________________
૧૪)
જીનેશ્વરની પૂજા કરી. પાછળ પાછળ એક પરિચારિકા જતી હતી.
મૂળ નાયકને પ્રદિક્ષણા આપી મારી સામે આવી ઉભી રહી. મારી સામે જોઈ મારો વેશ, મારી આકૃતિ જોઈ સત્કારપૂર્વક બોલી –
મહાભાગ ! મારા જેવાના સુભાગ્યે જ આપ અહીં પધાર્યા છો, ઉઠો, હંમેશાં સુખી આપના શરીરને જરા તસ્દી આપી થોડાક પગલાં મારી સાથે આવો. અમારું વનવાસીઓનું ઘર પવિત્ર કરો.”
ચાલો,” એમ કહી ઝરોખા પરથી ઉતરી. તેની પાછળ પાછળ ત્રણ માળના પેલા મઠ પાસે આવ્યો. જ્યાં તેં કાલે ગંધર્વકને જોયો, ત્યાં હું ઉપર ગયો એટલે તે પણ ઉપર આવી. ખુટી પર વલ્કલ લટકાવેલા હતાં. ભીંતની અડોઅડ પથારી પડી હતી, તેના પર અક્ષમાળા મુકી હાથમાં કમંડળ લઈ હાથ પગ ધોઈ અર્ધાદિ આપી મારો સત્કાર કર્યો. એક ગાદલી લાવી તેના પર બેસી મારો વૃત્તાન્ત પૂછયો. તે જણાવ્યો. મારા તરફ તેનો પક્ષપાત વધ્યો.
તે વખતે હાથમાં ફળોની ટોપલી લઈ એક પરિચારિકા આવી એટલે મને કહ્યું
“રાજપુત્ર ! બપોર થવા આવ્યા છે. મારે મધ્યાહ્નકાળની ક્રિયા કરવા વનમાં જવાનું છે. તમે પણ મારી સાથે આવો. ને મધ્યાહ્ન ક્રિયા કરી લ્યો. જમવાનો વખત થવા આવ્યો છે.” એમ કહી ચાલી. અને વનમાં ગઈ. એક પત્થર પર બેસી પુષ્પવતી