________________
૩૨
તે શ્રી શાંતિસૂરિને મળવા ગયો. જતાં જતાં કહેતો ગયો.
આજ સુધી મારું વચન ક્યાંયે ખંડિત થયું નહોતું. માટે મારું વચન ખંડન કરનાર ધનપાળ ! તમે સાક્ષાત્ સરસ્વતી છો, બ્રાહ્મણ નથી.”
ધર્મ પાટણ ગયો. સૂરીશ્વર સાથે વાદમાં હાર્યો. નિરહંકાર થઈ સૂરિની સ્તુતિ કરી પોતાને ત્યાં ગયો.
પ્રાતઃકાળે ધર્મને રાજાએ બોલાવ્યો, સમાચાર મળ્યા કે “તે અહીં નથી.”
ધનપાળે કહ્યું
“એવી કહેવત છે કે “ધર્મનો જય થાય, અધર્મનો જય ન થાય.” પણ એ કહેવત ખોટી પડી, છેવટે “ધર્મની ગતિ ઉતાવળી’ એ કહેવત સાચી પડી.” (અર્થાત્ ધર્મ અહીંથી જલ્દી ચાલ્યો ગયો છે.) રાજા હસ્યો અને કહ્યું – “જીવ વિનાના શરીર જેવી તમારા વિના મારી સભાની સ્થિતિ છે. માટે મિત્ર ! અહીં જ રહો. જવાનો વિચાર મૂલતવી રાખો.”
ધનપાળને સંતોષ થયો. પછી ત્યાં જ રહ્યો.
ભોજને અને ગુજરાતના રાજા ભીમદેવને પરસ્પર વૈમનસ્ય હતું એટલે એકબીજાને લાગમાં લેવા પ્રયત્ન કરતા હતા. આવે પ્રસંગે સૂરાચાર્યે ગુર્જરેશ્વરને એક ભોજથી વિરુદ્ધ શ્લોક બનાવી આપી ભોજના હૃદયમાં કોપ ઉત્પન્ન કર્યો હતો.
છતાં ભોજે એક સારા વિદ્વાનની કદર કરવા ખાતર તેઓને ઘણા જ માનથી બોલાવ્યા હતા. તેઓએ ત્યાં જઈ તેમની સભા જીતી. ભોજ અંદરથી કોપ્યો. ધનપાળ ચેતી ગયો. સૂરી પાસે માણસ