Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૩૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન ઇન પૂજન થા વિશેષાંક ભાવના જાગશે ત્યાં તા તે આદર્શ કેળવાશે કે આપણે પણ તે સ્વરૂપે જ થવા પ્રયત્ન કરવા જોઇએ.
એક વખત આદર્શ કેળવાઇ ગયા પછી જગતમાં કાઇની તાકાત . નથી કે આપણને તે મેળવવામાં અંતરાય ઉભા કરી શકે. કઢાચ અનાદિકાલની અવળી યાલને તતાં અનેક સધર્મના સામના કરવા પડે, દેખીતી રીતે સાંસારિક પરિસ્થિતિ પ્રતિકૂળ સાય તેમ છતાં આંતરિક વૈભવ દ્વિગુણીત થવાના કારણેા ઉપલબ્ધ થાય, તે ખતે શાશ્ર્વત સ્થાયી ગુણુને પ્રધાનતા આપીને સંઘર્ષો સામે ઝજુમવાની શક્તિ કેળવવી પડશે. તે ત્યારે જ કેળવાશે જ્યારે એક અદ્ભુત આદશ ને સંપૂર્ણ વફાદાર રહેવાનુ સ્વીકારીશુ તા આ વાત થઇ સેવ્ય-આરાધ્ય પરમેાત્માને એળખવાની અને એળખ્યા પછી તે સમ બનવા માટે આઠ સેવક બનવાની તૈયારી કેળવવાની.
પૂર્ણ તૈયારી થયા બાદ પણ પ્રભુને સ્તવના કયા સ્વરૂપે અને કેડી ભાવનાથી થાય અને સ્તવના કરવા યેાગ્યતા કેવી કેળવવી જોઇએ, તે અંગે પણ વિચારવું જોઇએ. આ સંદર્ભે અનેક પુર્વાચાર્યોએ વિવિધશાસ્ત્રામાં અલગ-અલગ શૈલીમાં નિરૂપણ કરેલુ છે. તેના સારાંશ જે સામાન્યત: વિચારીએ તે નિજદેષપ્રદર્શન અને પરમાત્મગુણ કીત્તનમાં સમાવેશ થઇ જાય છે. નિજ-પેાતાના દાષાને પ્રગટ કરવા અને પરમાત્માના અનુપમ અન'તા ગુણેાનું કીત્તન કરવુ.. આ વાતથી પ્રભુસ્તવનાના સ્વરૂપના પ્રશ્ન હલ થઇ જાય છે. પણ આપણા દોષો પ્રગટ કરવા માત્રથી કે પ્રભુના ગુણાનુ કીર્ત્તન કરવા માત્રથી આપણે નિર્ગુ ણુમાંથી સગુણ બની શકતા નથી. કેમકે ઘણીવાર દોષ પ્રગટ કરવાથી વધારે ગુણીયલ ખતાવવાની દાંભિક ભાવના પણ હાઈ શકે છે,
મુગ્ધ લેાકેા તા ક્યારેક લેાકાની પ્રશંસા મેળવવા પેાતાના નાનામાં નાના ઢાષા પ્રગટ કરી, જાણે આંતરિક વ્યથા પ્રગટ કરતા હાય તેમ રોણાં રોઇને પશ્ચાતાપ કરવાના ઢાંગ કરતા હેાય છે. જેથી બાહ્યસ્વરૂપને નિહાળીને લેાકેા ઉત્તમ-ખાત્મા તરીકે ખીરૂદ આપે પણ તે વખતે તે ઢાંભિક-પ્રશ'સા ભૂખ્યા આત્માને પ્રગટ કરેલા દોષો દોષ સ્વરૂપે લગીરે સ્વીકાર્ય બનતા નથી પણ ગુણીયલ કડેવડાવવા સહાયક બનતા હાય છે. માટે જ પાતાના દોષ પ્રગટ કરવા માત્રથી દોષ, દોષ સ્વરૂપે સ્વીકારાઇ જાય છે. તેમ બનતું નથી. તેમજ વાણીની મધુરતા અને અલકારિક શબ્દોની છાંટ અને શાસ્ત્રીય પદાર્થના કાંઇક અંશે બેધ મળવાથી પરમાત્માના આંતરવૈભવને પ્રગટ કરવાની, કીન કરવાની શકિત કઢાચ પ્રાપ્ત થઈ જાય, પણ તે પ્રભુભક્તિમાં ભાવિકાને લીન એકાકાર–તાદાત્મ્ય—તરમેળ કરવાની શક્તિ ગુણેા પ્રત્યેના બહુમાન-આદર ભાવ કેળવવા કે મેળવવા માટે ન પણ હેાય તેમ બની શકે.