________________
૩૪
મહેન્દ્રસૂરિના પ્રયત્નને પરિણામે આઈદ્ધર્મી આ બન્ને ભાઈઓના અવસાનથી તે વખતની સાહિત્ય વાડી સુની થઈ ગઈ.'
૧. સુધારણા
આ બીજા પ્રકરણમાં પહેલા વિભાગમાં મુંજ પહેલાનો રાજ્યકર્તા સિંધુરાંજ ગણેલ છે, તે ભ્રમ થવાથી લખાયું છે, ખરી વાત એવી છે કે
વૈરસિંહ રાજાએ મુંજને દત્તક કરી લીધા પછી તેમને સિંધુરાજ પુત્ર થયો. એટલે મોટો હોવાથી મુંજ રાજા થયો. બન્ને ભાઈને ઘણે ભાગે અણબનાવ રહ્યો છે અને મુંજે છેવટે તેનો અંત આણ્યો છે. મુંજ પછી ગાદીએ આવનાર ભોજરાજ આ સિંધુરાજનો પુત્ર છે.” આ હકીકત જોઈ બીજું યથાતથ્ય સમજી લેવું.
- લેખક