________________
૩૬૮
૧૦. પરમ-ભક્તિ અધિકાર
सम्मत्तणाणचरणे जो भत्तिं कुणइ सावगो समणो। तस्स दु णिबुदिभत्ती होदि त्ति जिणेहि पण्णत्तं ॥ १३४॥ શ્રાવક શ્રમણ સમ્યત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે,
નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪. અર્થ : જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ભક્તિ કરે છે, તેને નિવૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે એમ જિનોએ કહ્યું છે.
मोक्खंगयपुरिसाणं गुणभेदं जाणिऊण तेसिं पि। जो कुणदि परमभत्तिं ववहारणयेण परिकहियं ॥ १३५॥ વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની
જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. ૧૩૫. અર્થ : જે જીવ મોક્ષગત પુરુષોનો ગુણભેદ જાણીને તેમની પણ પરમ ભક્તિ કરે છે, તે જીવને વ્યવહારનયે નિર્વાણભક્તિ કહી છે.
मोक्खपहे अप्पाणं ठविऊण य कुणदि णिब्बुदी भत्ती। तेण दु जीवो पावइ असहायगुणं णियप्पाणं ॥ १३६ ॥ શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે,
તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વરે. ૧૩૬. અર્થ : મોક્ષમાર્ગમાં (પોતાના) આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃતિની (નિર્વાણની) ભક્તિ કરે છે, તેથી
જીવ અસહાયગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે. ૧. અસહાયગુણવાળા = જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો. (આત્મા સ્વતઃસિદ્ધ સહજ સ્વતંત્ર ગુણવાળો હોવાથી અસહાયગુણવાળો છે.)
रायादीपरिहारे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो॥ १३७॥