________________
૨૮)
વીંટી મલયસુંદરીની આંગળી શોભાવે તેમ કર” એમ કહી તેને રવાના કર્યો.
બીજે દિવસે સવારમાં અગાશી પર ચડી ગંધર્વકની રાહ જોતો હતો તેવામાં ચતુરિકાને ગભરાતી ગભરાતી આવતી જોઈ.
“કેમ આ એકલી મલયસુંદરી વિના આવી હશે ?” એમ વિચાર કરતો હતો, તેવામાં તે નજીક આવી મેં જરા હસીને બોલાવી. એટલે પ્રણામ કરી પાસે બેઠી, થોડી વારે આજુબાજુ જોઈ ધીમે રહી બોલી–
“કુમાર ! જ્યારથી આપને અને મલયસુંદરીને તિલકમંજરી પોતાને ઘેર તેડી ગયા હતા, ત્યારની તેમના ચરણોની પરિચર્યા કરતી હું ત્યાંજ રહી હતી. આજે તેમની આજ્ઞાથી આ તરફ આવતી હતી તેવામાં મને એકાંતમાં બોલાવી આંસુથી ઉભરાતાં નયને દેવી તિલકમંજરીએ આ પ્રમાણે આજ્ઞા કરી. “ભદ્ર ! તું
જ્યાં જાય છે, ત્યાં કુમાર હરિવહન રહે છે, તેને આ આપજે.” એમ કહી એક પત્રનું પરબીડીયું મને આપ્યું.” ચતુરિકાએ તે મારા તરફ ફેંક્યું. તુરત મારી ડાબી આંખ ફરકી, થોડીવાર રહી મેં તે હાથમાં લીધું ખોલી તેમાંનો પત્ર વાંચવા લાગ્યો
“સ્વસ્તિ, એકશૃંગ પાસે રહેતા મહારાજ પુત્ર શ્રી હરિવહનને મસ્તક નમાવી અત્યન્ત દુ:ખના ભારથી દબાયેલી તિલકમંજરી વિજ્ઞપ્તિ કરે છે કેહૈયે ધરેલા મોતી હારે
કંઠ મ્હારો ભેટીને१. आश्लिष्य कण्उमप्तुम गुक्तरहारेण हृदि निविष्टेन ।
सरुषेव वारितो मे त्वदुरापरिरम्भणारम्भः ॥१॥