________________
પર વડિલોએ ન આપેલી મને અક્રમે ઝટ વરતો તું રહેજે વને જ એ બહુ ગહને લઈ અગ્નિ સાથે ત્યાં ?
આ આર્યા બોલવી શરૂ કરી કે દરેકનું ધ્યાન તે તરફ ખેંચાયું બોલતી વખતે જ અર્થનું સ્કૂરણ થઈ જવાથી પરિવાહન કુમારે સ્પષ્ટીકરણ શરૂ કર્યું
મંજીરક ! આ તો અનંગ લેખ છે. કોઈ ભર જોબન બાલાએ વ્હાલા ઉપર એ લખ્યો છે. તે કોઈ રાજા મહારાજા કે ધનાઢ્ય શેઠ શાહુકારની પુત્રી હશે કાં તો કોઈના ગુણમાં લટ્ટ થયેલા ચિત્તની પ્રેરણાથી કે ચતુર સખીઓની વારંવારની ટોંકણીથી શરમ છોડી આ પત્ર લખ્યો હોય એમ જણાય છે.
આ પત્ર કોઈ યુવાન નાગરિક ઉપર લખ્યો છે. પ્રથમ એકાંતમાં મળવાથી પરસ્પર બન્નેના ચિત્ત મળ્યા હશે, ને પછી નાયકે કન્યાના મા-બાપ પાસે લાલચ બતાવી હશે, અને જ્યારે તેઓએ ધ્યાન નહીં આપ્યું હોય ત્યારે હૃદયમાં મુંઝાયેલા તે યુવાને દૂતી દ્વારા કહેવડાવ્યું હશે કે–‘તમારા વડિલોએ મારી અનુકુળ અનુવૃત્તિ પર જરા પણ ધ્યાન આપ્યું નથી, હવે કોઈ ઉપાય નહીં સૂજવાથી કામાગ્નિથી બળતું આ મારું હૃદય અનુચિત ઉપાય પણ તને હૃદયેથરી બનાવવા મથે છે, હવે એમાં મારો જરાયે વાંક નથી.”
આ રીતે “પ્રીતમ કંઈ સાહસ કરશે' એવી તેણીને ખાત્રી થઈ હશે ત્યારે તેને સૂચના આપવા આ પત્ર લખ્યો છે. આમાં જે લખ્યું છે તેનો ભાવાર્થ આ પ્રમાણે છે.
જોકે મારા માતાપિતાએ તમારા તરફ ઉદારતા નથી બતાવી, છતાં અનુચિત ક્રમથી હરણ વગેરે કરીને મારી સાથે