________________
૨૬૫
અડાવે છે ? વિદ્યાધરાધમ ! મને નથી ઓળખતો કે ? હું તે હું જ છું, બીજો કોઈ નથી, સમજ્યો ને ?
મારા પૂર્વના કૃત્યો અત્યારેકોને મુખે તને સંભળાવું ? પ્રથમ જેને પંચશૈલદ્વિપમાં કિલ્લા પરથી સમુદ્રમાં પડતી બચાવીને પોતાને ઘેર કાંચીનગરમાં અગાશી પર સુવારી હતી, તે આ રાજકન્યા તો મૂર્છામાં છે, અને વિદ્યાધરોએ આપેલા હિરચંદનના તિલકથી અદૃશ્ય થયેલી આને સન્મુખ છતાં નહીં જોતાં સમુદ્રમાં પડતાં જે રાજકુમારને પણ બચાવી તેની છાવણીમાં મૂક્યો હતો, તે પણ અહીં હાજર નથી.
તેથી દુષ્ટ ! હું ક્રુર હૃદયવાળો ? તું નહીં ? આવડો મોટો આકાશી માર્ગ છોડીને સિદ્ધવિદ્યાધરો વડે પૂજાતાં આ દેવાયતન પર ધ્વજાપતાકા ઉડાડતાં જતાં તને શરમ ન આવી ? તીર્થની આશાતના કરતાં તારી છાતી કેમ ચાલી ? અને આગળ આવીને જતાં આશાતનાથી બચાવવા ખાતર અટકાવનારને દયાળુ ડાહ્યાનો ડોળ કરી “ખસો, ખસો'' કહીને કનડે છે ! આ તારી દુશ્ચેષ્ટાથી આજ તારો અધઃપાત સમજ, ક્યાં જઈશ ? લુચ્ચા ! આજ ઠીક મહોદરની નજરે ચડ્યો છો. હતાશ ! તારી આકાશગામિની વિદ્યા આજથી ગઈ, અને જોજે હમણાં જ પક્ષીરૂપે આમતેમ ભમતો તને જોઈશ. નમ્ર થઈ જઈ શા માટે શરણ માટે નકામો પ્રયત્ન કરે છે ? તારી બધી આશાઓ નિષ્ફળ થઈ સમજ. જ્યા સુધી અમારી સ્વામીની (લક્ષ્મીદેવી)ની મહેરબાની ન થાય ત્યાં સુધી ગમે તેટલા પ્રયત્ને ઓ દુરાચાર ! તારૂં મૂળ સ્વરૂપ પામીશ જ નહીં.'’
એમ કહી હુંકાર કરી ત્યાંને ત્યાં ઉભા રહી પેલા વિમાનને અદૃષ્ટપાર સરોવરમાં ક્યાંયનું ક્યાંય ફેંકી દીધું.