મોતીલાલ ગિરધરલાલ કાપડિયા
ભદ્રંકર પ્રકાશન શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪
વિ.સં. ૨૦૫૯
શ્રીજૈન સાહિત્યની કથા જીવણલાલ છગનલાલ ઓ ભાગ-૧ સંઘવી
જીવણલાલ સંઘવી પંચભાઈની પોળ અમદાવાદ
બીજી વિ.સં ૧૯૯૫
611
Page #636
--------------------------------------------------------------------------
________________
શ્રીપૃથ્વીચંદ્ર ચરિત્રમ્
શીલોપદેશ માલા
શ્રીજૈન સોળ સતી ચરિત્ર (સચિત્ર)
શ્રીમહાવીર કથા
શ્રીકલ્પસૂત્ર કથાસાર
સમરાદિત્ય મહાકથા
શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો
શ્રીસમ્યક્ત્વ કૌમુદી
ભાષાંતર
પં.શ્રી રુપવિજય ગણિ
સંસ્કૃતિની જીવન કથાઓ ફતેહચંદ બેલાણી
ભગવતી સૂત્રની કથાઓ
શ્રીદમયંતી ચરિત્ર
પ.પૂ.સોમતિલક સૂરીશ્વરજી, પૂ.આ. શ્રીમદ્દ વિ.રાજશેખર સૂરિ
શ્રીચંદ્રકેવલીનો રાસ
ગોપાલદાસ જીવાભાઇ
પટેલ
શાહ અમૃતલાલ ઓધવજી દાદાસાહેબની પોળ
અમદાવાદ
સુનંદાબેન વોરા
શ્રીપાર્શ્વનાથ ઉપાસના સ્વ.સારાભાઈ
(કલિકાલ કલ્પતરુ)
પ્રિયદર્શન
નંદલાલ દેવલુક
મણિલાલ નવાબ
પ.પૂ.મુનિશ્રી પદ્મબોધિવિ
જીવણલાલ છગનલાલ સંઘવી
શ્રીમાણિક્ય સૂરિ
જ્ઞાનવિમલ સૂરિ પં.કપૂરચંદ વારૈયા
ગુરુશ્રી રામચંદ્ર પં.અમૃતલાલ ભીનમાલ (રાજ)
612
મુમ્બાપુરી મુલુંડ
શ્રીતપાગચ્છ સમાજ
મગનભાઇ પ્રભુદાસ
દેસાઇ મહામાત્ર, ગુ
વિદ્યાપીઠ, અમદાવાદ
પ,મહાવીર સોસાયટી
અમ.૩૮૦૦૦૭
આનંદ પ્રકાશન મંદિર
ભાવનગર
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મું-૪૦૦૦૦૨
પ્રકાશન સમિતિ
શ્રી જિનશાસન ટ્રસ્ટ, મરીન ડ્રાઇવરોડ મું-૨
બીજી સં.૧૯૫૫
શ્રીચંદ્રકેવલીરાસ સમિતિ
અમદાવાદ
દ્વિતીય
સન ૧૯૫૦
શ્રીવિશ્વકલ્યાણ પ્રકાશક ટ્રસ્ટ. મહેસાણા-૩૮૪૦૦૨
શ્રીઅરિહંત પ્રકાશન વાઘાવાડી ભાવનગર-૩૬૪૦૦૨
રાજેન્દ્ર સારાભાઇ નવાબ
બીજી
(ગુ)
ગુજરાતી
૧૯૪૮
પ્રથમ
પ્રથમ વિ.સં.૨૦૪૭
દ્વિતીય
૧૯૯૨
પ્રથમ
ગુ
વ્ય.સ્થાનકવાસી કાર્યાલય ગુ. પહેલી પંચભાઇની પોળ.અમદાવાદ ઇ.સં.૧૯૮૧
વિ.૨૦૫૬
ગુ
વિ.સં.૨૦૫૭ ઇ.સ.૨૦૦૧
ઇ.સ.૧૯૭૯ વી.સં.૨૫૦૫
Page #637
--------------------------------------------------------------------------
________________
શ્રીવિક્રમ ચરિત્ર ભા-૧ આ.કનક રત્નસૂરિ
-
શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢી, જાંબલી ગલી, બોરીવલી (વે)
શ્રીઉપદેશ પ્રાસાદ આ.૧૭
રત્નત્રયી ટ્રસ્ટ અમદાવાદ ભાષાંતર ભા-૧થી૫ કુંવરજી ભાઈ આણંદજી ૩૮૦૦૧૩
ભાઈ
ગુ.વિ.સં ર૦૫૮
સમ્યકત્વ સપ્તતિ શ્રીહરિભદ્રસૂરિ
ભદ્રંકર પ્રકાશન શાહીબાગ પ્રથમ સા.શ્રી સૌમ્યજ્યોતિશ્રીજી અમદાવાદ-૩૮૦૦૦૪ શ્રીઉપમિતિ કથોધ્ધાર આ.વિ.મુનિચંદ્ર સૂરિજી ૐકાર સૂરિ આરાધના પ્રથમ
ભવન
સંસ્કૃત
પં.શ્રીહિતપ્રજ્ઞ વિજયજી
ગુજરાતી
શાસન પ્રભાવક સૂરિવારો
સન્માર્ગ પ્રકાશન અમદાવાદ
ગ.
