________________
૧૫૧
વિચિ−“અરે પણ શું બોલ્યા ? બોલને દીકરી !''
મલ૦–“મેં બરોબર હોતું સાંભળ્યું.'' વિચિ−પાસે બેઠી હતી ને ન સાંભળ્યું ?''
મલ−‘તે વખતે મારું ધ્યાન બરોબર ન હોતું. મારું ચિત્ત વ્યગ્ર હતું.'
વીર્યo–“મહારાજ ! શું કરીએ ? આવી જ રીતે તે વખતે પણ આનું ચિત્ત વ્યગ્ર થયું હશે.'’
વિચિ−‘આર્ય ! તમે સમજી શકો છો ? કે તે જ્ઞાનીએ શું કહ્યું હોવું જોઈએ ?’’
વીર્ય−એ જાણવામાં શું છે ? જ્યારે તારી આ પુત્રીનું લગ્ન થશે ત્યારે બધા કુટુંબીયો મળશે.''
વિચિ—એમ કે મલયા ?''
વીર્ય–“મહારાજ ! બિચારી શરમની મારી બોલી શકતી નથી ને આપ વારંવાર એની એ વાત પુછો છો. હજાર વાર કહેશો તોયે એ બાબત પોતાને મોઢે નહીં જ બોલવાની.’
વિચિત−પ્રધાનજી ! તો પણ મારે પુછવું છે. મલયસુંદરી ! કેમ સાચી વાત નહીં કહે ?''
મલ૦–‘પ્રધાનજીએ બધી વાત સાચે સાચી જ કહી દીધી
ને ?''
વિચિ−પણ વિવાહ વખતે કુટુંબીઓને ખબર કેમ પડશે ?’' આ સંબંધમાં તારી માએ કેમ જ્ઞાનીને ન પૂછ્યું ?'' મલ−‘“બધુએ પુછ્યું હતું. તેઓએ જવાબમાં–