________________
૩૧૧
વિચિત્રવીર્યને કરવાનું છે.’” એ પ્રમાણે ત્રિકાલજ્ઞ મુનિએ ફરમાવ્યું છે. જો હુકમ આપો તો હાલને હાલ ત્રિકૂટ જાઉં, અને મહારાજને યાદ દેવડાવી લગ્ન માટે તૈયારી કરાવું.’
“ઠીક જા, એમ કર.''
હુકમ સાંભળી ત્યાં ગઈ, અને બધું તે પ્રમાણે કર્યું. બસ, આપે ફરમાવ્યું તે જણાવ્યું.
જે હવે કરવાનું હોય તે ફ૨માવશો, ને સમરકેતુ જમાઈને પ્રયાણ કરાવો (મોકલો). જોષીએ આપેલું મૂહુર્ત નજીક છે. કાંચીથી આવેલા કુસુમશેખર વગેરે રાજલોક વમૂખ જોવાની રાહ જુવે છે, વિવાહ દર્શનોત્કંઠિતા પુત્રી પિતાના ખોળામાં બેઠી છે. સાસૂ ગંધર્વદત્તાની આંખોમાંથી વારંવાર હર્ષાશ્રુ વહે છે. મહેલની અગાશી પર ચડી બંધુસુંદરી વગેરે સખીવર્ગ માર્ગાવલોકન કરે છે. ગંધર્વકની રાહ જોતી ને વનવાસના દુઃખોથી દુબળી પડી ગયેલી તરંગલેખાને પ્રશાંતવૈર તપોવનમાંથી લાવ્યા છીએ, અને નિમંત્રેલા વિદ્યાધરો પણ આવી ગયા છે.'
હરિવાહને હર્ષભેર સમરકેતુને બોલાવ્યો, કાગળ આપ્યો, કલ્યાણકે કહેલી ગઈકાલના બનાવોની વાત કહી, પછી હાથ જોડી કહ્યું-ચંપાધિપ ! હજુ શું વિચારો છો ? ઉઠો, ગુર્વાશા માન્ય કરો. સગાં વહાલાંઓએ કહ્યા છતાં દૃઢ નિશ્ચયવાળી મલયસુંદરીએ હજુ વનવલ્કલો તજ્યાં નથી.’’
સુવેલ (ત્રિકૂટ) તરફ જવાની તૈયારી કરી સમરકેતુને ત્યાં ૧. ચંપા અંગ દેશની રાજધાની અંગ દેશ રાજા મેઘવાહને સમરકેતુને ખાનગી ખર્ચ પેટે વર્ષાસનમાં આપ્યો છે. તે વાંચકોને યાદ હશે. પરિચ્છેદ બીજું જુઓ.