________________
૩૩૫
माणुस्सा दुवियप्पा कम्ममहीभोगभूमिसंजादा। सत्तविहा णेरइया णादव्वा पुढविभेदेण ॥ १६ ॥ चउदहभेदा भणिदा तेरिच्छा सुरगणा चउब्भेदा। एदेसिं वित्थारं लोयविभागेसु णादव्वं ॥१७॥ છે કર્મભૂમિજ ભોગભૂમિજ-ભેદ બે મનુજો તણા, ને પૃથ્વીભેદે સપ્ત ભેદો જાણવા નારક તણાં; ૧૬. તિર્યંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના;
આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭. અર્થ મનુષ્યોના બે ભેદ છે : કર્મભૂમિમાં જન્મેલા અને ભોગભૂમિમાં જન્મેલા; પૃથ્વીના ભેદથી નારકો સાત
પ્રકારના જાણવા; તિર્યંચોના ચૌદ ભેદ કહ્યા છે; દેવસમૂહના ચાર ભેદ છે. આમનો વિસ્તાર લોકવિભાગથી જાણી લેવો.
कत्ता भोत्ता आदा पोग्गलकम्मस्स होदि ववहारा। कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो॥१८॥ આત્મા કરે, વળી ભોગવે પુલકરમ વ્યવહારથી;
ને કર્મજનિત વિભાવનો કર્તાદિ છે નિશ્ચય થકી. ૧૮. અર્થ આત્મા પુલકર્મનો કર્તા-ભોક્તા વ્યવહારથી છે અને આત્મા કર્મજનિત ભાવનો કર્તા-ભોક્તા (અશુદ્ધ) નિશ્ચયથી છે.
दव्वत्थिएण जीवा वदिरित्ता पुव्वभणिदपज्जाया। पज्जयणएण जीवा संजुत्ता होंति दुविहेहिं॥ १९॥ પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિત જીવ દ્રવ્યાર્થિક;
ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯. અર્થ દ્રવ્યાર્થિક ન જીવો પૂર્વકથિત પર્યાયથી 'વ્યતિરિક્ત છે; પર્યાયનયે જીવો તે પર્યાયથી સંયુક્ત છે. આ રીતે
જીવો બન્ને નયોથી સંયુક્ત છે. ૧. વ્યતિરિક્ત = ભિન્ન રહિત, શૂન્ય.