________________
૨૭૩ ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो सिद्धो। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि ॥ ३६ ।। ઊપજે નહીં તો કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે,
ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે. ૩૬. અર્થ તે સિદ્ધ કોઈ (અન્ય) કારણથી ઊપજતા નથી તેથી કાર્ય નથી, અને કાંઈ પણ (અન્ય કાર્યને) ઉપજાવતા નથી તેથી તે કારણ પણ નથી.
सस्सदमध उच्छेदं भव्वमभव्वं च सुण्णमिदरं च। विण्णाणमविण्णाणं ण वि जुज्जदि असदि सब्भावे॥ ३७॥ સદ્ભાવ જો નહિ હોય તો ધ્રુવ, નાશ, ભવ્ય, અભવ્ય ને
વિજ્ઞાન, અણુવિજ્ઞાન, શૂન્ય, અશુન્ય - એ કંઈ નવ ઘટે. ૩૭. અર્થ : જો (મોક્ષમાં જીવનો) સંભાવના હોય તો શાશ્વત, નાશવંત, ભવ્ય (થવા યોગ્ય), અભવ્ય (-નહિ થવા
યોગ્ય), શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન (જીવદ્રવ્યને વિષે) ન જ ઘટે. (માટે મોક્ષમાં જીવનો સદ્ભાવ છે જ.)
कम्माणं फलमेक्को एक्को कज्जं तु णाणमध एक्को। चेदयदि जीवरासी चेदगभावेण तिविहेण ॥ ३८॥ ત્રણવિધ ચેતકભાવથી કો જીવરાશિ કાર્યને.
કો જીવરાશિ કર્મફળ’ને, કોઈ ચેતે “જ્ઞાન”ને. ૩૮. અર્થ ત્રિવિધ ચેતકભાવ વડે એક જીવરાશિ કર્મોના ફળને, એક જીવરાશિ કાર્યને, અને એક જીવરાશિ જ્ઞાનને ચેતે (વે) છે.
सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं। पाणित्तमदिक्कंता णाणं विंदति ते जीवा ॥३९॥ વેદે કરમફળ સ્થાવરો, ત્રસ કાર્યયુત ફળ અનુભવે,
પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ૩૯. અર્થ સર્વ સ્થાવર જીવસમૂહો ખરેખર કર્મફળને વેદે છે, ત્રસો ખરેખર કાર્યસહિત કર્મફળને વેદે છે અને જે
પ્રાણિત્વને (-પ્રાણોને) અતિક્રમી ગયા છે તે જીવો જ્ઞાનને વેદે છે.