શ્રીધન્યકુમાર ચરિત્ર શ્રી જ્ઞાન સાગર
શ્રીરામચંદ્ર પ્રકાશન
હિંદી મુનિશ્રી જયાનંદ વિજયજી સમિતિ શ્રીકામઘટ કથાનકમ્ મુનિ જયાનંદ વિજયાદિમુનિ , સુરસુંદરી ચરિત્ર ધનેશ્વરમુનિ
પ્રવચન પ્રકાશન પૂના પ્રથમ રામવિજયજી
વિ.સં.૧૯૭૨ શ્રી જેને કથારત્ન મંજૂષા પંડિત મફતલાલ ગાંધી શ્રી કૈલાસ કંચન શ્રમણ
સેવા ટ્રસ્ટ, ગોરેગાંવ (વે)
મું-૪૦૦૦૬ર શ્રીમૂલશુધ્ધિ પ્રકરણ શ્રી પ્રદ્યુમ્ન સૂરિ શ્રીજિનશાસન ટ્રસ્ટ
મુનિ રત્નબોધ સંસ્કૃતિના સુવર્ણ શિખરે આ મનોહરકીર્તિ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ ગુ સાગર સૂરિ મ.સા જૈન સમાધિ મંદિર વિજાપુર
૩૮૨૮૭૦
પ્રથમ
સુકાતન ભીનામન
પ્રિયદર્શન
સબસે ઊંચી પ્રેમ સગાઇ
શ્રીવિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ મહેસાણા
ઈ.સં.૧૯૮૪
13
Page #638
--------------------------------------------------------------------------
________________
શ્રધ્ધાની સરગમ
સુખ દુઃખની
ઘટમાળ
સૌભાગ્ય કંકણ
સાહિત્ય સૌરભ
ગ્રંથ-૪
શ્રેષ્ઠ ભારતીય લોક કથાઓ
શ્રીદેવકીજીના ષટ પુત્રનો રાસ
શાંતિનાથ ચરિત્ર
શાંબ,પ્રદ્યુમ્ન ચરિત્ર
શ્રીત્રિષષ્ઠિ શલાકો પુરુષ ચરિત્ર ભા-૧,૨,૩,૪
સત્ત્વ સમૃદ્ધ સ્થૂલભદ્ર
શીતળ પવન (જૈન કથાઓ)
શીલવતી સતી કથા
શુકરાજ કથા
પૂર્ણચંદ્ર વિજયજી
શેઠ મોતી શાહ
વૈદ્ય મોહનલાલ
ચુનીલાલ ધામી
ડૉ.રમણલાલ ચી.શાહ
હસુ યાજ્ઞિક
આ.હેમચંદ્રા આચાર્ય
આ.પ્રદ્યુમ્ન સૂરિજી
મુનિ વાત્સલ્ય દીપ
ભાવચંદ્ર સૂરિ પદ્મવિજયજી મ.સા
રવિસાગર ગણિ મ.સા સુલોચનાશ્રીજી
માણિકય સુંદરસૂરિ
મોતીલાલ ગિ, કાપડિયા
614
કલ્યાણ સાહિત્ય
પ્રકાશન
નવયુગ પુસ્તક ભંડાર રાજકોટ-૩૬૦૦૦૧
શ્રીમુંબઇ જૈન ચુવકસંઘ
ખેતવાડી મું.૪૦૦૦૦૪
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અરિહંત પ્રકાશન
મોક્ષપથ પ્રકાશન
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ભીમશી માણેક
નિગ્રંથ સાહિત્ય પ્રકાશન સંઘ
અમીતભાઇ મહેતા
હંસવિજય જૈન લાયબ્રેરી
આર્ય જય કલ્યાણ
કેન્દ્ર
ગોડીજી જૈન દેરાસર
ગુ. પ્રથમ વિ.સં.૨૦૩૫
ગુ.પ્રથમ વિ.સં.૨૦૪૨
ગુ,ત્રીજી
૧૯૮૩
પ્રથમ
૨૦૦૬
પહેલી
૨૦૦૯
સં.૨૦૪૧
વિ.સં.૨૦૬૬
ઇ.સં
૨૦૦૮
વિ.સં.
