________________
૧૯૨ ‘છળ પકડનારી ! એ બધી ગુપ્ત વાત છે, કહેવાની નથી.” બંધુસુંદરી વહેમમાં પડી ગઈ, મારી સામે જોવા લાગી, આ શું ? કેવી રીતે આ આના અનર્થનો હેતુ હશે? આવા આવા તર્ક કરતી મારી સામે જોવા લાગી.
મને હસવું આવ્યું. કેમેય રોક્યું રહ્યું નહીં, છેવટે જરા હસી જવાયું.
હસતાં હસતાં મે તેના કાનમાં અમૃત રેડ્યું. તે કામદેવ સરખા કુમારને જોઈ ઘણો જ સંતોષ પામી, ને બોલી
બહેન ! તે ભારે કરી, પ્રથમ વખતના વિયોગે તે પ્રાણોનો ત્યાગ ન કર્યો, ઉન્મત્ત ન થઈ, મહાવ્રત ન સ્વીકાર્યું, આવી રીતે ને આવી રીતે દુઃખ અનુભવી સ્નેહ પ્રગટ કર્યો.”