Book Title: Tilakmanjari Katha Saransh
Author(s): Ravikantvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 368
________________ ૨૮૫ હું શું માગુ ? મને જે ઈષ્ટ છે તે હવે હું મારી મેળે જ સાધી લઈશ (મરણ), તે બાબત કંઈ મારે પૂછવાનું નથી જ પણ જેને માટે આ મંત્રસાધન કરવાનું મેં માથે લીધું છે, તે આ બારણામાં બેઠેલા અનંગરતિ વિદ્યાધરને પૂછો કે તેને શું પ્રિય છે ?' વિસ્મય પામી તેણે કહ્યું–“અહો ! મહાસત્વ ચૂડામણી! પ્રિયના વિયોગથી થયેલું મનનું દુ:ખ દબાવી બીજા પર ઉપકાર કરતાં તમારું સુચરિત્ર અમને ઘણો જ આનંદ આપે છે. તમારા વિના બીજો કયો માણસ બીજા માટે આટલું બધું નિષ્ફળ દુઃખ સહન કરે ?’' વળી પોતાનું જ રાજ્ય બીજા ગમે તેને આપી દે તેવો તમારા વિના કોણ છે ? જો કે આપનું વચન અમારે અત્યન્ત આદરથી માનવું જ જોઈએ, પરંતુ આચાર (રીતિ) એવો છે કે– જે મહાસત્વશાળી વિધિથી દેવતાઓનું આરાધન કરે અને જેના ગુણોથી દેવીઓનું મન વશીભૂત થાય તેને જ તે સિદ્ધ થાય છે. પણ એકના આગ્રહથી બીજાને સિદ્ધ થાય નહીં. તેમજ આ અનંગતિને પણ વ૨ મેળવવાની ઈચ્છા નથી જ. જો કે તેણે સ્વાર્થ ખાતર પ્રાર્થના કરી હોય તેમ જણાય છે, પણ ખરી રીતે પરમાર્થ માટે જ તેનો પ્રયત્ન હતો. સાંભળો, પહેલાંની વાત જાણવા જેવી છે. તેણે કહ્યું– આ વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તરશ્રેણીમાં ગગનવલ્લભ નામનું નગર છે. ત્યાં વિક્રમબાહુ નામનો ચક્રવર્તી રાજા હતો. દોહા “નાઠી શોભા કમળતણી, ભમરા ભમે ગભરાઈ રોવે ચકવા, સામે તીર-પ્રિયા એની, આંખે નીર.” ૧

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402