૧૯૬૫
હિન્દી
સં.૨૦૪૪
સં
૧૯૭૬
ઇ.સં.૧૯૯૫
સં
ગુ.૨૦૪૭
Page #639
--------------------------------------------------------------------------
________________
શ્રીપાલ કથા
શ્રીપાળ ચિરત્રમ્
શ્રેણિક ચરિત્ર
શ્રીપાળ રાજાનો રાસ યશેાવિજયજી મ.સા
રસિકલાલ મહેતા
સચિત્ર તીર્થકર ચરિત્ર
હરિવંશ પુરાણ
હંસરાજ વચ્છરાજ
નો રાસ
હરિશ્ચંદ્ર રાજાનો રાસ
લબ્ધિસાગર સૂરિ મ. ભવ્યાનંદ વિ.મ
જ્ઞાતા ધર્મકથાગ સૂત્ર
જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્ર
જ્ઞાતાધર્મ કથા
જ્ઞાતા ધર્મ કથા
જિનયશસૂરિ મ. લબ્ધિસૂરિ મ.
જૈન ધર્મ પ્રસારક સભા જિન પ્રભસૂરિ મ.
જિન પ્રભસૂરિ મ.સા જિન પ્રભસૂરિ મ.સા
અમર મુનિ મ.સા
( હું )
શ્રીજિનસેન સૂરિ પંડિત દરબારીલાલ
જિનોદય સૂરિ
કનક સુંદર
( જ્ઞ )
અમર મુનિ મ.સા
પૂર્ણચંદ્ર સાગરજી મ.સા
સુધર્મા સ્વામીજી
અભયદેવ સૂરિ મ.સા
615
જગચંદ્ર સારાભાઇ
નવાબ
મૂલચંદજી હીરાચંદજી
ઝવેરી
જૈન બુક ડેપો
જૈન ધર્મ પ્રસારક સભા
જૈન ધર્મ પ્રસારક સભા
પદ્મ પ્રકાશન
માણિકયચંદ્ર દિગમ્બર જૈન ગ્રંથ માલા સમિતિ
ભીમશી માણેક
ભીમશી માણેક
પદ્મ પ્રકાશન
જૈનાનંદ પુસ્તકાલય
આગમોદય સમિતિ
વેણીચંદ્ર સુરચંદ્ર
સં.૧૯૩૭
સં.૧૯૯૬
૨૦૧૬૫
ગુ
૧૯૬૧
ગુ
સં.૧૯૯૨
ઇ.સં.૧૯૯૫
હિ
પાંચમી વિ.સં.૧૯૭૩
વિ.સં.૧૯૫૩
વિ.સં.૧૯૭૫
૧૯૧૯
Page #640
--------------------------------------------------------------------------
Page #641
--------------------------------------------------------------------------
Page #642
--------------------------------------------------------------------------
________________
વિવાર તા.
માનિબંધ લોકાર્પણ સમારંભ રામા મકાનોમાની રાજના
R
_
કરિ
મ ર કનને કાર મિનાર તમામ ના
રન)
હાંરા લોકાર્પણાશભાાલિવાણીશાઊણાં
Page #643
--------------------------------------------------------------------------
Page #644
--------------------------------------------------------------------------
________________ मनजिरायने सयमसमनाली सरजमामीडोरेममांसमवकपभाजनमेषभुजाकारजोय नचलावा माविमा मुमुकरबरोय२वपराभवसंभलीमायोमरचीनकोसानपीनरकनारसमेल्लामविरमसारपुराधिनानविन जयापारमानोबी विणकांतरेपनामलभानबाजीसनीडभी पारिवनमान સૂર્યની આતાપતા લેતા પ્રસનચંદ્ર રાજર્ષિ, સુમુખ અને દુર્મુખ वmam JO ચંદ રાજાની કથા दीपक के पास खडा राजा-राणी। सास बह को मंत्र दे रही है, जिसे राजा गुप्त रूपसे सुन रहा है। Hitesh Dasadia 9819803941