________________
૪૫
"तज्जन्मा जनकाङ्ग्रिपङ्कजरजः सेवाप्तविद्यालवो विप्रश्रीधनपाल इत्यविशदामेतामबध्नात्कथाम् । "अक्षुण्णोऽपि विविक्तसूक्तिरचने यः सर्वविद्याब्धिना श्रीमुञ्जेन सरस्वतीति सदसि क्षोणीभृता व्याहृतः"
તાત્પર્ય એ છે કે-પોતાના પિતાના ચરણકમળની સેવાથી વિદ્યાલવને પ્રાપ્ત થયેલા, અને સર્વ વિદ્યાના સમુદ્રરૂપ એવા મુંજરાજાએ સભાની અંદર “સરસ્વતી' એવા મહત્ત્વસૂચક ઉપનામથી બોલાવેલા મેં ધનપાળ વીખે આ કથા રચી છે.
આવી રીતે લંબાણપૂર્વક કથાની પીઠીકા પૂર્ણ કરવામાં આવી છે. અને પછી મતિ તાનિરતરત્નસુરનો ઇત્યાદિ રમણીય ગદ્ય દ્વારા પ્રભાવ પૂર્ણ કથાનો પ્રારંભ કરવામાં આવે છે.”
કવિ પોતે જ કબુલ કરે છે કે આ કથામાં અભૂત રસ છે, ‘અમુતરસા' ખરેખર અદ્ભત રસવાળી છે. પાત્ર કલ્પના એવી સાર્થક છે કે-એક ગૌણ પાત્ર દ્વારા પણ અનેક નેમો સાધી લેવામાં આવે છે. કોઈ પણ પ્રસંગને રસમય કર્યા વિના છોડવામાં આવતો જ નથી. તેના એક જ દાખલા તરફ વાંચકોનું લક્ષ્ય ખેંચશેસમરકેતુ અને તારક દિવ્ય સંગીત સાંભળી અંધારી રાતે હોડીમાં બેસી રત્નકૂટ તરફ જાય છે. કેટલો હર્ષ ! કેટલો આનંદ ! તેવામાં એકાએક સંગીત બંધ થાય છે. કઈ તરફ હોડી ચલાવવી એ મુશ્કેલી ઉભી થાય છે. તે પ્રસંગે સમરકેતુનો પશ્ચાત્તાપ. તેવામાં એકાએક વિદ્યાધરોનું ટોળું પહાડ પરથી આકાશમાર્ગે ઉડે છે અને પ્રકાશ થાય છે. એટલે હોડી ચલાવવાની અનુકૂળતા થાય છે. જો કે કવિને સમરકેતુ રત્નકૂટ પર્વત તરફ ચોક્કસ લઈ જ જવો છે. વચ્ચે કાઈપણ દૈવી કે સમુદ્રને લગતી મુશ્કેલી ઉભી થતી નથી. વિદ્યાધરો પ્રાતઃકાલ થવાથી સ્વસ્થાન તરફ જવાની તૈયારી કરવામાં હતા એટલા માટે તેઓને સંગીત બંધ કરવું આવશ્યક હતું એટલા માટે તેઓએ