________________
૧૭૩ ખુશબુદાર અત્તર ક્યાંથી લાવી ? તારી આંખો ઉજાગરાથી લાલ થઈ ગઈ છે, તેથી જણાય છે કે આખી રાતનો ઉજાગરો કર્યો હશે, વ્હેન ! આખી રાત ઉજાગરો કરવાનું શું કારણ છે ? શ્વાસ સમાતો નથી, બગાસા પર બગાસા આવે છે, શરીરે પરસેવો બાઝયો છે, બહેન ! તારા ગાલ ફીક્કા પડી ગયા છે, તું દુબળી પડી ગઈ હોય તેમ મને કેમ જણાય છે ? તું આ પથારીમાં સુતી હતી છતાં, હું પહેલા એકવાર સવારમાં ઉઠીને આવી હતી, તે વખતે બરોબર તપાસ કરી હતી છતાં તું જોવામાં ન હોતી આવી. હમણાં જ મેં તને જોઈ. આ બધું શું? સાચું કહે, મને તો કંઈનું કંઈ થઈ જાય છે. મારા મનમાં કંઈ કંઈ વિચાર આવી જાય છે. બોલ બ્લેન! ઝટ કહે.”
આ રીતે ગુપ્ત રીતે રાતમાં દિવ્ય સુરતના ઉપભોગનો તેને હેમ આવ્યો, ને તેથી વારંવાર તે પૂછવા લાગી, મને જરા હસવું આવ્યું ને પછી મેં કહ્યું
“સખી ! તું ગભરાઈશમાં, જેવા તેવા વિચાર કરવાની જરૂર નથી. કોઈપણ પ્રકારનો વ્હેમ રાખીશ નહીં. હલકા પ્રાણી જેવું આચરણ હું કરું એમ સ્વપ્નમાં પણ માનીશ નહીં.” પછી પ્રથમથી માંડી ઈતિ સુધી રાતની બધી હકીકત કહી આપી. તે ખુશ થઈ, ને વારંવાર એની એ વાત પુછતી થોડીવાર બેસી ઘેર ગઈ.
મને વિચાર થયો-“હું પલંગમાં સુતી હતી છતાં બધું સુંદરી મને જોઈ શકી નહીં, તથા પેલા રાજકુમાર અને ખલાસીની સામે જ હું ઉભી હતી. છતાં પેલા ખલાસીએ કહ્યું કે–‘તારી પ્રિયાને કોઈ પરિવાર સહિત બીજે ઠેકાણે લઈ ગયા.” આ બે