________________
પ્રકરણ ૧૧૫
શ્રી નિયમસાર
श्री परमात्मने नमः। શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત
શ્રી
નિયમસાર ગાથા
૧. જીવ અધિકાર
णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं। वोच्छामि णियमसारं केवलिसुदकेवलीभणिदं ॥१॥ નમીને અનંતોત્કૃષ્ટ દર્શનજ્ઞાનમય જિન વીરને;
કહું નિયમસાર હું કેવળશ્રુતકેવળ પરિકથિતને. ૧. અર્થ અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા (-કેવળજ્ઞાની અને કેવળદર્શની) જિન વીરને નમીને કેવળી અને શ્રુતકાળીઓએ કહેલું નિયમસાર હું કહીશ.
मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं। मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिव्वाणं ॥२॥ છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને;
ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨. અર્થ માર્ગ અને માર્ગફળ એમ બે પ્રકારનું જિનશાસનમાં કથન કરવામાં આવ્યું છે; માર્ગ મોક્ષોપાય છે અને તેનું ફળ નિર્વાણ છે.
णियमेण य जंकजं तं णियमंणाणदंसणचरित्तं। विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ॥३॥