________________
૧૨
વ્યાખ્યાન સાહિત્યસ ંગ્રહ—ભાગ ૨ જો.
સપ્તમ
હું જિનેશ, સદ્ગુરૂ મહારાજના ભલા હિતાપદેશ સાંભળીને મને કાંઇ પણ વૈરાગ્ય વાસના ન આવી, અપિતુ, ભવથકી વિરક્ત બુદ્ધિના લવ પણ ન થયા ; વળી હે નાથ, દુર્જન પ્રાણીઓના અપ્રિય, કટુક વચના સાંભળીને મનમાં ઉપશમન એટલે સમતાભાવ ન રાખ્યા; વળી હે દેવ, મે પરમા` બુદ્ધિએ એટલે કેવળ આત્માની નિર્મળતાને અગ્રેજ જ્ઞાનાભ્યાસ, ક્રિયાયેાગ, ધ્યાન, તપ વિગેરે ન ક્યા; કોઇ પણ પ્રકારની આધ્યાત્મિક દશા એટલે શુદ્ધાત્મસ્વરૂપ ચિંતવન મને આવ્યું નહિ, તે હવે હે નાથ, આવે અધમ દુરાચારી જે હું, તેને આ ગહન સંસારસમુદ્ર તરવાની ચેાગ્યતા ક્યાંથીજ હોય ? ૨૨.
ત્રણ જન્મનું જ્ઞાન.
पूर्वे भवेऽकारि मया न पुण्यमागामिजन्मन्यपि नो करिष्ये । यदीदृशोऽहम्मम तेन नष्टा, भूतोद्भवद्भाविभवत्रयीश ॥ २३ ॥
હું કેવળીપતે, મૈં પૂર્વભવને વિષે કાંઇ પણ પુણ્ય કર્યું નહિ, કેમકે જો કયું હાત તે આ ભવમાં સુખ મળ્યું હોત, પણ તે તેા નથી; વળી આવતે ભવે પણ હું કાંઇ પણ સુકૃત કરનાર નથી, કેમકે આ ભવમાં કઇ પણ જાતની ભલી ધર્મવાસના દૃઢ કરતા નથી, તે આગળ તે કયાંથી થશે ? કેમકે જેવી મતિ તેવી ગતિ થાયછે, આ રીતે હે ભગવન, મારા તેા વમાન, ભૂત, અને ભવિષ્ય, ત્રણે ભવા નષ્ટ થયા. ૨૩.
આપ સર્વજ્ઞ હાવાથી મારી પ્રાર્થના જાણેાછે.
किं वा मुधाम्बहुधा सुधाभुक् पूज्यत्वदग्रे चरितं स्वकीयम् । जल्पामि यस्मात् त्रिजगत्स्वरूपनिरूपकस्त्वङ्कियदेतदत्र ॥ २४ ॥
અસંખ્ય દેવાએ પૂજિત એવા હે જગત્પતે! હું મારૂં ચરિત્ર તે આપની પાસે શું કહું ? કેમકે આપ તે ત્રણ ભુવનના સર્વ ભાવેાને એક સમયમાં જાણીને નિરૂપણ કરનારા છે; તે હું અંતરજામી આપને આ મારૂં ચરિત્ર જાણવું તે શા હિસાબમાં છે? ૨૪.
અલ્પ યાચના.
शार्दूलविक्रीडित.
दीनोद्धारधुरन्धरस्त्वदपरो नास्ते मदन्यः कृपा
पात्रन्नात्र जने जिनेश्वर तथाप्येतां न याचे श्रियम् ।।