Book Title: Tilakmanjari Katha Saransh
Author(s): Ravikantvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 397
________________ ઉપસંહાર મેઘવાહન નૃપ દિક્ષા ફરવા નીકળેલા વિદ્યાધરો હિરવાહનના લોકોત્તર ગુણોની સ્તુતિ કરતા હતા તેથી ધીમે ધીમે જગતમાં તેનો યશ ફેલાયો, તેથી વિસ્મય પામી રાજા મેઘવાહને સમરકેતુ, કમળગુપ્ત વગેરે સહિત તેને તેડાવી શાસ્ત્રવિધિપૂર્વક પોતાના રાજ્યાસન પર બેસાડ્યો અને પુત્રની સાથે સ્પર્ધા કરાવા મોટો ક્ષમાધર (રાજામુનિ) થઈ પોતે પરલોક સાધન કરવા તૈયાર થયો અને મદિરાવતી સાથે વનમાં ગયો. હરિવાહને નિમકહલાલ બાળપણના નોકરોને અનેક દેશો આપ્યાં, હમેશાં ઈનામ આપી ખુશી રાખેલા કમળગુપ્ત વગેરે રાજપુત્રો તેની પાસે જ રહ્યા. સકળ પ્રાણીઓને અભયદાન આપવા અભયઘોષણા પડહ વગાડ્યો. દરેક મતવાળાના મંદિરોમાં રાજ્ય તરફથી પૂજાનો પ્રબંધ કરી આપ્યો. સમભાવ રાખી દાર્શનિકોનું પરસ્પરનું વૈર શાંત કરાવ્યું. પુષ્કળ દાન આપી દેશમાં કોઈ દરિદ્રી ન રહેવા દીધો. મૂત્સદી રાજ્યાધિકા૨ીઓ દ્વારા કરો ઓછા કરાવ્યા છતાં આવતા અનગળ ધનથી ભરેલા ધનભંડારો દાન આપી ખાલી કરવાનો રીવાજ પાડ્યો. સામે થતા રાજાઓને પદભ્રષ્ટ કરી નમ્ર થયા પછી તેની ગાદી પાછી સોંપી અનેક રાજ્યાભિષેકો કરાવ્યા. ગામે ગામ સત્રશાળાઓ

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402