________________
w
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જો.
સસમ મેહને લીધે હાનિ. आयुर्गलत्याशु न पापबुद्धिगतं वयो नो विषयाभिलाषः । यनश्च भैषज्यविधौ न धर्मे, खामिन् महामोहविडम्बना मे ॥ १६ ॥
હે સ્વામિન! મારું આયુષ સર્વ નાશ પામવા આવ્યું, તે પણ મારી પાપ પરિણામની બુદ્ધિ ગઈ નહિ, મારી તરૂણ અવસ્થા પૂરી થઈ, તે પણ મારી વિષયવાંછા તે હજી અધુરીજ જણાય છે, હે પ્રભુ, મેં મારા શરીરના જતન કરવામાં ઘણે શ્રમ લીધે, પણ શરીરની અંદર રહેલે જે આત્મા તેની શુદ્ધિને અથે તે કઈ પણ પ્રકારને વિચારજ ન કીધે, અર્થાત્, કાંઈ પણ સુકૃત ન કર્યું, એવી મારી મહા મેહવિટંબના તે જુઓ? ૧૬.
નાસ્તિકનું આચરણ. नात्मा न पुण्यन्न भवो न पापं, मया विटानाङ्कटुगीरपीयम् ।
अधारि कर्णे त्वयि केवलार्के, परिस्फुटेसत्यपि देव धिमाम् ॥ १७ ॥ . હે પ્રભુ, આપ કેવળ જ્ઞાનરૂપી સૂર્ય, સાક્ષાતુ, અતિ પ્રગટ છતાં મેં જીવ એટલે આત્મા નથી, પુણ્ય નથી. પાપ નથી, પુનર્ભવ નથી, સ્વર્ગ નથી, નરક નથી, મેક્ષ નથી, કોઈ નથી, ઈત્યાદિક અધમ નાસ્તિક, દુર્જનની વાણી મેં કાને ધારણ કરી, માટે ગુણ અવગુણના વિવેકે કરીને રહિત, એવા મુજ મૂઢ અવિવેકને ધિક્કાર છે. ૧૭.
મનનું ગભરાવું. નવપૂરા જ ર પ પૂગા, ન ઘાઘર્ષ ન લાપા लब्ध्वापि मानुष्यमिदं समस्तं, कृतं मयारण्यविलापतुल्यम् ॥ १८ ॥
હે ભગવન, મને દશ દષ્ટ દેહિલે એ સર્વ ઉત્તમ ધમની સામગ્રીચુક્ત ઉત્તમ કુલવાન મનુષ્યભવ મળે છતાં, મેં દેવાધિદેવની સાચે દિલે પૂજા ન કરી, સત્પાત્રને વિષે ભક્તિભાવે દાન ન દીધું, બાર વ્રતરૂપ શ્રાવકોને ધર્મ રૂડી રીતે ન પાળે, તેમ પંચ મહા વ્રતરૂપ શુદ્ધ રત્નત્રય આરાધનરૂપ સાધુધર્મનું યથાર્થ પાલન ન કર્યું; એવી રીતે સર્વસ્વ અનુકૂલ મળ્યા છતાં તે ગુમાવ્યું, અને બાકી જે કર્યું તે સર્વે રણવગડામાં રૂદન કરવા સરખું-વ્યર્થ કર્યું. ૧૮.
છીપમાં રૂપાની અને પિત્તળમાં સેનાની ભ્રાંતિ. चक्रे मयाऽसत्स्वपिकामधेनुकल्पद्रुचिन्तामणिषु स्पृहार्तिः । न जैनधर्म स्फुटशर्मदेऽपि, जिनेश मे पश्व विमूढभावं ॥ १९॥