________________
૨૮૬
ચારણ તણી વાણી સુણી-સાંજસમે ગુણખાણ અનિત્ય જાણી સર્વભાવો કરે મોજ-શોખની હાણ. ૨
એવી રીતે વૈરાગી થયો અને મોક્ષ માટે સર્વજ્ઞ સૂચિત કલ્યામ માર્ગ સ્વીકાર્યો. તેની ગાદીએ બેસાડવા કોઈ યોગ્ય રાજકુમાર નહીં મળવાથી શાક્યબુદ્ધિ નામના પ્રધાને અનંગરતિ નામના પોતાના ભત્રીજાને કહ્યું–
“અનંગ ! બીજું કામ છોડીને એકસ્ટ્રંગ નામના પર્વત તરફ જા. ત્યાં સૈન્ય સહીત અષ્ટટપાર સરોવરને કિનારે મિત્રની શોધ કરવા પડાવ નાંખીને રહેલા રાજા મેઘવાહનના હિરવાહન નામના કુમારને કોઈપણ પ્રકારે સમજાવીને વિદ્યા આરાધન કરવા આજને આજ તૈયાર કર. એ પહેલાના પુણ્યને લીધે મહાસાત્વીક છે અને પ્રાર્થનાનો ભંગ તો કોઈ રીતે કરે તેમ નથી જ. વળી આજે અષ્ટાપદ પર્વત ઉપર પધારેલા મુનિ મહારાજા પાસેથી તેના જ પૂર્વભવની વાત સાંભળીને વિરસેન વગેરે વિદ્યાધરો આવ્યા છે. તેઓ પાસેથી તેનો વૃત્તાન્ત સાંભળી મેં નિશ્ચય કર્યો છે કે એ વિદ્યાઓ સિદ્ધ કરી લે, એટલે એ જ મહાસાત્ત્વિકને મહારાજ વિક્રમબાહુની ગાદીએ બેસાડું “જેવો મંત્રીરાજનો હુકમ.’’
એમ કહી તે ત્યાંથી નીકળ્યો. પર્વત પર જ એકલા, ઉદ્વેિગ, આડે માર્ગે ચાલતાં આપને જોયા અને ઉપાય વિચારી પરસ્પર પ્રેમ જોડાનાં મરણને બાને તમને વિદ્યા સાધવામાં જોડ્યા.''
માટે . આ પરોપકારની વાત જવા દો, તમારા ઉપરની પ્રીતિથી અને સાહસથી વશ થયેલ આ બધી વિદ્યાઓનો સ્વીકાર કરો. મહામંત્રી શાક્યબુદ્ધિનો પરિશ્રમ સફલ કરો. અને વિદ્યાધરો