________________
૨૮૯ एदे कालागासा धम्माधम्मा य पुग्गला जीवा। लब्भंति दव्वसण्णं कालस्स दुणत्थि कायत्तं ॥ १०२॥ આજીવ, પુદ્ગલ, કાળ, ધર્મ, અધર્મતેમજનભવિષે
છે ‘દ્રવ્ય” સંજ્ઞા સર્વને, કાયવ છે નહિ કાળને. ૧૦૨ અર્થ આ કાળ, આકાશ, ધર્મ, અધર્મ, પુગલો અને જીવો (બધાં) ‘દ્રવ્ય' સંજ્ઞાને પામે છે; પરંતુ કાળને કાયપણું નથી.
एवं पवयणसारं पंचत्थियसंगहं वियाणित्ता। जो मुयदि रागदोसे सो गाहदि दुक्खपरिमोक्खं ॥१०३॥ એ રીત પ્રવચનસારરૂપ “પંચાસ્તિસંગ્રહ’ જાણીને
જે જીવ છોડે રાગદ્વેષ, લહે સકળદુખમોક્ષને. ૧૦૩. અર્થ એ પ્રમાણે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહ’ને જાણીને જે રાગદ્વેષને છોડે છે, તેઃખથી પરિમુક્ત થાય છે.
मुणिऊण एतदद्वं तदणुगमणुज्जदो णिहदमोहो। पसमियरागद्दोसो हवदि हदपरापरो जीवो॥१०४॥ આ અર્થ જાણી, અનુગમન-ઉદ્યમ કરી, હણી મોહને,
પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર - પૂરવ વિરહિત બને. ૧૮૪. અર્થ જીવ આ અર્થને જાણીને (-આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધાત્માને જાણીને), તેને અનુસરવાનો ઉદ્યમ કરતો
થકો હતમોહ થઈને (-જેને દર્શનમોહનો ક્ષય થયો હોય એવો થઈને), રાગદ્વેષને પ્રશમિત-નિવૃત્ત કરીને, ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે.