________________
૩૬૧
कम्ममहीरुहमूलच्छेदसमत्थो सकीयपरिणामो ।
साहीणो समभावो आलुंछणमिदि समुद्दिनं ॥ ११०॥
છે. કર્મતરુમૂલછેદનું સામર્થ્ય જે પરિણામમાં, સ્વાધીન તે સમભાવ-નિજપરિણામ આવ્યુંછન કહ્યા. ૧૧૦.
અર્થ : કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે સમભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ તેને આલુંછન કહેલ છે.
कम्मादो अप्पाणं भिण्णं भावेइ विमलगुणणिलयं । मज्झत्थभावणाए वियडीकरणं ति विष्णेयं ॥ १११ ॥ અવિકૃતિકરણ તેને કહ્યું જે ભાવતાં માધ્યસ્થને ભાવે વિમળગુણધામ કર્મવિભક્ત આતમરામને. ૧૧૧.
અર્થ : જે મધ્યસ્થભાવનામાં કર્મથી ભિન્ન આત્માને - કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને – ભાવે છે, તે જીવને અવિકૃતિકરણ જાણવું.
मदमाणमायलोहविवज्जियभावो द भावसुद्धि त्ति । परिकहियं भव्वाणं लोयालोयप्पदरिसीहिं॥ ११२ ॥
ત્રણ લોક તેમ અલોકના દૃષ્ટા કહે છે ભવ્યને -મદમાનમાયાલોભવર્જિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨.
અર્થ :મદ (મદન), માન, માયા અને લોભ રહિત ભાવ તે ભાવશુદ્ધિ છે એમ ભવ્યોને લોકાલોકના દૃષ્ટાઓએ કહ્યું છે.