Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
४७८ તે જ્ઞાની, શિવ, પરમેષ્ઠી છે, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ છે, આત્મા તથા પરમાતમા, સર્વજ્ઞ, કર્મવિમુક્ત છે. ૧૫૧. इय घाइकम्ममुक्को अट्ठारहदोसवज्जिओ सयलो। तिहुवणभवणपदीवो देउ ममं उत्तमं बोहिं ॥ १५२॥ ચઉઘાતિકર્મવિમુક્ત, દોષ અઢાર રહિત, સદેહ એ 'ત્રિભુવનભવનના દીપ જિનવર બોધિ દો ઉત્તમ મને. ૧૫ર. ૧. ત્રિભુવનભવનના દીપ = ત્રણ લોકરૂપી ઘરના દીપક અર્થાત્ દીવારૂપ. जिणवरचरणंबुरुहं णमंति जे परमभत्तिराएण। ते जम्मवेल्लिमूलं खणंति वरभावसत्थेण ॥ १५३॥ જે પરભક્તિરાગથી જિનવરપદાંબુજને નમે, તે જન્મવેલીમૂળને વર ભાવશસ્ત્ર વડે ખણે. ૧૫૩. ૧. વર = ઉત્તમ. ૨. ખણે ખોદે છે. जह सलिलेण ण लिप्पइ कमलिणिपत्तं सहावपयडीए। तह भावेण ण लिप्पइ कसायविसएहिं सप्पुरिसो॥ १५४।
જ્યમ કમલિનીના પત્રને નહિ સલિલલેપ સ્વભાવથી, ત્યમ સપુરુષને લેપ વિષયકષાયનો નહિ ભાવથી. ૧૫૪. ૧. સલિલ = પાણી. ते च्चिय भणामि ह जे सयलकलासीलसंजमगुणेहिं। बहुदोसाणावासो सुमलिणचित्तो ण सावयसमो सो॥१५५ ।। કહું તે જ મુનિ જે શીલસંયમગુણ-સમસ્ત કળા-ધરે, જે મલિનમન બહુદોષઘર, તે તો ન શ્રાવતુલ્ય છે. ૧૫૫. ૧. મલિનમન = મલિન ચિત્તવાળો. ते धीरवीरपुरिसा खमदमखग्गेण विप्फुरंतेण। दुजयपबलबलुद्धरकसायभड णिज्जिया जेहिं॥ १५६॥

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550