________________
૩૮૧
णिव्वाणमेव सिद्धा सिद्धा णिव्वाणमिदि समुद्दिट्ठा । कम्मविमुक्को अप्पा गच्छइ लोयग्गपज्जंतं ॥ १८३ ॥
નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે;
સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક-અગ્રે જાય છે. ૧૮૩.
અર્થ :નિર્વાણ તે જ સિદ્ધો છે અને સિદ્ધો તે નિર્વાણ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. કર્મથી વિમુક્ત આત્મા લોકાગ્ર પર્યંત જાય છે.
जीवाण पुग्गलाणं गमणं जाणेहि जाव धम्मत्थी । धम्मत्थिकायभावे तत्तो परदो ण गच्छंति ॥ १८४ ॥
ધર્માસ્તિ જ્યાં લગી, ત્યાં લગી જીવ-પુદ્ગલોનું ગમન છે; ધર્માસ્તિકાય - અભાવમાં આગળ ગમન નહિ થાય છે. ૧૮૪.
અર્થ : જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી જીવોનું અને પુદ્ગલોનું ગમન જાણ; ધર્માસ્તિકાયના અભાવે તેથી આગળ તેઓ જતાં નથી.
णियमं णियमस्स फलं णिद्दिनं पवयणस्स भत्तीए । पुव्वावरविरोधो जदि अवणीय पूरयंतु समयण्हा ।। १८५ ॥ પ્રવચન-સુભક્તિ થકી કહ્યાં મેં નિયમ ને તત્ફળ અહો !
યદિ પૂર્વ - અપર વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. ૧૮૫.
અર્થ : નિયમ અને નિયમનું ફળ પ્રવચનની ભક્તિથી દર્શાવવામાં આવ્યાં. જો (તેમાં કાંઇ) પૂર્વાપર (આગળ - પાછળ) વિરોધ હોય તો સમયજ્ઞો (આગમના જ્ઞાતાઓ) તેને દૂર કરી પૂર્તિ કરજો.
ईसाभावेण पुणो केई दिंति सुंदरं मग्गं ।
तेसिं वयणं सोच्चाऽभत्तिं मा कुह जिणमग्गे ।। १८६ ॥
પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઇર્ષા વડે,
તેનાં સૂણી વચનો કરો ન અભક્તિ જિનમારગ વિષે. ૧૮૬.
અર્થ : પરંતુ ઇર્ષાભાવથી કોઈ લોકો સુંદર માર્ગને નિદે છે તેમનાં વચન સાંભળીને જિનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરજો.