Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
NIOSSSSSShishessess
૧૦૫૪
શ્રી જૈન શાસન અઠવાડિક)
(પૂના નગર મધ્યે પધારો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શાંત, વિનય, સરલ સ્વભાવી, વયોવૃદ્ધ-ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહોદ સૂરીશ્વરજી મહારાજા આદિ વિશાળ સમુદાય પૂના નગરે પધારતાં આનંદ વિભોર બની ગયો હતો. દ્વિ. જેઠ સુદ-૬ શનિવારના રોજ પૂના નગર પ્રવેશે પૂનાના સદાશીવ પેઠથી ભવ્યાતિભવ્ય વરઘ ડો રાજમાર્ગે થઈ ભવાની પેઠ મધ્યે શ્રી મનમોહન પાર્શ્વ જિનાલય દર્શન કરી ત્યાં આગળ આવેલ મંડપમાં ઉતર્યો હતો. સૌ પ્રથમ પૂજ્યશ્રી એ માંગલિક ફરમાવ્યું હતું. ત્યારબાદ ગુરૂપૂજન ઉછામણી ૫૮ હજાર રૂા. શ્રી રામલાલજી ભાઈએ લીધેલ અને કામળીનો ચઢાવો ૬૧ હજાર રૂ. માંગેલા જી ભાઈએ લીધેલ.
ત્યારબાદ પૂજ્યશ્રીએ માંગલિક પ્રવચન સુંદર રીતે કરેલ હજારોની સંખ્યા માં ભાવિકો પધારેલ તેમને લાડવાની ૧૦ રૂ. ની પ્રભાવના થયેલ. પ્રભુજીને સુંદર અંગરચના બહા થી પધારેલ સાધર્મિકોની ભકિત કરી હતી. ત્યારબાદ પૂનાના અનેક સંઘોની માંગણી હતી. તેથી દરેક સંઘોને અનુકુળતા મુજબ લાભ આપેલ.
જેઠ સુદિ-૧૪ના રવિવારના રોજ પૂજ્યશ્રી આદિનાથ સોસાયટી પધારવાના હોવાથી શેઠ શ્રી વિજયકુમાર કાન્તીલાલ શાહ ના પરિવારની આગ્રહ ભરી વિનંતી સ્વીકારે તે તેથી ત્યાં તેમના નિવાસસ્થાને સવારે પધારેલ સવારે તેમના સ્થાને પૂજ્યશ્રી પધારેલ માંગલિક તેમજ પ્રવચન ફરમાવેલ ત્યાર બાદ અનુજાબેન વિજયકુમાર શાહે પૂજ્યશ્રીને ચાંદીના સિક્કાથી નવાં ગી ગુપૂજન કરેલ ત્યાર બાદ પધારેલ સાધર્મિકોને ૧૦ રૂ.ની પ્રભાવના કરેલ, આદિનાથ સોસાયટીથી વાજતે ગાજતે પૂજ્યશ્રીને વિનંતી માટે આવેલ પૂજ્યશ્રી પધારતાં સાઘર્મિક બંધુઓને તિલક કરી બાદલું છાંટી ૫ રૂ. ની પ્રભાવના થયેલ. ત્યાંથી વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ રાજમાર્ગે ફરી ઉપાશ્રય પધારેલ. પૂજ્યશ્રીને માંગલિક કરેલ, ૫.પૂ.આ. ભ. હેમભૂષણ સૂ. મ. સા. સુંદર-માર્મિક પ્રવચન ફરમાવેલ. ત્યાર બાદ ગુપૂજનની ઉપાસના ૧૧ હજાર રૂા. મહેન્દ્રભાઈ એ લાભ લીલ. હજારો ભાવિકો પૂજ્યશ્રીના દર્શનાર્થે તેમજ પ્રવચન વાણીમાં પધારેલ સર્વેને ૬૫-૬૫ રૂ. સંઘપૂજન થયેલ તેમજ બહારથી પધારેલ સાઘર્મિક ભકિત કરેલી. તેમજ પ્રભુજીને સુંદર અંગરચના રાખવામાં આવી હતી.
આમ આખા સારાય પૂના તેમજ મહારાષ્ટ્રમાં શાસન પ્રભાવના ખૂબ જ સારી રીતે થવા પામી હતી.
ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાનો ભવ્યાતિભવ્ય પ્રવેશ દ્વિ. જેઠ વદી -૧૨ ને શનિવારના રોજ ખૂબ જ ઠાઠ-માઠ પૂર્વક પૂના કેમ્પ. શ્ર, વાસુપૂજ્ય જિનાલય મધ્યે થયો.
lIIIIIIMa
A