________________
૧૩
‘વિદ્વર ! એટલા માટે જ ગુર્વાજ્ઞાથી મારે આવવું પડ્યું છે. મારે નિમિત્તે જ એ બન્યું હતું અને અહીંનો સંઘ અકળાઈ ગયો હતો. તેમણે વિજ્ઞપ્તિ કરી અને ગુરુ મહારાજે મને આજ્ઞા આપી.' “પ્રભુ ! આજે મારી ચક્ષુઓ ખુલી. દયામય ધર્મ આપે જ શીખવ્યો.’
“કૃપાનાથ ! ધર્મ તે ધર્મ જ હોવો જોઈએ. કારણ પણ ધર્મ અને પરિણામ પણ ધર્મ જ હોવું જોઈએ. ધર્મમાં ધર્મતા જ હોવી જોઈએ.’’
“આજથી જૈન ધર્મ સ્વીકાર્યો.’' એમ કહી કેટલીક જ્ઞાનગોષ્ઠી કરી કવિએ રજા લીધી. ત્યાંથી ઉઠી મહાવીર પ્રભુના મંદિરમાં જઈ સ્તુતિ કરી.
“कतिपयपुरस्वामीकाव्ययैरवि दुर्ग्रहो मितवितरिता मोहेनासौ पुरानुसृतो मया । त्रिभुवनविभुर्बुद्धयाराध्योऽधुना सुपदप्रदः प्रभुरपि गतस्तत्प्राचीनो दुनोति दिनव्यचः ॥
[આજ સુધી થોડા એક ગામડાના ધણી રાજાની સેવા ઘણે કન્ટે કરી, અને લોભને વશ થઈ તેણે જે આપ્યું તે ખુશી થઈ લીધું, પણ આજે બુદ્ધિમાત્રથી આરાધી શકાય એવા આપ ત્રિભુવનપતિ પ્રાપ્ત કરી દરેક ઈષ્ટ પ્રાપ્ત કરી શકું તેવી શક્તિવાળો તો થયો છું. પણ ભગવાન્ ! પહેલાં જે દિવસો ગુમાવ્યા તે હ્રદયમાં સાલે છે.”]
હવેથી ધનપાળ જૈન થયો. જૈનશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેના તત્ત્વજ્ઞાનથી સારી રીતે પરિચિત થયો. મહાવીર પ્રભુને અનન્ય આદર્શ તરીકે સ્વીકાર્યા. નીતિ રીતિ પોશક તેના સિદ્ધાંતો જીવનમાં ઘડવા શરૂ કર્યું. ભોજરાજને બહુ નવાઈ લાગી. ધનપાળના કહેવાથી