________________
૧૪
જૈનમુનિઓને ધારામાં આવવાનો જે પ્રતિબંધ હતો, તે દૂર કરવામાં આવ્યો. આ પ્રસંગે ધનપાળને અને ભોજરાજને પ્રસંગે પ્રસંગે જે કાવ્ય વિનોદ થયો છે. તે વાંચકોની રમુજ ખાતર કેટલોક અત્રે ટાંકીશું.
એક વખત ભોજરાજ મહાકાળના મંદિરમાં બેઠો હતો. ધનપાળ ત્યાં જઈ ચડ્યો. શીવ વગેરે મંદિરોની સામેથી પાછો ફર્યો.
ભોજરાજે પૂછ્યું – આમ કેમ ?” “દેવ શક્તિમાતા સાથે બેઠા છે. તેથી શરમાયો છું.”
આટલા દિવસ તો જતો હતો ? “નાનો બાળક હતો. એટલે શરમાતો નહીં.” “એમ કે ”
આજ સુધી લોકો અને તમે પણ એવા જ. આશ્ચર્ય છે કે બીજા દેવનું શિર પૂજાય અને મહાદેવનું પુરુષચિહ્ન પૂજાય.”
તેવામાં શિવમંદિરની બહાર ઉભેલા ભૂંગીગણની મૂર્તિ જોઈ રાજાએ પૂછ્યું
સિદ્ધસારસ્વત ! આ ભૂંગીગણ દુર્બળ કેમ ?” "दिग्वासा यदि तत्किमस्य धनुषा ? सास्त्रस्य किं भस्मना ? भस्माप्यस्य किमङ्गना ? यदि च सा कामं परिद्वेष्टि किं ? । इत्यन्योन्यविरुद्धचेष्टितमहो पश्यन्निजस्वामिनं भंगी शुष्कशिरावनद्धमधिकं धत्तेऽस्थिशेषं वपुः ॥
[શંકર ભગવાન દિગંબર છે. તો એમને ધનુષની શી જરૂર ? ધનુષધારિ છે, તો ભસ્મ શા માટે ? ભસ્મ લગાવે છે કે સ્ત્રી શા માટે રાખે છે ? સ્ત્રી રાખીને કામદેવ ઉપર દ્વેષ શા માટે રાખતા