________________
૨૧૦
આ વાત સાંભળી મારી માતાએ કહ્યું – “દેવ ! જો એને દૂર મોકલવી હોય તો, વધારે સારું તો એ છે કે- જયાં આપનો અને મારો પ્રથમ મેળાપ થયો હતો તે મલય પર્વતની પાસેના પ્રશાંતવર નામના આશ્રમમાં મોકલી આપો. જેમાં
પ્રાત:કાળે હોમ થાયે જ, તેથી, હોમાગ્નિના ધુમને મેઘ માની, હર્ષાનંદ આશ્રમોનાંય કેકી,
લાંબી નાખે ત્રાડ કેકારવાની. ૧ સૂણી સર્પો હાસતાં વ્હીક પામી, થંભી રહેલા ધ્યાનમાં લીન જેની, બાંધી માળા પંખીઓ રહે, જટામાં, આવી તેમાં શીધ્ર પેસી જતા'તા. ૨
| (શાલીની છંદ:) ત્યાં ત્રિકાળજ્ઞાની, શાંતિનિકેતન ભગવાન શાંતાપ નામના કુળપતિની સેવામાં રાખવાથી મારા જીવને ઘણો સંતાપ નહીં થાય, અને મારા જેવડી વૃદ્ધ તાપસીઓની હુંફમાં સુખે દિવસો ગાળશે.”
હું તૈયારી કરવા તુર્ત ઉભી થઈ, માએ તત્કાલોચિત મંગળ ઉતારણાં ઉતાર્યા. “અરે રે ! વ્હાલાને નહીં મળી શકું? હવે
ક્યાં મેળાપ થશે ? જરાએ વાતચીત કેવી રીતે કરવી ?” એમને એમ ચિંતામાં ને ચિંતામાં માતાને પ્રણામ કરી ઓરડાની બહાર નીકળી.
હાથણી તૈયાર હતી તે પર હું બેસી ગઈ, મારી માની બાળસખી તરંગલેખા-જે સર્વ શિખવ્યવહાર ને મોટાના ઘરની