________________
નવમ પરિચ્છેદ ૧. પણ તમે અહીં ક્યાંથી ?
વાતો ખૂબ ચાલી. બંધુસુંદરી ઉલટાવી ઉલટાવી દિયાત્રાની વાત પૂછતી હતી, તેમાં પ્રસંગે સમુદ્ર મુસાફરીની વાત આવી એટલે મેં હિંમતથી પૂછ્યું
આર્યપુત્ર ! તે વખતે ઉત્પન્ન થયેલો ભય હજુ મને શાંત થતો નથી. તેથી પુછું છું, કે–તે વખતે તમે સમુદ્રમાં પડ્યા, તેમાંથી તમને કોણે બહાર કાઢ્યા ?' શરમાતા શરમાતા તેણે જવાબ આપ્યો-“દ્રવિડરાજતનયે ! તમારૂં મુખચંદ્ર જોઈ પ્રયત્નશીલ કોઈ અદષ્ટ. (નશીબે, અદૃષ્ટ પુરૂષ)”
જો કે, આર્યપુત્ર ! આપણા પુણ્ય સંજોગથી ખેંચાઈ આવેલા કોઈ અદષ્ટ જ આપને બહાર કાઢ્યા, એ વાત તો નક્કી, પણ વિસ્તારથી તો કહો, મને બહુ નવાઈ લાગે છે.”
સાંભળ ત્યારે ચંદ્રમુખી ! કહું, સમુદ્રમાં પડ્યા પછીની મારી બધી વાત કહું છું
તે વખતે જ્યારે તું અદૃશ્ય થઈ ગઈ, એટલે હું વિયોગ ન સહન કરી શકવાથી સમુદ્રમાં પડ્યો, તેવામાં કોઈનો અકસ્માતુ ગંભીર અવાજ આ પ્રમાણે સાંભળ્યો
“ઓ ! રાજકુમાર ! તારા જેવા લાયક માણસને આ