________________
૨૭૧
અર્થ : (સંસારસ્થિત) આત્મા જીવ છે, ચેતયિતા(ચેતનારો) છે, ઉપયોગલક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભોક્તા છે, દેહપ્રમાણ છે, અમૂર્ત છે અને કર્મસંયુક્ત છે.
कम्ममलविप्पमुको उड्डुं लोगस्स अंतमधिगंता । सो सव्वणाणदरिसी लहदि सुहमणिंदियमणंतं ।। २८ ॥ સૌ કર્મમળથી મુક્ત આત્મા પામીને લોકાગ્રને, સર્વજ્ઞદર્શી તે અનંત અનિદ્રિ સુખને અનુભવે. ૨૮.
અર્થ ઃ કર્મમળથી મુક્ત આત્મા ઊંચે લોકના અંતને પામીને તે સર્વજ્ઞ-સર્વદર્શી અનંત અનિદ્રિય સુખને અનુભવે છે.
जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरसी य । पप्पोदि सुहमणतं अव्वाबाधं सगममुत्तं ॥ २९ ॥
સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની - સર્વદર્શી થાય છે, ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે. ૨૯.
અર્થ :તે ચેતિયતા (ચેતનારો આત્મા) સર્વજ્ઞ અને સર્વલોકદર્શી સ્વયં થયો થકો, સ્વકીય અમૂર્ત અવ્યાબાધ અનંત સુખને ઉપલબ્ધ કરે છે.
पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हु जीविदो पुव्वं ।
सो जीवो पाणा पुण बलमिंदियमाउ उस्सासो ॥ ३० ॥
જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે,
તે જીવ છે; ને પ્રાણ ઇન્દ્રિય-આયુ-બળ-ઉચ્છ્વાસ છે. 30.
અર્થ : જે ચાર પ્રાણોથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, તે જીવ છે; અને પ્રાણો ઇન્દ્રિય, બળ, આયુ તથા ઉચ્છ્વાસ છે.
अगुरुलहुगा अणंता तेहिं अणंतेहिं परिणदा सव्वे । देसेहिं असंखादा सिय लोगं सव्वमावण्णा ॥ ३१ ॥
केचित्तु अणावण्णा मिच्छादंसणकसायजोगजुदा । विजुदा य तेहिं बहुगा सिद्धा संसारिणो जीवा ॥ ३२ ॥ જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વ જીવો પરિણમે; સૌના પ્રદેશ અસંખ્ય; કતિપય લોકવ્યાપી હોય છે; ૩૧.