Book Title: Tilakmanjari Katha Saransh
Author(s): Ravikantvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 376
________________ (૨. પૂર્વભવ) સૌધર્મ દેવલોકમાં લીલાવતંસ નામના વિમાનમાં પરમ સમ્યગ્દષ્ટિ સામાનિક દેવ (ઈદ્ર જેવી સમૃદ્ધિવાળો) જ્વલનપ્રભ નામે ઈદ્રનો સન્યાધિપતિ હતો. તેણે અનેક અસુરોને જીતી ઘણો યશ પ્રાપ્ત કર્યો હતો. એમને અપ્સરાઓ સાથે વિલાસ કરતાં અનેક કોટિકલ્પો વીતી ગયા. કેટલીક નિશાનીઓથી દિવ્યાયુગની પૂર્ણતાનો નિશ્ચય કરી અવિરત સમ્યક દૃષ્ટિ દેવને બીજી કોઈ રીતે જન્માન્તરમા દુર્લભબોધિ લાભ મળતો નથી એવું જાણી ઉચ્ચ પ્રકારની વિવેક બુદ્ધિને લીધે વિમાનવાસ છોડી સબંધીઓને પોતાની કાવસ્થા જણાવ્યા વિના જ કેટલાક દેવ સાથે સ્વર્ગમાંથી નીકળી ગયો. જતાંની સાથે જ તેની સ્ત્રી પ્રિયંગસુંદરી દેવી કદી વિયોગ સહન નહિ કરેલ હોવાથી એકદમ વિરહાકુલા સ્વર્ગનાં સુખો છોડીને શોકગ્રસ્ત ચહેરે કેટલાક દેવ સાથે પ્રિયના સમાચાર જાણવા જંબુદ્વિપમાં આવી. જવલનપ્રભ દેવનો મિત્ર સુમાલિ પણ પ્રિયવદા નામની પત્નીને સ્વર્ગમાં મૂકી નંદિશ્વર વગેરે દ્વિપોમાં વિહાર કરવા ગયો હતો, તે પણ પોતાના પતિના સમાચાર જાણવા જંબૂદ્વિપમાં આવી, બન્ને સખીઓ એકઠી મળી મહાવિદેહ ક્ષેત્રોમાં પુષ્કરાવતી વિજયનાં વિહરમાન સૂરાસૂરસેવિતચરણ સર્વજ્ઞ ભગવાન જયંતસ્વામી પાસે જઈ પૂછ્યું – ભગવાન ! હું અને આ મારી સખી પતિના વિયોગને લીધે દેવલોક છોડી અહીં આવેલ છીએ. કહો, સ્વામી ! અમને

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402