________________
૨૯૦ કહ્યા પ્રમાણે બન્ને આભરણો બન્નેને આપ્યા અને કહ્યું
જંગલમાંથી આવેલા કુમારની કુશળતાથી આ નિશાની.” એ સાંભળી હર્ષભેર મલયસુંદરીએ મારા હાથમાંથી વીંટી લઈ પહેરી લીધી. પહેરતાની સાથે જ જાણે પૂર્વજન્મ યાદ આવ્યો હોય તેમ એકદમ શોક નિમગ્ન થઈ ગયા અને તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા.
દેવી તિલકમંજરીએ પણ હર્ષપૂર્વક આશ્ચર્યથી પેલો હાર પુત્રમાફક લઈ છાતીએ લગાડ્યો, (પહેર્યો) ચારે તરફ તેના કિરણો ફેલાવા લાગ્યા અને તેથી તે પૂર્ણિમાની રાત્રી પેઠે શોભવા લાગ્યા. થોડી વારમાં તો તેનું મૂખ પડી ગયું અને જાણે ઓળખતી હોય તેમ જોઈને મને ગદ્ગદ્ કંઠે પૂછ્યું
સૌમ્ય ! આ હાર મનુષ્યલોકમાં કેવી રીતે આવ્યો ? અને કુમારને ક્યાંથી મળ્યો? એ કંઈ જાણે છે ?”
મેં જવાબ આપ્યો-“આગળ અયોધ્યા નગરીમાં શક્રાવતાર તીર્થમાં પ્રભુ ઋષભ દેવના દર્શન કરવા જતાં મેઘવાહન રાજાને ખુશી થયેલા જવલનપ્રભ નામના દેવે આ હાર આપ્યો હતો. આટલું સાંભળતાં જ બાકીના મારા શબ્દો સાંભલ્યા વિના જ આંખો મીંચી પલંગ પર મૂછ ખાઈ ઢળી પડ્યા. મૂર્છા વળી એટલે સખીઓએ કારણ પૂછ્યું પણ જવાબ ન આપ્યો, લાંબા નિસાસા મુકી દુઃખમાં ને દુ:ખમાં આખી રાત ગાળી.
સવારમાં વાત સાંભળી વડિલો જોવા આવ્યા હતા, તેઓને અને જતાં અટકાવનાર આખા કુટુંબની વાત સાંભળ્યા વિના તીર્થયાત્રા નિમિત્તે વૈતાઢ્ય પર્વતની નજીક આવેલા અષ્ટાપદ