________________
આવી ગયું, તેને સહેજ ભય લાગ્યો, પાસે આવી, વાંસા પર હાથ મૂકી મૂખ પિતાના મૂખ તરફ લઈ જઈ શાંત અવાજે બોલી–
બાપૂ ! ઓ બાપૂ !! આજ આમ કેમ ?” જવાબ ન મળ્યો. ફેર પૂછવા પ્રયત્ન કર્યો
બોલોને, શરીર અસ્વસ્થ છે ? માથુ દુ:ખે છે ? આજ કેમ મારી સાથે બોલતા નથી ?'
બાળાના શબ્દોમાં સ્નેહાર્દ ભક્તિનું પૂરજોસ હતું, તેનું હૃદય ચીમળાઈ જતું હતું. મૂખપર ગ્લાની પથરાઈ ગઈ હતી. સહૃદય કવિ કેટલુંક સહન કરી શકે ? છેવટે ધનપાળને બોલવું પડ્યું.
“કંઈ નહિ, બહેન ! જા, જમી લે. મને આજે ઠીક નથી.”
શું થયું છે ? કહો, મને નહિ કહો ? હું કારણ જાણ્યા વિના જમવાની જ નથી.”
“તું હઠ ન કર. જા જમી લે. તારે બાળકને જાણવાની કંઈ જરૂર નથી.”
ના, કહો તે સિવાય અહીંથી ઉઠવું છે કોને ?” ધનપાળે ન છૂટકે હકીકત કહી.
“હશે જે થયું તે થયું. પણ તમે ઉઠો અને સ્નાન કરી ભોજન લ્યો. કથા મને યાદ છે. કારણ-જ્યારે આપ લખતા હતા ત્યારે વખતે વખતે હું આવતી હતી અને તે વાંચતી હતી. જે મને યાદ છે. તે હું લખાવી આપીશ.”
ધનપાળ પુત્રીને ભેટી પડ્યો. ઘણો જ ખુશી થયો. સ્નાન કરી જમ્યો.
પુત્રીના મુખથી બધી કથા સાંભળી પુસ્તક પર લખી. ત્રણેક