________________
૪૬
બંધ કર્યું. તે સમરકેતુના પશ્ચાત્તાપનું કારણ બન્યું અને વાંચકો આગળ એ સમરકેતુનું સાહસ એક રસિક રીતે ખડું થયું. તરત વિદ્યાધરોને જ આકાશમાર્ગ ઉડાડી પ્રકાશની નિશાની આપી સમરકેતુના કામમાં અનુકૂળતા કરી આપી. (વાંચો દિવ્યસંગીત અને નૂપૂરઝાંકર એ પ્રકરણો) સ્થળે સ્થળે, પ્રસંગે પ્રસંગે અભૂત રસનાયક તરીકે વિરાજે છે. બીજા દરેક રસો પણ તે તે સ્થળે વાંચતી વખતે વાંચકોને તન્મય બનાવે છે. એ અનુભવથી ગમ્ય થશે.
તેમની ભાષા, તેમની વર્ણનશૈલી વગેરે કાવ્યને લગતી સમાચનાઓ કરવાનું આ સ્થળ જ નથી, તે કરીએ, તો એક ગહન ગ્રંથ થાય. તે બાબતો યથાર્થરૂપે વાંચકો સમક્ષ ખડી કરવાનું હાલ મારામાં પણ સામર્થ્ય નથી. એટલે આટલેથી જ વિરમું છું. પણ જો પ્રસંગ મળશે તો તે પણ કરવા ઉમેદ છે.
લિ. પ્રભુદાસ બેચરદાસ પારેખ