Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
–
પવિત્ર શું ? શુદ્ધ મન
I
– – શ્રી પ્રિયદર્શન
શિષ્ય પૂછે છે : “ગુરુદેવ, પવિત્ર શું જોઈએ ?” ગુરુ કહે છે : “શુધ, મન,
માત્ર બે અક્ષર : મન. તમે જ્ઞાની છે કે અજ્ઞાની છે, મનને પાર કોણ ? જ પામી શકે છે ? મનની સાથે જ રાગ-દ્વેષ અને માહ સંકળાયેલા છે ! અભય, છે છે અષ અને અખેઠ પણ મન સાથે જ જોડાયેલાં તત્ત્વો છે.
શ્રીમંત તે હોય પણ મનને મેલો હોય તે એ શ્રીમંત હોવા છતાંય ભિખારી : જ છે. ભિખારી હેય પણ મનને ઊજળો હોય, મનથી મસ્ત હોય, એલિરે ને અલગારી છું હોય તે એના જેવો કે શ્રીમંત નથી ! પણ મનનાં કાંઈ ધારાધોરણ હોતાં નથી. જ ક્યારેક પ્રસન્નતાભર્યા વાતાવરણમાં એ ઉદાસ થઈ જાય છે, અને ક્યારેક ઉદાસીના આ બળબળતા રણમાં આનંદને કેઈ લય લહેરાય છે. જેમ કે પથ્થરમાં ઝરણું ફૂટે છે ' એવી જ રીતે મનનું કે પાકું ગણિત નથી. જેને એ ચિક્કાર ચાહે છે કે
અને ચિકાર ધિક્કારે છે ! તે ક્યારેક ધિક્કારની વચ્ચે પણ વહાલની સારવાણી ફૂટે છે. શું છે ! આપણું મન આપણને વશ ક્યાં છે? કયારેક એ ભૂતકાળની સ્મૃતિમાં રમતું જ જ હોય છે, તે કયારેક ભવિષ્યના સ્વપ્નમાં રાચતું હોય છે ! ક્યારેક પવિત્ર સ્થાનમાં આ 3 અપવિત્ર વિચાર કરે છે, તે ક્યારે ક ઉકરડાની વચ્ચે પવિત્ર વિચાર કરે છે. જ્યારે કશું આ પ્રવૃત્તિમાં ધમધમતું હોય છે ત્યારે નિવૃત્તિ ઝંખે છે અને નિરાંતની પળોમાં પ્રવૃત્તિ છે ૨. ચાહે છે!
આવા મનને કેમકેવી રીતે સ્થિર કરવું. અર્થાત્ કેવી રીતે શુદ્ધ કરવું તે જ છે ગંભીરતાથી વિચારવું જોઈએ. મનને પવિત્ર કરવાના ઉપાય શોધી કાવા જોઈએ. જ છે ઉપાયે ઉપાય જાણીને અમલમાં મૂકવા પડે.
- વિષયાસક્ત મન અશુદ્ધ હોય છે, વિષયવિરકત મન શુધ્ધ હોય છે; એટલે ? જ કહેવામાં આવ્યું છે : “બધાય વિષયાસક્ત, મુક્ત નિર્વિષય સ્મૃતમ્ !” તીર્થોમાં છે 8 શ્રેષ્ઠ તીર્થ મન છે, હુાય છે, પવિત્ર વસ્તુઓમાં અતિપવિત્ર વિશુદ્ધ મન છે!
તીર્થીનાં હૃદય તીર્થ, શુચીન હૃદય શુચિ: !” મનને તીર્થ બનાવવાનું છે ! મન જ 23 ત્યારે તારક તીર્થ બને કે જ્યારે એ શુદ્ધ બને. પવિત્ર બને.