________________
૪૬
અર્થ : જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિદ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીર આદિનોકર્મમાં ‘આ હું છું’ અને હું માં(-આત્મામાં) ‘આ કર્મ-નોકર્મ છે’ -એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે.
अहमेदं एदमहं अदमेदस्स म्हि अत्थि मम एदं । अण्णं जं परदव्वं सच्चित्ताचित्तमिस्सं वा ॥ २० ॥
आसि मम पुव्वमेदं एदस्स अहं पि आसि पुव्वं हि । होहिदि पुणो ममेदं एदस्स अहं पि होस्सामि ।। २१ ॥ एयं तु असब्भूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ।। २२ ॥ હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ, જે અન્ય કો પરદ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં; અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂઢ આચરે; ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. અર્થ : જે પુરુષ પોતાથી અન્ય જે પરદ્રવ્ય-સચિત્ત સ્ત્રીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક - તેને એમ સમજે કે હું આ છું, આ દ્રવ્ય મુજ-સ્વરૂપ છે, હું આનો છું, આ મારું છે, આ મારું પૂર્વે હતું, આનો હું પણ પૂર્વે હતો, આ મારું ભવિષ્યમાં થશે, હું પણ આનો ભવિષ્યમાં થઈશ, - આવો જૂઠ્ઠો આત્મવિકલ્પ કરે છે તે મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે; અને જે પુરુષ પરમાર્થ વસ્તુસ્વરૂપને જાણતો થકો એવો જૂઠો વિકલ્પ નથી કરતો તે મૂઢ નથી, જ્ઞાની છે.
૨૨.
अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्वं । बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो ॥ २३ ॥
सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं । कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ॥ २४ ॥
जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं । तो सक्को वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्वं ॥ २५ ॥
૨૦
૨૧.