Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
૪૯૧
जो रयणत्तयजुत्तो कुणइ तवं संजदो ससत्तीए। सो पावइ परमपयं झायंतो अप्पयं सुद्धं ॥ ४३॥ રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતઃ તપને કરે, શુદ્ધાત્મને બાતો થકો ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩. ૧. નિજશક્તિતઃ = પોતાની શક્તિ પ્રમાણે. ૨. ઉત્કૃષ્ટ પદ = પરમ પદ (અર્થાત્ મુક્તિ). तिहि तिण्णिधरवि णिचं तियरहिओ तहतिएणपरियरिओ। दोदोसविप्पमुक्को परमप्पा झायए जोई॥४४॥ 'ત્રણથી ધરી ત્રણ, નિયત્રિકવિરહિતપણે, ત્રિકયુતપણે, રહી “દોષયુગલવિમુક્ત ધાવે યોગી નિજ પરમાત્માને. ૪૪. ૧. ત્રણથી = ત્રણ વડે (અર્થાત્ મન-વચન-કાયાથી). ૨. ધરી ત્રણ = ત્રણને ધારણ કરીને (અર્થાત્ વર્ષાકાળયોગ, શીતકાળયોગ
તથા ગ્રીષ્મકાળયોગને ધારણ કરીને). ૩. ત્રિકવિરહિતપણે = ત્રણથી (અર્થાત્ શલ્યત્રયથી) રહિતપણે. ૪. ત્રિપુતપણે = ત્રણથી સંયુક્તપણે (અર્થાત્ રત્નત્રયથી સહિતપણે). ૫. દોષયુગલવિમુક્ત = બે દોષોથી રહિત (અર્થાત્ રાગ-દ્વેષથી રહિત). मयमायकोहरहिओ लोहेण विवज्जिओ य जो जीवो। णिम्मलसहावजुत्तो सो पावइ उत्तमं सोक्खं ॥ ४५ ॥
જે જીવ માયા-ક્રોધ-મદ પરિવર્જીને, તજી લોભને, નિર્મળ સ્વભાવે પરિણમે, તે સૌખ્ય ઉત્તમને લહે. ૪૫. विसयकसाएहि जुदो रुद्दो परमप्पभावरहियमणो। सो ण लहइ सिद्धिसुहं जिणमुद्दपरम्मुहो जीवो॥४६॥ 'પરમાત્મભાવનહીન, રુદ્ર, કષાયવિષયે યુકત જે, તે જીવ જિનમુદ્રાવિમુખ પામે નહીં શિવસૌખને. ૪૬. ૧. પરમાત્મભાવનહીન = પરમાત્માભાવના રહિત, નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથે રહિત ૨. રુદ્ર = રૌદ્ર પરિણામવાળો. ૩. જિનમુદ્રાવિમુખ = જિનસદશ યથાજાત મુનિરૂપથી પરાડમુખ.

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550