________________
૨૩૯
અર્થ સમ્યક (યથાતથપણે) પદાર્થોને જાણતા થકા જેઓ બહિરંગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને વિષયોમાં આસક્ત નથી, તેમને ‘શુદ્ધ કહેવામાં આવ્યા છે.
सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं। सुद्धस्स य णिव्वाणं सो च्चिय सिद्धो णमो तस्स ॥ २७४ ॥ રે! શુદ્ધને શ્રમણ્ય ભાખ્યું, જ્ઞાનદર્શન શુદ્ધને,
છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪. અર્થ શુદ્ધને (-શુદ્ધોપયોગીને) શ્રમણ્ય કહ્યું છે, શુદ્ધને દર્શન અને જ્ઞાન કહ્યું છે, શુદ્ધને નિર્વાણ હોય છે, તે જ (શુદ્ધ જ) સિદ્ધ હોય છે, તેને નમસ્કાર હો.
बुज्झदि सासणमेयं सागारणगारचरियया जुत्तो। जो सो पवयणसारं लहुणा कालेण पप्पोदि॥ २७५ ॥ સાકાર અણ-આકાર ચર્ચાયુક્ત આ ઉપદેશને
જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. ૨૭૫. અર્થ જે સાકાર-અનાકાર ચર્યાથી યુક્ત વર્તતો થકો આ ઉપદેશને જાણે છે, તે અા કાળે પ્રવચનના સારને
(-ભગવાન આત્માને) પામે છે..