________________
૧૮૩ ઓ ! સકળ જંતુઓના કાર્યના સાક્ષિ ઈદ્ર વગેરે ભગવાન લોકપાલો ! તે વખતે તે કુમારને મેં જોયો, તેને મારા સ્વામી તરીકે સ્વીકાર્યો, ત્યાર પછી કોઈપણ પુરૂષને મે સરાગ દૃષ્ટિથી જોયો નથી. આ સત્ય વાતનો, પોતાના ચારિત્રની શુદ્ધતા જાળવવા ખાતર કરેલ આ જીવન ત્યાગનો જો પ્રભાવ હોય તો, તે જ રાજકુમાર સાથે મને આવતા જન્મમાં મેળાપ થાય, અને તે જ મારો સ્વામી થાય.” એમ કહી ગળામાં ફાંસો, ઘાલી જમીન તરફ શરીર લટકતું મૂકી દીધું.