________________
૧૫૩
આ અમારી વાતચીતને અનુમોદન આપતો પ્રભાતનો મંગળ શંખ વાગ્યો.
સંગીત બંધ કરાવ્યું. વિદ્યાધર રાજાઓને વિસર્જન કર્યા. મારી સામે તેમજ રાજકન્યાઓની સામે જોઈ પોતાના હજુરી માણસને બોલાવ્યો.
વિચિ−‘અરે પવનવેગ ! આ મલય સુંદરીને અહીંની દરેક ચીજ અને સ્થળો બતાવજે. પછી દરેકને છુપી રીતે પોતપોતાને ઘેર પહોંચાડી દેજે.'
આસન પરથી ઉઠી પ્રભુએ પ્રણામ કર્યો. બહાર નીકળી વિમાનમાં બેસી આકાશમાર્ગે રવાના થઈ ગયા.
તેઓ ગયા પછી પેલા પુરૂષે પેલી રાજકન્યાઓનું મુખ્ય પદ મને આપ્યું. સાથે ફરી બધા રમ્ય સ્થળો જોવા અમને સૂચવ્યું. સખીઓ સાથે ઉભી થઈ આગળ ચાલીને જોયું તો તે મંદિર જાણે મેંજ કરાવ્યું હોય, જાણે પૂર્વ ભવમાં જોયું હોય તેવું લાગ્યું. તેમાં ગભારામાં મહાવીર પ્રભુની પ્રતિમાના દર્શન કર્યા.
સુવર્ણમય સિંહાસન પર પ્રભુપ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. હિરચંદનનો અંગરાગ ચોપડ્યો હતો. કલ્પવૃક્ષોના પુષ્પની માળાઓથી પુજા થયેલી હતી. કાળાગુરુના ચૂર્ણનો પ ધમધમાટ કરી રહ્યો હતો. પ્રભુનું દર્શન અત્યન્ત શાંતિ વિસ્તારતું હતું.
જાણે મારા પિતા હોયની, ઘણો વખત પરદેશ રહી આવેલા સ્વામીને જોતી હોઉની, કોઈ ઉપકારીની સામે ઉભી હોઉંની, તેમ હૃદયમાં ગાઢ ઉત્કંઠા થઈ આવી. જાણે કોઈ પૂર્વ જન્મના