________________
૫૦
આ મારા કોષમાં વ્યસ્પત્તિ ધનપાળ તરફથી (ધનપાળના કોઈપણ ગ્રંથમાંથી) છે એમ સમજવું. વળી બીજું પ્રમાણ એ છે કે ત્રિવેન્દ્રમણી સંસ્કૃત ગ્રંથમાળામાં એક ધાતુઓને લગતા ૨૦૦ શ્લોક પ્રમાણનો ગ્રંથ છે. તેના ૨ પુરૂષાકાર નામની ટીકા છે. તેમાં ધનપાળનું નામ લગભગ ૪૫ સ્થળે આવેલ છે. હાલ એ ગ્રંથ મારી પાસે હયાત નહીં હોવાથી વિશેષ નિર્ણયો લખી શકતો નથી. આ
કોરિટં, સિરિમાલ, ધાર આહાડુ, નરાણી અણહિલવાડઉં વિજયકોટ્ટ, પુણ પાલિતાણ વિમ્બિવિ તાવ બહુત ઠામમણિચો છુ (?) પઈસર જં અક્કવિ સચ્ચઉરિવીલોકણિહિ ન દીસહ. ૧૩ સહસ્તેવિ લોયણહ તિન્દુ ન હોઈ નિયંતહ વયણ સહસ્તેહિ ગુણ ન તુટુ નિક્રિયહિ થર્ણતહ એક્કજીહ ધણપાલુ ભણઈ ઈજ્જુ જમ્મહ નિયણું કિં વનઉં સચ્ચઉરિવીરુ હલું પુણુ ઈક્કોણણ. ૧૪ રખિ સામિ પરંતુ મોટુ નેહુડુય તોડહિ સુમ્મદંસણિ નાણુ ચરણુ ભડ઼કોહિ વિહાડહિ કરી પસાઉ સચ્ચઉરિવી જઈ તુહુ મણિ ભાવઈ તઈતુzઈ ધણપાલ જાઉ જહિ ગયઉ ન આવઈ. ૧૫
શ્રી સત્યપુરમંડન ૫૦ ધનપાલકૃત શ્રી મહાવરી ઉત્સાહ
સમાપ્ત [આ ઉત્સાહની પ્રત સંવત ૧૩૫૦માં લખાયેલી છે અને પાટણ ફોફલીયાવાડાના શેઠ હાલાભાઈ મગનલાલના ભંડારમાંથી મળી છે. આમાં સોમનાથ વગેરેના નાશની વાત લખી છે. મહંમદ ગઝની ઈ.સ. ૧૦૨૪ માં ગુજરાત પર ચઢી આવ્યો અને ત્યાંથી જઈ સોમનાથનું શિવલિંગ તોડ્યું. એ બનાવો બન્યા પછી આ ઉત્સાહ બન્યો હોય એમ આમાંના ઉલ્લેખ પરથી સ્પષ્ટ સમજાય છે. અને એ બનાવો બન્યા તે વખતે ધનપાળની વિદ્યમાનતા હતી. તેણે આ સ્તુતિ પોતાની પાછળની વયમાં બનાવી છે. કારણ કે ધનપાળ પાછલી વયમાં જ સાચોરમાં રહ્યાનું આપણે આગળ જોઈ ગયા છીએ. | વિક્રમ સંવત ૧૦૮૦ માં મહંમદ ગઝનીની ચડાઈ. ૧૦૭૮ માં ભોજરાજ ગાદી પર આવ્યા તે વખતે ધનપાળ વિદ્યમાન હતા. એટલે તેમણે આ ઉત્સાહ બતાવ્યો હોય એમ માનવાને કારણ મળે છે.]