Book Title: Tilakmanjari Katha Saransh
Author(s): Ravikantvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 386
________________ ૩૦૩ સાધનો લઈ ઘણી ઘણી આજીજી કરી છતાં કોઈનું કહ્યું સાંભળ્યા વિના જ સિદ્યાયતનના રંગમંડપમાંથી બહાર નીકળ્યા. જળપ્રવેશ કરી મરવાનો નિશ્ચય કરી અષ્ટપાર સરોવરનો રસ્તો લીધો. એવામાં પરિજન પાસેથી પુત્રીમરણના સમાચાર સાંભળી વિદ્યાધરપતિ ચક્રસેન રાજાએ મોકલેલો પ્રકર્ષન નામનો વૃદ્ધ પ્રતિહારી પોતાના માણસો સાથે આવ્યો હતો. તે આગળ આવી ટુંકમાં કહેવા લાગ્યો મને આપના પિતાએ સંદેશો કહેવા મોકલ્યો છે. અને કહેવડાવે છે કે-“બેટા! તિલક ! તારું આ કામ સર્વથા પ્રશંસાપાત્ર છે. જેથી તે વિનાશની વાત સાંભળી સ્વદેહ ત્યાગ માટે તૈયાર થઈ છો. કઈ કુળવધૂ સામાન્ય પતિના પણ દુ:ખદ સમાચાર સાંભળી જીવી શકે છે ? તો પછી પૂર્વભવના સબંધી, સર્વગુણનિધિ, અપૂર્વ પ્રેમસંપત્તિશાળી પતિના દુ:ખદ સમાચાર સાંભળી તારા જેવીનો આ પ્રયત્ન સર્વથા ઉચિત જ છે. પરંતુ ગઈકાલની દુ:ખદ હકીકત સાંભળી છતાં કેટલાક શુભનિમિત્તોથી કહી શકું છું કે હજુ કુમાર ક્ષેમકુશળ છે. અને તે દૂર નથી જ. આટલામાં જ ક્યાંક પોતાના કામમાં ગુંથાયેલ હોય, કે ગમે તેમ હોય. એવું ધારી છ માસની અવધિએ દરેક વિદ્યાધરોને ચોપાસ તપાસ માટે મોકલી દીધા છે. તેઓ દરેક ગામ, નગર, અરણ્ય, પર્વત વગેરે ઠેઠ માનુષોત્તર પર્વત સુધી તપાસ કરી જ્યાં સુધી પછી પાછા ન આવે ત્યાં સુધી બેટા ! તારે રાહ જોવી.” ગુરુઓની આજ્ઞાથી આગળ ચાલવું એકદમ અટકી ગયું. તેથી જાણે આઘાત થયો હોય તેમ આંખમાંથી આંસુની ધાર

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402